મંત્ર એક એવો ઉપાય છે, જેનાથી કોઈપણ પ્રકારની સમસ્યાઓને દૂર કરી શકાય છે. મંત્રોની શક્તિથી બધા સારી રીતે પરિચિત છે. મનચાહી વસ્તુ પ્રાપ્ત કરવા અને ઈચ્છા પૂર્તિ માટે મંત્ર જાપથી વધુ સારું કોઈ બીજુ સાધન નથી. ધર્મગ્રંથો પ્રમાણે બધા મંત્રોમાં ગાયત્રીમંત્ર સૌથી વધુ દિવ્ય અને ચમત્કારી છે. આ મંત્રના જાપથી ખૂબ જ ઝડપથી પરિણામ પ્રાપ્ત થાય છે.
ગાયત્રી મંત્ર વિદ્યાનો પ્રયોગ ભગવાનની ભક્તિ, બ્રહ્મજ્ઞાન, પ્રાપ્તિ, દૈવીય કૃપા પ્રાપ્ત કરવાની સાથ જ સાંસારિક તથા ભૌતિક સુખ-સુવિધાઓ, ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા માટે પણ કરી શકાયછે. આ છે ગાયત્રી મંત્રઃ-
ऊँ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न: प्रचोदयात्।
શાસ્ત્રો પ્રમાણે ગાયત્રી મંત્રને વેદોને સર્વશ્રેષ્ઠ મંત્ર બતાવવામાં આવ્યો છે. આ મંત્ર જાપ માટે ત્રણ સમય બતાવ્યા છે. આ ત્રણ સમયને સંધ્યાકાળ પણ કહેવામાં આવે છે. ગાયત્રી મંત્ર જાપ પહેલો સમય છે, પ્રાતઃકાળ, સૂર્યોદયથી થોડીવાર પહેલા મંત્રજાપ શરૂ કરવા જોઈએ. જ્યારે સૂર્યોદય પછી સુધી જાપ કરવો જોઈએ.
– મંત્ર જપ માટે બીજો સમય છે બપોરના મધ્યાહ્નનો. બપોરમાં આ મંત્રનો જપ કરવામાં આવે છે. તેના પછી ત્રીજો સમય છે સાંજના સૂર્યાસ્તના થોડાં સમય પહેલા ગાયત્રી મંત્રનો જાપ કરવાનો હોય તો મૌન રહીને માનસિક રીતે જાપ કરવો જોઈએ. મંત્ર જાપ મોટા અવાજે ક્યારેય ન કરવો.
જાણો ગાયત્રી મંત્ર સાથે જોડાયેલી ખાસ વાતો અને ચમત્કારી ઉપાય….
ગાયત્રી મંત્ર –
ऊँ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि। धियो यो न: प्रचोदयात्।।
ગાયત્રી મંત્રનો અર્થ – સૃષ્ટિકર્તા પ્રકાશમાન પરમાત્માના તેજનું અમે ધ્યાન કરીએ છીએ, તે પરમાત્માના તેજ આપણી બુદ્ધિને સદમાર્ગ તરફ ચાલવા માટે પ્રેરિત કરો.
– શાસ્ત્રોમાં તેના જાપની વિધિ વિસ્તૃત રીતે આપવામાં આવી છે. આ મંત્રનો જપ કરવા માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ ગણાય છે. આ મંત્રના જાપથી આપણે આ દસ લાભ પ્રાપ્ત થાય છે. ઉત્સાહ તથા સકારાત્મકતા, ત્વચામાં ચમક આવે છે, તામસિકતાથી ધૃણા થાય છે, પરમાર્થમાં રૂચી જાગે છે, પૂર્વાભાસ થવા લાગે છે, આશીર્વાદ આપવાની શક્તિ વધે છે, નેત્રોમાં તેજ આવે છે, સ્વપ્ન સિદ્ધિ પ્રાપ્ત થાય છે, ક્રોધ શાંત થાય છે, જ્ઞાનની વૃદ્ધિ થાય છે.
