માગશર માસની પૂનમે દત્ત જયંતીનું પર્વ મનાવવામાં આવે છે. ધર્મશાસ્ત્રો અનુસાર આ તિથિએ ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો હતો. દત્તાત્રેય ભગવાન વિષ્ણુના જ અવતાર માનવામાં આવે છે. ભગવાન દત્તાત્રેયનો જન્મ માગશર માસની પૂનમને પ્રદોષકાળમાં થયો હતો. એવી માન્યતા છે કે જે ભક્ત દત્તાત્રેયનું સ્મરણ કરે છે ભગવાન દત્તાત્રેયની દરેક સમસ્યાનું નિદાન કરે છે આ માટે તેમને સ્મૃતિગામી અને સ્મૃતિમાત્રાનુગન્તા કહેવામાં આવે છે. શ્રીમદ ભાગવદ વગેરે ગ્રંથો અનુસાર તેમણે ચોવીસ ગુરૂઓ માન્યા કે જેમાં કુતરો, સાપ, ગાય વગેરેને જાનવરને તેમણે ગુરૂ માન્યા હતા. આજે અમે અહીં દત્તાત્રેયના 24 ગુરુઓની માહિતી આપીશું.
કોણ છે ભગવાન દત્તાત્રેયઃ-
ભગવાન દત્તાત્રેય બ્રહ્માજીના માનસપુત્ર ઋષિ અત્રિના પુત્ર છે. તેમની માતાનું નામ હતું અનસૂયા. અનેક ગ્રંથોમાં એવું બતાવવામાં આવ્યુ હતું કે ઋષિ અત્રિ અને અનસૂયાના ત્રણ પુત્ર થયા હતા. બ્રહ્માજીના અંશથી ચંદ્ર, શિવજીના અંશથી દુર્વાસા ઋષિ, ભગવાન વિષ્ણુના અંશથી દત્તાત્રેયનો જન્મ થયો. ક્યાંક-ક્યાંક એવો પણ ઉલ્લેખ મળે છે કે ભગવાન દત્તાત્રેય જ બ્રહ્મા, વિષ્ણુ અને શિના સમ્મિલિત અવતાર છે.
ભગવાન દત્તના નામથી દત્ત સંપ્રદાયનો ઉદય થયો. ગિરનાર ક્ષેત્ર એ શ્રી દત્તાત્રેય ભગવાનની સિદ્ધપીઠ છે. જેમની ગુરૂ ચરણ પાદુકાઓ વારાણસી તથા આબુ પર્વત ઘણા સ્થાન પર જોવા મળે છે. દક્ષિણ ભારતમાં તેમના અનેક પ્રસિદ્ધ મંદિર છે. માગશરની પૂનમને ભગવાન દત્તાત્રેયના નિમિત્તે વ્રત કરવાથી અને તેમના મંદિરમાં જઇને દર્શન- પૂજન કરવાથી દરેક મનોકામનાઓ પુરી થાય છે.
દત્તાત્રેય અવતાર:-
ધર્મગ્રંથો અનુસાર દત્તાત્રેય પણ ભગવાન વિષ્ણુનો અવતાર છે, તેની જન્મની કથા આ પ્રકાર છે-
એકવાર માતા લક્ષ્મી, પાર્વતી અને સરસ્વતીને પોતાના પતિવ્રતા પર અત્યંત ગર્વ થઈ ગયો. ભગવાને તેમના અહંકારને નષ્ટ કરવા માટે લીલા રચી. તેમના અનુસાર એક દિવસ નારદજી ફરતાં-ફરતાં દેવલોક પહોંચ્યા અને ત્રણેય દેવીઓને વારાફરથી જઈને કહ્યું કે ઋષિ અત્રિની પત્ની અનુસૂયાની સામે તમારું સતિત્વ કંઈપણ નથી. ત્રણેય દેવીઓએ આ વાતની પોતાના સ્વામીઓને જણાવી અને કહ્યું કે અનુસૂયાની પતિવ્રતાની પરીક્ષા લો.
