જ્યોતિષની અનેક વિદ્યાઓ છે જેના દ્વારા વર્તમાન, ભૂતકાળ અને આવનાર સમયનું સચોટ રીતે ભવિષ્ય જાણી શકાય છે. જ્યોતિષશાસ્ત્રમાં કુંડળીના આધારે સચોટ અનુમાન લગાવી શકાય છે પરંતુ બર્થડેટમાં એકદમ પરફેક્ટ સમય જરૂરી છે. પરંતુ અંક જ્યોતિષ વિદ્યામાં તમે માત્ર તમારી જન્મ તારીખના આધારે જ સંપૂર્ણ જીવન વિશે જાણકારી પ્રાપ્ત કરી શકો છો અને તે જાણીને તમે ધારેલા કામને સફળ બનાવી શકો છે. અંકજ્યોતિષ વિદ્યામાં ભાગ્યાંકના આધારે આજે જાણો કે તમારી માટે કયો વ્યવસાય કે નોકરી અનુકૂળ છે? ભારતમાં કયું શહેર તમારી માટે સૌથી લકી શહેર છે જે તમને સૌથી વધુ ધનલાભ અપાવી શકે? વિદેશોમાં કયો દેશ તમારી માટે સૌથી અનુકૂળ છે જે તમને ધારેલી કમાણી કરાવી શકે? સાથે જ તમારા જીવનના કયા વર્ષો સૌથી વધુ તમારી માટે અનુકળ છે? આ બધુ જ આજે જાણો તમારા ભાગ્યાંકના આધારે.
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
અંક જ્યોતિષ (Numerology)માં જે અંકનું સૌથી વધુ મહત્વ હોય છે તે ભાગ્યાંક જેને અંગ્રેજીમાં Life Path Number Or Destiny Number પણ કહેવામાં આવે છે. ભાગ્યાંક તમારા જન્મની તારીખ, મહિનો અને વર્ષને જોડીને કાઢવામાં આવે છે. તે પ્રમાણે તમે પોતાના જીવનમાં દરેક વર્ષ વિશે અનુમાન લગાવીને પોતાના કાર્યો તે પ્રમાણે કરી શકો અને તમારા જીવનને તે પ્રમાણે ઢાળી શકો છો. ભાગ્યાંક જાણવા માટે જન્મ, તિથિ, જન્મ મહિનો અને જન્મ વર્ષની જરૂરિયાત હોય છે.
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
ઉદાહરણઃ- ધારો કે કોઈ જાતકનો જન્મ 26 નવેમ્બર 1980 હોય તો તે જાતકનો ભાગ્યાંક નીચે પ્રમાણે કાઢી શકાશે.
જન્મતારીખ, જન્મમાસ અને જન્મ વર્ષ = ભાગ્યાંક
જન્મતારીખ, 26=2+6=8
જન્મનો મહિનો 11=1+1=2
જન્મ વર્ષ 1980=1+9+8+0=18=1+8=9
તો આ પ્રકારે આ જાતકનો ભાગ્યાંક=8+2+9=19=1+9=10=1+0=1 આવશે.
ભાગ્યાંક-1:
ભાગ્યાંક 1 વાળા હોય છે જવાબદારઃ-
જો તમારો ભાગ્યાંક 1 હોયતો તેનો અર્થ એ કે તમે સૂર્ય ગ્રહથી પ્રભાવિત છો. તમે તમારા પરિવારના કર્તા-ધર્તા(પાલક) હશો અને બધી જવાબદારીઓ તમને જ નિભાવવી પડશે. તમારા જીવનમાં ક્યારેક-ક્યારેક તમને ખૂબ જ લાભ થઈ શકે છે અને અચાનક નુકસાન થવાની પણ સંભાવના રહે છે. ધનની બચત કરવામાં તમે સફળ થશો. તમે અનેક પ્રકારે ધન કમાવાની તક પ્રાપ્ત કરશો. ભાગ્યાંક 1 વાળા વ્યક્તિઓને એક વાત ચોક્કસ ધ્યાન રાખવી કે કોઈપણ કામ પ્રેમ-પૂર્વક કરો. આવેશથી તમારા કામ બગડી શકે છે. જો તમે વ્યવસાય કરવા માગતા હો તો ભાગીદારી ક્યારેય ન કરો નહીંતર પાછળથી પછતાવું પડી શકે છે.
કેરિયરઃ- રાજનીતિ, ચિકિત્સા ક્ષેત્ર, સૈન્ય વિભાગ, હાડકાના ડોક્ટર, પ્રશાસનિક સેવા, વિદ્યુત વિભાગ, હોટેલ મેનેજમેન્ટ, રેલવે વિભાગ, ટપાલ વિભાગ વગેરે ક્ષેત્રમાં તમારું કેરિયર બનાવી શકો છો.
વ્યવસાયઃ- ઘરેણા ખરીદ-વેચાણ, રત્ન વેચવા, વિદ્યુત ઉપકરણ, મેડિકલ સ્ટોર, જનરલ સ્ટોર, કપડાનું કામ, વાહનોની લે-વેચ, પુસ્તક ભંડાર, અનાજો ખરીદ-વેચાણ, વગેરે વ્યવસાય તમારા માટે અનુકૂળ સાબિત થાય છે.
