Category Archives: Entrepreneur उद्योगपति ઉદ્યોગ સાહસિક

નોકરી છૂટી જવાની ચિંતા સતત રહ્યાં કરે છે તો કરો આ ઉપાય..!!

grah

નોકરી કરવી કંઈ સહેલી વાત નથી. નોકરીમાં કામમાં એટલું દબાણ હોય છે કે, પોતાના માટે કે પરિવાર માટે સમય કાઢવાનું પણ મુશ્કેલ બની જાય છે. છતાંય નોકરી જવાનો ખતરો રહ્યા કરે છે. જો તમને નોકરીમાં કોઈ પ્રકારની મુશ્કેલી હોય કે નોકરી છૂટી જવાનો ડર હોય ત્યારે રાશિ અનુસાર સમસ્યાનું નિવારણ કરવાથી લાભ થશે.

મેષઃ આ રાશિના લોકો બહુ જ શાંત અને સુશીલ પ્રકૃતિના હોય છે અથવા તો બહુ ચાલાક અને આખાબોલા હોય છે. તેમનામાં ખાસ વાત એ હોય છે કે તેઓ જિદ્દી, શંકાશીલ અને ગુસ્સો કરનારા હોય છે, તેથી આવા જાતકોએ સૌ પ્રથમ પોતાના ગુસ્સા પર અંકુશ રાખવો. ગૌશાળાની ગાયને લીલો ચારો તથા ફણગાવેલા મગ ખવડાવવા.

વૃષભ : આ જાતકો મહેનતી, સૌમ્ય સ્વભાવના અને ખૂબ જ ગંભીર હોય છે, તેથી લોકો તેમને યોગ્ય રીતે સમજી શકતા નથી. જેને કારણે નોકરીમાં મુશ્કેલીઓ આવે છે. નોકરીમાં સમસ્યા આવી પડી હોય તો તમારે અથવા તમારી પત્નીએ વૈભવલક્ષ્મીજીની આરાધના કરવી જોઈએ.

મિથુન : આ રાશિના લોકોને જો એકાંતમાં કોઈ વાત પર ખખડાવવામાં કે સમજાવવામાં આવે તો તેઓ સારું પરિણામ આપે છે, પણ જો જાહેરમાં તેમનું અપમાન કરવામાં આવે તો તેઓ નોકરીને લાત મારી શકે છે. આ જાતકોને જો નોકરીમાં સમસ્યા આવી રહી હોય તો બજરંગબાણનો પાઠ કરવો જોઈએ.

કર્ક : આ જાતકોએ પોતાના બોસથી કંઈ છુપાવવું જોઈએ નહીં, નહીંતર મુશ્કેલીઓમાં પડી શકે છે, કારણ કે જેટલું છુપાવશો તેટલા જ ગૂંચવાતા જશો. કોઈ પણ નોકરીમાં સમસ્યાઓ આવી રહી હોય તો દરરોજ કેળું ખાવું. મસ્તક, છાતી તથા નાભી પર કેસરનું તિલક કરવાથી નોકરીમાં સુખ-શાંતિ રહેશે.

સિંહ : આ લોકોને કોઈ પણ વ્યક્તિની આધીનતા સહન થતી નથી. તેઓને ઓફિસમાં કોઈની પણ સાથે ટક્કર થાય તો તે વર્ચસ્વને લઈને જ થશે. જો તમારે એક જગ્યાએ ટકીને નોકરી કરવી હોય તો લીડરશિપવાળું વ્યક્તિત્વ છોડવું પડશે. નોકરીમાં કોઈ મુશ્કેલી હોય તો શનિવારે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો કરો.

કન્યા : આ રાશિના લોકો સૌમ્ય પ્રકૃતિના હોય છે. વધારે પડતી સહનશીલતાને કારણે ઓફિસમાં તેમનું શોષણ થાય છે, પરંતુ જ્યારે તેમનું ધૈર્ય ખૂટી પડે છે ત્યારે જાણે કે ભૂકંપ જ આવી જાય છે. જેને કારણે વાત બગડે છે. જો નોકરીમાં કોઈ કારણસર મુશ્કેલીઓ આવી રહી હોય તો દરરોજ સાત વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

તુલા : આ રાશિના જાતકો હંમેશાં ન્યાયના પક્ષમાં રહે છે, તેથી જ ઓફિસમાં તેમનું તારતમ્ય નથી બેસી શકતું. તેઓ ખોટું ક્યારેય સહન કરી શકતા નથી. આ જાતકોએ જો નોકરી કરવી હોય તો પરિસ્થિતિઓ સાથે સમાધાન કરતા શીખવું પડશે. ગુરુવારનું વ્રત કરવાથી અથવા પોખરાજ ધારણ કરવાથી નોકરીમાં આવતી સમસ્યાઓનું સમાધાન થશે.

વૃશ્ચિક : તમારું સ્પષ્ટવાદી વ્યક્તિત્વ નોકરીમાં વિવિધ પ્રકારની મુશ્કેલીઓ પેદા કરી શકે છે. તમે દરેક વાતનો સામો જવાબ આપશો, તે બોસને પસંદ નહીં આવે, તેથી તમારા સ્વભાવ પર થોડું નિયંત્રણ રાખવું જરૂરી છે. મુશ્કેલીઓને દૂર કરવા માટે મંગળવારનું વ્રત કરો અને એક સાડા દસ રતીનું મોતી રત્ન ધારણ કરો.

ધન : આ જાતકો ખૂબ જ મદદગાર સ્વભાવના હોય છે, પરંતુ ખોટી વાત પર તેમની આક્રમકતા તેમના સારા વ્યક્તિત્વને ધૂળમાં મેળવી દે છે. તેને લીધે બોસ અને સહકર્મચારીઓ સાથેના સંબંધો બગડે છે. નોકરીમાં આવતી કોઈ પણ પ્રકારની સમસ્યાને દૂર કરવા માટે લોટમાં પનીર મેળવીને તે સતત ૪૦ દિવસ સુધી ગાયને ખવડાવો. આ ઉપાય શુક્રવારથી શરૂ કરવો.

મકર : આ જાતકોની નોકરીમાં પ્રગતિની આડે સૌથી મોટું રોડું આળસ હોય છે. કામ સમયસર પૂરું ન થવાને કારણે બોસ બોલશે જેને કારણે તણાવ પેદા થશે. તમારે તમારા આળસુ સ્વભાવને બદલવો પડશે. જો નોકરીમાં કોઈ પ્રકારની અડચણો આવી રહી હોય તો ભગવાન વિષ્ણુની પૂજા-આરાધના કરવી.

કુંભ : આ રાશિના લોકો પરિશ્રમી હોય છે, પરંતુ તેમના મનની વાત જાણવાનું બહુ મુશ્કેલ હોય છે. તેઓ પોતાનું કામ બહુ મન લગાવીને કરે છે. તેમના કામમાં તેમની મહેનત, લગન સ્પષ્ટ દેખાઈ આવે છે. તેને કારણે ઓફિસમાં તેમના વિરુદ્ધ ઘણી વાર ષડ્યંત્ર રચાતું હોય છે. આ જાતકો શિવાષ્ટકનો પાઠ કરે તો લાભ થાય છે.

મીન : આ લોકો ખૂબ જ મહેનત અને લગનથી પોતાનું કાર્ય કરે છે. તેમણે કોઈની વાતમાં આવીને મહત્ત્વનો નિર્ણય ન લેવો, કારણ કે લોકો તેમના પ્રદર્શનથી ઈર્ષ્યા કરે છે. જે પણ વાત હોય તે પોતાના બોસને ખુલ્લા મને કરવી. આ જાતકો હંમેશાં આગળ વધે છે. આગળ વધવામાં અડચણ આવી રહી હોય તો આદિત્યહૃદય સ્તોત્રનો પાઠ કરવો અને માણેક રત્ન ધારણ કરવું.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવર

આધાર કાર્ડમાં ખોટું છપાયું છે તમારૂ નામ અથવા સરનામું, તો ઘર બેઠે કરો અપડેટ…!!

adc

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આધાર કાર્ડ હવે બે કામ માટે જ માન્ય રહેશે. એવામાં ગેસ સબસિડી અને પબ્લિક ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ (પીડીએસ)નો લાભ લેવા માટે તે જરૂરી છે. અત્યાર સુધીમાં દેશમાં 120 કરોડમાંથી 80 કરોડ લોકોના આધાર કાર્ડ બની ગયા છે. પરંતુ, એવી ફરિયાદ મળી રહી છે કે આધાર કાર્ડમાં ધારકનું નામ અથવા સરનામું ખોટું છપાઈ ગયું હોય તો તેમાં સુધારો કઈ રીતે કરાવવો તે લોકોને ખબર નથી હોતી. ભાસ્કર તમને જણાવી રહ્યું છે કે આધાર કાર્ડમાં રહેલી ભૂલ ઘર બેઠે સુધારી શકાય છે. તેના માટે સરળ 4 સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.

જાણો, કેવી રીતે સુધારશો આધાર કાર્ડમાં થયેલી ભૂલને

પહેલુ સ્ટેપ

http://uidai.gov.in વેબસાઇટ પર જઇને ‘આપકા આધાર’ લિન્ક પર ક્લિક કરો. નવા પેજ પર ડાબી તરફ નીચેની બાજુ ‘અપડેટ યોર આધાર ડેટા’ પર ક્લિક કરવું. અહીં દેખાશે કે તમે કઈ કઈ જાણકારી અપડેટ કરી શકો છો. નીચે આપેલ લિન્ક પર ક્લિક કરવું. પછી જે પેજ ખુલે તેના પર ‘સબમિટ યોર અપડેટ કરેક્શન’ પર ક્લિક કરવું.

adc1

બીજુ સ્ટેપ

એન્ટર યોર આધાર નંબરમાં તમારો આધાર નંબર નાંખવો. ટેક્સ્ટ વેરિફિકેશનમાં સ્પેશ્યલ કેરેક્ટર નાંખવો અને ઓટીપી પર ક્લિક કરવું. તેના આગળના પેજ પર મોંબાઇલ નંબર નાખવો. નીચે સ્પેશ્યલ કેરેક્ટર ટેક્સ્ટવાળી જગ્યા પર ટેક્સ્ટ નાંખવી અને ફરી ઓટીપી પર ક્લિક કરવું. તમારા મોબાઇલ પર ઓટીપીનો મેસેજ આવશે. તે તમને નક્કી કરેલ સ્થાન પર રહેલ બોક્સમાં ટાઇપ કરવાનો રહેશે. ત્યારબાદ તમે વેબસાઇટ પર લોગઇન થઈ જશો.

adc2

ત્રીજું સ્ટેપ

ડેટા અપડેટ પર ક્લિક કર્યા પછી પ્રોસેસ્ડ પર ક્લિક કરવું. જરૂરી દસ્તાવેજ અહીં અપલોડ કરવાના રહેશે. કન્ફર્મ પર ક્લિક કરવું. પછી બીપીઓ સર્વિસ પ્રોવાઇડર પર ક્લિક કરવું. ત્યાં એક બાજુ એજિસ અને બીજી બાજુ કાર્વિસ લખેલું હશે. તેમાંથી કોઈપણ એકને પસંદ કરી સબમિટ કરવું. અપડેટ થવા પર કંપલીટનો મેસેજ મોબાઇલ પર આવશે. જેમાં તમને યૂઆરએન નંબર મળશે.

adc3

ચોથું સ્ટેપ

છેલ્લે અપડેટ સ્ટેટસ પર આધાર નંબર અને યૂઆરએન નાંખવાના રહેશે. તે પૂર્ણ થયા બાદ એક મેસેજ તમને દેખાશે ‘યોર રિક્વેસ્ટ કંપલીટ સક્સેસફુલ’. ત્યાર બાદ સાઇનઆઉટ કરી નાંખવું. શરૂમાં જ્યાં ડેટા અપડેટ સ્ટેટસ લખેલ છે. તેના પર ક્લિક કરવાની સાથે જ એકવાર ફરી આધાર નંબર અને યૂઆરએન નાંખી ચેક કરવું. તેમાં લખેલ આવશે રિક્વેસ્ટ પેન્ડિંગ. હવે તમે રાહ જુઓ. થોડાક સમય પછી મોબાઇલ પર અપડેટની સૂચના આવી જશે.

adc4

પોસ્ટ કરીને પણ કરાવી શકો છો અપડેટ

– પોસ્ટ દ્વારા આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે http://uidai.gov.in/images/application_form_pdf અહીંથી ફોર્મ ડાઉનલોડ કરો.
– Adhar Card Update Formમાં તમારો મોબાઈલ નંબર આપવો અનિવાર્ય છે.
– Adhar Card Update Formમાં સૌથી પહેલા જે જાણકારીમાં સુધારો કરવાનો હોય તે અપડેટ કરવાનું રહેશે, જેમ કે, નામ, અટક અથવા સરનામું.
– ત્યાર બાદ નિર્દેશ અનુસાર Adhar Card Update Form ધ્યાનથી ભરો
– અત્યાર સુધી Adhar Card Update Form હિંદી, અંગ્રેજી, ગુજરાતી, મરાઠી, ઉડિયા, કન્ન્ડ, મલયાલમ, તમિલ, બંગાળી, તેલુગુ અને પંજાબી ભાષામાં છે જે તમે તમારી સુવિધા અનુસાર ફોર્મ લઈ શકો છો. ફોર્મને કવરમાં બંધ કરી તેના ઉપર Aadhar Card Update/Correction લખવાનું ન ભૂલવું.
– ફોર્મમાં તમારું સરનામું, પિન નંબર, જિલ્લાની વિગતો યોગ્ય રીતે ભરો. જો કોઈપણ મુશ્કેલી હોય તો help@uidai.gov.in પર સંપર્ક કરી શકો છો.
– હવે તે કવરને નીચે આપેલ સરનામાં પર પોસ્ટ કરી દો.

