આ વર્ષના રાજા શનિ તથા મંત્રી મંગળ છે. આખું વર્ષ રાજા શનિ, તેના દુશ્મન ગ્રહ મંગળના સ્વામિત્વવાળી રાશિ વૃશ્ચિકમાં રહેવાનો છે. આ જ કારણે બધી રાશિઓ પર શનિનો સીધો પ્રભાવ પડી રહ્યો છે. આ સમયે કોઇ રાશિ પર જો શનિની ઢૈય્યા કે સાડાસાતી ચાલી રહી હોય તો તેવા લોકો શનિ ગ્રહની શાંતિ માટે કોઇપણ સમયે આ ઉપાય કરી શકે છે. આ ઉપાયથી શનિ પ્રસન્ન થાય છે અને તેનો પ્રકોપમાં પણ ઘટાડો આવી શકે છે. આજે આ લેખમાં તમે જાણી શકશો શનિના પ્રભાવને શાંત કરવાના રાશિ મુજબ ઉપાય….
મેષઃ-
શનિવારે સૂર્યેદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો બાજરાને માટાના વાસણમાં ભરવાં, તેના ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ મંત્ર ऊँ प्रां प्रीं प्रौं स: शनै: नम: ની પાંચ માળા જાપ કરવો. આ બાજરાને 60 વર્ષથી વધારે ઉમરની વૃદ્ધ વ્યક્તિને દાનમાં આપવો. ત્યાર પછી પોતાની ઇચ્છાનુસાર ધાબળા ગરીબ અને જરિયાતમંદ લોકોને વહેંચવાં.
વૃષભઃ-
શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો તુવેરની દાળ માટીના વાસણમાં ભરવી, તેના ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ (ऊँ शं शनैश्चराय नम:) નો જાપ કરવો. ત્યાર પછી આ તુવેરની દાળ 9 વર્ષની કન્યાઓમાં દાન કરવી. શનિવારે વડ તથા પીપળાના વૃક્ષ નીચે સૂર્યોદય પહેલાં સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. જળમાં કાચું દૂધ મિક્સ કરવું અને વૃક્ષને અર્પણ કરવું. ત્યાર પછી માટીથી તિલક કરવું.
મિથુનઃ-
શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો ખંડિત મગ કપડામાં બાંધી શુદ્ધ વાસણમાં રાખીને પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ ऊँ नमो भगवते शनैश्चराय सूर्यपुत्राय नम: નો 11 માળા જાપ કરવો. ત્યાર પછી આ મગને 60 વર્ષથી વધારે ઉમરની વૃદ્ધ કિન્નરને દાનમાં આપવા અને તેના ચરણ સ્પર્શ કરવાં. ત્યાર પછી શનિવારે જ શ્રદ્ધાનુસારન અથવા પોતાના વજન બરાબર બાજરાને કોઇ ગૌશાળામાં દાન કરવું. આ ઉપાય કરવાથી કરિયર, કારોબાર, પરિવાર અને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનું નિવારણ થઇ શકે છે.
કર્કઃ-
શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો અખંડિત ચોખા માટીના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ સફેદ કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ ह्रीं नीलांजनसमाभासं रविपुत्रं यमाग्रजम्। छायामात्र्ताण्डसंभूतं तं नमामि शनैश्चरम्।। નો 5 માળા જાપ કરવો. આ અખંડિત ચોખાને કોઇ કુષ્ટ રોગીને શ્રદ્ધાનુસાર દક્ષિણા સહિત દાન કરવા અને ચરણ સ્પર્થ કરવાં. ત્યાર પછી શનિવારે જ ગૌશાળામાં દેસી ચણા શ્રદ્ધાનુસાર દાન કરવા લાભકારી રહેશે.
સિંહઃ-
શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો ઘઉં માટીના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ લાલ કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ सूर्यपुत्रो दीर्घदेहो विशालाक्ष: शिवप्रिय। मन्दचार: प्रसन्नात्मा पीड़ां हरतु मे शनि:।। નો 5 માળા જાપ કરવો. આ ઘઉં કોઇ કુષ્ટ રોગીને શ્રદ્ધાનુસાર દક્ષિણા સહિત દાન કરવા અને ચરણ સ્પર્થ કરવાં. ત્યાર પછી શનિવારે જ ગૌશાળામાં સરસિયાની ખોળનું શ્રદ્ધાનુસાર દાન કરવા લાભકારી રહેશે.
કન્યાઃ-
શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો મશરૂમ માટીના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ લીલા કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ ऊँ प्रां प्रीं प्रौं शं शनैश्चराय नम:। નો 7 માળા જાપ કરવો. ત્યાર પછી આ મશરૂમ, પાત્ર અને વસ્ત્ર સહિત કોઇ કિન્નરને શ્રદ્ધાનુસાર દક્ષિણા સહિત દાન કરવા અને ચરણ સ્પર્શ કરવાં. શનિવારે જ કેળા મીઠી ધાણી, ગોળ અને દેસી ચણા ગરીબ અને મજૂર લોકોમાં વહેંચશો તો બધી જ મનોકામના પૂર્ણ થશે.
તુલાઃ-
શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો જુવાર કોઇ કાંસના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ સફેદ કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ ऊँ शं शनैश्चराय नम:। નો 7 માળા જાપ કરવો. ત્યાર પછી આ જુવાર, વાસણ અને વસ્ત્ર સહિત કોઇ વિધવાને શ્રદ્ધાનુસાર દક્ષિણા સહિત દાન કરવા અને ચરણ સ્પર્શ કરવાં. શનિવારે જ ઘઉ પોતાના વજન અનુસાર અથવા શ્રદ્ધાનુસાર મંદિરમાં દાન કરવાં.