24 અક્ષરોમાં છુપાયેલા દેવો અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે કેવી રીતે મંત્ર જાપ કરવો જોઈએ….
24 અક્ષરોમાં છુપાયું 24 દેવોનું અસ્તિત્વઃ-
એક જ ગાયત્રી મંત્રથી 24 દૈવી શક્તિ એક સાથે સુલભ થાય છે. આ ગાયત્રી મંત્રના 24 અક્ષરો દૈવી શક્તિઓના ચોવીસ બીજ છે. ગાયત્રી મંત્રના પ્રત્યક્ષ અક્ષર એક એક દેવતા છે. ગાયત્રી મંત્રનો જાપ કરવાથી ચોવીસ દૈવી શક્તિનો લાભ થાય છે.
1-ગણેશ – પ્રત્યેક શુભ કાર્ય ગજાનન ગણેશના પૂજનથી થાય છે. વિઘ્ન વિનાયક, સફળતા પ્રદાયક ગણેશ બુદ્ધિ તથા શ્રેષ્ઠ જ્ઞાન આપનારા છે.
2-નૃસિંહ – આ પરાક્રમ અને શક્તિના અધિકારી દેવ છે. તેઓ પુરુષાર્થ, વિરતા, ધીરતા અને વિજય પ્રદાન કરે છે. આતંક, ભય, કાયરતા વગેરે દૂર કરી શત્રુના આક્રમણથી રક્ષા કરે છે અને શત્રુનો સંહાર કરે છે.
3-વિષ્ણુ – એ પાલન શક્તિના અધિકારી છે. સમસ્ત પ્રાણીઓનું પાલન – પોષણ કરનારા, જીવન રક્ષક આજીવિકા પ્રદાન કરે છે.
4-શિવ – કલ્યાણ શક્તિના અધિકારી દેવ છે. જીવોને આત્મપરાયણતા અને કલ્યાણકારી શક્તિ પ્રદાન કરી અનિષ્ટ અને પતનથી રક્ષા કરે છે.
5-કૃષ્ણ – આ યોગ શક્તિના અધિષ્ઠાતા, અનાસક્તિ, વૈરાગ્ય, સદજ્ઞાન, સૌંદર્ય અને સ-રસના પ્રદાન કરે છે.
6-રાધા – પ્રેમ શક્તિની અધિષ્ઠાતા દૈવી છે. ભક્તોને સાચો પ્રેમ કરવાની શક્તિ આપી દ્વેષ ભાવ ધૃણા વગેરે દૂર કરે છે.
7-લક્ષ્મી – ધન, વૈભવ અને શક્તિની અધિષ્ઠાત્રી છે. ઉપાસકોને વૈભવ, ઐશ્વર્ય, સંપત્તિ, પદ, યશ અને સર્વ પ્રકારના ભૌતિક સુખો પ્રદાન કરનારી દેવી છે.
8-અગ્નિ – આ તેજ શક્તિના અધિષ્ઠાતા દેવ છે. ઉષ્ણતા, તેજ, પ્રકાશ, શક્તિ અને સામર્થ્ય પ્રદાન કરનારા છે.
9-ઈન્દ્ર – આ રક્ષ શક્તિના અધિષ્ઠાતા છે. રોગ, અનિષ્ઠ, આક્રમણ, હિંસા, ચોર, શત્રુ, ભૂતપ્રેત વગેરેથી રક્ષા કરનારા છે.
10-સરસ્વતિ – જ્ઞાનશક્તિની અધિષ્ઠાત્રી દેવી છે. જ્ઞાન, વિવેક, દૂરદર્શિતા, બુદ્ધિમત્ત, વિચારશીલતા વગેરે પ્રદાન કરનારી દેવી છે.
