Category Archives: સુરક્ષા सुरक्षा DEFENCE

જાણો…ચાણક્ય નીતિઃ પારિવારિક, સામાજીક, રાજકીય ક્ષેત્રમાં અકલ્પનિય સફળતા મેળવવાની ચમત્કારીક જડીબુટ્ટી…!!!

chankya2

-ચાણક્યએ ૨૦૦૦ વર્ષ પહેલા બતાવેલી સ્ત્રી અને પુરુષો વિશેની ચાર વાતો જે આજે પણ એટલી જ લાગું પડે છે

આચાર્ય ચાણક્યએ આપણા જીવનને સુખી બનાવી રાખવા માટે અનેક નીતિઓ બનાવી છે. આ નીતીઓમાં અનેક રહસ્ય છુપાયેલા છે, જેનાથી આપણે સુખ અને દુઃખની પણ જાણકારી પ્રાપ્ત થાય છે. આચાર્યએ વિશેષ કરીને પુરુષો માટે ત્રણ એવી સ્થિતિઓ બતાવી છે જે કોઈપણ પુરુષને ભયંકર દુઃખ આપે છે.

આચાર્ય ચાણક્ય કહે છે…..

वृद्धकाले मृता भार्या बन्धुहस्ते गतं धनम्।
भोजनं च पराधीनं त्रय: पुंसां विडम्बना:।।

-શાસ્ત્રો પ્રમાણે પતિ અને પત્નીનો સાથ સાત જન્મોનો માનવામાં આવે છે. ઘણીવાર દુર્ભાગ્યવશ એક જ જન્મમાં પતિ-પત્ની મૃત્યુના કારણે અલગ થઈ જાય છે. આચાર્ય ચાણક્ય કહે છે. વૃદ્ધાવસ્થામાં પત્નીનું મૃત્યુ અભાગ્ય જ હોય છે. એ રીતે આપણુ ધન કોઈ બીજાના હાથમાં ચાલી જાય અને કોઈના ગુલામ બનાવી જીવન યાપન કરવાની વાતો વ્યક્તિ માટે અભાગ્ય કે દુર્ભાગ્ય છે.

-આચાર્ય ચાણક્ય પ્રમાણે પતિ-પત્ની એકબીજા માટે સૌથી મોટો સહારો હોય છે. લગ્ન પછી બંનેનું જીવન આપસી તાલમેળ અને પ્રેમથી જ આગળ વધે છે. જો કોઈ પણ કારણસર તેમને અલગ થવું પડે તો આ સ્થિતિ અનેક પરેશાનીઓનો જન્મ આપે છે. પતિ-પત્ની એકબીજાના સૌથી વધુ જરૂરિયાત વૃ્દ્ધાવસ્થાનો સમય હોય છે. આ સમયે પત્ની મૃત્યુ પામે તો નિઃસંદેહ આ અભાગ્યની વાત છે. આ રીતે જો આપણુ કમાયેલ ધન કોઈ બીજાને મળી જાય કે કોઈ કારણે તે કોઈ બીજાના હાથમાં ચાલી જાય તો તે પણ ભાગ્યહીન હોવાની નિશાની છે. સાથે જ કોઈ પણ વ્યક્તિ માટે મોટું નરકથી ગુલામીનું જીવન. ગુલામ વ્યક્તિ પોતાની માટે ક્યારેય કંઈ કરી શકતો નથી.

-આચાર્ય ચાણક્યના કહેવા પ્રમાણે સમજદાર માણસ એ જ છે જે દરેક વિષમ પરિસ્થિતિઓમાં પણ સહજ રહે, સમાન્ય રહે. પછી ગમે તેવી સમસ્યા હોય, તેનું નિરાકરણ આસાનીથી કાઢી લે. કોઈપણ પ્રકારની વિષમ પરિસ્થિતિઓને દૂર કરવાની ક્ષમતા જે વ્યક્તિમાં હોય, તે સમજદાર હોય છે. જે વ્યક્તિ હાલાત અને સમયમાં છુપાયેલા સંકેતોને સમજી લે છ, તે જ સમજદાર છે.

-જો કોઈ માણસ અહીં બતાવેલ ગુણ નથી તો તેને શું કરવું જોઈએ? આ બાબતમાં આચાર્ય ચાણક્યએ સટીક ઉપાય બતાવ્યા છે. ચાણક્યના કહેવા પ્રમામે જે પ્રકારે જો કોઈ સાપ ઝેરીલો ન હોય. તો પણ તેને પોતાને ઝેરીલો બતાવવો જોઈએ. એ જ રીતે કોઈ વ્યક્તિ સમજદાર ન હોય કે વિદ્વાન ન હોય તો પણ તેને બીજાની સામે સમજદાર બનીને રહેવું જોઈએ. એમા જ ભલાઈ છે.

-ચાણક્ય કહે છેકે જે જગ્યાએ આપણને આદર-સન્માન ન મળે, જે જગ્યાએ રૂપિયા કમાવાનું કોઈ સાધન ન હોય, જ્યાં આપણો કોઈ મિત્ર કે સંબંધીઓ ન હોય, જ્યાં કોઈ જ્ઞાનની વાતો ન થતી હોય કે જ્યાં કોઈ ગુણ કે સારા કાર્ય ન હોય, એ સ્થાનને તરત જ છોડી દેવું જોઈએ. એમાં સમજદાર માણસની ભલાઈ છે.

-આચાર્ય ચાણક્ય નીતિમાં એવા કામ બતાવ્યા છે જે માણસ પોતે જ શીખે છે. અને આ કામ કરવા કોઈ બીજા વ્યક્તિ આપણને નથી શીખવતો. ચાણક્ય દ્વારા રચિત ચાણક્ય નીતિ ગ્રંથમાં એવી નીતીઓ બતાવી છે જે સુખી અને શ્રેષ્ઠ જીવનનું નિર્માણ કરે છે. આ નીતિઓનું પાલન કરવાથી વ્યક્તિને ક્યારેય પણ પરેશાનીઓનો સામનો નથી કરવો પડતો.

-ચાણક્યના કહેવા પ્રમાણે કોઈપણ વ્યક્તિ ગમે એટલા દાનવીર હોય, તેના સ્વભાવમાં જ નિહિત હોય છે. કોઈપણ માણસને દાનશક્તિને ઓછી કરવી કે વધારવાનું કામ જ મુશ્કેલ કામ છે. જો આદત વ્યક્તિના જન્મની સાથે જ આવે છે.

-બીજાની વાત, મીઠું બોલવું, જો કોઈ વ્યક્તિ કડવું બોલનાર હોય તો તેને લાખ સમજાવી લો તે ક્યારેય મીઠું બોલે, પરંતુ પોતાના સ્વભાવમાં લાંબા સમય સુધી નથી બદલી શકતો. જે વ્યક્તિ જન્મથી જ કડવું બોલતો આવ્યો હોય, તેને મીઠું બોલવાનું શીખવી નથી શકાતું. આ આદત પણ વ્યક્તિના જન્મની સાથે જ તેના સ્વભાવમાં સામેલ રહે છે.

-ત્રીજી વાત, ધૈર્ય ધારણ કરવું, ધૈર્ય એક એવો ગુણ છે જે વ્યક્તિની દરેક વિષમ પરિસ્થિતિઓમાંથી બચાવવામાં સક્ષમ છે. વિપરિત પરિસ્થિતિઓમાં ધૈર્ય ધારણ કરીને જ ખરાબ સમયને દૂર કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ દરેક કાર્ય ઉતાવળમાં કરે છે, વગર વિચાર્યે જ તરત જ નિર્ણય કરી લે તો તે પાછળથી નુકસાન ઊઠાવે છે. એવા લોકોને ધૈર્યનું જ્ઞાન આપવાનું પણ સમયની બરબાદી જ છે. કારણ કે આ ગુણ પણ વ્યક્તિને જન્મની સાથે જ તેના સ્વભાવમાં રહે છે.

-ચોથી વાત છે સમય ઉપર યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા, કોઈ પણ વ્યક્તિને એ નથી શીખવી શકાતું કે તે કયા સમયે કેવો નિર્ણય લે. જીવનમાં દરેક પળે અલગ-અલગ પરિસ્થિતિઓ નિર્મિત થાય છે. એવી વખતે સારા અને ખોટાનો નિર્ણય વ્યક્તિએ પોતે જ કરવો પડતો હોય છે. જે પણ વ્યક્તિ સમયસર યોગ્ય અને અનુચિત નિર્ણય સમજી લે છે, તે જીવનમાં ઘણી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરે છે. આ ગુણ પણ વ્યક્તિના જન્મની સાથે જ આવે છે અને સ્વભાવમાં જ સામેલ રહે છે.

સ્ત્રી અને પુરુષ બંને માટે સારી નથી આ 4 વાતો-

ચાણક્ય નીતિમાં કેટલાક એવા કાર્યો અને આદતો બતાવવામાં આવી છે, જે સ્ત્રી હોય કે પુરુષ બંનેનું જીવન ચોપટ કરી શકે છે. જે લોકો આ વાતોનું ધ્યાન નથી રાખતા, તે ક્યારેય પણ સુખી નથી બની શકતા અને ક્યારેય રૂપિયા પણ બચાવી નથી શકતા. આચાર્ય ચાણક્યની નીતિઓ આજે પણ આપણને યોગ્ય રસ્તો બતાવે છે અને પરેશાનીઓથી દૂર રાખી શકે છે.
આચર્ય ચાણક્યની આવી જ સારી વાતો અને કૂટનીતિથી મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત રાજા તૈયાર કર્યો અને તેને

-જે લોકો વગર કારણે દરેક વ્યક્તિ સાથે ઝઘડો કરે છે, તેમને સમાજમાં અપમાન સહન કરવું પડે છે. ઝઘડો કરનાર વ્યક્તિને કોઈ લોકો પસંદ નથી કરતા. એવા લોકો સાથે સમાજમાં કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારનો સંબંધ વ્યવહાર નથી રાખતા. આથી આ લોકો ચોપટ થઈ જાય છે.

-સૌથી વધુ ખરાબ સ્થિતિ એ પુરુષોની થાય છે જે અનેક સ્ત્રીઓ માટે બેચેન રહે છે. અનેક સ્ત્રીઓની આગળ-પાછળ ચક્કર લગાવે છે. એવા લોકો ખૂબ જ ઝડપથી ચોપટ-બરબાદ થઈ જાય છે. ઠીક એવી જ રીતે જો કોઈ સ્ત્રી પરપુરુષ સાથે અનૈતિક સંબંધ ધરાવે છે તે પણ બરબાદ થઈ જાય છે.

-આચાર્ય ચાણક્ય કહે છે, જો સૂતેલો સાંપ જોવા મળે તો તેને છેડવો ન જોઈએ. દૂરથી જ નિકળી જવું જોઈએ. નહીંતર જીવન ઉપર મોતનું સંકટ રહે છે. સાંપના કરડ્યા પછી વ્યક્તિનું બચવું મુશ્કેલ થઈ જાય છે. આથી સૂતેલા સાંપને જગાડવો ન જોઈએ.

-કોઈ રાજાને ઊંઘમાંથી જગાડવાનું સાહસ ન કરવું જોઈ. એમ કરવાથી રાજાનો ક્રોધ સહન કરવો પડી શકે છે. જો કોઈ સિંહ કે જંગલી જાનવર સૂઈરહ્યું હોય તો તેની પણ દૂરથી જ નિકળી જવું જોઈ. નહીંતર પ્રાણોનું સંકટ ઊભું થઈ શકે છે.

-જો કોઈ ભૂંડ સૂઈ રહ્યું હોય તો પણ તેને જગાડવું ન જોઈએ. નહીંત તેપણ ઊઠતાની સાથે જ ગંદકી ફેલાવી શકે છે. તે સિવાય જો કોઈ નાનું બાળક સૂઈ રહ્યું હોય તો તેને પણ ક્યારેય ન ઊઠાડો. નહીંતર તેને ચુપ કરાવવું મુશ્કેલ થઈ જાય છે.

-જો તમે કોઈના ઘરે જાઓ અને તે ઘરમાં કૂતરું સૂઈ રહ્યું હોય તો તેને પણ જગાડવાની ભૂલ ન કરવી જોઈએ. તે પણ તમને કરડી શકે છે. જો કોઈ સૂતેલા મૂર્ખ વ્યક્તિને જગાડવામાં આવે તો તેને સમજાવવું પણ મુશ્કેલ થઈ જાય છે. આથી તેને પણ ઊંઘમાંથી જગાડવી ન જોઈએ.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

2000 વર્ષ પહેલાં ચાણક્ય કહી ગયા છે જીવન જીવવાની કામની વાતો, યાદ રાખજો આ સુવર્ણસૂત્રો!

