રાશીઓની કુલ સંખ્યા 12 છે..જન્મ સમય અનુસાર અલગ-અલગ રાશીઓ હોય છે. તમારી જે રાશિ હોય તે અનુસાર તમે તમારા માટે યોગ્ય કરિયરની પસંદગી કરી શકો છો.
મેષ રાશિ
મેષ રાશિનો રાશિ સ્વામી મંગળ છે. જન્મકુંડળીના દસમા સ્થાન કે ઘરમાં મેષ રાશિ હોય તો તમને સાહસિક કાર્યોમાં સફળતા સરળતાથી મળી શકે છે. આથી મેષ રાશિના જાતકો માટે રક્ષા વિભાગ, પોલીસ વિભાગ, ધાતુ સાથે સંબંધિત કાર્ય, રાજનીતિક તથા પ્રશાસનિક કાર્ય તથા ચિકિત્સકનો વ્યવસાય લાભકારી તથા અનુકૂળ પરિણામ આપનાર હોય છે. પત્રકારત્વના ક્ષેત્રમાં પણ તમને સફળતા મળે છે.
વૃષભ
શુક્ર વૃષભ રાશિનો સ્વામી છે. કુંડળીમાં દસમા ઘરમાં વૃષભ રાશિ હોય તો આ જાતકોએ સંગીત, સૌંદર્યપ્રસાધન, મીડિયામાં રોજગાર શોધવો જોઈએ. આ સિવાય બેન્કની નોકરી, વિજ્ઞાાપન એજન્સી સાથે સંકળાયેલું કાર્ય તથા ઇલેક્ટ્રોનિક્સનું કાર્ય લાભપ્રદ હોય છે. વાણિજ્યના ક્ષેત્રમાં પણ તમને સફળતા પ્રાપ્ત થાય છે.
મિથુન
મિથુન રાશિનો સ્વામી બુધ ગ્રહ હોય છે. જન્મકુંડળીના દસમા ઘરમાં મિથુન રાશિ હોય તો તમારે તમારી કરિયર મીડિયામાં બનાવવી જોઈએ. આ જાતકો માટે એન્જિનિયરિંગ, શિક્ષણ, લેખન તથા અનુવાદનું કાર્ય પણ ઉત્તમ રહે છે. આ જાતકો સારા સંપાદક કે સાહિત્યકાર પણ બની શકે છે.
કર્ક રાશિ
ચંદ્રમા એ કર્ક રાશિનો સ્વામી છે. જન્મકુંડળીમાં આ રાશિ દસમા ઘરમાં હોય તો ચિકિત્સકનો વ્યવસાય તમારા માટે લાભપ્રદ રહેશે. હોટલ કે રેસ્ટોરાંનો વ્યવસાય, બેકરીનું કામ, પશુપાલનનું કાર્ય તમને વધારે લાભ આપશે. ચા અને કોફી જેવાં પીણાંનો વેપાર તમારા માટે વધુ ફાયદાકારક સાબિત થાય.
સિંહ રાશિ
સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. જો તમારી કુંડળીમાં દસમા ઘરમાં સિંહ રાશિ હોય તો તમારે પ્રશાસનિક એટલે કે મેનેજમેન્ટ લેવલના કામકાજમાં રોજગારની તલાશ કરવી જોઈએ. તમારા માટે શેરબજારનો કારોબાર, ઝવેરાત સાથે સંકળાયેલું કામ, દવાઓનો વેપાર કે ઉત્પાદન સફળતા અપાવનાર સાબિત થશે. આ જાતકોને ફિલ્મ ઉદ્યોગમાં પણ સારી સફળતા પ્રાપ્ત થાય છે.
કન્યા રાશિ
કન્યા રાશિનો સ્વામી ગ્રહ બુધ છે. જન્મકુંડળીમાં જો કન્યા રાશિ દસમા ઘરમાં હોય તો તમે એકાઉન્ટન્ટ બની શકો છો. આ જાતકો ક્લાર્ક, મનોવૈજ્ઞાાનિક, ચિકિત્સક, પાઇલટ, લેખક, સંપાદક બની શકે છે. આ જાતકો ઇચ્છે તો વેપાર કરીને પણ લાભ મેળવી શકે છે. ટપાલ વિભાગમાં નોકરી તથા સ્ટેશનરીની દુકાન તમારે માટે વધારે લાભકારક સાબિત થઈ શકે છે.