11-દુર્ગા – આ દમનશક્તિની અધિષ્ઠાત્રી દેવી છે. સમસ્ત વિધ્ન, નડતર, સંધર્ષ પર વિજય અપાવનારી, અહંકારને ચૂર કરનારી, સામર્થ્ય તથા શક્તિ દેનારી છે.
12-હનુમાન – હનુમાનજી નિષ્ઠા શક્તિના અધિકારી છે. ઉપાસકોને ભક્તિ, નિષ્ઠા, કર્તવ્યપરાયણતા, વિશ્વાસ, નિર્ભયતા તથા બ્રહ્મચર્ય પાલનની શક્તિ પ્રદાન કરે છે.
13-પૃથ્વી – આ ધારણ શક્તિની દેવી છે. ગંભીરતા ધૈર્ય, પ્રઢતા, સહિષ્ણુતા, સહનશીલતા ભારવાહકતા નિરન્તરતા વગેરે પ્રદાન કરનારી છે.
14-સૂર્ય – પ્રાણશક્તિના અધિષ્ઠાતા દેવ છે ઉપાસકોને આરોગ્ય, દીર્ઘ જીવન, પ્રાણશક્તિ, વિકાસ, ઉષ્ણતા પ્રદાન કરે છે.
15-રામ – મર્યાદા પુરુષોત્તમ મર્યાદા શક્તિના અધિકારી છે. ધર્મ, મર્યાદા, સંયમ, મૈત્રી, પ્રેમભાવ, ધીરતા, તિતિક્ષા વગેરે ગુણ પ્રદાન કરનારા છે.
16-સીતા – તપ – શક્તિની અધિષ્ઠાત્રી દેવી છે. નિર્વિકાર અને પવિત્ર ભાવથી સાત્વિક-તાલ અનન્યભાવ દ્વારા તપોનિષ્ઠ બનાવે છે. આધ્યાત્મિક ઉન્નતિના માર્ગ પ્રેરક છે.
17-ચંદ્રમા – આ શાંતિ શક્તિના અધિકારી છે. ચિંતા, શોક, ક્રોધ, નિરાશા, ક્ષોભ, મોહ, લોભ, તૃષ્ણા વગેરે માનસિક વિકારને શાંત કરી શાંતિ પ્રદાન કરનારા છે.
18-યમ – શક્તિના અધિકારી સમયનો સદુપયોગ મૃત્યુથી નિર્ભયતા, સ્ફૂર્તિ, ચેતના જાગૃતિ પ્રદાન કરે છે.
19-બ્રહ્મા – ઉત્પાદક શક્તિના દેવ છે. સૃજન શક્તિના અધિષ્ઠાત્રા છે. પ્રત્યેક જડ તથા ચેતન પદાર્થથી રચના તેમજ ઉત્પાદન તથા વૃધ્ધિ કરવાની શક્તિના દાતા છે.
20-વરૂણ – આ રસ શક્તિના અધિકારી છે. ભાવુકતા, કોમળતા, સરસતા, દયા, પ્રસન્નતા, મધુરતા, કલાપ્રિયતા વગેરે ભાવો હ્રદયમાં પ્રાદુર્ભાવ કરી આનંદની અનુભૂતિ કરાવનારા છે.
21-નારાયણ – આદર્શ શક્તિ અધિષ્ઠાતા છે. શ્રેષ્ઠતા, મહત્વાકાંક્ષા, ઉત્કૃષ્ટતા, દિવ્યગુણ, ધર્મ, સ્વભાવ, નિર્મળ સચ્ચરિત્ર તથા શુભ કર્મશિલતા પ્રદાન કરનારા છે.
22-હયગ્રીવ – સાહસ શક્તિના અધિષ્ઠાતા છે. ઉત્સાહ નિર્ભિકતા, વીરતા, શૌર્ય, ધૈર્ય, પુરુષાર્થ, સંઘર્ષ શક્તિ પ્રદાન કરનારા છે.
