Category Archives: लक्ष्मीपूजा લક્ષ્મીપૂજા Laxmipooja

ધનલક્ષ્મીને આકર્ષિત કરે છે આ 8 વસ્તુઓ, ઘરમાં કરો કોઇ 1 નો જ્યોતિષીય ઉપાય..!!!

જ્યોતિષીય ઉપાયોમાં અનેક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાંથી થોડી વસ્તુઓ ખૂબ જ ચમત્કારી હોય છે. જો તેમનો વિધિ-વિધાનથી યોગ્ય પ્રયોગ કરવામાં આવે તો દરેક પરેશાની દૂર કરી શકે છે તથા દરેક મનોકામના પણ પૂર્ણ થઇ શકે છે. આજે અમે તમને જ્યોતિષીય ઉપાયોમાં કામ આવનારી થોડી એવી વસ્તુઓ તથા તેમના થોડાં પ્રયોગો વિશે જણાવી રહ્યા છીએ, જે આ પ્રકારે છે-

hakik

હકીકઃ-

જ્યોતિષ શાસ્ત્રમાં ઘણાં વિશેષ પ્રકારના પથ્થરોનું પણ મહત્વ છે. આ પથ્થરોથી પણ કાર્ય સિદ્ધ થઇ જાય છે. હકીક પણ એક એવો જ પથ્થર છે. હકીકનો ઉપયોગ વિવિધ પૂજા-પાઠ, સાધનાઓ અને ઉપાસનાઓમાં કરવામાં આવે છે. આ છે તેના ઉપાય-

1. કોઇ શુક્રવારની રાત્રે દેવી લક્ષ્મીની પૂજા કર્યા પછી એક હકીક માળા લેવી અને એક સૌ આઠ વાર ऊं ह्रीं ह्रीं श्रीं श्रीं लक्ष्मी वासुदेवाय नम: મંત્રનો જાપ કરવો. ત્યાર પછી માળાને લક્ષ્મીજીના મંદિરમાં અર્પણ કરી દેવી. ધન સાથે જોડાયેલી સમસ્યાઓનું સમાધાન આવી શકે છે.
2. 11 હકીક પથ્થર લઇને કોઇ મંદિરમાં અર્પણ કરી દેવાં. અર્પણ કરવાની સાથે જ એવું કહેવું કે, અમુક કાર્યોમાં વિજય થવા માંગુ છું તો તે કાર્યમાં વિજય પ્રાપ્ત થાય.
3. જે વ્યક્તિ શ્રેષ્ઠ ધનની ઇચ્છા રાખે છે, તે રાત્રે 27 હકીક પથ્થર લઇને તેના ઉપર માતા લક્ષ્મીનું ચિત્ર સ્થાપિત કરવું.

gomati

ગોમતી ચક્રઃ-

ગોમતી ચક્ર એક ખાસ પથ્થર છે. તેનો રંગ સફેદ હોય છે. આ પથ્થરની ઉપરની પરખ ઉપસેલી હોય છે અને નીચેની પરખ સપાટ હોય છે. સપાટ બાજુએ સાત (7) બનેલો જોવા મળે છે. આ પથ્થરનો ઉપયોગ ઘણાં પ્રકારની તાંત્રિક ક્રિયાઓમાં પણ થાય છે. એવું માનવામાં આવે છે કે, ગોમતી ચક્ર ખૂબ જ ચમત્કારી હોય છે. જ્યોતિષમાં ગોમતી ચક્રના ઘણાં ઉપાયો જણાવવામાં આવ્યા છે. ગોમતી ચક્ર કોઇપણ પૂજા સામગ્રીની દુકાન પર સરળતાથી મળી જાય છે.

ઉપાયઃ-

1. જો કોર્ટ-કચેરી જતી સમયે ઘરની બહાર ગોમતી ચક્ર રાખીને તેના પર જમણો પગ રાખવામાં આવે તો તે દિવસે કોર્ટ-કચેરીમાં સફળતા પ્રાપ્ત થવાના યોગ વધી જાય છે.
2. જો દુશ્મન વધી ગયા હોય તો જેટલાં અક્ષરનું દુશ્મનું નામ છે, તેટલાં જ ગોમતી ચક્ર લઇને તેના પર દુશ્મનનું નામ લખીને તેને જમીનમાં દાંટી દેવાં જોઇએ જેનાથી દુશ્મન પરાસ્ત થઇ જાય છે.
3. જો પૈસા સાથે સંબંધિત સમસ્યા છે તો 5 ગોમતી ચક્ર ધન સ્થાન એટલે એવી જગ્યાએ રાખવાં, જ્યાં તમે પૈસા રાખતાં હોવ. ધનની સમસ્યા સમાપ્ત થઇ શકે છે.

kaali haldar

કાળી હળદરઃ-

ખાવાના ઉપયોગમાં આવતી હળદર તો બધાએ જોઈ હશે, પરંતુ તાંત્રિક ઉપાયોમાં ઉપયોગ કરવામાં આવતી કાળી હળદર વિશે ખૂબ જ ઓછા લોકો જાણતાં હશે. હળદર અનેક પ્રકારની હોય છે અને આપણે જે ખાવામાં ઉપયોગ કરીએ છીએ તે પીળી હળદર છે. કાળી હળદરનો ઉપયોગ ખાવામાં નથી થતો, પરંતુ તંત્રશાસ્ત્રમાં તેના ઉપયોગ વિશે ઘણુંબધુ બતાવ્યું છે. કાળી હળદરના ઉપાયોથી રૂપિયાની તંગી ચમત્કારીક રીતે દૂર થાય છે.

1.કાળી હળદરના 7 થી 9 દાણા બનાવો. આ દાણાન સાફ દોરામાં પોરોવી લો. ત્યારબાદ આ માળાનું ધૂપ અને લોબાનના શોધન કર્યા પછી પહેરી લો. જે પણ વ્યક્તિ આ પ્રકારની માળા પહેરે છે, તે બધા પ્રકારના ગ્રહદોષોથી, ટોણા-ટોટકાથી અને ખરાબ નજરથી સુરક્ષિત રહે છે.
2.જો તમે કોઈ ખાસ કામ માટે જઈ રહ્યા હોવ તો ઘરેથી નિકળતાં પહેલા કાળી હળદરનું તિલક કરીને પ્રસ્થાન કરો. આ તિલક તમારું આકર્ષણ વધારશે. કાળી હળદરને તંત્ર અનુસાર વશીકરણ માટે જબરદસ્ત માનવામાં આવે છે. જો તમે ઈચ્છતા હોવ કે સમાજમાં તમારું આકર્ણણ વધે તો કાળી હળદરનું તિલક એક સરળ ઉપાય છે.

laghu naliyer

લઘુ નારિયેળઃ-

આ સામાન્ય નારિયેળ કરતાં થોડું નાનું હોય છે. તંત્ર-મંત્રમાં તેનું ખાસ મહત્વ છે. નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે. અર્થાત્ દેવી લક્ષ્મીનું ફળ. આની વિધિસર પૂજા કરી લાલ કપડાં બાંધીને એવા સ્થાન પર મૂકવું જોઈએ જ્યાં કોઈની નજર ન પડે. આ ઉપાય કરવાથી માં લક્ષ્મી બહુ પ્રસન્ન થાય છે.

1. 11 લઘુ નારિયેળ માતા લક્ષ્મીના ચરણોમાં રાખીને ऊं महालक्ष्म्यै च विद्महे विष्णुपत्नीं च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् મંત્રનો જાપ કરવો. 2 માળા જાપ કર્યા પછી એક લાલ કપડામાં તે લઘુ નારિયેળને લપેટીને તિજોરીમાં રાખી દેવું અને દીવાળીના બીજા દિવસે કોઇ નદી અથવા તળાવમાં વિસર્જિત કરી દેવું. આવું કરવાથી ધનલાભના યોગ બની શકે છે.
2. ધન, વૈભવ અને સમૃદ્ધિ મેળવવા માટે 5 લઘુ નારિયેળ સ્થાપિત કરવાં, તેના પર કેસરથી તિલક કરવું અને દરેક નારિયેળ પર તિલક કરતી સમયે 27 વાર નીચે લખાયેલ મંત્રનો મનમાં ને મનમાં જાપ કરતાં રહેવું-

મંત્ર- ऐं ह्लीं श्रीं क्लीं

3. જો તમે ઇચ્છો છો કે, તમારા ઘરમાં ક્યારેય ધન-ધાન્યની કમી આવે નહીં અને અનાજનો ભંડાર ભરેલો રહે તો 11 લઘુ નારિયેળ એક પીળા કપડામાં બાંધીને રસોઈ ઘરમાં પૂર્વ ખૂણામાં બાંધી દેવું. જેનાથી તમારી મનોકામના પૂર્ણ થઇ શકે છે.

dakshinavarti sankh

દક્ષિણાવર્તી શંખઃ-

જ્યોતિષ શાસ્ત્રમાં દક્ષિણાવર્તી શંખનું વિશેષ મહત્વ છે. આ શંખને વિધિ-વિધાન પૂર્વક ઘરમાં રાખવાથી ઘણાં પ્રકારની બાધાઓ શાંત થઇ જાય છે અને ધનની કમી ક્યારેય આવતી નથી. દક્ષિણાવર્તી શંખના અનેક લાભ છે, પરંતુ તેના ઘરમાં રાખતાં પહેલાં તેનું શુદ્ધિકરણ અવશ્ય કરવું જોઇએ.

આ વિધિથી કરવું શુદ્ધિકરણઃ-

લાલ કપડાંની ઉપર દક્ષિણાવર્તી શંખ રાખીને તેમાં ગંગાજળ ભરો અને કુશના આસન ઉપર બેસી આ મંત્રનો જાપ કરો..

ऊं श्री लक्ष्मी सहोदराय नम:

આ મંત્રની ઓછામાં ઓછા 5 માળા જાપ કરો અને ત્યારબાદ શંખને પૂજા સ્થાન ઉપર સ્થાપિત કરી દો.

kamalgatta

કમળ ગટ્ટાઃ-

તંત્ર પ્રયોગોમાં ધન પ્રાપ્તિ માટે ઘણી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, તેમાંથી જ એક છે કમળ ગટ્ટા પણ.કમળ ગટ્ટા કમળના છોડમાંથી નીકળે છે અને તે કાળા રંગના હોય છે. આ બજારમાં સરળતાથી મળી જાય છે. મંત્ર જાપ માટે તેની માળા પણ બને છે. તે સિવાય પણ આના ઘણા પ્રયોગ છે.

1. રોજ 108 કમળના બીજની આહુતિ આપવામાં આવે અને આવું 21 દિવસ સુધી કરવામાં આવે તો આવનારી 21 પેઢીઓ સંપન્ન બની જાય છે.
2. જો દુકાનમાં કમળ ગટ્ટાની માળા પાથરીને તેના પર ભગવતી લક્ષ્મીનું ચિત્ર સ્થાપિત કરવામાં આવે તો વેપારમાં ક્યારેય ખોટ આવતી નથી. તેનાથી વેપારમાં નિરંતર પ્રગતિ થતી રહે છે.
3. કમળ ગટ્ટાની માળા ભગવતી લક્ષ્મીના ચિત્ર પર પહેરાવીને કોઇ પણ નદી કે તળાવમાં વિસર્જિત કરવામાં આવે તો તેના ઘરમાં નિરંતર લક્ષ્મીનું આગમન રહે છે.
4. જે વ્યક્તિ દર બુધવારે 108 કમળગટ્ટાના બીજ લઇને ઘીની સાથે એક- એક કરીને યજ્ઞમાં આહુતિ આપે છે. તેના ઘરમાંથી દરિદ્રતા હંમેશા માટે જતી રહે છે.
5. જે વ્યક્તિ પૂજા- પાઠ દરમિયાન માળા પોતાના ગળામાં ધારણ કરે છે તેના પર લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે.

motisankh

મોતી શંખઃ-

કેટલાક લોકો એવા હોય છે જેની આવક સારી હોય છે પણ તેની પાસે પૈસા રહેતા હોતા નથી. જો તમારી સાથે પણ આ સમસ્યા હોય તો મોતીશંખ તેનું શ્રેષ્ઠ નિદાન માનવામાં આવે છે.

ઉપાયઃ-

કોઈ બુધવારના સવારે સ્નાન કરી સાફ કપડામાં તમારી સામે એક શંખને રાખો અને તે પર કેસરથી સ્વસ્તિકનું ચિહ્મ બનાવો. આ પછી નીચે લખવામાં આવેલ મંત્રનો જપ કરો –

श्रीं ह्रीं श्रीं महालक्ष्मयै नम:

મંત્રનો જપ સ્ફટિક માળાથી કરો.મંત્રોચ્ચારની સાથે એક એક ચોખાનો દાણો શંખમાં નાખો.આ વાતનું ધ્યાન રાખો કે ચોખાના દાણા તુટેલા ન હોય. આ પ્રયોગ સતત અગીયાર દિલસ સુધી કરો.આ પ્રકારે રોજ એક માળાનો જપ કરો. એ ચોખાને એક સફેદ રંગની થેલીમાં રાખો અને અગીયાર દિવસ પછી ચોખા સાથે શંખને પણ તે થેલીમાં રાખી, તિજોરીમાં રાખો. આપ જોઈ શકો છો કે થોડાક જ દિવસમાં આપને ધન-વૈભવમાં વૃદ્ધિ થવા લાગશે. પેસા આવશે પણ અને ટકશે પણ.

ekakshi

એકાક્ષી નારિયેળ

જ્યોતિષીય ઉપાયોમાં નારિયેળનો પ્રયોગ પણ કરવામાં આવે છે. નારિયેળ ઘણા પ્રકારના હોય છે. તેમાંથી એક હોય છે એકાક્ષી નારિયેળ. માન્યતા મુજબ આ નારિયેળ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ નારિયેળને ઘરમાં રાખવાથી ઘનલાભ થાય છે અને સાથે જ, ઘણા પ્રકારની સમસ્યાઓ આપમેળે જ દૂર થઇ જાય છે. આ છે તેના ઉપાય-

1. જે ઘરમાં એકાક્ષી નારિયેળની પૂજા થાય છે, તે ઘરના લોકો પર તાંત્રિક ક્રિયાઓનો પ્રભાવ થતો નથી તથા તે પરિવારના સભ્યોને માન-સન્માન, પ્રતિષ્ઠા અને યશ પ્રાપ્ત થાય છે.

