દરેક સ્માર્ટફોન યૂઝર્સ તેમના ફોનમાં અમૂક પ્રાઇવેટ અને મહત્વના ડેટાને સેવ કરીને રાખે છે. આ ડેટા ડિલીટ કે ચોરાઇ ના જાય તેની પણ સતત કાળજી રાખે છે. તેમ છતાં સ્માર્ટફોન યૂઝર્સને તેમનો ફોન હેક થવાની કે ડેટા લૉસ્ટ થવાની ચિંતા સતાવ્યા કરતી હોય છે. માની લો કે આટલુ કર્યા પછી પણ જો તમારો ફોન કોઇ હેકર્સના હાથમાં આવી જાય તો, તો બની શકે તમારા ડેટાને નુકશાન થાય. એટલે અમે તમને અહીં બતાવીએ છીએ એવી 4 ટ્રિક્સ વિશે જે તમારા સ્માર્ટફોનને હેક થતો રોકશે અને તમારા ડેટાને પણ સુરક્ષિત રાખશે.
* ફોનમાં આ પ્રકારે થાય તો ખતરો
જો તમારા ફોનમાં કેટલીક એપ્સ વારંવાર ખુલી જાય કે પછી ફોનની બેટરી સામાન્ય સમયથી જલ્દી લૉ થઇ જાય, તો બની શકે ફોન હેકિંગનો શિકાર બન્યો હોય. આ સિવાય પણ જો તમારા ફોનમાં વપરાશ કરતા વધુ ડેટા યૂઝ થતો હોય તો પણ ફોન હેકિંગનો શિકાર બન્યો હોઇ શકે છે.
1. લૉક સ્ક્રીનનો સ્માર્ટ યૂઝ
ફોનને હેકિંગથી બચાવવા માટે સ્ક્રીન લૉક સૌથી સરળ ઓપ્શન છે. જોકે, કોઇ સામાન્ય લૉક આના માટે પુરતુ નથી. આઇફોનમાં એવું સેટિંગ્સ છે કે કોઇ વ્યક્તિ યૂઝર્સની નક્કી કરેલી સંખ્યા કરતા વધુ વાર લૉક ખોલવાનો પ્રયાસ કરે તો ફોન ઓટોમેટિક લૉક થઇ જાય છે. એન્ડ્રોઇડ ફોન માટે પણ ઓટોવાઇપ જેવી એપ્સ ઉપલબ્ધ છે, આ એપથી જ્યારે તમારો ફોન ચોરી થઇ જાય ત્યારે તમે ડેટાને હેકર્સથી બચાવી શકો છો.
2. આ સેટિંગ્સને બંધ રાખો
ફોનને હેકિંગથી રોકવા માટે યૂઝર્સ પોતાના સ્માર્ટફોનમાં બ્લૂટૂથ, લૉકેશન સર્વિસ, નિયર ફિલ્ડ કૉમ્યુનિકેશન (એનએફસી), વાઇ-ફાઇ અને સેલ્યુલર જેવા ડેટા સેટિંગ્સને બંધ રાખવા જોઇએ. જેનાથી તમારા સ્માર્ટફોનની સુરક્ષામાં વધારો થઇ શકે છે. જો આ બધામાંથી કોઇ ઓપ્શન ચાલું હોય તો હેકર્સને તમારા ફોન સાથે જોડાવવામાં સરળતા રહે છે. તેમા પણ ખાસ કરીને બ્લૂટૂથ અને લૉકેશન સર્વિસને બંધ રાખવી જોઇએ કેમકે કેટલીક એપ્સ તમારી જાણકારી વિના આને વાપરે છે.
3. ડાઉનલોડીંગમા સાવધાની
હેકર્સને એપ્સ દ્વારા તમારા ફોનમાંથી ડેટા ચોરવાનો સીધો સસ્તો મળે છે એટલા માટે કોઇપણ ડાઉટફૂલ એપ્સને ડાઉનલોડ ના કરવી જોઇએ. જો કોઇ એપ્સ પર શંકા હોય તો સૌપ્રથમ તેની કંપની, રેટિંગ અને યૂઝર્સની કમેન્ટ્સને ચેક કરી લો. ઉદાહરણ તરીકે મોબાઇલ બેકિંગની એપ બેન્કના નામથી હોવી જોઇએ કોઇ ડેવલોપર્સ કે કોઇ સેલર્સના નામથી ના હોવી જોઇએ. આ ઉપરાંત એન્ટીવાયરસ સ્કેનિંગ એપ્સ પણ તમારા ફોનમાં રાખો તે તમને સેફ્ટી આપશે.
4. ફોન ખોવાઇ જાય ત્યારે…
આપણે બધા આપણા ફોનને સુરક્ષિત રાખવા માટે સતત પ્રયાસ કરતા હોઇએ છીએ, તેમછતા કેટલીક વાર ફોન ખોવાઇ જાય અથવા તો ચોરી થઇ જાય છે. આવા સમયે તમે તમારા ફોનમાં સેફ્ટી એપ્સને ડાઉનલોડ કરીને રાખો. જેનાથી તમને તમારા ફોનનું લૉકેશન મળતુ રહેશે. અથવા તો એવી એપને ડાઉનલોડ કરીને રાખો કે જે એસએમએસ દ્વારા તમારા ફોનનો ડેટા ડિલીટ કરવા માટે સક્ષમ હોય. યૂઝર્સ માટે એન્ડ્રોઇડ અને આઇઓએસ બન્ને માટે આવી એપ્સ ઉપબલ્ધ છે. તો વળી કેટલાક ફોનમાં ઇનબિલ્ટ આ સુવિધા હોય જ છે.
-દેવરહા બાબાએ હિમાલયમાં અનેક વર્ષો સુધી તપસ્યા કરી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી હતી, તેમના જીવનનું રહસ્ય કોઈ જાણતું ન હતું
-દેવરહા બાબા પોતાની શક્તિઓથી અદ્રશ્ય થઈને ગમે ત્યાં ચાલ્યા જતા હતા
-દેવરહા બાબા પોતાની ખાલી પાલખમાં હાથ નાખીને વ્યક્તિને પ્રસાદ આપતા હતા
-દેવરહા બાબા એ બાબતમાં પણ અનોખા હતા. એ માથે હાથ મૂકવાને બદલે માથે લાત મારીને આશીર્વાદ આપતા હતા.
કોઈ વ્યક્તિની ઉંમર 90-100 વર્ષ થઈ જાય તો લોકો તે વ્યક્તિને એક રેકોર્ડ માનતા હોય છે, પરંતુ કોઈ વ્યક્તિ 200, 500 નહીં પણ 900 વર્ષથી વધુ જીવે તે વાત તો કોઈને ગળે નહીં ઉતરે જી, હા, આ વાત આશ્ચર્યજનક તો છે જ પરંતુ જે વ્યક્તિની અમે વાત કરીએ છીએ તેમના વિશે એવું કહેવાય છે કે 900 વર્ષથી વધુ જીવ્યા હતા, તેમનું નામ છે દેવરહા બાબા. જો કે તથ્ય કેટલું છે તે તો કહી શકાય નહીં પરંતુ તેમને જોનાર લોકો અને મળનારા લોકોને ચોક્કસ એવું લાગતું કે આ મહાયોગી જરૂર ચમત્કારી પુરુષ છે અને તેમની ઉંમર 200 થી વધુ હશે એટલી વાત તો સાચું માની લેતા. મહાભારતના મહાપુરુષ ભીષ્મની ઉંમર 170 વર્ષથી વધુ હતી કારણ કે તેમને સ્વયં ઈચ્છિત મૃત્યુનું વરદાન હતું. પરંતુ દેવરહા બાબા તો તેમનાથી પણ અનેક સદીઓ વધુ જીવિત રહેલા.
