જીવનની નાની-મોટી પ્રત્યેક સમસ્યાઓનો જવાબ આપશે, આ ચમત્કારી યંત્ર…!!!

prashnyantra

હિન્દુ ધર્મમાં ભગવાન શ્રીગણેશને પ્રથમ પૂજ્ય માનવામાં આવ્યા છે અર્થાત્ બધા માંગલિક કાર્યોમાં સૌથી પહેલા શ્રીગણેશની જ પૂજા કરવામાં આવે છે. શ્રીગણેશની પૂજા વગર કોઈપણ શુભ કામ નથી કરવામાં આવતું. ભગવાન શ્રીગણેશને લાઈફ મેનેજમેન્ટ ગુરુ પણ કહેવામાં આવે છે કારણ કે શ્રીગણેશના સ્વરૂપમાં એવા અનેક સૂત્ર છુપાયેલા છે જે વર્તમાન જીવન માટે અતિ આવશ્યક છે.
શ્રીગણેશ અંગારકી ચતુર્થીના અવસરે અમે તમારા માટે લઈ આવ્યા છીએ શ્રીગણેશ પ્રશ્નાવલી યંત્ર. તેના માધ્યમથી તમે પોતાના જીવનની પરેશાનીઓ અને સવાલોનો ઉકેલ આસાનીથી મેળવી શકો છો. આ ખૂબ જ ચમત્કારી યંત્ર છે.

યંત્ર ઉપયોગની વિધિઃ-

જેને પણ પોતાના પ્રશ્નોનો જવાબ કે પરેશાનીનો ઉકેલ જોઈતો હોય તેઓ પહેલા પાંચ વાર ऊँ नम: शिवाय: મંત્રનો જાપ કર્યા બાદ 11 વાર ऊँ गं गणपतयै नम: મંત્રનો જાપ કરો. ત્યારબાદ આંખ બંધ કરીને પોતાનો પ્રશ્ન પૂછો અને ભગવાન શ્રીગણેશનું સ્મરણ કરીને પ્રશ્નવલી ઉપર કર્સર ફેરવીને રોકી દો. જો કોષ્ટક(ખાના) ઉપર કર્સર અટકે, તે કોષ્ટકમાં લખેલ અંકનો ફળાદેશને પોતાના પ્રશ્નનો ઉત્તર સમજો અથવા પોતાની પરેશાનીનો ઉકેલ આપતો જવાબ સમજો.

1-તમે જ્યારે પણ સમય મળે રામ નામનો જાપ કરો. તમારી મનોકામના ચોક્કસ પૂરી થશે.

2-તમે જે કામ કરવાની ઈચ્છા ધરાવો છો, તેમાં નુકસાન થવાની શક્યતા છે. બીજું કોઈ કામ કરવાનો વિકાર કરો. ગાયને ખાસ ખવડાવો.

3-તમારી ચિંતા દૂર થવાનો સમય આવી ગયો છે. કષ્ટ દૂર થશે અને સફળતા મળશે. તમે રોજ પીપળાની પૂજા કરો.

4-તમને લાભ પ્રાપ્ત થશે. પરિવારમાં વૃદ્ધિ થાય. સુખ સંપત્તિ પ્રાપ્ત થવાના યોગ પણ બની રહ્યા છે. તમે કુળ દેવતાની પૂજા કરો.

5- તમે શનિદેવની આરાધના કરો. વ્યાપારિક યાત્રાએ જવું પડે તો ઘબરાશો નહીં. લાભ જ લાભ થશે.

6-રોજ સવારે ભગવના શ્રીગણેશની પૂજા કરો. મહિનાના અંત સુધી તમારી બધી મનોકામનાઓ પૂરી થઈ જશે.

7-રૂપિયાની તંગી દૂર થઈ જશે. પરિવારમાં વૃદ્ધિ થશે. સ્ત્રી તરફથી ધન પ્રાપ્ત થાય.

8-તમને ધન અને સંતાન બંનેની પ્રાપ્તિ થવાના યોગ બની રહ્યા છે. શનિવારે શનિદેવની પૂજા કરવાથી તમને લાભ થશે.

9-તમારી ગ્રહ દશા અનુકૂળ ચાલી રહી છે. જે વસ્તુ તમારાથી દૂર ચાલી ગઈ છે તે ફરીથી પ્રાપ્ત થશે.

10-શીઘ્ર જ તમને કોઈ પ્રસન્નતાના સમાચાર મળવાના છે. તમારી મનોકામનાઓ પણ પૂરી થશે. દરરોજ તમારા આરાધ્યદેવની પૂજા કરો.

11- જો આપને વેપારમાં હાનિ થઈ રહી છે તો કોઈ બીજો વેપાર કરો. પીપળાને રોજ જળ ચઢાવો સફલતા મળશે.

