Category Archives: યોગ योग Yoga

જાણો…ઘૂંટણના દર્દમાંથી ઝડપી મુક્તિ માટે, 8 એકદમ સરળ કસરત ને 1 ઘરેલૂ ઉપાય..!!

ghutan

ઘૂંટણમાં થતો દુઃખાવો આમ સાંભળવામાં આપણને સામાન્ય લાગે છે પરંતુ જે લોકોને આ તકલીફ હોય છે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘૂંટણમાં જો વધારે દુઃખાવો રહેતો હોય તો હરવા-ફરવામાં કે ચાલવામાં બહુ જ સમસ્યા થાય છે. મોટાભાગે લોકોને એવું લાગતું હોય છે ઘૂંટણમાં દુઃખાવાની સમસ્યા માત્ર વૃદ્ધોને જ થાય છે પરંતુ એવું નથી. વર્તમાન સમયની જીવનશૈલી અને ખાનપાનમાં બેદરકારીને કારણે આ સમસ્યા હવે યુવાનો અને બાળકોને પણ થવા લાગી છે. જેથી જો તમને પણ લાંબા સમયથી ઘૂંટણની સમસ્યા રહેતી હોય તો આજે અમે તમને કેટલીક એવી સરળ કસરત અને નુસખા વિશે જણાવીશું જે તમે ઘરે જ કરી શકો છો અને ઘૂંટણના દર્દમાંથી છુટકારો મેળવી શકો છો.

ઘૂંટણમાં દર્દ થવાનું કારણ

ઘૂંટણમાં દુઃખાવો અનેક કારણોસર થઈ શકે છે. જેમાં સ્થૂળ્તા, માસપેશીઓમાં લોહીનું પરિભ્રમણ ન થવાથી સાંધાઓમાં અને ઘૂંટણમાં દર્દની સમસ્યા ઉદભવે છે. આ સિવાય ઘૂંટણની માસપેશીઓમાં ખેંચાણ કે તાણ રહેવાથી પણ દુઃખાવો થાય છે. માસપેશીઓમાં કોઈપણ પ્રકારની ઈજાને કારણે પણ ઘૂંટણમાં દુઃખાવો રહે છે. વૃદ્ધાવસ્થામાં આર્થ્રાઇટિસને કારણે ઘૂંટણમાં સૌથી વધારે દર્દ થાય છે. આ સિવાય જીમમાં હેવી લિફ્ટિંગ અને વધુ પડતી હેવી વેઈટવાળી કસરતો કરવાથી પણ આ સમસ્યા થાય છે.

ghutan1

સિટ અપ્સ (ઉઠ-બેસ)

બાળપણમાં સ્કૂલમાં મોટાભાગના લોકએ ઉઠ બેસ કરી જ હશે. પણ તમને જણાવી દઈએ કે ઉઠ બેસ એક બેસ્ટ કસરત છે અને ગઠિયાની સમસ્યામાં બહુ કારગર છે. તેના માટે તમે જો નીચે ન બેસી શકતા હોવ તો ખુરશીનો પ્રયોગ પણ કરી શકો છો. એક ખુરશી લેવી, તેની પર બેસવું પછી ઉભા થવું આ પ્રક્રિયા 10થી 15 વાર કરવી. આ કસરતને તમે કોઈપણ સમયે કરી શકો છો. વધુ સારાં પરિણામ માટે ખુરશી વિના કરવું.

ઘૂંટણની કસરત

દીવાલના સહારે પીઠ ટેકીને સીધા બેસી જાઓ. પગ આગળની તરફ સીધા રાખો. હવે જમણા હાથથી તમારા પગના અંગૂઠાને પકડવાનો પ્રયાસ કરો, પણ ધ્યાન રાખવું કે પગ ઘૂંટણથી વળવા ન જોઈએ. શરૂઆતમાં તમે સંપૂર્ણ રીતે પગની આંગળીઓ પકડી નહીં શકો પણ પ્રેક્ટિસ કરવાથી થઈ શકશે. આ સ્થિતિમાં ઓછામાં ઓછું પાંચ મિનિટ સુધી રહો. આ જ રીતે ડાબા પગની સાથે કરો. આવું તમે 10 વાર રોજ કરી શકો છો.

ghutan2

સ્ટેપ અપ

સ્ટેપિંગ કે સ્ટેપ અપ્સ એક કાર્ડિયો એક્સરસાઈઝ છે, જેના અનેક ફાયદા છે. આ કસરત હૃદયના ધબકારાને વધારે છે, શરીરમાં ગરમી પેદા કરે છે અને આખા શરીરને ઊર્જાવાન બનાવે છે. સ્ટેપ અપ કરતી વખતે તમારા ઘૂંટણને વાળવા નહીં. તેને સંપૂર્ણ રીતે સીધા રાખવા. એક સમાન ગતિમાં લગભગ એક મિનિટ સુધી સતત સ્ટેપ અપ કરવાથી ઘૂંટણના દુઃખાવામાં બહુ ફાયદો થાય છે. સ્ટેપ એક્સરસાઈઝ ઘૂંટણમાં ગરમાવો પેદા કરે છે અને ઘૂંટણમાં તાણ ઘટાડે છે. જો તમે કોઈપણ ઘૂંટણની સમસ્યાથી પરેશાન છો તો આજથી જ આ કસરત કરવાનું શરૂ કરી દેવું.

ghutan3

સ્ટ્રેચિંગ કરવું

દુઃખાવામાં રાહત મેળવવા માટે મસલ્સ સ્ટ્રેચિંગ એક બેસ્ટ એક્સરસાઈઝ છે. આમ તો ઘણી સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ છે જે ઘૂંટણના દર્દ માટે લાભકારી છે. જેમાંથી એક છે હેમ્સ્ટ્રિંગ સ્ટ્રેચિંગ. આ કસરત કરવાથી ઘૂંટણના મસલ્સ ઢીલા થાય છે. આ એક્સરસાઈઝ કરવા માટે એક પગને આગળ કરો અને બીજા પગના ઘૂંટણ સુધી એટલું વાળો કે તમે દબાણ અનુભવો. આ રીતે કરવાથી ઘૂંટણમાં દુઃખાવાની સમસ્યામાં આરામ મળશે.

વોક

વોક એકદમ સરળ કસરત છે જે કોઈપણ કરી શકે છે અને સાવ સામાન્ય લાગતી વોક તમને ગઠિયાના રોગથી મુક્તિ અપાવી શકે છે. જી હાં, તેના માટે તમે કોઈપણ સમયે વોક કરી શકો છો. પછી ભલે તમે ઓફિસમાં હોવ કે ઘરે કે પછી કોલેજમાં પણ વોક કરવી જરૂરી છે. એનાથી તમારા પગ મજબૂત બનશે અને લોહીનું પરિભ્રમણ યોગ્ય થશે. તેના માટે તમારે દરરોજ 15થી 20 મિનિટ વોક કરવી પડે.

ghutan4

મેટ એક્સરસાઈઝ
મેટ એક્સરસાઈઝ જેમ કે લેગ લિફ્ટ, ની લિફ્ટ વગેરે કરવાથી ઘૂંટણના મસલ્સ સ્ટ્રેચ થાય છે. જેનાથી ઘૂંટણના દુઃખાવાને દૂર કરવામાં બહુ મદદ મળે છે. મેટ એક્સરસાઈઝને તમે ઘરમાં ક્યારે પણ કરી શકો છો. તસ્વીરમાં બતાવ્યા પ્રમાણે તમારા પગને ઉપર તરફ ઉઠાવતી વખતે ઘૂંટણને વાળવું નહીં અને થોડીક વાર માટે પગને સીધુ ઉઠાવીને રાખો. ઘૂંટણમાં કોઈ ઈજાને કારણે થતાં દર્દમાં આ કસરત કારગર સાબિત થાય છે.
સાઈકલિંગ
નિયમિત સાઈકલિંગ કરવાથી પણ ઘૂંટણમાં ધીરે-ધીરે દુઃખાવો દૂર થઈ જાય છે. જો તમે ઘૂંટણના દુઃખાવાને દૂર કરવા માટે સાઈકલિંગ કરી રહ્યા હોવ તો તમારા પગની સ્થિતિ યોગ્ય હોય તે વાતનું ધ્યાન રાખવું. સાઈકલિંગ 10થી 15 મિનિટ સુધી કરવી જોઈએ અને સમયની સાથે તેને વધારી દેવું જોઈએ. સાઈકલિંગ કરવાથી પગ અને ઘૂંટણ મજબૂત થાય છે. સાથે જ ઘૂંટણ અને પગના મસલ્સ પણ મજબૂત બને છે. જેના કારણે દુઃખાવો ધીરે-ધીરે દૂર થઈ જાય છે. ઘૂંટણના દર્દને દૂર કરવા માટે આ એક બેસ્ટ ઉપાય છે.
yog padmasana
યોગ અભ્યાસ

જો તમને ઘૂંટણમાં વાગી ગયું હોય કે ગંભીર ઈજા થઈ હોય તો તમે યોગ કરી શકો છો. યોગ કરવાથી મસલ્સ રીલેક્સ થાય છે અને ઘૂંટણ પરથી દબાણ અને તાણ દૂર થાય છે. અન્ય એક્સરસાઈઝની સરખામણીમાં યોગની અસર લાંબા સમય સુધી રહે છે. જો નિયમિત રીતે સૂર્ય નમસ્કાર કરવામાં આવે તો પણ ઘૂંટણનો દુઃખાવો દૂર કરી શકાય છે.

ઘરેલૂ ઉપાય

ઘરેલૂ ઉપચારથી પણ તમે આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો તેના માટે દરરોજ નારિયેળના ગરનું સેવન કરવું. આ સિવાય સતત 20 દિવસ સુધી અખરોટના ગરનું સેવન કરવાથી ઘૂંટણના દર્દમાંથી છુટકારો મળે છે. કંઈ ખાધા વિના દરરોજ સવારે એક લસણની કળી, દહીંની સાથે બે મહિના સુધી લેવાથી ઘૂંટણના દર્દમાં ચમત્કારી ફાયદો થાય છે. તમે દરરોજ રાતે અડધી ચમચી મેથી દાણાનું સેવન કરીને ઘૂંટણ અને શરીરના અન્ય ભાગમાં થતાં દર્દમાં રાહત મેળવી શકો છો.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો 13 આસન : કયા રોગમાં કયું આસન છે ફાયદાકારક

જાણો…આખરે યોગ શું છે? તેના 15 ચમત્કારી લાભ અને ધ્યાનમાં રાખો 10 સાવધાનીઓ…!!

ALL IN ONE: રોજ યોગ કરવાથી મળતાં આ 10 જબરદસ્ત ફાયદા ચોક્કસ જાણો

સનબર્નથી એકદમ કાળી પડેલી ત્વચા માટે, કરો 14 ચમત્કારી ઘરેલૂ ઉપાય
કેમ આવે છે પરસેવામાં ગંદી વાસ? આ ઝિંક ડાયટથી મેળવો કાયમી છુટકારો

યુવકો-યુવતીઑ ની મુખ્ય સમસ્યા ચહેરાના ખીલ-ખાડાને કાયમ કરો દૂર, અપનાવો આ શ્રેષ્ઠ ઘરગથ્થુ નુસખા-ઉપાયો.

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

જાણો…16 પ્રકારની સમસ્યાઓનો ખાતમો કરશે આ 16 યોગાસાન..!!

kas

યૂનોએ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યા બાદ 21 જૂને પ્રથમ વખતે યોગ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવ્યો. આખી દુનિયાએ યોગની શક્તિ સ્વીકારી લીધી છે. જેથી આજે અમે તમને યોગથી થતાં કેટલાક ચમત્કારી સ્વાસ્થ્ય ફાયદા વિશે જણાવીશું. યોગ એક પ્રાચીન કળા છે જેમાં શરીર, મન અને આત્માને એક સાથે લાવવાનું કામ કરવામાં આવે છે. યોગને માત્ર વડીલો જ નહીં પરંતુ બાળકો પણ સરળતાથી કરી શકે છે.

