સોનોગ્રાફીની મદદથી એપેન્ડિક્સમાં સોજો હોવાનું નિદાન થાય ત્યારે વહેલી તકે ઓપરેશન કરાવી લેવું એ દર્દી માટે ફાયદાકારક છે. જો સમયસર એને ઓપરેટ કરવામાં ન આવે તો એપેન્ડિક્સ ફાટી શકે છે.
પેટમાં દુખાવો થવો એને સાવ સામાન્ય બાબત માનવામાં આવે છે. પેટના દુખાવાના મૂળમાં વાયુ હોવાનું આપણે માનીએ છીએ. પણ પેટમાં દુખાવો થવાનાં એક નહીં અનેક કારણો હોઇ શકે છે. આંતરડા, યકૃત અને લિવરમાં કોઇ તકલીફ હોવાને લીધે પણ પેટમાં દુખાવો થઇ શકે છે. આપણામાંના મોટાભાગના લોકોને જ્યારે પેટમાં દુખાવો થાય ત્યારે પેટ સાફ કરતી દવાઓને લઇને આપણે પેટને હળવું કરી નાખીએ છીએ. તેનાથી આપણને રાહત જરૂર મળે છે પણ એ સમસ્યાનો ઉકેલ નથી. એમાંય જો એપેન્ડિક્સમાં સોજો આવ્યો હોય કે એમાં ઇન્ફેક્શન થયું હોય ત્યારે પેટ સાફ કરતી દવાઓ લેવાથી સ્થિતિ બગડી શકે છે. જેથી આજે અમે તમને એપેન્ડિક્સ સંબંધી સંપૂર્ણ જાણકારી અને તેના ઈલાજ માટેના કેટલાક ઉપાય જણાવીશું.
શું છે એપેન્ડિક્સ
એપેન્ડિક્સ એ શરીરના અન્ય અવયવોની જેમ એક અંગ છે. તે મોટા આંતરડાના ભાગ સાથે જોડાયેલું હોય છે. આશરે એક આંગળી જેટલી લંબાઇ ધરાવતું, પોલાણવાળું અને બીજી બાજુથી બંધ હોય છે. એપેન્ડિક્સને આંત્રપૂચ્છ પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે પ્રાચીનકાળમાં લોકો જેમાં સેલ્યુલોઝનું પ્રમાણ વધારે હોય તેવો ખોરાક ખાતા હતા. તેના પાચન માટે ત્યારે એપેન્ડિક્સ અગત્યનો ભાગ ભજવતું હતું. એની લંબાઇ એ વખતે વધારે હતી. સમયમાં પરિવર્તન આવતા સેલ્યુલોઝનું પ્રમાણ ઘટતું ગયું તેના લીધે એપેન્ડિક્સની લંબાઇ ઘટતી ગઇ. હવે તેની લંબાઇ ઘટીને આશરે બે થી ત્રણ ઇંચની થઇ ગઇ છે. સ્ટુલનો કડક ભાગ અથવા અનાજનો કણ એપેન્ડિક્સના હોલમાં ફસાઇ જાય ત્યારે એમાં ઇન્ફેક્શન થઇ શકે છે તથા સોજો આવી શકે છે. આ ઉપરાંત વારંવાર જંકફૂડ ખાવાથી એમાં રહેલા બેક્ટેરિયા આ સમસ્યા જન્માવવા માટે કારણભૂત હોઇ શકે છે. બ્લડ ટેસ્ટ અને સોનોગ્રાફી દ્વારા એપેન્ડિક્સમાં તકલીફ છે કે કેમ તે જાણી શકાય છે.
એપેન્ડિક્સમાં તકલીફ થવાનાં કારણો
– જંક ફૂડ
– અનાજના કણ
– સ્ટુલનો કડક ભાગ
– બેક્ટેરિયા
– કૃમિ
એપેન્ડિક્સમાં જોવા મળતાં લક્ષણો
– ભૂખ ઓછી લાગવી
– કબજિયાત રહેવી
– ડૂંટીની આસપાસ દુખાવો થવો
– શ્વાસમાં દુર્ગંધ આવવી
– તાવ આવવો
– ઊલટી થવી
– પેટની જમણીબાજુના ભાગમાં દુખાવો થવો
ઓપરેશન પછી આ લક્ષણ દેખાય તો ડોક્ટરનો સંપર્ક કરવો
– પેટમાં દુખાવો થવો
– નબળાઇનો અહેસાસ થાય
– ચીરા પર સોજો આવી જાય
– ચીરામાંથી લોહી નીકળે
– છાતીમાં દુખાવો થાય
– શ્વાસ લેવામાં તકલીફ થાય
– તાવ રહ્યાં કરે, ઠંડી લાગે
– ઉબકા કે ઊલટી થયા કરે
આયુર્વેદ
– એલચી, ધાણાનું ચૂર્ણ ચારથી છ રતીભાર, શેકેલી હિંગ એક રતીભાર લઇ લીંબુના રસમાં મેળવીને ચાટવાથી પેટના દુખાવામાં રાહત થાય છે.