Unique Identification Authority of India
Planning Commission
Government of India
3rd Floor, Tower II
Jeevan Bharati Building
Connaught Circus
New Delhi – 110001

અન્ય કોઈ જાણકારી માટે https://ssup.uidai.gov.in/ssup-home પર વિઝિટ કરો.

adc5

નવું આધાર કાર્ડ બનાવવા માટે શું કરશો…

તમારી નજીક જે પણ આધાર કાર્ડ બનાવતી ઓફિસ હશે ત્યાં તમારે જવાનું રહેશે. તેના માટે ઘણી વખત ખાસ કેમ્પ પણ લગાવવામાં આવે છે, જેમાં જઇને તમે આધાર કાર્ડ બનાવી શકો છો. એક વ્યક્તિની આધાર કાર્ડની કાય્રવાહી પૂર્ણ કરવામાં લગભગ 10થી 20 મિનિટનો સમય લાગે છે. આધાર કાર્ડ બનાવવા માટે તમારે કેટલીક જાણકારી આપવી જરૂરી હોય છે.

કઈ જાણકારી આપવાની હોય છે

1- આધાર કાર્ડ બનાવવા માટે સૌથી જરૂરી હોય છે તમારી તસવીર, જે સેન્ટર પર જ લેવામાં આવે છે.
2- તમારા ફિંગર પ્રિન્ટ્સ પણ આધાર કાર્ડની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ખૂબ જ જરૂરી હોય છે.
3- આધાર કાર્ડને સુરક્ષાની દૃષ્ટિએ વધુ પ્રભાવી બનાવવા માટે સેન્ટર પર જ તમારા રેટિના સ્કેન કરવામાં આવી છે.
4- ઓળક અને સરનામાં પૂરાવા તરીકે પણ ડોક્યુમેન્ટ સેન્ટર પર લઈ જવાના હોય છે. તેમાંથી ઓળખના પૂરાવા તરીકે તમે પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા પાસપોર્ટ લઈ જઈ શકો છો. જ્યારે સરનામાંના પૂરાવા માટે ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, રેશન કાર્ડ, વિજળી અથવા પાણીનું બિલ કામ આવી શકે છે.
5- તમારી પાસેથી તમામ જાણકારી મેળવ્યા બાદ તમને એક એનરોલમેન્ટ નંબર આપવામાં આવશે, જેના આધાર પર તમે તમારું આધાર કાર્ડનું સ્ટેટસ પણ જાણી શકો છો.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

નવા બિઝનેસની શરૂઆત માટે બેન્ક પાસેથી આ રીતે લો લોન, જાણો આખી પ્રક્રિયા…!!
જાણો અજાણી વાતો…ખાતુ બંધ કરતી વખતે પણ વસૂલાય છે ચાર્જ, બેન્ક નથી જણાવતી આ ૮ વાતો…!!!
જાણો…આ રીતે ઉપાડી શકો છો PFના રૂપિયા, 58 વર્ષ સુધી રાહ નહીં જોવી પડે…!!
જાણી જ લો…ખોવાઇ જાય બેન્ક પાસબુક કે પ્રોપર્ટી પેપર, આ છે પાછા મેળવવાના રસ્તા…!!
જાણી જ લો…વિદેશમાં તમારો PASSPORT ખોવાઈ જાય તો આ ટિપ્સ કરશે તમારી મદદ…!!!
નિવૃતિ માટે કરો NPSમાં રોકાણ, મળશે ઇપીએફ કરતાં વધુ રિટર્ન…!!!
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, તો શું કરશો..?
બદલાઈ ગઈ 100 રૂપિયાની નોટ, હવે આ રીતે ઓળખો અસલી-નકલી નોટને
કરો શેરબજાર માં કમાણી…મેળવો વધારાની આવક શેરબજારમાંથી…આ છે 4 સરળ સ્ટેપ્સ
100 વર્ષ જૂનો નિયમ બદલાયો, હવે આ રીતે નક્કી થશે સોનાની કિંમત
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
વિજ્ઞાન ના અવનવા આશ્ચર્યજનક તથ્યો…!!
તમારૂ મગજ માની ના શકે તેવા કલ્પનાતીત તથ્યો…!!!
WHATSAPP યુઝર્સને માટે કામની હોઇ શકે છે આ 10 સીક્રેટ ટિપ્સ
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
આ રીતે જાણો ક્યારે થઇ રહ્યું છે તમારા એકાઉન્ટનું હૈકિંગ, જાણો બચાવની ટિપ્સ
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.
બેંક મિત્ર બનીને કરો કમાણીઃ મળશે પગાર અને કમીશન, વાંચો શું છે યોજના
લોન્ચ થયું WHASTAPPનું પીસી વર્ઝન, કમ્પ્યુટર અને લેપટોપમાં કરાશે યુઝ
ટેકનોલોજી ની આ વાતો તમે નહી જાણી હોય તો તમે કાંઇ નથી જાણયું…!!
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!

જાણો…બિઝનેસને ટોચે લઈ જવા અને નોકરીમાં પ્રમોશન માટે કરો પ્રાચીન ઉપાય…!!

business3

શું તમે ધંધામાં થતાં મંદ નફાથી અસંતુષ્ટ છો? ધંધામાં સતત ચઢ-ઉતર રહે છે? તમે હાલ જ્યાં નોકરી કરો છો ત્યાં તમે સંતુષ્ટ નથી? હાલ જે નોકરી કરી રહ્યા છો તેમાં તમને યોગ્ય પ્રમોશન પ્રાપ્ત નથી મળી રહ્યું? તો તેની માટે આજે અમે તમને કેટલાક સરળ જ્યોતિષીય ઉપાયો બતાવી રહ્યા છે જે કરવાની સાથે સાથે મહેનત કરવા લાગી જશો તો તમારું દુર્ભાગ્ય ટળી જશે અને તમને નોકરી-ધંધા અને વ્યવસાયમાં ચોક્કસ સફળતા હાથ લાગશે. આ નુસખાઓ લાલ કિતાબના આધારે છે અને પ્રાચીનકાળથી જ અસરકારક રહ્યા છે. તેને શ્રદ્ધાની સાથે અને ગુપ્ત રીતે કરવામાં આવે તો અચૂક સફળ થાય છે.

-વ્યાપારિક યાત્રા પર જનારા વ્યાપારીઓએ જતાં પહેલા સવા રૂપિયો કોઈ ગુપ્ત સ્થાન પર સંતાડી દેવો. યાત્રા પરથી પરત આવ્યા પછી આ સવા રૂપિયો કોઈ ભિખારીને દાન કરી દે. આમ કરવાથી યાત્રા સફળ થશે અને યાત્રાથી વ્યાપારમાં ઈચ્છિત ઉન્નતિ પણ સધાશે.

-શનિવારના દિવસે જૂના પોતાના કાર્યાલયમાંથી કોઈપણ લોઢાની વસ્તુ નવી જગ્યાના સ્થળે લાવીને મુકી દેવી. તે નવા સ્થળે મુકતા પહેલા તે સ્થળે થોડાક કાળા અડદના દાણા નાખી દેવા. આ લોખંડની મુકેલી વસ્તુ ત્યાંથી વારંવાર હટાવવી નહિ. આમ કરવાથી જૂના ઉદ્યોગની સાથોસાથ નવા ઉદ્યોગમાં પણ સારી એવી પ્રગતિ સધાશે.

-લાખ પ્રયત્ન કરવા છતાં પણ વ્યાપારમાં ઉન્નતિ સધાતી ન હોય તો શ્યામ તુલસીની ચોફેર ઉગેલ ઘાસને ચૂંટી તે કોઈ પીળા વસ્ત્રમાં બાંધી લઈ વ્યાપારના સ્થળે તે રાખવાથી વ્યાપારમાં લાભ થાય છે. આ પ્રયોગ ગુરૂવારના દિવસે જ કરવો.

-મંગળવારના દિવસે સાત લીલાં મરચાં અને એક લીંબુ લાવવાં. તે સઘળાંને કાળા દોરામાં પરોવી કાર્યાલય સ્થળની બહાર તે લટકાવી દેવાથી વ્યાપારમાં વધારો થાય છે. તેને કોઈની નજર કે ટોક પણ લાગતી નથી. આ પ્રયોગ મંગળવાર અથવા શનિવારના દિવસે કરવો.

-મંગળવારના દિવસે લાલચંદના લાલ ગુલાબનાં ફૂલ અને કંકુ આ સઘળી વસ્તુઓને લાલ દુપટ્ટામાં બાંધી તિજોરી કે પૈસા મુકવાના સ્થળ પર મુકી દેવાથી ધન લાભનો પ્રારંભ થાય છે.

-પાંચ પૂરા ખીલેલાં લાલ ગુલાબના પુષ્પ લેવાં. દોઢ મીટર સફેદ કાપડનો ટુકડો લઈ તે પોતાની સામે પાથરી દેવો. આ પાંચેય ગુલાબના ફૂલો ૨૧ વખત ગાયત્રી મંત્રનો જાપ કરતાં-કરતાં આ કપડાંમાં બાંધી દેવાં. પછી આ કાપડની પોટલીને જાતે જઈ પાણીમાં પ્રવાહિત કરી દેવાથી કરજમાંથી મુક્તિ મળશે.

-ઓમ નમઃ ભગવતી પદ્માવતી સર્વજન મોહિની સર્વકાર્ય વરદાયિની મમ વિકટ સંકટ હારિણી મમ મનોરથી પૂરિણી મમ્ શોક વિનાશિની પદ્માવત્યૈ નમઃ ! આ મંત્ર સિદ્ધ કર્યા પછી મંત્રનો પ્રયોગ કરવાથી દેવીની કૃપાથી નોકરી-વ્યાપારમાં આવતાં વિઘ્નો દૂર થાય છે. સાયંકાળે આ મંત્રની એક -એક માળા કરવી.

-જો વ્યવસાય સંબંધી અંતરાયોનો સામનો કરવો પડી રહ્યો છે એવું જણાય ત્યારે અને ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો માલૂમ પડતો હોય તેવે સમયે શનિવારે બપોર પછી પાંચ લીંબુ કાપીને તેની સાથે એક મુઠ્ઠી પીળા સરસવ. એક મુઠ્ઠી લોંગની દાળ તથા મરિયાંના કેટલાક દાણા વ્યાપારના સ્થળે મુકી દેવાં. આગલા દિવસે દુકાન ખોલતી વખતે સામાન ઉઠાવી, કોઇ નિર્જન સ્થળ પર પોતાના હાથે આ સઘળું દાટી દેવું. આ પ્રયોગ દ્વારા કેટલાક દિવસોમાં આવકમાં વૃદ્ધિ થઈ રહ્યાનો અનુભવ થવા લાગશે.

-જો કોઈ ઉચ્ચાધિકારીઓની અનુકૂળતા પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય અગર મન ઈચ્છિત જગ્યા પર નિમણૂક મેળવવાની ઈચ્છા હોય તો નિરંતર ૭ દિવસ સુધી સૂર્યોદય સમયે તાંબાના લોટામાં જળ ભરી, લાલ મરચાંના કેટલાક દાણા તથા એક સૂરજમુખી પુષ્પ નાખી ભગવાન સૂર્યને અર્ધ્યપ્રદાન કરવો.

-કોઈ જરૂરી કાર્ય માટે ઘરમાંથી નીકળતાં પહેલાં ઘરના ઊંબરાની બહાર પૂર્વ દિશામાં એક મુઠી લાલ મકાઈના દાણા મૂકી પોતાના કાર્યનું રટણ કરતા તેના ઉપર બળપૂર્વક પગ મૂકી કાર્યની સફળતા માટે નીકળવામાં આવે તો અવશ્ય કાર્ય સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

-સરકારી યા નિજી રોજગાર ક્ષેત્રમાં પરિશ્રમ કરવા છતાં પણ સફળતા મળી રહી ન હોય તો નિયમપૂર્વક કરાયેલ વિષ્ણુ યજ્ઞાની વિભૂતિ લઈ પોતાના પિતૃઓની ‘કુશા’ની મૂર્તિ બનાવી તેને ગંગાજળ વડે સ્નાન કરાવી આ વિભૂતિ તેને લગાવી, ભોગ ધરી પોતાના કાર્યની સફળતા માટે કૃપા પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી કોઈ ધાર્મિક ગ્રંથનો પાઠ કરવો અને પછી આ કુશા મૂર્તિને વહેતા પવિત્ર જળમાં વહેવરાવી દેવાથી સફળતા અવશ્ય મળે છે.