આજે યોગને કોઇપણ પ્રકારના પરિચયની જરૂરીયાત નથી. આ આખા વિશ્વમાં ફેલાઇ ચૂક્યું છે અને લોકો તેને ખૂબ જ ઝડપથી પોતાના જીવનમાં અપનાવી રહ્યા છે. હજારો વર્ષોથી ભારતીયોની જીવન શૈલીનો ભાગ યોગ રહ્યું છે.

પરંતુ આ વખતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2015ના અવસર પર અમે આપને કેટલાંક એવા આસનો અને મુદ્રાઓ અંગે જાણકારી આપીશું. જેને કરીને આપ હંમેશા નીરોગી અને સ્વસ્થ્ય બની રહેશો. આવો જાણીએ કેટલાક યોગ આસન જેનાથી આપ મેદસ્વીપણુ, કમરનો દુ:ખાવો અને હજાર પ્રકારની બીમારીઓનો નાશ કરી શકો છો.

kas3

મગજના વિકાસ માટે કરો વિક્રાસન

આ આસનની સ્થિતીમાં આવવા માટે તમારા એક પગને ઉઠાવીને બીજા પગની જાંઘ પર મુકવો અને હાથને ઉપર બાજુ લઇ જઇ પ્રણામ સ્થિતીમાં આવી જવું. ત્યાર પછી ધીરેથી તમારી આંખો બંધ કરી લેવી. આ આસન કરવાથી મગજનો વિકાસ થાય છે.

મયૂરાસન

આ આસન કરવાથી શરીરના ઘણાં બધાં આંતરિક અવયવો પર અસર થાય છે. આ આસન કરવાથી પ્રાચનપ્રક્રિયા અને લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે.

kas4

આ આસન ઇમ્યૂનિટી વધારે છે

દિવસમાં આ આસનને તમે કોઇ પણ સમયમાં કરી શકો છો. આ આસન આંખોની રોશની વધારે છે અને થાક ઉતારી દે છે.

સૂર્યનમસ્કાર બનાવે છે સ્વસ્થ

સૂર્યનમસ્કારમાં 12 આસન હોય છે, આ 12 આસન કરવાથી પૂરા શરીરનો વ્યાયામ થઇ જાય છે. આ આસનથી શરીરના રોગ દૂર થાય છે અને શરીરમાં લચીલા પણું આવે છે.

kas5

વાળ વધારવા માટેનું વજ્રઆસન

જો તમારા વાળ ના વધતા હોય કે પછી વાળ ખરતા હોય વગેરે જેવી પરેશાની હોયતો, તો તમે આ આસન કરી શકો છો. આનાથી વાળ ખૂબજ ઝડપથી વિકસે છે.

ગેસ માટે પવનમુક્તાસન

જે લોકોને ગેસની સમસ્યા થાય છે તે લોકો માટે આ આસન વરદાન રૂપ છે. આનાથી આંપને તુરંત લાભ મળે છે. રોજ આ આસન કરવાથી ગેસની તકલીફમાંથી મુક્ત થવાય છે.

kas6

તણાવ દૂર કરવા માટે બાલાસન

આ આસન આપના દિમાગને અંદરથી શાંત કરવાની શક્તિ ધરાવે છે. આ સ્થિતિમાં આવવાથી શરીરને પણ ઘણો ફાયદો થાય છે, અને માનસિક શાંતિ મળે છે.

સુડોલ હિપ્સ માટે ડાંસિંગ શિવાસન

આ આસન આપના હિપ્સની ચરબીને ઓછી કરવામાં મદદ કરશે. આને કરવા માટે આપે આપના શરીરને એક પગ પર બેલેંસ કરવાનું રહેશે. આ પોઝને એક પગ પર 60 સેકેંડ માટે કરો.

kas7

સારી નિંદ્રા માટે હલાસન

આ સ્થિતિથી આપના પગની માંસપેશીઓ રિલેક્સ થાય છે. તેને રાત્રે ઊંઘતા પહેલા રોજ કરવું જોઇએ, આપને જરૂર આરામ મળશે.

પેટની તકલીફોને દૂર કરે છે મત્સ્યાસન

આ આસનનો અર્થ છે માછલી જેવો આકાર, આ સ્થિતિમાં શરીરનો આકાર માછલી જેવો થઇ જાય છે. આ આસન એક વારમાં પાંચ મિનિટ સુધી કરી શકાય છે.

kas8

બેકપેઇન માટે કાઉ પોઝ

બેકપેઇનને દૂર કરવા માટે આનાથી સારુ આસાન કોઇ હોઇ જ ના શકે. આપના શરીરને બંને હાથોના ટેકા પર રાખીને આગળની તરફ ઝૂકાવીને ઢીંચણ પર ઘોડાની સ્થિતિમાં આવી જાવ. આ રીતે આપની સ્થિતિ એક ગાયની જેમ બની જશે. હવે આપની પીઠને ઉપર અને નીચે કરતા રહો.

મેદસ્વીપણું ઓછુ કરવા માટે કુંડાલીની

મેદસ્વીપણાથી તો દરેકજણ પરેશાન રહે છે. આ આસનને કરવાથી આપના પેટ અને જાંઘો પર અસર પડે છે, જેનાથી ચરબીનું પ્રમાણ ઓછું થાય છે.

kas9

સૂડોલ બ્રેસ્ટ માટે કરો શીર્ષાસન

આ આસન કરવા માટે આપે અન્ય કોઇ વ્યક્તિના સહારાની જરૂર પડે છે. તેને કરવા માટે માથું નીચે અને પગ ઉપર હોવા જોઇએ. આનાથી આપના બ્રેસ્ટ યોગ્ય આકારમાં આવશે.

પ્રેગ્નેન્સી વેટ લોસ માટે મરીચ્યાસન

જો આપના પુડુમાં હંમેશા દુ:ખાવો રહેતો હોય, અથવા પેટ આગળની તરફ નીકળી આવ્યું હોય તો આપને આ આસન લાભ પહોંચાડશે. આ પોજીશનને 30 સેકેંડ માટે હોલ્ડ રાખ્યા બાદ જ પોતાની મુદ્રા બદલવાથી ફાયદો થશે.

kas10

માથાના દુ:ખાવા માટે પ્રસરિતા પડોત્યાસન

તેને કરવા માટે શરીરના ઉપના ભાગને સંપૂર્ણ રીતે નીચે કરી દેવામાં આવે છે. આનાથી શરીરનું બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થઇ જાય છે, અને માથાનો દુ:ખાવો ગાયબ થઇ જાય છે.

ગર્ભાવસ્થા દરમ્યાન થતું ઉજ્જઇ પ્રાણાયમ

ગર્ભાવસ્થાના બીજો અને ત્રીજો મહીનો આરામ કરવા માટે હોય છે. એટલા માટે આ દરમિયાન બની શકે તેટલી ઊર્જા શરીરમાં ભરી લેવી જોઇએ. આના માટે આપે ઉજ્જઇ પ્રાણાયમ, નાડી શોધન અને ભ્રામરી પ્રાણાયમ કરવું જોઇએ.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો 13 આસન : કયા રોગમાં કયું આસન છે ફાયદાકારક

જાણો…આખરે યોગ શું છે? તેના 15 ચમત્કારી લાભ અને ધ્યાનમાં રાખો 10 સાવધાનીઓ…!!

ALL IN ONE: રોજ યોગ કરવાથી મળતાં આ 10 જબરદસ્ત ફાયદા ચોક્કસ જાણો

સનબર્નથી એકદમ કાળી પડેલી ત્વચા માટે, કરો 14 ચમત્કારી ઘરેલૂ ઉપાય
કેમ આવે છે પરસેવામાં ગંદી વાસ? આ ઝિંક ડાયટથી મેળવો કાયમી છુટકારો

યુવકો-યુવતીઑ ની મુખ્ય સમસ્યા ચહેરાના ખીલ-ખાડાને કાયમ કરો દૂર, અપનાવો આ શ્રેષ્ઠ ઘરગથ્થુ નુસખા-ઉપાયો.

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

જાણો 13 આસન : કયા રોગમાં કયું આસન છે ફાયદાકારક

આસન હઠયોગનું પ્રથમ અંગ કહેવાયું છે. આસનના અભ્યાસ દ્વારા શારીરિક અને માનસિક સ્થિરતા, આરોગ્ય તથા સ્ફુર્તિ ઉત્પન્ન થાય છે. પતંજલિની વ્યાખ્યા પ્રમાણે સ્થિર અને સુખમય અવસ્થા આસન છે. પોતપોતાની પ્રકૃતિ, શારીરિક સમસ્યાઓ પ્રમાણે દરેક વ્યક્તિ જુદાં-જુદાં આસનો કરી શકે છે. આસનોનો પણ કોઈ નિશ્ચિત કે એકસરખો ક્રમ હોતો નથી. કેટલાક આસનો વ્યક્તિ માટે બહુ લાભકારી સિદ્ધ થાય છે તો કેટલાક આસનો ટાળવા પણ પડે છે. જેથી આજે અમે તમને કેટલાક ખાસ આસનો વિશે જણાવીશું, જે તમારા શરીરની અંદર રહેલીઓ સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક સાબિત થશે.

આસન કયા સમયે કરી શકાય?

આસનોના અભ્યાસક્રમનો સર્વોત્તમ સમય સવારનો છે. વહેલી સવારે સૂર્યોદય પહેલાં વાતાવરણમાં શાંતિ તથા તાજગી હોય છે. બીજો અનુકૂળ સમય સાંજનો છે. એ વખતે પણ વાતાવરણ અનુકૂળ હોય છે.

ધ્યાન રાખો

આસન અનુભવી વ્યક્તિના માર્ગદર્શન હેઠળ કરવા હિતાવહ છે.

આસન કરતી વખતે શરીર ઉપર બળજબરી કરવી નહીં.

મોટા ભાગના આસનો પેટ સાફ થયા પછી કરવાના હોય છે. સાધક નિરોગી હોય એ પણ આવશ્યક છે.

સ્વાસ્થ્ય માટે ઉપયોગી કરવા યોગ્ય મુખ્ય આસનો વિશે જણાવીશું.

yog sidhasan

સિદ્ધાસન (Adept Pose)

સૌપ્રથમ જમીન પર બેસી ડાબા પગને ઢીંચણથી વાળી એ પગની પાનીને સીટની નીચે રાખવી. અને જમણો પગ વાળી એ પગની પાનીને લિંગના મૂળમાં રાખવી. પછી જમણા પગના પંજાને ડાબા પગની પીડી અને સાથળ વચ્ચે ભરાવી દેવો. આસનમાં કરોડ અને કમર સીધાં એક રેખામાં રાખવા. બંને પંજાને ઢીંચણ પર ચત્તા મૂકી જ્ઞાન મુદ્રા કરવી. દ્રષ્ટિ ભ્રમરની મધ્યમાં સ્થિર કરવી. પાંચ મિનીટથી શરૂઆત કરી સમય વધારતાં વધારતાં ત્રણ કલાક સુધી સિદ્ધાસનમાં બેસી શકાય. અગત્યની વાત સમય કરતાં આસનમાં સ્થિરતા અને એકાગ્રતાથી બેસવાની છે.

આસનના લાભ

આ આસન કરવાથી એકાગ્રતામાં સતત વૃદ્ધિ થાય છે. માનસિક શાંતિ મળે છે.