2. જો કોઇ કેસમાં વિજય પ્રાપ્ત કરવી હોય તો રવિવારના રોજ એકાક્ષી નારિયેળ પર વિરોધી પક્ષનું નામ લખી, તેના પર લાલ કરેણનું ફૂલ રાખી દેવું અને જે દિવસે કોર્ટ જવાનું હોય ત્યારે આ ફૂલને સાથે લઇને જવું. નિર્ણય તમારા પક્ષમાં હોવાના યોગ બની શકે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

જાણો…શુક્રવારે કરો લક્ષ્મીને પ્રસન્ન કરવાના આ રાશિ મુજબ ઉપાયો, દરિદ્રતાથી મળશે મુક્તિ..!!!

laxmi54

જો તમે ધન સંબંધી પરેશાનીઓથી મુક્તિ મેળવવા માંગો છો તો અહીં જ્યોતિષીય થોડા નાના-નાના ઉપાય જણાવવામાં આવી રહ્યા છે. આ ઉપાય પોતાની રાશિ મુજબ કરી શકાય છે. એવી માન્યતા છે કે, આ ઉપાયોથી ધન સંબંધી પરેશાનીઓ દૂર થઇ શકે છે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થઇ શકે છે.

જ્યોતિષની માન્યતા છે કે જો કોઇ વ્યક્તિની કુંડળીમાં કોઇ ગ્રહ દોષ હોય તો ધન સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. સાથે જ, ઘરના વાસ્તુ દોષોની પણ અસર ધન સંબંધી કાર્યો પર થાય છે. અહીં જણાવેલ ઉપાયોથી વાસ્તુદોષની સાથે જ કુંડળીના દોષનું પણ નિવારણ થઇ શકે છે.

મેષ રાશિ માટે ઉપાયઃ-

સવારે ઘરથી નીકળતી સમયે દક્ષિણ દિશામાં ગોળનો ગાંગડો રાખીને જ ઘરેથી નીકળવું. ગોળના ગાંગડાને એવા સ્થાન પર રાખવો જ્યાં કીડીઓ આવતી હોય. આ ઉપાય કરવાથી કાર્યમાં પ્રગતિ થશે તથા સફળતા પણ મળશે. આ કાર્ય જ્યારે પણ ઘરથી બહાર નીકળો ત્યારે જરૂર કરવો જોઇએ.

વૃષભ રાશિ માટે ઉપાયઃ-

આ લોકોએ ગાયને કાચા ચોખા ખવડાવવા જોઇએ. આ ઉપાયથી ધન સંબંધી બાધાઓથી મુક્તિ મળી શકે છે. કોઇપણ શુક્રવારથી રોજ શરૂ કરી શકાય છે. ચોખીની માત્રા પોતાની હથેળી મુજબ રાખવી. ધનલાભના યોગ બનશે.

મિથુન રાશિ માટે ઉપાયઃ-

દર બુધવારે આખા મગનું દાન કરવું. કોઇ પરણિતા સ્ત્રીને સુહાગની વસ્તુઓ દાન કરવી. સફેદ ગાયને લીલું ઘાસ ખવડાવવાથી બધા જ દોષ દૂર થઇ જાય છે. ઘરની પશ્ચિમ-ઉત્તર દિશામાં પૈસા રાખવા તમારી માટે શુભ રહેશે. આ ઉપાયોથી ધન સંબંધી કાર્યોમાં લાભ પ્રાપ્ત થઇ શકે છે.

કર્ક રાશિ માટે ઉપાયઃ-

ઘરની પશ્ચિમ દિશામાં કબૂતરને જુવારના દાણા નાખવાં. આ ઉપાય દરરોજ કરશો તો ખૂબ જ જલ્દી શુભ ફળ પ્રાપ્ત થઇ શકે છે. આ ઉપાયથી ઘરનો પશ્ચિમ ભાગ લાભદાયક થઇ જાય છે. નકારાત્મકતા દૂર થઇ શકે છે તથા પરિવારમાં સુખ-શાંતિ બની રહે છે.

સિંહ રાશિ માટે ઉપાયઃ-

તમારા ઘરની પૂર્વ દિશામાં આ ઉપાય કરવો. ઉપાય મુજબ તાંબાના લોટામાં જળ ભરીને અને તે જળનો પૂર્વ દિશામાં છંટકાવ કરવો. શ્રીગણેશને દૂર્વા અર્પિત કરવી. સૂર્યને નિયમિતરૂપથી જળ અર્પણ કરવું. આ ઉપાય કરવાથી શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. આર્થિક પરેશાનીઓથી મુક્તિ પણ મળી શકે છે. ઘરમાં વડીલોને સ્વાસ્થ્ય લાભ પણ પ્રાપ્ત થઇ શકે છે.

કન્યા રાશિ માટે ઉપાયઃ-

તમારા ઘરની ઉત્તર દિશામાં ગાયને લીલું ઘાસ ખવડાવવું. જો સંભવ બની શકે તો કોઇ જરૂરમંદ વ્યક્તિને આખા મગ અને ગોળ દાન કરવા. આ ઉપાય કરવાથી તમારા ઘર-પરિવારને લક્ષ્મી કૃપા પ્રાપ્ત થઇ શકે છે. ઘરમાં લક્ષ્મીનો વાસ થશે તથા ઘનમાં થતો ફાલતું ખર્ચ પણ અટકશે. સાથે જ, અટકાયેલું ધન પ્રાપ્ત થઇ શકે છે.

તુલા રાશિ માટે ઉપાયઃ-

તુલા રાશિના લોકોએ દર શુક્રવારે આ ઉપાય કરવો જોઇએ. ઉપાય મુજબ શુક્રવારની સવારે એક સફેદ કપડામાં ચોખા બાંધવા અને તેની પોટલી બનાવીને ઘરની પશ્ચિમ-ઉત્તર દિશામાં લટકાવી દેવી. થોડા સમય પછી તે ચોખાનું દાન કરવું અને બીજા ચોખા લટકાવી દેવા. આ ઉપાય કરવાથી માંગલિક કાર્યમાં ગતિ આવશે તથા વૈવાહિક કાર્યમાં સફળતા મળી શકે છે. બાધાઓ દૂર થઇ શકે છે.

વૃશ્ચિક રાશિ માટે ઉપાયઃ-

તમારા ઘરના દક્ષિણ-પૂર્વ ખૂણમાં આ ઉપાય કરવો. ઉપાય મુજબ એક લાલ કપડામાં જુવાર બાંધીને રાખવાં. આ ઉપાય કરવાથી ખરાબ શક્તિ, નકારાત્મક ઉર્જા તથા ખરાબ નજરની અસર ઘર અને પરિવારના સભ્યો પર પડી શકતી નથી. શુભ અસર બની રહે છે. વાતાવરણ હકારાત્મક બને છે. કાર્યોમાં સફળતા મળવાની સંભાવના વધી શકે છે.

ધન રાશિ માટે ઉપાયઃ-

ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં આ ઉપાય કરવો. ઉપાય મુજબ આ દિશામાં ભગવાન વિષ્ણુ શત્ નામાવલી અથવા સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવો. આ પાઠ સાથે જ, શ્રીહરિનું વિશેષ પૂજન પણ કરવું. આ ઉપાય દરેક શ્રેષ્ઠ મુહૂર્તમાં કરવામાં આવવો જોઇએ. આ ઉપાયથી બધા જ રોગ, દોષ અને બાધાઓથી મુક્તિ મળી શકે છે. ઘરમાં પ્રગતિનું વાતાવરણ બની શકે છે.

મકર રાશિ માટે ઉપાયઃ-

ઘરની પશ્ચિમ દિશામાં તુલસીનો છોડ લગાવવો અને દરરોજ તેને સીંચવો. સમય-સમય પર છોડથી ખરાબ પાનને દૂર કરવા અને યોગ્ય દેખભાળ કરતા રહેવી. આવું કરવાથી અટકાયેલા કાર્યોમાં પ્રગતિ આવે છે. માંગલિક કાર્યની સાથે જ આર્થિક કાર્યોમાં પણ લાભના અવસર પ્રાપ્ત થઇ શકે છે.
કુંભ રાશિ માટે ઉપાયઃ-

આ રાશિના લોકોએ આ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે વિશેષ રૂપથી ઘરની પશ્ચિમ-ઉત્તર દિશાને એકદમ સાફ રાખવી. સાથે જ, આખા ઘરમાં પણ સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું. પશ્ચિમ-ઉત્તર દિશામાં બધા જ ઉપયોગી દસ્તાવેજ રાખવા. જો સામાન વધારે થઇ જતો હોય અને સ્ટોરેજની સ્થિતિ નિર્મિત થતી હોય તો સ્થાન પરિવર્તન કરવું. ત્યાર પછી આ જગ્યાએ મની પ્લાન્ટ લગાવી શકાય છે.

મીન રાશિ માટે ઉપાયઃ-

ઘરની પૂર્વ-ઉત્તર દિશામાં દેવી-દેવતાઓ માટે મંદિર બનાવવા. સાથે જ, ધ્યાન રાખવું કે મંદિર અને રસોડું સાથે ન હોય. ગેસ અને ચૂલાની સામે દેવી-દેવતાનું સ્થાન ન હોવું જોઇએ. આ પરિવર્તન કરશો તો ઘર પર દેવ કૃપા બની રહે છે. વિશેષ કરીને લક્ષ્મીનારાયણની ઉપાસના કરો. આ વાતોનું ધ્યાન રાખવાથી ભૂમિ-ભવનનો લાભ પ્રાપ્ત થઇ શકે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

જાણો…અમાસ ના દિવસે, લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ચમત્કારિક ઉપાય…!!

laxmi32

આપણે ત્યાં પ્રાચીન પરંપરા છે ઘરમાં એક તુલસીનો છોડ તો હોવો જ જોઈએ. શાસ્ત્રોમાં તુલસીને પૂજનીય, પવિત્ર અને દેવીનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. જો તમારા ઘરમાં પણ તુલસી હોય તો અહીં બતાવવામાં આવી રહી આ 10 વાતો કાયમ ધ્યાનમાં રાખવી જોઈએ. જો આ વાતોનું ધ્યાન રાખવામાં ન આવે તો બધા જ દેવી-દેવતાઓની વિશેષ કૃપા આપણાં ઘર પર બની રહે છે. ઘરમાં હકારાત્મક ઉર્જા અને સુખદ વાતાવરણ રહે છે. પૈસાનો ક્યારેય અભાવ આવતો નથી અને પરિવારના સભ્યોને સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. અહીં જાણીએ શાસ્ત્રો મુજબ તાવેલી તુલસીની ખાસ વાતો…

1. તુલસીના પાન ચાવવા ન જોઈએ

તુલસીનું સેવન કરતી વખતે ધ્યાન રાખો કે આ પાનને ચાવવું નહીં, પણ તેને ગળી જવા જોઈએ. આ રીતે તુલસીનું સેવન કરવાથી અનેક રોગોમાં લાભ મળે છે. તુલસીના પાનમાં પારા ધાતુના તત્વો મોજુદ હોય છે. તુલસીના પાન ચાવવાથી આ ધાતુ દાંત ઉપર લાગે છે જે દાંત માટે લાભદાયક નથી એટલે તુલસીના પાનને ચાવવા ન જોઈએ પણ ગળી જવા જોઈએ.

2. શિવલિંગ પર તુલસી ન ચડાવવી જોઈએ

શિવપુરાણ મુજબ શિવલિંગ પર તુલસીના પાન અર્પણ ન કરવા જોઈએ. આ સંબંધમાં એક કથા જણાવવામાં આવી છે. આ કથા મુજબ પ્રાચીન કાળમાં દૈત્યોના રાજા શંખચૂડની પત્નીનું નામ તુલસી હતું. તુલસીના પતિવ્રત ધર્મની શક્તિને કારણે દેવતા પણ શંખચૂડને હરાવવામાં અક્ષમ હતાં. ત્યારે ભગવાન વિષ્ણુએ કપટથી તુલસીનું પતિવ્રત 2. ભંગ કરી દીધું. તેના પછી શિવજીએ શંખચૂડનો વધ કરી દીધો.

જ્યારે આ વાતની તુલસીને જાણ થઈ ત્યારે તેણે ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપ્યો. ભગવાન વિષ્ણુએ તુલસીનો આ શ્રાપ સ્વીકારી લીધો અને કહ્યું કે તું ધરતી પર ગંડકી નદી તથા તુલસીના છોડના રૂપમાં કાયમ રહીશ. તેના પછી જ મોટાભાગના પૂજન કાર્યોમાં તુલસીનો ઉપયોગ વિશેષ રૂપથી કરવામાં આવે છે. પરંતુ શંખચૂડની પત્ની હોવાને લીધે તુલસી શિવલિંગ પર ચડાવવામાં નથી આવતી.

3. ક્યારે ન તોડવા જોઈએ તુલસીના પાન

શાસ્ત્રોમાં જણાવ્યાં મુજબ તુલસીના પાન કેટલાક ચોક્કસ દિવસોમાં ન તોડવા જોઇએ. આ દિવસ છે-અગિયારસ, રવિવાર અને સૂર્ય અથવા ચંદ્ર ગ્રહણ. આ દિવસોમાં તથા રાતના સમયે તુલસીના પાન ન તોડવા જોઈએ. આવું કરવા પર આપણને દોષ લાગે છે. બિનજરૂરી રીતે તુલસીના પાન તોડવા, તુલસીને નષ્ટ કરવા સમાન માનવામાં આવે છે.

4. દરરોજ કરો તુલસીનું પૂજન

દરરોજ તુલસી પૂજન કરવું જોઈએ. સાથે જ, તુલસીના સંબંધમાં અહીં બતાવેલી તમામ વાતોનું પણ ઘ્યાન રાખવું જોઈએ. દરરોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવો જોઈએ. એવી માન્યતા છે કે, જે લોકો સાંજના સમયમાં તુલસી પાસે દીવો પ્રગટાવે છે, તેમના ઘરમાં મહાલક્ષ્મીની કૃપા કાયમ બની રહે છે.

5. તુલસીથી દૂર થાય છે વાસ્તુ દોષ

ઘર-આંગણાંમાં તુલસી હોવાથી કેટલાય પ્રકારના વાસ્તુ દોષ પણ નષ્ટ થઈ જાય છે. તેમજ પરિવારની આર્થિક સ્થિતિ પર તેની શુભ અસર થાય છે.

6. તુલસીનો છોડ ઘરમાં હોય તો નથી લાગતી નજર

એવી માન્યતા છે કે ઘરમાં તુલસીનો છોડ હોય તો કોઈ પણ સભ્યને ખરાબ નજર નથી લાગતી. સાથે જ, ઘરની આજુબાજુ કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા ઉત્પન્ન નથી થતી અને હકારાત્મક ઉર્જામાં વધારો થાય છે.

7. તુલસીથી વાતાવરણ થાય છે પવિત્ર

તુલસીથી ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે પવિત્ર અને હાનિકારક સૂક્ષ્મ કીટાણુંઓથી મુક્ત રહે છે. આ જ પવિત્રતાને લીધે ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને સુખ-સમૃદ્ધિ બની રહે છે.