-જો કોઈ કામથી જવાનું થાય તો એક લીંબુ લેવું. તેમાં ચાર લોંગ દાળને દબાવી દઈ ‘ શ્રી હનુમંતે નમઃ’ મંત્રનો ૨૧ વખત જપ કરવાથી તેને સાથે લઈ જવાથી કામમાં કોઈ પણ પ્રકારના અંતરાયો કે વિઘ્ન આવશે નહિ.

-દરેક મંગળવારે ૧૧ પીપળાના પાન લેવાં તેને ગંગાજળ વડે ધોઈને લાલ ચંદન આ પાન પર લગાડી દરેક પાન પર સાત વખત ‘રામ રામ’ શબ્દ લખવો. તે પાન હનુમાનજીના મંદિરમાં અર્પણ કરી પ્રસાદ વહેંચવો તે વખતે આ મંત્રનો જપ કરવો. ‘જય જય હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુ દેવકી નાઈ!’ સાત મંગળવાર સુધી સતત આમ કરવાથી અવશ્ય લાભ પ્રાપ્ત થાય છે.

-જો નોકરીમાં બઢતીની ઈચ્છા હોય તો સાત પ્રકારનું ધાન્ય પક્ષીઓને નાખવું.

-ગુરુવારના દિવસે વ્યાપારમાં વૃદ્ધિ કરવા માટે દુકાનમાં મુખ્ય દ્વારના એક ખૂણામાં ગંગા જળ વડે ધોઈ, સ્વચ્છ-પવિત્ર કરી હળદર વડે ત્યાં સ્વસ્તિક બનાવી તેના પર ચણાની દાળ અને ગોળ થોડાક માત્રામાં મૂકવાથી અને તેના પર શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી મનોમન વ્યાપારમાં વૃદ્ધિ માટે માટે પ્રાર્થના કરવાથી વ્યાપારમાં વૃદ્ધિ થાય છે. આ પ્રયોગ પાંચ ગુરુવાર સુધી કરવો.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.
વાસ્તુશાસ્ત્રના સુવર્ણ ઉપાયો: નોકરી ન મળતી હોય તો ઘરના વાસ્તુદોષનું નિવારણ કરો…!!!
ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!
અસરકારક વાસ્તુ શાસ્ત્ર: સન્માન અને સમૃદ્ધિ વધારવા, ઘરના આ ખૂણામાં કરો નાના-નાના ફેરફાર…!!!
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.
ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!
જાણો..કામ લાગશે…તોડફોડ કર્યા વગર ઘરના દોષ દૂર કરતું ફેંગશૂઈ…!!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…વાસ્તુશાસ્ત્ર તમારો વેપાર વધારી શકે છે..!!!
શાસ્ત્રોક્ત ઉપાય: ધંધામાં આવક ડબલ કરવા, અપનાવો આ નાના-નાના સચોટ ઉપાય…!!
ફેંગશુઈના 15માંથી કોઇ 1નો કરો ઉપાય, ઘરથી ક્યારેય દૂર નહીં થાય સુખ+સમૃદ્ધિ
જાણો ઉકેલ…દીકરીના લગ્નમાં વિઘ્નો ઉત્પન્ન કરે છે આ દોષો, આજે જ જાણી કરો દૂર…!!
જાણો…દરેક કામમાં અતિશુભ ફળ મેળવવું હોય તો ધ્યાનમાં રાખવી આ 15 વાતો..!!!
ઘરમાં થાક, અનિદ્રા, તણાવ અનુભવો છે? હોઈ શકે છે વાસ્તુદોષ..!
તમારા ઘરમાં ચોક્કસ હોવી જોઇએ, ધનને આકર્ષતી આ 15માંથી 1 વસ્તુ!

જાણો ને શીખો……તમારી કુંડળીના આ 12 ખાનામાં છુપાયું છે તમારું ભવિષ્ય અને ભાગ્ય…!!!

kundali1

-નવમો ભાવ પરદેશમાં જવાનું ભાગ્ય, પરદેશની મુસાફરીઓ, લાંબી મુસાફરીઓ કરાવે છે

કુંડળીનું નામ પડે એટલે લોકો સીધા જ્યોતિષને જ યાદ કરે કારણ કે પોતે કુંડળીમાં શું છે તે વિશે કંઈ જ જાણતા નથી હોતા. સમાન્ય માણસો કુંડળીના 12 જુદા-જુદા ખાના અને તેમાં રહેલા ગ્રહોના નામ જોઈ માથુ ખંજવાળવા લાગે છે. તેનું કારણ છે જ્યોતિષીય કુંડળી વિશે લોકોને જ્ઞાન નથી હોતું. આજે અમે તમને કુંડળીના 12 ખાના શું હોય છે તે વિશે જણાવીશું. સાથે જ આ બાર ખાનામાં બેઠેલા ગ્રહો કેવું ભવિષ્ય પ્રદાન કરે છે તે બતાવીશું.

જન્મકુંડળીનો પ્રત્યેક ભાવ જાતકનાં જીવનનાં અલગ-અલગ ક્ષેત્રોને લગતી બાબતો, જીવનમાં પ્રવેશતી અને ભાગ ભજવતી વ્યક્તિઓ અને જીવનકાળ દરમ્યાન પેદા થતી વિવિધ પરિસ્થિતિઓ અને અનુભવો સાથે સંકળાયેલો છે. જન્મકુંડળીના બાર ભાવો સમગ્ર જીવનચક્રનો નિર્દેશ કરે છે. દરેક ભાવ પરથી જોવાતી બાબતો નીચે મુજબ છે.

પ્રથમ ભાવ :

પ્રથમ ભાવ એ લગ્નસ્થાન અથવા તનુભાવ પણ કહેવાય છે. આ સ્થાનમાં રહેલી રાશિ જાતકનાં જન્મસમયે પૂર્વ ક્ષિતિજ પર ઉદિત થઈ રહેલી હોય છે. પ્રથમ સ્થાન એ આકાશ અને પૃથ્વીનાં સંપર્કનું સૂચક છે. જન્મકુંડળીમાં આ સૌથી અગત્યનું સ્થાન છે. પ્રથમ સ્થાન એ શરૂઆત છે, ઉદ્‌ભવ છે. આ સ્થાનની રાશિ નક્કી થઈ જવાથી સાથે-સાથે કુંડળીનાં બાકીના સ્થાનોની રાશિ પણ નક્કી થઈ જાય છે.

પ્રથમ ભાવ સ્વનો સૂચક છે. આ ભાવ પરથી જાતકનું શારીરિક કદ, આકાર, વર્ણ, બાંધો, દેખાવ, પ્રકૃતિ, વ્યક્તિત્વ, મનોવલણ, બુદ્ધિ, ચારિત્ર્ય, પ્રતિષ્ઠા, આરોગ્ય, જીવનશક્તિ, આયુ, જીવનની શરૂઆત અને સમગ્ર જીવન અંગેની સામાન્ય જાણકારી પ્રાપ્ત થાય છે. પ્રથમ ભાવ શરીરમાં મસ્તક, મગજ અને કપાળનો નિર્દેશ કરે છે. આ ભાવનો કારક ગ્રહ સૂર્ય છે.

દ્વિતીય ભાવ :

દ્વિતીય ભાવ એ ધનસ્થાન અથવા કુટુંબસ્થાન પણ કહેવાય છે. આ ભાવ ધન, સંપતિ, સમૃદ્ધિ, ધનસંચય, આવકનાં સાધનો, સ્વબળે પ્રાપ્ત કરેલી સંપતિ, કિંમતી અને મૂલ્યવાન અલંકારો, રત્નોનો નિર્દેશ કરે છે. આ ઉપરાંત દ્વિતીય ભાવથી કુટુંબ, કુટુંબના સભ્યો, વાણી, અવાજ, દ્રષ્ટિ અને આંતરિક ક્ષમતાઓ પણ જોવાય છે. શરીરમાં દ્વિતીય ભાવ ચહેરો, મોંઢુ, જમણી આંખ, દાંત, જીભ, નાક, ગળું, થાઈરોઈડ ગ્રંથિ અને નખનો નિર્દેશ કરે છે.
આ ભાવ પરથી જાતકની ખાનપાનની આદતો અને તેને ગમતાં ખોરાક અને સ્વાદ અંગેની જાણકારી પ્રાપ્ત થાય છે. દ્વિતીય સ્થાન મારક સ્થાન પણ છે અને જાતકના મૃત્યુનું કારણ સૂચવે છે. અમુક વિદ્વાનોના મત અનુસાર દ્વિતીય સ્થાન જાતકના શિક્ષણનો નિર્દેશ કરે છે. આ સ્થાનનો કારક ગ્રહ ગુરુ છે.

તૃતીય ભાવ :

તૃતીય ભાવ એ ભાતૃસ્થાન, પરાક્ર્મસ્થાન અથવા સહજભાવ પણ કહેવાય છે. આ ભાવ જાતકનાં શૌર્ય, સાહસ, વીરતા, પરાક્ર્મ અને દ્રઢતાનો નિર્દેશ કરે છે. તૃતીયસ્થાન અભિવ્યક્તિનું સ્થાન છે. જેથી કલાકારો, ગાયકો, અભિનેતાઓ, નૃત્યકારો, સંગીતકારો, લેખકો, પત્રકારો અને વાતચીતની કળા સાથે સંકળાયેલું છે. સંદેશાવ્યવહારનું સૂચક છે અને સંદેશા વ્યવહારનાં સાધનો જેવા કે ટપાલ, તાર, પત્રવ્યવહાર સાથે જોડાયેલું છે. નાની યાત્રાઓ, ટૂંકા ગાળાનાં કરારો, લખાણો, દસ્તાવેજોનો નિર્દેશ કરે છે. શરીરમાં હાથ, ખભા, કોણી, કાંડુ અને જમણાં કાન સાથે સંબંધિત છે. જે રીતે હાથ લડાઈ કરીને શરીરનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે તે જ રીતે વાસ્તવિક જીંદગીમાં ભાઈઓ રક્ષણ અને સાથ આપે છે. આથી તૃતીયસ્થાન ભાઈ-બહેનો, ખાસ કરીને નાના ભાઈ-બહેનો અંગેનાં શુભાશુભ ફળનો નિર્દેશ કરે છે. આ ઉપરાંત પિતરાઈઓ, પાડોશીઓ અને નજીકનાં મિત્રોનું સૂચક છે. ચતુર્થસ્થાનથી બારમું સ્થાન હોવાથી જમીન, મકાન અને વાહન પાછળ થતાં ખર્ચાઓનો નિર્દેશ કરે છે. તૃતીયસ્થાનનો કારક ગ્રહ મંગળ છે.

ચતુર્થ ભાવ :

ચતુર્થ ભાવ એ માતૃસ્થાન અથવા સુખસ્થાન પણ કહેવાય છે. ચતુર્થસ્થાન પગ નીચે રહેલું છે. આથી નીચે રહેલી એટલે કે આંતરિક બાબતો અને જમીનનો નિર્દેશ કરે છે. સ્થાવર મિલકત, જમીન, જમીનની અંદરથી પ્રાપ્ત થતી વસ્તુઓ, ખેતરો, ઉદ્યાન, ગોચર, મકાન, વાહન, ચાર પગવાળાં પ્રાણીઓ, ખાણ, કૂવાઓ, પાણી, નદી, તળાવ અંગેની જાણકારી આપે છે. આંતરિક બાબતો અને ખાનગી જીવનનો નિર્દેશ કરે છે. માતા, પૃથ્વીમાતા, માતૃત્વ, વતન, ઘર, ઘરનું વાતાવરણ, શિક્ષણ, પૈતૃક સંપતિ, અંતઃકરણ, સુખાકારી, આંતરિક લાગણીઓ અને માનસિક સ્થિતિ અંગેનાં શુભાશુભ ફળનો નિર્દેશ છે. શરીરમાં છાતી, ફેફ્સા અને હ્રદય સાથે સંબંધિત છે. ચતુર્થસ્થાનનો કારક ગ્રહ ચન્દ્ર છે.

