ખાસ બહેનો માટે: પીરિયડ્સમાં હેવી બ્લીડિંગ અટકાવવા કરો આ 15માંથી કોઈ 1 ઘરેલુ ઉપચાર..!!

aadu7

મોટાભાગે મહિલાઓમાં પીરિયડ્સના સમયે વધુ બ્લીડિંગની સમસ્યા થઈ જતી હોય છે, જેના લીધે તેમના શરીરમાં લોહીનો અભાવ થઈ જાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે જો તમે હોર્મોનલ દવાઓ લેતા હોવ તો તેને બંધ કરી અસરદાર ઘરેલુ ઉપચારનો સહારો લેવો જોઈએ. જો તમે આ સમસ્યાને નજરઅંદાજ કરવાનું શરૂ કરી દીધું તો થાક, એનીમિયા, મૂડ સ્વિંગ જ નહીં સર્વાઇકલ કેંસરના પણ શિકાર થઈ શકો છો.

અત્યધિક બ્લીડિંગ થવાના કેટલાય કારણ હોઈ શકે છે જેમ કે હોર્મોનલ ચેંજેસ, ફાઇબ્રાઇડ, પેલ્વિકમાં સોજો, થાયરાઇડ વગેરે. પરંતુ જો તમને કોઈ બીમારી નથી અને છતાં પણ વધુ બ્લીડિંગ થાય છે તો તેનું કારણ દવાઓનું સેવન પણ હોઈ શકે છે. જો તમે આ ઘરેલુ ઉપયારના ઉપયોગથી લાભ નથી મળી રહ્યો અને રક્તસ્ત્રાવ 7 દિવસ કરતા વધુ થતો જ જઈ રહ્યો છે તો તમારે તરત જ સ્ત્રી રોગ નિષ્ણાત પાસે જવું જોઈએ. આજે અમે તમને જણાવીશું કેટલાય એવા ઉપચાર જેનો ઉપયોગ કરી તમે તમારી સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

કરો ઉપાય…ત્વચાને કરચલીઓથી હમેશાં બચાવીને રાખવા, અજમાવો આ મેજિકલ ટિપ્સ…!!

આખા ધાણા:

અડધા ગ્લાસ પાણીમાં થોડા આખા ધાણા ઉકાળો. જ્યારે પાણી સહેજ ઠંડુ થઈ જાય, ત્યારે તેને પીવું. તેનાથી તમને ઘણો આરામ મળશે.

આમલી:

તેમાં ફાઇબર અને એન્ટિ ઓક્સીડેંટ હોય છે, જે લોહીને જમાવી દે છે અને વધુ બ્લીડિંગ થતા અટકાવે છે. જો તમને લાગે છે કે વધુ બ્લીડિંગ થઈ રહ્યું છે તો એક આમલીનો ટુકડો જરૂર ખાય લો.

સિટ્રસ ફળ:

વિટામિન સી વધુ બ્લીડિંગ થતા અટકાવે છે. માસિક ધર્મના સમયે તમે સંતરાનું જ્યુસ દિવસમાં બે વખત પી શકો છો.

જાણો…14 નુસખા : પુરૂષોની દુર્બળતા, નપુંસકતા અને સ્વપ્નદોષને ઝડપથી કરશે દૂર…!!!

બ્રોકલી:

લીલા શાકભાજીમાં વિટામિન કે હોય છે, જે બ્લડને થીક કરીને મદદ કરે છે એટલે જ્યારે વધુ બ્લીડિંગ થાય તો પોતાના ખોરાકમાં ઘણા બધા લીલા શાકભાજી શામેલ કરવા.

આમળાં:

આમળાંનું જ્યુસ ભારે બ્લીડિંગને અટકાવે છે. આ જ્યુસને દિવસમાં બે વખત પીવો અને આ સમસ્યાથી કાયમ માટે છુટકારો મેળવી લો. જ્યુસ પી લીધા પછી થોડું મીઠું જરૂર ચાખી લેવું, જેનાથી તમારું ગળું ખરાબ ન થાય.

મૂળા:

મૂળા ખૂબ જ સરળતાથી લોહીને થીક બનાવી દે છે. મૂળા રાંધતી વખતે મૂળાના પાન પણ જરૂર નાખો. આ શાકને પીરિયડ્સના સમયે જરૂર ખાવ જેનાથી બ્લડ ફ્લો કંટ્રોલમાં રહે છે.

શરીરની અંદર જમા થયેલો કચરો કાઢી રહો નિરોગી, આ છે સફાઈની રીત…!!!

પપૈયું:

આમ તો પપૈયું પીરિયડ્સ થવામાં મદદ કરે છે. પરંતુ કાચું પપૈયું ખાવાથી પીરિયડ્સના દિવસોમાં વધુ બ્લીડિંગ નથી થતી. આ દિવસોમાં તમે કાચાં પપૈયાં બે પીસ ખાય શકો છો.

વરિયાળી:

અડધો ગ્લાસ ગરમ પાણીમાં એક મુઠ્ઠી વરિયાળી પલાળો. પછી તે પાણીને વરિયાળી સહિત જ ખાલી પેટ પી જાવ.

રાઈ:

40 ગ્રામ રાઈને વાટીને પાઉડર બનાવી લો. 2 ગ્રામ રાઈ પાઉડર લઈ તેને દૂધની સાથે દિવસમાં બે વખત ખાઈ લો.

તજ:

તજના ટકુડાને ઉકાળતા પાણીમાં નાખીને પીવો. અથવા પછી તજની ચપટી પણ દિવસમાં બે વખત 3 ડ્રોપ લઈ શકો છો.

આ તો જાણી જ લો…. કેમ સવારે ખાવું છે જરૂરી? ખાવાના ફાયદા અને ન ખાવાના નુકસાન જાણો

કારેલાં:

કારેલાંનું શાક ખાવાથી પણ ખૂબ લાભ મળે છે. આ શાક હેવી બ્લીડિંદને કંટ્રોલ કરી શકે છે.

એલોવીરા:

એલોવીરાનું જ્યુસ દિવસમાં બે વખત પીવો. તેનાથી પણ સમસ્યા દૂર થઈ જાય છે.

આદું:

તમે આદુંને પાણીમાં ઉકાળીને તે ઉકાળો બનાવી પી શકો છો. તેના સ્વાદને બદલવા માટે તેમાં ખાંડ અથવા મધ મિક્સ કરી શકો છો. આ દિવસમાં ત્રણ વખત જમ્યાં પછી પીવો.

જાણો..કામ લાગશે…કોઈ જીવજંતુ ડંખ મારે કે કરડે, તરત જ ઘરે કરો આ સરળ ને પ્રભાવી ઈલાજ…!!

ઓમેગા 3:

તમને આ વિટામિન ફિશ ઓઇલ અથવા અળસીના બીથી મળી શકે છે. આ ખૂબ જ અસરકારક છે.

કેવી હોવી જોઈએ ડાયટ:

તમારી ડાયટમાં મોટાભાગે વિટામિન અને મિનરલ્સ જેમ કે મેગ્નેશિયમ, આયરન અને કેલ્શિયમ હોવા જોઈએ. ડાયટમાં ઘણા બધા ફ્રેશ ફ્રૂટ્સ અને લીલા શાકભાજી શામેલ કરો.

જાણો…રોજ સવારે ખાલી પેટે કરો તજ+મધનો ઉપાય, શરીરની ખરાબ ચરબી થશે દૂર…!!


આ 7 કારણોસર થાય છે પીરિયડ્સ અનિયમિત, કરો આ રામબાણ ઇલાજ

સામાન્યપણે એક મહિલાને પીરિયડ્સ મહિનામાં 3થી 7 દિવસ માટે રહે છે. કેટલાય વર્ષો સુધી માસિક ધર્મ હોવા પછી મહિલાઓ એક ચક્રમાં સ્થાપિત થઈ જાય છે. ત્યાં સુધી કે અમુક મહિલાઓ તો પીરિયડ્સ આવવાનો યોગ્ય અંદાજો પણ લગાવી લે છે.

પીડિયડ્સ દરમિયાન કેટલું ખૂન વહે છે તે જુદી-જુદી મહિલાઓમાં જુદું-જુદું હોય છે. અમુક મહિલાઓનો પીડિયડ્સ ખૂબ વધુ હોય છે તો અમુક મહિલાઓનો પીડિયડ્સ નાના બરાબર હોય છે.

સાવધાન: ઈંડા વિષેની નક્કર સંખ્યાબંધ હાનિકારક હકીકતો અને વૈજ્ઞાનિક સત્યો જાણી લો…!!

શું હોય છે અનિયમિત પીરિયડ્સ?

પાછલા અમુક માસિક ધર્મની સરખામણીમાં અસમય ખૂન નીકળવું જ અનિયમિત પીરિયડ્સ છે.

પ્રેગ્નેન્સી:

પ્રેગ્નેન્સી દરમિયાન શરીરમાં કેટલાય પ્રકારના હોર્મોનનો સ્ત્રાન થતો હોય છે, જેમાં માસિક ધર્મ ટકી જાય છે. જોકે અમુક બાબતોમાં માસિક ધર્મ ખતમ થઈ જવા પર હલ્કા પીરિયડ્સનો સામનો કરવો પડે છે.

તણાવ:

તણાવ અનિયમિત પીરિયડ્સનું સૌથી મોટું કારણ છે. તણાવવાળા હોર્મોન્સ કોર્ટિસોલ સેક્સના હોર્મોન્સ એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોનના સ્ત્રાવની માત્રાને પ્રભાવિત કરે છે. જો તમારા રક્ત પ્રવાહમાં ખૂબ જ વધુ કોર્ટિસોલ છે તો તમારા માસિક ધર્મનો સમય બદલાય શકે છે.

જાણો…શ્વાસ, અનિદ્રા, શીઘ્રપતન, નપુંસકતા, હૃદય, કફ સંબંધી રોગોમાં આ રીતે ઉપયોગી છે જાયફળ…!!

ખોરાક:

મોડેકથી પીરિયડ્સ થવા અથવા બિલકુલ પણ ન થવાનું એક માત્ર કારણ છે ખોરાક. સાથે જ વજન પણ પીડિયડ્સ ઉપર ઊંડી અસર કરે છે. જો તમે અનહેલ્થી કાર્બોહાઇડ્રેટયુક્ત ભોજન કરો છો અથવા પછી તમારું વજન વધી ગયું છે તો અંડોત્સર્ગ દરમિયાન અમુક હોર્મોનના સ્ત્રાવની માત્રા બદલાય જાય છે. મહિલાઓમાં વજન ઓછું કરવા દરમિયાન પણ એવું જ થાય છે.

એક્સરસાઇઝ:

માસિક ધર્મ માટે આપણાં શરીરને ઉર્જાની જરૂર પડે છે. જો તમે જિમમાં ખૂબ વધુ ઉર્જા ખતમ કરી દેશો તો પીરિયડ્સ દરમિયાન થોડી પણ ઉર્જા નહીં બચે.

પોલીસિસ્ટિક ઓવરી સિંડ્રોમ:

મહિલાઓમાં આ સમસ્યા સામાન્ય છે. આ અવસ્થામાં ઓવરી પર સિસ્ટ બની જાય છે, જેનાથી નિયમિત અંડોત્સર્ગ પ્રભાવિત થાય છે. તેના સિવાય આ સિંડ્રોમના લક્ષણમાં વાળનું વધવું, વજન વધવું, ડેંડ્રફ અને ઇંફર્ટિલિટી શામેલ છે. સાથે જ તેનઆથી ઇંડોમેટ્રીયોસિસ, ઓવરિયન કેંસર અને હૃદયની બીમારી પણ થાય છે.

જાણો…ડુંગળીનું સેવન છે અતિલાભકારી, રોજ આ રીતે ખાશો તો મળશે 20 ફાયદા…!!

બર્થ કંટ્રોલ પિલ્સ:

બર્થ કંટ્રોલ પિલ્સ હોર્મોન્સ સાથે સામંજસ્ય બેસાડવામાં શરીરને કેટલાય મહિનાનો સમય લાગી જાય છે.

માસિક ધર્મનું બંધ થવું:

પ્રેગ્નેન્સીની જેમ જ માસિક ધર્મ બંધ હોવાની સ્થિતિ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે શરીરમાં હોર્મોનનું લેવલ બદલાવા લાગે છે. માસિક ધર્મ બંધ થવાના ઓછામાં ઓછાં 10 વર્ષ પહેલા અનિયમિત પીરિયડ્સ શરૂ થઈ જાય છે.

અનિયમિત પીડિયડ્સનો ઉપચાર:

આ ઉપચાર સીધી રીતે અનિયમિત પીરિયડ્સના કારણો પર નિર્ભર કરે છે. કેટલીય વખત તમે ઈચ્છા હોવા છતાં કઈ નથી કરી શકતા. વધુ થાય તો તમે આ વિશે તમારા ડોક્ટર સાથે વાત કરો છો. તમારા ડોક્ટર તમને હોર્મોન સમજાવશે જે માસિક ધર્મને યોગ્ય કરવાની સાથે સાથે હોર્મોનના સ્તરને પણ સંતુલિત કરશે. આ સિવાય તમે ડોક્ટરના નિર્દેશ મુજબ તણાવ ઓછો કરવાવાળા વ્યાયામ કરો અને ખોરાકમાં ફેરબદલ કરો.

જાણો…મુલતાની માટીના 9 ચમત્કારી પ્રયોગ, ત્વચાની અનેક સમસ્યા કરશે જડથી દૂર…!!!

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો 13 આસન : કયા રોગમાં કયું આસન છે ફાયદાકારક

જાણો…આખરે યોગ શું છે? તેના 15 ચમત્કારી લાભ અને ધ્યાનમાં રાખો 10 સાવધાનીઓ…!!

ALL IN ONE: રોજ યોગ કરવાથી મળતાં આ 10 જબરદસ્ત ફાયદા ચોક્કસ જાણો

સનબર્નથી એકદમ કાળી પડેલી ત્વચા માટે, કરો 14 ચમત્કારી ઘરેલૂ ઉપાય
કેમ આવે છે પરસેવામાં ગંદી વાસ? આ ઝિંક ડાયટથી મેળવો કાયમી છુટકારો

યુવકો-યુવતીઑ ની મુખ્ય સમસ્યા ચહેરાના ખીલ-ખાડાને કાયમ કરો દૂર, અપનાવો આ શ્રેષ્ઠ ઘરગથ્થુ નુસખા-ઉપાયો.

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

જાણી જ લો…આ રીતે કોઈપણ બની શકે લાખોપતિ, રાશિ પ્રમાણે ખાસ વિધિથી કરો ઉપાય…!!

lakhpati

સુખમય જીવન એ દરેક વ્યક્તિની પ્રથમ આકાંક્ષા હોય છે. આ માટે તેને પૂરતા ધનની જરૂરિયાત હોય છે. એટલે આજના આ ભૌતિકવાદી યુગમાં લોકો ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ ધન કમાવી લેવા ઇચ્છે છે. પરંતુ દરેક પ્રકારના પ્રયાસો છતાં લોકોને ઇચ્છિત ધનની પ્રાપ્તિ થતી નથી. લોકો ધન, સુખ-સમૃદ્ધિ અને પૈસા પામવા માટે અથાગ પ્રયત્નો અને પરિશ્રમ કરતાં રહે છે. પરંતુ દર વખતે સફળ થતાં નથી. જોકે આપણા જ્યોતિષ શાસ્ત્રમાં દરેક સમસ્યાનો ઉકેલ આપવામાં આવ્યો છે. જરૂર છે તો તેને સમજીને તેનો યોગ્ય રીતે અને યોગ્ય વિધિથી ઉપયોગ કરવાની. સામાન્ય લોકોને આ ખાસ ઉપાય અને વિધિ વિશે ખબર ન હોવાથી તે લોકો આ જ્યોતિષીય ઉપાયોનો લાભ ઉઠાવી શકતા નથી અને તેનાથી વંચિત રહી જાય છે.

ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!

જેથી આવા લોકો માટે અને દર વખતે કેટલાક અચૂક જ્યોતિષીય ઉપાય લઈને આવીએ છીએ જેથી તેમને માર્ગદર્શન મળે અને તે લોકો આ ઉપાયો કરીને તેમની સમસ્યાઓનો ઉકેલ ઝડપથી મેળવી શકે. તેથી આજે અમે તમારી રાશિને અનુરૂપ કેટલાક જ્યોતિષીય ઉપાયો લઈને આવ્યા છે તેને અપનાવીને તમારી ધનપ્રાપ્તિની કામના પૂરી થઈ શકે છે.

મેષ રાશિઃ

શુક્ર મંત્ર પર જરકન અને શનિ યંત્ર પર નીલી જડાવીને ક્રમશઃ બંને ગ્રહોના મંત્રોથી યંત્રોને અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થાનમાં સ્થાપિત કરી દરરોજ દર્શન અને પૂજા કરવી જોઈએ. શ્વેતાર્કનું મૂળ કે જે ગણેશનું પ્રતિરૃપ સમજાયું છે તેની પૂજાના સ્થાન પર નિષ્ઠાપૂર્વક પ્રાણપ્રતિષ્ઠા કરવી. દરરોજ મહાલક્ષ્મીજીના નીચે દર્શાવેલ મંત્રોનો જપ કરતાં કરતાં તેની પૂજા કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.

મંત્રઃ હ્રીં અષ્ટલક્ષ્મ્યૈ દારિદ્રય વિનાશિની સર્વ સુખ સમૃદ્ધિ દેહિ દેહિ હ્રીં નમઃ ।

ગણેશ યંત્રની સન્મુખ ગણેશ મંત્ર ‘ શ્રીં હ્રીં ક્લીં ગ્લૌં ગં ગણપતયે વર વરદયે નમઃ ।’ની પાંચ માળાનો જપ કરી આ પ્રક્રિયા દરરોજ કરતા રહેવાથી ઇચ્છિત યશ અને ધનની પ્રાપ્તિ થશે.ધનલાભને માટે ચાંદીની ધાતુનું ‘શ્રીં’ બનાવીને તેની ચોફેર સફેદ અને નીલા રંગનું જરકન જડાવીને શ્રી લક્ષ્મીજીના મંત્રોથી અભિમંત્રિત કરી તે ગળામાં ધારણ કરવું જોઈએ.

જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!

વૃષભ રાશિઃ

બુધના યંત્ર પર ઓનેક્સ અને ગુરુ મંત્ર પર સોનેરી લગાવીને ક્રમિકરૃપે બંને ગ્રહોના મંત્રોથી તેને અભિમંત્રિત કરાવીને ઘરના મંદિરમાં સ્થાપિત કરાવવું. પછી દરરોજ નિષ્ઠાપૂર્વક તેનાં દર્શન-પૂજન કરવાં. મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.શ્રીયંત્રની પ્રાણપ્રતિષ્ઠા કરાવીને દરરોજ નીચે લખેલ મંત્રનો જપ કરી પૂજા કરવી જોઈએ. તેનાથી દુઃખ, રોગ અને દારિદ્રયમાંથી મુક્તિ અને ભૌતિક સુખ-શાંતિ અને આનંદની પ્રાપ્તિ થાય છે.

મંત્ર – શ્રીં હ્રીં શ્રી કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ ।

ધન અને યશની પ્રાપ્તિ માટે શ્રીયંત્ર અથવા ગજ લક્ષ્મી યંત્રની સન્મુખ શ્રી સૂક્તનો પાઠ શરૃ કરવો અને દરરોજ નિષ્ઠાપૂર્વક પાઠ કરતાં રહેવું.શ્રી વિષ્ણુ લક્ષ્મીનું પૂજન શરૃ કરવું અને પછી દરેક શુક્રવાર કરતાં રહેવું. આ પ્રયોગથી ધન અને યશની પ્રાપ્તિ થાય છે.

જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!

મિથુન રાશિઃ

ઘરમાં લક્ષ્મીના સ્થાયી વાસને માટે સિદ્ધ શ્રી મહાલક્ષ્મી યંત્રને સ્થાપિત કરી તેનાં દરરોજ દર્શન અને પૂજન કરવાં.

દિવસ દરમિયાન તુલસીની પૂજા કરવી અને રાતના સમયે કાચા સૂતરને શુદ્ધ કેસરથી રંગીને નીચે લખેલ મંત્રની પાંચ માળાનો જપ કર્યા પછી કાર્યસ્થળમાં તે રાખીને તેનાં દર્શન અને પૂજન કરવાં.