23-હંસ – વિવેક શક્તિના અધિષ્ઠાતા છે. ક્ષીર – નીર જ્ઞાન વિશ્વ વિખ્યાત છે. સત્ય – અસત્યનું જ્ઞાન, દૂરદર્શિતા, ઉત્તમ સંગતિ, ગુણ પ્રદાન કરનારા છે.
24-તુલસી – સેવા – શક્તિની અધિષ્ઠાત્રી દેવી છે. સત્કાર્યમાં પ્રેરણાદાયી, આત્મશાંતિ, પરદુઃખ નિવારણ, પવિત્રતા, નિષ્ઠા વગેરે પ્રદાન કરનારી છે.
આ પ્રમાણે 24 દૈવી શક્તિઓથી ભરપૂર ગાયત્રી મંત્ર સનાતન અને આદિમંત્ર છે. પુરાણોમાં ઉલ્લેખ છે કે સૃષ્ટિકર્તા બ્રહ્માને આકાશવાણી દ્વારા ગાયત્રી મંત્ર પ્રાપ્ત થયો અને તે મંત્રની સાધના કરવાથી તેમનામાં સૃષ્ટિ રચવાની શક્તિ પ્રાપ્ત થઈ હતી. ગાયત્રી ચાર ચરણોની વ્યાખ્યારૂપે બ્રહ્માજીએ ચાર મુખોથી ચાર વેદોનું વર્ણન કર્યું. તેથી ગાયત્રીને વેદમાતા પણ કહેવામાં આવે છે. ચારેય વેદ ગાયત્રીની વ્યાખ્યા છે.
જ્યારે પણ બોલો ગાયત્રી મંત્ર તો આ નિયમ જરૂર ધ્યાન રાખો-
હિન્દુ ધર્મગ્રંથો પ્રમાણે ગાયત્રી મંત્ર દ્વારા જગતની આત્મા માનવામાં આવતા સાક્ષાત દેવતા સૂર્યની ઉપાસના નિરોગી જીવનની સાથે-સાથે યશ, પ્રસિદ્ધિ, ધન અને ઐશ્વર્ય આપનારી હોય છે, પરંતુ તેની માટે ગાયત્રી મંત્રની સાધના વિધિ વિધાન અને મન, વચન, કર્મની પવિત્રતાની સાથે જરૂરી માનવામાં આવે છે.
વેદમાતા ગાયત્રીની ઉપાસના 24 દેવીશક્તિઓની ભક્તિનું ફળ તથા કૃપા આપનાર બતાવવામાં આવી છે. તેનાથી સાંસારિક જીવનમાં સુખ, સફળતા અને શાંતિની ઈચ્છા પૂરી થાય છે. ખાસ કરીને દરરોજ સવારે સૂર્યોદય કે બ્રહ્મમૂહુર્તમાં ગાયત્રી મંત્રનો જાપ એવી જ કામનાઓને પૂરી કરવામાં ખૂબ જ શુભ અને અસરદાર માનવામાં આવે છે.
રવિવારે ગાયત્રી જયંતિ છે. જો તમે પણ ગાયત્રી મંત્રની શક્તિ અને શુભ પ્રભાવોથી સફળતા ઈચ્છતા હો તો આગળ આપવામાં આવેલ ગાયત્રી મંત્ર જાપ અને સ્મરણ સાથે જોડાયેલી વાતોનું ધ્યાન જરૂર રાખો….
-ગાયત્રી મંત્ર જાપ કોઈ ગુરુના માર્ગદર્શનમાં જ કરવું જોઈએ.
-ગાયત્રી મંત્ર જાપ માટે સવારનો સમય શ્રેષ્ઠ હોય છે, પરંતુ તે સાંજે પણ કરી શકાય છે.
-ગાયત્રી મંત્ર માટે સ્નાનની સાથે જ મન અને આચરણ પવિત્ર રાખો, પરંતુ સ્વાસ્થ સારું ન હોય કે કોઈ કારણથી સ્નાન કરવાનું શક્ય ન હોય તો કોઈ ભીના કપડાથી શરીર લૂછી લો.