વૃશ્ચિકઃ-
શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો મસૂર કોઇ તાંબાના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ લાલ કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ ऊँ शं शनैश्चराय नम: ध्वजिनी धामिनी चैव कंकाली कलहप्रिया। कंटकी कलही चाथ तुरंगी महिषी अजा ऊँ शं शनैश्चराय नम:।। નો 5 માળા જાપ કરવો. ત્યાર પછી મસૂર, વાસણ અને વસ્ત્ર સહિત કોઇ સફાઇ કર્મચારીને શ્રદ્ધાનુસાર દક્ષિણા સહિત દાન કરવાં અને ચરણ સ્પર્શ કરવાં. ત્યાર પછી શનિવારે જ સાંજે 5:00 થી 6:00 વાગ્યાની વચ્ચે સવા કિલ્લો ત્રિચોલી (ઘઉંનો લોટ, ચોખાનો લોટ અને ખાંડનું બૂરું બરાબર માત્રામાં મિક્સ કરી લેવાં.) કીડીઓને ખવડાવવાં.
ધનઃ-
શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ 5 કિલ્લો ચણાની દાળ કોઇ તાંબાના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ પીળા કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ ऊं शं वज्रदेहाय नम: નો 5 માળા જાપ કરવો. આ ચણાની દાળને કોઇપણ શ્રેષ્ઠ બ્રાહ્મણને શ્રદ્ધાનુસાર દક્ષિણા સહિત દાન કરવા. શનિવારે જ શ્રદ્ધાનુસાર અથવા વજન બરાબર મકાઇ કોઇ મંદિરમાં દાન કરવી.
મકરઃ-
શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ 5 કિલ્લો દેસી ચણાની દાળ કોઇ તાંબાના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ વાદળી કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ ऊँ शं सर्वारिष्ट विनाशने। નો 11 માળા જાપ કરવો. ત્યાર પછી આ દેસી ચણા વસ્ત્ર સહિત કોઇ સદાચારી બ્રાહ્મણને દાનમાં આપવાં. શનિવારે જ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ભંડારાની વ્યવસ્થા કરવી.
કુંભઃ-
શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ 5 કિલ્લો અડદ દાળ કોઇ તાંબાના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ કાળા કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ ગાયત્રી- ऊँ भगभवाये विद्महे मृत्युरुपाय धीमही तन्नो शनि प्रचोदयात्॥ નો 11 માળા જાપ કરવો. આ અડદ, વસ્ત્ર સહિત કોઇ ગૌશાળા અથવા મંદિરમાં દાન કરવાં. ત્યાર પછી શનિવારે જ સાત સૂકાયેલાં નારિયેળ અને શ્રદ્ધાનુસાર બદામ કોઇ મંદિરમાં દાન કરવી.
મીનઃ-
શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો અખંડિત ચોખા માટીના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ સફેદ કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ सूर्यपुत्रो दीर्घदेहो विशालाक्ष: शिवप्रिय। मन्दचार: प्रसन्नात्मा पीड़ां हरतु मे शनि:।।નો 5 માળા જાપ કરવો. આ અખંડિત ચોખાને કોઇ કુષ્ટ રોગીને શ્રદ્ધાનુસાર દક્ષિણા સહિત દાન કરવા અને ચરણ સ્પર્થ કરવાં. ત્યાર પછી શનિવારે જ ગૌશાળામાં દેસી ચણા શ્રદ્ધાનુસાર દાન કરવા લાભકારી રહેશે.
શનિની કુદ્રષ્ટિથી બચવા, દરરોજ ઘરે જ કરો માત્ર 1 રોટલીનો આ સરળ ઉપાય!
એક એવી માન્યતા છે કે અન્યને ભોજન કરાવવા પર પુણ્ય વધે છે અને ભુતકાળમાં કરેલાં પાપ ખતમ થઇ જાય છે. આ જ કારણે ઘણાં લોકો સમય-સમય પર ભોજન અને અનાજનું દાન કરતાં રહે છે. અહીં જાણો રોટલીના થોડા અન્ય ઉપાય, જેનાથી કુંડળીના દોષ દૂર થઇ શકે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.
રોટલીના ચાર બરાબર ટૂકડા કરવા અને આ ઉપાય કરવોઃ-
– દરરોજ સવારે જ્યારે રોટલી બનાવવામાં આવે છે, તો તે સમયે સૌથી પહેલાં બનનારી રોટલીને જુદી કાઢી લો. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ રોટલી અન્ય રોટલીથી મોટી હોવી જોઈએ. જેથી સરળતાથી તેના ચાર ટુકડા કરી શકાય. હવે આ રોટલીના એક સરખાં ચાર ટુકડા કરી લેવા અને આ ચારેય રોટલી પર કંઈક ગળ્યું જેમ કે ખીર, ગોળ અથવા ખાંડ રાખવી. સાથે જ આ વાતનો ખાસ ધ્યાન રાખવો કે બહારનું કોઈ વ્યક્તિ તમને આ ટોટકો કરતાં ન જુએ.
– હવે આ ચાર ટૂકડામાંથી એક ટૂકડો ગાયને અને બીજો કાળા કૂતરાને આપવો. ત્રીજો ટૂકડો કાગડા માટે ઘરની છત પર નાખી દેવો જોઇએ. અંતિમ ટૂકડાને ઘરની પાસે કોઇ ચાર રસ્તા પર રાખી દેવો જોઇએ. આવું રોજ કરવું જોઇએ. આ ઉપાયથી ઘરની ગરીબી દૂર થઇ શકે છે.
ધ્યાન રાખવું અહીં જણાવેલ બધા જ ઉપાય જ્યોતિષ સાથે સંબંધિત છે. આ કારણે તેને આસ્થા અને વિશ્વાસની સાથે કરવા જોઇએ. ઉપાય કરતી સમયે મનમાં કોઇ પ્રકારની શંકા હશે તો ઉપાય નિષ્ફળ થઇ શકે છે.