મંત્ર : શ્રીં શ્રી હ્રીં હ્રીં ઐશ્વર્ય મહાલક્ષ્મ્યૈ પૂર્ણ સિદ્ધિં દેહિ દેહિ નમ : ।

ચન્દ્ર અને મંગળ યંત્રો પર ક્રમશઃ મોતી અને મૂંગા રત્ન લગાવીને બંનેને ક્રમિકરૃપથી બંને ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થાન પર સ્થાપિત કરવા. પછી તેનાં નિત્ય દર્શન અને પૂજન કરવાં. આ પ્રયોગથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે. મંગળયંત્રને સન્મુખ ‘સણહર્તા મંગલ સ્તોત્ર’નો પાઠ શરૃ કરવો અને પછી દરરોજ તે કરતાં રહેવું. આ પ્રયોગથી ઋણમાંથી મુક્તિ અને ધનની બરકત થવા માંડશે.

હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!

કર્ક રાશિઃ

સૂર્ય અને શુક્ર યંત્રો પર ક્રમશઃ મણિક્ય અને જરકન લગાવી એ બંનેને ક્રમિકરૃપે બંને ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થાનમાં તેની સ્થાપના કરવી. પછી દરરોજ બંનેનાં દર્શન અને પૂજન કરવાં. આ પ્રયોગથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.ઇચ્છિત ધનની પ્રાપ્તિ માટે નીચે લખેલ મંત્રનો ૭૨ દિવસો દરમિયાન ધૂપ-દીપાદિ સાથે સવા લાખ મંત્રોનો જપ કરવો.
મંત્રઃ શ્રીં હ્રીં ક્લીં ત્રિભુવન પાલિન્ય મહાલક્ષ્મ્યૈ અસ્માકં ।
દારિદ્રય નાશય નાશય પ્રચુરં ધન દેદિ ક્લીં હ્રીં શ્રીં ।

ચાંદીમાંથી ગાયની બે પ્રતિમાઓ બનાવરાવી તેને અભિમંત્રિત કરાવી કોઈ યોગ્ય બ્રાહ્મણને તે દાનમાં આપવી. બીજી પ્રતિમાને ‘કામધેનુ’ની જેમ ઘરના પૂજાસ્થાન પર મૂકીને દરરોજ તેનાં દર્શન અને પૂજન કરવાં. આ પ્રયોગથી ધનાગમન થવા માંડશે.સિદ્ધ અને પ્રાણયપ્રતિષ્ઠિત ‘શ્રીયંત્ર’ને ઘરમાં સ્થાપિત કરી દરરોજ ‘શ્રી સૂક્ત’નો પાઠ કરવો. આ પ્રયોગથી ધનની વૃદ્ધિ થશે.

જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?

સિંહ રાશિઃ

બુધ યંત્ર બનાવરાવી તેના પર ઓનોક્સ લગાવરાવી તથા બુધના મંત્રોથી તેને અભિમંત્રિત કરી ઘરના મંદિરમાં તેની સ્થાપના કરવી. દરરોજ તેનાં દર્શન અને પૂજન કરવાં. આ પ્રયોગથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.

સૂર્યોદય થયેથી બે કલાક અંદર એક નાળિયેરનો ગોળો લઈને તેની મોં કાપી લેવું. પછી તેમાં સઘળા સહસ્થ ખાંડનું બૂરું, મેવો અને દેશી ઘી ભેળવીને તે દડામાં ભરવા. પછી તે ગોળાને પીપળા કે વડના ઝાડની નીચે તેને એવી રીતે દાટી દેવા કે તેનું મોં જમીનથી કંઈક ઉપર જોવા મળે. આ પ્રક્રિયા નિષ્ઠાપૂર્વક કરવી. આ પ્રયોગથી ઘરમાં લક્ષ્મીનો સ્થાયી વાસ થશે.ઇચ્છિત ધનની પ્રાપ્તિ માટે દેવી દુર્ગાની સન્મુખ દેવીનાં ૧૦૮ નામોનું સ્મરણ કરવું અને આ ક્રિયા દરરોજ કરતાં રહેવું.

દરરોજ પ્રાતઃ કંઈ પણ ખાતા પહેલાં તુલસીના પાનનું સેવન કરવું. આ પ્રયોગ થકી શુભફળની પ્રાપ્તિ થશે.

રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!

કન્યા રાશિઃ

કોઈ પણ દિવસની રાત્રે ચાંદીના ઢાંકણાવાળી ડબ્બીમાં નાગ કેસર અને મધ ભરીને પોતાની તિજોરી કે ગલ્લામાં તે મૂકી દેવી. તેથી સમક્ષ દરરોજ દીપક પ્રગટાવીને શ્રી સૂક્ત અથવા વિષ્ણુસહસ્ત્ર નામનો પાઠ કરવો. તિજોરી વર્ષભર ધનથી છલોછલ ભરાયેલી રહેશે.

ચન્દ્ર અને શુક્ર યંત્ર બનાવરાવી એ બંને પર ક્રમશઃ મોતી અને જરકન લગાવરાવીને તેમને ક્રમિકપણે એ બંને ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થાનમાં તે સ્થાપવાં. તેનાં નિત્ય દર્શન-પૂજન કરવાં. આ પ્રયોગથી ધનાગમન થશે અને મા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થશે.કર્મ પૃષ્ઠ પર બનેલ શ્રીયંત્ર અથવા મહાલક્ષ્મી સન્મુખ દરરોજ શ્રી સૂક્તનો પાઠ કરતાં રહેવું. આ પ્રયોગથી ધનાગમન બની રહેશે.સફેદ ગુંજાને લક્ષ્મીના મંત્રોથી અભિમંત્રિત કરી મધમાં ફુલાવીને પૂજનના સ્થળે અથવા તિજોરીમાં રાખવું. આ પ્રયોગથી ધનનું રક્ષણ થાય છે.

જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!

તુલા રાશિઃ

મહાલક્ષ્મીજીની પૂજાના સમયે માને એક અત્તરની શીશી ચઢાવવી. તેમાંથી એક દુબેલ લઈને તે માને અર્પણ કરવું. પછી પૂજા બાદ તે શીશીમાંથી થોડુંક અત્તર જાતે પણ લગાવવું. તે પછી રોજ આ અત્તરને થોડુંક લગાવતા રહેવું અને પછી જ કાર્યસ્થળ પર જવું. આ પ્રયોગથી રોજગારમાં વૃદ્ધિ થાય છે. સૂર્ય અને મંગળ યંત્ર બનાવી એ બંને પર ક્રમશઃ મણિક્ય અને મૂગ લગાવીને તેને ક્રમિકરૃપે બંને ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના મંદિરમાં તેની સ્થાપના કરવી. પછી દરરોજ તેનાં દર્શન-પૂજન કરતાં રહેવું. આ પ્રયોગથી લક્ષ્મીની કૃપા અને યશની પ્રાપ્તિ થાય છે.

દરેક રવિવારે ગાયત્રી અને મંગળવારે મંગળ મંત્રની રુદ્રાક્ષની માળા પર જપ કરવા. આ પ્રયોગથી ધનનું આગમન થવા લાગશે.શ્રી મહાલક્ષ્મી યંત્રને સ્થાપિત કરી દરરોજ ઈન્દ્રદન મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્રનો પાઠ કરવો. આ પ્રયોગથી ધનની વૃદ્ધિ થાય છે.

રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!

વૃશ્ચિક રાશિઃ

ગણેશજી રિદ્ધિ સિદ્ધિના દાતા અને લક્ષ્મીજી એ ધનની દેવી છે. આ બંનેનું સંયુક્ત યંત્ર એ મહાયંત્રની પૂજાદિ કરી તેને ગલ્લા કે તિજોરીમાં મૂકવું. આ પ્રયોગથી ધનનો ભંડાર ભરેલો રહે છે અને પરિવાર સુખી થાય છે.ગુરુ અને બુધ યંત્ર બનાવરાવી એ બંને પર ક્રમશઃ સોનેથી અને ઓનેક્સ લગાવી તેને ક્રમિકરૃપથી એ બંને ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થળ પર સ્થાપિત કરવું. આ પ્રયોગથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
વિષ્ણુની મુર્તિની સન્મુખ ‘ નમો નારાયણાય’ મંત્રનો જપ શરૃ કરવો અને પછી દરરોજ તે નિષ્ઠાપૂર્વક કરતાં રહેવું. આ પ્રયોગથી ધનલાભ થશે.દેવી દુર્ગાની સન્મુખ ‘દેહી સૌભાગ્ય આરોગ્ય દેહિ મે પરમં સુખમ્ । રૃપં દેહિ એ દોહિ યશો દેહિ દ્વિષો જાહ ।’ મંત્રનો જપ કરવો. આ નિષ્ઠાપૂર્વક કરતાં ધન મળશે.

ધન રાશિઃ

શનિ યંત્ર અને શુક્ર યંત્ર બનાવરાવી ક્રમશઃ નીલી અને જરકન લગાવી તથા આ ગ્રહોના મંત્રોથી યંત્રોને અભિમંત્રિત કરી ઘરના મંદિરમાં તે સ્થાપિત કરવું. દરરોજ તેનાં દર્શન-પૂજન કરવાથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ૧૧ હળદરની ગાંઠોને પીળા કપડામાં મૂકી નીચે લખેલા મંત્રના ૧૧ માળાના જપ કરી તે તિજોરીમાં મૂકવું. દરરોજ તેની સન્મુખ દીપક કરવો. આ પ્રયોગથી વ્યાપારમાં ઉન્નતિ થશે.

મંત્ર : વક્રતુણ્ડાય હું ।

લાર્જવર્ત નંગને ચાંદીમાં જડાવીને લક્ષ્મીના મંત્રો થકી અભિમંત્રિત કરી મધ્યમા આંગળીએ ધારણ કરવાથી વ્યક્તિ ધનવાન બને.

‘ હ્રીં ક્લીં મહાલક્ષ્મ્યૈ નઃ ।’ મંત્રનો શ્રી લક્ષ્મીના ફોટા કે યંત્રની સન્મુખ દરરોજ પાંચ માળાનો જપ કરવાથી ધનનું આગમન થવા માંડે છે.

મકર રાશિઃ

શનિ અને મંગળ યંત્ર બનાવી ક્રમશઃ નીલી અને મૂંગા જડાવીને આ ગ્રહોના મંત્રોથી યંત્રોને અભિમંત્રિત કરી ઘરના મંદિરમાં સ્થાપિત કરવા અને દરરોજ તેનાં પૂજન દર્શન કરવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. કોઈ પણ સાંજે એક સોપારી અને એક તાંબાનો સિક્કો લઈને કોઈ પીપળાના વૃક્ષની નીચે રાખી આવવો. રવિવારે આ પીપળાનાં પાન લાવીને કાર્યસ્થળ પર ગાદીની નીચે મૂકવા. આ પ્રયોગથી ગ્રાહકો વધે છે અને ધનનું આગમન થાય છે.

શનિ યંત્રને ઘરની પશ્ચિમ દિશામાં નીલા કપડાના આસન પર સ્થાપિત કરી તેના દરરોજ શનિના મંત્રોથી જપ કરવા અને તેલનો દીપક પણ પ્રગટાવવો. આ પ્રયોગ થકી વ્યક્તિ ધનવાન બને છે. મંગળવારે ઋણહર્તા મંગળ સ્તોત્રનો પાઠ કરવાથી ધનલાભ થાય છે. કુંભ રાશિઃ ગુરુ યંત્ર બનાવી તેના પર સોનું લગાવી લેવું તથા ગુરુના મંત્રો થકી તેને અભિમંત્રિત કરી ઘરના મંદિરમાં સ્થાપવું. તેનું નિત્ય દર્શન-પૂજન કરવું. આ પ્રયોગથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

કોઈ પણ રાતે પહેલા શનિવારથી ઘરની સાફ-સફાઈ શરૂ કરવી. સાંજના સમયે ઘરના સઘળા બલ્બ ઓછામાં ઓછા ર૦ મિનિટ સુધી દરરોજ રોશન કરવા. તે સાથે આ મંત્રની ઉપાસના રોજ કરવી. આ પ્રયોગથી સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

મંત્ર : ઐં હ્રીં શ્રીં સં સિદ્ધિ દો સાધય સાધય સ્વાહા ।

સોનાનું ગુરુ મંત્ર બનાવી તેને અભિમંત્રિત કરી ગળામાં પહેરવાથી લક્ષ્મીકૃપા પ્રાપ્ત થાય છે. શ્રી લક્ષ્મીનારાયણ યંત્રને સારા દિવસે ઘરના પૂજન સ્થળે સ્થાપી તેનું નિત્ય પૂજન-દર્શન કરવું. આ પ્રયોગથી ધનાગમન થવા લાગશે.

કુંભ રાશિઃ-

કોઈ પણ રાતે પહેલા શનિવારથી ઘરની સાફ-સફાઈ શરૂ કરવી. સાંજના સમયે ઘરના સઘળા બલ્બ ઓછામાં ઓછા ર૦ મિનિટ સુધી દરરોજ રોશન કરવા. તે સાથે આ મંત્રની ઉપાસના રોજ કરવી. આ પ્રયોગથી સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
સોનાનું ગુરુ મંત્ર બનાવી તેને અભિમંત્રિત કરી ગળામાં પહેરવાથી લક્ષ્મીકૃપા પ્રાપ્ત થાય છે. શ્રી લક્ષ્મીનારાયણ યંત્રને સારા દિવસે ઘરના પૂજન સ્થળે સ્થાપી તેનું નિત્ય પૂજન-દર્શન કરવું. આ પ્રયોગથી ધનાગમન થવા લાગશે.
‘ હ્રીં ક્લીં મહાલક્ષ્મ્યૈ નઃ ।’ મંત્રનો શ્રી લક્ષ્મીના ફોટા કે યંત્રની સન્મુખ દરરોજ પાંચ માળાનો જપ કરવાથી ધનનું આગમન થવા માંડે છે.

મીન રાશિઃ

શનિ અને મંગળ યંત્ર બનાવી એ બંને પર ક્રમશઃ નીલમ અને મૂંગા લગાવી તેને ક્રમિકરૂપે ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થાનમાં મૂકવું. તેના દરરોજ પૂજન-દર્શન કરતાં રહેવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. શ્રી યંત્ર, કુબેર યંત્ર કે દક્ષિણાવર્તી શંખ મૂકી દરરોજનાં દર્શન, પૂજન કરવાં. ગણપતિની મૂંગાની પ્રતિમા સ્થાપી ‘ એકદન્તાય વિદ્મેહ, વક્રતુણ્ડાય ધીમહિ તન્નો હન્તી પ્રચોદયાત્’ મંત્રનો જપ કરવાથી ધનલાભ અવશ્ય થાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

જીવનમાં આ 20 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા..!!

જીવનમાં અપાર ધનસંપતિના આગમન માટે મહાલક્ષ્મીજીનું ચમત્કારીક કનાકધારા સ્તોત્ર શાસ્ત્રોક્ત રીતે દરરોજ સવારે જોરથી વાંચો.
કાળા મરીના 5 દાણાનો ચમત્કારી ઉપાય કરો, ઝડપથી મેળવશો ધન લાભ
કોઈને બતાવ્યા વિના કરો 7 ચમત્કારી ઉપાય, પૈસાની તંગી ઝડપથી થશે દૂર
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

જાણો…કંઇ રાશિના લોકો બદલો લેવા માટે બની જાય છે અધીરા, કર્કવાળા હોય છે અતિક્રૂર…!!

badlo

‘બદલો’ એક એવો શબ્દ છે જેને કાયમ હિન્દી ફિલ્મોમાં આપણે ઘણી વખત સાંભળ્યો છે. જ્યારે વિલેનને તેની ગમતી વસ્તુઓ નથી મળતી તો તે હીરોથી તે વાતનો બદલો લેવા માટે તૈયાર થઈ જાય છે અને આ જ આખી ફિલ્મની સ્ટોરી બની જાય છે. પરંતુ ફિલ્મો પણ તો વાસ્તવિક જીવનને જોઈને જ બનાવવામાં આવે છે. એક કથાકાર પોતાની અથવા કોઈ બીજાની જિંદગીથી પ્રેરિત થઈને કહાણીને આકાર પ્રદાન કરતો હોય છે. તેનો અર્થ છે કે માત્ર વિલેન જ નહીં બધાને ખબર છે કે કોઈ વાતનો બદલો કઈ રીતે લેવો છે. પરંતુ બધાની રીત જુદી-જુદી હોય છે.

શું કહે છે જ્યોતિષશાસ્ત્ર?

જ્યોતિષશાસ્ત્ર મુજબ મનુષ્યને 12 પ્રકારની રાશિઓમાં વિભાજિત કરવામાં આવ્યું છે. આ રાશિઓ તેમના સ્વભાવના કેટલાય રાજ ખોલે છે. તો આ જ આધારે તમે તમારા દુશ્મનથી કઈ રીતે બદલો લેશો એ પણ જાણી શકો છો અથવા પછી તમારો શત્રુ તમારા માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે, તે પણ જાણી શકો છો. રાશિના આધાર પર તમારો દુશ્મન તમારેથી બદલો લેવા માટે કઈ હદ સુધી જઈ શકે છે. જેથી તમે પહેલાથી જ તેનાથી બચવા માટે સ્વયંને તૈયાર કરી શકો.

લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.

મેષ રાશિ:

મેષ રાશિના જાતક મંગળ ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે જો પોતાનામાં જ એક વિનાશકારી ગ્રહના રૂપમાં ઓળખવામાં આવે છે. તો જો તમારો દુશ્મન આ રાશિથી સંબંધ રાખતો હોય તો જરા સંભાળીને રહેવું. મેષ રાશિના જાતકો જો ગુસ્સો કરવા અથવા બદલો લેવા પર આવી જાય તો તે કંઈ વિચારતા સમજતા નથી. માત્ર એ જ કરે છે જે તે સમયે તેમને સૌથી વધુ યોગ્ય લાગે છે. કોઈ સાથે બદલો લેવા માટે કોઈ પમ હદ સુધી જઈ શકે છે.

વૃષભ રાશિ:

આ રાશિના જાતકોને વાતોમાં કાયમ જ પોતાના દિલ તથા દિમાગમાં વસાવીને રાખવા માટે ઓળખવામાં આવે છે. આ ન તો કોઈ દ્વારા મળેલો સ્નેગ ભૂલે છે અને ન તો કોઈ અન્ય દ્વારા આપેલું દર્દ ભૂલી શકે છે. પરંતુ બદલો લેવાની બાબતે તે તરત નહીં તો થોડા સમય પછી રિએક્ટ જરૂર કરે છે. કારણ કે તે પોતાના તેજ દિમાગનો ઉપયોગ કરી પહેલા એક ઉપાય બનાવે છે અને પછી તેને અજમાવે છે.

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો

મિથુન રાશિ:

જો તમારો શત્રુ મિથુન રાશિ સાથે સંબંધ રાખતો હોય તો બની શકે છે તે તમારી ભૂલને માફ કરી દે અને તમારા પર કોઈ પ્રકારનો વાર ન કરે. કારણ કે આ રાશિના લોકો મોટાભાગે કોઈના કરેલા ગુનાને ધીમે-ધીમે ભૂલી જાય છે અથવા સમય આવવા પર સ્વયં જ મનમાંને મનમાં તેમને માફ કરી દે છે. ઘણાં ઓછા એવા હોય છે કે તે બદલાની ભાવનાથી કોઈ પર વાર કરે.

પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!

કર્ક રાશિ:

આ એક એવી રાશિ છે જે તમને બદલો લેવાનો સાચો અર્થ સમજાવી શકે છે. હા જો તમારો શત્રુ કર્ક રાશિનો છે અથવા જેને તમે દુઃખ પહોંચાડ્યું છે તેનો સંબંધ કર્ક રાશિથી છે તો પહેલા જ સ્વયંને તૈયાર કરી લો. કારણ કે એક કર્ક રાશિના જાતક જો દિલથી કોઈને પ્રેમ કરી શકે છે તો એટલી જ સખત ભાવનાથી તે કોઈથી બદલો પણ લઈ શકે છે. તમે વિચારી પણ નહીં શકો કે તેમના દ્વારા કરેલા પ્રહાર તમારા ઉપર કેટલા ભારે પડી શકે છે. તો શક્ય હોય તો આ રાશિના જાતકોથી થોડી દૂરી બનાવીને રાખો તો તમારા માટે સારું રહેશે.