8. તુલસીનો સુકાઈ ગયેલો છોડ ઘરમાં ન રાખવો

જો ઘરમાં લાગેલો તુલસીનો છોડ સુકાઈ જાય છે તો તેને કોઈ પવિત્ર નદીમાં, તળાવમાં અથવા કુઆંમાં પ્રવાહિત કરી દેવો જોઈએ. તુલસીનો સુકાઈ ગયેલો છોડ ઘરમાં રાખવો અશુભ માનવામાં આવે છે. એક છોડ સુકાઈ ગયા પછી તરત જ બીજા છોડ લગાવી દેવો જોઈએ. ઘરમાં કાયમ સ્વસ્થ તુલસીનો છોડ જ લગાવવો જોઈએ.

9. તુલસી છે ઔષધિ

આયુર્વેદમાં તુલસીને સંજીવની બુટિ સમાન માનવામાં આવે છે. તુલસીના કેટલાય એવા ગુણ હોય છે જે ઘણી બધી બીમારીઓને દૂર કરવામાં અને તેને અટકાવવામાં મદદરૂપ સાબિત થાય છે. તુલસીનો છોડ ઘરમાં રહેવાથી તેની ખુશ્બૂ હવામાં મોજુદ બીમારી ફેલાવનારા કેટલાય સૂક્ષ્મ કીટાણુંઓને નષ્ટ કરે છે.

10. દરરોજ તુલસીના એક પાનનું સેવન કરવું જોઈએ

તુલસીની ખુશ્બૂથી શ્વાંસ સંબંધિત કેટલાય રોગોમાં લાભ મળે છે. સાથે જ તુલસીના એક પાનનું દરરોજ સેવન કરવાથી આપણે સામાન્ય તાવથી બચી શકે છીએ. મોસમ પરિવર્તનના સમયમાં થવાવાળી બીમારીઓથી પણ બચી શકાય છે. તેનાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે, પરંતુ આપણે નિયમિતપણે તુલસીનું સેવન કરતા રહેવું જોઈએ.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

રોજ બોલો આ વિષ્ણુમંત્ર, થશે ગ્રહદોષ શાંતિ અને મળશે અઢળક લક્ષ્મી લાભ.

vishnuji1

ભગવાન વિષ્ણુ લક્ષ્મીપતિ અને શ્રીપતિ પણ કહેવામાં આવે છે. બધા મંગળના સ્વામી ઐશ્વર્ય સંપન્ન અને શાંતિસ્વરૂપ દેવતા હોવાને લીધે ભગવાન વિષ્ણુની ભક્તિ જગત માટે કલ્યાણકારી છે. ખાસ કરીને ધાર્મિક માન્યતા છે કે વિષ્ણુની પ્રસન્નતાથી દેવી લક્ષ્મી કૃપા વરસવા લાગે છે.

રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!

આ કારણ છે કે દેવી ઉપાસનાનો વિશેષ દિવસો ગુરુવારે ભગવાન વિષ્ણુની ઉપાસનાનું મહત્વ છે તથા શુક્રવારે તેમના પત્ની મહાલક્ષ્મીની પૂજાનું ખાસ મહત્વ હોય છે. આ ક્રમમાં વિશેષ વિષ્ણુમંત્ર સુખ-સમૃદ્ધિ અને ઐશ્વર્ય મેળવવાની કામના ઝડપથી પૂરી કરનાર માનવામાં આવે છે. એટલું જ નહીં આ પ્રભાવી વિષ્ણુમંત્રના સ્મરણથી રોગમુક્તિ અને બધા ગ્રહદોષોની શાંતિ પણ થાય છે.

જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!

-સવારે સ્નાન પછી દેવાલયમાં ભગવાન વિષ્ણુની મૂર્તિને ગંગા સ્નાન કરાવી સુંદર પોષાક અને આભૂષણ પહેરાવો. ભગવાન વિષ્ણુને કેસર ચંદન, પીળા સુગંધિત ફૂલ, પીતંબરી રેશમી વસ્ત્ર, યજ્ઞોપવિત અર્પિત કરો. નૈવધ, ધૂપ અને દીવ પ્રગટાવી નીચે લખેલ વિષ્ણુ મંત્રનો ઓછામાં ઓછો 108 વાર પીળા આસન ઉપર બેસી સુખ-શાંતિ, સમૃદ્ધિની કામનાથી સ્મરણ કરો.

ऊँ श्रीं ह्रीं श्रीधराय विष्णवे नम:।

-ભગવાન વિષ્ણુના આ મંત્ર જાપ પછી વિષ્ણુની આરતી કરી તેમને સ્નાન કરાવો, જળનું ચરણામૃતના રૂપમાં ગ્રહણ કરો.

રાત્રે આ વિષ્ણુમંત્ર બોલો, મળશે ભરપૂર સુખ-શાંતિ-

હિન્દુ ધર્મશાસ્ત્રોમાં ધાર્મિક પરંપરાઓ દ્વારા બતાવવામાં આવેલ જીવવાની પદ્ધતિઓને મનની બધી બેચેની, ભય અને ચિંતાને દૂર કરી શાંતિ ભરેલા જીવનની રાહ આસાન બનાવે છે. સુખ અને શાંતિથી જ જીવવું હોય તો ચેનથી ઊંઘવું પણ જરૂરી છે. પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે કલેશ અને અશાંતિ દૂર હોય.

જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?

જેની માટે વ્યાવહારિક રીતે તો છલ, કપટ, દોષપૂર્ણ આચરણથી દૂર રહેવું જરૂરી છે, પરંતુ ધાર્મિક ઉપાયોમાં એક આસાન રીત છે. રાત્રે સૂતી વખતે દેવ સ્મરણ કરવું. જેની માટે મંત્ર વિશેષ સ્મરણનું મોટું મહત્વ છે.

ખાસ કરીને રોજ શાંત, સૌમ્ય અને આનંદ સ્વરૂપ ભગવાન વિષ્ણુની રાતમાં વિશેષ મંત્રથી સ્મરણ કરીને સૂવાથી દિવસભર શારીરિક અને માનસિક તણાવોને દૂર કરી શાંતિ આપે છે. આ ઉપાય ચેનની ઊંઘ અને શાંતિ માટે દરરોજ કરવાનું શુભ માનવામાં આવ્યું છે. જાણો આ વિશેષ વિષ્ણુ શયન મંત્રઃ-

अच्युतं केशवं विष्णुं हरिं सोमं जनार्दनम्।

हसं नारायणं कृष्णं जपते दु:स्वप्रशान्तये।।

આ વિષ્ણુ મંત્રો અપાવશે ભરપુર ધનલાભ

હિન્દુ માન્યતા અનુસાર ગૃહસ્થ વ્યકિત જગતપાલક વિષ્ણુની ઉપાસના સુખ, શાંતિ, સમૃધ્ધિ આપી કલેશ-કંકાસ દૂર કરનારી હોય છે. આ ઉપરાંત કેટલાક વિશેષ વિષ્ણુ મંત્રો પરિવારની સુખ, શાંતિ અને સમૃધ્ધિ માટે મંગલકારી મનાય છે. કોઈ કારણોસર ભગવાન વિષ્ણુની ઉપાસના ન થઈ શકે તો અહીં જણાવેલ વિષ્ણુ મંત્રોના જાપ કરવાથી વિષ્ણુપ્રિયા લક્ષ્મીની કૃપાથી ભરપુર ધન લાભ મેળવી શકાય છે.

હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!

સવારે અને સાંજે સ્નાન કર્યા બાદ દેવ મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિને જળ સ્નાન, પંચામૃત (દૂધ, દહી, ખાંડ, મધ, ઘી)થી સ્નાન કરાવો. સ્નાન કરાવ્યા બાદ ખાસ કરીને પીળા રંગની પૂજા સામ્રગી અર્પિત કરો કારણ કે ભગવાન વિષ્ણુને પીળો રંગ પસંદ છે.

જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!

સામ્રગીમાં કેસરી ચંદન,પીળા ફુલો,પીળા વસ્ત્રો,પીળા ફળ, પીળો પકવાન ધરાવો તથા ચંદન ધૂપ પ્રગટાવી નીચે લખેલા મંત્રોનો જાપ કરો.તુલસી કે ચંદનની માળાથી 108 જાપ કરો અને છેલ્લે દીપ પ્રગટાવી આરતી કરો આ પૂજા વિધીથી પરિવાર આનંદ મંગલ રહે છે.

(1) पद्मनाभोरविन्दाक्ष: पद्मगर्भ: शरीरभूत्।
महद्र्धिर्ऋद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वज:।।
अतुल: शरभो भीम: समयज्ञो हविर्हरि:।
सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जय:।।

(2) ऊँ नारायणाय विद्महे। वासुदेवाय धीमहि।
तन्नो विष्णु प्रचोदयात्।।

(3) अच्युतं केशवं विष्णुं हरिं सोमं जनार्दनम्।
हसं नारायणं कृष्णं जपते दु:स्वप्रशान्तये।।

(4) ऊँ पुरुषोत्तमाय नम:

(5) ऊँ नमो नारायणाय नम:

(6) ऊँ नमो भगवते वासुदेवाय

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

જીવનમાં આ 20 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા..!!

જીવનમાં અપાર ધનસંપતિના આગમન માટે મહાલક્ષ્મીજીનું ચમત્કારીક કનાકધારા સ્તોત્ર શાસ્ત્રોક્ત રીતે દરરોજ સવારે જોરથી વાંચો.
કાળા મરીના 5 દાણાનો ચમત્કારી ઉપાય કરો, ઝડપથી મેળવશો ધન લાભ
કોઈને બતાવ્યા વિના કરો 7 ચમત્કારી ઉપાય, પૈસાની તંગી ઝડપથી થશે દૂર
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી

જાણી જ લો…આ રીતે કોઈપણ બની શકે લાખોપતિ, રાશિ પ્રમાણે ખાસ વિધિથી કરો ઉપાય…!!

lakhpati

સુખમય જીવન એ દરેક વ્યક્તિની પ્રથમ આકાંક્ષા હોય છે. આ માટે તેને પૂરતા ધનની જરૂરિયાત હોય છે. એટલે આજના આ ભૌતિકવાદી યુગમાં લોકો ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ ધન કમાવી લેવા ઇચ્છે છે. પરંતુ દરેક પ્રકારના પ્રયાસો છતાં લોકોને ઇચ્છિત ધનની પ્રાપ્તિ થતી નથી. લોકો ધન, સુખ-સમૃદ્ધિ અને પૈસા પામવા માટે અથાગ પ્રયત્નો અને પરિશ્રમ કરતાં રહે છે. પરંતુ દર વખતે સફળ થતાં નથી. જોકે આપણા જ્યોતિષ શાસ્ત્રમાં દરેક સમસ્યાનો ઉકેલ આપવામાં આવ્યો છે. જરૂર છે તો તેને સમજીને તેનો યોગ્ય રીતે અને યોગ્ય વિધિથી ઉપયોગ કરવાની. સામાન્ય લોકોને આ ખાસ ઉપાય અને વિધિ વિશે ખબર ન હોવાથી તે લોકો આ જ્યોતિષીય ઉપાયોનો લાભ ઉઠાવી શકતા નથી અને તેનાથી વંચિત રહી જાય છે.

ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!

જેથી આવા લોકો માટે અને દર વખતે કેટલાક અચૂક જ્યોતિષીય ઉપાય લઈને આવીએ છીએ જેથી તેમને માર્ગદર્શન મળે અને તે લોકો આ ઉપાયો કરીને તેમની સમસ્યાઓનો ઉકેલ ઝડપથી મેળવી શકે. તેથી આજે અમે તમારી રાશિને અનુરૂપ કેટલાક જ્યોતિષીય ઉપાયો લઈને આવ્યા છે તેને અપનાવીને તમારી ધનપ્રાપ્તિની કામના પૂરી થઈ શકે છે.

મેષ રાશિઃ

શુક્ર મંત્ર પર જરકન અને શનિ યંત્ર પર નીલી જડાવીને ક્રમશઃ બંને ગ્રહોના મંત્રોથી યંત્રોને અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થાનમાં સ્થાપિત કરી દરરોજ દર્શન અને પૂજા કરવી જોઈએ. શ્વેતાર્કનું મૂળ કે જે ગણેશનું પ્રતિરૃપ સમજાયું છે તેની પૂજાના સ્થાન પર નિષ્ઠાપૂર્વક પ્રાણપ્રતિષ્ઠા કરવી. દરરોજ મહાલક્ષ્મીજીના નીચે દર્શાવેલ મંત્રોનો જપ કરતાં કરતાં તેની પૂજા કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.

મંત્રઃ હ્રીં અષ્ટલક્ષ્મ્યૈ દારિદ્રય વિનાશિની સર્વ સુખ સમૃદ્ધિ દેહિ દેહિ હ્રીં નમઃ ।

ગણેશ યંત્રની સન્મુખ ગણેશ મંત્ર ‘ શ્રીં હ્રીં ક્લીં ગ્લૌં ગં ગણપતયે વર વરદયે નમઃ ।’ની પાંચ માળાનો જપ કરી આ પ્રક્રિયા દરરોજ કરતા રહેવાથી ઇચ્છિત યશ અને ધનની પ્રાપ્તિ થશે.ધનલાભને માટે ચાંદીની ધાતુનું ‘શ્રીં’ બનાવીને તેની ચોફેર સફેદ અને નીલા રંગનું જરકન જડાવીને શ્રી લક્ષ્મીજીના મંત્રોથી અભિમંત્રિત કરી તે ગળામાં ધારણ કરવું જોઈએ.

જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!

વૃષભ રાશિઃ

બુધના યંત્ર પર ઓનેક્સ અને ગુરુ મંત્ર પર સોનેરી લગાવીને ક્રમિકરૃપે બંને ગ્રહોના મંત્રોથી તેને અભિમંત્રિત કરાવીને ઘરના મંદિરમાં સ્થાપિત કરાવવું. પછી દરરોજ નિષ્ઠાપૂર્વક તેનાં દર્શન-પૂજન કરવાં. મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.શ્રીયંત્રની પ્રાણપ્રતિષ્ઠા કરાવીને દરરોજ નીચે લખેલ મંત્રનો જપ કરી પૂજા કરવી જોઈએ. તેનાથી દુઃખ, રોગ અને દારિદ્રયમાંથી મુક્તિ અને ભૌતિક સુખ-શાંતિ અને આનંદની પ્રાપ્તિ થાય છે.

મંત્ર – શ્રીં હ્રીં શ્રી કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ ।

ધન અને યશની પ્રાપ્તિ માટે શ્રીયંત્ર અથવા ગજ લક્ષ્મી યંત્રની સન્મુખ શ્રી સૂક્તનો પાઠ શરૃ કરવો અને દરરોજ નિષ્ઠાપૂર્વક પાઠ કરતાં રહેવું.શ્રી વિષ્ણુ લક્ષ્મીનું પૂજન શરૃ કરવું અને પછી દરેક શુક્રવાર કરતાં રહેવું. આ પ્રયોગથી ધન અને યશની પ્રાપ્તિ થાય છે.

જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!

મિથુન રાશિઃ

ઘરમાં લક્ષ્મીના સ્થાયી વાસને માટે સિદ્ધ શ્રી મહાલક્ષ્મી યંત્રને સ્થાપિત કરી તેનાં દરરોજ દર્શન અને પૂજન કરવાં.

દિવસ દરમિયાન તુલસીની પૂજા કરવી અને રાતના સમયે કાચા સૂતરને શુદ્ધ કેસરથી રંગીને નીચે લખેલ મંત્રની પાંચ માળાનો જપ કર્યા પછી કાર્યસ્થળમાં તે રાખીને તેનાં દર્શન અને પૂજન કરવાં.

મંત્ર : શ્રીં શ્રી હ્રીં હ્રીં ઐશ્વર્ય મહાલક્ષ્મ્યૈ પૂર્ણ સિદ્ધિં દેહિ દેહિ નમ : ।

ચન્દ્ર અને મંગળ યંત્રો પર ક્રમશઃ મોતી અને મૂંગા રત્ન લગાવીને બંનેને ક્રમિકરૃપથી બંને ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થાન પર સ્થાપિત કરવા. પછી તેનાં નિત્ય દર્શન અને પૂજન કરવાં. આ પ્રયોગથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે. મંગળયંત્રને સન્મુખ ‘સણહર્તા મંગલ સ્તોત્ર’નો પાઠ શરૃ કરવો અને પછી દરરોજ તે કરતાં રહેવું. આ પ્રયોગથી ઋણમાંથી મુક્તિ અને ધનની બરકત થવા માંડશે.

હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!

કર્ક રાશિઃ

સૂર્ય અને શુક્ર યંત્રો પર ક્રમશઃ મણિક્ય અને જરકન લગાવી એ બંનેને ક્રમિકરૃપે બંને ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થાનમાં તેની સ્થાપના કરવી. પછી દરરોજ બંનેનાં દર્શન અને પૂજન કરવાં. આ પ્રયોગથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.ઇચ્છિત ધનની પ્રાપ્તિ માટે નીચે લખેલ મંત્રનો ૭૨ દિવસો દરમિયાન ધૂપ-દીપાદિ સાથે સવા લાખ મંત્રોનો જપ કરવો.
મંત્રઃ શ્રીં હ્રીં ક્લીં ત્રિભુવન પાલિન્ય મહાલક્ષ્મ્યૈ અસ્માકં ।
દારિદ્રય નાશય નાશય પ્રચુરં ધન દેદિ ક્લીં હ્રીં શ્રીં ।

ચાંદીમાંથી ગાયની બે પ્રતિમાઓ બનાવરાવી તેને અભિમંત્રિત કરાવી કોઈ યોગ્ય બ્રાહ્મણને તે દાનમાં આપવી. બીજી પ્રતિમાને ‘કામધેનુ’ની જેમ ઘરના પૂજાસ્થાન પર મૂકીને દરરોજ તેનાં દર્શન અને પૂજન કરવાં. આ પ્રયોગથી ધનાગમન થવા માંડશે.સિદ્ધ અને પ્રાણયપ્રતિષ્ઠિત ‘શ્રીયંત્ર’ને ઘરમાં સ્થાપિત કરી દરરોજ ‘શ્રી સૂક્ત’નો પાઠ કરવો. આ પ્રયોગથી ધનની વૃદ્ધિ થશે.

જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?

સિંહ રાશિઃ

બુધ યંત્ર બનાવરાવી તેના પર ઓનોક્સ લગાવરાવી તથા બુધના મંત્રોથી તેને અભિમંત્રિત કરી ઘરના મંદિરમાં તેની સ્થાપના કરવી. દરરોજ તેનાં દર્શન અને પૂજન કરવાં. આ પ્રયોગથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.

સૂર્યોદય થયેથી બે કલાક અંદર એક નાળિયેરનો ગોળો લઈને તેની મોં કાપી લેવું. પછી તેમાં સઘળા સહસ્થ ખાંડનું બૂરું, મેવો અને દેશી ઘી ભેળવીને તે દડામાં ભરવા. પછી તે ગોળાને પીપળા કે વડના ઝાડની નીચે તેને એવી રીતે દાટી દેવા કે તેનું મોં જમીનથી કંઈક ઉપર જોવા મળે. આ પ્રક્રિયા નિષ્ઠાપૂર્વક કરવી. આ પ્રયોગથી ઘરમાં લક્ષ્મીનો સ્થાયી વાસ થશે.ઇચ્છિત ધનની પ્રાપ્તિ માટે દેવી દુર્ગાની સન્મુખ દેવીનાં ૧૦૮ નામોનું સ્મરણ કરવું અને આ ક્રિયા દરરોજ કરતાં રહેવું.

દરરોજ પ્રાતઃ કંઈ પણ ખાતા પહેલાં તુલસીના પાનનું સેવન કરવું. આ પ્રયોગ થકી શુભફળની પ્રાપ્તિ થશે.

રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!

કન્યા રાશિઃ

કોઈ પણ દિવસની રાત્રે ચાંદીના ઢાંકણાવાળી ડબ્બીમાં નાગ કેસર અને મધ ભરીને પોતાની તિજોરી કે ગલ્લામાં તે મૂકી દેવી. તેથી સમક્ષ દરરોજ દીપક પ્રગટાવીને શ્રી સૂક્ત અથવા વિષ્ણુસહસ્ત્ર નામનો પાઠ કરવો. તિજોરી વર્ષભર ધનથી છલોછલ ભરાયેલી રહેશે.

ચન્દ્ર અને શુક્ર યંત્ર બનાવરાવી એ બંને પર ક્રમશઃ મોતી અને જરકન લગાવરાવીને તેમને ક્રમિકપણે એ બંને ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થાનમાં તે સ્થાપવાં. તેનાં નિત્ય દર્શન-પૂજન કરવાં. આ પ્રયોગથી ધનાગમન થશે અને મા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થશે.કર્મ પૃષ્ઠ પર બનેલ શ્રીયંત્ર અથવા મહાલક્ષ્મી સન્મુખ દરરોજ શ્રી સૂક્તનો પાઠ કરતાં રહેવું. આ પ્રયોગથી ધનાગમન બની રહેશે.સફેદ ગુંજાને લક્ષ્મીના મંત્રોથી અભિમંત્રિત કરી મધમાં ફુલાવીને પૂજનના સ્થળે અથવા તિજોરીમાં રાખવું. આ પ્રયોગથી ધનનું રક્ષણ થાય છે.

જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!

તુલા રાશિઃ

મહાલક્ષ્મીજીની પૂજાના સમયે માને એક અત્તરની શીશી ચઢાવવી. તેમાંથી એક દુબેલ લઈને તે માને અર્પણ કરવું. પછી પૂજા બાદ તે શીશીમાંથી થોડુંક અત્તર જાતે પણ લગાવવું. તે પછી રોજ આ અત્તરને થોડુંક લગાવતા રહેવું અને પછી જ કાર્યસ્થળ પર જવું. આ પ્રયોગથી રોજગારમાં વૃદ્ધિ થાય છે. સૂર્ય અને મંગળ યંત્ર બનાવી એ બંને પર ક્રમશઃ મણિક્ય અને મૂગ લગાવીને તેને ક્રમિકરૃપે બંને ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના મંદિરમાં તેની સ્થાપના કરવી. પછી દરરોજ તેનાં દર્શન-પૂજન કરતાં રહેવું. આ પ્રયોગથી લક્ષ્મીની કૃપા અને યશની પ્રાપ્તિ થાય છે.

દરેક રવિવારે ગાયત્રી અને મંગળવારે મંગળ મંત્રની રુદ્રાક્ષની માળા પર જપ કરવા. આ પ્રયોગથી ધનનું આગમન થવા લાગશે.શ્રી મહાલક્ષ્મી યંત્રને સ્થાપિત કરી દરરોજ ઈન્દ્રદન મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્રનો પાઠ કરવો. આ પ્રયોગથી ધનની વૃદ્ધિ થાય છે.

રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!

વૃશ્ચિક રાશિઃ

ગણેશજી રિદ્ધિ સિદ્ધિના દાતા અને લક્ષ્મીજી એ ધનની દેવી છે. આ બંનેનું સંયુક્ત યંત્ર એ મહાયંત્રની પૂજાદિ કરી તેને ગલ્લા કે તિજોરીમાં મૂકવું. આ પ્રયોગથી ધનનો ભંડાર ભરેલો રહે છે અને પરિવાર સુખી થાય છે.ગુરુ અને બુધ યંત્ર બનાવરાવી એ બંને પર ક્રમશઃ સોનેથી અને ઓનેક્સ લગાવી તેને ક્રમિકરૃપથી એ બંને ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થળ પર સ્થાપિત કરવું. આ પ્રયોગથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
વિષ્ણુની મુર્તિની સન્મુખ ‘ નમો નારાયણાય’ મંત્રનો જપ શરૃ કરવો અને પછી દરરોજ તે નિષ્ઠાપૂર્વક કરતાં રહેવું. આ પ્રયોગથી ધનલાભ થશે.દેવી દુર્ગાની સન્મુખ ‘દેહી સૌભાગ્ય આરોગ્ય દેહિ મે પરમં સુખમ્ । રૃપં દેહિ એ દોહિ યશો દેહિ દ્વિષો જાહ ।’ મંત્રનો જપ કરવો. આ નિષ્ઠાપૂર્વક કરતાં ધન મળશે.

ધન રાશિઃ

શનિ યંત્ર અને શુક્ર યંત્ર બનાવરાવી ક્રમશઃ નીલી અને જરકન લગાવી તથા આ ગ્રહોના મંત્રોથી યંત્રોને અભિમંત્રિત કરી ઘરના મંદિરમાં તે સ્થાપિત કરવું. દરરોજ તેનાં દર્શન-પૂજન કરવાથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ૧૧ હળદરની ગાંઠોને પીળા કપડામાં મૂકી નીચે લખેલા મંત્રના ૧૧ માળાના જપ કરી તે તિજોરીમાં મૂકવું. દરરોજ તેની સન્મુખ દીપક કરવો. આ પ્રયોગથી વ્યાપારમાં ઉન્નતિ થશે.

મંત્ર : વક્રતુણ્ડાય હું ।

લાર્જવર્ત નંગને ચાંદીમાં જડાવીને લક્ષ્મીના મંત્રો થકી અભિમંત્રિત કરી મધ્યમા આંગળીએ ધારણ કરવાથી વ્યક્તિ ધનવાન બને.

‘ હ્રીં ક્લીં મહાલક્ષ્મ્યૈ નઃ ।’ મંત્રનો શ્રી લક્ષ્મીના ફોટા કે યંત્રની સન્મુખ દરરોજ પાંચ માળાનો જપ કરવાથી ધનનું આગમન થવા માંડે છે.

મકર રાશિઃ

શનિ અને મંગળ યંત્ર બનાવી ક્રમશઃ નીલી અને મૂંગા જડાવીને આ ગ્રહોના મંત્રોથી યંત્રોને અભિમંત્રિત કરી ઘરના મંદિરમાં સ્થાપિત કરવા અને દરરોજ તેનાં પૂજન દર્શન કરવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. કોઈ પણ સાંજે એક સોપારી અને એક તાંબાનો સિક્કો લઈને કોઈ પીપળાના વૃક્ષની નીચે રાખી આવવો. રવિવારે આ પીપળાનાં પાન લાવીને કાર્યસ્થળ પર ગાદીની નીચે મૂકવા. આ પ્રયોગથી ગ્રાહકો વધે છે અને ધનનું આગમન થાય છે.

શનિ યંત્રને ઘરની પશ્ચિમ દિશામાં નીલા કપડાના આસન પર સ્થાપિત કરી તેના દરરોજ શનિના મંત્રોથી જપ કરવા અને તેલનો દીપક પણ પ્રગટાવવો. આ પ્રયોગ થકી વ્યક્તિ ધનવાન બને છે. મંગળવારે ઋણહર્તા મંગળ સ્તોત્રનો પાઠ કરવાથી ધનલાભ થાય છે. કુંભ રાશિઃ ગુરુ યંત્ર બનાવી તેના પર સોનું લગાવી લેવું તથા ગુરુના મંત્રો થકી તેને અભિમંત્રિત કરી ઘરના મંદિરમાં સ્થાપવું. તેનું નિત્ય દર્શન-પૂજન કરવું. આ પ્રયોગથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

કોઈ પણ રાતે પહેલા શનિવારથી ઘરની સાફ-સફાઈ શરૂ કરવી. સાંજના સમયે ઘરના સઘળા બલ્બ ઓછામાં ઓછા ર૦ મિનિટ સુધી દરરોજ રોશન કરવા. તે સાથે આ મંત્રની ઉપાસના રોજ કરવી. આ પ્રયોગથી સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

મંત્ર : ઐં હ્રીં શ્રીં સં સિદ્ધિ દો સાધય સાધય સ્વાહા ।

સોનાનું ગુરુ મંત્ર બનાવી તેને અભિમંત્રિત કરી ગળામાં પહેરવાથી લક્ષ્મીકૃપા પ્રાપ્ત થાય છે. શ્રી લક્ષ્મીનારાયણ યંત્રને સારા દિવસે ઘરના પૂજન સ્થળે સ્થાપી તેનું નિત્ય પૂજન-દર્શન કરવું. આ પ્રયોગથી ધનાગમન થવા લાગશે.

કુંભ રાશિઃ-

કોઈ પણ રાતે પહેલા શનિવારથી ઘરની સાફ-સફાઈ શરૂ કરવી. સાંજના સમયે ઘરના સઘળા બલ્બ ઓછામાં ઓછા ર૦ મિનિટ સુધી દરરોજ રોશન કરવા. તે સાથે આ મંત્રની ઉપાસના રોજ કરવી. આ પ્રયોગથી સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
સોનાનું ગુરુ મંત્ર બનાવી તેને અભિમંત્રિત કરી ગળામાં પહેરવાથી લક્ષ્મીકૃપા પ્રાપ્ત થાય છે. શ્રી લક્ષ્મીનારાયણ યંત્રને સારા દિવસે ઘરના પૂજન સ્થળે સ્થાપી તેનું નિત્ય પૂજન-દર્શન કરવું. આ પ્રયોગથી ધનાગમન થવા લાગશે.
‘ હ્રીં ક્લીં મહાલક્ષ્મ્યૈ નઃ ।’ મંત્રનો શ્રી લક્ષ્મીના ફોટા કે યંત્રની સન્મુખ દરરોજ પાંચ માળાનો જપ કરવાથી ધનનું આગમન થવા માંડે છે.

