સ્માર્ટ કિચન ટિપ્સ: જે તમારી રસોઈને બનાવશે વધારે સ્વાદિષ્ટ અને જાણો અન્ય ઉપયોગી કિચન ટીપ્સ.

kitchen

દરેક વ્યક્તિની રસોઈનો સ્વાદ અલગ જ હોય છે. એકસરખી જ વાનગી બનાવતા હોવા છતાં કેટલાક લોકોના હાથમાં જાદુ છે એવા કોમ્પ્લીમેન્ટ મળતા હોય છે. રસોઈ બનાવવી એ બહુ મોટી વાત નથી એવું કેટલાક લોકો કહેતા હોય છે. એ વાત અમુક અંશે સાચી પણ છે. પણ સારી અને સ્વાદિષ્ટ રસોઈ બનાવવી એ તો એક કળા જ છે અને આ કળા વિકસે છે નાની નાની કિચન ટિપ્સથી. જે તમારી રસોઈને સ્વાદિષ્ટ રસોઈ બનાવી શકે છે. તો નોંધી લો આ કિચન ટિપ્સ અને કરી તમારી રસોઈમાં જાદુ.

-કારેલાને ચીરી મીઠુ લગાડવાથી તેની કડવાશ ઓછી થઈ જશે
-બટેટાની છાલ કાઢી તેમાં કાંટા(ફોર્ક)થી કાણા પાડી તેને મીઠાવાળા પાણીમાં બોળીને ઉપયગો કરવાથી દમ આલુ સારા બનશે
-સુકા આદુની છાલ ઉતારવી હોઈ તો થોડી વખત ઠંડા પાણીમાં રાખવાથી છાલ ફટાફટ ઉતરી જશે.
-લસણને થોડુ ગરમ કરવાથી તેની છાલ સહેલાઈથી ઉતરી જશે
-ખાંડમાં કીડી ન આવે તે માટે તેની બરણીમાં 4-5 લવિંગ રાખવા
-તવીમાંથી ડુંગળીની સુગંધ કાઢવા માટે કાચુ બટાટુ કાપીને તેને તવી પર ઘસી લેવું
-રોટલીના લોટમાં દહી નાંખીને બાંધવાથી રોટલીનો સ્વાદ સારો આવશે અને રોટલી નરમ બનશે.
-ભીંડા બનાવતી વખતે તેમાં એક ચમચો દહીં નાંખવાથી ભીંડા ચોંટશે નહી.
-કસુરી મેથીનો વારંવાર ઉપયોગ ન કરવો હોય તો લીલી મેથીના પાનને થોડીવાર પેન પર ગરમ કરી. તેને ઠંડી કરીને પછી ઉપયોગમાં લઈ શકાય.
-ઈન્સ્ટન્ટ ઢોકળા બનાવવા સુઝી થોડી ઉમેરવાથી ઢોકળા પોચા બનશે.
-કોથમીર તાજી રાખવા તેના મુળીયા પાણીના ગ્લાસમાં બોળીને રાખવાથી તાજી રહેશે
-સાંભારની દાળ બનાવવી હોય તો તુવેરનીદાળ અને ચણાની દાળ સાથે મીઠુ અને હળદર ઉમેરીને તેને બાફી લેવી.
-અથાણું બનાવતી વખતે તેલ ગરમ કરીને નાંખવુ
-બેસન/ચણાના લોટના ઢોકળા બનાવતી વખતે ફ્રુટ સોલ્ટ (ઈનો)નો ઉપયોગ કરવાથી ઢોકળા સારા બનશે.
-કેકમાં ડ્રાયફ્રુટ્સ નાંખતા પહેલા તેને મેંદામાં રગદોળીને ઉમેરવાથી તે કેકમાં ચોંટી નહીં જાય. તે અલગ જ રહેશે.
-લીંબુ સુકાઈ ગયા હોય કે બહુ કઠણ/સખત થઈ ગયા હોય તો તેને ગરમ પાણીમાં રાખવાથી તેમાં ખુબ સરળતાથી રસ નીકળી શકે છે.
-મહિનામાં એકવખત મિક્સર-ગ્રાઈન્ડરમાં મીઠુ નાંખીને તેને ચલાવી લેવું. જેથી બ્લેડની ધાર તેજ થશે
-નુડલ્સને બાફી લીધા બાદ તેમાં ઠંડુ પાણી નાખવામાં આવે તો નુડલ્સ એકબીજા સાથે ચોંટશે નહીં
-નુડલ્સને બાફતી વખતે તેમાં 2 ચમચી તેલ ઉમેરવાથી નુડલ્સ એકબીજા સાથે ચોંટશે નહીં
-પનીરને બ્લોટીંગ પેપરમાં વીંટાળીને ફ્રિજમાં રાખવાથી તે લાંબો સમય તાજા રહેશે.
-મેથીમાંથી કડવાશ દુર કરવા તેમાં મીઠુ નાંખી થોડો સમય અલગ રાખી દેવાથી કડવાશ ઓછી થઈ જશે.
-એક ચમચી ખાંડને કથ્થાઈ કલરની થાય ત્યાં સુધી પેનમાં ગરમ કરી અને પછી કેકના મિશ્રણમાં ભેળવવાથી કેકનો રંગ સારો આવશે.
-બટેટાના સ્ટફ્ડ પરોઠા બનાવો ત્યારે તેના માવામાં થોડી કસુરી મેથી નાંખવાથી તેનો સ્વાદ કંઈક અલગ જ આવશે.
-ફ્લાવરને બાફવાથી તેના રંગમાં ફેરફાર થઈ જાય છે. તે ન થવા દેવું હોય તો ફ્લાવરના શાકમાં એક ચમચી દુધ અથવા વિનેગર નાંખવાથી તમે જોઈ શકશો કે ફ્લાવરનો મુળ રંગ જળવાઈ રહે છે.
-રોટલી કે પરોઠાનો લોટ બાંધતી વખતે પાણી સાથે થોડુ દુધ ઉમેરવાથી રોટલી અને પરોઠાના સ્વાદમાં વધારો થશે.
-લોટના ડબ્બામાં તમાલપત્ર રાખવાથી ભેજ લાગશે નહીં અને લોટ લાંબો સમય સુધી તાજો રહેશે
-ઘરે રૂમાલી રોટી બનાવવા રોટલીને ખુબ પાતળી વણવી અને કડાઈને ઉલટી મુકી ગરમ કરી તેના પર રોટલીને શેકવી
-મગની દાળના મિશ્રણમાં એક ચમચી ચોખાનો લોટ મિક્સ કરી પુડલા બનાવવાથી તે કરકરા બનશે.
-ભીંડાને ક્રિસ્પી બનાવવા બે ચમચા છાશ અથવા થોડુ દહીં નાંખીને તેજ તાપે રાંધવા
-દેશી ઘીને લાંબો સમય સુધી તાજુ રાખવા તેમાં ગોળ અને સિંધવ લુણનો 1-1 ટુકડો નાંખવો
-શાક અથવા દાળમાં મીઠુ વધુ પડી ગયુ હોય તો કાચા બટેટાની સ્લાઈસ નાંખીને થોડીવાર ઉકાળવું. ખારાશ ઘટી જશે.
-વડા બનાવતી વખતે ખીરૂ પાતળુ થઈ ગયુ હોય અને તળવામાં તકલીફ પડતી હોય તો તેલમાં એક ચમચો ઘી મિક્સ કરી દેવું
-બટાટાની સુકીભાજી કે રસાવાળુ શાક બનાવી રહ્યા છો તો તેમાં મોટી ઈલાયચી નાંખી દો નવો જ ટેસ્ટ આવશે.
-શાકનો વઘાર કરતી વખતે તેલમાં પહેલા હળદર નાંખો તેલના છાંટા ઓછા ઉડશે.
-કોઈપણ રસાવાળુ શાક ઘટ્ટ બનાવવું હોય તો ઘીમાં શેકેલી ડબલરોટીનો ભુક્કો તેમાં મિક્સ કરી દો. તેનાથી શાક ઘટ્ટ તો થશે જ. સાથે સ્વાદિષ્ટ પણ બનશે.

વર્કિંગ વુમન માટે સ્માર્ટ કિચન ટિપ્સ, જે રસોઈને બનાવશે આસાન

આપણે એ નકારી ન શકીએ કે નારીનું જીવન ઉન્નતિના પથ પર છે. આપણી પાસે અનેક ઉદાહરણો છે જે નારીશક્તિને ઉજાગર કરે છે. વિવિધ ક્ષેત્રમાં તેણે પોતાનો ડંકો વગાડી દિધો છે. તેમ છતાં આમાંની મોટાભાગની નારીઓ અને તે સિવાયની કરોડો નારીઓ કિચન પર તો પોતાનો અબાધિત અધિકાર છોડવા માંગતી નથી. વર્કિંગ વુમન હોવા છતાં તે પરિવાર માટે રસોઈ કરવામાં ગૌરવ અનુભવે છે. જો કે કામની સાથે સાથે કિચન સંભાળવું તેના માટે થોડુ મુશ્કેલ છે. તેની મુશ્કેલીને હલ કરવા અહીં કેટલીક ખાસ ટિપ્સ લઈને આવ્યા છીએ.

-અઠવાડિયાનું મેનું બનાવીને તે અનુસાર રજાના દિવસે જ ખરીદી કરી લેવી. તેના માટે તમે શનિવારની સાંજને પસંદ કરી શકો છો. જેથી ખરીદી માટે પુરતો સમય ફાળવી શકો. રવિવારનો દિવસ તમે પરિવારને ફાળવી શકો અને આખુ વિક ટેન્શન ફ્રી.

-કિચન કાઉન્ટર ખાલી રાખો. તેના કારણે રસોઈ બનાવવામાં સરળતા રહેશે. શક્ય તેટલા ઓછા ગેજેટ્સ ત્યાં રાખો. સવારના સમયે જલદીમાં સેન્ડવીચ, લંચ કે બ્રેકફાસ્ટ બનાવવા ઉતાવળ કરવી પડે છે. તે સમયે ફટાફટ કામ પતાવો. પછી સાફસફાઈ કરી દો. જેથી એના પછી રસોઈ કરવા જાવ તો કોઈ ટેન્શન ન રહે.

-કિચનની સામગ્રી ભરવા માટે પારદર્શક ડબ્બા રાખો. જેથી કઈ વસ્તુ કેટલી ઘરમાં ભરેલી છે તે ધ્યાનમાં રહે અને શોપિંગ લિસ્ટ બનાવવામાં સરળતા રહે. દરવખતે ડબ્બા ચેક કરવાની જરૂર ન રહે.

-કેબિનેટમાં એક જગ્યા અલગ રાખો જ્યાં વોટરબોટલ, જિપલોક બેગ, ફોઈલ વગેરે મુકો. જેથી સવારના સમયે ટિફિન ભરતી સમયે ડબ્બા શોધવામાં ટાઈમવેસ્ટ ન થાય.

-કિચન કેબિનેટની એક શેલ્ફ પર બ્રેકફાસ્ટ માટેની સામગ્રી જ રાખો. જેમ કે સિરિયલ્સ, બ્રાઉન સુગર, જેમ, પીનટ બટર, ટી બેગ, મિલ્ક પોટ, શુગર પોટ વગેરે રાખો. તેની સાથે સિરિયલ્સ બાઉલ પણ રાખી દો. જેથી સવારના નાસ્તાનું ટેન્શન ખતમ

-ફ્રિજને ખુબ જ કાર્યકુશળતાથી ગોઠવો. નક્કી કરેલી જગ્યાએ જ દુધ, દહીં, ચીઝ, બટર, શાકભાજી ગોઠવો. સાથે જ ફ્રિજના ડોર પર એક લિસ્ટ ચીપકાવી રાખો. જે વસ્તુઓ ખતમ થવાની અણી પર હોય તે તેમાં નોંધી લો. જેથી છેલ્લી મિનીટે વસ્તુ નથી તે ખબર પડે.

-ફ્રિજમાં રાંધેલી વસ્તુઓ મુકો તો તેને ક્લિંગ ફિલ્મ કે ફોઈલમાં પેક કરીને જ મુકો.

-રજાના દિવસે શાકભાજીને સમારી બેગમાં પેક કરી લો. લસણ ફોલીને થોડું મીઠુ ભભરાવી એરટાઈટ કન્ટેનરમાં મુકી રાખો. આદુ-મરચાની પેસ્ટ બનાવી દો. જરૂરી ચટણીઓ પીસીને રાખો. ટમેટાની પ્યુરી કે ગ્રેવી બનાવી લો. આ બધી વસ્તુઓને ફ્રિજમાં સ્ટોર કરીને રાખો.

-ફ્રિજમાં સેમી ફ્રાઈડ પરાઠા પણ રાખી શકો છો. પીરસતા પહેલા તવા પર ગરમ કરી લેવાના.

-બાળકો પાસે પણ સમજાવટપૂર્વક કામ કરાવી શકો છો. બાળકોને કહો કે ડિનર બાદ જ્યારે તમે કિચન સાફ કરી રહ્યા છો ત્યાં સુધીમાં તે ટેબલ સાફ કરી આપે. એટલું જ નહી ડિનર પહેલા તે ટેબલ સજાવવામાં પણ મદદ કરી શકે છે. તમે ગરમ બાઉલ ટેબલ પર લાવો ત્યાં સુધીમાં અન્ય વસ્તુઓ તે ત્યાં લાવવામાં હેલ્પ કરી શકે છે.

-કિચન સુંદર વસ્તુઓથી વધુ સુંદર અને સ્માર્ટ લાગશે. તેના માટે સિલિકોન બેકિંગ પેન, મફિન મોલ્ડ, સ્પેચ્યુલા, ચાળણી વગેરે વસાવી રાખો. તેને ચમકદારના ખરીદવા વળી તે સરળતાથી સાફ થાય તેવા હોવા જોઈએ.

-શક્ય હોય તો નોનસ્ટીક પોટ, પેનમાં જ ભોજન પકાવો. જેથી સર્વિંગ બાઉલમાં અલગથી કાઢવાની જરૂર નથી. તેને સીધા જ ટેબલ પર ગોઠવી આપો. તે દેખાવમાં તો સારા લાગે જ છે. સાથે સાથે ધોવામાં પણ સરળતા રહે છે.

-નોનસ્ટિક વાસણોમાં ભોજન પકાવવાનો એક ફાયદો એ પણ છે કે તેમાં તેલ ઓછુ વપરાય છે જે પરિવારના સ્વાસ્થ્ય માટે પણ સારૂ છે.

-ચોપિંગ બોર્ડ, છરી, પીલર અને ગ્રેટરને કાઉન્ટના એક ખુણા પર જ રાખો જેથી તમે બોર્ડ પર રાખીને બધુ જ સમારી શકો. તેનાથી કાઉન્ટર ગંદુ નહીં થાય. કિચન માટે એક નાની ડસ્ટબિન પણ ત્યાં જ વસાવી રાખો. જેથી ગંદકી ન ફેલાય.

