Category Archives: વાસ્તુદોષ અને ઉપાયો : वास्तुदोष और उपाय

જીવનમાં આ રીતે વાસ્તુ અને ગ્રહોના દોષો એક સાથે દૂર કરી, મેળવો સુખ-સમૃદ્ધિ…!!!

planet

ગ્રહોનો પ્રભાવ આપણા ઘર ઉપર પણ પડે છે. તેને લીધે ઘરના સભ્યોને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ગૃહસ્વામીની કુંડળીમાં મુખ્ય સાતમાંથી કોઇ ગ્રહ નબળો કે ખરાબ હોય ત્યારે લાલ કિતાબમાં વર્ણિત ઉપાયો કરવાથી ગ્રહ શાંત અને વાસ્તુદોષ પણ દૂર થાય છે. અહીં જાણો દરેક ગ્રહ સાથે જોડાયેલા કેટલાક ઉપાયો…

સૂર્ય : –

– જો મકાન પર અશુભ સૂર્યનો પ્રભાવ હોય તો ખરાબ કાર્ય કરવું નહીં. દરવાજા પૂર્વ દિશામાં રાખવા. આંગણું ખુલ્લું હોવું જોઇએ. હવા-પ્રકાશની યોગ્ય વ્યવસ્થા કરવી.

– કૂંડામાં કાંસા કે પિત્તળનો ટુકડો દબાવવો અને આકડાનો છોડ ઉછેરવો. આ કૂંડાઓને મુખ્ય દરવાજાની આસપાસ મૂકવા.

– ખાટલા કે પલંગના પાયાઓમાં તાંબાની ખીલીઓ જડવી.

ચંદ્ર : –

– જો મકાન પર અશુભ ચંદ્રનો પ્રભાવ હોય તો ચંદ્રની સાથે સંબંધિત વસ્તુઓ એટલે કે સફેદ વસ્તુઓને એકઠી કરવી નહીં.

– પલંગ અથવા ખાટલાના પાયાઓ પર ચાંદીની ખીલીઓ જડવી.

મંગળ : –

– જો મકાન પર અશુભ મંગળનો પ્રભાવ હોય તો લાલ રંગનો વધુ ઉપયોગ કરવો. વિધવાના આશીર્વાદ લેવા અને તુલસીના છોડને દરરોજ પાણી સિંચવું.

– ગળી વસ્તુઓ પાણીમાં વહાવવી. ઓજાર અથવા અસ્ત્રશસ્ત્ર ખુલ્લાં ન રાખવા.

બુધ : –

– જો ઘર પર અશુભ બુધનો પ્રભાવ હોય તો ચાંદીનો વેઢ ડાબા હાથની આંગળીમાં પહેરવો.

– કબૂતરોને પલાળેલી મગની દાળ ખવડાવવી.

– લીલી બોટલમાં પાણી ભરીને તે સૂમસામ જગ્યાએ મૂકવી અથવા ખાડો ખોદીને દાટી દેવી.

– તુલસીના પાન ચાવવા કે ઇલાયચી ખાવી.

ગુરૂ : –

– જો ઘર પર અશુભ ગુરૂનો પ્રભાવ હોય તો પીળો રૂમાલ અથવા પીળી વસ્તુઓ પાસે રાખવી.

– ગંગાજળનું પાન કરવું તથા પીપળાનું પૂજન કરવું.

– ઘરની દીવાલો પર પીળો રંગ કરાવવો, પીળા રંગની વસ્તુઓનું દાન કરવું. કૂંડામાં પીળા ફૂલોવાળા છોડવાઓ ઉછેરવા.

– ઘરમાં પડદા પીળા રંગના બનાવવા અને ગુરૂમંત્રનો જાપ કરવો.

શુક્ર :-

– જો મકાન પર અશુભ શુક્રનો પ્રભાવ હોય તો હીરાને ચાંદીમાં જડાવીને પહેરવો.

– જૂઠુ બોલવું નહીં અને સદ્કાર્ય કરવું.

– તરસ્યાને પાણી પીવડાવવું અને ગરીબને ભોજન આપવું.

શનિ :-

– જો ઘર પર અશુભ શનિનો પ્રભાવ હોય તો માંસ-મદિરાથી દૂર રહેવું. અશુભ ગુરૂના ઉપાયો કરવા.

– શનિવારનું વર્ત કરવું અને શનિના નામ પર તેલનું દાન કરવું.

– કપાળે પીળું તિલક કરવું. ચાંદીના ટુકડા ખિસ્સામાં રાખવા.

– ગાયને તેલ ચોપડેલી રોટલી ખવડાવવી.

– ધર્મસ્થળ પર અન્ન અને ગળી વસ્તુનું દાન કરવું.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.
વાસ્તુશાસ્ત્રના સુવર્ણ ઉપાયો: નોકરી ન મળતી હોય તો ઘરના વાસ્તુદોષનું નિવારણ કરો…!!!
ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!
અસરકારક વાસ્તુ શાસ્ત્ર: સન્માન અને સમૃદ્ધિ વધારવા, ઘરના આ ખૂણામાં કરો નાના-નાના ફેરફાર…!!!
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.
ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!
જાણો..કામ લાગશે…તોડફોડ કર્યા વગર ઘરના દોષ દૂર કરતું ફેંગશૂઈ…!!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…વાસ્તુશાસ્ત્ર તમારો વેપાર વધારી શકે છે..!!!
શાસ્ત્રોક્ત ઉપાય: ધંધામાં આવક ડબલ કરવા, અપનાવો આ નાના-નાના સચોટ ઉપાય…!!
ફેંગશુઈના 15માંથી કોઇ 1નો કરો ઉપાય, ઘરથી ક્યારેય દૂર નહીં થાય સુખ+સમૃદ્ધિ
જાણો ઉકેલ…દીકરીના લગ્નમાં વિઘ્નો ઉત્પન્ન કરે છે આ દોષો, આજે જ જાણી કરો દૂર…!!
જાણો…દરેક કામમાં અતિશુભ ફળ મેળવવું હોય તો ધ્યાનમાં રાખવી આ 15 વાતો..!!!
ઘરમાં થાક, અનિદ્રા, તણાવ અનુભવો છે? હોઈ શકે છે વાસ્તુદોષ..!
તમારા ઘરમાં ચોક્કસ હોવી જોઇએ, ધનને આકર્ષતી આ 15માંથી 1 વસ્તુ!

તમે જાતે જાણો…વાસ્તુ દોષ-ઉપાયો કેટલા સાર્થક? આ છે તેની વિશ્વસનિયતાનું રહસ્ય…!!!

vaastu3

માણસે તેની આસપાસના કુદરતી તત્વો સાથે કેવી રીતે સામંજસ્ય કેળવવું તે વિશેનું વિજ્ઞાન એટલે વાસ્તુ શાસ્ત્ર. આ કુદરતી પરિબળો માં હવા, જળ, પ્રકાશ, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ, ચુંબકીય અસર વગેરેનો સમાવેશ થાય છે. વસ્તુ શાસ્ત્રના નિયમોનું પાલન કરીને આપણે આપણું જીવન વધુ સ્વસ્થ, સમતાપૂર્ણ અને સુખી બનાવી શકીએ છીએ.

પૃથ્વી તત્વ :

આપણો વસવાટ પૃથ્વી ઉપર હોવાથી પૃથ્વી તત્વ આપણા જીવન ઉપર સૌથી વધુ અસર કરે છે. આ કારણે વાસ્તુની દ્રષ્ટિએ આપણે જે જમીનના ભાગ ઉપર મકાન બનાવીએ છીએ તેની ગુણવત્તા અગત્યની ગણાય છે. પ્લોટનો આકાર, ઢાળ તેમજ તેને અડીને આવેલ રસ્તા વગેરે મહત્વના બને છે.

જળ તત્વ :

પૃથ્વી ઉપર જીવની ઉત્પત્તિ જળમાં જ થઇ અને દરેક સજીવ માટે પાણી જ જીવનનો આધાર છે. પૃથ્વી પર તેમજ માનવના શરીરમાં ૮૦ ટકાથી પણ વધુ હિસ્સો જળનો જ હોવાથી માનવની સુખાકારી ની દ્રષ્ટિએ જળતત્વ અગત્યનું છે. આ જ કારણથી ઘરમાં પાણીનો સ્ત્રોત, તેનો સંગ્રહ તથા નિકાલ કેવી રીતે અને ક્યા કરવો તે વિષે ઉપયોગી માર્ગદર્શન વાસ્તુશાસ્ત્ર પૂરું પાડે છે.

અગ્નિ તત્વ :

ઉર્જાસ્વરૂપે અગ્નિ મનુષ્યને શરીરના પોષણ થી માંડીને વિવિધ યંત્ર ચલાવવા સુધી ઉપયોગી અનિવાર્ય તત્વ છે. ભારત દેશ ઉષ્ણ કટિબંધમાં આવેલ હોવાથી દક્ષિણ-પૂર્વ થી પૂર્વ સુધીમાં સૂર્યનું સ્થાન રહે છે અને સુર્ય દરેક ઉર્જાનો મૂળભૂત સ્ત્રોત હોવાથી દક્ષિણ-પૂર્વને આપણે અગ્નીખુણો કહીએ છીએ. વાસ્તુ શાસ્ત્ર આપણને અગ્નિ તત્વનો લાભ કેવી રીતે મેળવી શકીએ તે અંગે વાસ્તુ માર્ગદર્શન આપે છે.

વાયુતત્વ :

પૃથ્વી અને જળ તત્વ પછી બીજું અતિ મહત્વનું તત્વ છે વાયુ તત્વ. હવા વિના આપણે એક ક્ષણ પણ જીવી શકીએ નહિ. હવામાં રહેલ પ્રાણવાયુ તથા અંગારવાયુ ધરતી ઉપર પરસ્પર નભતું એક ચક્ર ચલાવે છે જેના આધારે મનુષ્ય તથા વનસ્પતિનું જીવન ચાલે છે. ઘરમાં કઈ દિશામાંથી હવા આવે અને કઈ દિશાએથી બહાર જાય તે વિષે વાસ્તુશાસ્ત્ર આપણને માર્ગદર્શન આપે છે.

જ્યારે આપણે ઘર બનાવીએ છીએ ત્યારે શું ઉપલબ્ધ છે, શું બીજાઓએ બનાવેલ છે, કેવી ફેશન ચાલે છે, શું આપણા બજેટમાં બેસે છે – જેવી બાબતો નિર્ણાયક બની જતી હોય છે અને કુદરતના તત્વો સાથે સંતુલન સાધવા જેવી પાયાની બાબતો આપણા ધ્યાન બહાર જ રહી જવા પામે છે.

વાસ્તુ શાસ્ત્રના જ્ઞાન થી આપણે નવા ભવનના નિર્માણ સમયે મહત્વનો લાભ લઇ શકીએ છીએ. આ ઉપરાંત જે ને જુદા જુદા તત્વો ના સ્વભાવ તથા જીવન ઉપયોગી સાધનો ઉપર આ તત્વોના પ્રભાવનું સારું જ્ઞાન છે તેવા વિદ્વાન આપણા ભવનમાં વાસ્તુ વિરોધી વ્યવસ્થાને કેવી રીતે સુધારી શકાય તે વિષે માર્ગદર્શન આપી શકે છે. વાસ્તુ દોષો દૂર કરી આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકાય છે.

વાસ્તુ ઉપાયો નો લાભ લેતી વખતે એ બાબત ખાસ યાદ રાખવી ઘટે કે જીવનની દરેક બાબતમાં કાઇ વાસ્તુ દોષ જ સંપૂર્ણપણે જવાબદાર હોય તેવું હમેશા હોતું નથી. સમસ્યા ની જડ માં વાસ્તુ દોષ ઉપરાંત મનુષ્યનું કર્મ, તેનું પ્રારબ્ધ, તેની પોતાની ભૂલો, તેના વિરોધીઓ, રોગ જીવાણું, ગ્રહ પીડા, દેવતા દોષ, પ્રેતપીડા, પિતૃ દોષ જેવા બીજા અનેક દ્રષ્ટ અને અદ્રષ્ટ કારણો હોય છે.