12- રાજ્ય તરફથી લાભ મળશે. પૂર્વ દિશા આપના માટે શુભ છે. આ દિશામાં યાત્રાનો યોગ બની શકે છે. માન-સન્માન પ્રાપ્ત થશે.

13- કેટલાક દિવસો પછી તમારો શ્રેષ્ઠ સમય આવવાનો છે. કપડાનો વ્યવસાય કરશો તો વધારે સારું રહેશે. બધું અનુકૂળ રહેશે.

14 – જે ઈચ્છા આપના મનમાં છે તે પૂરી થશે. રાજ્ય તરફથી લાભ પ્રાપ્તિનો યોગ બની રહે છે. મિત્ર કે ભાઈથી મળવાનું થશે.

15 – આપના સપનામાં પોતાને ગામમાં જતાં જુઓ તો શુભ સમાચાર મળશે. પુત્રથી લાભ મળશે. ધન પ્રાપ્તિનો યોગ પણ બની રહેશે.

16- આપ દેવીમાંની પૂજા કરો. માં જ સપનામાં આવીને તમારું માર્ગદર્શન કરશે. સફળતા મળશે.

17 – તમારો સારો સમય આવી ગયો છે. ચિંતા દૂર થશે. ધન તથા સુખ પ્રાપ્ત થશે.

18- યાત્રા પર જઈ શકે છે. યાત્રા મંગળ, સુખદ તથા લાભકારી રહેશે. કુળદેવીનું પૂજન કરો.

19 – આપની સમસ્યા દૂર થવામાં અત્યારે લગભગ અઢી વર્ષનો સમય બાકી છે. જે કાર્ય કરો માતા-પિતાને પૂછીને કરો. કુળદેવતા તથા બ્રાહણની સેવા કરો.

20- શનિવારના શનિદેવની પૂજા કરો. ખોવાયેલી વસ્તુ મળી જશે.ધન સંબંધી સમસ્યા પણ દૂર થઈ જશે.

21- તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા મળશે. વિદેશ યાત્રાનો યોગ પણ બની રહેશે. તમે શ્રી ગણેશજીનું પૂજન કરો.

22- જો આપના ઘરમાં ક્લેશ રહે છે તો રોજ ભગવાનનું પૂજન કરો તથા માત-પિતાની સેવા કરો. આપને શાંતિનો અનુભવ થશે.

23- તમારી સમસ્યાઓ ઝડપથી દૂર થશે. આપ માત્ર તમારા કમમાં મન લગાઓ અને ભગવાન શંકરની પૂજા કરો.

24- આપના ગ્રહ અનુકૂળ નથી, માટે તમે રોજ નવગ્રહોની પૂજા કરો. તેનાથી તમારી સમસ્યા ઓછી થશે અને લાભ મળશે.

25- પૈસાની તંગીને કારણે આપના ઘરમાં ક્લેશ થઈ રહે છે. કેટલાક દિવસો પછી આપની આ સમસ્યા દૂર થઈ જશે. તમે માં લક્ષ્મીનું પૂજન રોજ કરો.

26- જો આપના મનમાં નકારાત્મક વિચાર આવી રહે છે તો તેનો ત્યાગ કરો અને ઘરમાં ભગવાન સત્યનારાયણની કથા કરાવો, લાભ મળશે.

27- તમે જો કાર્ય આ સમયે કરી રહ્યા છો તે આપના માટે સારું નથી, માટે કોઈ બીજા કાર્ય વિશે વિચાર કરો. કુળદેવકાનું પૂજન કરો.

28- તમે પીપળાના વૃક્ષની પૂજા કરો તથા દીપક લગાવો. આપના ઘરમાં તણાવ નથી થતાં અને ધન લાભ પણ થશે.

29- દરરોજ ભગવાન વિષ્ણુ, શંકર તથા બ્રહ્માની પૂજા કરો. તેનાથી આપને મનગમતી સફલતા મળશે અને ઘરમાં સુખ-શાંતિ રહેશે.

30- રવિવારના વ્રત તથા સૂર્યપૂજા કરવાથી લાભ મળશે. વેપાર કે નોકરીમાં થોડી સાવધાની રાખો. આપને સફલતા મળશે.

31- આપને વેપારમાં લાભ થશે. ઘરમાં ખુશહાલીનું વાતાવરણ રહેશે અને બધું સારું રહેશે. આપ નાના બાળકોને મિઠાઈ વહેંચો.

32- આપ વ્યર્થની ચિંતા કરી રહો છો. બધું બરાબર થઈ રહે છે. આપની ચિંતા દૂર થશે. ગાયને ચારો ખવડાવો.

33- માતા-પિતાની સેવા કરો, બ્રાહ્મણને ભોજન કરાવો તથા ભગવાન શ્રી રામની પૂજા કરો. આપની દરોક અભિલાષા પૂરી થશે.

