Category Archives: ભારતીય સંસ્કૃતી भारतीय संस्कृति Indian Culture

એવી સમસ્યા જેનો કોઇ તોડ ન હોય, તો કરો હનુમાન પૂજા, દરેક સંકટો દૂર કરશે હનુમાનજી…!!

hanumandada3

શ્રાવણમાં કરો આ 7માંથી કોઇ 1 ઉપાય, દરેક સંકટો દૂર કરશે હનુમાન!

શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધનાનું વિશેષ મહત્વ છે. હનુમાનજી પણ ભગવાન શિવના જ અવતાર છે. એવી માન્યતા છે કે હનુમાનજી અમર છે, તેમને અમરતાનું વરદાન માતા સીતાએ આપ્યું હતું. આ માન્યતા મુજબ, શ્રાવણમાં આવનાર દરેક મંગળવારે જો હનુમાનજીને પ્રસન્ન કરવાના થોડાં સરળ ઉપાય કરવામં આવે તો ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઇ શકે છે. હનુમાનજીને પ્રસન્ન કરવાના ઉપાય આ પ્રકારે છે….

1. શ્રાવણમાં કોઇપણ મંગળવારે હનુમાનજીને સિંદૂરનો ચોલો અર્પણ કરવો. ચોલા અર્પણ કરતાં પહેલાં સ્વયં સ્નાન કરી શુદ્ધ થઇ જવું અને સાફ વસ્ત્ર ધારણ કરવાં. માત્ર લાલ રંગની ધોતી પહેરશો તો વધારે સારું રહેશે. ચોલા અર્પણ કરવા માટે ચમેલીના તેલનો ઉપયોગ પણ કરી શકાય છે. સાથે જ, ચોલા અર્પણ કરતી સમયે એક દીપક હનુમાનજી સામે પ્રગટાવીને રાખી દેવો. દીપકમાં ચમેલીના તેલનો જ ઉપયોગ કરવો.

ચોલા અર્પણ કર્યા પછી હનુમાનજીને ગુલાબના ફૂલની માળા પહેરાવવી અને કેવડાના અત્તરનો હનુમાનજીની મૂર્તિના બંન્ને ખંભા પર થોડો-થોડો છંટકાવ કરવો. હવે એક સાબૂત પાન લઇ તેના ઉપર ગોળ અને ચણા રાખીને હનુમાનજીને તેનો ભોગ લગાવવો. ભોગ લગાવ્યાં પછી તે જ સ્થાન પર થોડી વાર બેસીને તુલસીની માળાથી નીચે લખાયેલ મંત્રનો જાપ કરવો. આ મંત્રનો જાપ ઓછામાં ઓછી પાંચ માળા કરવો.

મંત્રઃ- राम रामेति रामेति रमे रामे मनोरमे।
सहस्त्र नाम तत्तुन्यं राम नाम वरानने।।

હવે હનુમાનજીને અર્પણ કરેલાં ગુલાબના ફૂલની માળાથી એક ફૂલ તોડીને તેને એક લાલ કપડામાં લપેટવું અને ઘરના ધન સ્થાન અથવા તિજોરીમાં રાખવું. તમારા ધનમાં ક્યારેય કમી આવશે નહીં.

2. મંગળવારે ઘરમાં પારદ (એક પ્રકારની વિશેષ ધાતુ)થી બનેલી હનુમાનજીની પ્રતિમા સ્થાપિત કરવી. તંત્ર શાસ્ત્ર મુજબ, પારદથી બનેલી હનુમાન પ્રતિમાની પૂજા કરવાથી બગડેલાં કામ પણ બની જાય છે. પારદથી નિર્મિત હનુમાન પ્રતિમાને ઘરમાં રાખવાથી બધા જ પ્રકારના વાસ્તુદોષ આપમેળે જ દૂર થઇ જાય છે. સાથે જ, ઘરનું વાતાવરણ પણ શુદ્ધ થઇ જાય છે. રોજ પારદ હનુમાનજીની પૂજા કરવાથી ઘરમાં કોઇપણ પ્રકારના તંત્રની અસર થતી નથી અને સાધક પર પણ કોઇ પ્રકારની તંત્ર ક્રિયાનો પ્રભાવ પડતો નથી. જો કોઇ વ્યક્તિને પિતૃદોષ હોય તો તેણે દરરોજ પારદના હનુમાનજીની પૂજા કરવી જોઇએ. આવું કરવાથી પિતૃદોષ સમાપ્ત થઇ જાય છે.

3. શ્રાવણ મહિનાના કોઇપણ મંગળવારે સાંજના સમયે કોઇ એવા મંદિર જવું, જ્યાં ભગવાન શ્રીરામ અને હનુમાન બંન્નેની પ્રતિમાં હોય. ત્યાં જઇને શ્રીરામ અને હનુમાનજીની પ્રતિમાં સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી ત્યાં ભગવાન શ્રીરામની પ્રતિમાની સામે બેસીને હનુમાન ચાલીસા અથવા હનુમાન પ્રતિમાની સામે બેસીને રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો. આ ઉપાયથી ભગવાન શ્રીરામ અને હનુમાનજી બંન્નેની કૃપા તમને પ્રાપ્ત થશે.

4. મંગળવારે સવારે સ્નાન વગેરે કર્યા પછી વડના વૃક્ષથી 11 અથવા 21 પાન તોડી લાવવાં. ધ્યાન રાખવું તે આ પાન પૂર્ણ રીતે સાફ અને સાબૂત હોય. હવે તેને સ્વચ્છ પાણીથી ધોઇ લેવા અને તેના ઉપર ચંદનથી ભગવાન શ્રીરામનું નામ લખવું. હવે આ પાનની એક માળા બનાવવી. માળા બનાવવા માટે પૂજામાં ઉપયોગ કરવામાં આવતાં રંગીન દોરાનો ઉપયોગ કરવો. હવે નજીકમં રહેલાં કોઇ હનુમાન મંદિર જવું અને હનુમાન પ્રતિમાને આ માળા પહેરાવવી. હનુમાનજીને પ્રસન્ન કરવાનો આ ખૂબ જ પ્રાચીન ટોટકો છે.

5. શ્રાવણમાં કોઇ મંગળવાર સવારે સ્નાન કર્યા પછી વડના વૃક્ષનું એક પાન તોડી લેવું અને તેને સાફ પાણીથી સાફ કરવું. હવે આ પાનને થોડીવાર માટે હનુમાનજીની પ્રતિમા સામે રાખી તેના ઉપર કેસરથી શ્રીરામ લખવું.

હવે આ પાનને તમારે તમારા પર્સમાં રાખી લેવું. વર્ષભર તમારું પર્સ પૈસાથી ભરેવું રહશે. ત્યાર પછી જ્યારે હનુમાન જયંતીનો પર્વ આવે ત્યારે આ પાનને કોઇ નદીમાં પ્રવાહિત કરી દેવું અને આ પ્રકારે એક અન્ય પાન અભિમંત્રિત કરી પોતાના પર્સમાં રાખી લેવું.

6. જો તમે શનિદોષથી પીડિત છો તો મંગળવારે કાળા અડદ અને કોલસાની એક પોટલી બનાવવી. તેમાં એક રૂપિયાનો સિક્કો રાખવો. ત્યાર પછી આ પોટલીને પોતાની ઉપરથી ઉતારવી. ત્યાર પછી તેને કોઇ નદીમાં પ્રવાહિત કરી દેવી અને પછી કોઇ હનુમાન મંદિરમાં જઇને રામના નામનો જાપ કરવો. આવું કરવાથી શનિદેવનો પ્રભાવ શાંત થઇ જશે.

7. શ્રાવણમાં કોઇ મંગળવાર હનુમાનજી મંદિર જવું અને ત્યાં બેસીને રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો. ત્યાર પછી હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ લગાવવો. જીવનમાં જો કોઇ સમસ્યા છે તો તેનું નિવારણ કરવા માટે પ્રાર્થના કરવી.
જિંંદગીની દરેક પળ સુખી બનાવવા, રોજ સૂતા પહેલાં કરો હનુમાનનો આ ઉપાય

જે લોકોના જીવનમાં પરેશાનીઓ અને નિરાશાનો સમય ચાલી રહ્યો હોય તેમની માટે અહીં બતાવેલ ખાસ ઉપાય કરવા જોઈએ. તેની સાથે જ જે લોકો પૂરી રીતે સુખી અને ધનવાન છે તેઓ પણ આ ઉપાય કરી શકે છે. જેના લીધે તેમના જીવનમાં દુઃખ ન આવે. આ ઉપાય હનુમાન ચાલીસા સંબંધિત છે અને તેને સ્ત્રી કે પુરુષ, બાળકો કે વડીલો બધા આસાનીથી કરી શકે છે. આ ઉપાય તમારે સૂતા પહેલાં કરવાના છે.

હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવાનો સૌથી સરળ અને ચમત્કારી ઉપાય છે હનુમાન ચાલીસાનો પાઠ. હનુમાન ચાલીસા ખૂબ જ સરળ અને મનને શાંતિ પ્રદાન કરનારી છે. જે લોકો ધનના અભાવથી ગ્રસ્ત છે કે ઘર-પરિવારમાં પરેશાનીઓ ચાલીરહી છે કે ઓફિસમાં બોસ અને સહયોગીઓ સાથે સંબંધો બગડેલા છે કે સમાજમાં સન્માન નથી મળી રહ્યું કે સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ હોય તો તેને દૂર કરવા માટે હનુમાન ચાલીસાનો આ ઉપાય શ્રેષ્ઠ રસ્તો છે.

જે લોકો મસ્તિષ્ક સાથે સંબંધિત કામમાં લાગેલા રહે છે અને માનસિક તણાવનો સામનો કરે છે કે જેમનું મગજ અન્ય લોકોની સરખામણીમાં તેજ નથી તો તેમને રોજ રાત્રે સૂતા પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.

बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार।
बल बुद्धि विद्या देहु मोहि हरेहू कलेश विकार।

આ પંક્તિમાં હુનુમાનને એ પ્રાર્થના કરવામાં આવી છે કે હે પ્રભુ હું પોતાને બુદ્ધિહીન માનીને તમારું ધ્યાન કરું છું. કૃપા કરો અને મને શક્તિ, બુદ્ધિ, વિદ્યા આપો. મારા બધા કષ્ટ-કલેશ દૂર કરો.

-તમે ઈચ્છો તો સૂતા પહેલા હનુમાન ચાલીસા સાંભળી પણ શકો છો કે જાપ પણ કરી શકો છો. હનુમાન ચાલીસા સાંભળવા માટે આજકાલ અનેક પ્રકારના સહજ માધ્યમો ઉપલબ્ધ છે જેમ કે મોબાઈલમાં હનુમાન ચાલીસાની ઓડિયો ફાઈલ સેવ કરી શકાય છે. જ્યારે તમારું મન હોય ત્યારે તમે આસાનીથી મોબાઈલની મદદથી હનુમાન ચાલીસા સાંભળી શકો છો.

જે લોકોને ખરાબ સપના આવતા હોય, ઊંઘમાં ડરી જતા હોય તેમને સૂતા પહેલા આ પંક્તિઓનો જાપ કરવો જોઈએ.

भूत-पिशाच निकट नहीं आवे।
महाबीर जब नाम सुनावे।

આ પંક્તિના માધ્યમથી ભક્ત દ્વારા હનુમાન સાથે ભૂત-પિશાચ વગેરેના ડરથી મુક્તિ અપાવવાની પ્રાર્થના કરવામાં આવે છે.

સૂતા પહેલાં જે પણ વ્યક્તિ આ પંક્તિનો જાપ કરે છે તેનાથી કોઈ ખરાબ સપના નથી આવતા કે કોઈ ભય નથી સતાવતો.

જો કોઈ વ્યક્તિ ભયંકર બીમારીથી ગ્રસ્ત હોય તો તેને સૂતા પહેલા આ પંક્તિનો જાપ કરવો જોઈએ.

नासे रोग हरे सब पीरा।
जो सुमिरे हनुमंत बलबीरा।।

આ પંક્તિથી આપણે બજરંગ બલી સામે બધા પ્રકારના રોગો અને પીડાઓથી મુક્તિ માટે પ્રાર્થના કરીએ છીએ. જે પણ બીમાર વ્યક્તિ આ પંક્તિઓનો જાપ કરીને સૂવે છે તેની બીમારી ઝડપથી સારી થવા લાગે છે.

જો કોઈ વ્યક્તિ સર્વગુણ સંપન્ન બનવા માગે છે અને ઘર-પરિવાર, સમાજમાં વર્ચસ્વ બનાવવા માગે છે, સન્માન મેળવવા માગ છે તો તેને સૂતા પહેલા આ પંક્તિનો જાપ કરવો જોઈએ.

अष्ट-सिद्धि नवनिधि के दाता।
अस बर दीन जानकी माता।।

આ પંક્તિ પ્રમાણે હનુમાન અષ્ટ સિદ્ધિઓ અને નવ નીધિઓના દાતા છે. જે તેમને માતા સીતાએ પ્રદાન કરી હતી. જે લોકોની પાસે આ સિદ્ધિઓ અને નિધિઓ આવી જાય છે તે સમાજમાં અને ઘર પરિવારમાં માન-સન્માન, પ્રસિદ્ધિ મેળવે છે.

ભગવાન શિવના અંશાવતાર છે હનુમાનજી, આ ઉપાયો કરવાથી થાય છે પ્રસન્ન

શ્રાવણ મહિનામાં મંગળવારના હનુમાનજી માટે વિશેષ ઉપાય કરશો તો કુંડળીના ગ્રહ દોષ દૂર થઈ શકે છે અને કામમાં આવતા વિઘ્નો પણ દૂર થઈ શકે છે. હનુમાનજી શિવજીના જ અંશઆવતાર છે. આ કારણોસર શ્રાવણ મહિનામાં હનુમાનજીની પૂજા કરવાથી શિવજી અને અન્ય દેવી-દેવતાઓ પણ પ્રસન્ન થાય છે આજે જાણીએ મંગળવારના ક્યા-ક્યા ઉપાય કરી શકાય છે…

1. મંગળવારે હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ ચડાવવું જોઈએ. સિંદૂર અને ચમેલીના તેલનો ઉપાય કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ શકે છે.

2. લાલ મસૂરની દાળને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવી જોઈએ. આ ઉપાય કરવાથી મંગળ ગ્રહના દોષોની શાંતિ થઈ શકે છે. મસૂરની દાળ શિવલિંગ પર પણ અર્પિત કરી શકાય છે.

3. હનુમાનજીને પ્રસન્ન કરવા તથા તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે દર મંગળવારે શક્ય હોય તો હનુમાનજીની સામે દીવો પ્રગટાવી હનુમાન ચાલીસાના પાઠ કરવા.

4. મંગળવારે શિવ મંદિર જઈ ભગવાન શિવનો જળાભિષેક કરવો અને ત્યારપછી ભગવાન શિવને લાલ રંગનું ફૂલ ચડાવવું. શિવલિંગ પર લાલ રંગનું ફૂલ ચડાવવાથી મંગળ ગ્રહ પ્રસન્ન રહે છે.

5. કોઈ એવા તળાવ અથવા સરોવર પર જાવ જ્યાં માછલીઓ હોય. ત્યાં જઈ માછલીઓને લોટની ગોળીઓ બનાવી ખવડાવો. આ ઉપાય દરરોજ પણ કરી શકાય છે. આ ઉપાય કરવાથી હનુમાનજીની સાથે-સાથે ભગવાન શિવ પણ પ્રસન્ન થાય છે.