-સાપ અને સ્વસ્છ વસ્ત્ર પહેરો.
-કુશ કે ચટાઈનું આસન પાથરો. પશુની ખાલનો નિષેધ છે.
-તુલસી કે ચંદનની માળાનો પ્રયોગ કરવો જોઈએ.
-બ્રહ્મમૂહુર્તમાં અર્થાત્ સવાર થવાના લગભગ 2 કલાક પહેલા પૂર્વ દિશા તરફ મુખ કરીને ગાયત્રી મંત્ર જાપ કરો. સાંજના સમયે સૂર્યાસ્ત પહેલા એક કલાકની અંદર જ જાપ પૂજા કરી દો. સાંજે પશ્ચિમ દિશામાં મુખ કરીને જાપ કરો.
-આ મંત્રનો માનસિક જાપ કોઈપણ સમયે કરી શકાય છે.
-શૌચ કે કોઈ આકસ્મિક કામને લીધે જાપમાં બાધા ઉત્પન્ન થઈ હોય તો હાથ-પગ ધોઈને ફરીથી જાપ કરો. બાકી મંત્ર જાપની સંખ્યાને થોડી-થોડી પૂરી કરો. સાથે જ એકથી વધુ માળા કરી જાપ બાધા દોષનું શમન કરો.
-ગાયત્રી મંત્ર જાપ કરનારને ખાન-પાન શુદ્ધ ને પવિત્ર હોવું જોઈએ. પરંતુ જે લોકોનું સાત્વિક ખાન-પાન નથી, તે પણ ગાયત્રી મંત્રનો જાપ કરી શકે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે આ મંત્રની અસરથી એવો વ્યક્તિ પણ શુદ્ધ અને સદગુણી બની જાય છે.
દરિદ્રતાના નાશ માટે –
જો કોઈ વ્યક્તિના વેપાર, નોકરીમા હાનિ થઈ રહી છે કે કાર્યમાં સફળતા નથી મળતી, આવક ઓછી છે તથા ખર્ચ વધારે છે તો તેને ગાયત્રી મંત્રનો જપ ઘણો ફાયદો પહોંચે છે. શુક્રવારના પીળા વસ્ત્ર પહેરીને હાથી પર વિરાજમાન ગાયત્રી માતાનું ધ્યાન કરી ગાયત્રી મંત્રની આગળ અને પાછળ શ્રી સમ્પુટ લગાવીને દરિદ્રતાનો નાશ થાય છે. તેની સાથે જ રવિવારનું વ્રત કરવામાં આવે તો વધારે લાભ થાય છે.
સંતાન સંબંધી પરેશાનીઓ દૂર કરવા માટે-
કોઈ દંપતિને સંતાન પ્રાપ્ત કરવામાં મુશ્કેલી આવી રહી હોય કે સંતાનથી દુઃખી અથવા સંતાન રોગગ્રસ્ત હોય તો સવારે પતિ-પત્ની એક સાથે સફેદ વસ્ત્ર ધારણ કરી यौं બીજ મંત્રનો સંપુટ લગાવીને ગાયત્રી મંત્રોનો જાપ કરો. સંતાન સંબંધી કોઈ પણ સમસ્યાથી ઝડપથી મુક્તિ મળે છે.
વિવાહ કાર્યમાં વાર લાગી રહી હોય તો…
જો કોઈ પણ જાતકના વિવાહમાં બીનજરૂરી વાર લાગી રહી હોય તો સોમવારના સવારના સમયે પીળા વસ્ત્ર ધારણ કરી માતા પાર્વતીનું ધ્યાન કરતા ह्रीं બીજ મંત્રનું સંપુટ લગાવીને એક સો આછ વાર જાપ કરવાથી વિવાહ કાર્યમાં આવનારા વિઘ્નો દૂર થાય છે. આ સાધના સ્ત્રી-પુરુષ બન્ને કરી શકે છે.
