Category Archives: Jindagi Quotes

એકધારી સફળતા+પ્રસિદ્ધિ મેળવવી હોય તો, શાંત મને વિચારો આ 15 વાતો!

jivan.jpg

બીજાને સલાહ આપવાનું કહેવામાં આવે તો આપણે તરત આગળ હોઈએ છીએ. જ્યારે સ્વયંને સમય-સમય પર કહેવામાં આવતી વાતો કાયમ ભૂલી જઈએ છીએ. આપણને જ્યારે પણ એકલામાં સમય મળે છે ત્યારે અમુક સાચી વાતો પર આપણે વિચાર કરવો જોઈએ. આ વાતોની જાણ થવા પર દિમાગ હકારાત્મક દિશામાં આગળ વધવા લાગશે, તમે શાંત રહેશો તો તમને સારા પરિણામ મળશે. જાણો એવી 15 વાતો વિશે જે આપણે એકલામાં હોઈએ ત્યારે વિચારવી જોઈએ.

1. મારી સાથે જે કંઈ પણ થાય છે, હું એ વસ્તુઓને કંટ્રોલ નથી કરી શકતો. હા, પણ આ વસ્તુઓ પર કઈ રીતે રિએક્ટ કરવું જોઈએ એ મારા વશમાં છે. મારો પ્રતિભાવ જ મારી તાકાત હોવી જોઈએ.

2. જીવનમાં જે કંઈ પણ થાય છે, હું એ બધી જ વસ્તુઓને હું સ્વીકારુ છું. જ્યારે પણ હું આ બધી વસ્તુઓથી પહેલી વખત મળુ છું તો પોતાનું સર્વશ્રેષ્ઠ પરિણામ આપવાના ઉદ્દેશ્ય સાથે જ આગળ વધુ છું.

3. જ્યારે હું કોઈ કામમાં વિજય થાવ છું તો હું સ્વયંને એટલું સારું નથી માનતો જેટલું કે લોકો કહે છે. એવી જ રીતે જ્યારે હું કોઈ કામ કરવામાં નિષ્ફળતા અથવા હારનો સામનો કરું છું તો હું પણ સ્વયંને એટલો નબળો નથી સમજતો.

4. હું પરેશાનીઓને મેનેજ કરવાને બદલે દિમાગને મેનેજ કરું છું. પોઝિટિવ રહું છું.

5. જેટલી જલ્દી હું અઘરી પરિસ્થિતિઓમાંથી બહાર નીકળી શકીશ તેટલી જ જલ્દી હું પોતાના લક્ષ્યો હાંસલ કરવા તરફ પગલું ઉપાડીશ.

6. ખોટું પરફેક્શન દેખાડવા કરતા ઉત્તમ છે ભૂલો કરવી. કારણ કે ભૂલો કરતા રહેવાથી જ આગળ વધવાના કેટલાય બોધપાઠ મળે છે.

7. પડકારો કોઈ મોટું વિઘ્ન ત્યારે જ બને છે જ્યારે આપણે તેની સામે નતમસ્તક થઈ જઈએ છીએ.

8. હું ક્યારેય ડરને છુપાવવાનો પ્રયાસ નથી કરતો કારણ કે હું જાણું છું કે તે એટલાં માટે છે કે, મને જાણ થઈ શકે કે હજુ શ્રેષ્ઠ બાકી છે.

9. જો મારી પાસે સમય નહીં હોય તો હું સૌથી પહેલા તે કાર્યોમાંથી પાછળ થઈ જઈશ જેને કરવાનો કોઈ અર્થ જ નથી.

10. હું સ્વયંને ઉત્તમ વ્યક્તિ બનાવવાનો સતત પ્રયાસ કરતો રહીશ. હું માત્ર એવું નહીં વિચારું કે હું સારો છું.

11. જેવુ આજે છે એવું ભવિષ્ય નહીં હોય. ભવિષ્ય બિલકુલ અલગ હશે અને મારી પાસે સ્વર્ણીમ ભવિષ્ય બનાવવાની તાકાત છે. એ પણ આજે અત્યારે.

12. સુખ મારી પાસે ત્યારે જ આવશે જ્યારે તે મારી અંદરથી આવશે. સુખ માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે.

13. હું પોતાની છબિ એ વાત પર નથી બનાવી શકતો કે હું એક દિવસ શું બનીશ.

14. જરૂરી નથી કે યોગ્ય દિશામાં ઉપાડેલા પગલાં મોટા જ હોય. નાના પગલાં ભરવાથી પણ સફળતા મળે છે.

15. નાનકડી સફળતાને પણ સેલિબ્રેટ કરવી જોઈએ, કારણ કે જો આપણે નાની વસ્તુઓને સેલિબ્રેટ કરીશું તો જ મોટી સફળતા મળી શકશે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

સાસુમાને ખુશ કરવા ઈચ્છો છો તો ચોક્કસ ટ્રાય કરો આ 9 ટિપ્સ…!!

જાણો…ચહેરા પર અહીં હશે તલ, તો તમારા સ્વભાવ+ભવિષ્ય પર થશે આવી અસર…!!!
જાણો…તમારા શરીર પર આવા ‘અજીબ’ નિશાન, આપે છે અનોખા ‘લાભાલાભ’
જાણો…અંગૂઠો 60 ડિગ્રીએ ખૂલે તો તમે હશો ચપળ, 90 ડિગ્રીએ ખૂલે તો તમે કેવા?
શરીર પર આવા લક્ષણો હોય તો સમજી જજો, તમારા ભાગ્યમાં છે રાજયોગ…!!
જાણો…તમારી આંખનો રંગ પણ છે તમારા ગુપ્ત રહસ્યોની છબી, કેવો છે તમારી આંખનો રંગ?
ज्योतिष शास्त्र के अनुसार मुख्यत पांच प्रकार की होती है स्त्रियां, जानिए उनके लक्षण और स्वभाव
રોજ કરો આ પાંચ પરંપરાગત કામ, ચમકશે તમારી કિસ્મત ને મળશે શુભફળ!

સ્ત્રી-પુરૂષના શરીરનો આ ગુપ્ત ભાગ જણાવે છે તેમના છુપા રહસ્યો+સ્વભાવ!
તમારું પરાક્રમ વધારવું હોય તો તમારા હસ્તાક્ષરમાં લાવો આટલા ફેરફાર!

સામુદ્રીકશાસ્ત્ર કહે છે-શરીરે આવા લક્ષણો ધરાવતી સ્ત્રીઓ હોય છે અશુભ!
પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

જીવનમાં કોઈપણ ટેન્શન હોય તો આ 10 ઉપાય ઝડપથી અપાવશે છુટકારો…!!!

jivan1

આગળ વધવાની અને કંઇક કરી બતાવવાની હોડે મનુષ્યની દશા બગાડી દીધી છે. બહારથી નિહાળતા ભલે આધુનિક મનુષ્ય પ્રગતિશીલ અને સંપન્ન નજરે ચડે પણ અંદર ચિંતા, ભય, આશંકા અને તણાવ સિવાય બીજું કંઇ જોવા નહીં મળે. અસીમિત જરૂરિયાતો, અપેક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓએ તણાવ અને બીજા અન્ય માનસિક રોગોને જન્મ આપ્યો છે. બધી સુવિધાઓ, વૈજ્ઞાનિક પ્રગતિ તથા મનોરંજનના અનેક સાધનો હોવા છતાં પણ તણાવ જેવી સમસ્યાનું કોઇ નિરાકરણ નથી આવતું. આવામાં જો આમાંથી મુક્તિ મેળવવાની કોઇ કારગર મુક્તિ મળી જાય તો તેને ઈશ્વરની કૃપા જ સમજવી જોઇએ. ધર્મમાં આવા ઉપાયો છે જે તણાવ દૂર કરવામાં 100 ટકા કારગર છે. તો જાણીએ આવા ઉપાયો કયા છે.
ટેન્શન આપણા માટે દરેક રીતે નુકશાનકારક છે. ઘણીવાર ખબર જ પડતી નથી કે, આપણે ટેન્શનમાં જીવીએ છીએ. તેને સમજી ન શકવાના કારણે આપણે આપણી જાતને મુશ્‍કેલીમાં મૂકી દઈએ છીએ. અહીં ટેન્શનમાંથી મુક્તિ મેળવવાના ૧૦ સરળ ઉપાયો આપેલ છે.

૧. તૈયાર રહો-

જીવનમાં આવતી ચડતી – પડતી માટે પોતાની જાતને અગાઉથી માનસિક રીતે તૈયાર રાખો. તમે અગાઉથી અનુમાન કરી શકતા હોવ કે, ભવિષ્‍યમાં તમારે કોઈ મુશ્‍કેલીનો સામનો કરવો પડશે તો માનસિક રીતે તેના માટે પોતાને પહેલાથી જ તૈયાર કરો. આનાથી મશ્કેલી ભલે ટળી ન શકે પરંતુ તમને માનસિક બળ જરૂર મળશે.

૨. સામાજિક સહયોગ-

માનસિક દબાણ કે તાણની ક્ષણોમાં તમે મિત્રો અને સગા-સંબંધીઓ વચ્ચે રહો. કારણ કે તેનાથી વિપરીત પરિસ્થિતિનો સામનો કરવાની તમને સૌથી વધુ હૂંફ મળે છે. અને હિંમત પણ મળે છે.

૩. વિશ્વાસ રાખો-

તમે તમારા કાર્ય અને વિચારોનું મૂલ્‍યાંકન કરો. તમારી જાત પર ભરોસો રાખો. શું બની રહ્યું છે અથવા ચાલી રહ્યું છે એ વાતની માહિતી રાખો. એનાથી તમે તમારા વિચારો અને પ્રશ્નો વિશે સ્પષ્ટતા મેળવશો. તમને તમારું લક્ષ્‍ય જોવાની સ્પષ્ટ દષ્ટિ મળશે, એ લક્ષ્‍યને પ્રાપ્ત કરવાની મદદ મળશે.

૪. કમ્યુનિકેશન-

તમે તમારી ઈચ્છાઓ અને વિચારોને સ્પષ્ટ રીતે બીજા સમક્ષ વ્‍યક્ત કરો, પરંતુ એમાં ઈમાનદારી રાખો. પોતાના ભાવોને બીજા આગળ વ્યક્ત કરવાથી તમે તાણમાંથી મુક્ત રહી શકો છો. આનાથી તમારા પારિવારિક અને પ્રોફેશનલ બંનેય સંબંધો સારા બનશે.

૫. સત્ય ને સ્વીકારો-

એક વાત હંમેશા યાદ રાખો કે, તમે દબાણ હેઠળ છો તો પણ સત્યને સ્વીકારો અને મુશ્‍કેલીઓનો સામનો કરો. મુશ્‍કેલીઓથી ભાગી છૂટવાથી કશું નહિ મળે.

૬. દવાનો ઉપયોગ ટાળો-

આલ્કોહોલ , કોફીન અને સેડેટિવ્‍સનું સેવન હાનિકારક છે.

૭. દઢનિશ્ચયી બનો-

બીજા લોકો સાથેના આપણા સંબંધો સંતોષજનક પણ હોઈ શકે છે અને દુઃખદાયક તથા તાણભર્યા પણ. ક્યારેક મક્કમ રહેવું મુશ્કેલ છે પરંતુ મક્કમતા અને દઢનિશ્ચયી તમને તાણમાંથી મુક્ત કરશે.

૮. જીવનશૈલી-

તમે શારીરિક રીતે ફીટ અને સ્વસ્થ છો તો તમને તાણમાંથી મુક્ત રહેવામાં ઘણી મદદ મળે છે. તમારી શક્તિ અને સંતુલનને જાળવી રાખવા માટે અને દરરોજના પડકારોનો સામનો કરવા માટે સમતોલ અને પૌષ્ટિક ભોજન કરો. દરરરોજ યોગ-પ્રાણાયામ અને કસરત કરો. પૂરતી ઊંઘ લો અને થોડો સમય કાઢી જીવનને માણો.

૯. પ્રોફેશનલ સહાય-

તમે તમારી તાણને દૂર કરવામાં અસમર્થ બનો અને સમસ્યા વધી રહી હોય તો કોઈ મનોચિકિત્સકની સલાહ લો. એ તમને ઘણા મદદરૂપ થશે.

૧૦. સમસ્યા ઉકેલો-

સમસ્યા વિશે જાણવું જ પૂરતું નથી. તમે સાચી અને વૈજ્ઞાનિક રીતે સમસ્યાને સમજી તાણને કેવી રીતે દૂર કરવી એને પણ સમજી, સમસ્યા ઉકેલો. સમસ્યા ઉકેલવી એ જ સૌથી ઉત્તમ રસ્તો છે. સૌથી મહત્વ ની વાત છેઃ સમસ્યાઓ ઊભી ન થાય એવી જીવનશૈલી બનાવો.

– સેવાની સંજીવની-

જરૂરિયાતવાળા અને અસહાયોની સેવા એવી રામબાણ ઔષધિ છે જે દરેક પ્રકારના તણાવ દૂર કરી શકે છે. આનાથી અહંકારનો નાશ થાય છે તથા મનોગ્રંથિઓ નષ્ટ થાય છે.

-ક્ષમાની સુધા –

ક્રોધ અને બદલાની ભાવનાથી મન અને દિમાગ પર વધારે પડતો ભાર પડે છે. આ બોઝ જ અનેક પ્રકારના માનસિક રોગોનો કારક બની જાય છે. ઈશ્વરની વ્યવસ્થા પર વિશ્વાસ મૂકીને જો ક્ષમા કરીશું તો તેનાથી આપણને અપ્રતિમ લાભ થશે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જીવન જીવવાની અલગારી રીત…મળશે નિજાનંદ…!!
विल्मा रुडोल्फ – बेहद गरीब परिवार और अपंगता से ओलम्पिक गोल्ड मैडल तक.
फौलादी हौसलें कि कहानी – बिना हाथ पैरों के फतह कर ली 14 हजार फीट से अधिक ऊंची चोटी
11 SKETCHES YOU WILL LOVE TO WATCH AGAIN AND AGAIN.
નિષ્ઠાથી કામ કરવાવાળા જ સૌથી વધારે સુખી છે..!!
અત્યંત પ્રેરણાદાયી સત્ય કહાની….!!!
સરસ બોધ આપતી હૃદયસ્પર્શી વાર્તા
I’M PROUD TO BE AN INDIAN…!!
संस्कृत के बारे में आश्चर्यजनक तथ्य…!!!