34- મનોકામનાઓ પૂરી થશે. ધન-ધાન્ય તથા પરિવારમાં વૃદ્ધિ થશે. કુતરાને તેલ ચોપડેલી રોટલી ખવડાવો.

35- પરિસ્થિતિઓ આપને અનુકૂળ નથી. જે પણ કરો સમજી-વિચારીને કરો અને આપના વડિલોનો મત લઈને જ કરો. આપ ભગવાન દત્તાત્રેયનું પૂજન કરો.

36- આપ રોજ ભગવાન શ્રીગણેશને દૂર્વા ચઢાવો અને પૂજન કરો. આપની દરેક મુશ્કેલી દૂર થઈ જશે. ધૈર્ય બનાવી રાખો.

37- તમે જે કાર્ય કરી રહ્યા છો તે કરતા રહો. આગળ જઈને આપને તેમાં લાભ પ્રાપ્ત થશે. ભગવાન વિષ્ણુનું પૂજન કરો.

38- સતત ધનહાનિથી ચિંતા થઈ રહી છે તો ગભરાવો નહીં. કેટલાક દિવસમાં આપના માટે અનુકૂળ સમય આવનાર છે. મંગળવારના હનુમાનજીને સિંદૂર અર્પણ કરો.

39- તમે ભગવાન સત્યનારાયણની કથા કરાવો ત્યારે આપને કષ્ટનું નિવારણ શક્ય છે. આપને સફળતા પણ મળશે.

40- આપના માટે હનુમાનજીનું પૂજન કરવું શ્રેષ્ઠ રહેશે. ખેતી અને વેપારમાં લાભ થશે તથા દરેક ક્ષેત્રમાં સફલતા મળશે.

41- આપને ધનની પ્રાપ્તિ થશે. કુંટુંબમાં વૃદ્ધિ થશે તથા ચિંતા દૂર થશે. કુળદેવીનું પૂજન કરો.

42- આપને ઝડપથી સફલતા મળનારી છે. માતા-પિતા તથા મિત્રોનો સહયોગ મળશે. ખર્ચ ઓછો કરો અને ગરીબોને દાન આપો.

43- રોકાયેલા કાર્યો પૂરાં થશે. ધન સંબંધી સમસ્યાઓ દૂર થશે. મિત્રોનો સહયોગ મળશે. સમજી-વિચારીને નિર્ણય લો. શ્રીકૃષ્ણને માખણ-મિશ્રીનો ભોગ લગાવો.

44- ધાર્મિક કાર્યોમાં મન લાગશે તથા દરરોજ પૂજા કરો. તેનાથી આપને લાભ થશે અને બગડેલા કામ સુધરી જશે.

45- ધીરજ રાખો. બેકાર ચિંતામાં સમય ન વીતવો. આપને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થશે. ઈશ્વરનું ચિંત કરો.

46- ધાર્મિક યાત્રા પર જવું પડશે. તેમાં લાભ મળવાની શક્યતા છે. રોજ ગાયત્રી મંત્રનો જાપ કરો.

47- દરરોજ સૂર્યને અર્ધ્ય આપો અને પૂજન કરો. આપના શત્રુઓનો ભય શતાવશે નહીં. આપની મનોકામના પૂરી થશે.

48- તમે જે કાર્ય કરી રહ્યા છો તે કરતા રહો. જુના મિત્રોથી મુલાકાત થશે જે આપના માટે ફાયદાકારક રહેશે. પીપળાને રોજ જળ ચઢાવો.

49- જો આપની સમસ્યા આર્થિક છે તો આપ રોજ શ્રીસૂક્તનો પાઠ કરો અને લક્ષ્મીજીની પૂજા કરો. આપની સમસ્યા દૂર થશે.

50- આપનો હક તમને જરૂર મળશે. આપને ગભરાવો નહીં બસ મન લગાવીને આપનું કામ કરો. રોજ પૂજા જરૂર કરો.

51- તમે જે વેપાર કરવા માગતા હો તેમાં જ સફળતા મળશે. રૂપિયા માટે કોઈ ખોટા કામ ન કરો. તમે રોજ જરૂરિયાતમંદ લોકોને દાન-પુણ્ય કરો.

52-એક મહિનાની અંદર જ તમારી મુસીબતો ઓછી થઈ જશે અને સફળતા મળવા લાગશે. તમે કન્યાઓને ભોજન કરાવો.

53-જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા હો તો ચોક્કસ જાઓ. તેમાં જ તમને સફળતા મળશે. તમે શ્રીગણેશની આરાધના કરો.

54-તમે જે પણ કામ કરો કોઈને પૂછીને જ કરો નહીંતર નુકસાન થઈ શકે છે. વિપરિત પરિસ્થિતિથી ઘબરાશો નહીં. સફળતા ચોક્કસ મળશે.

55- તમે મંદિરમાં રોજ દીવો પ્રગટાવો, તેનાથી તમને લાભ મળશે અને મનોકામનાઓ પૂરી થશે.