કલીયુગમાં દરેક ક્ષેત્રમાં સફળતા,સુખ અને વિજય પ્રાપ્ત કરવા, પરિવાર અને જીવનમાં ઉતારો આચાર્ય ચાણક્યની આ સુવર્ણ નીતિઓ

ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

કલીયુગમાં દરેક ક્ષેત્રમાં સફળતા,સુખ અને વિજય પ્રાપ્ત કરવા, પરિવાર અને જીવનમાં ઉતારો આચાર્ય ચાણક્યની આ સુવર્ણ નીતિઓ

chankya7

આચાર્ય ચાણક્ય દ્વારા જણાવેલ નીતિઓ કોઇપણ વ્યક્તિના જીવનને સુખી અને સફળ બનાવી શકે છે. ચાણક્યે પોતાની નીતિઓના બળ પર જ એક સામાન્ય બાળક ચંદ્રગુપ્તને અખંડ ભારતનો સમ્રાટ બનાવી દીધો હતો. સાથે જ, વિદેશી શાસક સિકંદરથી ભારતની રક્ષા પણ કરી હતી. ચાણક્યની નીતિઓ ખૂબ જ સટીક છે અને જે પણ વ્યક્તિ આ નીતિઓને જીવનમાં ઉતારી લે છે, તે મોટી પરેશાનિઓનો સામનો પણ સરળતાથી કરી શકે છે. અહીં જાણો ચાણક્ય દ્વારા જણાવવામાં આવેલા ચાર એવા કામ જે કોઇ વ્યક્તિ બીજાને શીખવાડી શકતો નથી.

ચાણક્ય મુજબ કોઇપણ વ્યક્તિ કેટલો દાનવીર છે, તે તેના સ્વભાવમાં જ રહે છે. કોઇપણ વ્યક્તિની દાનશક્તિને ઘટાડવી કે વધારવી ખૂબ જ મુશ્કેલ છે. આ આદત વ્યક્તિના જન્મની સાથે જ આવે છે. એટલે કે, કોઇપણ વ્યક્તિ દાન કરવાની ક્ષમતાને વધારી કે ઘટાડી શકાતી નથી. દરેક વ્યક્તિ પોતાની ઇચ્છાથી જ દાન-પુણ્ય કરે છે.

1. ઘણા માણસો માને છે કે પૈસાથી સુખ મળે છે. બીજા કેટલાક લોકો માને છે કે સમાજમાં પ્રસિદ્ધિથી અને સત્તાથી સુખ મળે છે. ઘણા લોકોને જમીનજાગીરમાં અને જરજવેરાતમાં સુખ દેખાય છે, પણ જેમની પાસે આ બધું છે, તેઓ પણ ખરેખર સુખી નથી. તો પછી સાચા સુખની પ્રાપ્તિ કોને કહેવાય ? આ સવાલનો જવાબ આપણને ‘ચાણકયનીતિ’ માંથી મળે છે.

2. હકીકતમાં સુખની પાછળ દોટ મૂકતાં આજના માનવને સંસારમાં કઇ ચીજોથી સાચું સુખ મળે છે, તેની જ ખબર નથી. સુખી બનવા માટેની ચીજો પૈસાથી ખરીદી શકાતી નથી.

3. ચાણકય કહે છે કે, ‘જે વ્યકિતના ઘરમાં આનંદમંગળનું વાતાવરણ પ્રવર્તતું હોય, સંતાનો બુદ્ધિશાળી હોય, પત્ની પ્રિયભાષિની હોય, પોતે ઉદ્યમી હોય, નીતિથી કમાયેલું ધન હોય, ઉત્તમ મિત્રો હોય, જેને પોતાની પત્ની પ્રત્યે આદર હોય, જેના નોકર-ચાકર આજ્ઞાંકિત હોય, જેના કુટુંબમાં અતિથિને આદર અપાય છે, ઇશ્વરની ઉપાસના થાય છે, ઘરમાં દરરોજ સ્વાદિષ્ટ ભોજન બને છે, પીવા માટે મીઠાં પાણીની વ્યવસ્થા છે અને જે ગૃહસ્થને હંમેશા સજ્જન વ્યકિતની સંગતિ કરવાની તક મળે છે, તે ધન્ય બની જાય છે.’

4. શું ફોર્બ્સની યાદીમાં જે અબજોપતિઓને સ્થાન આપવામાં આવ્યું છે તેઓ આ બધી બાબતમાં સુખી છે ખરા ?

5. સુખી થવા માટે ચાણકયે જે ચીજોની આવશ્યકતા બતાવી છે, તેમાં ધનથી ખરીદી શકાય તેવી ભાગ્યે જ કોઈ ચીજો છે.

6. મનુષ્ય પૈસાદાર બની જાય એટલે તેના સંતાનો બુદ્ધિશાળી પેદા થાય, એવું જરુરી નથી. બુદ્ધિશાળી અને આજ્ઞાંકિત સંતાનો પૂર્વ ભવના કોઈ પુણ્યથી જ પ્રાપ્ત થાય છે.

7. પ્રિયભાષિની પત્ની પણ આજના કાળમાં બહુદુર્લભ ગણાય છે. શ્રીમંતોની પત્ની કર્કશા ન હોય તેવી કોઈ ગેરન્ટી નથી.

8. માણસ પાસે અમર્યાદિત ધન હોય પણ તે અનીતિથી કમાયેલું હોય તો તે ધન માણસને સુખ આપી શકતું નથી. અનીતિને કારણે તે મનુષ્ય ઘણા સાથે દુશ્મનાવટ વહોરી લે છે અને શાંતિથી જીવી શકતો નથી.

9. સંસારના સુખોની પ્રાપ્તિ માટે મર્યાદિત ધનની જરુર પડે છે તેની ના નથી, પણ આ ધન જો નીતિથી કમાયેલું હોય તો જ કામ લાગે છે. અનીતિની કમાણી કદી સુખ આપી શકતી નથી.

10. પત્ની પ્રિયભાષિની હોય, એટલું પૂરતું નથી. પતિને પોતાની પત્ની પ્રત્યે પ્રેમ અને આદર હોવા પણ બહુ જરુરી છે. પતિને જો પત્ની પ્રત્યે તિરસ્કારભાવ હોય તો ઘરની લક્ષ્મી સંતુષ્ટ નથી રહેતી પણ સતત કચવાટમાં રહે છે.

11. સ્ત્રીને પ્રસન્ન રહેવા માટે માત્ર ધન, દોલત, વસ્ત્રો અને આભૂષણો ઉપરાંત સન્માન અને સત્કારની પણ જરુર રહે છે.

12. શ્રીમંતો ઘણી વખત પોતાની પત્ની સાથે પગલૂછણિયાં જેવું વર્તન કરતાં હોય છે. બીજાની હાજરીમાં તેઓ પત્નીનું અપમાન કરતા હોય છે અને તેને ઉતારી પાડતા હોય છે.

13. જે ઘરની લક્ષ્મીની આંતરડી કકળતી હોય, તે ઘરમાં કદી આનંદમંગળનું વાતાવરણ પ્રવર્તી શકતું નથી.

14. પૈસાથી નોકર-ચાકર ખરીદી શકાય છે, પણ તેમનો આદર ખરીદી શકાતો નથી. નોકર-ચાકરનો આદર મેળવવા માટે તેમની સાથે દયાળુ અને માયાળુ વર્તન કરવું જરુરી બની જાય છે.

15. જે શેઠને આજ્ઞાંકિત નોકર-ચાકર મળ્યા હોય તેઓ જ સુખી બની શકે છે. નોકર-ચાકરની વફાદારી કેવળ પગારથી નહીં પણ ચારિત્ર્યથી અને સારા વર્તનથી જ ખરીદી શકાય છે.

16. જે પરિવાર સંસ્કારી હોય તેમાં જ નિયમિત અતિથિઓની અવરજવર ચાલુ રહે છે. અતિથિ વગરના મહેલની કોઇ કિંમત નથી, પણ અતિથિની અવરજવર ધરાવતાં ઝૂંપડાંમાં પણ આનંદનું વાતાવરણ જોવા મળે છે.

17. અતિથિ પૈસાના નહીં પણ ભાવનાના ભૂખ્યા હોય છે.

18. આજકાલ શ્રીમંતો પાસે ધન બહુ હોય છે, પણ પત્નીને રસાઈ કરવાની આળસ હોય છે અને નોકર-ચાકરો મળતા નથી, જેને કારણે હોટેલનું ખાવાનું ખાવું પડે છે.

19. જે મનુષ્ય બે ટંક ઘરની રસોઇ પણ જમી ન શકે, તેને સુખી ગણી શકાય નહીં.

20. સજ્જન વ્યકિતની સોબત કરવા માટે આપણે પણ સજ્જનતા કેળવવી પડે છે. સજ્જનોની સોબત પણ ધનથી ખરીદી શકાતી નથી

21. જે શાણા પુરુષો પોતાના ભાઇભાંડુઓ સાથે સજ્જનતાથી વર્તે છે, બીજાઓ પ્રત્યે દયા રાખે છે પણ દુર્જનો પ્રત્યે જેવા સાથે તેવાનો વ્યવહાર રાખે છે, વિદ્વાન સાથે સરળતાથી અને પાપી સાથે કડકાઇથી વર્તે છે, શક્તિશાળી વ્યક્તિ સાથે ખુમારીથી વર્તે છે, ગુરુ, માતાપિતા અને આચાર્ય પ્રત્યે સહનશીલ થઇ વર્તે છે અને સ્ત્રીઓ ઉપર આંધળો વિશ્વાસ નથી મૂકતા તેઓ સંસારમાં સફળ થાય છે.

22. અહીં ચાણકય આપણને જેવા સાથે તેવા થવાની બહુ પ્રેકિટકલ શિખામણ આપે છે. સંતમાં અને ગૃહસ્થમાં ફરક છે.

23. સંતોને બધા જ પ્રત્યે કરુણા હોવી જોઈએ, પણ જેને પોતાના પરિવારનું રક્ષણ કરવાનું છે અને આર્થિક વ્યવહારો નિભાવવાના છે તે બધા પ્રત્યે કરુણા રાખીને પોતાની જવાબદારી નિભાવી શકે નહીં. આ કારણે જ ચાણકયે દુર્જન પ્રત્યે દુર્જુન જેવો વ્યવહાર કરવાની સલાહ આપી છે.

24. દુર્જનો સાથે માયાળુ વર્તન કરવામાં આવે તો તેઓ તેને આપણની નબળાઈ ગણીને આપણને વધુ હેરાન કરવાની કોશિષ કરે છે. આ કારણે ‘શઠં પ્રતિ શાઠયં’ની નીતિ અપનાવવી જ પડે છે અને હૃદયમાં કરુણા રાખીને પણ પાપીઓ સાથે કડક વ્યવહાર રાખવો પડે છે.

25. તાજેતરમાં આંતકવાદીઓએ મુંબઇ ઉપર સશસ્ત્ર હુમલો કર્યો અને સેંકડો નિર્દોષ માનવીઓની કતલ કરી તેમની સાથે સૌજન્ય દાખવી શકાય નહીં. કોઇ ધર્મગુરુ તેમને માફ કરી દેવાની ભલામણ કરે તો પણ જેમની ઉપર પ્રજાના જાનમાલની રક્ષા કરવાની જવાબદારી છે, તેઓ આતંકવાદીઓની દયા ખાઈ શકે જ નહીં. તેઓ જો દયા ખાય તો પોતાના આશ્રિતોનું રક્ષણ કરી શકે નહીં.

26. સજ્જન અને સુખી માણસોના લક્ષણો વર્ણવ્યા પછી હવે ચાણકય દુર્જન અને દુઃખી માણસોનાં લક્ષણોનું પણ વર્ણન કરે છે, જેને વાંચીને આપણે અત્યારે કઇ કક્ષામાં છીએ તેનો ખ્યાલ આવે છે.

27. જેના હાથે કદી દાનકર્મ થતું નથી, જેના કાને કદી વિદ્વાનોનાં વચન પડતાં નથી, જેણે પોતાના નેત્રોથી સજ્જન પુરુષના દર્શન નથી કર્યા, પગપાળા તીર્થોની યાત્રા નથી કરી, અન્યાયથી ધન એકઠું કરીને પણ જો સમાજમાં ઘમંડથી જીવે છે તેને ચાણકય શિયાળ જેવા નીચ ગણાવે છે. આવી વ્યકિતઓને ચાણકય કહે છે, “તમારે આ સંસારમાં જીવતા જ રહેવું જોઈએ નહીં પણ શક્ય એટલો જલદી આ નીચ શરીરનો ત્યાગ કરી દેવો જોઈએ.”