કળીયુગમાં સર્વોપરી ગાયત્રી મહામંત્રથી મળશે 24 દેવોની અપાર કૃપા, જીવનમાં નહીં ખુટે સુખનો ખજાનો

gaayatrimaa
મંત્ર એક એવો ઉપાય છે, જેનાથી કોઈપણ પ્રકારની સમસ્યાઓને દૂર કરી શકાય છે. મંત્રોની શક્તિથી બધા સારી રીતે પરિચિત છે. મનચાહી વસ્તુ પ્રાપ્ત કરવા અને ઈચ્છા પૂર્તિ માટે મંત્ર જાપથી વધુ સારું કોઈ બીજુ સાધન નથી. ધર્મગ્રંથો પ્રમાણે બધા મંત્રોમાં ગાયત્રીમંત્ર સૌથી વધુ દિવ્ય અને ચમત્કારી છે. આ મંત્રના જાપથી ખૂબ જ ઝડપથી પરિણામ પ્રાપ્ત થાય છે.

ગાયત્રી મંત્ર વિદ્યાનો પ્રયોગ ભગવાનની ભક્તિ, બ્રહ્મજ્ઞાન, પ્રાપ્તિ, દૈવીય કૃપા પ્રાપ્ત કરવાની સાથ જ સાંસારિક તથા ભૌતિક સુખ-સુવિધાઓ, ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા માટે પણ કરી શકાયછે. આ છે ગાયત્રી મંત્રઃ-

ऊँ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न: प्रचोदयात्।

શાસ્ત્રો પ્રમાણે ગાયત્રી મંત્રને વેદોને સર્વશ્રેષ્ઠ મંત્ર બતાવવામાં આવ્યો છે. આ મંત્ર જાપ માટે ત્રણ સમય બતાવ્યા છે. આ ત્રણ સમયને સંધ્યાકાળ પણ કહેવામાં આવે છે. ગાયત્રી મંત્ર જાપ પહેલો સમય છે, પ્રાતઃકાળ, સૂર્યોદયથી થોડીવાર પહેલા મંત્રજાપ શરૂ કરવા જોઈએ. જ્યારે સૂર્યોદય પછી સુધી જાપ કરવો જોઈએ.

– મંત્ર જપ માટે બીજો સમય છે બપોરના મધ્યાહ્નનો. બપોરમાં આ મંત્રનો જપ કરવામાં આવે છે. તેના પછી ત્રીજો સમય છે સાંજના સૂર્યાસ્તના થોડાં સમય પહેલા ગાયત્રી મંત્રનો જાપ કરવાનો હોય તો મૌન રહીને માનસિક રીતે જાપ કરવો જોઈએ. મંત્ર જાપ મોટા અવાજે ક્યારેય ન કરવો.

જાણો ગાયત્રી મંત્ર સાથે જોડાયેલી ખાસ વાતો અને ચમત્કારી ઉપાય….

ગાયત્રી મંત્ર –

ऊँ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि। धियो यो न: प्रचोदयात्।।

ગાયત્રી મંત્રનો અર્થ – સૃષ્ટિકર્તા પ્રકાશમાન પરમાત્માના તેજનું અમે ધ્યાન કરીએ છીએ, તે પરમાત્માના તેજ આપણી બુદ્ધિને સદમાર્ગ તરફ ચાલવા માટે પ્રેરિત કરો.

– શાસ્ત્રોમાં તેના જાપની વિધિ વિસ્તૃત રીતે આપવામાં આવી છે. આ મંત્રનો જપ કરવા માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ ગણાય છે. આ મંત્રના જાપથી આપણે આ દસ લાભ પ્રાપ્ત થાય છે. ઉત્સાહ તથા સકારાત્મકતા, ત્વચામાં ચમક આવે છે, તામસિકતાથી ધૃણા થાય છે, પરમાર્થમાં રૂચી જાગે છે, પૂર્વાભાસ થવા લાગે છે, આશીર્વાદ આપવાની શક્તિ વધે છે, નેત્રોમાં તેજ આવે છે, સ્વપ્ન સિદ્ધિ પ્રાપ્ત થાય છે, ક્રોધ શાંત થાય છે, જ્ઞાનની વૃદ્ધિ થાય છે.

24 અક્ષરોમાં છુપાયેલા દેવો અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે કેવી રીતે મંત્ર જાપ કરવો જોઈએ….

24 અક્ષરોમાં છુપાયું 24 દેવોનું અસ્તિત્વઃ-

એક જ ગાયત્રી મંત્રથી 24 દૈવી શક્તિ એક સાથે સુલભ થાય છે. આ ગાયત્રી મંત્રના 24 અક્ષરો દૈવી શક્તિઓના ચોવીસ બીજ છે. ગાયત્રી મંત્રના પ્રત્યક્ષ અક્ષર એક એક દેવતા છે. ગાયત્રી મંત્રનો જાપ કરવાથી ચોવીસ દૈવી શક્તિનો લાભ થાય છે.

1-ગણેશ – પ્રત્યેક શુભ કાર્ય ગજાનન ગણેશના પૂજનથી થાય છે. વિઘ્ન વિનાયક, સફળતા પ્રદાયક ગણેશ બુદ્ધિ તથા શ્રેષ્ઠ જ્ઞાન આપનારા છે.

2-નૃસિંહ – આ પરાક્રમ અને શક્તિના અધિકારી દેવ છે. તેઓ પુરુષાર્થ, વિરતા, ધીરતા અને વિજય પ્રદાન કરે છે. આતંક, ભય, કાયરતા વગેરે દૂર કરી શત્રુના આક્રમણથી રક્ષા કરે છે અને શત્રુનો સંહાર કરે છે.

3-વિષ્ણુ – એ પાલન શક્તિના અધિકારી છે. સમસ્ત પ્રાણીઓનું પાલન – પોષણ કરનારા, જીવન રક્ષક આજીવિકા પ્રદાન કરે છે.

4-શિવ – કલ્યાણ શક્તિના અધિકારી દેવ છે. જીવોને આત્મપરાયણતા અને કલ્યાણકારી શક્તિ પ્રદાન કરી અનિષ્ટ અને પતનથી રક્ષા કરે છે.

5-કૃષ્ણ – આ યોગ શક્તિના અધિષ્ઠાતા, અનાસક્તિ, વૈરાગ્ય, સદજ્ઞાન, સૌંદર્ય અને સ-રસના પ્રદાન કરે છે.

6-રાધા – પ્રેમ શક્તિની અધિષ્ઠાતા દૈવી છે. ભક્તોને સાચો પ્રેમ કરવાની શક્તિ આપી દ્વેષ ભાવ ધૃણા વગેરે દૂર કરે છે.

7-લક્ષ્મી – ધન, વૈભવ અને શક્તિની અધિષ્ઠાત્રી છે. ઉપાસકોને વૈભવ, ઐશ્વર્ય, સંપત્તિ, પદ, યશ અને સર્વ પ્રકારના ભૌતિક સુખો પ્રદાન કરનારી દેવી છે.

8-અગ્નિ – આ તેજ શક્તિના અધિષ્ઠાતા દેવ છે. ઉષ્ણતા, તેજ, પ્રકાશ, શક્તિ અને સામર્થ્ય પ્રદાન કરનારા છે.

9-ઈન્દ્ર – આ રક્ષ શક્તિના અધિષ્ઠાતા છે. રોગ, અનિષ્ઠ, આક્રમણ, હિંસા, ચોર, શત્રુ, ભૂતપ્રેત વગેરેથી રક્ષા કરનારા છે.

10-સરસ્વતિ – જ્ઞાનશક્તિની અધિષ્ઠાત્રી દેવી છે. જ્ઞાન, વિવેક, દૂરદર્શિતા, બુદ્ધિમત્ત, વિચારશીલતા વગેરે પ્રદાન કરનારી દેવી છે.

11-દુર્ગા – આ દમનશક્તિની અધિષ્ઠાત્રી દેવી છે. સમસ્ત વિધ્ન, નડતર, સંધર્ષ પર વિજય અપાવનારી, અહંકારને ચૂર કરનારી, સામર્થ્ય તથા શક્તિ દેનારી છે.

12-હનુમાન – હનુમાનજી નિષ્ઠા શક્તિના અધિકારી છે. ઉપાસકોને ભક્તિ, નિષ્ઠા, કર્તવ્યપરાયણતા, વિશ્વાસ, નિર્ભયતા તથા બ્રહ્મચર્ય પાલનની શક્તિ પ્રદાન કરે છે.

13-પૃથ્વી – આ ધારણ શક્તિની દેવી છે. ગંભીરતા ધૈર્ય, પ્રઢતા, સહિષ્ણુતા, સહનશીલતા ભારવાહકતા નિરન્તરતા વગેરે પ્રદાન કરનારી છે.

14-સૂર્ય – પ્રાણશક્તિના અધિષ્ઠાતા દેવ છે ઉપાસકોને આરોગ્ય, દીર્ઘ જીવન, પ્રાણશક્તિ, વિકાસ, ઉષ્ણતા પ્રદાન કરે છે.

15-રામ – મર્યાદા પુરુષોત્તમ મર્યાદા શક્તિના અધિકારી છે. ધર્મ, મર્યાદા, સંયમ, મૈત્રી, પ્રેમભાવ, ધીરતા, તિતિક્ષા વગેરે ગુણ પ્રદાન કરનારા છે.

16-સીતા – તપ – શક્તિની અધિષ્ઠાત્રી દેવી છે. નિર્વિકાર અને પવિત્ર ભાવથી સાત્વિક-તાલ અનન્યભાવ દ્વારા તપોનિષ્ઠ બનાવે છે. આધ્યાત્મિક ઉન્નતિના માર્ગ પ્રેરક છે.

17-ચંદ્રમા – આ શાંતિ શક્તિના અધિકારી છે. ચિંતા, શોક, ક્રોધ, નિરાશા, ક્ષોભ, મોહ, લોભ, તૃષ્ણા વગેરે માનસિક વિકારને શાંત કરી શાંતિ પ્રદાન કરનારા છે.

18-યમ – શક્તિના અધિકારી સમયનો સદુપયોગ મૃત્યુથી નિર્ભયતા, સ્ફૂર્તિ, ચેતના જાગૃતિ પ્રદાન કરે છે.

19-બ્રહ્મા – ઉત્પાદક શક્તિના દેવ છે. સૃજન શક્તિના અધિષ્ઠાત્રા છે. પ્રત્યેક જડ તથા ચેતન પદાર્થથી રચના તેમજ ઉત્પાદન તથા વૃધ્ધિ કરવાની શક્તિના દાતા છે.

20-વરૂણ – આ રસ શક્તિના અધિકારી છે. ભાવુકતા, કોમળતા, સરસતા, દયા, પ્રસન્નતા, મધુરતા, કલાપ્રિયતા વગેરે ભાવો હ્રદયમાં પ્રાદુર્ભાવ કરી આનંદની અનુભૂતિ કરાવનારા છે.

21-નારાયણ – આદર્શ શક્તિ અધિષ્ઠાતા છે. શ્રેષ્ઠતા, મહત્વાકાંક્ષા, ઉત્કૃષ્ટતા, દિવ્યગુણ, ધર્મ, સ્વભાવ, નિર્મળ સચ્ચરિત્ર તથા શુભ કર્મશિલતા પ્રદાન કરનારા છે.

22-હયગ્રીવ – સાહસ શક્તિના અધિષ્ઠાતા છે. ઉત્સાહ નિર્ભિકતા, વીરતા, શૌર્ય, ધૈર્ય, પુરુષાર્થ, સંઘર્ષ શક્તિ પ્રદાન કરનારા છે.

23-હંસ – વિવેક શક્તિના અધિષ્ઠાતા છે. ક્ષીર – નીર જ્ઞાન વિશ્વ વિખ્યાત છે. સત્ય – અસત્યનું જ્ઞાન, દૂરદર્શિતા, ઉત્તમ સંગતિ, ગુણ પ્રદાન કરનારા છે.

24-તુલસી – સેવા – શક્તિની અધિષ્ઠાત્રી દેવી છે. સત્કાર્યમાં પ્રેરણાદાયી, આત્મશાંતિ, પરદુઃખ નિવારણ, પવિત્રતા, નિષ્ઠા વગેરે પ્રદાન કરનારી છે.

આ પ્રમાણે 24 દૈવી શક્તિઓથી ભરપૂર ગાયત્રી મંત્ર સનાતન અને આદિમંત્ર છે. પુરાણોમાં ઉલ્લેખ છે કે સૃષ્ટિકર્તા બ્રહ્માને આકાશવાણી દ્વારા ગાયત્રી મંત્ર પ્રાપ્ત થયો અને તે મંત્રની સાધના કરવાથી તેમનામાં સૃષ્ટિ રચવાની શક્તિ પ્રાપ્ત થઈ હતી. ગાયત્રી ચાર ચરણોની વ્યાખ્યારૂપે બ્રહ્માજીએ ચાર મુખોથી ચાર વેદોનું વર્ણન કર્યું. તેથી ગાયત્રીને વેદમાતા પણ કહેવામાં આવે છે. ચારેય વેદ ગાયત્રીની વ્યાખ્યા છે.

જ્યારે પણ બોલો ગાયત્રી મંત્ર તો આ નિયમ જરૂર ધ્યાન રાખો-

હિન્દુ ધર્મગ્રંથો પ્રમાણે ગાયત્રી મંત્ર દ્વારા જગતની આત્મા માનવામાં આવતા સાક્ષાત દેવતા સૂર્યની ઉપાસના નિરોગી જીવનની સાથે-સાથે યશ, પ્રસિદ્ધિ, ધન અને ઐશ્વર્ય આપનારી હોય છે, પરંતુ તેની માટે ગાયત્રી મંત્રની સાધના વિધિ વિધાન અને મન, વચન, કર્મની પવિત્રતાની સાથે જરૂરી માનવામાં આવે છે.