જ્યારે જે તે મુશ્કેલી ના સર્જનમાં વાસ્તુ દોષ જ મુખ્ય હોય ત્યારે વાસ્તુ દોષ નિવારણ અંગેના સાચા ઉપાયો કરવાથી મુશ્કેલીમાંથી મોટા પ્રમાણમાં રાહત મળે છે – પરંતુ જે પીડા પાછળ ઉપર વર્ણવેલ અન્ય કારણો મહદ અંશે જવાબદાર હોય અને પીડાની ઉત્પત્તિમાં વાસ્તુ દોષ ની ભૂમિકા ઓછા પ્રમાણમાં હોય ત્યારે આવા સંજોગોમાં માત્ર વાસ્તુ દોષનું નિવારણ કરવાથી મનુષ્યની પીડા-મુશ્કેલીમાંથી નોધપાત્ર રાહત મળે નહિ. આ જ કારણ છે કે આપણે કોઈ મિત્રને વાસ્તુ માર્ગદર્શન થી થયેલ ફાયદા ને અનુસરીને જે તે વિદ્વાનની સલાહ લેવા દોડી જઈએ છીએ અને પછી જોઈએ તેવો લાભ ન મળે ત્યારે વાસ્તુ શાસ્ત્રને બિન-ઉપયોગી કહેતા ફરીએ છીએ.

દરેક ઘટના કે પરિસ્થિતિ નું નિર્માણ અનેક બાબતોના સહ અસ્તિત્વથી થતું હોય છે. કોઈ પણ બે પરિસ્થિતિ ૧૦૦ ટકા સમાન કદાપી હોતી નથી. આ સંજોગોમાં એ બાબત સમજી શકાય છે કે આપણે આપણા દૂખોનો ઉપાય બધી બાજુએથી કરવો પડશે. માત્ર વાસ્તુ કે માત્ર જ્યોતિષ કે ફક્ત મંત્ર-તંત્ર એમ એકાદ શાસ્ત્રના જાણકાર કાયમ માટે ઉપયોગી થઇ શકે નહિ. જે વ્યક્તિને જેટલા વધુ શાસ્ત્રોનું જ્ઞાન તેટલા વધુ અંશે તે પરિસ્થિતિ પાછળ ના પરિબળોને જાણી શકશે અને એટલા વધુ અંશે તે જે તે સમસ્યા નું નિદાન અને ઉપાય સચોટપણે સુચવી શકશે. વિભૂતિગણેશ ના છત્રમાં અમે જુદા જુદા વિષયોના નિષ્ણાતોની ટીમ ઉભી કરી છે જેમાં જ્યોતિષ, વાસ્તુ, ગૂઢ વિદ્યા, મંત્ર-તંત્ર, પૂર્વ-જન્મ રીગ્રેસન, રેકી, યોગ, સંકલ્પ-સિદ્ધિ, નિસર્ગોપચાર, આયુર્વેદ તથા મ્યુઝીક થેરાપી નો સમાવેશ થાય છે

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.
વાસ્તુશાસ્ત્રના સુવર્ણ ઉપાયો: નોકરી ન મળતી હોય તો ઘરના વાસ્તુદોષનું નિવારણ કરો…!!!
ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!
અસરકારક વાસ્તુ શાસ્ત્ર: સન્માન અને સમૃદ્ધિ વધારવા, ઘરના આ ખૂણામાં કરો નાના-નાના ફેરફાર…!!!
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.
ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!
જાણો..કામ લાગશે…તોડફોડ કર્યા વગર ઘરના દોષ દૂર કરતું ફેંગશૂઈ…!!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…વાસ્તુશાસ્ત્ર તમારો વેપાર વધારી શકે છે..!!!
શાસ્ત્રોક્ત ઉપાય: ધંધામાં આવક ડબલ કરવા, અપનાવો આ નાના-નાના સચોટ ઉપાય…!!
ફેંગશુઈના 15માંથી કોઇ 1નો કરો ઉપાય, ઘરથી ક્યારેય દૂર નહીં થાય સુખ+સમૃદ્ધિ
જાણો ઉકેલ…દીકરીના લગ્નમાં વિઘ્નો ઉત્પન્ન કરે છે આ દોષો, આજે જ જાણી કરો દૂર…!!
જાણો…દરેક કામમાં અતિશુભ ફળ મેળવવું હોય તો ધ્યાનમાં રાખવી આ 15 વાતો..!!!
ઘરમાં થાક, અનિદ્રા, તણાવ અનુભવો છે? હોઈ શકે છે વાસ્તુદોષ..!
તમારા ઘરમાં ચોક્કસ હોવી જોઇએ, ધનને આકર્ષતી આ 15માંથી 1 વસ્તુ!

જાણો…સ્થિર થઇ ગયેલાં દાંપત્યજીવનમાં ફરી ખીલાવો પ્રેમના ફૂલ, આ છે ખાસ ટિપ્સ..!!

krushn

પતિ-પત્નીના સારા લગ્ન જીવન માટે જરૂરી છે કે તેમના બેડરૂમમાં કોઈ દોષ ન હોય. બેડરૂમમાં જ પતિ-પત્નીના સંબંધને નવો આયામ મળે છે. જો આ રૂમમાં કોઈ પ્રકારનો દોષ રહી ગયો હોય તો લગ્ન જીવનમાં કડવાટહ આવવાથી સંભાવનાઓ વધી જાય છે.

પતિ-પત્ની એકી સાથે દિવસમાં 24 કલાકમાંથી મોટાભાગનો સમય બેડરૂમમાં વ્યતિત કરે છે. રાતે સૂવાથી લઈને સવારે ઊઠવા સુધીના સમય સુધી પતિ-પત્નીની વચ્ચે અંતરંગ પળો વધી શકે છે અને અંતર પણ વધારી શકે છે. એવી વખતે તાલમેળની સાથે જ બેડરૂમમાં વાસ્તુના ગુણ-દોષોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

વાસ્તુશાસ્ત્રથી પરિવારમાં છલકશે સુખ-સંપત્તિ ને સંપન્નતા, ઘરમાં કરો આ નાના-નાના ફેરફાર…!!

-પતિ-પત્નીની વચ્ચે પ્રેમ વધારવા માટે ઘરની દક્ષિણ-પશ્ચિમ ભાગમાં કાચ કે સિરામિક પોટ રાખો. આ પોતમાં નાના-નાના પત્થરો કે ક્રિસ્ટલ્સ નાખી દો. દરરોજ આ પોટમાં લાલ રંગની બે મીણબત્તીઓ પ્રગટાવો. એમ કરવાથી તમારા બેડરૂમમાં સકારાત્મક ઊર્જા ફેલાશે અને તમારી જોડી હંમેશા પ્રસન્ન રહેશે.

-બેડરૂમમાં આ વાતનું ધ્યાન રાખવું કે ઉત્તર-પૂર્વ દિશા દેવી-દેવતાઓનું સ્થાન હોય છે. આથી આ દિશામાં બેડરૂમ શુભ ફળ પ્રદાન કરે છે. એવા રૂમમાં સૂવાથી ધનની કમી થાય છે અને કાર્યોમાં અસફળતા મળવાની શક્યતા રહે છે.

-જે લોકોનો બેડરૂમ ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં સ્થિત હોય છે, તેમને કઠિન પરિસ્થિતિઓ સામે લડવાની પૂરી શક્તિ પ્રાપ્ત થાય છે. એવા બેડરૂમવાળા લોકો પોતાની હિંમતના બળથી પારિવારિક વિવાદોથી મુક્તિ મેળવી લે છે.

-પતિ-પત્ની, બંનેએ એ વાતનું ધ્યાન રાખવું કે સૂતી વખતે પોતાનું માથું પૂર્વ દિશામ તરફ કે પગ પશ્ચિમ દિશા તરફ હોવા જોઈએ. આ દિશામાં સૂવું શક્ય ન હોય તો દક્ષિણ દિશા તરફ માથું અને ઉત્તર દિશામ તરફ પગ રાખીને સૂઈ શકો છો.

અજમાવી તો જુઓ: તમારા બાળકો શ્રેષ્ઠ અભ્યાસ કરી શકે તે માટે અપનાવો અસરકારક વાસ્તુ ટિપ્સ…!!!

-બેડરૂમમાં રાધા-કૃષ્ણ સિવાય કોઈ બીજા દેવી-દેવતાના ફોટો લગાવવાથી બચવું જોઈએ.

-જો બેડરૂમમાં તિજોરી કે અલમારી હોય તો તેને બેડરૂમની ઉત્તર-પશ્ચિમ કે દક્ષિણ દિશામા રાખો. બેડરૂમમાં ઈલેક્ટ્રોનિક સામાન દક્ષિણ-પૂર્વ ખૂણઆમાં રાખવાનું શુભ રહે છે. ડ્રેસિંગ ટેબલને પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવું જોઈએ.

-જો બેડરૂમ ઘરની દક્ષિણ-પશ્ચિમ કે ઉત્તર-પશ્ચિમ દિશામા હશે તો પતિ-પત્ની માટે ઘણું ફાયદાકારક રહેશે.

-જે લોકોનો બેડરૂમ ખોટી દિશામા હોય તેમને રૂમમાં બે હંસોની જોડીવાળો ફોટો લગાવવો.

-જો બેડરૂમ દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોય તો તે લગ્ન સંબંધો માટે શુભ નથી હોતો. એવા રૂમમાં સૂવાથી દંપતીઓમાં અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે.

-ખોટી દિશામાં બેડરૂમ હોય તો રૂમમાં રાધા-કૃષ્ણનો પ્રેમમય ફોટો લગાવો. એમ કરવાથી રૂમમાં વાસ્તુદોષ દૂર થઈ જશે.

-બેડરૂમમાં દર્પણ હોવાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે. જો તમારા બેડરૂમમાં અસરીસો હોય તો સૂતા પહેલા તેની ઉપર પરદો પાડી દો. એમ કરવાથી દર્પણનો વાસ્તુદોષ દૂર થઈ જાશે.

-જો તમે બેડરૂમમાં વાંચવા-લખવાનું કામ કરતા હોવ તો તેની માટે શુભ દિશા છે પૂર્વ. પૂર્વ દિશામાં મુખ રાખીને આ કામ કરશો તો શ્રેષ્ઠ રહેશે.

-જે લોકો બેડરૂમમાં ધન રાખે છે, તેઓ એ વાતનું ધ્યાન રાખે કે તિજોરી બેડરૂમની ઉત્તર દિશામાં હોય. ઉત્તર દિશામં ધન રાખવાનું શ્રેષ્ઠ રહે છે.

-બેડરૂમમા દક્ષિણ-પશ્ચિમ દિશામાં દિલની આકૃતિવાળી રોજ ક્વાર્ટ્સ રાખો. તેનાથી પતિ-પત્નીની વચ્ચે પ્રેમ વધશે

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.
વાસ્તુશાસ્ત્રના સુવર્ણ ઉપાયો: નોકરી ન મળતી હોય તો ઘરના વાસ્તુદોષનું નિવારણ કરો…!!!
ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!
અસરકારક વાસ્તુ શાસ્ત્ર: સન્માન અને સમૃદ્ધિ વધારવા, ઘરના આ ખૂણામાં કરો નાના-નાના ફેરફાર…!!!
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.
ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!
જાણો..કામ લાગશે…તોડફોડ કર્યા વગર ઘરના દોષ દૂર કરતું ફેંગશૂઈ…!!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…વાસ્તુશાસ્ત્ર તમારો વેપાર વધારી શકે છે..!!!
શાસ્ત્રોક્ત ઉપાય: ધંધામાં આવક ડબલ કરવા, અપનાવો આ નાના-નાના સચોટ ઉપાય…!!
ફેંગશુઈના 15માંથી કોઇ 1નો કરો ઉપાય, ઘરથી ક્યારેય દૂર નહીં થાય સુખ+સમૃદ્ધિ
જાણો ઉકેલ…દીકરીના લગ્નમાં વિઘ્નો ઉત્પન્ન કરે છે આ દોષો, આજે જ જાણી કરો દૂર…!!
જાણો…દરેક કામમાં અતિશુભ ફળ મેળવવું હોય તો ધ્યાનમાં રાખવી આ 15 વાતો..!!!
ઘરમાં થાક, અનિદ્રા, તણાવ અનુભવો છે? હોઈ શકે છે વાસ્તુદોષ..!
તમારા ઘરમાં ચોક્કસ હોવી જોઇએ, ધનને આકર્ષતી આ 15માંથી 1 વસ્તુ!