પંચમ ભાવ :

પંચમ ભાવ એ પુત્રસ્થાન અથવા વિદ્યાસ્થાન પણ કહેવાય છે. સંતાન, સંતાન સાથેનાં સંબંધો અને સંતાનની સુખાકારીનો નિર્દેશ કરે છે. બુદ્ધિ, અભ્યાસ, યાદશક્તિ, પ્રતિભા, આવડતો, સર્જનાત્મકતા અને લખાણો સાથે સંબંધિત ભાવ છે. પંચમ ભાવ શૈક્ષણિક સંસ્થાઓ, અધ્યયન, અધ્યાપન, પુસ્તકાલયો અને લેખકો સાથે સંકળાયેલો છે. સગાઈ, પ્રણય કે પ્રણય સંબંધો અંગેની જાણકારી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત લોટરી, શેર-સટ્ટા, જુગાર અને તેનાથી થનારા લાભહાનિનો સંકેત પ્રાપ્ત થાય છે. રમત-ગમત, મનોરંજન અને આનંદપ્રમોદનો સૂચક છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ પંચમ ભાવ અગત્યનો ભાવ છે. પવિત્ર ધાર્મિક ગ્રંથો, મંત્ર, તંત્ર, યંત્ર, શિષ્યો, ભક્તિ અને પૂર્વ પુણ્યનો નિર્દેશ કરે છે. ગત જન્મોમાં કરેલાં પુણ્યો આ જન્મમાં પ્રતિભા અને આશીર્વાદ સ્વરૂપે પ્રગટ થાય છે. પંચમ ભાવથી જાતકનાં ઈષ્ટ દેવતા અંગેની અથવા ગત જન્મ તેણે કરેલી ભક્તિ અને સાધનાને લીધે આ જન્મમાં કોઈ ચોક્કસ દેવી-દેવતા પ્રત્યે અનુભવાતા ખેંચાણ અંગેની જાણકારી પ્રાપ્ત થાય છે. શરીરમાં પંચમ ભાવ પેટ, લીવર, સ્વાદુપિંડ, પિત્તાશય, કિડની, બરોળ અને ગર્ભાવસ્થાનો નિર્દેશ કરે છે. પંચમ ભાવનો કારક ગ્રહ ગુરુ છે.

ષષ્ઠ ભાવ :

ષષ્ઠ ભાવ એ શત્રુસ્થાન અથવા રોગસ્થાન પણ કહેવાય છે. આ સ્થાન રોગ, શત્રુ, ઋણ, નોકરી, નોકરચાકરો, કર્મચારીઓ, પરિચર્યા, દૈનિક કાર્યો, મામા, મોસાળપક્ષ, પાલતુ પ્રાણીઓ, ભાડૂત, ચોર, સ્પર્ધાત્મકતા, સહકર્મચારીઓ, કોર્ટકચેરીના દાવાઓ, તીવ્ર શારીરિક-માનસિક વેદના, બ્રહ્મચર્ય, જઠરાગ્નિ અને પાચનતંત્ર અને આંતરડાનો નિર્દેશ કરે છે. ડોક્ટરો, વકિલો અને પોલીસ સાથે સંકળાયેલો ભાવ છે. ષષ્ઠ ભાવ એ મૂશ્કેલીઓ, વિઘ્નો અને કઠોર પરિશ્રમનો સૂચક છે. સાથે-સાથે મૂશ્કેલીઓ અને વિઘ્નોમાંથી બહાર આવવાની તેમજ શત્રુઓ પર વિજય મેળવવાની શક્તિનો પણ સૂચક છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ ષષ્ઠ ભાવ નિઃસ્વાર્થ સેવાનો નિર્દેશ કરે છે. આ ભાવનો કારક ગ્રહ મંગળ છે.

સપ્તમ સ્થાન :

સપ્તમ સ્થાન એ કલત્રસ્થાન પણ કહેવાય છે. કલત્ર એટલે કે પત્ની. આ સ્થાન લગ્ન, જીવનસાથી, દાંમ્પત્યસુખ, ભાગીદારી, કામેચ્છા અને જાતીય જીવનનો નિર્દેશ કરે છે. સપ્તમસ્થાન એ પ્રથમસ્થાનથી બિલકુલ વિરુધ્ધ છે. પ્રથમસ્થાનથી વિરુધ્ધ છે એટલે વિજાતીય પાત્રનો નિર્દેશ કરે છે. પ્રથમસ્થાન એ સ્વ છે તો સપ્તમસ્થાન એ સ્વને પરિપૂર્ણ કરનાર વ્યક્તિ છે. સપ્તમસ્થાન સૂર્યાસ્ત સમયનું સૂચક છે. સૂર્યાસ્ત સમયે વ્યક્તિ પોતાનાં કાર્યો પૂર્ણ કરી ઘરે પરત ફરે છે અને જીવનસાથી સાથે સમય વિતાવે છે. સપ્તમસ્થાનથી વ્યવસાયિક ભાગીદારી, વ્યાપાર, વાણિજ્ય, જાહેર સામાજીક જીવન, પરદેશ સાથેનાં વ્યાપાર અંગેની બાબતો અને પરદેશની મુસાફરીઓ અંગે જાણકારી પ્રાપ્ત થાય છે. શરીરમાં નાભિથી નીચેનો ભાગ, મોટું આંતરડું અને આંતરિક જનનાંગોનો નિર્દેશ કરે છે. સપ્તમસ્થાન એ મારક સ્થાન પણ છે અને તે મૃત્યુના ભયનો નિર્દેશ કરે છે. આ સ્થાનનો કારક ગ્રહ શુક્ર છે.

અષ્ટમ ભાવ :

અષ્ટમ ભાવ એ આયુષ્યસ્થાન અથવા મૃત્યુસ્થાન પણ કહેવાય છે. આ ભાવ આયુષ્ય અને મૃત્યુનો નિર્દેશ કરે છે. આ ઉપરાંત વારસો, વસિયત, વીમો, પેન્શન, ગ્રેચ્યુઈટી, ગુપ્ત ધન, અણકમાયેલું ધન, જીવનસાથીનું ધન, ભાગીદારની સંપતિ, શ્વસુરપક્ષ, મૂશ્કેલીઓ, અવરોધો, પીડા, સંઘર્ષ, બદનામી, વિલંબ, નિરાશા, હાર, ખોટ, લાંબી બિમારીઓ, વ્યસનો, જાતીય શક્તિ અને બાહ્ય જનનાંગોનો નિર્દેશ કરે છે. અષ્ટમ સ્થાન એ કાર્મિક સ્થાન છે અને મૂશ્કેલીઓ અને અવરોધો સર્જનાર ભાવ છે. દુન્યવી દ્રષ્ટિએ આ ભાવ નકારાત્મક છે. પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ આ ભાવ સકારાત્મક છે. જીંદગીની ગુપ્ત, અજાણી અને રહસ્યમય બાબતો સાથે સંબંધિત છે. ગૂઢ વિદ્યાઓ, જ્યોતિષ, અધ્યાત્મ, યોગ, કુંડલિની શક્તિનો નિર્દેશ કરે છે. આ ભાવનો કારક ગ્રહ શનિ છે.

નવમ ભાવ :

નવમ ભાવ એ ભાગ્યસ્થાન અથવા ધર્મસ્થાન પણ કહેવાય છે. આ ભાવ પિતા, ગુરુ, ભાગ્ય, ધાર્મિકતા, આધ્યાત્મિકતા, તત્વજ્ઞાન, વેદ, નીતિપરાયણતા, મૂલ્યો, શ્રધ્ધા, ડહાપણ, ધાર્મિક માન્યતાઓ, દેવાલયો, હોમ-હવન, દાન, સત્કર્મો, અંતઃપ્રેરણા, જ્ઞાન, દિક્ષા અને ધાર્મિક સ્થળોની યાત્રાનો નિર્દેશ કરે છે. સારું ભાગ્ય એ સારા કર્મો અને ધર્મનાં માર્ગે ચાલવાનું પરિણામ હોય છે. નવમ ભાવ પરદેશમાં ભાગ્ય, પરદેશની મુસાફરીઓ, લાંબી મુસાફરીઓ, અધ્યાપન, ઉચ્ચ અભ્યાસ, પૌત્ર-પૌત્રીઓ, નેતાગીરી, ધન, ઉપરી અધિકારી અને શરીરમાં જાંઘનો નિર્દેશ કરે છે. આ ભાવનો કારક ગ્રહ ગુરુ છે.

દસમ ભાવ :

દસમ ભાવને કર્મસ્થાન પણ કહેવાય છે. દસમસ્થાન એ મધ્યાહ્ન સમયનું સૂચક છે. આ એ સમય છે જ્યારે વ્યક્તિ પૂર્ણ પ્રકાશને લીધે સૌથી વધુ સક્રિય હોય છે. દસમસ્થાન એ કર્મ, વ્યવસાય, વ્યાપાર, કારકિર્દી, આજીવિકાનો સ્ત્રોત, ભૌતિક પ્રવૃતિઓ, પ્રમોશન, નિયુક્તિ, દરજ્જો, કિર્તી, માન-સન્માન, ગૌરવ, સફળતા, પુરસ્કારો, મહાત્વાકાંક્ષા, ધ્યેય, પ્રગતિ, સત્તા, સરકાર, સરકાર સાથે લેણદેણ, ઉચ્ચ હોદ્દાઓ અને શરીરમાં ગોઠણનો નિર્દેશ કરે છે. મધ્યાહ્ન સમયે સૂર્યપ્રકાશમાં બધું જ દ્રષ્ટ અને સ્પષ્ટ દેખાય છે. આથી ચતુર્થસ્થાનથી વિરુધ્ધ દસમસ્થાન એ બાહ્ય જીંદગી અને જાહેર જીવનનો નિર્દેશ કરે છે. આ સ્થાનનો કારક ગ્રહ બુધ છે.

એકાદશ ભાવ :

એકાદશ ભાવ એ લાભસ્થાન પણ કહેવાય છે. આ ભાવ દરેક પ્રકારના લાભ, વ્યવસાયમાં થતી આવક, નફો, સમૃદ્ધિ, મિત્રો, મોટાં ભાઈ-બહેનો, દૂરનાં સગાં-સંબંધીઓ, સંતાનના જીવનસાથી, સમાજ, સમુદાય, ઈચ્છાઓ, મનોકામનાઓ અને તેની પૂર્તિ, જવાબદારીઓમાં સફળતા અને શરીરમાં ગોઠણથી નીચેનો પગ, ઘૂંટી તેમજ ડાબા કાનનો નિર્દેશ કરે છે. એકાદશનો ભાવનો કારક ગુરુ છે.

દ્વાદશ ભાવ :

દ્વાદશ ભાવ એ વ્યયસ્થાન અથવા મોક્ષસ્થાન પણ કહેવાય છે. આ ભાવથી વ્યય, હાનિ, ઉડાઉ ખર્ચ, દાન-ધર્માદાઓ, અનાસક્તિ, ત્યાગ, કુટુંબથી વિખૂટાંપણું, પીડા, દુર્ભાગ્ય, ગરીબી, અજાણ્યું અને દૂરનું સ્થળ, પરદેશ, પરદેશમાં જીંદગી, પરદેશની મુસાફરી, આયાત-નિકાસ, ગુપ્ત શત્રુઓ, બંધન, એકાંત, સજા, જેલવાસ, હોસ્પિટલમાં દાખલ થવું, શયનસુખ, નિદ્રા, ધ્યાન, મોક્ષ અને મૃત્યુ પછીની સ્થિતિ જોવાય છે. દ્વાદશ ભાવ એ સ્વને ભૂલી અને ઓગાળીને બ્રહમાંડ સાથેની વિલિનતાનો સંકેત કરે છે. સ્વને નિષેધાત્મક રીતે નશામાં ભાન ભૂલીને પણ ઓગાળી શકાય. આથી દ્વાદશ ભાવ વ્યસનો અને બંધાણો પણ સૂચવે છે. નવમસ્થાનથી ચતુર્થસ્થાન હોવાથી ગુરુનું ઘર એટલે કે આશ્રમનો નિર્દેશ કરે છે. શરીરમાં પગના પંજા અને ડાબી આંખનો નિર્દેશ કરે છે. આ ભાવનો કારક ગ્રહ શનિ છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.
વાસ્તુશાસ્ત્રના સુવર્ણ ઉપાયો: નોકરી ન મળતી હોય તો ઘરના વાસ્તુદોષનું નિવારણ કરો…!!!
ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!
અસરકારક વાસ્તુ શાસ્ત્ર: સન્માન અને સમૃદ્ધિ વધારવા, ઘરના આ ખૂણામાં કરો નાના-નાના ફેરફાર…!!!
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.
ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!
જાણો..કામ લાગશે…તોડફોડ કર્યા વગર ઘરના દોષ દૂર કરતું ફેંગશૂઈ…!!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…વાસ્તુશાસ્ત્ર તમારો વેપાર વધારી શકે છે..!!!
શાસ્ત્રોક્ત ઉપાય: ધંધામાં આવક ડબલ કરવા, અપનાવો આ નાના-નાના સચોટ ઉપાય…!!
ફેંગશુઈના 15માંથી કોઇ 1નો કરો ઉપાય, ઘરથી ક્યારેય દૂર નહીં થાય સુખ+સમૃદ્ધિ
જાણો ઉકેલ…દીકરીના લગ્નમાં વિઘ્નો ઉત્પન્ન કરે છે આ દોષો, આજે જ જાણી કરો દૂર…!!
જાણો…દરેક કામમાં અતિશુભ ફળ મેળવવું હોય તો ધ્યાનમાં રાખવી આ 15 વાતો..!!!
ઘરમાં થાક, અનિદ્રા, તણાવ અનુભવો છે? હોઈ શકે છે વાસ્તુદોષ..!
તમારા ઘરમાં ચોક્કસ હોવી જોઇએ, ધનને આકર્ષતી આ 15માંથી 1 વસ્તુ!