સામાન્ય રીતે એક વ્યક્તિનું જીવન અર્થાત્ તેની ઉંમર કેટલી લાંબી હોય છે?50 વર્ષ ?60 વર્ષ? 70 વર્ષ કે પછી તે શરૂઆતથી જ હૃષ્ટપુષ્ટ રહ્યો હોય તો 100 વર્ષની આસપાસની ઉંમર સુધી પહોંચી જાય છે તો તે દુનિયા સામે મિસાલ બની જાય છે. કારણ કે આજના જમાનામાં જો કોઈ વ્યક્તિ 100 વર્ષથી વધુ ઉંમરનો થઈ જાય તો તે એક રેકોર્ડ માનવામાં આવે છે. દુનિયાભરમાં તેમની પ્રશંસા કરવામાં આવે છે તથા તેને વિભિન્ન પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવે છે. લોકો તેમને લાંબી ઉંમરનું રહસ્ય પૂછે છે તથા વૈજ્ઞાનિકો પણ તેમની ઉપર વિભિન્ન શોધ કરી કરીને તેમના લાંબા જીવનનું રહસ્ય શોધવા લાગી જાય છે કે તેમને આટલું લાંબુ જીવન કેવી રીતે કાઢ્યું છે?
પહેલી વખત એ જાણીને કોઈને વિશ્વાસ નથી થતું પરંતુ લોક પ્રચલિત કથા-કહાનીઓના આધારે આ વાત સામે આવી હતી. ભારતના ઉત્તર પ્રદેશના દેવરિયા જનપદમાં એક યોગી રહેતા હતા જેમનું નામ હતું દેવરહા બાબા, કહેવાય છે કે દેવરહા બાબા એક સિદ્ધ મહાપુરુષ તથા સંત પુરુષ હતા. દુનિયાના ખૂણે-ખૂણાથી મહાન તથા પ્રસિદ્ધ લોકો તેમના દર્શન કરવા આવતા હતા. તેમના ચહેરા ઉપર એક અલગ પ્રકારની ચમક હતી અને લોકોનું તો એવું માનવું હતું કે બાબની પાસે ચમત્કારી શક્તિઓ પણ હતી.
પરંતુ આ બધા તથ્યોથી હટીને જે એક વાત દરેક કોઈના મનમાં આવતી હતી તે હતી સાચે જ બાબાની ઉંમર સાચે જ 900 વર્ષથી વધુ હતી? બાબાની ઉંમરને લઈને લોકોમાં અલગ-અલગ મતભેદ હતા. કેટલાક લોકો તેમનું જીવન 250 વર્ષનું માનતા હતા તો કેટલાકનું કહેવું હતું કે બાબાની ઉંમર 500 વર્ષની હતી.
પરંતુ આશ્ચર્ય તો ત્યારે થાય છે જ્યારે લોકો કહે છે કે તેમની ઉંમર 900 વર્ષથી વધુ હતી. પરંતુ બાબા કહેતા આવ્યા હતા કે તેમનો જન્મ, તેમનું જીવન આજના લોકોની વચ્ચે પહેલી બનેલું છે. કહે છે કે કોઈ નથી જાણતું કે દેવહરા બાબાનો જન્મ ક્યારે થયો હતો તેમની જન્મ તારીખ, જન્મ સ્થાન તથા તેઓ ક્યારે અને ક્યાંથી આવ્યા તે બધા જ તથ્યો અજ્ઞાત છે. ત્યાં સુધી કે તેમની યોગ્ય ઉંમરનું આંકલન પણ નથી. બસ લોકો એટલું જાણતા હતા કે તેઓ યૂપીના દેવરિયા જિલ્લાના રહેવાસી હતી. અને તેમને પોતાનો છેલ્લો શ્વાસ મંગળવાર 19 જૂન સન્ 1990માં યોગિની એકાદશીના દિવસે થયો હતો. બાબાના સંદર્ભમાં લોકો અલગ-અલગ કહાનીઓ સાંભળે છે, જેમાંથી એક કથા ખૂબ જ દિલચસ્પ છે.
બાબાની લગભગ 10 વર્ષ સુધી સેવા કરનાર માર્કન્ડેય મહારાજના કહેવા પ્રમાણે બાબા નિર્વસ્ત્ર રહેતા હતા. તેઓ ધરતીથી 12 ફૂટ ઉંચે લાકડાથી બનેલ એક બોક્સમાં રહેતા હતા અને માત્ર ત્યારે જ નીચે આવતા હતા જ્યારે તેમને સવારે સ્નાન કરવા જવું હોય.
એવું માનવામાં આવે છે કે બાબએ અનેક વર્ષો હિમાલયમાં સાધના કરી હતી. પરંતુ કેટલા વર્ષ તે કોઈ નથી જાણતું. કારણ કે હિમાલયમાં તેમની ઉપસ્થિતિ અજ્ઞાત હતી. હિમાલયની ગોદમાં જપ-તપ કર્યા પછી જ બાબા ઉત્તર પ્રદેશના દેવરિયા વિસ્તાર તરફ પ્રસ્થાન કર્યું હતું.
અહીં બાબાએ વર્ષો સુધી નિવાસ કર્યો અને પોતાના ધર્મ-કર્મથી લોકોની વચ્ચે પ્રચલિત થયા. દેવરિયામાં બાબા સલેમપુર તાલુકાથી થોડે જ દૂર સરયૂ નદીના કિનારે રહેતા હતા. આ એજ સ્થાન છે જ્યાં ભગવાન વિષ્ણુના સાતમા અવતાર શ્રીરામને ત્યાગીને પાછા વૈકુંઠ ફર્યા હતા.
આ નદીના કિનારે બાબાએ વર્ષો સુધી પોતાનો ડેરો જમાવી રાખ્યો હતો અને આ ક્ષેત્રથી જ બાબાને દેવરહા બાબાના નામ પ્રાપ્ત થયેલું. કહેવાય છે કે બાબા ખૂબ જ મોટા રામભક્ત હતા. તેમના ભક્તોએ હંમેશા તેમના મુખમાંથી રામ નામ સાંભળ્યું હતું.
તેઓ પોતાના ભક્તોને પણ શ્રીરામના જીવન સાથે જોડાયેલા તથ્યો બતાવતા હતા અને તેમને જીવનમાં અપનાવવા માટે પ્રેરિત કરતા હતા. બાબા પોતાના ભક્તોના જીવનના કષ્ટોને ઓછા કરવા માટે શ્રીરામ અને શ્રીકૃષ્ણના મંત્ર આપતા હતા. તેઓ શ્રીરામ તથા શ્રીકૃષ્ણને એક જ માનતા હતા. આ બંને અવતારો સિવાય બાબા ગોસેવામાં પૂર્ણ વિશ્વાસ ધરાવતા હતા.
તેમની માટે જનસેવા તથા ગૌસેવા એક સર્વોપરિ-ધર્મ હતો. તેઓ પોતાની પાસે આવેલ દરેક ભક્તના લોકોની સેવા, ગૌમાતાનું રક્ષણ કરવા તથા ભગવાનની ભક્તિમાં રત રહેવાની પ્રેરણા આપતા હતા. તેઓ હંમેશા માટે લોકોને ગૌહત્યાની વિરુદ્ધમાં ઊભા રહેવાની પ્રેરણા આપતા હતા.