56- પરિજનોની બીમારીને કારણે ચિંતા હોય તો રોજ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. થોડા જ દિવસોમાં તમારી સમસ્યાઓ દૂર થઈ જશે.

57- તમારા માટે સમય અનુકૂળ નથી. તમારા કામ ઉપર ધ્યાન આપો. પ્રમોશન માટે રોજ ગાયને રોટલો ખવડાવો.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો..
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
આ PHOTO પર કર્સર ફેરવો ને મેળવો તમારી 5 સમસ્યાના ઉકેલ…!!!
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!

passport

સરકાર ટૂંક સમયમાં જ પાસપોર્ટ તૈયાર કરાવવાની પ્રક્રિયામાં આધાર કાર્ડને ફરજિયાત બનાવવાની યોજના પર કામ કરી રહી છે.આ પ્રક્રિયા હેઠળ અરજદારની ગુનાહિત ગતિવિધીઓની માહિતીની ખરાઇ કરવાની પ્રણાલી સ્થાપિત કરવાની પણ સરકાર કોશિશ કરી રહી છે.નવી પ્રક્રિયા હેઠળ જો કોઇ પાસપોર્ટ માટે અરજી કરે તો તેની પાસે આધાર કાર્ડ હોવું જરૂરી હશે.

આ પગલું પીએમ નરેન્દ્ર મોદીનાં એ દિશા નિર્દેશો હેઠળ લેવામાં આવી રહ્યું છે,જેમાં તેમણે દેશવાસીઓને પારદર્શક અને સરળતાથી પાસપોર્ટ સેવા આપવાની વાત કહી હતી. ઉલ્લેખનીય છે કે સરકાર પાસે પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશન અંગે સતત ફરિયાદ આવતી હોય છે,તેને જોતાં પાસપોર્ટ જારી કરવામાં વિલંબ થાય છે.
જોઇએ કેવી રીતે કરાય છે પાસપોર્ટ માટે ઓનલાઇન અરજી

સ્ટેપ 1- પાસપોર્ટ સેવા પોર્ટલ પર તમારું રજીસ્ટ્રેશન કરાવો

સૌથી પહેલા પાસપોર્ટ સેવા પોર્ટલની વેબસાઇટ http://passportindia.gov.in/AppOnlineProject/welcomeLink પર જઇને તમારૂં રજીસ્ટ્રેશન કરાવો.આ માટે register now લિંક પર ક્લિક કરો.

સ્ટેપ-2 લોગ ઇન કરો

રજિસ્ટ્રેશન કર્યા બાદ તમને એક લોગ ઇન આઇડી મળશે,જેની મદદથી તમે પાસપોર્ટ સેવા પોર્ટલની વેબસાઇટ http://passportindia.gov.in/AppOnlineProject/welcomeLink પર લોગ ઇન કરી શકો છો
આગળ વાંચો અન્ય સ્ટેપ્સ વિશે

સ્ટેપ 3- વિકલ્પ પસંદ કરો

લોગ ઇન કર્યા બાદ તમારે અપ્લાય ફોર ફ્રેશ પાસપોર્સ (Apply For Fresh Passport) કે રી ઇશ્યુ ઓફ પાસપોર્ટ (Re-issue of Passport)માંથી કોઇ લિંકને પસંદ કરવાની રહેશે.

સ્ટેપ 4- ફોર્મ ભરો

એપ્લાય ફોર ફ્રેશ પાસપોર્ટ પર ક્લિક કર્યા બાદ તમારી સામે ઘણા બધા ફોર્મ આવશે,જેમાં તમારા વિશેની માહિતી માગેલી હશે.ફોર્મમાં તમારી અંગત માહિતીને ધ્યાનથી ભરો,કેમ કે એક વાર પાસપોર્ટની પ્રક્રિયા રિજેક્ટ થઇ જાય તો પછી ફરી અરજી કરવામાં સમય લાગે છે.

સ્ટેપ 5- પેમેન્ટ અને મુલાકાતના સમયનું નિર્ધારણ

વ્યુ સેવ્ડ/સબમિટેડ એપ્લિકેશન્સ (View Saved/Submitted Applications) સ્ક્રીન પર પે એન્ડ શેડ્યુલ એપોઇન્ટ મેન્ટ (Pay and Schedule Appointment) લિંક પર ક્લિક કરો અને ઓફિસમાં તમારા મળવાનો એટલે કે એપોઇન્ટમેન્ટનો સમય બુક કરો.

ફોર્મ સબમિટ કર્યા બાદ તમારી સામે એક વિન્ડો ખુલશે જ્યાં તમારે પાસપોર્ટ તૈયાર કરવા માટેની ફી ચૂકવવાની રહેશે.ચૂકવણી તમે ક્રેડિટ કાર્ડ,ડેબિટ કાર્ડ,ઇન્ટરનેટ બેંકિંગ કે એસબીઆઇ બેંકનાં ચલાન થકી કરી શકો છો.