શનિ, રાહુ અને કેતુ માટે કરો આ ઉપાયઃ-
જો કુંડળીમાં શનિ અથવા રાહુ-કેતુનો કોઇ દોષ હોય તો રોજ રાત્રે જે રોટલી સૌથી છેલ્લે બનાવવામાં આવે છે, તેના પર તેલ લગાવવું અને તે રોટલી કાળા કૂતરાને ખવડાવવી. જો કાળો કૂતરો ન જોવા મળે તો કોઇ અન્ય કૂતરાને પણ આ રોટલી ખવડાવી શકાય છે.
નાનું બાળક ભોજન ન કરે તો કરી શકો છો આ ઉપાયઃ-
ઘરમાં કોઇ નાનું બાળક છે અને તે ઠીકથી ભોજન કરી રહ્યું નથી તો એક રોટલી પર થોડો ગોળ રાખવો અને આ રોટલીને બાળકની ઉપરથી 11 અથવા 21 વાર ઉતારવી. ત્યાર પછી તે રોટલી કૂતરાને ખવડાવવા માટે આપી દેવી. આ ઉપાયથી બાળકની ઉપરથી ખરાબ દ્રષ્ટિની અસર ખતમ થઇ જશે અને તે ફરીથી વ્યવસ્થિત ભોજન કરવા લાગશે.
કોઇ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવું-
દરરોજ ઓછામાં ઓછા એક વ્યક્તિને ભોજન અવશ્ય કરાવવું જોઇએ. આવું કરવાથી ઘરમાં અનાજની કમી આવતી નથી. સુખ-સમૃદ્ધિ બની રહે છે.
અમાસ પર કરવો આ ઉપાયઃ-
દર અમાસ પર ચોખાની ખીર બનાવવી અને રોટલીના નાના-નાના ટૂકડા તે ખીરમાં નાખી દેવાં. ત્યાર પછી રોટલી અને ખીરને કાગડા માટે ઘરની છત પર રાખી દેવી. આ ઉપાય કરવાથી ઘર પર પિત્તૃ દેવતાઓની વિશેષ કૃપા બની રહે છે. પિત્તૃ દેવતાઓની કૃપાથી જ સુખ-સમૃદ્ધિ મળે છે.
શનિવારે કરો આ 10માંથી કોઈ પણ 1 ચમત્કારિક ઉપાય, થશે શનિદેવ પ્રસન્ન
શનિવારના શનિ અને હનુમાનજીનું પૂજન વિશેષ રૂપથી કરવામાં આવે છે. જ્યોતિષ મુજબ શનિદેવની કૃપા મેળવવા માટે શનિવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે કરેલા ઉપાયોથી શનિના દોષ શાંત થઈ શકે છે. માન્યતા છે કે હનુમાનજીના ભક્તોને શનિના અશુભ ફળોથી મુક્તિ મળે છે. આ કારણોસર કેટલાય લોકો શનિવારને હનુમાનજીની પૂજા કરે છે. અહીં જાણીએ શનિવારના કરવામાં આવતા નાના-નાના ઉપાયો…
1. દીવો પ્રગટાવો
સૂર્યાસ્તના સમયે કોઈ એવા પીપળાના વૃક્ષ પાસે દીવો પ્રગટાવો જે સુમસાન સ્થાન પર હોય અથવા કોઈ મંદિરમાં સ્થિત પીપળાના વૃક્ષ પાસે પણ દીવો પ્રગટાવી શકાય છે.
2. શનિને બ્લૂ રંગના ફૂલ ચડાવો
શનિદેવને તેલ ચડાવો અને પૂજા કરો. શનિદેવને બ્લી રંગના ફૂલ ચડાવો અને શનિ મંત્ર ऊँ शं शनैश्चराय नम:ના મંત્ર જાપ કરવા.
3. પીપળ પર જળ ચડાવો
દર શનિવારે પીપળાને જળ ચડાવવું, પૂજા કરવી અને સાત પરિક્રમા ફરવી. જળ ચડાવવા માટે તાંબાના લોટાનો ઉપયોગ કરવો.
4. તેલનું દાન કરવું
દર શનિવારના સવાર-સવારમાં સ્નાન કરીને નિવૃત થઈ તેલનું દાન કરવું. તેના માટે એક વાટકીમાં તેલ લો અને તેમાં પોતાનો ચહેરો જુઓ, પછી તેલનું દાન કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કરો.
5. સિંદૂર ચડાવો
હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ ચડાવો. હનુમાન ચાલીસાના પાઠ કરવા.
6. વાંદરાને ગોળ અને ચણા ખવડાવો
હનુમાનજીની પૂજા વાનરના રૂપમાં જ કરવામાં આવે છે. આ જ કારણસર બજરંગ બલીને પ્રસન્ન કરવા માટે વાંદરાને ગોળ અને ચણા ખવડાવવા જોઈએ. આ ઉપાય કરવાથી હનુમાનજીની સાથે શનિ પણ પ્રસન્ન થાય છે.
7. ગાયને આવી રીતે ખવડાવો રોટલી
કોઇ પણ શનિવારે બે રોટલી બનાવો. એક રોટલી પર સરસિયાનું તેલ અને મીઠાઇ રાખો જ્યારે બીજાની પર ઘી. પહેલી રોટલી એક કાળી ગાયને ખવડાવો ત્યારબાદ બીજી રોટલી તે જ ગાયને ખવડાવો. હવે શનિદેવની પ્રાર્થના કરી તેમની પાસે શાંતિ અને સમૃદ્ધિની કામના કરો.