તુલા રાશિ
આ રાશિનો રાશિ સ્વામી શુક્ર છે. તમારી જન્મકુંડળીમાં દસમા ઘરમાં તુલા રાશિ હોય તો તમે ન્યાય વિભાગમાં સારી સફળતા અને નામ મેળવી શકશો. આ જાતકો અભિનય, ગાયન, ફેશન ઉદ્યોગ, ચિત્રકારના રૂપમાં પણ કરિયર બનાવી શકે છે. ફર્નિચરનો વેપાર, હોટલનો કારોબાર અને દરજી કામમાં પણ ધારી સફળતા મળી શકે છે.
વૃશ્ચિક રાશિ
આ રાશિના લોકોની જન્મકુંડળીનું દસમું ઘર કાર્યસ્થાન તરીકે ઓળખવામાં આવે છે. વૃશ્ચિક રાશિ આ ઘરમાં હોય તો તેનો સ્વામી મંગળ છે. આ જાતકો પોલીસ વિભાગ, રક્ષા વિભાગ, રેલવે, દૂરસંચાર વિભાગમાં પોતાની કરિયર શોધી શકે છે. આ સિવાય જહાજના કેપ્ટન, વીમા એજન્ટ તથા ચિકિત્સાના ક્ષેત્રમાં પણ પ્રયત્નો કરી શકે છે. મશીનરીના વેપારમાં તેમને વધુ લાભ પ્રાપ્ત થાય છે.
ધન રાશિ
તમારી કુંડળીમાં દસમા ઘરમાં ૯નો અંક લખેલો હોય તો આ ઘર ધન રાશિનું છે. આ રાશિના સ્વામી ગુરુ છે. જો રમતગમત પ્રત્યે રુચિ હોય તો ખેલકૂદના ક્ષેત્રમાં પણ તમે તમારી કરિયર બનાવી શકો છો. આ જાતકો વકીલાતમાં સારું નામ કમાઈ શકે છે. શિક્ષણ ક્ષેત્રમાં પણ તેઓ સફળતા પ્રાપ્ત કરી શકે છે.
મકર રાશિ
મકર રાશિનો સ્વામી શનિ હોય છે. તમારી જન્મકુંડળીના દસમા ઘરમાં મકર હોય તો તમે ખાણ સાથે સંકળાયેલ વ્યવસાય કરી શકો છો. કૃષિ વિભાગ તથા ધાતુ સાથે સંબંધિત કાર્ય પણ તમારા માટે અનુકૂળ રહે છે. લાકડાંનો કારોબાર તથા લોખંડ સાથે સંબંધિત કારોબાર પણ તમારા માટે લાભપ્રદ રહે છે.
કુંભ રાશિ
કુંભ રાશિનો સ્વામી પણ શનિ છે. તમારી કુંડળીમાં કુંભ રાશિ કાર્ય સ્થાનમાં છે. આ જાતકો વીજળી વિભાગમાં પોતાનું કરિયર બનાવી શકે છે. આ સિવાય સલાહકાર, જ્યોતિષ, ચિકિત્સકનું કાર્યક્ષેત્ર પણ લાભપ્રદ છે. ટેક્નિકલ ક્ષેત્રમાં પણ કરિયર બનાવી શકે છે. વિમાની સેવા સાથે સંકળાયેલાં કામકાજમાં ધારી સફળતા મેળવી શકાય છે.
મીન રાશિ
કુંડળીમાં અંક ૧૨ મીન રાશિનો સંકેત છે. આ રાશિનો સ્વામી ગુરુ હોય છે. તમારી જન્મકુંડળીમાં દસમા ઘરમાં મીન રાશિ હોય તો તમે લેખન, સંપાદન, ચિકિત્સક વગેરે ક્ષેત્રમાં તમારું કરિયર બનાવી શકો છો. ફિલ્મ, મનોરંજન ક્ષેત્ર અથવા જાસૂસીમાં પણ તમારું નસીબ અજમાવી શકો છો.
ગ્રહોને શાંત કરવા આટલું કરો
ગ્રહોની સંખ્યા નવ છે. આ દરેક ગ્રહ કોઈ ને કોઈ રાશિનો સ્વામી હોય છે. કુંડળીમાં પણ જે તે ગ્રહની સારી કે ખરાબ અસરો થતી જોવા મળે છે. જો કુંડળીમાં કોઈ ગ્રહ ખરાબ હોય અને અનિષ્ટ કરી રહ્યો હોય ત્યારે નીચે પ્રમાણેના સરળ ઉપાયો કરવાથી તે ગ્રહ શાંત થઈને શુભ અસરો આપશે.