જાણો…વેપારમાં કરો આ 16 ઉપાય ચમત્કારિક ઉપાય, થશે પ્રગતિ જ પ્રગતિ..!!

business2

જ્યારે પણ આપણે કોઈ નવું બિઝનેસ શરૂ કરીએ છીએ ત્યારે આશા કરીએ છીએ કે તમારું બિઝનેસ દિવસેને દિવસે પ્રગતિ કરતું રહે, પરંતુ કેટલીક વખત આવું થતું નથી. બિઝનેસ ન ચાલવાના કેટલાય કારણ હોઈ શકે છે. દુકાન અથવા ઓફિસનું વાસ્તુદોષ પણ તમારા બિઝનેસની પ્રગતિમાં વિઘ્નો નાખી શકે છે. આજે અમે તમને કેટલીક એવી વાસ્તુ ટિપ્સ બતાવવા જઈ રહ્યા છીએ જેને ધ્યાનમાં રાખી તમે તમારા બિઝનેસને ચમકાવી શકો છો, આ ટિપ્સ આ રીતે છે-

1. દુકાનમાં ઈશાન કોણ (ઉત્તર-પૂર્વ)ને પૂરું ખાલી રાખો. પાણીની વ્યવસ્થા આ સ્થાન પર કરવી. પૂજા સ્થાન પણ ઈશાન કોણમાં રાખો તો વધુ સારું રહેશે.

2. ઈશાન કોણની સ્વચ્છતા ગ્રાહકોને આકર્ષિત કરે છે એટલે આ સ્થાનને સાફ બનાવી રાખવો.

અજમાવી તો જુઓ: તમારા બાળકો શ્રેષ્ઠ અભ્યાસ કરી શકે તે માટે અપનાવો અસરકારક વાસ્તુ ટિપ્સ…!!!

3. દુકાનમાં ભારી વસ્તુઓ અથવા જૂતી-ચંપલ ઈશઆન કોણમાં રાખ્યાં હોય તો તરત જ ત્યાંથી ઉપાડી દો, કારણ કે તેનાથી વેપારમાં નુકસાન થઈ શકે છે.

4. દુકાનમાં વસ્તુઓ રાખવાની યોગ્ય દિશા ઉત્તર છે. લાંબા સમય સુધી રાખવામાં આવતા સામાનને દક્ષિણમાં, સ્ટોક ખતમ કરવાવાળા સામાનને વાયવ્ય કોણ (ઉત્તર-પશ્ચિમ)માં રાખવો.

5. વિદ્યુત ઉપકરણ જેમ કે વીજળીનું મીટર, સ્વિચ બોર્ડ અને ઇનવર્ટર વગેરેની વ્યવસ્થા આગ્નેય કોણ (પૂર્વ-દક્ષિણ)માં કરો તો સારું રહેશે.

વાસ્તુશાસ્ત્રથી પરિવારમાં છલકશે સુખ-સંપત્તિ ને સંપન્નતા, ઘરમાં કરો આ નાના-નાના ફેરફાર…!!

6. પગથિયાં ઈશાન કોણના સિવાય કોઈ પણ દિશામાં રાખી શકાય છે.

7. દુકાનના માલિકના બેસવાની જગ્યા નૈઋત્ય કોણ (દક્ષિણ-પશ્ચિમ)માં અથવા દક્ષિણ દિશામાં એવી રીતે હોવી જોઈએ કે તેનું મુખ પૂર્વ અથવા ઉત્તર દિશામાં રહે.

8. શક્ય હોય તો તુલસીનો નાનકડો છોડ પણ આગ્નેય કોણમાં મૂકી શકાય છે, જેમાં દરરોજ પાણી આપવું.

વાસ્તુશાસ્ત્ર જેટલું વિસ્તૃત છે એટલું જ ફાયદેમંદ પણ છે. વાસ્તુમાં એવા અનેક ઉપાય બતાવવામાં આવ્યાં છે જેના માધ્યમથી તમારા વેપારમાં પ્રગતિ થઈ શકે, જેમ કે ક્યા વ્યવસાય માટે ક્યા રંગની દુકાન યોગ્ય રહેશે? રંગ જો વેપારને અનુકૂળ હોય તો ઘણા જલ્દી પ્રગતિ થાય છે અને સફળતાની ગાડી ઝડપથી દોડવા લાગે છે. વાસ્તુ નિયમ મુજબ ક્યા વેપાર માટે દુકાનમાં ક્યો રંગ કરાવવો જોઈએ તેની માહિતી આ મુજબ છે-

1. જો તમારી જ્વેલરીની દુકાન છે તો તમારે તમારી દુકાનમાં ગુલાબી, સફેદ અથવા વાદળી રંગ કરાવવો જોઈએ. તેનાથી લાભ મળે છે.

2. જો તમારી કરિયાણાની દુકાન છે તો તમારા માટે તમારી દુકાનમાં આછો ગુલાબી, વાદળી તથા સફેદ રંગ કરાવવો શુભ રહેશે.

3. લાઇબ્રેરી અથવા સ્ટેશનરીની દુકાનમાં પીળો, વાદળી અથવા ગુલાબી રંગ કરાવવો સારો રહેશે. તેનાથી તમારો વ્યવસાય ખૂબ સારો ચાલશે.

4. રેડિમેડ ગારમેન્ટ અથવા અન્ય કોઈ પ્રકારના કપડાંની દુકાન હોય તો લીલો, પો અથવા વાદળી રંગ કરાવવો જોઈએ.

5. મેડિકલ, ક્લિનિક અથવા અન્ય કોઈ સારવાર સાથે સંબંધિત સંસ્થાન હોય તો તેના માટે ગુલાબી, વાદળી અથવા સફેદ રંગ શુભ રહે છે.

6. જો તમારું ગિફ્ટ શોપ અથવા જનરલ સ્ટોર છે તો તેના માટે ગુલાબી, સફેદ, પીળો અથવા બ્લૂ રંગ લકી રહેશે.

7. જો તમારી ઇલેક્ટ્રિક અથવા ઇલેક્ટ્રોનિક્સની શોપ છે તો તમારા માટે પોતાની દુકાનમાં સફેદ, ગુલાબી, વાદળી અથવા આછો લીલો રંગ કરાવવો શુભ રહેશે.

8. બ્યૂટી પાર્લરમાં સફેદ અથવા વાદળી રંગ કરાવવો શુભ રહે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.
વાસ્તુશાસ્ત્રના સુવર્ણ ઉપાયો: નોકરી ન મળતી હોય તો ઘરના વાસ્તુદોષનું નિવારણ કરો…!!!
ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!
અસરકારક વાસ્તુ શાસ્ત્ર: સન્માન અને સમૃદ્ધિ વધારવા, ઘરના આ ખૂણામાં કરો નાના-નાના ફેરફાર…!!!
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.
ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!
જાણો..કામ લાગશે…તોડફોડ કર્યા વગર ઘરના દોષ દૂર કરતું ફેંગશૂઈ…!!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…વાસ્તુશાસ્ત્ર તમારો વેપાર વધારી શકે છે..!!!
શાસ્ત્રોક્ત ઉપાય: ધંધામાં આવક ડબલ કરવા, અપનાવો આ નાના-નાના સચોટ ઉપાય…!!
ફેંગશુઈના 15માંથી કોઇ 1નો કરો ઉપાય, ઘરથી ક્યારેય દૂર નહીં થાય સુખ+સમૃદ્ધિ
જાણો ઉકેલ…દીકરીના લગ્નમાં વિઘ્નો ઉત્પન્ન કરે છે આ દોષો, આજે જ જાણી કરો દૂર…!!
જાણો…દરેક કામમાં અતિશુભ ફળ મેળવવું હોય તો ધ્યાનમાં રાખવી આ 15 વાતો..!!!
ઘરમાં થાક, અનિદ્રા, તણાવ અનુભવો છે? હોઈ શકે છે વાસ્તુદોષ..!
તમારા ઘરમાં ચોક્કસ હોવી જોઇએ, ધનને આકર્ષતી આ 15માંથી 1 વસ્તુ!

વાસ્તુશાસ્ત્રથી પરિવારમાં છલકશે સુખ-સંપત્તિ ને સંપન્નતા, ઘરમાં કરો આ નાના-નાના ફેરફાર…!!

home12

ઘર બને છે પતિ-પત્ની અને પરિવારથી, પતિ-પત્ની પોતાની મૂળભૂત ફરજો યોગ્ય રીતે નિભાવતા હોય તો પરિવારમાં ક્યારેય દુઃખ આવતા નથી હોતા. પારંપરિક રીતે પુરુષો બહારનું કામ કરીને પરિવારનું પાલન-પોષણ કરે છે તો મહિલાઓ પણ પુરુષોની સાથે આજે કામ કરવા લાગી છે, પણ આજે આપણે ત્યાં સ્ત્રીઓને ઘરની રાજરાણી તરીકે જ ઓળખવામાં આવે છે અને ઘરની બધી જવાબદારી તેના ઉપર જ હોય છે.

સુખી રહેવા માટે સંબંધોમાં સામજસ્યની સાથે ઘરની બીજી પણ ઘણી બાબતો મહત્વ ધરાવે છે જેમ કે ઘરનું યોગ્ય વાસ્તુ હોય તો ઘરમાં ક્યારેય દુઃખ નથી આવતા. વાસ્તું શાસ્ત્રમાં દિશાનું ઘણું મહત્વ હોય છે. જો ઘરમાં દિશા પ્રમાણે વસ્તુઓને રાખવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિની અને હકારાત્મક ઉર્જાનો સંગ્રહ થાય છે. પરંતુ વાસ્તુમાં કુશળ સ્ત્રી વગર ઘર બનતું નથી. ઘરની સ્વચ્છતા, વ્યવસ્થિતપણું, સુંદરતા, અતિથિનું સ્વાગત, દેવપૂજા, ઘરમાં શાંતિ જાળવવી, પાપી અને કુકર્મીને દૂર રાખવા, વડીલો અને બ્રાહ્મણોનું માન રાખવું, બાળકોને વ્યસનોથી બચાવવાં વગેરે ઘરની સ્ત્રીઓ જ કરે છે.

અજમાવી તો જુઓ: તમારા બાળકો શ્રેષ્ઠ અભ્યાસ કરી શકે તે માટે અપનાવો અસરકારક વાસ્તુ ટિપ્સ…!!!

વાસ્તુ પ્રમાણે ઇશાન દિશાનું મહત્વઃ-

– વાસ્તુશાસ્ત્રમાં ઇશાન દિશાને પવિત્ર માનવામાં આવે છે, તેથી ઘરમાં હંમેશાં ઇશાન દિશાને સ્વચ્છ અને પવિત્ર રાખવી. કચરાની ડોલ, ભંગાર માલ, બિનજરૂરી વસ્તુ અથવા કાટ ખાતી વસ્તુઓનો સંગ્રહ આ દિશામાં કરવો નહીં. આ દિશામાં ઝાડુ પણ ન મૂકવું.

– ઇશાન દિશામાં બેસીને વાદવિવાદ, ઝઘડો, બૂમાબૂમ ટાળવી. ઘરની ઇશાન દિશામાં જરૂરિયાત વિનાનો સામાન ન રાખવો. આ દિશામાં શક્ય હોય તો પાણીનું માટલું રાખવું.

-ઘરની ઇશાન દિશા જેટલી ખુલ્લી હશે તેટલી જ હકારાત્મક ઉર્જા આપણા ઘરમાં પ્રવેશ કરશે માટે જો તમારા ઘરમાં ઇશાન બાજુની બાલ્કની હોય તો તે ક્યારેય પણ બંધ ન કરવી આવું કરવાથી ભાગ્ય રુંધાય છે.

વાસ્તુ પ્રમાણે અગ્નિ દિશાનું મહત્વઃ-

-ઘરમાં રસોડું અગ્નિ દિશામાં રાખવું. સાથે જ, અગ્નિને અગ્નિ દિશામાં પેટાવવું જેથી અગ્નિ દેવતા કોપાયમાન થતા નથી. આ દિશામાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે, અગ્નિ દિશામાં પાણીનો સંગ્રહ કરવો નહીં આવું કરવાથી ઘરના સભ્યોનું આરોગ્ય બગડે છે.

– દિવસના ૨૪ કલાકમાં ૮ કલાક વિશ્રાંતિની દૃષ્ટિએ ખૂબ જ મહત્વના છે. શયનકક્ષ ઇશાન કે પૂર્વમાં ન રાખવો. અગ્નિ દિશામાં પણ ન રાખવો. ૨૪ કલાક સ્ત્રી ઘરમાં હોય છે, તેથી વાસ્તુની અસર તેના પર વધારે હોય છે.

વાસ્તુ પ્રમાણે ઉત્તર અને પૂર્વ દિશાનું મહત્વઃ-

– પ્રાતઃકાળે સ્નાન કરીને પૂર્વ દિશામાં સૂર્યનારાયણની પૂજા કરવી, તુલસીને પાણી અર્પણ કરવું. સવારે તુલસી માતાની પૂજા કરવાથી ઘરના બધા જ સભ્યોનું આરોગ્ય સારું રહે છે. સાથે જ, જીવનમાં સારાં કાર્યો થાય.