ત્યારે ભગવાન શંકર, વિષ્ણુ અને બ્રહ્મા સાધુવેશ ધરીને અત્રિ મુનિના આશ્રમ આવ્યા. મહર્ષિ અત્રિ એ સમયે આશ્રમમાં ન હતાં. ત્રણેયએ દેવી અનુસૂયા પાસે ભિક્ષા માંગી પરંતુ એ કહ્યું કે નિર્વસ્ત્ર થઈને અમને ભિક્ષા આપવી પડશે. અનુસૂયા પહેલા તો આ જાણીને ચોંકી ગઈ, પરંતુ પછી સાધુઓનું અપમાન નથાય એ ડરે તેણે પોતાના પતિનું સ્મરણ કર્યુ અને બોલી કે જો મારુ પતિવ્રતા ધર્મ સાચો છે તો આ ત્રણેય સાધુ છ-છ માસના શિશુ થઈ જાય.
એવું બોલતા જ ત્રિદેવ શિશુ બની રડવા લાગ્યા. ત્યારે અનુસૂયાએ માતા બનીને તેમને ખોળામાં લઈને સ્તનપાન કરાવ્યું અને ઘોડીયામાં ઝૂલાવ્યા. જ્યારે ત્રણેય દેવ પોતાના સ્થાન પર પરત ફર્યા નહીં તો દેવીઓ વ્યાકુળ થઈ ગઈ. ત્યારે નારદે ત્યાં આવી બધી વાત જણાવી. ત્રણેય દેવીઓ અનુસૂયાની પાસે ગઈ અને ક્ષમા માંગી. ત્યારે દેવી અનુસૂયાએ ત્રિદેવને પોતાના પૂર્વ રૂપમાં કરી દીધા. પ્રસન્ન થઈને ત્રિદેવે તેમને વરદાન આપ્યું કે અમે ત્રણેય પોતાના અંશ રૂપે તારા કુખે પુત્રરૂપે જન્મ લઈશું. ત્યારે બ્રહ્માના અંશથી ચંદ્રમા, શંકરના અંશથી દૂર્વાસા અને વિષ્ણુના અંશથી દત્તાત્રેયનો જન્મ થયો.
પૃથ્વી –
આ તત્વ પંચતત્વમાંથી એક છે. તે તત્વ માંથી તેઓ સહનશિલતાનો ગુણ શિખ્યા. પૃથ્વીની જેમ તેને ક્યારે કઠોર થવું અને ક્યારે નરમ થવું તેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. આજના જીવનમાં ઓફિસ હોય કે ઘર તેમાં સહનશિલતા મહત્વની છે. વારેવારે ઝગડનાર માણસની વિભાવના બદલી જાય છે, પછી આપણા ચારિત્ર્યની વ્યાખ્યા લોકો સામે બગડી જાય છે, આવું થાય ત્યારે પૃથ્વીને યાદ કરી અને ધૈર્યધારણ કરવું જોઈએ.
ચંદ્ર –
ચંદ્ર પાસેથી તેમણે શરીરની ક્ષુદ્રતા અને આત્માની અમરતા શિખી કે જ્યારે તમને એ ખબર નથી કે ક્યારે તમારે મરવાનું છે. ત્યારે તમારી પાસે જેટલો સમય છે તેનો ઉચપયોગ કરી લો. ચંદ્ર તેના પ્રકાશ વડે વનસ્પતિ પોષે છે તો બીજાને પણ આગળ લાવવાની ભાવના કેળવો.
હરણ –
દત્તે જંગલમાં જોયું કે એક હરણ આગળ દોડે છે અને શિકારી તેને પકડી શકતો નથી તેથી શિકારી થાકીને હરણને પ્રિય યુક્તિ અજમાવે છે સંગીત વગાડે છે અને હરણ ત્યાં લોભાઈને આવે છે, તેથી તે મરાય જાય છે. તેથી ગુણ એ ગ્રહણ થાય છે કે સારી બાબતનો લોભ પણ તમારો વિનાશ કરવા માટે સક્ષમ છે માટે બચીને રહેવું જોઈએ.