- સૂર્ય : સૂર્યને પ્રસન્ન કરવાને માટે આદિત્યહૃદય સ્ત્રોતનો પાઠ કરવો. માતા-પિતાની સેવા તથા સૂર્યને અર્ધ્ય આપવો. જળમાં ચંદન તથા લાલ રંગનું પુષ્પ નાખવું જોઈએ. સુવર્ણ, તાંબું, ખાંડ કે ગોળનું દાન કરવું. સૂર્યોદય પહેલાં ઊઠી જવું. રવિવારનું વ્રત કરવું. મીઠું ન ખાવું. વયસ્કોને માન-સન્માન આપવું તથા તેમની પરંપરા ધ્યાનપૂર્વક નિભાવવી.
- ચંદ્ર : ચંદ્રને પ્રસન્ન કરવા માટે ‘ॐ નમઃ શિવાય ।’ મંત્રના જાપ કરવા. ભગવાન શંકર પર પાણીવાળું નારિયેળ, સફેદ ચંદન તથા ચાંદીનો ચંદ્ર, બિલ્વપત્ર, સફેદ મિષ્ટાન્ન ચઢાવવું. સોમવારનું વ્રત રાખવું તથા સફેદ વસ્ત્રનું દાન કરવું. પહાડોની યાત્રા કરવી તથા માતાના ચરણસ્પર્શ કરીને આશિષ મેળવવી.
- મંગળ : મંગળની પ્રસન્નતા માટે હનુમાનજીને ચમેલીનું તેલ, સિંદૂર, શુદ્ધ ઘીમાં ચોળા ચઢાવવા તથા મંગળના સ્તોત્રનો પાઠ કરવો. જલેબી, બુંદી તથા ચૂરમાનો પ્રસાદ અર્પણ કરવો. ભાઈઓ સન્મુખ પોતાની છાપ સારી રાખવી. મંગળવારનું વ્રત કરવું. પડોશીઓ, મિત્રો તથા સાથીદારો સાથે સારો વ્યવહાર રાખવો.
- બુધ : બુધ ગ્રહની પ્રસન્નતા માટે ભગવતી દુર્ગાની પૂજા-અર્ચના કરવી. કિન્નરોની સેવા કરવી. લીલા મગ પલાળીને પક્ષીઓને ચણ નાખવા. પાલક અથવા લીલો ઘાસચારો ગાયોને ખવડાવવો. પોપટને પાંજરામાંથી મુક્ત કરાવવા. નવ વર્ષથી નાની કન્યાઓનાં ચરણ ધોઈ તેમને પ્રણામ કરી તેમના આશીર્વાદ મેળવવા. બુધવારનું વ્રત રાખવું. મંત્રાનુષ્ઠાન અને હવન કરીને બુધની અનુકંપા મેળવવી.
- ગુરુ : દેવ ગુરુ (બૃહસ્પતિ)ની પ્રસન્નતા મેળવવા માટે બ્રાહ્મણોનું સન્માન કરી તેમના આશીર્વાદ મેળવવા. ચણાની દાળનું તથા કેસરનું મંદિરમાં દાન કરવું. મસ્તક પર કેસરનું તિલક કરવું અને યોગ્ય વ્યક્તિઓને જ્ઞાાનવર્ધક પુસ્તકોનું દાન કરવું. ભગવાન બ્રહ્માનું કેળ દ્વારા પૂજન કરવું તથા કુળ પુરોહિતનું સન્માન કરી આશીર્વાદ મેળવવા અને યથાશક્તિ સુવર્ણ દાન કરવું.
- શુક્ર : શુક્ર ગ્રહની અનુકંપા મેળવવા કનકધારા મહાલક્ષ્મીનો દૈનિક પાઠ કરવો. સ્વચ્છ વસ્ત્ર પહેરવાં. ગૌશાળામાં ગોળ, ઘાસનો લીલો ચારો, ચણાની દાળ ગાયોને ખવરાવવી. શ્રી વિદ્યાનું પૂજન કરાવવું. એકાક્ષી બ્રાહ્મણોને કાંસાની વાડકીમાં ખીર ખવરાવીને દક્ષિણા આપી આશિષ મેળવવી. જો રોગ હોય તો મૃત સંજીવની મંત્રનો જાપ કરાવવો. સંયમપૂર્વક રહેવું. વ્યસનોથી બચવું.