વીર્યના રક્ષણ માટે આ આસનને અકસીર માનવામાં આવ્યું છે, આ આસનથી વીર્યધરા નાડી સબળ બને છે.

વિદ્યાર્થીઓ આ આસનનો અભ્યાસ કરે તો તેમની યાદશક્તિ તીક્ષ્ણ બને છે અને વાંચેલું યાદ રાખવામાં સહાયતા મળે છે.

yog padpaschimotasan

પશ્ચિમોત્તાનાસન (Seated Forward Bend)

આસનની રીત

ચત્તા સૂઈ જાઓ. હાથ માથા તરફ લંબાવીને રાખો. બંને પગ ભેગા રાખી લાંબા કરો. હવે શરીરને આગળ તરફ વાળો અને બન્ને હાથને પગના પંજા તરફ લઈ જાઓ. પગના કાંડા પકડી ધડને આગળ લંબાવો અને માથું નીચું નમાવો. આ આસનનો સમય 15 સેકન્ડથી ક્રમે ક્રમે વધારીને ત્રણ મિનિટ સુધી કરી શકાય.
શ્વાસોચ્છવાસ સ્વાભાવિક રીતે ચાલવા દેવો.
ફાયદા
આ આસનથી સ્નાયુઓ અને માસંપેશીઓ કસાઈને મજબૂત અને નીરોગી બને.

ચાલવાની શક્તિ આવે છે.

પેટની અંદરના અવયવો જેવાં કે જઠર, આંતરડાં, કાળજું, પીઠ, મૂત્રપિંડ વગેરે સબળ બને છે.

પાચનશક્તિ વધે છે, પેટના સ્નાયુઓ મજબૂત બને છે.

પેટ અને કમરની ચરબી દૂર થાય છે.

જાતીય નબળાઈ દૂર થાય છે. સાયટિકા ના દર્દમાં આ આસનથી ફાયદો થાય છે.

હાઈટ વધારે છે.

yog bhujangasana

ભુજંગાસન (Cobra Pose)

આસનની રીત:

પેટ ઉપર ઊંધા સૂઈ જાઓ. આ સમયે કપાળ જમીનને સ્પર્શ કરાવો અને બંને હાથ બાજુ પર રાખો. હવે જમણા હાથનો પંજો જમણી છાતી પાસે અને ડાબા હાથનો પંજો ડાબી છાતી પાસે ગોઠવો. હાથની મદદથી માથું ઊંચું કરો અને પછી છાતી ઉંચી કરો. છાતી સુધીનો ભાગ ઊંચો કર્યા પછી છાતી નીચેના ભાગથી શરૂ કરી નાભિ સુધી પેટ ઊંચકવાનું છે. આ વખતે બંને હાથનો થોડો ટેકો લેવાનો છે અને ગર્દનથી કમર સુધીની કરોડને પાછળની બાજુ વાળવાની છે. આ સ્થિતિમાં દસથી વીસ સેકન્ડ સ્થિર રહો.
ફાયદા:
પેટના સ્નાયુઓ ખેંચાવાથી ત્યાંના અવયવો કાર્યશીલ બને છે.

જમ્યા પછી પેટમાં વાયુ થતો હોય તો આ આસનથી અટકે છે. કબજિયાત મટે છે.

ખભાની માંસપેશીઓ અને છાતી વિકસે છે. શ્વસનતંત્ર વધુ કાર્યક્ષમ બને છે તથા હૃદય બળવાન બને છે.

ગર્ભાશય અને બીજાશય સુધરે છે તેથી માસિક વિના કષ્ટે આવે છે.

મગજમાંથી નીકળતા જ્ઞાનતંતુઓ બળવાન બને છે.

કફ, પિત્ત પ્રકૃતિના લોકો માટે આ આસન હિતકર છે.

yog dhanurasana
ધનુરાસન (Bow Pose)

સૌ પ્રથમ જમીન પર ઊંધા સૂઈ જાઓ. હવે પગને ઢીંચણમાંથી વાળી પગની ઘૂંટીઓને હાથથી પકડો. હવે બંને હાથની મજબૂત પકડ રાખી બંને પગ ખેંચો આનાથી શરીરનો આકાર ધનુષ જેવો થશે. માથું પાછળ ઝુકાવી આકાશ તરફ જુઓ. પાંચ-સાત સેકંડથી શરૂ કરી ત્રીસેક સેકંડ સુધી આસન સ્થિર રાખી પછી ઉલટા ક્રમથી આસન છોડવું. આસન દરમ્યાન શ્વાસની ગતિ સ્વાભાવિક રીતે ચાલવા દેવી.

આસનના ફાયદાઃ

આ આસનથી ફેફસાં મજબૂત બને છે અને હાથ તથા છાતીના સ્નાયુઓ સુદૃઢ બને છે.

મંદાગ્નિ, કબજિયાત, અજીર્ણ જેવા પેટના રોગો દૂર થાય છે.

પીઠની માંસપેશીઓ પર માલિશ જેવી અસર થાય છે.

પેટ ઉપરની વધારે પડતી ચરબી દૂર થાય છે.

yog halasana

હલાસન (plough pose)

આસનની રીત

પહેલા પીઠના બળે સૂઈ જાવ. એડી પંજા મેળવી લો. હાથોની હથેળીઓને જમીન પર મૂકીને કોણીને કમરથી અડાડીને મૂકો. હવે શ્વાસને સુવિદ્યામુજબ બહાર કાઢી લો. પછી બંને પગને એક સાથે ધીરે ધીરે ઉંચા ઉઠાવતા જાવ. ઘૂંટણ સીધા મૂકીને પગને ઉપર આકાશની તરફ ઉઠાવો પછી પાછળથી માથા તરફ ઉઠાવતા જમીન પર મૂકી દો. પછી બંને હાથને પંજાને ભેગા કરીને માથાને થોડુ દબાવો જેનાથી તમારા પગ વધુ પાછળની તરફ જશે. ધ્યાન રાખો કે પગ ખેંચાયેલા અને ઘૂંટણથી સીધા રહે. આને તમારી સુવિદ્યામુજબ જેટલો સમય સુધી મુકી શકો છો તેટલો સમય મુકી રાખો. પછી ધીરે ધીરે આ સ્થિતિની અવધિને બે થી પાંચ મિનિટ સુધી વધારો.

ફાયદા

કબજિયાત, મંદાગ્નિ, અજીર્ણ, આંતરડાની નબળાઈ વગેરે હલાસનથી મટે છે.

બરોળ અને યકૃત આ આસનથી સારાં થાય છે.

આ આસનથી થાઈરોઈડ ગ્રંથિની ક્ષમતા વધે છે.

અનિંદ્રા દૂર થાય છે અને ઊંઘ સારી આવે છે.

બહેનોને આ આસનથી ઘણો લાભ થાય છે.

yog sarvangasana
સર્વાંગાસન (Shoulder Stand)

આસનની રીત

આસન પાથરી પીઠના બળે સૂવું, પછી નિતંબના સાંધા પાસેથી ધીરે ધીરે પગ ઊંચા કરતા જવા જેથી જમીન સાથે એક ખૂણો બને. આ દરમિયાન ઢીંચણ સીધા જ રાખવા. હાથ અને કોણીઓ પણ સ્થિર રાખવાં. પગ દ્વારા જ શરીરને ઊંચકતા જવું જેથી હાથ પર શરીરનો ભાર રહે. એ વખતે છાતી હડપચીને એટલે કે ચીનને દબાવશે. એ વર્તુળ પૂરું થાય એ માટે એ કોણીઓથી બાહુઓ વાળશે અને એના હાથથી હડપચી પર દબાણ આપશે જેથી ગરદન પાસે ખાંચો ઊભો થશે. એ વખતે થાઈરોઈડ ગ્રંથિ પર ધ્યાન કેન્દ્રિત કરવું. એ મુદ્રા થોડીવાર જાળવી રાખો. આ અંતિમ મુદ્રામાં શ્વાસ સામાન્ય રહેવો જોઈએ. શરીરનું વજન બાવડા પર અને કોણીઓ પર આવવું જોઈએ, ગરદન પર નહીં. હવે પરત ફરો ત્યારે ધીરેથી અને હળવેથી કરોડરજ્જૂને નીચે મૂકતા જવું, પગ ધીમે ધીમે નીચે લાવવા અને શવાસનની મુદ્રામાં રહો. આ સ્થિતિમાં ત્રણથી પંદર મિનીટ સુધી રહી શકો.

ફાયદા

આ આસનથી યાદશક્તિ વધે છે. માનસિક શ્રમ કરનાર ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ આસન લાભકારી હોય છે.

થાઈપોઈડ ગ્રંથિને તંદુરસ્ત બનાવે છે.

લોહીનું પરિભ્રમણ વધારે છે.

આ આસન સ્ત્રીપુરુષની જનનગ્રંથિને લાભકારક છે. આ આસનથી સ્વપ્નદોષ દૂર થાય છે.

પાચનતંત્રની કાર્યક્ષમતા વધે છે.

મુખ ઉપરના ખીલ અને ડાઘા દૂર થઈ ચહેરો તેજસ્વી બને છે.

કબજિયાત, સારણગાંઠ, અકાળે વૃદ્ધાવસ્થા, દમ, કફ, ચામડીનાં રોગો, લોહીવિકાર, માસિકની અનિયમિતતા, માસિકના સમયે દુખાવો વગેરે સમસ્યામાં લાભકારી સાબિત થાય છે.

yog matsyasana
મત્સ્યાસન (Fish Pose)

આસનની રીત

આસન પાથરી પદ્માસન કરો. એમ કરવાથી જમણો પગ ડાબા સાથળ પર અને ડાબો પગ જમણા સાથળ પર આવશે. હવે પદ્માસન કરી ચત્તા સૂઈ જાવ. બંને હાથના પંજાઓને શરીરની સમાંતર જમીન પર ટેકવો. હાથના પંજાઓના આધારે કમરને કમરમાંથી કમાનની માફક વાળો કે જેથી માથાનો ટોચનો ભાગ જમીનને અડે. હવે ડાબા હાથથી જમણા પગનો અંગૂઠો પકડો અને જમણા હાથથી ડાબા હાથનો અંગૂઠો પકડો. આ સમયે કોણીઓ જમીનને અડકાડેલી રાખો.લગભગ અડધાથી એક મિનીટ સુધી આ સ્થિતિમાં રહ્યા પછી ધીમેથી ઉલટા ક્રમમાં આસન છોડી મૂળ સ્થિતિમાં આવો.

આસનના ફાયદા

ગરદન અને ખભાના સ્નાયુઓ અકળાઈ જવાની સમસ્યા દૂર થાય છે.

બુદ્ધિનો વિકાસ થાય છે.

લોહીનું પરિભ્રમણ વધે છે. ફેફસાં અને કાકડા જેવા ગળાના રોગોમાં ફાયદો થાય છે.

આંતરડાને કસરત મળે છે.

પાચનતંત્ર કાર્યક્ષમ બનવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત બને છે. ભૂખ લાગે છે.

આ આસનથી દમ, ક્ષય, ક્રોનિક બ્રોનકાઈટીસ જેવા રોગોમાં રાહત મળે છે.