8. એક કાળો દોરો શનિદેવને પ્રસન્ન કરશે
શનિવારના દિવસે આપના હાથની લંબાઇનો 19 ગણો લાંબો એક કાળો દોરો લો જેને એક માળાના રૂપમાં બનાવીને ગળામાં ધારણ કરો. આ એક સારુ પરિણામ આપશે અને ભગવાન શનિને આપ પર કૃપાવાન બનાવશે.
9. કાચો દોરો
શનિવારના દિવસે પીપળાના વૃક્ષની ચારે બાજું સાત વાર કાચો દોરો લપેટો, આ દરમિયાન શનિમંત્રનો પણ જાપ કરો. આ આપની સાડાસાતીની તમામ મુશ્કેલીઓને દૂર કરશે. દોરો લપેટ્યા બાદ પીપળાના વૃક્ષની પૂજા અને દિવો કરવાનું ભૂલવું નહીં. સાડાસાતીના પ્રકોપથી બચવા માટે વ્યક્તિએ દિવસમાં એક વાર મીઠા વગરનું ભોજન કરવું જોઇએ.
10. કાળી ગાયની પૂજા
શનિદેવને આપ કાળી ગાયની પૂજા કરીને પણ પ્રસન્ન રાખી શકો છો. આના માટે આપે ગાયના માથા પર તિલક લગાવ્યા બાદ તેના સીંગમાં પવિત્ર દોરો બાંધો અને અગરબત્તી કરવી. અંતમાં ગાયની પરિક્રમા કર્યા બાદ તેને ચાર બૂંદીના લાડવા પણ ખવડાવો. આ શનિદેવની સાડાસાતીના તમામ પ્રતિકૂળ પ્રભાવોને રોકે છે.
પાતાળ ક્રિયાઃ આ ખાસ વિધિથી શનિદેવ થશે પ્રસન્ન, મળશે શનિદોષથી મુક્તિ!
શનિવારે શનિદેવને પ્રસન્ન કરવા માટે કરવામાં આવતા ઉપાય ખૂબ જ પ્રભાવશાળી હોય છે. એવો જ એક પ્રાચીન અને રામબાણ ઉપાય છે શનિ પાતાળ ક્રિયા. આ એક એવો ઉપાય છે જે હમેશાં માટે શનિ દોષથી મુક્તિ અપાવી શકે છે. આ ઉપાય આ પ્રકારે છે-
-જે શનિવારે તમે આ ઉપાય કરવા માંગો છો, તેના પહેલાં કોઇ શુભ મુહૂર્તમાં શનિ દેવની લોખંડની પ્રતિમાં બનાવડાવવી. હવે આ પ્રતિમાંનું શનિવારે વિધિવત્ત પૂજન તથા પ્રાણ પ્રતિષ્ઠા કરવી. ત્યાર પછી આ પ્રતિમાં સામે તમારી શક્તિ મુજબ નીચે લખાયેલાં મંત્રનો જાપ કરવો.
ऊं शं न देवीरभिष्टय आपो भवन्तु पीतये। शं योरभि स्त्रवन्तुन:।।
-ત્યાર પછી દશાંશ હવન કરવો અને પછી એવી જગ્યા જ્યાંથી તમે દરરોજ પસાર થતા ન હોવ તે જગ્યાએ જમીનમાં ખાડો ખોદીને શનિદેવની મૂર્તિને ઉંધી એટલે કે શનિદેવનું મુખ પાતાળ તરફ આવે તે રીતે દાંટી દેવી.
-હવે આ ખાડા ઉપર માટી નાખીને તેને સમતલ કરી દેવી અને શનિદેવથી પ્રાર્થના કરવી કે જીવનના દરેક દુઃખ દૂર થઇ જાય. આ ઉપાય જો પૂર્ણ શ્રદ્ધા સાથે કરવામાં આવે તો શનિના દોષથી હમેશાં માટે છુટકારો મળી જાય છે.
-શનિવારે આ 10 નામોથી શનિદેવનું પૂજન કરવું-
कोणस्थ पिंगलो बभ्रु: कृष्णो रौद्रोन्तको यम:।
सौरि: शनैश्चरो मंद: पिप्पलादेन संस्तुत:।।
એટલે કે- 1- કોણસ્થ, 2 – પિંગલ, 3 – બભ્રૂ, 4 – કૃષ્ણ, 5 – રૌદ્રાંન્તક, 6 – યમ, 7 – સૌરિ, 8 – શનૈશ્વર, 9 – મંદ તથા 10 – પિપ્પલાદ.
આ દસ નામોથી શનિદેવનું સ્મરણ કરવાથી બધા જ શનિદોષ દૂર થઇ જાય છે.
-કોઇ એક શનિવારે શનિ યંત્રની સ્થાપના અને પૂજન કરવું. ત્યાર પછી દરરોજ આ યંત્રની વિધિ-વિધાન પૂર્વક પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. દરરોજ યંત્રની સામે સરસિયાના તેલથી દીપક પ્રગટાવવો. વાદળી અથવા કાળા ફૂલ અર્પણ કરવાં. આ ઉપાય કરવાથી ભક્તને ચોક્કસ લાભ થાય છે.
-કોઇ એક શનિવારે તમારા જમણાં હાથના માપ જેટલો ઓગણીસ હાથ લાંબો કાળો દોરો લઇને તેને ગુંથીને માળાની જેમ ગળામાં પહેરવો. આ ઉપાય કરવાથી શનિદેવનો પ્રકોપ ઓછો થાય છે.
-શમી વૃક્ષની જડને વિધિ-વિધાન પૂર્વક ઘરે લઇને આવવી. શનિવારે શ્રવણ નક્ષત્રમાં કોઇ યોગ્ય વિદ્વાનછી અભિમંત્રિત કરાવી કાળા દોરામાં બાંધીને ગળામાં અથવા હાથના બાજુમાં ધારણ કરવી. આ ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન થશે તથા શનિને કારણે જેટલી પણ સમસ્યાઓ છે, તેનું નિદાન આવશે.