-શોપિંગ માટે જાવ તો લિસ્ટ બનાવીને જાવ. જેથી ભોજન માટેની જરૂરી વસ્તુઓ ભુલી ન જવાય. આ ઉપરાંત ટોમેટો પ્યુરી, પોટેટો ફ્લેક્સ, રેડી પેસ્ટ, રેડી મિક્સ્ડ ફ્લોર, ઈન્સ્ટન્ટ ડેઝર્ટ જેવી વસ્તુઓ પણ ખરીદીને રાખો. રેડી ટુ કુકની પણ વિશાળ રેન્જ અવેલેબલ છે. તેમાંથી પણ જરૂર મુજબ પેકેટ્સ ઘરમાં રાખો. જે ઉતાવળના સમયમાં તમારી મદદે આવી શકે.

-સવારમાં ટિફિન બનાવવું તે પણ પડકારરૂપ કામ છે. તેના માટે બ્રાઉન બ્રેડની સેન્ડવીચ ક્લિંગ ફિલ્મમાં પેક કરી દો જે આદર્શ ટિફીન સમાન છે. આ ઉપરાંત પાણી નિતારેલા દહીંમાં કોબીજ અને સફરજન મિક્સ કરી દો. તે સેન્ડવીચ કે રોટલી પર સ્પ્રેડ તરીકે વાપરી શકાય. આ ઉપરાંત મેશ કરેલા પનીર સાથે શાહી જીરા ખુબ જ સ્વાદિષ્ટ સ્પ્રેડ સાબિત થઈ શકે છે. લંચમાં પસંદ અનુસાર સ્ટફ્ડ પરાઠા, વેજિટેબલ ઈડલી, કે રોટલી પર સુકી સબ્જીના રોલ લઈ જઈ શકાય.

– બાળકોને આ બધુ પસંદ ન હોય તો તેને વધેલા શાકમાંથી બ્રાઉન બ્રેડમાંથી સેન્ડવીચ બનાવી આપો કે પનીર ભુર્જીમાંથી સ્ટફ્ડ પરાઠા બનાવી આપો. ભાતમાંથી લેમન રાઈસ બનાવી આપો. બાળકોના ટિફિનને આકર્ષક રીતે સજાવો. રોટલી ફોઈલમાં અડધી ઢાંકેલી રાખો. સેન્ડવીચ ત્રિકોણાકાર અને ટ્રિપલ ડેકર આપવી. ઈડલી ક્વાટરમાં કાપેલી હોવી જોઈએ, પરાઠાને પણ ત્રિકોણાકારમાં કાપીને આપો.

અપનાવો સ્માર્ટ ટિપ્સ અને બનાવો તમારા ટેસ્ટી ફૂડ ફટાફટ

ગૃહિણીઓને રસોઈની સાથે-સાથે તેના સ્વાદ-સુંગધનું પણ ધ્યાન રાખવાનું હોય છે. સ્વાદિષ્ટ રસોઇ બનાવવી અને રસોડાની દરેક વસ્તુની સંભાળ રાખવી તો દરેક ગૃહિણીને ગમતું હોય છે. ઘણી વખતે રસોઈ બનાવતા અન્ય કામ આડા આવી જાય તો રસોઈમાં મીઠુ કે મરચુ કે બીજા મસાલા વધતા-ઓછા પ્રમાણમાં થઈ જાય તો રસોઈનો ટેસ્ટ તરત જ બદલાઈ જાય છે. આવુ દરેક ગૃહિણીઓથી થતુ જ હશે તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અહીં આપેલી એકદમ ઉપયોગી ટિપ્સ અજમાવી જુઓ કોઈને ખબર પણ નહીં પડે કે રસોઈનો ટેસ્ટ બગડ્યો હતો કે નહી.

રસાદાર શાકમાં શીંગદાણાનો ભૂક્કો નાખવાથી શાક સ્વાદિષ્ટ થશે અને તેનો રસો ઘટ્ટ થશે. ઘણી વખત કોઈ શાકમાં પાણી વધારે પડી જાય છે, ત્યારે પ્રશ્ન થાય કે હવે શું કરું? કારણ કે, શાક ચઢી ગયું હોય છે આથી રસાને જો વધારે બાળવા માટે જઈએ તો, શાક વધારે પડતું ચઢી જાય છે. આવા સમયે શાકનો સ્વાદ અને રૂપરંગ જાળવી રાખવા માટે આ રીતે સિંગદાણાનો ભૂકો વાટીને નાખવાથી રસો તો ઘટ્ટ થશે જ સાથે-સાથે સ્વાદ પણ વધી જશે.

ઈડલીને મુલાયમ બનાવવા ચોખા પલાળતી વખતે આઠથી દસ દાણા મેથીના દાણા નાખવા. સામાન્ય રીતે આપણે ઘણી વખત એવું વિચારતા હોઈએ છીએ કે, રેસ્ટોરન્ટ જેવી સોફ્ટ અને મોંમાં મૂકતા જ ઓગળી જાય એવી ઈડલી ઘરે બનતી નથી. તો આ લોકો ખીરામાં એવું શું નાખતા હશે? તો જવાબ છે કે, મેથીના દાણા, ઈડલી માટેના દાળ-ચોખા પલાળતી વખતે જ તેમાં મેથીના દાણા સાથે જ પલાળી દેવા.

પાલક અને રીંગણનું શાક આપણા ઘરોમાં બનતું જ હોય છે. તેને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં તમે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી શકો છો. પાલક રીંગણના શાકને વઘારતી વખતે તેલ ગરમ કરો. ત્યાર બાદ થોડી રાઈ અને હિંગ ઉમેરો. રાઈ ફૂટે એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને સાંતળો. ડુંગળી લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાર બાદ શાક તમારી રીતે બનાવો. પરંતુ ડુંગળી ઉમેરવાથી શાકનો આખો સ્વાદ જ બદલાઈ જશે.

દહીંવડાં બનાવવા માટે દાળને વાટતી વખતે એમાં બે બટાટા મસળીને નાંખશો તો દહીંવડાં પોચાં બનશે. દહીંવડા બનાવતી વખતે પણ આપણને એવું લાગે કે યાર હોટલ જેવા સોફ્ટ દહીંવડા બનતા નથી. આથી આટલી કણાકુટ કોણ કરે? આના કરતા બહાર જઈને ખાઈ લઈએ. પણ જો તમે પણ સોફ્ટ બનાવવા માંગતા હોવ તો ચોક્કસથી આવી નાની-નાની ટિપ્સ ચોક્કસથી ટ્રાય કરીને તમારી રસોઈને એક્સપર્ટ જેવી બનાવી દો.

મસાલા પૂરી બનાવતી વખતે લોટમાં થોડું ગરમ ઘી અથવા તેલ મિક્સ કરવાથી પૂરીઓ કરકરી અને સ્વાદિષ્ટ બશે. પૂરીને નરમ અને સાથે ક્રિસ્પી બનાવવા દરેક ગૃહિણી હંમેશા મહેનત કરતી હોય છે. જો તમે પણ આવી પૂરી બનાવવા માંગતા હોવ તો જ્યારે પણ લોટ બાંધો ત્યારે મોણ તરીકે તેલ અથવા ઘી ઉમેરો, પણ ગરમ કરીને. આમ કરવાથી ચોક્કસ તમારી પૂરીનો રૂપરંગ બદલાય જશે.

ઘણીવાર સમોસા કે ઘુઘરા તળતી વખતે ફાટી જતા હોય છે એને ટાળવા સમોસા કે ઘુઘરામાં સોયથી એક બે કાણા પાડી દો. તેનાથી માવો બહાર પણ નહીં આવે કે ફાટશે પણ નહીં. આપણે જ્યારે કોઈ પણ વાનગીને તળિયે ત્યારે તેમાં હવા ભરાઈને તે ફૂલે છે. સમોસા અને ઘૂઘરામાં જો તમે વધારે માવો ભર્યો હશે તો ચોક્કસથી તે ફાટવાની સંભાવના રહે છે. આથી જો તેમાં કાણું પાડેલું હશે તો તેમાં હવા ભરાશે નહીં. અને તમે ધીમા તાપે એકદમ ક્રિસ્પી તળી શકશો.

કેળાંની વેફર ફટકડીના પાણીમાં પલાળીને તળવાથી સફેદ અને પોચી બનશે. ઘણી વખત આપણે બારે મહિનાના ઉપવાસ માટેની વેફર ઘરે કરતા હોઈએ છીએ. આથી જો તમે કેળા કે બટાટાની વેફર બનાવતા હોવ તો ચોક્કસથી તેને ફટકડીના પાણીમાં પલાળીને બનાવવી. આથી વેફર કાળી નહીં પડે. સફેદ અને સોફ્ટ બનશે.

મેથી અને બટાટાનાં પરાઠા બનાવવાનાં હોય ત્યારે લોટ બાંધતી વખતે તેમાં થોડોક ચણાનો લોટ નાખો. એનાથી પરોઠાંનો સ્વાદ બદલાઈ જશે. આપણે રોજ અવનવા પરાઠા બનાવતા હોઈએ છીએ. એમાં મેથી-બટાટાના પરાઠા પણ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સ્વાદિષ્ટ પરાઠાને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તેની જ્યારે કણક બાંધો ત્યારે ચોક્કસથી તેમાં થોડો ચણાનો લોટ ઉમેરવો. જો તમે ઈચ્છો તો થોડો ઘણો શેકીને પણ ઉમેરી શકો છો. આમ કરવાથી કણકની સાથે પરાઠાનો ટેસ્ટ પણ ચોક્કસથી ખુબ જ વધી જશે.

છોલે બનાવતી વખતે પેસ્ટની સાથે બે ચમચી પલાળેલા કાચા છોલે વાટી એને ગ્રેવીમાં નાખો. ગ્રેવી જાડી થશે. સામાન્ય રીતે આપણા છોલે ચણા હોટલ જેવા સ્વાદિષ્ટ અને બ્રાઉનિશ બનતી નથી, ખરૂં ને? જો તમે પણ આમ વિચારતા હોવ તો તમારી માટે જ આ ટિપ્સ છે. છોલેને જ્યારે બાફવા માટે મૂકો ત્યારે તેમાં છોલેની ક્વોન્ટિટી પ્રમાણે એક કે બે ટીબેગ મૂકી દેવી. આમ કરવાથી છોલેને બ્રાઉન રંગ અને સ્વાદ પણ આવી જશે. ત્યાર બાદ તેની ગ્રેવી ખુબ જ અગત્યની છે. આના માટે ગ્રેવીનને ઘટ્ટ બનાવવા માટે પલાળેલા છોલેમાંથી બેથી ત્રણ ચમચી કાઢી લેવા, તેને બાફવા નહીં. આ પલાળેલા ચણાને ક્રશ કરીને પેસ્ટ બનાવીને તેને ગ્રેવીમાં ઉમેરી દેવા. ચોક્કસથી ગ્રેવી સ્વાદિષ્ટ બનશે.

મોસંબી અને લીંબુનો રસ કાઢતાં પહેલાં એને ગરમ પાણીમાં અથવા ગરમ ઓવનમાં થોડીવાર રાખી પછી રસ કાઢવાથી રસ વધુ નીકળશે. કારણ કે આમ કરવાથી તેની છાલ થોડી ઢીલી થઈ જાય છે. અને એમાંથી રસ છૂટો પડીને વધારે નીકળે છે.

ઘરને ચમકાવી દેશે રસોડામાં પડેલી આ 16 વસ્તુઓ

ઘર નાનુ હોય કે મોટુ તેની સફાઈ રાખવી ખૂબ જરૂરી હોય છે. ઘરની સફાઈ પરથી ગૃહિણીની પરખ થતી હોય છે. સાફ ઘર દરેકની પ્રશંસાને પાત્ર બને છે. તેથી ઘરને ચમકતું રાખવુ જરૂરી છે. ઘરમાં વાસણોથી લઈને ફર્નિચર દરેક નાની-નાની વસ્તુઓને સમયાંતર સાફ કરતા રહેવું પડે છે. અને જો ના કરીએ તો મોંઘી વસ્તુઓ બગડી જતી હોય છે. અને આથી જ આપણે આપણી મોંઘી વસ્તુઓને સાફ કરવા માટે બજારમાંથી મોંઘા-મોંઘા ક્લિનઝર લાવતા હોઈએ છીએ. પણ ખરેખર દરેક પ્રશ્નનો જવાબ આપણા ઘરમાં જ હોય છે. આજે અમે તમને તમારા ઘરમાં જ રહેલી એવી 16 વસ્તુઓ વિશે વાત કરવાના છીએ, જેનો ઉપયોગ કરીને તમે તમારા ઘરને ચમકાવી શકશો.

સિંક માટે બેકિંગ પાવડર-

બેકિંગ સોડા અને વિનેગરને ભેગા કરીને સિંકમાં નાખો તો કોઈપણ પ્રકારનો કચરો ભરાયો હોય તે સાફ થઈ જાય. તમારા સિંકને સાફ રાખવા માટે આ બે વસ્તુઓનો ઉપયોગ કરો.

ચાંદીના વાસણો માટે કેળું-

તમારા ચાંદીના વાસણો પરથી કોઈ પણ પ્રકારની ધૂળ દૂર કરવા માટે તમે કેળાના પલ્પનો ઉપયોગ કરી શકો છો. કેળું એક એવા પ્રકારની વસ્તુ છે જેનો ઉપયોગ તમે તમારા ઘરેને સાફ કરવા માટે કરી શકો છો.

ટૂટેલા ગ્લાસ માટે બ્રેડ-

વ્હાઈટ બ્રેડ કોઈ પણ વસ્તુ પર ચોંટી જવાનો ગુણધર્મ ધરાવે છે. તો હવે ક્યારેય પણ તમારા ઘરમાં કાચ તૂટે તો તેના ટુકડા ઉપાડવા માટે બ્રેડનો ઉપયોગ કરો.

વાસણો માટે કોફી-

કોફીનો કરકરો ભૂકો તમે તમારા વાસણો તેમજ પેનને સાફ કરવા માટે ઉપયોગ કરી શકો છો. તેનાથી વાસણો પર સ્ક્રેચ પડવાની ચિંતા રહેશે નહીં. કોફીથી તમે તમારા વાસણો સરળતાથી સાફ કરી શકો છો.

પેટના વાસણ માટે કોર્નસ્ટાર્ચ-

શું તમારા પેટનું વાસણ વધુ પડતું ચીકણું છે? તો તેની ચીકાસ દૂર કરવા માટે તમારા પેટના વાસણમાં એક ચપટી કોર્નસ્ટાર્ચ નાખો. જેના પરિણામ સ્વરૂપે તમને એકદમ ચમકતું વાસણ મળશે.