કબૂતર –
કબૂતર પાસેથી તે શિખ્યા કે માત્ર આપણી માટે જ ન જીવવું જોઈએ. કબૂતર પોતાનું ચણે છે કે પોતાના પરિવારનું જ પોષણ કરે છે. અને તેનામાં બુદ્ધિનો અભાવ અને ક્ષુધાતુરતા જોઈ. આ દોષો દૂર કરવાની પ્રેરણા તેને તેમાંથી મળી તેથી તેનું ગુરુ બન્યું. કબૂતર ગમે તેટલું ખાય પણ તે ધરાતું નથી. તે રીતે માણસની મહત્વકાંક્ષાઓ એક પછી એક આવતી જ રહેવાની મનોવિજ્ઞાની કાર્લ યંગે તો માણસનો ઈચ્છાઓનું પોટલું કહ્યું છે, તેથી તે સુખી નથી રહેતો માટે થોડામાં સંતોષ માનવો જોઈએ.
પિંગળા ગણિકા –
ગણિકા પાસેથી યુવાનની નશ્વરતા જાણી અને કામવાસનાની નિર્લેપતા પામી. જ્યારેય ગણિકા યુવાન હતી ત્યારે તે પોતાના રૂપથી પુરુષોને મોહિત કરી અને તેનું ધન લઈ લેતી હતી પણ વૃદ્ધ થતા તે અનેક રોગોમાં ફસાઈ અને પછી કોઈ તેની પાસે ઉભું રહેવા તૈયાર ન થયું. અર્થાત તમારી પાસે જ્યારે અલભ્ય કંઈ છે તો તેનો ખોટો ઉપયોગ ન કરો, તેનાથી છક્કી ન જાવ તે વસ્તુ જતા જ તમારું મહત્વ નથી રહેતું અને તમે દુઃખી થઈ જાવ છો. અને વિષયાસક્તતા પણ સારી નથી. કામ વાસનાથી તમે તમારું બધું ગુમાવી શકો છો.
કુંવારિકા –
દત્તગુરુ ફરતા હતા ત્યારે એક કુંવારિકા ઘરે કોઈ ન હોવાથી મહેમાન માટે અનાજ ખાંડવા બેસી તેમાં તેના બલોયા(બંગડી)નો અવાજ આવતો હતો તેથી તેણે અવાજ ન આવે અને મહેમાનને એમ ન થાય કે રસોઈ માટે કશું નથી તેથી તેણે હાથમાં એક-એક બંગડી જ રાખી. તેથી તેનો ગુણ ગ્રહણ કર્યો કે તમારે જ્યાં શાંતિ પ્રવર્તતિ હોય ત્યાં કામ કરવું કારણ કે વિદ્યાભ્યાસ માટે શાંતિ અને એકાંત જરૂરી છે.
આકાશ –
આકાશ પાસેથી તેણે વિશાળતાનો ગુણ ગ્રહણ કર્યો. હૃદય અને મનની વિશાળતા જ તમને મહાન બનાવી શકે છે. કારણ કે તેથી તમે કોઈ એક જગ્યાએ કે એક વિચારે ન ટકતા તમારા વિચારોમાં અને તમારી આંતરિક બાહ્ય રીતભાતમાં વ્યાપકતા આવે જેથી તમે ગમે તે ગ્રહણ કરવાની તાકાત ધરાવતા થઓ છો.
અગ્નિ –
અગ્નિ પાસેથી પરિગ્રહતા, તેજસ્વીતા અને શુદ્ધત્વ તથા ગુપ્તતા રાખવાનો ગુણ પ્રાપ્ત થાય છે. અગ્નિ કોઈ પણ વસ્તુને પોતાનામાં સમાવી લે છે. લાકડામાં છૂપાયેલી અગ્નિ જ્યારે પ્રગટે છે ત્યારે જ સૌને ખબર પડે છે. માટે તમારી યોજનાઓને ગુપ્ત રાખતા શિખો અને જ્યારે જરૂ પડે ત્યારે પૂરા વેગ સાથે તેનો ઉપયોગ કરો.
હાથી –
હાથી હાથણનો સ્પર્શ પામવા ગાંડો થાય છે. માનવ આ સમજે છે તેથી તેનો શિકાર કરવા એક ખાડો બનાવી અને તેની એક બાજુ હાથણ રાખે છે ખાડામાં ફાંસલો બનાવે લો હોય છે. અને તે હાથણીને મળવા જાય છે ત્યારે તે ફાંસલામાં ફસાઈ છે. માટે હાથી સ્પર્શ સુખ ખાતર પોતાનું સ્વાતંત્ર્ય ગુમાવે છે. વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ કે સ્પર્શ પાછળ ઘેલા થઈ અને તમારી સ્વતંત્રતા ન ગુમાવો સ્વતંત્રતા તમારા વિકાસ માટે જરૂરી છે. લોભ, મોહ અને સ્ત્રી ઘેલછા તમારા નાશ માટે હોય છે. ઉન્નતિ માટે નહીં.