-દર શનિવારે વાનરો અને કાળા કૂતરાને બુંદીના લાડવા ખવડાવવાથી પણ શનિનો કુપ્રભાવ ઓછો થઇ શકે છે અથવા કાળા ઘોડાની નાળ અથવા હોડીની કીલથી બનેલો છલ્લો પણ ધારણ કરવો.
-શનિવારના એક દિવસ પહેલાં કાળા ચણા પાણીમાં પલાળી દેવા. શનિવારે આ ચણા, કાચો કોલસો, હળવું લોખંડનું પતરું એક કાળા કપડામાં બાંધીને માછલીઓના તળાવમાં નાખી દેવું. આ ઉપાય આખું વર્ષ કરવું. આ સમય દરમિયાન ભુલથી પણ માછલીનું સેવન ન કરવું.
શુભ શનિ હોય તો સમજો ફાયદો જ ફાયદો, અશુભ હશે તો બગડી જશે ભાગ્ય!
શનિ એવો ગ્રહ છે જેના પ્રત્યે બધાને હંમેશા ડર રહે છે. તમારી કુંડળીમાં શનિ કયા ભાવમાં કે સ્થાનમાં છે, તે પ્રમાણે તમારા સંપૂર્ણ જીવનની દિશા, સુખ, દુઃખ વગેરે બધી વાત નક્કી થઈ જાય છે. તમારી કુંડળીમાં શનિ કયા સ્થાને રહેલો છે અને તે તમને કેવા ફળ આપી રહ્યો છે તે જાણો. અહીં જણાવવામાં આવેલો પ્રભાવ માત્ર શનિની સ્થિતિ પર આધારિત છે પણ જો કોઈ અન્ય ગ્રહ સાથે યુતિ થવાથી કે અન્ય ગ્રહોની દ્રષ્ટિ પડવાથી વ્યક્તિના સ્વભાવમાં ભિન્નતા થઈ શકે છે. કુંડળીના બધા ગ્રહો અને યોગોના પ્રભાવને જોઈને સટિક ભવિષ્યવાણી કરવામાં આવે છે.
શનિ માત્ર દુષ્પ્રભાવી ગ્રહ જ નથી તે શુભ ફળ પણ આપે છે પરંતુ એ તેના પર નક્કી કરે છે કે તે તમારી કુંડળીમાં ક્યા ગ્રહ સાથે છે અને ક્યા સ્થાન પર છે. તે સ્થાન પર તે કેવી અસર કરે છે? આ બધી બાબત તેની અસરને પ્રભાવકારી બનાવે છે.
શનિ પ્રથમ સ્થાનમાં હોય તો-
કુંડળીના પ્રથમ ભાવને લગ્નસ્થાન કહેવામાં આવે છે. જે વ્યક્તિની કુંડળીમાં શનિ પ્રથમ ભાવમાં હોય તો તે વ્યક્તિ રાજા સમાન જીવન જીવનારા હોય છે. જો શનિ અશુભ ફળ આપનાર હોય તો વ્યક્તિ રોગી ગરીબ અને ખરાબ કર્મો કરનાર થાય છે. તમારી સમગ્ર કુંડળી પ્રથમ સ્થાન પર આધાર રાખે છે. તેમાં આવતો ગ્રહ જો પાપ ગ્રહ ન હોય તો વ્યક્તિને વિશેષ લાભ આપે છે. પ્રથમ સ્થાનમાં આવતો શનિ ક્યા લગ્ન અને કઈ રાશિ લઈ અને આ સ્થાને આવે છે તે મહત્વનું છે તે પરથી કહી શકાય કે વધારે અસર ક્યા પ્રકારની થાય છે. વ્યક્તિના રૂપ રંગ, સુખ, વૈભવ, શરીર, મન બધા પરની મુખ્ય અસર અહીંથી જાણી શકાય છે. જો શનિ આ સ્થાન પર હોય તો વ્યક્તિના રૂપ રંગમાં ખામી આવી શકે છે. તેને સુખ પ્રાપ્ત થાય છે પણ તે પરહેલા તેને સખત મહેનત કરવી પડે છે.
શનિ બીજા સ્થાનમાં હોય તો-
બીજું સ્થાન કુટુંબ પરિવાર અને ખાણીપીણી, ચહેરો, વાણી વ્યવહારનું હોય છે. જો બીજા ભાવમાં શનિ હોય તો વ્યક્તિ વિકૃત મુખવાળો, લાલચી, વિદેશમાં ધન કમાનાર હોય છે. દરેક વ્યક્તિની સામાજિક રીતે પ્રાથમિક સ્થિતિ રહેલી હોય છે ત્રણ બાબતો પર આધારિત ધન, કુટુંબ અને શારીરિક સ્થિતિ અને આ ત્રણ સ્થિતિ તમારું સામાજમાં માન સન્માન નક્કી કરે છે. જો અહીં શનિ હોય તો શરીર સૌષ્ઠવ પર પણ ખરાબ અસર કરી શકે છે. તમારી વાણી-વ્યવહાર પર પણ અસર કરે છે. ધન કમાવવામાં કદાચ તમારે ઓછી મહેનત કરવી પડે પણ તેનો સંગ્રહ કરવામાં વધારે મુશ્કેલી અનુભવી શકો છો.
શનિ ત્રીજા સ્થાનમાં હોય તોઃ-
ત્રીજું સ્થાન કુંડળીમાં માતાનું, જનસંપર્ક, દસ્તાવેજી સંપત્તિ તથા સંસ્કારનું હોય છે. જો ત્રીજા સ્થાનમાં શનિ હોય તો વ્યક્તિ સંસ્કારવાન, સુંદર, શરીરવાળો, નીચ કર્મ કરનાર અને આળસું તથા ચતુર હોય છે. તે જન સંપર્ક દ્વારા ચતુરાઈ પૂર્વક પોતાનું કામ કઢાવી શકે છે.