મીન રાશિઃ

શનિ અને મંગળ યંત્ર બનાવી એ બંને પર ક્રમશઃ નીલમ અને મૂંગા લગાવી તેને ક્રમિકરૂપે ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થાનમાં મૂકવું. તેના દરરોજ પૂજન-દર્શન કરતાં રહેવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. શ્રી યંત્ર, કુબેર યંત્ર કે દક્ષિણાવર્તી શંખ મૂકી દરરોજનાં દર્શન, પૂજન કરવાં. ગણપતિની મૂંગાની પ્રતિમા સ્થાપી ‘ એકદન્તાય વિદ્મેહ, વક્રતુણ્ડાય ધીમહિ તન્નો હન્તી પ્રચોદયાત્’ મંત્રનો જપ કરવાથી ધનલાભ અવશ્ય થાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

જીવનમાં આ 20 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા..!!

જીવનમાં અપાર ધનસંપતિના આગમન માટે મહાલક્ષ્મીજીનું ચમત્કારીક કનાકધારા સ્તોત્ર શાસ્ત્રોક્ત રીતે દરરોજ સવારે જોરથી વાંચો.
કાળા મરીના 5 દાણાનો ચમત્કારી ઉપાય કરો, ઝડપથી મેળવશો ધન લાભ
કોઈને બતાવ્યા વિના કરો 7 ચમત્કારી ઉપાય, પૈસાની તંગી ઝડપથી થશે દૂર
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!

navratri1

હિન્દુ ધર્મ પ્રમાણે એક વર્ષમાં ચાર નવરાત્રિ આવતી હોય છે. પરંતુ સામાન્ય લોકો માટે બે નવરાત્રિ(ચૈત્રી અને શારદીય) વધુ જાણે છે. અષાઢ તથા માઘ મહિનાની નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે આ વખતે અષાઢ માસની ગુપ્ત નવરાત્રિ 17 જુલાઈ શક્રવારથી શરૂ થાય છે. અષાઢ માસની ગુપ્ત નવરાત્રિનો સમય શોક્ય તથા શૈવ ધર્માવલંબિયો માટે પૈશાચિક, વામાચારી ક્રિયાઓ માટે વધુ શુભ અને ઉપયુક્ત હોય છે. એમાં પ્રલય તથા સંહારના દેવાતા મહાકાલ તથા મહાકાલીની પૂજા કરવામાં આવે છે. આ સંહારકર્તા દેવી-દેવતાઓના ગણો તથા ગણિકાઓ અર્થાત્ ભૂત-પ્રેત, પિશાચ, બૈતાલ, ડાકિની, શાકિની, ખંડગી, શૂલની, શબવાહિની, શબરૂઝા વગેરેની સાધના કરવામાં આવે છે. એવી સાધના શાક્ત માતાનુસાર ઝડપથી ફળ આપનારી હોય છે. દક્ષિણા સાધના, યોગિની સાધના, ભૈરવી સાધનાની સાથે પંચમકારની સાધના આ નવરાત્રિમાં કરવામાં આવે છે.

ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!

અષાઢ માસની નવરાત્રિની જેમાં જ માઘની નવરાત્રિને પણ ગુપ્ત નવરાત્રિ કરે છે. પરંતુ આ બંને ઘણી ભિન્નતા હોય છે. અષાઢ માસની નવરાત્રિમાં જ્યાં વામાચાર ઉપાસના કરવામાં આવે છે ત્યાં માઘ માસની નવરાત્રિમાં વામાચાર પદ્ધતિને વધુ માન્યતા આપવામાં આવી છે. શારદીય નવરાત્રીની જેમાં જ આ નવરાત્રિ પણ માતાનું પર્વ હોવાથી દરેક વ્યક્તિ માટે માતાજીની કૃપા મેળવવા માટે શુભ સમય માનવામાં આવે છે. તમે પણ કરી શકો છો માતાજીની પૂજા અને મનોવાંછીત ફળ પ્રાપ્ત કરી શકો છો…

જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!

નવદુર્ગાનાં નવ સ્વરૂપ-

દેવીનું રૂપ ગમે તે હોય, મૂળે તો તેઓ એક જ છે, પરંતુ માતા શક્તિએ જુદાં જુદાં રૂપ લઈને કરેલાં કાર્યોને કારણે તેઓ અલગ અલગ નામે પુજાય છે.

કેવી રીતે વિધિ કરશો ઘટ સ્થાપના માટે?

હિન્દુ પરિવારોમાં નવરાત્રિનો પહેલો દિવસે ઘટ સ્થાપના કરવામાં આવે છે. જેમાં જવારા વાવામાં આવે છે. તેની શાસ્ત્રકથન વિધિ આ પ્રમાણે છે –

-ઘટ સ્થાપના માટે સમ્મુખી એકમ શ્રેષ્ઠ હોય છે. અમાસવાળી એકમમાં પૂજન ન કરો. ઘટ સ્થાપના સવારે જ કરો પરંતુ ચિત્રા કે વૈધૃતિ યોગ હોય તો તે સમયે ઘટસ્થાપના ન કરો, બપોરના કરો. અભિજિત મુહૂર્ત કે બીજા શુભ મુહૂર્તમાં ઘટ સ્થાપના કરો.

-સર્વ પ્રથમ સ્નાન કરો ગાયના છાણથી પૂજા સ્થળે લીપણ કરો. ઘટસ્થાપના માટે પવિત્ર માટીથી વેદીનું નિર્માણ કરો પછી તેમાં જવ અને ઘઉં વાવો તથા તેના પર પોતાની ઈચ્છા અનુસાર માટી, તાંબું, ચાંદી કે સોનાનો કળશ સ્થાપિત કરવો.

-જો પૂર્ણ વિધિપૂર્વક ઘટસ્થાપના કરવી હોય તો પંચાંગ પૂજન (ગણેશ-અંબિકા, વરુણ, ષોડશમાતૃકા, સપ્તધૃતમાતૃકા, નવગ્રહ વગેરે દેવોનું પૂજન) તથા પુણ્યાહવાચન(મંત્રોચ્ચાર) બ્રાહ્મણ દ્વારા કરાવવો તથા પોતે કરવો.

-આ પછી કળશ પર દેવીની મૂર્તિ સ્થાપિત કરો તથા તેના ષોડશોપચારપૂર્વક પૂજન કરવું. આ પછી શ્રીદુર્ગાસપ્તશતિનો સંપુટ અથવા સાધારણ પાઠ કરવો. પાઠની પૂર્ણાહુતિના દ્વશે દશાંશ હવન અથવા દશાંશ પાઠ કરવો જોઈએ.

જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!

દીપક સ્થાપન –

ઘટ સ્થાપનની સાથે દીપકની સ્થાપના પણ કરવામાં આવે છે. પૂજાના સમયે ઘીના દીપક પ્રગટાવે તથા તેના ચંદન, ચોખા તથા ફૂલથી પૂજા કરો. આ મંત્રનો જપ કરો –

भो दीप ब्रह्मरूपस्त्वं ह्यन्धकारनिवारक।
इमां मया कृतां पूजां गृह्णंस्तेज: प्रवर्धय।।

હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!

નવરાત્રિમાં આ મંત્રથી, દૂર થશે દરેક રોગ અને દુઃખ.

અષાઢી નવરાત્રિની શરૂઆત ધર્મગ્રંથો પ્રમાણે આ દિવસોમાં કરવામાં આવેલ સાધના વિશેષ ફળ પ્રદાન કરે છે. જો તમે પણ ઈચ્છતા હોવ કે તમને તથા તમારા પરિવારમાં બધા નિરોગી બની રહે તથા તેમને કોઈપણ પ્રકારની બીમારી ન થાય તો તેની માટે નીચે લખેલ મંત્રનો જાપ વિધિ-વિધાન પૂર્વક કરવો જોઈએ.

મંત્રઃ-

रोगानशेषानपहंसि तुष्टा, रूष्टा तु कामान् सकलानभिष्टान्।
त्वामामिश्रतानां न विपन्नराणां, त्वमाश्रिता हयश्रयंता प्रायन्ति।।

વિધિઃ-

-નવરાત્રિમાં દરેક દિવસે સવારે વહેલા ઊઠી નિત્ય કર્મોથી નવરા પડી માતા દુર્ગાની પૂજા કરો.

-પરિવારના બધા સદસ્યોના સારા સ્વાસ્થ્ય માટે દેવીદુર્ગાની સામે થોડી સરસો(રાયડો) રાખીને આ મંત્રનો નવ દિવસ સુધી જાપ કરો.

-ઓછામાં ઓછા એક માળા અર્થાત્ ૧૦૮ વાર રોજ આ મંત્રનો જાપ કરો.

-નવ દિવસ રાઈ(સરસિયાના)દાણા અગ્નિને સમર્પિત કરી દો.

-આ પ્રકારે મંત્ર જાપ કરવાથી તમે તથા તમારા પરિવારમાં કોઈ પણ બીમાર નથી થાય.

જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?

અષાઢી નવરાત્રી અનુષ્ઠાન, હવન વગેરે કરવા માટેનું પર્વ છે. દરેક વ્યક્તિ માતા શક્તિ પોતાનાં દુઃખ અને તમામ કષ્ટ હરી લે તે માટે શ્રદ્ધાપૂર્વક દૈવિક સાધના કરે છે. કોઈ પોતાના શત્રુથી છુટકારો મેળવવા માટે મા બગલામુખીના જપ-હવન કરે છે, કોઈ મહાકાળીની ઉપાસના કરે છે તો કોઈ નવદુર્ગાની ઉપાસના કરે છે. ગમે તે સ્વરૂપ હોય, પરંતુ ઉપાસના તો દેવીની જ થાય છે. જો સાધક પર દેવીની કૃપા ઊતરે તો તે તમામ પ્રકારનાં સંકટો, રોગો, દુશ્મનો, પ્રાકૃતિક આફતો વગેરે જેવાં કષ્ટોથી બચી શકે છે. તેના શારીરિક તેજમાં વૃદ્ધિ થાય છે તથા મન નિર્મળ થાય છે.

રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!

દરરોજ સુખની પ્રાપ્તિ માટે દેવીને કેવા ભોગ ધરાવશો?

દેવી ભાગવતના આઠમા સ્કંધમાં દેવી ઉપાસનાનું વિસ્તૃત વર્ણન છે. દેવીનું પૂજન-અર્ચન, ઉપાસના, સાધના બાદ દાન આપવાથી આ લોક અને પરલોકમાં સુખ પ્રાપ્ત થાય છે.

એકમઃ દેવીનું ષોડ્શોપચાર પૂજન કરીને નૈવેદ્ય તરીકે ગાયનું ઘી અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ આ ઘી બ્રાહ્મણોમાં વહેંચી દેવાથી તમામ પ્રકારના રોગોમાંથી મુક્તિ મળે છે.

બીજઃ દેવીને સાકરનો ભોગ લગાવીને તેનું ગરીબોને દાન કરવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિ દીર્ઘ આયુષ્ય ભોગવે છે.

ત્રીજઃ દેવીને દૂધનો ભોગ ધરાવીને તેનું દાન કરી કરવું. દૂધનો ભોગથી વ્યક્તિને સમસ્ત દુઃખમાંથી છુટકારો મળે છે.

ચોથઃ દેવીને માલપૂઆનો ભોગ ધરાવીને તેનું દાન કરવું જોઈએ. માલપૂઆનો ભોગ ધરાવવાથી વ્યક્તિની તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે.

પાંચમઃ દેવીને કેળાંનો ભોગ ધરાવી તેનું દાન કરવું. કેળાંનો ભોગ ધરાવવાથી વ્યક્તિની બુદ્ધિ અને વિવેકનો વિકાસ થાય છે. વ્યક્તિના પારિવારિક સુખમાં વૃદ્ધિ થાય છે.

છઠ્ઠઃ દેવીને મધુ (મધ)નો ભોગ ધરાવીને તેનું દાન કરવું. મધનો ભોગ ધરાવવાથી વ્યક્તિને સુંદર સ્વરૂપ મળે છે.

સાતમઃ દેવીને ગોળનો ભોગ ધરાવવો જોઈએ. ત્યાર બાદ તેનું દાન કરવું. ગોળનો ભોગ ધરાવવાથી વ્યક્તિના સમસ્ત શોક દૂર થાય છે.

આઠમઃ દેવીને શ્રીફળનો ભોગ ધરાવીને તેનું દાન કરવું. શ્રીફળનો ભોગ ધરાવવાથી વ્યક્તિના સંતાપ દૂર થાય છે.

નોમઃ દેવીને વિવિધ રાંધેલાં ધાન (અનાજ)નો ભોગ ધરાવવો જોઈએ. ત્યાર બાદ તેનું દાન કરવું જોઈએ. તેનાથી વ્યક્તિને આ લોક અને પરલોકમાં સુખ પ્રાપ્ત થાય છે.

જાણો આ દિવસોમાં રાશિ પ્રમાણે કંઈ માતાની પૂજા કયા મંત્રથી કરશો-

મેષઃ- આ રાશિના લોકોને માતા દુર્ગાની વિશેષ આરાધના કરવી જોઈએ. તેની માટે જાપ મંત્ર –ऊं ह्रीं दुं दुर्गायै नम: ૨૧ માળા રોજ કરો.
દુર્ગા સપ્તશતી કે દુર્ગા ચાલીસાનો પાઠ કરો.

વૃષભઃ-માતા કાળીની આરાધના વિશેષ પુષ્ય ફળ આપનારી હોય છે. જાપ મંત્ર- क्रीं ह्रीं क्लीं ૨૧ માળા રોજ.શ્રી કાલીકા સહસ્ત્રનામનો પાઠ કરો. બધી મનોકામના પૂરી થશે.

મિથુનઃ-માતા તારાની વિશેષ પૂજા કરો. જાપ મંત્ર- ऊं ह्रीं त्रीं हुंफट, ૨૧ માળા રોજ કરો. શ્રી તારા કવચનો પાઠ કરો. બધા કષ્ટો દૂર થશે.

કર્કઃ-આ રાશિના લોકોને માતા કમલાની વિશેષ પૂજા કરવી જોઈએ. જાપ મંત્ર- नम: कमल वासिन्यै स्वाहा, ૧૧ માળા રોજ જાપ કરવો. શ્રીસૂક્તનો પાઠ કરો. શુભ ફળ પ્રાપ્ત થશે.

સિંહઃ-માતા ત્રિપુર ભૈરવીની પૂજા ખાસ ફળ આપીનારી રહેશે. મંત્ર જાપ- ऐं क्लीं सौ: सौ: क्लीं, ૨૧ માળા રોજ કરો.
ભૈરવી ત્રૈલોક્ય વિજયનો પાઠ કરો.