વાયુ –
તેની પાસેથી તેણે અપરિગ્રહતાનો ગુણ લીધો. પવન છે એ કશું સંગ્રહ કરતો નથી. તેની પાસે જે છે તે વહેંચી દે છે. તેનામાં સુગંધ અને દુર્ગંધ બન્ને હોય છે પણ પોતે તો નિર્લિપ્ત રહે છે, એટલે કે સુખ અને દુઃખને સમાન માનો અને ત્યાગતા પણ આવડવું જોઈએ. તો ઘણી સમસ્યાઓ તેની મેળે જ પૂરી થશે.
શરકૃત –
શરકૃત એટલે બાણ બનાવનાર. તેણે જોયું કે એક તરફ રાજાની સવારી ઢોલનગારા સાથે પસાર થાય છે છત્તા પણ પેલો બાણ બનાવનારો લુહાર એટલે કે શરકૃતનું ધ્યના જતું નથી, તે તેના કામમાં મશગુલ છે. માટે જીવન વિકાસ માટે તમારા કામમાં સફળ થવા એટલા ઓતપ્રોત થઈ જાવ કે તમને ખલેલ પહોંચાડનારા કોઈ અવાજ પણ તમારી એકાગ્રતાને તોડી ન સકવી જોઈએ.
અર્ભક –
અર્ભકનો અર્થ થાય છે નાનું બાળક. નાના બાળક પોતાની દુનિયામાં મસ્ત હોય છે, તેને નથી કોઈ ચિંતા નથી માન-અપમાન આવું જીવનમાં રહેવું જોઈએ એવો અર્થ ગ્રહણ કર્યો. માન-સન્માનની ખેવના વગર રહેવાથી ચિંતા આપોઆપ ઉકેલાઈ જાય છે. બાળકમાં દરેક વાત માટે એક જીજ્ઞાષા હોય છે. તેવી બાળસહજ વૃત્તિઓ રાખવાથી નવું જાણવાનું મળે છે અને આ દુનિયાની પરવા કર્યા વગર તમે તમારા નિશ્ચિત કરેલા પથ પર આગળ વધી શકો છો.
માછલી –
માછલીમાંથી તેને શીખ્યું કે ખાવાનો મોહ ન રાખવો. માછલી કાંટામાં રહેલ માંસને ખાવા આવે છે અને ફસાઈ જાય છે એ રીતે જેણે કંઈ પ્રાપ્ત કરવું છે તેને આહાર મોહ ન રાખવો તેથી તમે સજાગ નથી રહેતા તો આ માનવ દેહ ધારીને તમારે જે પ્રાપ્ત કરવું હોય તે પ્રાપ્ત કરી શકો છો. પણ જો આહાર છે તે આળસ અને ઈન્દ્રિયબળ આપે છે જેથી તમારી સામે વિકલ્પો ઉભા થાય છે અને તે વિકલ્પોમાં ફસાઈને તમે પણ વિનાશના માર્ગે જાવ છો.
ટીટોડી –
ટીટોડી ચાંચમાં ખાવાનું લઈને જતી હતી ત્યારે તેની પાછળ ઘણા પક્ષિઓ પડ્યા તેની ચાંચમાંથી પડાવવા માટે પણ જ્યારે પેલી ટીટોડીએ બધું મુકી દીધું ત્યારે કોઈ તેની સાથે ન રહ્યું. તેમાંથી એવું ગ્રહણ થયું કે તમારી પાસે ભૌતિકતા હશે ત્યાં સુધી તમારી પાછળ બધા હશે પણ પછી કોઈ નહીં હોય માટે એવા સુખ કે પ્રસિદ્ધિની કામના ન કરો જે તમારી પાસેથી તમારું મહત્વ છીનવી લે.