પ્રયાગરાજમાં ઈ.સ.1989માં મહાકુંભના પાવન પર્વ ઉપર વિશ્વ હિન્દુ પરિષદના મંચ ઉપરથી બાબાએ પોતાનો પાવન સંદેશો આપતા કહ્યું હતું કે- “દિવ્યભૂમી ભારતની સમૃદ્ધિ ગૌરક્ષા, ગૌસેવા વગર શક્ય નથી, ગૌહત્યને કલંકને દૂર કરવું જરૂરી છે”
પરંતુ ઉંમરના સંદર્ભમાં જે પ્રકારે તથ્ય લોકો બતાવે છે કે તે ઘણું આશ્ચર્યજનક છે. લોકો કહે છે કે બાબાની શારીરિક અવસ્થા વર્ષો સુધી જેવી છે તેવી જ રહી હતી. જે કોઈ માણસે તેમને વર્ષો પહેલા જોયા હતા તેવો અનેક વર્ષો પછી જુએ તો પણ એ તો એવા જ દેખાતા હતા, તેમનામાં કોઈ બદલાવ મહેસૂસ થતો ન હતો.
બાબાના દર્શન કરવા આનનાર લોકો તેમને મળીને ઘણા પ્રસન્ન થતા હતા. બાબા હંમેશા થોડે ઊંચે બેસીને જ પોતાના ભકતોને મળતા હતા તથા બધાની વાતને ધ્યાનથી સાંભળતા હતા. લોકો કહે છે કે બાબા પોતાના ભક્તોને મળીને ઘણા ખુશ થતા હતા અને તેમને મનોવાંછીત ફળ પ્રદાન કરતા હતા.
તેમની પોતાના ભક્તોને પ્રસાદ આપવાની રીત પણ ઘણી આશ્ચર્યચકિત કરી દેનારી હતી જેની ઉપર વિશ્વાસ કરી શકવો મુશ્કેલ છે. કહેવાય છે કે જ્યારે કોઈ ભક્ત તેમને પ્રસાદની કામના કરતા હતા તો બાબા તેમના ઊંચા મચાન ઉપર બેસીને જ પોતાના મચાન(પાલખ)ના ખાલી ભાગમાં રાખતા હતા અને તેમના હાથમાં ફળ, મિઠાઈઓ અને અન્ય ખાદ્ય પદાર્થો પોતાના હાથમાં આપમેળે જ આવી જતા હતા.
આ જોઈ લોકોને આશ્ચર્ય થતું હતું કે ખાલી પડેલા પાલખમાં બાબાનો પ્રસાદ કેવી રીતે આવી જતો હતો. કેટલાક લોકોનું માનવું હતું કે બાબા પોતાની અદ્રશ્ય શક્તિઓની મદદથી ગમે ત્યાં ચાલ્યા જતા હતા તથા પોતાના ભક્તો માટે પ્રસાદ લાવતા હતા. દેવરહા બાબા એ બાબતમાં પણ અનોખા હતા. એ માથે હાથ મૂકવાને બદલે માથે લાત મારીને આશીર્વાદ આપતા હતા.
લોકોનું એવું પણ કહેવું હતું કે બાબાએ વર્ષો સુધી પોતાના સૂક્ષ્મ શરીરમાં રહીને તપસ્યા પણ કરી હતી એટલા માટે તેમની ઉંમરનું યોગ્ય અનુમાન લગાવવું લોકો માટે વધુ મુશ્કેલ હતું. મોટાભાગે લોકો તેમની આટલી લાંબી જિંદગી જોઈને એવું અનુમાન લગાવતા હતા કે તેઓ ખૂબ જ પૌષ્ટિક આહાર લેતા હશે.
પરંતુ એવું બિલકુલ નથી. જનશ્રૃતિઓ પ્રમાણે બાબાએ પોતાના આખા જીવન દરમિયાન કશું જ ખાધુ ન હતું. તેઓ માત્ર દૂધ અને મધ પીને જીવતા હતા. તે સિવાય શ્રીફળનું પાણી પણ તેમને ખૂબ જ પસંદ હતું.
દેવરહા બાબાની ચમત્કારી શક્તિઓથી આકર્ષિત થઈને દેશના અનેક જાણીતા લોકો પણ તેમના દર્શન કરતા આવતા હતા, આ લિસ્ટમાં છે ડો. રાજેન્દ્ર પ્રસાદ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, અટલ બિહારી વાજપેયી, લાલૂ પ્રસાદ યાદવ, મુલાયમ સિંહ અને કમલાપતિ ત્રિપાઠી જેવા રાજનેતાઓના નામ સામેલ છે.
કહેવાય છે કે દેશમાં કટોકટિ પછી થયેલી ચુંટણીઓમાં ઈન્દિરા ગાંધી હરી ગઈ હતી તો તેઓ દેવરહા બાબાની પાસે પોતાની સમસ્યાનો હલ માંગવા આવી હતી. ત્યારે બાબાએ પોતાના હાતના પંજાથી તેમને આશીર્વાદ આપ્યા હતા અને ત્યારથી કોંગ્રેસનું ચુંટણી ચિન્હ હાથનો પંજો છે. માન્યતા પ્રમાણે બાબને મળ્યા પછી ચુંટણીમાં ઈન્દિરા ગાંધીની જીત થઈ હતી.
Swedish photographer Lennart Nilsson spent 12 years of his life taking pictures of the foetus Developing in the womb. These incredible photographs were taken with conventional cameras with macro lenses, an endoscope and scanning electron microscope. Nilsson used a magnification of hundreds of thousands and “worked” right in the womb. His first photo of the human foetus was taken in 1965.
Sperm in the Fallopian Tube..!!
If you see this and you still don’t believe in God… there’s something wrong with you
SCIENCE & TECHNOLOGY is amazing. Let’s thank the inventors who made the high tech camera, the photographer who documented the work, and the mother who allowed the process of this journey. (It’s not always about religion.)
Amazing work!
out of 140 millions only one is required.God is great. You can not understand His stand.
An egg cell..!!
This person definitely will win the prize for having the youngest baby pics…!!
This is how we all looked at some point in time. Struggling to become complete struggling to survive. Imagine how narrowly we escaped complete annihilation at every moment.
Will they have a date?
How can some people say there’s no GOD?
I am a believer but have nothing against those who cannot believe in a God however an interesting point was made by my grand daughter when she came home from school she said, “Nana isn’t is odd that when an athiest stubs their toe painfully (for example) they never say, ‘Oh big bang theory!’
The Fallopian tube.
I wish my OB-Gyn had this picture hanging on her exam room wall instead of the boring landscapes!
The rose takes the egg smoothly inside her cossy petals and offers it to the fastest bee…!
Two sperms are contacting with the egg cell
God is such a marvelous creator.
Unbelievably beautiful! Technology of our age can not compare to God’s creation.
The winning sperm
Everybody in this world were once champion of billions.
I wonder who that human being right now.
Winning Moments
Wow, this didn’t just happen. God totally designed and refined this. He created nature, and nature is awesome. But something that just cAme to be with no direction from intelligence could ever, ever get to this. God is so smart. ….just awesome. Border line unbelievable
Just all i want to do is : Hats off to GOD.. Almighty god.
The sperm 5-6 days.The clump has developed into a blastocyst, containing many more cells,and has entered the womb.
Likes Sun and earth.