કન્યાઃ- કન્યા રાશિના લોકોએ માતા માતંગીની વિશેષ પૂજા-અર્ચના કરવી. જાપ મંત્ર- ऊं ह्रीं क्ली हूं मातंग्यै फट स्वाहा, ૧૧ માળા રોજ જાપ કરજો. માતંગી સહસ્ત્રનામનો પાઠ કરો.

તુલાઃ-મહાકાલીની આરાધના તુલા રાશિના લોકો માટે શ્રેષ્ઠ રહેશે. જાપ મંત્ર-त्रीं त्रीं त्रीं, ૫૧ માળા નિત્ય જાપ કરજો. કામાખ્યા કવચ તથા ચાલીસા પાઠ કરો. બધા કષ્ટોથી મુક્તિ મળશે.

વૃશ્ચિકઃ- માતા દુર્ગાની આરાધના કરો. જાપ મંત્ર- ऊं ह्रीं दुं दुर्गायै नम:, ૨૧ માળા નિત્ય કરો. દુર્ગા સહસ્ત્રનામાવલીનો પાઠ કરો.

ધનઃ- તમે માતા બંગલામુખીની ખાસ પૂજા કરો. જાપ મંત્ર- श्रीं ह्रीं ऐं भगवति बगले श्रियं देहि देहि स्वाहा, ૨૧ માળા રોજ જાપ કરજો. બંગલા ત્રૈલોક્ય વિજય કવચનો પાઠ કરો.

મકરઃ- માતા ષોડ્શીની આરાધના તમને વિશેષ ફળ આપનારી રહેશે. જાપ મંત્ર-श्रीं, ૧૦૮ માળા ૧૦ દિવસ સુધી કરજો. લલિતા સહસ્ત્રનામનો પાઠ કરો.

કુંભઃ-માતા ભુવનેશ્વરીની વિશેષ પૂજા કુંભ રાશિના જાતકો માટે ખાસ ફળદાયી રહેશે. જાપ મંત્ર- ऐं ह्रीं श्रीं, ૫૧ માળા રોજ જાપ કરજો. દુર્ગા સપ્તશતીનો પાઠ કરો.

મીનઃ-માતા બંગલામુખીની પૂજા કરો. જાપ મંત્ર- श्रीं ह्रीं ऐं भगवति बगले श्रियं देहि देहि स्वाहा, ૨૧ માળા રોજ જાપ કરો. ત્રૈલોક્ય કવચનો પાઠ કરો.

બધી રાશિના લોકો સમાન રીતે જો દુર્ગા સપ્તશતીનો પાઠ કરી શકે છે. આ બધા માટે સર્વસિદ્ધિ પ્રદાન કરનાર પાઠ છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય

દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?

astrology8

આપણી બધી જરૂરીયાતો અને મનોકામનાઓને પૂર્ણ કરવા માટે ભગવાનની ભક્તિથી સારો કોઈ ઉપાય ન હોઈ શકે. કહેવાય છે કે સાચા દિલથી ભગવાનને પ્રાર્થના કરવામાં આવે તો બધી મનોકામના પણ પૂર્ણ થઈ શકે છે. આમ તો બધા દેવી દેવતાઓ આપણા બધી ઈચ્છાઓ પૂર્ણ કરવામાં સમર્થમાનવામાં આવે છે પણ શાસ્ત્રો અનુસાર અલગ-અલગ મનોકામનાઓ માટે દેવી-દેવતાઓને પૂજનનું વિધાન બતાવવામાં આવે છે.

ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!

– લગ્ન બાબતની સમસ્યાઓના નિરાકરણ માટે શિવ-પાર્વતિ, લક્ષ્મા-વિષ્ણુ, સીતા-રામ, રાધા-કૃષ્ણ, શ્રી ગણેશની પૂજા કરવી જોઈએ.

– ધન સંબંધી સમસ્યાઓ માટે દેવી મહાલક્ષ્મી, કુબેર દેવ, ભગવાન વિષ્ણુથી પ્રાર્થના કરવી જોઈએ.

જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!

– પૂરી મહેનત પછી પણ જો આપને કાર્યમાં અસફળતા મળતી હોય તો કોઈપણ કાર્યની શરુઆત શ્રીગણેશનું પૂજનની સાથે જ કરો.

– જો આપને કોઈપણ પ્રકારના ભય કે ભૂત-પ્રેત વગેરેનો ડર લાગતો હોય તો પવનપુત્ર શ્રી હનુમાનનું ધ્યાન કરો.

જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!

– પતિ-પત્ની છુટાછેડા થઈ ગયા છે ઘણા પ્રયત્નો પછી પણ પાછા મળવાના યોગ થતા નથી કે ને શ્રીરામ ભક્ત બજરંગબલીની પૂજા કરવી જોઈએ. સીતા અને રામનું મિલન પણ હનુમાનજી દ્વારા જ કરવામાં આવ્યું, આથી તેની પૂજા વિવાહિત જીવનની બધી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે.

– અભ્યાસ સંબંધી કોઈ પરેશાનીઓ દૂર કરવા માટે માં સરસ્વતિનું ધ્યાન કરો તથા બળ, બુદ્ધિ, વિદ્યાના દાતા હનુમાનજી અને શ્રી ગણેશનું પૂજન કરો.

હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!

– જો કોઈ ગરીબ વ્યક્તિના કારણથી કોઈ પરેશાનીઓ થઈ રહી હોય તો શનિદેવ, રાહુ અને કેતુની વસ્તુનું દાન કરો, તેની પૂજા કરો.

– ભૂમિ સંબંધી પરેશાનીઓને દૂર કરવા માટે મંગળદેવની પૂજા કરો.

રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!

– વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તો જ્યોતિષ અનુસાર વિવાહના કારક ગ્રહ બ્રહસ્પતિ બતાવવામાં આવ્યા છે તેની પૂજા કરવી જોઈએ.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય

દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!

kodi

જીવનમાં સફળતા ન મળતી હોય, ધન-ઐશ્વર્યની ઊણપ હોય ત્યારે જ્યોતિષશાસ્ત્રમાં વર્ણિત ઉપાયો અજમાવવાથી ચોક્કસ લાભ મળે છે.

સફળતા મેળવવા માટે
– પારાવાર પ્રયત્નો કરવા છતાં કોઈ કાર્યમાં સફળતા મળતી ન હોય ત્યારે આ ઉપાય અજમાવવાથી ચોક્કસ સફળતા મળે છે.

કાળા મરીના 5 દાણાનો ચમત્કારી ઉપાય કરો, ઝડપથી મેળવશો ધન લાભ

– દરેક મંગળવારે હનુમાનજીના મંદિરે જોઈને તેમના હાથોમાંનું સિંદૂર લઈ આવવું. આ સિંદૂરને માથા, બંને હાથ અને છાતી પર લગાવીને નીચેનામાંથી કોઈ પણ એક મંત્રનો ઓછામાં ઓછો એક માળા અને વધુમાં વધુ યથાશક્તિ જાપ કરવો. આ પ્રયોગ સતત એકવીસ દિવસ સુધી કરવો.

ॐ શ્રી હનુમંતે નમઃ ।
ॐ નમો હરિ સંકટ મર્કટાય સ્વાહા ।
ॐ શ્રી શ્રી પવન નંદાય સ્વાહા ।
ॐ નમો ભગવતે આંજનેમાય સ્વાહા ।
મહાબલાય સ્વાહા ।
જય બજરંગબલીકી, જય હનુમાન કી ॐ હનુમતે રુદ્રાત્મકાય કુમ્ ફૂટ્ હનુમતે રક્ષ સર્વદા ।
ॐ અંજ્તી સુતાય વિદ્મદે વાયુપુત્રાય ધીમહિ તન્નો મારુતિ પ્રચોદયાત્ ।

રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!

ઐશ્વર્ય પરત મેળવવા
બજારમાંથી કાબરચીતરી કોડીઓ લાવીને શનિવારે જે વ્યક્તિએ ઐશ્ચર્ય ડૂબાડયું હોય તેના ઘરના દરવાજા પર નીચેનો મંત્ર કહેતાં મૂકી દેવી. આ સિવાય અગિયાર વખત, હનુમાનચાલીસાના પાઠ ચાલીસ દિવસો સુધી કરવા.

મંત્ર : કાર્ય સિદ્ધિ કુરુ કુરુ સ્વાહા ।

હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!

ઘરમાં ગુપ્ત ધન શોધી કાઢવા
એક કે બે સફેદ કોડી લઈને તેને વારીને તેનો બારીક પાવડર બનાવવો. આ પાવડરને ઘરના બધા જ ઓરડાઓમાં શનિવાર અથવા રવિવારે છાંટી દેવો. સ્વપ્નમાં આ ગુપ્ત ધન ક્યાં છે તેની ઝાંખી કોઈ રીતે તમને મળી રહેશે. આ પ્રયોગ દરમિયાન નીચેના મંત્રની સવારે એક માળા કરવી.

મંત્ર : શ્રી મહાલક્ષ્મ્યૈ નમઃ ।

હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!

દટાયેલા ધનની ભાળ મેળવવા
જે જગ્યાએ તમને ગુપ્ત ધન દટાયેલું હોવાની શંકા હોય ત્યાં મીઠાની ચારદ પાથરી દેવી. થોડાક દિવસો પછી આ ચાદર પર કીડીઓ જોવા મળે તો આપની શંકા સાચી માની લેવી. ત્યાં ગુપ્ત ધન દટાયેલું હોવાની પ્રબળ શક્યતા છે.

જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!

આટલું કરશો તો સુખી રહેશો
– નબળા ચંદ્ર ગ્રહને શુભ અને સબળ કરવો હોય તો પોતાનાથી મોટા વડિલોના દરરોજ ચરણ સ્પર્શ કરવા.
– ધનના અભાવને દૂર કરવો હોય તો ઓછામાં ઓછી બે કેરી બે અલગ અલગ જગ્યાએથી ખરીદીને પોતાના માથા પરથી સાત વખત ઉતારીને તે ગરીબ વ્યક્તિને વહેંચી દેવી.
– કોઈ વ્યક્તિના વિવાહ ન થઈ રહ્યા હોય તો ચારસો ગ્રામ બદામને નદીના વહેતા જળમાં પ્રવાહિત કરવી.
– અશુભ ગ્રહ રાહુ બીજા અને નવમા સ્થાનમાં હોય તો આવી વ્યક્તિને શ્વાસની તકલીફ રહ્યાં કરે છે.
– જો ઘરમાં બીમારી રહ્યા કરતી હોય તો એક સપ્તાહમાં ઘરનાં સદસ્યો અથવા બહારનાં આવેલાં મહેમાનોએ ઘરમાં જેટલું ભોજન ખાધું હોય તેનાથી ચાર ઘણી ગોળની ગળી વેઢમી બનાવીને કૂતરાં અને કાગડાઓને ખવડાવવી. આમ ચાર વખત કરતાં ઘરમાંથી બીમારી આપોઆપ ગાયબ થઈ જશે.
– કપડાંની ખરીદી હંમેશાં બુધવાર અને શનિવારે જ કરવી. ઘરેણાં હંમેશાં રવિવારે અને પગરખાં મંગળવારે ખરીદવાં. જો શનિ ગ્રહ જન્મકુંડળીમાં શુભ હોય તો લોઢું શનિવારે જ ખરીદવું. જો શનિ જન્મકુંડળીમાં અશુભ હોય તો લોઢું શનિવારે ક્યારેય ન ખરીદવું.
– જન્મકુંડળીમાં મકર રાશિનો ચંદ્ર હોય તો ઘરમાં ઝઘડા થયા કરે છે. તેના નિવારણ માટે ચાંદીના વાસણમાં પાણી ભરીને તે પૂર્વ દિશા તરફ મૂકવું.
– ઘરની બીમારી દૂર કરવા માટે કોઈ પણ દિવસે કાળી હાંડલી લાવી તે જંગલમાં જઈને ફોડી નાખવી. આમ વારંવાર કરવાથી બીમારી ગાયબ થઈ જાય છે.
– ભેંસ અને પાડાની સેવા કરવાથી ઔદ્યોગિક સમસ્યાઓ દૂર થઈ જાય છે.
– જો કારખાનાનું મશીન વારંવાર ખોટકાઈ જતું હોય તો કુષ્ટ રોગથી પીડાતી વ્યક્તિને મીઠાઈ સહિત સારી વાનગીઓ બનાવીને ખવડાવવી.

સાભાર: સંદેશ.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય

દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

વિષ્ણુલીલાઃ જડ-ચેતન, પશુ-પક્ષી સહિત 24 ગુરુ બનાવી આપેલો અનોખો સંદેશો…!!

vishnu bhagwan2

માગશર માસની પૂનમે દત્ત જયંતીનું પર્વ મનાવવામાં આવે છે. ધર્મશાસ્ત્રો અનુસાર આ તિથિએ ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો હતો. દત્તાત્રેય ભગવાન વિષ્ણુના જ અવતાર માનવામાં આવે છે. ભગવાન દત્તાત્રેયનો જન્મ માગશર માસની પૂનમને પ્રદોષકાળમાં થયો હતો. એવી માન્યતા છે કે જે ભક્ત દત્તાત્રેયનું સ્મરણ કરે છે ભગવાન દત્તાત્રેયની દરેક સમસ્યાનું નિદાન કરે છે આ માટે તેમને સ્મૃતિગામી અને સ્મૃતિમાત્રાનુગન્તા કહેવામાં આવે છે. શ્રીમદ ભાગવદ વગેરે ગ્રંથો અનુસાર તેમણે ચોવીસ ગુરૂઓ માન્યા કે જેમાં કુતરો, સાપ, ગાય વગેરેને જાનવરને તેમણે ગુરૂ માન્યા હતા. આજે અમે અહીં દત્તાત્રેયના 24 ગુરુઓની માહિતી આપીશું.

કોણ છે ભગવાન દત્તાત્રેયઃ-

ભગવાન દત્તાત્રેય બ્રહ્માજીના માનસપુત્ર ઋષિ અત્રિના પુત્ર છે. તેમની માતાનું નામ હતું અનસૂયા. અનેક ગ્રંથોમાં એવું બતાવવામાં આવ્યુ હતું કે ઋષિ અત્રિ અને અનસૂયાના ત્રણ પુત્ર થયા હતા. બ્રહ્માજીના અંશથી ચંદ્ર, શિવજીના અંશથી દુર્વાસા ઋષિ, ભગવાન વિષ્ણુના અંશથી દત્તાત્રેયનો જન્મ થયો. ક્યાંક-ક્યાંક એવો પણ ઉલ્લેખ મળે છે કે ભગવાન દત્તાત્રેય જ બ્રહ્મા, વિષ્ણુ અને શિના સમ્મિલિત અવતાર છે.