સ્ત્રીઓનાં માસિક દર્દો તથા માસિકની અનિયમિતતા આ આસનથી દૂર થાય છે.

yog matsyendrasana

મત્સ્યેન્દ્રાસન (Spinal Twist)

બંને પગને આગળ સીધા લંબાવી બેસો. હવે ડાબા સાથળના મૂળમાં જમણો પગ મૂકો અને ડાબા પગને ઢીંચણમાંથી વાળીને જમણા પગની જમણી બાજુએ ઢીંચણ આગળ મૂકો.હવે શરીરને ડાબી બાજુ મરોડ આપીને જમણા હાથને ડાબી બાજુના ઢીંચણ પર થઈને ડાબા પગના અંગુઠાને પકડો. ગરદનને ડાબી બાજુએ વાળી ખભા ઉપર સ્થિર રાખો. આમ કરતાં આસન પૂરું થશે. હવે આસન ઉલટા ક્રમમાં છોડો. જેવી રીતે ડાબી તરફ કર્યું એવી જ રીતે હાથ અને પગની અદલાબદલી કરી જમણી તરફ આસન કરો. આસનની સ્થિતિમાં ત્રીસ સેકંડથી શરૂઆત કરીને લગભગ ત્રણથી પાંચ મિનીટ સુધી રહી શકાય.

આસનના લાભ

મત્સ્યેન્દ્રાસન પેટના અંદરના અવયવોનું સ્વાસ્થ્ય સુધરે છે. અજીર્ણ, મંદાગ્નિ જેવી ફરિયાદો દૂર થાય છે.

યૌવનની પ્રાપ્તિ થાય છે. કરોડરજ્જુની સમસ્યાઓ દૂર થાય છે. સંધિવા મટે છે.

મત્સ્યેન્દ્રાસન કરવાથી પાંસળીઓ ખેંચાય છે. જેથી કફ પ્રકૃતિવાળા માટે આ આસન લાભદાયી નીવડે છે.

yog mayurasana
મયૂરાસન (peacock pose)

આસનની રીત

બંને હાથને બંને ઘૂંટણની વચ્ચે મુકો. હાથના અંગૂઠા અને આંગળીઓ અંદરની બાજુ મુકીને હાથેળી જમીન પર મુકો. પગ ઉઠાવતી વખતે બંને હાથ પર એકસરખું વજન આપીને ધીરે ધીરે પગને ઉઠાવો. હાથના પંજા અને કોણીના બળ પર ધીરે ધીરે સામેની તરફ નમતા શરીરને આગળ નમાવ્યા પછી પગને ધીરે ધીરે સીધા કરી દે છે. ફરી સામાન્ય સ્થિતિમાં આવતા પહેલા પગને જમીન પર લાવો અને ત્યારે ફરી વજ્રાસનની સ્થિતિમાં આવી જાવ. સામાન્ય રીતે ચાર-પાંચ સેકંડથી એકાદ મિનીટ સુધી આ અવસ્થામાં રહી શકાશે.

આસનના લાભ

આ આસનથી વાત, પિત્ત, કફ અને આળસ વગેરે સમસ્યાઓ દૂર થાય છે.

મયૂરાસન પેટના દર્દ માટે ખૂબ ઉપયોગી છે.

ભૂખ ઉઘડે છે અને ખોરાક જલ્દી પચે છે. કબજિયાત દૂર થાય છે.

મયૂરાસનથી ડાયાબીટીસ અને પાઈલ્સની બિમારીમાં લાભ થાય છે.

જઠર અને લીવરની સમસ્યાઓમાં રાહત મળે છે.

જાતીય નબળાઈઓ દૂર થાય છે.

yog padmasana

પદ્માસન (Lotus pose)

આસનની રીત

સૌપ્રથમ પગને સીધા લંબાવી બંને પગ ભેગાં રાખી બેસો. પછી જમણા પગને ઢીંચણથી વાળી, ડાબા હાથથી જમણા પગનો પંજો પકડી એને ડાબી જાંઘ પર એવી રીતે મૂકો કે પગની એડી પેઢુના ડાબી બાજુના સ્નાયુઓને બરાબર અડે કે દબાવે. એવી જ રીતે ડાબા પગને મૂકો. પછી નાભિથી નીચે બંને એડીઓ ઉપર અનુક્રમે ડાબા અને જમણા હાથના પંજાને ચત્તા મૂકો. પદ્માસનમાં સ્થિતિ થાય ત્યારે ઢીંચણ જમીનને અડકેલા હોવા જોઈએ. સાથે સાથે શીર્ષ, કરોડરજ્જુ અને કમરનો ભાગ ટટ્ટાર હોવો જોઈએ.

ફાયદા

અક્કડ થયેલા ઢીંચણો આરોગ્યવાન બને છે.

હૃદય માટે ફાયદાકારી સાબિત થાય છે.

પદ્માસનથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. ભૂખ ઉઘડે છે, પાચનશક્તિ વધે છે, વાત-પિત્ત-કફ આદિ દોષોનું શમન થાય છે. આળસ દૂર થાય છે.

બહેનોના ગર્ભાશય અને બીજાશયના વ્યાધિઓ આ આસનથી મટે છે.

yog shalabhasana

શલભાસન (Locust Pose)

સૌપ્રથમ પગ લાંબા કરી ભેગા રાખી પેટ ઉપર ઊંધા સૂઈ જાવ. ભુજંગાસનની માફક છાતીની સીધાણમાં શરીરની નજીક બંને હથેળીઓને જમીન પર લગાવો. પગના અંગૂઠા ખેંચેલા રાખો. નાક જમીન પર ટેકવવું, હવે જમણો પગ ધીમેધીમે ઊંચો કરો. ઢીંચણમાંથી પગ વળે નહીં. જમીન સાથેનો ડાબો પગ કે કમરનો કોઈ ભાગ ઊંચો ન થાય, તેની કાળજી રાખો. સ્થિર રાખી ધીમે ધીમે પગ નીચે ઉતારી દો. જમણા પગની માફક હવે ડાબો પગ તે જ રીતે ઊંચો કરી, ઘડીક સ્થિર રાખો અને પછી મૂળ સ્થિતિમાં મૂકી દો. આમ બંને પગ વારાફરતી ઊંચા કરી પાછા મૂળ સ્થિતિમાં મૂકી દેવા.

ફાયદા:

કબજિયાત મટે છે. પેટના અવયવો અને લીવર અને યકૃતની સુધરે છે.

ફેફસાં મજબૂત બને છે.

હૃદયના સ્નાયુઓ મજબૂત બને છે.

જમ્યા પછી થતા પેટના દુખાવાને મટાડે છે.

yog shirshasana
શીર્ષાસન (Head Stand)

આસનની રીત

શીર્ષાસન કરવા માટે સૌથી પહેલા સમતળ જમીન ઉપર કામળો વગેરે પાથરી વજ્રાસનની અવસ્થામાં બેસી જાઓ. હવે આગળ તરફ ઝૂકી બંને બંને હાથની કોણીઓને જમીન ઉપર ટેકવો. બંને હાથની આંગળીઓને એકબીજા સાથે જોડી લો. હવે માથાને બંને હથેળીની વચ્ચે ધીરે-ધીરે રાખો. શ્વાસ સામાન્ય રાખો. માથાને જમીન ઉપર ટેકવ્યા પછી ધીરે-ધીરે શરીરનું પૂરું વજન માથા ઉપર છોડીને શરીરને ઊપર ઊઠાવો. શરીરનો ભાર માથા ઉપર લઈ લો. શરીર સીધુ કરી લો. આ અવસ્થામાં શીર્ષાસન કહેવામાં આવે છે. આ આસન માથાના બળે કરવામાં આવે છે એટલે તેને શીર્ષાસન કહેવામાં આવે છે. પંદરથી ત્રીસ સેકંડ સુધી આ સ્થિતિમાં રહો.

ફાયદા

શીર્ષાસન કરનારનું મુખ તેજસ્વી બને છે.

લોહીના વિકારોથી થતા રોગો મટે છે.
શરીરના અવયવોમાંથી અશુદ્ધ લોહી દૂર થાય છે.

ધોળા વાળ કાળા થાય છે. વૃદ્ધાવસ્થાને લીધે મોં પર પડતી કરચલીઓ ઘટે છે. સ્મરણ શક્તિ વધે છે. બુદ્ધિ તીક્ષ્ણ થાય છે. આંખ, કાન, નાક, ગળા વગેરેના સામાન્ય દોષો દુર થાય છે.

શીર્ષાસન આંખની દૃષ્ટિ સુધારે છે. શરૂઆતના ચશ્માનાં નંબર પણ એનાથી ઉતરી જાય છે.

શીર્ષાસન માનવો માટે અમૃત સમાન છે.

yog vajrasana

વજ્રાસન (Diamond Pose)

આસનની રીત

બંને પગને આગળ સીધા લંબાવી બેસો. હવે ડાબા પગને ઢીંચણમાંથી વાળીને જમણા પગની જાંઘ પાસે ઊભો મૂકો. પછી ડાબા હાથથી ડાબા પગની ઘૂંટીને પકડી પગને પાછળ લઈ જાવ. આ સમયે પગનો અંગૂઠો ખેંચેલો રાખો. આમ કરવાથી ડાબો ઢીંચણ જમીનને અડશે અને એડી થાપાની બાજુમાં રહેશે. આ જ પ્રમાણે જમણા પગને પણ વાળીને પાછળ લઈ જાવ. હાથના પંજા ઢીંચણ પર ઊંધા મૂકો અને દૃષ્ટિ સામે સ્થિર રાખો. આસનની અવસ્થામાં મસ્તક, કરોડ અને કમરને ટટ્ટાર રાખો.

આસનના લાભ

આ એક સરળ આસન છે, શરીરને કષ્ટ આપ્યા વગર સ્થિરતાથી આ આસનમાં લાંબો સમય સુધી બેસી શકાય છે.

આ આસનમાં લોહી યોગ્ય રીતે ફરવાથી શરીર નીરોગી રહે છે. જમ્યા પછી અડધો કલાકે આ આસનમાં બેસવાથી પેટનો વાયુ નાશ પામે છે. પાચન શક્તિ વધે છે અને અજીર્ણ દૂર થાય છે.

આ આસન ધ્યાનને માટે અત્યંત ઉપયોગી છે.

સુપ્ત વજ્રાસન

સુપ્ત વજ્રાસન એ વજ્રાસનનો એક વિશેષ પ્રકાર છે. સુપ્ત નો અર્થ સૂઈને અથવા તો સૂતા સૂતા થાય છે.

આસનની રીત

વજ્રાસનમાં બેઠા પછી કોણી સુધીના હાથને જમીન ઉપર બાજુમાં મૂકીને એના પર શરીરનું વજન ટેકવો. પછી હાથને પાછળ લેતા જઈ પીઠ પર સૂઈ જાવ. આ સમયે પીઠ કમાનની માફક વળેલી હશે અને ઘણે ભાગે જમીનને સ્પર્શેલી રાખો. હાથની હથેળી સાથળ પર હશે. આ સ્થિતિમાં ત્રીસ સેકંડથી ધીમે ધીમે અભ્યાસ થતાં દસેક મિનીટ સુધી રહી શકાય. આસનને છોડવા માટે ઉલટા ક્રમમાં હાથનો ટેકો લઈ બેઠા થવું અને પછી પગને છૂટા કરી મૂળ સ્થિતિમાં લાવવા.

આસનના ફાયદા

આ આસનથી પેટના સ્નાયુઓ સંપૂર્ણપણે ખેંચાય છે. આંતરડામાં

આ આસન કરવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. પાચનશક્તિ વધે છે અને કબજિયાત, અજીર્ણ વગેરે રોગો નાબૂદ થાય છે.

કરોડરજ્જુને લગતા દુખાવા કે અન્ય બિમારીઓનો દૂર થાય છે.

વજ્રાસન અને સુપ્ત વજ્રાસન બંને પગના અને ઢીંચણના દુઃખાવા માટે આ આસન અકસીર છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…આખરે યોગ શું છે? તેના 15 ચમત્કારી લાભ અને ધ્યાનમાં રાખો 10 સાવધાનીઓ…!!