Looks like one of those pics of a rare planet taken by NASA.
Great creation by GOD….
8 days.The human embryo is attached to a wall of the uterus.
In the holy quran , it’s called alaqah which is mean a leech or something that attached , it’s proven by the modern science today, masyaallah.
The brain starts to develop in the human embryo
Glory to God!
All praise the flying spaghetti monster! May his tentacles reach you to see the miracles of fettuccine.
24 days.The one-month-old embryo has no skeleton yet.There is only a heart that starts beating on the 18th day.
Its heart starts to beat on the 18th day!! That makes it human. in fact as far as i am concerned it becomes human the second the embryo attaches itself to the uterus wall ! This is amazing and grorious and should be shown to every pregnant mother considering an abortion and who has been told, its not human yet !
wow….how great thou art Almighty God!!!
Glory to evolution!
5 weeks.Approximately 9 mm.You can now distinguish the face with holes for eyes,nostrils and mouth.
Looks like a 5-6week selfie.
Seeing this made me realise how early cleft pallate develops!and I am amazed by the manner in which we are created all over again!
40 days.Embryonic cells form the placenta.This organ connects the embryo to the uterine wall allowing nutrient uptake,waste elimination and gas exchange via the woman’s blood supply
Respect for the woman who hold this inside them for 9 months.
Eight weeks.The rapidly-growing embryo is well protected in the foetal sac.
Incredible…i’m 8 weeks pregnant, so these picture are very touching.
God’s creation !!!
10 weeks. The eyelids are semi-shut. They will close completely in a few days.
Looks like angel on flower bed.
At this stage 16 weeks, it is still legal to have an abortion, in my mind this is a baby, no ifs ands or butts.
16 weeks.The foetus uses its hands to explore its own body and its surroundings.
Amazing at this early stage they can actually FEEL what is around them. If that is not a life then I don’t know how to get it across to the women getting multiple abortions just so they don’t have to deal with the body changes, raising a child etc… Why not have more respect for yourself and NOT get pregnant to begin with.
The skeleton consists mainly of flexible cartilage.A network of blood vessels is visible through the thin skin.
Just something to think about…This child has no skin colour…is neither, black, brown, white or anything else….we ALL started the same way…
Am honored that God has blessed and afforded me as a woman the intimate experience of His creation …I do not have any kids yet but i can imagine how wonderful it must be to be such a huge part of God creation.
18 weeks.Approximately 14 cm.The foetus can now perceive sounds from the outside world.
One of the most amazing photos I’ve ever seen!
Such pictures leave us speechless. All praise to the creator who created this from nothing.
and how can people say this is not a baby?
19 Weeks.
Makes me think of Juno: “Your baby has fingernails!”
Amazing…!!
20 weeks.Approximately 20 cm.Woolly hair, known as lanugo, covers the entire head
Wow!!! My baby will be 20 weeks tomorrow!!!! Thank u for sharing these amazing photos!!!! How can anyone deny God after seeing these????
Please stop aborting!! Can’t you see how beautiful God’s creations are…..you are comitting a crime…
24 weeks
To think that Somewhere….abortion is still legal at this time.
God is there. Amazing Creation.
6 months.The little human is getting ready to leave the uterus.It turns upside down because it will be easier to get out this way.
36 weeks. The child will see the world in 4 weeks.
Fearfully and wonderfully made. “God knit me together in my mother’s womb. Psalm 139:13. The pictures are so beautiful. Truly amazing look at the stages of the formation of a child. God is awesome!
We have an AMAZING GOD.
All this is done inside the mother and the mother does not know. Amazing miracle by God.
વિના જમીને પાણીનાં આધારે કરે છે રોજનું 100 કિલો ઘાસનું ઉત્પાદન
વિના જમીન ખેતી-પાણી આધારિત નવીન હાઈડ્રોપોનિક પ્લાન્ટ
અમદાવાદ શહેરના રબારી કોલોનીના જશુભાઈ અને તેમના પુત્ર પ્રફુલ પટેલે એક હાઈડ્રોપોનિક પ્લાન્ટ બનાવ્યો છે. આ પ્લાન્ટ દ્વારા માટીનો ઉપયોગ કર્યા વગર અઠવાડિયામાં ઘાસ ઉગાડી શકાય છે અને રોજના 80થી 100 કિલો જેટલા ઘાસનું ઉત્પાદન કરી શકાય છે. વિના જંતુનાશકે ઊગતા આ ઘાસમાં દાણા હોય છે.જેને લીધે પશુના દુધના ઉત્પાદનમાં પણ વધારે થાય છે.અને દુધના ફેટ પણ વધે છે.
વિના જમીને પાણીનાં આધારે કરે છે રોજનું 100 કિલો ઘાસનું ઉત્પાદન
હવે તમારે તમારા જરૂરી દસ્તાવેજ સાથે લઇને ફરવાની જરૂરત નથી. તેના માટે સરકારે ડિજીટલ લોકર લોંચ કર્યું છે. જ્યાં તમે તમારું જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ, શૈક્ષણિક પ્રમાણપત્ર જેવા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોને ઓનલાઇન સ્ટોર કરી શકો છે. આ સુવિધા મેળવવા માટે બસ તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. આધાર નંબર ફીડ કરી તમે ડિજીટલ લોકર એકાઉન્ટ ખોલાવી શકો છો. આ સુવિધાની ખાસ વાત એ છે કે એક વખત લોકરમાં તમારા દસ્તાવેજ અપલોડ કર્યા બાદ તમારે ક્યાંય પણ તમારા સર્ટિફિકેટની અસલ કોપી બતાવવાની જરૂરત નહીં રહે. તેના માટે માટે તમારા ડિજીટલ લોકરની લિંક જ બસ છે. ડિજીટલ લોકર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજીટલ ઇન્ડિયા પ્રોગ્રામનો એક ભાગ છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશ ટેક્નોલોજી (ડીઈઆઇટીવાઈ)એ ડિજીટલ લોકરનું બીટા વર્ઝન લોન્ચ કર્યું છે.
કેવી રીતે મળશે ડિજીટલ લોકર:
ડિજીટલ લોકર ખોલાવવા માટે તમારે http://digitallocker.gov.in/ વેપબાઇટ પર જઇને તમારો આઇડી બનાવવાનું રહેશે. આઇડી બનાવવા માટે તમારે તમારો આધાર નંબરથી લોગઇન કરવાનું રહેશે. લોગઇન કર્યા બાદ તમારી પાસે જે જામકારી માગવામાં આવે તે જાણકારી ભરવી. ત્યાર બાદ તમારું એકાઉન્ટ બની જસે. એકાઉન્ટ ખુલી ગયા બાદ ગમે ત્યારે તમે તમારા પર્સનલ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો.
શું છે વિશેષતા:
ડિજિટલ લોકરની વિશેષતા એ છે કે તમે ગમે તે જગ્યાએથી ગમે ત્યારે તમારા ડોક્યુમેન્ટ જમા કરાવી શકો છો. ડિજીટલ લોકર સ્કીમમાં દરેક ભારતીય શૈક્ષણિક, મેડિકલ પાસપોર્ટ અને પાન કાર્ડની વિગતને ડિજીટલ ફોર્મમાં રાખી શકે છે. વેબસાઇટમાં કહેવામાં આવ્યું છે કે, ડિજીટલ લોકર અધિકૃત ગ્રાહકો-એજન્સીઓને કોઈપણ સમયે અને કોઈપણ જગ્યાએ પોતાના દસ્તાવેજ સુરક્ષિત રીતે અપલોડ કરવાની સુવિધા આપશે.