ભગવાન દત્તના નામથી દત્ત સંપ્રદાયનો ઉદય થયો. ગિરનાર ક્ષેત્ર એ શ્રી દત્તાત્રેય ભગવાનની સિદ્ધપીઠ છે. જેમની ગુરૂ ચરણ પાદુકાઓ વારાણસી તથા આબુ પર્વત ઘણા સ્થાન પર જોવા મળે છે. દક્ષિણ ભારતમાં તેમના અનેક પ્રસિદ્ધ મંદિર છે. માગશરની પૂનમને ભગવાન દત્તાત્રેયના નિમિત્તે વ્રત કરવાથી અને તેમના મંદિરમાં જઇને દર્શન- પૂજન કરવાથી દરેક મનોકામનાઓ પુરી થાય છે.

દત્તાત્રેય અવતાર:-

ધર્મગ્રંથો અનુસાર દત્તાત્રેય પણ ભગવાન વિષ્ણુનો અવતાર છે, તેની જન્મની કથા આ પ્રકાર છે-

એકવાર માતા લક્ષ્મી, પાર્વતી અને સરસ્વતીને પોતાના પતિવ્રતા પર અત્યંત ગર્વ થઈ ગયો. ભગવાને તેમના અહંકારને નષ્ટ કરવા માટે લીલા રચી. તેમના અનુસાર એક દિવસ નારદજી ફરતાં-ફરતાં દેવલોક પહોંચ્યા અને ત્રણેય દેવીઓને વારાફરથી જઈને કહ્યું કે ઋષિ અત્રિની પત્ની અનુસૂયાની સામે તમારું સતિત્વ કંઈપણ નથી. ત્રણેય દેવીઓએ આ વાતની પોતાના સ્વામીઓને જણાવી અને કહ્યું કે અનુસૂયાની પતિવ્રતાની પરીક્ષા લો.

ત્યારે ભગવાન શંકર, વિષ્ણુ અને બ્રહ્મા સાધુવેશ ધરીને અત્રિ મુનિના આશ્રમ આવ્યા. મહર્ષિ અત્રિ એ સમયે આશ્રમમાં ન હતાં. ત્રણેયએ દેવી અનુસૂયા પાસે ભિક્ષા માંગી પરંતુ એ કહ્યું કે નિર્વસ્ત્ર થઈને અમને ભિક્ષા આપવી પડશે. અનુસૂયા પહેલા તો આ જાણીને ચોંકી ગઈ, પરંતુ પછી સાધુઓનું અપમાન નથાય એ ડરે તેણે પોતાના પતિનું સ્મરણ કર્યુ અને બોલી કે જો મારુ પતિવ્રતા ધર્મ સાચો છે તો આ ત્રણેય સાધુ છ-છ માસના શિશુ થઈ જાય.

એવું બોલતા જ ત્રિદેવ શિશુ બની રડવા લાગ્યા. ત્યારે અનુસૂયાએ માતા બનીને તેમને ખોળામાં લઈને સ્તનપાન કરાવ્યું અને ઘોડીયામાં ઝૂલાવ્યા. જ્યારે ત્રણેય દેવ પોતાના સ્થાન પર પરત ફર્યા નહીં તો દેવીઓ વ્યાકુળ થઈ ગઈ. ત્યારે નારદે ત્યાં આવી બધી વાત જણાવી. ત્રણેય દેવીઓ અનુસૂયાની પાસે ગઈ અને ક્ષમા માંગી. ત્યારે દેવી અનુસૂયાએ ત્રિદેવને પોતાના પૂર્વ રૂપમાં કરી દીધા. પ્રસન્ન થઈને ત્રિદેવે તેમને વરદાન આપ્યું કે અમે ત્રણેય પોતાના અંશ રૂપે તારા કુખે પુત્રરૂપે જન્મ લઈશું. ત્યારે બ્રહ્માના અંશથી ચંદ્રમા, શંકરના અંશથી દૂર્વાસા અને વિષ્ણુના અંશથી દત્તાત્રેયનો જન્મ થયો.

પૃથ્વી –

આ તત્વ પંચતત્વમાંથી એક છે. તે તત્વ માંથી તેઓ સહનશિલતાનો ગુણ શિખ્યા. પૃથ્વીની જેમ તેને ક્યારે કઠોર થવું અને ક્યારે નરમ થવું તેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. આજના જીવનમાં ઓફિસ હોય કે ઘર તેમાં સહનશિલતા મહત્વની છે. વારેવારે ઝગડનાર માણસની વિભાવના બદલી જાય છે, પછી આપણા ચારિત્ર્યની વ્યાખ્યા લોકો સામે બગડી જાય છે, આવું થાય ત્યારે પૃથ્વીને યાદ કરી અને ધૈર્યધારણ કરવું જોઈએ.

ચંદ્ર –

ચંદ્ર પાસેથી તેમણે શરીરની ક્ષુદ્રતા અને આત્માની અમરતા શિખી કે જ્યારે તમને એ ખબર નથી કે ક્યારે તમારે મરવાનું છે. ત્યારે તમારી પાસે જેટલો સમય છે તેનો ઉચપયોગ કરી લો. ચંદ્ર તેના પ્રકાશ વડે વનસ્પતિ પોષે છે તો બીજાને પણ આગળ લાવવાની ભાવના કેળવો.

હરણ –

દત્તે જંગલમાં જોયું કે એક હરણ આગળ દોડે છે અને શિકારી તેને પકડી શકતો નથી તેથી શિકારી થાકીને હરણને પ્રિય યુક્તિ અજમાવે છે સંગીત વગાડે છે અને હરણ ત્યાં લોભાઈને આવે છે, તેથી તે મરાય જાય છે. તેથી ગુણ એ ગ્રહણ થાય છે કે સારી બાબતનો લોભ પણ તમારો વિનાશ કરવા માટે સક્ષમ છે માટે બચીને રહેવું જોઈએ.

કબૂતર –

કબૂતર પાસેથી તે શિખ્યા કે માત્ર આપણી માટે જ ન જીવવું જોઈએ. કબૂતર પોતાનું ચણે છે કે પોતાના પરિવારનું જ પોષણ કરે છે. અને તેનામાં બુદ્ધિનો અભાવ અને ક્ષુધાતુરતા જોઈ. આ દોષો દૂર કરવાની પ્રેરણા તેને તેમાંથી મળી તેથી તેનું ગુરુ બન્યું. કબૂતર ગમે તેટલું ખાય પણ તે ધરાતું નથી. તે રીતે માણસની મહત્વકાંક્ષાઓ એક પછી એક આવતી જ રહેવાની મનોવિજ્ઞાની કાર્લ યંગે તો માણસનો ઈચ્છાઓનું પોટલું કહ્યું છે, તેથી તે સુખી નથી રહેતો માટે થોડામાં સંતોષ માનવો જોઈએ.

પિંગળા ગણિકા –

ગણિકા પાસેથી યુવાનની નશ્વરતા જાણી અને કામવાસનાની નિર્લેપતા પામી. જ્યારેય ગણિકા યુવાન હતી ત્યારે તે પોતાના રૂપથી પુરુષોને મોહિત કરી અને તેનું ધન લઈ લેતી હતી પણ વૃદ્ધ થતા તે અનેક રોગોમાં ફસાઈ અને પછી કોઈ તેની પાસે ઉભું રહેવા તૈયાર ન થયું. અર્થાત તમારી પાસે જ્યારે અલભ્ય કંઈ છે તો તેનો ખોટો ઉપયોગ ન કરો, તેનાથી છક્કી ન જાવ તે વસ્તુ જતા જ તમારું મહત્વ નથી રહેતું અને તમે દુઃખી થઈ જાવ છો. અને વિષયાસક્તતા પણ સારી નથી. કામ વાસનાથી તમે તમારું બધું ગુમાવી શકો છો.

કુંવારિકા –

દત્તગુરુ ફરતા હતા ત્યારે એક કુંવારિકા ઘરે કોઈ ન હોવાથી મહેમાન માટે અનાજ ખાંડવા બેસી તેમાં તેના બલોયા(બંગડી)નો અવાજ આવતો હતો તેથી તેણે અવાજ ન આવે અને મહેમાનને એમ ન થાય કે રસોઈ માટે કશું નથી તેથી તેણે હાથમાં એક-એક બંગડી જ રાખી. તેથી તેનો ગુણ ગ્રહણ કર્યો કે તમારે જ્યાં શાંતિ પ્રવર્તતિ હોય ત્યાં કામ કરવું કારણ કે વિદ્યાભ્યાસ માટે શાંતિ અને એકાંત જરૂરી છે.

આકાશ –

આકાશ પાસેથી તેણે વિશાળતાનો ગુણ ગ્રહણ કર્યો. હૃદય અને મનની વિશાળતા જ તમને મહાન બનાવી શકે છે. કારણ કે તેથી તમે કોઈ એક જગ્યાએ કે એક વિચારે ન ટકતા તમારા વિચારોમાં અને તમારી આંતરિક બાહ્ય રીતભાતમાં વ્યાપકતા આવે જેથી તમે ગમે તે ગ્રહણ કરવાની તાકાત ધરાવતા થઓ છો.

અગ્નિ –

અગ્નિ પાસેથી પરિગ્રહતા, તેજસ્વીતા અને શુદ્ધત્વ તથા ગુપ્તતા રાખવાનો ગુણ પ્રાપ્ત થાય છે. અગ્નિ કોઈ પણ વસ્તુને પોતાનામાં સમાવી લે છે. લાકડામાં છૂપાયેલી અગ્નિ જ્યારે પ્રગટે છે ત્યારે જ સૌને ખબર પડે છે. માટે તમારી યોજનાઓને ગુપ્ત રાખતા શિખો અને જ્યારે જરૂ પડે ત્યારે પૂરા વેગ સાથે તેનો ઉપયોગ કરો.

હાથી –

હાથી હાથણનો સ્પર્શ પામવા ગાંડો થાય છે. માનવ આ સમજે છે તેથી તેનો શિકાર કરવા એક ખાડો બનાવી અને તેની એક બાજુ હાથણ રાખે છે ખાડામાં ફાંસલો બનાવે લો હોય છે. અને તે હાથણીને મળવા જાય છે ત્યારે તે ફાંસલામાં ફસાઈ છે. માટે હાથી સ્પર્શ સુખ ખાતર પોતાનું સ્વાતંત્ર્ય ગુમાવે છે. વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ કે સ્પર્શ પાછળ ઘેલા થઈ અને તમારી સ્વતંત્રતા ન ગુમાવો સ્વતંત્રતા તમારા વિકાસ માટે જરૂરી છે. લોભ, મોહ અને સ્ત્રી ઘેલછા તમારા નાશ માટે હોય છે. ઉન્નતિ માટે નહીં.

વાયુ –

તેની પાસેથી તેણે અપરિગ્રહતાનો ગુણ લીધો. પવન છે એ કશું સંગ્રહ કરતો નથી. તેની પાસે જે છે તે વહેંચી દે છે. તેનામાં સુગંધ અને દુર્ગંધ બન્ને હોય છે પણ પોતે તો નિર્લિપ્ત રહે છે, એટલે કે સુખ અને દુઃખને સમાન માનો અને ત્યાગતા પણ આવડવું જોઈએ. તો ઘણી સમસ્યાઓ તેની મેળે જ પૂરી થશે.

શરકૃત –

શરકૃત એટલે બાણ બનાવનાર. તેણે જોયું કે એક તરફ રાજાની સવારી ઢોલનગારા સાથે પસાર થાય છે છત્તા પણ પેલો બાણ બનાવનારો લુહાર એટલે કે શરકૃતનું ધ્યના જતું નથી, તે તેના કામમાં મશગુલ છે. માટે જીવન વિકાસ માટે તમારા કામમાં સફળ થવા એટલા ઓતપ્રોત થઈ જાવ કે તમને ખલેલ પહોંચાડનારા કોઈ અવાજ પણ તમારી એકાગ્રતાને તોડી ન સકવી જોઈએ.

અર્ભક –

અર્ભકનો અર્થ થાય છે નાનું બાળક. નાના બાળક પોતાની દુનિયામાં મસ્ત હોય છે, તેને નથી કોઈ ચિંતા નથી માન-અપમાન આવું જીવનમાં રહેવું જોઈએ એવો અર્થ ગ્રહણ કર્યો. માન-સન્માનની ખેવના વગર રહેવાથી ચિંતા આપોઆપ ઉકેલાઈ જાય છે. બાળકમાં દરેક વાત માટે એક જીજ્ઞાષા હોય છે. તેવી બાળસહજ વૃત્તિઓ રાખવાથી નવું જાણવાનું મળે છે અને આ દુનિયાની પરવા કર્યા વગર તમે તમારા નિશ્ચિત કરેલા પથ પર આગળ વધી શકો છો.

માછલી –

માછલીમાંથી તેને શીખ્યું કે ખાવાનો મોહ ન રાખવો. માછલી કાંટામાં રહેલ માંસને ખાવા આવે છે અને ફસાઈ જાય છે એ રીતે જેણે કંઈ પ્રાપ્ત કરવું છે તેને આહાર મોહ ન રાખવો તેથી તમે સજાગ નથી રહેતા તો આ માનવ દેહ ધારીને તમારે જે પ્રાપ્ત કરવું હોય તે પ્રાપ્ત કરી શકો છો. પણ જો આહાર છે તે આળસ અને ઈન્દ્રિયબળ આપે છે જેથી તમારી સામે વિકલ્પો ઉભા થાય છે અને તે વિકલ્પોમાં ફસાઈને તમે પણ વિનાશના માર્ગે જાવ છો.

ટીટોડી –

ટીટોડી ચાંચમાં ખાવાનું લઈને જતી હતી ત્યારે તેની પાછળ ઘણા પક્ષિઓ પડ્યા તેની ચાંચમાંથી પડાવવા માટે પણ જ્યારે પેલી ટીટોડીએ બધું મુકી દીધું ત્યારે કોઈ તેની સાથે ન રહ્યું. તેમાંથી એવું ગ્રહણ થયું કે તમારી પાસે ભૌતિકતા હશે ત્યાં સુધી તમારી પાછળ બધા હશે પણ પછી કોઈ નહીં હોય માટે એવા સુખ કે પ્રસિદ્ધિની કામના ન કરો જે તમારી પાસેથી તમારું મહત્વ છીનવી લે.

મધમાખી –

મધમાખીમાં એક રાણી મધમાખી હોય છે જે મુખ્ય હોય છે. મધ ભેગુ કરી અને તેને આપી દેવું પડે છે બીજી મધમાખીઓએ અને વળી આ મધ માનવ પણ લઈ જાય છે. માટે અવધૂતે એવો ભાર ગ્રહણ કર્યો બીજા દિવસની ચિંતા ન કરવી એટલી જ ભીક્ષા માંગવી કે પોતાનું પેટ ભરાય અને જો વધારે મળે તો બીજાને આપી દેવું. અર્થાત તમે જાતે કમાવ પણ તમારા પૂરતું જો વધારે મળે તો તેને જરૂરીયાત વાળાને આપવું જોઈએ.