6. હનુમાનજીની મૂર્તિની સામે લોટથી બનેલો દીવો પ્રગટાવવો જોઈએ. લોટનો દીવો તૈયાર કરવા માટે ઘઉંના લોટમાં થોડું પાણી નાખી લોટ બાંધી લો. જે રીતે રોટલીનો લોટ બાંધો છો એવી જ રીતે દીવાનો લોટ બાંધવો અને તેનાથી દીવો તૈયાર કરવો. દીવામાં તેલ નાખી રૂની બનેલી વાટ રાખો. આ રીત દીવો તૈયાર કરી હનુમાનજીની સાથે દીવો પ્રગટાવી તેમની વિધિ-વિધાન મુજબ પૂજા-અર્ચના કરવી જોઈએ. લોટનો દીવો પ્રગટાવી પૂજા કરવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે.

7. એક નારિયેળ અને ફૂલ-પ્રસાદ લઈને નજીકના કોઈ પણ હનુમાનજીના મંદિરે જાવ. મંદિરમાં પહોંચી હનુમાનજીની સામે નારિયેળને સ્વયંના માથા પર સાત વખત ફેરવી લો. તેના પછી નારિયેળને ફોડી દો. પછી ભગવાનને ફૂલ-પ્રસાદ અર્પિત કરવો.

8. પૂજા કર્યા પછી હનુમાનજીને લાલ વસ્ત્રો, લાલ ફૂલ, લાલ ફળ અને લાલ રંગની કોઈ મીઠાઈ ચડાવો.

9. પીપળાના 11 પાન લો અને તે પાન પર ભગવાન રામનું નામ લખો. નામ લખવા માટે ચંદનનો ઉપયોગ કરી શકાય છે. બધા પાન પર રામનામ લખ્યાં પછી તેની માળા બનાવો અને હનુમાનજીને ચડાવો.

ઈન્દ્રએ જડબુ તોડ્યું તેથી કહેવાયા હનુમાન, પૂજામાં રાખજો આટલી સાવધાની!

હનુમાન ચિરંજીવી અર્થાત્ હંમેશા જીવિત રહેનારા માનવામાં આવ્યા છે. તેઓ એ બધા દેવી-દેવતાઓમાં સામેલ છે જેની પૂજા-આરાધના વધુ થાય છે. તેઓ મનુષ્ય અને વાનરનું સંયુક્ત રૂપ છે. એવું કહેવાય છે કે તેઓ આકાશમાં ઉડી શકે છે અને પોતાના શરીરને નાનુ અને મોટું કરી શકે છે. તેઓ પહાડ જેવી ભારે ભરખમ વસ્તુઓ ઊઠાવી લે છે. તેમના ગુણ આજે પણ આપણા પ્રેરણા સ્ત્રોત છે. આપણે તેમની પાસેથી પ્રેરણા લઈને આપણુ વ્યક્તિત્વ નિખારી શકીએ છીએ. એવા વીરલ હનુમાન વિશે જાણો કેટલીક ખાસ વાતો, તેમની પૂજા વિધિ, સ્ત્રીઓ તેમની પૂજા કરી શકે કે કેમ વગેરે બાબતો.

હનુમાનનો અર્થઃ-

હનુમાનનો એક અર્થ છે નિરહંકારી અને અભિમાનરહિત. હનુનો અર્થ છે હનન કરવુ અને માનનો અર્થ છે અહંકાર. અર્થાત્ જેમણે પોતાના અહંકારનું હનન કરી લીધુ હોય. આ તો બધા જાણે જ છે કે હનુમાનજીને કોઈ જ અભિમાન ન હતું. તેઓ વિનમ્રતાનો પર્યાત છે. એવું પણ કહેવામાં આવે છે કે હનુ અર્થાત્ હડપચી(ઢોડી) કપાયેલી હોવાને કારણે જ તેઓ હનુમાન કહેવાય. સૂર્યને ગળી ગયા પછી પછી ઈન્દ્રએ કેસરીનંદનના મુખ ઉપર વ્રજથી પ્રહાર કરવામાં આવ્યો હતો. આ પ્રહારથી હનુમાનજીની ઠુડ્ડી(સંસ્કૃતમાં હનુ) તૂટી ગઈ હતી એટલે તેમનું નામ હનુમાન આપવામાં આવ્યું હતું. હનુમાનજીના અનેક નામ છે, જેમ કે બજરંગ બલી, અંજનિસુત, પવનપુત્ર, કેસરીનંદર, મહાવીર, કપીશ, બાલાજી મહારાજ વગેરે.

હનુમાન છે વૈજ્ઞાનિકઃ-

હનુમાન પોતાના સમયના વૈજ્ઞાનિક છે. તેઓ પોતાના શરીરને અત્યંત નાનુ અને મોટું કરી લેતા હતા. તેમને સમુદ્ર પાર કરતી વખતે સિંહિકા નામની એ રાક્ષસીને પણ ખતમ કરી દીધી હતી જે ઉડતા પ્રાણીને પણ ખેંચીને ખાઈ લેતી હતી કે નષ્ટ કરી દેતી હતી. આથી એવું કહી શકાય કે હનુમાન સુપર સાઈટિસ્ટ હતા. એવી શક્તિ આજના સાઈટિસ્ટ પણ શોધ નથી કરી શક્યા. હનુમાનના વૈજ્ઞાનિક હોવાની વાત શ્રીરામચરિત માનમાં પણ છે.

वन्दे विशुद्घविज्ञानौ कवीश्वरकपीश्वरौ॥
-(રામચરિતમાનસ ¼ મંગલાચરણ)

અર્થાત્- મહર્ષિ વાલ્મિકી(કવિશ્વર) તથા મહાવીર હનુમાન(કપિશ્વર) બંને વિશુદ્ધ વિજ્ઞાની છે.

હનુમાનની ઉત્પતિઃ-

શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે હનુમાન શિવના રુદ્રા અવતાર છે. તેમનો જન્મ વાયુદેવનો અંશ અને અંજનીના ગર્ભથી થયો જે કેસરી નામના વાનરની પત્ની હતી. પુત્ર ન હોવાનેથી દુઃખી હતી. મતંગ ઋષિના કહેવાથઓ અંજનાએ 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી જેના ફળ સ્વરૂપે હનુમાનનો જન્મ થયો.

પૂજા પદ્ધતિઃ-

હનુમાનની મૂર્તિ ઉપર તેલ અને સિંદૂર ચઢાવવામાં આવે છે. તેમને ફૂલ પણ પુરુષવાચક જેવા કે ગુલાબ, ગલગોટા વગેરે ચઢાવવા જોઈએ. સુંદરકાંડ કે રામાયણના પાઠથી તેઓ પ્રસન્ન થાય છે. પ્રસાદના રૂપમાં ચણા, ગોળ, કેળા, જામફળ કે લાડુનો ચઢાવવો જોઈએ.

ચાલીસા પાઠઃ-

ભક્તોએ 108 વાર ગોસ્વામી તુલસીદાસ કૃત હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. પાઠ શરૂ કરતા પહેલા રામરક્ષાસ્ત્રોતમ્ નો પાઠ ચોક્કસ કરવો જોઈએ. જો એક બેઠમાં 108 વાર હનુમાન ચાલીસા પાઠ ન થઈ શકે તો તેને બે ભાગમાં પૂરી કરી શકો છો.

હનુમાનની પૂજા કરતી વખતે આટલી સાવધાની રાખવી જોઈએઃ-

-હનુમાનની પૂજા અર્ચના અને વ્રતમાં બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અર્થાત્ સંયમપૂર્વક રહેવું જોઈએ.

-પૂજામાં ચરણામૃતનો ઉપયોગ ન કરો. શાસ્ત્રોમાં તેનું વિધાન છે.

-જે પ્રસાદ હનુમાનને ચઢાવવામાં આવે તે શુદ્ધ હોવી જોઈએ.

-દીવો અને પ્રસાદમાં શુદ્ધ ઘીનો જ ઉપયોગ કરો.

-હનુમાનને લાલ ફૂલ પ્રિય હોય છે. આથી પૂજામાં લાલ ફૂલ ચોક્કસ ચઢાવો.

-મૂર્તિને જળઅને પંચામૃતથી સ્નાન કરાવ્યા પચી જ સિંદૂરમાં તેલને મેળવીને તેનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી તેઓ પ્રસન્ન થઈ જાય છે.

-સાધના હંમેશા પૂર્વ દિશા તરફ મુખ કરીને જ શરૂ કરવી જોઈએ.

સ્ત્રીઓ પણ કરી શકે છે પૂજાઃ-

હનુમાનના સંદર્ભમાં સામાન્ય ધારણા છે કે તેમનૂ પૂજા મહિલાઓ નથી કરી શકતી. વાસ્તવમાં આ વાત ભ્રામક છે. મહિલાઓ પણ સાધારણ પૂજા કરી શકે છે. પરંતુ રજસ્વલા સ્થિતમાં પૂજા કરવાની મનાઈ છે. હનુમાનની સાધના માત્ર પુરુષોએ જ કરવી જોઈએ. તેનું કારણ એ છે કે કેટલાક એવા કારણો છે જેના લીધે તેમની સાધના પૂરી નથી કરી શકતી.

પૂજા-આરાધનાનો વિશેષ દિવસઃ-

મંગળવાર અને શનિવારે હનુમાનન પૂજાનું મહત્વ છે. એવું કહેવાય છે કે તેમનો જન્મ મંગળવારના દિવસે થયો હતો. શનિદેવે તેમને યુદ્ધમાં હરાવ્યા હતા. શનિએ તેમને આશીર્વાદ આપ્યા હતા કે જે વ્યક્તિ શનિવારના દિવસે હનુમાનજીની પૂજા કરશે તેને શનિના કષ્ટો સહન નહીં કરવા પડે.
શનિવારે ભુલ્યા વિના કરો આ 1 કામ, હનુમાનજી પ્રસન્ન થઇ દુઃખો કરશે દૂર!

વર્તમાન સમયમાં લોકો દ્વારા સૌથી વધારે હનુમાનજીને પૂજવામાં આવે છે. આ માટે જ તેમને કળયુગના જીવંત દેવતા પણ કહેવામાં આવે છે. ધર્મ ગ્રંથોમાં હનુમાનજીના પ્રમુખ 12 નામ જણાવવામાં આવ્યા છે, જેના દ્વારા તેમની સ્તુતિ કરવામાં આવે છે. હનુમાનજીના આ 12નામનો જાપ રાત્રે સૂતા પહેલાં અને સવારે જાગીને જો કરવામાં આવે તો, વ્યક્તિના બધા જ ભય દૂર થઇ જાય છે અને તેને જીવનમાં બધા જ સુખ પ્રાપ્ત થાય છે. કોઇપણ યાત્રા શરૂ કરતા પહેલાં પણ જો આ નામનો જાપ કરવામાં આવે તો વ્યક્તિની યાત્રા સફળ રહે છે. તે વ્યક્તિ તેના જીવનમાં બધી જ સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે. હનુમાનજીના 12 નામની સ્તુતિ તથા તે નામનો અર્થ આ પ્રકારે છે-

સ્તુતિઃ-

हनुमानअंजनीसूनुर्वायुपुत्रो महाबल:।
रामेष्ट: फाल्गुनसख: पिंगाक्षोअमितविक्रम:।।
उदधिक्रमणश्चेव सीताशोकविनाशन:।
लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पहा।।
एवं द्वादश नामानि कपीन्द्रस्य महात्मन:।
स्वापकाले प्रबोधे च यात्राकाले च य: पठेत्।।
तस्य सर्वभयं नास्ति रणे च विजयी भवेत्।
राजद्वारे गह्वरे च भयं नास्ति कदाचन।।

1-હનુમાનઃ-

ઉપરોક્ત શ્લોક મુજબ હનુમાનજીનું પહેલું નામ હનુમાન જ છે. આ નામ એટલા માટે પડ્યું કારણ કે, એકવાર કોઇ વાતને લઇને ગુસ્સે થઇને દેવરાજ ઇન્દ્રે તેમના પર વ્રજનો પ્રહાર કર્યો હતો, તે વ્રજ સીધું તેમની દાઢી(હનુ) પર વાગ્યું હતું. હનુ પર વ્રજનો પ્રહાર થવાને કારણે જ તેમનું નામ હનુમાન પડ્યું.

2-અંજનીસૂનુઃ-

માતા અંજનીના પુત્ર હોવાને કારણે જ હનુમાનનું એક નામ અંજનીસૂનુ પણ પ્રસિદ્ઘ છે.

3-વાયુપુત્રઃ-

હનુમાનજીનું એક નામ વાયુપુત્ર પણ છે. પવનદેવના પુત્ર હોવાને કારણે જ તેમને વાયુપુત્ર પણ કહેવામાં આવે છે.

4- મહાબળઃ-

હનુમાનજીના બળની કોઇ સીમા નથી. તેઓ બળવાનોના પણ બળવાન છે. આ માટે તેમનું એક નામ મહાબળ પણ છે.

5-રામેષ્ટઃ-

હનુમાન ભગવાન શ્રીરામના પરમ ભક્ત છે. ધર્મ ગ્રંથોમાં અનેક સ્થાનો પર વર્ણન મળી આવે છે કે, શ્રીરામે હનુમાનને પોતાના પ્રિય જણાવ્યા છે. ભગવાન શ્રીરામને પ્રિય હોવાને કારણ જ તેમનું એક નામ રામેષ્ટ પણ છે.

6- ફાલ્ગુનસુખઃ-

મહાભારત મુજબ પાંડુ પુત્ર અર્જુનનું એક નામ ફાલ્ગુન પણ છે. યુદ્ધના સમયે હનુમાનજી અર્જુનના રથની ધ્વજા પર વિરાજમાન હતા. આ પ્રકારે તેમણે અર્જુનની મદદ કરી હતી. મદદ કરવાને કારણે જ તેમને અર્જુનના મિત્ર માનવામાં આવે છે. ફાલ્ગુન સુખનો અર્થ છે અર્જુનનો મિત્ર.

7- પિંગાક્ષઃ-

પિંગાક્ષનો અર્થ છે વાદળી આંખ ધરાવનાર. અનેક ધર્મ ગ્રંથોમાં હનુમાનનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં હનુમાનજીને વાદળી આંખવાળા કહેવામાં આવે છે. આ માટે તેમનું એક નામ પિંગાક્ષ પણ રાખવામાં આવ્યું છે.

8-અમિતવિક્રમઃ-

વિક્રમનો અર્થ છે ‘પારક્રમી’ અને અમિતનો અર્થ થાય છે ‘ઘણું વધારે’. હનુમાનજીએ પોતાના પરાક્રમના બળ પર એવા ઘણા કાર્ય કર્યા, જેને કરવું દેવતાઓ માટે પણ ઘણું મુશ્કેલ હતું. આ માટે જ તેમને અમિતવિક્રમ પણ કહેવામાં આવે છે.

9- ઉદધિક્રમણઃ-

ઉદધિક્રમણનો અર્થ થાય છે કે, સમુદ્રનું અતિક્રમણ કરનાર એટલે કે, તેને ઓળંગનાર. સીતા માતાની શોધ કરતા સમયે હનુમાનજીએ દરિયાને ઓળંગવો પડ્યો હતો. આ માટે તેમનું એક નામ ઉદધિક્રમણ પણ છે.

10-સીતાશોકવિનાશનઃ-

માતા સીતાના શોકનું નિવારણ કરવાથી તેમનું એક નામ સીતાશોકનિવારણ પણ પડ્યું હતું.