સ્ટેપ 6- આખી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રિન્ટ એપ્લિકેશન રિસીપ્ટ લિંક પર ક્લિક કરીને એપ્લિકેશનને પ્રિન્ટ કરો.તેમાં તમારો એપ્લિકેશન રેફરન્સ નંબર અને એપોઇન્ટમેન્ટ નંબર હોય છે.

સ્ટેપ 7- જ્યાં પણ તમારી
એપોઇન્ટમેન્ટ બુક થઇ હોય, ત્યાંના પાસપોર્ટ સેવા કેન્દ્રમાં તમારા ઓરિજનલ ડોક્યુમેન્ટ્સ સાથે પહોંચી જાઓ.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો..

कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
BEFORE YOU DO “SUICIDE” YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
ऐ पी जे अब्दुल कलाम के 64 अनमोल विचार (64 QUOTES OF A P J ABDUL KALAM IN HINDI)
प्लेटो के 100 अनमोल विचार और कथन (100 QUOTES AND THOUGHTS OF PLATO IN HINDI)
બનવા માંગો છો ઉદ્યોગ સાહસિક તો આ 5 ફિલ્મ તમને કરશે મદદ…!!!
નોકરી મેળવવા ઈન્ટરવ્યુ પહેલાં આટલી તૈયારી કરી લો…!!!

રોજ લો માત્ર 1 નાની ચમચી હળદરની ફાંકી, કોઈ જ રોગ શરીરમાં પ્રવેશશે નહીં..!!!

haldi

હળદરનું નિયમિત સેવન કરવાથી ચૌદ જાતની બીમારીઓ થવાની સંભાવના બિલકુલ નહીંવત્ થઈ જાય છે અને એ પણ પુરવાર થયું છે કે દુનિયામાં સૌથી મોંઘી માનવામાં આવતી છ ડ્રગ્સ એટલે કે છ દવાઓમાં જે સત્વ ઉમેરવામાં આવે છે, એ છએ છ સત્વ હળદરમાં સમાયેલાં છે. જાણીને નવાઈ લાગશે કે આયુર્વેદનાં તમામ ઔષધમાં એકમાત્ર હળદર એવી છે કે જેના પર મોડર્ન સાયન્સે અત્યાર સુધીમાં ૫૬,૦૦૦ જેટલાં રિસર્ચ અને પ્રયોગો કરી લીધાં છે.

હળદર ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે. ભારતીય ભોજન હળદર વિના અધૂરું છે. સાથે જ હળદરના અનેક સ્વાસ્થ્ય લાભ પણ છે. એમાંય જો તમે મેદસ્વિતાની સમસ્યાથી પીડાતા હો તો એકલી હળદર ખાવાથી તમારો મેદ ઓછો થઈ જાય છે. હળદર એન્ટિસેપ્ટિક પણ છે. શરીરમાં ક્યાંય પણ વાગે તો દળેલી હળદર તે ઘામાં ભરી દેવાથી વાગેલો ઘા રૂઝાઈ જાય છે. માંદગી અડતી નથી. વળી હળદરથી રક્ત શુદ્ધિ પણ થાય છે. જો તમે ખૂબ જાડા હો, તમારું વજન તમને ભારરૂપ લાગતું હોય તો હળદરનો ઉપયોગ વધારી દો. તમે જેટલી હળદર ખાશો તેટલો ઝડપથી મેદ ઘટતો જશે.

આયુર્વેદની ઔષધિય વનસ્પતિઓમાં હળદરને એક શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે. હળદર સ્વાસ્થ્યની સાથે સાથે સૌંદર્યવર્ધક પણ છે. જેથી આજે અમે તમને હળદરના ગુણો, ફાયદા અને તેની પ્રયોગવિધિ જણાવીશું. જેથી સરળતાથી તમે હળદરનો ઉપયોગ કરી શકો.

હળદર મધુપ્રમેહ, મૂત્રમાર્ગ અને ચામડીના રોગો, રક્તવિકાર, બરોળ અને લીવરના રોગો, કમળો, સંગ્રહણી, શીળસ, દમ, ઉધરસ, શરદી, કાકડા, ગળાના રોગો, મોંઢાનાં ચાંદાં, અવાજ બેસી જવો વગેરે રોગોમાં ખુબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત હળદર વર્ણ્ય એટલે દેહનો રંગ સારો કરનાર, મળને ઉખેડનાર, ખંજવાળ મટાડનાર, કફ, પિત્ત, પીનસ, અરુચિ, કુષ્ટ, વિષ, પ્રમેહ, વ્રણ, કૃમિ, પાંડુરોગ અને અપચાનો નાશ કરનાર છે.