પ્રેમ અને જ્યોતિષશાસ્ત્ર : નામના પહેલા અક્ષરથી જાણો તમારો કંઈ રાશિ સાથે કેવો રહેશે પ્રેમ પ્રસંગ

સિંહ રાશિ:

પોતાની રાશિના નિશાનની જેમ જ આ જાતક ખૂબ ગુસ્સાવાળા તથા ગર્વથી ભરપૂર હોય છે. જે રીતે એક સિંહ કોઈ નાનકડી પણ ભૂલ માટે માફ નથી કરતો એવી જ રીતે આ રાશિના લોકો પણ જો કોઈથી દગો મળે તો તે ગુસ્સાની સુનામી લાવી શકે છે. તો જો તમારા મિત્રની લિસ્ટમાં કોઈ એવો મિત્ર છે તો ક્યારેય તેને પરેશાન ન કરો, કારણ કે જો તેને તમારેથી બદલો લીધો તો બીજી વખત તેમની તરફ મિત્રતાનો હાથ વધારતા પણ તમારા હાથ કાંપી ઊઠશે.

કન્યા રાશિ:

આ એક એવી રાશિ છે જે બદલો લેવાના સંદર્ભમાં થોડા ઠંડા મિજાજની છે. પરંતુ તેનો અર્થ એનો નથી કે તે મિથુન રાશિના જાતકોની જેમ ચુપચાપ એક ખૂણામાં બેસી જશે. તે વાર તો કરશે પરંતુ તેમાં ખરાબ શબ્દો અથવા શસ્ત્રોનો ઉપયોગ કદાચ જ થાય. તે તમને દિલથી બદલો લેવાની ભાવનાનો અહેસાસ કરાવી શકે છે જેથી તમે સામાજિક નહીં તો અંગત રૂપથી રડવા પર મજબૂર થઈ જશો.

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો

તુલા રાશિ:

પોતાની રાશિના ચિન્હની જેમ જ તુલા રાશિ બુરાઈની જગ્યાએ અચ્છાઈનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ જો કોઈ કારણોસર તે નિરાશ થઈને કોઈથી બદલો લેવાનું નક્કી કરી લે તો તેમનો અંદાજ થોડો નિયંત્રિત જ રહેશે. કદાચ તમને એવો અહેસાસ જ ન થાય કે તે તમારી સાથે બદલો લઈ રહ્યો છે.

વૃશ્ચિક રાશિ:

જો તમે એક વૃશ્ચિક રાશિ પર પગ મૂકી દો છો તો તે તમને કાપવામાં એક પળ નહીં લગાવે. કંઈક આવો જ સ્વભાવ છે આ રાશિના જાતકોનો. જો તમે ખરેખર તેમને દુઃખ પહોંચાડ્યું હોય તો તે તમને એક પળ માટે પણ સુખી નહીં રહેવા દે. એવામાં બહેતર તો એ જ રહેશે કે તમે માત્ર ઘર, શહેર અથવા દેશ બદલો બલકે તમે જે ગ્રહ પર રહી રહ્યા છો તે જ બદલી નાખવો જોઈએ.

જાણો…પતિ-પત્ની વચ્ચે થતી તુંતું-મૈંમૈંથી બચવા આ રીતે રાશિ પ્રમાણે પસંદ કરો પાર્ટનર..!!!

ધન રાશિ:

ધન રાશિના જાતક એક મર્યાદા સુધી ગુસ્સાને નિયંત્રિત કરી લે છે. જો તમે તેને નુકસાન પહોંચાડશો તો બની શકે છે કે તમે બચી પણ શકો છો, પરંતુ જો તેમને અંગત રીતે વાત ખોટી લાગી તો તેમનો એક સખત રિએક્શન તમને હચમચાવીને રાખી દેશે. તો બહેતર એ છે કે તેમને વધુ પરેશાન ન કરો.

મકર રાશિ:

અન્ય રાશિઓની જેમ એ જ સમયે નહીં, પરંતુ મકર રાશિના જાતક બદલો લેવા માટે પૂરી પ્લાનિંગની સાથે આવે છે. તેમને ક્યા પ્રકારનો તકલીફ આપવામાં આવ્યો છે અને બિલકુલ એવો જ અથવા તેના કરતા પણ વધુ તકલીફ બીજાને ક્યા અંદાજમાં આપવાની છે આ બધી યોજના તેમના દિમાગમાં દરેક સમયે ચાલતી રહેતી હોય છે. તો એવા જાતકો ખૂબ ખતરનાક સાબિત થઈ શકે છે.

हर समस्या की काट है शिव-अभिषेक…કરો તમારા નામની રાશિ પ્રમાણે ખાસ નિત્ય-પૂજા…!!!

કુંભ રાશિ:

મિથુન રાશિની જેમ જ કુંભ રાશિના જાતક પણ બદલો લેવામાં વિશ્વાસ નથી કરતા. તે બીજા દ્વારા આપેલી તકલીફથી પરેશાન જરૂર થાય છે, તેને યાદ પણ રાખે છે પરંતુ બદલો લેવાનો વિચાર કદાચ જ તેમના દિલ અને દિમાગમાં આવે છે. કોઈએ તેમની સાથે ગમે તેટલું ખરાબ કેમ ન કર્યું હોય આ વાતને કાયમ યાદ રાખે છે અને તેમને બીજો મોકો આપવાથી ખચકાય છે.

મીન રાશિ:

અત્યાર સુધીની બધી રાશિઓમાંથી કદાચ આ રાશિ એવી છે જેના જાતક સ્વભાવમાં તો દિલચસ્પ, હંસમુખ તથા લોકો સાથે સ્નેહ રાખવાવાળા હોય છે, પરંતુ જો તેમને કોઈ દગો આપે તો તે તેમની મોતની પ્લાનિંગ પણ કરવાથી ખચકાતા નથી. દુશ્મનને તકલીફ આપવી અને આ વાતનો અંદાજ રાખવો કે તેમની કઈ આદત કેટલી તકલીફ પહોંચાડશે, આ બધુ એક મીન રાશિના જાતકની દિમાગી શૈતાની છે.

દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

જાણો…પુરુષોના સ્વભાવને આ રીતે પ્રભાવિત કરે છે નવગ્રહો, આ રીતે કરો ઉપાય…!!

men2

સૌરમંડળના નવ ગ્રહો આખી પ્રકૃતિ ઉપર અલગ-અલગ રીતે પ્રભાવિત કરે છે. મહિલા, પુરુષ અને બાળકો બધાની અલગ-અલગ પ્રવૃત્તિ હોય છે તો ગ્રહ પણ અલગ પ્રકારની અસર પાડશે. આ લેખમાં પુરુષો ઉપર ગ્રહના પ્રભાવથી તેમનો સ્વભાવ કેવો બની જાય છે તે વિશે જાણો.

સૂર્યઃ-

સૂર્ય પિતા અને આત્માનો કારક ગ્રહ છે. જે પુરુષોનો સૂર્ય બળવાન અને ઉચ્ચ અંશોનો હોય છે. રાજયોગનો કારક હોય છે. અગ્રણી, ન્યાયપ્રિય, સમાજમાં સારા કામ અને રુઆબનો કારક છે. સૂર્યની જેમાં જ તે વ્યક્તિનો ચહેરો તેજ હોય છે.

જેનો સૂર્ય નબળો હોય છે તે આત્મા ઉપર બોઝ લઈને ફરતા હોય છે. દરેક વાતમાં શંકા અને અનિર્ણિતની સ્થિતિમાં રહે છે. ઘટના બનતા પહેલા જ ચિંતાગ્રસ્ત બની જાય છે. એવી વ્યક્તિના પિતા સાથે સારો મેળઝોળ નથી હોતો. જેઓ નાની ઉંમરે જ પિતાને ખોઈ દે છે તેમનો પણ સૂર્ય નબળો થઈ જાય છે. આત્મા-હૃદય ઉપર બોજ હોવાથી તેઓ સમય જતા એક દિવસ હૃદયરોગી બની જાય છે. ખરાબ સૂર્ય આંખોની બીમારીઓ પણ આપે છે.

કુંડળીમાં જો સૂર્ય સારો થઈને ઉગ્ર હોય તો વ્યક્તિ અહંકરી બની જાય છે. વગર માંગ્યે સલાહ આપનાર અને પોતાની વાતોને થોપનારો બની જાય છે. જો તેમની વાત માનવામાં ન આવે તો તે ધીરે-ધીરે અવસાદમાં આવી જાય છે અને હૃદયરોગથી ગ્રસિત બની જાય છે. એવી વ્યક્તિએ તાંબાના લોટામાં રાખેલ પાણી પીવું જોઈએ. અને નારંગી રંગથી પરેજી કરો અને તેને દાન આપો. ઘઉં અને ગોળનું દાન કરવું પણ લાભદાયી હોય છે.

તેની માટે સૌથી સારો ઉપાય છે કે તમે પિતાનું સન્માન કરો. રોજ સવારે ઊઠીને પિતાનું સન્માન કરી પગે લાગો. પિતાને ક્યારેક-ક્યારેક નવા સફેદ વસ્ત્રો ભેટ આપો. જો પિતા ન હોય તો વૃદ્ધ જનોનું સન્માન કરો.

ઊગતા સૂર્યના દર્શન, રવિવારનું વ્રત, આદિત્ય હૃદય-સ્ત્રોત અને સૂર્યને જળ અર્પણ કરો. ગાયત્રી મંત્રનો જાપ લાભદાયી રહેશે. ઊગતા સૂર્યના રંગનો રૂમાલ, ઓશિકાના કવર, બેડશીટ, શર્ટનો રંગ પણ એવો જ રાખો તો વધુ ફાયદો થશે. તાંબાના ગ્લાસમાં પાણી પીશો તો વધુ ફાયદાકરાક રહેશે. સૂર્ય જો સારું ફળ ન આપી રહ્યો હોય તો આંખના રોગો અને હૃદયરોગ વધુ સતાવી રહ્યો હોય તો જાતકે પોતાના જન્મ દિવસે કે અમાસે પોતાના વજન બરાબર ઘઉં કે ગોડનું ગૌશાળામાં દાન કરવું જોઈએ.

જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!

chandra

ચંદ્રઃ-

ચંદ્ર મન અને માતાનો કારક છે. જે પુરુષોની જન્મ-કુંડળીમાં ચંદ્ર સારું ફળ આપે છે તે ઉચ્ચ કલ્પનાશીલ હોય છે. દ્રઢ નિશ્ચયી હોય છે. શુક્ર અને બુધની સાથે ચંદ્રનો મેળ હોય છે તેઓ સારા કલાકાર, લેખક અને ફેશન જગતમાં પ્રસિદ્ધ હોય છે.

નબળો ચંદ્ર મનની સ્થિતિને ડામાડોળ કરે છે. શંકાની આદત, વગર વિચાર્યે વાતનો અંદાજ લગાવીને પોતાના વિચારો પ્રગટ કરવા, મનના ભાવ કે મનની વાત કહી ન શકવું, વાત કરતી વખતે આમ-તેમ જોવું અને પગ હલાવવા આ બધા નબળા ચંદ્રની નિશાની છે.

જાણો…ભાગ્યનો સાથ ન મળતો હોય તો કરો બેસનના લાડુનો આ ચમત્કારિક ઉપાય..!!

સારો ચંદ્ર ઉગ્ર થઈ જાય તો વ્યક્તિ અતિ કલ્પનાશીલ બની જાય છે અને માનસિક ઉન્માદથી ઘેરાઈ જાય છે. એવી વખતે સફેદ વસ્ત્રોનું દાન અને સોમવારે મંદિરમાં ચોખા અને દૂધનું દાન કરવું જોઈએ.

તેમને રાખોડી, કાળા કે વાદળી રંગનો ઉપયોગ ન કરવો જોઈએ. જો કે અહીં પ્રશ્ન એ થાય કે આ રંગોના જ તો પુરુષના મોટાભાગે વસ્ત્રો હોય છે તને છોડી કેવી રીતે શકાય. તેની માટે સફેદ અંતર્વસ્ત્ર પહેરી શકાય. સફેદ રૂમાલ કે ઙલવા રંગના બેડશીટનો ઉપયોગ કરી શકાય છે. પાણીનો દૂરઉપયોગ ન કરવો. ચાંદીના ગ્લાસમાં પાણી અને દૂધમાં કેવડાનો એસેન્સ નાખીને પીવાનું વધું લાભદાયી રહે છે. પૂનમના ચાંદને જોવા તે પણ નબળા ચંદ્રને મજબૂત બનાવવાનું કામ છે.
ચંદ્રને મજબૂત અને શાંત કરવા માટે શિવની આરાધના લાભદાયી રહે છે.

જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!

mangal6

મંગળઃ-

મંગળ રક્ત અને રક્ત સંબંધો, જમીન અને મકાનનો કારક ગ્રહ છે. તે શક્તિનો પરિચાયક હોય છે. સારો મંગળ વ્યક્તિને સેનાધ્યક્ષ કે સમાજમાં અગ્રણી બનાવે છે. એ જરૂરી નથી કે મજબૂત મંગળથી પ્રભાવિત વ્યક્તિ પોલીક કે સેનામાં પદ પ્રાપ્ત કરે છે. તે જે પણ જવાબદારી ઊઠાવે છે તેને સારી રીતે નિભાવી જાણે છે. શાનદાન વ્યક્તિત્વ, ભાઈઓ સાથે સારા સંબંધો સારા મંગળના પરિચાયક છે. ઉત્તમ ભૂમી અને મકાનનો સ્વામી હોય છે.

કુંડળીમાં ઉગ્ર મંગળ વ્યક્તિને અપરાધી પ્રવૃત્તિનો બનાવે છે.

દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના

નબળો મંગળ વ્યક્તિને ઢબ્બુ બનાવીને કાયર બનાવી દે છે. ચહેરો નિસ્તેજ અને નબળું વ્યક્તિત્વ, ભાઈઓ સાથે અણબનાવ તેમનાથી દબાઈને રહેવું વગેરે મંગળના નબળા હોવાની ઓળખ છે.

મંગળના ઉપાયોમાં ભાત પૂજા કરવી જોઈએ, હનુમાનની પૂજા કરવી જોઈએ, મંગળનો મૂંગા રત્ન ધારણ કરવો જોઈએ. મંગળનું વ્રત કરવું જોઈએ. માતા અને સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ.

હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!

budh4

બુધઃ-

બુધ ગ્રહ માસી, ફોઈ, વાણી, બુદ્ધિ અને ચામડીના રોગોનો કારક છે. જન્મ કુંડલીનો બુધ જો દૂષિત ગ્રહોના સંપર્કમાં હોય કે નબળી અવસ્થામાં હોય તો તે માણસને ઓછો બુદ્ધિમાન કે ભાષામાં નબળો બનાવી દે છે. તે એક પ્રકારે ડબ્બૂ બનીને રહી જાય છે. નબળા બુધને બળવાન બનાવવા માટે ગણેશજી, સરસ્વતી માતાની આરાધના કરો. લીલા રંગની વસ્તુઓનું સેવન કરો. લીલા વસ્ત્રોનો ઉપયોગ કરો.
પરંતુ જો આ બુધ ગ્રહ કુંડળીમાં અતિ બળવાન બની જાય તો એવા બુધથી પ્રભાવિત માણસ બોલવામાં, લેખન કલામાં અને વાક્પટુતામાં કાબેલ બની જાય છે. હાસ્ય-વ્યંગ્યમાં સૌથી આગળ અને વાતોમાંથી વાત કાઢનારો હોય છે.

કોઈ માણસ સારો બુધ હોય તો તે એ વાત એ રીતે કહી દે છે કે સામેવાળાને સમજાઈ જાય અને કોઈ બીજાને ખબર પણ ન પડે.
પરંતુ જ્યારે બુધ કેન્દ્રનો સ્વામી થઈને કેન્દ્રાધિપતિ દોષથી ગ્રસિત થઈ જાય તો ત્યારે તે પોતાના સ્વભાવથી વિપરિત પરિણામ આપનારો બની જાય છે. એવો બુધ માણસની બુદ્ધિ ઉપર હાવી થઈને બુદ્ધિ ઉપર નિયંત્રણ કરી લે છે. તેને ખબર નથી પડતી કે તે શું બોલી રહ્યો છે. સામેવાળાના મનને કેટલું ખોટું લાગશે કેટલી ઠેસ પહોંચશે. તે માણસ બુધના વશીભૂત થઈને જ નિર્ણાયકર બની જાય છે શું ખોટું છે અને શું સારું. તે માત્ર પોતાના જ વિચારોને બીજા ઉપર થોપે છે. એવો બુધ માણસને અળગો પાડી દે છે અને તે એક દિવસે અવસાદમાં ઘેરાઈ જાય છે.

એવી વખતે તેને લીલા રંગની પરેજી કરવી જોઈએ. લીલા વસ્ત્ર, લીલુ ઘાસ અને લીલા મગની દાળનું દાન કરવું જોઈએ. ફટકડીથી દાંત સાફ કરવા જોઈએ.

રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!

guruvaar1

બૃહસ્પતિઃ-

બૃહસ્પતિ બુદ્ધિ, જ્ઞાન, સન્માન, દયા અને ન્યાયનો કારક ગ્રહ છે. જે વ્યક્તિનો જન્મ કુંડળીમાં બૃહસ્પતિ ગ્રહ ઉત્તમ સ્થિતિમાં હોય તે વ્યક્તિ વિદ્વાન અને ધર્માધિકારી હોય છે. તે કોઈની પ્રત્યે અન્યાય નથી કરતો અને થવા પણ નથી દેતો. પૂજા-પાઠમાં વધુ ધ્યાન આપે છે.

પરંતુ જ્ઞાનની અધિકતા હોવાથી ક્યારેક-ક્યારેક અહંકાર પણ આવવા લાગે છે. વગર માંગ્યે સલાહ આપવા કે પોતાની વાતને સર્વોપરી રાખીને થોપી દેવાનો પણ તેનો સ્વભાવ બનાવી લે છે. અને તે અહંકાર વ્યક્તિમાં એકલતા અને શરીરમાં મેદનો વધારો કરે છે. જેના કારણે મેદસ્વીતામાં વધારો થઈ શરીર ફુલાઈ જાય છે.

બૃહસ્પતિને સુધારવા માટે વ્યક્તિએ પૂજા-પાઠ વધુ કરવાથી બચવું જોઈએ. સવાર અને સાંજે મંદિર જવું જોઈએ. પરંતુ આપતીના સમયે નહીં પણ પહેલાં કે પછી. એમ કરવાથી પોતાના ઈષ્ટદેવની નજદીકી મહેસૂસ કરી શકે છે અને મન શાંત રહેશે.

લોકો સાથે મેળ-ઝોળ વધારો અને દુઃખ દર્દ સાંભલો, સમસ્યાઓનું સમાધાન કરો. જો કોઈ વૃદ્ધાશ્રમમાં જઈ તેમનું દર્દ વહેંચો તો બૃહસ્પતિ સારા ફળ આપવા લાગે છે. વૃદ્ધોના ચહેરા ઉપર હાસ્યા અને દિલમાં ખુશી લાવો તો સારું રહેશે.

પીળા રંગથી પરેજી કરો. રવિવારે પીળી કે ભોજ્ય વસ્તુ કે વસ્ત્રનું દાન કરી શકાય છે. વીરવારનું વ્રત પણ લાભદાયી રહે છે. વિષ્ણુ ભગવાનની પૂજા અને મંત્ર જાપ પણ લાભદાયી રહે છે.

નબળો બૃહસ્પતિ(ગુરુ) વ્યક્તિને નિસ્તેજ, નાસ્તિક, નિરાશાવાદી, પેટ સંબંધી બીમારીઓ અનેલગ્ન અને સંતાનમાં વિલંબ આપે છે. જો એવું હોય તો બૃહસ્પતિને મજબૂત કરવાના ઉપાયકરવા જોઈએ. પીળું ભોજન અને વસ્ત્રનો પ્રયોગ વધુ કરવો જોઈએ. વ્રત કરવાનું પણ લાભદાયી રહેશે. વૃદ્ધ બ્રાહ્મણની સેવા, મજૂરોને અભ્યાસમાં સહયોગ આપવાથી ગુરુ મજબૂત થાય છે.

ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!

shukra3

શુક્રઃ-

શુક્ર ગ્રહ પુરુષોમાં લગ્ન, સંતાન, મનોરંજન, શયનસુખ અને ઐશ્વર્યનો કારક છે. શુક્રથી પ્રભાવિત વ્યક્તિ(જો લગ્નમાં શુક્ર હોય) તો શ્યામ રંગના હોય છે. શુક્ર ગોરા રંગનો નહીં પણ સૌંદર્યનું પ્રતીક હોય છે. ચહેરાથી ઝલકે છે કે શુક્ર સારો છે. સારો શુક્ર વ્યક્તિને આકર્ષક વ્યક્તિત્વની સાથે જ ઉત્તમ મકાન, વાહન, વસ્ત્રાભૂષણ અને સુખ-સુવિધાઓ પ્રદાન કરે છે. સંગીત, કલા અને કાવ્યમાં પારંગત હોય છે.જન્મ કુંડળીમો સારો શુક્ર વ્યક્તિને ઉત્તમ ચિકિત્સક અને જ્યોતિષ પણ બનાવી શકે છે.

નબળો શુક્ર સૌંદર્યમાં ખામી, સુખ-સુવિધામાં ખોટ, જીનવસાથીથી અંતર, નેત્ર રોગ, ગુપ્તેન્દ્રીય રોગ, વીર્ય દોષથી થતા રોગો, પ્રોસ્ટેટ, ગ્લેન્ડ, પ્રમેહ, મૂત્ર વિકાર, સુજાક, કામાન્ધતા, શ્વેત કે રક્ત પ્રદર, પાંડુ રોગ વગેરે પેદા કરાવી શકે છે.

પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!

નબળા શુક્રને બળવાન બનાવવા માટે ક્રીમ રંગના કપડાંનો ઉપયોગ કરવો જોઈએ. શુક્રવારનું વ્રત, દેવી ઉપાસના(લક્ષ્મી અને દુર્ગા) કરવી જોઈએ. શુક્રવારે કન્યાઓને ખીર ખવડાવવાનું, ગાયને ચારો નાખવો યોગ્ય રહે છે. બટાકાનું દાન પણ શુક્રને મજબૂત બનાવે છે.

જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ

દૂષિત શુક્રથી પ્રભાવિત વ્યક્તિ સમાજ વિરોધી ગતિવિધિઓમાં સામેલ રહેછે. મિત્રો સાથે નથી બનતું, સ્ત્રીઓમાં વધુ રસ લે છે. સિનેમા, અશ્લીલ-સાહિત્ય અને કામ-વાસના તરફ વધુ ધ્યાન રહે છે. એવી વખતે વ્યક્તિને દુર્ગા માતાની આરાધના, નારી જાતિની પ્રત્યે સન્માન અને સફેદ દૂધિયા રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ. ખુશબુનો વધુ માત્રામાં પ્રયોગ કરવો જોઈએ.

પ્રેમ અને જ્યોતિષશાસ્ત્ર : નામના પહેલા અક્ષરથી જાણો તમારો કંઈ રાશિ સાથે કેવો રહેશે પ્રેમ પ્રસંગ

shanidev7

શનિઃ-

શનિ ગ્રહને કુંડળીમાં ગ્રહોની સાથે કે કોઈપણ ભાવમાં સ્થિતિ હોય તે મહત્વપૂર્ણ હોય છે, કારણ કે શનિ જે કોઈ ભાવમાં સ્થિતિ હોય છે, તે ભાવની વૃદ્ધિ કરે છે પરંતુ જે ભાવ ઉપર દ્રષ્ટિ પડે છે તે ભાવના સુખોમાં કમી લાવે છે.

સારો શનિ વ્યક્તિને ન્યાય પ્રિય, વિદેશી ભાષામાં પારંગત, ઉચ્ચાધિકારી, લોખંડ સંબંધિત વેપારનો કારક બનાવે છે. શનિ ગ્રહથી પ્રભાવિત વ્યક્તિ પોતાની અલગ વિચારધારા બનાવી રાખે છે. સમાજમાં હટીને વિચારો ધરાવે છે.

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!

નબળો શનિ વ્યક્તિને આળસી, કામચોર અને નિર્ધન બનાવે છે. ઝઘડાળું પણ બનાવે છે શનિ, શનિ અંધારાનો કારક છે જેના કારણે વ્યક્તિ નિશાચર બનીને રહે છે અર્થાત્ અપરાધી પ્રવૃત્તિ અપનાવી લે છે. વાત રોગ, અસ્થિ રોગ, મનોન્માદ પણ તે જ આપે છે. પેટના રોગો, જાંઘના રોગ, ટીબી, કેન્સર વગેરે રોગો પણ શનિ દ્વારા જ થાય છે.

શનિને મજબૂત બનાવવા માટે વ્યક્તિના આચરણમાં સુધારો લાવવો જોઈએ. દેશની પ્રત્યે પ્રેમ, સેવા અને સદભાવનાર રાખવી જોઈએ. પાણી કે વીજળી ન ફેડફવી, રૂપિયાનો ખોટો બગાડ ન કરવો, દેશની પ્રત્યે કર્તવ્યોનું પાલન કરવું વગેરે શનિ ગ્રહથી સારું ફળ આપનારી પ્રવૃત્તિઓ છે.

હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!

પોતાના નોકરોની પ્રત્યે દયાભાવ રાખવાથી પણ શનિ અનુકૂળ ફળ આપવા લાગે છે.

કાળીમાતા, હનુમાનજી અને શિવની આરાધના, શનિ સ્ત્રોત, હનુમાન ચાલીસા, સુંદરકાંડનો પાઠ તથા દુર્ગાસપ્તશતિનો પાઠ શનિની શાંતિમાં મદદરૂપ થાય છે. કાળા, ગાઢ લીલા રંગનો ઉપયોગ ન કરવો તથા શનિવારે તેનું દાન કરવું. શનિવારે રાજમા, કાળા અડદ અને તેલનું દાન કરવું પણ યોગ્ય રહે છે. શનિવારે ચમેલીના તેલનો દીવો હનુમાનજીની આગળ કરવાથી શનિ શાંત થશે.

જાણો…સમજો…અને અજમાવો. તમારા ભાગ્યને સુધારવાનું બળ છે રત્નોમાં…!!!

raahu2

રાહુઃ-

રાહુ એક તમોગુણી મલેચ્છ અને છાયા ગ્રહ માનવામાં આવ્યો છે. તેનો પ્રભાવ શનિની જેવો જ હોય છે.

તે તીક્ષ્ણ બુદ્ધિ, વાક્પટુતા, આત્મકેન્દ્રિતા, સ્વાર્થ, વિઘટન અને અલગાવ, રહસ્ય મતિભ્રમ, આળસ, છળ-કપટ(રાજનીતિ) તસ્કરી(ચોરી) અચાનક જ બની ઘટનાઓ, જુગાર અને જૂઠનો કારક હોય છે.

રાહુથી પ્રભાવિત પુરુષ એક સારો જાસુસ અને વકીલ, સારો રાજનીતિજ્ઞ બની શકે છે. તે આવનારી વાતોને અગાઉથી જ જાણી લેતો હોય છે. વિદેશ યાત્રાઓ પણ ખૂબ જ કરાવે છે રાહુ.

કુંડલીમાં રાહુ જે રાશિમાં સ્થિતિ હોય તે એવા જ પરિણામ આપે છે. જો તે બૃહસ્પતિની સાથેકે તેની રાશિમાં હોય તો તેને જ્યોતિષની પ્રત્યે રસ વધુ રહે છે. શનિના પ્રભાવથી તાંત્રિક-વિદ્યામાં નિપુણ બને છે.
રાહુથી પ્રભાવિત પુરુષ ભ્રમમાં રહે છે અને ઘણીવાર ખોટા નિર્ણય લઈ લે છે કે અનૈતિક કાર્યોમાં ફસાવી દે છે. અહીં જો રાહુ સારો હોય તો તે ખૂબ જ રૂપિયા, ઊંચા હોદ્દા અપાવનારો. પરંતુ એ જ જ રાહુ વ્યક્તિના રૂપમાય અને પદનું અભિમાન આપે છે. એટલા માટે વ્યક્તિ ઘમંડી, પાખંડી અને ક્રૂર બની જાય છે.

જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?

રાહુની મહાદશા 18 વર્ષની હોય છે. મહાદશાની શરૂઆતમાં રાહુ વ્યક્તિને ભ્રમની જાળમાં ફસાવીને કૂબ જ ધન અપાવે છે પરંતુ આ જ રાહુ મહાજશાના અંતમાં બધુ જ સમેટીને લઈ પણ જાય છે. જો આ દરમિયાન વ્યક્તિ સ્વ વિવેકથી કામ લે અને યોગ્ય માર્ગ ઉપર ચાલે તો તેને રાહુના દુષ્પ્રભાવ નથી થાય.

દૂષિત રાહુની સ્થિતિમાં વ્યક્તિ મલિન અને ફાયેલા વસ્ત્ર(અંતર્વસ્ત્ર પણ) પહેરે છે, ચામડીના રોગ, મતિભ્રમ, અવસાદ રોગથી ગ્રસિત થઈ શકે છે.

રાહુને શાંત કરવા માટે દુર્ગા માતાની આરાધના કરવી જોઈએ. ખુલીને હસવું જોઈએ. મલિન અને ફાટેલા વસ્ત્રો ન પહેરવા જોઈએ. ગાઢ વાદળી રંગની પરેજી કરવી જોઈએ. કાળા રંગની ગાયની સેવા કરવી જોઈએ. મધુ સંગીત સાંભળવું જોઈએ. રામરક્ષા સ્ત્રોતનો પાઠ કરવાનું પણ લાભદાયી રહે છે.

તેની શાંતિ માટે ગોમોદ રત્ન ધારણ કરી શકાય છે પરંતુ કોઈ સારા જ્યોતિષની સલાહ લેવી જોઈએ.

ketu1

કેતુઃ-

કેતુ ગ્રહ ઉષ્ણ, તમોગુણી પાપ ગ્રહ છે. કેતુનો અર્થ ધ્વજા પણ થાય છે. કોઈ સ્વગૃહી ગ્રહની સાથે તે હોયતો તે ગ્રહનું ફળ ચાર ગણું વધારી દે છે. તે તાવ, ઘાવ, દર્દ, ભૂત-પ્રેત, આંતરડાના રોગો, બહેરાશ, હકલાવાનો કારક હોય છે. તે મોક્ષનો પણ કારકગ્રહ છે.

કેતુ મંગળની જેવા જ કામ કરે છે. જો બંનેની યુતિ હોય તો મંગળનો પ્રભાવ બમણો થઈ જાય છે જો કેતુ શનિની સાથે હોય તો તે શનિ-મંગળની યુતિની સમાન માનવામાં આવે છે.

રાહુની જેમાં જ કેતુ પણ છાયા ગ્રહ છે એટલા માટે તે પોતાનું કોઈ ફળ નથી હોતું. જે રાશિમાં કે જે ગ્રહની સાથે યુતિ કરે છે તેવા જ ફળ પ્રદાન કરેછે.

કેતુથી પ્રભાવિત પુરુષ થોડા ભ્રમમાં રહે છે. ઝડપથી નિર્ણય લેવાની ક્ષમતા નથી હોતી, કારણ કે તે ગ્રહ માત્ર ધડનું જ પ્રતીક છે. અને રાહુ તેનું કપાયેલું માથુ છે. સારો કેતું પુરુષને ઉચ્ચ હોદ્દો, સમાજમાં સન્માન, તંત્ર-મંત્ર અને જ્યોતિષનો જ્ઞાતા બનાવે છે.

ખરાબ કેતુ વ્યક્તિની બુદ્ધિ ભ્રમિત કરી તેને યોગ્ય સમયે નિર્ણય લેવામાં બાધા પેદા કરેછે. વારંવાર કામ-નોકરી બદલવાનું વિચારે છે.

ચામડીના રોગોથી ગ્રસિત કરી દે છે. કામ-વાસનાથી ભરી દે છે જેના ફળસ્વરૂપે અનેક વાર દામપત્ય-જીવન કષ્ટમય બની જાય છે.
કેતુના પ્રભાવ અલગ-અલગ ગ્રહોની સાથે યુતિ અને અલગ-અલગ ભાવોમાં સ્થિત હોવાને કારણે તેનો પ્રભાવ વધુ કે ઓછો હોઈ શકે છે. તેની માટે કોઈ સારા જ્યોતિષી પાસે કુંડળીનું વિશ્લેષણ કરાવીને ઉપાય કરવા જોઈએ.

કેતુ માટે લસણિયો નંગ ઉપયુક્ત માનવામાં આવે છે. મંગળવારે વ્રત અને હનુમાનજીની આરાધના વિશેષ ફળદાયી હોય છે. પંખીઓને બાજરીના દાણા ખવડાવવા અને ભૂરા-કાબરચિતરા વસ્ત્રોનું દાન આવા રંગના જ પરુશોને સેવા કરવાનું વધુ યોગ્ય રહે છે.

રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

જાણો…જિંદગીભર સ્વસ્થ રહેવા તમારી લગ્નકુંડળી જોઈ રાશિ પ્રમાણે લો ભોજન..!!

diet2
કુંડળી ઉપરથી જાતકનું ભાવિ જોવા માટે સામાન્ય રીતે આપણે જાતકની જન્મ કુંડળી ઉપર જ મોટો આધાર રાખીએ છીએ. તે યોગ્ય પણ છે, કારણ કે જન્મ કુંડળી જ મનુષ્‍યના જન્મ વખતની આકાશની ગ્રહસ્થિતિનો અધિકૃત નકશો છે. આ ઉપરાંત જ્યોતિષ શાસ્ત્રમાં હોરા, સપ્‍તમાંશ, નવમાંશ વગેરે કુંડળીઓ પણ મૂકવામાં આવે છે અને વિશિષ્‍ટ બાબતો માટે આ કુંડળીઓ જોવાય છે.

જન્મ લગ્ન કુંડળી જાતકના જન્મ સમયના લગ્ન અને ગ્રહોની સ્થિતિ દર્શાવતી જન્મ કુંડળી જોવાની આ પદ્ધતિ સુવિદિત છે અને શાસ્ત્રારૂઢ થયેલી છે. જન્મ કુંડળીમાં નિર્દિષ્‍ટ બાર સ્થાનો દ્વારા જે જે બાબતો આપવામાં આવે છે તેનો સામાન્ય ખ્યાલ જન્મ કુંડળી ઉપરથી આવે છે. મનુષ્‍યના જીવનમાં સૌથી વધુ ર્દષ્ટિમાન શરીર છે, વિવિધ ભાગો પણ શરીરથી ભોગવાય છે, મનુષ્‍યનું બાહ્ય વ્યક્તિત્વ શરીરમાં નિર્મિત થાય છે, તેથી પ્રથમ તન સ્થાનને લગ્ન સ્થાન ગણીને કુંડળી જોવાની આ પદ્ધતિ યોગ્ય જ છે.

સાવધાન: ઈંડા વિષેની નક્કર સંખ્યાબંધ હાનિકારક હકીકતો અને વૈજ્ઞાનિક સત્યો જાણી લો…!!

કુંડળીમાં 1 થી 12 ભાવો હોય છે આપણે જાણીએ છીએ કે વ્યક્તિની જન્મ સમયે જે-તે રાશિ ઉદિત થતી હોય તે વ્યક્તિની જન્મ રાશિ ગણાશે. કુંડળીનો આધાર ગ્રહો, નક્ષત્રો અને હોરા ઉપર આધિરિત હોય છે. પરંતુ એક જ વ્યક્તિની ચંદ્ર રાશિ અને સૂર્ય રાશિ અલગ-અલગ હોઈ શકે છે. સાથે જ પ્રથમ ભાવ લગ્ન ભાવ ગણવામાં આવે છે એટલે એક પછી એક રાશિ જેમ જેમ ઉદિત થતી જાય અને જેમ જેમ કોઈ રાશિ ડુબતી જાય તેમ તેમ લગ્નના ભાવો પણ બદલાતા જાય છે. એટલે કોઈ એક વ્યક્તિનો સવારે છ વાગ્યે જન્મ થયો હોય તો તે વ્યક્તિની સિંહ રાશિ આવી હોઈ શકે છે અને તે વ્યક્તિની કુંડળી વૃષભ કુંડળી હોઈ શકે છે.

જાણો…શ્વાસ, અનિદ્રા, શીઘ્રપતન, નપુંસકતા, હૃદય, કફ સંબંધી રોગોમાં આ રીતે ઉપયોગી છે જાયફળ…!!

મેષ લગ્નઃ-

મેષ લગ્નમાં જન્મેલા જાતકો તેજ જિંદગી જીવે છે. જેનાથી શારીરિક શક્તિનો વધુ વ્ચય થાય છે. તેઓ મસ્તિસ્ક પ્રધાન રાશિ છે અને તેનું માથા ઉપર અધિપત્ય હોય છે, એટલા માટે આ જાતકોના મસ્તિસ્ક અને શરીર બંને શક્તિદયક વસ્તુઓ પોતાના ભોજનમાં સામેલ કરવી જોઈએ, જેમ કે વિટામિન અને ખનીજ તત્વોથી ભરપૂર પાલક, ગાજર, કાકડી, મૂળા, ડુંગળી, કોબીજ, દૂધ, દહીં, પનીર, માછલી અને બીજા પ્રોટીનયુક્ત ભોજન. માંસ ખૂબ જ ઓછું ખાવું જોઈએ અને ઉત્તેજક પદાર્થો તદ્દન ન લેવા જોઈએ.

જાણો…14 નુસખા : પુરૂષોની દુર્બળતા, નપુંસકતા અને સ્વપ્નદોષને ઝડપથી કરશે દૂર…!!!

વૃષભ લગ્નઃ-

આ લગ્નમાં જન્મેલા જાતકોનું શરીર પુષ્ય હોય છે અને તેઓ સ્વાદ લઈને ભોજન કરે છે. વિભિન્ન સ્વાદનું ભોજન કરવાથી તેમનું ગળુ ખરાબ રહે છે. એટલા માટે મેદસ્વીતાથી હૃદયરોગનો ભય રહે છે. તેમને મિઠાઈ, કેક, પેસ્ટ્રી, માખણ અને બીજા વધુ ચિકનાઈવાળા ભોજન ઓછા લેવા જોઈએ, સ્વસ્થ રહેવા માટે વિટામીન અને ખનીજ તત્વોથી પૂર્ણ ફળ, શાકભાજી, સલાડ, લીંબુ વગેરે માત્રામાં જરૂરી માત્રામાં લેવી જોઈએ.

કરો ઉપાય…ત્વચાને કરચલીઓથી હમેશાં બચાવીને રાખવા, અજમાવો આ મેજિકલ ટિપ્સ…!!

મિથુન લગ્નઃ-

આ રાશિ માનસિક અને સ્નાયુ પ્રધાન છે. જાતકોના વધુ માનસિક પરિશ્રમ કરવાથી તથા પાચન ક્રિયા ગડબડ થઈ જવાથી બીમાર થઈ જાય છે. આ જાતકોને એ બધા જ ભોજન પદાર્થો, જે માથા અને સ્નાયુઓ માટે શક્તિદાયક હોય તે લેવા જોઈએ. વિટામિન બી પ્રધાન ભોજનને પ્રાથમિકતા આપવી જોઈએ. દૂધ અને ફળ લાભદાયક હોય છે. માંસ ખૂબ જ ઓછું લેવું જોઈએ.

શરીરની અંદર જમા થયેલો કચરો કાઢી રહો નિરોગી, આ છે સફાઈની રીત…!!!

કર્ક લગ્નઃ-

આ લગ્નના જાતકો ભોજનના શોખીન હોય છે, પરંતુ પોતાની પાચન ક્રિયા નબળી હોય છે, એટલા માટે એવી વસ્તુઓ ન ખાવી જોઈએ જેનાથી પેટમાં ઉત્તેજના વધે અને ગેસ પેદા થાય. એટલા માટે માંસ, પેસ્ટ્રી, દારુ નુકસાનકારક હોય છે. દૂધ, દહીં, ફળો, શાકભાજી, સલાડ, લીંબુ, માલા અને માછલી અનુકૂળ હોય છે. આ જાતકોના સેવન પહેલા અને સવારે પાણી પીવું જોઈએ.

આ તો જાણી જ લો…. કેમ સવારે ખાવું છે જરૂરી? ખાવાના ફાયદા અને ન ખાવાના નુકસાન જાણો

સિંહ લગ્નઃ-

-આ કાર્યશીલ રાશિ છે, જેનાથી જાતકો વધુ ઊર્જા ખર્ચ કરે છે. એવું ભોજન જે સુપાચ્ય છે. જેનાથી વધુ ઊર્જા મળે અને રક્તમાં લાલ કણ વધે, લાભદાયક હોય છે. મેદસ્વતાવાળા ચરબીદાર વસ્તુઓ હૃદય માટે નુકસાનકારક હોય છે. શાકાહારી ભોજન, ફળ અને માવા જેમાં વિટામીન અને ખનીજ વધુ માત્રામાં હોય તેવા ખોરાક લાભદાયક રહે છે.