જો અહીં શનિની શુભ અયસર થાય તો ભાઈ-બંધુ સાથે તમારે સારી એવી સહાયતા પ્રાપ્ત થાય છે. પરાક્રમ સારું રહે છે. યાત્રાઓ થવાની શક્યતા પણ રહે છે. ભ્રમણ કરાવે છે. ભાઈ બંધુ સાથે તમારે મતભેદ કે મન ભેદ પણ થાય જો આ સ્થાનમાં શનિનો સારો યોગ ન હોય તો.
શનિ ચોથા સ્થાનમાં હોય તો-
ચોથું સ્થાન કુંડળીમાં તન, મન, સુખ , સાસરું, વાહન, જમીન-મકાન વગેરેથી સંબંધિત હોય છે. ચોથા ભાવમાં શનિ હોય તો તે રોગી, દુખી, ભાઈ, વાહન, ધન અને બુદ્ધિથી હીન થાય છે. ચોથા સ્થાનનો કારક સ્વામી મંગળ છે જો આ સ્થાનમાં શનિ જમીન મકાન સંદર્ભે દુખી કરી શકે છે. માતાના સુખમાં પણ ઉણપ આવી શકે છે. તમારો સ્વભાવ તેજ રહે અને તમે તમારા સ્વભાવને કારણે ફસાઈ શકો કે પછી તમારી બુદ્ધિ હીનતાથી તમને લોકો ફસાવતા રહે એવું બની શકે છે.
શનિ પાંચમા સ્થાનમાં હોય તો-
પાંચમું સ્થાન કુડંળીમાં સંતતી, પ્રેમ, યશ, વિમાન પ્રવાસ આર્થિક લાભ વગેરે માટે છે. પાંચમા સ્થાનમાં જો શનિ હોય તો તે વ્યક્તિ દુખી, પુત્રહીન, મિત્રહીન અને ઓછી બુદ્ધિ વાળા હોય છે. આ સ્થાનમાં શનિ તમારા અભ્યાસને પણ પ્રભાવિત કરી શકે છે. શનિની અસર તમને અભ્યાસમાં ઝડપથી કોઈ પ્રગતિ ન કરવા દે. પ્રેમ પ્રસંગોમાં પણ નિષ્ફળતા મળી શેક છે. પણ તમને કોઈ ગુપ્ત ધનથી ભેટો કરાવી તમારું જીવનયાપન સારી રીતે પસાર કરાવી શકે છે.
શનિ છઠ્ઠા સ્થાનમાં હોય તો-
છઠ્ઠું સ્થાન કુંડળીમાં શત્રુ,શારીરક આધિ-વ્યધિઓ, મામા-મોસાળપક્ષ, ગુપ્ત શક્તિ, શારીરિક તણાવનું છે. છઠ્ઠા સ્થાનમાં જો શનિ હોય તો તે કામી, સુંદર, શુરવીર, વધારે ખાનાર, કુટીલ સ્વભાવ અને વધારે શત્રુઓને જીતનાર હોય છે. શનિનું આ સ્થાન શનિનું જ કારક ગણાય છે. માટે તમને ઓછા રોગી બનાવે છે. તમારા માં કુટનિતિજ્ઞતા આપીને તમને વ્યૂહરચનાકાર બનાવી શકે છે. શત્રુ પર તમે ભારે પડી શકો છો. તમારી શારીરિક શક્તિ વધારે સતે જ કરી તમારામાં સહન શક્તિનો વધારો કરે છે. કોઈ પણ પરિસ્થિતિ સામે લડવાની શક્તિ તમને આ સ્થાનના શનિ પ્રદાન કરે છે.
શનિ સાતમા સ્થાનમાં હોય તો-
સાતમું સ્થાન કુંડળીમાં પત્ની, વિવાહ, કાયદા-કોર્ટકચેરી, વિવાદ, વિજાતીય સુખથી જોડાયેલું છે. સાતમા સ્થાનમાં શનિ હોય તો વ્યક્તિ રોગી, ગરીબ, કામી, ખરાબ વેશભૂષાવાળો, પાપી , નીચ હોઈ શકે છે. તમારું લગ્ન જીવન આ સ્થાનના શનિના હાથમાં હોય છે. પત્ની સુખ આપી શકતો નથી. વળી તે પત્નીને તાડીત કરનાર પણ હોય છે. લગ્નજીવનમાં ઘણા પ્રશ્નો ઉભા કરે છે. લગ્નેત્તર સંબંધો પણ હોય છે. પરંતુ જો તેનો યોગ કોઈ મિત્ર ગ્રહ સાથે થાય તો લગ્ન જીવનમાં શુભ અસર કરી શકે છે. તમારા વેપારમાં પણ ભાગીદારીમાં ખોટનો ધંધો કરાવે એવું બને.
શનિ આઠમા સ્થાનમાં હોય તો-
આઠમા સ્થાનમાં શનિ હોય તો મૃત્યુ, દુઃખ, આર્થિક સંકટ, નપુસંકતા,મૃત્યુનું મુખ, અનિતી, ભ્રષ્ટાચાર, વગેરે પાશા પર આ સ્થાન અસર કરે છે. આઠમા સ્થાનમાં શનિ હોય તો વ્યક્તિ કુષ્ઠરોગી તથા ભગંદરનો ભોગ બને છે, દુખી થાય છે. નાની ઉંમરમાં જ દરેક કાર્ય કરવામાં અક્ષમ હોય છે. જ્યારે શનિ આ સ્થાનનો કારક હોય ત્યારે તમારું મૃત્યુ, રોગ અને વિલ વારસો તેના હાથમાં હોય છે. તમારું આયુષ્ય લાંબુ આપે પણ ક્યારેક એવી સ્થિતિ ઉભી થાય કે અચાનક કોઈ મોટી બીમારીનો સામનો કરવો પડે છે. તમે સારા એવા વિલ વારસાના માલિક બનાવો એવી સ્થિતિ તે નિર્માણ કરે છે.