વેદમાતા ગાયત્રીની ઉપાસના 24 દેવીશક્તિઓની ભક્તિનું ફળ તથા કૃપા આપનાર બતાવવામાં આવી છે. તેનાથી સાંસારિક જીવનમાં સુખ, સફળતા અને શાંતિની ઈચ્છા પૂરી થાય છે. ખાસ કરીને દરરોજ સવારે સૂર્યોદય કે બ્રહ્મમૂહુર્તમાં ગાયત્રી મંત્રનો જાપ એવી જ કામનાઓને પૂરી કરવામાં ખૂબ જ શુભ અને અસરદાર માનવામાં આવે છે.

રવિવારે ગાયત્રી જયંતિ છે. જો તમે પણ ગાયત્રી મંત્રની શક્તિ અને શુભ પ્રભાવોથી સફળતા ઈચ્છતા હો તો આગળ  આપવામાં આવેલ ગાયત્રી મંત્ર જાપ અને સ્મરણ સાથે જોડાયેલી વાતોનું ધ્યાન જરૂર રાખો….

-ગાયત્રી મંત્ર જાપ કોઈ ગુરુના માર્ગદર્શનમાં જ કરવું જોઈએ.

-ગાયત્રી મંત્ર જાપ માટે સવારનો સમય શ્રેષ્ઠ હોય છે, પરંતુ તે સાંજે પણ કરી શકાય છે.

-ગાયત્રી મંત્ર માટે સ્નાનની સાથે જ મન અને આચરણ પવિત્ર રાખો, પરંતુ સ્વાસ્થ સારું ન હોય કે કોઈ કારણથી સ્નાન કરવાનું શક્ય ન હોય તો કોઈ ભીના કપડાથી શરીર લૂછી લો.

-સાપ અને સ્વસ્છ વસ્ત્ર પહેરો.

-કુશ કે ચટાઈનું આસન પાથરો. પશુની ખાલનો નિષેધ છે.

-તુલસી કે ચંદનની માળાનો પ્રયોગ કરવો જોઈએ.

-બ્રહ્મમૂહુર્તમાં અર્થાત્ સવાર થવાના લગભગ 2 કલાક પહેલા પૂર્વ દિશા તરફ મુખ કરીને ગાયત્રી મંત્ર જાપ કરો. સાંજના સમયે સૂર્યાસ્ત પહેલા એક કલાકની અંદર જ જાપ પૂજા કરી દો. સાંજે પશ્ચિમ દિશામાં મુખ કરીને જાપ કરો.

-આ મંત્રનો માનસિક જાપ કોઈપણ સમયે કરી શકાય છે.

-શૌચ કે કોઈ આકસ્મિક કામને લીધે જાપમાં બાધા ઉત્પન્ન થઈ હોય તો હાથ-પગ ધોઈને ફરીથી જાપ કરો. બાકી મંત્ર જાપની સંખ્યાને થોડી-થોડી પૂરી કરો. સાથે જ એકથી વધુ માળા કરી જાપ બાધા દોષનું શમન કરો.

-ગાયત્રી મંત્ર જાપ કરનારને ખાન-પાન શુદ્ધ ને પવિત્ર હોવું જોઈએ. પરંતુ જે લોકોનું સાત્વિક ખાન-પાન નથી, તે પણ ગાયત્રી મંત્રનો જાપ કરી શકે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે આ મંત્રની અસરથી એવો વ્યક્તિ પણ શુદ્ધ અને સદગુણી બની જાય છે.

દરિદ્રતાના નાશ માટે –

જો કોઈ વ્યક્તિના વેપાર, નોકરીમા હાનિ થઈ રહી છે કે કાર્યમાં સફળતા નથી મળતી, આવક ઓછી છે તથા ખર્ચ વધારે છે તો તેને ગાયત્રી મંત્રનો જપ ઘણો ફાયદો પહોંચે છે. શુક્રવારના પીળા વસ્ત્ર પહેરીને હાથી પર વિરાજમાન ગાયત્રી માતાનું ધ્યાન કરી ગાયત્રી મંત્રની આગળ અને પાછળ શ્રી સમ્પુટ લગાવીને દરિદ્રતાનો નાશ થાય છે. તેની સાથે જ રવિવારનું વ્રત કરવામાં આવે તો વધારે લાભ થાય છે.

સંતાન સંબંધી પરેશાનીઓ દૂર કરવા માટે-

કોઈ દંપતિને સંતાન પ્રાપ્ત કરવામાં મુશ્કેલી આવી રહી હોય કે સંતાનથી દુઃખી અથવા સંતાન રોગગ્રસ્ત હોય તો સવારે પતિ-પત્ની એક સાથે સફેદ વસ્ત્ર ધારણ કરી यौं બીજ મંત્રનો સંપુટ લગાવીને ગાયત્રી મંત્રોનો જાપ કરો. સંતાન સંબંધી કોઈ પણ સમસ્યાથી ઝડપથી મુક્તિ મળે છે.

વિવાહ કાર્યમાં વાર લાગી રહી હોય તો…

જો કોઈ પણ જાતકના વિવાહમાં બીનજરૂરી વાર લાગી રહી હોય તો સોમવારના સવારના સમયે પીળા વસ્ત્ર ધારણ કરી માતા પાર્વતીનું ધ્યાન કરતા ह्रीं બીજ મંત્રનું સંપુટ લગાવીને એક સો આછ વાર જાપ કરવાથી વિવાહ કાર્યમાં આવનારા વિઘ્નો દૂર થાય છે. આ સાધના સ્ત્રી-પુરુષ બન્ને કરી શકે છે.

વિદ્યાર્થીઓ માટે…

ગાયત્રી મંત્રનો જાપ બધા માટે ઉપયોગી છે, પરંતુ વિદ્યાર્થીઓ માટે તો આ મંત્ર વધારે લાભદાયક છે. રોજ આ મંત્રના એક સો આઠ વાર જપ કરવાથી વિદ્યાર્થીઓને બધા પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરવામાં સરળતા થાય છે. વિદ્યાર્થીઓને વાંચવામાં મન નથી લાગતું, યાદ કરેલું ભૂલી જવું, ઝડપથી યાદ ન થવું વગેરે સમસ્યાઓથી છૂટકારો મળે છે.

શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવા માટે….

જો કોઈ વ્યક્તિ શત્રુઓના કારણે પરેશાનીઓ સહન કરી રહ્યા હોય તો તેને દરરોજ કે વિશેષ કરીને મંગળવાર, અમાસ અથવા રવિવારને લાલ વસ્ત્ર પહેરીને માતા દુર્ગાનું ધ્યાન કરતા ગાયત્રી મંત્રની આગળ તથા પાછળ क्लीं બીજ મંત્રના ત્રણ વાર સંપુટ લગાવીને એક સો આઠ વાર જપ કરવાથી શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે.

જો કોઈ રોગના કારણે સમસ્યાઓ આવી રહી હોય તો-

જો કોઈ રોગથી પીડાતા હોવ તો શુભ મુહૂર્તમાં એક કાંસાના પાત્રમાં જળ ભરી તથા તેની સામે લાલ આસન પર બેસી ગાયત્રી મંત્રની સાથે ऐं ह्रीं क्लीं નો સંપુટ લાગાવી ગાયત્રી મંત્રોનો જાપ કરો. જાપ પછી જળનું સેવન કરવાથી ગંભીર રોગનો નાશ થાય છે. આ જળ કોઈ અન્ય રોગીને પીવાથી તેનો પણ રોગનો નાશ થાય છે.

ઉપાયઃ-1-

જે પણ વ્યક્તિ જીવનની સમસ્યાઓથી ખૂબ જ ત્રસ્ત હોય, જો તે આ ઉપાય કરે તો તેની સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ ઉપાય આ પ્રકારે છે પીપળા, શમી, વટ, ગૂલર, પાકરની સમિધાઓ(ઈંધણ) લઈને એક વાસણમાં કાચુ દૂધ ભરીને રાખી દો તથા એ દૂધની સામે એક હજાર ગાયત્રી મંત્રના જાપ કરો. ત્યારબાદ એક-એક સમિધાને દૂધમાં અડકાડીને ગાયત્રી મંત્રનો જાપ કરીને અગ્નિમાં હોમ કરવાથી સમસ્ત પરેશાનીઓ તથા દરિદ્રતાથી મુક્તિ મળી જાય છે.

ઉપાય-2-

કોઈપણ શુભ મૂહુર્તમાં દૂધ, દહીં, ઘી તથા મધને મેળવીને એક હજાર ગાયત્રી મંત્રની સાથે હવન કરવાથી ચેચક, આંખોના રોગ તથા પેટના રોગ દૂર થઈ જાય છે. તેમાં સમિધાઓ(ઈઁધણ) પીપળાની હોવી જોઈએ. ગાયત્રી મંત્રની સાથે નારિયળનું બુરુ તથા ઘીનો હવન કરવાથી દુશ્મનોનો નાશ થઈ જાય છે. નારિયળના બુરામાં જો મધનો ઉપયોગ કરવામાં આવે તો સૌભાગ્યમાં વધારો થાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

કાળા મરીના 5 દાણાનો ચમત્કારી ઉપાય કરો, ઝડપથી મેળવશો ધન લાભ
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

પરાજયે મને ખૂબ શીખવ્યું પછી હું ‘ગોલ્ડન ગર્લ’ બની (કભી કભી)

pt

એનું નામ છે પી.ટી. ઉષા.

દેશની ઉડતી પરી તરીકે જાણીતી બનેલી પી.ટી. ઉષાની જિંદગીની કહાણી દેશનાં કરોડો યુવક-યુવતીઓ માટે પ્રેરણાદાયી છે.

તે ચોથા ધોરણમાં ભણતી હતી. બીજાં બાળકોની જેમ તેને દોડવું- ભાગવું ગમતું હતું. એક દિવસ સ્કૂલમાં એના રમતગમત શિક્ષકે તેને સાતમા ધોરણના છોકરાની સામે ઊભી કરી દીધી. તે છોકરો દોડવામાં ચેમ્પિયન હતો. ટીચરે કહ્યું: ”એની સાથે દોડો અને જીતીને આવો.”

આ વાત સાંભળતાં જ તે ગભરાઈ ગઈ, પરંતુ શિક્ષકનો આદેશ હતો તેથી દોડવું જરૂરી હતું. તે મેદાન પર ગઈ, ખૂબ ઝડપથી દોડી અને ચેમ્પિયન હારી ગયો. તે સાતમાં ધોરણમાં આવી, એ વખતે તે જિલ્લા ચેમ્પિયન બની ગઈ. તે પછી જીતવાનો સિલસિલો જ ચાલુ થઈ ગયો. ૧૯૮૪માં તે દોડમાં ઓલિમ્પિક ફાઈનલમાં પહોંચવાવાળી પહેલી મહિલા બની ગઈ. ૧૯૮૫માં એણે એશિયન ટ્રેક એન્ડ ફિલ્ડ ચેમ્પિયનમાં પાંચ ગોલ્ડ મેડલ જીત્યા. એ પછી એણે અર્જુન એવોર્ડ અને પદ્મ શ્રી એવોર્ડ પણ એનાયત થયા.

કેરલના કોઝીકોટી જિલ્લાના કોથલી ગામમાં જન્મેલી પી.ટી. ઉષા બચપણમાં અકસર બીમાર રહેતી હતી. માતા-પિતા તેના સ્વાસ્થ્ય અંગે સતત ચિંતામાં રહેતા હતાં. બધાને ચિંતા હતી કે આ છોકરીનું શું થશે? સહેજ મોટી થતાં તે સ્કૂલ જવા લાગી. વારંવાર બીમાર પડી જતી હોવાથી એને અનેક વાર સ્કૂલમાંથી રજા લેવી પડતી. એના પિતા ગામમાં કાપડની એક નાનકડી દુકાન ચલાવતા હતા. પી.ટી. ઉષા અને એ બધા મળીને છ ભાઈ-બહેન હતા. આટલા બધાની પરવરીશ કરવી તે એક મોટી સમસ્યા હતી. પિતા શિક્ષણનું મહત્ત્વ સમજતા હતા. અનેક મુશ્કેલીઓ છતાં બાળકોના શિક્ષણને તેમણે નજરઅંદાજ ના કર્યું.

ઉષાનું મન ભણવાની સાથેસાથે ખેલકૂદમાં પણ લાગેલું હતું . સમયની સાથે એની સક્રિયતા પણ વધી ગઈ. રમતના મેદાનમાં ભાગતા- દોડતા ખેલાડીઓને જોવામાં એને મજા આવતી હતી. એ વખતે તેના મનમાં થતું કે કાશ હું પણ આ રીતે દોડી શક્તી!

એ વખતે તે દસ વર્ષની હતી. સ્કૂલમાં રમતોની સ્પર્ધા શરૂ થવાની હતી. ખેલાડીઓની પસંદગી થઈ રહી હતી. ઉષા પણ રમતના મેદાન પર એક ખૂણામાં ઊભેલી હતી. ત્યાં જ એનાં શિક્ષકે ઉષાને ઈશારો કરી પોતાની પાસે બોલાવી. શિક્ષકે તેને કહ્યું: ”ચાલો,આ છોકરો કે જે દોડવામાં ચેમ્પિયન છે તેને હરાવો.” એ વખતે તે છોકરો સાતમા ધોરણમાં હતો જ્યારે ઉષા ચોથા ધોરણમાં હતી. એ પહેલાં ઉષાએ કદીએ દોડમાં ભાગ લીધો નહોતો. શિક્ષકનો આદેશ હતો તેથી ઉષા પાસે દોડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.

શિક્ષકે સિટી મારી.