સ્ટીલના વાસણો માટે કાકડી-

તમારા સ્ટીલના વાસણોથી લઈને સ્ટેનલેસ સ્ટીલના પોટને ચમકાવા માટે કાકડીનો ઉપયોગ કરો. તમારા ઘરને કુદરતી રીતે ચમકાવા માટે કાકડી એક બેસ્ટ વસ્તુ છે.

ફ્રિજ માટે ગ્રીન ટી-

ફ્રિજમાંથી આવતી કોઈ પણ પ્રકારની દુગંધને દૂર કરવા માટે તમે વિનેગરનો ઉપયોગ કરી શકો છો. તમારા ફ્રિજને સાફ કરવા માટે પણ તમે ગ્રીન ટીનો ઉપયોગ કરી શકો છો. એક બાઉલમાં ગ્રીન ટીના પત્તાને ભરીને ફ્રિજમાં મૂકવાથી કોઈ પણ પ્રકારની ગંધ જતી રહેશે.

સિંક માટે લીંબૂ-

એક લીંબૂને બે ભાગમાં કટ કરો. એક કટકા પર મીઠું લગાવીને તેનો ઉપયોગ પૉર્સિલિન વાસણો પર, પેન, પોટ કે સિંક પર કરશો તે ચમકવા લાગશે. તમારા ઘરને ચોખ્ખું રાખવા માટે લીંબૂ સૌથી બેસ્ટ વસ્તુ છે.

બારીઓ માટે ડુંગળી-

જો તમારી બારીઓમાં ભેજ આવ્યો હોય કે ચોંટી જતી હોય તો, આ પ્રોબ્લમ્સમાં તમારી માટે ડુંગળી બીજા બધા મોંઘા ઉપાયો કરતા સૌથી બેસ્ટ છે. ડુંગળીને વચ્ચેથી કાપીને તેના બે ભાગ કરો. ત્યાર બાદ એક કટકાને બારી પર ઘસીને તેની ધૂળ અને મેલ દૂર કરો.

કાટ માટે બટાટા-

કાટથી છૂટકારો મેળવવા માટે તમારો ઉકેલ બટાકા છે. કાટથી છુટકારો મેળવવા માટે કાટ પર બટાકાની એક સમારેલો ટુકડો ઘસવો.

જંતુઓ માટે તમાલપત્ર-

તમારા ઘરમાં જંતુઓનો બહુ જ ઉપદ્રવ હોય તો તમે તેને તમાલપત્રથી દૂર કરી શકો છો. તમાલપત્રમાં ખૂબ જ સ્ટ્રોંગ સ્મેલ જંતુઓને તમારા રસોડાની વસ્તુઓથી દૂર રાખશે.

લાકડાંના ફર્નિચર માટે ચા-

ચામાં જે ટેનિન નામનું દ્રવ્ય હોય છે તે લાકડાંને ચમકીલું બનાવે છે. આથી ચા તમારા ઘરને સાફ કરવા માટે બેસ્ટ ઓપશનમાંનું એક છે. આથી વાર્નિશની જગ્યાએ તમે તમારા લાકડાના ફર્નિચરને ચમકાવા માટે ચાનો ઉપયોગ કરી શકો છો.

તાંબાના વાસણો માટે ટામેટું-

ટામેટાંને બે ભાગમાં કટકા કરો. તેમાંથી એક કટકાને તાંબાના વાસણો પર ઘસો. ટામેટાંના રસને વાસણો પર સૂકાવા દો. ત્યાર બાદ તેને સાદા પાણીથી ધોઈ નાખો. ટામેટાંમાં રહેલી કુદરતી એસિડિટી તમારા તાંબાના વાસણોને ચમકાવી દેશે.

કપ માટે વિનેગર-

મોંઘા કપો પર લાગેલા જીદ્દી ડાગાને કાઢવા માટે વ્હાઈટ વિનેગરનો ઉપયોગ કરો. કોફીના મગથી લઈને સિરામિક કપ અને પોટને પણ તમે વિનેગરનો ઉપયોગ કરીને ચમકાવી શકો છો.

બાથટબ માટે ગ્રેપફ્રૂટ-

તમારા ઘરના ટબ અને સિંકની ધૂળ સાફ કરવા માટે ગ્રેપફ્રૂટની એક સ્લાઈસનો ઉપયોગ કરો. જો તેમાં કોઈપણ પ્રકારના વાસણનો ઉપયોગ થયો હોય તો ગ્રેપફ્રૂટ પર મીઠું લગાવીને સાફ કરો.

ટોઈલેટ માટે વોડકા-

હલકી કક્ષાના વોડકાનો ઉપયોગ તમે તમારા ટોઈલેટ સીટને સાફ કરવા માટે કરી શકો છો. તેનાથી તમે તમારા બાથરૂમની સરફેસ પણ સાફ કરી શકો છો. બીજી બાધા મોંઘા પ્રકારના કિલન્ઝર કરતા વોડકા વધારે અંશે અસરકારક છે.

રસોઈનો સ્વાદ બગડી જાય તો સુધારવા માટે મદદ કરશે આ ટિપ્સ

જે લોકોને રસોઈ બનાવવાનો શોખ છે તેમને માટે રસોઈ બનાવવી એક ચપટીનું કામ છે. મોટાભાગે રસોઈ બનાવતી વખતે સમસ્યા તેમને માટે હોય છે જે ક્યારેક ક્યારેક રસોઈ બનાવે છે. આવા લોકોથી રસોઈ બનાવતી વખતે મોટાભાગે નાની-નાની ભૂલો થઈ જાય છે. આ ભૂલો એવી હોય છે જેનાથી રસોઈનો સ્વાદ પણ બગડી જાય છે. પણ કેટલીક વાતોને ધ્યાનમાં મુકીને તમે કિચનના કામમાં પરફેક્શન લાવી શકો છો. આવો જાણીએ રસોઈ બનાવતા થનારી ભૂલોને સુધારવાની નાની નાની ટિપ્સ..

મીઠુ વધુ પડી જાય તો

જો શાક કે સૂપમાં મીઠુ વધુ થઈ જાય તો ચોથા ભાગનું બટાકુ છોલીને સૂપમાં નાખી દો. આ વધુ મીઠુ શોષી લેશે અને તમને સ્વાદ સાથે કોઈ સમજૂતી નહી કરવી પડે. પણ સૂપ સર્વ કરતા પહેલા બટાકા કાઢવા ભૂલશો નહી. જો શાકભાજી સૂકી કે મસાલેદાર હોય તો બેસન નાખી શકો છો. આ પણ મીઠુ ઓછુ કરવાનુ કામ કરે છે.

ભાત બળી જાય તો શુ કરશો
જો ચોખા બાફતી વખતે સાધારણ બળી જાય, તો તેને ફેંકશો નહી. બસ ભાતને તાપ પરથી ઉતારીને તેની ઉપર સફેદ બ્રેડ દસ મિનિટ માટે મુકી દો. આ ભાતમાંથી બળેલી ખુશ્બુ ખતમ કરી દેશે અને ભાત ફરીથી ખાવા લાયક બની જશે.

ફુદીનાની ચટણી બનાવો તો યાદ રાખો
ફુદીનાની ચટણી જો તમે મિક્સરમાં બનાવી રહ્યા હોય તો તેને મિક્સરમાં વધુ ન ફેરવશો. વધુ ફેરવવાથી ફુદીનાના પાનમાંથી તેલની વિકૃત ગંધ નીકળવી શરૂ થશે. જે ચટણીનો સ્વાદ બગાડી નાખે છે. ફક્ત ફુદીનાની ચટણી બનાવવા માંગતા હોય તો ગ્રાઈડિંગ સ્ટોન મતલબ સિલબટ્ટા પર વાટી લો. આ રીતે ફુદીનાના પાનનું તેલ ધીરે ધીરે નીકળે છે. જેના કારણે સ્વાદ ખરાબ થવાની શક્યતા ઓછી થઈ જાય છે.

રસભરેલુ લીંબૂ
એક લીંબૂમાં લગભગ ત્રણ ચમચી જેટલો રસ હોય છે. પણ આપણે ક્યારેય તેનો બધો રસ કાઢી નથી શકતા. તમે લીંબૂનો પુર્ણ રસ કાઢવા માંગતા હોય તો પહેલા વીસ સેકંડ માટે માઈક્રોવેવમાં ગરમ કરો. પછી તેને વચ્ચેથી કાપીને રસ કાઢો. જેનાથી લીંબૂનો બધો રસ નીકળી જશે.

દૂધને ફ્રીજમાં મુકવાનુ ભૂલી ગયા
જો તમે ગરમીમાં દૂધને ફ્રીજમાં મુકવાનું ભૂલી ગયા હોય અને દૂધ ફાટવાનો ભય હોય તો તેમા થોડો ખાવાનો સોડા નાખી દો. દૂધ નહી ફાટે.

ડુંગળી કાપો તો આવુ કરો
ડુંગળી કાપતી વખતે આંખોમાં આંસુ આવવા સ્વભાવિક છે. પણ તેનાથી બચવાની એક સરસ ટિપ્સ છે. ડુંગળીને કાપીને બે ભાગમાં કાપી લો. પછી એક મોટી વાડકીમાં પાણી લઈને તેના બે ભાગને થોડી વાર માટે પાણીમાં મુકી દો. થોડી વાર પછી જ્યારે ડુંગળી કાપશો તો આંખોમાંથી આંસુ નહી આવે. તમે ચાહો તો તમારા ચાકુ પર થોડો લીંબુનો રસ પણ નાખી શકો છો. તેનાથી પણ ડુંગળી સમારતી વખતે આંખોમાંથી પાણી નથી આવતુ. આ ઉપરાંત ડુંગળીને પૉલી બેગમાં બાંધીને અડધો કલાક માટે ફ્રિજમાં મુકી દો. ત્યારબાદ ડુંગળી કાપો. આંસુ નહી આવે.

સાભાર: દિવ્ય ભાસ્કર


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

WHATSAPP યુઝર્સને માટે કામની હોઇ શકે છે આ 10 સીક્રેટ ટિપ્સ
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
ઘેર બેઠા ફ્રિમાં શીખો, આખુ વર્ષ રોગમુક્ત રહેવા આયુર્વેદનો આ રસાહાર કોર્ષ..!!!
30 દિવસનો ખાસ ઉપાય, હાઈટ નાની હોય કે વધતી ન હોય તો અજમાવો લો.

દુનિયાના તમામ સુખ હશે તમારા પગ નીચે, આ શક્તિથી શરીરદોષ કરો દૂર!

kundalini

-શરીરમાં સંપૂર્ણ સુખોને મહેસૂસ કરવાની શક્તિ અને જિંદગીભર નિરોગી રહેવાની કળા
-શરીરની આ શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા ચમત્કારીક પરિવર્તન!
-એક્વાર કુંડલીની જાગૃત થાય તો તે સાત ચક્રોને ભેદીને સહસ્ત્રાર સુધી પહોંચે છે. આ પ્રક્રિયા દરમ્યાન તે આપણી આધ્યાત્મિક પ્રગતીના અડચણરુપ ચક્રોમાં રહેલા દોષો દૂર કરે છે અને આપણને વૈશ્વિકચેતના સાથે જોડે છે.

આપણા પ્રાચીન ભારતીય શાસ્ત્રોના અનુસાર કુંડલીની એ મૂળ પ્રાણ તત્વ છે, જે મનુષ્યને જીવન પ્રદાન કરે છે.જ્યારે માતાનાં ગર્ભમાં બાળક ચાર મહિનાનું થાય ત્યારે આ પ્રાણ તત્વ ગર્ભમાં દાખલ થાય છે. તે બાળકનાં માથાંનાં(તાળવા નાં) ભાગમાંથી પ્રવેશ કરે છે. જેને સહસ્ત્રાર ચક્ર કહેવાય છે. કરોડરજ્જુમાં આવેલા સાત ઉર્જાશક્તિનાં મુખ્ય કેન્દ્રો(ચક્રો)નું ભેદન કરી, મધ્યનાડીમાંથી પસાર થઇ કરોડરજ્જુનાં અંતભાગમાં ત્રિકોણાકાર સ્વરુપે સ્થિર થાય છે. શરીરમાં પ્રવેશ કરતા આ શક્તિ બધાંજ ચક્રોને સક્રિય કરે છે. માતાનાં જે ચક્રો સક્રિય હોય , બાળકનાં તે ચક્રો , તે શક્તિ ગ્રહણ કરી સશક્ત બને છે અને જે ચક્રો આ ઉર્જા ને ગ્રહણ નથી કરી શક્તા તે ચક્ર કમજોર, નબળા રહે છે. સમગ્ર બ્રહ્માંડમાં પ્રાણ વ્યાપ્ત છે તે જ બધા ચક્રો અને શરીરને ઊર્જાવાન કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. પ્રાણ જ આ ગ્રહ ઉપર જીવનનો આધાર છે. ચક્ર દ્વારા પ્રાણ પ્રાપ્ત કરે છે અને તે પ્રાણને શરીરમાં પરિવર્તિત કરાવે છે અને જીવંત રાખે છે.

કેવી રીતે જાગૃત કરવી કુંડલીની-

કુંડલીનીને શક્તિપાઠ અથવા આધ્યાત્મિક વડે ગુરુ અને શિક્ષક દ્વારા જાગૃત કરી શકાય છે, એકવાર જાગૃત થયા બાદ કુંડલીનીનો ઉદ્દભવ કેન્દ્ર નાડીથી થઇને મુલાધાર ચક્ર તરફ જાગૃત થાય છે, જેને સુષ્મ્ના કહેવામાં આવે છે, જે કરોડરજ્જૂની અંદર અને બહાર હોય છે, ત્યાંથી માથા સુધી પહોંચે છે. કુંડલીની વિવિધ લેવલે એટલે કે ચક્ર પર જાગૃત થાય છે. મુલાધાર ચક્ર બાદ સ્વાધિષ્ઠાન, મણિપૂર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા અને સહસ્ત્રાર ચક્ર જાગે છે અને રહસ્યમય અનુભવ કરાવે છે. તેમાં પણ જ્યારે તે માથા સુધી એટલે કે સહસ્ત્રાર ચક્ર પાસે પહોંચ ત્યારે અનેરો રહસ્યમય અનુભવ થાય છે.