11-લક્ષ્મણપ્રાણદાતાઃ-

જ્યારે રાવણના પુત્ર ઇન્દ્રજીતએ શક્તિનો ઉપયોગ કરીને લક્ષ્મણને બેહોશ કરી દીધો હતો, ત્યારે હનુમાનજીએ સંજીવની બૂટી લઇને આવ્યા હતા. તે જ બૂટીના પ્રભાવથી લક્ષ્મણને હોશમાં લાવવામાં આવ્યા હતા. આ માટે જ હનુમાનજીને લક્ષ્મણપ્રાણદાતા પણ કહેવામાં આવે છે.

12- દશગ્રીવદર્પહાઃ-

દશગ્રીવ એટલે કે રાવણ અને દર્પબા એટલે ઘમંડ તોડનાર. દશગ્રીવદર્પહાનો અર્થ છે કે રાવણનો ઘમંડ તોડનાર. હનુમાનજીએ લંકા જઇને સીતા માતાની શોધ કરી, રાવણના પુત્ર અક્ષયકુમારનો વધ પણ કર્યો. સાથે જ, લંકામાં પણ આગ લગાવી દીધી. આ પ્રકારે હનુમાનજીએ ઘણીવાર રાવણનો ઘમંડ તોડ્યો. આ માટે તેમનું એક નામ દશગ્રીવદર્પહા પણ પ્રસિદ્ધ છે.

એવી સમસ્યા જેનો કોઇ તોડ ન હોય, તો આજે જ કરો આવી હનુમાન પૂજા!

આમ તો હનુમાન ભગવાન રામના નામનો જાપ કરવાથી પ્રસન્ન થઈ જાય છે. તેમ છતાં શાસ્ત્રોમાં તેમની ઉપાસનાની કેટલીક પદ્ધતિઓ બતાવવામાં આવી છે જેનું પાલન કરવાથી હનુમાનજીના દર્શન કરવાની સાથે-સાથે મનચાહ્યું વરદાન પ્રાપ્ત કરી શકાય છે.

1-હનુમાનજી કળયુગમાં પણ સાક્ષાત ભગવાન બતાવ્યા છે. એટલા માટે કહેવાયુ છે કે તેમની પૂજા, ઉપાસના, મંત્ર અને પાઠ કરવાથી અલગ-અલગ ફળ પ્રાપ્ત થાય છે અને કષ્ટ દૂર થાય છે.

2-હનુમાનજીને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય છે હનુમાન ચાલીસાનો પાઠ. એવું માનવામાં આવે છે કે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ભક્તને કોઈ જ બંધક નથી બનાવી શકતું અને તેની ઉપર જેલ જવાની નોબત નથી આવતી. એવી માન્યતા છે કે જેલ જવાની સ્થિતિ પેદા થાય ત્યારે જો દોષી 108 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરે અને એવો સંકલ્પ કરે કે તે ભવિષ્યમાં ક્યારેય ખોટા કામ નહીં કરે, તો હનુમાનજીની કૃપા થતા તેના સંકટો દૂર થાય છે. જેલથી તેને મુક્તિ મળી જાય છે.

3-હનુમાનજીનો એક પાઠ તેના ભક્તોને તેમના દુશ્મનોથી મુક્તિ અપાવે છે અને દુશ્મનોને દંડિત(સજા) કરવામાં પણ મદદ કરે છે. એવું કહેવાય છે કે એકાગ્રચિત થઈને 21 દિવસ સુધી વિધિ-વિધાનથી બજરંગબાણનો પાઠ કરવાથી વ્યક્તિને તેના દુશ્મનોથી મુક્તિ મળે છે અથવા દુશ્મનોને તેના કરેલા ખોટા કામની સજા મળી જાય છે. જો કે બજરંગબલી એવા જ ભક્તોની મદદ કરે છે બુરાઈથી દૂર રહીને સત્યના રસ્તે ચાલે છે.

4-હનુમાનજીની ઉપાસનથી નિરોગી કાયાના આશીર્વાદ મળે છે. તેની માટે સૌથી સટીક પાઠ છે હનુમાન બાહુક નો. વિધાન છે કે શુદ્ધ જળના વાસણની સામે રાખીને 26 અથવા 21(મૂહુર્ત પ્રમાણે) દિવસો સુધી દરરોજ ગળાના રોગ, સંધીવા, સાંધાના દુઃખાવા જેવા રોગોથી મુક્તિ મળી જાય છે. ધ્યાન રાખવું કે શુદ્ધ જળને દરરોજ પાઠ કર્યા પછી પી લો અને રોજ પાત્રમાં શુદ્ધ જળ ભરો.

5- જો આત્મવિશ્વાસ ઘટી રહ્યો હોય, પરિસ્થિતિઓ વિપરીત હોય, કામ ન બની રહ્યું હોય તો એવી વખતે સુંદરકાંડ સૌથી અચૂક ઉપાય છે. એવું માનવામાં આવે છે કે સુંદરકાંડ અધ્યાયથી હનુમાનજીની વિજયગાથા છે તે રીતે પાઠ કરનાર વ્યક્તિ આત્મવિશ્વાસથી ભરાઈ જાય છે.

6-અનેક રોગોને બાળપણથી ભૂતપ્રેત અને અંધારાથી ડર લાગે છે, એવા લોકો માટે હનુમાનજીનો એક મંત્ર ચમત્કારીક પરિવર્તન લાવે છે. હનુમાનજીનો આ મંત્ર છે “हं हनुमंते नम:”। આ મંત્રનો જાપ સૂતા પહેલા કરવો જોઈએ. મંત્ર જાપ પહેલા શરીરને સ્વચ્છ પાણીથી ધોઈ લેવું જોઈએ. આ મંત્રનો નિયમિત જાપ કરવાથી ભય આપમેળે જ દૂર ભાગવા લાગે છે અને વ્યક્તિ નિર્ભક બની જાય છે.

7- ઘરમાં સુખ-શાંતિનો સંચાર કરવા માટે પણ હનુમાનજીનો એક સરળ ઉપાય કરી શકાય છે શનિવાર અને મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરમાં ગોળ-ચણાનો પ્રસાદ ચઢાવો. રોજ ઘરમાં હનુમાન ચાલીસાનોપાઠ કરો. 21 દિવસ પછી મંદિરમાં ચોલા ચઢાવો.

8-હનુમાનજીનો સાબરમંત્ર એક એવો મંત્ર છે જે ભક્તોની પીડાઓને સીધા હનુમાન સુધી પહોંચાડે છે અને તેનું ઝડપથી સમાધાન થઈ જાય છે. ધ્યાન રાખવું કે આ મંત્રનો ઉપયોગ એ જ લોકોએ કરવો જોઈએ જેઓ ખાન-પાનની અશુદ્ધતા અને બુરાઈઓથી પર હોય. હનુમાનજીના શાબર મંત્ર અનેક પ્રકારના છે જે અલગ-અલગ કાર્યો માટે છે. એટલા માટે મંત્ર અને વિધિ-વિધાથી કોઈ જાણકારને પૂછીને જ શરૂ કરવા.

9-જ્યોતિષ પ્રમાણે હનુમાનજીને ઈષ્ટ માનનાર ભક્તોને રોજ તેમની પૂજા-ઉપાસના અને પાઠ કરવો જોઈએ. જો કોઈ કારણસર તેમને સમય ન મળી રહ્યો હોય તો હનુમાનજીનો એક મંત્ર 11 વાર જાપ કરવો જોઈએ. આ મંત્ર છે “ऊं हनुमते नम:”। આ મંત્રના જાપ ન કરવાની કમીને પૂરી કરે છે.

10-રોગોથી બચવા માટે હનુમાનજીનો એક બીજો મંત્ર કારગર માનવામાં આવે છે. આ મંત્ર છે- नासै रोग हरे सब पीरा। जपत निरंतर हनुमत बीरा।।
દિવસે હનુમાનજીના મંદિરમાં ગોળ-ચણાનો પ્રસાદ ચઢાવો. રોજ ઘરમાં હનુમાન ચાલીસાનોપાઠ કરો. 21 દિવસ પછી મંદિરમાં ચોલા ચઢાવો.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ખાસ…આ છે શિવને પ્રસન્ન કરવાની સૌથી સરળ વિધિ અને પંચોપચારની પૂજા…!!!
જાણો…ગ્રહદોષથી મુક્તિ મેળવવી હોય તો આજથી જ શરૂ કરો, શિવના આ રાશિઉપાય..!!
જાણો…અમાસ ના દિવસે, લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ચમત્કારિક ઉપાય…!!

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

ખાસ…સંપૂર્ણ શ્રાવણમાં ભોળાનાથને ચઢાવો આ વસ્તુઓ, દરેક કામના થશે ફળીભૂત…!!!

shivji13

શાસ્ત્રોમાં શિવલિંગના ઘણાં પ્રકાર જણાવવામાં આવ્યાં છે. જો તમે તમારી મનોકામના મુજબ તે શિવલિંગની પૂજા કરશો તો તમારી દરેક મનોકામના જલ્દી જ પૂર્ણ થઇ શકે છે. તો ચાલે આજે અમે તમને આ લેખમાં જણાવીએ કઇ મનોકામના માટે કયા શિવલિંગની પૂજા કરવી જોઇએ.

– ભૂમિ ખરીદવાની મનોકામનાની પૂર્તિ કરવા માટે ફૂલોથી શિવલિંગનું નિર્માણ કરી તેની પૂજા કરવી જોઇએ.

– ખાંડથી શિવલિંગ બનાવીને તેની પૂજા કરવાથી માનસિક તથા પારિવારિક સુખ-શાંતિની પ્રાપ્તિ થાય છે.

– વાંસના અંકુરથી શિવલિંગ બનાવીને તેની પૂજા કરવાથી વંશમાં વૃદ્ધિ થાય છે.

– ચાંદીથી બનેલાં શિવલિંગની પૂજા અને રૂદ્રાભિષેક તેવા લોકોને ફાયદો આપે છે તે આર્થિક રૂપથી પરેશાન હોય છે.

– મુક્તિની ઇચ્છા રાખનાર વ્યક્તિઓએ આંબળાને પીસીને તેના દ્વારા શિવલિંગનું નિર્માણ કરવું જોઇએ. આ શિવલિંગનો રૂદ્રાભિષેક શિવલોકમાં સ્થાન અપાવે છે.

– ધન તથા સુખ સમૃદ્ધિ માટે સોના અથવા પીત્તળના શિવલિંગની પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે.

– પારદથી બનેલાં શિવલિંગની પૂજા કરવાથી ધન, સુખ તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ માટે જો અન્ય પ્રકારના શિવલિંગને બનાવવામાં મુશ્કેલી આવી રહી છે તો તમે પારદના બનેલાં શિવલિંગનો પ્રયોગ કરી શકો છો.

– ઘાસને પીસીને શિવલિંગ બનાવવું અને તેનો રૂદ્રાભિષેક કરશો તો અકાળ મૃત્યુનો ભય દૂર થઇ જાય છે. આ શિવલિંગ આયુષ્યમાં વૃદ્ધિ કરે છે.

– લાલ અને સફેદ આંકડાના ફૂલથી ભગવાન શિવનું પૂજન કરવાથી ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

– ચમેલીના ફૂલથી ભગવાન શિવનું પૂજન કરવાથી વાહન સુખ પ્રાપ્ત થાય છે.

– અળસીના ફૂલોથી શિવનું પૂજન કરવાથી મનુષ્ય ભગવાન વિષ્ણુને પ્રિય બને છે.

– શમીના પાનથી પૂજન કરવા પર મોક્ષની પ્રાપ્તિ થાય છે.

– મોગરાના ફૂલથી પૂજન કરવાથી સુંદર અને સુશીલ પત્ની પ્રાપ્ત થાય છે.

– જો જૂહીના ફૂલથી શિવનું પૂજન કરવામાં આવે તો ઘરમાં ક્યારેય અનાજની કમી આવતી નથી.

– કરેણના ફૂલથી શિવ પૂજન કરવામાં આવે તો નવા વસ્ત્રોની પ્રાપ્તિ થાય છે.

– પારિજાતકના ફૂલોથી પૂજન કરવામાં આવે તો સુખ-સંપત્તીમાં વૃદ્ધિ થાય છે.

– ધતૂરાના ફૂલથી પૂજન કરવામાં આવે તો ભગવાન શંકર સુયોગ્ય પુત્ર પ્રદાન કરે છે, જે આગળ જઇને કુળનું નામ રોશન કરે છે.

– લાલ ડંઠલવાળા(મૂળ અને ડૂંડાની વચ્ચેનો ભાગ) ધતૂરો પૂજામાં શુભ માનવામાં આવે છે.

– દૂર્વાથી પૂજન કરવામાં આવે તો આયુષ્યમાં વૃદ્ધિ થાય છે.

શિવપુરાણ મુજબ જાણો ભગવાન શિવને કયો રસ (પ્રવાહી) અર્પણ કરવાથી તેનું શું ફળ પ્રાપ્ત થાય છેઃ-

– તાવ આવવા પર ભગવાન શિવને જળધારા અર્પણ કરવાથી ઝડપથી લાભ પ્રાપ્ત થાય છે. સુખ અને સંતાનની વૃદ્ધિ માટે પણ જળધારા દ્વારા શિવની પૂજા ઉત્તમ જણાવવામાં આવી છે.

– નપુંસક વ્યક્તિ જો ઘીથી ભગવાન શિવનો અભિષેક કરે, બ્રાહ્મણોને ભોજન કરાવે તથા સોમવારે વ્રત કરે તો તેની સમસ્યાનું નિદાન તરત જ આવી જાય છે.

– તેજ મગજ પ્રાપ્ત કરવા માટે ખાંડ મિક્સ કરેલ દૂધ ભગવાન શિવને અર્પણ કરવું.

– સુગંધિત તેલથી ભગવાન શિવનો અભિષેક કરવાથી સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.

– શિવલિંગ પર શેરડીનો રસ અર્પણ કરવામાં આવે તો દરેક પ્રકારના આનંદની પ્રાપ્તિ થાય છે.

– શિવને ગંગાજળ અર્પણ કરવાથી ભોગ અને મોક્ષ બંન્નેની પ્રાપ્તિ થાય છે.

– મધથી ભગવાન શિવનો અભિષેક કરવાથી ટીબીના રોગમાં આરામ મળે છે.

ભગવાન શિવને પ્રસન્ન કરવાના ઉપાયઃ-

– ભગવાન શિવને ચોખા અર્પણ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે.

– તલ અર્પણ કરવાથી પાપનો નાશ થાય છે.

– જવ અર્પણ કરવાથી સુખમાં વૃદ્ધિ થાય છે.

– ઘઉં અર્પણ કરવાથી સંતાન વૃદ્ધિ થાય છે.

આ બધા જ અનાજ ભગવાનને અર્પણ કર્યા પછી ગરીબોમાં વહેંચવા જોઇએ. આવું કરવાથી શુભફળની પ્રાપ્તિ થાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ખાસ…આ છે શિવને પ્રસન્ન કરવાની સૌથી સરળ વિધિ અને પંચોપચારની પૂજા…!!!
જાણો…ગ્રહદોષથી મુક્તિ મેળવવી હોય તો આજથી જ શરૂ કરો, શિવના આ રાશિઉપાય..!!
જાણો…અમાસ ના દિવસે, લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ચમત્કારિક ઉપાય…!!