ભાગ્યશાળી વર્ષઃ-તમારા જીવનમાં જ્યારે-જ્યારે બે, એક અને ચાર અંકોનો યોગ આવશે કે પછી આ અંક સામ-સામે આવશે તો તે વર્ષ તમારા માટે અનુકૂળ સાબિત થશે. જેમ કે 19, 20, 22, 24, 31, 37, 40, 44 46મું વર્ષ વગેરે તમારા માટે પરિવર્તન કારી સાબિત થશે.
અનુકૂળ શહેરઃ- દિલ્હી, સૂરત, મુંબઈ, કોલકાત્તા, ઉદયપુર, જયપુર, અજમેર, ગૌહાટી, ગ્વાલિયર, કોલ્હાપુર અને ગાઝિયાબાદ જેવા શહેર તમારા માટે શુભ રહેશે.
અનુકૂળ દેશઃ- ભારત, બર્મા, અરબ દેશો, શિકાગો, હાંગકોંગ, ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ, નાઈજિરીયા અને નેપાળ દેશ તમારા માટે લાભકારી સાબિત થશે.
ઘરનો મુખ્ય દરવાજોઃ- ભાગ્યાંક 1 વાળા જાતકે તમારા ઘરનો મુખ્ય દરવાજો પૂર્વ, ઉત્તર-પૂર્વ(ઈશાન) કે પછી ઉત્તર દિશામાં રાખો તો તેનાથી પરિવારમાં સુખ અને સાંતિ અને આર્થિક સમૃદ્ધિ બની રહેશે.
હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ
ભાગ્યાંક-2:
ભાગ્યાંક 2 વાળા હોય છે કંજૂસ-
જે જાતકોનો ભાગ્યાંક 2 છે તે વ્યક્તિઓ ઉપર ચંદ્ર ગ્રહનો વિશેષ પ્રભાવ હોય છે. તેમનું મન અને મગજ શાંત રહે છે. તેઓ પોતાના કાર્યોને લઈને સંવેદનશીલ તો હોય જ છે, પરંતુ ઘણા દિવસો સુધી તેમનું કામ કોઈ કામમાં મન નથી લાગતું. આ તેમનો નકારાત્મક પક્ષ છે જેના કારણે તેમને અનેકવાર પોતાનો વ્યવસાય બદલવો પડે છે.
તમારો સ્વભાવ ઉધાર લેવાનો છે, ભાગ્યાંક 2 વાળા જાતક ઉધાર ખૂબ જ વધુ લે છે, પરંતુ આપવામાં ઘણી ઢીલ કરે છે. તમારે તમારી આ આદતમાં સુધારો કરવાની જરૂર છે. આમ તો આ અંકવાળા લોકો કંજૂસ હોય છે, પરંતુ સારો મોકો આવે ત્યારે દિલ ખોલીને ખર્ચ કરેછે, જો તમે કોઈ વ્યવસાય કે ક્યાંક ધનનું રોકાણ કરવા માગતા હો તો પોતાની પત્નીને ભાગીદાર ચોક્કસ બનાવો.
કેરિયરઃ- પ્રોફેસર, પત્રકાર, એકાઉન્ટન્ટ, સમુદ્ર યાત્રા, શુગરમિલ, ખેતીવાડી, સંગીત, અભિનય, દાંત વિભાગ, જળસેનાત, ફેશન ડિઝાઈનિંગ, મોડેલિંગ વગેરે ક્ષેત્રમાં તમે તમારું કેરિયર બનાવી શકો છો.
વ્યવસાયઃ-સૌંદર્ય પ્રસાધન, પેટ્રોલ પંપ, કોન્ડડ્રિન્ક્સ, સંગીત એકેડેમી, રેસ્ટોરન્ટ, માટીના કાર્યો, કોન્ટ્રાક્ટર, કોઈપણ ક્ષેત્રમાં દલાલી, કેરોનીન ઓઈલ, પ્રકાશન, દૂધની ડેરી વગેરે વ્યવસાય આ અંકવાળાઓ અપનાવી શકે છે.
ભાગ્યશાળી વર્ષઃ- ભાગ્યાંક 2 વાળા વ્યક્તિઓ માટે અંક 2 અને 7 વિશેષ કરીને પ્રભાવશાળી રહે છે. જ્યારે-જ્યારે આ અંકનો યોગ આવશે કે પછી આ અંકો સામ-સામે આવશે તો તે વર્ષ તમારી માટે અતિ લાભકારી સાબિત થશે. 20મું અને 28મું વર્ષ તમને ધન કમાવાની તકો મળશે. 25 મા વર્ષે અને 27મા વર્ષે તમારા માટે પરિવર્તનકારી રહેશે. 29 વર્ષ અને 31મું વર્ષ તમારા માટે ઘણા ઊતાર-ચઢાવવાળી સ્થિતિઓ પેદા કરતા રહેશે.
અનુકૂળ શહેરઃ- દિલ્હી, દેહરાદૂન, કોલકાત્તા, અમદાવાદ, અહમદનગર, બેંગલોર, કર્ણાટક, લખનૌ, નોઈડા વગેરે શહેર તમારા માટે સફળદાયક સાબિત થશે.
અનુકૂળ રાષ્ટ્રઃ- શ્રીલંકા, તિબ્બત, ફ્રાંસ, જર્મની, લંડન, વિયાના, અમેરિકા, પુર્તુગાલ, યુથોપિયા, ચીન વગેરે દેશો તમારી માટે શુભ રહેશે.