આધાર કાર્ડ શા માટે જરૂરી છે:
આધાર કાર્ડ દ્વારા ડિજીટલ લોકર ખોલાવવા માટે એ જરૂરી છે કે તમારા આધાર કાર્ડમાં તમારું ઇ-મેલ આઇડી અને મોબાઇલ નંબર અપડેટ થયેલ હોવા જોઈએ. જો એવું નહીં થયું હોય તો તમારા માટે ડિજીટલ લોકર ખોલાવવાનું સરળ નહીં હોય. જોકે તમારો મોબાઇલ નંબર અને ઈ-મેલ અપડેટ ન હોય તો ડિજીટલ લોકરની વેબસાઇટ દ્વારા તમે તેને અપડેટ કરી શકો છો. આ સુવિધા પણ ત્યાં ઉપલબ્ધ હશે.
શું થશે ફાયદો:
ડિટીચલ લોકરમાં દસ્તાવેજ રાખવાનો સૌથી મોટો ફાયદો એ હશે કે તમારે તમારા દસ્તાવેજ લઇને આમ તેમ ફરવું નહીં પડે. જેનાથી તે ખોવાઈ જવાનો ડર પણ નહીં રહે. તેના માટે ડિજીટલ લોકર દ્વારા દસ્તાવેજની લિંકની જ તમારી જરૂરત પૂડી કરી દેશે. જેમ કે તમારે બેંકમાં ખાતું ખોલાવવું છે, તો તેના માટે જરૂરી દસ્તાવેજ ડિજીટલ લોકરની લિંક દ્વારા બેંકને આપી શકાય છે. તેવી જ રીતે અન્ય સરકારી વિભાગોની જરૂરતો માટે પણ આ લિંકનો ઉપયોગ કરી શકાય છે.
અપગ્રેડેશન માટે સરકારે સલાહ-સૂચન મંગાવ્યા છે:
હાલમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીએ ડિજીટલ લોકરનું બીટા વર્ઝન રજૂ કર્યું છે. લોકરને કેવી રીતે વધુ સારું બનાવી શકાય તે માટે સરકારે ક્રાઉડસોર્સિંગ પ્લેટફોર્મ myGov.in પર લોકોની સલાહ-ભલામણ માગવામાં આવી છે. ડિજીટલ લોકર કેન્દ્ર સરકારના ડિજીટલ ઇન્ડિયા પ્રોગ્રામનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે.
બીએચયૂ આઇઆઇટીના વિદ્યાર્થીઓ સતત નવા સંશોધન દ્વારા ભારતની ટેક્નોલોજીમાં નવી દિશા કંડારી રહ્યા છે. આઇઆઇટીના બીટેકના વિદ્યાર્થીઓની ટીમ અવેરાએ એક એવું ફ્યૂઅલ એફિશિઅન્ટ કાર મોડલ તૈયાર કર્યું છે, જે ઇલેક્ટ્રોનિક બેટરીથી ચાલે છે. વિદ્યાર્થીઓએ આ કારનું નામ અલ્ટેર્નો રાખ્યું છે. આ કાર માત્ર એક લીટર પેટ્રોલના ખર્ચમાં 1851.8 કિલોમીટરની એવરેજ આપે છે.
મેકેનિકલ એન્જિનિયરિંગ આઇઆઇટી બીટેકના વિદ્યાર્થી અંકિત વર્માની ટીમ અવેરાએ તેની ડિઝાઇન કરી છે. આવી કારનો ઉપયોગ શેલ ઈકો મેરેથોન સ્પોર્ટ્સમાં કરવામાં આવે છે. પ્રથમ વખત બીએચયૂ આઇઆઇટી શૈલ ઈકો મેરેથોન ગેમ ફિલીપાઇન્સ-2015માં ભાગ લેશે. તેને 12 લોકોની ટીમે મળીને તૈયાર કરી છે. સંસ્થાના ડાયરેક્ટર પ્રો. રાજીવ સંગલે સોમવારે આ કારનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું.
માત્ર 80 કિલો છે કારનું વજન
શેલ ઇકો કાર અલ્ટેર્નોને બનાવનાર આઇઆઇટીના વિદ્યાર્થી અંકિત વર્માનો દાવો છે કે, ભારતમાં અન્ય કારોની તૂલનામાં તેની આ કાર એવરેજમાં ઘણી સસ્તી છે. અંકિતે જણાવ્યું કે, તેની કાલનું કુલ વજન 80 કિલોગ્રામ છે. એન્જિનની જગ્યાએ જાતે બનાવેલ ઇલેક્ટ્રિકલ મોટરનો ઉપયોગ કર્યો છે. ચેચિસનું વજન માત્ર 12 કિલો છે. એન્જિનમાં લગાવવામાં આવેલ મોટરને બ્રેસલેસ મોટર કહે છે. બેટરી ચાર્જ કરવામાં બહુ ઓછી ઉર્જાની જરૂર પડે છે. માત્ર 80 રૂપિયાની વિજળમાં આ કાર 1851.8 કિલોમીટરનું અંતર કાપી શકે છે.
આટલી વધુ એવરેજ આપવાનું આ છે કારણ
તેમાં એરોડાયનેમિક ડ્રેગ સિસ્મટની વિરૂદ્ધ દિશામાં તાકત ઓછી કરવામાં આવી છે, જેનાથી ઘણી ઓછી ઊર્જાની જરૂરત પડે છે. તે હવાની વિરુદ્ધ દિશામાં ચાલે છે. બીજી વાત એ ચે કે, તેના ટાયરોને અન્ય ટાયરોની તૂલનામાં લો રોલિંગ ફિક્શન પર રાખવામાં આવ્યા છે. જ્યારે, કારનું વજન ઘણું ઓછું છે, જેના કારણે ઊર્જાની ઓછી જરૂરત પડે છે. ઉપરાંત કારમાં નવ બેટરી લગાવેલી છે, જે 36 વોટ સુધીની ઊર્જા સરળતાથી આપે છે. અંકિતના જણાવ્યાનુસાર, આ કાર 10 કિમીની ઝડપથી દોડવા પર 1851.8 કિમીની એવરેજ આપે છે.
ફિલીપાઇન્સમાં શેલ ઇકો મેરેથોન ગેમ ભાગ લેશે
26 જાન્યુઆરીથી 1 માર્ચ સુધી ફિલીપાઇન્સમાં શેલ ઇકો મેરેથોન ગેમનું આયોજન થવાનું છે. તેમાં પ્રથમ વખત ભારત તરફથી મુબંઇ અને બીએચયૂ આઇઆઇટીની ટીમ ભાગ લેશે. ભારત તરફથી તેમાં કુલ 17 ટીમ ભાગ લેવાની છે. જણાવીએ કે, આ હરીફાઇમાં સમગ્ર એશિયાની ટીમ ભાગ લેતી હોય છે.
કારની વધુમાં વધુ ઝડપ 55 કિલોમીટર
એક માણસ આ કારમાં બેસીને આરામથી ચલાવી શકે છે. તેમાં રિયલ વ્હીલ સંચાલિત પૈંડા લગાવેલા છે. બે પૈંડા આગળ અને એક પાછળ લાગેલું છે. તેની વધુમાં વધુ ઝડપ 55 કિલોમીટર છે. 45 કિલોમીટરની ઝડપમાં પહોંચવા માટે 11.2 સેકન્ડનો સમય લાગે છે.