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

જાણો…દરેકે અપનાવવા જોઈએ આયુર્વેદના આ 15 સોનેરી નિયમ, રહેશો રોગમુક્ત…!!

ayurveda

આયુર્વેદમાં સ્વાસ્થ્યને અડીખમ રાખવા માટે અનેક નિયમ જણાવાયા છે જેમાંથી અમે તમને તે ખજાનામાંથી એવા સૂત્રો જણાવીશું જે તમને હમેશાં સ્વસ્થ રાખવામાં મદદ કરશે. આપણે આપણા રોજિંદા જીવનમાં થોડું ઘણું પણ જો ધ્યાન રાખીએ તો હોસ્પિટલના બિલ ભરવામાંથી બચી શકાય છે. તેના માટે ઘણી એવી બાબતો આયુર્વેદ જણાવે છે જે આમ તો સામાન્ય બાબતો છે. આ બાબતો અપનાવવાથી તમારું શરીર સશક્ત બને છે અને નખમાં પણ રોગ રહેતો નથી.

અહીં પ્રસ્તુત છે 15 એવી વાતો કે જેને અપનાવવાથી તમારું આયુષ્ય અને આરોગ્ય લાંબા કાળ સુધી ટકી રહેશે. શરીરમાં નાની-નાની બીમારી જોવા મળશે નહીં અને મોટી બીમારીઓ પણ શરીરમાં પ્રવેશશે નહીં.

1-પિત્તનું શમન માટે શયન અર્થાત પૂરી ઊંઘ જ અક્સિર ઈલાજ છે. પૂરતી ઉંઘ લેવાથી પિત્તની સમસ્યા ક્યારેય થતી નથી.

2- વાયુના પ્રકોપને રોકવા માટે શરીર પર દિવસમાં એક વાર માલિશ કરવું.

3- કફને દૂર કરવા માટે દરરોજ કોગળા કરતી વખતે વમન (ઊલટી) કરતું રહેવું.

4- સતત તાવ આવ્યા કરતો હોય તો સપ્તાહમાં એકવાર ઉપવાસ જરૂર કરો. આનાથી તમારું પેટ તંદુરસ્ત બનશે.

5- દિવસમાં સવારમાં એકવાર એક ચમચી ઘી અને સાંજે અડધી ચમચી મધ લેવાથી પણ આરોગ્ય જળવાઈ રહે છે.

6- દરેક ઔષધીઓ કે દવાઓને જોઈ વિચારીને ઉપયોગ કરવો, ઘણીવાર દવાઓ શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટાડી શકે છે.

7- શેરડી, ટમેટાં, લીમડના પાનનો રસ સપ્તાહમાં એક-એક વાર એક કપ જેટલો લેવાથી શરીર દુરસ્ત રહે છે.

8- દૂધ અને દહીં કે છાશ એક સાથે ક્યારેય ન લેવા તેવી રીતે લસણ- ડુંગળી સાથે દૂધ ક્યારેય લેવા નહીં.

9- જ્યારે ભારે ખોરાક લીધો હોય ત્યારે છાશ કે લીંબુનું પાણી મીઠું અને સાકર સાથે ભેળવીને ખાસ પી લેવું જેથી પાચન ક્ષમતા જળવાઈ રહે છે.

10- બેઠાડું જીવનવાળા લોકોએ દરરોજ બેથી ત્રણ કિમી. ઓછામાં ઓછું ચાલવું. જેથી શરીરની સિસ્ટમમાં સમતોલન બન્યું રહે.

11- બધા રોગની જનેતા કબજીયાત છે જેથી તેને નિવારણ માટે ત્રિફળા ચૂર્ણનો ઉપયોગ ખાસ કરવો. રોજ રાત્રે એક ચમચી ત્રિફળા પાણી સાથે લેવાથી વિશેષ ફાયદો થશે અને કબજિયાતની સમસ્યા નહીં રહે.

12-સપ્તાહમાં એકવાર પંચામૃત દહીં, દૂધ, સાકર, મધ, ઘી, તુલસીના પાન મેળવવું તેમાં દહીં વધારે અને દૂધ ઓછું એવી માત્રા રાખવી અને તુલસીના પાન પાંચ-સાત રાખવા, આ રીતે મિશ્રણ તૈયાર કરી પાંચ-સાત ચમચી જેટલું લેવાથી ઘણો લાભ થાય છે.

13- ઋતુગતફળ ખાસ ખાવા. તેમાંથી યોગ્ય વિટામિન અને શરીરને જરૂરી તત્વો પ્રાપ્ત થતાં રહે છે.

14- જો કોઈ સમસ્યા ન હોય તો પણ શતાવરીનું ચૂર્ણ માસમાં 3 વાર લેવાથી શરીરમાં ધાતુચક્રનું સમતોલન જળવાઈ રહે છે.

15- પંદર દિવસમાં બે વાર કઠોળ ખાવા. ખાસ કરીને ફણગાવેલા કઠોળ ખાવાથી શરીરને વિશેષ લાભ થાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

જાણો…અમાસ ના દિવસે, લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ચમત્કારિક ઉપાય…!!

laxmi32

આપણે ત્યાં પ્રાચીન પરંપરા છે ઘરમાં એક તુલસીનો છોડ તો હોવો જ જોઈએ. શાસ્ત્રોમાં તુલસીને પૂજનીય, પવિત્ર અને દેવીનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. જો તમારા ઘરમાં પણ તુલસી હોય તો અહીં બતાવવામાં આવી રહી આ 10 વાતો કાયમ ધ્યાનમાં રાખવી જોઈએ. જો આ વાતોનું ધ્યાન રાખવામાં ન આવે તો બધા જ દેવી-દેવતાઓની વિશેષ કૃપા આપણાં ઘર પર બની રહે છે. ઘરમાં હકારાત્મક ઉર્જા અને સુખદ વાતાવરણ રહે છે. પૈસાનો ક્યારેય અભાવ આવતો નથી અને પરિવારના સભ્યોને સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. અહીં જાણીએ શાસ્ત્રો મુજબ તાવેલી તુલસીની ખાસ વાતો…

1. તુલસીના પાન ચાવવા ન જોઈએ

તુલસીનું સેવન કરતી વખતે ધ્યાન રાખો કે આ પાનને ચાવવું નહીં, પણ તેને ગળી જવા જોઈએ. આ રીતે તુલસીનું સેવન કરવાથી અનેક રોગોમાં લાભ મળે છે. તુલસીના પાનમાં પારા ધાતુના તત્વો મોજુદ હોય છે. તુલસીના પાન ચાવવાથી આ ધાતુ દાંત ઉપર લાગે છે જે દાંત માટે લાભદાયક નથી એટલે તુલસીના પાનને ચાવવા ન જોઈએ પણ ગળી જવા જોઈએ.

2. શિવલિંગ પર તુલસી ન ચડાવવી જોઈએ

શિવપુરાણ મુજબ શિવલિંગ પર તુલસીના પાન અર્પણ ન કરવા જોઈએ. આ સંબંધમાં એક કથા જણાવવામાં આવી છે. આ કથા મુજબ પ્રાચીન કાળમાં દૈત્યોના રાજા શંખચૂડની પત્નીનું નામ તુલસી હતું. તુલસીના પતિવ્રત ધર્મની શક્તિને કારણે દેવતા પણ શંખચૂડને હરાવવામાં અક્ષમ હતાં. ત્યારે ભગવાન વિષ્ણુએ કપટથી તુલસીનું પતિવ્રત 2. ભંગ કરી દીધું. તેના પછી શિવજીએ શંખચૂડનો વધ કરી દીધો.

જ્યારે આ વાતની તુલસીને જાણ થઈ ત્યારે તેણે ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપ્યો. ભગવાન વિષ્ણુએ તુલસીનો આ શ્રાપ સ્વીકારી લીધો અને કહ્યું કે તું ધરતી પર ગંડકી નદી તથા તુલસીના છોડના રૂપમાં કાયમ રહીશ. તેના પછી જ મોટાભાગના પૂજન કાર્યોમાં તુલસીનો ઉપયોગ વિશેષ રૂપથી કરવામાં આવે છે. પરંતુ શંખચૂડની પત્ની હોવાને લીધે તુલસી શિવલિંગ પર ચડાવવામાં નથી આવતી.

3. ક્યારે ન તોડવા જોઈએ તુલસીના પાન

શાસ્ત્રોમાં જણાવ્યાં મુજબ તુલસીના પાન કેટલાક ચોક્કસ દિવસોમાં ન તોડવા જોઇએ. આ દિવસ છે-અગિયારસ, રવિવાર અને સૂર્ય અથવા ચંદ્ર ગ્રહણ. આ દિવસોમાં તથા રાતના સમયે તુલસીના પાન ન તોડવા જોઈએ. આવું કરવા પર આપણને દોષ લાગે છે. બિનજરૂરી રીતે તુલસીના પાન તોડવા, તુલસીને નષ્ટ કરવા સમાન માનવામાં આવે છે.

4. દરરોજ કરો તુલસીનું પૂજન

દરરોજ તુલસી પૂજન કરવું જોઈએ. સાથે જ, તુલસીના સંબંધમાં અહીં બતાવેલી તમામ વાતોનું પણ ઘ્યાન રાખવું જોઈએ. દરરોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવો જોઈએ. એવી માન્યતા છે કે, જે લોકો સાંજના સમયમાં તુલસી પાસે દીવો પ્રગટાવે છે, તેમના ઘરમાં મહાલક્ષ્મીની કૃપા કાયમ બની રહે છે.

5. તુલસીથી દૂર થાય છે વાસ્તુ દોષ

ઘર-આંગણાંમાં તુલસી હોવાથી કેટલાય પ્રકારના વાસ્તુ દોષ પણ નષ્ટ થઈ જાય છે. તેમજ પરિવારની આર્થિક સ્થિતિ પર તેની શુભ અસર થાય છે.

6. તુલસીનો છોડ ઘરમાં હોય તો નથી લાગતી નજર

એવી માન્યતા છે કે ઘરમાં તુલસીનો છોડ હોય તો કોઈ પણ સભ્યને ખરાબ નજર નથી લાગતી. સાથે જ, ઘરની આજુબાજુ કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા ઉત્પન્ન નથી થતી અને હકારાત્મક ઉર્જામાં વધારો થાય છે.

7. તુલસીથી વાતાવરણ થાય છે પવિત્ર

તુલસીથી ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે પવિત્ર અને હાનિકારક સૂક્ષ્મ કીટાણુંઓથી મુક્ત રહે છે. આ જ પવિત્રતાને લીધે ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને સુખ-સમૃદ્ધિ બની રહે છે.

8. તુલસીનો સુકાઈ ગયેલો છોડ ઘરમાં ન રાખવો

જો ઘરમાં લાગેલો તુલસીનો છોડ સુકાઈ જાય છે તો તેને કોઈ પવિત્ર નદીમાં, તળાવમાં અથવા કુઆંમાં પ્રવાહિત કરી દેવો જોઈએ. તુલસીનો સુકાઈ ગયેલો છોડ ઘરમાં રાખવો અશુભ માનવામાં આવે છે. એક છોડ સુકાઈ ગયા પછી તરત જ બીજા છોડ લગાવી દેવો જોઈએ. ઘરમાં કાયમ સ્વસ્થ તુલસીનો છોડ જ લગાવવો જોઈએ.

9. તુલસી છે ઔષધિ

આયુર્વેદમાં તુલસીને સંજીવની બુટિ સમાન માનવામાં આવે છે. તુલસીના કેટલાય એવા ગુણ હોય છે જે ઘણી બધી બીમારીઓને દૂર કરવામાં અને તેને અટકાવવામાં મદદરૂપ સાબિત થાય છે. તુલસીનો છોડ ઘરમાં રહેવાથી તેની ખુશ્બૂ હવામાં મોજુદ બીમારી ફેલાવનારા કેટલાય સૂક્ષ્મ કીટાણુંઓને નષ્ટ કરે છે.

10. દરરોજ તુલસીના એક પાનનું સેવન કરવું જોઈએ

તુલસીની ખુશ્બૂથી શ્વાંસ સંબંધિત કેટલાય રોગોમાં લાભ મળે છે. સાથે જ તુલસીના એક પાનનું દરરોજ સેવન કરવાથી આપણે સામાન્ય તાવથી બચી શકે છીએ. મોસમ પરિવર્તનના સમયમાં થવાવાળી બીમારીઓથી પણ બચી શકાય છે. તેનાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે, પરંતુ આપણે નિયમિતપણે તુલસીનું સેવન કરતા રહેવું જોઈએ.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

જાણો…ભૂલથી પણ ન ચાવવા જોઈએ તુલસીના પાન, ધ્યાન રાખો આ 10 વાતો..!!

tulsi5

આપણે ત્યાં પ્રાચીન પરંપરા છે ઘરમાં એક તુલસીનો છોડ તો હોવો જ જોઈએ. શાસ્ત્રોમાં તુલસીને પૂજનીય, પવિત્ર અને દેવીનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. જો તમારા ઘરમાં પણ તુલસી હોય તો અહીં બતાવવામાં આવી રહી આ 10 વાતો કાયમ ધ્યાનમાં રાખવી જોઈએ. જો આ વાતોનું ધ્યાન રાખવામાં ન આવે તો બધા જ દેવી-દેવતાઓની વિશેષ કૃપા આપણાં ઘર પર બની રહે છે. ઘરમાં હકારાત્મક ઉર્જા અને સુખદ વાતાવરણ રહે છે. પૈસાનો ક્યારેય અભાવ આવતો નથી અને પરિવારના સભ્યોને સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. અહીં જાણીએ શાસ્ત્રો મુજબ તાવેલી તુલસીની ખાસ વાતો…

1. તુલસીના પાન ચાવવા ન જોઈએ

તુલસીનું સેવન કરતી વખતે ધ્યાન રાખો કે આ પાનને ચાવવું નહીં, પણ તેને ગળી જવા જોઈએ. આ રીતે તુલસીનું સેવન કરવાથી અનેક રોગોમાં લાભ મળે છે. તુલસીના પાનમાં પારા ધાતુના તત્વો મોજુદ હોય છે. તુલસીના પાન ચાવવાથી આ ધાતુ દાંત ઉપર લાગે છે જે દાંત માટે લાભદાયક નથી એટલે તુલસીના પાનને ચાવવા ન જોઈએ પણ ગળી જવા જોઈએ.

2. શિવલિંગ પર તુલસી ન ચડાવવી જોઈએ

શિવપુરાણ મુજબ શિવલિંગ પર તુલસીના પાન અર્પણ ન કરવા જોઈએ. આ સંબંધમાં એક કથા જણાવવામાં આવી છે. આ કથા મુજબ પ્રાચીન કાળમાં દૈત્યોના રાજા શંખચૂડની પત્નીનું નામ તુલસી હતું. તુલસીના પતિવ્રત ધર્મની શક્તિને કારણે દેવતા પણ શંખચૂડને હરાવવામાં અક્ષમ હતાં. ત્યારે ભગવાન વિષ્ણુએ કપટથી તુલસીનું પતિવ્રત ભંગ કરી દીધું. તેના પછી શિવજીએ શંખચૂડનો વધ કરી દીધો.

જ્યારે આ વાતની તુલસીને જાણ થઈ ત્યારે તેણે ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપ્યો. ભગવાન વિષ્ણુએ તુલસીનો આ શ્રાપ સ્વીકારી લીધો અને કહ્યું કે તું ધરતી પર ગંડકી નદી તથા તુલસીના છોડના રૂપમાં કાયમ રહીશ. તેના પછી જ મોટાભાગના પૂજન કાર્યોમાં તુલસીનો ઉપયોગ વિશેષ રૂપથી કરવામાં આવે છે. પરંતુ શંખચૂડની પત્ની હોવાને લીધે તુલસી શિવલિંગ પર ચડાવવામાં નથી આવતી.