ઘરનો મુખ્ય દરવાજોઃ- જે જાતકોનો ભાગ્યાંક 2 છે, તે લોકોએ પોતાના ઘરનો મુખ્ય દરવાજો ઉત્તર દિશા, પશ્ચિમ દિશા કે પછી ઉત્તર-પશ્ચિમ(વાયવ્ય ખૂણા)માં રાખે તોપરિવારમાં પ્રગતિશીલતા અને સુખ-સમૃદ્ધિ બની રહે છે.
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
ભાગ્યાંક -3:
ભાગ્યાંક 3 વાળા હોય છે રાજસી-
ભાગ્યાંક 3 વાળા વ્યક્તિઓને જીવન ગુરુ ગ્રહથી પ્રભાવિત રહે છે. આ વ્યક્તિ ખૂબ જ નિર્ણાયક, ધાર્મિક, સાત્વિક, દાર્શનિક, રસાયણ અને ભૌતિક શાસ્ત્રી અને સંશોધનકર્તા હોય છે. આમ તો આ લોકો ખૂબ જ રાજસી અને તામસી પ્રકૃતિના હોયછે. એટલા માટે જાતક મૂળભૂતરીતે શાંત પ્રકૃતિના હોયછે. તમે પોતાની પ્રવૃત્તિઓ પ્રમાણે કોઈનાથી ડરતા નથી, તમે પોતાના વિચારોથી પોતાનું સ્થાન પોતે જ નક્કી કરી લો છો.
તમારામાં દયાનો ભાવ કૂટી-કૂટીને ભરેલો રહેશે, એટલા માટે કોઈના દુઃખને જોઈ નહીં શકો. જો તમે સામાજિક કાર્યોમાં ભાગ લેશો તો તમે સફળતાની ચરમ સીમા સુધી પણ પહોંચી શકો છો. ક્યારેક-ક્યારેક તમે ધન પ્રાપ્ત કરવા માટે એટલા ઉત્સુક થઈ જાઓ છો કે અનૈતિક કાર્યો કરવામાં ખતકાટ અનુભવતા નથી. જો તમે કોઈ ઉચ્ચ હોદ્દા ઉપર થઈ જાઓ તો લાંચ લેવામાં સાવધાની રાખો નહીંતર મુસીબતમાં ફસાઈ શકો છો.
કેરિયરઃ- અધ્યાપન કાર્ય, લેખન કાર્ય, પોલીસની નોકરી, વકીલાત, જજ, ક્લાર્ક, સચિવ, નેવીને નોકરી, કાન, નાકના ડોક્ટર, એમબીએ, વગેરે ક્ષેત્રોમાં તમે તમારા કેરિયરની પસંદગી કરી શકો છો.
વ્યવસાયઃ-સંપદાન કાર્ય, થોકનું વેચાણ કરનાર, પૂજન ભંડાર, પાનની દુકાન, મિઠાઈની દુકાન, અંતરનું કામ, ફિલ્મ મેકર, જમીનની લે-વેચ, જ્વેલેરીના વેપારી, પીળી વસ્તુઓનો વેપાર, વક્તા, નેતા, શિક્ષણના ક્ષેત્ર અને શેયર બજારના વ્યવસાયોમાં તમે પસંદગી કરી શકો છો.
ભાગ્યાશાળી વર્ષઃ- તમારા જીવનમાં જ્યારે જ્યારે 1, 3, 6, 9 આ અંકોનો યોગ આવશે કે સામ-સામે આવશે તો તે વર્ષ તમારા માટે વિશેષ લાભદાયી રહેશે.
અનુકૂળ શહેરઃ- રાયપુર, રાવલપિંડી, રામપુર, રંગૂન, રાઉરકેલા, વડોદરા, અમદાવાદ, ફૈજાબાદ, હરિયાળા, કોલકાત્તા અને પંજાબ વગેરે નગરોમાંથી કોઈપણ શહેરની પસંદગી કરી શકો છો.
અનુકૂળ દેશઃ-નેપાળ, હોલેન્ડ, ઈંગ્લેન્ડ, ડેનમાર્ક, ન્યૂયોર્ક, ઓસ્ટ્રેલિયા, કંબોડિયા, ન્યૂઝિલેન્ડ, બર્લિન, કેનેડા વગેરે દેશો તમારા માટે લાભદાયી રહેશે.
ઘરનો મુખ્ય દરવાજોઃ- ભાગ્યાંક 3 વાળા વ્યક્તિ જો તમે ઘરનો મુખ્ય દરવાજો દક્ષિણ, પશ્ચિમ કે પૂર્વ-ઉત્તર(ઇશાન)માં રાખશો તો તમારા પરિવાર માટે વિશેષ લાભદાયી રહેશે.
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
ભાગ્યાંક- 4:
પરિવર્તનશીલ હોય છે ભાગ્યાંક 4 વાળા-
ભાગ્યાંક ચાર વાળા વ્યક્તિના વિચારો પરિવર્તનશીલ હોય છે. તેઓ એવા વ્યક્તિ કોઈ ધર્મના પ્રચારક હોય તો ઝડપથી તેઓ પોતાના વિચારો સમાજમાં કોઈ નવી દિશા બતાવવા માટે કામે લગાડે છે. તમે કોઈપણ ક્ષેત્રમાં જાઓ, પરંતુ પોતાના અથાગ પરિશ્રમથી સફળતા પ્રાપ્ત કરી લેશો. જો તમે રાજનીતીમાં જશો તો તમે એક પાર્ટીમાં સ્થિર ન રહીને બીજી પાર્ટીમાં ચાલ્યા જશો.