-ઘરના ઉત્તર દિશા તરફનાં બારી-બારણાં હમેશાં ખુલ્લાં જ રાખવાં. પૂર્વની જેમ જ ઉત્તર તરફની બાલ્કની પણ ક્યારેય બંધ ન કરવી.

-ઘરમાં પૂર્વ દિશાનું ખૂબ જ મહત્વ હોય છે. સાથે જ, જો ઘરનું રસોડું પણ પૂર્વ દિશામાં હોય અને રસોઈ કરતી સમયે ગૃહિણીનું મુખ પણ પૂર્વ દિશા તરફ રહે તો ઘરમાં હકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. અને ઘર પર હમેશાં લક્ષ્મી કૃપા બની રહે છે.

વાસ્તુ પ્રમાણે દક્ષિણ અને પશ્ચિમ દિશાનું મહત્વઃ-

– ઘરમાં બને ત્યાં સુધી દક્ષિણ અને પશ્ચિમ દિશા તરફના દરવાજાનો કરાવવો નહીં. અને જો ઘરમાં પહેલાંથી જ આ દિશામાં દરવાજો હોય તો તેનો વપરાશ શક્ય હોય તો બંધ રાખવો.

-સુતી સમયે દક્ષિણ દિશામાં ક્યારેય પગ રાખવા નહીં. મગજમાં લોહીનો પુરવઠો અનિયમિત થવાથી આખો દિવસ બેચેની રહે છે. શારીરિક કે માનસિક સમતોલન બગડે છે તથા અસાધ્ય રોગ થાય છે.

– સોફાસેટ, લોખંડનું કબાટ, ગ્રાઇન્ડર, લોખંડના હથિયાર એવી ભારે વસ્તુઓ દક્ષિણ તરફથી પશ્ચિમ તરફ ઊતરતી ઊંચાઈ પર ગોઠવવી.

વાસ્તુશાસ્ત્ર મુજબ અન્ય ઉપાયઃ-

– ઘરમાં એકાદ તુલસીનો છોડ હોવો જોઈએ. જે ઘરમાં તુલસી આપોઆપ આવે, ફૂલે ને ફળે તે વાસ્તુ (ઘર)પવિત્ર હોય છે. જે વાસ્તુમાં તુલસી ટકે નહીં તે વાસ્તુમાં કોઈ દોષ હોવાની શક્યતા રહે છે. તુલસી તરફ દુર્લક્ષ ન રાખવું જોઈએ. પાણી વગરની, દેખરેખ વગરની તુલસી ઘરમાં હોય ત્યાં કંઈક અનિષ્ટ થઈ શકે છે એમ સમજવું.

– પૂજાસ્થાન કે મંદિર બને ત્યાં સુધી રસોડામાં ન રાખવું. તેમજ પૂજાસ્થાન નીચે કે ઉપર બોજો અથવા સામાન મૂકવો નહીં. રસોડામાં પૂજાસ્થાનની પવિત્રતા સચવાતી નથી.

– મુખ્ય દરવાજા પર કોઈ ને કોઈ મંગલ ચિહ્ન રાખવાથી વાસ્તુમાં રહેનારની સુરક્ષિતતા જળવાય છે. દા.ત., ઓમ, ગણપતિ, લક્ષ્મી, સ્વસ્તિક, મંગલ કળશ વગેરે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.
વાસ્તુશાસ્ત્રના સુવર્ણ ઉપાયો: નોકરી ન મળતી હોય તો ઘરના વાસ્તુદોષનું નિવારણ કરો…!!!
ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!
અસરકારક વાસ્તુ શાસ્ત્ર: સન્માન અને સમૃદ્ધિ વધારવા, ઘરના આ ખૂણામાં કરો નાના-નાના ફેરફાર…!!!
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.
ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!
જાણો..કામ લાગશે…તોડફોડ કર્યા વગર ઘરના દોષ દૂર કરતું ફેંગશૂઈ…!!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…વાસ્તુશાસ્ત્ર તમારો વેપાર વધારી શકે છે..!!!
શાસ્ત્રોક્ત ઉપાય: ધંધામાં આવક ડબલ કરવા, અપનાવો આ નાના-નાના સચોટ ઉપાય…!!
ફેંગશુઈના 15માંથી કોઇ 1નો કરો ઉપાય, ઘરથી ક્યારેય દૂર નહીં થાય સુખ+સમૃદ્ધિ
જાણો ઉકેલ…દીકરીના લગ્નમાં વિઘ્નો ઉત્પન્ન કરે છે આ દોષો, આજે જ જાણી કરો દૂર…!!
જાણો…દરેક કામમાં અતિશુભ ફળ મેળવવું હોય તો ધ્યાનમાં રાખવી આ 15 વાતો..!!!
ઘરમાં થાક, અનિદ્રા, તણાવ અનુભવો છે? હોઈ શકે છે વાસ્તુદોષ..!
તમારા ઘરમાં ચોક્કસ હોવી જોઇએ, ધનને આકર્ષતી આ 15માંથી 1 વસ્તુ!

અજમાવી તો જુઓ: તમારા બાળકો શ્રેષ્ઠ અભ્યાસ કરી શકે તે માટે અપનાવો અસરકારક વાસ્તુ ટિપ્સ…!!!

study

દરેક માતા-પિતાની એક એવી ઉત્કટ અભિલાષા હોય છે કે, પોતાનાં બાળકોને દરેક પ્રકારની સુખ અને સુવિધા ઉપલબ્ધ કરાવે તથા ઉત્તમમાં ઉત્તમ શિક્ષણ પ્રદાન કરે. રમતગમત અને મનોરંજનની યોગ્ય વ્યવસ્થા ગોઠવે, કેમ કે તેનાથી પોતાનાં બાળકો સારો એવો વિકાસ સાધી શકે. બાળકો માટે તેમનો રૃમ તેમના માટે મનોરંજન, મસ્તી, ઉલ્લાસ અને મોજમજા માટેનું કેન્દ્ર હોય છે.

બાળકોનો રૃમ જેટલો વાસ્તુસંમત એટલી તેમને વધુમાં વધુ ઊર્જાની પ્રાપ્તિ થાય છે. વાસ્તુસંમત એટલે સઘળો સામાન, અભ્યાસનું ટેબલ, પલંગ, બાથરૃમ વગેરેની વાસ્તુશાસ્ત્રના નિયમો પ્રમાણેની ગોઠવણ. વાસ્તુસંમત રૃમના પ્રભાવે બાળકોને ર્સ્ફૂતિ, મનમાં સકારાત્મક વિચારો અને ઊર્જાનો વિકાસ થાય છે અને ર્સ્ફૂતિને વિકસિત કરે છે, તેથી તેઓ અભ્યાસ અને પરિશ્રમ કરવા માટે પ્રેરાય છે.

બાળકો માટે વાસ્તુશાસ્ત્ર પ્રમાણેનો રૂમ:

  • બાળકોનો રૃમ પશ્ચિમ દિશામાં સર્વશ્રેષ્ઠ રહે છે, પરંતુ વિકલ્પરૃપે ઉત્તર-પશ્ચિમ ખૂણો પણ ઉત્તમ રહે છે.
  • બાળકોની પથારી કે પલંગ રૃમમાં દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય ખૂણા)માં યોગ્ય રહે છે. તેઓ પથારીમાં દક્ષિણ દિશામાં મસ્તક અને ઉત્તરમાં પગ રાખીને સૂઈ રહે તેમ ગોઠવણ કરવી. જો દક્ષિણમાં મસ્તક રાખીને સૂવું શક્ય ન હોય તો પૂર્વમાં મસ્તક અને પશ્ચિમ દિશા તરફ પગ રાખીને સુવડાવવા જોઈએ.
  • અભ્યાસ કરવા માટે બાળકોના ઓરડામાં ઉત્તર-પૂર્વનો ખૂણો ઉત્તમ રહે છે. આ જગ્યા સાફસૂફ અને સ્વચ્છ હોવી જોઈએ. તેનાથી બાળકોને અભ્યાસમાં અભિરુચિ રહે છે અને તેમની સ્મરણશક્તિ પણ વધે છે. બાળકોનો રૃમ સ્વચ્છ-સુઘડ હોય તો બાળકોના મગજમાં નૂતન વિચારોનો ઉદય થાય છે અને તેમની રચનાત્મક ગતિવિધિઓ સંવર્ધાય છે.
  • અભ્યાસ કરતી વખતે બાળકોનું મુખ ઉત્તર-પૂર્વ અથવા ઉત્તર કે પૂર્વ તરફનું હોવું જોઈએ. પૂર્વ દિશા ખૂબ જ શુભ મનાય છે, કેમ કે બાળકોનું ધ્યાન કેન્દ્રિત કરવામાં તે સહાયક નીવડે છે.
  • અભ્યાસનું ટેબલ દીવાલને અડકાડીને રાખવું નહીં. ટેબલ અને દીવાલ વચ્ચે ત્રણ ઇંચનું અંતર રાખવું જોઈએ.
    અભ્યાસનું ટેબલ લંબચોરસ, આયાતકાર કે ગોળાકાર હોવું જોઈએ. અંડાકાર અથવા અન્ય આકારનું ટેબલ રાખવું જોઈએ નહીં.
  • બાળકોના રૃમમાં અભ્યાસ કરતી વખતે કે સૂતી વખતે બાળકોનું પ્રતિબિંબ દેખાય તેવું દર્પણ પણ ગોઠવવું જોઈએ નહીં.
  • અભ્યાસના ટેબલની લંબાઈ-પહોળાઈ વધુ પડતી અથવા ઘણી ઓછી હોવી જોઈએ નહીં.
  • જો અભ્યાસનું ટેબલ પૂર્વાભિમુખ હોય તો લાઇટ દક્ષિણ-પૂર્વ દિશા તરફની હોવી જોઈએ. જો તે ઉત્તરાભિમુખ હોય તો ઉત્તર-પશ્ચિમમાં લાઇટ રાખવી જોઈએ.
  • બાળકોના રૃમમાં ટી.વી, કમ્પ્યૂટર, લેપટોપ વગેરે રાખવાં જોઈએ નહીં. તેના પ્રભાવે તેઓ અભ્યાસમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકતાં નથી. આવી સ્થિતિમાં ટીવી, કમ્પ્યૂટર, લેપટોપ પૈકી કમ્પ્યૂટર ઉત્તર દિશામાં તેમજ ટીવી દક્ષિણ-પૂર્વ ખૂણામાં રાખવાં. બંને કદી પથારીની બરાબર સામે રાખવાં નહીં.
  • જે વસ્તુઓ પ્રતિબિંબિત કરતી હોય જેવી કે ટીવી, દર્પણ વગેરે પથારીની સામે રાખવાં જોઈએે નહીં. જો તે રાખવાં પડે તેમ હોય તો પથારીની ડાબી યા જમણી તરફ ગોઠવવાં જોઈએ.
  • ર્ફિનચર દક્ષિણ-પશ્ચિમ દિશામાં બનાવી શકાય. રૃમની મધ્યમાં ર્ફિનચર ક્યારેય મૂકવું જોઈએ નહીં. તેમ કરવાથી અંતરાય ઊભા થાય છે.
  • બાળકોના રૃમમાં ર્ફિનચર, ટીવી વગેરે દીવાલથી ત્રણ ઇંચના અંતરે ગોઠવવાં જોઈએ. કેબિનેટ વગેરે રૃમમાં દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં ગોઠવવા યોગ્ય રહે છે.
  • બાળકોના રૃમમાં શાર્પ લાઇટ અને સ્પોર્ટ લાઇટનો ભૂલથી પણ ઉપયોગ કરવો નહીં, કેમ કે તે માનસિક તણાવ ઉત્પન્ન કરે છે. જેને કારણે બાળકો જિદ્દી અને ચીડિયા સ્વભાવવાળાં થઈ જાય છે. દક્ષિણ-પૂર્વના ખૂણામાં આ લાઇટનો ઉપયોગ લાભદાયી રહે છે, કેમ કે સ્વાસ્થ્યની રીતે તે ઉત્તમ રહે છે. તેમજ સકારાત્મક ઊર્જાનું સર્જન કરે છે.
  • બાળકોના રૃમના દરવાજા પૂર્વ અથવા ઉત્તર દિશામાં ઉત્તમ રહે છે. બારીઓ પણ આ દિશામાં જ હોવી જોઈએ.
    બાળકોના રૃમનો દરવાજો બરાબર બેડની સામે હોવો જોઈએ નહીં. તેમજ સૂતી વખતે પણ સુનાર બાળકના પગ દરવાજાની બરાબર સામે હોવા જોઈએ નહીં.
  • બાળકોના રૃમમાં લીલો રંગ કરાવવો જોઈએ, કારણ કે લીલો રંગ ર્સ્ફૂતિ, તાજગી અને શાંતિનો પ્રતીક છે. તે બૌદ્ધિક ક્ષમતાને પણ વધારે છે .