28. આજે આપણા સમાજમાં શ્રીમંતો ઘણા છે, પણ પોતાની લક્ષ્મીનો સદુપયોગ પરોપકારનાં કાર્યોમાં કરતા હોય તેવા પુણ્યશાળીઓ બહુ ઓછા છે. લક્ષ્મી મેળવવા માટે નસીબની જરુર પડ છે, પણ પુણ્યથી પ્રાપ્ત થયેલી લક્ષ્મીનો સદુપયોગ કરવાની ઇચ્છા જબરદસ્ત પુણ્ય હોય તેને જ થાય છે. બાકીના શ્રીમંતો પોતાની લક્ષ્મીનો ઉપયોગ દાનપુણ્યમાં નથી કરતાં તેમને આ લક્ષ્મી કદ સુખ આપી શકતી નથી.

29. માણસ પાસે ધન આવી જાય એટલે તેનામાં વિદ્વતા આવી જાય અને તે જ્ઞાની બની જાય એવું જરુરી નથી. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ્ઞાનીનાં વચનો સાંભળવા જોઈએ અને તેને વિનયપૂર્વક હૃદયમાં ઉતારવાની કોશિષ પણ કરવી જોઈએ. જેને એવું અભિમાન છે કે મારી પાસે દુનિયાનું બધું જ્ઞાન છે તે કદી જ્ઞાનીનાં વચનામૃતો સાંભળવા જતો નથી પણ કૂવામાંના દેડકાની જેમ પોતાની સંકુચિત દુનિયામાં જ મસ્ત રહે છે.

30. જે વ્યકિત અહંકારી છે તેને સજ્જનો સાથે પણ ફાવતું નથી. સજ્જનો આવી અભિમાની વ્યકિતનો પડછાયો પણ લેવાનું પસંદ કરતાં નથી.

31. જેને ઇશ્વરમાં શ્રદ્ધા નથી હોતી તે કષ્ટો ઉઠાવીને તીર્થયાત્રા કરતા નથી પણ તીર્થસ્થાનોમાં પણ મોજ કરવા જાય છે. તેમને યાત્રાનું ફળ નથી મળતું પણ પાપની વૃદ્ધિ થાય છે. આવા મનુષ્યો ધનવાન હોય તો પણ દયાને પાત્ર છે.

32. ચાણકયે સજ્જન પુરુષોના અને સત્સંગના ભારે ગુણગાન કર્યા છે. ચાણકય કહે છે કે, ‘સજ્જન પુરુષોના દર્શનમાત્રથી પુણય પ્રાપ્ત થાય છે, કારણ કે સંત પુરુષ સાક્ષાત્ તીર્થસ્વરુપ છે.

33. તીર્થયાત્રા કરનારને યોગ્ય સમય આવે ત્યારે ફળ મળે છે, જ્યારે સંતના સમાગમથી તાત્કાલિક ફળની પ્રાપ્તિ થાય છે.

34. સજ્જન વ્યકિતની સંગતમાં રહીને દુર્જન પણ સજ્જન બની શકે છે, પણ સજ્જન વ્યકિતમાં દુર્જનના ગુણો ક્યારેય આવતા નથી. માટે સુખી થવા ઇચ્છનારે સજ્જનોનો સંગ કરવો જોઈએ.’

35. ચાણકયનાં આ બધાં જ વાક્યોનો સાર એક જ વાક્યમાં આપી શકાય કે, ‘સુખી બનવા માટે સજ્જન બનવું અનિવાર્ય છે, દુર્જનો કદી સુખી બની શકતા નથી.’ આ સારને પામ્યા પછી આપણે બધાએ દુનિયામાં સજ્જનોની શોધ આદરી દેવી જોઈએ અને તેમની જ સંગત કરવી જોઈએ.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

મોબાઇલ ફોનનું ઘણું જ ખતરનાક રેડિએશન મોટી આફત બને તે પહેલા ચેતો…!!!

mobile radiation

મોબાઇલ ફોન હવે આધુનિક જીવનશૈલી નહીં, પરંતુ રોજિંદા જીવનનો એક હિસ્સો છે. એક જમાનામાં ઘરમાં રેડિયો હોવો તે લક્ઝરી ગણાતું. તે પછી ટ્રાન્ઝિસ્ટર હોવું તે લક્ઝરી ગણાયું. તે પછી ઘરમાં ટેલિવિઝન હોવું તે લક્ઝરી ગણાયું. સમયગાળે તે બધાં જ સાધનો ટેક્નોલોજીના વિકાસ સાથે આમ આદમી સુધી પહોંચી ગયાં. ચણા-મમરા વેચતા અને શાકભાજીની લારીવાળાની લારી પર ટ્રાન્ઝિસ્ટર જોઈ શકાતું. રેડિયો તો આઉટ ઓફ ડેટ થયો અને ટેલિવિઝન ઝૂંપડાં સુધી પહોંચ્યું. સારી વાત છે કે, ટેક્નોલોજીનાં ફળ સામાન્ય માનવી સુધી પહોંચ્યાં. એમાં છેલ્લામાં છેલ્લું ઉપકરણ મોબાઇલ ફોન છે. મધ્યમવર્ગના એક ઘરમાં જેટલા સભ્યો હોય, એટલા જ મોબાઇલ ફોન હોય છે. બાળકોનાં જુદાં. શાકભાજીની લારી સોસાયટીના નાકા પર આવે ત્યારે શાકભાજી વેચતી મહિલા બહારથી જ મોબાઇલ ફોન પરથી વાત કરે છેઃ “ભાભી, શાકભાજી લઈ જાવ.” ફૂટપાથ પર બૂટપોલિશ કરનાર શ્રમજીવી પણ પોલિશ કરવાના બ્રશની બાજુમાં મોબાઇલ ફોન રાખે છે.

પરિણામ એ આવ્યું કે ૧૨૫ કરોડની વસ્તીવાળા ભારત દેશમાં મોબાઇલ ફોનધારકોની સંખ્યા ૯૦ કરોડ સુધી પહોંચી ગઈ છે. બ્રિટન કે અમેરિકા કરતાં ભારતમાં મોબાઇલ ફોન વાપરનારાઓની સંખ્યા વધુ છે. સ્કૂલમાં જતાં બાળકોને હાથમાં સ્માર્ટ ફોન જોઈએ છે. ટીવી ચાલુ હોય તોપણ બાળકનું ધ્યાન મોબાઇલ ફોનમાં આવતા વોટ્સઅપ મેસેજીસ કે ગેઇમ્સ પર હોય છે. ઘણી વાર બાળક દ્વિ-અવધાની લાગે. બાળકના હાથમાંથી મોબાઇલ ખૂંચવી લેવો મુશ્કેલ કામ છે. મોબાઇલ ફોન લઈ લો તો તે ચીડિયું થઈ જાય છે. કિશોરો સતત ઓનલાઇન રહેવાનું પસંદ કરે છે ‘ઓફ લાઇન’ અવસ્થાને તે ક્ષણભર પણ સહન કરી શકતાં નથી.

આ બધાના કારણે મોબાઇલ ફોનના વપરાશનો જે અતિરેક થયો છે, તેના કારણે લાઇફસ્ટાઇલ બીમારીઓ પણ માત્ર બાળકો જ નહીં પરંતુ યુવાનો અને મોટેરાંઓના જીવનનો એક હિસ્સો થઈ ગઈ છે. મોબાઇલ ફોનની ર્સિવસ પ્રોવાઇડર કંપનીઓ એ વાતનો સ્વીકાર કરતી નથી કે મોબાઇલ ફોન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પરંતુ વિશ્વમાં તબીબો અને વૈજ્ઞાાનિકોનો એક એવો મોટો વર્ગ પણ છે કે જેઓ માને છે કે, મોબાઇલ ફોનથી ઘણી બીમારીઓ થઈ શકે છે. મોબાઇલ ફોનમાંથી ઘાતક રેડિએશનનું ઉત્સર્જન થાય છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે તમારો મોબાઇલ ફોન તે ટુ-વે રેડિયો છે. તે બહારથી આવતા સૂક્ષ્મ તરંગોને ધ્વનિમાં પરિર્વિતત કરી તમારા કાન સુધી પહોંચાડે છે અને તે જ રીતે તમારા અવાજને સૂક્ષ્મ તરંગોમાં પરિર્વિતત કરી કિલોમીટર કે બે કિલોમીટર દૂર આવેલા ટાવર સુધી પહોંચાડે છે. આ કાર્ય કરવા જતાં મોબાઇલ ફોને પુષ્કળ ઊર્જા ઉર્ત્સિજત કરવી પડે છે. બહુ ઓછા લોકોને અરે, ટેક્નોસેવી લોકોને પણ એ વાતની ખબર નથી કે, એ વાત ભલે સાબિત થઈ ન હોવા છતાં વૈજ્ઞાાનિકો એ હકીકત સ્વીકારે છે કે દરેક મોબાઇલ ફોન, તમે જ્યારે વાત કરો છો ત્યારે માઇક્રોવેવ રેડિએશન પણ ઉર્ત્સિજત કરે છે, જે માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

રેડિએશનથી કેન્સર થઈ શકે છે. માથામાં ગાંઠ થઈ શકે છે. સાંભળવાની ક્ષમતા ઘટી શકે છે. મગજની ભીતર રહેલા કોષોને નુકસાન પહોંચાડી શકે છે. સ્વભાવમાં પરિવર્તન આવી શકે છે. એ જાણી લેવું જરૂરી છે કે મોબાઇલ ફોન અને મોબાઇલ ટાવર્સ એ બંને રેડિએશનનું ઉત્સર્જન કરે છે. એક્સ-રે જેવાં આયોનાઇઝિંગ રેડિએશન-કિરણો કેન્સર થવાની શક્યતાને વધારી દે છે. ર્સિવસ પ્રોવાઇડર્સનો દાવો છે કે મોબાઇલ ફોન અને મોબાઇલ ટાવર નોન-આયોનાઇઝિંગ રેડિએશનનું ઉત્સર્જન કરે છે. અલબત્ત, ટેલિકોમ્યુનિકેશન ખાતું ગમે તે કહે, પરંતુ વિશ્વના કેટલાક વૈજ્ઞાાનિકો મોબાઇલ ફોન કે ટાવરમાંથી નીકળતું રેડિએશન માનવ સ્વાસ્થ્ય માટે સલામત હોવાનું માનતા નથી.

નોંધપાત્ર વાત એ છે કે, મોબાઇલ ટાવર્સ જે માઇક્રોવેવ રેડિએશનનું ઉત્સર્જન કરે છે તે તમારા શરીરમાં પ્રવેશ્યા બાદ શરીરમાં રહેલા ફ્લુઇડ મોલેક્યુલ્સના વાઇબ્રેશનને વધારે છે અને તેને ઉષ્ણ પણ કરે છે. મોબાઇલ ફોન પર જો લાંબી વાત ચાલે તો માનવ શરીરમાં રહેલું લોહી પણ ઉષ્ણ થાય છે. એ ઉષ્ણતા આખા શરીરમાં ફેલાઈ જાય છે. સાથે સાથે એ પણ જાણી લેવું જોઈએ કે, ટીવી, રેડિયો ટાવર્સ અને કમ્પ્યૂટર્સ પણ રેડિએશન ફેલાવે છે. સાથે સાથે એ પણ જાણી લેવું જોઈએ કે જો તમે જાણીતી કંપનીનો મોબાઇલ ફોન ખરીદો છો તો તે સાથે આવતી મેન્યુઅલ-પુસ્તિકામાં રેડિએશનના ઉત્સર્જન અંગે પણ ચેતવણી લખવામાં આવેલી હોય છે, પણ બહુ ઓછા લોકો એ વાંચે છે.