કઈ વસ્તુઓમાંથી બનેલી છે આ કાર
મેકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી રંજીત કુમારના જણાવ્યાનુસાર, આગળનુ મોડલ ગ્લોસ ફાઇબરથી તૈયાર કરવામાં આવ્યું છે. ચેચિસ એલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવ્યા છે. સ્ટીઅરિંગ ખાસ ગોકાર્ડિંગ બનાવવામાં આવ્યા છે, જે નાની અને રેસર કારમાં હોય છે. હાલમાં નોર્મલ સાઇકલના પૈંડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
બીએચયૂ આઇઆિટીના ડાયરેક્ટર પ્રો. રાજીવ સંગલે જણાવ્યું કે, પ્રથમ વખત કોઈ કાર બનાવવાને લઇને આવો અદ્ભૂત પ્રયોગ થયો છે. આ કાર પ્રતિ એક લીટર (65.54 રૂપિયા)માં 1851.8 કિલોમીટરનું અંતર કાપે છે. આ કારમાં મોટર એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું કે, ભવિષ્યમાં આ કારનો ઉપયોગ ઈ-રિક્ષાની જેમ કરી શકાશે. આગળ વધુ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સોલર પેનલનો ઉપયોગ પણ કરી શકાય છે. આ કાર બનાવવા પાછળ કેટલો ખર્ચ થયો છે તેનો કોઈ ખુલાસો થયો નથી પરંતુ અન્ય કારની તૂલનામાં તેની કિંમત ઘણી ઓછી હશે.
આ પ્રકારનું છે કારનું માળખું
વજનઃ 80 કિલોગ્રામ
લંબાઈઃ 285 સેમી
પહોળાઈઃ 100 સેમી
બેટરીઃ 36 વોટ
આકારઃ બે પૈંડા આગળ અને એક પૈંડું પાછળ.
સસ્તો હોય કે મોંઘો પણ દરેક વ્યક્તિ માટે પોતાનો મોબાઇલ ફોન ખાસ મહત્વ ધરાવતો હોય છે. જયારે કોઇ વ્યક્તિનો મોબાઇલ ખોવાઇ જાય ત્યારે તેને ઘણી જ મુશ્કેલીઓ પડતી હોય છે. જે કદાચ મોબાઇલની કિંમત કરતાં ભારે પડી જાય છે. પરંતુ ગભરાશો નહીં, આનાથી છુટકારો મેળવી શકાય છે. જો તમારો મોબાઇલ ચોરી થઇ જાય કે ગુમ થઇ જાય તો કેટલીક ટ્રિક્સ છે જે તમને ગુમ થયેલો મોબાઇલ શોધવામાં મદદ કરશે.
ગુમ કે ચોરી થયેલો મોબાઇલ કવી રીતે પાછો મેળવી શકાય
1- આઇએમઇઆઇ
દરેક મોબાઇલ કે સ્માર્ટફોનનો આઇએમઇઆઇ નંબર હોય છે. તમારા ફોનથી *# ડાયલ કરીને પોતાના મોબાઇલ ફોનનો આઇઇએમઆઇ નંબર મેળવી શકો છો. આ નંબરને હંમેશા કોઇ સુરક્ષિત જગ્યાએ નોટ કરી લેવો જોઇએ. જેથી ભવિષ્યમાં જો કોઇ મોબાઇલ ખોવાઇ જાય તો તે તમારા કામમાં આવી શકે. તમે આ નંબરની મદદથી પોતાનો મોબાઇલ ફોન ટ્રેક કરી શકો છો. આઇએમઇઆઇ નંબર જોવા માટે હેન્ડસેટની બેટરી કાઢિને ફોનના પેનલમાં લાગેલા સ્ટીકરથી આઇએમઇઆઇ નંબર જોઇ શકાય છે.
અવાસ્ત મોબાઇલ સિક્યોરિટીની મદદથી તમારો ખોવાઇ ગયેલા મોબાઇલને ટ્રેક કરી શકાય છે. આ એપ્લિકેશન ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. આનાથી તમે પોતાનો મોબાઇલ ટ્રેક કરવાની સાથે સાથે તેને કન્ટ્રોલ પણ કરી શકો છો. જયારે પણ મોબાઇલ ખોવાઇ જાય ત્યારે તમારા ખોવાઇ ગયેલા મોબાઇલમાં એક એસએમએસ મોકલીને તમે તેનું લોકેશન જાણી શકો છો.
મોબાઇલ ચેઝ લોકેશન ટ્રેકર પણ એક આવી જ એપ્લિકેશન છે જેની મદદથી ગુમ કે ચોરી થયેલો મોબાઇલ ટ્રેક કરવો આસાન છે. આન મદદથી આપના હેન્ડસેટમાં કોઇ બીજાનું સિમ હોવાની માહિતી મળે છે. આ એપ્લિકેશન જીપીએસ કનેક્ટીવિટીના માધ્યમથી હેન્ડસેટનું સાચુ લોકેશન દર્શાવે છે. એટલું જ નહીં લોકેશન આઇ પણ એસએમએસથી મોકલી દેશે.
થીફ ટ્રેકર એપ્લિકેશન ઘણી જ મદદગાર સાબિત થશે. આ મોબાઇલ ચોરી કરનારી વ્યક્તિ અંગે પૂરી જાણકારી આપશે. ચોરી થયેલો મોબાઇલનો ઉપયોગ કરવાનું ચોર માટે પણ મુશ્કેલ થઇ જશે. અને તે આપના મોબાઇલની ખોટી જાણકારી નહીં આપી શકે. સાથે જ આમાં એક વિશેષ ફિચર એ છે કે તે મેલ દ્ધારા ફોટો ખેંચીને સેન્ડ પણ કરશે. જેનાથી મોબાઇલનું લોકેશન જાણી શકાશે.
સ્માર્ટ લુક એપ્લિકેશન પણ લગભગ થીફ ટ્રેકરની જેમ જ કામ કરે છે. આ પણ આપના ફોનને ચોરનાર વ્યક્તિનો ફોટો ખેંચનીને મેલ કરી દેશે. આ જીપીએસની મદદથી તમારા મોબાઇલ ફોનનું લોકેશન જણાવતું રહેશે, જેનાથી તમે ફોન ટ્રેક કરી શકશો.
એન્ટી થેફ્ટ એલાર્મ પણ મોબાઇલની ચોરીને રોકવામાં મદદગાર સાબિત થશે. આ એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા બાદ ફોનમાંથી તેને એક્ટિવેટ કરવી પડશે. ત્યાર બાદ જો કોઇ તમારો મોબાઇલ અડવાની કોશિશ કરશે તો તમારા મોબાઇલનું એલાર્મ જોરથી વાગશે અને તમને ખબર પડી જશે કે તમારો મોબાઇલ કોણ ચોરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
કેસ્પર સ્કાઇ મોબાઇલ સિક્યુરિટી એપ્લિકેશન પણ અવાસ્તની જેમ ડાઉનલોડ કરી શકાય છે. જેનાથી વણજોઇતા મોબાઇલ એસએમએસ અને ટેક્સ ફિલ્ટર કરી શકાય છે. જેમાં સ્કેનર પણ છે, જે કોઇપણ મોબાઇલ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરતાં પહેલા તમને સૂચિત કરે છે.