ઈન્ગ્લેન્ડમાં તાજેતરમાં થયેલાં સંશોધન મુજબ હળદરમાં રહેલું કરક્યુમીન નામનું રસાયણ ઈસોફેજ્યલ કેન્સરના કોષોનો પણ નાશ કરે છે.

-દરરોજ સવારે ખાલી પેટે એક નાની ચમચી હળદરની ફાંકી લેવાથી લોહી પાતળું રહે છે, ગેસની સમસ્યા દૂર થાય છે, કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે, સાંધાના દુખાવામાં ઝડપી રાહત મળે છે, શરદી ઉધરસની સમસ્યા ક્યારેય થતી નથી.

-શેકેલી હળદરનું ચુર્ણ અને કુવારપાઠાનો ગર્ભ સમાન ભાગે લેવાથી હરસ મટે છે. આ મીશ્રણનો લેપ કરવાથી મસા નરમ પડે છે.

– મધ સાથે કે ગરમ દુધ સાથે હળદર મેળવી લેવાથી કાકડા, ઉધરસ, સળેખમ વગેરે મટે છે.

– કફના અને ગળાના રોગોમાં અડધી ચમચી હળદરનું ચુર્ણ બે ચમચી મધ સાથે ચાટવું.

– એકથી બે ચમચી લીલી હળદરના ટુકડા સવાર-સાંજ ખુબ ચાવીને ખાવાથી કફપ્રકોપ, ચામડીના રોગો, પ્રમેહ, રક્તનો બગાડ, સોજા, પાંંડુરોગ, વ્રણ-ચાંદાં-ઘા, કોઢ, ખંજવાળ, વીષ, અપચો વગેરે મટે છે.

-નિયમિત વ્યાયામ અને પૌષ્ટિક આહાર સાથે એક ચમચી હળદર પાવડર દિવસમાં બે વાર લેતા રહેવાથી વજન ઘટાડવામાં સફળતા પ્રાપ્ત થાય છે.

-અડધી ચમચી હળદરનું ચુર્ણ, અરડુસીનો રસ ત્રણ ચમચી અને એક ચમચી મધ સવાર-સાંજ લેવાથી કફના રોગો-ઉધરસ, શરદી, દમ વગેરે મટે છે.

– આમળાં અને હળદરનું સમાન ભાગે બનાવેલું ૧-૧ ચમચી ચુર્ણ સવાર-સાંજ લેવાથી તમામ પ્રકારના પ્રમેહ મટે છે.

– સુતી વખતે શેકેલી હળદરનો ટુકડો ચુસવાથી ઉધરસ, કાકડા અને ગળાના રોગોમાં લાભ થાય છે.

– સમાન ભાગે હળદર અને ગોળ ગોમુત્રમાં મેળવી એક વર્ષ સુધી રોજ સવારે પીવાથી હાથીપગુ મટે છે.

– હળદર, ફટકડી અને પાણી મીશ્ર કરી રોગગ્રસ્ત ચામડી પર લગાડવાથી ચામડીના મોટા ભાગના રોગો મટે છે.

– હળદર, મીઠું અને પાણી મીશ્ર કરી લેપ કરવાથી મચકોડનો સોજો મટે છે.

– હળદર અને લોધરનો લેપ કરવાથી સ્તનનો સોજો મટે છે.

-હળદર અને સાકર ચુસવાથી અવાજ ખુલે છે, સ્વર સારો થાય છે.

– એક મહીના સુધી રોજ અડધી ચમચી હળદર ફાકવાથી શરીરમાં કંઈક ઝેર ગયેલું હોય કે કોઈકે કંઈ ખવડાવી દીધું છે એવો વહેમ હોય તો તે મટી જાય છે.

– આયુર્વેદમાં હળદરને ઉત્તમ કફઘ્ન કહી છે. શ્વાસનળીઓ અને નાકની અંદરની શ્લેષ્મ-ચીકણી ત્વચામાંથી વધારે પડતો શ્લેષ્મ-કફ સ્રવે છે ત્યારે મધ સાથે હળદર ચટાડવાથી આ શ્લેષ્મ ત્વચા રુક્ષ બને છે. એટલે કફનો સ્રાવ ઓછો થાય છે.

– કફના રોગો જેવા કે શરદી-સળેખમ, ફ્લ્યુ-કફજ્વર, ઉધરસ વગેરેમાં ગરમ દુધમાં હળદર નાખી પીવાથી લાભ થાય છે.

– પ્રમેહમાં આમળા અને હળદરનું સરખા ભાગે બનાવેલું ચુર્ણ ઉત્તમ લાભ કરે છે.

– દરરોજ હળદરનું બ્રશ કરવાથી દાંતની તંદુરસ્તી જળવાઈ રહે છે.