સૌથી ભયજનક વાત એ છે કે, મોબાઇલ ફોનના વધુ પડતા ઉપયોગથી સૌથી વધુ નુકસાન બાળકોને થાય છે, કારણ કે તેમનામાં રોગપ્રતિકારક ક્ષમતા વિકસેલી હોતી નથી. તાજેતરમાં દેશના એક મેટ્રો શહેરની એક સ્કૂલનાં ૧૦૦૦ બાળકો પર એક સરવે થયો હતો. આ સરવેની ફલશ્રુતિ એવી હતી કે ૬૩ ટકા બાળકોને એ વાતની ખબર નહોતી કે મોબાઇલ ફોનના વધુ પડતા વપરાશથી સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે. ૧૩થી ૧૮ વર્ષનાં બાળકો પર થયેલી આ મોજણીમાં જણાયું હતું કે, ૫૭ ટકા બાળકો મોબાઇલ પર રોજ ૧૨૦ મિનિટ વાત કરે છે. તે પૈકી ૬૫ ટકા બાળકો ઇયર ફોનનો ઉપયોગ કરતાં નથી. ૫૬ ટકા બાળકો એવાં હતાં જેમના ઘરમાં લેન્ડલાઇન ફોન હોવા છતાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરતાં હતાં. ૫૧ ટકા બાળકો ઘરમાં વાઇ-ફાઇનો ઉપયોગ કરતાં હતાં. ૭૪ ટકા બાળકો રાત્રે સૂતી વખતે પણ મોબાઇલ ફોન સ્વિચ ઓફ કર્યા વગર મોબાઇલને બાજુમાં રાખી સૂઈ જતાં હતાં. પશ્ચિમના તબીબો રાત્રે સૂતી વખતે મોબાઇલ ફોનને બાજુમાં રાખીને ન સૂવા સલાહ આપે છે.

સેલ્યુલર ઓપરેટર એસોસિયેશન મોબાઇલ ફોનમાંથી નીકળતા રેડિએશનથી માનવ સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે તેવું સાબિત થયું નથી તેમ કહે છે, પરંતુ વૈજ્ઞાાનિકો કહે છે, મોબાઇલ ફોનના રેડિએશન અંગે વિશ્વમાં ચર્ચા ચાલે છે ત્યાં સુધી પાછળથી પસ્તાવું તે કરતાં મોબાઇલ ફોનનો વિવેકસભર ટૂંકો ઉપયોગ કરવો તે વધુ બહેતર છે.

સલાહ છે કે, મોબાઇલ પર વાત કરવાના બદલે ટેક્સ્ટ મેસેજીસ(એસએમએસ)નો વધુ ઉપયોગ કરો. મોબાઇલ ફોન પર સ્પીકર ફોનની સુવિધા છે તેનો ઉપયોગ કરો. ખૂબ લાંબી વાતો મોબાઇલ પર ન કરો. રાત્રે સૂતી વખતે મોબાઇલ ફોનને દૂર રાખો. લેન્ડલાઇન ફોનનો વધુ ઉપયોગ કરો. જ્યાં ઓછાં સિગ્નલ આવતાં હોય ત્યાં મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળો, કારણ કે અહીં જ રેડિએશનના ઉત્સર્જનની શક્યતા વધુ રહે છે.

સાભાર: સંદેશ.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

100 વર્ષ જૂનો નિયમ બદલાયો, હવે આ રીતે નક્કી થશે સોનાની કિંમત

goldbuiscuit3

100 વર્ષથી ચાલી આવેલ સોનાના ભાવ નક્કી કરતી પરંપરાગત વ્યવસ્થા ખતમ થઈ ગઈ છે. વૈશ્વિક સ્તર પર સોનાના ભાવ નક્કી કરવા માટેના નિયમ અને સંસ્થા બન્નેમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાના ભાવ લંડન બૂલિયન માર્કેટ એસોસિએશન નક્કી કરશે. આ પહેલા સોનાના ભાવ લંડન ગોલ્ડ ફિક્સ દ્વારા નક્કી કરવામાં આવતા હતા. ચાંદી, પ્લેટિનમ અને પેલેડિયમ બાદ સોનું છેલ્લી કિંમતી ધાતુ છે જે લંડન ફિક્સિંગથી બહાર નીકળીને ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર પહોંચશે.

હવે કેવી રીતે નક્કી થશે ભાવ

સોનાના ભાવ નક્કી કરવાની પદ્ધતિમાં પારદર્શિતા લાવવા માટે હવે કિંમતો ફોન પર નહીં પરંતુ ઇલેક્ટ્રોનિક પ્રક્રિયાથી નક્કી કરવામાં આવશે. આ કામ એક સ્વતંત્ર એજન્સી આઇસીએ બેંચમાર્ક એડમિનિસ્ટ્રેશન (આઇબીએ) કરશે. આ એજન્સી બજારના તમામ વેપારીઓમાંથી કેટલાક પસંદગીના વેપારીઓની પસંદગી કરશે. આ સાથે આઈબીએ સોનાના ભાવ નક્કી કરવા માટે લંડન બુલિયન માર્કેટ એસોસિએશને એક નવી કાર્યપદ્ધતિ જણાવશે. આ કાર્યપદ્ધતિમાં ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર લંડનના સમય અનુસાર દિવસમાં બે વખત સવારે 10-30 અને સાંજે 3 કલાકે સોનાના ભાવ નક્કી કરવામાં આવશે. ખરીદી અને વેચાણના ઓર્ડર ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર અપડેટ થશે અને આજ હિસાબે કિંમત નક્કી થશે.

અત્યાર સુધી કેવી રીતે નક્કી થતા હતા ભાવ

અત્યાર સુધી કેટલીક બેંક એક ગુપ્ત કોન્ફરન્સ કોલ દ્વારા સોનાના ભાવ નક્કી કરતી હતી. આ પ્રક્રિયામાં બેંક પોતાના ક્લાઇન્ટ્સ, નાણાંકીય સંસ્થાઓ, સોનાના ઉત્પાદક અને ઉપભોક્તાઓને ફોન કરીને માંગ અને પુરવઠાના સમીકરણને જોવે છે. આ પ્રક્રિયા બાદ જો સોનાની ખરીદી માટે સંસ્થાઓ અને ઉપભોક્તાઓને રસ હોય તો, સોનાના ભાવ પાછલા દિવસ કરતાં ઉછાળે કોટ કરવામાં આવે છે. જ્યારે, તેની વિપરીત ખરીદારોનું વલણ સુસ્ત હોય તો કિંમતો પર દબાણ જોવા મળે છે.

આઇસીઈ બેંચમાર્ક એડમિનિસ્ટ્રેશન અનુસાર 18 લાખ કરોડ ડોલરના બૂલિયન બજારમાં નવી પ્રકિયા આવ્યા બાદ પારદર્શિતા વધશે. આ સાથે જ તેમાં સહભાગીઓની સંખ્યામાં પણ વધારો થશે. જ્યારે હવે ડીલર માટે લાઇન ફિક્સ કરવાની જરૂર નહીં રહે, કારણ કે ઓનલાઇન હરાજીમાં કોઈપણ સામેલ થઈ શકે છે. ભાવ નિર્ધારણ ડોલરમાં થશે અને સોનાના ભાવ દિવસમાં બે વખત 10-30 am અને 3-00 pm નક્કી થશે. સોનાના ભાવ અમેરિકન ડોલર, યૂરો અને બ્રિટિશ પાઉન્ડમાં જણાવવામાં આવશે. આ પ્રક્રિયા અંતર્ગત એકત્રિત મળેલ સોનાના ભાવ અને ઓફર ભાવ અસંતુલન ગણતરીની સાથે વાસ્તવિક સમય પર અપડેટ થશે. જ્યારે દર 30 સેકન્ડમાં ભાવ અપડેટ થતા રહેશે.

1919માં પ્રથમ વખત નક્કી થયા હતા સોનાના ભાવ

પ્રથમ વખત 1919માં સોનાના ભાવ ફિક્સ કરવામાં આવ્યા હતા. બેઠકનું આયોજન રૂથ્સચાઇલ્ડ્સની ઓફિસના વુડપેનલ્ડ રૂમમાં કરવામાં આવ્યું હતું. 2004માં આ પ્રકારની બેઠકની જગ્યાએ ટેલીફોન કોન્ફરન્સ દ્વારા સોનાના ભાવ નક્કી કરવામાં આવતા હતા. લગભગ 12 ડીલર્સ મળીને સોનાના ભાવ શું રહેશે તે નક્કી કરતા હતા. પાછલા વર્ષે જ્યારે ડોઇશ બેંક એજીએ કિંમતી ધાતુના બેન્ચમાર્કથી પોતાને દૂર કરી લીધા પછી સુધારા શરૂ થયા હતા. ત્યાર બાદ સોનાના ભાવ સોસાયટી જનરલ એસએ, નોવા સ્કોટિયા, એચએસબીસી હોલ્ડિંગ્સ પીએલસી અને બાર્કલેજ પીએલસી બેંક સોનાના ભાવ નક્કી કરે છે.

24 કેરેટ ગોલ્ડમાંથી નથી બનતા આભૂષણો

હોલમાર્કિંગ યોજના ભારતીય સ્ટાન્ડર્ડ બ્યૂરો અધિનિયમ અંતર્ગત સંચાલન, નિયમ અને વિનિમયનું કામ કરે છે. સૌથી પહેલી વાત એ છે કે અસલી સોનું 24 કેરેટનું હોય છે, પરંતુ તેમાંથી આભૂષણો નથી બની શકતા, કારણ કે તે ખૂબ જ મુલાયમ હોય છે. મોટે ભાગે આભૂષણો માટે 22 કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં 91.66 ટકા સોનું હોય છે. હોલમાર્ક પર 5 અંક હોય છે. તમામ કેરેટના હોલમાર્ક જુદા જુદા હોય છે. મતલબ કે, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલ હોય છે. તેના કારણે શુદ્ધતા પર શંકા રહેતી નથી.

goldbuiscuit4

આવી રીતે સમજો કેવી રીતે નક્કી થાય છે સોનાની કિંમત

1. કેરેટ ગોલ્ડનો મતલબ થાય છે 1/24 ટકા સોનું, જો તમારા આભૂષણ 22 કેરેટ છે તો 22ને 24 સાથે ભાગવામાં આવે છે અને 100 સાથે ગુણાકાર કરવામાં આવે છે.
(22/24)x100= 91.66 એટલે કે આભૂષણમાં ઉપયોગ કરવામાં આવેલ સોનાની શુદ્ધતા 91.66 ટકા છે. મતલબ 24 કેરેટ સોનાના ભાવ 27,000 રૂપિયા છે તો તમે બજારમાં 22 કેરેટ સોનું ખરીદવા જશો તો સોનાનો ભાવ (27000/24)x22=24750 થશે. જ્યારે જ્વેલર તમને 22 કેરેટ સોનું રૂ. 27,000માં જ આપશે. એટલે કે તમે 22 કેરેટ સોનું 24 કેરેટ સોનાના ભાવ પર ખરીદી રહ્યા છો.

2. એવી જ રીતે 18 કેરેટ ગોલ્ડની કિંમત પણ નક્કી થાય છે. (27000/24)x18=20250 જ્યારે આ જ સોનું ઓફર સાથે વેચીને જ્વેલર્સ તમારી સાથે ફ્રોડ કરે છે.

નોંધઃ જો તમે આ કેલ્ક્યુલેશનના હિસાબે સોનું ખરીદશો તો બજારમાં ક્યારેય છેતરાશો નહીં.

શુદ્ધતાના હિસાબે આપવામાં આવતા આંક

24 કેરેટ- 99.9
23 કેરેટ- 95.8
22 કેરેટ- 91.6
21 કેરેટ- 87.5
18 કેરેટ- 75.0
17 કેરેટ- 70.8
14 કેરેટ- 58.5
9 કેરેટ- 37.5

આવી રીતે ઓળખો અસલી હોલમાર્ક
હોલમાર્કિંગમાં કોઈપણ ઉત્પાદનને નક્કી કરેલ માપદંડ પર પ્રમાણિત કરવામાં આવે છે. ભારતમાં BIS એવી સંસ્થા છે, જે ઉપભોક્તાઓનો ઉપલબ્ધ કરાવવામાં આવતા ગુણવત્તાના સ્તરની તપાસ કરે છે. જો સોના-ચાંદી હોલમાર્ક છે તો, તેનો મતલબ એ છે કે તેની શુદ્ધતા પ્રમાણિત છે. પરંતુ કેટલાક જ્વેલર્સ વગર તપાસે પ્રક્રિયા
પૂર્ણ કરે તો હોલમાર્ક લગાવી રહ્યા છે. એવામાં એ જોવું જરૂરી છે કે હોલમાર્ક ઓરિજન છે કે નહીં? અસલી હોલમાર્ક પર ત્રિકોણ આકરનો લોગો હોય છે. તેના પર
હોલમાર્કિંગ સેન્ટરનો લોગોની સાથે સોનાની શુદ્ધતા પણ લખેલી હોય છે. તેમાં જ જ્વેલરી નિર્માણનું વર્ષ અને ઉત્પાદકનો લોગો પણ હોય છે.