ALL IN ONE: રોજ યોગ કરવાથી મળતાં આ 10 જબરદસ્ત ફાયદા ચોક્કસ જાણો

સનબર્નથી એકદમ કાળી પડેલી ત્વચા માટે, કરો 14 ચમત્કારી ઘરેલૂ ઉપાય
કેમ આવે છે પરસેવામાં ગંદી વાસ? આ ઝિંક ડાયટથી મેળવો કાયમી છુટકારો

યુવકો-યુવતીઑ ની મુખ્ય સમસ્યા ચહેરાના ખીલ-ખાડાને કાયમ કરો દૂર, અપનાવો આ શ્રેષ્ઠ ઘરગથ્થુ નુસખા-ઉપાયો.

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

યોગનો અકલ્પનિય ચમત્કારઃ 900 વર્ષ સુધી જીવિત રહ્યા હતા આ ‘મહાયોગી દેવરહા બાબા’…!!!

devrah baba1

-દેવરહા બાબાએ હિમાલયમાં અનેક વર્ષો સુધી તપસ્યા કરી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી હતી, તેમના જીવનનું રહસ્ય કોઈ જાણતું ન હતું
-દેવરહા બાબા પોતાની શક્તિઓથી અદ્રશ્ય થઈને ગમે ત્યાં ચાલ્યા જતા હતા
-દેવરહા બાબા પોતાની ખાલી પાલખમાં હાથ નાખીને વ્યક્તિને પ્રસાદ આપતા હતા
-દેવરહા બાબા એ બાબતમાં પણ અનોખા હતા. એ માથે હાથ મૂકવાને બદલે માથે લાત મારીને આશીર્વાદ આપતા હતા.

કોઈ વ્યક્તિની ઉંમર 90-100 વર્ષ થઈ જાય તો લોકો તે વ્યક્તિને એક રેકોર્ડ માનતા હોય છે, પરંતુ કોઈ વ્યક્તિ 200, 500 નહીં પણ 900 વર્ષથી વધુ જીવે તે વાત તો કોઈને ગળે નહીં ઉતરે જી, હા, આ વાત આશ્ચર્યજનક તો છે જ પરંતુ જે વ્યક્તિની અમે વાત કરીએ છીએ તેમના વિશે એવું કહેવાય છે કે 900 વર્ષથી વધુ જીવ્યા હતા, તેમનું નામ છે દેવરહા બાબા. જો કે તથ્ય કેટલું છે તે તો કહી શકાય નહીં પરંતુ તેમને જોનાર લોકો અને મળનારા લોકોને ચોક્કસ એવું લાગતું કે આ મહાયોગી જરૂર ચમત્કારી પુરુષ છે અને તેમની ઉંમર 200 થી વધુ હશે એટલી વાત તો સાચું માની લેતા. મહાભારતના મહાપુરુષ ભીષ્મની ઉંમર 170 વર્ષથી વધુ હતી કારણ કે તેમને સ્વયં ઈચ્છિત મૃત્યુનું વરદાન હતું. પરંતુ દેવરહા બાબા તો તેમનાથી પણ અનેક સદીઓ વધુ જીવિત રહેલા.

સામાન્ય રીતે એક વ્યક્તિનું જીવન અર્થાત્ તેની ઉંમર કેટલી લાંબી હોય છે?50 વર્ષ ?60 વર્ષ? 70 વર્ષ કે પછી તે શરૂઆતથી જ હૃષ્ટપુષ્ટ રહ્યો હોય તો 100 વર્ષની આસપાસની ઉંમર સુધી પહોંચી જાય છે તો તે દુનિયા સામે મિસાલ બની જાય છે. કારણ કે આજના જમાનામાં જો કોઈ વ્યક્તિ 100 વર્ષથી વધુ ઉંમરનો થઈ જાય તો તે એક રેકોર્ડ માનવામાં આવે છે. દુનિયાભરમાં તેમની પ્રશંસા કરવામાં આવે છે તથા તેને વિભિન્ન પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવે છે. લોકો તેમને લાંબી ઉંમરનું રહસ્ય પૂછે છે તથા વૈજ્ઞાનિકો પણ તેમની ઉપર વિભિન્ન શોધ કરી કરીને તેમના લાંબા જીવનનું રહસ્ય શોધવા લાગી જાય છે કે તેમને આટલું લાંબુ જીવન કેવી રીતે કાઢ્યું છે?

devrah baba2

પહેલી વખત એ જાણીને કોઈને વિશ્વાસ નથી થતું પરંતુ લોક પ્રચલિત કથા-કહાનીઓના આધારે આ વાત સામે આવી હતી. ભારતના ઉત્તર પ્રદેશના દેવરિયા જનપદમાં એક યોગી રહેતા હતા જેમનું નામ હતું દેવરહા બાબા, કહેવાય છે કે દેવરહા બાબા એક સિદ્ધ મહાપુરુષ તથા સંત પુરુષ હતા. દુનિયાના ખૂણે-ખૂણાથી મહાન તથા પ્રસિદ્ધ લોકો તેમના દર્શન કરવા આવતા હતા. તેમના ચહેરા ઉપર એક અલગ પ્રકારની ચમક હતી અને લોકોનું તો એવું માનવું હતું કે બાબની પાસે ચમત્કારી શક્તિઓ પણ હતી.

પરંતુ આ બધા તથ્યોથી હટીને જે એક વાત દરેક કોઈના મનમાં આવતી હતી તે હતી સાચે જ બાબાની ઉંમર સાચે જ 900 વર્ષથી વધુ હતી? બાબાની ઉંમરને લઈને લોકોમાં અલગ-અલગ મતભેદ હતા. કેટલાક લોકો તેમનું જીવન 250 વર્ષનું માનતા હતા તો કેટલાકનું કહેવું હતું કે બાબાની ઉંમર 500 વર્ષની હતી.

પરંતુ આશ્ચર્ય તો ત્યારે થાય છે જ્યારે લોકો કહે છે કે તેમની ઉંમર 900 વર્ષથી વધુ હતી. પરંતુ બાબા કહેતા આવ્યા હતા કે તેમનો જન્મ, તેમનું જીવન આજના લોકોની વચ્ચે પહેલી બનેલું છે. કહે છે કે કોઈ નથી જાણતું કે દેવહરા બાબાનો જન્મ ક્યારે થયો હતો તેમની જન્મ તારીખ, જન્મ સ્થાન તથા તેઓ ક્યારે અને ક્યાંથી આવ્યા તે બધા જ તથ્યો અજ્ઞાત છે. ત્યાં સુધી કે તેમની યોગ્ય ઉંમરનું આંકલન પણ નથી. બસ લોકો એટલું જાણતા હતા કે તેઓ યૂપીના દેવરિયા જિલ્લાના રહેવાસી હતી. અને તેમને પોતાનો છેલ્લો શ્વાસ મંગળવાર 19 જૂન સન્ 1990માં યોગિની એકાદશીના દિવસે થયો હતો. બાબાના સંદર્ભમાં લોકો અલગ-અલગ કહાનીઓ સાંભળે છે, જેમાંથી એક કથા ખૂબ જ દિલચસ્પ છે.

devrah baba

બાબાની લગભગ 10 વર્ષ સુધી સેવા કરનાર માર્કન્ડેય મહારાજના કહેવા પ્રમાણે બાબા નિર્વસ્ત્ર રહેતા હતા. તેઓ ધરતીથી 12 ફૂટ ઉંચે લાકડાથી બનેલ એક બોક્સમાં રહેતા હતા અને માત્ર ત્યારે જ નીચે આવતા હતા જ્યારે તેમને સવારે સ્નાન કરવા જવું હોય.

એવું માનવામાં આવે છે કે બાબએ અનેક વર્ષો હિમાલયમાં સાધના કરી હતી. પરંતુ કેટલા વર્ષ તે કોઈ નથી જાણતું. કારણ કે હિમાલયમાં તેમની ઉપસ્થિતિ અજ્ઞાત હતી. હિમાલયની ગોદમાં જપ-તપ કર્યા પછી જ બાબા ઉત્તર પ્રદેશના દેવરિયા વિસ્તાર તરફ પ્રસ્થાન કર્યું હતું.

અહીં બાબાએ વર્ષો સુધી નિવાસ કર્યો અને પોતાના ધર્મ-કર્મથી લોકોની વચ્ચે પ્રચલિત થયા. દેવરિયામાં બાબા સલેમપુર તાલુકાથી થોડે જ દૂર સરયૂ નદીના કિનારે રહેતા હતા. આ એજ સ્થાન છે જ્યાં ભગવાન વિષ્ણુના સાતમા અવતાર શ્રીરામને ત્યાગીને પાછા વૈકુંઠ ફર્યા હતા.

આ નદીના કિનારે બાબાએ વર્ષો સુધી પોતાનો ડેરો જમાવી રાખ્યો હતો અને આ ક્ષેત્રથી જ બાબાને દેવરહા બાબાના નામ પ્રાપ્ત થયેલું. કહેવાય છે કે બાબા ખૂબ જ મોટા રામભક્ત હતા. તેમના ભક્તોએ હંમેશા તેમના મુખમાંથી રામ નામ સાંભળ્યું હતું.

devrah baba3

તેઓ પોતાના ભક્તોને પણ શ્રીરામના જીવન સાથે જોડાયેલા તથ્યો બતાવતા હતા અને તેમને જીવનમાં અપનાવવા માટે પ્રેરિત કરતા હતા. બાબા પોતાના ભક્તોના જીવનના કષ્ટોને ઓછા કરવા માટે શ્રીરામ અને શ્રીકૃષ્ણના મંત્ર આપતા હતા. તેઓ શ્રીરામ તથા શ્રીકૃષ્ણને એક જ માનતા હતા. આ બંને અવતારો સિવાય બાબા ગોસેવામાં પૂર્ણ વિશ્વાસ ધરાવતા હતા.

તેમની માટે જનસેવા તથા ગૌસેવા એક સર્વોપરિ-ધર્મ હતો. તેઓ પોતાની પાસે આવેલ દરેક ભક્તના લોકોની સેવા, ગૌમાતાનું રક્ષણ કરવા તથા ભગવાનની ભક્તિમાં રત રહેવાની પ્રેરણા આપતા હતા. તેઓ હંમેશા માટે લોકોને ગૌહત્યાની વિરુદ્ધમાં ઊભા રહેવાની પ્રેરણા આપતા હતા.

પ્રયાગરાજમાં ઈ.સ.1989માં મહાકુંભના પાવન પર્વ ઉપર વિશ્વ હિન્દુ પરિષદના મંચ ઉપરથી બાબાએ પોતાનો પાવન સંદેશો આપતા કહ્યું હતું કે- “દિવ્યભૂમી ભારતની સમૃદ્ધિ ગૌરક્ષા, ગૌસેવા વગર શક્ય નથી, ગૌહત્યને કલંકને દૂર કરવું જરૂરી છે”

devrah baba6
પરંતુ ઉંમરના સંદર્ભમાં જે પ્રકારે તથ્ય લોકો બતાવે છે કે તે ઘણું આશ્ચર્યજનક છે. લોકો કહે છે કે બાબાની શારીરિક અવસ્થા વર્ષો સુધી જેવી છે તેવી જ રહી હતી. જે કોઈ માણસે તેમને વર્ષો પહેલા જોયા હતા તેવો અનેક વર્ષો પછી જુએ તો પણ એ તો એવા જ દેખાતા હતા, તેમનામાં કોઈ બદલાવ મહેસૂસ થતો ન હતો.

બાબાના દર્શન કરવા આનનાર લોકો તેમને મળીને ઘણા પ્રસન્ન થતા હતા. બાબા હંમેશા થોડે ઊંચે બેસીને જ પોતાના ભકતોને મળતા હતા તથા બધાની વાતને ધ્યાનથી સાંભળતા હતા. લોકો કહે છે કે બાબા પોતાના ભક્તોને મળીને ઘણા ખુશ થતા હતા અને તેમને મનોવાંછીત ફળ પ્રદાન કરતા હતા.