ઉષા અને ચેમ્પિયન બોય દોડવા લાગ્યા. શરૂઆતમાં ઉષાની રફતાર ધીમી હતી, પણ થોડી જ ક્ષણો બાદ ઉષા જાણે કે હવામાં ઊડવા લાગી. રમતના મેદાન પર ઊભેલા છોકરાઓ ચેમ્પિયન છોકરાના નામના નારા લગાવી રહ્યા હતા, પણ ઉષા જાણે કે એ સાંભળતી જ ના હોય તે રીતે બડી તેજ રફતારથી દોડી રહી હતી. એટલું ઝડપથી દોડી કે ચેમ્પિયન છોકરો હારી ગયો.

એ વિજયે ઉષા માટે નવો રસ્તો ખોલી દીધો. ઉષા કહે છેઃ ”મારા માતા-પિતા રમતગમત અંગે કાંઈ જ જાણતા નહોતા. મેં પણ કદી વિચાર્યું નહોતું કે હું કરી એથ્લેટ બનીશ. મેં એટલું જ વિચાર્યું હતું કે ભવિષ્યમાં બહુ બહુ તો હું પી.ટી. ટીચર બની જઈશ.”ળ

અને તે દિવસ બાદ ઉષા સ્કૂલની ટીમનો એક હિસ્સો બની ગઈ. ૧૯૭૬માં કેરળ સરકારે કુન્નૂરમાં મહિલા ખેલાડીઓને પ્રોત્સાહન માટે એક શિબિરનું આયોજન કર્યું હતું. આ તાલીમ શિબિરમાં કોચ ઓ.એમ. નમ્બિયારની દેખરેખમાં ચાલીસ વિર્દ્યાિથનીઓની તાલીમ શરૂ થઈ. તેમાં પી.ટી. ઉષા પણ સામેલ હતી. ૧૯૭૯માં ઉષાને નેશનલ સ્કૂલ ગેમ્સમાં ભાગ લેવાનો મોકો મળ્યો. આ સ્પર્ધામાં તે ચેમ્પિયન બની અને મીડિયામાં છવાઈ ગઈ. ૧૯૮૦માં તે પાકિસ્તાન ઓપન નેશનલ મીટમાં ભાગ લેવા કરાંચી ગઈ. આ તેનો પહેલો આંતરરાષ્ટ્રીય પ્રવાસ હતો.

ઉષાની ખેલ કારકિર્દીમાં કાફી ઉતારચડાવ આવ્યા પણ ઉષાએ હાર કદી ના સ્વીકારી. તે કદી હતાશ- નિરાશ ના થઈ. ૧૯૮૪માં તેની રમતગમત કારકિર્દીનો પ્રથમ મહત્ત્વપૂર્ણ મુકામ આવ્યો. ઉષાએ લોસ એન્જેલસમાં આયોજિત ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો. એ વખતે તે ૨૦ વર્ષની હતી. આખા દેશને તેના પદક માટે આશા હતી અને તે ઓલિમ્પિકમાં ફાઈનલ રાઉન્ડમાં પહોંચવાવાળી પહેલી ભારતીય એથ્લેટ બની ગઈ, પરંતુ ચંદ્રક મેળવવા માટે થોડાક પોઈન્ટસ ખૂટયા. આ બાબતે તેને જ નહીં પરંતુ આખા દેશને મોટો ઝાટકો લાગ્યો. ઉષા કહે છેઃ ”એ પરાજયે મને બહુ જ રડાવી દીધી. આટલી નિરાશ હું અગાઉ કદી થઈ નહોતી. હું ખૂબ રડી. પણ એ પરાજયે મારામાં એક નવું જ જોમ ભરી દીધું એ પછી જ હું ગોલ્ડન ગર્લ બની ગઈ.”

ઓલિમ્પિકમાં પરાજયે ઉષાને બહુ જ નિરાશ કરી દીધી હોવા છતાં લોસ એન્જલસથી પાછા ફર્યા બાદ દેશમાં ઉષાનું શાનદાર સ્વાગત થયું. એ વખતે તેને અહેસાસ થયો કે દેશના લોકો તેને કેટલું બધું ચાહે છે. ઉષા કહે છેઃ ”ઓલિમ્પિકમાંથી પાછા આવ્યા બાદ ઠેર ઠેર લોકો મારું સ્વાગત કરવા એકત્ર થઈ ગયા. કેટલાયે એવોર્ડ મળ્યા. પુરસ્કારના રૂપમાં મને નવું ઘર અને નવી મોટરકાર ભેટમાં મળી. મેં કદીયે વિચાર્યું નહોતું કે મને કદીક આટલો પ્રેમ અને સન્માન મળશે.”

ઓલિમ્પિકમાંથી પાછા આવ્યા બાદ ઉષાને અહેસાસ થયો કે આખો દેશ તેની પર કેટલી બધી ઉમ્મીદો લગાવીને બેઠો છે. તે હારી ગઈ છે એ વાત ભૂલીને સિયોલમાં યોજાનાર ૧૦મી એશિયન ગેમ્સની પ્રતિયોગીતાની તૈયારીઓમાં લાગી ગઈ.

તે પછી આંતરરાષ્ટ્રીય ખેલ સ્પર્ધામાં ભાગ લેવા તે સિયોલ ગઈ.

સિયોલમાં તે ચાર ગોલ્ડ મેડલ જીતીને ભારત આવી. એ હવે ગોલ્ડન ગર્લ બની ગઈ. લોકો તેને ‘ગોલ્ડન ગર્લ’ કહીને બોલાવવા લાગ્યા.

૧૯૯૧માં તેણે તેના મિત્ર પી.શ્રીનિવાસન સાથે લગ્ન કરી લીધું. એક વર્ષ બાદ તેણે એક પુત્રને જન્મ આપ્યો. રમતના મેદાનમાં હવા સાથે ઊડવાવાળી પી.ટી. ઉષાએ પારિવારિક જવાબદારીઓ પણ ગંભીરતાથી નિભાવી. કેટલાક લોકોને લાગ્યું કે, પારિવારિક જીવન તેની ખેલાડી તરીકેની કારકિર્દીને ખતમ કરી દેશે, પણ એમ ના થયું. સાત વર્ષ બાદ ૧૯૯૮માં જાપાનમાં આયોજિત એશિયન ટ્રેક ફેડરેશન મીટમાં તેણે ભાગ લીધો અને બ્રોન્ઝ મેડલ સાથે એણે શાનદાર પુનરાગમન કર્યું.

ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને તેને સદીની મહાન ખેલાડી તરીકે સન્માન બક્ષ્યું. ૨૦૦૦ની સાલમાં તેણે રમતગમતમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી. હવે તે કેરલના કોઝીકોટ જિલ્લામાં સ્પોર્ટ્સ સ્કૂલ ચલાવે છે. અહીં દેશભરના બાળકો તાલીમ માટે આવે છે. પી.ટી. ઉષાનું હવે એક જ લક્ષ્ય છેઃ ”દેશ માટે સુંદર ખેલાડી તૈયાર કરવા.”

– દેવેન્દ્ર પટેલ
સાભાર: સંદેશ

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…સુવાવડ, પેશાબ, શ્વેત પ્રદર, નબળાઈ જેવા સ્ત્રી રોગો માટે 25+ ઘરેલૂ નુસખા

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

મનોબળનો વિજય કે પ્રાર્થનાની અસર? [કેલિડોસ્કોપ : મોહમ્મદ માંકડ]

pray

અહીં જે વાત આપી છે તે વાંચીને કેટલાંક વાચકોને થશે કે એ વાત માણસના મનોબળના વિજયની વાત છે, તો બીજાં કેટલાંકને થશે કે એ પ્રાર્થનાના વિજયની વાત છે, પરંતુ એક વાત સ્પષ્ટ છેઃ અહીં જે પ્રાર્થનાનો ઉલ્લેખ છે તે સાચા હૃદયની પ્રાર્થનાની વાત છે. કટોકટીના સમયે માણસના હૃદયમાંથી નીકળતી આરજૂની વાત છે. આ વાત વાંચીને કેટલાકને પોતાના પુત્ર હુમાયુની અસાધ્ય બીમારી વખતે એની પાસે બાબરે કરેલ પ્રાર્થનાની વાત કદાચ યાદ આવી જશે.

હવે આ વાત વાંચોઃ

એક છોકરો શાળાએથી પોતાના ઘેર આવતો હતો ત્યારે દોડતાં દોડતાં પડી ગયો. એનો ડાબો ઘૂંટણ છોલાઈ ગયો. છોકરાંઓ તો દોડે અને પગે ઘૂંટણ છોલાઈ જવાનું તો સામાન્ય ગણાય, પણ રાત્રે એને ઘૂંટણ દુખવા લાગ્યો. પ્રાર્થનાનો સમય થયો. છોકરો તેર વર્ષનો હતો અને જરાય ઢીલો-પોચો નહોતો. સરહદ ઉપર વસનાર ખડતલ આદમીનો દીકરો હતો. પોતાના દુખાવાની ખબર ઘરમાં કોઈને ન પડે એ રીતે સૌની સાથે એણે પ્રાર્થના કરી અને પછી સૂઈ ગયો.

બીજા દિવસે ઘૂંટણ વધુ દુખવા લાગ્યો, પણ એણે કોઈને વાત ન કરી. એને બીજા પાંચ ભાઈઓ હતા. સવારે છ વાગ્યે ઊઠીને શાળાએ જવાના સમય સુધી બધાંને વાડી ખેતરનું કામ કરવું પડતું. સાજા-સારા હોય એવા કોઈને એમાંથી છુટ્ટી મળી શકતી નહોતી. કુટંુબની શિસ્ત બહુ કડક હતી. છોકરો મક્કમ મનોબળ ધરાવતો હતો. બે દિવસ સુધી એણે પોતાના દુખતા પગની વાત કોઈને ન કરી. રવિવાર આવ્યો. એ દિવસે એના માટે ઊભા થવાનું પણ મુશ્કેલ બની ગયું. રવિવારે માતા-પિતા પ્રાર્થના માટે દેવળમાં જતાં અને મોડેથી આવતાં. તે દિવસે ઘરનું કામકાજ અને રસોઈ વગેરે પણ છોકરાઓ કરતા.

જમવાનો સમય થયો ત્યાં સુધીમાં તો એના પગની હાલત બૂરી થઈ ગઈ. પગ એટલો સૂજી ગયો કે બૂટને કાપીને કાઢવા પડયા. પગ આંગળીઓથી માંડીને છેક સાથળ સુધી સૂજી ગયો હતો. છોકરાનો એક ભાઈ જલદી જલદી ડોક્ટરને બોલાવવા ગયો.

છોકરાની માતા બહુ મક્કમ મનની હતી. સૂજી ગયેલા પગને એણે ધોયો અને પાટો બાંધ્યો. છોકરાના કપાળ પર પરસેવો વળી ગયો હતો એ એણે લૂછયો. છ સંતાનોને એણે એકલે હાથે મોટાં કર્યાં હતાં. તાવમાં, અકસ્માતોમાં, નાના-મોટા રોગોમાં જરાય ગભરાયા વિના એણે છોકરાઓની સારવાર કરી હતી. માથે જ્યારે મુસીબત આવી પડતી ત્યારે એ વધુ ઠરેલ અને મક્કમ મનની બની જતી હતી.

ડોક્ટર કોંકલીન આવી પહોંચ્યા. છોકરાનો પગ એમણે તપાસ્યો, “મને લાગે છે કે, આ તો જશે જ.”

છોકરો પથારીમાં બેઠો થઈ ગયો.

પાકટ વયના ડોક્ટરે થોડી વાર છોકરા સામે જોયું અને ધીમેથી કહ્યું, “જો બેટા, પાક અને સોજો વધશે તો કદાચ પગ કાપી નાખવો પડશે.”

“ના” છોકરાએ જોરથી માથું ધુણાવ્યું. “પગ હું કપાવા નહીં દઉં. ભલે મરી જવું પડે.”

“જોઈએ.” ડોક્ટરે કહ્યું, “પણ જેટલું મોડું થશે એટલો પગનો વધુ ભાગ કાપવો પડશે.”

“મારે પગ કપાવવો જ નથી.” છોકરાએ જીદથી કહ્યું.

ડોક્ટરે માથું ધુણાવ્યું અને ઊઠીને બહાર ગયા. જતી વખતે છોકરાની માને બહાર આવવાનો ઇશારો કરતા ગયા.

બહારના ભાગમાં જઈને ડોક્ટરે માતા-પિતા બંનેને કહ્યું કે છોકરાની હાજરીમાં એમણે વધુ વાત કરી નહોતી, પણ પગ એવી રીતે સડી ગયો હતો કે બને એટલો જલદી કાપી નાખવાનું જરૂરી હતું. જેટલંુ મોડું થાય એટલું ગેરલાભમાં હતું.

એમની વાતચીત ચાલતી હતી ત્યારે અંદરથી બૂમ આવી. “એડ, અહીં આવ તો.”

છોકરાનો મોટો ભાઈ એડગર અંદર ગયો. “જો ભાઈ, આ પીડાને લીધે કદાચ હું બેભાન થઈ જાઉં તો તું ધ્યાન રાખજે, કોઈને મારો પગ કાપવા ન દઈશ. મને વચન આપ.”

થોડી વાર પછી એડગર બહાર આવ્યો અને રસોડામાં ગયો. એ પાછો આવ્યો ત્યારે એની માએ એને પૂછયું, “તારા ભાઈએ શું મંગાવ્યું?”

“ચીસ ન પડાઈ જાય એટલે મોઢામાં રાખવા માટે ચમચો.”

માએ ઊંડો શ્વાસ ખેંચ્યો.

એડગર એના ભાઈના ઓરડાના બારણા પાસે અદબ બીડીને ઊભો રહ્યો અને ડોક્ટર જ્યારે ફરીથી આવ્યા ત્યારે એટલું જ બોલ્યો, “એનો પગ તમે નહીં કાપી શકો.”

“અરે એડ,” ડોક્ટરે કહ્યું, “પણ એનું પરિણામ…”

“ગમે તે આવે.” એડગરે કહ્યું, “મેં એને વચન આપ્યું છે એટલે એનો પગ નહીં કાપી શકાય.”