14 વર્ષ પહેલા શરૂ થઈ હોલમાર્કિંગ
સોનાના આભૂષણો પર હોલમાર્કિંગની 14 વર્ષ પહેલા શરૂઆત કરવામાં આવી હતી. તેના દ્વારા જ્વેલર્સ તેમના આભૂષણોને હોલમાર્ક કરાવવા માટે BIS પાસેથી
પ્રમાણપત્ર લેવાનું હોય છે. હોલમાર્કિંગ BIS માન્યતા પ્રાપ્ત કેન્દ્રોમાં કરાવી શકાય છે.

શુદ્ધતાનો ખ્યાલ રાખો

સોનાના આભૂષણ ખરીદતી વખતે સૌથી પહેલા તેની શુદ્ધતાની તપાસ કરવી. 24 કેરેટ ગોલ્ડ સૌથી વધુ શુદ્ધ હોય છે પરંતુ તેમાંથી આભૂષણ નથી બનાવી શકાતા. સોનાના આભૂષણ 22 અથવા 18 કેરેટના સોનામાંથી બનાવવામાં આવે છે. એટલે કે 22 કેરેટ ગોલ્ડની સાથે બે કેરેટ અન્ય ધાતુ ઉમેરવામાં આવે છે. આભૂષણ ખરીદતા સમયે હંમેશા જ્વેલર્સ પાસેથી સોનાની શુદ્ધતાની તપાસ કરી લેવી. સોનાની શુદ્ધતા જાણવા માટે સોનાને પિગાળવામાં પણ આવે છે.

એસિડ ટેસ્ટ

કેટલાક કેમિકલ અને એસિડ એવા હોય છે જેના ઉપયોગ દ્વારા સોનાની ગુણવત્તા જાણી શકાય છે. સોનાના સંપર્કમાં આવ્યા બાદ તેના પર કોઈ અસર નથી થતી પરંતુ અશુદ્ધ સોનું આવવા પર તે રીએક્ટ કરે છે.

નિકલ અને પ્લેટિનમ પણ સમજો

વ્હાઈટ ગોલ્ડ આભૂષણ જો તમે ખરીદી રહ્યા છો તો નિકલ અથવા પ્લેટિનમ મિશ્રિત લેવા કરતા પેલેડિયમ મિશ્રિત આભૂષણ લેવા યોગ્ય છે. નિકલ અથવા પ્લેટિનમ મિશ્રિત વ્હાઇટ ગોલ્ડથી સ્કિન એલર્જી થવાનો ભય રહે છે.

કેડીયમ અને તાંબાની ભેળસેળ થાય છે

ઘણાં આભૂષણ બનાવનારાઓ કેડીયમને પણ શુદ્ધ ગણાવીને વેચતા હોય છે, પરંતુ તેમાં કેડમિયમ નામનું તત્વ હોય છે જે ફેફ્સાં માટે હાનિકારક હોય છે. સાથે જ, તેમાં તાંબાની ભેળસેળ પણ હોય છે. આવી છેતરપીંડીથી બચવા માટે આભૂષણ કે સોનાની કોઈ પણ વસ્તુ પર અંક જરૂર જોવા જોઇએ. અહીં સૌથી મહત્ત્વની વાત એ છે કે સમાચાર પત્રોમાં પ્રતિદિવસ છપાતા અથવા ટીવી પર દેખાડવામાં આવતા સોનાના ભાવ 24 કેરેટ ગોલ્ડના હોય છે. એટલે જો તમે 23, 22 કે તેનાથી ઓછા કેરેટનું સોનું ખરીદો છો તો તેના ભાવ ઓછા હશે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD

paan card3

પાન કાર્ડ હવે લગભગ દરેક વ્યક્તિ પાસે છે. પરંતુ, તેનો ઉપયોગ કયાં-કયાં કરવામાં આવે છે અને તેનું હોવું દરેક વ્યક્તિ માટે જરૂરી કેમ છે. ? તે કદાચ ઘણાં ઓછા લોકો જાણતા હશે.

ભારતમાં કાયમી એકાઉન્ટ નંબર કાર્ડ કે પાન કાર્ડ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્સિઝની દેખરેખમાં આવકવેરા વિભાગ બનાવે છે. આ કાર્ડ પર છપાયેલા 10 અંક પ્રત્યેક વ્યક્તિ માટે યૂનીક ઓળખ પ્રમાણ હોય છે. જેને ઓળખ પ્રમાણપત્રની રીતે ઉપયોગમાં કરવામાં આવે છે. આ ઉપરાંત, પગાર લેવા તેમજ વેપાર કરવા પર પણ તેનું હોવું આવશ્યક છે. આનાથી સરકાર નાણાંની લેવડ-દેવડ પર ટેક્સ લગાવી શકે છે. અને આ ટેક્સ દેશના વિકાસ માટે ખુબ જરૂરી છે.

આ મહત્વપૂર્ણ કામો માટે જરૂરી હોય છે પાન કાર્ડ

– પાંચ લાખ રૂપિયા કે તેથી વધુની કિંમતની સ્થિર સંપત્તિ ખરીદવા અને વેચવામાં પાન કાર્ડની જરૂર પડે છે.
– વાહનનું વેચાણ કે ખરીદી પણ પાન કાર્ડની જરૂર પડે છે.
– જો બેન્કમાં આપની ડિપોઝિટની રકમ 50,000 રૂપિયાથી વધારે હોય તો આ પરિસ્થિતિમાં પાન કાર્ડનું હોવું આવશ્યક છે.
– પોસ્ટ ઓફિસમાં કોઇપણ પ્રકારના ખાતા (એકાઉન્ટ) ની રકમ જો 50 હજાર રૂપિયાથી વધુ હોય તો પણ તેનું હોવું આવશ્યક છે.
– એક લાખ રૂપિયાથી વધુની કિંમતની વસ્તુની ખરીદી કે વેચાણ પર ડિપોઝિટની રીતે તૈયાર કરવામાં આવેલો કોન્ટ્રાકટમાં તેનો ઉપયોગ થાય છે.
– કોઇપણ બેન્કમાં ખાતુ ખોલવા માટે પાન કાર્ડ જરૂરી દસ્તાવેજ માનવામાં આવે છે.
– ટેલીફોન કનેકશન લગાવવા માટે અરજી ભરતી વખતે તેનો ઉપયોગ અનિવાર્ય છે. સેલ્યુલર કનેકશન માટે પણ તે જરૂરી હોય છે.
– જો હોટલમાં આપનો એક દિવસનો ખર્ચ 25000 રૂપિયાથી વધારે થયો છે તો પાન કાર્ડની જરૂર પડે છે.
– એક દિવસમાં 50 હજાર રૂપિયાથી વધુનો બેન્ક ડ્રાફટ, ચુકવણી ઓર્ડર કે બેન્કર ચેક રોકડમાં ખરીદવું છે તો પાન કાર્ડની જરૂર પડશે.
– વિદેશની યાત્રા કરવા માટે જો તમે 25 હજાર કે તેથી વધુ કિંમતની ટિકિટ રોકડમાં ખરીદો છો તો તે સમયે પણ પાન કાર્ડની જરૂર પડશે.

આખરે આ કાર્ડ પર 10 આંકડાના નંબરનો અર્થ શું હોય છે અને તે દરેક વ્યક્તિને એક બીજાથી કેવી રીતે અલગ બનાવે છે ?

paan card4

10 ડિજિટનો ખાસ નંબર

પાન કાર્ડ નંબર એક 10 ડિજિટનો ખાસ નંબર હોય છે, જે લેમિનેટેડ કાર્ડના રૂપમાં આવે છે. જેને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એવા લોકોને ઇશ્યૂ કરે છે જે પાન કાર્ડ માટે અરજી આપે છે. પાન કાર્ડ બની ગયા બાદ તે વ્યક્તિના બધા ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેકશન ડિપાર્ટમેન્ટના પાન કાર્ડ સાથે લિંક થઇ જાય છે. જેમાં ટેક્સ પેમેન્ટ, ક્રેડિટ કાર્ડ જેવી ઘણી ફાઇનાન્સિયલ લેવડ-દેવડ ડિપાર્ટમેન્ટની નજરમાં રહે છે.

આ નંબરના પ્રથમ 3 નંબર અંગ્રેજીના લેટર્સ હોય છે. આ AAA થી લઇને ZZZ સુધીના કોઇ પણ લેટર હોઇ શકે છે. તાજેતરની સિરીઝના હિસાબે તે નક્કી કરવામાં આવે છે. આ નંબર ડિપાર્ટમેન્ટ પોતાના હિસાબે નક્કી કરે છે.

પાન કાર્ડ નંબરનો ચોથો ડિજિટ પણ અંગ્રેજીનો એક લેટર જ હોય છે. આ પાનકાર્ડધારકનું સ્ટેટસ દર્શાવે છે. જેમાં

P- એકલ વ્યક્તિ
F- ફર્મ
C- કંપની
A- AOP (એસોસિએશન ઓફ પર્સન)
T- ટ્રસ્ટ
H- HUF (હિન્દૂ અવિભકત કુટુંબ)
B- BOI (બોડી ઓફ ઇન્ડિવિઝ્યુલ)
L- લોકલ
J- આર્ટિફિશિયલ જ્યુડિશિયલ પર્સન
G- ગર્વમેન્ટ માટે હોય છે.

paan card5

5મો ડિજિટ

પાન કાર્ડ નંબરનો પાંચમો ડિજિટ પણ આવો જ એક અંગ્રેજી લેટર હોય છે. આ લેટર પાનકાર્ડ ધારકના સરનામાનો પ્રથમ અક્ષર હોય છે. એ ફકત ધારક પર નિર્ભર કરે છે. મહત્વની વાત એ છે કે ફકત ધારકનું છેલ્લુ નામ જ જોવામાં આવે છે.

ત્યાર બાદ પાન કાર્ડમાં 4 નંબર હોય છે. આ નંબર 0001 થી લઇને 9999 સુધી કોઇપણ હોઇ શકે છે. આપના પાનકાર્ડનો આ નંબર તે સીરીઝને દર્શાવે છે. જે હાલના સમયમાં ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ચાલી રહી છે. જેનો આખરી ડિજિટ એક આલ્ફાબેટ ચેક ડિજિટ હોય છે, જે કોઇ પણ લેટર હોઇ શકે છે.

આ પરિસ્થિતિઓમાં પણ છે પાનકાર્ડ જરૂરી

– ટુ વ્હીલર સિવાય અન્ય કોઇ વાહનના ખરીદ-વેચાણમાં
– કોઇ હોટલ કે રેસ્ટોરન્ટમાં એક વારમાં 25000 રૂપિયાથી વધુની ચુકવણી
– શેરોની ખરીદી માટે કોઇ કંપનીને 50,000 રૂપિયાથી વધુની ચુકવણી
– બુલિયન કે જ્વેલરી ખરીદી માટે પાંચ લાખ રૂપિયાથી વધુની ચુકવણી
– પાંચ લાખ રૂપિયા કે તેથી વધુની સ્થાવર મિલકતનું ખરીદ-વેચાણ
– બેન્કમાં 50 હજાર રૂપિયાથી વધુ જમા
– વિદેશ પ્રવાસ સંબંધમાં 25,000 રૂપિયાથી વધુની ચુકવણી
– બોન્ડ ખરીદવા માટે આરબીઆઇને 50,000 રૂપિયાથી વધુની ચુકવણી
– બોન્ડ કે ડિબેન્ચર ખરીદી માટે કોઇ કંપની કે સંસ્થાને 50 હજાર રૂપિયા કે તેથી વધુની ચુકવણી
– મ્યુચ્યુઅલ ફંડની ખરીદી

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
વિજ્ઞાન ના અવનવા આશ્ચર્યજનક તથ્યો…!!
તમારૂ મગજ માની ના શકે તેવા કલ્પનાતીત તથ્યો…!!!
WHATSAPP યુઝર્સને માટે કામની હોઇ શકે છે આ 10 સીક્રેટ ટિપ્સ
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
આ રીતે જાણો ક્યારે થઇ રહ્યું છે તમારા એકાઉન્ટનું હૈકિંગ, જાણો બચાવની ટિપ્સ
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.
બેંક મિત્ર બનીને કરો કમાણીઃ મળશે પગાર અને કમીશન, વાંચો શું છે યોજના
લોન્ચ થયું WHASTAPPનું પીસી વર્ઝન, કમ્પ્યુટર અને લેપટોપમાં કરાશે યુઝ
ટેકનોલોજી ની આ વાતો તમે નહી જાણી હોય તો તમે કાંઇ નથી જાણયું…!!
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!