3. ક્યારે ન તોડવા જોઈએ તુલસીના પાન

શાસ્ત્રોમાં જણાવ્યાં મુજબ તુલસીના પાન કેટલાક ચોક્કસ દિવસોમાં ન તોડવા જોઇએ. આ દિવસ છે-અગિયારસ, રવિવાર અને સૂર્ય અથવા ચંદ્ર ગ્રહણ. આ દિવસોમાં તથા રાતના સમયે તુલસીના પાન ન તોડવા જોઈએ. આવું કરવા પર આપણને દોષ લાગે છે. બિનજરૂરી રીતે તુલસીના પાન તોડવા, તુલસીને નષ્ટ કરવા સમાન માનવામાં આવે છે.

4. દરરોજ કરો તુલસીનું પૂજન

દરરોજ તુલસી પૂજન કરવું જોઈએ. સાથે જ, તુલસીના સંબંધમાં અહીં બતાવેલી તમામ વાતોનું પણ ઘ્યાન રાખવું જોઈએ. દરરોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવો જોઈએ. એવી માન્યતા છે કે, જે લોકો સાંજના સમયમાં તુલસી પાસે દીવો પ્રગટાવે છે, તેમના ઘરમાં મહાલક્ષ્મીની કૃપા કાયમ બની રહે છે.

5. તુલસીથી દૂર થાય છે વાસ્તુ દોષ

ઘર-આંગણાંમાં તુલસી હોવાથી કેટલાય પ્રકારના વાસ્તુ દોષ પણ નષ્ટ થઈ જાય છે. તેમજ પરિવારની આર્થિક સ્થિતિ પર તેની શુભ અસર થાય છે.

6. તુલસીનો છોડ ઘરમાં હોય તો નથી લાગતી નજર

એવી માન્યતા છે કે ઘરમાં તુલસીનો છોડ હોય તો કોઈ પણ સભ્યને ખરાબ નજર નથી લાગતી. સાથે જ, ઘરની આજુબાજુ કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા ઉત્પન્ન નથી થતી અને હકારાત્મક ઉર્જામાં વધારો થાય છે.

7. તુલસીથી વાતાવરણ થાય છે પવિત્ર

તુલસીથી ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે પવિત્ર અને હાનિકારક સૂક્ષ્મ કીટાણુંઓથી મુક્ત રહે છે. આ જ પવિત્રતાને લીધે ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને સુખ-સમૃદ્ધિ બની રહે છે.

8. તુલસીનો સુકાઈ ગયેલો છોડ ઘરમાં ન રાખવો

જો ઘરમાં લાગેલો તુલસીનો છોડ સુકાઈ જાય છે તો તેને કોઈ પવિત્ર નદીમાં, તળાવમાં અથવા કુઆંમાં પ્રવાહિત કરી દેવો જોઈએ. તુલસીનો સુકાઈ ગયેલો છોડ ઘરમાં રાખવો અશુભ માનવામાં આવે છે. એક છોડ સુકાઈ ગયા પછી તરત જ બીજા છોડ લગાવી દેવો જોઈએ. ઘરમાં કાયમ સ્વસ્થ તુલસીનો છોડ જ લગાવવો જોઈએ.

9. તુલસી છે ઔષધિ

આયુર્વેદમાં તુલસીને સંજીવની બુટિ સમાન માનવામાં આવે છે. તુલસીના કેટલાય એવા ગુણ હોય છે જે ઘણી બધી બીમારીઓને દૂર કરવામાં અને તેને અટકાવવામાં મદદરૂપ સાબિત થાય છે. તુલસીનો છોડ ઘરમાં રહેવાથી તેની ખુશ્બૂ હવામાં મોજુદ બીમારી ફેલાવનારા કેટલાય સૂક્ષ્મ કીટાણુંઓને નષ્ટ કરે છે.

10. દરરોજ તુલસીના એક પાનનું સેવન કરવું જોઈએ

તુલસીની ખુશ્બૂથી શ્વાંસ સંબંધિત કેટલાય રોગોમાં લાભ મળે છે. સાથે જ તુલસીના એક પાનનું દરરોજ સેવન કરવાથી આપણે સામાન્ય તાવથી બચી શકે છીએ. મોસમ પરિવર્તનના સમયમાં થવાવાળી બીમારીઓથી પણ બચી શકાય છે. તેનાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે, પરંતુ આપણે નિયમિતપણે તુલસીનું સેવન કરતા રહેવું જોઈએ.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

અદભૂત…આ છે પુરી રથયાત્રાની અજબ-ગજબ વાતો. વાતો જાણી ઍક વખત દર્શન કરવાનું મન થઈ જશે…!!!

puri4

આપણાં દેશમાં અનેક પરંપરાઓ પ્રચલિત છે. જેમાંથી ઘણી પરંપરાઓ ધર્મની સાથે જોડાઇને લોકોની આસ્થાનું કેન્દ્ર બની ચૂકી છે. એવી જ એક પરંપરા છે ઓરિસ્સા સ્થિત પુરીમાં નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા.

આ વર્ષે અષાઢ શુક્લ બીજની તિથિએ ઓરિસ્સા સ્થિત પુરીમાં ભગવાન જગન્નાથની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા કાઢવામાં આવે છે. આ વર્ષે આ રથયાત્રા 18 જુલાઈ, શનિવારથી શરૂ થશે. આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાની પ્રતિમાઓને ત્રણ અલગ-અલગ દિવ્ય રથો પર નગર ભ્રમણ કરાવવામાં આવે છે. રથયાત્રાના દર્શન માટે લાખો ભક્તોની ભીડ લાગે છે અને ભગવાન જગન્નાથના રથને ખેંચીને સ્વયંને ધન્ય માને છે.

આ વર્ષે વિશેષ હશે રથયાત્રાઃ-

આ 18 જુલાઈની રથયાત્રા ઘણી વિશેષ હશે. વિશેષ હોવાનું કારણ છે કે, 19 વર્ષો પછી ભગવાન જગન્નાથ મંદિરની બધી જ પ્રતિમાઓ (ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રા) બદલાઇ ગઇ છે. હવે આ નવી પ્રતિમાઓને જ રથમાં વિરાજિત કરીને યાત્રા કાઢવામાં આવશે. આ પ્રતિમાઓ અલગ-અલગ જગ્યાએથી લાવવામાં આવેલાં લીમડાના વિશેષ વૃક્ષો દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ વિશેષ વૃક્ષોને દારૂ કહેવામાં આવે છે.

19 વર્ષ પછી કેમ બદલાઇ દેવ પ્રતિમાઓઃ-

ભગવાન જગન્નાથ અને દેવ પ્રતિમાઓ તે જ વર્ષે બદલવામાં આવે છે, જે વર્ષે અષાઢના બે મહિનાઓ આવે છે. આ વર્ષે અષાઢમાં અધિક માસ હોવાને કારણે બે અષાઢ માસ છે. 19 વર્ષ પછી આ અવસર આવ્યો છે. ક્યારેક-ક્યારેક 14 વર્ષોમાં પણ આવું થાય છે. આ અવસરને નવ-કલેવર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પહેલાં આ અવસર 1996માં મનાવવામાં આવ્યો હતો.

પ્રતિમાં નિર્માણ માટે આ રીતે પસંદ કરવામાં આવે છે વક્ષઃ-

ભગવાન જગન્નાથ અને અન્ય દેવ પ્રતિમાઓના નિર્માણ લીમડાની લકડીઓથી કરવામાં આવે છે. ભગવાન જગન્નાથનો રંગ શ્યામ હોય છે, આ માટે લીમડાનું વૃક્ષ તે જ રંગનું હોવું જોઇએ. ભગવાન જગન્નાથના ભાઇ-બહેનનો રંગ ગોરો છે, આ માટે તેમની મૂર્તિઓ માટે હળવા રંગના લીમડાનું વૃક્ષ શોધવામાં આવે છે. ભગવાન જગન્નાથની મૂર્તિ માટે વૃક્ષ પસંદ કરવા માટે ખાસ વસ્તુઓ પર પણ ધ્યાન આપવામાં આવે છે. આ ખાસ વસ્તુઓ નીચે મુજબ છે-

1. વૃક્ષમાં મુખ્ય ચાર શાખાઓ હોવી જોઇએ.
2. વૃક્ષની નજીક જળાશય (તળાવ), સ્મશાન અને કીડીઓનું દર હોવું જરૂરી છે.
3. વૃક્ષની જડમાં સાંપનું બિલ પણ હોવું જોઇએ.
4. તે કોઇ ત્રિભેટ પાસે હોય અથવા પછી ત્રણ પહાડોથી ઘેરાયેલું હોય.
5. વૃક્ષની પાસે વરૂણ, બીલી કે સહોદાનું વૃક્ષ હોવું જ જોઇએ.

કળિયુગનું પવિત્ર ધામ છે જગન્નાથપુરીઃ-

પૌરાણિક માન્યતાઓમાં ચારેય ધામને એક યુગનું પ્રતીક માનવામાં આવે છે. આ પ્રકારે કળિયુગનું પવિત્ર ધામ જગન્નાથપુરી માનવામાં આવે છે. આ ભારતના પૂર્વ ઓરિસ્સા રાજ્યમાં સ્થિત છે, જેનું પુરાતન નામ પુરૂષોત્તમ પુરૂ, નીલાંચલ, શંખ અને શ્રીક્ષેત્ર પણ છે. ઓરિસ્સા અથવા ઉત્કલ ક્ષેત્રના પ્રમુખ દેવ ભગવાન જગન્નાથ છે. એવી ધાર્મિક માન્યતા છે કે ભગવાન જગન્નાથની પ્રતિમાં રાધા અને શ્રીકૃષ્ણનું યુગલ સ્વરૂપ છે. શ્રીકૃષ્ણ, ભગવાન જગન્નાથના જ અંશ સ્વરૂપ છે. આ માટે ભગવાન જગન્નાથને જ પૂર્ણ ઈશ્વર માનવામાં આવે છે.

નવમાં દિવસે પાછા ફરે છે ભગવન જગન્નાથઃ-

ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢ શુક્લ બીજથી શરૂ થશે. આ યાત્રા મુખ્ય મંદિરથી શરૂ થઇને 2 કિલોમીટર દૂર સ્થિત ગુંડિચા મંદિર પર સમાપ્ત થાય છે. જ્યાં ભગવાન જગન્નાથ 7 દિનવો સુધી વિશ્રામ કરે છે અને અષાઢ શુક્લ દશમી (આ વર્ષે 26 જુલાઈ, રવિવાર)ના રોજ રથયાત્રા મુખ્ય મંદિર સુધી પહોંચે છે. આ બહુડા યાત્રા કહેવાય છે.

ધાર્મિક માન્યતા છે કે, આ રથયાત્રાના માત્ર રથના શિખર દર્શનથી જ વ્યક્તિ જન્મ-મરણના બંધનથી મુક્ત થઇ જાય છે. સ્કંદપુરાણમાં વર્ણન છે કે, અષાઢ મહિનામાં પુરી તીર્થમાં સ્નાન કરવાથી બધા તીર્થોના દર્શનનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે અને ભક્તોને શિવલોકની પ્રાપ્તિ થાય છે.

આ છે જગન્નાથ રથયાત્રા સાથે જોડાયેલ રોચક વાતોઃ-

1. ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાના રથ નારિયેળના લાકડાથી બનાવવામાં આવે છે. આ લાકડાઓનું વજન પણ અન્ય લાકડાઓની સરખામણીમાં હળવી હોય છે અને તેને સરળતાથી ખેંચી પણ શકાય છે. ભગવાન જગન્નાથના રથનો રંગ લાલ અને પીળો હોય છે અને આ રથ અન્ય રથોના આકારમાં પણ મોટો હોય છે. આ યાત્રામાં બળભદ્ર અને સુભદ્રાના રથ પાછળ હોય છે.

2. ભગવાન જગન્નાથના રથના કેટલાય નામ છે જેમ કે, નંદીઘોષ, ગરુડધ્વજ અને કપિધ્વજ વગેરે. રથના ઘોડાના નામ શંખ, બલાહક, શ્વેત એવં હરિદાશ્વ છે. તેમનો રંગ સફેદ હોય છે. આ રથના સારથીનું નામ દારુકા છે. આ રથના રક્ષક ભગવાન વિષ્ણુના વાહન પક્ષીરાજ ગરુડ છે. રથની ધજા ત્રિલોક્યવાહિની કહેવામાં આવે છે. રથને જે દોરડાથી ખેંચવામાં આવે છે તેને શંખચૂડ કહેવામાં આવે છે.આ રથમાં ભગવાન જગન્નાથની સાથે અન્ય 9 દેવી દેવતાઓની મૂર્તિઓ પણ રાખવામાં આવે છે.જેમાં હનુમાન, શ્રીકૃષ્ણ, ગોવર્ધન, નરસિંગ,રામ, લક્ષ્મણ, નારાયણ, ચિંતામણી અને રાઘવ પ્રમુખ છે.

3. બલરામજીના રથનું નામ તાલધ્વજ છે. તેમના રથ પર મહાદેવજીનું પ્રતીક હોય છે. રથના રક્ષક વાસુદેવ અને સારથી મતાલી હોય છે. રથના ધ્વજને ઉનાની કહેવામાં આવે છે. ત્રિબ્રા, ઘોરા, દીર્ઘશર્મા અને સ્વર્ણનાવા આ રથના ઘોડાના નામ છે. આ રથ 13.2 મીટર ઉંચો અને 14 પૈડાવાળો હોય છે, જે લાલ, લીલા રંગના કપડા અને લાકડીઓના 763 ટુકડાઓથી બનેલું હોય છે.

4. સુભદ્રાના રથના નામ દેવદલન છે. સુભદ્રાજીના રથ પર દેવી દુર્ગાનું પ્રતીક હોય છે. રથની રક્ષક જયદુર્ગા અને સારથી અર્જુન હોય છે. રથનો ધ્વજ નદંબિક કહેવાય છે. રોચિક, મોચિક, જિતા અને અપરાજિતા તેના ઘોડા હોય છે. જેને ખેંચવાની રસ્સીનું નામ સ્વર્ણચુડા છે. 12.9 મીટર ઉંચા 12 પૈડાના રથમાં લાલ, કાળા કપડાની સાથે લાકડાના 593 ટુકડાઓનો ઉપયોગ થાય છે.

5. ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાના રથો પર જે ઘોડાની કૃતિઓ બનાવવામાં આવે છે. તેમાં પણ અંતર હોય છે. ભગવાન જગન્નાથના રથમાં લગાવેલ ઘોડાનો રંગ સફેદ, સુભદ્રાજીના રથ પર કોફી કલરનો, જ્યારે બલરામજીના રથ સાથે જોડાયેલ ઘોડાનો રંગ વાદળી હોય છે.

6. રથયાત્રામાં ત્રણ રથના શિખરોના રંગ પણ અલગ-અલગ હોય છે. બલરામજીના રથનો શિખર લાલ-પીળો, સુભદ્રાજીના રથનો શિખર લાલ અને ગ્રે રંગનો, જ્યારે ભગવાન જગન્નાથના રથના શિખરનો રંગ લાલ અને લીલો હોય છે.

રસોઈ છે પ્રમુખ આકર્ષણઃ-

1-જગન્નાથ મંદિરનું એક મોટું આકર્ષણ હોય છે અહીંની રસોઈ. આ રસોઈ વિશ્વની સૌથી મોટી રસોઈના રૂપમાં માનવામાં આવે છે. આ મંદિરનું દક્ષિણ-પૂર્વ દિશામાં સ્થિત છે. આ રસોઈમાં ભગવાન જગન્નાથ માટે પણ ભોગ તૈયાર કરવામાં આવે છે.