જાણો…સફળતાની ટોચે પહોંચવા રાશિ પ્રમાણે કયો વ્યવસાય છે શ્રેષ્ઠ? કરો ઉપાય…!!

career6

જ્યોતિષમાં 12 રાશિઓ બતાવવામાં આવી છે અને આ રાશિઓના સ્વામી અલગ-અલગ હોય છે. મેષ-વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. મિથુન-કન્યા રાશિનો સ્વામી બુધ છે. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર અને સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. ધન-મીન રાશિનો સ્વામી ગુરુ છે. મકર-કુંભ રાશિનો સ્વામી શનિ છે. જો તમે પોતાના જીવનમાં વધુ સફળ થવા માગતા હોય અને ટોચ ઉપર પહોંચવું હોય તો તમારે રાશિ પ્રમાણે વ્યવસાયની પસંદગી કરવી જોઈએ અને તમારા ગ્રહ સ્વામીને અનુકૂળ બનાવવા માટે તમારે રાશિ સ્વામી કે રાશિમાં દર્શાવ્યા પ્રમાણે દેવોને પ્રસન્ન કરવા માટે ઉપાય કરવા જોઈએ. અહીં જાણો રાશિ સ્વામી પ્રમાણે 12 રાશિઓ માટેના સરળ ઉપાય…

તમારી જન્મતારીખ બતાવે છે કયો મહિનો છે તમારા સ્વાસ્થ્ય ઉપર ભારે? ઉપાયો કરો

જ્યોતિષમાં બતાવ્યું છે કે આ ઉપાયોથી સુખ-સમૃદ્ધિ અને ધન સંબંધી કાર્યોમાં આવતી પરેશાનીઓ દૂર થઈ જાય છે

મેષ (અ.લ.ઈ.) –

મેષ રાશિના સ્વામી મંગળ દેવ છે. મંગળને પૃથ્વીના પુત્ર માનવામાં આવે છે. તેનો રક્તવર્ણ છે. જમીન, મકાન, ખેતી તથા તેનાથી જોડાયેલ ઉપકરણો, દવાઓના ઉપકરણો, વાહન વિક્રય, ખનિજ, કોલસામાં રોકાણ કરનારા લોકોને મંગળ વધારે લાભ આપે છે. આ રાશિના લોકોને કોઈ પણ પ્રકારના શેર, કેમિકલ, ચામડું, લોખંડથી સંબંધિત કાર્યમાં રોકાણ કરવાથી બચવું જોઈએ. જન્મપત્રિકામાં મંગળ-ચંદ્રની યુતિ હોય તો વ્યક્તિ અતિ ધનવાન થાય છે. પૂર્વનું રોકાણ અટકેલું હોય તો દર મંગળવારના દિવસે હનુમાનજીને સરસવના તેલનો દીવો કરવો જોઈએ.

1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?

વૃષભ (બ.વ.ઉ.) –

આ રાશિના સ્વામી શુક્ર છે. શુક્ર ચંચળ ગ્રહ છે તથા ચંદ્રમા આ રાશિમાં ઉચ્ચનો હોય છે. આ લોકોને અનાજ, કપડાં, ચાંદી, ચોખા, સૌંદર્ય સામગ્રી, અત્તર, દૂધ તથા દૂધથી બનેલી બનાવટો, પ્લાસ્ટિક, ખાદ્ય તેલ, ઓટો પાર્ટસ તથા રત્નોમાં રોકાણ કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. જમીનસ ખનિજ, કોલસો, સત્ન, સોના, ચાંદી, સ્ટીલ, શિક્ષણ સંસ્થા, ચામડું, લાકડું, વાહન, આધુનિક યંત્ર, ઔષધિઓ, વદેશી દવાઓ વગેરેમાં રોકાણથી બચવું જોઈએ. જુનું રોકાણ અટક્યું હોય તો પૂનમના દિવસે ચંદ્ર ગ્રહના નિમિત્તે ઘીનો દીવો કરવો.

પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!

મિથુન (ક.છ.ઘ.) –

આ રાશિના સ્વામી બુધ છે. બુધ ચંદ્રને પોતાનો શત્રુ માને છે. બુધ વ્યાપાર કરનાર લોકોને લાભ આપનાર ગ્રહ છે. આ રાશિના જાતકોને સોનામાં રોકાણ લાભદાયી રહે છે. આ ઉપરાંત કાગળ, લાકડું, પીતળ, ઘઉં, દાળ, કપડા, સ્ટીલ, પ્લાસ્ટીક, તેલ, સૌદર્ય સામગ્રી, સીમેન્ટ, ખનિજ પદાર્થ, પશુ, પૂજન સામગ્રી, વાદ્યયંત્ર વગેરોનો વેપાર કે આ ચીજોથી સંબંધિત રોકાણ લાભ આપનાર છે. ચાંદી, સાકર, ચોખા, સુકો મેવો, કાંસા, લોખંડ, ઈલેક્ટ્રોનિક્સ, જમીન, સીમેન્ટ, અત્તર, કેબલ તાર, વાહન, દવાઓ, પાણીથી સંબંધિત પદાર્થોમાં રોકાણ કરવાતી બચવાનો પ્રયત્ન કરો. જુના રોકાણમાં પૈસા અટકેલા હોય તો સફેદ વસ્ત્રનું દાન કરો.

દરેક યુવતીઓની જન્મતિથિ થી જાણો તેમના વ્યક્તિત્વના રહસ્યો , હોય છે આવી ખાસ વાત..!!

કર્ક (હ.ડ.) –

કર્ક રાશિના સ્વામી સ્વયં ચંદ્રમા છે. આ રાશિના લોકો વ્યવસાયની સાથે નોકરીમાં પણ સફળ થાય છે. આ લોકોને ચાંદી, ચોખા, સાકર તથા કપડા ઉત્પાદન કરનારી કંપનિઓના શેર, પ્લાસ્ટિક, અનાજ, લાકડું, તાર, ફિલ્મો, ખાદ્ય સામગ્રીઓ, આધુનિક ઉપકરણસ બાળકોના રમકડાં, ફાયનાન્સ કંપનીઓમાં રોકાણ કરવું લાભદાયી રહે છે. વર્તમાનમાં શનિની અઢી વર્ષની પનોતી ચાલતી હોવાથી શેર તથા વાયદા બજારમાં રોકાણ બિલકુલ ન કરો. જમીન, પ્લોટ, મકાન, દુકાન, તેલ, સોના, પીતળ, વાહન, દૂધથી બનેલી વસ્તુઓ, પશુ, રત્ન, ફર્ટિલાઈઝર્સ, સીમેન્ટ, ઔષધિઓ તથા વિદેશી દવા કંપનિઓમાં રોકાણ સાવધાનીથી કરવું જોઈએ. પહેલાનું રોકાણ અટકેલું હોય તો શ્રી ગણેશને ભોગ લગાવો.

જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ

સિંહ (મ.ટ.) –

આ રાશિના સ્વામી સૂર્ય ચંદ્રમાના મિત્ર છે. આ લોકો પોતાના કાર્ય કે વેપારમાં સફળ થાય છે. સામાન્ય રીતે આ લોકોને નોકરી પસંદ નથી હોતી. તેને સોના, ઘઉં, કપડા, ઔષધિઓ, રત્નો, સૌંદર્ય સામગ્રી, અત્તર, શેર તથા જમીન સંપત્તિમાં રોકાણ લાભદાયક છે. આ લોકોને ટેકનોલોજી ઉપકરણો, વાહન, સૌદર્ય સામગ્રી, ફિલ્મ્સ, પ્લાસ્ટિક, કેબલ, કાગળ, ખાદ્ય પદાર્થ વગેરેમાં લાભ રહે છે. આ રાશિના જાતકોને કોઈ પણ રોકાણ લાભ-હાનિ બરાબર થાય છે. પૂર્ણતઃ હાનિથી તે હંમેશા બચીને રહે છે. પહેલાના રોકાણ અટકેલા હોય તો હનુમાનજીને ચમેલીના તેલનો દીવો કરો.

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો

કન્યા (પ.ઠ.ણ) –

આ રાશિના સ્વામી બુધ છે. જે ચંદ્રમાથી શત્રુતા રાખે છે. આ લોકોને શિક્ષણ સંસ્થા, સોનું, ઔષધિઓ, કેમીકલ, ફર્ટિલાઈઝર્સ, ચામડાથી બનતો સામાન, ખેતી, ખેતીના ઉપકરણોથી કામ કરવામાં સફળતા પ્રાપ્ત થાય છે. આ ચીજોમાં રોકાણ પણ લાભદાયી થાય છે. જમીન, ચાંદી, સીમેન્ટ, ટ્રાંસપોર્ટ, મશીનોનો સામાન, પશુ તથા જળથી જોડાયેલ કાર્યોમાં રોકાણ કરવાથી બચવું જોઈએ. વર્તમાન સમયમાં શનિની પતોતીનું અંતિમ ચરણ ચાલતું હોવાથી શેર અને વાયદા બજારમાં સારી સલાહ પછી જ રોકાણ કરો. રોકાણમાં કોઈ પૈસા ફસાયેલા હોય તો શ્રી ગણેશજીને લાડુંનો ભોગ ચઢાવો.

પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!

તુલા (ર.ત) –

આ રાશિના સ્વામી શુક્ર છે. શનિ આ રાશિમાં ઉચ્ચનો થાય છે અને આ સમય શનિતુલામાં જ છે. આ રાશિના લોકોને લોખંડ, સીમેન્ટ, સ્ટીલ, દવાઓ, કેમીકલ, ચામડું, ફર્ટિલાઈઝર્સ, કપડાં, તાર, હોસ્પિટલ, કોલસા, રત્ન, પ્લાસ્ટિક, આધુનિક યંત્રો, તેલમાં રોકાણ કરવાથી ઉત્તમ લાભ પ્રાપ્ત થાય છે. જમીન, મકાન,ખેતી વગેરેમાં રોકાણ ન કરવું. વર્તમાન સમયમાં શનિની સાડાસાતીથી શેર તથા વાયદા બજારમાં રોકાણ ન કરો. જુનું રોકાણ ફસાયું હોય તો સૂર્યને દૂધ અર્પણ કરો.

દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!

વૃશ્ચિક (ન.ય.) –

આ રાશિના સ્વામી મંગળ છે. ચંદ્રમા આ રાશિમાં નીચના થાય છે. મેષ રાશિની જ જેમ આ રાશિ વાળાને જમીન, મકાન, દુકાન, ખેતી, સીમેન્ટ, રત્નો, ખનિજો, ખેતી તથા મેડિકલના ઉપકરણ, પૂજન સામગ્રી, કાગળ, વસ્ત્રમાં રોકાણથી લાભ થાય છે. આપની કુંડળીમાં જો ચંદ્રમા પર શનિની નજર હોય તો તેલ, કેમિકલ તથા તરલ પદાર્થોમાં રોકાણ કરવાથી બચો. વર્તમાન સમયમાં શનિની સાડાસાતી હોવાથી શેર, કેમીકલ, લોખંજ, ચામડુ, સોનું, ચાંદી, સ્ટીલ, લાકડું, સૌંદર્ય સામગ્રી, લોખંડના ઉપકરણ, તેલમાં રોકાણ બિલકુલ ન કરો. પૂર્વમાં રોકાણ અટકેલા હોય તો મંગળવારના દિવસે કોઈ ચોરા પર તેલ રાખી દો.

हर समस्या की काट है शिव-अभिषेक…કરો તમારા નામની રાશિ પ્રમાણે ખાસ નિત્ય-પૂજા…!!!

ધન (ભ.ફ.ધ.ઢ.) –

આ રાશિના સ્વામી ગુરુ ગ્રહ છે. ગુરુ વ્યાપારિઓને લાભ આપનાર ગ્રહ છે. વિશેષ કરીને સોનું તથા અનાજનો વેપાર કરવા માટે આ રાશિના લોકોને રોકાણ માટે પણ તે વસ્તુઓ પર ધ્યાન આપવું જોઈએ. આભૂષણો, રત્નો, સોનું, અનાજ, કપાસ, ચાંદી, શાકર, ચોખા, ઔષધિઓ, સૌદર્ય સામગ્રી, દૂધથી બનેલા પદાર્થ, પશુઓનો વ્યાપાર કરવો તથા તેમાં રોકાણ કરવાથી લાભ થાય છે. તેલ, કેમિકલ, ખનિજ, કોલસો, ખાદ્ય તેલ, કરિયાણા વેપાર, કેબલ તાર, શીશું, લાકડું, જમીન, મકાન, સીમેન્ટ, લોખંડના વેપાર કે તેમાં રોકાણ કરવાથી હાનિ થવાની શક્યતાઓ છે. અટકેલા રોકાણને છોડાવવા માટે સરસવના તેલનું દાન કરો.

જાણો…પતિ-પત્ની વચ્ચે થતી તુંતું-મૈંમૈંથી બચવા આ રીતે રાશિ પ્રમાણે પસંદ કરો પાર્ટનર..!!!