શનિ નવમા સ્થાનમાં હોય તો-
નવમું સ્થાન કુંડળીમાં અધ્યાત્મ, પ્રવાસ, પરદેશગમન, શક્તિ વગેરેને અસર કરે છે. નવમા ભાવમાં શનિ હોય તો કુંડળીમાં નવમા સ્થાનમાં શનિ હોય તે અધાર્મિક, ગરીબ, પુત્રહીન, દુઃખી થાય છે. નવમું સ્થાન ભાગ્યનું હોવાથી જો શનિ આ સ્થાનમાં હોય કે તેની દ્રષ્ટિ પણ પડતી હોય તો તે ખરાબ અસર કરી શકે છે. રખડપાટ અને જીવનના કોઈ એક ભાગમાં તમને ધનવિહોણા અને માનસન્માન વગરના કરી મુકે. તમારો સ્વભાવ નાસ્તિક રહે. પણ જો શનિ પ્રત્યે અને હનુમાન પ્રત્યે આસ્થા રાખશો તો છુટકારો શક્ય છે. ધન પ્રાપ્તિ માટે દેશ-પરદેશ ફેરવે પણ તેથી પારિવારિક અને ધનનું તો આખરે નુક્શન રહેશે.
શનિ દશમા સ્થાનમાં હોય તો-
દશમું સ્થાન કુંડળીમાં કર્મ, પિતૃ, અધિકાર, સામાજીક સ્થાન, નોકરી, વ્યવસાય વગેરેનું સ્થાન છે. જો દશમા સ્થાનમાં શનિ હોય તો વ્યક્તિ ધની, ધાર્મિક, રાજ્યમંત્રી વગેરે ઉંચા પદ પર રહેલો હોય છે. સૂર્ય, શનિ અને ગુરુનું કારક સ્થાન કહેવામાં આવે છે. માનવના તમામ કર્મો પર નજર રાખનાર શનિ જો આ સ્થાનમાં આવે તો તેના સ્થાનનો હોવાથી તેના જીવનની બધી અસર થાય. તેને પિતા સાથે ન હતું બનતું તેથી આ સ્થાનમાં જો તમારે શનિ આવે તો પિતા સાથે મતભેદ કે મનભેદ રહી શકે છે. તેણે તપ કરીને બધા ગ્રહમાં ઉચ્ચ સ્થાન મેળવ્યું હતું તે રીતે તમે પણ શ્રદ્ધા અને સખત મહેનતથી જ ઉચ્ચપદ તમારા ક્ષેત્રમાં પ્રાપ્ત કરી શકો છો.
શનિ અગીયારમા સ્થાનમાં હોય તોઃ-
અગીયારમું સ્થાન કુંડળીમાં ભેટ-ઉપહારનો લાભ, કોઈ વ્યક્તિનું સુખ, રોગ વગેરે અસર કરે છે. અગીયારમાં ભાવમાં શનિ હોય તો વ્યક્તિ લાંબી આયુષ્યવાળો, ધની, કલ્પનાશીલતા, નિરોગી બધું સુખ પ્રાપ્ત કરનાર હોય છે. અગીયારમું સ્થાન પણ શનિનું કારક સ્થાન છે માટે મિત્રોથી, કુટુંબ-કબીલાથી, મોટાભાઈ, માતા-પિતાથી પણ લાભ અપાવી શકે છે. તમને તમારા ક્ષેત્રમાં દરેક પ્રકારનો લાભ અપાવે છે. તમારા પૂર્વ જન્મના સંચિત શુભ કર્મો પ્રમાણે આ સ્થાનનો શનિ અપાવે છે અને તે તને ફાયદા માટે મદદ કરે છે.
શનિ બારમા સ્થાનમાં હોય તોઃ-
બારમું સ્થાન કુંડળીમાં કરજ, નુક્શાન, વ્યસન, અનૈતિકતા, ઉપભોગ વગેરેનું સ્થાન છે. બારમાં સ્થાનમાં શનિ હોય તો મન અશાંત થાય છે, તકવાદી માણસ હોય છે. કુટિલ દ્રષ્ટિવાળા હોય છે, નિર્દય, નિર્લજ્જ અને વધારે ખર્ચ કરનાર હોય છે. શુક્ર,કેતુ અને શનિ આ સ્થાનના કારક ગ્રહો છે. અને એ રીતે જો શનિ આ સ્થાનમાં આવે તો પરિણામ પણ એવું જ પ્રાપ્ત થાય છે. ખર્ચ રહે છે. સજા થાય તે હદનું અનૈતિક કાર્ય તમે કરી બેસો એ પણ શક્ય છે. અને તમને કોઈ કચેરીમાં બંધનમાંકે ભ્રષ્ટતામાં પાડી શકે છે.
શનિવારે કરો ન્યાયના દેવતા સામે તેલનો આ ઉપાય, દરેક ક્ષેત્રમાં મળશે પ્રગતિ!
શનિવારે શનિ અને હનુમાનજીનું પૂજન વિશેષ રૂપથી કરવામાં આવે છે. જ્યોતિષ મુજબ શનિદેવની કૃપા મેળવવા માટે શનિવાર શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે કરવામાં આવેલાં ઉપાયોથી શનિના દોષ શાંત થઇ શકે છે. એવી માન્યતા છે કે, હનુમાનજીના ભક્તોને શનિના અશુભ ફળોથી મુક્તિ મળી જાય છે. આ જ કારણથી ઘણા લોકો શનિવારે હનુમાનજીની પૂજા કરે છે.