જાણો..કામ લાગશે…કોઈ જીવજંતુ ડંખ મારે કે કરડે, તરત જ ઘરે કરો આ સરળ ને પ્રભાવી ઈલાજ…!!

કન્યા લગ્નઃ-

આ રાશિમાં જન્મેલા જાતકોની પાચન પ્રણાલી નબળી હોવાને લીધે તેમને ભોજનમાં ખાસ ધ્યાન આપવું જોઈએ. દૂધ, ફળ, સુપાચ્ય ખોરાક અને રોચક પદાર્થ લાભદાયક હોય છે. જેને એકવારમાં થોડા અને સારીરીતે પકાવેલું ભોજન લેવું જોઈએ. જેનાથી તેમને મળ વિસર્જન સારું રહે.

જાણો…રોજ સવારે ખાલી પેટે કરો તજ+મધનો ઉપાય, શરીરની ખરાબ ચરબી થશે દૂર…!!

તુલા લગ્નઃ-

આ લગ્નવાળા જાતકોને સારું ભોજન ખાવાનો શોક હોય છે તેની ઉપર મળ વિસર્જન પ્રણાલી નબળી થાય છે, તેમને ફળ અને દૂધ પ્રધાન ભોજન લેવું જોઈએ. શાકભાજીમાં ગાજર, બીટ, વટાણા અને ફળોમાં સફરજન અને અંજીર ઉત્તમ હોય છે, વધુ મીઠાઈ અને ચિકનાઈવાળા પદાર્થોથી પરેજી કરવી જોઈએ. દારુ પણ ઓછો લેવો જોઈએ. જેનાથી કિડની ઉપર અસર ન થાય.

જાણો..કામ લાગશે…ઝીણો, સામાન્ય કે વારંવાર આવતા તાવ માટે, પ્રાચીન ઉપાય+ ખાસ ઉકાળો

વૃશ્ચિક લગ્નઃ-

આ લગ્નવાળા જાતકો ભોજનમાં વધુ રસ લે છે. પરંતુ મેદસ્વીતા વધારતી અને નશાવાળી વસ્તુઓ નુકસાનકારક હોય છે. હળવું દૂધ, ફળ, શાકભાજી અને લોહી વધારનાર ભોજન જેવા કે અંજીર, ડુંગળી, લસણ, નારિયળ વગેરેનું સેવન જેમ ઓછું કરવામાં આવે તેમ સ્વાસ્થ્ય સારું રહે છે.

જાણો..કામ લાગશે…ઝીણો, સામાન્ય કે વારંવાર આવતા તાવ માટે, પ્રાચીન ઉપાય+ ખાસ ઉકાળો

ધન લગ્નઃ-

આ અગ્નિ તત્વની રાશિ છે અને જાતકો ઘણા ચુસ્ત અને સ્ફૂર્તિલા હોય છે, એટલામ ટે તેમને લોહી અને સ્નાયુઓ વધારનાર પ્રોટીનયુક્ત સંતુલિત ભોજન લેવું જોઈએ. રાત્રે સૂતા પહેલા ભોજન કરી લેવું જોઈએ. ભોજન પછી ફરવા જવું સ્વાસ્થ માટે સારું રહે છે.

જાણી જ લો…થાઈરોઈડની સમસ્યા માટે શ્રેષ્ઠ ડાયટ+1 આસન, લક્ષણો, કારણ, ઉપચાર…!!

મકર લગ્નઃ-

આ રાશિના જાતકો, કર્તવ્યપરાયણ હોવાને લીધે, વધુ ઊર્જાનો વ્યય કરે છે, તેને લીધે તેમને શરીરની ઊર્જા પ્રદાન કરતા ભોજનને પ્રાથમિકતા આપવી જોઈએ. ભોજનમાં અંજીર, નારિયળ, પાલક, કાકડી વગેરે લેવી લાભદાયક રહે છે.

કુંભ લગ્નઃ-

આ લગ્નાન જાતકો પોતાના મસ્તિષ્ક અને સ્નાયુ શક્તિનો વધુ ઉપયોગ કરે છે. એટલા માટે મસ્તિસ્ક અને સ્નાયુને શક્તિ પ્રદાન કરનાર રક્ત પ્રવાહ વધારનાર હળવા અને સુપાચ્ય પદાર્થો જેવા કે દૂધ, પનીર, સલાડ, માછલી, મૂળા, ગાજર તેમની માટે સ્વાસ્થ્ય વર્ધક હોય છે.

મીન લગ્નઃ-

આ લગ્નના જાતકોને મોટાભાગે પોતાને ખાન-પાનમાં વધુ કારણે બીમાર રહે છે. એટલા માટે તેમને પોતાના ભોજન વિશે સચેત રહેવું જોઈ. મિઠાઈ અને ખૂબ જ ચિકણાશવાળા પદાર્થો ઓછા લેવા જોઈએ. તેમને ઉત્તેજક પદાર્થો બિલકુલ ન લેવા જોઈએ. દૂધ, માછલી, સલાડ, ફળ અને શાકભાજીનું સેવન લાભદાયક રહે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો 13 આસન : કયા રોગમાં કયું આસન છે ફાયદાકારક

જાણો…આખરે યોગ શું છે? તેના 15 ચમત્કારી લાભ અને ધ્યાનમાં રાખો 10 સાવધાનીઓ…!!

ALL IN ONE: રોજ યોગ કરવાથી મળતાં આ 10 જબરદસ્ત ફાયદા ચોક્કસ જાણો

સનબર્નથી એકદમ કાળી પડેલી ત્વચા માટે, કરો 14 ચમત્કારી ઘરેલૂ ઉપાય
કેમ આવે છે પરસેવામાં ગંદી વાસ? આ ઝિંક ડાયટથી મેળવો કાયમી છુટકારો

યુવકો-યુવતીઑ ની મુખ્ય સમસ્યા ચહેરાના ખીલ-ખાડાને કાયમ કરો દૂર, અપનાવો આ શ્રેષ્ઠ ઘરગથ્થુ નુસખા-ઉપાયો.

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

ખાસ ઉપાયો: મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય..!!

days1

તમે આ સપ્તાહમાં કોઈ ખાસ કામ કરવા જઈ રહ્યા હો તો ખાસ ઉપાયો સાથે તમારા દિવસની શરૂઆત કરો. આ ઉપાયોના પ્રભાવથી તમારા કાર્યમાં સફળતાના યોગ વધારે પ્રબળ થઈ જશે. જીવનની બધી પરેશાનીઓ, રૂપિયાની સમસ્યા, ગ્રહદોષ વગેરે દૂર કરી શકે છે. અહિંયા સપ્તાહના દિવસ પ્રમાણે કેટલાક સટીક ઉપાય બતાવવામાં આવ્યા છે. જેનાથી બહુ જલ્દી શુભ ફળ પ્રાપ્ત થાય છે.

આ ઉપાયોથી ધન સંબંધી સમસ્યાઓનો ઉકેલ આવશે. આ પ્રકારે દરેક દિવસે અલગ-અલગ ઉપાયો અપનાવો તો નિશ્ચિત શુભ ફળ પ્રાપ્ત થવા લાગશે. આ ઉપાયોની સાથે મેહનત પણ કરતાંરહેવું.

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો

સોમવાર-

જ્યોતિષ પ્રમાણે સોમવાર ચંદ્રનો દિવસ હોય છે. ચંદ્રમા પાસેથી શુભ ફળ પ્રાપ્ત કરવા માટે આ દિવસે ખીર જરૂર ખાવો જોઈએ. જો કુંડળીમાં ચંદ્ર નીચનો હોય તો સફેદ કપડાં પહેરવા જોઈએ અને શ્વેત ચંદનનું તિલક લગાવવું જોઈએ.

આ સિવાય આ દિવસે સફળતાની પ્રાપ્તિ માટે શિવલિંગ પર કાચુ દૂધ ચડાવો. કાચુ દૂધ એટલે કે ગરમ કર્યા વગરનુ દૂધ. જો આ શકય ન હોય તો ઘરથી નિકળતા પહેલા દૂધ કે પાણી પીવુ. સાથે જ ऊँ श्रां श्रीं श्रौं स: सोमाय नम: મંત્ર બોલી ઘરેથી નિકળો. સફેદ રંગનો રૂમાલ સાથે રાખો. સોમવારે આટલું કરવાથી તમારા બધાં અટકેલા કાર્યો પૂર્ણ થશે અને ધારેલી સફળતા હાંસલ થશે.

તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ

મંગળવાર-

મંગળવાર એટલે મંગળની વિશેષ પૂજાનો દિવસ હોય છે. આ દિવસે મસૂરની દાળનું દાન કરો. જે લોકો માંગલિક હોય તેઓ લાલ વસ્તુઓનું દાન ખાસ કરીને કરો. દરેક મંગળવારે કેટલીક રેવડીઓ નદીમાં પ્રવાહિત કરો. ગળ્યો પરોઠો બનાવીને ગરીબ બાળકોનો ખવડાવો.

આ સિવાય મંગળવારના દિવસે જો કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવી હોય તો હનુમાનજીના દર્શન કરીને જ કરવી જોઈએ. કારણ કે મંગળવારને હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે અને હનુમાનજી તમામ મનોકામના પૂર્ણ કરનારા દેવ પણ માનવામાં આવે છે. શક્ય હોય તો નજીકમાં આવેલા હનુમાનજી મંદિરે દર્શન કરી દિવસની શરૂઆત કરવી. સફળતા તમારા કદમ ચૂમશે.

જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!

બુધવાર-

બુદ્ધિના દેવતા બુધ ગ્રહનો દિવસ છે બુધવાર. જે લોકોની કુંડળીમાં બુધ અશુભ ફળ આપી રહ્યો હોય તેઓ આ દિવસે આખા મગ ન ખાવા અને તેનું દાન કરો. મંગળવારની રાતથી જ લીલા મગ પલાળીને રાખો અને બુધવારની સવારે આ મગને ગાયને ખવડાવો.

આ સિવાય આ દિવસે ગણેશજીને દૂર્વા અર્પિત કરો.ગણપતિજીને ગોળ ધાણાનો ભોગ ધરાવો. ઘરેથી વરિયાળી ખાઈને નિકળો. ब्रां ब्रीं ब्रौं स: बुधाय नम: મંત્રનો જાપ કરો. લીલા રંગના વસ્ત્ર પહેરો અથવા લીલો રૂમાલ સાથે રાખો. આટલું કરવાથી તમને ધન લાભની સાથે સમૃદ્ધિ પ્રાપ્ત થશે.

જાણો…પતિ-પત્ની વચ્ચે થતી તુંતું-મૈંમૈંથી બચવા આ રીતે રાશિ પ્રમાણે પસંદ કરો પાર્ટનર..!!!

ગુરૂવાર-

દેવ ગુરુ બૃહસ્પતિનો દિવસ છે ગુરુવાર. જે લોકોની કુંડળીમાં ગુરુ ગ્રહ સારી સ્થિતમાં ન હોય તે લોકો આ દિવસે કોઈ બ્રાહ્મણને પીળા રંગના વસ્ત્રો દાનમાં આપવા. કઢી-ચોખા પણ ખાવા અને ગરીબ બાળકોને પણ ખવડાવવા.

આ સિવાય જ્યોતિષ અનુસાર ગુરૂવારે ગુરુ ગ્રહની આરાધના માટે સર્વોત્તમ દિવસ છે. આ દિવસે બૃહસ્પતિ ગ્રહ નિમિતે વિષેષ પૂજન કરવુ જોઈએ. આ ઉપરાંત આ દિવસે ભગવાન વિષ્ણુના મંદિરમાં જાઓ. શ્રીહરીને પીળા ફુલ અર્પણ કરો. સાથે જ ऊँ ग्रां ग्रीं ग्रों स: गुरुवे नम: મંત્ર જાપ કરો. પીળા રંગની કોઈ મીઠાઈ ખાઈને ઘરેથી નિકળવુ. પીળા વસ્ત્ર પહેરવા અને પીળો રૂમાલ સાથે રાખો.

પ્રેમ અને જ્યોતિષશાસ્ત્ર : નામના પહેલા અક્ષરથી જાણો તમારો કંઈ રાશિ સાથે કેવો રહેશે પ્રેમ પ્રસંગ

શુક્રવાર-

અસુરોના ગુરુ શુક્રનો દિવસ છે શુક્રવાર. આ દિવસે શુક્રગ્રહ માટે વિશેષ ઉપાસના કરવી જોઈએ. આ દિવસે દહીં અને લાલ જુવારનું દાન કરવું જોઈએ. સફેદ રેશ્મી વસ્ત્રોનું દાન કરવું જોઈએ.

આ સિવાય આ દિવસે સફળતા માટે લક્ષ્મીજીને લાલ ફુલ અર્પિત કરો. ऊँ द्रां द्रीं द्रौं स: शुक्राय नम:મંત્રના જાપ કરો. ઘરમાંથી નિકળ્યા પહેલા દહીનુ સેવન કરો. સફેદ રંગના કપડા પહેરવા અને સફેદ રંગનો રૂમાલ સાથે રાખવો.

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો

શનિવાર-

જ્યોતિષ પ્રમાણે શનિવારના દિવસે શનિની પૂજાનો વિશેષ દિવસ હોય છે. આ દિવસે કોઈ નવા કામ શરૂ ન કરવા જોઈએ. દર શનિવારે એક નારિયેળ નદીમાં પ્રવાહિત કરો. હનુમાન ચાલીસાનો પાઠ કરો. શનિદેવના દર્શન કરો અને તેલ ચઢાવો.

આ સિવાય હનુમાન મંદિર જાઓ. હનુમાનજીને બનારસી પાન અને લાલ ફુલ ચડાવો. ऊँ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:મંત્ર જાપ કરી ઘરેથી નિકળો. તલનું સેવન કરો. વાદળી રંગના વસ્ત્ર પહેરો અને વાદળી રૂમાલ સાથે રાખો.

લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.

રવિવાર-

રવિવારને સૂર્યનો દિવસ માનવામાં આવે છે અને આ દિવસે સૂર્યની ઉપાસનાનું ખાસ મહત્વ છે. સૂર્યથી શુભ ફળ પ્રાપ્ત કરવા માટે દર રવિવારે ગોળ અને ચોખાને નદીમાં પ્રવાહિત કરો. તાંબાના સિક્કાને નદીમાં પ્રવાહિત કરો. આ સિવાય રવિવારે સૂર્ય દેવને જળ ચડાવો પછી લાલ ફુલ અર્પણ કરો. આ દિવસે ऊँ ह्रां ह्रीं ह्रौ स: सूर्याय नम: મંત્ર જાપ કરો. ગોળનુ સેવન કરો. લાલ રંગના કપડા પહેરો અને લાલ રૂમાલ સાથે રાખો. તમારી તમામ સમસ્યાઓનો ફટાફટ અંત આવશે.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

જાણો…સફળતાની ટોચે પહોંચવા રાશિ પ્રમાણે કયો વ્યવસાય છે શ્રેષ્ઠ? કરો ઉપાય…!!

career6

જ્યોતિષમાં 12 રાશિઓ બતાવવામાં આવી છે અને આ રાશિઓના સ્વામી અલગ-અલગ હોય છે. મેષ-વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. મિથુન-કન્યા રાશિનો સ્વામી બુધ છે. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર અને સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. ધન-મીન રાશિનો સ્વામી ગુરુ છે. મકર-કુંભ રાશિનો સ્વામી શનિ છે. જો તમે પોતાના જીવનમાં વધુ સફળ થવા માગતા હોય અને ટોચ ઉપર પહોંચવું હોય તો તમારે રાશિ પ્રમાણે વ્યવસાયની પસંદગી કરવી જોઈએ અને તમારા ગ્રહ સ્વામીને અનુકૂળ બનાવવા માટે તમારે રાશિ સ્વામી કે રાશિમાં દર્શાવ્યા પ્રમાણે દેવોને પ્રસન્ન કરવા માટે ઉપાય કરવા જોઈએ. અહીં જાણો રાશિ સ્વામી પ્રમાણે 12 રાશિઓ માટેના સરળ ઉપાય…

તમારી જન્મતારીખ બતાવે છે કયો મહિનો છે તમારા સ્વાસ્થ્ય ઉપર ભારે? ઉપાયો કરો

જ્યોતિષમાં બતાવ્યું છે કે આ ઉપાયોથી સુખ-સમૃદ્ધિ અને ધન સંબંધી કાર્યોમાં આવતી પરેશાનીઓ દૂર થઈ જાય છે

મેષ (અ.લ.ઈ.) –

મેષ રાશિના સ્વામી મંગળ દેવ છે. મંગળને પૃથ્વીના પુત્ર માનવામાં આવે છે. તેનો રક્તવર્ણ છે. જમીન, મકાન, ખેતી તથા તેનાથી જોડાયેલ ઉપકરણો, દવાઓના ઉપકરણો, વાહન વિક્રય, ખનિજ, કોલસામાં રોકાણ કરનારા લોકોને મંગળ વધારે લાભ આપે છે. આ રાશિના લોકોને કોઈ પણ પ્રકારના શેર, કેમિકલ, ચામડું, લોખંડથી સંબંધિત કાર્યમાં રોકાણ કરવાથી બચવું જોઈએ. જન્મપત્રિકામાં મંગળ-ચંદ્રની યુતિ હોય તો વ્યક્તિ અતિ ધનવાન થાય છે. પૂર્વનું રોકાણ અટકેલું હોય તો દર મંગળવારના દિવસે હનુમાનજીને સરસવના તેલનો દીવો કરવો જોઈએ.

1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?

વૃષભ (બ.વ.ઉ.) –

આ રાશિના સ્વામી શુક્ર છે. શુક્ર ચંચળ ગ્રહ છે તથા ચંદ્રમા આ રાશિમાં ઉચ્ચનો હોય છે. આ લોકોને અનાજ, કપડાં, ચાંદી, ચોખા, સૌંદર્ય સામગ્રી, અત્તર, દૂધ તથા દૂધથી બનેલી બનાવટો, પ્લાસ્ટિક, ખાદ્ય તેલ, ઓટો પાર્ટસ તથા રત્નોમાં રોકાણ કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. જમીનસ ખનિજ, કોલસો, સત્ન, સોના, ચાંદી, સ્ટીલ, શિક્ષણ સંસ્થા, ચામડું, લાકડું, વાહન, આધુનિક યંત્ર, ઔષધિઓ, વદેશી દવાઓ વગેરેમાં રોકાણથી બચવું જોઈએ. જુનું રોકાણ અટક્યું હોય તો પૂનમના દિવસે ચંદ્ર ગ્રહના નિમિત્તે ઘીનો દીવો કરવો.

પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!

મિથુન (ક.છ.ઘ.) –

આ રાશિના સ્વામી બુધ છે. બુધ ચંદ્રને પોતાનો શત્રુ માને છે. બુધ વ્યાપાર કરનાર લોકોને લાભ આપનાર ગ્રહ છે. આ રાશિના જાતકોને સોનામાં રોકાણ લાભદાયી રહે છે. આ ઉપરાંત કાગળ, લાકડું, પીતળ, ઘઉં, દાળ, કપડા, સ્ટીલ, પ્લાસ્ટીક, તેલ, સૌદર્ય સામગ્રી, સીમેન્ટ, ખનિજ પદાર્થ, પશુ, પૂજન સામગ્રી, વાદ્યયંત્ર વગેરોનો વેપાર કે આ ચીજોથી સંબંધિત રોકાણ લાભ આપનાર છે. ચાંદી, સાકર, ચોખા, સુકો મેવો, કાંસા, લોખંડ, ઈલેક્ટ્રોનિક્સ, જમીન, સીમેન્ટ, અત્તર, કેબલ તાર, વાહન, દવાઓ, પાણીથી સંબંધિત પદાર્થોમાં રોકાણ કરવાતી બચવાનો પ્રયત્ન કરો. જુના રોકાણમાં પૈસા અટકેલા હોય તો સફેદ વસ્ત્રનું દાન કરો.

દરેક યુવતીઓની જન્મતિથિ થી જાણો તેમના વ્યક્તિત્વના રહસ્યો , હોય છે આવી ખાસ વાત..!!