- શનિ : શનિ ગ્રહની પ્રસન્નતા મેળવવા પીપળા તથા ભૈરવજીનું પૂજન કરવું. અડદની દાળ, દહીંવડાં ભૈરવજીને ચઢાવવાં અને વહેંચવાં. મજૂરોને તળેલો ખાદ્ય પદાર્થ વહેંચવો. શનિવારનું વ્રત કરવું. કાકા અને ફૂવા સાથે સારો સંબંધ જાળવવો. શ્રી હનુમાનચાલીસા તથા સુંદરકાંડનો નિયમિત પાઠ કરવો. શનિવારે તલનું તેલ ચઢાવી પૂજારીને યોગ્ય દક્ષિણા આપવી.
- રાહુ : રાહુની પ્રસન્નતા માટે માતા સરસ્વતીનો પાઠ અને પૂજન કરવાં. રસોઈમાં બનેલ વાનગી કે રોટલી કાળા કૂતરાને જરૂર નાખવી. સંપૂર્ણ શાકાહારી રહેવું. કોઈ પણ પ્રકારે ઘરમાં વીજળીનો સામાન ભેગો થવા દેવો નહીં. વીજળીનો સામાન મફતમાં લેવો નહીં. નાનાજી સાથે સૌહાર્દભર્યો સંબંધ રાખવો. અશ્લીલ પુસ્તક વાંચવાં નહીં.
- કેતુ : કેતુ ગ્રહની સાનુકૂળતા મેળવવા ભગવાન શ્રી ગણેશજીની પૂજા અને અર્ચના કરવાં જોઈએ. બાળકોને કેળાં ખવડાવવાં. કૂતરાને તેલ ચોપડી રોટલી ખવડાવવી. મામાની સેવા કરી તેમની આશિષ મેળવવી. કોઈ પણ ધર્મસ્થાન પર ધજા ચડાવવી જોઈએ. વર્ષફળમાં કેતુ શ્રેષ્ઠ ન હોય તેનો ઉપાય કરવો. જો ગ્રહની રાશિમાં કેતુ સ્થિત હોય તેની વિધિ કરાવવી જોઈએ.
જન્મ તારીખને આધારે કરિયરની પસંદગી કરો
મોટાભાગના લોકોની સમજમાં નથી આવતું કે ન્યુમરોલોજી એટલે કે અંકશાસ્ત્ર કેવી રીતે કામ કરે છે. જોકે, કેટલીક પ્રાથમિક બાબતોને સમજવામાં કોઈ મુશ્કેલી નથી. તમારે માત્ર જન્મ તારીખ જાણવાની જરૂર છે, જેને આધારે તમે તમારો બર્થ (જન્મ) નંબર જાણી શકો છે. તેને જન્માંક તરીકે ઓળખવામાં આવે છે. આ વાતને સારી રીતે સમજવા એક ઉદાહરણ જોઈએ
જો તમે ૨૯ તારીખે જન્મ્યા હો તો તમારો બર્થ નંબર એટલે કે જન્માંક ૨ + ૯ = ૧૧ અને પછી તેનો પણ સરવાળો ૧ + ૧ = ૨ એટલે કે તમારો જન્માંક નંબર ૨ છે. અંકો માનવજીવનની ઘણી બધી બાબતોને સ્પર્શે છે. તેમાંથી એક છે કરિયરની યોગ્ય પસંદગી. જન્માંક નંબરને આધારે કરિયરના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરી શકો છો. જન્માંક અને કરિયરના વિવિધ ઓપ્શન આ પ્રમાણે છે.
નંબર-૧
જો તમારો બર્થ નંબર ૧ હોય તો રચનાત્મક કાર્યો પ્રત્યે તમને વિશેષ આકર્ષણ રહેશે અને તમે હંમેશાં નવા વિચારોથી ભરેલા રહેશો. તમે ડિઝાઇનર, ગ્રૂપ લીડર, ફિલ્મમેકર કે સંશોધક તરીકે જરૂર સફળ થશો.
નંબર-૨
નંબર ૨નો સંબંધ નૃત્ય, સંંગીત, કવિતા અને ગણિતનાં ક્ષેત્ર સાથે છે. જોકે, બધાં જ ક્ષેત્ર તમારા માટે ખૂબ સારા વિકલ્પ સાબિત થઈ શકે છે. નંબર ૨ વાળી વ્યક્તિ મહાન સંશોધક પણ બની શકે છે.