2- આ વિશાળ રસોઈમાં ભગવાનને ચઢાવવામાં આવતા મહાપ્રસાદને તૈયાર કરવામાં લગભગ 500 રસોઈયાઓ અને તેમના 300 સહયોગીઓ કામ કરે છે. એવી માન્યતા છે કે આ રસોઈમાં જે પણ ભોગ બનાવવામાં આવે છે તેનું નિર્માણ માતા લક્ષ્મીની દેખરેખમાં જ થાય છે.

3-અહીં બનાવવામાં આવતા દરેક પકવાન હિન્દુ ધર્મ પુસ્તકોના દિશા-નિર્દેષો પ્રમાણે જ બનાવવામાં આવે છે. ભોગ પૂર્ણતઃ શાકાહારી હોય છે. ભોગમાં કોઈપણ પ્રકારે ડુંગળી કે લસણનો પણ ઉપયોગ કરવામાં નથી આવતો. ભોગને મોટાભાગે માટીના વાસણોમાં જ ઉપયોગ કરવામાં આવે છે.

4-રસોઈની પાસે જ બે કૂવા છે જેને ગંગા અને યમુના કહેવામાં આવે છે. માત્ર તેમાંથી કાઢવામાં આવેલ પાણીથી જ ભોગ તૈયાર કરવામાં આવે છે. આ રસોઈમાં 56 પ્રકારના ભોગ તૈયાર કરવામાં આવે છે. રસોઈ બનાવવા માટે ભોજનની માત્રા આખા વર્ષ માટે રહે છે. પ્રસાદની થોડી પણ માત્રા ક્યારેય નકામી જતી નથી, પછી તે હજારો લોકોથી 20 લાખ લોકોને ખવડાવી શકાય છે.

5-મંદિરમાં ભોગ લગાવવા માટે 7 માટીના વાસણ એક બીજા ઉપર રાખવામાં આવે છે અને લાકડા ઉપર પકાવવામાં આવે છે. આ પ્રક્રિયામાંસૌથી ઉપર રાખેલ વાસણનો ભોગ સામગ્રી સૌથી પહેલા બનાવવામાં આવે છે પછી ક્રમશઃ નીચેની તરફ એક પછી એક ભોગને તૈયાર કરવામાં આવે છે.

આવું છે મંદિરનું સ્વરૂપઃ-

જગન્નાથ મંદિર 4,00,000 વર્ગ ફૂટમાં ફેલાયેલું છે અને સરહદોથી ઘેરાયેલો છે. કલિંગ શૈલીના મંદિર સ્થાપત્યકળા અને શિલ્પના આશ્ચર્યજનક પ્રયોગથી પરિપૂર્ણ, આ મંદિર, ભારતના ભવ્ય સ્મારક સ્થળોમાંથી એક છે. મુખ્ય મંદિર વક્ર રેખીય આકારનું છે, જેના શિખર પર ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર મંડિત છે. આ ચક્રને નીલચક્ર પણ કહેવામાં આવે છે. આ ચક્ર અષ્ટધાતુથી નિર્મિત છે અને અતિ પાવન અને પવિત્ર માનવામાં આવે છે. મંદિરની અંદર આંતરિક ગર્ભગૃહમાં મુખ્ય દેવાતાઓની મૂર્તિઓ સ્થાપિત છે.

આ ભાગ તેને ઘરાયેલાં અન્ય ભાગોની અપેક્ષાએ વધારે વર્ચસ્વવાળો છે. તેની સાથે જોડાયેલ મંદિરની પિરામિડ આકાર છત અને લગાવવામાં આવેલ મંડપ, અટ્ટાલિકા (છાપરાની નીચેનો મેડો) મંદિરની નજીક રહેતાં ઉપર તરફ ઉઠતાં ગયાં છે. આ એક પર્વતને ઘેરીને અન્ય નાના પહાંડો, નાના-નાના ડુંગરોના સમૂહથી બનેલું છે. મુખ્ય ભવન એક 20 ફૂટ ઊંચી દિવાલથી ઘેરાયેલો છે તથા બીજી દિવાલ મુખ્ય મંદિરને ઘેરાયેલ છે.

આ છે પુરીના દર્શનીય સ્થળઃ-

પુરીની મૂર્તિ, સ્થાપત્ય કળા અને દરિયાનો કિનારો પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે પૂરતો છે. કોણાર્કનું અદભૂત સૂર્ય મંદિર, ભગવાન બુદ્ધની અનુપમ મૂર્તિઓથી સજાયેલું ધૌલાગિરી અને ઉદયગિરિની ગુફાઓ, જૈન મુનિઓની તપસ્થળી ખંડ-ગિરિની ગુફાઓ, લિંગ-રાજ, સાક્ષી ગોપાલ અને ભગવાન જગન્નાથના મંદિર દર્શનીય છે. પુરી અને ચંદ્રભાગાનું મનોરમ દરિયા કિનારો, ચંદન તળાવ, જનકપુર અને નંદનકાનન અભ્યારણ ખૂબ જ મનોરમ છે.

અહીંના પ્રસાદને કહેવાય છે મહાપ્રસાદઃ-

જગન્નાથ મંદિરના પ્રસાદને મહાપ્રસાદ માનવામાં આવે છે, જ્યારે અન્ય તીર્થના પ્રસાદને સામાન્યતયા પ્રસાદ જ કહેવાય છે. ભગવાન જગન્નાથના પ્રસાદને મહાપ્રસાદનું સ્વરૂપ મહાપ્રભુ વલ્લભાચાર્યજી દ્વારા પ્રાપ્ત થયું. એવું કહેવાય છે કે, મહાપ્રભુ વલ્લભાચાર્યની નિષ્ઠાની પરીક્ષા લેવા માટે તેમના એકાદશી વ્રતના દિવસે પુરી પહોંચવા પર મંદિરમાં જ કોઇએ તેમને પ્રસાદ આપી દીધો હતો. મહાપ્રભુએ પ્રસાદ હાથમાં લઇ તેનું સ્તવન કરતાં દિવસ પછી રાત્રે પણ ત્યાં વિતાવી હતી. પછીના દિવસે બારસના દિવસે સ્તવનની સમાપ્તિ પર તે પ્રસાદને ગ્રહણ કર્યો અને તે પ્રસાદને મહાપ્રસાદનું ગૌરવ પ્રાપ્ત થયું.

આ રીતે શરૂ થઇ જગન્નાથની પરંપરાઃ-

ઓરિસ્સાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવાની પરંપરા ઘણી જૂની છે. આ રથયાત્રા સાથે જોડાયેલી અનેક કિવંદતીઓ(લોકકથાઓ) પણ પ્રચિલત છે. તે પ્રમાણે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવાની પરંપરા રાજા ઈન્દ્રદ્યુમે શરૂ કરી હતી. આ કથા સક્ષેપમાં આ પ્રકારે છે-

કળયુગના શરૂઆતના સમયમાં માલવ દેશ ઉપર રાજા ઈન્દ્રદ્યુમનું શાસન હતું. તે ભગવાન જગન્નાથનો ભક્ત હતો. એક દિવસ ઈન્દ્રદ્યુમ ભગવાનના દર્શમ કરવા નીલાંચલ પર્વ ઉપર ગયા તેને ત્યાં દેવ મૂર્તિના દર્શન ન થયા. નિરાશ થઈને જ્યારે પાછા આવવા લાગ્યા ત્યારે ભવિષ્ણવાણી થઈ કે ખૂબ જ જલદી ભગવાન જગન્નાથ મૂર્તિના સ્વરૂપમાં ફરી ધરતી ઉપર આવશે. આ સાંભળીને તે ખુશ થયો.

એકવાર જ્યારે ઈન્દ્રદ્યુમ પુરીના સમુદ્ર તટ ઉપર ફરી રહ્યો હતો ત્યારે તેને સમુદ્રમાં લાકડાના બે વિશાળ ટુકડા તરતા દેખાયા. ત્યારે તેને ભવિષ્ણવાણીની યાદ આવી અને વિચાર્યું કે આ લાકડાથી જ ભગવાનની મૂર્તિ બનાવશે. ત્યારે ભગવાનની આજ્ઞાથી દેવતાઓના શિલ્પ વિશ્વકર્મા ત્યાં બઢઈના રૂપમાં આવ્યા અને તેને એ લાકડામાંથી ભગવાનની મૂર્તિઓ બનાવવા માટે રાજાને કહ્યું. રાજાએ તરત જ હા પાડી દીધી.

ત્યારે બઢઈના રૂપમાં વિશ્વકર્માએ એવી શરત રાખી કે મૂર્તિનું નિર્માણ એકાંતમાં કરશે અને જો કોઈ ત્યાં આવે તો તે કામ અધુરુ છોડીને ચાલ્યો જશે. રાજાને શરત માની લીધે. ત્યારે વિશ્વકર્માએ ગુન્ડિચા નામના સ્થળે મૂર્તિ બનાવવાનું કામ શરૂ કર્યું. એક દિવસ ભૂલવશ રાજા બઢઈને મળવા પહોંચી ગયો. તેમને જોઈને વિશ્વકર્મા ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા અને ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ અધુરી રહી ગઈ. ત્યારે ભવિષ્યવાણી થઈ કે ભગવાન આ રૂપમાં જ સ્થાપિત થવા માગે છે. ત્યારે રાજા ઈન્દ્રદ્યુમે વિશાળ મંદિર બનાવ્યું અને ત્રણે મૂર્તિને ત્યાં સ્થાપિત કરી.

ભગવાન જગન્નાથે મંદિર નિર્માણના સમયે રાજા ઈન્દ્રદ્યુમે બતાવ્યું હતું કે તેઓ વર્ષમાં એકવાર પોતાની જન્મભૂમી ચોક્કસ આવશે. સ્કંદપુરાણના ઉત્કલ ખંડ પ્રમાણે ઈન્દ્રદ્યુમે અષાઢ શુક્લ દ્વિતીયાના દિવસે પ્રભુએ તેમની જન્મભૂમી જવાની વ્યવસ્થા કરી. ત્યારથી આ પરંપરા રથયાત્રાના રૂપમાં ચાલી આવી રહી છે.

એક અન્ય મત પ્રમાણે સુભદ્રાએ દ્વારિકા દર્શનની ઈચ્છા પૂરી કરવા માટે શ્રીકૃષ્ણ અને બલરામે અલગ-અલગ રથોમાં બેસાડીને યાત્રા કરી હતી. સુભદ્રાની નગર યાત્રાની યાદમાં આ રથયાત્રા પુરીમાં દર વર્ષે યોજાય છે.

રથયાત્રામાં આ માટે નથી હોતો રૂકમણી અથવા રાધાનો રથઃ-

વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના અલગ-અલગ રથોમાં વિરાજિત કરીને નગર ભ્રમણ કરવાની પરંપરા છે. અહીં આ વાત વિચારણીય છે કે શ્રીકૃષ્ણની સાથે જ રાધા કે રુક્મણીનો રથ શા માટે નથી હોતો ? તેનો જવાબ હિન્દુ પૌરાણિક કથાઓમાં મળે છે જે આ પ્રમાણે છે-

એકવાર દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ રાત્રિ દરમિયાન સૂઈ રહ્યા હતા. નજીકમાં જ રુક્મણી પણ સૂઈ રહી હતી. નિદ્રા દરમિયાન શ્રીકૃષ્ણએ રાધાના નામનું ઉચ્ચારણ કર્યું. આ સાંભલીને રુક્મણી અચંભિત થઈ. સવાર થતા જ રુક્મણીએ આ વાત અન્ય પટરાણીઓને કહી અને કહ્યું કે આપણી આટલી સેવા, પ્રેમ અને સમર્પણ પછી પણ સ્વામી રાધાને યાદ કરવાનું નથી ભૂલતા.

ભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા. ત્યારે કૃષ્ણ ભગવાનની ૧૬૧૦૮ રાણીઓએ રોહિણી માતાને (બલરામની માતા) પુછ્યુ કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છે છતા કૃષ્ણ ભગવાન આખો દિવસ રાધાનુ નામ કેમ લે છે. ત્યારે રોહિણી માતા બોલયા જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમા ના પ્રવેશે તો હું કહુ. રાણીઓએ વિચાર કરીને સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઉભા રાખ્યા અને કહ્યુ કે કોઇને અંદર પ્રવેશવા ના દેતા. પછી રોહિણી માતાએ કથા ચાલુ કરી.

આ માટે કહેવાય છે ગુંડિચા મંદિરને બ્રહ્મલોકઃ-

ભગવાન જગન્નાથની રથયાત્રા દરવર્ષે અષાઢ શુક્લ બીજા તિથિના રોજ કાઢવામાં આવે છે. આ યાત્રા ગુંડિચા મંડિર સુધી જઈને આવે છે. એવી માન્યતા છે કે આ ગુંડિચા મંદિરમાં દેવતાઓના શિલ્પી વિશ્વકર્માએ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું એટલા માટે ગુંડિચાને બ્રહ્મલોક અર્થાત્ જનકપુરી પણ કહેવામાં આવે છે. રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ થોડો સમય આ મંદિરમાં વિતાવે છે. આ સમયે ગુંડિચા મંદિરમાં ભવ્ય મહોત્સવ મનાવવામાં આવે છે.

આ પ્રકારે ગુંડિચા નગરમાં જઈને ભગવાન વિન્દુતીર્થના તટ ઉપર સાત દિવસ સુધી નિવાસ કરે કારણ કે પ્રાચીનકાળમાં તમને રાજા ઈન્દ્રદ્યુમને એવું વરદાન આપ્યું હતું કે હું તમારા તીર્થના કિનારે પ્રતિવર્ષ નિવાસ કરીશ. મારે ત્યાં રહેવા માટે બધા તીર્થ તેમાં નિવાસ કરશે. આ તીર્થમાં વિધિપૂર્વક સ્નાન કરીને, જે લોકો સાત દિવસ સુધી ગુંડિચા મંડપમાં વિરાજમાન મારું, બલરામ અને સુભદ્રાના દર્શન કરશે, તેઓ મારી કૃપા પ્રાપ્ત કરશે.

ગુંડિચા મંડપથી રથ ઉપર બેસીને દક્ષિણ દિશા તરફ આવતા શ્રીકૃષ્ણ, બલભદ્રા અને સુભદ્રાજીના જે દર્શન કરે છે, તેઓ મોક્ષના ભાગી બને છે. ધર્મગ્રંથો પ્રમાણે જે દરરોજ સવારે ઊઠીને આ પ્રસંગનો પાઠ કરે છે કે સાંભળે છે તે પણ ભગવાન વિષ્ણુની કૃપાથી ગુંડિચા મહોત્સવના ફળસ્વરૂપ વૈકુંઠધામમાં જાય છે.