સાભાર: સંદેશ.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.
વાસ્તુશાસ્ત્રના સુવર્ણ ઉપાયો: નોકરી ન મળતી હોય તો ઘરના વાસ્તુદોષનું નિવારણ કરો…!!!
ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!
અસરકારક વાસ્તુ શાસ્ત્ર: સન્માન અને સમૃદ્ધિ વધારવા, ઘરના આ ખૂણામાં કરો નાના-નાના ફેરફાર…!!!
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.
ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!
જાણો..કામ લાગશે…તોડફોડ કર્યા વગર ઘરના દોષ દૂર કરતું ફેંગશૂઈ…!!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…વાસ્તુશાસ્ત્ર તમારો વેપાર વધારી શકે છે..!!!
શાસ્ત્રોક્ત ઉપાય: ધંધામાં આવક ડબલ કરવા, અપનાવો આ નાના-નાના સચોટ ઉપાય…!!
ફેંગશુઈના 15માંથી કોઇ 1નો કરો ઉપાય, ઘરથી ક્યારેય દૂર નહીં થાય સુખ+સમૃદ્ધિ
જાણો ઉકેલ…દીકરીના લગ્નમાં વિઘ્નો ઉત્પન્ન કરે છે આ દોષો, આજે જ જાણી કરો દૂર…!!
જાણો…દરેક કામમાં અતિશુભ ફળ મેળવવું હોય તો ધ્યાનમાં રાખવી આ 15 વાતો..!!!
ઘરમાં થાક, અનિદ્રા, તણાવ અનુભવો છે? હોઈ શકે છે વાસ્તુદોષ..!
તમારા ઘરમાં ચોક્કસ હોવી જોઇએ, ધનને આકર્ષતી આ 15માંથી 1 વસ્તુ!

વાસ્તુશાસ્ત્રના સુવર્ણ ઉપાયો: નોકરી ન મળતી હોય તો ઘરના વાસ્તુદોષનું નિવારણ કરો…!!!

makaan

આજના સમયમાં યુવાનો માટે નોકરી એ સૌથી સમસ્યા છે. ગમે તેટલો અભ્યાસ કરવા છતાં પણ કેટલાંકને નોકરી મળતી નથી. નોકરી મળે તો ઇચ્છિત પગાર, સમય કે કામ મળતું નથી. જોકે, દરેકની સાથે આવું નથી બનતું. ઘણાં લોકોને પહેલા જ ઇન્ટરવ્યૂમાં સારી નોકરી મળી જાય છે, તેથી નોકરી મેળવવા ઇચ્છતા લોકો વિચારમાં પડી જાય છે. વાસ્તવમાં નોકરી ન મળવા, પ્રમોશન ન થવા કે નોકરી સંબંધિત સમસ્યાઓ પાછળ ગ્રહયોગની સાથે ઘરનું વાસ્તુ પણ જવાબદાર હોય છે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જો તમે પણ નોકરી મેળવવા સંબંધિત સમસ્યાઓ અનુભવી રહ્યા હો તો ઘરમાં નીચેના વાસ્તુદોષ ચકાસી જુઓ અને યોગ્ય ઉપાય અજમાવો.

1. ઘરનો દરેક ખૂણો જો સાફ ન હોય તો પ્રગતિ અને નોકરીમાં અવરોધ આવી શકે છે. ચોખ્ખાઈ રાખવી અનિવાર્ય છે.
2. પશ્ચિમની એન્ટ્રી હોય અને ટોઇલેટ ઉત્તર અથવા પૂર્વમાં હશે તો નોકરી મેળવવામાં વિલંબ થશે.
3. ઘરમાં વધારે બીમ અથવા પિલર હશે તો ચાલુ નોકરીએ બઢતી મળવામાં ખૂબ જ વિલંબ થશે.
4. જો પૂર્વ અને ઉત્તર દિશા બંધ હશે તો નોકરીમાં વધારે કલાકો (ઓવરટાઇમ) કામ કરવું પડી શકે છે.

અસરકારક વાસ્તુ શાસ્ત્ર: સન્માન અને સમૃદ્ધિ વધારવા, ઘરના આ ખૂણામાં કરો નાના-નાના ફેરફાર…!!!

5. અગ્નિ ખૂણા -દક્ષિણ-પૂર્વમાં જો કટ હશે તો સહયોગી અથવા ઉપરી અધિકારીઓ સાથે સુમેળ ઓછો રહેશે.
6. પશ્ચિમ દિશામાં અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી હોય તો અથાક પરિશ્રમ કર્યા પછી નોકરી મળે છે.
7. દક્ષિણની એન્ટ્રી હોય અને ઉત્તરમાં ટોઇલેટ હોય તો કાબેલિયત કરતા ઊતરતી નોકરી મળશે.
8. બેડ બીમ નીચે હશે તો નોકરી છૂટવાનો ભય સતત રહ્યા કરશે.

વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

9. તમારાં ર્સિટફિકેટ અને રિઝ્યુમ જો ખોટી દિશામાં રાખ્યા હશે તો ઓળખાણ વગર નોકરી નહીં મળે.
10. દક્ષિણમાં ઊતરતાં સીડી હશે તો કામ વધી શકે છે. જોકે, બઢતી અને પગાર યથાવત્ રહે છે.
11. પશ્ચિમ અથવા વાયવ્યની એન્ટ્રી હશે તો ઘરથી બહુ દૂર અને વધારે કલાકોની નોકરી મળી શકે છે.
12. ઘરમાં તૂટેલા કાચનાં વાણસો, બંધ ઘડિયાળ, જરૃર વગરનો સામાન હશે તો નોકરી મેળવવામાં ઘણી સમસ્યાઓ આવી શકે છે.
13. ઓફિસ અથવા ઘરમાં બ્રહ્મસ્થાનમાં પિલર કે કોઈ પણ જાતનો ભાર હશે તો તમામ તક રૃંધાતી દેખાય છે.
14. ઓફિસ કે ઘરમાં જો ઓવરહેડ પાણીની ટાંકી ઉત્તર કે પૂર્વમાં હશે તો ઉપરી અધિકારીઓ સાથે મનમેળ નહીં રહે.
15. ઘરની દીવાલમાં ઉખડેલું પ્લાસ્ટર, કલર અથવા તિરાડો હશે તો નોકરી તથા કામ કરવામાં આત્મવિશ્વાસ નહીં રહે.
16. પૂર્વની એન્ટ્રી હશે તો બેન્ક, સીએ અથવા કોઈ ફાઇનાન્સને લગતા વ્યવસાયમાં નોકરી મળવાની શક્યતાઓ વધે છે.
17. અગ્નિ ખૂણાની એન્ટ્રી હશે તો જ્વેલર્સ, રેડીમેઇડ કપડાં, મેડિકલ ક્ષેત્ર, ઇન્ટીરિયર ડિઝાઇનર, ડેરી કે રેસ્ટોરાંમાં નોકરી મળવાની શક્યતાઓ વધી શકે છે.
18. દક્ષિણ-નૈઋત્યની એન્ટ્રી હશે તો શેરબજાર, વકીલાત, ગેરેજ, એન્જિનિયરિંગ, જમીન, બિલ્ડર, પોલીસ અથવા ગવર્નમેન્ટમાં નોકરીના યોગ વધી શકે છે.
19. પશ્ચિમની એન્ટ્રી હશે તો કાર શોરૃમ, ગેરેજ, ટેલર, શાકભાજી, ટેક્સટાઇલ, કાપડની દુકાન, લોખંડની ફેક્ટરી, મીઠાઈ, ડેરી, એન્જિનિયરિંગ, જમીન દલાલ કે કોન્ટ્રાક્ટરને ત્યાં નોકરી મળી શકે છે.

ઉપાયો:

  • ઘરને સ્વચ્છ અને સુગંધિત રાખવું.
  • બિનજરૃરી તમામ વસ્તુઓનો નિકાલ કરવો.
  • તમારાં ર્સિટફિકેટ અને રિઝ્યુમ ઇશાન ખૂણામાં રાખવાં.
  • બીમ નીચે ક્યારેય સૂવું કે બેસવું નહીં.
  • દક્ષિણમાં માથું અને ઉત્તરમાં પગ રાખીને સૂવું.
  • આઈટી ક્ષેત્રમાં નોકરી જોઈતી હોય તો અગ્નિ ખૂણામાં બેસીને રિઝ્યુમ બનાવવો અને ત્યાં જ કોઈ કબાટમાં રાખવો.
  • એન્જિનિયરિંગ ક્ષેત્રમાં નોકરી મેળવવા પશ્ચિમ દિશામાં બેસીને રિઝ્યુમ બનાવવો અને ત્યાંના જ કોઈ કબાટમાં રાખવો
  • વિદેશમાં નોકરી માટે એપ્લાય કરતા હો તો વાયવ્ય ખૂણામાં બેસીને કરવું.
  • રોજ સવારે તુલસીનાં પાંચ પાન બ્રશ કરી ચાવીને ખાઈ જવાં. જેનાથી બઢતી અને કર્મચારીઓનો સહકાર મળી રહે છે.
  • રાત્રે સૂતા પહેલાં ચંદ્રદર્શન કરીને સૂવું. સાત વખત ‘ૐ શ્રી ચંદ્રાય નમઃ ।’ બોલવું.
  • કોઈ પ્રકારની ચોકડીવાળી ચાદર કે ઓશિકા પર ના સૂવું.

સાભાર: સંદેશ.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

જાણો..કામ લાગશે…તોડફોડ કર્યા વગર ઘરના દોષ દૂર કરતું ફેંગશૂઈ…!!!

fengsui

ફેંગશૂઈ ચીનની એક વિદ્યા છે. જે માનવ કલ્યાણ માટે છે. ફેંગશૂઈ બે શબ્દ ફેંગ અને શૂઈથી બનેલો છે. આ ચીનની વાસ્તુશાસ્ત્રીય પદ્ધતિ છે. ચીની ભાષામાં ફેંગનો અર્થ થાય છે જળ અને શૂઈનો અર્થ છે વાયુ. આ વિજ્ઞાાન આપણને જણાવે છે કે આપણે આપણી આસપાસની વસ્તુઓને આકાર, રંગ, તત્ત્વ, ગ્રહ અને અંકો અનુસાર કઈ દિશામાં રાખી શકીએ. જો તે બધુ ફેંગશૂઈ પ્રમાણે ન હોય તો ફેંગશૂઈના વિવિધ ઉપકરણો કે વસ્તુઓ દ્વારા પણ દોષ દૂર કરી શકાય છે

ફેંગશૂઈના આધારે કરવામાં આવેલું સંશોધન કોઈ પણ સામાન્ય મનુષ્યના ભાગ્યને સારું કરવાનો સરળ ઉપાય છે. તેને ભાગ્યનો ત્રિત્વ કહે છે. ભાગ્ય ત્રણ પ્રકારના હોય છે. (૧) પૃથ્વીથી પ્રાપ્ત થતું ભાગ્ય. (ર) મનુષ્યનું પોતાની જાતે પ્રાપ્ત કરેલું ભાગ્ય અને (૩) સ્વર્ગ દ્વારા પ્રાપ્ત કરેલું ભાગ્ય. દરેક વ્યક્તિ પોતપોતાના સામર્થ્ય અનુસાર પૂરી શક્તિથી કામ કરે છે. ફેંગશૂઈના ઉપયોગથી આપણે આપણા ઘરને સામંજસ્યપૂર્ણ બનાવીને સ્વયંને પહેલાંથી વધારે પ્રસન્ન, સ્વસ્થ તથા જીવનની પ્રત્યેક ક્ષણને વધારે સફળ બનાવી શકીએ છીએ. અહીં આવી જ કેટલીક ફેંગશૂઈ વસ્તુઓ પ્રસ્તુત છે.

જાણો..કામ લાગશે…વાસ્તુશાસ્ત્ર તમારો વેપાર વધારી શકે છે..!!!