નંબર- ૩
ચંચળતા અને સાફ મન એ નંબર ૩ના વિશેષ ગુણ છે. કમ્યુનિકેશન અને મનોરંજન એવાં ક્ષેત્ર છે જેમાં તમે પ્રયત્ન કરી શકો છો. એક્ટિંગ, મ્યુઝિક, રાઇટિંગ, જર્નાલિઝમ વગેરે તમારા માટે કરિયર ઘડવાના સારા વિકલ્પ છે. તમે ફેશન ડિઝાઇન અને મોડેલિંગ અંગે પણ વિચારી શકો છો.
નંબર-૪
જો તમારો બર્થ નંબર ૪ હશે તો તમે દરેક બાબતમાં વ્યાવહારિક, દૃઢ નિશ્ચયી અને આત્મશક્તિ ધરાવનાર વ્યક્તિ છો. તમે એન્જિનિયર, બિલ્ડર, પ્રોગ્રામર, એકાઉન્ટન્ટ, આર્િકટેક્ટ, ઇકોલોજિસ્ટ અથવા મિકેનિકના ક્ષેત્રમાં ધારી સફળતા મેળવી શકો છો અને આગળ વધી શકો છો.
નંબર-૫
નંબર ૫ તમને એડવેન્ચર્સ બનાવે છે. તમારાં સપનાં સાકાર કરો અને એ રસ્તા પર ભૂલથી પણ ન ચાલશો જે રસ્તે તમે ચાલી ચૂક્યા છે. પત્રકારત્વ, પ્રકાશન, વિજ્ઞાાપન, શેરબજાર, ટ્રાવેલ, લેખન અથવા એવિએશનનું ક્ષેત્ર તમારા માટે અતિ ઉત્તમ છે.
નંબર-૬
જન્માંક ૬ના લોકોનો સમાજસેવા એ પ્રાકૃતિક સ્વભાવ છે અને સેવક હોવાને કારણે તમે અધ્યાપક, શિક્ષક, સામાજિક કાર્યકર, મેડિકલ પ્રોફેશનલ કે ડોક્ટર, કૂક અથવા સિવિલ સર્વન્ટના ક્ષેત્રમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને સફળતા મેળવી શકો છો.
નંબર-૭
જેનો બર્થ નંબર ૭ છે તેવા લોકો વધારે જ્ઞાાની હોય છે. તેમને વૈજ્ઞાાનિક, મનોચિકિત્સક, તપાસકર્તા, દાર્શનિક, જાસૂસ અથવા મિસ્ત્રી લેખક તરીકે વધારે સફળતા મળે છે. આ સિવાયના ક્ષેત્રમાં તેમને ધારી સફળતા મળતી નથી.
નંબર-૮
નેતૃત્વ અને બીજા લોકોને પોતાના અનુરૂપ બનાવી દેવા એ જન્માંક નંબર ૮ના લોકોની વિશેષતા છે. તેઓ ખૂબ જ સારા સેલ્સમેન, બેન્કર, શેરબ્રોકર, મેનેજિંગ ડાયરેક્ટર અથવા એથ્લીટ બનાવે છે. આ ક્ષેત્રમાં તેઓ પોતાની નસીબ અજમાવીને કરિયરને ચમકદાર બનાવી શકે છે.
નંબર-૯
જન્માંક નંબર ૯ના લોકોને માનવ મનની સારી સમજણ હોય છે અને તેઓ બીજા લોકોને પોતાની પ્રત્યે પ્રેરિત પણ કરી શકે છે. તેઓ લેક્ચરર, ફિઝિશિયન, વકીલ અથવા ચિત્રકારના ક્ષેત્રને પ્રાથમિકતા આપીને પોતાની કરિયરને ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે.
સાભાર: સંદેશ
વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો
ખાસ…આ છે શિવને પ્રસન્ન કરવાની સૌથી સરળ વિધિ અને પંચોપચારની પૂજા…!!!
જાણો…ગ્રહદોષથી મુક્તિ મેળવવી હોય તો આજથી જ શરૂ કરો, શિવના આ રાશિઉપાય..!!
જાણો…અમાસ ના દિવસે, લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ચમત્કારિક ઉપાય…!!
તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…