આધાર કાર્ડ દ્વારા Online મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!

digital locker1

હવે તમારે તમારા જરૂરી દસ્તાવેજ સાથે લઇને ફરવાની જરૂરત નથી. તેના માટે સરકારે ડિજીટલ લોકર લોંચ કર્યું છે. જ્યાં તમે તમારું જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ, શૈક્ષણિક પ્રમાણપત્ર જેવા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોને ઓનલાઇન સ્ટોર કરી શકો છે. આ સુવિધા મેળવવા માટે બસ તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. આધાર નંબર ફીડ કરી તમે ડિજીટલ લોકર એકાઉન્ટ ખોલાવી શકો છો. આ સુવિધાની ખાસ વાત એ છે કે એક વખત લોકરમાં તમારા દસ્તાવેજ અપલોડ કર્યા બાદ તમારે ક્યાંય પણ તમારા સર્ટિફિકેટની અસલ કોપી બતાવવાની જરૂરત નહીં રહે. તેના માટે માટે તમારા ડિજીટલ લોકરની લિંક જ બસ છે. ડિજીટલ લોકર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજીટલ ઇન્ડિયા પ્રોગ્રામનો એક ભાગ છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશ ટેક્નોલોજી (ડીઈઆઇટીવાઈ)એ ડિજીટલ લોકરનું બીટા વર્ઝન લોન્ચ કર્યું છે.

કેવી રીતે મળશે ડિજીટલ લોકર:
ડિજીટલ લોકર ખોલાવવા માટે તમારે http://digitallocker.gov.in/ વેપબાઇટ પર જઇને તમારો આઇડી બનાવવાનું રહેશે. આઇડી બનાવવા માટે તમારે તમારો આધાર નંબરથી લોગઇન કરવાનું રહેશે. લોગઇન કર્યા બાદ તમારી પાસે જે જામકારી માગવામાં આવે તે જાણકારી ભરવી. ત્યાર બાદ તમારું એકાઉન્ટ બની જસે. એકાઉન્ટ ખુલી ગયા બાદ ગમે ત્યારે તમે તમારા પર્સનલ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો.

શું છે વિશેષતા:
ડિજિટલ લોકરની વિશેષતા એ છે કે તમે ગમે તે જગ્યાએથી ગમે ત્યારે તમારા ડોક્યુમેન્ટ જમા કરાવી શકો છો. ડિજીટલ લોકર સ્કીમમાં દરેક ભારતીય શૈક્ષણિક, મેડિકલ પાસપોર્ટ અને પાન કાર્ડની વિગતને ડિજીટલ ફોર્મમાં રાખી શકે છે. વેબસાઇટમાં કહેવામાં આવ્યું છે કે, ડિજીટલ લોકર અધિકૃત ગ્રાહકો-એજન્સીઓને કોઈપણ સમયે અને કોઈપણ જગ્યાએ પોતાના દસ્તાવેજ સુરક્ષિત રીતે અપલોડ કરવાની સુવિધા આપશે.

આધાર કાર્ડ શા માટે જરૂરી છે:
આધાર કાર્ડ દ્વારા ડિજીટલ લોકર ખોલાવવા માટે એ જરૂરી છે કે તમારા આધાર કાર્ડમાં તમારું ઇ-મેલ આઇડી અને મોબાઇલ નંબર અપડેટ થયેલ હોવા જોઈએ. જો એવું નહીં થયું હોય તો તમારા માટે ડિજીટલ લોકર ખોલાવવાનું સરળ નહીં હોય. જોકે તમારો મોબાઇલ નંબર અને ઈ-મેલ અપડેટ ન હોય તો ડિજીટલ લોકરની વેબસાઇટ દ્વારા તમે તેને અપડેટ કરી શકો છો. આ સુવિધા પણ ત્યાં ઉપલબ્ધ હશે.

શું થશે ફાયદો:
ડિટીચલ લોકરમાં દસ્તાવેજ રાખવાનો સૌથી મોટો ફાયદો એ હશે કે તમારે તમારા દસ્તાવેજ લઇને આમ તેમ ફરવું નહીં પડે. જેનાથી તે ખોવાઈ જવાનો ડર પણ નહીં રહે. તેના માટે ડિજીટલ લોકર દ્વારા દસ્તાવેજની લિંકની જ તમારી જરૂરત પૂડી કરી દેશે. જેમ કે તમારે બેંકમાં ખાતું ખોલાવવું છે, તો તેના માટે જરૂરી દસ્તાવેજ ડિજીટલ લોકરની લિંક દ્વારા બેંકને આપી શકાય છે. તેવી જ રીતે અન્ય સરકારી વિભાગોની જરૂરતો માટે પણ આ લિંકનો ઉપયોગ કરી શકાય છે.

અપગ્રેડેશન માટે સરકારે સલાહ-સૂચન મંગાવ્યા છે:
હાલમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીએ ડિજીટલ લોકરનું બીટા વર્ઝન રજૂ કર્યું છે. લોકરને કેવી રીતે વધુ સારું બનાવી શકાય તે માટે સરકારે ક્રાઉડસોર્સિંગ પ્લેટફોર્મ myGov.in પર લોકોની સલાહ-ભલામણ માગવામાં આવી છે. ડિજીટલ લોકર કેન્દ્ર સરકારના ડિજીટલ ઇન્ડિયા પ્રોગ્રામનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
વિજ્ઞાન ના અવનવા આશ્ચર્યજનક તથ્યો…!!
તમારૂ મગજ માની ના શકે તેવા કલ્પનાતીત તથ્યો…!!!
WHATSAPP યુઝર્સને માટે કામની હોઇ શકે છે આ 10 સીક્રેટ ટિપ્સ
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
આ રીતે જાણો ક્યારે થઇ રહ્યું છે તમારા એકાઉન્ટનું હૈકિંગ, જાણો બચાવની ટિપ્સ
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.
બેંક મિત્ર બનીને કરો કમાણીઃ મળશે પગાર અને કમીશન, વાંચો શું છે યોજના
લોન્ચ થયું WHASTAPPનું પીસી વર્ઝન, કમ્પ્યુટર અને લેપટોપમાં કરાશે યુઝ
ટેકનોલોજી ની આ વાતો તમે નહી જાણી હોય તો તમે કાંઇ નથી જાણયું…!!
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!

સાવધાન..જો તમે માઈક્રોવેવમાં ભોજન ગરમ કરો છો તો, તમને ભોગવવી પડશે 10 તકલીફો

microwave

માઇક્રોવેવ વિના આજે કોઇને ચાલે છે? ઘર ઘરમાં જેનો વપરાશ છે એ માઇક્રોવેવ ઓવનના ફાયદા કરતાં એના ગેરફાયદા પર નજર કરશો તો તમે ચોંકી જશો. માઇક્રોવેવ ઓવનમાં ખોરાક રાંધવાથી ખોરાકમાં રહેલા ડીએનએમાં તેની અસર થાય છે, જેથી શરીર તે ખોરાકને પચાવી શકતું નથી અને શરીરને નુકસાન પહોંચે છે.

માઇક્રોવેવમાં મૂકેલા તમામ ખોરાક પર એક સરખી જ પ્રક્રિયા થાય છે. માઇક્રોવેવ તેના કણોને વધુને વધુ ઝડપે હલાવે છે. ઘર્ષણની આ પ્રક્રિયાના કારણે ખોરાકમાં રહેલા વિટામિન, મિનરલ્સ, પ્રોટીન અને રેડિલોલિટીક તત્વો નાશ પામે છે.

સ્વિસ, રશિયન અને જર્મનના વૈજ્ઞાનિકોના દ્વારા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે તમારા કિચનમાં મૂકેલું માઇક્રોવેવ તમારે માટે ગમે તેટલું ઉપયોગી હોય છતાં માઇક્રોવેવ ઓવનનો ઉપયોગ કરવાના 10 નુકસાન અને અન્ય સંશોધન વિશે જણાવીશું.

બે કૂંડામાં બે છોડ રોપવામાં આવ્યા, જેમાંથી એકને માઇક્રોવેવમાં ઉકાળીને ઠંડું કરેલું પાણી અપાતું જયારે બીજા છોડને શુદ્ધ પાણી અપાતું હતું. દસમાં જ દિવસે માઇક્રોવેવનું પાણી પીવડાવેલો છોડ બળી ગયો ને શુદ્ધ પાણીનો છોડ બચી ગયો. આ એક જ ઉદાહરણ કાફી નથી?

૧- માઇક્રોવેવ ઓવનમાં રાંધેલો ખોરાક ખાવાથી મગજના કોષ છુટાં પડી જાય છે અને મગજને કાયમી નુકસાન પહોંચે છે.

૨- ઓવનમાં બનાવેલો ખોરાક માનવ શરીર પચાવી શકતું નથી. જેથી પેટ સંબંધી અનેક રોગો શરીરમાં પ્રવેશે છે.

૩- માઇક્રોવેવમાં બનાવેલો ખોરાક સતત ખાવાથી પુરૂષ અને સ્ત્રીના હોર્મોનમાં ફેરફાર થાય છે અને તેને નવાં ઉત્પન્ન થતાં પણ રોકે છે.

૪-માઇક્રોવેવમાં બનાવેલા આહારના જે બાય-પ્રોડક્ટ ઉત્પન્ન થાય છે તે શરીરમાંથી લાંબાગાળા સુધી બહાર નથી નિકળતા.

૫- ઓવનમાં આહાર બનાવવાથી તેમાં રહેલાં મિનરલ્સ, વિટામિન અને પોષકતત્ત્વો નાશ પામે છે, જેથી તે ખોરાકની શરીર પર કોઇ અસર થતી નથી અને તે પચવામાં ભારે પડે છે.

૬- માઇક્રોવેવ ઓવનમાં શાકભાજી રાંધવાથી તેમાં રહેલા મિનરલ્સનું કેન્સર ઉત્પન્ન કરતાં ફ્રી રેડિકલ્સમાં રૂપાંતર થાય છે.

૭- માઇક્રોવેવમાં રાંધેલો ખોરાક સતત ખાવાથી પેટ અને આંતરડાનું કેન્સર થવાની શક્યતા રહે છે. અમેરિકા અને ઇંગ્લેન્ડમાં આંતરડાના કેન્સરનું પ્રમાણ વધવાનું કારણ માઇક્રોવેવને માનવામાં આવે છે.

૮- સતત માઇક્રોવેવમાં રાંધેલો આહાર ખાવાના કારણે લોહીમાં કેન્સર ઉત્પન્ન કરતાં કોષ વધે છે.

૯- માઈક્રોવેવમાં પકાવેલું કે ગરમ કરેલું ખોરાક ખાવાથી રોગપ્રતિકારક શક્તિ ઘટે છે.

૧૦ માઇક્રોવેવમાં બનેલો ખોરાક ખાવાથી યાદશક્તિ ઘટે છે, ધ્યાન કેન્દ્રીત રહેતું નથી, ભાવનાત્મક અસ્થિરતા આવે છે અને બુદ્ધિશક્તિ ઘટે છે.

સંશોધન

માઈક્રોવેવ સેફ પ્લાસ્ટિકના વાસણોમાં જો તમે ખોરાક ગરમ કરીને ખાઓ છો તાજેતરમાં થયેલા આ સંશોધન વિશે એકવાર જાણી લેવું જોઈએ. એક વેબસાઈટમાં પ્રકાશિત ખબર મુજબ અમેરિકા નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્વાયર્મેંટલ હેલ્થ સાયન્સ મુજબ માઈક્રોવેવમાં પ્લાસ્ટિકના વાસણોમાં ભોજન ગરમ કરવાથી ચેમાં રહેલા કેમિકલ્સ ઈનફર્ટિલિટી, સ્થૂળતા, ડાયાબિટીસ અને કેન્સર જેવા ખતરાને નોતરે છે.
સંશોધનમાં જણાવ્યા પ્રમાણે પ્લાસ્ટિકના વાસણોમાં રહેલું એન્ડોક્રાઈન ડિસરાપ્ટિંગ કેમિકલ્સ (ઈડીસી) શરીરને નુકસાન પહોંચાડી શકે છે. માઈક્રોવેવમાં આવા વાસણોમાં ખાવાનું ગરમ કરતી વખતે તેમાં રહેલાં કેમિકલ્સ ભોજનના સીધા સંપર્કમાં આવે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પોતાના સંશોધનમાં જણાવ્યું છે કે પ્લાસ્ટિકના વાસણોમાં લગભગ 800 પ્રકારના રસાયણોનો ઉપયોગ થાય છે જે સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થાય છે.