લુકઆઉટ સિક્યોરિટી એન્ડ એન્ટીવાયરસ ફ્રી એપ્લિકેશન છે. જેમાં ચોરી કે ખોવાઇ ગયેલો મોબાઇલ ગૂગલ મેપની મદદથી તેના લોકેશનને શોધી શકે છે. જો ફોન સ્વિચ ઓફ કરવામાં આવ્યો હોય તો આ એપ્લિકેશન ફોનનું છેલ્લું લોકેશન પણ બતાવે છે. આ ડિવાઇસ તમને ફોન શોધવામાં મદદ કરી શકે છે.
ટ્રેન્ડ માઇક્રો મોબાઇલ સિક્યોરિટી એન્ડ એન્ટિવાયરસ બેસ્ટ સેલિંગ એપ્લિકેશનમાંની એક છે. જેના પ્રાઇવસી સ્કેનરની મદદથી ચોરોને દૂર રાખી શકાય છે. જો બાળકો જરૂરી ચીજો ડિલિવ કરી નાંખે છે તો કિડ્સ ફીચરની મદદથી પોતાના ફોનની કેટલીક ચીજો બ્લોક કરી શકાય છે.
પ્લાન બી લુકઆઉટ સિક્યોરિટી એપ્લિકેશનની મદદથી ખોવાઇ ગયેલો કે ચોરી થઇ ગયેલો ફોન લોકેશનની મદદથી આસાનીથી ટ્રેક કરી શકાય છે. આ એપ્લિકેશન જીપીએસની મદદથી આપનો ગાયબ ફોન લોકેશન બતાવતો રહેશે. જેમા પ્લાન એ અને બી પણ છે. જો કે ફોનમાંથી જીપીએસ ઓફ કરી દે તો એપ્લિકેશન આપને મેલ દ્ધારા આ વાતની જાણકારી આપશે જેથી તમને ખબર પડે કે તમારા ફોનનું છેલ્લું લોકેશન કયું હતું.
કાર ભલે ગમે તે પણ હોય, પરંતુ તેની સામે મોટરસાઇકલ પસંદ કરનારાઓની કમી નથી. છોકરાઓ તો ઠીક પણ છોકરીઓમાં પણ આજકાલ બાઇક્સનો શોખ જોવા મળે છે. બાઇક્સ જેટલી સ્ટાઇલિશ લાગે છે, તેટલા જ ગ્રાહકો આકર્ષિત થાય છે. અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ બાઇક્સ જો તમારે જોવી હોય તો તેના માટે ઓટો-એક્સ્પો અથવા બાઇક શોની ઇવેન્ટ્સ બેસ્ટ છે. આજે અમે તમને દુનિયાની 10 એવી બાઇક્સ બતાવવા જઈ રહ્યા છીએ જે તમને સાઇન્સ ફિક્શન ફિલ્મોની આદ અપાવશે. જોકે, આ 10 ડિઝાઇન્સ આવનારા દિવસોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, પરંતુ તેનો ઉપયોગ આજે પણ કરી શકાય છે.
Bombardier Embrio
આ મોટરસાઇકલ એક વ્હિલ પર ચાલે છે. આ દુનિયાની સમક્ષ વર્ષ 2003માં રજૂ થઈ હતી. તેનો કોન્સેપ્ટ અલગ જ છે. જો તેનું મોડલ તૈયાર કરવામાં આવે તો 2025 પહેલા તે તૈયાર નહીં થઈ શકે. આ મોટરસાઇકલની સ્પીડ વધુ છે.
હોંડા વી4
હોંડા વી4ને વર્ષ 2008માં જર્મનીની એક મોટરસાઇકલ શોમાં રજૂ કરવામાં આવી હતી. આ સ્ટાઇલિશ બાઇકને ભવિષ્ય માટે બનાવવામાં આવી છે. તેની ડિઝાઇન આજના મોડલ્સથી બિલ્કુલ હટકે છે. બ્રાંડ હોન્ડા માટે પણ આ બાઇક ડિઝાઇનની દૃષ્ટિએ અલગ છે.
Suzuki G-Striker
સુઝુકી જી સ્ટ્રાઇકરની ઝલક સૌથી પહેલા વર્ષ 2003માં ટોક્યો મોટરશોમાં જોવા મળી હતી. આ મોટરસાઇકલની ડિઝાઇન એવી છે કે આ અડધી બાઇક લાગે છે અને અડધુ સ્કુટર.
I.Care
આ બાઇકની ડિઝાઇન અને તેમાં ઉપોયગમાં લેવાયેલ આધુનિક ટેક્નોલોજી તેની ગતિને વધારવામાં મદદ કરે છે. આ હાઇ સ્પીડ બાઇકની શોધ ફ્રાન્સમાં થઈ હતી.
Victory Vision 800
આ ખૂબ જ પાવરફૂલ બાઇક છે. આ ટ્રેક રાઇડિંગ અને સિટી રેસિંગ માટે ઉપયુક્ત છે. આમ તો આ બાઇક હાલથી જ ખૂબજ લોકપ્રિય છે.
Peraves Monotracer
આ એક અલગ પ્રકારની મોટરસાઇકલ છે. તેનો લુક સ્પોર્ટી છે, તેમાં ફ્યૂલ ખર્ચ ઓછો આવે છે અને લાંબા અંતરની યાત્રા માટે ખૂબજ આરામદાયક છે.
Batpod
આ મોટરસાઇકલમાં વોટર કુલિંગ ટેક્નોલોજી છે. સિંગલ-સિલિન્ડરવાળા એન્જિનથી ચાલતા તેની ગતિ બહુ ઝડપી છે. તે દેખાવે હેવીવેઈટ છે, પરંતુ એક વખત ગતિ પકડી લીધા બાદ આ બાઇક્સ જેવું લાઇટ મોડલ બીજું કોઈ ન હોઈ શકે.
Dodge Tomahawk
અજીબોગરીબ લુકને કારણે આ મોટરસાઇકલનું નામ બાદમાં બદલી નાખવામાં આવ્યું હતું. બાદમાં તેને ‘Tomahawk’ના નામે ઓળખવામાં આવી. આ બાઇકની ઝલક પહેલી વખત વર્ષ 2003માં ડેટ્રોઇટ ઓટો સેલૂનમાં જોવા મળી હતી.
Confederate Renovatio
આ બાઇકને અમેરિકાના બે ડિઝાઇનર્સે બનાવી છે. આ દેખાવે ભારી ભરકમ લાગે છે પરંતુ તે ઘણી સુવિધાજનક છે.
માઉન્ટ આબુમાં સરકારી નોકરી કરતાં જગદીશકુમાર હિરાજી ગેહલોત (હિરાગર) અને ચંદ્રરેખાબહેનના ત્રણ પુત્રો પૈકી રાજકમલે માઉન્ટઆબુમાં અભ્યાસ કરી ઓટોમોબાઇલની ડીગ્રી પ્રાપ્ત કરી છે.જેમણે ગ્રામિણ વિસ્તારમાં વસતા લોકોની વાહનની સ્થિતિ નિહાળી માત્ર એક લીટરમાં ૨૦૦ કિલોમીટર ચાલી શકે તેવી સાયકલ બનાવી હોવાનો દાવો કર્યેા છે.તે રાત્રી દરમીયાન ચલાવી સકાય તે માટે હેડ લાઇટ લગાવવામાં આવશે જેના ઉપર હજુ શંસોધન ચાલું છે.જે સંપૂર્ણ તૈયાર થશે ત્યારે ગુજરાતમાં સૌ પ્રથમ આવી સાયકલ બજારમાં આવશે તેવો રાજકમલ દોવો કરી રહ્યા છે.