ફેંગશૂઈની ઉપયોગી વસ્તુઓ:

ફેંગશૂઈમાં વિવિધ ઉપકરણો કે વસ્તુઓ દ્વારા વાસ્તુદોષને દૂર કરી શકાય છે. આ બધી જ વસ્તુઓ ઘર, ઓફિસ, દુકાન, ફેક્ટરી વગેરે જેવી બધી જ જગ્યાઓ કે જ્યાં વાસ્તુ પ્રમાણે ગોઠવણ હોવી જોઈએ ત્યાં બધે જ ઉપયોગી છે. ફેંગશૂઈની વિવિધ વસ્તુઓ અને તેના પ્રભાવને જાણીએ.

બાગુઆ : તેને મુખ્ય શયનખંડના દ્વાર પર બહારની બાજુ લગાવવો જોઈએ. તેને કાર્યાલયના દ્વાર પર પણ આપણે લગાવી શકીએ છીએ. તેને લગાવવાથી મકાન કે ખંડમાં નકારાત્મક ઊર્જા પ્રવેશ કરતી નથી.

પાકુઆ : મુખ્ય દ્વારની સામે કોઈ પણ પ્રકારનો દ્વારવેધ અથવા અશુભ સ્થાન હોય ત્યારે તેને દ્વારની ઉપર બહારની બાજુએ લગાવવામાં આવે છે. જેનાથી નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશ કરતી નથી.

ક્રિસ્ટલ બોલ : ક્રિસ્ટલ ઊર્જાવર્ધક હોય છે. પૂર્વ દિશામાં લગાવવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. ઉત્તર-પશ્ચિમ દિશામાં લગાવવાથી દાંપત્યસંબંધો સુધરે છે તથા પશ્ચિમમાં લગાવવાથી સંતાનસુખ મળે છે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

વિંડ ચાઈમ : વિંડ ચાઈમ એટલે કે હવાથી જેમાં ઝણકાર થાય તેવી પવન ઘંટડી. વિંડ ચાઈમ ઘર તથા વ્યાપારના વાતાવરણને મધુર બનાવે છે. વાસ્તુ અને ફેંગશૂઈનાં પાંચ તત્ત્વોને દર્શાવવાળી પાંચ રોડની વિંડ ચાઈમ શુભ માનવામાં આવે છે. તેને ઘરના મધ્યસ્થાને લગાવવાથી સ્વાસ્થ્ય લાભ તથા ઉત્તર-પશ્ચિમમાં લગાવવાથી જીવનમાં નવા સુઅવસર પ્રાપ્ત થાય છે.

લાફિંગ બુદ્ધા : હસતા બુદ્ધની મૂર્તિ ધન-સંપત્તિના દેવતાઓમાંની એક માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સંપન્નતા, સફળતા અને સમૃદ્ધિ આવે છે પરંતુ આ મૂર્તિને શયનખંડ કે રસોડામાં ક્યારેય રાખવી જોઈએ નહીં.

ત્રણ પગવાળો દેડકો : મોંમાં સિક્કા લીધેલ ત્રણ પગવાળો દેડકો પણ એ પ્રકારે રાખવો જોઈએ કે જેથી એવું લાગે કે તે ધન લઈને ઘરની અંદર આવી રહ્યો છે. તેને શૌચાલય કે રસોડામાં ક્યારેય રાખવો જોઈએ નહીં.

અસરકારક વાસ્તુ શાસ્ત્ર: સન્માન અને સમૃદ્ધિ વધારવા, ઘરના આ ખૂણામાં કરો નાના-નાના ફેરફાર…!!!

ધાતુનો કાચબો : ધાતુનો કાચબો આયુષ્ય વધારનાર તથા ધન-સમૃદ્ધિમાં વધારો કરનાર હોય છે. તેને ભગવાન વિષ્ણુનો કચ્છપ અવતાર માનવામાં આવે છે.

લવ બર્ડ્સ : પતિ-પત્ની વચ્ચેના પરસ્પરના સંબંધો મધુર બનાવવા માટે તેને શયનખંડમાં રાખવામાં આવે છે. લવ બર્ડ્સ દાંપત્યજીવનમાં પ્રેમ અને સૌહાર્દ જાળવી રાખે છે. તેને ઘરમાં રાખતી વખતે એક વાતનું ધ્યાન રાખો કે પિંજરાની અંદર કેદ ન હોય.

મેનડેરિયન ડક : કુંવારા છોકરા કે છોકરીનાં લગ્ન માટે મેનડેરિયન ડકના જોડાને એ છોકરા કે છોકરીના રૂમમાં દક્ષિણ-પશ્ચિમ ભાગમાં લગાવવામાં આવે છે. જેનાથી કુંવારા લોકોનાં લગ્ન ઝડપથી થઈ જાય છે.

વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

એજ્યુકેશન ટાવર : એજ્યુકેશન ટાવર સામે રાખીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરે તો અભ્યાસમાં ધ્યાન એકાગ્રચિત થઈ જાય છે. તેનાથી ઈચ્છાશક્તિ તથા તર્કશક્તિમાં વૃદ્ધિ થાય છે. વધારે અભ્યાસ કરવાની પ્રેરણા પણ મળે છે.

બેવડું ખુશી સંકેત : આ ચિહ્નને ઘરના દક્ષિણ-પશ્ચિમમાં લગાવવાથી ઘરમાં ખુશીઓના અવસર વધે છે તથા વિવાહયોગ્ય છોકરા-છોકરીનાં લગ્ન જલદી થઈ જાય છે.

મિસ્ટેક નોટ સિમ્બોલ : તે એક રહસ્યમયી ગાંઠ છે એટલે કે જેનો પ્રારંભ ખબર નથી તથા અંત પણ ખબર નથી. આ ચિહ્નને ઘર તથા ઓફિસની ઉત્તર દિશામાં લગાવવાથી ધન તથા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે.

એનિમલ સેટ : તેને ડ્રોઈંગ રૂમની ચારે દિશાઓમાં લગાવવામાં આવે છે. ડ્રેગન પૂર્વની દીવાલ પર, ટાઈગર પશ્ચિમની દીવાલ પર, ફિનિક્સ દક્ષિણની દીવાલ પર તથા કાચબો ઉત્તરની દીવાલ પર લગાવવામાં આવે છે. એનિમલ સેટ લગાવવાથી વ્યક્તિની ચારે બાજુ પ્રગતિ થાય છે.

ભાગ્યશાળી સિક્કા : ત્રણ ભાગ્યશાળી ચીની સિક્કા ઘરના મુખ્ય દ્વારના અંદરની તરફના હેન્ડલ પર બાંધવામાં આવે છે. તેને લગાવવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. પરિવારના દરેક સદસ્યને તેનાથી લાભ થાય છે. આ સિક્કાઓને પર્સમાં રાખવાથી ધનની વૃદ્ધિ થાય છે.

રત્નોનો છોડ : રત્નોના છોડને જેમ ટ્રી પણ કહે છે. ઘરમાં સુખ, શાંતિ તથા ધનને વધારવા માટે તેને ઘરમાં લગાવવામાં આવે છે. લીલા રંગનો છોડ ઉત્તર દિશામાં તથા મિશ્રિત રંગોનો છોડ દક્ષિણ-પશ્ચિમ દિશામાં લગાવવો જોઈએ.

વાંસળી : બીમના પ્રભાવને ઓછો કરવા માટે વાંસળીઓ પર લાલ રિબિન લપેટીને બીમ સાથે એવી રીતે લટકાવવામાં આવે છે કે જેથી વાંસળીનું મુખ નીચેની તરફ રહે અને પરસ્પર ત્રિકોણ બનાવે.

સોનેરી માછલી : સોનેરી માછલી એટલે કે ગોલ્ડ ફિશ ધન અને સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે. ગોલ્ડ ફિશવાળું માછલી ઘર ડ્રોઈંગ રૂમમાં રાખવું જોઈએ. તેને રાખવાની યોગ્ય દિશાઓ પૂર્વ, દક્ષિણ-પૂર્વ તથા ઉત્તર છે. આ માછલીઓની સંખ્યા નવ હોવી જોઈએ.

ડ્રેગનના મોંવાળી બોટ : સંયુક્ત પરિવારને એક સાથે રાખવા માટે એટલે કે બધાં જ એક તાંતણે બંધાઈ રહે તે માટે તેને ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં રાખવી જોઈએ.

ક્રિસ્ટલ ગ્લોબલ : ક્રિસ્ટલ ગ્લોબલને ઘર અથવા વ્યાપારિક સ્થળે એવી રીતે રાખવો જોઈએ કે જેથી એ તમારી સામે રહે અને દિવસમાં ઓછામાં ઓછો ત્રણવાર તેને ફેરવવો જોઈએ. તે કરિયર તથા વહેપારની સફળતામાં સહાયક સિદ્ધ થાય છે.

ઝુમ્મર (ચી) : ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશા પૃથ્વી તત્ત્વ સાથે સંબંધ ધરાવે છે. તે વિવાહ તથા પરસ્પરના સંબંધ સાથે જોડાયેલ છે. દરરોજ સાંજના સમયે બે કલાક સળગતું (ચાલુ) રાખવાથી પરિવારના સદસ્યોમાં હળવા-મળવાની ભાવના પ્રબળ બને છે. સાથે-સાથે અવિવાહિત વ્યક્તિઓના વિવાહ થવાની સંભાવનાઓ વધી જાય છે.

પવન ઘંટડી : તેને મુખ્ય દરવાજાની પાસે લટકાવવામાં આવે છે. બેઠકખંડ અથવા કાર્યાલયમાં લગાવવાથી તે સમૃદ્ધિ પ્રદાન કરે છે. તેનો પવિત્ર ધ્વનિ નકારાત્મક ઊર્જાને ઓછી કરીને સકારાત્મક ઊર્જા વધારે છે. મંત્રોના ધ્વનિ અને પવિત્ર ધૂનથી વાસ્તુદોષ નષ્ટ થઈને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. જોકે પવન ઘંટડી બધી જ જગ્યાએ કે ક્ષેત્રોમાં ન લટકાવવી જોઈએ કારણ કે તેને લટકાવવાનું સ્થાન જ વધારે મહત્ત્વપૂર્ણ હોય છે.

ફિનિક્સ : ફેંગશૂઈ અનુસાર તે ઈચ્છા પૂરી થવાવાળા ભાગ્યનું પ્રતીક છે. ભાગ્યને ક્રિયાશીલ કરવા માટે ફિનિક્સના પ્રતીકના રૂપમાં તેના ચિત્ર અથવા પેઈન્ટિંગ દક્ષિણમાં લગાવો.

કુક, લુક અને સાઉ : આ ક્રમશઃ સમૃદ્ધિ, ઉચ્ચ શ્રેણી તથા દીર્ઘાયુના દેવતા છે. તેમની ઉપસ્થિતિ માત્ર પ્રતીકાત્મક હોય છે. તેમની પૂજા કરવામાં આવતી નથી. ઘરમાં તેમની ઉપસ્થિતિ અત્યંત ભાગ્યશાળી માનવામાં આવે છે. કુક સમૃદ્ધિના દેવતા છે. તે અન્ય બંને દેવતાઓથી કદમાં ઊંચા છે. સામાન્ય રીતે તેમને વચ્ચે રાખવામાં આવે છે. કુક-લુક-સાઉ ત્રણે મળીને અત્યંત મહત્ત્વપૂર્ણ સૌભાગ્યનું પ્રતિનિધિત્વ કરે છે. તેમની ઉપસ્થિતિ સમૃદ્ધિ, પ્રભુત્વ, સન્માન, દીર્ઘાયુ તથા સારા સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરે છે.

ડ્રેગન : ડ્રેગન ઉત્તમ યોગ ઊર્જાનો પ્રતીક છે. તેનો સંબંધ પૂર્વ દિશા સાથે જોડાયેલો છે. આ દિશાનું તત્ત્વ કાષ્ટ (લાકડું) છે. આથી લાકડાની નક્કાશીવાળો ડ્રેગન સારો રહે છે. તમે માટી અને સ્ફટિકથી બનેલો ડ્રેગન પણ રાખી શકો છો પરંતુ ધાતુનો ક્યારેય ન રાખશો કારણ કે પૂર્વ દિશામાં ધાતુ લાકડાને નષ્ટ કરી નાખે છે. ડ્રેગન ઉત્તમ યોગ ઊર્જાનો પ્રતીક હોવાને કારણે દુકાન, હોટેલ, રેસ્ટોરન્ટ, ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ જ્યાં આ ઊર્જાની વધારે આવશ્યક્તા હોય છે, લોકોના આવવા-જવાનું વધારે રહે છે ત્યાં પણ પૂર્વ દિશામાં ચિત્ર રાખવું બહુ સારું રહે છે. તેને શયનખંડમાં ન રાખશો કારણ કે ત્યાં યોગ ઊર્જાની જરૂર હોતી નથી.