શા માટે ઓગળવા લાગ્યા ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાઃ-

સુભદ્રા દરવાજાપર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયુ કે સુભદ્રા દરવાજાપર કાન રાખીને ઉભા છે. કૃષ્ણ અને બલરામ રાજમહેલમા પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા. તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજાપર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેના હાત અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી. ત્યારે કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયુ કે કૃષ્ણ ભગવાનના હાત અને પગ સંકોચાઇ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી. નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યુ કે તમારુ આ રૂપ જગતને બતાવો. તો કૃષ્ણ ભગવાનએ નારદ મુનિને આ રૂપ ત્રેતાયુગમાં જગતને બતાવવાનુ વચન આપ્યું.
આ કારણ છે કે ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓમાં ભગવાન જગન્નાથે શ્રીકૃષ્ણ અને રાધાને દિવ્ય યુગલ સ્વરૂપ માનીને તેમની સાથે જ ભાઈ બલભદ્ર અને સુભદ્રાની અધુરી બનેલી કાષ્ઠ અર્થાત્ લાકડાની મૂર્તિઓની સાથે રથયાત્રા કઢવાની પરંપરા છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય

દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!

poojan

પૂર્વમાં ભગવાનનું મંદિર તથા પશ્ચિમમાં દેવી મંદિર પ્રતિષ્ઠા, ઐશ્વર્ય અને ધન-સંપત્તિ આપનાર બને છે. પૂજાસ્થાનમાં મૂર્તિઓ એકબીજા તરફ મુખ કરીને ક્યારેય રાખવી નહીં

વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ પૂજા સ્થાન કે મંદિર ઘરમાં હંમેશાં ઉત્તર-પૂર્વ (ઈશાન ખૂણો)માં હોવું જોઈએ, કેમ કે આ ખૂણામાં પરમ પિતા પરમેશ્વર અર્થાત્ ઈશ્વરનો વાસ હોય છે. કહેવાય છે કે દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુની સાથે ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન ખૂણામાં નિવાસ કરે છે તે સાથે ઈશાનના ક્ષેત્રમાં દેવગુરુ બૃહસ્પતિનો અધિકાર છે. અલબત્ત આધ્યાત્મિક ચેતનાનો મુખ્ય કારક ગ્રહ બૃહસ્પૃતિ છે. ઉત્તર-પૂર્વ ભાગ અથવા ઈશાન ખૂણામાં પૃથ્વીની ચુંબકીય ઊર્જા, સૂર્ય ઊર્જા તથા વાયુ મંડળ અને બ્રહ્માંડમાંથી મળનારી ઊર્જા અને શક્તિઓનો અનુકૂળ પ્રભાવ મળે છે. ફળસ્વરૂપ આધ્યાત્મિક પૂજા માનસિક શક્તિઓમાં સકારાત્મક વૃદ્ધિ થાય છે.

વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૂજા ઘર કે મંદિર ક્યારેય રસોડામાં ન બનાવવું જોઈએ. મોટા ભાગના લોકો પૂજા ઘર રસોડામાં જ રાખતા હોય છે, પરંતુ તે જરાય યોગ્ય નથી. પાણિયારે દીવો કરવો એ એલગ બાબત છે અને મંદિર રાખવું એ પણ અલગ બાબત છે. રસોડામાં ઉપયોગમાં લેવાની વસ્તુઓ મરચું, મીઠું, મસાલા, ગેસ, તેલ, ચમચા વગેરે મંગળ ગ્રહની વસ્તુઓ છે. મંગળ ગ્રહનો વાસ પણ રસોડામાં જ હોય છે. મંગળ ઉગ્ર ગ્રહ હોવાને કારણે તે ઉગ્રતાના પ્રભાવમાં વૃદ્ધિ કરીને પૂજા કરનારાની શાંતિ અને સાત્વિકતામાં ઊણપ લાવે છે. ભગવાન ભાવના ભૂખ્યા હોય છે. ભગવાનની પૂજામાં સુગંધનું એક આગવું મહત્ત્વ હોય છે. રસોડામાં સાત્ત્વિક અને નિરામિષ એમ બંને પ્રકારનાં ભોજન રાંધવામાં આવે છે જેની સુગંધ અને દુર્ગંધ ભગવાનને મળે છે. જે યોગ્ય ન કહેવાય. પરિણામે દેવતા પ્રસન્ન થતા નથી. આમ રસોડામાં બનાવેલ પૂજાસ્થાન બનાવવાથી આધ્યાત્મિક ચેતનાનો વિકાસ થતો નથી.

અસરકારક વાસ્તુ શાસ્ત્ર: સન્માન અને સમૃદ્ધિ વધારવા, ઘરના આ ખૂણામાં કરો નાના-નાના ફેરફાર…!!!

વળી પૂજાસ્થાન ટોયલેટની સામે પણ ક્યારેય ન હોવું જોઈએ, કેમ કે ટોયલેટ પર શુક્રનો પ્રભાવ હોય છે જ્યારે પૂજાના સ્થાન પર બૃહસ્પતિનો અધિકાર છે. શુક્ર અનૈતિક સંબંધ અને ભૌતિકવાદી વિચારધારાનું સર્જન કરે છે. તે સાથે શુક્ર ગ્રહની પ્રવૃત્તિ રાક્ષસી હોય છે. જે પૂજાસ્થાનના અધિપતિ ગ્રહ બૃહસ્પતિ (ગુરુ)ના અતિરેક ગુણોના પ્રભાવને ઓછો કરી દે છે. જેના ફળ સ્વરૂપ પૂજાનો પૂરેપૂરો આધ્યાત્મિક લાભ વ્યક્તિને સુલભ થતો નથી. મંદિર કે પૂજાસ્થાન સીડીઓની નીચે પણ ક્યારેય ન હોવું જોઈએ.

વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

ગણેશજીની સ્થાપના પૂજાસ્થાનમાં દક્ષિણ દિશામાં કરવી જોઈએ. જેથી તેમની દૃષ્ટિ ઉત્તર દિશા તરફની રહે. ઉત્તરમાં હિમાલય પર્વત છે અને તેના પર ગણેશજીમાં માતા-પિતા અર્થાત શંકર-પાર્વતીજીનો નિવાસ છે. ગણેશજીને પોતાનાં માતા-પિતા તરફ જોવાનું સારું લાગે છે માટે જ ગણેશજીની મૂર્તિ દક્ષિણ દિશામાં રાખવી જોઈએ. ગણેશજીની સ્થાપના ક્યારેય પશ્ચિમ દિશામાં કરવી જોઈએ નહિ. ગણેશજી મંગળના પ્રતીક છે અને પશ્ચિમ દિશાનો સ્વામી શનિ છે. આમ મંગળ અને શનિ એક સાથે આવે જેથી ઘરમાં પરેશાનીઓ અને મુશ્કેલીઓ વધી જાય છે.

બ્રહ્મા, વિષ્ણુ, શિવ, કાર્તિકેય, સૂર્ય અને ઈંદ્ર વગેરેને ઘરના પૂજાસ્થાનમાં એવી રીતે સ્થાપિત કરવા જોઈએ કે જેથી તેમની પૂજા કરતી વખતે પૂજા કરનાર વ્યક્તિનું મુખ પૂર્વમાં, પશ્ચિમ દિશા તરફનું હોય અર્થાત્ આ સઘળા દેવી-દેવતાઓની સ્થાપનાની સાચી દિશા પૂર્વ અથવા પશ્ચિમ છે. દેવી-દેવતાઓની મૂર્તિઓ ઉત્તર દિશાવાળી દિવાલ પર ક્યારેય લગાવવી જોઈએ નહિ. આમ કરવાથી તે દક્ષિણામુખી થઈ જાય છે. વળી ઉત્તર દિશામાં ઉત્તર ધ્રુવ હોય છે પરિણામે આ બંનેનું એક જ દિશામાં આવવું કે રહેવું એ યોગ્ય ગણાતું નથી, કારણ કે લક્ષ્મીજી ઉત્તર-પૂર્વમાં રહે છે. સરસ્વતી માતા પશ્ચિમ દિશામાં વાસ કરે છે એટલે પશ્ચિમ દિશામાં બેસીને સરસ્વતીજીની પૂજા કરવી અને ઉત્તર-પૂર્વમાં બેસીને લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ. પૂજા કક્ષનું દ્વાર હંમેશાં કક્ષની મધ્યમાં હોવું જોઈએ. જો પૂજા ઘરમાં મૂર્તિઓ દ્વારની બરાબર સામે હોય તો દ્વાર પર પડદો રાખવો જરૂરી છે. પૂજા કક્ષનું પ્રવેશ દ્વાર પૂર્વ તરફનું તથા બહાર નીકળવાનું ઉત્તર દિશા તરફનું હોવું જોઈએ. એનાથી ઘરમાં નિવાસ કરનાર લોકોનાં નામ અને વંશમાં વૃદ્ધિ થાય છે તથા એક વિશિષ્ટ વ્યક્તિના રૂપમાં તેમની ઓળખ બને છે. જો પૂજા કક્ષનું દ્વાર ઉત્તર-પૂર્વ દિશામાં હોય તથા આવવા જવાનું ઉત્તર-પૂર્વ દિશામાં જ હોય તો સૂર્યનાં કિરણો અને ચુંબકીય પ્રભાવથી ધન-સંપત્તિની સાથોસાથ વિવિધ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે, કેમ કે કેટલાંક દેવી-દેવતા ઈન્દ્રનાં માર્ગે પહેલેથી જ પૂજન કક્ષ અથવા મંદિરમાં પ્રવેશ કરવાનું પસંદ કરે છે તથા કેટલાંક દેવી-દેવતા ઉત્તર અથવા ઉત્તર-પૂર્વના માર્ગે પૂજન કક્ષમાં પ્રવેશ કરવાનું પસંદ કરે છે. વરુણ અને વાયુ દેવતા હંમેશાં પશ્ચિમ-ઉત્તરના માર્ગે જ પ્રવેશ કરે છે માટે આ સ્થાનોથી પણ પ્રવેશ દ્વાર રાખવું શુભફળદાયી છે. દક્ષિણ-પૂર્વના માર્ગે યજ્ઞાના દેવતા અગ્નિદેવ પ્રવેશ કરે છે. તેથી આ ખૂણાનું દ્વાર પણ સારું મનાય છે. આ સઘળા સિદ્ધાંતોને અપનાવવાથી પૂજન કક્ષની ગરિમા વધે છે તથા અહિંયા દેવી-દેવતા શુભ ફળ આપીને માનસિક અને આધ્યત્મિક સુખ-સમૃદ્ધિ આપે છે.

ઘરમાં વિષ્ણુ, લક્ષ્મી, સીતા-રામ, રાધા-કૃષ્ણ અને બાલાજી જેવા સાત્વિક અને શાંત દેવી-દેવતાનાં યંત્ર, મૂર્તિઓ અને તસવીરો રાખવી લાભદાયી રહે છે. પૂર્વમાં ભગવાનનું મંદિર તથા પશ્ચિમમાં દેવી મંદિર પ્રતિષ્ઠા, ઐશ્વર્ય અને ધન-સંપત્તિ આપનાર બને છે. પૂજાસ્થાનમાં મૂર્તિઓ એકબીજા તરફ મુખ કરીને ક્યારેય રાખવી નહીં.

પૂજાસ્થાનમાં કોઈ કારણસર કોઈપણ દેવી-દેવતાની મૂર્તિ સહેજ પણ ખંડિત થઈ જાય તો તે પૂજનને યોગ્ય નથી. આવી સ્થિતિમાં આ મૂર્તિને વિધિવિધાન સહિત પવિત્ર જળમાં પ્રવાહિત કરી દેવી જોઈએ તે સાથે કોઈ પ્રાચીન મંદિરમાંથી લવાયેલી ખંડિત મૂર્તિ પણ ઘરના પૂજાસ્થાનમાં રાખવી જોઈએ નહિ. દેવી-દેવતાઓ પર ચઢાવેલાં ચંદન, પુષ્પ, માળા અને હવન સામગ્રી તેમજ ધૂપ, જળ, નારિયેળ, જૂનાં વસ્ત્ર વગેરે બીન જરૂરી વસ્તુઓ પણ ફેંકી દેવાને બદલે વહેતા જળમાં વિર્સિજત કરી દેવી જોઈએ.

સાભાર: સંદેશ.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

જાણો….શુભ સ્વસ્તિકના લાભઃ રોજ આ રીતે બનાવો ઘરમાં સાથિયો, દૂર થશે તંગહાલી…!!!

swastik6

સ્વસ્તિક શબ્દ સુ અને અસ્તિ આ બંન્ને શબ્દોથી મળીને બનેલો છે. સુનો અર્થ શુભ અને અસ્તિનો અર્થ થવું એટલે કે, જેનાથી શુભ કલ્યાણ થાય તે જ સ્વસ્તિક છે. હિન્દૂ ધર્મ પરંપરાઓમાં બધા જ માંગલિક કાર્ય, ધાર્મિક કાર્યા, પૂજા, ઉપાસના અથવા કોઇપણ કાર્યની શરૂઆત સ્વસ્તિકનું ચિન્હ બનાવીને કરવામાં આવે છે. સ્વસ્તિક દેવશક્તિઓ, શુભ અને મંગળ ભાવનું પ્રતીક માનવામાં આવે છે.

ફેંગશુઈના 15માંથી કોઇ 1નો કરો ઉપાય, ઘરથી ક્યારેય દૂર નહીં થાય સુખ+સમૃદ્ધિ

એવું કહેવમાં આવે છે કે…

स्वस्ति न इन्द्रो वृद्धश्रवा: स्वस्ति न: पूषा विश्ववेदा:।
स्वस्तिनस्ता रक्षो अरिष्टनेमि: स्वस्ति नो बृहस्पर्तिदधातु।।

એવું માનવામાં આવે છે કે, આ મંત્રમાં ચાર વાર આવેલા સ્વસ્તિ શબ્દના સ્વરૂપમાં ચારવાર કલ્યાણ અને શુભની કામનાથી શ્રીગણેશની સાથે ઇન્દ્ર, ગરૂડ, પૂષા અને બૃહસ્પતિનું ધ્યાન અને આહવાન કરવામાં આવે છે.

– આ મંગળ-પ્રતીકનું ગણેશની ઉપાસના, ધન, વૈભવ અને ઐશ્વર્યની દેવી લક્ષ્મીની સાથે, ચોપડા પૂજનની પરંપરા વગેરેમાં વિશેષ સ્થાન છે. ચારેય દિશાઓના અધિપતિ દેવતાઓ, અગ્નિ, ઇન્દ્ર, વરૂણ અને સોમની પૂજા હેતુ તથા સપ્તઋષિઓના આશીર્વાદને મેળવવા માટે સ્વસ્તિક બનાવવામાં આવે છે. સ્વસ્તિક ચારેય દિશાઓ અને જીવન ચક્રનું પણ પ્રતીક છે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

-ઘરના વાસ્તુને ઠીક કરવા માટે પણ સ્વસ્તિકનો પ્રયોગ કરવામાં આવે છે. સ્વસ્તિકના ચિન્હને ભાગ્યવર્ધક વસ્તુઓમાં માનવામાં આવે છે. સ્વસ્તિકને બનાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા બહાર જતી રહે છે. ઘરમાં કોઇપણ પ્રકારના વાસ્તુદોષ થવા પર ધરના મુખ્ય દ્વારની બહારના ભાગને સાફ કરી અને ગૌમૂત્રનો છંટકાવ કરવો જોઇએ. દરવાજાની બન્ને બાજુએ નિયમ મુજબ ચંદન અને કંકુનો સ્વસ્તિક બનાવવો. ઘણા પ્રકારના વાસ્તુદોષ આ ઉપાય કરવાથી જાતે જ દૂર થઇ જશે. આ ઉપાયને કરવાથી પૈસાની તંગી પણ દૂર થઇ શકે છે.

અસરકારક વાસ્તુ શાસ્ત્ર: સન્માન અને સમૃદ્ધિ વધારવા, ઘરના આ ખૂણામાં કરો નાના-નાના ફેરફાર…!!!