તમે તર્ક કરવામાં ઘણા કુશળ હો છો એટલે વાદ-વિવાદ કરવામાં તમે બીજા ઉપર અધિકાર જમાવી લેશો. તમે ક્રોધ ઝડપથી આવી જાય છે. પરંતુ ઝડપથી તમારો ગુસ્સો ઓગળી પણ જાય છે. આ કારણે કેટલાક લોકો તમારા દુશ્મન બની જાય છે. તમારી જરૂરિયાતો તો ચોક્કસ પૂર્ણ થશે પરંતુ ઈચ્છાઓ પૂરી કરવા માટે તમારે રાહ જોવી પડી શકે છે. તમે કોઈની નિંદા ન કરો, દરેકના ગુણોની પ્રશંસા કરો. તમે વૃદ્ધાવસ્થા માટે ધનનો સંચય ચોક્કસ કરો નહીંતર વૃદ્ધાવસ્થા કષ્ટદાયી બની શકે છે. યાત્રા દરમિયાન તમે કોઈની ઉપર વિશ્વાસ ન કરો. નહીંતર નુકસાન થઈ શકે.
કેરિયરઃ- જ્યોતિષના કાર્ય, પ્રોફેસર, વાસ્તુકલા, ઉપદેશક, રેલવેની નોકરી, હવાઈ સેવા, મોટર ચાલક, ઈલેક્ટ્રોનિક મિડિયા, દૂર સંચાર વિભાગ, ડિઝાઈનર, પી.ડબલ્યુ.ડી.માં નોકરી, હોટેલ મેનેજર, ટપાલ વિભાગમાં તમે કેરયિરની પસંદગી કરી શકો.
વ્યવસાયઃ- ઈંટનું કામ, સિમેન્ટ અને માટીનું કામ, બુટીકનું કાર્ય, દારુ, સ્પિરિટ, તેલ અને અંત્તરનો વ્યવસાય, પેન્ટિંગના કામ, રેલવેની ઠેકેદારી, કાગળના કાર્યો, બિલ્ડિંગનું નિર્માણ, ધાર્મિક સ્થળો ઉપર ગાઈડનું કામ, ફાસ્ટફુડ વગેરેના વેપાર કે નોકરી કે કામ તમને ફાયદો આપે છે.
ભાગ્યશાળી વર્ષઃ- ભાગ્યાંક ચારવાળા વ્યક્તિઓના જીવનમાં જ્યારે જ્યારે 4, 2, 1, 7 અંકોનો યોગ આવે છે કે પછી સામ-સામે આવશે તો તે વર્ષ તમારા માટે અનુકૂળ રહેશે. 30 વર્ષથી 40 વર્ષની અવસ્થા સુધી તમને ધનના મામલાઓમાં વિશેષ સાવધાની રાખવાની જરૂર રહેશે. તમાર માટે 22, 28, 31, 40, 43, 47 અને 71 મું વર્ષ શુભ રહેશે.
અનુકૂળ શહેરઃ- મુંબઈ, ચેન્નેઈ, કાનપુર, ભોપાલ, ઈન્દોર, બિઝનોર, ગોરખપુર, મુરાદાબાદ, હરિદ્વાર આ શહેરો તમારા માટે અનુકૂળ અને શુભ રહેશે.
અનુકૂળ શહેરઃ- ઈટાલી, જાપાન, ઈન્ડોનેશિયા, વોશિંગ્ટન, બાંગ્લાદેશ, જર્મની વગેરે દેશ તમારા માટે શુભ રહેશે.
ઘરનો મુખ્ય દરવાજોઃ- ભાગ્યાંક ચારવાળા જાતકો જો તમે ઘરનો દરવાજો પૂર્વ કે પૂર્વ-દક્ષિણમાં(અગ્નિ)ના કોર્નર ઉપર રાખશો તો તમારા માટે લાભકારી રહેશે.
જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!
ભાગ્યાંક 5:
બુદ્ધિમાન હોય છે ભાગ્યાંક 5 વાળાઃ-
ભાગ્યાંક 5 વાળા પોતાની બુદ્ધિની સરખામણી કદાચ કોઈ જ નહીં કરી શકે. એટલા માટે તમે પણ કોઈપણ પ્રશ્ન ઉકેલવા માટે સફળ થઈ શકશો. તમારી પાસે અનેક પ્રકારની માનસિક શક્તિઓ હશે. જે તમારા સ્વભાવને રહસ્યમયી બનાવી દેશે. તમે તમારા જીવનમાં અનેક જગ્યાઓથી પગ લંબાવવા કરવા પ્રયાસ કરશો પરંતુ એક જ કામ મન લગાવવું સારું રહેશે.