આ સંશોધનમાં આ વાત પણ જાણવા મળી છે કે ઈડીસી શરીરની હોર્મોનલ પ્રક્રિયામાં બાધા પેદા કરે છે અને બ્રેસ્ટ અને પ્રોટેસ્ટ કેન્સરનું રિસ્ક પણ વધારે છે. આ પહેલાં પણ થયેલા કેટલાક સંશોધનમાં પ્લાસ્ટિકના વાસણો અને બોટલોમાં મળનારા કેમિકલ બીપીએને સ્વાસ્થ્ય માટે અનેક સમસ્યાઓનું કારણ માનવામાં આવ્યું છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી

 

tambaku2

તમાકુ એક એવું ઝેર છે જેને કોઇ પણ સ્વરૂપે શરીરમાં દાખલ કરો એ શરીરને નુકસાન કર્યા વગર નહીં રહે. તમાકુને ચાવો તો મોઢા અને ગળામાં, સુંઘો તો નાકમાં અને ફૂંકો તો ફેફસાંમાં ચેપથી માંડીને કેન્સર સુધીના અનેક રોગો ઉદભવે છે.

આખા વિશ્વમાં દર વર્ષે આશરે ત્રીસ લાખ લોકોનું મોત તમાકુના સેવનથી થાય છે અને જો તમાકુનો વપરાશ આ રીતે વધતો રહેશે તો આવતાં ત્રીસ વર્ષમાં તમાકુના કારણે થતાં વાર્ષિક મૃત્યુનો આંક સિત્તેર લાખને આંબી જશે! પરંતુ શું તમે જાણો છો કે અજ્ઞાન કે ગેરસમજણને કારણે વ્યસનમાં સપડાયેલા વ્યક્તિ અનેક પ્રયત્નો છતાં જલદીથી વ્યસનમુક્ત થઇ શકતો નથી. આવા વ્યસનને કારણે ફેફસાંનું કેન્સર, શ્વાસનળીનું કેન્સર, અન્નનળીનું કેન્સર, મોં-ગળાનું કેન્સર, જીભનું કેન્સર, ગર્ભદ્વારનું કેન્સર, થાઈરોઈડ કેન્સર જેથી આજે અમે તમાકુના સેવનથી થતાં રોગો, તમાકુને છોડવા માટેના સરળ 10 રસ્તા અને તમાકુ છોડવાથી થતાં ફાયદાઓ વિશે તમને જણાવીશું.

જ્યારે એકાદ મોટો વિમાન કે ટ્રેન અકસ્માત થાય ત્યારે આખા જગતમાં હો હા મચી જાય છે, પણ ભાગ્યે જ કોઇને ખબર હશે કે આખા વર્ષ દરમ્યાન થતા ટ્રાફિક અકસ્માતમાં કમોતે મરતા લોકો કરતાં પાંચ ગણા વધુ લોકો તમાકુથી કમોતે મરે છે. દુર્ભાગ્યે ટ્રાફિક અકસ્માતથી મરનાર વ્યક્તિઓની જેમ તમાકુથી કમોતે મરનાર વ્યક્તિની નોંધ પણ કોઇ વર્તમાનપત્ર આપતું નથી, ન તો કોઇ આવા ફોટા સાથે શ્રદ્ધાંજલિ આપે છે!

તમાકુથી માત્ર કેન્સર જ થાય છે એવું નથી. તમાકુના કોઇ પણ પ્રકારના વ્યસનથી થતાં અપમૃત્યુમાંથી અડધો અડધ તો હ્રદયરોગનો શિકાર બન્યા હોય છે. બીડી-સિગરેટ ન પીતા માણસ કરતાં બીડી-સિગરેટ પીનારા માણસને હ્રદયરોગ થવાની શક્યતા ૬૦-૭૦% વધારે રહે છે. વળી, હ્રદયની જે બીમારી અન્ય લોકોમાં મોટી ઉંમરે જોવા મળે છે, તે તમાકુના વ્યસનીઓમાં ૩૫ થી ૫૪ વર્ષ જેટલી નાની વયે જોવા મળે છે. આમ, ભરયુવાનીમાં હ્રદયરોગથી મૃત્યુ થવાના કિસ્સા પણ તમાકુના વ્યસનીઓમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે.

તમાકુથી ઉદભવતા રોગો:

કેન્સર : ફેફસાંનું કેન્સર, શ્વાસનળીનું કેન્સર, અન્નનળીનું કેન્સર, મોં-ગળાનું કેન્સર, જીભનું કેન્સર, ગર્ભદ્વારનું કેન્સર, થાઈરોઈડ કેન્સર.

શ્વસનમાર્ગના રોગો : બ્રોન્કાઇટીસ, એમ્ફાઇસીમા, વારંવાર શ્વસનમાર્ગનો ચેપ, અસ્થમા (દમ)નો હુમલો નોતરવો.

હ્રદયના રોગો : એન્જાઇના પેકટોરીસ, હાર્ટએટેક, એથેરોસ્કેલેરોસીસ.

પાચનતંત્રના રોગો : એસિડિટિ, પેપ્ટીક અલ્સર, મોં માં ચાંદાં પડવાં, દાંતને નુકસાન.

ચેતાતંત્રના રોગો : પેરાલિસિસનો હુમલો; અંધત્વ.

પ્રજનનતંત્રના રોગો : પ્રજનનશક્તિમાં ઘટાડો, ઓછા વજનવાળું નબળું બાળક, ખોડખાંપણવાળું બાળક, મંદબુદ્ધિનું બાળક.

તમાકુ છોડવાનાં સરળ પગથિયા:

– તમાકુ છોડવાની તારીખ નકકી કરો. જયારે ખૂબ ટેન્શન ન હોય અને છતાં કામમાં ગુંથાયેલા હો એવો કોઇક દિવસ અગાઉથી નકકી કરી એ દિવસને વળગી રહો. એ દિવસે તમાકુનો સદંતર ત્યાગ કરવાનું નકકી રાખો-મનને એ રીતે તૈયાર કરો.

– ફરીથી તમાકુ ખાવાનું મન ન થાય એ માટે એની કોઇ પેદાશ પોતાની પાસે કે ઘરમાં રાખો નહીં ઘરમાં હાજર બધી પેદાશો – એશટ્રે – થૂંકદાની વગેરેને તિલાંજલિ આપી દો.

– પુષ્કળ પાણી પીઓ. તમાકુની તલપ લાગે ત્યારે પાણી પીઓ. જરૂર પડયે ડોકટરની સલાહથી નિકોટીન-યુકત દવા કે પેચનો વપરાશ કરો. થોડુંક માથું દુ:ખે કે ગળું બળે તો ખુશ થાઓ- એ દર્શાવે છે કે તમારું શરીર તમાકુની જીવલેણ પકડમાંથી છૂટી રહ્યું છે. તમાકુ છોડીને તમારો જીવ બચાવવાના લાભની સામે સામાન્ય માથું દુ:ખે કે હાથપગ દુ:ખે તો એ કંઇ મોટી વાત નથી. એક-બે અઠવાડિયામાં બધી જ શારીરિક તકલીફ નાબૂદ થઇ જશે અને તમારું શરીર તમાકુની પાશવી જાળમાંથી છૂટી જશે.

– કસરત કરો – ચાલવું-દોડવું, સાયકલ ચલાવવી, દોરડાં કૂદવાં જે ઇચ્છા પડે તે શરીર શ્રમની પ્રવૃત્તિ કરો. જેટલી વધુ કસરતો કરશો એટલી વધુ કરવાનું મન થશે અને તમે સ્વસ્થ રહેશો.

– હકારાત્મક વિચાર કરો. નિયમિત યોગાસન-ધ્યાન કરો. તમારા સ્વજનને કહી રાખો કે કદાચ તમે ચિડાઇ જાઓ તો શાંત રહે. સંતો, તથા તમને ગમતાં સ્વજનોને વારંવાર મળતા રહો એમની હૂંફ તમને કામ આવશે. તમારી સમસ્યા ખુલ્લા દિલે સ્વજનો સાથે ચર્ચતા રહો…

– રૂટીન કામકાજમાં કંઇક બદલાવ લાવો. દિવસની પહેલી બીડી-સિગરેટ કે ગુટખા જેની સાથે સંકળાયેલ હોય એ વસ્તુને રૂટીનમાં આગળ પાછળ કરી દો. કોફી-દારૂ પીનારાને જલદી બીડી-સિગરેટ યાદ આવે છે. માટે આ બંને વ્યસન પણ ઘટાડી દો.

– એક બીડી-સિગરેટ પણ ઘણી વધારે છે એ ભૂલશો નહીં. લાલચને કાબૂમાં રાખો. માત્ર એક જ સિગરેટ, આગના એક તણખલાની જેમ બધી મહેનત નકામી કરી નાંખે છે. એક જ સિગરેટ પીવાનો આગ્રહ કે લાલચ ન રાખો. એક સિગરેટ બીજી ઘણીને ઘુસાડશે.

– બીડી-સિગરેટ ન પીવાથી થતી બચતોથી તમારી જાત માટે તમને ગમતી વસ્તુ ખરીદો-માણો. છ મહિનાની બચત ભેગી કરી પ્રવાસનું આયોજન કરો.

– બીડી-સિગરેટ પીવાના સમયે કંઇક ખાવાનું મન થાય તો ફળો ખાવામાં લો. ફળો ખાવાથી સ્વાદ ગમશે અને વજન પણ નહિ વધે.

– એક તમાકુમુક્ત દિવસ એ એક સિદ્ધિ જ છે. આજનો દિવસ તમાકુમુક્ત ગયો એનો આનંદ થવો જોઇએ. કાલની અને બાકીની આખી જિંદગીની ચિંતા ન કરો. એક એક દિવસ કરતાં તમે કાયમ માટે તમાકુ છોડી શકશો.

તમાકુ છોડવાના ફાયદાઓ:

– તમાકુ છોડયા પછી થોડા જ દિવસમાં સ્વાદ અને ગંધ પારખવાની ક્ષમતામાં વધારો થાય છે.

– મોંની ખરાબ એશ-ટ્રે જેવી વાસ દૂર થાય છે.

– આયુષ્ય રેખા વધે છે. તમાકુ છોડનારાઓનું સરેરાશ આયુષ્ય તમાકુ લેવાનું ચાલુ રાખનારાઓ કરતાં લાંબું હોય છે. પચાસ વર્ષની ઉંમર પહેલાં બીડી-સિગરેટ છોડી દેનાર વ્યક્તિની આવતાં પંદર વર્ષોમાં મૃત્યુ થવાની શકયતા બીડી-સિગરેટ પીવાનું ચાલુ રાખનારા કરતાં અડધી થઇ જાય છે.

– તમાકુ છોડયા પછી એક જ વરસમાં હ્રદયરોગ થવાની શકયતા અડધી થઇ જાય છે. તમાકુ છોડનારાઓને કેન્સર, હ્રદયરોગ, દમ કે પેરાલીસીસનો હુમલો આવવાની શકયતા ઘણી ઘટી જાય છે. દસ થી ચૌદ વર્ષ તમાકુમુક્ત રહ્યા પછી, આ રોગો થવાની શકયતા કદી તમાકુનું સેવન ન કરનારા જેટલી થઇ જાય છે.

– આર્થિક ફાયદાઓ – બચત વધે અને રોગો પાછળ થતા ખર્ચાઓ ઘટે.

– સામાજિક ફાયદાઓ – સામાજિક સ્વીકૃતિ અને પરિવારનું સ્વાસ્થ્ય સુધરે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

WHATSAPP યુઝર્સને માટે કામની હોઇ શકે છે આ 10 સીક્રેટ ટિપ્સ
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
ઘેર બેઠા ફ્રિમાં શીખો, આખુ વર્ષ રોગમુક્ત રહેવા આયુર્વેદનો આ રસાહાર કોર્ષ..!!!
30 દિવસનો ખાસ ઉપાય, હાઈટ નાની હોય કે વધતી ન હોય તો અજમાવો લો.

આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો

swine9

સ્વાઈન ફ્લૂ એક એવી બીમારી જેણે છેલ્લા કેટલાય સમયથી રાજ્યભરમાં કાળો કેર વર્તાયો છે. મોટાભાગના લોકો સ્વાઈન ફ્લૂ શું છે, કઈ રીતે થાય છે, તેના લક્ષણો શું છે એ જ નથી જાણતા. આ એક પ્રકારનો ઘાતક વાયરસ છે જે ધીરે-ધીરે સમગ્ર દુનિયામાં ફેલાઈ ગયો છે.