કુંડલીની જાગૃત થવાના બે પ્રકાર-

કુંડલીની મુખ્ય રીતે બે દ્રષ્ટિકોણથી જાગૃત થાય છે. એક એક્ટિવ મેથડ તેમજ બીજી પેસીવ મેથડ. એક્ટિવ મેથડ શારીરિક વ્યાયામ, એકાગ્રતા કરવાની રીત, શ્વાસોચ્છવાસની ક્રિયા અને ધ્યાન સુધી પહોંચે છે. જે પદ્ધતિ વિવિધ યોગ કરવાથી આવે છે, જેમ કે સહજા યોગ, ક્રિયા યોગ અને કુંડલીની યોગ. જ્યારે કોઇ એક વ્યક્તિમાં આ કુંડલીની શક્તિ જાગૃત થાય છે ત્યારે અન્ય વ્યક્તિને પણ તેનો અનુભવ થાય છે. આ જાગૃતિ કુંડલીની સેન્ટ્રલ ચેનલથી આગળ વધીને મસ્તિસ્ક સુધી એટલે કે સહસ્ત્રાર ચક્ર સુધી પહોંચે છે. જ્યારે આ કુંડલીની આગળ વધે છે ત્યારે તે ઠંડી અથવા ગરમ હવા હાથની હથેળીઓ પર વહેવા લાગે છે અથવા તો પગના તળિયે આવો અનુભવ થાય છે.

વાંચો મૂળાધાર ચક્રથી લઈને સંહાસ્ત્રાર ચક્ર વિશેની માહિતી અને તેના મંત્રો, તેની અસર અને ફાયદા અને તેને જાગૃત કરવાની વિધિ….

1chakra

મૂળાધાર ચક્રઃ-

આ શરીરનું પહેલુ ચક્ર છે. ગુદ્દા અને લિંગની વચ્ચે ચાર પાંખીયાવાળું આ આધાર ચક્ર છે. 99.9 ટકા લોકોની ચેતના આ ચક્ર ઉપર અટકેલી હોય છે અને તે આ ચક્રમાં રહીને મરી જાય છે. જેના જીવનમાં ભોગ, સંભોગ અને નિદ્રાની પ્રધાનતા છે, તેમની ઊર્જા આ ચક્રની આસપાસ એકત્રિત રહે છે.

મંત્રઃ- “लं”

ચક્રને જાગૃત કરવાની વિધિઃ-

મનુષ્ય ત્યાં સુધી પશુવત છે, જ્યાં સુધી તે આ ચક્રમાં રહીને જીવે છે. એટલા માટે ભોગ, નિદ્રા અને સંભોગ ઉપર સંયમ રાખીને આ ચંક્ર ઉપર લગાતાર ધ્યાન લગાવવાથી આ ચક્ર જાગૃત થવા લાગે છે.

તેને જાગૃત કરવાનો નિયમઃ-

યમ અને નિયમનું પાલન કરીને સાક્ષી ભાવમાં રહેવું.

પ્રભાવઃ-

આ ચક્રને જાગૃત કરવાથી વ્યક્તિની અંદર વીરતા, નિર્ભિકતા અને આનંદનો ભાવ જાગૃત થાય છે. સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે વીરતા, નિર્ભીકતા અને જાગરૂકતા હોવી જરૂરી છે.

2chakra

સ્વાધિષ્ઠાન ચક્રઃ-

આ એ જ ચક્ર છે, જે લિંગ મૂળથી ચાર આંગળી ઉપર સ્થિત છે. જેના છ પાંખીયા હોય છે. જો તમારી ઊર્જા આ ચક્ર ઉપર એકત્રિત છે, તો તમારા જીવનમાં આમોદ-પ્રમોદ, મનોરંજન, હરવું-ફરવું અને મોજ-મસ્તી કરવાની પ્રધાનતા રહેશે. આ બધુ કરીને તમારું જીવન ક્યારે વ્યતિત થઈ જશે તેની જાણપણ નહીં થાય અને હાથ પછી ખાલી રહી જશે.

મંત્રઃ- “वं”

કેવી રીતે જાગૃત કરશોઃ-

જીવનમાં મનોરંજન જરૂરી છે, પરંતુ મનોરંજનની આદત નહીં, મનોરંજન પણ વ્યક્તિને ચેતનાની બહોશી તરફ ધકેલે છે. ફિલ્મો સાચી નથી હોતી, પરંતુ તેની સાથે જોડાઈને તમે જે અનુભવ કરો છો તે તમને બેહોશ જીવન જીવવાનું પ્રમાણ છે. નાટક અને મનોરંજન સત્ય નથી હોતા.

અસરઃ-

તેને જાગૃત કરવાથી ક્રૂરતા, ગર્વ, આળશ, પ્રમાદ, અવજ્ઞા, અવિશ્વાસ વગેરે દુર્ગુણોનો નાશ થાય છે. સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે જરૂરી છે કે ઉક્ત બધા દુર્ગુણોને સમાપ્ત કરવામાં આવે, ત્યારે જ સિદ્ધિઓ તમારા દ્વારા ખખડાવશે.

3chakra

મણિપુર ચક્રઃ-

રક્ત વર્ણનું આ ચક્ર શરીરની અંદર મણિપુર નામનું ચક્ર ત્રીજુ ચક્ર છે. જે દસ પાંખીયાથી યુક્ત હોય છે. જે વ્યક્તિની ચેતના કે ઊર્જા અહીં એકત્રિત છે. તેને કામ કરવાની ધુન- જેવું રહે છે. એવા લોકોને કર્મયોગી કહે છે. આ લોકો દુનિયાનું દરેક કામ કરતા માટે તૈયાર રહે છે.

મંત્રઃ- “रं”

કેવી રીતે જાગૃત કરવું-

તમારા કાર્યને સકારાત્મક આયામ આવતા માટે આ ચક્ર ઉપર ધ્યાન લગાવવું પડશે. પેટથી શ્વાસ લો.

પ્રભાવઃ-

તેની સક્રિયતાથી તૃષ્ણા, ઈર્ષા, ચુગલી, શરણ, ભય, ઘૃણા, મોહ વગેરે કષાય-કલ્મષ દૂર થઈ જાય છે. આ ચક્ર મૂળ રીતે આત્મશક્તિ પ્રદાન કરે છે. સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે આત્મવાન હોવું જરૂરી છે. આત્મવાન બનવા માટે આ અનુભવ કરવો જરૂરી છે કે તમે શરીર નહીં, આત્મા છો. આત્મશક્તિ, આત્મબળ અને આત્મસન્માનની સાથે જીવનનું કોઈપણ લક્ષ્ય દુર્લભ નથી.

4chakra

અનાહત ચક્રઃ-

હૃદય સ્થળમાં આવેલ સ્વર્ણિત વર્ણનું દ્વાદાશ દળ કમળની પંખુડીઓથી યુક્ત બાર સ્વર્ણાક્ષરોથી સુશોભિત ચક્ર જ અનાહત ચક્ર છે. જો તમારી ઊર્જા અનાહતમાં સક્રિય છે, તો તમે એક સર્જનશીલ વ્યક્તિ હશો. દરેક ક્ષણે તમે કંઈક ને કંઈ નવું વિચારો છો. તમે ચિત્રકાર, કવિ, વાર્તાકાર, એન્જિનિયરિંગ વગેરે હોઈ શકો છો.

મંત્રઃ- “यं”

કેવીરીતે જાગૃત કરશોઃ-

હૃદય ઉપર સંયમ કરવા અને ધ્યાન લગાવવાથી આ ચક્ર જાગૃત થવા લાગે છે. ખાસ કરીને રાતે સૂતા પહેલા આ ચક્ર ઉપર ધ્યાન લગાવવાથી આ અભ્યાસથી જાગૃત થવા લાગે છે અને સુષુમ્ના આ ચક્રને ભેદીને ઉપર ગમન કરવા લાગે છે.

પ્રભાવઃ-

તેને સક્રિય કરવાથી લિપ્સા, કપટ, હિંસા, કુતર્ક, ચિંતા, મોહ, દંભ, અવિવેક અને અહંકાર સમાપ્ત થઈ જાય છે. આ ચક્રને જાગૃત કરવાથી વ્યક્તિની અંદર પ્રેમ અને સંવેદનાનું જાગરણ થાય છે. તેને જાગૃત કરવાથી વ્યક્તિને સમયજ્ઞાન આપમેળે જ પ્રગટ થવા લાગે છે. વ્યક્તિ અત્યંત આત્મવિશ્વસ્ત, સુરક્ષિત, ચારિત્રિક રૂપે જવાબદાર અને ભાવનાત્મક રીતે સંતુલિત વ્યક્તિત્વ બની જાય છે. એવો વ્યક્તિ અત્યંત હિતૈષી તથા વગર કોઈ સ્વાસ્થે માનવતા પ્રેમી તથા સર્વપ્રિય બની જાય છે.

5chakra

વિશુદ્ધ ચક્રઃ-

કંઠમાં સરસ્વતીનું સ્થાન છે, જ્યાં વિશુદ્ધ ચક્ર છે જે કોળ પાખીયાથી યુક્ત હોય છે. સામાન્ય રીતે જો તમારી ઊર્જા આ ચક્રની આસપાસ એકત્રિત હોય તો તમે અતિ શક્તિશાબી બની શકો છો.

મંત્રઃ-“हं”

કેવી રીતે જાગૃત કરવું-

કંઠમાં સંયમ કરવા અને ધ્યાન લગાવવાથી આ ચક્ર જાગૃત થવા લાગે છે.

પ્રભાવઃ-

તેને જાગૃત કરવાથી કોળ કલાઓ અને સોળ વિભૂતિઓનું જ્ઞાન થઈ જાય છે. તેને જાગૃત કરવાથી જ્યાં ભૂખ અને તરસને રોકી શકાય છે તો મોસમની અસરને પણ અટકાવી શકાય છે.

6chakra

આજ્ઞાચક્રઃ-

ભૂમધ્ય(બંને આંખોની વચ્ચે ભૃકુટી)માં આજ્ઞાચક્ર છે. સમાન્ય રીતે જે વ્યક્તિની ઊર્જા અહીં વધુ સક્રિય હોય છે તે એવો વ્યક્તિ બૌદ્ધિક રીતે સંપન્ન, સંવેદનશીલ અને તેજ મગજનો બની જાય છે. પરંતુ તે બધુ જ જાણવા છતાં મૌન બની રહે છે. બૌદ્ધિક સિદ્ધં કહે છે.

મંત્રઃ- “ऊं”

કેવી રીતે જાગૃત કરી શકાય-

ભૃકુટીની મધ્યમાં ધ્યાન લગાવવાથી સાક્ષી ભાવમાં રહેવાથી આ ચક્ર જાગૃત થવા લાગે છે.

અસરઃ-

અહીં અપાર શક્તિઓ અને સિદ્ધિઓ નિવાસ કરે છે. આ આજ્ઞાચક્રને જાગૃત કરવાથી આ બધી શક્તિઓ પણ જાગૃત થઈ જાય છે અને વ્યક્તિ એક સિદ્ધપુરુષ બની જાય છે.

7chakra

સંહસ્ત્રાર ચક્રઃ-

સહસ્ત્રારની સ્થિતિ મસ્તિષ્કના મધ્યમ ભાગમાં અર્થાત્ જ્યાં ચોટલી રાખીએ છીએ ત્યાં હોય છે. જો વ્યક્તિ યમ, નિયમનું પાલન કરીને અહીં સુધી પહોંચી ગયું હોય તે આનંદમય શરીરમાં સ્થિત થઈ ગયું છે. એવી વ્યક્તિ સંસાર, સંન્યાસ અને સિદ્ધિઓ સાથે કોઈ મતલભ નથી રહેતો.
કેવી રીતે જાગૃત કરી શકાય.
મૂળાધારથી સહસ્ત્રાચાર સુધી પહોંચી શકાય છે. લગાતાર ધ્યાન કરવાથી આ ચક્ર જાગૃત થઈ જાય છે અને વ્યક્તિ પરમહંસનું પદને પ્રાપ્ત કરી લે છે.

અસરઃ-

શરીરની સંરચનામાં આ સ્થાન ઉપર અનેક મહત્વપૂર્ણ વિદ્યુતીય અને જૈવિય વિદ્યુતનો સંગ્રહ છે. આ જ મોક્ષનું દ્વાર છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!

રાશી મુજબ જાણો યુવતીઓ નો પ્રેમ પ્રત્યેનો અભિગમ. રાશિ મુજબ પસંદ કરો તમારી ગર્લફ્રેન્ડ

જાણો…અંકશાસ્ત્ર પ્રમાણે તમે કેટલાં રોમેન્ટિક છો?કેવો રહેશે તમારો પ્રેમ સંબંધ!
શું તમે તમારા પાર્ટનરની પ્રિય આઇસ્ક્રીમ ફ્લેવરને જાણો છો તો જાણો તેમની પર્સનાલિટી અને સ્વભાવને પણ.

જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

સાવધાન: કેટલી હદે ખતરનાક છે તમાકુનો ચસ્કો, તમાકુ નિષેધ દિને એકવાર સમજી લેવું

tamaku1

આપણા શરીર માટે વ્યસન કેટલું હાનિકારક છે અને તે સ્વાસ્થ્યને કેટલું ગંભીર નુકસાન પહોંચાડે છે. ગુટકા, તમાકુ, સિગારેટ જેવા વ્યસન જીવલેણ સાબિત થઇ શકે છે. આ અંગે સમાજમાં જાગૃતિ આવે એ હેતુથી વિશ્વ આરોગ્ય સંસ્થાએ 31મી મેના દિવસે ‘તમાકુ નિષેધ દિન’ જાહેર કર્યો છે. વ્યસન કોઇપણ હોય તેને છોડવું અઘરું નથી પરંતુ જરૂર છે માત્ર ઇચ્છાશક્તિની. વ્યસન છોડવા ઇચ્છતી વ્યક્તિને વ્યસનમુક્તિ કેન્દ્રમાં લઇ જવામાં આવે છે, ત્યાં દવા-ઇન્જેક્શન, ગ્રૂપ થેરપી, ફેમિલી થેરપી અને મનોચિકિત્સકની યોગ્ય સલાહ આપવામાં આવે છે. આ દ્વારા તમાકુનું વ્યસન છૂટી જાય છે. પરંતુ દારૂનું વ્યસન છોડાવવા માટે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરીને જ સારવાર આપવામાં આવે છે. જેથી દર્દી સતત દેખરેખ નીચે રહેવાથી કેફી દ્રવ્યનું સેવન ન કરી શકે.

ધીમા ઝેર સમાન વ્યસનને ત્યજી દેવાના ફાયદા, વ્યસનની કાળી વાસ્તવિકતા વિશે……

તમાકુની બનાવટોની ચીજવસ્તુઓ એવી છે કે જેને જાહેરખબરની જરૂર પડતી નથી. તેની જાહેરખબર ન આવે તો પણ વેચાય છે અને આવે તો વધારે વેચાય છે. તેનું કારણ માત્ર વ્યસન ધરાવનારા લોકોની માનસિકતા છે. માનસિકતા એટલા માટે કે માનસિક રીતે વ્યસની લોકો તમાકુ, પાન, બીડી, સિગારેટની આદત માટે મનને મજબૂત રીતે મનાવી લેતાં હોય છે. આને કારણે વ્યસનોના વેચાણ માટે જાહેરખબરની જરૂર પડતી નથી. ખરેખર તો વ્યસનની કુટેવ એ પોતાના મન અને આત્મવિશ્વાસ પર કાબૂ નહીં મેળવી શકવાનું પરિણામ અને નિશાની છે.