તમારું મન હરવા-ફરવામાં વધુ લાગશે તથા દરેક વાહનમાં બેસવાની પ્રબળ ઈચ્છા થશે. તમે કોઈપણ વાત ઝડપથી કહીને ભૂલી જાઓ છો. ત્યારબાદ બીજા ઉપર તમારો ગુસ્સો કાઢો છો. તમે પોતાના મિત્રો સાતે પ્રેમ કરસો તથા પોતાની શક્તિઓ પ્રમાણે મદદ કરવા માટે પ્રયાસ કરશો. તમે પોતાની મધુર વાણીથી બધાને મોહી લો છો, તે તમારી અદભૂત ક્ષમતા છે. તમે પોતાના શરીરનો ખૂબ જ ખયાલ રાખો છો એટલા માટે તમે પ્રૌઢાવસ્થમાં પણ યુવાન જેવા લાગશો. તમે પોતાના શરીર પાસેથી વધુને વધુ કામ કરાવવા છતાં પણ સ્ફૂર્તિવાન બની રહેશો.
તમે પોતાનો સંબંધ સમાજમાં ઉચ્ચ લોકો સાથે બનાવી રાખશો જે ભવિષ્યમાં લાભકારી પ્રતીત થશે. તમે અનેક વિષયોની જાણકારી ધરાવો છો, તે સારી વાત છે પરંતુ તમે પોતાનો મત બીજા ઉપર થોપવાનો પ્રયાસ ન કરો. તમે અત્યધિક ચિંતા ન કરો નહીંતર માનસિક બીમારીઓ થઈ શકે છે.
કેરિયરઃ-પ્રવાસન વિભાગ, ટેલિફોન વિભાગ, વીમા ક્ષેત્ર, ગૃહમંત્રાલય, ગણિતના અધ્યાપક, પોસ્ટમેન, સિંચાઈ વિભાગ, સંગીતના ક્ષેત્રમાં, એંકરિંગ, રાજનીતિનું ક્ષેત્ર, ખેલ અને માર્કેટિંગ સાથે સંબંધિત કેરિયરની પસંદગી કરી શકો છો.
વ્યવસાયઃ- તમાકુ, પાન મસાલા, કાથો, કિમામ, પુસ્તકોનું જથ્થાબંધ વેચાણ, દૂર સંચાર વિભાગના કોન્ટ્રાક્ટર, રેલે પાટાના કારખાના, બંગડીઓનો વેપાર, કપડાનો વ્યવસાય, લીલી વસ્તુઓનો વેપાર તથા ફર્નિચર વગેરેનો વ્યવસાય તમારા માટે લાભપ્રદ સાબિત થશે.
ભાગ્યશાળી વર્ષઃ- 5 ભાગ્યાંકવાળા જાતકોના જીવનમાં જ્યારે જ્યારે 5, 3, 7 અને 2 આ અંગોનો યોગ આવશે કે પછી અંક સામ-સામે આવશે તો તે વર્ષ તમારા માટે સૌથી વધુ અનુકૂળ રહેશે. ખાસ કરીને 14, 23, 25, 37, 41, 43, 50, અને 56મું વર્ષ તમારા માટે અનુકૂળ રહેશે.
અનુકૂળ શહેરઃ- લખનૌ, નોઈડા, અમદાવાદ, નવી દિલ્હી, ગોવા, મુંબઈ, કેરળ, કોલકાત્તા, ભુવનેશ્વર વગેરે શહેર તમારા માટે શુભ રહેશે.
અનુકૂળ દેશઃ- સિંગાપુર, સ્પેન, સાઉદી અરેબિયા, કોરિયા, આયરલેન્ડ, અમેરિકા વગેરે દેશો તમારા માટે લાભપ્રદ રહેશે.
ઘરનો મુખ્ય દરવાજોઃ- તમે તમારા ઘરનો મુખ્ય દરવાજો જો ઉત્તર કે પૂર્વ-ઉત્તર(ઇશાન) ખૂણામાં રાખશો તો તમારા પરિવારમાં ખુશહાલી અને આર્થિક સંપન્નતા બની રહેશે.
આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!
ભાગ્યાંક-6:
સુંદરતાના પ્રેમી હોય છે ભાગ્યાંક 6 વાળા
ભાગ્યાંક-6 આ જાતકોનું જીવન શુક્ર ગ્રહથી પ્રભાવિત રહે છે. શુક્ર ગ્રહ સૌંદર્યનું પ્રતીક માનવામાં આવે છે. તમારામાં એક વિશે, પ્રકારની આકર્ષણ શક્તિ હશે, એટલા માટે તમારાથી લોકો ઝડપતી પ્રભાવિત થઈ જશે. સુંદર કલાત્મક સંગીત અને સાહિત્યથી તમે વિશેષ લગાવ રહેતો રહેશે. તમે કોઈપણ કાર્ય કરવામાં વિશ્વાસ ધરાવો છો એટલા માટે તમને આળસુ લોકો પસંદ નથી આવતા. તમને કુરુપતા પસંદ નથી એટલા માટે તમે કુરુપ લોકો સાથે વધુ હળતા-ભળતા નથી.
દરેક લોકો ઉપર વિશ્વાસ ન કરો કે પચી કરો તો પહેલા તેની તપાસ જરૂર કરી લો. મેદસ્વીતા વધુ હોવાની શક્યતા છે, એટલા માટે તમે-પોતાના ખાન-પાન ઉપર વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. તમે પ્રતિવાદીની ભાવનામાં ક્યારેય ન ફસાઓ નહીંતર લક્ષ્યથી તમે ભટકી શકો છો. તમે પોતાની ભૂલોને યોગ્ય સાબિત કરવાનો પ્રયાસ કરો છો, આ આદતમાં સુધારો લાવવા માટે પ્રયાસ કરો. બીજાના અનુભવોથી લાભ ઊઠાવવાની આદત પાડો. ચટપટા અને સ્વાદિષ્ટ ભોજનની પ્રત્યે તમારો વિશેષ લગાવ રહેશે. પરંતુ તેનાથી સ્વાસ્થને નુકસાન થઈ શકે છે.