તેમની પોતાના ભક્તોને પ્રસાદ આપવાની રીત પણ ઘણી આશ્ચર્યચકિત કરી દેનારી હતી જેની ઉપર વિશ્વાસ કરી શકવો મુશ્કેલ છે. કહેવાય છે કે જ્યારે કોઈ ભક્ત તેમને પ્રસાદની કામના કરતા હતા તો બાબા તેમના ઊંચા મચાન ઉપર બેસીને જ પોતાના મચાન(પાલખ)ના ખાલી ભાગમાં રાખતા હતા અને તેમના હાથમાં ફળ, મિઠાઈઓ અને અન્ય ખાદ્ય પદાર્થો પોતાના હાથમાં આપમેળે જ આવી જતા હતા.

devrah baba5

આ જોઈ લોકોને આશ્ચર્ય થતું હતું કે ખાલી પડેલા પાલખમાં બાબાનો પ્રસાદ કેવી રીતે આવી જતો હતો. કેટલાક લોકોનું માનવું હતું કે બાબા પોતાની અદ્રશ્ય શક્તિઓની મદદથી ગમે ત્યાં ચાલ્યા જતા હતા તથા પોતાના ભક્તો માટે પ્રસાદ લાવતા હતા. દેવરહા બાબા એ બાબતમાં પણ અનોખા હતા. એ માથે હાથ મૂકવાને બદલે માથે લાત મારીને આશીર્વાદ આપતા હતા.

લોકોનું એવું પણ કહેવું હતું કે બાબાએ વર્ષો સુધી પોતાના સૂક્ષ્મ શરીરમાં રહીને તપસ્યા પણ કરી હતી એટલા માટે તેમની ઉંમરનું યોગ્ય અનુમાન લગાવવું લોકો માટે વધુ મુશ્કેલ હતું. મોટાભાગે લોકો તેમની આટલી લાંબી જિંદગી જોઈને એવું અનુમાન લગાવતા હતા કે તેઓ ખૂબ જ પૌષ્ટિક આહાર લેતા હશે.

પરંતુ એવું બિલકુલ નથી. જનશ્રૃતિઓ પ્રમાણે બાબાએ પોતાના આખા જીવન દરમિયાન કશું જ ખાધુ ન હતું. તેઓ માત્ર દૂધ અને મધ પીને જીવતા હતા. તે સિવાય શ્રીફળનું પાણી પણ તેમને ખૂબ જ પસંદ હતું.

devrah baba7

દેવરહા બાબાની ચમત્કારી શક્તિઓથી આકર્ષિત થઈને દેશના અનેક જાણીતા લોકો પણ તેમના દર્શન કરતા આવતા હતા, આ લિસ્ટમાં છે ડો. રાજેન્દ્ર પ્રસાદ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, અટલ બિહારી વાજપેયી, લાલૂ પ્રસાદ યાદવ, મુલાયમ સિંહ અને કમલાપતિ ત્રિપાઠી જેવા રાજનેતાઓના નામ સામેલ છે.

કહેવાય છે કે દેશમાં કટોકટિ પછી થયેલી ચુંટણીઓમાં ઈન્દિરા ગાંધી હરી ગઈ હતી તો તેઓ દેવરહા બાબાની પાસે પોતાની સમસ્યાનો હલ માંગવા આવી હતી. ત્યારે બાબાએ પોતાના હાતના પંજાથી તેમને આશીર્વાદ આપ્યા હતા અને ત્યારથી કોંગ્રેસનું ચુંટણી ચિન્હ હાથનો પંજો છે. માન્યતા પ્રમાણે બાબને મળ્યા પછી ચુંટણીમાં ઈન્દિરા ગાંધીની જીત થઈ હતી.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

2000 વર્ષ પહેલાં ચાણક્ય કહી ગયા છે જીવન જીવવાની કામની વાતો, યાદ રાખજો આ સુવર્ણસૂત્રો!

કલીયુગમાં દરેક ક્ષેત્રમાં સફળતા,સુખ અને વિજય પ્રાપ્ત કરવા, પરિવાર અને જીવનમાં ઉતારો આચાર્ય ચાણક્યની આ સુવર્ણ નીતિઓ

ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

જાણો…આખરે યોગ શું છે? તેના 15 ચમત્કારી લાભ અને ધ્યાનમાં રાખો 10 સાવધાનીઓ…!!

yog1

શરીર અને મનનું સંતુલન એટલે યોગ. યોગ એ પ્રાચીન ભારતની એક બહુમૂલ્ય ભેટ છે. જે મન અને શરીર વચ્ચે સદ્દભાવ લાવવાં પર ધ્યાન કેન્દ્રિત કરે છે. યોગના મહત્વને વ્યાપક સમુદાય સુધી પહોંચાડવા યુનો દ્વારા ૨૧ જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. યોગની લોકપ્રિયતા આપણા દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ખૂબ વધારે છે. આ દિવસ નિમિત્તે યોગના મહત્વ અને તેના દ્વારા રોગ નિવારણ, સ્વાસ્થ્ય પ્રોત્સાહન અને ઘણી બધી જીવનશૈલીને લગતી વિકૃતિઓને દૂર કરવામાં યોગ કઈ રીતે કારગર છે તેના વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવશે. જેથી આજે અમે તમને જણાવીશું કે યોગ શું છે. કઈ રીતે તે ફાયદાકારક છે. યોગ કરવામાં કઈ-કઈ સાવધાનીઓ રાખવી જરૂરી છે. કોણ યોગ ન કરી શકે વગેરે.

યોગ શું છે?

“યોગ” શબ્દ એ સંસ્કૃતના ‘યુજ’ પરથી આવ્યો છે. યોગ એ સર્વગ્રાહી ખ્યાલ છે જે શરીર, મન, ભાવના અને શક્તિના એક સમાન સ્તર પર કામ કરે છે. આ યોગ વડે ચાર વ્યાપક વર્ગીકરણનો ઉદય થાય છે : કર્મ યોગ-જેમાં આપણે શરીરનો ઉપયોગ કરીએ, જ્ઞાનયોગ- જેમાં આપણે મનનો ઉપયોગ કરીએ, ભક્તિયોગ-જેમાં આપણે લાગણીઓનો ઉપયોગ કરીએ, ક્રિયાયોગ-જ્યાં આપણે શક્તિ (ઉર્જા)નો ઉપયોગ કરીએ છીએ.

પતંજલિ મુનિ દ્વારા યોગ વિજ્ઞાનમાં આઠ હાથના યોગને “અષ્ટાંગ યોગ” તરીકે વર્ણવ્યા છે. તે આ મુજબ છે :યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધારણા, ધ્યાન અને સમાધિ.યોગનું સૌથી સામાન્ય સ્વરૂપ એ છે કે તે દરેક આસન શરીર અને મનની શાંતિ માટે ઉપયોગી છે. આ દરેક આસનના જુદા જુદા ફાયદાઓ છે. આ દરેક આસનો તમારી ક્ષમતા અને યોગ શિક્ષકના માર્ગદર્શનમાં કરવામાં આવે તે ઇચ્છનીય છે.

આજે યોગ સમગ્ર દુનિયામાં લોકપ્રિય છે તેનું કારણ તે રોગ નિવારક અને ઉપકારી ભૂમિકા પૂરી પાડે છે એટલું જ નહીં પરંતુ તે સંખ્યાબંધ જીવનશૈલીને લગતા રોગો અને વિકૃતિઓને દૂર કરે છે. તે ખાસ કરીને માનસિક અને લાગણીમય તનાવની વ્યવસ્થામાં લાભદાયી દેખાય છે. તેથી વિશ્વભરમાં એક દિવસ માટે તંદુરસ્ત જીવનશૈલીના ભાગરૂપે યોગનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

આજના સમયમાં જીવનશૈલીમાં સ્થૂળતા, મધુપ્રમેહ, ઉચ્ચ રક્તદબાણ અને ચિંતાની વિકૃતિઓની સ્વાસ્થ્ય સમસ્યાઓ અત્યંત પ્રચલિત છે ત્યારે યોગ તેમાં સંપૂર્ણપણે સ્વાસ્થ્યપ્રદ અભ્યાસ પૂરો પાડી શકે છે. યોગની શારીરિક ક્ષમતા, માંસપેશીઓની ગતિવિધિઓ અને હૃદયના ધબકારાંના નિયંત્રણ માટે ફાયદાકારક છે.તે મધુપ્રમેહ, શ્વાસોશ્વાસની વિકૃતિઓ, વધારે પડતી ચિંતા અને બીજા જીવનશૈલીને ઘણાં બધી વિકૃતિઓનું વ્યવસ્થાપન કરે છે. તે હતાશા, થાક ગભરાહટની વિકૃતિઓ અને તનાવ ઘટાડવામાં પણ મદદ કરે છે.

યોગના આઠ અંગો છે – 1)યમ 2) નિયમ 3) આસન 4) પ્રાણાયમ 5)પ્રત્યાહાર 6) ધારણા 7)ધ્યાન 8)સમાધિ. ઉપરોક્ત આઠ અંગોના પોતાના ઉપ અંગ પણ છે. તાજેતરમાં યોગના ત્રણ જ અંગ ચલનમાં છે – આસન, પ્રાણાયામ, અને ધ્યાન.

સંપૂર્ણ વ્યાયામ : યોગાસન

વર્તમાન સમયમાં લોકો પોતાની વ્‍યસ્‍તતાથી ભરેલા જીવનશૈલીમાં શાંતિ પ્રાપ્ત કરવા માટે યોગ – ધ્‍યાન કરતા હોય છે. યોગને કારણે વ્‍યક્‍તિ માત્ર તણાવભરી સ્‍થિતિમાંથી બહાર આવે છે તેવું નથી, પરંતુ મન શાંત થાય છે અને શરીર પણ તંદુરસ્‍ત રહે છે. યોગ ખૂબ લાભકારી છે. તે મન અને શરીરને શક્‍તિ આપે છે, એટલું ન નહી, પરંતુ આત્‍માને પણ શુદ્ધ કરે છે.

યોગાસન એક ખુલ્લા, હવાની અવર-જવર થઇ શકે તેવા ઓરડામાં કરવા જોઇએ, જેથી શ્વાસ દ્વારા શરીરમાં શુદ્ધ વાયુ પહોંચી શકે.

શરીરને સ્વસ્થ રાખવા માટે વ્યાયામની અનેક વિધિઓ પ્રચલિત છે. પણ તેના માટે યોગાસન કરતા વધારે યોગ્ય કંઇ નથી. આસન શરીરને સ્વસ્થ રાખવા માટેનો વૈજ્ઞાનિક પ્રયોગ છે. આચાર્ય પતંજલિએ અષ્ટાંગયોગમાં યોગના આઠ અંગોનું વર્ણન કર્યું છે. આસન અષ્ટાંગ યોગમાં ત્રીજા ક્રમે આવે છે. આમ તો આસનોની સંખ્યા સેંકડોમાં છે પણ કેટલાક આસનો વધારે મહત્વના અને બધા માટે લાભદાયક છે કારણ કે આસન સૂક્ષ્મ વ્યાયામ છે માટે તેને કરવા માટે કેટલાક નિયમો પાળવા જરૂરી છે.

યોગાસન શારીરિક સ્વાસ્થ્ય માટે વરદાન રૂપ છે

1) યોગાસનોનો સહુથી મોટો ગુણ છે કે તે સહજ સાધ્ય અને સર્વસુલભ છે. યોગાસન એવી વૈજ્ઞાનિક અને પ્રામાણિક વ્યાયામ પદ્ધતિ છે જેમાં ન તો કંઇ વિશેષ ગુમાવવાનું છે કે ન તો આવશ્યકતા છે કોઇ વધારે સાધન-સામગ્રીની.