મધમાખી –
મધમાખીમાં એક રાણી મધમાખી હોય છે જે મુખ્ય હોય છે. મધ ભેગુ કરી અને તેને આપી દેવું પડે છે બીજી મધમાખીઓએ અને વળી આ મધ માનવ પણ લઈ જાય છે. માટે અવધૂતે એવો ભાર ગ્રહણ કર્યો બીજા દિવસની ચિંતા ન કરવી એટલી જ ભીક્ષા માંગવી કે પોતાનું પેટ ભરાય અને જો વધારે મળે તો બીજાને આપી દેવું. અર્થાત તમે જાતે કમાવ પણ તમારા પૂરતું જો વધારે મળે તો તેને જરૂરીયાત વાળાને આપવું જોઈએ.
ભમરો –
ભમરો દરેક ફૂલ પર જઈ અને તેનો રસ ચૂસી લે છે. જીવનમાં આગળવધવું હોય તો જેમાં જે સારું છે તેને ગ્રહણ કરવાનો સ્વભાવ રાખવો જોઈએ. પૂછતા પંડિત થાય એ રીતે વિદ્વાનો-જ્ઞાનીઓ પાસેથી જે કંઈ પ્રાપ્ત થાય તે કરતા રહેવું જોઈએ.
પતંગિયું –
પતંગિંયું રૂપના મોહમાં આવીને અગ્નિમાં ભસ્મ થઈ જાય છે. તે રીતે વ્યક્તિએ ક્યારેય એવો મોહ ન કરવો જે મેળવવાથી વિનાશનો માર્ગ ખુલતો હોય. કારણ કે લોક કવિ કાગ કહે છે કે વધારે ચમકતી વસ્તુઓ તમારા ચમકારને ઓછો કરી દે છે. પતંગિંયું પણ પ્રકાશ પાસે પહોંચતા તેને દેખાતું બંધ થઈ જાય છે અને તે ભસ્મ થાય છે તે રીતે માણસને મોહ છે તે આંધળો કરી દે છે અને સર્જાય છે અનેક સમસ્યાઓ.
કરોળિયો –
કરોળિયો પોતે જાળ બનાવે છે અને તેમાં વિચરણ કરે છે અને વળી તે જ આ જાળને ગળી જાય છે. આ રીતે પરમાત્મા પોતે લીલા માટે આ સંસાર રૂપી જાળ રચે છે અને તેમાં તે જીવ રૂપે પરિભ્રમે છે અને વળી કલ્પાંતે કાળ બનીને તે તેનું જ ગ્રહણ કરે છે.
સમુદ્ર –
સમુદ્ર પાસેથી ગહનતા, પ્રસન્નતાનો ગુણ ગ્રહણ કર્યો. સમુદ્રની ઉંડાઈ માટે ગહન શબ્દ વપરાયો છે કારણ કે ગમે તેટલો તાગ લો તેમાંથી મોતી શોધનારને મોતી મળે છે અને માછલી શોધનારને માછલી. એ રીતે તમારે તમારા જીવનમાં પ્રસન્નતા મેળવવી જોઈએ. તમારી પાસે મોતિ જેવા ગુણોનું જ્ઞાન પણ હોવું જોઈએ. પણ જેવા વ્યક્તિ તે પ્રમાણે વ્યવહાર કરતા આવડવો જોઈએ.
જળ –
જળમાં વહેવાની ક્ષમતા હોય છે. સમય જેમ વહ્યા કરે છે. તેની પાસેથી તેને ગતિશિલતા અને ઉપકારનો ગુણ ગ્રહણ કર્યો.જળનો ગુણ એવો છે કે બધું કુદરત કરે છે, તમે બસ સહજ થઈ અને વહ્યા કરો ઈશ્વર સૌ સારાવાના કરશે. પાણીને જેમાં ઢાળી દો તેવું થઈ જાય છે તે પ્રમાણે પરિસ્થિતિ પ્રમાણે અનુકૂલન સાધતા રહેવું.
સૂર્ય –
સૂર્ય પાસેથી તેજ, પ્રકાશ અને પોતાની પાસે જે છે તેનાથી બીજાને જીવન આપવાની ભાવના. અંધકારમાં રહેલા ક્રોધ, મત્સર, દ્વેશ વગેરે ભાવનાઓ રહેલી હોય છે, સૂર્ય ઉગી અને અંધકારને દૂર કરે છે, તેની સાથે પેલા દોષો પણ દૂર થઈ જાય છે. આ રીતે આપણા જીવનમાં જ્ઞાનનો સૂર્ય ઉગાડી અને દૂર્ગુણો દૂર કરો.