શરૂઆતમાં માનસિક અવસ્થાને લીધે જેમ કે મિત્રોનાં વર્તુ‌ળમાં બધા જ મિત્રો બીડી, સિગારેટ કે પછી તે વ્યક્તિને તેના બંધનમાં જકડી લેશે અને તે તેનો ગુલામ બનીને રહેશે. તેના વગર તેને ચાલશે જ નહીં. ઘણા લોકોને ખોટો ખ્યાલ હોય છે કે તમાકુનું સેવન કરવાથી કામ કરવાની શક્તિ વધે છે. માનસિક શાંતિ માટે, સારી ઊંઘ આવે એટલે તે તમાકુનું સેવન કરે છે. તમાકુ ઉત્તેજકનું કામ કરે છે એ હકીકત છે પરંતુ તેની સામે બીજાં અનેક ભયસ્થાનો છે. તેને ધીમું ઝેર કહેવામાં આવે છે. જે ધીરે ધીરે વ્યક્તિને ઉંમર કરતાં પહેલાં મરણના મુખમાં ધકેલી દે છે.

વ્યસનમુક્ત થયા પછી ક્યારે અને કેટલો ફાયદો થાય?

– 20 મિનિટ પછી નાડીના ધબકારા પૂર્વવત્ થાય છે એવી જ રીતે લોહીનું દબાણ 15થી 20 મિનિટ બાદ પૂર્વવત્ થાય છે.

– આઠ કલાક પછી કાર્બન મોનોક્સાઇડ નામના તીવ્ર ઝેરનું પ્રમાણ નહીંવત્ થઇ જાય છે અને લોહીની ઓક્સિજન વહન કરવાની ક્ષમતા પહેલાં જેટલી જ થઇ જાય છે.

-લગભગ ચોવીસ કલાક પછી હૃદયરોગનો હુમલો થવાની શક્યતા ઘટે છે.

– અડતાલીસ કલાક પછી જ્ઞાનતંતુને થયેલ નુકસાન ઓછું થાય છે પરંતુ એકદમ સારું થઇ જતું નથી. જો ચાલવામાં તકલીફ પડતી હોય તો એમાં ધીરેધીરે ઘટાડો થાય છે.

-ત્રણ મહિના પછી લોહીનું પરિભ્રમણ પૂર્વવત્ થાય છે. પહેલાં કરતાં ફેફસાંની તાકાતમાં 30 ટકા જેટલો વધારો થાય છે.

– વ્યસન કરતા હોય એ દરમિયાન દર્દીને સામાન્ય રીતે શરદી, કફ, ઉધરસ, શ્વાસની તકલીફ અને ફેફસાંના રોગો થતા હોય છે. વ્યસનમુક્ત થયા બાદ આશરે નવથી બાર મહિના પછી એમાં રાહત થતી જોવા મળે છે.

– એક વર્ષ પછી હૃદયરોગનો હુમલો આવવાની શક્યતા અડધી થઇ જાય છે.

વ્યસનની વરવી વાસ્તવિક્તા

-અમદાવાદમાં દર વર્ષે લગભગ 7700 જેટલાં મોઢાના કેન્સરના કેસ નોંધાય છે. આ આંકડો આખા દેશમાં સૌથી વધારે છે.

-ફક્ત અમદાવાદમાં જ 29.4 ટકા યુવાનો તમાકુનો ઉપયોગ કરે છે.

– ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આશરે 18.4 ટકા યુવાનો ગુટકાનો ઉપયોગ કરે છે. યુવાનોમાં ગુટકા ખાવાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે.

-46.2 ટકા પુરુષો અને 11.3 ટકા સ્ત્રીઓ તમાકુનું સેવન કરે છે, એટલે કે હવે મહિલાઓમાં તમાકુ ખાવાનું ચલણ વધતું જાય છે.

-ભારતમાં ટોટલ 21 ટકા યુવાનો તમાકુનું સેવન કરે છે.

– દર વર્ષે ગુજરાતમાં ટોટલ 45000 કેન્સરના કેસ નોંધાય છે તેમાંથી ફક્ત 16000 કેસ તો મોઢાના કેન્સરના જ હોય છે.

– મોઢાના કેન્સરમાં મોટાભાગના દર્દીઓ 20-35 વર્ષની ઉંમરના હોય એવું જોવા મળ્યું છે.

-ગુજરાતમાં ટાટા ઇન્સ્ટિટ્યુટ એક ફન્ડામેન્ટલ રિસર્ચના ડોક્ટરોનું કહેવું છે કે કેન્સરના દરેક દસ રોગીઓમાંથી નવ રોગીઓ તમાકુ કે ગુટકા ખાનારા હોય છે.

-ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલના સર્વે પ્રમાણે ભારતમાં 12 વર્ષની ઉંમરેથી જ 17 કરોડ પુરુષો અને 8 કરોડ મહિલાઓ તમાકુનું સેવન શરૂ કરી દે છે.

– WHOના સર્વે પ્રમાણે દર વર્ષે 12 કરોડ લોકો તમાકુનું સેવન કરે છે.

– ભારતમાં દર પાંચ મૃત્યુમાંથી એક મૃત્યુનું કારણ તમાકુ છે. એટલે કે કુલ મૃત્યુના 21 ટકા લોકોના મૃત્યુ માટે તમાકુ જવાબદાર એવું એક સર્વેમાં જાણવા મળ્યું છે.

તમાકુ: ધીમા ઝેર સમાન દ્રવ્ય

તમાકુનો વ્યસન તરીકે ઉપયોગ કરવાથી શરીરને કોઇ ફાયદો થયો હોય એવું આજ સુધી જાણવામાં આવ્યું નથી. પરંતુ તેનું વ્યસન પડી જાય પછી તેના વિના ચાલતું નથી.તમાકુનું વ્યસન તાત્કાલિકપણે શરીરમાં જાગૃતિ પેદા કરતું હોય એવું લાગે પણ તેની ઝેરી અસર શરીરને અનેક રોગોનું ઘર બનાવી શકે છે.

તમાકુ કે જેને ટોબેકો પણ કહેવામાં આવે છે. આ એક વ્યસન થઇ પડે એવું હાનિકારક દ્રવ્ય છે. એક વખત તમાકુ ખાવાની લત લાગી ગયા પછી એ લત વ્યસનને છોડવા માટે મહા મહેનત કરવી પડે છે પણ પ્રયત્ન કરવાથી તમાકુનું વ્યસન છુટી જાય છે ખરું.

એ માટે તમારો ધૂમ્રપાન છોડવાનો દિવસ નક્કી કરો. નક્કી કરેલા દિવસે ધૂમ્રપાન સદંતર મૂકી દો. એના થોડા દિવસો અગાઉથી સિગારેટની સંખ્યા ઘટાડતા જાઓ. દરેક વખતે માત્ર અડધી જ બીડી કે સિગારેટ પીઓ, બાકીની ફેંકી દો. સિગારેટ કે બીડીના પેકેટને એવી જગ્યાએ મૂકો કે સરળતાથી મળે જ નહીં. સિગારેટને બદલે મોંમાં ચ્યુઇંગમ, ચોકલેટ, સોપારી, ઇલાયચી કે લવિંગ રાખીને મમળાવો. આ રીતે ઘણા દર્દીઓ વ્યસનથી મુક્ત થઇ જતા હોય છે. એટલે કે ‘કાેઇ પણ વસ્તુ નિષ્ફળ નથી જ!’ જો પ્રયત્ન કરવામાં આવે તો કોઇપણ વ્યસનમાંથી મુક્તિ મળી જ જાય છે.

આર્યુવેદિક ડો. પ્રાર્થના મહેતા કહે છે કે, હાલમાં તમાકુ એક જબરા વ્યસનની વસ્તુ થઇ પડી છે. કિશારાવસ્થામાં પ્રવેશેલા છોકરાઓ શોખ ખાતર ગુટકા અને સિગારેટના વ્યસને ચડેલા જોવા મળે છે. તમાકુમાં નિકોટીન નામનું ઝેરી તત્ત્વ છે. જેનાથી આંખોનું તેજ ઓછું થઇ જવું, પિત્ત વધવું, નશો ચઢવો, ઊલટી થવી, ચક્કર આવવાં વગેરે જેવી સમસ્યાઓ થઇ શકે છે. તમાકુને વ્યસન તરીકે નિત્ય ખાવાથી, પીવાથી કે સૂંઘવામાં તેનો ઉપયોગ કરવાથી શરીરને કોઇ ફાયદો થયો હોય એવું આજ સુધી જાણવામાં આવ્યું નથી. પરંતુ તેનું વ્યસન પડી જાય પછી તેના વિના ચાલતું નથી. તમાકુનું વ્યસન તાત્કાલિકપણે શરીરમાં જાગૃતિ પેદા કરતું હોય એવું લાગે પણ તેની ઝેરી અસર શરીરને અનેક રોગોનું ઘર બનાવી શકે છે. આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક એવું તમાકુ ક્યારેક કેન્સર પણ નોતરી શકે છે.

આ એક એવું હાનિકારક દ્રવ્ય છે કે જે માત્ર ખાવાથી જ નહીં પણ દાંતે ઘસવાથી, બીડી સિગારેટ કે હુક્કામાં પીવાથી પણ ઝેરી લક્ષણો ઉત્પન્ન થઇ શકે છે. જેને તમાકુની ટેવ ના હોય અને તેને જરા જેટલી પણ જો તમાકુ ખાવામાં આવે તો માથામાં દુખવું, ચક્કર આવવાં જેવી ઝેરી અસર થઇ જાય છે. તમાકુની ઝેરી અસરમાં નાડી જલદી જલદી ચાલવી, ચક્કર આવવાં, ઊલટી થવી, પેટમાં બળતરા થવી, શરીરમાં દુખાવો થવો, શરીર ઢીલું થઇ જવું અને ક્યારેક મૃત્યુ પણ થઇ શકે છે. બહુ તમાકુના વ્યસની લોકોમાં તમાકુની ઝેરી અસરથી મૃત્યુ થવાના દાખલા પણ છે.
આમ આપણા આરોગ્યને હંમેશાં નિરોગી, સ્વસ્થ રાખવું હોય તો તમાકુ જેવાં હાનિકારક દ્રવ્યો, વ્યસનથી મુક્ત રહેવું જોઇએ અને કદાચ તમાકુનું વ્યસન થઇ ગયું હોય તો વ્યસનમાંથી મુક્તિ મેળવવાનો પ્રયત્ન કરવો જોઇએ.

ધૂમ્રપાન અને મૃત્યુ

– ભારતમાં દર વર્ષે આશરે 10 લાખ અને દરરોજ લગભગ 3 હજાર લોકો મૃત્યુ પામે છે.

– દુનિયામાં ધૂમ્રપાન કરનારાની સંખ્યા ખૂન કરતાં 54 ગણી વધુ છે અને આપઘાત કરતાં-30 ગણી વધુ છે.

– સંશોધન દ્વારા એવું જાણવા મળ્યું છે કે ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધારે છે પરંતુ એમાં મોટાભાગના દર્દીઓ દવા અને કસરત દ્વારા ડાયાબિટીસ પર કાબૂ મેળવે છે. તેથી ડાયબિટીસના દર્દીઓ કરતા તમાકુનું સેવન કરનારા દર્દીનો મૃત્યુ આંક 18 ગણો વધારે છે. એવી જ રીતે અકસ્માતથી થતાં મૃત્યુ કરતાં પણ ધૂમ્રપાનનું સેવન કરનારાનું પ્રમાણ 12 ઘણી વધારે છે.

– ભારતમાં અત્યારે બે કરોડ તમાકુના વ્યસની છે અને દર વર્ષે 10 લાખ નવાં બાળકો વ્યસન કરતા શીખે છે.

– તમાકુ દર વર્ષે ગરીબોના ખિસ્સામાંથી રૂા. 6000 કરોડ લઇ લે છે.

-ગુજરાતમાં દરરોજ 244 નવાં બાળકો અને ભારતમાં 5400 નવાં બાળકો ધૂમ્રપાન કરતા શીખે છે.
Á દર પાંચ મૃત્યુમાંથી એક મૃત્યુનું કારણ તમાકુ છે એટલે કે કુલ મૃત્યુના 21 ટકા મૃત્યુ માટે તમાકુ કારણભૂત છે.

– દર વર્ષે આશરે 20 હજાર પગ તમાકુને લીધે કપાવવા પડે છે.

– હૃદયરોગ માટેની બાયપાસ સર્જરી કરાવવા બેથી અઢી લાખ રૂપિયાની જરૂર પડે છે.

– તમાકુને તૈયાર કરવામાં દર વર્ષે 9 કરોડ વૃક્ષો બાળી નાખવામાં આવે છે.

– જો એકીસાથે 60 મિ.ગ્રા. નિકોટીન લેવામાં આવે તો માણસનું મૃત્યુ થઇ શકે છે.

– તમાકુને લીધે ભારતમાં જ નહીં પરંતુ દુનિયામાં સહુથી વધારે મોઢાના કેન્સરના દર્દીઓ છે.

તમાકુ અને વાસ્તવિકતા

-ભારતમાં દર વર્ષે આશરે 520 મિલિયન કિ.ગ્રા. તમાકુ પેદા થાય છે. એમાંથી 85 મિલિયન કિ.ગ્રા. તમાકુ નિકાસ થાય છે.

-આશરે 85 મિલિયન કિ.ગ્રા. તમાકુનો ઉપયોગ પૈસાદાર લોકો કરે છે. જ્યારે 350 મિલિ કિ.ગ્રા. જેટલા તમાકુનો ઉપયોગ ગરીબ લોકો કરે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

WHATSAPP યુઝર્સને માટે કામની હોઇ શકે છે આ 10 સીક્રેટ ટિપ્સ
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
ઘેર બેઠા ફ્રિમાં શીખો, આખુ વર્ષ રોગમુક્ત રહેવા આયુર્વેદનો આ રસાહાર કોર્ષ..!!!
30 દિવસનો ખાસ ઉપાય, હાઈટ નાની હોય કે વધતી ન હોય તો અજમાવો લો.

ખાવાનું ના બગાડો: દેશમાં 19.4 કરોડ લાચાર લોકો આજે પણ ભૂખ્યા સુવે છે…!!

bhukh1

– વિશ્વભરમાં આ સંખ્યા 2014-15માં ઘટીને 79.5 કરોડ થઈ ગઈ છે

– ચીનમાં 1990-92માં 28.9 કરોડ હતી, જે 2014-15માં ઘટીને 13.38 કરોડ થઈ ગઈ છે

સંયુક્ત રાષ્ટ્રનાં રિપોર્ટ પ્રમાણે, દુનિયામાં સૌથી વધારે 19.4 કરોડ લોકો ભારતમાં ભૂખમરાનો શિકાર છે. આ સંખ્યા ચીન કરતા વધારે છે.