2) યોગાસન અમીર-ગરીબ, વૃદ્ધ-જુવાન, નિર્બળ-સબળ બધા સ્ત્રી-પુરુષ કરી શકે છે.

3) આસનોમાં જ્યાં માંસપેશીઓને ખેંચવાની ક્રિયાઓ કરવી પડે છે, ત્યાં બીજી તરફ તણાવ-ખેંચાણ દૂર કરવાની ક્રિયા પણ કરવામાં આવે છે. જેનાથી શરીરનો થાક દૂર થાય છે અને આસનોમાં વ્યય થયેલી શક્તિ પરત મળે છે. શરીર અને મનને તાજગીની સાથે આધ્યાત્મિક લાભ પણ થાય છે.

4) યોગાસનો દ્વારા આંતરિક ગ્રંથિઓ પોતાનું કાર્ય સારી રીતે કરી શકે છે અને યુવાવસ્થા જાળવી રાખવા વીર્ય રક્ષામાં મદદરુપ બને છે.

5) યોગાસનો દ્વારા પેટની યોગ્ય સફાઇ થાય છે અને પાચન અંગ પુષ્ટ બને છે. પાચન-સંસ્થાનમાં કોઇ ગરબડ ઉદ્ભવતી નથી.

6) યોગાસન મેરુદંડના હાડકાને લચીલા બનાવે છે અને વ્યય થયેલી નાડી શક્તિની પૂર્તિ કરે છે.

7) યોગાસન પેશીઓને શક્તિ પ્રદાન કરે છે. તેનાથી શરીરનો મોટાપો ઘટે છે અને દુર્બળ-પતલી વ્યક્તિ તંદુરસ્ત બને છે.

8) યોગાસન સ્ત્રીઓની શરીર રચના માટે વિશેષ અનુકૂળ છે. યોગાસન કરતી સ્ત્રીઓમાં સુંદરતા, સુઘડતા અને ગતિનો ઉમેરો થાય છે.

9) યોગાસનો દ્વારા બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે અને ધારણા શક્તિને નવી સ્ફૂર્તિ અને તાજગી મળે છે.

10) યોગાસન સ્ત્રીઓ અને પુરુષોને સંયમી અને આહાર-વિહારમાં મધ્યમ માર્ગનું અનુકરણ કરતા શીખવે છે, મન અને શરીરને સ્થાયી તથા સંપૂર્ણ સ્વાસ્થ્ય મળે છે.

11) યોગાસન શ્વાસ ક્રિયાનું નિયમન કરે છે, હૃદય અને ફેફસાને બળ પુરુ પાડે છે, લોહી શુદ્ધ કરે છે અને મનમાં સ્થિરતા ઉત્પન્ન કરી સંકલ્પ શક્તિ વધારે છે.

12) યોગાસન શારીરિક સ્વાસ્થ્ય માટે વરદાન રુપ છે કારણ કે તેનાથી શરીરના સમસ્ત ભાગો પર પ્રભાવ પડે છે અને તે પોતાના કાર્યો સારી રીતે કરી શકે છે.

13) આસન રોગ વિકારોને નષ્ટ કરે છે, રોગો સામે રક્ષણ કરે છે, શરીરને નિરોગી, સ્વસ્થ અને બળવાન બનાવી રાખે છે.

14) આસનો દ્વારા નેત્રોની જ્યોતિ વધે છે. આસનોનો નિરંતર અભ્યાસ કરતી વ્યક્તિને ચશ્મા પહેરવાની જરૂર રહેતી નથી.

15) યોગાસન દ્વારા શરીરના પ્રત્યેક અંગને વ્યાયામ મળે છે. જેનાથી શરીર પુષ્ટ, સ્વસ્થ અને સુદ્રઢ બને છે. આસન શરીરના પાંચ મુખ્યાંગો, સ્નાયુ તંત્ર, રક્તાભિગમન તંત્ર, શ્વાસોચ્છવાસ તંત્રની ક્રિયાઓનું વ્યવસ્થિત રીતે સંચાલન કરે છે. જેનાથી શરીર પૂર્ણ રુપે સ્વસ્થ બનેલું રહે છે અને કોઇ રોગ નથી થતો. શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક દરેક ક્ષેત્રના વિકાસમાં આસનોનો અધિકાર છે. અન્ય વ્યાયામ પદ્ધતિઓ માત્ર બાહ્ય શરીરને જ પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે, જ્યારે યોગાસન માનવનો સંપૂર્ણ વિકાસ સાધે છે.

યોગના આ ફાયદા પણ છે:

> ઉંઘ સારી આવે છે.
> શરિરમાં ઉર્જા અને શક્તિનો સંચાર કરે છે.
> બ્લડપ્રેશરને કાબુ રાખવામાં મદદ કરે છે.
> દુખાવા ઉપર કાબૂ મેળવવામાં મદદ કરે છે.
> ચયાપચયાની ક્રિયાને સારી બનાવે છે.
> રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
> શ્વાસોચ્છાવસ ક્રિયાને સારી બનાવે છે.
> લોહીના પરિભ્રમણને સુધારે છે.
> વજન ઘટાડવામાં મદદ કરે છે.
> માનસિક તાણ અને ચિંતા પર કાબૂ મેળવવામાં મદદ કરે છે
> યાદ શક્તિ વધારે છે
> ડાયાબિટીશના દર્દીઓને બ્લડ શૂગરનું લેવલ પર કંટ્રોલ રાખવામાં મદદ કરે છે.
> હ્રદય સબંધિત બિમારીઓ થવાની સંભાવનાઓ ખુબજ ઓછી છે

આસનોની શરૂઆત પહેલાની સાવધાની –

આસનો શીખતા પહેલા કેટલીક આવશ્યક સાવધાનીઓ પર ધ્યાન રાખવું જરૂરી છે. આસન પ્રભાવકારી અને લાભદાયક ત્યારે જ બની શકે છે જ્યારે તેને યોગ્ય રીતે અમલમાં મૂકવામાં આવે.

1. યોગાસન શૌચક્રિયા અને સ્નાન પતાવ્યા બાદ જ કરવા જોઇએ.

2. યોગાસન સમતળ જમીન પર એક આસન પાથરીને કરવા જોઇએ, દરમિયાન ઋતુ અનુસાર વસ્ત્રો પહેરવા.

3. યોગાસન એક ખુલ્લા, હવાની અવર-જવર થઇ શકે તેવા ઓરડામાં કરવા જોઇએ, જેથી શ્વાસ દ્વારા શરીરમાં શુદ્ધ વાયુ પહોંચી શકે. બહારના ખુલ્લા વાતાવરણમાં પણ આ અભ્યાસ કરી શકાય છે, પણ વાતાવરણ શાંત હોય તે જરૂરી છે.

4. આસન કરતી વખતે વધારે પડતુ જોર ન લગાવવું. પ્રારંભમાં આપની માંસપેશીઓ કઠણ થશે, પણ અમુક અઠવાડિયા પછી નિયમિત અભ્યાસ કરવાથી શરીર લચીલું બની જશે. આસનો ધૈર્ય રાખીને કરવા જોઇએ. શરીરની સાથે વધારે જબરદસ્તી ન કરવી.

5. માસિકધર્મ, ગર્ભાવસ્થા, તાવ, ગંભીર બીમારી વગેરે દરમિયાન આસનો ન કરવા. ‘

6. યોગાભ્યાસીએ એવું જ ભોજન લેવું જોઇએ જે પચવામાં સરળ હોય. ભોજનની માત્રા પણ શરીરને યોગ્ય હોવી જોઇએ. વજ્રાસન સિવાયના બધા યોગ ખાલી પેટે કરવા જોઇએ.

7. આસનના પ્રારંભ અને અંતમાં વિશ્રામ કરો. આસન વિધિપૂર્વક કરો. પ્રત્યેક આસન બંને તરફથી કરવા તથા તેનો પૂરક અભ્યાસ પણ કરવો.

8. જો આસન કરતી વેળાએ શરીરના કોઇ અંગમાં વધારે પીડા થાય તો યોગ ચિકિત્સકની સલાહ લેવી.

9. જો આંતરડામાં વાયુ, વધારે ગરમી કે રક્તમાં વધારે અશુદ્ધતા હોય તો માથાના બળ પર કરવામાં આવતા આસનો કરવા.

10. યોગનો પ્રારંભ કરતા પહેલા અંગ-સંચાલન કરવું આવશ્યક છે. તેનાથી અંગો જકડાવાની મુશ્કેલી દૂર થશે તથા શરીર આસનો માટે તૈયાર થશે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

ALL IN ONE: રોજ યોગ કરવાથી મળતાં આ 10 જબરદસ્ત ફાયદા ચોક્કસ જાણો

સનબર્નથી એકદમ કાળી પડેલી ત્વચા માટે, કરો 14 ચમત્કારી ઘરેલૂ ઉપાય
કેમ આવે છે પરસેવામાં ગંદી વાસ? આ ઝિંક ડાયટથી મેળવો કાયમી છુટકારો

યુવકો-યુવતીઑ ની મુખ્ય સમસ્યા ચહેરાના ખીલ-ખાડાને કાયમ કરો દૂર, અપનાવો આ શ્રેષ્ઠ ઘરગથ્થુ નુસખા-ઉપાયો.

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

All In One: રોજ યોગ કરવાથી મળતાં આ 10 જબરદસ્ત ફાયદા ચોક્કસ જાણો

yog

યૂનોએ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યા બાદ 21 જૂને પ્રથમ વખતે યોગ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવશે. આખી દુનિયાએ યોગની શક્તિ સ્વીકારી લીધી છે. જેથી આજે અમે તમને યોગથી થતાં કેટલાક ચમત્કારી સ્વાસ્થ્ય ફાયદા વિશે જણાવીશું.

યોગ એટલે શરીરને અસંભવ લાગનારી મુદ્રાઓમાં વાળવાથી કંઈક વિશેષ છે. તેનાથી મગજ અને શરીરનું સંગમ થાય છે. જેથી માનસિક અને શારિરીક કસરતથી અકલ્પિત સ્વાસ્થ્ય લાભ થાય છે. હાઈ બ્લડપ્રેશરનું સામાન્ય થવું, તણાવમાં રાહત, સ્થૂળતા અને કોલેસ્ટ્રોલ પર નિયંત્રણ જેવા રોગોમાં સકારાત્મક પરિણામોને કારણે યોગ આજે યોગને વૈશ્વિક સ્તરે સ્વીકૃતિ મળી છે. રોજ યોગ કરવાથી શરીર સુંદર, સુડોળ અને નિરોગી રહે છે. યોગ કરવાથી મનને અપાર શાંતિની અનુભૂતિ થાય છે.

તમે વિચારી પણ નહીં શકો કે યોગ કરવાથી તમને કેવા દુર્લભ સ્વાસ્થ્ય ફાયદા થઈ શકે છે. શરીર અને મનને તરોતાજા રાખવા માટે, શરીરની નષ્ટ થયેલી ઊર્જા અને શક્તિની પૂર્તિ કરવા માટે અને આધ્યાત્મિક લાભની દ્રષ્ટિએ પણ યોગાસન અતિમહત્વપૂર્ણ છે. તો ચાલો આજે તમને જાણી લો યોગ કઈ રીતે દૂર કરે છે રોગ.

સ્વસ્થ હૃદય

એવા વિવિધ આસન જેનાથી તમે થોડા સમય માટે શ્વાસ રોકી શકો છો, તે તમારા હૃદય અને ધમનીઓને સ્વસ્થ રાખે છે. યોગ એ લોહીના પરિભ્રમણ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેનાથી લોહી ઘટ્ટ નથી થતું અને હૃદય હમેશા સ્વસ્થ રહે છે.