માતા-પિતા માટે આ થોડી નવાઈની વાત હતી. આજ સુધી કોઈ છોકરાએ ક્યારેય એમનું વેણ ઉથાપ્યું નહોતું. એડગરને એમણે કશું ન કહ્યું. હજી એમના મનમાં પણ પગ કાપવાની વાત બરાબર બેસતી નહોતી, પણ જો એડગર એટલો મક્કમ અને અડગ ન હોત, તો ડોક્ટરની સલાહ કદાચ એમણે સ્વીકારી લીધી હોત.

ડોક્ટરને છોકરાની જીદ ગમતી નહોતી. છતાં એમણે કહ્યું, “ઠીક છે. આજ રાત સુધીમાં રાહ જોઈએ. પગનો સોજો વધે છે કે ઘટે છે તે જોઈએ. પછી નક્કી કરીશું.”

પૂરા બે દિવસ અને બે રાત વીતી ગયાં. એડગર ઓરડાના ઉંબરામાં જ સૂઈ રહ્યો, જમવા માટે પણ ન ખસ્યો. વચન એ વચન.

પણ દર્દીની સ્થિતિ વધારે કથળી. તાવ વધવા માંડયો. છેક પેડુ સુધી પગ સૂજી ગયો. છોકરો બેભાન થઈ ગયો. લવારો કરવા માંડયો. દુઃખથી કણસવા લાગ્યો, પણ એડ મક્કમ રહ્યો. અમેેરિકામાં રાજ્યની સરહદ પર વસનાર માટે પગ વિના જીવવું એ કેટલું મુશ્કેલ હતું, એની એને ખબર હતી.

ડોક્ટર કોંકલીન માટે હવે આ બધી મૂર્ખાઈ સહન કરવાનું મુશ્કેલ હતું. એણે ખિજાઈને કહી દીધું. “આ ખૂન છે. તમે લોકો છોકરાનું ખૂન કરી રહ્યાં છો. હું એમાં ભાગીદાર નહીં થાઉં.” પગ પછાડીને એ ચાલ્યા ગયા.

ઘરનાં બધાંને લાગ્યું કે હવે બીમારીને કોઈ ચમત્કાર જ બચાવી શકે. ડોક્ટરે હાથ ધોઈ નાખ્યા છે. શું કરવું એના વિચારમાં મૂંઝાઈ ગયાં, પણ એ જ વખતે એમણે અચાનક જ યાદ આવ્યું કે એમણે એક વાત બિલકુલ વિસારી દીધી હતી. એમના કુટુંબના વડીલ, જે બીમાર છોકરાના દાદા હતા એમણે એમને એક વાત શીખવી હતી અને એમણે આજ સુધી એ વાત યાદ રાખી હતી. જેનો કોઈ ઇલાજ ન હોય એવા દુઃખનો ઇલાજ ઈશ્વરના નામમાં છે. દરેક નાના-મોટા પ્રસંગે કુટુંબ ઈશ્વરની પ્રાર્થના કરતું હતું. અત્યારે આ કસોટીની પળે એ વાત કેમ ભુલાઈ ગઈ હતી?

બીમારની પથારી પાસે પ્રાર્થનાનો દોર શરૂ થયો. એક વ્યક્તિ કામ કરવા જાય તો બાકીની એક, બે, ત્રણ વ્યક્તિ, જે હાજર હોય એ ઈશ્વર સામે એને બચાવી લેવા વિનંતી કરે.

સમય વીતતો ગયો. પ્રાર્થનાનો દોર ચાલુ રહ્યો. એક પછી એક મસ્તક ઈશ્વર સામે નમતું રહ્યું અને દિલમાંથી આરજૂઓ ઊઠતી રહી. દિવસ વીતી ગયો અને રાત પણ વીતી ગઈ. બીજો દિવસ અને બીજી રાત પણ વીતી ગઈ. દરરોજ તપાસ કરવા આવતાં ડોક્ટરે ત્રીજા દિવસે સવારે છોકરાના પગને જોયો તો એમની અનુભવી આંખો જોતી જ રહી ગઈ. સોજો ઊતરી રહ્યો હતો! ડો. કોંકલીને આંખો મીંચી દીધી અને મસ્તક નમાવીને એમણે ઈશ્વરનો આભાર માન્યો.

છોકરાની તબિયત સુધરવા લાગી. પ્રાર્થનાનો દોર ચાલુ જ રહ્યો.

ફરી રાત પડી. દીવા સળગી ઊઠયા. છોકરાએ આંખો ખોલી. દર્દ થોડું ઓછું થયું હતું. એ ભાનમાં આવતો હતો. પગનો સોજો ઘટી રહ્યો હતો.

ત્રણ અઠવાડિયાં વીતી ગયાં. ફિક્કા છતાં મજબૂત મનવાળા એ છોકરાએ ધીરે ધીરે હરવા-ફરવાનું શરૂ કર્યું. મૃત્યુના મુખમાંથી એ પાછો આવ્યો હતો. એનો પગ હવે સારો થતો જતો હતો અને એના ચહેરા ઉપર એનો આનંદ વર્તાતો હતો. ભવિષ્યમાં અમેરિકાની સેનાનો એ સેનાધિપતિ બનવાનો હતો. અમેરિકાનો પ્રમુખ પણ બનવાનો હતો. એક વાર નહીં પણ બે વાર. એનું નામ આઇઝન હોવર, ડ્વાઇટ ડી. આઇઝન હોવર હતું.

આને જો કોઈ મનોબળનો ચમત્કાર કહે તો એવું મનોબળ કઈ રીતે પ્રગટ થઈ શક્યું એનો વિચાર કરવો જોઈએ, કારણ કે દરેક દર્દીમાં આવું અસાધારણ મનોબળ હોતું નથી. મનોબળ એ મિલકત જેવી વસ્તુ છે. એ કોઈને મળે છે, તો કોઈ એને મેળવી પણ શકે છે.

અને જો આને પ્રાર્થનાનો ચમત્કાર ગણીએ તો માણસે એવી રીતે પ્રાર્થના કરવી જોઈએ.

સાભાર: સંદેશ


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…સુવાવડ, પેશાબ, શ્વેત પ્રદર, નબળાઈ જેવા સ્ત્રી રોગો માટે 25+ ઘરેલૂ નુસખા

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

બધાયના લગ્ન થાય છે, તમારા જ ન થતા હોય તો લગ્નની ઈચ્છા આડેની બાધા દૂર કરવાના, આ છે સરળ ઉપાયો

couple1

બધાયના લગ્ન થાય છે, તમારા જ ન થતા હોય તો કરો આ 8 ખાસ ઉપાયો

લગ્નની ઉંમર થઈ ગઈ છે અને તમે લગ્ન કરવા ઈચ્છો છો તો તમારે વાસ્તુના આ 8 નિયમોને અજમાવવા જોઈએ. આ નિયમો અપનાવવાથી તમને તમારો મનપસંદ જીવનસાથી મળશે અને જલ્દી જ તમારા તેની સાથે લગ્ન પણ થઈ જશે, તો ચાલો જાણીએ આ 8 નિયમ ક્યા ક્યા છે…

1. વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર મુજબ લગ્ન કરવા ઈચ્છુક યુવક યુવતીઓએ કાળા રંગના વસ્ત્રોના ઉપયોગ ઓછા કરવા જોઈએ. તેનું કારણ એ છે કે કાળો રંગ શનિ, રાહુ અને કેતુ આ ત્રણ ગ્રહોનું પ્રતિનિધિત્વ કરે છે, જે લગ્નમાં બાધક હોય છે. જો તમે પ્રેમ લગ્ન કરવા ઈચ્છતા હોવ અથવા પારંપરિક લગ્ન બંને સ્થિતિઓમાં આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

2. કુંવારા યુવક-યુવતીઓ જે ઘરથી દૂર રહીને નોકરી અથવા અભ્યાસ કરી રહ્યા હોય, તેઓ કાયમ શેરિંગમાં હેતા હોય છે એટલે કે ભાડના ધરમાં મિત્રોની સાથે રહેતા હોય છે. જો તમે પણ આ રીતે રહેતા હોવ તો તમારે લગ્નમાં આવતા વિઘ્નોને દૂર કરવા માટે મનગમતો જીવનસાથી મેળવવા માટે પોતાનો બેડ બારણાંની નજીક લગાવવો જોઈએ.

જાણો જલ્દી મનગમતા જીવનસાથી પ્રાપ્ત કરવા માટેના અન્ય વાસ્તુ ઉપાયો…

3. લગ્નની ઈચ્છા રાખનાર વ્યક્તિઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે લગ્નની વાત કરવા જે લોકો ઘરે આવ્યાં હોય તેમને એવી રીતે બેસાડવા કે તેમનું મુખ ઘરની અંદરની તરફ હોય. લગ્નની વાત કરવા આવેલા લોકોનું મુખ બહારની તરફ હોવા પર વાત પાક્કી થવાની શક્યતા ઓછી થઈ જાય છે. જેમના લગ્નમાં વિઘ્નો આવતા હોય તેમણે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

4. પ્રેમી-પ્રેમિકાઓમાં ફૂલ ખાસ કરીને ગુલાબના ફૂલ આપવા સામાન્ય વાત છે. જો તમે પણ પોતાના પ્રેમી અથવા પ્રેમિકાને ગુલાબનું ફૂલ આપો છો તો પ્રેમની સફળતા માટે ફૂલ આપતી વખતે તેમાંથી કાંટા નીકાળી દેવા. ફૂલો દ્વારા એવા લોકો પોતાના લગ્નજીવનને પણ ખુશહાલ બનાવી શકે છે જેમની વચ્ચે પરસ્પર મતભેદ વધી ગયા હોય. આવા લોકો ગુલાબની જગ્યાએ લિલી અથવા ઓર્કિડના ફૂલનું બુકે ભેટમાં આપે અથવા તેનાથી પોતાના બેડરૂમને સજાવે.

5. લગ્ન કરવાના ઈચ્છુક યુવક-યુવતીઓએ સૂતી વખતે પોતાના પગને ઉત્તરની તરફ અને માથાને દક્ષિણ દિશાની તરફ રાખવું જોઈએ.

6. મનગમતા જીવનસાથી સાથે લગ્ન કરવા અને જલ્દી લગ્ન કરવા માટે અપરિણીત યુવક-યુવતીઓએ એવા રૂમમાં સૂવું જેમાં એક કરતા વધુ બારણઆં હોય.

7. વાસ્તુવિજ્ઞાન મુજબ લગ્ન કરવાના ઈચ્છુક વ્યક્તિઓએ પોતાના રૂમમાં ગુલાબી, લાઇટ યેલો, સફેદ તથા બ્રાઇટ રંગ કરાવવા જોઈએ.

8. લગ્ન ઈચ્છુક યુવક-યુવતીઓએ પોતાના ઘરના દક્ષિણ પશ્ચિમ ભાગમાં લાલ ફૂલની પેઇન્ટિંગ લગાવવી જોઈએ.

યુવક યુવતીઓને લગ્નની ઈચ્છા આડેની બાધા દૂર કરવાના, આ છે સરળ ઉપાય

ઘરમાં કોઈ વાસ્તુદોષ હોય તો પણ લગ્ન સંબંધી અડચણો આવે છે, કરો ઉપાય

આજે ઘણા યુવક-યુવતીઓના લગ્ન યોગ્ય ઉંમરે વિવાહ થઈ જાય તો ઘણી સમસ્યાઓ અને ચિંતાઓ હળવી થઈ જાય છે, પરંતુ દરેક યુવક-યુવતીઓના લગ્ન સમયસર થાય તે જરૂરી નથી. ઘણા કિસ્સામાં તો લગ્ન માટેનાં માંગાં જ નથી આવતાં, તો કેટલાકમાં યુવક-યુવતીઓને સગાઈ થઈ ગઈ હોય તો પણ વાત બગડી જતી હોય છે. એવી વખતે ગ્રહોની સ્થિતિ અને નસીબને કારણભૂત ગણવામાં આવે છે.

જો કોઈ યુવક કે યુવતીનો લગ્ન સંબંધ નક્કી ન થઈ રહ્યો હોય, દરેક વખતે વિવાહ માટેનો પ્રસ્તાવ આવે ત્યારે કોઈ ને કોઈ બાધા ઉત્પન્ન થતી હોય અથવા વધારે ઉંમર થવા છતાં યુવક કે યુવતીના વિવાહ કોઈ કારણસર ન થઈ રહ્યા હોય ત્યારે માતા-પિતા, ભાઈ-બહેન સહિત પરિવારજનો નિરાશ થઈ જાય છે. આવા સમયે નિરાશ થવાને બદલે જ્યોતિષશાસ્ત્રમાં વર્ણિત ઝડપથી લગ્નના ઉપાયો કે પ્રયોગો કરવામાં આવે તો થોડા જ સમયમાં ઢોલ ઢબૂકશે, શરણાઈના સૂર રેલાશે અને લગ્નગીતો ગવાશે. શીઘ્ર વિવાહ માટે જ્યોતિષશાસ્ત્રમાં મંત્રજાપ, દેવપૂજન, દાન વગેરેની સાથે સરળ ઉપાયો અજમાવવાનું પણ વિધાન છે. તેનાથી યુવક કે યુવતીના સંબંધ કે વિવાહ આડેની બાધાઓ દૂર થાય છે.

યુવક અને યુવતીઓ માટેના અસરકારક ગ્રહસંબંધી ઉપાયો-

જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈ ગ્રહ બાધાને કારણે સંબંધ ન થતો હોય તો નીચેના ઉપાયો અજમાવવાથી શરણાઈના સૂર જરૂર રેલાશે.

-જો કોઈ યુવક કે યુવતીની કુંડળીમાં સૂર્યને કારણે વિવાહમાં બાધા આવતી હોય તો દરરોજ બ્રહ્મમુહૂર્તમાં સૂર્યને જળ ચઢાવવું જોઈએ અને ‘ૐ સૂર્યાય નમઃ ।’ મંત્રનો જાપ કરવો જોઈએ.