– એક કપ જેટલા પાણીમાં પા થી અડધી ચમચી જેટલું કરિયાતાનું ચૂર્ણ રોજ રાત્રે પલાળી રાખવું. સવારે નાસ્તો કરતાં પહેલાં આ દ્વવ્ય પી જવું. બે અઠવાડિયા સુધી આ ઉપચાર કરવાથી પેટના કૃમિ મટી જશે. કૃમિ પણ એપેન્ડિક્સ થવામાં કારણભૂત છે.
– મેથીનો પાઉડર પા તોલો સાકર સાથે રોજ સવારે ખાવાથી એપેન્ડિક્સના સોજામાં ફાયદો થાય છે.
– ભોજન કરતાં પહેલાં આદું, લીંબુ અને સિંધવ ખાવાથી આંત્રપૂચ્છ પ્રવાહમાં લાભ થાય છે.
– કારેલાંનાં પાનના રસમાં સિંધવ મીઠું નાખીને આપવાથી પેટની પીડામાં રાહત થશે.
– બે ગ્રામ સૂંઠ તથા એક એક ગ્રામ સિંધવ અને હિંગ વાટીને પાણી સાથે લેવાથી એપેન્ડિક્સના દુખાવામાં રાહત થશે.
– નિયમિત રીતે ત્રણ મિનિટ પાદ પશ્ચિમોત્તાનાસન કરવાથી એપેન્ડિક્સનું શૂળ મટી જાય છે.
– કડવા લીમડાનાં પાનને બાફી લો. તે સાધારણ ગરમ હોય ત્યારે સોજા પર બાંધવાથી સોજો ઊતરી જાય છે.
– ત્રણ દિવસ સુધી આહાર લેવો નહીં. પ્રવાહી પર રહેવું. ચોથા દિવસે મગનું પાણી અડધી વાટકી લેવું. પાંચમા દિવસે એક વાટકી મગનું પાણી લેવું. છઠ્ઠા દિવસે મગ એક વાટકી અને સાતમા દિવસે ભૂખ પ્રમાણે મગ ખાવા. આઠમા દિવસે મગ અને ભાતનો ખોરાક લેવો. નવમા દિવસથી શાક, રોટલી શરૂ કરવા. આ પ્રયોગ કરવાથી એપેન્ડિક્સના દુખાવામાં રાહત થાય છે.
ડોક્ટરની સલાહ
અમદાવાદના ગેસ્ટ્રોસર્જન ડો. વિસ્મિત જોષીપુરા કહે છે, એપેન્ડિક્સમાં જ્યારે સોજો આવે છે ત્યારે ડૂંટીની જમણીબાજુના ભાગમાં કંઇ કપાતું હોય એવો અહેસાસ થાય છે. આ દુખાવો તીવ્ર હોય છે. આધુનિક દવાઓ દ્વારા પેટના દુખાવાને દૂર કરી શકાય છે. પણ એપેન્ડિક્સમાં સોજો હોવાનું નિદાન થાય ત્યારે ઓપરેશન દ્વારા તેને કઢાવી લેવું જોઇએ. અમુક કેસમાં યુરિનરી ડાયવર્ઝન માટે એપેન્ડિક્સનો ઉપયોગ થતો હોય છે. બાકી એપેન્ડિક્સએ શરીરનો એવો અવયવ છે જે શરીરમાં ન હોય તો પણ તેનાથી વ્યક્તિની કામ કરવાની શક્તિમાં કોઇ ફરક પડતો નથી. એક વખત એપેન્ડિક્સમાં ઇન્ફેક્શન કે સોજો આવે ત્યારે દવા દ્વારા દર્દીના દુઃખાવા પર કન્ટ્રોલ કરી શકાય છે. પણ બે ત્રણ દિવસ પછી કે થોડા દિવસ બાદ ફરી પેટમાં અસહ્ય દુખાવો થાય છે. જો દર્દીને વારંવાર એપેન્ડિક્સનો હુમલો આવે તો તે તેના મૃત્યુનું કારણ પણ બની શકે છે.