ફેંગશૂઈ વસ્તુઓની ટિપ્સ:

  • ઘરમાં કેકટસનો છોડ ન રાખશો કારણ કે કેકટસનો છોડ નકારાત્મક ઊર્જા પ્રવાહિત કરે છે.
  • સુકાયેલા ફૂલ નકારાત્મક ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. તે મુરઝાય તેવા તરત જ ફેંકી દો. જોકે તાજાં ફૂલ સૌભાગ્યવર્ધક હોય છે.
  • બંધ પડેલી ઘડિયાળ નકારાત્મક ઊર્જાનું પ્રતીક છે. આથી તેને તુરંત જ ઠીક કરાવો.
  • ઘરમાં હિંસાત્મક દૃશ્ય ના લગાવશો. ઘરના સદસ્યો તણાવમાં રહે છે.
  • રાત્રે ઘરની બહાર કપડાં સૂકવવાથી નકારાત્મક ચી પહેરવાવાળાના મન પર ખરાબ પ્રભાવ પાડે છે.
  • શૌચાલયનો દરવાજો ક્યારેય ખુલ્લો રાખવો જોઈએ નહીં. આમ કરવાથી નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશ કરે છે.
  • દરવાજાની ઉપર કેલેન્ડર અથવા ઘડિયાળ ના લટકાવશો કારણ કે તે આયુષ્યને પ્રભાવિત કરે છે.
  • કેશ બોક્સ, બેન્ક પાસબુક, કેશ રજિસ્ટર પર ત્રણ ફેંગશૂઈ સિક્કા લગાવવાથી આવકમાં વૃદ્ધિ થાય છે.
  • લાલ દોરામાં બાંધેલ ત્રણ ફેંગશૂઈ સિક્કા તથા ત્રણ નાની-નાની ઘંટડીઓ દરવાજામાં લટકાવવાથી સમૃદ્ધિ આવે છે પરંતુ તે એવા દરવાજા પાછળ ન લટકાવવી જોઈએ કે જે બહારની તરફ ખૂલતા હોય.
  • મોંમાં સિક્કા લીધા હોય તેવો ત્રણ પગવાળો દેડકો ઘરમાં એવી રીતે રાખો કે જેથી એવું લાગે કે તે ઘરમાં પ્રવેશ કરી રહ્યો છે. તેનાથી એવું પ્રતીત થાય છે કે દેડકો ઘરમાં ધન લાવી રહ્યો છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે જો તેનું મોં ઊલટું હોય તો પ્રભાવ પણ ઊલટો પડશે. તેને ડ્રોઈંગ રૂમમાં રાખવો શુભ છે. તેને શૌચાલયમાં રાખવો જોઈએ નહીં.
  • સૌભાગ્યવૃદ્ધિ માટે ઘરમાં ડ્રેગન રાખો. તેને ડ્રોઈંગ રૂમમાં રખાય, પરંતુ શયનખંડમાં રાખવો જોઈએ નહીં.
  • ડ્રેગનના મોંવાળી બોટ ઘરમાં રાખો. આપણો પરિવાર લાંબા સમય સુધી સુખ-સમૃદ્ધિથી ચાલતો રહેશે તે વાતનું તે પ્રતીક છે.
  • ધન-સમૃદ્ધિ માટે ઘરમાં કેશ-જ્વેલરી રાખવાની જગ્યાએ સોનાની નાવ (હોડી) રાખો. તેને દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવામાં આવે છે.
  • કરિયર, એજ્યુકેશન તથા વ્યાપારમાં સફળતા માટે ક્રિસ્ટલ ગ્લોબ રૂમમાં રાખો. તેને દિવસમાં ત્રણવાર ફેરવો. તેનાથી ગ્લોબમાંથી નીકળેલી સકારાત્મક ઊર્જા આખા ક્ષેત્રમાં ફેલાઈ જાય છે. પ્રયોગ કરતાં પહેલાં ગ્લેબને સ્ટેન્ડ પરથી ઉતારી મીઠાના પાણીમાં ધોઈને કાચમાં વાસણમાં મૂકીને બે-ત્રણ કલાક સવારના તડકામાં રાખવામાં આવે છે.
  • પશ્ચિમ તથા ઉત્તર-પશ્ચિમ દિશામાં ધાતુમાંથી બનેલ સિક્કાનો વાટકો અથવા છોડ રાખવાથી મિત્રોની સંખ્યા વધે છે.
  • પતિ-પત્નીના શયનખંડમાં લવબર્ડ લગાવવાથી તેમની વચ્ચે પ્રેમ વધે છે. લવબર્ડ ખરીદતી વખતે ધ્યાન રાખો કે તેમાં બે જ પક્ષી હોય.
  • જે બાળકોનું અભ્યાસમાં મન ના લાગતું હોય તેમના સ્ટડી ટેબલ પર એજ્યુકેશન ટાવર રાખવાથી લાભ થાય છે. તેને ઉત્તર-પૂર્વ દિશામાં રાખવું જોઈએ.
  • ચીનમાં ચંદ્રને વિવાહ (લગ્ન)નો દેવતા માનવામાં આવે છે. પૂર્ણિમાના દિવસે અવિવાહિત કન્યાએ એક સંતરુ નહેર, નદી અથવા સમુદ્રમાં વહાવવું જોઈએ. એક માન્યતા મુજબ વાયુ અને જળના દેવતા કન્યાનો સંદેશો ચંદ્ર સુધી પહોંચાડે છે, જેનાથી કન્યાને મનપસંદ વર મળે છે.
  • ચંદ્રની રોશની (અજવાળું) અથવા ચંદ્રમાનું ચિત્ર અવિવાહિત કન્યાઓના રૂમમાં રાખવાથી તેમને યોગ્ય અને મનપસંદ વર મળે છે.
  • બે લોકો વચ્ચેના સંબંધમાં સુમેળ જળવાઈ રહે તે માટે બે ડોલ્ફિનનું ચિત્ર લગાવો. જો તમારો બિઝનેસ પાર્ટનરશિપમાં હોય તો પણ તમે ડોલ્ફિનનું ચિત્ર લગાવી શકો છો. તેનાથી લાભ થાય છે.
  • સમડી સુરક્ષાની પ્રતીક છે. તેની મૂર્તિ ઘરમાં રાખવાથી બીમારીઓ તથા દુશ્મનોથી રક્ષા થાય છે.
  • માછલીઓ સંપત્તિ અને સમૃદ્ધિ અપાવે છે. આથી નાની માછલીની મૂર્તિ ઘરની તિજોરીમાં રાખો. તેને દક્ષિણ-પૂર્વ અથવા ઉત્તર દિશામાં રાખવામાં આવે છે.

સાભાર: સંદેશ.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!

poojan

પૂર્વમાં ભગવાનનું મંદિર તથા પશ્ચિમમાં દેવી મંદિર પ્રતિષ્ઠા, ઐશ્વર્ય અને ધન-સંપત્તિ આપનાર બને છે. પૂજાસ્થાનમાં મૂર્તિઓ એકબીજા તરફ મુખ કરીને ક્યારેય રાખવી નહીં

વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ પૂજા સ્થાન કે મંદિર ઘરમાં હંમેશાં ઉત્તર-પૂર્વ (ઈશાન ખૂણો)માં હોવું જોઈએ, કેમ કે આ ખૂણામાં પરમ પિતા પરમેશ્વર અર્થાત્ ઈશ્વરનો વાસ હોય છે. કહેવાય છે કે દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુની સાથે ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન ખૂણામાં નિવાસ કરે છે તે સાથે ઈશાનના ક્ષેત્રમાં દેવગુરુ બૃહસ્પતિનો અધિકાર છે. અલબત્ત આધ્યાત્મિક ચેતનાનો મુખ્ય કારક ગ્રહ બૃહસ્પૃતિ છે. ઉત્તર-પૂર્વ ભાગ અથવા ઈશાન ખૂણામાં પૃથ્વીની ચુંબકીય ઊર્જા, સૂર્ય ઊર્જા તથા વાયુ મંડળ અને બ્રહ્માંડમાંથી મળનારી ઊર્જા અને શક્તિઓનો અનુકૂળ પ્રભાવ મળે છે. ફળસ્વરૂપ આધ્યાત્મિક પૂજા માનસિક શક્તિઓમાં સકારાત્મક વૃદ્ધિ થાય છે.

વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૂજા ઘર કે મંદિર ક્યારેય રસોડામાં ન બનાવવું જોઈએ. મોટા ભાગના લોકો પૂજા ઘર રસોડામાં જ રાખતા હોય છે, પરંતુ તે જરાય યોગ્ય નથી. પાણિયારે દીવો કરવો એ એલગ બાબત છે અને મંદિર રાખવું એ પણ અલગ બાબત છે. રસોડામાં ઉપયોગમાં લેવાની વસ્તુઓ મરચું, મીઠું, મસાલા, ગેસ, તેલ, ચમચા વગેરે મંગળ ગ્રહની વસ્તુઓ છે. મંગળ ગ્રહનો વાસ પણ રસોડામાં જ હોય છે. મંગળ ઉગ્ર ગ્રહ હોવાને કારણે તે ઉગ્રતાના પ્રભાવમાં વૃદ્ધિ કરીને પૂજા કરનારાની શાંતિ અને સાત્વિકતામાં ઊણપ લાવે છે. ભગવાન ભાવના ભૂખ્યા હોય છે. ભગવાનની પૂજામાં સુગંધનું એક આગવું મહત્ત્વ હોય છે. રસોડામાં સાત્ત્વિક અને નિરામિષ એમ બંને પ્રકારનાં ભોજન રાંધવામાં આવે છે જેની સુગંધ અને દુર્ગંધ ભગવાનને મળે છે. જે યોગ્ય ન કહેવાય. પરિણામે દેવતા પ્રસન્ન થતા નથી. આમ રસોડામાં બનાવેલ પૂજાસ્થાન બનાવવાથી આધ્યાત્મિક ચેતનાનો વિકાસ થતો નથી.

અસરકારક વાસ્તુ શાસ્ત્ર: સન્માન અને સમૃદ્ધિ વધારવા, ઘરના આ ખૂણામાં કરો નાના-નાના ફેરફાર…!!!

વળી પૂજાસ્થાન ટોયલેટની સામે પણ ક્યારેય ન હોવું જોઈએ, કેમ કે ટોયલેટ પર શુક્રનો પ્રભાવ હોય છે જ્યારે પૂજાના સ્થાન પર બૃહસ્પતિનો અધિકાર છે. શુક્ર અનૈતિક સંબંધ અને ભૌતિકવાદી વિચારધારાનું સર્જન કરે છે. તે સાથે શુક્ર ગ્રહની પ્રવૃત્તિ રાક્ષસી હોય છે. જે પૂજાસ્થાનના અધિપતિ ગ્રહ બૃહસ્પતિ (ગુરુ)ના અતિરેક ગુણોના પ્રભાવને ઓછો કરી દે છે. જેના ફળ સ્વરૂપ પૂજાનો પૂરેપૂરો આધ્યાત્મિક લાભ વ્યક્તિને સુલભ થતો નથી. મંદિર કે પૂજાસ્થાન સીડીઓની નીચે પણ ક્યારેય ન હોવું જોઈએ.

વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

ગણેશજીની સ્થાપના પૂજાસ્થાનમાં દક્ષિણ દિશામાં કરવી જોઈએ. જેથી તેમની દૃષ્ટિ ઉત્તર દિશા તરફની રહે. ઉત્તરમાં હિમાલય પર્વત છે અને તેના પર ગણેશજીમાં માતા-પિતા અર્થાત શંકર-પાર્વતીજીનો નિવાસ છે. ગણેશજીને પોતાનાં માતા-પિતા તરફ જોવાનું સારું લાગે છે માટે જ ગણેશજીની મૂર્તિ દક્ષિણ દિશામાં રાખવી જોઈએ. ગણેશજીની સ્થાપના ક્યારેય પશ્ચિમ દિશામાં કરવી જોઈએ નહિ. ગણેશજી મંગળના પ્રતીક છે અને પશ્ચિમ દિશાનો સ્વામી શનિ છે. આમ મંગળ અને શનિ એક સાથે આવે જેથી ઘરમાં પરેશાનીઓ અને મુશ્કેલીઓ વધી જાય છે.