– આમળા અને હળદરનો ઉકાળો બનાવી સવાર-સાંજ સેવન કરવાથી શરીરમાં થતી બળતરામાં તરત રાહત મળે છે અને સતત સેવન કરવાથી આ સમસ્યા જડથી દૂર થાય છે.

– હળદરને શુદ્ધ ઘીમાં મિક્ષ કરી હરસ-મસા પર લગાવવાથી બહુ જલ્દી રાહત મળે છે અને બળતરા પણ દૂર થાય છે.

– ત્વચાના કોઈપણ રોગ કે ખંજવાળ હોય તો હળદરવાળું પાણી પીવાથી મટે છે.

– હળદર, સુખડ, રસાંજનનું ચૂર્ણ ગુલાબજળમાં ભેળવી ખીલ પર લગાવવું, ખીલ ઝડપથી ગાયબ થઈ જશે.

– હળદર, મુલતાની માટી, ગુલાબજળનો પેક બનાવી લગાવવાથી કાળા ડાઘ, કરચલી દૂર થઈ ત્વચા સુંદર અને તેજસ્વી બને છે.

-દરરોજ સવારે ખાલી પેટે એક નાની ચમચી હળદરની ફાંકી લેવાથી લોહી પાતળું રહે છે, ગેસની સમસ્યા દૂર થાય છે, કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે, સાંધાના દુખાવામાં ઝડપી રાહત મળે છે, શરદી ઉધરસની સમસ્યા ક્યારેય થતી નથી.

– લીમડાના પાનની રાખ બનાવી, હળદર નાખી મધ કે પાણી સાથે ભેળવી લેપ કરવાથી ગુમડાં જેવા મોટા, પાકેલા ખીલ પણ મટે છે.

– હળદર, લોધ્ર, જાંબુનાં પાન, તુલસીનાં પાન, સુખડ, રતાંજલિ, કાળી માટી મિકસ કરી પાણીથી નહાવાથી ત્વચાના રોગો, ખંજવાળ આવતી નથી. સનબર્નથી કાળી થયેલી ત્વચાનો રંગ ગોરો થાય છે.

-શિયાળામાં હળદર, લીલી હળદર, કપૂર કાચલી, બદામ, ખસખસ, ચારોળી, લોધ્ર, સરસવને દૂધમાં વાટી હળવા હાથે ઘસીને ન્હાવાથી ત્વચા ફાટતી નથી સાથે જ ત્વચા સ્વસ્થ અને ચમકીલી બને છે.

– બે ચમચી હળદરને અડધા કપ પાણીમાં ગરમ કરી લેવું. ત્યારબાદ તેમાં કપડાની પટ્ટી પલાળી આંખો પર રાખવાથી આંખોને ઠંડક મળે છે અને આંખો સ્વસ્થ રહે છે.

– ચોમાસામાં ત્વચા પર ખંજવાળ, દાદર- ખરજવું થતું હોય તો હળદર, લીમડો, લીમડાની છાલ, ચણાનો કે મગનો લોટ મિકસ કરી નહાવાથી ત્વચા સ્વચ્છ, ખંજવાળરહિત બને છે.

– અળાઈમાં હળદર, વરિયાળી, ફટકડી, સુખડ, લીમડો, ગુલાબપત્તી, ગોપીચંદન પાઉડરને ગુલાબજળમાં ભેળવીને લગાવી ૧૦ મિનિટ બાદ નહાવાથી અળાઈ, ફોલ્લી, ખંજવાળ મટી ત્વચા ખીલમુકત બને છે.

– ખોડો મટતો ન હોય કે વાળ બરછટ, કડક થઈ ગયા હોય તો હળદર તથા આકડાના પાનનો રસ સરસિયામાં ઉકાળી, મલમ બનાવી વાળમાં લગાવો. આ બધી સમસ્યાઓ દૂર થશે.

– લીવર સંબંધી સમસ્યાઓમાં પણ હળદરને અત્યંત ગુણકારી માનવામાં આવે છે. આ જ કારણ છે કે શરદી- ખાંસી થવા પર દૂધમાં કાચી હળદર પાવડર નાખીને પીવાની સલાહ આપવામાં આવે છે.

– જરૂરી છે કે હળદર હંમેશા હવાચુસ્ત બરણીમાં રાખો કે જેથી કરીને તેના સ્વાદ અને ગુણવત્તામાં કોઇ ઉણપ આવે નહીં.

– પેટમાં કીડા થવા પર 1 ચમચી હળદરના પાવડરને રોજ સવારે ખાલી પેટે એક સપ્તાહ સુધી તાજા પાણીની સાથે લેવાથી કીડા દૂર થાય છે. આ મિશ્રણમાં થોડું મીઠું પણ મેળવી શકો છો. તેનાથી પણ ફાયદો થશે.