કેરિયરઃ- પરિવહન વિભાગ, પર્યટન વિભાગ, રેસલિંગ, ટીવી શો, થિયેટર, ભૂગર્ભ વિભાગ, ઉડ્યન વિભાગ, સમાજ કલ્યાણ, સચિવાલય વિભાગ વગેરેમાં તમે તમારું કેરિયર નક્કી કરી શકો છો.
વ્યવસાયઃ- રેસ્ટોરન્ટ, શિલ્પકાર્ય, સાહિત્ય, ફિલ્મ વિજ્ઞાપન, પરિવહન વિભાગના કોન્ટ્રાક્ટર, વસ્ત્રોના વેપાર, સમાજ કલ્યાણ, સચિવાલય વિભાગ વગેરમાં તમે પોતાનું કેરિયર પસંદ કરી શકો છો.
ભાગ્યશાળી વર્ષઃ- ભાગ્યાંક 6 વાળા વ્યક્તિના જીવનમાં જ્યારે-જ્યારે 6, 9, 3 અને 2 આ અંરોનો યોગ આવશે તો તે વર્ષ તમારા માટે અનુકૂળ રહેશે. જેમ કે 21, 24, 30, 33, 39, 42, 46, 54, 56, આ વર્ષ તમારા માટે સારા રહેશે.
અનુકૂળ શહેરઃ- મુરાદાબાદ, પંજાબ, ચંડીગઢ, ગાઝિયાબાદ, બિજનોર, નાલંદા, જયપુર, અમ્બેડકર નગર વગેરે શહેર તમારા માટે શુભ રહેશે.
અનુકૂળ દેશઃ- કેનેડા,જાપાન, કરાંચી, બર્લિન, સાઉથ આફ્રિકા, કોલંબિયા, રસિયા વગેરે દેશ તમારા માટે સારા રહેશે.
ઘરનો મુખ્ય દરવાજોઃ- ભાગ્યાંક 6 વાળા જાતક જો તમારા ઘરનો મુખ્ય દરવાજો પશ્ચિમ કે પછી પૂર્વ-ઉત્તર(ઇશાન) ખૂણામાં રાખશો તો પરિવાર અને કેરિયર માટે ખૂબ જ અનુકૂળ રહેશે.
1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?
ભાગ્યાંક – 7:
રહસ્યમયી હોય છે ભાગ્યાંક 7 વાળા-
ભાગ્યાંક 7 વાળા જાતક કુશળ, તાર્કિક, સ્પષ્ટવાદી અને વધુ વાર્તાલાપ કરનારા હોયછે. એવા જાતકો રહસ્યાત્મક ક્રિયાઓ માટે હોય છે. તેઓ પોતાનું અલગ અસ્તિત્વ બનાવવામાં લગાતાર પ્રયાસ અને મહેનત કરતા રહે છે. આથી આ અંકના ચરિત્રને સમજવામાં ઘણી કઠિનતા આવે છે. આ જાતકો સ્વતંત્રતા વિશે વિશેષ રૂચિ ધરાવેછે. તમે સમાજિક અને આર્થિક રીતે પોતાની ઉપર જ નિર્ભર રહેશો. તમારાજીવનમાં એક વાત જોવા મળશે, જો કોઈ પરંપરા તમારા ઉપર હાવી થઈ જશે તો તમે તેને તોડવામાં વાર નહી કરો.
ક્યારેક-ક્યારેક તમે પોતાના ઉપર નિયંત્રણ ખોઈ દો છો, અને પરિણામને વિચાર્યા વગર જ કામ કરવા લાગો છો. આ સ્થિતિ તમારા માટે હિતકારી નથી. તમારું જીવન જળની ક્રિયાઓથી દુર્ઘટનાજનિત થઈ શકેછે. આથી સાવધાની રાખો. તમારી સૌથી મોટી ખાસિયત એ છે કે તમે ખૂબ જ કર્મશીલ, સ્ફૂર્તિવાન તથા આકર્ષણ યુક્ત હશો. તમારી ભાવુકતા તથા મગજમાં ઊઠતા બીજ કંઈ પણ કરાવી શકે છે.
તમે જે પણ પોતાના જીવનમાં કરશો ઘણા સુચારું રીતે કરશો. તમારી પ્રકૃતિ ખૂબ જ ઊંડી હશે અને તમે વિચાર કર્યા પછી જ તે કામ કરશો. તમે એ જ કામ કરશો જેમાં તમને લાભ હોય.
કેરિયરઃ- યોગ શિક્ષત, એગ્રીકલ્ચર વિભાગ, સ્વિમિંગ, પત્રકારિતા, વીમા કંપની, સર્જરી ચકિત્સા, ગુપ્તચર વિભાગ વગેરેમાં તમે તમારું કેરિયર બનાવી શકો છો.
વ્યવસાયઃ- બાગાયતી કાર્ય, ખેતીકાર્ય, પ્રવાહી પદાર્થોનો વેપાર, આયુર્વેદિક દવાઓનો વેપાર, વીજળીની દુકાન, મોટર્સના પાર્ટ્સ વગેરે સાથે સંબંધિત વ્યવસાય તમે પસંદ કરશો તો લાભ થશે.