-કુંડળીમાં મંગળને કારણે વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તો ચાંદીનો ચોરસ ટુકડો હંમેશાં પોતાની પાસે રાખવો. તેનાથી વિવાહ શીઘ્ર નક્કી થશે.

-સૂર્યની બાધા હોય અને સંબંધની વાત આવે ત્યારે થોડો ગોળ ખાઈ અને પાણી પીને જવું જોઈએ. સાથે યુવક કે યુવતીની માતાએ સંબંધ નક્કી ન થાય ત્યાં સુધી ગોળ ખાવાનું છોડી દેવું જોઈએ.

-તાંબાનો ચોરસ ટુકડો જમીનમાં દાટી દેવાથી સૂર્યની બાધા સમાપ્ત થાય છે અને વિવાહ જલદી ગોઠવાય છે.

-દરેક શનિવારે શિવલિંગ પર કાળા તલ ચઢાવો, તેનાથી શનિની બાધા સમાપ્ત થઈ જશે અને સંબંધ જલદી નક્કી થશે.

-શનિવારે વહેતા જળમાં નારિયેળ વહાવવાથી રાહુની બાધા દૂર થાય છે અને વિવાહ જલદી ગોઠવાય છે.

-એક જ બાજુએ શેકેલી આઠ ગળી રોટલીઓ કૂતરાને ખવડાવવી.

-શનિવારના દિવસે કાળા કપડામાં આખી અડદ, લોખંડ, કાળા તલ અને સાબુ બાંધીને તેનું ગરીબ વ્યક્તિને દાન કરવું.

-કાળા ઘોડાની નાળમાંથી બનાવેલો છલ્લો જમણા હાથની મધ્યમા આંગળીમાં પહેરવો.

યુવતીના વિવાહ માટેનો ઉપાય-

-જો કોઈ કન્યાના વિવાહ સમયસર ન ગોઠવાય તો માતા-પિતાને ચિંતા થાય તે સ્વાભાવિક છે. વર્તમાન સમયમાં તો આ સમસ્યા સામાન્ય બની ગઈ છે. જો તમે ઇચ્છતા હો કે તમારી દીકરીનો સંબંધ કોઈ સારા ઘરમાં ગોઠવાઈ જાય તો નીચેનો પ્રયોગ જરૂર કરો.

સુદ પક્ષના પહેલા ગુરુવારે સાત કેળાં, સાતસો ગ્રામ ગોળ અને એક નારિયેળ લઈને કોઈ નદી અથવા સરોવર પર જાઓ. હવે કન્યાને વસ્ત્ર સહિત નદીના જળથી સ્નાન કરાવીને તેના ઉપરથી ચોટલીવાળું નારિયેળ ઉતારીને નદીમાં વહાવી દો. તેની સાથે થોડો ગોળ તથા એક કેળું ચંદ્રદેવના નામે તથા તેટલી જ સામગ્રી સૂર્યદેવના નામે નદીના કિનારે મૂકીને તેમને પ્રણામ કરો. હવે બચેલા ગોળમાંથી થોડો ગોળ કન્યાએ ખાવો અને બાકી બચેલી સામગ્રી ગાયને ખવડાવી દેવી. આ ઉપાય કરવાથી કન્યાનો સંબંધ સારા ઘરમાં ગોઠવાશે.

-જે કન્યાના વિવાહ ન થઈ રહ્યાં હોય તેણે ભગવતી પાર્વતીની ર્મૂતિ અથવા તસવીરની સમક્ષ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને નીચે જણાવેલા મંત્રનો અગિયારમાળા જાપ દસ દિવસ સુધી સતત કરવો.

મંત્રઃ હે ગૌરિ શંકરાર્દ્ધાગિ યથા શંકરપ્રિયા ।
તથા માં કુરુ કલ્યાણિ કાન્તકાન્તાં સુદુર્લભામ્ ।।

યુવકના વિવાહ માટેનો ઉપાય-

હિન્દુ ધર્મમાં વિવાહને સોળ સંસ્કારોમાં મહત્ત્વનો સંસ્કાર માનવામાં આવે છે. દરેક માતા-પિતાની ઇચ્છા હોય છે કે તેમના દીકરાનાં લગ્ન ધામધૂમથી થાય, પરંતુ ક્યારેક કેટલાંક કારણોસર તેમનો સંબંધ યોગ્ય સમયે ગોઠવાતો નથી. જો આવું તમારા દીકરા સાથે થઈ રહ્યું હોય તો નીચેનો પ્રયોગ જરૂર અજમાવો.
કુંભાર જે લાકડી વડે ચાકડો ફેરવતો હોય તેને કોઈને જાણ ન થાય તે રીતે મેળવી લો. ત્યારબાદ ઘરનો કોઈ ખૂણો સાફ કરીને ત્યાં આ લાકડી સૌભાગ્યની વસ્તુઓથી સજાવીને તેને એક રીતે કન્યાનું સ્વરૂપ આપીને ખૂણામાં ઊભી મૂકીને ગોળ અને ચોખાથી તેની પૂજા કરો. આ પ્રયોગ અજમાવવાથી વિવાહયોગ્ય યુવકના વિવાહ જલદી ગોઠવાય છે. જો ચાલીસ દિવસમાં તમારી ઇચ્છા પૂરી ન થાય તો આ પ્રયોગ ફરીથી કરો. આ પ્રક્રિયા સાત વાર સુધીમાં અવશ્ય શુભ ફળ આપે છે.

-જે યુવકના વિવાહ કે સંબંધ નક્કી ન થઈ રહ્યો હોય તેણે નીચેના મંત્રનો સતત દસ દિવસ સુધી અગિયારમાળા જાપ કરવો જોઈએ.

મંત્રઃ-

ૐ ક્લીં પત્ની મનોરમ દેહિ મનોવૃત્તાનુસારિણીમ્ ।
તારણી દુર્ગ સંસાર સાગરસ્ય કુલાદ્ધવામ્ ।।

ઘરમાં કોઈ વાસ્તુદોષ હોય તો પણ લગ્ન સંબંધી અડચણો આવે છે, કરો ઉપાય-

શીઘ્ર વિવાહ માટે વાસ્તુના અચૂક ઉપાય-

વિવાહ જીવનની એક મહત્ત્વની બાબત છે. જો વિવાહમાં અથવા વિવાહ નક્કી થવામાં અડચણો આવતી હોય તો તેનાં અનેક કારણો હોઈ શકે છે. તેમાંથી એક કારણ વાસ્તુદોષ પણ છે. જો આ વાસ્તુદોષોને જાણીને દૂર કરવામાં આવે તો જેના વિવાહ નક્કી ન થઈ રહ્યા હોય તેના વિવાહ શીઘ્ર નક્કી થાય છે. તેના માટે અહીં જણાવેલા વાસ્તુના અચૂક ઉપાયો અજમાવવા જોઈએ.

-જો વિવાહસંબંધની બાબતમાં બાધાઓ આવતી હોય તો સંબંધની વાત માટે જ્યારે અતિથિ ઘરે આવે ત્યારે તેમને એ રીતે બેસાડવા જોઈએ કે જેથી તેમનું મુખ ઘરની અંદરની તરફ રહે. તેમને દ્વાર ન દેખાવો જોઈએ.

-મંગળદોષને કારણે વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તો રૂમના દરવાજાનો રંગ લાલ અથવા ગુલાબી રાખવો જોઈએ.

-વિવાહયોગ્ય યુવક કે યુવતીના રૂમમાં કોઈ પણ પ્રકારની ખાલી ટાંકી, મોટું ખાલી વાસણ ઢાંકણું વાખીને ન રાખવું. રૂમમાં કોઈ ભારે વસ્તુ કે સામાન હોય તો તેને હટાવી દેવો જોઈએ.

-વિવાહયોગ્ય યુવક કે યુવતી જે પલંગ પર સૂતાં હોય તેની નીચે લોખંડની કોઈ વસ્તુ કે નકામો સામાન ન રાખવો. તેમના પલંગ નીચેની જગ્યા ખાલી જ રાખવી.

-જો વિવાહ પહેલાં સંબંધની વાત માટે યુવક-યુવતી એકબીજાને મળે એટલે કે ઇન્ટરવ્યૂ લે ત્યારે તેમની બેસવાની વ્યવસ્થા એ રીતે ગોઠવવી જોઈએ કે જેથી તેમનું મુખ દક્ષિણ દિશા તરફ ન રહે.

-ઘરના મુખ્ય દ્વારની નજીક જ વાસ્તુદોષ હોય તો વિવાહની વાત અન્ય કોઈના ઘરે કરવી જોઈએ.

-ઘરમાં જવાન યુવતી હોય, તે સર્વગુણ સંપન્ન હોય છતાંય તેનાં લગ્ન ન થઈ રહ્યાં હોય તો તેના પલંગ પર પીળા રંગની ચાદર પાથરવી. કન્યાને આ ચાદર પર જ સૂવા માટે કહેવું. સાથે સાથે તેના રૂમની દીવાલોનો રંગ પણ આછો શક્ય હોય તો આછો પીળો રાખવો. એક વાતનું ધ્યાન રાખવું કે તેનો રૂમ વાયવ્ય ખૂણામાં જ હોવો જોઈએ. જીવનમાં પીળો રંગ સફળતાનો સૂચક કહેવાય છે. પીળો રંગ ભાગ્યમાં વૃદ્ધિ કરે છે. કન્યાના લગ્નમાં પીળા રંગનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ, તેનાથી કન્યા તેની સાસરીમાં સુખી થાય છે.
વિવાહ ર્નિવિઘ્ને થવાની શુભ સૂચના હળદરથી સંપન્ન થાય છે, કારણ કે હળદરને ગણેશજીની ઉપસ્થિતિ માનવામાં આવે છે અને જે કાર્યમાં સ્વયં શ્રીગણેશજી ઉપસ્થિત હોય, તે કાર્યમાં વળી વિઘ્ન કેવાં! લક્ષ્મી, અન્નપૂર્ણા પણ હરિદ્રા કહેવાય છે.

શ્રીસૂક્તમાં વર્ણન કરવામાં આવ્યું છે કે લક્ષ્મીજીએ પીળાં વસ્ત્રો ધારણ કર્યાં છે. આના પરથી હળદરનું અને પીળા રંગનું મહત્ત્વ સમજી શકાય છે. આટલું જ નહીં, બૃહસ્પતિ (ગુરુ)નો રંગ પણ પીળો છે, એટલે જ તો પીળા રંગનો પોખરાજ ધારણ કરવાથી બૃહસ્પતિની કૃપા પ્રાપ્ત થાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

સ્ત્રી-પુરૂષના શરીરનો આ ગુપ્ત ભાગ જણાવે છે તેમના છુપા રહસ્યો+સ્વભાવ!
સાવધાન: સ્ત્રી-પુરૂષના મનમાં દબાયેલાં આ 26 દોષ કરાવે છે, ન કરવાના ખરાબ કામ!

સામુદ્રીકશાસ્ત્ર કહે છે-શરીરે આવા લક્ષણો ધરાવતી સ્ત્રીઓ હોય છે અશુભ!
પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

રોજ કરો આ પાંચ પરંપરાગત કામ, ચમકશે તમારી કિસ્મત ને મળશે શુભફળ!

gm106

એવું માનવામાં આવે છે કે દિવસની શરૂઆત સારી હોય તો આખો દિવસ સૌથી સારો રહે છે. આ વાતને ધ્યાનમાં રાખીને જ પ્રાચીન સમયથી જ કેટલીક પરંપરાઓ બનાવવામાં આવી છે. આ પરંપરાગત કામોને નિયમિત રીતે કરવાથી ચમત્કારી રીતે શુભફળ પ્રાપ્ત થાય છે. આવો જાણીએ પાંચ પરંપરાગત કામ, જે રોજ સવાર-સવારમાં જ કરવા જોઈએ. આ કામોથી તમે દિવસભર ભાગ્યશાળી બનીને રહી શકો છો.

દહીં ખાઈને નિકળોઃ-

ઘરેથી બહાર નિકળતા પહેલા દહીંનું સેવન ચોક્કસ કરવું જોઈએ. આ પરંપરા ઘણી જૂના સમયથી ચાલી આવી રહી છે. દહીંને પવિત્ર માનવામાં આવે છે. તેની પવિત્રતા અને સ્વાદથી મન પ્રસન્ન થાય છે. તેને લીધે જ તેને પૂજા સામગ્રીઓમાં પણ ખાસ સ્થાન પ્રાપ્ય છે. દહીં ખાવાથી વિચારો સકારાત્મક બને છે અને નકારાત્મક વિચારોથી મુક્તિ મળી જાય છે. તમે પછી દહીંમાં ખાંડ મેળવી શકો છો.

તુલસીની પૂજા કરો અને તેના પાનનું સેવન કરો

સામાન્ય રીતે તુલસીનો છોડ બધાના ઘરમાં હોય છે. શાસ્ત્રો પ્રમાણે તુલસીને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. જે ઘરમાં તુલસીની પૂજા દરરોજ થાય છે, ત્યાં મહાલક્ષ્મીની કૃપા બની રહે છે. રૂપિયા સાથે સંબંધિત પરેશાનીઓ ઘરમાં નથી બનતી. તુલસી એક ઔષધીય છોડ પણ છે. દરરોજ તુલસીના પાનનું સેવન કરવાતી અનેક રોગોથી બચાવ થાય છે.સાથે જ, તુલસીથી પુણ્ય લાભ પણ પ્રાપ્ત થાય છે.

ઘરના મંદિરમાં વિરાજિત ભગવાનના દર્શન કરોઃ-

ઘરના મંદિરમાં વિરાજિત દેવી-દેવતાઓના દર્શન દરરોજ કરવા જોઈએ. ઘરેથી નિકળતા પહેલા એકવાર તેમની સામે કાર્યમાં સફળતાની પ્રાર્થના કરવામાં આવે તો વ્યક્તિનો દિવસ શુભ રહે છે. ભગવાનની કૃપા બની રહે છે.