કર્ક (હ.ડ.) –

કર્ક રાશિના સ્વામી સ્વયં ચંદ્રમા છે. આ રાશિના લોકો વ્યવસાયની સાથે નોકરીમાં પણ સફળ થાય છે. આ લોકોને ચાંદી, ચોખા, સાકર તથા કપડા ઉત્પાદન કરનારી કંપનિઓના શેર, પ્લાસ્ટિક, અનાજ, લાકડું, તાર, ફિલ્મો, ખાદ્ય સામગ્રીઓ, આધુનિક ઉપકરણસ બાળકોના રમકડાં, ફાયનાન્સ કંપનીઓમાં રોકાણ કરવું લાભદાયી રહે છે. વર્તમાનમાં શનિની અઢી વર્ષની પનોતી ચાલતી હોવાથી શેર તથા વાયદા બજારમાં રોકાણ બિલકુલ ન કરો. જમીન, પ્લોટ, મકાન, દુકાન, તેલ, સોના, પીતળ, વાહન, દૂધથી બનેલી વસ્તુઓ, પશુ, રત્ન, ફર્ટિલાઈઝર્સ, સીમેન્ટ, ઔષધિઓ તથા વિદેશી દવા કંપનિઓમાં રોકાણ સાવધાનીથી કરવું જોઈએ. પહેલાનું રોકાણ અટકેલું હોય તો શ્રી ગણેશને ભોગ લગાવો.

જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ

સિંહ (મ.ટ.) –

આ રાશિના સ્વામી સૂર્ય ચંદ્રમાના મિત્ર છે. આ લોકો પોતાના કાર્ય કે વેપારમાં સફળ થાય છે. સામાન્ય રીતે આ લોકોને નોકરી પસંદ નથી હોતી. તેને સોના, ઘઉં, કપડા, ઔષધિઓ, રત્નો, સૌંદર્ય સામગ્રી, અત્તર, શેર તથા જમીન સંપત્તિમાં રોકાણ લાભદાયક છે. આ લોકોને ટેકનોલોજી ઉપકરણો, વાહન, સૌદર્ય સામગ્રી, ફિલ્મ્સ, પ્લાસ્ટિક, કેબલ, કાગળ, ખાદ્ય પદાર્થ વગેરેમાં લાભ રહે છે. આ રાશિના જાતકોને કોઈ પણ રોકાણ લાભ-હાનિ બરાબર થાય છે. પૂર્ણતઃ હાનિથી તે હંમેશા બચીને રહે છે. પહેલાના રોકાણ અટકેલા હોય તો હનુમાનજીને ચમેલીના તેલનો દીવો કરો.

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો

કન્યા (પ.ઠ.ણ) –

આ રાશિના સ્વામી બુધ છે. જે ચંદ્રમાથી શત્રુતા રાખે છે. આ લોકોને શિક્ષણ સંસ્થા, સોનું, ઔષધિઓ, કેમીકલ, ફર્ટિલાઈઝર્સ, ચામડાથી બનતો સામાન, ખેતી, ખેતીના ઉપકરણોથી કામ કરવામાં સફળતા પ્રાપ્ત થાય છે. આ ચીજોમાં રોકાણ પણ લાભદાયી થાય છે. જમીન, ચાંદી, સીમેન્ટ, ટ્રાંસપોર્ટ, મશીનોનો સામાન, પશુ તથા જળથી જોડાયેલ કાર્યોમાં રોકાણ કરવાથી બચવું જોઈએ. વર્તમાન સમયમાં શનિની પતોતીનું અંતિમ ચરણ ચાલતું હોવાથી શેર અને વાયદા બજારમાં સારી સલાહ પછી જ રોકાણ કરો. રોકાણમાં કોઈ પૈસા ફસાયેલા હોય તો શ્રી ગણેશજીને લાડુંનો ભોગ ચઢાવો.

પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!

તુલા (ર.ત) –

આ રાશિના સ્વામી શુક્ર છે. શનિ આ રાશિમાં ઉચ્ચનો થાય છે અને આ સમય શનિતુલામાં જ છે. આ રાશિના લોકોને લોખંડ, સીમેન્ટ, સ્ટીલ, દવાઓ, કેમીકલ, ચામડું, ફર્ટિલાઈઝર્સ, કપડાં, તાર, હોસ્પિટલ, કોલસા, રત્ન, પ્લાસ્ટિક, આધુનિક યંત્રો, તેલમાં રોકાણ કરવાથી ઉત્તમ લાભ પ્રાપ્ત થાય છે. જમીન, મકાન,ખેતી વગેરેમાં રોકાણ ન કરવું. વર્તમાન સમયમાં શનિની સાડાસાતીથી શેર તથા વાયદા બજારમાં રોકાણ ન કરો. જુનું રોકાણ ફસાયું હોય તો સૂર્યને દૂધ અર્પણ કરો.

દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!

વૃશ્ચિક (ન.ય.) –

આ રાશિના સ્વામી મંગળ છે. ચંદ્રમા આ રાશિમાં નીચના થાય છે. મેષ રાશિની જ જેમ આ રાશિ વાળાને જમીન, મકાન, દુકાન, ખેતી, સીમેન્ટ, રત્નો, ખનિજો, ખેતી તથા મેડિકલના ઉપકરણ, પૂજન સામગ્રી, કાગળ, વસ્ત્રમાં રોકાણથી લાભ થાય છે. આપની કુંડળીમાં જો ચંદ્રમા પર શનિની નજર હોય તો તેલ, કેમિકલ તથા તરલ પદાર્થોમાં રોકાણ કરવાથી બચો. વર્તમાન સમયમાં શનિની સાડાસાતી હોવાથી શેર, કેમીકલ, લોખંજ, ચામડુ, સોનું, ચાંદી, સ્ટીલ, લાકડું, સૌંદર્ય સામગ્રી, લોખંડના ઉપકરણ, તેલમાં રોકાણ બિલકુલ ન કરો. પૂર્વમાં રોકાણ અટકેલા હોય તો મંગળવારના દિવસે કોઈ ચોરા પર તેલ રાખી દો.

हर समस्या की काट है शिव-अभिषेक…કરો તમારા નામની રાશિ પ્રમાણે ખાસ નિત્ય-પૂજા…!!!

ધન (ભ.ફ.ધ.ઢ.) –

આ રાશિના સ્વામી ગુરુ ગ્રહ છે. ગુરુ વ્યાપારિઓને લાભ આપનાર ગ્રહ છે. વિશેષ કરીને સોનું તથા અનાજનો વેપાર કરવા માટે આ રાશિના લોકોને રોકાણ માટે પણ તે વસ્તુઓ પર ધ્યાન આપવું જોઈએ. આભૂષણો, રત્નો, સોનું, અનાજ, કપાસ, ચાંદી, શાકર, ચોખા, ઔષધિઓ, સૌદર્ય સામગ્રી, દૂધથી બનેલા પદાર્થ, પશુઓનો વ્યાપાર કરવો તથા તેમાં રોકાણ કરવાથી લાભ થાય છે. તેલ, કેમિકલ, ખનિજ, કોલસો, ખાદ્ય તેલ, કરિયાણા વેપાર, કેબલ તાર, શીશું, લાકડું, જમીન, મકાન, સીમેન્ટ, લોખંડના વેપાર કે તેમાં રોકાણ કરવાથી હાનિ થવાની શક્યતાઓ છે. અટકેલા રોકાણને છોડાવવા માટે સરસવના તેલનું દાન કરો.

જાણો…પતિ-પત્ની વચ્ચે થતી તુંતું-મૈંમૈંથી બચવા આ રીતે રાશિ પ્રમાણે પસંદ કરો પાર્ટનર..!!!

મકર (ખ.જ) –

આ રાશિના સ્વામી શનિ છે. શનિ ચંદ્રથી શત્રુતા રાખે છે. આ રાશિના લોકોને લોખંડ, હોસ્પિટલ, કેબલ, તેલ, ખાદ્ય સામગ્રી, ઈલેક્ટ્રોનિક્સ સામાન, યંત્ર, ખનિજ પદાર્થ, ખેતી ઉપકરણ, વાહન, ચિકિત્સાના ઉપકરણ, વસ્ત્ર, અત્તર, સ્ટીલ, સૌંદર્ય સામગ્રી, ગ્લેમર વ્લડ, ફિલ્મ્સ, નાટકમાં રોકાણથી લાભ થાય છે. જમીન, મકાન, સીમેન્ટ, સોના, ચાંદી, રત્ન, પીતળ, અનાજ, વસ્ત્ર, શેર વગેરમાં રોકાણથી બચવું જોઈએ. રોકાણ અટકાયેલું હોય તો આમલીનું દાન કરો.

પ્રેમ અને જ્યોતિષશાસ્ત્ર : નામના પહેલા અક્ષરથી જાણો તમારો કંઈ રાશિ સાથે કેવો રહેશે પ્રેમ પ્રસંગ

કુંભ (ગ.શ.સ.ષ.) –

આ રાશિના સ્વામી પણ શનિ જ છે તથા મકરની જેમ જ તેના વિશે સમજવું જોઈએ. આ રાશિના લોકોને લોખંડ, હોસ્પિટલ, કેબલ, તેલ બધા પ્રકારની ખાદ્ય સામગ્રી, ઈલેક્ટ્રોનિક્સ સામાન, યંત્ર, ખનિજ પદાર્થ, ખેતી ઉપકરણ, વાહનસ મેડિકલના ઉપકરણો, વસ્ત્ર, અત્તર, સ્ટીલ, સૌંદર્ય સામગ્રી, ગ્લેમર, ફિલ્મ, નાટકો વગેરેના રોકાણમાં લાભ થાય છે. જમીન, મકાન, સીમેન્ટ, સોનું, ચાંદી, રત્ન, પીતળ, અનાજ, વસ્ત્ર, શેર વગેરેમાં રોકાણ કરતા બચવું જોઈએ. જુનું રોકાણ અટકેલું હોય તો આદુંનું દાન કરો.

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો

મીન (દ.ચ.ઝ.થ.) –

આ રાશિના સ્વામી ગુરુ છે. ગુરુ ચંદ્રના મિત્ર છે. આ રાશિ પર વર્તમાનમાં શનિની અઢી વર્ષીય પનોતી પ્રારંભ થઈ છે. આથી કોઈ પણ પ્રકારના રોકાણથી બચવું જોઈએ. વિશેષ કરીને શેર તથા વાયદા બજારમાં. તેના રોકાણ માટે આભૂષણો, રત્નો, સોનું, અનાજ, કપાસ, ચાંદી, સાકર, ચોખા, ઔષધિઓ, સૌંદર્ય સામગ્રી, દૂધથી બનેલા પદાર્થ, પશુઓનો વ્યાપાર કરવા તથા આ ચીજોમાં રોકાણ કરવાથી લાભ થાય છે. તેલ, કેમિકલ, ખનિજ, કોલસો, ખાદ્ય તેલ, કરિયાણા વ્યાપાર, કેબલ, શીશું, લાકડી, જમીન, મકાન, સીમેન્ટ, લોખંડના વેપાર કે તેમાં રોકાણ કરવાથી હાની થવાની શક્યતાઓ બને છે. રોકાણ અટકાયેલ હોય તો દુર્ગા ચાલીસાનો પાઠ કરો.

લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

જાણો…તમારા નામમાં સામાન્ય ફેરફાર અપાવી શકે છે અપાર સફળતા, કેવી રીતે?

abcd3

ફિલ્મી સ્ટાર્સની સ્ટાઈલ, તેમની લાઈફસ્ટાઈલ, તેમના કપડા, વગેરે બધુ જ ફેન્સ માટે એક આદર્શ બની જાય છે. તેમના ફેવરિટ સ્ટાર કેવી રીતે ઊઠે-બેસે છે, પોતાના જીવનમાં શું-શું કરે છે, મોટાભાગે સામાન્ય લોકો ઉપર તેની ઊંડી અસર પડતી હોય છે. ફિલ્મી સ્ટાર આમ તો ટ્રેન્ડ સેન્ટર ન કહેવાત, તેની પાછળ સાચે જ કઠોર મહેનત અને વિચાર હોય છે. ફિલ્મી સ્ટાર્સ દ્વાર સેટ કરવામાં આવેલ ટ્રેન્ડ છે તો તે નામકરણનો રિવાજ.

તમારી જન્મતારીખ બતાવે છે કયો મહિનો છે તમારા સ્વાસ્થ્ય ઉપર ભારે? ઉપાયો કરો

નામના અક્ષરઃ-

સામાન્ય રીતે એવું જોવા મળે છે કે ફિલ્મોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે કાંતો લોકો પોતાનું નામ બદલી દે છે કે પછી નામના અક્ષરોની સાથે રમત રમીને કંઈક બીજો જ બનાવી દે છે. આજની તારીખમાં એવા અનેક લોકો છે જે સોનેરી પરદા ઉપર ખૂબ જ સફળ થયા છે અને પોતાની આ સફળતાનો શ્રેય તે પોતાની કઠોર મહેનત અને બદલાયેલા નામને આપે છે.

1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?

કિસ્મતનું બદલાવું-

શું સાચે જ નામ બદલીને સફળતા પ્રાપ્ત કરી શકાય છે કે પછી કે માત્ર કોઈ સ્ટંટ છે? તેનો જવાબ ભારતની પ્રાચીન વિદ્યા જ્યોતિષની જ એક શાખા અંક જ્યોતિષની પાસે છે. અંક જ્યોતિષ પ્રમાણે હાલ તમારું જે નામ હોય તેમાં થોડો ફેરફાર કરી કિસ્મત બદલી શકાય છે. તે સિવાય અંક જ્યોતિષના આધારે જ બાળકનું નામ રાખવામાં આવે તો તેના ભાગ્યના સિતારાઓ સફળતાની ટોચે પહોંચી જાય છે.

આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!

વ્યક્તિત્વનો અરીસોઃ-

તમે પછી ગમે એટલા લોકોને મળી લો, તમને એવો આભાસ થવા લાગશે કે તેમનું નામ તેની ઉપર ઘણું સૂટ કરે છે. એટલા કારણ કે આપણું નામ આપણા વ્યક્તિત્વનો અરીસો તો હોય જ છે, સાથે-સાથે ભવિષ્યને પણ ઘણી હદે પ્રભાવિત કરી શકે છે.

જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ

નામ જ છે આળખઃ-

તમારું નામ તમારી ઓળખ હોય છે અને બધા એવું ઈચ્છે છે કે તેમનું નામ આખી દુનિયામાં સન્માનની સાથે લેવામાં આવે. દરેકની એવી મહત્વાકાંક્ષા હોય છે કે પોતાનું નામ આસમાનની ઊંચાઈઓ ઉપર પહોંચે. અભિવાચક પણ એવું વિચાર કરીને પોતાના બાળકોના નામ રાખે છે કે જે ચોક્કસ રૂપે આગળ ચાલીને તેની માટે ફાયદાકરાક કે નુકસાનદાયી સાબિત થાય છે.

હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ

ભાગ્યની સમસ્યાઃ-

જ્યારે પણ કોઈ વ્યક્તિને લાગે છે કે તેનો ભાગ્યોદય નથી થઈ રહ્યો અને તેની માટે તે પોતાના નામને દોષિત માનવા લાગે છે તે એવું ઈચ્છે છે કે તેનું આખું નામ જ બદલી દેવામાં આવે પરંતુ અંક જ્યોતિષ પ્રમાણે હાલના નામમાં થોડો ફેરફાર કરીને પણ આ સમસ્યાનું નિદાન શક્ય છે.

જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

ખોટી ધારણાઃ-

જન્મના સમયે હાજર નક્ષત્રો અને ગ્રહોની સ્થિતિના આધારે બનાવવામાં આવેલ કુંડળી પ્રમાણે નામકરણ હોવું જોઈએ. પરંતુ કેટલાક લોકો તેનાથી ઉલટું વિચારે છે. તેમનું માનવું હોય છે કે ક્યારેય પણ રાશિ પ્રમાણે નામ ન હોવું જોઈએ કારણ કે આપણું ખરાબ ઈચ્છનારા લોકો આપણી રાશિને જાણીને, ગ્રહો-નક્ષત્રોની ગતિનું અનુમાન લગાવીને આપણી ઉપર જાદુ-ટોણા કરી શકે છે. જ્યારે આ ધારણા એકદમ ખોટી નથી.

कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

કુંડળીઃ-

એ સાચુ છે કે જો આપણે પોતાની કુંડળીના શુભ પ્રભાવને પોતાના સુધી પહોંચાડવા માગતા હો તો પોતાની રાશિ પ્રમાણે જ નામ રાખવું જોઈએ.

પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!

જ્યોતિષઃ-

હા ક્યારેક-ક્યારેક એવું થાય છે કે નક્ષત્રો પ્રમાણે જે નામના અક્ષરો કાઢ્યા હોય તેની ઉપર કોઈ જ નામ પસંદ ન આવે. એવી સ્થિતિમાં આપણે મિત્ર રાશિ પ્રમાણે નામ રાખવું જોઈએ. આમેય જ્યોતિષમાં નામનો પહેલો અક્ષર જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

વૈજ્ઞાનિક છે અંકશાસ્ત્રઃ-

અંક શાસ્ત્ર પૂરી રીતે વૈજ્ઞાનિક શાસ્ત્ર છે, જેનાથી જન્મ તારીખની પાછળ કામ કરનાર વાઈબ્રેશન આધાર આપે છે. અંકશાસ્ત્રમાં મૂળાંક અને ભાગ્યાંકનું વિશેષ મહત્વ જોઈ શકાય છે. જો નામનું આ બંને અંકોની સાથે સંબંધ સ્થાપિત થાય તો જ વ્યક્તિને શુભ ફળ પ્રાપ્ત થાય છે નહીંતર નામ પૂરી રીતે ફળ વિહિન સાબિત થાય છે.

અંકશાસ્ત્ર: તમારા લક્કી અંકના આધારે જાણો તમારા જીવનના શુભ-અશુભ પાસાઓ વિશે…!!!

તમારી જાણકારી માટે બતાવીએ તો નામમાં ત્રણ પ્રકારના અંક વિદ્યમાન હોય છે. પહોલો નામાક્ષર, બીજો નામાંક અર્થાત્ નામના યોગનો અંક અને ત્રીજો પૂર્ણ નામાંક અર્થાત્ તમારા નામની પૂરી જોડ.

સારું પરિણામઃ-

નામને પસંદ કરીને નામાંક સુધી પહોંચીને આપણે એ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે તમારા નામાંક, તમારા મૂળાંક અને ભાગ્યાંકના મિત્ર હોય, નહીંતર તમે સારું પરિણામ પ્રાપ્ત નહીં કરી શકો.

લોશૂ ગ્રિડઃ-

હવે વાત આવે છે નામ બદલીને કે નામમાં સામાન્ય ફેરફાર કરવાની જેથી તમારું નામ તમને શૂટ(બંધબેસતું) કરે. જો તમે પણ હાલના નામથી સંતુષ્ટ ન હો અને તેમાં કેટલાક પરિવર્તન ઈચ્છતા હો તો લોશૂ ગ્રિડના અધ્યયન વગર શક્ય નથી.

જાણી સાવચેત રહો….આગ, રોડ એક્સિડેન્ટ, જળ, કોઈપણ દુર્ઘટનાથી બચવા જીવો ભાગ્યાંક પ્રમાણે…!!

નામની સ્પેલિંગઃ-

લોશૂ ગ્રિડ પ્રમાણે તમારી જન્મ તારીખમાં જે પણ અંક વિલુપ્ત છે તેનો ઉપયોગ તમારા નામના સ્પેલિંગમાં ઉપયોગ કરવામાં આવે. જો એ અંક વિલુપ્ત છે તો અંક તમારો ભાગ્યાંક છે તો તેને નામાંક પણ બનાવી શકાય છે.

ખાલી સ્થાનઃ-

ઉપરોક્ત વિશ્લેષણના આધારે એવું કહી શકાય છે કે સર્વપ્રથમ તો નામના પહેલા અક્ષરે પોતાની રાશિના આધારે જ પસંદગી કરો. ત્યાર પછી નામાંક અને પૂર્ણ નામાંકને પોતાના મૂળાંક અને ભાગ્યાંક ઉપર સુનિશ્ચિત કરો. પરંતુ નામાંક અને પૂર્ણ નામાંક એવી રીતે પસંદ કરો જેનાથી લોશૂ ગ્રિડના ખાલી સ્થાન ભરાઈ શકે. જેથી આપણા વ્યક્તિત્વમાં જે પણ ખોટ છે તેનું નિદાન શક્ય બની શકે.