મકર (ખ.જ) –

આ રાશિના સ્વામી શનિ છે. શનિ ચંદ્રથી શત્રુતા રાખે છે. આ રાશિના લોકોને લોખંડ, હોસ્પિટલ, કેબલ, તેલ, ખાદ્ય સામગ્રી, ઈલેક્ટ્રોનિક્સ સામાન, યંત્ર, ખનિજ પદાર્થ, ખેતી ઉપકરણ, વાહન, ચિકિત્સાના ઉપકરણ, વસ્ત્ર, અત્તર, સ્ટીલ, સૌંદર્ય સામગ્રી, ગ્લેમર વ્લડ, ફિલ્મ્સ, નાટકમાં રોકાણથી લાભ થાય છે. જમીન, મકાન, સીમેન્ટ, સોના, ચાંદી, રત્ન, પીતળ, અનાજ, વસ્ત્ર, શેર વગેરમાં રોકાણથી બચવું જોઈએ. રોકાણ અટકાયેલું હોય તો આમલીનું દાન કરો.

પ્રેમ અને જ્યોતિષશાસ્ત્ર : નામના પહેલા અક્ષરથી જાણો તમારો કંઈ રાશિ સાથે કેવો રહેશે પ્રેમ પ્રસંગ

કુંભ (ગ.શ.સ.ષ.) –

આ રાશિના સ્વામી પણ શનિ જ છે તથા મકરની જેમ જ તેના વિશે સમજવું જોઈએ. આ રાશિના લોકોને લોખંડ, હોસ્પિટલ, કેબલ, તેલ બધા પ્રકારની ખાદ્ય સામગ્રી, ઈલેક્ટ્રોનિક્સ સામાન, યંત્ર, ખનિજ પદાર્થ, ખેતી ઉપકરણ, વાહનસ મેડિકલના ઉપકરણો, વસ્ત્ર, અત્તર, સ્ટીલ, સૌંદર્ય સામગ્રી, ગ્લેમર, ફિલ્મ, નાટકો વગેરેના રોકાણમાં લાભ થાય છે. જમીન, મકાન, સીમેન્ટ, સોનું, ચાંદી, રત્ન, પીતળ, અનાજ, વસ્ત્ર, શેર વગેરેમાં રોકાણ કરતા બચવું જોઈએ. જુનું રોકાણ અટકેલું હોય તો આદુંનું દાન કરો.

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો

મીન (દ.ચ.ઝ.થ.) –

આ રાશિના સ્વામી ગુરુ છે. ગુરુ ચંદ્રના મિત્ર છે. આ રાશિ પર વર્તમાનમાં શનિની અઢી વર્ષીય પનોતી પ્રારંભ થઈ છે. આથી કોઈ પણ પ્રકારના રોકાણથી બચવું જોઈએ. વિશેષ કરીને શેર તથા વાયદા બજારમાં. તેના રોકાણ માટે આભૂષણો, રત્નો, સોનું, અનાજ, કપાસ, ચાંદી, સાકર, ચોખા, ઔષધિઓ, સૌંદર્ય સામગ્રી, દૂધથી બનેલા પદાર્થ, પશુઓનો વ્યાપાર કરવા તથા આ ચીજોમાં રોકાણ કરવાથી લાભ થાય છે. તેલ, કેમિકલ, ખનિજ, કોલસો, ખાદ્ય તેલ, કરિયાણા વ્યાપાર, કેબલ, શીશું, લાકડી, જમીન, મકાન, સીમેન્ટ, લોખંડના વેપાર કે તેમાં રોકાણ કરવાથી હાની થવાની શક્યતાઓ બને છે. રોકાણ અટકાયેલ હોય તો દુર્ગા ચાલીસાનો પાઠ કરો.

લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

જાણો…સમજો…અને અજમાવો. તમારા ભાગ્યને સુધારવાનું બળ છે રત્નોમાં…!!!

rashi ratna

ગ્રહબાધાઓ દૂર કરવા અને ઉન્નતિના શિખર પર બિરાજવા માટે ઉત્તમ રત્ન ધારણ કરવું જોઈએ. ક્યારેક રત્ન ધારણ કરવા છતાં સફળતા ન મળે તો એનો અર્થ એ નથી કે ધારણ કરેલું રત્ન ખોટું છે, દોષપૂર્ણ છે, પૂજાવિધિ બરાબર થઈ નથી વગેરે, પરંતુ શાસ્ત્ર સુસંગત રત્ન ધારણ કરવામાં આવે તો રત્નસિદ્ધિ અવશ્ય મળે છે. વિધિવિધાન બદલાતું નથી, પરંતુ રત્નોમાં ભાગ્યને સુધારવાનું બળ છે.

મુશ્કેલીઓ અને કષ્ટોમાંથી બહાર નીકળવા માટે જ્યોતિષમાં અનેક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાંથી સૌથી સરળ અને શ્રેષ્ઠ ઉપાય રત્નધારણનો છે. જે તે ગ્રહને પ્રસન્ન કરવાનો હોય કે કોઈ ગ્રહના પૂરતા વાઈબ્રેશન ન મળતા હોય ત્યારે જે તે ગ્રહનું નંગ ધારણ કરવાથી ફાયદો થાય છે. જીવનના કેટલાંક પ્રશ્નોનું નિવારણ પણ રત્નો દ્વારા થઈ શકે છે.

  • જ્યોતિષમાં અનેક ઉપાયોમાં સૌથી સરળ અને શ્રેષ્ઠ ઉપાય રત્નધારણનો છે
  • જે તે ગ્રહનું નંગ ધારણ કરવાથી જીવનના કેટલાંક પ્રશ્નોનું નિવારણ થઈ શકે છે
  • કોઈ ગ્રહના વાઈબ્રેશન વ્યક્તિને મળતા ન હોય ત્યારે જે તે ગ્રહનું નંગ પહેરવાથી લાભ થાય છે

કુડળીમાં બે ગ્રહની યુતિ હોય એક ગ્રહ પ્રચંડ હોય ત્યારે તેની સાથે યુતિમાં આવેલા અન્ય ગ્રહ ઘણી વખત દબાઈ જાય છે અને તેના વાઈબ્રેશન વ્યક્તિને મળતા નથી. તેથી તે ગ્રહના કારકતત્વને લઈને વ્યક્તિને મુશ્કેલ સ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. કુંડળીમાં સૂર્ય -શુક્ર યુતિ હોય તો સૂર્ય પ્રચંડ ગ્રહ છે તેની અસર નીચે શુક્ર દબાઈ જાય છે. બીજા અર્થમાં કહીએ તો સૂર્યના કિરણો હેઠળ શુક્રના કિરણો દબાઈ જાય છે. વ્યક્તિ ને શુક્ર ગ્રહનું ફળ મળતું નથી. આ પરિસ્થિતિમાં વ્યક્તિ શુક્રના કારક તત્વને લગતી તકલીફો ભોગવે છે. આવા કિસ્સામાં જો શુક્રનું નંગ ધારણ કરવામાં આવે તો વ્યક્તિને લાભ થાય છે.

રત્નોના પ્રકાર
* ખનિજ રત્નોઃ હીરો, માણેક, પન્ના, નીલમ, પોખરાજ, ગોમેદ, લસણિયો.
* જૈવિક રત્નોઃ પરવાળું અને મોતી.

નવરત્નો

મોતી, માણેક, પ્રવાલ, હીરો, પન્ના, નીલમ, પોખરાજ, ગોમેદ અને વૈદૂર્ય (લસણિયો) છે. માનવજીવન ઉપર યંત્ર, મંત્ર, ઔષધી, રુદ્રાક્ષ અને રત્નોની સમાન રીતે અસર થાય છે. રત્નો ધારણ કરવાનું સરળ છે. જેનાથી જીવનમાં સુખ અને શાંતિ મળે છે.

રત્નો અને ઉપરત્નોની માહિતી

ratan
રાહુ અને કેતુને છાયાગ્રહો ગણવામાં આવ્યા છે. તોફાની ચાલ ચાલનારા આ ગ્રહોનાં ગોમેદ અને લસણિયું રત્ન ધારણ કરવાં. ઘણા જ્યોતિષીઓ નવગ્રહની વીંટીનો અનુરોધ કરે છે. શક્ય હોય ત્યાં સુધી નવગ્રહની વીંટી ધારણ ન કરવી. છતાંય જો ધારણ કરવાની સલાહ હોય તો એ શાસ્ત્રોક્ત રીતે વિધિવત્ પૂજા કરીને ધારણ કરી શકો છો. એ માફકસર આવે તો લાભ થાય. પરિણામો વ્યક્તિ પ્રમાણે, કર્મ પ્રમાણે આધારિત હોય છે.

તમામ ગ્રહોને ભેગા કરીને લાભ મેળવવાનું કામ અઘરું અને કર્મ આધારિત જરૃર છે, પરંતુ વિધિવત્ ધારણ કરવાથી દરેક ગ્રહોનાં કિરણો કેન્દ્રિત થઈ શરીરમાં પ્રવેશી લાભ ગેરલાભ કરી શકે છે. તે જાણવું જરૃરી છે.

રત્નોને શુદ્ધ કરવાની કે પહેરવાની પદ્ધતિ
રત્નોને ગૌમૂત્ર કે ગંગાજળથી શુદ્ધ કરીને શુદ્ધ જળથી ધોઈ લેવું. ત્યારબાદ રત્નને દૂધથી સ્નાન કરાવવું. પછી લૂછીને અત્તર છાંટવું અને અક્ષત (તૂટેલા ન હોય એવા) ચોખામાં રાખીને એક દિવસ બાદ જાપ કરીને જે તે ગ્રહના દિવસે શુભ સમયમાં ધારણ કરવું.

ratan1

રત્નો રંકને રાજા અને રાજાને મહારાજાધિરાજા બનાવે છે

“રત્નમોહ” રત્નમય બનાવે છે, રત્નાકરમાં સ્નાન કરાવે છે અને એના મોહપાશમાં જકડી રાખે છે અને રત્નવિભૂતિ બનાવી દે છે, રત્નપ્રતિભા કોને ના ગમે? રત્નપ્રભાવ કોને ના પ્રભાવિત કરે? રત્નોનાં રશ્મિ કોને ના પ્રભાવિત કરે? રત્નોનાં રશ્મિ ગ્રહ સાથે સીધો સંબંધ બનાવી શરીરમાં પ્રવેશ આપી જરૂરિયાતો પૂરી પાડે છે. રંક-રાજા અને પ્રજા સૌને ઘેલું લગાડનાર રત્નોની ચમક-દમકથી વિશ્વમાં ભાગ્યે જ કોઈ બચ્યું હોય. સાધુ-સંતો પણ નહીં. વ્યક્તિત્વનાં ગુણધર્મો પ્રમાણે, સ્વભાવ પ્રમાણે અને વર્તન પ્રમાણે વ્યક્તિત્વ ઘડાય છે. ચહેરાથી ગુસ્સે રહેનારો ઓળખાઈ જાય છે. નરમદિલ અને શાંત પણ સમજી શકાય છે. ઉતાવળિયો ધીરો અને ધીરગંભીર પણ જાણી શકાય છે. ઉદ્ધત-વિનયી ઓળખવો અઘરો નથી. તોફાની અને વ્યવસ્થિત વ્યક્તિ તુરત ખબર પડે છે, એ જ પ્રમાણે ગ્રહોની પ્રકૃત્તિ પણ હોય છે. ગરમ, તોફાની, વ્યવહારકુશળ, વ્યપારી, મોભાદાર, કલ્પનાશીલ પ્રકૃતિ ધરાવનારા ગ્રહોને અનુરૂપ તેમનાં પ્રતીક રત્નો ધારણ કરીએ તો ફાયદો થાય. સુખ, શાંતિ મળે. આરોગ્યપ્રધાન, અર્થપૂર્ણ, અર્થપ્રધાન, ભક્તિપ્રધાન, ગ્રહો અને જન્મસમયે ગ્રહોની આકાશી પરિસ્થિતિ પ્રમાણે થતી શુભ-અશુભ યુતિને કારણે બનતાં અનિષ્ટ દોષો અને નકારાત્મક પરિણામોને ધ્યાનમાં રાખીને રત્નો ધારણ કરવાં જોઈએ. જીવનના કેટલાક મહત્ત્વના તબક્કાઓ છે. જેમકે, અભ્યાસ, લગ્નજીવન, વ્યવસાયિક જીવન, પારિવારિક સંબંધો, સ્વાસ્થ્ય, આર્થિક બાબતો તેમજ જીવનમાં બનતી ચોક્કસ ઘટનાઓ દરમ્યાન યોગ્ય રત્ન ગ્રહણ કરવાં જોઇએ. ગ્રહદશા મુજબ નિષ્ણાત જ્યોતિષીનું માર્ગદર્શન લઇને એ વિવિધ તબક્કે રત્નો ધારણ કરીએ તો રત્ન પરિણામ આપે છે અને ખૂબ લાભ કરાવે છે. કોઇ વ્યક્તિને કોઇ ચોક્કસ રત્ન ગમતું હોય કે એ રત્નનો નંગ ગમતો હોય તો એ પહેરવા ન મંડાય. એના માટે ગ્રહદશા તેમજ કુંડળી જોવી પડે અને પછી જ યોગ્ય રત્ન ગ્રહણ કરી શકાય.

રત્નો માટે ખાસ જાણવા જેવી બાબતો

૧. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ગ્રહનું રત્ન પહેરી ના શકે.