બ્રહ્મા, વિષ્ણુ, શિવ, કાર્તિકેય, સૂર્ય અને ઈંદ્ર વગેરેને ઘરના પૂજાસ્થાનમાં એવી રીતે સ્થાપિત કરવા જોઈએ કે જેથી તેમની પૂજા કરતી વખતે પૂજા કરનાર વ્યક્તિનું મુખ પૂર્વમાં, પશ્ચિમ દિશા તરફનું હોય અર્થાત્ આ સઘળા દેવી-દેવતાઓની સ્થાપનાની સાચી દિશા પૂર્વ અથવા પશ્ચિમ છે. દેવી-દેવતાઓની મૂર્તિઓ ઉત્તર દિશાવાળી દિવાલ પર ક્યારેય લગાવવી જોઈએ નહિ. આમ કરવાથી તે દક્ષિણામુખી થઈ જાય છે. વળી ઉત્તર દિશામાં ઉત્તર ધ્રુવ હોય છે પરિણામે આ બંનેનું એક જ દિશામાં આવવું કે રહેવું એ યોગ્ય ગણાતું નથી, કારણ કે લક્ષ્મીજી ઉત્તર-પૂર્વમાં રહે છે. સરસ્વતી માતા પશ્ચિમ દિશામાં વાસ કરે છે એટલે પશ્ચિમ દિશામાં બેસીને સરસ્વતીજીની પૂજા કરવી અને ઉત્તર-પૂર્વમાં બેસીને લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ. પૂજા કક્ષનું દ્વાર હંમેશાં કક્ષની મધ્યમાં હોવું જોઈએ. જો પૂજા ઘરમાં મૂર્તિઓ દ્વારની બરાબર સામે હોય તો દ્વાર પર પડદો રાખવો જરૂરી છે. પૂજા કક્ષનું પ્રવેશ દ્વાર પૂર્વ તરફનું તથા બહાર નીકળવાનું ઉત્તર દિશા તરફનું હોવું જોઈએ. એનાથી ઘરમાં નિવાસ કરનાર લોકોનાં નામ અને વંશમાં વૃદ્ધિ થાય છે તથા એક વિશિષ્ટ વ્યક્તિના રૂપમાં તેમની ઓળખ બને છે. જો પૂજા કક્ષનું દ્વાર ઉત્તર-પૂર્વ દિશામાં હોય તથા આવવા જવાનું ઉત્તર-પૂર્વ દિશામાં જ હોય તો સૂર્યનાં કિરણો અને ચુંબકીય પ્રભાવથી ધન-સંપત્તિની સાથોસાથ વિવિધ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે, કેમ કે કેટલાંક દેવી-દેવતા ઈન્દ્રનાં માર્ગે પહેલેથી જ પૂજન કક્ષ અથવા મંદિરમાં પ્રવેશ કરવાનું પસંદ કરે છે તથા કેટલાંક દેવી-દેવતા ઉત્તર અથવા ઉત્તર-પૂર્વના માર્ગે પૂજન કક્ષમાં પ્રવેશ કરવાનું પસંદ કરે છે. વરુણ અને વાયુ દેવતા હંમેશાં પશ્ચિમ-ઉત્તરના માર્ગે જ પ્રવેશ કરે છે માટે આ સ્થાનોથી પણ પ્રવેશ દ્વાર રાખવું શુભફળદાયી છે. દક્ષિણ-પૂર્વના માર્ગે યજ્ઞાના દેવતા અગ્નિદેવ પ્રવેશ કરે છે. તેથી આ ખૂણાનું દ્વાર પણ સારું મનાય છે. આ સઘળા સિદ્ધાંતોને અપનાવવાથી પૂજન કક્ષની ગરિમા વધે છે તથા અહિંયા દેવી-દેવતા શુભ ફળ આપીને માનસિક અને આધ્યત્મિક સુખ-સમૃદ્ધિ આપે છે.

ઘરમાં વિષ્ણુ, લક્ષ્મી, સીતા-રામ, રાધા-કૃષ્ણ અને બાલાજી જેવા સાત્વિક અને શાંત દેવી-દેવતાનાં યંત્ર, મૂર્તિઓ અને તસવીરો રાખવી લાભદાયી રહે છે. પૂર્વમાં ભગવાનનું મંદિર તથા પશ્ચિમમાં દેવી મંદિર પ્રતિષ્ઠા, ઐશ્વર્ય અને ધન-સંપત્તિ આપનાર બને છે. પૂજાસ્થાનમાં મૂર્તિઓ એકબીજા તરફ મુખ કરીને ક્યારેય રાખવી નહીં.

પૂજાસ્થાનમાં કોઈ કારણસર કોઈપણ દેવી-દેવતાની મૂર્તિ સહેજ પણ ખંડિત થઈ જાય તો તે પૂજનને યોગ્ય નથી. આવી સ્થિતિમાં આ મૂર્તિને વિધિવિધાન સહિત પવિત્ર જળમાં પ્રવાહિત કરી દેવી જોઈએ તે સાથે કોઈ પ્રાચીન મંદિરમાંથી લવાયેલી ખંડિત મૂર્તિ પણ ઘરના પૂજાસ્થાનમાં રાખવી જોઈએ નહિ. દેવી-દેવતાઓ પર ચઢાવેલાં ચંદન, પુષ્પ, માળા અને હવન સામગ્રી તેમજ ધૂપ, જળ, નારિયેળ, જૂનાં વસ્ત્ર વગેરે બીન જરૂરી વસ્તુઓ પણ ફેંકી દેવાને બદલે વહેતા જળમાં વિર્સિજત કરી દેવી જોઈએ.

સાભાર: સંદેશ.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

જાણો..કામ લાગશે…વાસ્તુશાસ્ત્ર તમારો વેપાર વધારી શકે છે..!!!

shop
ઘણા પ્રખ્યાત પ્રાડક્ટ્સ અને ચેન ઓફ સ્ટોર્સ ઠેર ઠેર ખુલી હોય છે. જેનું નામ જે તે શહેરમાં પ્રખ્યાત હોય છે. છતાંય અમુક સ્ટોર્સ જ ધમાકેદાર ચાલે છે. બાકીના સ્ટોર્સમાં ગ્રાહકોનો પ્રભાવ ઓછો હોય છે અથવા તો નહીંવત હોય છે. આનું કારણ? જો પ્રોડક્ટ્સ અને માલ ફેમસ છે છતાંય દુકાનમાં ઘરાકી નથી તો ચોક્કસ વાસ્તુદોષ નિમિત છે.

વેપારમાં વૃદ્ધિ થવી અથવા તો નુકસાન જવું તેનો આધાર તમારી દુકાન ઓફિસ અથવા ઘરના વાસ્તુ ઉપર નિર્ધારિત હોય છે. આજના સ્પર્ધાત્મક યુગમાં ગ્રાહકને જે હકારાત્મક ઊર્જા વાસ્તુ દ્વારા સતત આપશે તેને ત્યાં ગ્રાહકની વૃદ્ધિ થશે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

વેપાર-ધંધામાં અસફળતા અપાવતા વાસ્તુદોષ

  • જો તમારી દુકાન અથવા ઓફિસની એન્ટ્રી ૧:૨ના રેશિયામાં નહીં હોય તો ગ્રાહકોની આવન-જાવન ઓછી રહેશે. દરવાજાની પહોળાઈ ત્રણ ફૂટ હોય તો ઊંચાઈ છ ફૂટ હોવી જોઈએ.
  • દુકાન અથવા ઓફિસની એન્ટ્રી વાસ્તુમાં જેને મહાદ્વાર કહેવાય છે. તે અત્યંત સુશોભિત, આર્કષક અને સુંદર બનાવવું જોઈએ, નહીં તો ગ્રાહક સંતોષકારક ખરીદી નહીં કરી શકે.
  • જો તમારી દુકાનની સામે ઇલેક્ટ્રીક પોલ, ઇલેક્ટ્રીક ટ્રાંસફોર્મર અથવા મોટું વૃક્ષ હશે તો ગ્રાહક લીધેલો માલ બદલાવા અથવા પાછો આપવા અચુક આવશે.
  • દુકાનની બહાર જો કચરો, ગંદકી અથવા ગટરનું પાણી જતું હશે તો એ દુકાન લાભને બદલે નુકસાનમાં ચાલશે. દુકાનદાર દેવાદાર પણ થઈ શકે છે.
  • દુકાન અથવા ઓફિસની અંદર ટોઇલેટ જો પૂર્વ અથવા ઉત્તરમાં હશે તો બેન્ક લોનનો ભાર રહેવાની સંભાવનાઓ વધી જાય છે.
  • દુકાનનું કેશ કાઉન્ટર જો પશ્ચિમ-ઉત્તર (વાયવ્ય) ખૂણામાં હશે તો આવક સામે જાવક વધી જશે.
  • દુકાન અથવા ઓફિસના બ્રહ્મ સ્થાનમાં જો વજનદાર વસ્તુ મૂકી હશે તો દેવું થવાની શક્યતાં રહે છે તથા સ્ટાફ તરફથી પણ અનેક મુશ્કેલીઓ સર્જાય છે.
  • દુકાન અથવા ઓફિસની અંદર જો ચીજવસ્તુઓ વ્યવસ્થિત ગોઠવાયેલી નહીં હોય અને સ્વચ્છતા નહીં હોય તો વેચેલો માલ પાછો આવવાની પૂર્ણ શક્યતાઓ રહે છે.
  • જો તમારા દુકાનની એન્ટ્રી જે તે પ્રોડક્ટ્સની વિરુદ્ધ હશે, તો ધંધો નહીં ચાલે.

અસરકારક વાસ્તુ શાસ્ત્ર: સન્માન અને સમૃદ્ધિ વધારવા, ઘરના આ ખૂણામાં કરો નાના-નાના ફેરફાર…!!!

ઉપાયો

  • પશ્ચિમ દિશાની એન્ટ્રી હોય ત્યાં મોટરગેરેજ, શાકભાજી, ફૂલ, ફળ, લોખંડ, બ્યુટી પાર્લર, રેસ્ટોરાં, તેલ વગેરે સાથે સંબંધિત ધંધા માટે ઉત્તમ છે. આવા સ્થાનમાં વકીલની ઓફિસ કરી શકાય. જેમાં અંદરનું વાસ્તુ વ્યવસ્થિત ગોઠવ્યા પછી ધંધામાં ઘણી બરકત થાય છે.
  • ઉત્તર દિશાની એન્ટ્રી હોય ત્યાં ઈમ્પોર્ટ-અક્ષપોર્ટ, અગરબત્તિ, ટેક્ષટાઇલ, કમ્પ્યૂટર, વોટર પ્લાન્ટ્સ, ડેરી પ્રોડક્ટ્સ, પૂજા સામગ્રી, દુકાન, શાળા-કોલેજ, ફાઇનાન્સનો ધંધો કરી શકાય. જેમાં વાસ્તુના નિયમો અનુસાર ગોઠવણી કરવાથી ઉપરોક્ત ધંધામાં ઘણી બરકત મળે છે.
  • પૂર્વની એન્ટ્રી હોય ત્યાં સ્ટેશનરી ફાઇનાન્સ, બેન્ક, દૂધની ડેરી, કોચિંગ ક્લાસીસ, શાળા, કોલેજ, સ્ત્રીઓના આભૂષણની દુકાન, સોના-ચાંદી કે હીરા-મોતીનો શોરૂમ, આર્ટ, રંગની દુકાન, મીઠાઈની દુકાન, લાઇબ્રેરી, હોસ્પિટલ, ધાર્મિક સામગ્રી, ચશ્માની દુકાન કરી શકે.

વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો

  • દુકાનની તથા ઓફિસની અંદર વોર્મ વ્હાઇટ લાઇટ હોવી જોઈએ.
  • મીઠાના પાણીનાં પોતા અવશ્ય કરવા.
  • દુકાન અથવા ઓફિસના દક્ષિણ ભાગમાં વાયોલેટ કલરનો બલ્બ ચોવીસ કલાક ચાલું રાખવો.
  • દુકાન અથવા ઓફિસમાં કાઈ પણ જાતની જૂની-પુરાણી, તૂટી ગયેલી વસ્તુઓ ના હોવી જોઈએ.
  • દુકાન અથવા ઓફિસમાં સાગના લાકડાંનો ચોરસ ઉંમરો હોવો જરૂરી છે.
  • દુકાનમાં હળવું સંગીત ચાલું રાખવું.
  • દુકાનના અથવા ઓફિસના દરેક સભ્યોએ જમણો પગ પહેલાં મૂકીને પ્રવેશ કરવો.

સાભાર: સંદેશ.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है