ઘરેથી બહાર નિકળતા પહેલા જમણો પગ બહાર રાખોઃ-

કોઈપણ કાર્યની શરૂઆત જમણા હાથે અને જમણા પગેથી આગળ વધારીને કરવામાં આવે તો સફળતા મળવાની સંભાવનાઓ વધી જાય છે. શાસ્ત્રો પ્રમાણે જો ધાર્મિક કર્મ જમણા હાથેથી કરવામાં આવે તો અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. એવી જ રીતે ઘરેથી નિકળતા પહેલા જમણો પગ બહાર રાખવાનું પણ શુભ માનવામાં આવે છે. એમ કરવાથી કાર્યોની પ્રત્યે સકારાત્મક વિચારસરણી પણ બને છે.

માતા-પિતા તથા વડીલોના આશીર્વાદ લોઃ-

દરરોજ ઘરેથી નિકળતા પહેલા માતા-પિતાના આશીર્વાદ લેવા જોઈએ. જે લોકોથી તેમના માતા-પિતા પ્રસન્ન રહે છે, તેમનાથી બધા દેવી-દેવતાઓ પણ પ્રસન્ન રહે છે. તેનાથી વિપરિત જે લોકો માતા-પિતાનું સન્માન નથી કરતા તેને દુઃખ પહોંચાડે છે તેઓને ક્યારેય પણ સુખ પ્રાપ્ત નથી થતું. આથી ઘરેથી નિકળતા પહેલા માતા-પિતા અને વડીલોના પગે લાગીને આશીર્વાદ લેવા ખૂબ જ શુભ હોય છે. માતા-પિતાના આશીર્વાદથી બધા પ્રકારની બલાઓ દૂર થઈ જાય છે અને કાર્યોમાં સફળતા મળવાના યોગ બને છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

કલકત્તાની નવજાત બાળકી, કમનસીબ માં અને ત્રણ શ્વાનબંધુઓની ૧૯૯૬ની અદભૂત સત્યઘટના.

shwan1

આ અક્લ્પનીય અદભૂત અને હૃદયસ્પર્શી વાત છે ૧૯૯૬ની સાલ ની…!!!

કલકત્તામાં ઍક નવજાત જન્મેલ બાળકીને રાત્રે અંધારામાં તેની કમનસીબ માં ઍ કચરાપેટી ની બાજુમાં મૂકી જતી રહી હતી.

નવજાત બાળકીની આવી સ્થિતિમાં ફરિસ્તા બનીને આવ્યા શહેરના ત્રણ રખડતા કુતરાઓ…!!

આ કુતરાઓ નવજાત બાળકીનુ તેની માંની બદલે તેઓ રખવાળુ કરવા લાગ્યા.

આ ત્રણ કુતરાઓ ઍ ૨૩ મે ની રાત થી ૨૪ મે ની સવાર સુધી ત્યા સુધી સાચવી રાખી જ્યા સુધી ત્યાંના લોકોઍ સવારે ત્યાના બૂર્ટોલ્લા પોલીસ સ્ટેશનમાં સુપરત ના કરી.

કોઈ માણસ સાચવે ઍમ આ ત્રણ શ્વાનબંધુઓ ઍ નવજાત બાળકીના પાલક બન્યા હતા.

તસ્વીરમાં ઍ ત્રણ શ્વાનબંધુઓ તથા નવજાત જન્મેલ બાળકી નજરે પડે છે.


A newborn baby girl was abandoned by a dustbin in Kolkata in 1996. Three street dogs protected her all night from the night of 23rd May, 1996 to 24th May, 1996 morning. The three dogs followed like responsible guardians when some people of the locality rescued the new born baby girl and took her to the Burtolla Police Station.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
ब्रह्मांड के कई ग्रहों पर मौजूद है एलियंस, पुराणों में छिपा है रहस्य…!!!
है क्या ये..!!! आप कल्पना नही कर पाएँगे…!!! NO ONE BELIEVE…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
તમારૂ મગજ માની ના શકે તેવા કલ્પનાતીત તથ્યો…!!!
અચરજ પમાડે તેવા માનવશરીરનાં રહસ્યો…!!!
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
રહસ્યમય ઈશ્વરીય સર્જન તાકાતવર ઍનાકોન્ડાની દુર્લભ તસ્વીર…!!!
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!

 

नेपोलियन बोनापार्ट के 59 अनमोल विचार और कथन (Napoleon Bonaparte 59 Quotes and Thoughts in Hindi)

Napoleon Bonaparte  (15 Aug.1769 - 05 May 1821)
Napoleon Bonaparte
(15 Aug.1769 – 05 May 1821)

नेपोलियन बोनापार्ट फ्रान्स की क्रान्ति में सेनापति थे। 11 नवम्बर 1799 से 18 मई 1804 तक प्रथम कांसल के रूप में शासक, और 18 मई 1804 से 6 अप्रैल 1814 तक नेपोलियन प्रथम के नाम से सम्राट रहे। ये यूरोप के अन्य कई क्षेत्रों के भी शासक थे। इतिहास में नेपोलियन विश्व के सबसे महान सेनापतियों में गिने जाते है। इनका नाम इतिहास के सबसे महान विजेताओं में था। इनके सामने कोई रुक नहीं पा रहा था। 18 जून 1815 में वॉटर लू के युध मे पराजय के पश्चात अंग्रज़ों ने इन्हे सेंट हेलेना, अन्ध महासागर के दूर द्वीप में बन्दी बना दिया। जहां छः वर्ष के पश्चात उनकी मृत्यु हो गई थी। इतिहासकारों के अनुसार अंग्रेज़ों ने उन्हे संखिया (आर्सीनिक) का विष देकर मार डाला।

नेपोलियन बोनापार्ट के अनमोल विचार और कथन

Quote 1: असंभव शब्द सिर्फ बेवकूफों के शब्दकोष में पाया जाता है।

Quote 2: यदि आप 100 शेरो की एक सेना बनाते है जिसका सेनापति एक कुत्ता है तो युद्ध में सारे शेर कुत्तों की मौत मारे जाएंगे। लेकिन यदि आप 100 कुत्तों की एक सेना बनाते है जिसका सेनापति एक शेर है तो सारे कुत्ते युद्ध में शेर की तरह लड़ेंगे।
Quote 3: कोई व्यक्ति सिर्फ चाह कर नास्तिक नहीं बन सकता।

Quote 4: कोई व्यक्ति अपने अधिकारों से ज्यादा अपने हितों के लिए लडेगा।

Quote 5: एक तस्वीर हज़ार शब्दों के बराबर होती है।

Quote 6: अनजानी राहो पर वीर ही आगे बड़ा करते है कायर तो परिचित राह पर ही तलवार चमकाते है।

Quote 7: एक सिंघासन महज मखमल से ढंकी एक बेंच है।

Quote 8: एक सच्चा आदमी किसी से नफरत नहीं करता।

Quote 9: अवसर के बिना काबिलियत कुछ भी नहीं है।

Quote 10: जो अत्याचार पसंद नहीं करते, उनमे से कई ऐसे होते हैं जो अत्याचारी होते हैं।

Quote 11: सारे धर्म इंसानों द्वारा बनाये गए हैं।

Quote 12: एक सेना अपने पेट के बल पर आगे बढती है।

Quote 13: मौत कुछ भी नहीं है , लेकिन हार कर और लज्जित होकर जीना रोज़ मरने के बराबर है।

Quote 14: अगली दुनिया में हम सेनापतियों से ज्यादा चिकित्सकों को लोगों की जिंदगियों के लिए जवाब देना होगा।

Quote 15: किसी कार्य को खूबसूरती से करने के लिए मनुष्य को उसे स्वयं करना चाहिये।

Quote 16: हज़ार छूरों की तुलना में चार विरोधी अखबारों से अधिक डरना चाहिए।

Quote 17: जितनी मुझे फ्रांस की ज़रुरत नहीं है उससे ज्यादा फ्रांस को मेरी ज़रुरत है।

Quote 18: जिसे जीत जाने का भय होता है उसकी हार निश्चित होती है।

Quote 19: वो जो प्रशंसा करना जानता है, वह अपमानित करना भी जानता है।

Quote 20: इतिहास सहमती से किया गया झूठ का संग्रह है।

Quote 21: मैं कभी लोमड़ी बनता हूँ तो कभी शेर। शासन का पूरा रहस्य ये जानने में है कि कब क्या बनना है।

Quote 22: अब मैं आज्ञा का पालन नहीं कर सकता, मैंने आज्ञा देने का स्वाद चखा है, और मैं इसे छोड़ नहीं सकता।

Quote 23: मैंने अपने सभी सेनापति कीचड से बनाये हैं।

Quote 24: अगर आप चाहते हैं कि कोई चीज अच्छे से हो तो उसे खुद कीजिये।

Quote 25: कल्पना दुनिया पर शासन करती है।

Quote 26: संविधान छोटा और अस्पष्ट होना चाहिए।

Quote 27: राजनीति में मूर्खता एक बाधा नहीं है।

Quote 28: राजनीति में कभी पीछे ना हटें, कभी अपने शब्द वापस ना लें…और कभी अपनी गलती ना मानें।

Quote 29: ये कारण है, ना कि मौत, जो किसी को शहीद बनाता है।

Quote 30: मरने की तुलना में कष्ट सहने के लिए ज्यादा साहस चाहिए होता है।

Quote 31: आदमी अपनी अच्छाइयों से ज्यादा अपनी बुराइयों द्वारा आसानी से शासित होता है।

Quote 32: कभी भी जब आपका शत्रु कोई गलती कर रहा हो तो उसके काम में बाधा मत डालिए।

Quote 33: ताकत मेरी रखैल है। मैंने उसे पाने के लिए इतनी मेहनत की है कि कोई उसे मुझसे छीन नहीं सकता।

Quote 34: धर्म आम लोगों को शांत रखने का एक उत्कृष्ट साधन है।

Quote 35: सम्पन्नता धन के कब्जे में नहीं उसके उपयोग में है।

Quote 36: आमतौर पर सिपाही लड़ाइयाँ जीतते हैं; सेनापति उसका श्रेय ले जाते हैं।

Quote 37: अपने वचन को निभाने का सबसे अच्छा तरीका है कि वचन ही ना दें। लेकिन वह काम कर दीजिये।

Quote 38: निर्धन रहने का एक पक्का तरीका है कि ईमानदार रहिये।

Quote 39: मेरे शब्दकोष में असंभव शब्द नहीं है।

Quote 40: जब रात को आप अपने कपडे फेंकते हैं तो उसी वक़्त अपनी चिंताओं को भी फेंक दीजिये।

Quote 41: वो सब कुछ करना जो आप कर सकते हैं , इंसान होना है। वो सब कुछ करना जो आप करना चाहते हैं , भगवान् होना है।

Quote 42: जीत उसे मिलती है जो सबसे दृढ रहता है।

Quote 43: युद्ध असभ्यों का व्यापार है।

Quote 44: एक सिपाही एक रंगीन रिबन के लिए दिलो जान से लडेगा।

Quote 45: इंग्लैंड दुकानदारों का देश है।

Quote 46: इतिहास विजेताओं द्वारा लिखा गया हैं।

Quote 47: औरतें और कुछ नहीं, केवल बच्चे पैदा करने की मशीन है।

Quote 48: एक लीडर आशा का व्यापारी होता है।

Quote 49: आपको अपने किसी भी दुशमन से ज्यादा लड़ाइयां नहीं लड़नी चाहिए, अन्यथा आप उसे अपना पूरा युद्ध कौशल सीखा देंगे।

Quote 50: आप एक युद्ध नेतृत्व नहीं कर सकते यदि आप सोचते है की आप घोड़े पर बैठे हुए मुर्ख दिख रहे है।
Quote 51: एक सच्चा आदमी किसी से नफरत नहीं करता है।

Quote 52: शेर द्वारा संचालित भेड़ों की सेना, भेड़ द्वारा संचालित शेरो की सेना से हमेशा जीतेगी।

Quote 53: साहस, प्यार के समान है दोनों को आशा रूपी पोषण आवशयकता होती है।

Quote 54: किसी भी इंसान को अपनों श्रेष्ठता बनाए रखने के लिए हर 10 साल में अपनी रणनीति बदल लेनी चाहिए।

Quote 55: जय क्षणभंगुर है, लेकिन अन्धकार हमेशा के लिए है।

Quote 56: सच्चा ज्ञान दृढ़ संकल्प है।

Quote 57: शरीर के लिए सबसे अच्छा इलाज़ एक शांत मन है।

Quote 58: पिरामिडों की इन ऊंचाइयों से चालीस सदियाँ हमे देख रही है।

Quote 59: राजनीति में कभी पीछे नहीं हटना, कभी अपने शब्द वापस नहीं लेना और कभी अपनी गलती नहीं स्वीकारना।

ऐ पी जे अब्दुल कलाम के 64 अनमोल विचार (64 QUOTES OF A P J ABDUL KALAM IN HINDI)

प्लेटो के 100 अनमोल विचार और कथन (100 QUOTES AND THOUGHTS OF PLATO IN HINDI)

ऐ पी जे अब्दुल कलाम के 64 अनमोल विचार (64 Quotes of A P J Abdul Kalam in Hindi)

ऐ पी जे अब्दुल कलाम (A P J Abdul Kalam)
ऐ पी जे अब्दुल कलाम (A P J Abdul Kalam)

भारत के पूर्व राष्ट्रपति, महान वैज्ञानिक और शिक्षक ऐ पी जे अब्दुल कलाम किसी परिचय के मोहताज़ नहीं है। यह भारत के सबसे पसंदीदा युथ आइकॉन है। इन्होने अपनी मेहनत, लगन और इच्छा शक्ति से अर्श से शिखर तक का सफर तय किया है। इन्होने बहुत सी ऐसी बाते कही है जिन्हे अपने जीवन में अपनाकर कोई कामयाबी के शिखर तक पहुँच सकता है। हमने यहाँ पर इनके ऐसे ही विचारो का संकलन किया है। ऐ पी जे अब्दुल कलाम से सम्बंधित किताबे आप फ्लिपकार्ट स खऱीद सकते हैं।