૨. યોગ્ય ગ્રહનું રત્ન પણ યોગ્ય રીતે પહેરવું જરુરી છે.

૩. કુંડળીમાં ગ્રહોની ઉચ્ચ પરિસ્થિતિ હોય તો ખરાબ અનુભવ કદાચ ના થાય પરંતુ જે ગ્રહોને કુદરતે જ કરોડો માઈલ દૂર રાખ્યા છે એમને એક આંગળી પર ધારણ કરતી વખતે તકેદારી રાખવી જરુરી છે.

૪. રત્નોની જાણકારી ના હોય તો મેળવી લેવી જોઈએ. રત્નજાણકારની સલાહ લેવી જરૂરી છે. રત્નોમાંથી વીંટી-લોકેટ બનાવી વિભૂષિત કરીને પહેરી લેવી અને મંત્રઉચ્ચાર નિયમિત કરવા તથા અન્ય સુસંગત બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે.

૫. નવી કે સૌથી ખર્ચાળ કારને ખરાબ ડ્રાઈવર એક્સિડન્ટ કરાવી શકે છે એમ ગમે તેટલું મોંઘું નંગ પણ જો ખોટી રીતે પહેરી લેવાયું હોય તો એ ગ્રહ બાજી ઊંધી કરી શકે છે. દા. ત. કોહીનૂર હીરો જ્યાં જ્યાં ગયો ત્યાં માલિકને નુકસાન કરતો ગયો છે અને તારાજી કરી નાખી છે.

૬. ઊતરેલો, બીજાનો જૂનો તથા ક્ષતિવાળો નંગ કદી ના પહેરશો. એવું કરવાથી દોષ લાગે છે.

૭. રત્નોની અસર જો થોડા સમયમાં થાય જ નહીં તો એ રત્ન પહેરી રાખવું નહીં. કાઢી નાખવું.

૮. રત્નોની સૃષ્ટિ અપરંપાર છે, એમાં ગૂંચવાઈ ના જવાય. એ સૃષ્ટિનો દર્શનલાભ લઈ શકાય. ગ્રહો પ્રભુના જ અંશો છે. આ અંશો સાથે તાલમેલ મેળવો અને સુખી બનો.

સાભાર: સંદેશ.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

રત્નો મોંઘા પડતા હોય તો આ ઉપ-રત્નોથી મેળવો જીવનની દરેક સમસ્યાઓ થી છુટકારો..!!
નોકરી, પ્રમોશન, ટ્રાન્સફર કંઈ નથી મળતું? શાસ્ત્રોક્ત રામબાણ ઉપાયો કરવાથી સફળતા જરૂર મળશે..!!
સાચી શ્રધ્ધાથી કરજો….તમારી 7-7 પેઢીઓ થઈ જશે સુખી, 12 મહિના કરવું જોઈએ આ 1 કામ…!!!
જાણો..કામ લાગશે…દરેક કાર્યમાં એકધારી સફળતા મેળવવા, રાશિ મુજબ ઘરમાં કરો આ 1 કામ…!!!
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો…સ્થિર લક્ષ્મીની ઇચ્છા ધરાવતા હોવ તો, વાર મુજબ કરો આ 1 અચૂક ઉપાય…!!!
કરો…ગોળથી કરો ખાસ ઉપાય, દરેક દિવસ સુધરી જશે, થશે અઢળક લાભ..!!
શરીર પર આવા લક્ષણો હોય તો સમજી જજો, તમારા ભાગ્યમાં છે રાજયોગ…!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
અંકશાસ્ત્ર: તમારા લક્કી અંકના આધારે જાણો તમારા જીવનના શુભ-અશુભ પાસાઓ વિશે…!!!
જાણી જ લો…આ 9 ગ્રહોના સચોટ ઉપાય, રોડપતિમાંથી તમને બનાવી શકે છે કરોડપતિ…!!
જો તમે…નાડીદોષથી સંતાન વિહોણા હો તો, આ રીતે દોષ દૂર કરી મેળવો સંતાનસુખ…!!!
જરૂર કરતા વધુ ગુસ્સો આવતો હોય તો અપનાવો આ અચૂક રાશિ ઉપાય…!!
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જાણો…યાત્રા શુભ થશે કે આવશે આફત? સંકટોથી બચવા આ સમયે કરજો યાત્રા..!!!
દરેકે રાશિ મુજબ વાવવું જોઈએ 1 વૃક્ષ, દૂર થશે ગ્રહદશા મળશે લાભ…!!!
પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, જાણો…લાલ કિતાબના આ અચૂક ઉપાય…!!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણી લો…તમારી રાશિ માટે કયો રંગ છે શુભ કે અશુભ? કયો રંગ બનાવી શકે છે ધનવાન?
કારકિર્દીને ટોચે પહોંચાડવી હોય તો તમારી રાશિ પ્રમાણે કરો જોબની પસંદગી
આ ગ્રહને લીધે વ્યક્તિની બુદ્ધિ અને વિવેક થાય છે ભ્રષ્ટ, કરો રામબાણ ઇલાજ…!!!
સેક્સ ક્યારે ન કરવું જોઈએ ને શા માટે? ધર્મશાસ્ત્રોમાં બતાવ્યા છે આ કારણો
જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
જીવન આખુ સુખ-સમૃદ્ધિ સાથે સુખી રહેવું હોય તો કરો રાશિ પ્રમાણે ઉપાય…!!
જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ

વાસ્તુશાસ્ત્રના સુવર્ણ ઉપાયો: નોકરી ન મળતી હોય તો ઘરના વાસ્તુદોષનું નિવારણ કરો…!!!

makaan

આજના સમયમાં યુવાનો માટે નોકરી એ સૌથી સમસ્યા છે. ગમે તેટલો અભ્યાસ કરવા છતાં પણ કેટલાંકને નોકરી મળતી નથી. નોકરી મળે તો ઇચ્છિત પગાર, સમય કે કામ મળતું નથી. જોકે, દરેકની સાથે આવું નથી બનતું. ઘણાં લોકોને પહેલા જ ઇન્ટરવ્યૂમાં સારી નોકરી મળી જાય છે, તેથી નોકરી મેળવવા ઇચ્છતા લોકો વિચારમાં પડી જાય છે. વાસ્તવમાં નોકરી ન મળવા, પ્રમોશન ન થવા કે નોકરી સંબંધિત સમસ્યાઓ પાછળ ગ્રહયોગની સાથે ઘરનું વાસ્તુ પણ જવાબદાર હોય છે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જો તમે પણ નોકરી મેળવવા સંબંધિત સમસ્યાઓ અનુભવી રહ્યા હો તો ઘરમાં નીચેના વાસ્તુદોષ ચકાસી જુઓ અને યોગ્ય ઉપાય અજમાવો.

1. ઘરનો દરેક ખૂણો જો સાફ ન હોય તો પ્રગતિ અને નોકરીમાં અવરોધ આવી શકે છે. ચોખ્ખાઈ રાખવી અનિવાર્ય છે.
2. પશ્ચિમની એન્ટ્રી હોય અને ટોઇલેટ ઉત્તર અથવા પૂર્વમાં હશે તો નોકરી મેળવવામાં વિલંબ થશે.
3. ઘરમાં વધારે બીમ અથવા પિલર હશે તો ચાલુ નોકરીએ બઢતી મળવામાં ખૂબ જ વિલંબ થશે.
4. જો પૂર્વ અને ઉત્તર દિશા બંધ હશે તો નોકરીમાં વધારે કલાકો (ઓવરટાઇમ) કામ કરવું પડી શકે છે.

અસરકારક વાસ્તુ શાસ્ત્ર: સન્માન અને સમૃદ્ધિ વધારવા, ઘરના આ ખૂણામાં કરો નાના-નાના ફેરફાર…!!!

5. અગ્નિ ખૂણા -દક્ષિણ-પૂર્વમાં જો કટ હશે તો સહયોગી અથવા ઉપરી અધિકારીઓ સાથે સુમેળ ઓછો રહેશે.
6. પશ્ચિમ દિશામાં અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી હોય તો અથાક પરિશ્રમ કર્યા પછી નોકરી મળે છે.
7. દક્ષિણની એન્ટ્રી હોય અને ઉત્તરમાં ટોઇલેટ હોય તો કાબેલિયત કરતા ઊતરતી નોકરી મળશે.
8. બેડ બીમ નીચે હશે તો નોકરી છૂટવાનો ભય સતત રહ્યા કરશે.

વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

9. તમારાં ર્સિટફિકેટ અને રિઝ્યુમ જો ખોટી દિશામાં રાખ્યા હશે તો ઓળખાણ વગર નોકરી નહીં મળે.
10. દક્ષિણમાં ઊતરતાં સીડી હશે તો કામ વધી શકે છે. જોકે, બઢતી અને પગાર યથાવત્ રહે છે.
11. પશ્ચિમ અથવા વાયવ્યની એન્ટ્રી હશે તો ઘરથી બહુ દૂર અને વધારે કલાકોની નોકરી મળી શકે છે.
12. ઘરમાં તૂટેલા કાચનાં વાણસો, બંધ ઘડિયાળ, જરૃર વગરનો સામાન હશે તો નોકરી મેળવવામાં ઘણી સમસ્યાઓ આવી શકે છે.
13. ઓફિસ અથવા ઘરમાં બ્રહ્મસ્થાનમાં પિલર કે કોઈ પણ જાતનો ભાર હશે તો તમામ તક રૃંધાતી દેખાય છે.
14. ઓફિસ કે ઘરમાં જો ઓવરહેડ પાણીની ટાંકી ઉત્તર કે પૂર્વમાં હશે તો ઉપરી અધિકારીઓ સાથે મનમેળ નહીં રહે.
15. ઘરની દીવાલમાં ઉખડેલું પ્લાસ્ટર, કલર અથવા તિરાડો હશે તો નોકરી તથા કામ કરવામાં આત્મવિશ્વાસ નહીં રહે.
16. પૂર્વની એન્ટ્રી હશે તો બેન્ક, સીએ અથવા કોઈ ફાઇનાન્સને લગતા વ્યવસાયમાં નોકરી મળવાની શક્યતાઓ વધે છે.
17. અગ્નિ ખૂણાની એન્ટ્રી હશે તો જ્વેલર્સ, રેડીમેઇડ કપડાં, મેડિકલ ક્ષેત્ર, ઇન્ટીરિયર ડિઝાઇનર, ડેરી કે રેસ્ટોરાંમાં નોકરી મળવાની શક્યતાઓ વધી શકે છે.
18. દક્ષિણ-નૈઋત્યની એન્ટ્રી હશે તો શેરબજાર, વકીલાત, ગેરેજ, એન્જિનિયરિંગ, જમીન, બિલ્ડર, પોલીસ અથવા ગવર્નમેન્ટમાં નોકરીના યોગ વધી શકે છે.
19. પશ્ચિમની એન્ટ્રી હશે તો કાર શોરૃમ, ગેરેજ, ટેલર, શાકભાજી, ટેક્સટાઇલ, કાપડની દુકાન, લોખંડની ફેક્ટરી, મીઠાઈ, ડેરી, એન્જિનિયરિંગ, જમીન દલાલ કે કોન્ટ્રાક્ટરને ત્યાં નોકરી મળી શકે છે.

ઉપાયો:

  • ઘરને સ્વચ્છ અને સુગંધિત રાખવું.
  • બિનજરૃરી તમામ વસ્તુઓનો નિકાલ કરવો.
  • તમારાં ર્સિટફિકેટ અને રિઝ્યુમ ઇશાન ખૂણામાં રાખવાં.
  • બીમ નીચે ક્યારેય સૂવું કે બેસવું નહીં.
  • દક્ષિણમાં માથું અને ઉત્તરમાં પગ રાખીને સૂવું.
  • આઈટી ક્ષેત્રમાં નોકરી જોઈતી હોય તો અગ્નિ ખૂણામાં બેસીને રિઝ્યુમ બનાવવો અને ત્યાં જ કોઈ કબાટમાં રાખવો.
  • એન્જિનિયરિંગ ક્ષેત્રમાં નોકરી મેળવવા પશ્ચિમ દિશામાં બેસીને રિઝ્યુમ બનાવવો અને ત્યાંના જ કોઈ કબાટમાં રાખવો
  • વિદેશમાં નોકરી માટે એપ્લાય કરતા હો તો વાયવ્ય ખૂણામાં બેસીને કરવું.
  • રોજ સવારે તુલસીનાં પાંચ પાન બ્રશ કરી ચાવીને ખાઈ જવાં. જેનાથી બઢતી અને કર્મચારીઓનો સહકાર મળી રહે છે.
  • રાત્રે સૂતા પહેલાં ચંદ્રદર્શન કરીને સૂવું. સાત વખત ‘ૐ શ્રી ચંદ્રાય નમઃ ।’ બોલવું.
  • કોઈ પ્રકારની ચોકડીવાળી ચાદર કે ઓશિકા પર ના સૂવું.