– સ્વસ્તિકનો આવિષ્કાર આર્યો દ્વારા કરવામાં આવ્યો છે. આજે વર્તમાન સમયમાં પણ આખા વિશ્વમાં આ સ્વસ્તિકની પરંપરા ફેલાયેલી છે. આજ સુધી સ્વસ્તિકનો દરેક ધર્મમાં અને સંસ્કૃતિમાં અલગ-અલગ રીતે ઉપયોગ કરવામાં આવે છે. થોડા ધર્મ અને સમાજમાં સ્વસ્તિકને ખોટો અર્થમાં લઇને તેનો ખોટી જગ્યાએ ઉપયોગ કરવામાં આવ્યો જ્યારે થોડા ધર્મમાં તેના હકારાત્મક પહેલુંને સમજવામાં આવ્યું.

– સ્વસ્તિકને ભારતમાં જ નહીં, દુનિયાના ઘણા બીજા દેશોમાં વિવિધ સ્વરૂપોમાં જોવામાં આવે છે. જર્મની, યૂનાન, અમેરિકા, સ્કૈણ્ડિનેવિઆ, સિસલી, સ્પેન, સીરીયા, તિબ્બત, ચીન, સાઇપ્રસ અને જાપાન, ફાંન્સ, રોમ, મિસ્ત્ર, બ્રિટેન વગેરે દેશોમાં પણ સ્વસ્તિકનું પ્રચલન કોઇના કોઇ સ્વરૂપે જોવામાં આવે છે.

વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

– શાસ્ત્ર મુજબ સ્વસ્તિક પરબ્રહ્મ, વિઘ્નહર્તા અને મંગલમૂર્તિ ભગવાન શ્રીગણેશનું પણ સાકાર સ્વરૂપ છે. સ્વસ્તિકનો ડાબો ભાગ ગં બીજમંત્ર હોય છે, જે ભગવાન શ્રીગણેશનું સ્થાન માનવામાં આવે છે. સ્વસ્તિકમાં જે ચાર ટપકાઓ કરવામાં આવે છે, તેમાં ગૌરી, પૃથ્વી, કૂર્મ એટલે કે કાચબો અને અનંત દેવતાઓનો વાસ માનવામાં આવે છે.

– આ રીતે વેદ પણ સ્વસ્તિક શ્રીગણેશનું સ્વરૂપ હોવાની વાત કરે છે. સ્વસ્તિક બનાવવાના ધર્મ દર્શનમાં વ્યાવહારિક નજરથી સંકેત આ જ છે કે, જે વાતાવરણમાં સંબંધો વચ્ચે પ્રેમ, પ્રસન્નતા, શ્રી, ઉત્સાહ, ઉલ્લાસ, સૌંદર્ય અને વિશ્વાસ હોય છે, ત્યાં શુભ, મંગળ અને કલ્યાણ હોય છે એટલે કે શ્રી ગણેશનો વાસ હોય છે. તેમની કૃપાથી અપાર સુખ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

જાણો…દરેક કામમાં અતિશુભ ફળ મેળવવું હોય તો ધ્યાનમાં રાખવી આ 15 વાતો..!!!

tulsi6

વાસ્તુશાસ્ત્ર હકારાત્મક અને નકારાત્મક ઉર્જાના સિદ્ધાંત ઉપર કામ કરે છે. જો ઘરમાં કોઈ વસ્તુ ખોટી જગ્યાએ રાખી હોય તો તેનાથી નકારાત્મક ઉર્જા વધે છે. જે ઘરમાં નકારાત્મક ઉર્જા હોય ત્યાં રહેનારા લોકોને માનસિક તણાવનો સામનો કરવો પડે છે. સાથે જ અન્ય કાર્યોમાં પણ શુભ ફળ પ્રાપ્ત નથી થઈ શકતું. જો વાસ્તુ ટિપ્સનું પાલન કરવામાં આવે તો ઘરનું વાતાવરણ શુભ બન્યું રહે છે. અહીં જાણીએ વાસ્તુની કેટલીક ટિપ્સ જેનાથી ઘરમાં હકારાત્મક ઉર્જા વધે છે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

1. ઘરમાં તુલસીનો છોડ રાખવો જોઈએ. સવાર-સવારમાં તુલસીના છોડને જળ અર્પિત કરવું. સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવો. પૂર્વ અથવા ઉત્તર દિશામાં તુલસીનો છોડ લગાવવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે.

2. ઘરનું મુખ્યદ્વાર પૂર્વ અથવા ઉત્તર દિશામાં હોય તો તે શ્રેષ્ઠ માનવામાં આવે છે, પરંતુ એવું ન હોય તો ઘરના મુખ્યદ્વાર પર સાથિયો, શ્રીગણેશ અથવા અન્ય કોઈ શુભ ચિન્હ લગાવવું જોઈએ.

3. ઘરમાં બારી-બારણાંની સંખ્યા સમાન હોય તો તેને શુભ માનવામાં આવે છે. સમાન એટલે કે 2, 4, 6, 8 અથવા 10 બારી-બારણાં. બારીઓ અંદરની બાજુ ખુલવી વાસ્તુની દૃષ્ટિએ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.

4. ઘરમાં નકામી અને વ્યર્થ વસ્તુઓ ન હોવી જોઈએ. આ ઘરમાં આવી વસ્તુઓ તણાવ ઉત્પન્ન કરે છે.

5. ધન સંબંધી લાભ મેળવવા ઈચ્છતા હોવ તો તિજોરીનું મુખ ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવું જોઈએ. ધન રાખવાની જગ્યાને સુગંધવાળું બનાવી રાખવું જોઈએ. તેના માટે અગરબત્તી, પરફ્યુમ વગેરેનો ઉપયોગ કરી શકાય છે.

6. તિજોરીના બારણાં પર કમળના આસન પર બેઠેલી મહાલક્ષ્મીની તસવીર લગાવવી જોઈએ.

7. દક્ષિણની દીવાલ પર આરીસો ન લગાવવો જોઈએ. આરીસો પૂર્વ અથવા ઉત્તરની દીવાલ પર લગાવવો શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે.

બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!

8. દીવાલ અથવા છત પર તિરાડ હોય તો તેને જલ્દી જ સરખી કરાવી લેવી જોઈએ.

9. સાંજના સમયે થોડી વાર માટે આખા ઘરમાં પ્રકાશ ચોક્કસ કરવો જોઈએ.

10. ઘરમાં કરોળિયાના જાળા ન હોવા જોઈએ. આવું થવા પર રાહુ ગ્રહ સાથે સંબંધિત દોષ વધે છે.

11. વાસ્તુશાસ્ત્રમાં એવી માન્યતા છે કે પૂર્વ દિશામાં મુખ કરીને જમવાથી ઉંમર વધે છે.

12. જે લોકો ઉત્તર દિશામાં મુખ કરીને જમવા બેસે છે, તેમની ઉંમર વધવાની સાથે લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે.

13. દક્ષિણ દિશા યમની દિશા માનવામાં આવે છે. આ દિશામાં મુખ કરીને ભોજન કરવાથી ભય વધે છે. ખરાબ સપના દેખાઈ છે.

14. પશ્ચિમ દિશામાં મુખ કરીને ભોજન કરવાથી ભોજનના એક પણ સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત નથી થઈ શકતા. ધ્યાન રાખવું આપણે ઉત્તર અથવા પૂર્વ દિશામાં જ મુખ કરીને ભોજન ગ્રહણ કરવું જોઈએ.

15. કાયમ જમીન પર બેસીને જ ભોજન કરવું જોઈએ, પરંતુ થાળીને ક્યારેય જમીન પર ન રાખવી જોઈએ. ભોજનની થાળી કોઈ બાજોટ અથવા આસન પર રાખવી જોઈએ.

દિશાઓ અને તેમના વાસ્તુ મુજબ નામ

વાસ્તુમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ દિશાઓની સાથે જ ચાર અન્ય દિશાઓ પણ બતાવવામાં આવી છે. આ દિશાઓ આ મુજબ છે – ઉત્તર-પૂર્વને ઈશાન કોણ કહેવામાં આવે છે. ઉત્તર-પશ્ચિમને વાયવ્ય કોણ, દક્ષિણ-પૂર્વને અગ્નિ કોણ તથા દક્ષિણ-પશ્ચિમને નૈઋત્ય કોણ કહેવામાં આવે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

જીવનમાં આ 20 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા..!!

જીવનમાં અપાર ધનસંપતિના આગમન માટે મહાલક્ષ્મીજીનું ચમત્કારીક કનાકધારા સ્તોત્ર શાસ્ત્રોક્ત રીતે દરરોજ સવારે જોરથી વાંચો.
કાળા મરીના 5 દાણાનો ચમત્કારી ઉપાય કરો, ઝડપથી મેળવશો ધન લાભ
કોઈને બતાવ્યા વિના કરો 7 ચમત્કારી ઉપાય, પૈસાની તંગી ઝડપથી થશે દૂર
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

યાદ રાખજો…પૂજા દરમિયાન ભૂલથી પણ આવી ભૂલો ન કરવી, થઈ શકે છે ભારે નુકસાન…!!

pooja2

ઈશ્વર ઉપર વિશ્વાસ રાખવો જ કોઈ પણ ધર્મનો પાયો છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ આ વિધાનને નકારી શકે છે કે ઈશ્વરના અસ્તિત્વનું તેના જીવનમાં કોઈ મહત્વ નથી. હિન્દુ ધર્મમાં જ્યાં મૂર્તિ પૂજાને વિશેષ સ્થાન આપવામાં આવે છે ત્યાં ઈશ્વરના સ્વરૂપ અને તેના પૂજનનું મહત્વ હજુ વધી જાય છે. આ જ કારણ છે કે હિન્દુ ધર્મને માનનારા લોકોના ઘરે તમને મંદિર અથવા પછી તેમના આરાધ્ય દેવતા અથવા દેવીની મૂર્તિ ચોક્કસ મળી શકે છે. વૈદિક પરંપરામાં દરેક ઘરમાં મંદિર હોવું ફરજીયાત બતાવવામાં આવ્યું હતું. પરંતુ મંદિરમાં રાખેલી ઈશ્વરની મૂર્તિની આરાધના કેવી રીતે કરવી, તેનાથી જોડાયેલા કેટલાય નિર્દેશ આપવામાં આવ્યાં છે. ચાલો જાણીએ શું છે તે ખાસ વાતો જેમનું ધ્યાન આપણે ચોક્કસપણે રાખવું જોઈએ.

અખંડ ચોખા

પૂજા ભલે કોઈ પણ હોય, બધામાં ચોખાની ભૂમિકા મહત્વપૂર્ણ હોય જ છે. પરંતુ ધ્યાન રાખવું કે પૂજામાં જે પણ ચોખાનો ઉપયોગ કરો તે અખંડ હોય એટલે કે તૂટેલા ન હોય. ચોખા ચડાવતા પહેલા જો તમે તેને હળદરમાં પીળા કરી લો છો તો તેને વધુ શુભ માનવામાં આવે છે. ક્યારેય પણ ધાર્મિક કાર્યો માટે કોઈ ખંડિત વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ.

હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!

પાન પત્તા

પૂજામાં પાનના પત્તા ખૂબ જ ઉપયોગી માનવામાં આવ્યાં છે. પાનના પત્તામાં એલાયચી, લવિંગ, ગુલકંદ વગેરે પણ નાખીને પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.

પૂજાનું ફળ

પૂજા દરમિયાન પ્રગટાવેલા દીવાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. દીવો ઓલવાય જાય તો પૂજાનું ફળ નથી મળતું. પૂજાની શરૂઆત કરતા પહેલા જે પણ દેવી-દેવતાની પૂજા કરવાની છે, તેમનું આવાહન, ધ્યાન, આસન, સ્નાન, પૂજા માટે ઉપયોગી સામગ્રી, દીવો પ્રગટાવવો, પ્રસાદ વગેરે બધું જરૂર હોવું જોઈએ.

કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!

જરૂરી સામગ્રી

દેવી-દેવતાઓને ચડાવવામાં આવતા ફૂલને સાફ પાણીથી ધોઈ લો. જે પણ ભગવાનની પૂજાની તમે તૈયારીઓ કરી રહ્યા છો તેમની પૂજા સાથે જોડાયેલી તમામ સામગ્રીઓને ચોક્કસ શામેલ કરો. તેના માટે તમે કોઈ નિષ્ણાંતની મદદ લઈ શકો છો.

આસન

જે આસન ઉપર બેસીને તમે પૂજા કરવાના છો તેને પગ દ્વારા નહીં હાથેથી ખસેડવું. પૂજા સ્થળની ઉપર કોઈ પ્રકારનો ભંગાર ન રાખવો.

150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!

વાસ્તુદોષથી મુક્તિ

જો તમે ઘરમાં મોજુદ વાસ્તુદોષને લઈને પરેશાન છો તો દરરોજ ઘીનો દીવો પ્રગટાવો. તેનાથી ઘણાં અંશે ઘરના વાસ્તુદોષ દૂર થઈ જાય છે.

પંચદેવ

સનાતન ધર્મમાં પંચદેવ એટલે કે ગણેશ, સૂર્ય, દુર્ગા, શિવ અને વિષ્ણુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા પંચદેવનું ધ્યાન ચોક્કસ કરવું જોઈએ. દરરોજ કરવામાં આવતી પૂજા દરમિયાન પણ આ પંચદેવનું ધ્યાન કરવા પર સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય

દીવાનું સ્થાન

પૂજા દરમિયાન પ્રગટાવવામાં આવતો દીવો ભગવાનની મૂર્તિની તદ્દન સામે હોવો જોઈએ. દીવાને કોઈ બીજી દિશામાં જ્યાં-ત્યાં લગાવવો યોગ્ય નથી.

રૂની વાટ

જો તમે ઘીનો દીવો પ્રગટાવી રહ્યા છો તો તેમાં સફેદ રૂની વાટનો ઉપયોગ કરવો. તેમજ જો તમે તેલનો દીવો પ્રગટાવી રહ્યા છો તો લાલ રંગની વાટ ઉપયુક્ત રહે છે.

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

ભગવાન શિવની આરાધના

જ્યારે તમે ભગવાન શિવની પૂજા કરી રહ્યા છો તો તમારે બિલીપત્ર જરૂર ચડાવવું જોઈએ, તેનાથી તમારી મનોકામના પણ જલ્દી પૂરી થઈ જાય છે. પૂજા માટે ભગવાનને દક્ષિણા પણ ચડાવવી જોઈએ. દક્ષિણા ચડાવતી વખતે તમારા બંને હાથોનો ઉપયોગ કરી તમારા દોષોને ત્યાગ કરવાનો સંકલ્પ કરો.

ચામડું

ભગવાન શિવને ક્યારેય હળદર અથવા શંખ દ્વારા પાણી ન ચડાવવું જોઈએ. પૂજન સ્થળની પવિત્રતાને કાયમ ધ્યાન રાખો, ચંપલ અથવા પછી ચામડાની કોઈ વસ્તુને પૂજા સ્થળમાં પ્રવેશ ન આપો.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

જીવનમાં આ 20 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા..!!

જીવનમાં અપાર ધનસંપતિના આગમન માટે મહાલક્ષ્મીજીનું ચમત્કારીક કનાકધારા સ્તોત્ર શાસ્ત્રોક્ત રીતે દરરોજ સવારે જોરથી વાંચો.
કાળા મરીના 5 દાણાનો ચમત્કારી ઉપાય કરો, ઝડપથી મેળવશો ધન લાભ
કોઈને બતાવ્યા વિના કરો 7 ચમત્કારી ઉપાય, પૈસાની તંગી ઝડપથી થશે દૂર
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.