સંયુક્ત રાષ્ટ્રનાં ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન(AFO)એ પોતાના રિપોર્ટ ‘ધ સ્ટેટ ઈનસિક્યોરિટી ઈન ધ વર્લ્ડ 2015’માં આ વાત કહી છે. તેના પ્રમાણે વિશ્વભરમાં આ સંખ્યા 2014-15માં ઘટીને 79.5 કરોડ થઈ ગઈ હતી જે 1990-92માં એક અબજ હતી.

જો કે ભારતમાં પણ 1990 તથા 2015 દરમ્યાન ભૂખ્યા રહેતા લોકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. 1990-92માં આ સંખ્યા 21.01 કરોડ હતી, જે 2014-15માં ઘટીને 19.46 કરોડ થઈ છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભારતે પોતાની જનસંખ્યામાં ભોજનથી વંચિત રહેતા લોકની સંખ્યા ઘટાડવા માટે મહત્વના પ્રયાસો કર્યા છે, પરંતુ એએફઓ અનુસાર હજુ પણ ત્યા 19.4 કરોડ લોકો ભૂખ્યા સુવે છે. ભારતમાં અનેક સામાજિક કાર્યક્રમ ભૂખ અને ગરીબી વિરુદ્ધ લડતા રહેશે, એવી આશા છે.’

જો કે આ યાદીમાં ચીનમાં ભૂખ્યા ઉંઘતા લોકોની સંખ્યામાં મોટાપ્રમાણમાં ઝડપી ઘટાડો નોંધાયો છે. ચીનમાં આ સંખ્યા 1990-92માં 28.9 કરોડ હતી, જે 2014-15માં ઘટીને 13.38 કરોડ થઈ ગઈ છે.

રિપોર્ટ પ્રમાણે, AFOની આગેવાનીનાં દાયરામાં આવતા 129 દેશોમાંથી 72 દેશોએ ગરીબી નાબૂદી વિશે મિલેનિયમ વિકાસ લક્ષ્યોને હાંસલ કરી લીધા છે.

સાભાર: ગુજરાત સમાચાર 


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…સુવાવડ, પેશાબ, શ્વેત પ્રદર, નબળાઈ જેવા સ્ત્રી રોગો માટે 25+ ઘરેલૂ નુસખા

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

મોટી ઉંમરે થતાં ડાયાબિટીસથી બચવા, અપનાવો આ જીવનશૈલી+5 ઉપાય

diabetes8

આપણાં દેશમાં પુખ્તવયે થતો (ટાઇપ-૨) ડાયાબિટીસ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. જેમ જેમ શહેરીકરણ વધતું જાય છે અને જેમ જેમ શારીરિક શ્રમ ઘટતો જાય છે, તેમ તેમ ડાયાબિટીસનું પ્રમાણ વધે છે. બેઠાડું જીવન, વધુ વજન તથા મોટી ફાંદ ડાયાબિટીસના નિમંત્રક છે. મોટે ભાગે હસવામાં જે મુદ્દાઓ લોકો ઉડાડી દે છે, તે વધુ વજન અને મોટી ફાંદ જ હસવામાંથી ખસવું કરી નાંખે છે અને વ્યક્તિને ડાયાબિટીસનો શિકાર બનાવી દે છે. ઘી-તેલ-માખણ-મલાઇ-માંસાહાર-ચીઝ વગેરેમાંથી બીજા કોઇ પણ ખોરાક કરતાં બમણાંથી પણ વધારે કેલરી મળે છે. જ્યારે શરીરની જરૂરિયાત કરતાં વધુ કેલરી શરીરમાં જાય ત્યારે વધારાની કેલરી શરીરની અંદર ચરબીના સ્વરૂપે શરીરમાં જમા થાય છે. જેથી તે વ્યક્તિ ડાયાબિટીસની ઝપટમાં આવી જાય છે. જેથી આજે અમે તમને પુખ્ત વયે થતા ડાયાબિટીસના રોગથી કઈ રીતે બચી શકાય તે વિશે બતાવીશું.

વાંચો પુખ્ત વયે ડાયાબિટીસ ન થાય તેના માટે શું કરવું જોઈએ…..

કેટલાંક લોકોના મનમાં એવી ખોટી માન્યતા ઘર કરી ગઇ હોય છે કે ડાયાબિટીસની બીમારી તો વધુ ગળપણ ખાનાર ને જ થાય! હકીકતમાં ડાયાબિટીસની બીમારી નોંતરવામાં ગળપણ કરતાં વધુ ખતરનાક ભૂમિકા ચરબીની હોય છે. ચરબી એટલે કે ઘી-તેલ-માખણ-મલાઇ-માંસાહાર-ચીઝ વગેરેમાંથી બીજા કોઇ પણ ખોરાક કરતાં બમણાંથી પણ વધારે કેલરી મળે છે. જ્યારે શરીરની જરૂરિયાત કરતાં વધુ કેલરી શરીરમાં જાય ત્યારે વધારાની કેલરી શરીરની અંદર ચરબીના સ્વરૂપે શરીરમાં જમા થાય છે. જેમ જેમ પેટની આસપાસ ચરબી જમા થયા કરે તેમ તેમ પેટનો ઘેરાવો વધતો જાય છે.

પેટના અવયવોની આસપાસ ભેગી થયેલી ચરબી ઇન્સ્યુલીન નામના, ગ્લુકોઝ (શુગર)નું શરીરમાં નિયંત્રણ કરતાં, અંત:સ્ત્રાવની અસર ઘટાડી નાંખે છે. શરીરમાં પૂરતાં પ્રમાણમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન થતું હોવા છતાં પેટની આસપાસ જમાં થયેલી ચરબીએ ઇન્સ્યુલિનને સારી રીતે કામ કરવા નથી દેતી જેને પરિણામે પુખ્ત વયે ડાયાબિટીસની બીમારી ઉદભવે છે.

મોટા ભાગના શહેરના યુવાનો જ્યાં સુધી શાળા-કોલેજમાં હોય ત્યાં સુધી શારીરિક રીતે વધુ સક્રિય હોય છે. પરંતુ પચ્ચીસેક વર્ષની આસપાસથી એમની શારીરિક સક્રિયતા ઘટતી જાય છે અને પેટનો ઘેરાવો વધતો જાય છે. ત્રીસ-પાંત્રીસ વર્ષે શરીરની બેડોળતા સ્વરૂપે ફાંદ દેખાવા માંડે છે. શરીરનું વજન ભલે બહું વધુ ન હોય પણ ફાંદ દેખાવા લાગે એટલે કે પેટનો ઘેરાવો વધવા લાગે એટલે ડાયાબિટીસનું જોખમ પણ વધતું જાય છે.

કસરતનો અભાવ અને ખોરાકમાં વધુને વધુ ચરબી ઘરાવતાં ફરસાણ, ફાસ્ટ ફૂડ કે અન્ય ફેશનેબલ ચરબીયુક્ત ખોરાક લેવાથી ચાલીસેક વર્ષની આસપાસ ડાયાબિટીસની બીમારી લાગુ પડી જાય છે. કેટલાંય શહેરી બાળકો પણ યોગ્ય માવજતને અભાવે એકદમ સ્થૂળ અને જાડા થઇ જાય છે. પૂરતી શારીરિક રમત કે કસરતનો અભાવ અને ખોરાકની બેકાળજી નાનપણમાં જ બાળકના શરીરને રોગીષ્ઠ બનાવી દે છે.

ડાયાબિટીસ અટકાવવા માટેના અગત્યના પગલાં

જો નાનપણથી સ્વાસ્થ્ય માટે યોગ્ય કાળજી લેવામાં આવે તો ડાયાબિટીસને ચોક્કસપણે અટકાવી શકાય છે. ડાયાબિટીસ અટકાવવા માટે નીચે જણાવેલ સાદા પરંતુ ખુબ જ અગત્યના પગલાં લેવા જોઇએ.

1. કુટુંબમાં ડાયાબિટીસનો ઇતિહાસ

જે વ્યક્તિના મા-બાપ, દાદા-દાદી, કાકા-ફૂઈ, માસી કે મામાને ડાયાબિટીસની બીમારી હોય તેમને ડાયાબિટીસ થવાની શક્યતા અન્ય લોકો કરતાં વધુ હોય છે. એટલે દરેક વ્યક્તિએ પોતાના કુટુંબમાં કોને કોને ડાયાબિટીસ છે; એ દરેકને કંઇ ઉંમરે લાગુ પડ્યો હતો અને એમાંથી કોણ વધુ વજન કે મોટુ પેટ ધરાવે છે તે જાણી લેવી જરૂરી છે. જો કુટુંબમાં ઘણાં લોકોને ડાયાબિટીસ હોય તો એ વ્યક્તિએ વિશેષ કાળજી રાખવી જોઇએ. યોગ્ય કાળજીથી કુટુંબમાં ડાયાબિટીસની બીમારી હોવા છતાં ૮૮% જેટલાં કિસ્સાઓમાં ડાયાબિટીસને ચોક્કસપણે અટકાવી શકાય છે.

2. આદર્શ વજન જાળવી રાખો

જરૂર કરતાં વધારે ચરબી શરીરમાં જમા થાય ત્યારે વ્યક્તિનું વજન વધે છે. આદર્શ વજન કરતાં જેમ જેમ વજન વધતું જાય તેમ તેમ ડાયાબિટીસ થવાની શક્યતા વધે છે. વ્યક્તિનું આદર્શ વજન કેટલું હોવું જોઇએ તે એની ઊંચાઇના આધારે નક્કી થાય છે. ભારતીય પુરૂષોમાં વ્યક્તિનું આદર્શ વજન =(૨૧) ગુણ્યા (મીટરમાં માપેલ ઊંચાઇનો વર્ગ). એટલે કે પાંચ ફૂટ (=૧.૫ મીટર) ઊંચાઇ ધરાવતાં વ્યક્તિનું આદર્શ વજન = (૨૧) ગુણ્યા (૧.૫) ગુણ્યા (૧.૫) એટલેકે ૪૭.૨૫ કિલોગ્રામ! આ વિષયની વધુ માહિતિ જીવનશૈલી સંપૂટની ‘મેદવૃદ્ધિ’ નામની પુસ્તિકામાં મળી શકશે. જેમનું વજન વધારે હોય છે તેઓ જો માત્ર પોતાના કુલ વજનમાંથી પાંચથી દશ ટકા જેટલું વજન ઘટાડી શકે તો ડાયાબિટીસ થવાની શક્યતા ૫૮ ટકા જેટલી ઘટી શકે છે. બીજા શબ્દોમાં સીત્તેર કિલો વજન ધરાવનાર જાડી વ્યક્તિ પોતાના વજનમાં ચારથી સાત કિલો જેટલો ઘટાડો છ મહિનાના ગાળામાં કરી શકે અને પછી એટલું વજન જાળવી રાખે તો ડાયાબિટીસ થવાની શક્યતા અડધી થઇ જશે.

3. શારીરિક સક્રિયતા

શારીરિક સક્રિયતા વધારવાથી પણ ડાયાબિટીસને અટકાવવામાં મદદ મળે છે. રોજની ઓછામાં ઓછી ત્રીસ મિનિટ ઝડપથી ચાલવાની કે અન્ય કસરત કરવાથી ડાયાબિટીસને થતો જ અટકાવી શકાય છે. વજન ઘટાડવા માટે પણ વધુને વધુ શારીરિક સક્રિયતા ઉપયોગી થાય છે. ચાલવાની કસરત કરવા ઉપરાંત દિવસભર જ્યાં મોકો મળે ત્યાં શરીરને હલન ચલન આપતાં રહેવું ઉપયોગી થાય છે.

4. સપ્રમાણ પેટ

તમારા શરીરમાં પેટના ભાગે જમા થયેલી ચરબી તમને અનેક બીમારી આપે છે. સાદી માપપટ્ટીની મદદથી તમે તમારા પેટનો ઘેરાવો જાતે જ માપી શકો છો. ભારતીય લોકોમાં પેટનો ઘેરાવો ૮૦ કે ૮૫ સે.મી.થી ઓછો હોય તો ડાયાબિટીસ જેવી બીમારી થવાની શક્યતા ખુબ ઓછી રહે છે. આ અંગે વધુ સંશોધન ચાલુ છે અને ભારતીય પુરૂષ અને સ્ત્રીના પેટના આદર્શ ઘેરાવાના ચોક્કસ માપ થોડા સમયમાં નક્કી થઇ શકશે.

5. નિયમિત તબીબી તપાસ

૩૫ થી ૪૫ વર્ષની વયના લોકોએ ડાયાબિટીસ ને થતો જ અટકાવવા માટે નિયમીત દાકતરી તપાસ કરાવતા રહેવું જોઇએ. ડોકટરની સલાહ મુજબ ભૂખ્યા પેટે અને જમીને (અથવા ગ્લૂકોઝ પીને) બે કલાકે લોહી પેશાબમાં શુગરનું પ્રમાણ મપાવતા રહેવું જોઇએ. જેમનું વજન કે પેટનો ઘેરાવો વધારે હોય એમણે તો ખાસ આ પ્રમાણે તપાસ કરાવતા રહી જરાપણ વધારે શુગર આવે તો તરતજ ખોરાક ની પરેજી અને કસરતનો અમલ શરૂ કરી દઇ ડાયાબિટીસ થતા પહેલાં જ એને કાયમી જાકારો આપી દેવો જોઇએં
ડાયાબિટીસ નોતરી શકે એવા પરિબળો ને પહેલેથી ઓળખી યોગ્ય જીવનપધ્ધતી અપનાવી ડાયાબિટીસ ને થતો જ અટકાવી શકાય છે, માત્ર આ માટે જરૂર છે – જાગૃતિ અને દ્દઢ નિષ્ચયની.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…સુવાવડ, પેશાબ, શ્વેત પ્રદર, નબળાઈ જેવા સ્ત્રી રોગો માટે 25+ ઘરેલૂ નુસખા

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

આ 7 કારણોસર થાય છે પીરિયડ્સ અનિયમિત, કરો આ રામબાણ ઇલાજ

period
સામાન્યપણે એક મહિલાને પીરિયડ્સ મહિનામાં 3થી 7 દિવસ માટે રહે છે. કેટલાય વર્ષો સુધી માસિક ધર્મ હોવા પછી મહિલાઓ એક ચક્રમાં સ્થાપિત થઈ જાય છે. ત્યાં સુધી કે અમુક મહિલાઓ તો પીરિયડ્સ આવવાનો યોગ્ય અંદાજો પણ લગાવી લે છે.