ભાગ્યાશાળી વર્ષઃ- તમારા જીવનમાં જ્યારે 7, 2, 4 આ અંકોનો યોગ આવશે કે પછી અંક સામ-સામે આવશે તો તે વર્ષ તમારી અનુકૂળ રહેશે. જેમ કે 16, 25, 27, 31, 34, 43, 52, 56, અને 70મું વર્ષ તમારી માટે અનુકૂળ રહેશે.
અનુકૂળ શહેરઃ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, બેંગલોર, ગુજરાત, નૈનીતાલ, દેહરાદૂન, ટણકપુર વગેરે શહેર તમારા માટે શુભ રહેશે.
અનુકૂળ દેશઃ- કેપટાઉન, કોલંબો, બેંકોક, સ્વીડન, મોસ્કો, કેનેડા વગેરે દેશો તમારી માટે શુભ રહેશે.
ઘરનો મુખ્ય દરવાજોઃ- આ જાતકોના ઘરનો મુખ્ય દરવાજો પશ્ચિમ કે પછી દક્ષિણ-પૂર્વ(અગ્નિ) ખૂણામાં હોય તો તેના પરિવારની પ્રગતિ અને ખુશહાલી ચાલતી રહે છે.
તમારી જન્મતારીખ બતાવે છે કયો મહિનો છે તમારા સ્વાસ્થ્ય ઉપર ભારે? ઉપાયો કરો
ભાગ્યાંક – 8:
સંઘર્ષમયી હોય છે ભાગ્યાંક 8 વાળા-
ભાગ્યાંક- 8 વાળા વ્યક્તિઓના જીવનમાં શનિ ગ્રહ પ્રભાવિત રહે છે. તમારું આખુ જીવન સંઘર્ષથી વ્યતીત થાયછે. તમે સાહસી છો, આથી તમે દરેક ખતરાઓને પોતાના સાહસના બળે નષ્ટ કરી દેશો. તમે કોઈ પણ કામને ઘણી લગનથી કરો છો પરંતુ જેવી સફળતા તમને મળી જાય છે, એવું જ તમારું તે કામ પ્રત્યે ઉત્સાહ અને રસ ઓછો થઈ જાય છે.
તમે ગંભીર વિચારોના સ્વામી હશો જેના કારણે લોકો તમને સન્માન આપશે. તમે નાનું કામ કે નાનો હોદ્દો પસંદ નહીં આવે. તમે નિર્ભય, સ્પષ્ટવાદી, લગનસીલ હશો એટલા માટે તમે તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે મોટા-મોટા ત્યાગ પણ કરવા માટે તૈયાર રહેશો. તમે ભાગ્યવાદી હશો પરંતુ જીવનમાં અનેક કઠીન કાર્યો કરીને બતાવશો, તમારા જીવનમાં પરિવર્તનની હવા વહેતી રહેશે પરંતુ તમે સકારાત્મક અને સજગ રહો.
તમે ઓછું બોલવામાં વધુ વિશ્વાસ કરસો. જરૂરિયાતથી વધુ કોઈની ઉપર વિશ્વાસ કરવો તમારા માટે ઘાતક સિદ્ધ થઈ શકે છે.તમારા જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવશે પરંતુ તમે ધૈર્ય ન ખોવો એ જ સફળતાનું સૂત્ર છે. કોઈ દુર્ઘટનાના ભયથી તમારું મન ચિંતિત થાય.
કેરિયરઃ- એન્જિનિયરિંગ, વૈજ્ઞાનિક શોધ, જ્યોતિષ કાર્ય, કર્મકાંડ, વકીલ, ન્યાયધીશ, ખનીજ વિભાગ, સેનામાં નોકરી, તકનીકી કાર્યો, ખેતીવાડી, હોર્સ રાઈડિંગ, પનડુબી, રાજનીતી વગેરે ક્ષેત્રમાં તમે તમારું કેરિયર પસંદ કરી શકો છો.
વ્યવસાયઃ- કાળી વસ્તુઓનો વેપાર જેવા કે તેલેબિયા, કાળા તલ વગેરે, ટ્રાન્સપોર્ટના કાર્યો, મરઘી પાલન, લાકડાનાકામ, વિજળી કાર્ય, લોખંડના કામ, શિલ્પકળાનું કામ, ખેતીવાડી, વાહનની એજન્સી, મોટર પાર્ટ્સ વગેરેના વ્યવસાયો તમારી અનુકૂળ રહેશે.
ભાગ્યાશાળી વર્ષઃ- તમારા જીવનમાં જ્યારે જ્યારે 8, 4, 7, 2 આ અંકોનો યોગ આવશે કે પછી સામ-સામે આવશે તો તે વર્ષ તમારી અનુકૂળ રહેશે. જેમ કે- 16, 17, 26, 31, 35, 38, 44, 53, 58, 70, આ વર્ષ તમારા માટે સારા રહેશે.
અનુકૂળ શહેરઃ- મેરઠ, લખનઉ, ફિરોઝાબાદ, કાનપૂર, ઈલાહાબાદ, જોહાગીરાબાદ, સૂરત, નાસિક આ શહેર તમારા માટે અનુકૂળ રહેશે.