દુઃખાવામાં આપે છે કાયમી રાહત

યોગ કરવાથી શરીરમાં લચીલાપણું અને શક્તિ વધે છે જેથી શરીરમાં થતાં દુખાવા, કમરનો દુખાવો, સાંધાના દુખાવા જેવી સમસ્યાઓ દૂર થઈ જાય છે. નિષ્ણાંતો મુજબ જે લોકો બેસીને કાર્ય કરે છે અથવા તો લાંબા સમય સુધી ડ્રાઈવિંગ કરે છે તેમને નિયમિત રીતે યોગ કરવો જોઈએ કારણ તે યોગથી કરોડરજ્જુમાં દબાણ અને જકળાઈ જવાથી રાહત મળે છે. આ સાથે જ તમારા શરીરના બંધારણને સુધારે છે જેથી ખરાબ મુદ્રાને કારણે દુખાવાથી બચી શકાય છે.

મનની શાંતિ

યોગના એવા આસનો જેમાં સંપૂર્ણ રીતે શ્વાસ લેવો અને સંતુલનવાળા આસનો પર કેન્દ્રિત થવાને કારણે મગજ શાંત રહે છે અને શરીરમાં પણ સંતુલન અને નિયંત્રણ જળવાય છે. જેથી યોગમાં આપણે મગજના બન્ને ભાગનો પ્રયોગ કરીએ છીએ જેથી આંતરિક પરિભ્રમણ સારું થાય છે જે કદાચ આપણે રોજિંદા કાર્યોથી હાંસલ કરી શકતા નથી. યોગ કરવાથી આપણે આપણા મગજના વિચાર અને સૃજનાત્મકતાવાળા ભાગમાં સંતુલન સ્થાપિત કરી શકીએ છીએ. જેથી રોજ યોગ કરવાથી મનને અપાર શાંતિનો અનુભવ થાય છે.

સંપૂર્ણ સ્વાસ્થની પ્રાપ્તિ

સારું સ્વાસ્થ્ય માત્ર બીમારીઓથી દૂર રહેવું એ જ નથી પરંતુ પોતાના મન અને લાગણીઓની વચ્ચે સંતુલન સ્થાપિત કરવું છે. નિયમિત યોગ કરવાથી સંપૂર્ણ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે, યોગ કરવાથી ન માત્ર બીમારીઓ દૂર થાય છે પરંતુ આ તમને ગતિશીલ, ખુશ અને ઉત્સાહી પણ બનાવે છે. જેથી યોગ નિયમિત કરવો જ જોઈએ.

લોહીનું પરિભ્રમણ

વિવિધ યોગ મુદ્રાઓ અને શ્વાસ ક્રિયાઓના સમન્વયને કારણે યોગથી શરીરમાં ખૂબ જ સારી રીતે લોહીનું પરિભ્રમણ થાય છે. જો શરીરમાં યોગ્ય રીતે લોહીનું પરિભ્રમણ થાય તો શરીરને સરખી રીતે ઓક્સીજન અને પોષક તત્વો મળી રહે છે. જેના કારણે ત્વચા અને આંતરિક અંગો સ્વસ્થ રહે છે.

સ્થૂળતા માટે યોગ

સૌથી પહેલાં અમે તમને જણાવીએ કે યોગથી સપાટ પેટ કેવી રીતે મેળવી શકો તે પહેલાં તમારે આ વાત જાણવી જરૂરી છે કે માત્ર કોઈ એક કસરતથી આ સંભવ નથી. જેથી જો તમને કોઈ એક યોગ કે કસરત દ્વારા પેટ સપાટ કરવાનું કહે છે તો તમારે કોઈ યોગ્ય યોગ ચિકિત્સકની સલાહ લેવાની જરૂર છે. કારણ કે યોગ એવો હથિયાર છે જે શરીર પરની હઠીલી ચરબીને દૂર કરે છે. તો યોગ કરશો તો તમે સ્થૂળતા અને શરીરના કેટલાક ભાગો પર વધતી ચરબીથી બચી શકો છો.

સારા શ્વાસ માટે

યોગની વિવિધ ઊંડા અને મંદ શ્વાસની પ્રક્રિયાઓને કારણે ફેફસા અને પેટની ક્ષમતા વધે છે. યોગ નિયમિત કરવાથી દૈનિક કાર્યક્ષમતા અને સહનશક્તિમાં વધારો થાય છે. ઊંડા શ્વાસ લેવાથી વિવિધ પ્રકારના ભૌતિક અને માનસિક તાણમાંથી મુક્તિ મળે છે.

સંતુલન વધે છે

ખરાબ શારીરિક મુદ્રાથી વૃદ્ધાવસ્થાની સાથે સંતુલન બગડવાની સંભાવના રહે છે. એવું આપણી વ્યસ્ત જીવનશૈલીમાં ઓછું કે જરા પણ કામ ન કરવાને કારણે થાય છે. જેના કારણે પડી જવું કે વાગી જવું, હાડકા ટૂટી જવા, પીઠ સંબંધી સમસ્યાઓ અને અન્ય વિકારો થાય છે. યોગથી ગુમાવેલા સંતુલન અને નિયંત્રણને ફરી પામી શકાય છે. યોગ કરવાથી તમારી સંતુલન ઈન્દ્રિય પ્રબળ બને છે. જેથી શક્તિ અને લચીલાપણું પ્રાપ્ત થાય છે. જેથી મગજ તેજ ચાલે છે અને તમે તમારી પ્રતિક્રિયાઓને સારી રીતે નિયંત્રિત કરી શકવામાં સક્ષમ બનો છો.

તણાવને દૂર કરે છે

નિયમિત યોગ કરવાથી તણાવની સમસ્યા ક્યારેય થતી નથી. ભાગદોડવાળી દિનચર્યા બાદ યોગ કરવાથી આખા દિવસનો થાક, તાણ બધુ ભાગી જાય છે. એવું નથી કે માત્ર યોગથી પણ કોઈપણ પ્રકારની કસરતથી પણ આવું સંભવ છે. પરંતુ યોગ એ બેસ્ટ ઉપાય છે. યોગ દ્વારા ધ્યાન કેન્દ્રિત કરી અને સટીક શ્વાસ પ્રક્રિયાને અપનાવવામાં આવે તો તણાવથી મુક્તિ મળે છે.

ગર્ભાવસ્થામાં યોગ

જો તમે ગર્ભવતી છો અને સ્વસ્થ રહેવા માગો છો તો નિયમિત રીતે યોગ અવશ્ય કરો. આ દરમિયાન યોગ કરવાથી તમારું શરીર મજબૂત બનશે. રોજ યોગ કરવાથી થાક દૂર થશે, તણાવ ઘટશે, સ્નાયુઓમાં ખેંચાણ અને લચીલાપણું આવશે અને લોહીનું પરિભ્રમણ, પાચન, શ્વસન અને સ્નાયુ તંત્ર પર નિયંત્રણ જેવા આંતરિક લાભ પણ થશે. જો ગર્ભવતી સ્ત્રીઓ યોગ કરે તો તેમને ઉંઘ ન આવવી, કમરનો દુખાવો, પગમાં ખેંચાણ અને અપચા જેવી સમસ્યાઓમાંથી પણ છુટકારો મળે છે. પરંતુ કોઈ કોઈ ચિકિત્સકની સલાહ મુજબ યોગ કરવું હિતાવહ છે.

આસનો કયા સમયે કરવા ?

આસનો વહેલી સવારે કે સાંજે કરી શકાય. સવારે કરવાથી વધુ લાભ થાય છે, કારણ કે સવારે વિચારો ઓછા હોય છે, મન પ્રફુલ્લિત હોય છે અને આસનો કર્યા પછી આખો દિવસ તાજગીનો અહેસાસ રહે છે. સ્નાન કર્યા પછી આસનો કરવા એ વધુ સારું છે.

આસનો હંમેશા ખાલી પેટે કરવા. ખાધા પછી દોઢેક કલાકના સમય બાદ જ આસનો કરવા. આસનો કર્યા પછી કલાક સુધી ભોજન ન કરવું.

યોગ ઘરમાં, બગીચા, યોગા ક્લાસિસ કે કોઈ શાંત જગ્યાએ પણ અને ગમે તે સમયે કરી શકાય છે.

એક વખત ઉતારેલું વજન જાળવી રાખવા માટે યોગ સારો અને સરળ રસ્તો છે.

દિવસમાં ૪૫ મિનિટથી ૬૦ મિનિટ યોગ કરવો જોઇએ. યોગ એ વ્યક્તિના મેટાબોલિઝમને સીધી રીતે અસર કરે છે. આ ઉપરાંત શરીરના જુદા જુદા હોર્મોન્સને બેલેન્સ કરે છે.

યોગ કરતી વખતે આટલું ધ્યાનમાં રાખો

– યોગ કરવા માટે સૌથી સારો સમય સવારનો છે કારણ કે આ સમયે મન શાંત હોય છે. તેથી યોગ કરવાનું સરળ પડે છે .

– યોગ કરવાની જગ્યા શાંત, સ્વચ્છ હોવી જોઇએ. યોગ શરૂ કરતાં પહેલાં આંતરડાં સ્વચ્છ હોવા જોઇએ. આ ઉપરાંત, બ્લેડર પણ ખાલી હોવું જોઇએ. નાક સાફ કરી અને ગળું ખંખેરીને યોગ કરવાનું શરૂ કરો. બની શકે તો એકાદ ગ્લાસ પાણી પીઓ.

– યોગ કરતી વખતે કપડાં ઢીલાં અને કમ્ફર્ટેબલ પહેરવાં જરૂરી છે. કોટન અથવા લાયક્રાના પેન્ટ અને શર્ટ પહેરવા સૌથી સારા પડે છે.

– ધીરે ધીરે યોગ કરવાની શરૂઆત કરવી જોઇએ. શરૂઆતમાં સહેલા અને સરળ આસનો કરવા. ધીરે ધીરે વધુ અઘરા આસનો તરફ વળવું.

– યોગ કરતાં વચ્ચે વચ્ચે બ્રેક લેવો જરૂરી છે. યોગ દરમિયાન શ્વાસોચ્છવાસનું નિયમન જરૂરી છે અને તે શિક્ષકે શીખવાડ્યા પ્રમાણે જ કરવું.

– યોગ દરમિયાન કોઇ જાતનો દુખાવો શરૂ થાય અથવા શરીરમાં કંઇ તકલીફ જેવું લાગે તો યોગ કરવાનું તરત જ અટકાવી દેવું.

– યોગ કરવા માટે સારા મટિરિયલમાંથી બનેલું આસન રાખવું.

– યોગ દરમિયાન પોશ્ચર બહુ જ મહત્વનું છે. જો ખોટી રીતે યોગ અને વિવિધ પ્રકારના આસનો કરવામાં આવે તો કમર કે ગળાનો કાયમી દુખાવો થઇ શકે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

આ 10 વસ્તુઓનું નિયમિત સેવન કરવાથી, હઠીલી કબજિયાત થશે દૂર

સનબર્નથી એકદમ કાળી પડેલી ત્વચા માટે, કરો 14 ચમત્કારી ઘરેલૂ ઉપાય
કેમ આવે છે પરસેવામાં ગંદી વાસ? આ ઝિંક ડાયટથી મેળવો કાયમી છુટકારો

યુવકો-યુવતીઑ ની મુખ્ય સમસ્યા ચહેરાના ખીલ-ખાડાને કાયમ કરો દૂર, અપનાવો આ શ્રેષ્ઠ ઘરગથ્થુ નુસખા-ઉપાયો.

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.