વિદ્યાર્થીઓ માટે…
ગાયત્રી મંત્રનો જાપ બધા માટે ઉપયોગી છે, પરંતુ વિદ્યાર્થીઓ માટે તો આ મંત્ર વધારે લાભદાયક છે. રોજ આ મંત્રના એક સો આઠ વાર જપ કરવાથી વિદ્યાર્થીઓને બધા પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરવામાં સરળતા થાય છે. વિદ્યાર્થીઓને વાંચવામાં મન નથી લાગતું, યાદ કરેલું ભૂલી જવું, ઝડપથી યાદ ન થવું વગેરે સમસ્યાઓથી છૂટકારો મળે છે.
શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવા માટે….
જો કોઈ વ્યક્તિ શત્રુઓના કારણે પરેશાનીઓ સહન કરી રહ્યા હોય તો તેને દરરોજ કે વિશેષ કરીને મંગળવાર, અમાસ અથવા રવિવારને લાલ વસ્ત્ર પહેરીને માતા દુર્ગાનું ધ્યાન કરતા ગાયત્રી મંત્રની આગળ તથા પાછળ क्लीं બીજ મંત્રના ત્રણ વાર સંપુટ લગાવીને એક સો આઠ વાર જપ કરવાથી શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે.
જો કોઈ રોગના કારણે સમસ્યાઓ આવી રહી હોય તો-
જો કોઈ રોગથી પીડાતા હોવ તો શુભ મુહૂર્તમાં એક કાંસાના પાત્રમાં જળ ભરી તથા તેની સામે લાલ આસન પર બેસી ગાયત્રી મંત્રની સાથે ऐं ह्रीं क्लीं નો સંપુટ લાગાવી ગાયત્રી મંત્રોનો જાપ કરો. જાપ પછી જળનું સેવન કરવાથી ગંભીર રોગનો નાશ થાય છે. આ જળ કોઈ અન્ય રોગીને પીવાથી તેનો પણ રોગનો નાશ થાય છે.
ઉપાયઃ-1-
જે પણ વ્યક્તિ જીવનની સમસ્યાઓથી ખૂબ જ ત્રસ્ત હોય, જો તે આ ઉપાય કરે તો તેની સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ ઉપાય આ પ્રકારે છે પીપળા, શમી, વટ, ગૂલર, પાકરની સમિધાઓ(ઈંધણ) લઈને એક વાસણમાં કાચુ દૂધ ભરીને રાખી દો તથા એ દૂધની સામે એક હજાર ગાયત્રી મંત્રના જાપ કરો. ત્યારબાદ એક-એક સમિધાને દૂધમાં અડકાડીને ગાયત્રી મંત્રનો જાપ કરીને અગ્નિમાં હોમ કરવાથી સમસ્ત પરેશાનીઓ તથા દરિદ્રતાથી મુક્તિ મળી જાય છે.
ઉપાય-2-
કોઈપણ શુભ મૂહુર્તમાં દૂધ, દહીં, ઘી તથા મધને મેળવીને એક હજાર ગાયત્રી મંત્રની સાથે હવન કરવાથી ચેચક, આંખોના રોગ તથા પેટના રોગ દૂર થઈ જાય છે. તેમાં સમિધાઓ(ઈઁધણ) પીપળાની હોવી જોઈએ. ગાયત્રી મંત્રની સાથે નારિયળનું બુરુ તથા ઘીનો હવન કરવાથી દુશ્મનોનો નાશ થઈ જાય છે. નારિયળના બુરામાં જો મધનો ઉપયોગ કરવામાં આવે તો સૌભાગ્યમાં વધારો થાય છે.
સાભાર: દિવ્ય ભાસ્કર.
જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!
કાળા મરીના 5 દાણાનો ચમત્કારી ઉપાય કરો, ઝડપથી મેળવશો ધન લાભ
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.
23.022505
72.571362