– ચહેરાના ડાઘ- ધબ્બા અને કરચલીઓ મટાડવા માટે હળદર અને કાળા તલને બરાબર માત્રમાં પીસીને પેસ્ટ બનાવીને ચહેરા પર લગાડો. આ પેસ્ટથી માત્ર તમારો ચહેરો જ નહીં નીખરે, પણ તે સાથે તમારો ચહેરો ખીલેલો રહેશે.

– સતત ખાંસી આવતી હોય તો હળદરની નાની ગાંઠને મોં મા રાખીને ચુસો. તેનાથી ખાંસી આવતી બંધ થશે.

-ત્વચાના વણજોઇતા વાળને દૂર કરવા માટે હળદર પાવડરને નવશેકા નાળિયેર તેલમાં મેળવીને પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને હાથ-પગ પર લગાડો. જેનાથી ત્વચા મુલાયમ બને છે અને શરીર પરથી વણજોઇતા વાળ દૂર થાય છે.

– ડાયાબીટિસના દર્દીઓ માટે હળદર કોઇ ઔષધીથી ઓછી નથી. ડાયાબીટિસ માટે દરરોજ ગરમ દૂધમાં એક ચમચી હળદર પાવડર મેળવીને પીવું જોઇએ. વાસ્તવમાં, હળદરમાં વાતનાશક ગુણ હોય છે જે
ડાયાબીટિસની સમસ્યાથી રાહત અપાવવામાં મદદ કરે છે.

આયુર્વેદ અનુસાર નાના-નાના પ્રયોગ કરીને હળદરના અલગ- અલગ લાભ ઉઠાવી શકાય છે.

– હળદરનું સેવન એ શરીરની રોગપ્રતિરોધક ક્ષમતાને વધારે છે અને લોહીને સ્વચ્છ રાખે છે.

– હળદર એટલી કારગર છે કે તે મહિલાઓની પીરિયડ સંબંધી સમસ્યાઓને પણ દૂર કરે છે.

– વાળમાં કે શરીરમાં ખંજવાળ, શીળસ અથવા કોઈ પણ એલર્જીમાં હળદર દૂધ સાથે પીવાથી ખંજવાળ મૂળમાંથી મટે છે.

-હળદરના ગાંઠિયાને ગુલાબજળમાં ઘસી તેમાં ચંદન નાખી લેપ કરવાથી કાળા ડાઘ – ચકામાં, કુંડાળાં મટે છે.

– હળદર, નિર્મળીનાં બી, લોધ્ર, મજિઠના લેપથી ત્વચા ગોરી અને સુંદર બને છે.

– ખીલમાં હળદર, મજિઠ, ધાણાં, સરસવ લોધ્ર, કપૂરકાચલી, નિર્મળીનાં બી વગેરેને ગુલાબજળ સાથે ભેળવી લેપ કરવાથી ખીલ મટે છે.

-જો ગર્ભાવસ્થા દરમિયાન તમારા પેટ પર સ્ટ્રેચ માર્ક્સ થઇ ગયા છે અને હવે દૂર નથી થઇ રહ્યા તો હળદરને દહીં સાથે મિક્સ કરી રોજ તમારા પેટ પર 5થી 7 મિનિટ સુધી લગાવેલી રાખો. આના સતત પ્રયોગથી સ્ટ્રેચ માર્ક્સ ધીમે-ધીમે દૂર થશે.

-હળદરની મદદથી દાંતને લગતી બીમારી પણ દૂર થઇ જાય છે. જો ઇન્ફેક્શન હોય તો હળદર, સિંધાલૂણ અને સરસવના તેલની પેસ્ટ બનાવો અને તેને દિવસમાં ત્રણવાર ઇન્ફેક્શન ફેલાયું હોય તે જગ્યા પર લગાવો. ત્યારપછી ગરમ પાણીથી તમારું મોઢું ધોઇ લો આનાથી તમારો રોગ દૂર થઇ જશે.

-જો તમને સુસ્તી અને થાક લાગી ગયો હોય તો હળદર અને મધ મિક્સ કરી પીઓ. જો તમારી અંદર લોહીની ઉણપ હોય તો પણ આ મિશ્રણ તમારા માટે રામબાણથી કમ નથી.

Courtesy: Divya Bhaskar


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

ઘેર બેઠા ફ્રિમાં શીખો, આખુ વર્ષ રોગમુક્ત રહેવા આયુર્વેદનો આ રસાહાર કોર્ષ..!!!
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….
धरती का अमृत पानी पीने के 10 फायदे और नुकसान ज़रूर जाने…नही जाना तो क्या जाना…!!!
इन 6 उपायों से स्वस्थ रहेगा आपका दिल…!!!
हार्ट अटैक: ना घबराये ……सहज सुलभ उपाय ….!!!
સવાર-સાંજ માત્ર 1 ચમચી અળસીના બીજ ખાઓ, રોગ શું છે ભુલી જશો…!!!
इन 6 उपायों से स्वस्थ रहेगा आपका दिल…!!!