આ એક પ્રકારનો સંક્રામક રોગ છે. આ રોદ એન્ફ્લૂએન્ઝા એ વાયરસને કારણે થાય છે. આ પ્રકારનો વાયરસ મોટાભાગે ભુંડમાં જોવા મળતો હોય છે જેથી આને સ્વાઈન ફ્લૂ કહેવાય છે. આજે અમે તમને સ્વાઈન ફ્લૂ સંબંધી તમામ જાણકારી અને તેનાથી બચવાના સટીક ઉપાયો પણ બચાવીશું. જો તમે પોતાને અને તમારા ઘરને આ રોગથી બચાવીને રાખવા માગતા હોવ અજમાવો અહીં જણાવેલા ઉપાય.

એચવનએનવન (સ્વાઈન) ફ્લૂ આખરે શું છે ?

એચવનએનવન (H1N1) એક એવો વાયરસ છે જેના કારણે લોકો બીમારીનો ભોગ બને છે. હકીકતમાં આ વાયરસના લક્ષણો એપ્રિલ- 2009માં યુ.એસમાં મળી આવ્યાં હતાં. અન્ય શહેરો જેવા કે, મેક્સિકો અને કેનેડામાં પણ આ વાઈરસના કારણે અસંખ્ય લોકો તાવમાં સપડાયાં હતાં. આ એક વાયરસ છે જેનો ચેપ લાગવાથી તે અત્યત ઝડપી રીતે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પ્રવેશી જાય છે.

માર્ચ-2009 ના અંતમાં અને એપ્રિલ માસની શરૂઆતમાં સ્વાઈન ફ્લૂ ઈંફ્લુએન્ઝા એ (H1N1) દક્ષિણ કેલિફોર્નિયા અને સેંટ એન્ટોનિયો (ટેક્સાસ)માં પ્રવેશ કર્યો. શરૂઆતી તબક્કામાં એ જાણવું ખુબ જ મુશ્કેલ રહ્યું કે, વ્યક્તિ આ વાયરસનો ભોગ બન્યો છે. બધા એવું જ માનતા આ તો સામાન્ય તાવના લક્ષણો છે પરંતુ જ્યારે આ તાવ લાંબા સમય સુધી તેમના શરીરમાંથી ન નિકળ્યો ત્યારે તેઓને તેની ગંભીરતા સમજાઈ. આ વાયરસે 65 વર્ષથી વધુ વયના લોકોને, પાંચ વર્ષની નીચેની ઉમરના બાળકોને,સગર્ભા સ્ત્રીઓને પોતાના નિશાને લીધા.

એચવનએનવન એક જીવલેણ વાયરસ છે જેના વિષે દેશ-વિદેશના ઘણા બધા લોકો જાણતા નથી. આ વાયરસ તાવના વાયરસથી બિલકુલ મળતો આવે છે. અહીં પણ દરદી સામાન્ય તાવ, કફ, ગળામાં ખરાશ, શરીરમાં તોડ, માથાનો દુખાવો અનુભવે છે. એચવનએનવનના કારણે કેટલાક લોકોને આ વાયરસના કારણે ઝાડા-ઉલટી અને ન્યૂમોનિયા પણ થઈ જાય છે.

બાળકોમાં જો નીચે મુજબના લક્ષણો જણાઈ આવે તો સમજી લેવું કે, તેઓ પણ સ્વાઈન ફ્લૂથી ગ્રસિત છે.

– ઝડપથી શ્વાસ લેવો અથવા શ્વાસ લેવામાં પરેશાની
– વારંવાર ઉલટી થવી
– ચાલી ન શકવું, ક્રિયા પ્રતિક્રિયા ન આપવી
– મૂંઝવણ અને વારંવાર રડવું
– તાવ અને શરદીનો ભોગ બનવું
– પૂરતું પ્રવાહી ન પીવું

વયસ્કોમાં સ્વાઈન ફ્લૂના લક્ષણોના ચિન્હો

– શ્વાસ લેવામાં પરેશાની
– પેટ અને છાતીમાં દબાણ- દુ:ખાવાની ફરિયાદ
– ગભરાહટ
– વારંવાર ઉલટી થવી
– અચાનક ચક્કર આવવા

તમે એચવનએનવન (સ્વાઈન) ફ્લૂ વાયરસને કેવી રીતે પકડી શકશો ?

એચવનએનવન (સ્વાઈન) ફ્લૂ વાયરસ મુખ્યત્વે સિઝનલ ફ્લૂના વાયરસને મળતો આવે છે. આપણે જાણીએ છીએ કે, મોસમી તાવ શરદી-ઉધરસના થકી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. કેટલીક વખત આ વાયસરથી ગ્રસિત કોઈ વ્યક્તિનું મોઢુ, નાક કે શરીરના અન્ય અંગોને સ્પર્શવાથી પણ સામેવાળી વ્યક્તિને તેનો ચેપ લાગે છે.

આ બીમારીથી કઈ રીતે બચી શકાય?

અહીં કેટલાક સાવચેતીમાં રાખવા જેવા પગલાઓ ઈંડિયન મેડિકલ એસોસિએશને આપ્યા છે જેનું આ રોગથી ગ્રસિત દરદીઓએ અનુસરણ કરવું જોઈએ.

– જ્યારે પણ ઉઘરસ અથવા શરદી આવે ત્યારે આપનું મોઢુ અને નાક ટિસ્યૂ પેપર વડે ઢાકી દો. બાદમાં તેને ફેંકી દો.

– શરદી-ઉઘરસ બાદ આપના હાથ ગરમ પાણી અને સાબુ વડે ઘોવાનું ન ભૂલશો. આલ્કોહોલ ધરાવતા હેન્ડ ક્લિનર વધુ ફાયદાકારક રહેશે.

– બની શકે તો તમારી આંખ, નાક અને મોઢાને સ્પર્શવાનું ટાળો કારણ કે કિટાળુઓ આ માર્ગેથી જ ફેલાય શકે છે.

-બીમારીથી પીડિત અન્ય લોકોથી થોડા દૂર જ રહો

– જો તમે બીમાર હોય તો ઘરમાં રહો અને બહાર જવાનુ ટાળો. ઓફિસે અને સ્કૂલે જવાની બિલકુલ પણ જરૂરિયાત નથી કારણ કે, તમારા બહાર જવાથી અન્ય લોકોમાં પણ આ વાયરસ ફેલાવાની ભીતિ રહેશે.

શું અંતર છે સામાન્ય શરદી-ઉધરસ અને ફ્લૂમાં?

સામાન્ય શરદી-ઉધરસ સિવાય ફ્લૂમાં તાવ, હાથ-પગ અને કમરમાં દુ:ખાવો, માથાનો દુ:ખાવો, થકાવટ વગેરે જેવા લક્ષણો એકદમ વધારે સ્થિતિમાં એકસાથે દેખાય છે.

કેવી રીતે અંતર જાણશો?

સ્વાઈન ફ્લૂને સાધારણ ફ્લૂના લક્ષણોને ધ્યાનમાં રાખીને અંતર જાણવું શક્ય નથી. પરંતુ કોઈ એવી વ્યક્તિના સંપર્કમાં આવવાથી જેને સ્વાઈન ફ્લૂ હોય, તો તેની શંકા વધી જાય છે.

શું ભુંડના (સ્વાઈન)ના સંપર્કમાં આવવાથી થઈ શકે છે?

ફ્લૂ વાયરસના સંક્રમણની શરૂઆતના તબક્કામાં આ ભ્રમ થાય છે કે, શું આ તે જ ફ્લૂ છે જે ભુંડમાં હોય છે. પરંતુ આ નવો વાયરસ છે. જેથી કરીને ભુંડના સંપર્કમાં આવવાથી કે તેનું માંસ ખાવાથી આ ફેલાતો નથી.

સ્વાઈન ફ્લૂ કેવી રીતે ફેલાય છે?

– સંક્રમિત વ્યક્તિ દ્વાર ઉધરસ કે છીંક ખાવાથી.

– તે વસ્તુઓને અડવાથી જેને સંક્રમિત વ્યક્તિ અડી હોય. સંક્રમિત વ્યક્તિ પોતાની અંદર આના લક્ષણો દેખાયાના એક દિવસ પહેલાં અને સાત દિવસ સુધી આને ફેલાવી શકે છે.

કેવી રીતે રક્ષણ કરશો?

– શક્ય હોય ત્યાર સુધી હાથ સાબુથી જ ધુઓ.

– જો સાબુ ન હોય તો આલ્કોહોલ આધારિત ક્લિનર વડે હાથને ધુઓ.

– સંક્રમિત વ્યક્તિ અથવા એવી વ્યક્તિ જેનામાં સ્વાઈન ફ્લૂની શંકા હોય, તેનાથી ઓછામાં ઓછી છ ફૂટની તો દૂરી રાખો.

– જો તમને પોતાની અંદર પણ સ્વાઈન ફ્લૂ જેવા લક્ષણો દેખાતા હોય તો ઘરમાં રહો.

– જો સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવું પડે તેવું હોય તો ફેસ માસ્ક અથવા રેસ્પિરેટર પહેરો.

– સ્તનપાન કરાવનારી માતા પોતે સંક્રમિત હોય તો બાળકને દૂધ ન પીવડાવવું.

– ઉધરસ અને છીંક આવે તો ટીસ્યુ પેપરનો ઉપયોગ કરો અને તેને તુરંત જ ડસ્ટબીનમાં ફેંકો.

– ભીડવાળી જગ્યાએ ન જશો.

– વધારે માત્રામાં પાણી પીવો.

– ભરપૂર ઉંઘ લો, આનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

શું ફેસ માસ્ક કે રેસ્પિરેટરથી બચાવ શક્ય છે?

આના ઉપયોગથી અમુક હદ સુધી બચાવ શક્ય છે. રેસ્પિરેટર માસ્ક વધારે પ્રભાવશાળી છે. સાથે સાથે તે વધારે પ્રભાવશાળી રીતે દૂર પણ રાખે છે.

શું તાજેતરના વેક્સિંગ વડે બચાવ શક્ય છે?

ના. સાધારણ ફ્લૂ વેક્સિંગથી સ્વાઈન ફ્લૂનો બચાવ શક્ય નથી.

આને માટે કોઈ દવા છે?

હા. આસિલટેમાવિર (ટેમીફ્લૂ) નામની દવા જો લક્ષણ શરૂ થાય તેના 48 કલાકની અંદર જ શરૂ કરી દેવામાં આવે તો મદદગાર સાબિત થઈ શકે છે.

સ્વાઈન ફ્લૂથી બચવાના ઘરેલુ ઉપાય:

થાયમોલ, મેથોલ, કૈફર(કપૂર) ને બરાબર માત્રામાં ભેળવીને તૈયાર ‘યુ વાયરલ’ ના મિશ્રણના ટીંપાને જો રૂમાલ કે ટીસ્યુ પેપર પર નાંખીને લોકો સુંઘે તો ભીડમાં માસ્ક પહેરીને જવાની કોઈ જરૂરત નથી પડતી.

100 મિલી પાણીમાં ત્રણ ગ્રામ લીમડો, ગિયોલ, ચિરૈતાની સાથે અડધો ગ્રામ કાળા મરી એક ગ્રામ સુંઠનો ઉકાળો બનાવીને પીવાથી પણ ખુબ જ લાભદાયક રહે છે. આ વસ્તુઓને પાણીની સાથે ત્યાર સુધી ઉકાળવાની, જ્યાર સુધી તે 60 મિલી ગ્રામ જેટલી ન રહી જાય. આને એક અઠવાડિયા સુધી રોજ સવારે ખાલી પેટે પીવાથી શરીરની અંદર સ્વાઈન ફ્લૂની સામે લડવા માટેની જરૂરી પરિરક્ષણ ક્ષમતા ઉત્પન્ન થઈ જાય છે.

ત્રિફળા, ત્રિકાટુ, મધુયાસ્તી અને અમૃતાને સમાન માત્રામાં લઈને તેને એક ચમચી જેટલું લેવાથી પ્રતિરોધક ક્ષમતા વધી જાય છે. આનાથી તાવ પણ ઓછો થઈ જાય છે. આ દવાને ખાધા પછી બે વખત લેવાથી ફાયદો થાય છે.

સૌજન્ય: દિવ્ય ભાસ્કર


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

ઘેર બેઠા ફ્રિમાં શીખો, આખુ વર્ષ રોગમુક્ત રહેવા આયુર્વેદનો આ રસાહાર કોર્ષ..!!!
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….
धरती का अमृत पानी पीने के 10 फायदे और नुकसान ज़रूर जाने…नही जाना तो क्या जाना…!!!
इन 6 उपायों से स्वस्थ रहेगा आपका दिल…!!!
हार्ट अटैक: ना घबराये ……सहज सुलभ उपाय ….!!!
સવાર-સાંજ માત્ર 1 ચમચી અળસીના બીજ ખાઓ, રોગ શું છે ભુલી જશો…!!!

સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…