માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!

આપણા ધર્મશાસ્ત્રોમાં લક્ષ્મી પ્રાપ્તિની જેટલી રીત બતાવવામાં આવી છે, તે ત્યારે જ કારગર સાબિત થાય ત્યારે આપણે સફાઈથી રહેતા હોઈએ અને પોતાના ઘરમાં સફાઈ રાખતા હોઈએ. સફાઈ લક્ષ્મી પ્રાપ્તિનો જ એક અચૂક ટોટકો છે. લક્ષ્મી જે ત્રણ વસ્તુઓથી સૌથી વધુ આકર્ષિત થાય છે તે છે- સફાઈ, સજાવટ અને રોશની. સજાવટનું મહત્વ ત્યારે જ હોય છે જ્યારે તમે સફાઈ સારી રીતે રાખતા હો અને ઘરમાં રહેલી વસ્તુઓને યોગ્ય રીતે ગોઠવીને રાખતા હો. ત્રીજી સૌથી મહત્વની વાત જે લક્ષ્મીને આકર્ષિત કરે છે તે છે રોશની. દૂધિયા રોશનીથી સરાબોર ઘરને લક્ષ્મી તરત જ શોધી લે છે. જ્યારે તમે આ ત્રણ વાતોનું ધ્યાન રાખો તો લક્ષ્મી પ્રાપ્તિ કરવાના કોઈ પણ ટોટકા કરો તો તે ઝડપથી સફળ થઈ જાય છે. શાસ્ત્રોમાં એવા જ કેટલાક અચૂક ટોટકાનું વર્ણન છે જેને કરવાથી ધનની દેવી લક્ષ્મીને સદાય માટે ઘરમાં નિવાસ કરાવી શકો છો.

ghado
માટીનો ઘડો કરી શકે છે ગરીબી ને દૂરઃ-

માટીના બે ઘડા લો. એક ઘરમાં સવા કિલો લીલા મગની દાળ અને બીજા ઘડામાં સવા કિલો મીઠુ ભરી દો. આ બંને ઘડાને ઘરમાં રાખી દો. આ ઉપાય બુધવારે કરો. ધનની વૃદ્ધિ થવા લાગશે.

પાક્કા માટીના ઘડાને લાલ રંગથી રંગીને તેને મુખ ઉપર લાલ કપડાથી પંચરંગી નાડાસડીથી બાધીને જટાવાળા નારીયળને તેના મુખ ઉપર રાખીને નદીના જળમાં પ્રવાહિત કરી દો. સુખ અને સમૃદ્ધિની પ્રાપ્ત થશે. આ ઉપાય બુધવારે કરો.

માટીનો એક નાનકડો કળશ લો. તેમાં કેટલાક કેટલાક રૂપિયા રાખો અને સોના અને ચાંદીનો નાનકડો ટુકડો નાખીને લાલ કપડાથી મુખ બાંધીને પોતાના ઘરના ઉત્તર અને પશ્ચિમ દિશાના ખૂણામાં રાખી દો. આ ઉપાય આવકમાં વધારો કરાવશે. જો આ ઉપાય દુકાન ઉપર કરવામાં આવે તો દુકાન ચાલી પડે છે અર્થાત્ ગ્રાહકો વધી જાય છે અને રૂપિયાની આવક વધવા લાગે છે.

jalkumbhi

જલકુંભીથી ઘરમાં વધી શકે છે બરકતઃ-

ઘરમાં બરકત માટે ગુરુવારના દિવસે થોડી જલકુંભી લાવીને રસોઈમાં લટકાવી દો. જલકુંભીને પીળારંગના વસ્ત્રોમાં બાંધીને લટકાવો. જ્યાં સુધી તે રહેશે ઘરમાં બરકત રહેશે. જીવનમાં મહાલક્ષ્મીની કૃપા થતી રહે તે માટે દર ગુરુવારે જલકુંભી બદલતા રહો. જૂની જલકુંભી ને કોઈ વાવડી, તળાવ કે સુનસાન જગ્યાએ વિસર્જિત કરી દો. જો કોઈ કારણવશ ગુરુવારે જલકુંભી બદલી ન શકો તો ત્યારબાદ બીજા ગુરુવારે બદલી દો. જળકુંભી કોઈપણ તળાવમાં જોવા મળે છે.

ambali

આમલીની ડાળખીથી મળી શકે છે ધનલાભઃ-

શુક્રવારે આમલીની ડાળખીને કાપીને ઘરે લઈ આવો. તેને ગલ્લામાં કે પાકીટમાં રાખવામાં આવે તો ધનલાભ થાય છે.

દેવી લક્ષ્મીના ચિત્રની આગળ 9 બત્તીઓવાળો શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે. ધનનો લાભ થાય છે.

-શુક્લપક્ષના મંગળવારે સવારે 6 થી 8 વાગ્યાની વચ્ચે કે બપોરે 1 થી 2ની વચ્ચે કે રાતે 8થી 9 વાગ્યાની વચ્ચે લાલ ચંદનનો પાવડર ધન રાખવાની જગ્યાએ છાટો તો સ્થિર થવા લાગશે.

-એક જટાવાળા નારિયળને ચમકીલા લાલ વસ્ત્રમાં લપેટીને ધન રાખવાની જગ્યાએ રાખવાથી ધનમાં વધારો થાય છે.

swetark

શ્વેતાર્ક ગણપતિની મૂર્તિ આપણે એશ્વર્ય અને પ્રસન્નતાઃ-

જીવનમાં લાભ પ્રયાસો કરવા છતા પણ જો લક્ષ્મીની મોટી બહેન દરિદ્રતા તેનું સ્થાન છોડી ન રહી હોય તો શ્વાતાર્ક સફેદ આંકડાના ગણેશ મૂર્તિને ચોક્કસ ઘરમાં સ્થાપિત કરો. ધન, સંપત્તિ, ઐશ્વર્યમાં વધારો કરવા માટે આંકડાની ગણેશ મૂર્તિ અત્યંત અદ્વિતિય છે.

શ્વેતાર્કનો છોડ ઘરમાં લગાવીને તેની દેખભાળ કરવાથી તમારા ઘરમાં કાયમ બરકત રહેશે.

bargad

બરગદના ઝાડમાં છુપાયેલ છે ધન સાથે જોડાયેલી પરેશાનીઓનો હલઃ-

-કોઈ વિશેષ મનોકામનાની પૂર્તિ માટે બુધવાર અને શુક્રવારે બરગદના વૃક્ષની જટામાં જઈને ગાઠ લગાવીને આવો. મનોકામનાઓ પૂરી થતા જ ગાઠ ખોલી આવો.

-40 દિવસો સુધી લગાતાર વટ વૃક્ષની જડમાં ખાંડ મિશ્રિત દૂધ અને જળ ચઢાવો. ધીરે-ધીરે ધનની બચત થવા લાગશે.

-આશ્લેષા નક્ષત્રમાં બરગતનું પાન લાવીને ઘરમાં રાખો. તેનાથી અન્નની ખોટ નથી પડતી.

-પુષ્ય નક્ષત્રમાં બરગદ અથવા વડનું પાન તોડીને લાવો. તેની ઉપર હળદરથી સ્વસ્તિક(સાથિયો) બનાવીને ઘરમાં રાખો. રૂપિયાન બચત થશે.


आगे और भी पढ़िए ऐसे कई रोचक लेख…!!

આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
આ PHOTO પર કર્સર ફેરવો ને મેળવો તમારી 5 સમસ્યાના ઉકેલ…!!!
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

Leave a comment