કોણે બનાવી સાઈકલ
– મૂળ રહેઠાણ માઉન્ટ આબુ અને હાલ પાલનપુરમાં રેસ્ટોરન્ટ ધરાવતા રાજકમલે ત્રણ વરસમાં સાઈકલ બનાવી
– 80 સીસી ટુ સ્ટ્રોક એસમ્બલ એન્જિન
– સિંગલ પ્રિસ્ટન
– 40-50 કિલોમીટરની ઝડપે દોડે છે
– પેન્ડલ મારી કલચ છોડવાથી ચાલુ થાય છે
– 02 લિટર પેટ્રોલની ટાંકી
– પેટ્રોલ ખલાસ થાય તો પેન્ડલથી સાઈકલ ચલાવી શકાય છે
– રાત્રી દરમિયાન ચલાવી શકાય તે માટે હેડ લાઇટ
(200 કિમી ચાલનાર પ્રસ્તાવિત સાયકલ)
– એકલીટર પેટ્રોલમા 200 કિમી ચાલતી સાયકલને ન્યૂજનરેશન લૂક અપાશે
– સાયકલને નવી ચેસીસ બનાવી કલેવર અપાયુ: તૈયાર થયા બાદ મજુરી અર્થે દિલ્હી મોકલાશે
પાલનપુર: પાલનપુરના ઓટો મોબાઈલ એન્જિનિયર દ્વારા એક લીટર પેટ્રોલમાં 200 કિલોમીટર સાયકલ બનાવવામાં આવી છે. જેને ન્યૂજનરેશન લૂક આપી સરકારની મજુરી માટે દિલ્હી મોકલાશે. જો, સરકાર મંજુરી આપે તો ભારતને વિદેશી કંપનીમા બનતી સૌને પરવડે તેવી કિંમતની સાયકલ મળી શકે તેમ છે.
માઉન્ટ આબુમાં સરકારી નોકરી કરતા જગદીશકેમાર હિરાજી ગોહલોત અને રેખાબેનના પુત્ર રાજકમલે એક લીટર પેટ્રોલમા 200 કિલોમીટર ચાલી શકે તેવી સાયકલ બનાવી છે. જેમા 80 સીસી ટુ સ્ટ્રોક એસમ્બલ એન્જિન, સીંગલ પ્રિસ્ટલથી 40થી 50 કિલોમીટરની ઝડપે દોડે છે. પેડલ મારી કલચ છોડવાથી ચાલુ થતી આ સાયકલમાં બે લીટરની પેટ્રોલ ટાંકી લગાવવામાં આવી છે. અને જો કદાચ રસ્તામાં પેટ્રોલ ખલાસ થઇ જાય તો પેડલથી પણ સાયકલ ચાલી શકે છે.
આ સાયકલમા હજુ પણ સુધારા કરવામાં આવી રહ્યા છે. જેમા જંપર, એરોડાયનામીક્ષ , બ્રેકીંગ પાવર, ઇન્જન આરપીએમ હેડલાઇટ ગોઠવી ન્યુ જનરેશન લુક આપવામા આવનાર છે. વર્તમાન સમયે સાયકલ ઉપર નવી ચેસીસ નાખવામા આવી છે. જેની પાછળ સીટ ગોઠવવામાં આવશે. જેથી બીજી વ્યક્તિ પણ સાયકલ ઉપર બેસી શકશે. દરિમયાન સાયકલ સંપૂર્ણ તૈયાર થઇ જાય તેપછી સરકારની મંજુરી અર્થે દિલ્હી મોકલવામાં આવશે.જો સરકાર મંજુરી આપે તો પ્રજાજનોને સ્વદેશી માત્ર રૂ. 20થી 23 હજારની કિંમતમાં સૌને પરવડે તેવી સાયકલ મળી શકેશે. બીજી તરફ સરકારને પણ ટેક્ષ રૂપી આવક થશે.
એસેબલ એન્જીનથી એવરેજ મળ છે : કમલકમાર સૈની ( એચ.ઓ.ડી.મિકનીલ એન્ડ ઓટો મોબાઇલ ડિપાર્ટમેન્ટ એસઆઇડી કોલેજ, જામપુરા)
પાલનપુરના રાજકમલ હિરાગરએ મારા માર્ગદર્શન હેઠળ આ સાયકલ બનાવી છે. જેમા અમોએ એસેબલ એન્જિન તૈયાર કર્યુ છે, અને ચકાસણીમાં 50 ગ્રામ પેટ્રોલમાં 32 કિલોમીટર એવરેજ મળી હતી. એક લીટર પેટ્રોલમા 200 કિલોમીટરની એવરેજ મળી શકેશે.
કેવી રીતે બને છે આ સાયકલ
– 80 સીસી ટુ સ્ટ્રોક એસમ્બલ એન્જિન
– સિંગલ પ્રિસ્ટન
– 40-50 કિલોમીટરની ઝડપે દોડે છે
– પેન્ડલ મારી કલચ છોડવાથી ચાલુ થાય છે
– 02 લિટર પેટ્રોલની ટાંકી
– પેટ્રોલ ખલાસ થાય તો પેન્ડલથી સાઈકલ ચલાવી શકાય છે
– રાત્રી દરમિયાન ચલાવી શકાય તે માટે હેડ લાઇટ
Video: લીટર પેટ્રોલમાં 200 KM ચાલતી સાયકલ
***** વીડિયો જોવા માટે નીચેની લિંક ઉપર ડબલ ક્લિક કરો. *****
मोबाइल से जुडी कई ऐसी बातें हैं, जिनके बारे में हमें जानकारी नहीं होती..लेकिन मुसीबत के वक्त यह मददगार साबित होती है ।
इमरजेंसी नंबर – दुनिया भर में मोबाइल का इमरजेंसी नंबर 112 है ।…
अगर आप मोबाइल की कवरेज एरिया से बाहर हैं,तो 112 नंबर द्वारा आप उस क्षेत्र के नेटवर्क को सर्च कर लें..
ख़ास बात यह है कि यह नंबर तब भी काम करता है जब आपका कीपैड लौक हो !
मोबाइल चोरी होने पर-मोबाइल फोन चोरी होने की स्थिति में सबसे पहले जरूरत होती है ,
फोन को निष्क्रिय करने की ताकि चोर उसका दुरुपयोग न कर सके।
अपने फोन के सीरियल नंबर को चेक करने के लिए *#06# दबाएँ. इसे दबाते हीं आपकी स्क्रीन पर 15 डिजिट का कोड नंबर आयेगा. इसे नोट कर लें और किसी सुरक्षित स्थान पर रखें.
जब आपका फोन खो जाए उस दौरान अपने सर्विस प्रोवाइडर को ये कोड देंगे तो वह आपके हैण्ड सेट को ब्लोक कर देगा !
कार की चाभी खोने पर -अगर आपकी कार की रिमोट केलेस इंट्री है और गलती से आपकी चाभी कार में बंद रह गयी है और दूसरी चाभी घर पर है तो आपका मोबाइल काम आ सकता है !
घर में किसी व्यक्ति के मोबाइल फोन पर कॉल करें !
घर में बैठे व्यक्ति से कहें कि वह अपने मोबाइल को होल्ड रखकर कार की चाभी के पास ले जाएँ और चाभी के अनलॉक बटन को दबाये साथ ही आप अपने मोबाइल फोन को कार के दरवाजे के पास रखें, दरवाजा खुल जायेगा…!!!