અગ્નિ –
અગ્નિ પાસેથી પરિગ્રહતા, તેજસ્વીતા અને શુદ્ધત્વ તથા ગુપ્તતા રાકવાનો ગુણ પ્રાપ્ત થાય છે. અગ્નિ કોઈ પણ વસ્તુને પોતાનામાં સમાવી લે છે. લાકડામાં છૂપાયેલી અગ્નિ જ્યારે પ્રગટે છે ત્યારે જ સૌને ખબર પડે છે. માટે તમારી યોજનાઓને ગુપ્ત રાખતા શિખો અને જ્યારે જરૂ પડે ત્યારે પૂરા વેગ સાથે તેનો ઉપયોગ કરો.
સાપ –
સાપ બોલતો નથી અને ધાન્યનું સંગ્રહ કરતો નથી ત્યારે તેની પાસેથી અવધૂતે એવી વાત ગ્રહણકરી કે મૌન જરૂરી છે અને ખોટા ધનનો સંગ્રહ ન કરવો જોઈએ. જેથી જરૂરીયાતોને પણ પૂરતું મળી રહે. તમારી જરૂરીયાતો સંતોષી અને બીજા માટે કશું રહેવા દો. જે રીતે બોલે તેના બોર વેંચાય તેવું છે તેમ ન બોલવામાં પણ નવગુણ છે. માટે ક્યારેક મૌન પણ જાળવવું યોગ્ય છે.
અજગર –
તેની પાસેથી આગ્રહશૂન્યતાનો ગુણ ગ્રહણ કર્યો. અજગરને કંઈ પ્રાપ્ત કરવાની ખેવનાથી બીજા હિંસક પ્રાણીની જેમ ઉદ્યમ નથી કરતો તેને કોઈ સ્વાદનો આગ્રહ નથી હોતો જે શિકાર મળે તે શિકાર કરી લે છે. જીવનમાં પણ સ્વાદ માટેનો આગ્રહ ન રાખવો. સ્વાદ છે તે તમને ફસાવી શકે છે. અર્થાત જે સુખ તમારા ભાગ્યમાં હશે તે વહેલું કે મોડું આવી જશે, તેના માટે ખોટા હવાતીયા મારવાની જરૂર નથી પણ જે ભાગ્યમાં નહીં હોય તે માટે ગમે તેટલો ઉદ્યમ કરશો તેનું કશું પરિણામ નહીં આવે. પણ જો અજગર ખાઈને પડ્યું રહે તો તેનો પણ શિકાર થઈ જાય છે. માટે આળસ ન કરવી જોઈએ.
ભમરી (કિટક) –
ભમરી પોતાની દિવાલમાં લાવીને કિડાને ડંખ માર્યા કરે છે પેલો કિડો ભમરીનું ચિંતન કર્યા કરે છે આખરે તે પણ ભમરી બની જાય છે. અવધૂત ગ્રહણ કરે છે કે ચિંતન મોટી વસ્તુ છે. આપણા મસ્તિષ્કમાં અર્ધ જાગૃત મન હોય છે. આ મનમાં તમે જેવું ચિંતન કરો છો તેવું તમારી સાથે થાય છે. માટે ખરાબ વિચારો તમારું પતન કરે છે નેગેટિવ અસર પહોંચાડે છે. જ્યારે પોઝીટિવિટી તમારા જીવનમાં ખુશી અને સુખ બન્ને લઈ આવે છે.
સાભાર: દિવ્ય ભાસ્કર.
જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!
જીવનમાં આ 20 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા..!!
જીવનમાં અપાર ધનસંપતિના આગમન માટે મહાલક્ષ્મીજીનું ચમત્કારીક કનાકધારા સ્તોત્ર શાસ્ત્રોક્ત રીતે દરરોજ સવારે જોરથી વાંચો.
કાળા મરીના 5 દાણાનો ચમત્કારી ઉપાય કરો, ઝડપથી મેળવશો ધન લાભ
કોઈને બતાવ્યા વિના કરો 7 ચમત્કારી ઉપાય, પૈસાની તંગી ઝડપથી થશે દૂર
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.
23.022505
72.571362