સાભાર: સંદેશ.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

નવા બિઝનેસની શરૂઆત માટે બેન્ક પાસેથી આ રીતે લો લોન, જાણો આખી પ્રક્રિયા…!!

pagar32

જો આપે બિઝનેસ શરૂ કરી દીધો છે, પરંતુ તેના વિસ્તાર માટે નાણાંની કમી છે અને માર્કેટમાં સર્વાઇવ કરવાનું મુશ્કેલ થઇ રહ્યું છે તો ચિંતિત ન બનો, કારણ કે આ સ્થિતિ ફકત આપની નથી પરંતુ પ્રથમ વાર કારોબાર શરૂ કરનારા મોટાબાગના બિઝનેસમેનને આ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં નવા ઉદ્યોગસાહસિકોની પાસે એક માત્ર રસ્તો હોય છે બેન્કમાંથી લોન લેવી. જો આપ પણ નવા બિઝનેસમેન છો અને પોતાના વ્યવસાય માટે બેન્કથી લોન લેવા માંગો છો તો અને આપને અહીં જણાવી રહ્યા છીએ લોન લેવાની સંપૂર્ણ પ્રક્રિયા.

કરો શેરબજાર માં કમાણી…મેળવો વધારાની આવક શેરબજારમાંથી…આ છે 4 સરળ સ્ટેપ્સ

બેન્કમાંથી લોન લેવાની પાત્રતા

બેન્ક પાસેથી બિઝનેસ લોન લેવા માટે આપની કંપની સિંગલ ફર્મ, ભાગીદારી પેઢી, પ્રાઇવેટ લિમિટેડ કંપની કે પબ્લિક લિમિટેડ હોવી જોઇએ. ત્યાર બાદ જ આપ બેન્કમાંથી બિઝનેસ લોન લેવા માટે અરજી કરી શકો છો. બિઝનેસ લોન માટે અરજી કરો ત્યારે બેન્ક આપની પાસેથી કોલેટરલ ડિમાન્ડ એટલે કે સિક્યુરિટી માંગે છે. ઘણી બેન્ક કોલેટરલ ડિમાન્ડ નથી પણ કરતી. સરકાર નાના ઉદ્યોગોને બિઝનેસ લોન આપવા માટે સિડબી અને લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયથી કોલેટરલ ફ્રી સુવિધા ઉપલબ્ધ કરાવી રહી છે. આ સુવિધા ક્રેડિટ ગેરંટી ફન્ડ ટ્રસ્ટ (સીજીટીએસએમઇ) હેઠળ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જે હેઠળ બેન્ક કોઇ કોલેટરલ વગર ૧ કરોડ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ કરાવે છે.

નોકરી, પ્રમોશન, ટ્રાન્સફર કંઈ નથી મળતું? શાસ્ત્રોક્ત રામબાણ ઉપાયો કરવાથી સફળતા જરૂર મળશે..!!

બિઝનેસ લોન માટે બેન્ક દ્ધારા અપનાવવામાં આવતા માપદંડ

કોલેટરલ- બેન્ક આપની બિઝનેસ લોનની અવેજમાં કોલેટરલ (સિક્યુરિટી) લેતી હોય છે. આ સિક્યુરિટી પ્રોપર્ટીની રીતે કે લિક્વિડ સિક્યુરિટીઝની રીતે હોઇ શકે છે. બેન્ક આવી પ્રાવધાન લોન રિસ્ક કવર કરવા માટે કરે છે. બેન્ક આપની કોલેટરલની વર્થને જોતાં લોનની રકમને વધારી પણ દે છે.

મિત્રો..કરો કંકુના…ફેસબુક પર કરો વીડિયો અપલોડ અને કરો ઘરબેઠે કમાણી …!!!

ક્રેડિટ હિસ્ટ્રી- જો આપની ફર્મ સિંગલ કંપની, ભાગીદારી પેઢી, પ્રાઇવેટ લિમિટેડ કંપની કે પબ્લિક લિમિટેડ કંપની છે તો બેન્ક લોન આપતાં પહેલા આપની ક્રેડિટ હિસ્ટ્રી ચેક કરે છે. જેમા આપની ક્રેડિટ હિસ્ટ્રીની સાથે આપની કંપનીની પણ ક્રેડિટ હિસ્ટ્રી ચેક કરવામાં આવે છે. કંપનીની ક્રેડિટ હિસ્ટ્રી કેર કે ક્રિસિલ જેવી રેટિંગ એજન્સીથી પ્રાપ્ત રેટિંગના આધારે કરવામાં આવે છે. રેટિંગ એજન્સીની નેટવર્થને ધ્યાનમાં લઇને રેટિંગ આપે છે. આ રેટિંગના આધારે બેન્ક લોન આપે છે. જો, રેટિંગ એજન્સીએ આપની કંપનીનું સારૂ રેટિંગ નથી કર્યું તો બેન્ક લોન આપવાની ના પણ પાડી શકે છે.

આટલુ શીખી જ લો….GOOGLE ની સાથે ઘેર બેઠા કમાણીની તક, આ રીતે થશે કમાણી

કંપનીની નાણાંકીય સ્થિતિ

બેન્ક લોન લેતાં પહેલા આપની કંપનીની નાણાંકીય સ્થિતિનું આકલન કરે છે. જો કંપની પહેલેથી જ લોનના બોજ નીચે દબાયેલી છે કે રોકડ પ્રવાહ ઓછો છે, તો બેન્ક લોન આપવાની ના પાડી શકે છે. બેન્ક લોન આપતાં પહેલા આપની કંપનીની રોકાણની રણનીતિ પણ જાણવા માંગે છે. બેન્ક રિસ્કી બિઝનેસમાં લોન આપવાથી બચવા માંગે છે.

8 વર્ષના ટેણિયાએ YOUTUBE થી 8 કરોડની કમાણી કરી: તમે કેમ પાછળ? તમે પણ કરો ધરખમ કમાણી. જાણો રીત.

આર્થિક હાલત

બેન્ક દ્ધારા લોન આપવામાં દેશની આર્થિક હાલતની પણ ભૂમિકા હોય છે. જો, આર્થિક સુસ્તીનો દોર છે તો બેન્ક લોન આપવામાં ખચકાય છે. જેથી બેન્કમાંથી લોન લેવામાં દેશની આર્થિક હાલતનો ઘણો મોટો રોલ હોય છે. દેશનો વિકાસ દર સારો હોય તો બેન્ક સરળતાથી લોન આપે છે અને ખરાબ હોય તો લોન આપવામાં આનાકાની કરે છે.

બનવા માંગો છો ઉદ્યોગ સાહસિક તો આ 5 ફિલ્મ તમને કરશે મદદ…!!!

બિઝનેસનો પ્રકાર

બેન્કમાંથી લોન મળવામાં બિઝનેસનો પ્રકાર પણ મહત્વ ધરાવે છે. જો, આપ મેન્યુફેકચરિંગ બિઝનેસમાં છો તો બેન્ક સરળતાથી લોન મળી જશે. જો, આપ સ્ટાર્ટ અપ કે એક સર્વિસ કંપની છે અને કોલેટરલ નથી આપી રહી તો બેન્કમાંથી લોન મળવામાં થોડીક મુશ્કેલી જરૂર આવે છે. બેન્ક લોન આપતાં પહેલા આપના બિઝનેસમાંથી થતી આવક, ઇન્ફ્રાસ્ટ્રકચર, રિસ્ક વગેરેનું આકલન કરે છે. ત્યાર બાદ તે લોન આપે છે.

મુકેશ અંબાણીએ આપી કમાણીની 10 ટિપ્સ, સફળ બિઝનેસમેન કેવું વિચારે છે?

આ ડોક્યુમેન્ટની પડશે જરૂર

ટેક્સ ચૂકવ્યા બાદ બચત કે નફાનું પેપર ‘પેટ’

વ્યક્તિગત ઓળખપત્ર

એડ્રેસ પ્રુફ

પાન કાર્ડ

ત્રણ વર્ષનું નાણાંકીય લેખા-જોખાનો ઓડિટેડ રિપોર્ટ

ત્રણ વર્ષના ઇન્કમટેક્સ રિટર્નની કોપી

ત્રણ વર્ષનું સેલ ટેક્સ રિટર્ન

છેલ્લા છ મહિનાના બેન્ક એકાઉન્ટ સ્ટેટમેન્ટ

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

શાસ્ત્રોક્ત ઉપાય: ધંધામાં આવક ડબલ કરવા, અપનાવો આ નાના-નાના સચોટ ઉપાય…!!

dukan1
કોઇપણ વ્યક્તિ કોઇપણ દુકાન અથવા વ્યવસાયનું સંચાલન પોતાના પરિવારના ભરણ-પોષણ માટે કરે છે. પરંતુ જો વ્યવસાય ન ચાલે તો દિવસનો ચેન અને રાતની ઉંઘ ઉડી જાય છે. આ માટે કોઇપણ વ્યવસાય શરૂ કરતા પહેલાં જો તમે આ વાસ્તુ ઉપાયોનું ધ્યાન રાખશો તો તમારી દુકાનમાં ક્યારેય કોઇ મુશ્કેલી નહી અને તમારી દુકાન તો ચાલતી રહેશે જ, પણ સાથે તમને સારો-એવો નફો પણ મળતો રહેશે.

ફેંગશુઈના 15માંથી કોઇ 1નો કરો ઉપાય, ઘરથી ક્યારેય દૂર નહીં થાય સુખ+સમૃદ્ધિ

ધનની પ્રાપ્તિ કરાવનારી હોય છે ઉત્તરમુખી દુકાન

વાસ્તુ મુજબ બીજી મહત્વપૂર્ણ દિશા છે ઉત્તર દિશા અને ઈશાન કોણ કારણ કે, ઉત્તર દિશા ધનના દેવતા કુબેર દેવની દિશા છે. ઈશાન કોણમાં દરવાજો હોવાને કારણે વધારે ધન પ્રાપ્ત કરવામાં સફળતા મળે મળે છે. ઉત્તરમુખી દુકાન ત્યાં સુધી વધારે ઉપયોગી માનવામાં આવે છે જ્યારે તમે ખાદ્યપદાર્થ, વસ્ત્ર, સોના, ચાંદી અને રત્ન સંબંધી કોઇ વ્યવસાયની શરૂઆત કરી રહ્યા હોવ.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

પૂર્વ મુખી દુકાનની સમાજમાં વધી શકે છે પ્રતિષ્ઠા

વાસ્તુ મુજબ ત્રીજા લાભની દિશા પૂર્વ દિશા અને આગ્નેય કોણ છે. શાસ્ત્રો મુજબ પૂર્વ દિશાના સ્વામી સૂર્ય અને આગ્નેય કોણના સ્વામી શુક્ર છે. આ દિશા તરફ મુખ રાખવાથી તમારી દુકાનની સમાજમાં પ્રતિષ્ઠા વધે છે.

અસરકારક વાસ્તુ શાસ્ત્ર: સન્માન અને સમૃદ્ધિ વધારવા, ઘરના આ ખૂણામાં કરો નાના-નાના ફેરફાર…!!!

જો તમારો વ્યવસાય નથી ચાલી રહ્યો તો કરો આ ઉપાય

વ્યવસાયની દ્રષ્ટિથી દક્ષિણ દિશાને વધારે ઉપયોગી માનવામાં નથી આવતી. કારણ કે આ દિશાને સ્થિરતાની દિશા માનવામાં આવે છે. જો તમે પહેલાંથી જ આ દિશામાં વ્યવસાય શરૂ કરી ચુક્યા છો અને તમારો વ્યવસાય ચાલી નથી રહ્યો તો બની શકે છે કે તમારી દુકાનમાં દિશા સંબંધિત કોઇ વાસ્તુદોષ હોય. આ સિવાય બની શકે છે કે તમારી દુકાનનો મુખ્ય દ્વાર ખોટી દિશામાં હોય. વાસ્તુ મુજબ તમારી દુકાનમાં ઇન્ટીરિયરમાં બદલાવ લાવીને સારો એવો ધનલાભ પ્રાપ્ત કરી શકાય છે.

વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

આ પ્રકારે કરવું પરિવર્તન:

– દુકાનના ભવનમાં ઈશાન કોણ તરફની જગ્યાને ખાલી રાખવી. આ ખુણામાં પાણીની વ્યવસ્થા કરવી. વહેલી સવારે દુકાન ખોલતી સમયે પીવાનું પાણી ભરીને રાખવું અને પાંચ તુલસીના પાન આ પાણીમાં નાખવા.

– પૂજાનું સ્થાન પણ ઈશાન ખુણામાં રાખવું.

– ઈશાન ખુણાની સ્વચ્છતા ગ્રાહકોને આકર્ષિત કરે છે આ માટે આ સ્થાનને સાફ-સુથરુ બનાવીને રાખવું જોઇએ.

– દુકાનમાં ભારે સામાન અથવા બૂટ-ચપ્પલ ઈશાન ખુણામાં રાખ્યા હોય તો તરત જ હટાવી દેવા કારણ કે આ ભૂલ વ્યપારમાં ભારે નુકસાન કરાવી શકે છે. આવો સામાન હોય તો તેને દક્ષિણ-પશ્ચિમ દિશામાં વ્યવસ્થિત રીતે રાખવો.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है