પીડિયડ્સ દરમિયાન કેટલું ખૂન વહે છે તે જુદી-જુદી મહિલાઓમાં જુદું-જુદું હોય છે. અમુક મહિલાઓનો પીડિયડ્સ ખૂબ વધુ હોય છે તો અમુક મહિલાઓનો પીડિયડ્સ નાના બરાબર હોય છે.

શું હોય છે અનિયમિત પીરિયડ્સ?

પાછલા અમુક માસિક ધર્મની સરખામણીમાં અસમય ખૂન નીકળવું જ અનિયમિત પીરિયડ્સ છે.

પ્રેગ્નેન્સી

પ્રેગ્નેન્સી દરમિયાન શરીરમાં કેટલાય પ્રકારના હોર્મોનનો સ્ત્રાન થતો હોય છે, જેમાં માસિક ધર્મ ટકી જાય છે. જોકે અમુક બાબતોમાં માસિક ધર્મ ખતમ થઈ જવા પર હલ્કા પીરિયડ્સનો સામનો કરવો પડે છે.

તણાવ

તણાવ અનિયમિત પીરિયડ્સનું સૌથી મોટું કારણ છે. તણાવવાળા હોર્મોન્સ કોર્ટિસોલ સેક્સના હોર્મોન્સ એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોનના સ્ત્રાવની માત્રાને પ્રભાવિત કરે છે. જો તમારા રક્ત પ્રવાહમાં ખૂબ જ વધુ કોર્ટિસોલ છે તો તમારા માસિક ધર્મનો સમય બદલાય શકે છે.

ખોરાક

મોડેકથી પીરિયડ્સ થવા અથવા બિલકુલ પણ ન થવાનું એક માત્ર કારણ છે ખોરાક. સાથે જ વજન પણ પીડિયડ્સ ઉપર ઊંડી અસર કરે છે. જો તમે અનહેલ્થી કાર્બોહાઇડ્રેટયુક્ત ભોજન કરો છો અથવા પછી તમારું વજન વધી ગયું છે તો અંડોત્સર્ગ દરમિયાન અમુક હોર્મોનના સ્ત્રાવની માત્રા બદલાય જાય છે. મહિલાઓમાં વજન ઓછું કરવા દરમિયાન પણ એવું જ થાય છે.

એક્સરસાઇઝ

માસિક ધર્મ માટે આપણાં શરીરને ઉર્જાની જરૂર પડે છે. જો તમે જિમમાં ખૂબ વધુ ઉર્જા ખતમ કરી દેશો તો પીરિયડ્સ દરમિયાન થોડી પણ ઉર્જા નહીં બચે.

પોલીસિસ્ટિક ઓવરી સિંડ્રોમ

મહિલાઓમાં આ સમસ્યા સામાન્ય છે. આ અવસ્થામાં ઓવરી પર સિસ્ટ બની જાય છે, જેનાથી નિયમિત અંડોત્સર્ગ પ્રભાવિત થાય છે. તેના સિવાય આ સિંડ્રોમના લક્ષણમાં વાળનું વધવું, વજન વધવું, ડેંડ્રફ અને ઇંફર્ટિલિટી શામેલ છે. સાથે જ તેનઆથી ઇંડોમેટ્રીયોસિસ, ઓવરિયન કેંસર અને હૃદયની બીમારી પણ થાય છે.

બર્થ કંટ્રોલ પિલ્સ

બર્થ કંટ્રોલ પિલ્સ હોર્મોન્સ સાથે સામંજસ્ય બેસાડવામાં શરીરને કેટલાય મહિનાનો સમય લાગી જાય છે.

માસિક ધર્મનું બંધ થવું

પ્રેગ્નેન્સીની જેમ જ માસિક ધર્મ બંધ હોવાની સ્થિતિ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે શરીરમાં હોર્મોનનું લેવલ બદલાવા લાગે છે. માસિક ધર્મ બંધ થવાના ઓછામાં ઓછાં 10 વર્ષ પહેલા અનિયમિત પીરિયડ્સ શરૂ થઈ જાય છે.

અનિયમિત પીડિયડ્સનો ઉપચાર

આ ઉપચાર સીધી રીતે અનિયમિત પીરિયડ્સના કારણો પર નિર્ભર કરે છે. કેટલીય વખત તમે ઈચ્છા હોવા છતાં કઈ નથી કરી શકતા. વધુ થાય તો તમે આ વિશે તમારા ડોક્ટર સાથે વાત કરો છો. તમારા ડોક્ટર તમને હોર્મોન સમજાવશે જે માસિક ધર્મને યોગ્ય કરવાની સાથે સાથે હોર્મોનના સ્તરને પણ સંતુલિત કરશે. આ સિવાય તમે ડોક્ટરના નિર્દેશ મુજબ તણાવ ઓછો કરવાવાળા વ્યાયામ કરો અને ખોરાકમાં ફેરબદલ કરો.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…સુવાવડ, પેશાબ, શ્વેત પ્રદર, નબળાઈ જેવા સ્ત્રી રોગો માટે 25+ ઘરેલૂ નુસખા

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

આ 7 યોગાસન બનાવશે તમારી સેક્સલાઇફને વધુ રોમાંચક, મળશે અનેક લાભ

yogasan1

યોગનો લાભ સ્ત્રી અથવા પુરુષ કોઈ પણ ઉઠાવી શકે છે. જો તમે તમારા પાર્ટનર સાથે તમારી સેક્સલાઇફને વધુ રોમાંચક બનાવવા ઇચ્છતા હોવ તો તમે પણ યોગનો સહારો લઈ શકો છો. તેની મદદથી તમે તમારી નિરસ જિંદગીમાં રંગ ભરી શકો છો. જોકે, બધી જ યોગ મુદ્રાઓનો અલગ ફાયદો છે, પરંતુ સંભોગમાં સુધારો લાવવા માટે યોગ પ્રશિક્ષક આ ૭ મુદ્રાઓની સલાહ આપે છે. આ મુદ્રાઓ કઈ છે તેના વિશે જાણીએ…

1. ઉપવિષ્ટ કોણાસન

આ મુદ્રા કમરને લચકદાર બનાવી નસો ખોલે છે. આ આસન કરવા માટે જમીન ઉપર સીધા બેસી જાવ અને પગને આગળની બાજુ રાખી જેટલું થઈ શકે બહારની તરફ ફેલાવો. હવે જાંઘોને ટાઇટ કરી શ્વાસ લેવા તથા છોડવાની પ્રક્રિયા શરૂ કરો. તમે ઇચ્છો તો આ મુદ્રામાં સીધા બેસી શકો છો અથવા આગળની તરફ ઝૂકી માથું જમીનને અડાડવાની કોશિશ કરો.’

2. વિપરીત કરની આસન

આ મુદ્રા યોનિમાર્ગના રક્ત પરિભ્રમણને વધારે છે. તેના માટે જમીન ઉપર સીધા સૂઈ જાવ તથા પગને ઉપરની તરફ ઊંચા કરો. આ મુદ્રામાં પગને સીધા રાખવા માટે તમે દીવાલનો સહારો લઈ શકો છો. આ મુદ્રામાં પગથી લોહી કમરની તરફ વધવા લાગે છે.

3. બાલાસન

સૌથી પહેલાં ઘૂંટણના બળે બેસી જાવ તથા હાથને આગળ વધારતા માથાથી જમીનને અડો. આ મુદ્રામાં તમે હાથને આગળની તરફ અથવા પાછળ પગની તરફ રાખી શકો છો. આ મુદ્રા તમારા મન અને શરીરને શાંત રાખવામાં મદદ કરે છે. આ યોગ તમને તણાવમુક્ત કરી તમારી સેક્સલાઇફ તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.

4. સેતુબંધાસન

આ આસન યોનિમાર્ગની માંસપેશીઓને મજબૂત બનાવે છે તથા કામોત્તેજનાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ આસન કરવા માટે જમીનમાં પીઠના બળે સૂઈ જાવ. તમારા ઘૂંટણને વાળો તથા પોતાની કમરને ધીમે-ધીમે ઉપરની તરફ ઊંચી કરો. આ સ્થિતિમાં ૩૦ સેકંડથી ૧ મિનિટ સુધી રહો. પછી કમરને ધીમે-ધીમે જમીન ઉપર લાવો તથા પગને સીધા કરો.

5. પદ્માસન અથવા કમલાસન

આ મુદ્રાને કરવા માટે જમીન ઉપર આરામથી બેસી જાવ, પછી તમારા હાથેથી તમારા ડાબા પગને તમારી જમણી જાંઘ ઉપર તથા જમણા પગને ડાબી જાંઘ ઉપર મૂકો. આ મુદ્રા કરતી વખતે તમને તમારી જાંઘોમાં ખેંચાણ મહેસૂસ થશે. આ રીતે આ મુદ્રા તમારા હિપ્સ તથા જાંઘોની માંસપેશીઓને લચકદાર બનાવે છે.

6. હલાસન

આ મુદ્રા મસ્તિષ્કમાં રક્તપ્રવાહને વધારે છે. આ મુદ્રાને કરવાથી વ્યક્તિમાં સતર્કતા તથા ઉત્તેજના વધે છે. આ મુદ્રા તમારી કમરને લચકદાર તથા મજબૂત બનાવે છે. આ આસન કરવા માટે જમીન ઉપર સીધા સૂઈ જાવ અને પગને ઉપરની તરફ લાવતા માથાની પાછળ લઈ જાવ. તમે ઇચ્છો તો હાથને કમર પર અથવા જમીન ઉપર ટકાવી શકો છો.

7. ગરુડાસન

આ મુદ્રા ગર્ભાશયમાં પરિભ્રમણને વધારે છે. આ મુદ્રાને કરવા માટે જમીન ઉપર સીધા ઊભા રહી જાવ અને પછી તમારા એક પગથી બીજા પગને વીંટો. આ જ રીતે તમારા હાથને પણ વીંટો તથા આ મુદ્રામાં જ થોડી સેકંડ માટે રહો. આ મુદ્રા બહુ જ આકર્ષક છે તથા આ મુદ્રા સમાગમને વધુ સુખદ બનાવે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…સુવાવડ, પેશાબ, શ્વેત પ્રદર, નબળાઈ જેવા સ્ત્રી રોગો માટે 25+ ઘરેલૂ નુસખા

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

ઘી, કેળા અને બદામના આ નુસખા, વર્ષોથી લાગેલા નંબરથી અપાવશે મુક્તિ

eyepro

નાની ઉંમરમાં જ ચશ્મા આવી જવા આજકાલ એક સામાન્ય બાબત બની ગઈ છે. આ સમસ્યાથી પરેશાન લોકો તેને મજબૂરી માનીને હમેશાં માટે અપમાની લે છે. પરંતુ આ એક ભ્રમ છે કે એકવાર ચશ્મા આવી ગયા બાદ તે ફરીવાર ઉતરી શકતા નથી. આંખો પર ચશ્મા આવવાનું મુખ્ય કારણ આંખોની સારી રીતે દેખભાળ ન કરવી અને ભોજનમાં પોષક તત્વોની ખામી અથવા અનુવાંશિક કારણ હોય છે. જો તમારી સાથે પણ આવી સમસ્યા હોય તો અમે તમને બતાવી રહ્યા છીએ કેટલાક દેશી નુસખા જેને અપનાવીને તમે ચશ્માથી મુક્તિ મેળવી શકો છો.

– બદામની ગિરી, મોટી વરિયાળી અને સાકરને સરખી માત્રામાં મેળવી લો. રોજ આ મિશ્રણને એક ચમચીની માત્રામાં એક ગ્લાસ દૂધની સાથે રાતે સૂતી વખતે લો. આવું કરવાથી થોડાક જ સમયમાં તમને તમારી આંખની રોશની તેજ લાગવા લાગશે.

-આંખોને દરેક પ્રકારના રોગ જેવા કે પાણી પડવું, આંખો આવવી, આંખોની દુર્બળતા વગેરે થાય ત્યારે રાત્રે આઠ બદામ પલાળીને સવારે પીસીને પાણીમાં મેળવીને પી જાઓ. તમારી સમસ્યાઓ દૂર થવા લાગશે.

-કાનપટ્ટી ઉપર ગાયના ઘીથી હળવા હાથે રોજ થોડીવાર મસાજ કરવાથી આંખોની રોશની પાછી આવી જાય છે અને આંખોનું તેજ વધે છે.

-એક ચણાના દાણા જેટલી ફટકડીને સેકીને સો ગ્રામ ગુલાબજળમાં નાંખીને રોજ રાતે સૂતી વખતે આ ગુલાબજળના ચાર-પાંચ ટીપા આંખમાં નાંખો સાથે જ પગના તળિયા ઉપર ઘીની માલિશ કરો, તેનાથી ચશ્માના નંબર ઓછા થઈ જાય છે.

-કેળા અને શેરડી ખાવી આંખો માટે ગુણકારી માનવામાં આવે છે. જો તમને આંખો સંબંધી કોઈપણ સમસ્યા રહેતી હોય તો શેરડીનો રસ પીવો જોઈએ. આ સિવાય દરરોજ એક લીંબુ એક ગ્લાસ પાણીમાં પીવાથી જીવનભર નેત્ર જ્યોતિ ટકી રહે છે.

-પગના તળિયા ઉપર સરસિયાના તેલથી માલિશ કરીને સૂઓ. સવારના સમયે ઊઘાડા પગે લીલા ઘાસ ઉપર ચાલો અને નિયમિત રીતે અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરો આંખોની નબળાઈ દૂર થઈ જશે અને આંખોના ચશ્મા ઉતરી જશે.

– આમળાને અમૃત ફળ માનવામાં આવે છે. અમૃત અનેક રોગો માટે ઔષધી તરીકે ઉપયોગમાં લેવાય છે. આમળા આપણા સ્વાસ્થ્યની સાથે આપણી આંખો માટે પણ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. આંખોનું તેજ જાળવી રાખવા આમળાનું સેવન કરવું જોઈએ સાથે જ આમળાના પાણીથી આંખો ધોવાથી અથવા આંખોમાં ગુલાબજળના કેટલાક ટીપાં નાંખવાથી આંખો સ્વસ્થ રહે છે.

-ત્રિફળા ચૂર્ણને રાત્રે પાણીમાં પલાળીને સવારે ગાળીને તે પાણીથી આંખો ધોવાથી નેત્ર જ્યોતિ વધે છે. સાથે જ તેનાથી નાક, કાનના બધા રોગો દૂર થાય છે.

-લીંબુ અને ગુલાબજળને સમાન માત્રામાં મિક્ષ કરીને એક-એક કલાકના અંતરેથી આંખોમાં નાંખવાથી આંખોને ઠંડક મળે છે અને આંખોની જ્યોતિ તેજ થાય છે.