1. તેલનું દાન કરવું- દર શનિવારે સવાર-સવારે સ્નાન વગેરે કર્મોથી નિવૃત થઇને તેલનું દાન કરવું. આ માટે એક વાટકીમાં તેલ લેવું અને તેમાં પોતાનો ચહેરો જોવો, ત્યાર પછી આ તેલનું દાન કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને કરવું.
2. શનિને વાદળી ફૂલ અર્પણ કરવાં- શનિદેવને તેલ અર્પણ કરવું અને પૂજન કરવું. શનિદેવને વાદળી ફૂલ અર્પણ કરવા અને શનિ મંત્ર ऊँ शं शनैश्चराय नम: નો જાપ કરવો.
3. પીપળાને જળ અર્પણ કરવું- દર શનિવારે પીપળાને જળ અર્પણ કરવું, પૂજા કરવી અને સાત પરિક્રમા કરવી. જળ અર્પણ કરવા માટે તાંબાના લોટાનો પ્રયોગ કરવો.
4. દીપક પ્રગટાવવો- સૂર્યાસ્તના સમયે કોઇ એવા પીપળાની પાસે દીપક પ્રગટાવવો જે સુમસાન સ્થાન પર હોય અથવા કોઇ મંદિરમાં સ્થિત પીપળાની પાસે પણ દીપક પ્રગટાવી શકાય છે.
5. સિંદૂર અર્પણ કરવું- હનુમાનજીને સિંદૂર અને ચમેલી અર્પણ કરવું. હનુમાન ચાલીસાનો પાઠ કરવો.
6- શનિવારે સૂર્યાસ્ત પછી હનુમાનજીનું પૂજન કરવું. પૂજનમાં સિંદૂર, કાળા તલનું તેલ, આ તેલનો દીપક તથા વાદળી રંગના ફૂલનો ઉપયોગ કરવો. આ ઉપાય તમે દર શનિવારે પણ કરી શકો છો.
7- શનિવારે શનિ યંત્રની સ્થાપના અને પૂજન કરવું. ત્યાર પછી દરરોજ આ યંત્રની વિધિ-વિધાન પૂર્વક પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. દરરોજ યંત્રની સામે સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો.
8- દર શનિવારે વાંદરાઓને ગોળ અને કાળા ચણા ખવડાવો, આ ઉપરાંત કેળા અથવા મીઠી મલાઇ પણ ખવડાવી શકો છો. આ પણ શનિદેવના અશુભ પ્રભાવને સમાપ્ત કરવામાં ખૂબ જ મદદ કરે છે. અથવા કાળા ઘોડાની નાળનો છલ્લો બનાવીને પણ ધારણ કરી શકાય છે.
9- શનિવારના દિવસે આપના હાથની લંબાઇનો 19 ગણો લાંબો એક કાળો દોરો લો જેને એક માળાના રૂપમાં બનાવીને ગળામાં ધારણ કરો. આ એક સારુ પરિણામ આપશે અને ભગવાન શનિને આપ પર કૃપાવાન બનાવશે.
10- શનિવારે સવારે સ્નાન વગેરે કર્યા પછી સવા કિલો કાળો કોલસો, એક લોખંડની કીલ એક કાળા કપડામાં બાંધીને પોતાના માથા પરથી ફેરવીને વહેતાં પાણીમાં પ્રવાહિત કરી દેવી અને કોઇ શનિ મંદિરમાં જઇને શનિદેવને પ્રાર્થના કરવી.
11- શનિવારે આ 10 નામોથી શનિદેવનું પૂજન કરવું.
कोणस्थ पिंगलो बभ्रु: कृष्णो रौद्रोन्तको यम:।
सौरि: शनैश्चरो मंद: पिप्पलादेन संस्तुत:।।
અર્થાતઃ 1- કોણસ્થ, 2 – પિંગલ, 3 – બભ્રૂ, 4 – કૃષ્ણ, 5 – રૌદ્રાંન્તક, 6 – યમ, 7 – સૌરિ, 8 – શનૈશ્વર, 9 – મંદ તથા 10 – પિપ્પલાદ. – આ દશ નામોથી શનિદેવનું સ્મરણ કરવાથી બધા શનિદોષ દૂર થાય છે.
12- લાલ ચંદનની માળાને અભિમંત્રિત કરી શનિવારે પહેરવાથી શનિનો અશુભ પ્રભાવ ઓછો થઇ જાય છે.
13- શનિવારે સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરેથી નિવૃત્ત થઇને કુશ આસન પર બેસી જવું. સામે શનિદેવની મૂર્તિ અથવા તસવીર સ્થાપિત કરવી અને તેની પંચોપચારથી વિધિવત પૂજન કરવું. ત્યાર પછી રૂદ્રાક્ષની માળીથી નીચે લખાયેલ કોઇપણ મંત્રની ઓછામાં ઓછી પાંચ માળા જાપ કરવું તથા શનિદેવ પાસેથી સુખ-સંપત્તી માટે પ્રાર્થના કરવી. જો દર શનિવારે આ મંત્રનો આ વિધિથી જાપ કરશો તો જલ્દી જ તમને લાભ મળશે.
વૈદિક મંત્ર- ऊं शन्नोदेवीरभिष्टय आपो भवन्तु पीतये शन्योरभिस्त्रवन्तु न:।
લઘુ મંત્રઃ- ऊं ऐं ह्लीं श्रीशनैश्चराय नम:।
14- શનિવારે ભૈરવજીની ઉપાસના કરી અને સાંજના સમયે કાળા તલના તેલનો દીપક લગાવીને શનિદોષથી મુક્તિ માટે પ્રાર્થના કરવી.
સાભાર: દિવ્ય ભાસ્કર
વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો
તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…
23.022505
72.571362