અંકશાસ્ત્ર: તમારા લક્કી અંકના આધારે જાણો તમારા જીવનના શુભ-અશુભ પાસાઓ વિશે…!!!

મૂળાંક, ભાગ્યાંક અને નામાંક દુશ્મન અંકો હશે તો સફળતા નહીં મળેઃ-

આપણા જીવનમાં નામનું ઘણું મહત્વ હોય છે નામથી જ આપણી ઓળક હોય છે. નામ રાકવાની રીત આપણે ત્યાં સંસ્કારનો દરજ્જો આપવામાં આવ્યો છે. જાતકમાં જન્મ નક્ષત્રના આધારે નામ રાખવાનું ચલણ છે. ક્યારેક-ક્યારેક એ પણ જોવામાં આવ્યું છે કે કોઈ જાતકનું નામ ઘણું સારું હોય પરંતુ એવું પણ જોવામાં આવ્યું છે સફળતા તેમના હાથમાં આવતી નથી. એવી વખતે અંક જ્યોતિષ દ્વારા તેમના નામમાં થોડા ફેરફાર કે પરિવર્તન કરીને ઉપયોગમાં કરવાથી અનેક ગણો લાભ પ્રાપ્ત કરી શકાય છે. આમ તો નામના અંકો(નામાંકો)ને ઘડાટીને કે વધારીને લખવાથી યોગ્ય અને ઉપયુક્ત નામ રાખી શકાય છે. પરંતુ આ વિધિથી નામ રાખવાથી પણ વધુ લાભ નથી મળતો કારણ કે મૂળાંક અને ભાગ્યાંકનો નામાંક સાથે મેળ નથી થતો હતો.

તમારી જન્મતારીખ બતાવે છે કયો મહિનો છે તમારા સ્વાસ્થ્ય ઉપર ભારે? ઉપાયો કરો

જો કોઈ જાતકના નામાંકનો ગ્રહ તેના મૂળાંક, ભાગ્યાંકનો દુશ્મન હોય તો તેમને નામ બદલવું જોઈએ. નામની આગળ અથવા પાછળ કેટલાક અક્ષરોને જોડીને કે ઘટાડીને નામાંકને તેના ભાગ્યાંક/મૂળાંકની સાથે સમાયોજિત કરી લાભકારી બનાવી શકાય છે. સ્પષ્ટ છે કે કેટલાક ચોક્કસ અંકના કેટલા અંક મિત્ર અને શત્રુ હોય છે. જો નામાંક, ભાગ્યાંક અને મૂળાંકનો શત્રુ અંક હશે તો સફળતા નહીં મળે એટલા માટે નામાંકનો મૂળાંક અને ભાગ્યાંકનું સમાયોજન જરૂરી છે.

દરેક યુવતીઓની જન્મતિથિ થી જાણો તેમના વ્યક્તિત્વના રહસ્યો , હોય છે આવી ખાસ વાત..!!

મૂળાંક, ભાગ્યાંક અને નામાંકનું સંયોજનઃ-

મૂળાંક- કોઈપણ જાતકની જન્મતિથીનો યોગ મૂળાંક કહેવામાં આવે છે જેમાં કે 14, 5, 23 તારીખે જન્મેલા જાતકનો મૂળાંક 5 કહેવાશે.

ભાગ્યાંકઃ- જન્મ તારીખ, મહિનો અને વર્ષનો સરવાળો જે આવે તેને ભાગ્યાંક કહેવામાં આવે છે. જેમ કે 01 જાન્યુઆરી 1982 નો ભાગ્યાંક 1+1+1+9+8+2=22 =4 થશે.

નામાંકઃ શુભ નામના પસંદગી માટેના ઉદાહરણઃ- જો કોઈ જાતકનું નામ Mahendra Singh અને તેની જન્મ તારીખ 11/01/1980 છે. તો આ જાતકનો મૂળાંક = 11 = 1+1 = 2 છે. જાતકનો ભાગ્યાંક = 11/01/1908 = 1+1+1+1+9+8+0 = 21 = 3 આવશે. જાતકનો નામાંક M A H E N D R A S I N G H 4 1 5 5 5 4 2 1 + 3 1 5 3 5 = 27 + 17 = 44 = 8 આથી જાતકનો સંબંધ 2, 3 અને 8 અંક સાથે છે જો કે નામાંક (8) 2 અને 3 નો મિત્ર અંક નથી એટલા માટે નામમાં કેટલાક ફેરફાર કરવા પડશે.(કાળકે નામાંક અને ભાગ્યાંક તો કોઈ દિવસ બદલી જ નહીં શકાય) જો જાતક પોતાનું નામ Mahendra કરી લે જેનાથી નામાંક 27 =9 થઈ જશે તો તેને લાભ થવા લાગશે કારણ કે અંક 9 મૂળાંક અને ભાગ્યાંક બંને મિત્ર છે જેનાતી તેને દરેક કામમાં આસાનીથી અપેક્ષિત લાભ પ્રાપ્ત થવા લાગશે.

આગળ જાણો અંક જ્યોતિષ પ્રમાણે મિત્ર અને દુશ્મન અંકો…જેના દ્વારા તમે નક્કી કરી શકશો કે તમારા નામાંક પ્રમાણે કયો અંક હોઈ શકે છે લકી…

(ઉપર આપેલ તસવીરના આધારે M A H E N D R A S I N G H 4 1 5 5 5 4 2 1 + 3 1 5 3 5 = 27 + 17 = 44 = 8 આલ્ફાબેટ પ્રમાણે અંકનો સરવાળો કરવાનો હોય છે અને અંતે જે અંક પ્રાપ્ત થાય તેને નામાંક ગણાશે)

1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?

અંક જ્યોતિષ મુજબ મિત્ર – દુશ્મન અંકો-
મિત્ર – દુશ્મન
અંક 1 ના 9, 6 * 5, 6
અંક 2 ના 7, 9 * 5, 8
અંક 3 ના 6, 9 * 4, 8
અંક 4 ના 1, 8 * 3, 5
અંક 5 ના 3,9 * 2, 4
અંક 6 ના 3, 9 * 1, 8
અંક 7 ના 2, 6 * 1, 9
અંક 8 ના 1, 4 * 3, 6
અંક 9 ના 3, 6 * 1, 7

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

દરેક યુવતીઓની જન્મતિથિ થી જાણો તેમના વ્યક્તિત્વના રહસ્યો , હોય છે આવી ખાસ વાત..!!
જૂન મહિનામાં જન્મ્યાં હો તો આવું જ હશે છે તમારું વ્યક્તિત્વ +ગુપ્ત વાતો!
1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?
આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!
જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!

ભારતનું સ્વમાન, ગૌરવ, અદ્વિતિય પ્રેરણાસ્તોત્રના સ્વામી, એકમેવઃ સામાન્ય બાળકમાંથી કલામ બનવાની સફર..!!!

apjaka

“સ્વપ્ન એ નથી જે તમે ઊંઘમાં જુઓ છો, સ્વપ્ન એ છે જે તમારી ઊંઘ ઉડાડી મૂકે.”
“રાહ જોનારાઓને માત્ર એટલું જ મળે છે જે પ્રયાસ કરનારાઓ છોડી દે છે.”
“જીવનમાં અવરોધો આપણને પાયમાલ કરવા માટે નથી આવતા પણ આપણા છુપાયેલા સામર્થ્ય અને શક્તિઓને બહાર કાઢવામાં આપણી મદદ કરવા માટે આવે છે. મુશ્કેલીઓને બતાવી દો કે તમે તેના કરતાં પણ વધુ મજબૂત છો.”
“દેશનું સૌથી સર્વ શ્રેષ્ઠ મગજ, હંમેશાં ક્લાસરૂમની છેલ્લી પાટલી પર જ મળી શકે છે.”

પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનું 83 વર્ષની વયે આજે સાંજે શિંલોગ ખાતે નિધન થયું છે. આઇઆઇએમમાં લેક્ચર આપતી વખતે તેમની હૃદયરોગનો હુમલો થતાં બેભાન થઇ ગયા હતા, તેમને શિલોંગની બેથની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સાંજે 7.45 વાગ્યે તેમના નિધનની જાહેરાત કરવામાં આવ્યા.

એક સામાન્ય બાળકમાંથી કલામ બનવાની સફર કંઈ સહેલી નહોતી. પણ તેમના જીવનનો મૂળમંત્ર હંમેશાએ હતો કે ક્યારેય નાના સપના દેખવા નહીં. તેમણે જે પણ જવાબદારી લીધી તેને નવી પરિભાષા આપી હતી અને તેથી જ તેઓ ‘આમ આદમી’ના રાષ્ટ્રપતિ હોવા છતાં પણ હંમેશા ‘ખાસ’ રહ્યા હતા

‘તેમના અચાનક નિધનથી ખૂબ જ દુખી છું. તેઓ એક આખી પેઢી માટે પ્રેરણાસ્રોત હતા.’ – રાજનાથ સિંહ

‘આ સાંભળીને ખૂબ જ દુખ થયું કે ડૉ. એપીજે અબ્દુલ કલામનું નિધન થઈ ગયું. દેશે એક અસલી ભારત રત્ન ગુમાવ્યો છે.’- અરવિંદ કેજરીવાલ

‘ડૉ. અબ્દુલ કલામ સામાન્ય જનતાના રાષ્ટ્રપતિ હતા. આ મહાન આત્માને મારી શ્રદ્ધાંજલિ.’- સુષ્મા સ્વરાજ

ગુરદાસપુરના ત્રાસવાદી હુમલાનું સાંભળીને દુ:ખ થયું અને હવે ડૉ. કલામનું નિધન દુ:ખદ સમાચાર છે. અલ્લાહ બધાની આત્માને શાંતી અર્પે.- શાહરૂખ ખાન, અભિનેતા

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન ડૉ. એપીજે અબ્દુલ કલામનું નિધન મારા માટે વ્યક્તિગત રૂપે ઘણું મોટું નુકસાન છે.- પ્રણવ મુખરજી, રાષ્ટ્રપતિ

અનેક લોકો માટે રોલ મોડેલ, એક દૂરંદેશી નેતા અને એવા વ્યક્તિ જેમનામાં અદમ્ય સાહસ હતું. એપીજે અબ્દુલ કલામ સરને શ્રદ્ધાંજલિ.- વિરાટ કોહલી, ક્રિકેટર

ડૉ. એપીજે અબ્દુલ કલામ એક ઉત્કૃષ્ટ જીવન જીવ્યા. સર્વોચ્ચ પદ પર હોવા છતાં બધા માટે

તે સરળતાથી ઉપલબ્ધ હતા.- શ્રી શ્રી રવિશંકર, આર્ટ ઓફ લિવિંગ

પિતા હોડી ભાડે આપતા હતા

1931ની 15 ઓક્ટોબરે તમિલનાડુના રામેશ્વર જિલ્લાના ધનુષકોડિ ગામે જન્મેલા પિતા જૈનુલાબ્દીન વધારે ભણેલાગણેલા નહોતા. તેમના પિતા માછીમારોને હોડી ભાડે આપવાનું કામ કરતા હતા.

અખબારો વેચીને અભ્યાસ

પરિવારની આર્થિક સ્થિતિ કથળેલી રહેતી હતી. તેથી પ્રાથમિક શિક્ષણ ચાલુ રાખવા માટે કલામ અખબારો વેચવાનું કામ કરતા હતા. 1958માં મદ્રાસ ઇન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલોજીમાંથી તેમણે સ્પેસ સાયન્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.

પિતા પાસેથી ભણ્યા જીવનના પાઠ

હું ઘણો નાનો હતો. પિતાને અમૂલ્ય પાઠ જીવનમાં ઉતારતા જોયા ત્યારે હું માત્ર છ વર્ષનો હતો. તેમણે યાત્રાળુઓને રામેશ્વરમથી ધનુષકોડિ લઈ જવા માટે અને ત્યાંથી પરત લાવવા માટે એક હોડી બનાવવાનું નક્કી કર્યું હતું. લાકડાની હોડીને સમુદ્રકાંઠે તૈયાર થતા મેં જોઈ હતી. હોડીને તૈયાર થતા દેખવી મઝાનું કામ હતું. હોડી તૈયાર થઈ ગઈ એ પછી પિતાએ ઉત્સાહપૂર્વક ધંધો શરૂ કર્યો હતો.

આ કારણે કહેવાયા મિસાઈલ મેન

ડૉક્ટર કલામે સ્વદેશી લક્ષ્ય ભેદીને ડિઝાઈન કર્યું હતું. તેમણે અગ્નિ અને પૃથ્વી જેવી મિસાઈલો બનાવી છે. તે સંપૂર્ણ રીતે સ્વદેશી ટેકનોલોજીથી બની હતી. તેથી તેઓ મિસાઈલ મેન તરીકે ઓળખાયા.

દેશના સર્વોચ્ચ પદ પર

ડૉક્ટર અબ્દુલ કલામ ભારતના 11મા રાષ્ટ્રપતિ પસંદ થયા હતા. તેમને એનડીએએ પોતાના ઉમેદવાર બનાવ્યા હતા, જેમનું ડાબેરીઓ સિવાય બધા જ પક્ષોએ સમર્થન કર્યું હતું. 18 જુલાઈ 2002ના રોજ તેઓ 90 ટકા બહુમતી સાથે ‘ભારતના રાષ્ટ્રપતિ’ તરીકે ચૂંટાયા હતા.

ભારતને આપી ‘પરમાણુ’ શક્તિ

પોખરણમાં બીજી વખત પરમાણુ વિસ્ફોટ પરમાણુ ઊર્જા સાથે મળીને કર્યો. આ રીતે ભારત વિશ્વના પસંદગીના એવા દેશો સાથે જોડાયો જેમની પાસે પરમાણુ તાકત છે. ડૉક્ટરકલામે ભારતના વિકાસ સ્તરને 2020 સુધી વિજ્ઞાનના ક્ષેત્રમાં અત્યાધુનિક માટે એક વિશિષ્ટ

‘હમ હોંગે કામયાબ’

જાહેર જીવનમાં ભ્રષ્ટાચાર નાબૂદી માટે એક વ્યાપક આંદોલનની આવશ્યક્તા છે. આ આંદોલન તેમના ઘર અને સ્કૂલથી જ શરૂ કરવું પડશે. ભ્રષ્ટાચાર નાબૂદી માટે મારી દૃષ્ટિએ માત્ર ત્રણ પ્રકારા લોકો જ સહાયક સાબિત થઈ શકે છે – એ છે – માતા, પિતા અને પ્રાથમિક શાળાના શિક્ષક. જો આ ત્રણે બાળકોને સત્ય અને ઈમાનદારીનો પાઠ ભણાવે તો ત્યાર બાદ જીવનમાં કદાચ જ કોઈ તેમને ડગમગાવી શકે.

ગરીબ પરિવારમાં ઉછેર થયો

બીજા વિશ્વયુદ્ધ વખતે અમારા પરિવારે દારુણ ગરીબીના દિવસો જોયા હતા. એ વખતે હું દસ વર્ષનો હતો. જીવનજરૂરી ચીજવસ્તુઓની ભારે અછત રહેતી હતી. અમારો પરિવાર વિશાળ સંયુક્ત પરિવાર હતો જેમાં પિતાજી અને કાકાનો પરિવાર પણ સામેલ હતો. એક દિવસ અમે બધા જ ભાઈ-બહેનો સાથે મળીને જમી રહ્યા હતા અને માં અને રોટલી પરસી રહી હતી. મેં જમી લીધું એ પછી મોટાભાઈએ મને એકબાજુ બોલાવીને ધમકાવ્યો હતો.

દેશને અગ્રેસર બનાવવાનું સપનું જોયું

તેમણે પોતાના પુસ્તક ‘ઇન્ડિયા 2020’માં પોતાનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ કર્યો હતો. તેઓ અવકાશ વિજ્ઞાનમાં ભારતને વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ બનાવવા માગતા હતા. આ માટે તેમની પાસે એક કાર્યયોજના પણ હતી. પરમાણુ શસ્ત્રોના ક્ષેત્રમાં તેઓ ભારતને સુપર પાવર બનાવવાનું વિચારી રહ્યા હતા. તેઓ વિજ્ઞાનના અન્ય ક્ષેત્રોમાં પણ ટેકનોલોજીનો વિકાસ થાય એમ ઈચ્છતા હતા. ડૉક્ટર કલામનું કહેવું હતું કે, ‘સૉફ્ટવેરનું ક્ષેત્ર તમામ અવરોધોથી મુક્ત હોવું જોઈએ જેથી વધુને વધુ લોકો તેનો લાભ લઈ શકે.’

ઉપગ્રહ પ્રક્ષેપણમાં મહત્વની ભૂમિકા

1962માં તે ઈસરોમાં આવ્યા, જ્યાં તેમણે અનેક ઉપગ્રહ પ્રક્ષેપણ યોજનાઓમાં મહત્વની ભૂમિકા ભજવી. આયોજન નિર્દેશક સ્વરૂપે ભારતનો પહેલો સ્વદેશી એસએલવી-3 બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

યોગનો અકલ્પનિય ચમત્કારઃ 900 વર્ષ સુધી જીવિત રહ્યા હતા આ ‘મહાયોગી દેવરહા બાબા’…!!!
જાણો…ચાણક્ય નીતિઃ પારિવારિક, સામાજીક, રાજકીય ક્ષેત્રમાં અકલ્પનિય સફળતા મેળવવાની ચમત્કારીક જડીબુટ્ટી…!!!
પરાજયે મને ખૂબ શીખવ્યું પછી હું ‘ગોલ્ડન ગર્લ’ બની (કભી કભી)
કલીયુગમાં દરેક ક્ષેત્રમાં સફળતા,સુખ અને વિજય પ્રાપ્ત કરવા, પરિવાર અને જીવનમાં ઉતારો આચાર્ય ચાણક્યની આ સુવર્ણ નીતિઓ
VIDEO: શિકાગોમાં પ્રથમ વ્યાખ્યાનમાં ખરેખર વિવેકાનંદ શું બોલ્યા હતા..?
ऐ पी जे अब्दुल कलाम के 64 अनमोल विचार (64 QUOTES OF A P J ABDUL KALAM IN HINDI)
प्लेटो के 100 अनमोल विचार और कथन (100 QUOTES AND THOUGHTS OF PLATO IN HINDI)
नेपोलियन बोनापार्ट के 59 अनमोल विचार और कथन (NAPOLEON BONAPARTE 59 QUOTES AND THOUGHTS IN HINDI)
विल्मा रुडोल्फ – बेहद गरीब परिवार और अपंगता से ओलम्पिक गोल्ड मैडल तक
फौलादी हौसलें कि कहानी – बिना हाथ पैरों के फतह कर ली 14 हजार फीट से अधिक ऊंची चोटी

સાવધાન: ઈંડા વિષેની નક્કર સંખ્યાબંધ હાનિકારક હકીકતો અને વૈજ્ઞાનિક સત્યો જાણી લો…!!

No egg1

ઈંડા વિષેની આ નક્કર હકીકતો જાણી લો…
ઈંડા શક્તિ આપે છે એ માન્યતા ભૂલ ભરેલી છે કારણ કે ઈંડા કરતાં દૂધ વધુ શક્તિ આપે છે અને એ સસ્તું પણ પડે છે
ઈંડા ખાવાથી નસો કમજોર થઈ જાય છે
ઈંડાના કારણે કબજિયાત, ઢીંચણમાં દર્દ જેવી બિમારીઓ થાય છે
ઈંડાના કારણે કોઢ અને કેન્સર પણ થઈ શકે છે

૧. ઈંડામાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધુ હોય છે. ખાસ કરીને ઈંડાના પીળા જર્દામાં અધિકતમ માત્રામાં કોલેસ્ટરોલ રહેલું છે. કોલેસ્ટરોલ ધમનીઓને સાંકડી બનાવી લકવો કે હૃદય રોગ જેવી બિમારીઓ નોંતરે છે.

૨. વધારાનું કોલેસ્ટરોલ ચામડીના સ્નાયુઓ અને રક્તવાહિનીઓમાં જમા થાય છે. જેનાથી ઈંડા ખાવાવાળાઓને જેન્થોના નામનો ભયંકર રોગ થઈ શકે છે.

૩. શરીરમાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધી જાય તો ‘હાઈપર કોલેસ્ટેરોલિમિયા’ થઈ શકે છે. જે વ્યાધિ આગળ ઉપર બ્લડ-પ્રેશરનું રૃપ ધારણ કરે છે. બાળકોને માટે ઈંડા એટલે જ બીલકુલ અનુકૂળ આહાર નથી.