ભમરો –

ભમરો દરેક ફૂલ પર જઈ અને તેનો રસ ચૂસી લે છે. જીવનમાં આગળવધવું હોય તો જેમાં જે સારું છે તેને ગ્રહણ કરવાનો સ્વભાવ રાખવો જોઈએ. પૂછતા પંડિત થાય એ રીતે વિદ્વાનો-જ્ઞાનીઓ પાસેથી જે કંઈ પ્રાપ્ત થાય તે કરતા રહેવું જોઈએ.

પતંગિયું –

પતંગિંયું રૂપના મોહમાં આવીને અગ્નિમાં ભસ્મ થઈ જાય છે. તે રીતે વ્યક્તિએ ક્યારેય એવો મોહ ન કરવો જે મેળવવાથી વિનાશનો માર્ગ ખુલતો હોય. કારણ કે લોક કવિ કાગ કહે છે કે વધારે ચમકતી વસ્તુઓ તમારા ચમકારને ઓછો કરી દે છે. પતંગિંયું પણ પ્રકાશ પાસે પહોંચતા તેને દેખાતું બંધ થઈ જાય છે અને તે ભસ્મ થાય છે તે રીતે માણસને મોહ છે તે આંધળો કરી દે છે અને સર્જાય છે અનેક સમસ્યાઓ.

કરોળિયો –

કરોળિયો પોતે જાળ બનાવે છે અને તેમાં વિચરણ કરે છે અને વળી તે જ આ જાળને ગળી જાય છે. આ રીતે પરમાત્મા પોતે લીલા માટે આ સંસાર રૂપી જાળ રચે છે અને તેમાં તે જીવ રૂપે પરિભ્રમે છે અને વળી કલ્પાંતે કાળ બનીને તે તેનું જ ગ્રહણ કરે છે.

સમુદ્ર –

સમુદ્ર પાસેથી ગહનતા, પ્રસન્નતાનો ગુણ ગ્રહણ કર્યો. સમુદ્રની ઉંડાઈ માટે ગહન શબ્દ વપરાયો છે કારણ કે ગમે તેટલો તાગ લો તેમાંથી મોતી શોધનારને મોતી મળે છે અને માછલી શોધનારને માછલી. એ રીતે તમારે તમારા જીવનમાં પ્રસન્નતા મેળવવી જોઈએ. તમારી પાસે મોતિ જેવા ગુણોનું જ્ઞાન પણ હોવું જોઈએ. પણ જેવા વ્યક્તિ તે પ્રમાણે વ્યવહાર કરતા આવડવો જોઈએ.

જળ –

જળમાં વહેવાની ક્ષમતા હોય છે. સમય જેમ વહ્યા કરે છે. તેની પાસેથી તેને ગતિશિલતા અને ઉપકારનો ગુણ ગ્રહણ કર્યો.જળનો ગુણ એવો છે કે બધું કુદરત કરે છે, તમે બસ સહજ થઈ અને વહ્યા કરો ઈશ્વર સૌ સારાવાના કરશે. પાણીને જેમાં ઢાળી દો તેવું થઈ જાય છે તે પ્રમાણે પરિસ્થિતિ પ્રમાણે અનુકૂલન સાધતા રહેવું.

સૂર્ય –

સૂર્ય પાસેથી તેજ, પ્રકાશ અને પોતાની પાસે જે છે તેનાથી બીજાને જીવન આપવાની ભાવના. અંધકારમાં રહેલા ક્રોધ, મત્સર, દ્વેશ વગેરે ભાવનાઓ રહેલી હોય છે, સૂર્ય ઉગી અને અંધકારને દૂર કરે છે, તેની સાથે પેલા દોષો પણ દૂર થઈ જાય છે. આ રીતે આપણા જીવનમાં જ્ઞાનનો સૂર્ય ઉગાડી અને દૂર્ગુણો દૂર કરો.

અગ્નિ –

અગ્નિ પાસેથી પરિગ્રહતા, તેજસ્વીતા અને શુદ્ધત્વ તથા ગુપ્તતા રાકવાનો ગુણ પ્રાપ્ત થાય છે. અગ્નિ કોઈ પણ વસ્તુને પોતાનામાં સમાવી લે છે. લાકડામાં છૂપાયેલી અગ્નિ જ્યારે પ્રગટે છે ત્યારે જ સૌને ખબર પડે છે. માટે તમારી યોજનાઓને ગુપ્ત રાખતા શિખો અને જ્યારે જરૂ પડે ત્યારે પૂરા વેગ સાથે તેનો ઉપયોગ કરો.

સાપ –

સાપ બોલતો નથી અને ધાન્યનું સંગ્રહ કરતો નથી ત્યારે તેની પાસેથી અવધૂતે એવી વાત ગ્રહણકરી કે મૌન જરૂરી છે અને ખોટા ધનનો સંગ્રહ ન કરવો જોઈએ. જેથી જરૂરીયાતોને પણ પૂરતું મળી રહે. તમારી જરૂરીયાતો સંતોષી અને બીજા માટે કશું રહેવા દો. જે રીતે બોલે તેના બોર વેંચાય તેવું છે તેમ ન બોલવામાં પણ નવગુણ છે. માટે ક્યારેક મૌન પણ જાળવવું યોગ્ય છે.

અજગર –

તેની પાસેથી આગ્રહશૂન્યતાનો ગુણ ગ્રહણ કર્યો. અજગરને કંઈ પ્રાપ્ત કરવાની ખેવનાથી બીજા હિંસક પ્રાણીની જેમ ઉદ્યમ નથી કરતો તેને કોઈ સ્વાદનો આગ્રહ નથી હોતો જે શિકાર મળે તે શિકાર કરી લે છે. જીવનમાં પણ સ્વાદ માટેનો આગ્રહ ન રાખવો. સ્વાદ છે તે તમને ફસાવી શકે છે. અર્થાત જે સુખ તમારા ભાગ્યમાં હશે તે વહેલું કે મોડું આવી જશે, તેના માટે ખોટા હવાતીયા મારવાની જરૂર નથી પણ જે ભાગ્યમાં નહીં હોય તે માટે ગમે તેટલો ઉદ્યમ કરશો તેનું કશું પરિણામ નહીં આવે. પણ જો અજગર ખાઈને પડ્યું રહે તો તેનો પણ શિકાર થઈ જાય છે. માટે આળસ ન કરવી જોઈએ.

ભમરી (કિટક) –

ભમરી પોતાની દિવાલમાં લાવીને કિડાને ડંખ માર્યા કરે છે પેલો કિડો ભમરીનું ચિંતન કર્યા કરે છે આખરે તે પણ ભમરી બની જાય છે. અવધૂત ગ્રહણ કરે છે કે ચિંતન મોટી વસ્તુ છે. આપણા મસ્તિષ્કમાં અર્ધ જાગૃત મન હોય છે. આ મનમાં તમે જેવું ચિંતન કરો છો તેવું તમારી સાથે થાય છે. માટે ખરાબ વિચારો તમારું પતન કરે છે નેગેટિવ અસર પહોંચાડે છે. જ્યારે પોઝીટિવિટી તમારા જીવનમાં ખુશી અને સુખ બન્ને લઈ આવે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

જીવનમાં આ 20 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા..!!

જીવનમાં અપાર ધનસંપતિના આગમન માટે મહાલક્ષ્મીજીનું ચમત્કારીક કનાકધારા સ્તોત્ર શાસ્ત્રોક્ત રીતે દરરોજ સવારે જોરથી વાંચો.
કાળા મરીના 5 દાણાનો ચમત્કારી ઉપાય કરો, ઝડપથી મેળવશો ધન લાભ
કોઈને બતાવ્યા વિના કરો 7 ચમત્કારી ઉપાય, પૈસાની તંગી ઝડપથી થશે દૂર
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

યાદ રાખજો…પૂજા દરમિયાન ભૂલથી પણ આવી ભૂલો ન કરવી, થઈ શકે છે ભારે નુકસાન…!!

pooja2

ઈશ્વર ઉપર વિશ્વાસ રાખવો જ કોઈ પણ ધર્મનો પાયો છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ આ વિધાનને નકારી શકે છે કે ઈશ્વરના અસ્તિત્વનું તેના જીવનમાં કોઈ મહત્વ નથી. હિન્દુ ધર્મમાં જ્યાં મૂર્તિ પૂજાને વિશેષ સ્થાન આપવામાં આવે છે ત્યાં ઈશ્વરના સ્વરૂપ અને તેના પૂજનનું મહત્વ હજુ વધી જાય છે. આ જ કારણ છે કે હિન્દુ ધર્મને માનનારા લોકોના ઘરે તમને મંદિર અથવા પછી તેમના આરાધ્ય દેવતા અથવા દેવીની મૂર્તિ ચોક્કસ મળી શકે છે. વૈદિક પરંપરામાં દરેક ઘરમાં મંદિર હોવું ફરજીયાત બતાવવામાં આવ્યું હતું. પરંતુ મંદિરમાં રાખેલી ઈશ્વરની મૂર્તિની આરાધના કેવી રીતે કરવી, તેનાથી જોડાયેલા કેટલાય નિર્દેશ આપવામાં આવ્યાં છે. ચાલો જાણીએ શું છે તે ખાસ વાતો જેમનું ધ્યાન આપણે ચોક્કસપણે રાખવું જોઈએ.

અખંડ ચોખા

પૂજા ભલે કોઈ પણ હોય, બધામાં ચોખાની ભૂમિકા મહત્વપૂર્ણ હોય જ છે. પરંતુ ધ્યાન રાખવું કે પૂજામાં જે પણ ચોખાનો ઉપયોગ કરો તે અખંડ હોય એટલે કે તૂટેલા ન હોય. ચોખા ચડાવતા પહેલા જો તમે તેને હળદરમાં પીળા કરી લો છો તો તેને વધુ શુભ માનવામાં આવે છે. ક્યારેય પણ ધાર્મિક કાર્યો માટે કોઈ ખંડિત વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ.

હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!

પાન પત્તા

પૂજામાં પાનના પત્તા ખૂબ જ ઉપયોગી માનવામાં આવ્યાં છે. પાનના પત્તામાં એલાયચી, લવિંગ, ગુલકંદ વગેરે પણ નાખીને પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.

પૂજાનું ફળ

પૂજા દરમિયાન પ્રગટાવેલા દીવાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. દીવો ઓલવાય જાય તો પૂજાનું ફળ નથી મળતું. પૂજાની શરૂઆત કરતા પહેલા જે પણ દેવી-દેવતાની પૂજા કરવાની છે, તેમનું આવાહન, ધ્યાન, આસન, સ્નાન, પૂજા માટે ઉપયોગી સામગ્રી, દીવો પ્રગટાવવો, પ્રસાદ વગેરે બધું જરૂર હોવું જોઈએ.

કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!

જરૂરી સામગ્રી

દેવી-દેવતાઓને ચડાવવામાં આવતા ફૂલને સાફ પાણીથી ધોઈ લો. જે પણ ભગવાનની પૂજાની તમે તૈયારીઓ કરી રહ્યા છો તેમની પૂજા સાથે જોડાયેલી તમામ સામગ્રીઓને ચોક્કસ શામેલ કરો. તેના માટે તમે કોઈ નિષ્ણાંતની મદદ લઈ શકો છો.

આસન

જે આસન ઉપર બેસીને તમે પૂજા કરવાના છો તેને પગ દ્વારા નહીં હાથેથી ખસેડવું. પૂજા સ્થળની ઉપર કોઈ પ્રકારનો ભંગાર ન રાખવો.

150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!

વાસ્તુદોષથી મુક્તિ

જો તમે ઘરમાં મોજુદ વાસ્તુદોષને લઈને પરેશાન છો તો દરરોજ ઘીનો દીવો પ્રગટાવો. તેનાથી ઘણાં અંશે ઘરના વાસ્તુદોષ દૂર થઈ જાય છે.

પંચદેવ

સનાતન ધર્મમાં પંચદેવ એટલે કે ગણેશ, સૂર્ય, દુર્ગા, શિવ અને વિષ્ણુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા પંચદેવનું ધ્યાન ચોક્કસ કરવું જોઈએ. દરરોજ કરવામાં આવતી પૂજા દરમિયાન પણ આ પંચદેવનું ધ્યાન કરવા પર સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય

દીવાનું સ્થાન

પૂજા દરમિયાન પ્રગટાવવામાં આવતો દીવો ભગવાનની મૂર્તિની તદ્દન સામે હોવો જોઈએ. દીવાને કોઈ બીજી દિશામાં જ્યાં-ત્યાં લગાવવો યોગ્ય નથી.

રૂની વાટ

જો તમે ઘીનો દીવો પ્રગટાવી રહ્યા છો તો તેમાં સફેદ રૂની વાટનો ઉપયોગ કરવો. તેમજ જો તમે તેલનો દીવો પ્રગટાવી રહ્યા છો તો લાલ રંગની વાટ ઉપયુક્ત રહે છે.

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

ભગવાન શિવની આરાધના

જ્યારે તમે ભગવાન શિવની પૂજા કરી રહ્યા છો તો તમારે બિલીપત્ર જરૂર ચડાવવું જોઈએ, તેનાથી તમારી મનોકામના પણ જલ્દી પૂરી થઈ જાય છે. પૂજા માટે ભગવાનને દક્ષિણા પણ ચડાવવી જોઈએ. દક્ષિણા ચડાવતી વખતે તમારા બંને હાથોનો ઉપયોગ કરી તમારા દોષોને ત્યાગ કરવાનો સંકલ્પ કરો.

ચામડું

ભગવાન શિવને ક્યારેય હળદર અથવા શંખ દ્વારા પાણી ન ચડાવવું જોઈએ. પૂજન સ્થળની પવિત્રતાને કાયમ ધ્યાન રાખો, ચંપલ અથવા પછી ચામડાની કોઈ વસ્તુને પૂજા સ્થળમાં પ્રવેશ ન આપો.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

જીવનમાં આ 20 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા..!!

જીવનમાં અપાર ધનસંપતિના આગમન માટે મહાલક્ષ્મીજીનું ચમત્કારીક કનાકધારા સ્તોત્ર શાસ્ત્રોક્ત રીતે દરરોજ સવારે જોરથી વાંચો.
કાળા મરીના 5 દાણાનો ચમત્કારી ઉપાય કરો, ઝડપથી મેળવશો ધન લાભ
કોઈને બતાવ્યા વિના કરો 7 ચમત્કારી ઉપાય, પૈસાની તંગી ઝડપથી થશે દૂર
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.