-એક ચમચી પાણીમાં એક ટીપુ લીંબુનો રસ નાંખીને બે-બે ટીપા કરીને આંખોમાં નાંખો, તેનાથી આંખો સ્વસ્થ રહેશે.

-રોજ દિવસમાં કમ સે કમ બે વાર પોતાની આંખો ઉપર ઠંડા પાણીના છાલક જરૂર મારવી જોઈએ.

-1 થી 2 ગ્રામ સાકર તથા જીરાને 2થી 5 ગ્રામ ગાયના ઘીની સાથે ખાવાથી તથા લેંડીપીપરને છાંશમાં ઘસીને આંજવાથી રતાંધણાપણામાં ફાયદો થાય છે.

-ઠંડી કાકડી કે કાચા બટાકાની સ્લાઈસને કાપીને 10 મિનિટ આંખો ઉપર રાખો. પાણી વધુ પીવો. પાણીની ખામીથી આંખો ઉપર સોજા જોવા મળે છે. સૂવાના 3 કલાક પહેલા ભોજન કરી લેવું જોઈએ. એમ કરવાથી આંખો સ્વસ્થ રહે છે.

-કાળી તુલસીના પાનનો રસ બે-બે ટીપા 14 દિવસ સુધી આંખોમાં નાંખવાથી રતાંધણાના રોગમાં લાભ થાય છે. આ પ્રયોગથી આંખોની પીળાશ પણ દૂર થાય છે.

-હળદરની ગાઠને તુવર દાળમાં ઉકાળીને, છાયડામાં સૂકવીને, પાણીમાં ઘસી સૂર્યાસ્ત પહેલા દિવસમાં બેવાર આંખોમાં કાજળની જેમ લગાવવાથી આંખોની લાલાશ દૂર થઈ જાય છે અને આંખો સ્વસ્થ રહે છે.

-રાત્રે સૂતી વખતે દીવેલ અથવા મધ આંખોમાં નાખવાથી આંખોની સફેદી વધે છે.

-બિલિપત્રનો 20 થી 50 ગ્રામ રસ પીવાથી અને 3-5 ટીપા આંખમાં કાજળની જેમ લગાવવાથી રતાંધણાપણુ દૂર થઈ જાય છે.

-ગુલાબ જળમાં ભીંજવેલ રૂનું પૂમડું આંખો ઉપર એક કલાક બાંધવાથી ગરમીથી થતી પરેશાનીઓમાં તરત જ આરામ મળી જાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…સુવાવડ, પેશાબ, શ્વેત પ્રદર, નબળાઈ જેવા સ્ત્રી રોગો માટે 25+ ઘરેલૂ નુસખા

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

શનિની સાડાસાતી ને ઢૈય્યાથી દુઃખી હોવ તો, દર શનિવારે કરો આ સરળ ઉપાય!

shanidev30

શનિવારે શનિ અને હનુમાનજીનું પૂજન વિશેષ રૂપથી કરવામાં આવે છે. જ્યોતિષ મુજબ શનિદેવની કૃપા મેળવવા માટે શનિવાર શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે કરવામાં આવેલાં ઉપાયોથી શનિના દોષ શાંત થઇ શકે છે. એવી માન્યતા છે કે, હનુમાનજીના ભક્તોને શનિના અશુભ ફળોથી મુક્તિ મળી જાય છે. આ જ કારણથી ઘણા લોકો શનિવારે હનુમાનજીની પૂજા કરે છે.

1. તેલનું દાન કરવું-

દર શનિવારે સવાર-સવારે સ્નાન વગેરે કર્મોથી નિવૃત થઇને તેલનું દાન કરવું. આ માટે એક વાટકીમાં તેલ લેવું અને તેમાં પોતાનો ચહેરો જોવો, ત્યાર પછી આ તેલનું દાન કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને કરવું.

2. શનિને વાદળી ફૂલ અર્પણ કરવાં-

શનિદેવને તેલ અર્પણ કરવું અને પૂજન કરવું. શનિદેવને વાદળી ફૂલ અર્પણ કરવા અને શનિ મંત્ર ऊँ शं शनैश्चराय नम: નો જાપ કરવો.

3. પીપળાને જળ અર્પણ કરવું- દર શનિવારે પીપળાને જળ અર્પણ કરવું, પૂજા કરવી અને સાત પરિક્રમા કરવી. જળ અર્પણ કરવા માટે તાંબાના લોટાનો પ્રયોગ કરવો.

4. દીપક પ્રગટાવવો- સૂર્યાસ્તના સમયે કોઇ એવા પીપળાની પાસે દીપક પ્રગટાવવો જે સુમસાન સ્થાન પર હોય અથવા કોઇ મંદિરમાં સ્થિત પીપળાની પાસે પણ દીપક પ્રગટાવી શકાય છે.

5. સિંદૂર અર્પણ કરવું- હનુમાનજીને સિંદૂર અને ચમેલી અર્પણ કરવું. હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

6- શનિવારે સૂર્યાસ્ત પછી હનુમાનજીનું પૂજન કરવું. પૂજનમાં સિંદૂર, કાળા તલનું તેલ, આ તેલનો દીપક તથા વાદળી રંગના ફૂલનો ઉપયોગ કરવો. આ ઉપાય તમે દર શનિવારે પણ કરી શકો છો.

7- શનિવારે શનિ યંત્રની સ્થાપના અને પૂજન કરવું. ત્યાર પછી દરરોજ આ યંત્રની વિધિ-વિધાન પૂર્વક પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. દરરોજ યંત્રની સામે સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો.

8- દર શનિવારે વાંદરાઓને ગોળ અને કાળા ચણા ખવડાવો, આ ઉપરાંત કેળા અથવા મીઠી મલાઇ પણ ખવડાવી શકો છો. આ પણ શનિદેવના અશુભ પ્રભાવને સમાપ્ત કરવામાં ખૂબ જ મદદ કરે છે. અથવા કાળા ઘોડાની નાળનો છલ્લો બનાવીને પણ ધારણ કરી શકાય છે.

9- શનિવારના દિવસે આપના હાથની લંબાઇનો 19 ગણો લાંબો એક કાળો દોરો લો જેને એક માળાના રૂપમાં બનાવીને ગળામાં ધારણ કરો. આ એક સારુ પરિણામ આપશે અને ભગવાન શનિને આપ પર કૃપાવાન બનાવશે.

10- શનિવારે સવારે સ્નાન વગેરે કર્યા પછી સવા કિલો કાળો કોલસો, એક લોખંડની કીલ એક કાળા કપડામાં બાંધીને પોતાના માથા પરથી ફેરવીને વહેતાં પાણીમાં પ્રવાહિત કરી દેવી અને કોઇ શનિ મંદિરમાં જઇને શનિદેવને પ્રાર્થના કરવી.

11- શનિવારે આ 10 નામોથી શનિદેવનું પૂજન કરવું.

कोणस्थ पिंगलो बभ्रु: कृष्णो रौद्रोन्तको यम:।
सौरि: शनैश्चरो मंद: पिप्पलादेन संस्तुत:।।

અર્થાતઃ 1- કોણસ્થ, 2 – પિંગલ, 3 – બભ્રૂ, 4 – કૃષ્ણ, 5 – રૌદ્રાંન્તક, 6 – યમ, 7 – સૌરિ, 8 – શનૈશ્વર, 9 – મંદ તથા 10 – પિપ્પલાદ. – આ દશ નામોથી શનિદેવનું સ્મરણ કરવાથી બધા શનિદોષ દૂર થાય છે.

12- લાલ ચંદનની માળાને અભિમંત્રિત કરી શનિવારે પહેરવાથી શનિનો અશુભ પ્રભાવ ઓછો થઇ જાય છે.

13- શનિવારે સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરેથી નિવૃત્ત થઇને કુશ આસન પર બેસી જવું. સામે શનિદેવની મૂર્તિ અથવા તસવીર સ્થાપિત કરવી અને તેની પંચોપચારથી વિધિવત પૂજન કરવું. ત્યાર પછી રૂદ્રાક્ષની માળીથી નીચે લખાયેલ કોઇપણ મંત્રની ઓછામાં ઓછી પાંચ માળા જાપ કરવું તથા શનિદેવ પાસેથી સુખ-સંપત્તી માટે પ્રાર્થના કરવી. જો દર શનિવારે આ મંત્રનો આ વિધિથી જાપ કરશો તો જલ્દી જ તમને લાભ મળશે.

વૈદિક મંત્ર- ऊं शन्नोदेवीरभिष्टय आपो भवन्तु पीतये शन्योरभिस्त्रवन्तु न:।
લઘુ મંત્રઃ- ऊं ऐं ह्लीं श्रीशनैश्चराय नम:।

14- શનિવારે ભૈરવજીની ઉપાસના કરી અને સાંજના સમયે કાળા તલના તેલનો દીપક લગાવીને શનિદોષથી મુક્તિ માટે પ્રાર્થના કરવી.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!

રાશી મુજબ જાણો યુવતીઓ નો પ્રેમ પ્રત્યેનો અભિગમ. રાશિ મુજબ પસંદ કરો તમારી ગર્લફ્રેન્ડ

જાણો…અંકશાસ્ત્ર પ્રમાણે તમે કેટલાં રોમેન્ટિક છો?કેવો રહેશે તમારો પ્રેમ સંબંધ!
શું તમે તમારા પાર્ટનરની પ્રિય આઇસ્ક્રીમ ફ્લેવરને જાણો છો તો જાણો તેમની પર્સનાલિટી અને સ્વભાવને પણ.

જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

ઈન્સ્ટન્ટ ટીપ્સ: આ ટેબલેટ દાળમાં નાંખશો એટલે વઘાર થઇ જશે

daal

ગરમા-ગરમ દાળ થાય એટલે ટેસ્ટ માટે તરત જ વઘાર કરી દેવો પડે છે, પણ જો ડાઇનિંગ ટેબલ પર થાળીના બાઉલમાં દાળ પીરસાઇ ગઇ હોય અને એ પછી એનાં પર લાઇવ વઘાર કરવાનો આવે તો? મજા પડી જાય ને? સુરતના હોટલ કન્સલ્ટન્ટ રાેહન ભટ્ટે લાઇવ વઘાર કરી શકાય એવી એક ટેબલેટ ડિઝાઇન કરી છે. વઘારના બધાં જ મસાલા ટેબલેટમાં ભેગા કરી દીધા પછી તૈયાર કરાયેલી આ ટેબલેટ દ્વારા ‘લાઇવ તડકો’ કરી શકાય છે. ટેબલ પર પીરસાયેલી ગરમા-ગરમ દાળમાં ટેબલેટ નાંખીને કરવામાં આવતો વઘાર દાળ ખાવાનું એક્સાઇટમેન્ટ વધારી તો આપે જ છે પણ સાથે-સાથે દાળને ટેસ્ટી પણ બનાવી આપે છે.

– આ ટેબલેટ દાળમાં નાંખશો એટલે વઘાર થઇ જશે
– હોટલ કન્સલ્ટન્ટ રોહન ભટ્ટે પીરસાયેલી થાળીમાં લાઇવ વઘાર કરી શકાય એ માટેની ટેબલેટ બનાવી

આ છે વઘારની દેશી સ્ટાઇલ
આ રીતે વઘારિયામાં તેલ ગરમ કરવા મૂકીને એમાં રાઇ-જીરૂ-હિંગ-લીમડો-લાલ મરચૂં નાંખીને વધાર કરવામાં આવે છે. જો કે આ વઘાર રસોઇ રેડી થાય કે તરત જ કરી દેવો પડે છે અને તો જ એનો ટેસ્ટ આવે છે.

આ રીતે તમે પણ ઘરે બનાવી શકશો વઘારની ટેબલેટ
વઘારની ટેબલેટ તમે ઘરમાં પણ બનાવી શકો છો. બાઉલમાં દાળ પીરસીને એમાં લાઇવ વઘાર કરશો તો ટેસ્ટી પણ લાગશે અને મજા પણ પડશે..!!

મસાલા સૂકવો, ટેબલેટ બનાવો
1 સૌથી પહેલા તો દાળમાં નાખવામાં આવતા મસાલા જેવા કે સૂકા ધાણાજીરૂ, કઢીપત્તા, તજપત્તા, મેથી અને અન્ય મસલાને ડિહ્યુમિડીફાયર  મશીનમાં મૂકો. મશીનમાં મૂકી રાખવાથી એ સૂકાઇ જશે. જો મશીન નહીં હોય તો ત્રણ દિવસ માટે તડકામાં મૂકી રાખો, સૂકાઇ જશે.
2 તડકામાં સૂકવેલા મસાલાને ગ્રાઇન્ડ કરી પાવડર બનાવો. થોડી ભીનાશ આવે એટલું પાણી નાખી લોટની જેમ મિક્સ કરી લો.
3 આ મિશ્રણને હાથ વડે રોલ કરી ટેબ્લેટ જેવો શેપ આપો. તમને ગમતા આકારનો શેપ પણ આપી શકો. એને તડકામાં સૂકાવા મૂકો. સૂકાઇ જાય એટલે ટેબલેટ રેડી !!

રાજા-મહારાજાઓ પણ આવી ટેબલેટથી વઘાર કરતાં હતાં
હોટલ કન્સલ્ટન્ટ રોહન ભટ્ટ કહે છે કે, સદીઓ પહેલા રાજા-મહારાજાના સમયમાં પણ આ રીતે ટેબલેટ બનાવી વઘાર કરવામાં આવતો. એ કોન્સેપ્ટ સમયાંતરે ભૂલાઇ ગયો. હવે ફરી લોકોની ડિમાન્ડ બદલાતા આ સમયમાં એ જ કોન્સેપ્ટ મોર્ડન રીતે લોન્ચ કરવામાં આવ્યો છે. વઘારની આવી ટેબલેટ સુરતમાં પહેલીવાર એક રેસ્ટોરન્ટમાં લોન્ચ કરવામાં આવશે. સુરતીઓ આ ટેબલેટ ઘરે પણ બનાવી શકે છે અને એમના ફૂડને ટેસ્ટી અને એક્સાઇટીંગ બનાવી શકે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.

જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

ઘેર બેઠા ફ્રિમાં શીખો, આખુ વર્ષ રોગમુક્ત રહેવા આયુર્વેદનો આ રસાહાર કોર્ષ..!!!
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….
धरती का अमृत पानी पीने के 10 फायदे और नुकसान ज़रूर जाने…नही जाना तो क्या जाना…!!!
इन 6 उपायों से स्वस्थ रहेगा आपका दिल…!!!
हार्ट अटैक: ना घबराये ……सहज सुलभ उपाय ….!!!
સવાર-સાંજ માત્ર 1 ચમચી અળસીના બીજ ખાઓ, રોગ શું છે ભુલી જશો…!!!
इन 6 उपायों से स्वस्थ रहेगा आपका दिल…!!!