૪. ઈંડામાં સોડિયમ સોલ્ટનું પ્રમાણ વધારે હોવાથી પ્રત્યેક ઈંડા મારફત અર્ધો ચમચો વધારાનું મીઠું શરીરમાં જાય છે. બ્લડપ્રેશરના દર્દીઓ માટે તો ઈંડા વિષની ગરજ સારે છે. યાદ રાખો ઈંડાના સફેદ ભાગમાં મીઠું અને પીળા ભાગમાં કોલેસ્ટરોલ છે. જે બંને સ્વાસ્થ્ય માટે સરખા જ હાનિકારક છે.

૫. ઈંડામાં કાર્બોહાઈડ્રેટ બિલકુલ ન હોવાને કારણે કબજિયાત, ઢીંચણમાં દર્દ જેવી બિમારીઓ થઈ શકે છે.

૬. પોલ્ટ્રી ફાર્મની મરઘીઓને જાત-જાતની ઘાતક દવાઓ આપવામાં આવે છે. જેનો સારો એવો ભાગ ઈંડાના માધ્યમથી ખાનારના પેટમાં જાય છે. ઈંડામાં ડી.ડી.ટી. જેવા ઝેર પણ મળી આવ્યા છે. જેની કુઅસરથી ઈંડા લેનાર બચી શકતો નથી. (કૂકડીનું માંસ ખાનારા પણ ભયંકર રોગમાં સપડાય છે.)

૭. ઈંડામાં સાલ્મોનેલા (બેક્ટેરિયા) ઉપરાંત એક નવું માઈક્રોબ (કેમ્પીલોબૈક્ટ) પણ મળી આવે છે. જે આંતરડામાં ભયંકર રોગ ઊભો કરે છે.

૮. ઈંડા ખાવાથી માત્ર શારીરિક નહિં, પરંતુ બૌદ્ધિક અને સંવેદનાત્મક વિકાસને પણ માઠી અસર પહોંચે છે. બાલ્યાવસ્થામાં અપાતા ઈંડાના આહારનું કુપરિણામ યુવાની અથવા વૃદ્ધાવસ્થામાં જોવા મળે છે.

૯. ઈંડા કફને વધારે છે. જે શરીરના પોષક તત્ત્વોમાં અસંતુલન ઊભું કરે છે.

૧૦. ઈંડામાં ૧૩.૩ ટકા પ્રોટીન હોય છે, જ્યારે તેની તુલનાએ ચણામાં ૨૪ ટકા, મગફળીમાં ૩૧.૫ ટકા તથા સોયાબીનમાં ૪૩.૨ ટકા પ્રોટીન હોય છે.

૧૧. ગર્ભવતી મહિલા ઈંડાનો આહાર લે તો બાળક માથા પર વાળ વગરનું જન્મે છે અને તેની પ્રજનન શક્તિ કમજોર થઈ જાય છે.

૧૨. ૫૦ ગ્રામ વજનના ઈંડામાંથી ૮૩.૫ કેલરી પ્રાપ્ત થાય છે. જ્યારે આટલા જ ઘઉંના લોટમાંથી ૧૭૬.૫ કેલરી મળી રહે છે.

૧૩. એક સર્વેક્ષણમાં જણાવ્યા અનુસાર આજના પોલ્ટ્રી ફાર્મોમાં લગભગ ૧૦૦૦થી વધારે ઔષધો અને તેટલા જ પ્રમાણમાં રસાયણો ઉપયોગમાં લેવાય છે. આ તમામ ઝેર એક અથવા બીજા સ્વરૃપે ઇંડા લેનારના શરીરમાં પ્રવેશી તેને અસંખ્ય રોગોનું સંગ્રહસ્થાન બનાવી દે છે.

૧૪. એક ઈંડાની સરખામણીએ લીલી ભાજીમાં વિટામીન ‘એ’નું પ્રમાણ ઘણું વધારે હોય છે. વળી તે ઇંડા કરતાં ૨૫ ગણી સસ્તી પડે છે.

૧૫. ઈંડામાં ‘સાલ્મોનેલા એન્ટરાઈડીસ ફેજ ટાઈપ-૪’ (પી.ટી.-૪) નામના બેક્ટેરિયા હોય છે. પીટી-૪નો સંબંધ બેકરી, ફેક્ટરી અથવા પોલ્ટ્રી ઈંડા સાથે હોય છે. ૧૯૮૮માં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આજ બેક્ટેરિયાને કારણે ૧૬૦૦થી વધારે લોકોએ પ્રાણ ગુમાવ્યા હતા. બ્રિટિશ સરકારે ૪૦ કરોડ ઈંડા તથા ૪૦ લાખ મરઘીઓનો નાશ કરાવ્યો હતો.

૧૬. ભારતીય ધર્મ તથા સંસ્કૃતિ ઈંડાના આહારની તરફેણ કરતી નથી. અથર્વવેદ (૮-૬-૧૨)માં સ્પષ્ટ જણાવાયું છે કે ”ઈંડા અને માંસ ખાનારા દુષ્ટોનો હું વિનાશ કરું છું.”

૧૭. ”શાકાહારી ઈંડા” એ પ્રથમ પંક્તિનું જુઠ્ઠાણું અને એક ભરમાવનાર વિશેષણ માત્ર છે. સેવાયેલા ઈંડા પાછળ જે ઉદ્દેશ હોય છે, તેવો કોઈ જીવંત ઉદ્દેશ નહીં સેવાયેલા ઈંડા પાછળ ન હોવાથી તેને પુરેપુરા અખાદ્ય ગણવા જોઈએ. બેકરી તથા ફેક્ટરી ઈંડા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને તેના ઉપયોગથી બચવું જોઈએ.

૧૮. ધાણા તથા ઈંડાની સરખામણી કરીને બંનેમાંથી કઈ વસ્તુ શ્રેષ્ઠ છે તે નક્કી કરીએ. ૧૦૦ ગ્રામ વજનના બે ઇંડામાં ૧૩.૩ ગ્રામ પ્રોટિન, ૧૩.૩ ગ્રામ ચરબી, ૧.૦૦ ગ્રામ ખનિજ તત્ત્વ, ૦.૦૬ ગ્રામ કેલ્શિયમ, શૂન્ય કાર્બોહાઈડ્રેટ, ૦.૨૨ ફોસ્ફરસ, ૨.૧ ગ્રામ લોહતત્ત્વ હોય છે અને તેમાંથી ૧૩૭ કેલરી મળે છે. જ્યારે ૧૦૦ ગ્રામ ધાણામાં ૧૪.૧ ગ્રામ પ્રોટિન, ૧૬.૧ ગ્રામ ચરબી, ૪.૪ ગ્રામ ખનિજ તત્ત્વ, ૦.૬૩ ગ્રામ કેલ્શિયમ, ૨૧.૬ ગ્રામ કાર્બોહાઈડ્રેટ, ૦.૩૭ ગ્રામ ફોસ્ફરસ, ૧૭.૯ ગ્રામ લોહતત્ત્વ હોય છે અને તેમાંથી ૨૮૮ કેલરી પ્રાપ્ત થાય છે.

૧૯. ઈંડા ખાવાથી મોટા આંતરડામાં કેન્સર થઈ શકે છે. યાદ રહે, ઈંડામાં પાચક રેસાઓ નથી આ બાબત સ્વાસ્થ્યને હાનિકારક નીવડી શકે છે.

૨૦. મુંબઈ સ્થિત હાફકીન ઈન્સ્ટિટયુટના નિષ્કર્ષ અનુસાર આહારના સ્વરૃપમાં ઈંડા હાનિકારક છે. તે શરીરમાં હાઈપર એસિડિટી ઊભી કરે છે. બાળકોને ઈંડા આપવા જોખમકારક છે.

૨૧. ઈંડા ખાવાથી ગાંઠિયો-વા (રૃમોટાઈડ), ગાઉટ (ઢીંચણમાં પાણી જામવું) જેવી વાતજન્ય બિમારીઓ થાય છે. ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં આ બિમારીઓ ખતરનાક અને કષ્ટદાયક નિવડે છે.

૨૨. મનુષ્ય સ્વભાવે મનથી વિચરે છે, પેટથી નહીં. વિભિન્ન અભ્યાસોથી જણાયું છે કે ઇંડા લેનારાઓના મગજમાં તાનાશાહી, ગુંડાગર્દી, અભદ્રતા વગેરે ભાવો સહજ થઈ જાય છે. ઈંડાથી મગજને કોઈ ખોરાક મળતો નથી. દંગલો, ખૂનામરકી, ટંટાફિસાદ વગેરે ઈંડા જેવા બિનશાકાહારી ખોરાજના જ દુઃખદ પરિણામો છે.

૨૩. ઈંડા ઘણીવાર પાશવી વૃત્તિ (એનીમલ હાયપર સેન્સિટિવીટી) જન્માવે છે. પરિણામ સ્વરૃપે ઈંડાનું નિત્ય સેવન કરનાર જંગલી આદતોનો શિકાર થઈ જાય છે અને સમાજ વિરોધી પ્રવૃત્તિઓમાં ફસાઈ જાય છે. રચ્યોપચ્યો રહે છે.

૨૪. સુપ્રસિદ્ધ અમેરિકન વૈજ્ઞાાનિક ફિલિપ જે. સ્કેમ્બલના મતે કોઈ ઈંડા નિર્જીવ નથી. મિશિગન યુનિવર્સિટીના વૈજ્ઞાાનિકોએ તો સોઈ ઝાટકીને પુરવાર કરી દીધું છે કે દુનિયામાં કોઈપણ ઈંડું સેવાયેલું કે નહી સેવાયેલું, નિર્જીવ હોતું નથી.

૨૫. ઈંડાની મેથી સાથે સરખામણી કરતાં જણાય છે કે ઈંડામાં ૧૩.૩ જ્યારે મેથીમાં ૨૬.૨ ગ્રામ પ્રોટીન હોય છે. (વજન ૧૦૦ ગ્રામ) સમાન વજનના ઈંડામાંથી ૧૭૩ કેલેરી, જ્યારે મેથીમાંથી ૩૩૩ કેલરી પ્રાપ્ત થાય છે. વધુમાં વધુ મેથી કોલેસ્ટ્રોલની સફાઈ કરે છે, જ્યારે ઇંડા કોલેસ્ટ્રોલનો સમૃદ્ધ સ્રોત છે.

૨૬. ઈંડા અને મગફળીની સરખામણી કરતાં જણાય છે કે દર ૧૦૦ ગ્રામ ઈંડામાં ૧૩.૩ જ્યારે મગફળીમાં ૩૧.૫ જેટલું પ્રોટિન હોય છે. ઇંડામાં માત્ર ૧૭૩ કેલરી મળે છે. જ્યારે મગફળીમાં આ પ્રમાણ ૪૫૯ કેલરીનું છે.

૨૭. હવે મસૂરની દાળ સાથે ઇંડાને સરખાવીએ. ઈંડામાં ૧૩.૩ જ્યારે મસૂરમાં ૨૫.૧ પ્રોટિન હોય છે. ઈંડામાં કાર્બોહાઈડ્રેટ બિલકુલ નથી. જ્યારે મસૂરમાં ૫૯.૭ ગ્રામ છે. ઈંડામાંથી ૧૭૩ કેલરી મળે છે જ્યારે મસૂરમાંથી ૩૪૬ કેલરી મળે છે.

૨૮. લંડનના વિખ્યાત આહારશાસ્ત્રી શ્રીમતી કે. કેલેનીનું કહેવું છે કે ઈંડાનો આહાર તો માંસના આહાર કરતાં પણ ખતરનાક છે. કારણ કે ઈંડામાં માંસ કરતાં પણ વધુ ચીકણા પદાર્થ હોય છે જે કબજિયાત પેદા કરે છે. તેમાંથી અનેક રોગ થાય છે.

૨૯. આનુવંશિક (હેરીડેટરી) હૃદયરોગ ધરાવનારાઓએ સ્વપ્નમાં પણ ઇંડા ખાવા જોઈએ નહીં. એવા લોકો માટે ઈંડાનું ઝેર તરત અસર કરે છે.

૩૦. બજારમાં વેચાતા ઈંડાઓ પર બેચ કે નંબર કે ઉત્પાદનની તારીખ ન હોવાથી તેઓ કેટલા જૂના છે તે જાણી શકાતું નથી. ખુલ્લા ખુમચાઓ, રેંકડીઓ તથા દુકાનોમાં રાખેલા ઈંડાઓમાં બે કે ત્રણ દિવસમાં વિકૃતિ અથવા ખરાબી આવી જતી હોવાનું જણાયું છે. ચિકિત્સકોના કહેવા અનુસાર ૧૦૦ ગ્રામ વજનના ઈંડામાં ૫૦૦ મિલીગ્રામ કોલેસ્ટેરોલ હોય છે. જે પેટમાં ઉતરીને અનેક પ્રકારની બિમારીઓ નોંતરે છે.

૩૧. અમેરિકા સ્થિત યુનિવર્સિટી ઓફ મિનેસોટા (સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ) એ ફિનલેન્ડ, ગ્રીસ, નેધરલેન્ડ, જાપાન, ઈટલી, અમેરિકા તથા યુગોસ્લાવિયાના ૧૨,૦૦૦ લોકોનો અભ્યાસ કરીને ઈંડાના માનવ આરોગ્ય પરના કુપરિણામોનું વર્ણન કર્યું છે. તથ્યોમાં કહેવાયું છે કે સામાન્ય કોલેસ્ટરોલ સ્તર ધરાવતા લોકો માટે પણ ઈંડાનો ખોરાક હિતાવહ નથી.

૩૨. આયોવા યુનિવર્સિટી (અમેરિકા)ના ડૉ. માર્ક આર્મ સ્ટ્રોન્ગ અને તેના સાથીઓએ વાંદરાઓના એક સમુહને ઈંડાના રસથી (એગયોક)થી ભરપુર એવો ખોરાક આપ્યો. પરિણામ સ્વરૃપ તેમની હૃદય-ધમની બંધ પડી ગઈ તથા એથિરોસ્કેલેરોસિસના લક્ષણ દેખાયા. પરંતુ ઉપર્યુક્ત ખોરાક બંધ કરીને અઢાર માસ તેમનું પુનઃનિરીક્ષણ કરતા આશ્ચર્યજનક પરિવર્તન જોવા મળ્યું.

૩૩. કેલિફોર્નિયાની લોમાલિંડા યુનિવર્સિટીએ ૨૪૦૦૦ વ્યક્તિઓ પર પરિક્ષણ કરીને એવું તારણ કાઢ્યું કે શુદ્ધ શાકાહારીઓની સરખામણીએ ઈંડા ખાનાર વ્યક્તિમાં હૃદયરોગથી થનારા મૃત્યનું પ્રમાણ ૧૦ ટકા વધુ હોય છે.

૩૪. માઈક્રોબાયોલોજીના પ્રો. વી. તલવારે એવો અભિપ્રાય આપ્યો છે કે ઇંડા કાચા લેવામાં આવે કે આઈસ્ક્રીમ ઈત્યાદિમાં તે લેનાર વ્યક્તિ ઘણી બિમારીને નોંતરે છે.

૩૫. આહાર વિજ્ઞાાનીઓ સ્પષ્ટપણે જણાવે છે કે પરિવારના બજેટમાં ઇંડાને સ્થાને દૂધને પ્રાથમિકતા આપવી જરૃરી છે. એક તો ઇંડા કરતાં દૂધ સસ્તું પડે છે અને બીજું તેમાં કેલ્શિયમનું પ્રમાણ પણ વધુ હોય છે.

૩૬. ઈંડા, માંસ ઈત્યાદિ ચીજોમાં રહેલા પ્રોટિનને મનુષ્યનું શરીર પચાવી શકતું નથી.યાદ રહે, ઈંડા ખાવાથી નસો કમજોર પડે છે. શરીરમાં લોહીના ભ્રમણની ગતિ મંદ થાય છએ અને હૃદયની સ્વાભાવિક ગતિમાં અવરોધ ઊભો થાય છે.

૩૭. બ્રિટનના ડૉ. રોબર્ટ ગ્રેસે એવી ચેતવણી આપી છે કે ઇંડાના સફેદ ભાગમાં (એગવ્હાઈટ)માં ‘એવિડિન’ હોય છે જેનાથી કોઢ, એક્ઝીમા, લકવા, ચર્મરોગ, ચામડીનું કેન્સર તથા અન્ય એલર્જી પ્રકારની બિમારીઓ થઈ શકે છે.

૩૮. વિશ્વ વિખ્યાત પહેલવાન પ્રો. રામમૂર્તિ સંપૂર્ણ શાકાહારી હતા જેમણે ઇંડા, માંસ, માછલી લેવાવાળા કેટલાયે પ્રચંડ શક્તિશાળી પહેલવાનનો પરાભવ કર્યો હતો. એમનામાં આવી શક્તિ ક્યાંથી આવી? આપણામાં કેટલી શક્તિ છે એ બાબત વાસ્તવમાં આપણી પાચનશક્તિ, આહારની પૌષ્ટિકતા/ગુણવત્તા તથા વ્યાયામ ઈત્યાદિ પર નિર્ભર કરે છે.

૩૯. તુવેર, ચોળા, ચણા, અડદ, મસૂર ઈત્યાદિ દાળોમાં ઈંડાની સરખામણીએ પ્રોટીનનું પ્રમાણ દોઢગણું વધારે હોય છે. મગફળીમાં તો બમણુ પ્રોટીન હોય છે. જો દરરોજ ૧૦૦ ગ્રામ મગફળી ખાવામાં આવે તો સારું એવું પ્રોટીન મળી શકે છે.

૪૦. પોતાની જ વિષ્ટા ખાનારી, પોતાના મૃત બચ્ચાઓનો પાવડર ખાનારી તથા ગંદો/સડેલો/કરેલો આહાર લેનારી મરઘી કઈ રીતે પૌષ્ટિક ઈંડા આપી શકે એ તમારી સમજમાં ઉતરે છે?

૪૧. સાઈકલ ચલાવવામાં વિશ્વ વિક્રમ સ્થાપનાર અમેરિકાના બ્રી એસ્ટેલ તથા બ્રી એરિલ સંપૂર્ણ શાકાહારી છે. તેઓ ઈંડા ખાતા નથી.

૪૨. મુંબઈની હાફકીન ઈન્સ્ટીટયુટે તારણ કાઢ્યું છે કે ઇંડાથી બાળકોને સંખ્યાબંધ રોગ થઈ શકે છે. ઈંડા હાઈપર-એસિડિટીને જન્મ આપતા હોવાનું તેમનું કહેવું છે. આ ઉપરાંત બાળકોનું પાચનતંત્ર એટલું કોમળ હોય છે કે તેઓ ઇંડાને પુરેપુરા પચાવી શકતા નથી. આથી કોઈપણ સંજોગોમાં તેમને ઇંડા અથવા ઈંડા મિશ્રિત પદાર્થો (કેક, આમલેટ, આઈસ્ક્રિમ, બિસ્કિટ ઈત્યાદિ) આપવા જોઈએ નહીં.

૪૩. અમેરિકાના કરાટે એસોસીએશનની વિશ્વ-ચેમ્પિયનશીપ સ્પર્ધા જીતનાર રિજલી એબલે સંપૂર્ણપણે શાકાહારી છે. તેઓ ઈંડા લેતા નથી. આઠ રાષ્ટ્રીય વિક્રમ સ્થાપનાર બ્રી એબેલનું માનવું છે કે ”ઈંડા શક્તિદાયક છે એ માન્યતા કેવળ ભ્રમણા છે.”

સાભાર: ગુજરાત સમાચાર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
ઘેર બેઠા ફ્રિમાં શીખો, આખુ વર્ષ રોગમુક્ત રહેવા આયુર્વેદનો આ રસાહાર કોર્ષ..!!!
30 દિવસનો ખાસ ઉપાય, હાઈટ નાની હોય કે વધતી ન હોય તો અજમાવો લો.
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!

નેપાળ: અબોલ જીવોના બલિનો વિશ્વના સૌથી મોટા ક્રૂર તહેવાર વિરૂધ્ધ અવાજ ઉગ્ર બનાવીયે.
આ વાંચ્યા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ
INCREDIBLE PHOTOS: HOW A CHILD IS BORN…!!! AFTER SEEING THIS YOU MUST HATE ABORTION AS A HUMAN BEING.