એપેન્ડિક્સના સોજોનું ઓપરેશન એ જ એક માત્ર સારવાર છે. હવે અદ્યતન ટેક્નિકથી ઓપરેશન કરવામાં આવતું હોવાથી એમાં ગભરાવવાની જરૂર નથી. ઘણા લોકોમાં એવી માન્યતા છે કે એક વખત ઓપરેશન કરાવ્યા પછી થોડાં વર્ષો બાદ ફરી તેનો દુખાવો થાય છે. પણ એવું નથી. બીજું એપેન્ડિક્સના ઓપરેશનમાં શરીરના અન્ય અવયવોને ઇજા થાય છે. એવો ઘણાને ડર હોય છે પણ કોઇ અવયવને જરાય નુકસાન થતું નથી.
જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય અથવા જેમને ડાયાબિટીસ હોય એવા લોકોને એપેન્ડિક્સનું ઇન્ફેક્શન અન્ય વ્યક્તિની સરખામણીએ શરીરમાં ઝડપથી ફેલાય છે. તેથી આવા દર્દીઓએ ખૂબ કાળજી રાખવી જોઇએ અને જેમ બને એમ જલદી તેને ઓપરેટ કરાવવું હિતાવહ છે.
ડોક્ટરોનું માનવું છે કે સોનોગ્રાફીની મદદથી એપેન્ડિક્સમાં સોજો હોવાનું નિદાન થાય ત્યારે વહેલી તકે ઓપરેશન કરાવી લેવું એ દર્દી માટે ફાયદાકારક છે. જો સમયસર એને ઓપરેટ કરવામાં ન આવે તો એપેન્ડિક્સ ફાટી શકે છે. એપેન્ડિક્સ ફાટવાથી તેનું ઇન્ફેક્શન શરીરનાં અન્ય અંગોમાં ફેલાઇ શકે છે.
નવી ટેક્નિક
દુનિયામાં જાતજાતનાં અને ભાતભાતનાં સંશોધનો થતાં રહે છે. એમાં ખાસ કરીને વિવધ પ્રકારના રોગ અને સર્જરીનો સમાવેશ થતો હોય છે. એવી જ રીતે એપેન્ડિક્સની સર્જરીને લઇને પણ એક અનોખી ટેક્નિક વિકસાવવામાં આવી છે. જેને નેચરલ ઓરીફિસ સર્જરી એવું નામ આપવામાં આવ્યું છે.
ડોક્ટરનું કહેવું છે કે નેચરલ ઓરીફિસ સર્જરીમાં એપેન્ડિક્સને મોં, યોનિમાર્ગ કે મળમાર્ગના રસ્તે બહાર કાઢી શકાય છે. એપેન્ડિક્સ એ સામાન્ય તકલીફ છે. જે ફક્ત ભારતમાં જ નહીં પણ ભારત સિવાય અન્ય દેશોમાં પણ જોવા મળે છે.
યુરોપમાં લગભગ એક હજાર કરતાં પણ વધારે દર્દીઓએ આ નેચરલ ઓરીફિસ સર્જરી કરાવી છે. આ સર્જરીમાં દર્દીની ત્વચા કાપવાને બદલે ડોક્ટર તેમનાં અંગોને કાઢવા કે એમાં આવેલી ગડબડને યોગ્ય કરવા માટે દર્દીના મોં, મૂત્રમાર્ગ, યોનિમાર્ગ દ્વારા શરીરની અંદર પહોંચે છે. આ ટેક્નિકને અનેક કારણોને લીધે પસંદ કરવામાં આવે છે. તેમાં ક્યાંય દર્દીના શરીર પર નિશાન પડતો નથી. દુખાવો ઓછો થાય છે અને સૌથી મોટો ફાયદો એ છે કે ઇન્ફેક્શન થવાનો ભય રહેતો નથી. તેથી વિદેશમાં આ પદ્ધતિ પ્રચલિત થઇ રહી છે. જોકે હજુ ભારતમાં નેચરલ ઓરીફિસ સર્જરી થતી નથી. પણ ભવિષ્યમાં અહીં થતી જોવા મળશે.
સાભાર: દિવ્ય ભાસ્કર.
વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો
૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો
આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.