Quote 1 : इससे पहले की सपने सच हो आपको सपने देखने होंगे।

Quote 2 : सपना वो नहीं है जो आप नींद में देखे, सपने वो है जो आपको नींद ही नहीं आने दे।

Quote 3 : इंतज़ार करने वालो को सिर्फ उतना ही मिलता है, जितना कोशिश करने वाले छोड़ देते है।

Quote 4 : एक अच्छी पुस्तक हज़ार दोस्तों के बराबर होती है जबकि एक अच्छा दोस्त एक लाइब्रेरी (पुस्तकालय) के बराबर होता है

Quote 5 : जीवन में कठिनाइयाँ हमे बर्बाद करने नहीं आती है, बल्कि यह हमारी छुपी हुई सामर्थ्य और शक्तियों को बाहर निकलने में हमारी मदद करती है, कठिनाइयों को यह जान लेने दो की आप उससे भी ज्यादा कठिन हो।

Quote 6 : आत्मविश्वास और कड़ी मेहनत, असफलता नामक बिमारी को मारने के लिए सबसे बढ़िया दवाई है। ये आपको एक सफल व्यक्ति बनाती है।

Quote 7 : देश का सबसे अच्छा दिमाग, क्लास रूम की आखरी बेंचो पर मिल सकता है।

Quote 8 : आप अपना भविष्य नहीं बदल सकते पर आप अपनी आदते बदल सकते है और निश्चित रूप से आपकी आदते आपका फ्यूचर बदल देगी।

Quote 9 : अपने जॉब से प्यार करो पर अपनी कम्पनी से प्यार मत करो क्योकि आप नहीं जानते की कब आपकी कम्पनी आपको प्यार करना बंद कर दे।

Quote 10 : अपनी पहली सफलता के बाद विश्राम मत करो क्योकि अगर आप दूसरी बार में असफल हो गए तो बहुत से होंठ यह कहने के इंतज़ार में होंगे की आपकी पहली सफलता केवल एक तुक्का थी।

Quote 11 : किसकी को हराना बहुत आसान है लेकिन किसी को जितना बहुत आसान है।

Quote 12 : यदि आप अपनी ड्यूटी को सैल्यूट करोगे तो आपको किसी भी व्यक्ति को सैल्यूट करने की जरूरत नहीं पड़ेगी लेकिन यदि आप अपनी ड्यूटी को पोल्यूट करेंगे तो आपको हर किसी को सैल्यूट करना पडेगा।

Quote 13 : महान सपने देखने वालो के महान सपने हमेशा पुरे होते है।

Quote 14 : जब हमारे सिग्नेचर (हस्ताक्षर), ऑटोग्राफ में बदल जाए तो यह सफलता की निशानी है।

Quote 15 : सफलता की कहानियां मत पढ़ो उससे आपको केवल एक सन्देश मिलेगा। असफलता की कहानियां पढ़ो उससे आपको सफल होने के कुछ आइडियाज (विचार) मिलेंगे।

Quote 16 : ब्लैक कलर भावनात्मक रूप से बुरा होता है लेकिन हर ब्लैक बोर्ड विधार्थियों की जिंदगी ब्राइट बनाता है।

Quote 17 : शिखर पर पहुँचने के लिए सामर्थ्य चाहिए। फिर वो चाहे माउंट एवेरेस्ट का शिखर हो या आपके केरियर का।

Quote 18 : मैं एक हैंडसम इंसान नहीं हूँ लेकिन मैं अपना हैंड उस किसी भी व्यक्ति को दे सकता हूँ जिसको की मदद की जरूरत है। सुंदरता हृदय में होती है, चेहरे में नहीं।

Quote 19 : नकली सुख की बजाय ठोस उपलब्धियों के पीछे समर्पित रहिये।

Quote 20 : अपने मिशन में कामयाब होने के लिए, आपको अपने लक्ष्य के प्रति एकचित्त निष्ठावान होना पड़ेगा।

Quote 21 : एक मुर्ख जीनियस बन सकता है यदि वो समझता है की वो मुर्ख है लेकिन एक जीनियस मुर्ख बन सकता है यदि वो समझता है की वो जीनियस है।

Quote 22 : बारिश की दौरान सारे पक्षी आश्रय की तलाश करते है लेकिन बाज़ बादलों के ऊपर उडकर बारिश को ही अवॉयड कर देते है। समस्याए कॉमन है, लेकिन आपका एटीट्यूड इनमे डिफरेंस पैदा करता है।

Quote 23 : कभी कभी कक्षा से बंक मारकर दोस्तों के साथ मस्ती करना अच्छा होता है, क्योंकि आज जब मैं पीछे मुड़कर देखता हूँ तो ये सिर्फ हंसाता ही नहीं है, बल्कि अच्छी यादे भी देता है।

Quote 24 : प्रशन पूछना, विधार्थियों की सभी प्रमुख विशेषताओ में से एक है। इसलिए छात्रों सवाल पूछों।

Quote 25 : मेरे लिए नकारात्मक अनुभव जैसी कोई चीज़ नहीं है।

Quote 26 : जिंदगी और समय, विशव के दो सबसे बड़े अध्यापक है। ज़िंदगी हमे समय का सही उपयोग करना सिखाती है जबकि समय हमे ज़िंदगी की उपयोगिता बताता है।

Quote 27 : जब हम दैनिक समस्याओ से घिरे रहते है तो हम उन अच्छी चीज़ों को भूल जाते है जो की हम में है।

Quote 28 : इंसान को कठिनाइयों की आवश्यकता होती है, क्योकि सफलता का आनंद उठाने के लिए ये जरूरी है।

Quote 29 : मैं हमेशा इस बात को स्वीकार करने के लिए तैयार था कि मैं कुछ चीजें नहीं बदल सकता।

Quote 30 : जो लोग आधे अधूरे मन से कोई काम करते है उन्हें आधी अधूरी, खोकली सफलता मिलती है जो चारो और कड़वाहट भर देती है।

Quote 31 : हमे प्रयत्न करना नहीं छोड़ना चाहिए और समस्याओ से नहीं हारना चाहिए।

Quote 32 : मेरा यह सन्देश विशेष रूप से युवाओ के लिए है। उनमे अलग सोच रखने का साहस, नए रास्तो पर चलने का साहस, आविष्कार करने का साहस होना चाहिए। उन्हें समस्याओ से लड़ना और उनसे जीतना आना चाहिए। ये सभी महान गुण है और युवाओ को इन गुणों को अपनाना चाहिए।

Quote 33 : हर सुबह पांच बाते अपने आप से बोलो
१ मैं सबसे अच्छा हूँ।
२ मैं यह कर सकता हूँ।
३ भगवान हमेशा मेरे साथ है।
४ मैं एक विजेता हूँ।
५ आज का दिन मेरा दिन है।

Quote 34 : युवाओ के लिए सन्देश
ज़िंदगी में लक्ष्य तय करना
ज्ञान को प्राप्त करना
कठिन मेहनत करना
अपने लक्ष्य के प्रति दृढ़ रहना

Quote 35 : थ्री एक्सीलेंट आन्सवर
सफलता का रहस्य क्या है ? सही निर्णय
आप सही निर्णय कैसे लेते है ? अनुभव से
आप अनुभव कैसे प्राप्त करते है ? गलत निर्णय से

Quote 36 : आइये हम अपने आज का बलिदान कर दें ताकि हमारे बच्चों का कल बेहतर हो सके।

Quote 37 : कृत्रिम सुख की बजाये ठोस उपलब्धियों के पीछे समर्पित रहिये।

Quote 38 : चूँकि हम सब भगवान के पुत्र है इसलिए हम हर उस चीज़ से बड़े है जो हममे हो सकती है।

Quote 39 : यदि हम सवतंत्र नहीं है तो कोई भी हमारा आदर नहीं करेगा।

Quote 40 : अंग्रेजी आवश्यक है क्योंकि वर्तमान में विज्ञान के मूल काम अंग्रेजी में हैं। मेरा विश्वास है कि अगले दो दशक में विज्ञान के मूल काम हमारी भाषाओँ में आने शुरू हो जायेंगे, तब हम जापानियों की तरह आगे बढ़ सकेंगे।

Quote 41 : जीवन एक कठिन खेल है। आप इस जन्मसिद्ध अधिकार को केवल एक व्यक्ति बनकर ही जीत सकते है।

Quote 42 : मुझे बताइए , यहाँ का मीडिया इतना नकारात्मक क्यों है? भारत में हम अपनी अच्छाइयों, अपनी उपलब्धियों को दर्शाने में इतना शर्मिंदा क्यों होते हैं? हम एक माहान राष्ट्र हैं। हमारे पास ढेरों सफलता की गाथाएँ हैं, लेकिन हम उन्हें नहीं स्वीकारते। क्यों?

Quote 43 : भारत में हम बस मौत, बीमारी , आतंकवाद और अपराध के बारे में पढ़ते हैं।

Quote 44 : इसका मतलब है, जो लोग उच्च और जिम्मेदार पदों पर है, अगर वे धर्म के खिलाफ जाते है, तो धर्म ही एक विध्वंसक के रूप में तब्दील हो जाएगा।

Quote 45 : हम एक राष्ट्र के रूप में विदेशी चीज़ों से लगाव क्यों कर रहे है ? क्या यह हमारे औपनिवेशिक युग की एक विरासत है। हम विदेशी टीवी सेट खरीदना चाहते है। हम विदेशी शर्ट पहनना चाहते है। हम विदेशी प्रौधोगिकी खरीदना चाहते है, सब कुछ आयात करने का यह कैसा जुनून है ?

Quote 46 : दुनिया की आबादी के लगभग आधे लोग ग्रामीण क्षेत्रों में और ज्यादातर गरीबी की हालत में रहते है। मानव विकास में इस तरह की असमानता ही दुनिया में अशांति और हिंसा के प्राथमिक कारणों में से एक है।

Quote 47 : किसी भी धर्म में किसी धर्म को बनाए रखने और बढाने के लिए दूसरों को मारना नहीं बताया गया।

Quote 48 : जब तक भारत दुनिया में अपने कदमो पर खड़ा नहीं है, तब तक हमे कोई आदर नहीं करेगा। इस दुनिया में डर के लिए कोई जगह नहीं है। केवल ताकत ही ताकत का सम्मान करती है।

Quote 49 : भारत को अपनी ही छाया चाहिए, और हमारे पास स्वयं के विकास का प्रतिरूप होना चाहिए।

Quote 50 : हमे करोडो लोगो के देश की तरह सोचना और कार्य करना चाहिए न की लाखो लोगो के देश की तरह। सपना, सपना, सपना !

Quote 51 : हमे युवाओ को नौकरी चाहने वालो की अपेक्षा नौकरी देने वाला बनाना होगा।

Quote 52 : हर राष्ट, चीन से यह सीख सकता है की हमे ग्रामीण स्टार पर अच्छे उद्यमों, अच्छी गुणवत्ता की स्वास्थ्य सेवाओ और शैक्षिक सुविधाओ के निर्माण पर अधिक ध्यान केंद्रित करना चाहिए।

Quote 53 : मेरा नज़रिया यह है की जवानी में हम अधिक आशावादी और कल्पनाशील होते है और हम दूसरों से कम प्रभावित होते है।

Quote 54 : कितने सही रूप से क़ानून अपराध को खत्म कर सकता है ? बहुत तेजी से कारवाई करने के लिए एक तंत्र होना चाहिए। नियम कुछ ऐसे हो की उन्हें पकड़ो और सजा दो।

Quote 55 : भारत को एक मूल्य प्रधान राष्ट्र के साथ, एक विकसित राष्ट्र, एक समृद्ध राष्ट्र और एक स्वस्थ राष्ट्र के रूप में तब्दील होना होगा।

Quote 56 : हम केवल तभी याद किये जाएंगे यदि हम हमारी युवा पीढ़ी को एक समृद्ध और सुरक्षित भारत दे सके जो की सांस्कृतिक विरासत के साथ साथ आर्थिक समृद्धि के परिणाम स्वरुप प्राप्त हो।

Quote 57 : हमने किसी भी देश पर कभी आक्रमण नहीं किया है। हमने उनके देश की जमीन नहीं हड़पी है, अपनी संस्कृति, अपने इतिहास और अपने जीवन जीने के तरीके को उन पर लागू करने की कोशिश नहीं की।

Quote 58 : जब कोई राष्ट्र हथियार युक्त देशो से घिरा हो, तो उसे भी हथियार युक्त होना पडेगा।

Quote 59 : शिक्षाविद को छात्रों में रचनात्मकता, जानने की भावना और नैतिक नेतृत्व की क्षमता का निर्माण कर उनका आदर्श बन जाना चाहिए।

Quote 60 : क्या हम यह नहीं जानते कि आत्म सम्मान आत्म निर्भरता के साथ आता है ?

Quote 61 : अगर किसी देश को भ्रष्टाचार – मुक्त और सुन्दर-मन वाले लोगों का देश बनाना है तो , मेरा दृढ़तापूर्वक मानना है कि समाज के तीन प्रमुख सदस्य ये कर सकते हैं. पिता, माता और गुरु।

Quote 62 : भगवान, हमारे निर्माता ने हमारे मष्तिष्क और व्यक्तित्व में असीमित शक्तियां और क्षमताएं दी हैं। ईश्वर की प्रार्थना हमें इन शक्तियों को विकसित करने में मदद करती है।

Quote 63 : युद्ध किसी भी समस्या का स्थाई हल नहीं है।

Quote 64 : आकाश की तरफ देखिये. हम अकेले नहीं हैं. सारा ब्रह्माण्ड हमारे लिए अनुकूल है और जो सपने देखते हैं और मेहनत करते हैं उन्हें प्रतिफल देने की साजिश करता है।

प्लेटो के 100 अनमोल विचार और कथन (100 QUOTES AND THOUGHTS OF PLATO IN HINDI)

365 WAYS TO GET RICH…!!!