અનુકૂળ દેશઃ- ઉત્તરી અમેરિકા, ચીન, બાંગ્લાદેશ, સ્વીડન, ઓસ્ટ્રેલિયા, સાઉદી અરેબિયા વગેરે દેશો તમારી માટે અનુકૂળ રહેશે.
ઘરનો મુખ્ય દરવાજોઃ- આ લોકો જો ઘરનો મુખ્ય દરવાજો દક્ષિણ-પૂર્વ(અગ્નિ) ખૂણામાં કે પછી દક્ષિણ-પશ્ચિમ(નૈઋત્ય)માં રાખે તો અનુકૂળ પરિણામ મળે છે.
અંકશાસ્ત્ર: તમારા લક્કી અંકના આધારે જાણો તમારા જીવનના શુભ-અશુભ પાસાઓ વિશે…!!!
ભાગ્યાંક – 9 :
બહાદુર હોય છે ભાગ્યાંક 9 વાળા
ભાગ્યાંક 9 વાળા જાતકોના જીવનમાં પ્રતિનિધિત્વ મંગળ ગ્રહ કરે છે. આ વ્યક્તિઓમાં નેતૃત્વ કરવાની તથા સંગઠન કરવાના વિશેષ ગુણ રહેલા હોય છે. એવા વ્યક્તિઓનો જન્મ સાધારણ કુળમાં થાય છે પરંતુ આ લોકો પોતાની મહેનતના બળે ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરી લે છે. તમે ક્યારે આવનાર સંકટોથી ઘબરાતા નથી અને સાહસના કાર્ય કરી એ સંકટોને દૂર કરી દો છો.
તમને ક્રોધ ઝડપથી આવી જાય છે, એટલા માટે ઘણીવાર નુકસાન પણ ઊઠાવવું પડે છે. તમે સ્વતંત્ર વિચારોના હોવ છો, એટલા માટે કોઈને અધીન કામ કરવાનું પસંદ નથી કરતા. તમે તે કામ કરવાનું જ પસંદ કરો છો જેમાં કઠિનાઈઓ હોય તથા કંઈક અલગ કામ હોય. તમે દેખાવે તો કઠોર હશો પરંતુ અંદરથી એટલા જ ભાવુક હશો. તમે ખૂબ જ પ્રતિભાશાળી હશો અને તમારી સમક્ષ કોઈપણ વ્યક્તિ બોલવાનું સાહસ નહીં કરે, પરંતુ પાછળથી લોકો તમારી આલોચના કરશે.
તમારી લેખન શૈલી સુંદર હશે. તમારી પાસે કંઈ ન હોય તેમ છતાં તમે ખૂબ જ શાનથી રહેવાનું પસંદ કરશો, તમે ચાપલૂસી ન કરો કે એવા લોકોથી પણ દૂર રહો.
કેરિયરઃ- પ્રશાસનિક સેવા, બીટેક, ગુપ્તચર વિભાગ, આર્મી, આર્કિટેક્ટ, ભૂગર્ભ વિભાગ, ફોટોગ્રાફી, સમાજ કલ્યાણ, જમીનની લે-વેચ, સચિવાલય વિભાગ, ચિકિત્સા ક્ષેત્ર વગેરે સાથે સંબંધિત તમે પોતાનું કેરિયર નક્કી કરી શકો છો.
વ્યવસાયઃ- સર્જરીનો સામાન, કોર્ટ કચેરી, કોન્ટ્રાક્ટર, મેડિકલની દુકાન, ધર્મ ઉપદેશક, ઔષધી બનાવવાનું કારખાનુ, વગેરે સાથે સંબંધિત વ્યવસાયો કરશો તો તમે લાભ પ્રાપ્ત કરશો.
ભાગ્યાશાળી વર્ષઃ- 9, 6, 3 અને 5 આ અંકોનો જ્યારે જ્યારે યોગ આવસે કે પછી અંકો સામ-સામે આવશે તો તે વર્ષ તમારા માટે લાભકારી પ્રતીત થશે. જેમ કે 18, 27, 30, 36, 45, 54, 59, 69, આ વર્ષ તમારા માટે અનુકૂળ રહેશે.
અનુકૂળ શહેરઃ- ઓરિસ્સા, ભુવનેશ્વર, ચંદીગઢ, સિકંદરાબાદ, પૂણે, ગોવા, જયપુર, અજમેર, પિથોરાગઢ વગેરે શહેર તમારી માટે લાભદાયી રહેશે.
અનુકૂળ દેશઃ-સિંગાપોર, સ્પેન, સાઉદી અરેબિયા, સ્પેન, આયરલેન્ડ, અમેરિકા દેશ તમારા માટે લાભદાયી રહેશે.
ઘરનો મુખ્ય દરવાજોઃ-જો તમે પોતાના ઘરનો દરવાજો દક્ષિણ કે પછી દક્ષિણ-પશ્ચિમ(નૈઋત્ય) ખૂણામાં રાખશો તો તમારા પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહેશે.
સાભાર: દિવ્ય ભાસ્કર.
વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો
દરેક યુવતીઓની જન્મતિથિ થી જાણો તેમના વ્યક્તિત્વના રહસ્યો , હોય છે આવી ખાસ વાત..!!
જૂન મહિનામાં જન્મ્યાં હો તો આવું જ હશે છે તમારું વ્યક્તિત્વ +ગુપ્ત વાતો!
1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?
આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!
જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!