Category Archives: સંસ્કાર संस्कार Sanskar

જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણની પૂજાથી મળે છે વિષ્ણુલોક, આ રીતે કરો વ્રત+પૂજા તથા જાણો રસપ્રદ અને રહસ્યમયી વાતો.

kisna59

જન્માષ્ટમીનું વ્રત રાખવામાં આવે છે અને ભગવાન શ્રીકૃષ્ણની આરાધના ઘરેઘરે થાય છે. શ્રીકૃષ્ણનું ધ્યાન અને ચિંતન થાય છે. શ્રીકૃષ્ણએ જે ઉપદેશ આપ્યા, તેને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લેવામાં આવે છે. સમગ્ર દેશમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો મહોત્સવ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે. મંદિરો અને ઘરોમાં ભગવાનને શણગાર કરવામાં આવે છે. લોકો ઉપવાસ કરે છે અને રાત્રે જાગરણ કરે છે. ભજન-કિર્તન કરતાં રાત પસાર કરે છે. એવી માન્યતા છે કે આ વ્રત કરવાથી વિષ્ણુલોક પ્રાપ્ત થાય છે.

જાણો વ્રત કેમ કરવું જોઈએઃ-

કુળની 21 પેઢીઓનો ઉદ્ધાર:-

જન્માષ્ટમીના વ્રતની વિધિ- વિધાનથી પારણાં કરવાથી કુળની પેઢીઓનો ઉદ્ધાર થઈ જાય છે. જન્માષ્ટમી ઉત્સવ અને વ્રત બાદ વૈષ્ણવજનોને ભોજન કરાવો. આ વ્રતને કરનાર વ્યક્તિ ભગવાનના ધામને પામે છે. તેને કોઈપણ પ્રકારના દુઃખ નથી થતાં.

માન્યતાઓ અલગ-અલગ:-

આ વ્રત સંબંધિત લોકોની માન્યતાઓ અલગ-અલગ છે. સામાન્ય રીતે બે મત છે. સ્માર્તલોકો અર્ધરાત્રિના સ્પર્શ થવા કે રોહિણી નક્ષત્રનો યોગ થવા પર સાતમ સહિત આઠમમાં પણ ઉપવાસ કરે છે. પરંતુ વૈષ્ણવજન સાતમને સ્પર્શ થવા પર બીજા દિવસ જ ઉપવાસ કરે છે. નિમ્બાર્ક સંપ્રદાયમાં વૈષ્ણવ તો એક દિવસ પહેલા અર્ધરાત્રિથી જો કેટલીક પણ પણ સાતમ વધારે હોય તો પણ આઠમની જગ્યાએ નોમનો પણ ઉપવાસ કરે છે.

જન્‍માષ્‍ટમીના વ્રતનું શાસ્ત્રોકત મહત્‍વઃ-

કોઇપણ ધર્મ-કર્મ માટે શાસ્ત્રની આજ્ઞા જાણવી જરૂરી છે. શ્રી ભગવાને આ વાતની મહત્તા સિધ્‍ધ કરતાં શ્રીમદ્દ ભગવદ્દ ગીતા – અધ્‍યાય ૧૬ – દૈવાસુરસંપત્તિ વિભાગ યોગમાં બે શ્‍લોકો – શ્‍લોક નં. ર૩ અને શ્‍લોક નં. ર૪ કહ્યા છે. તેથી જન્‍માષ્‍ટમીના વ્રત વિશે પણ શાસ્ત્રની આજ્ઞા જાણવી જરૂરી છે.

શાસ્ત્રમાં નારદમહાપુરાણ, ભવિષ્‍યોત્તર પુરાણ, પદ્મપુરાણ, ભવિષ્‍ય પુરાણ વગેરેમાં જન્‍માષ્‍ટમીના વ્રત અને કથા વિશે કહેવામાં આવ્‍યું છે.

આમાંથી અહી નારદ મહાપુરાણમાં આપેલાં જન્‍માષ્‍ટમીના વ્રત વિશેની માહિતી, સાવ સંક્ષેપમાં, ભગવદ્‌ ભકતો તેમજ શ્રધ્‍ધાળુઓને ઉપયોગી થાય ફકત તે હેતુથી જ અમારી અલ્‍પ સમજણ મુજબ અહીં આપી છે.

શાસ્ત્રનું પ્રામણ :- શ્રી નારદમહાપુરાણ
ચતુર્થપાદ – અધ્‍યાય ૧૧૭ મો
વકતા : શ્રી સનાતન
શ્રોતા : શ્રી નારદજી
કુલ શ્‍લોક સંખ્‍યા : ૯૯
કૃષ્‍ણ – જન્‍માષ્‍ટમી
શ્રાવણ માસની કૃષ્‍ણ પક્ષની અષ્‍ટમીએ જન્‍માષ્‍ટમીનું વ્રત કરવામાં આવે છે.

જન્‍માષ્‍ટમીનું વ્રત :-

જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરી નદી વગેરે પવિત્ર જળમાં તલમિશ્રિત કરી જળથી સ્‍નાન કરવું. સ્‍નાન કર્યા પછી પવિત્ર અને ઉત્તમ સ્‍થાનમાં મંડળ કરવું. મંડળના મધ્‍યભાગમાં તાંબાન કે માટીના કળશની સ્‍થાપના કરવી. તેના પર ભગવાન શ્રીકૃષ્‍ણની સુવર્ણમય (ભવિષ્‍યોત્તર પુરાણ પ્રમાણે આ મૂર્તિ સુવર્ણની, ચાંદીની, ત્રાંબાની, પિત્તળની, માટીની અથવા કાષ્‍ઠ કે મણિની રાખવી) મૂર્તિની સ્‍થાપના કરવી.

ત્‍યાર પછી શ્રી ભગવાનની અત્‍યંત ભાવથી પૂજા કરવી. શ્રી ભગવાનની સાથે તેમના પરિવાર દેવકી, વાસુદેવ, યશોદા, નંદ, વ્રજ, ગોપ ગણ, ગોપી વૃંદ તથા ગાયોના સમુદાયની પણ ખુબ ભકિત ભાવથી પૂજા કરવી.

અર્ધી રાત્રે ફરીથી શ્રી ભગવાનને પંચામૃત તથા શુધ્‍ધ જળથી સ્‍નાન કરાવવુ ગંધ પુષ્‍પ વગેરેથી પુજા કરવી શ્રી ભગવાનને ધાણા, અજમો, સૂંઠ, ખાંડ અને ઘી ભેગા કરી નૈવેદ્ય અર્પણ કરવુ. આ નૈવૈદ્ય ચાંદીના પાત્રમાં મુકી ભગવાનને અર્પણ કરવું

કૃષ્‍ણ જન્‍માષ્‍ટમીએ જાગરણ-

વ્રત કરનારે આખી રાત જાગરણ કરવુ રોહિણી તથા ચંદ્રની પુજા કરવી વ્રત કરનારે પુરાણોના પાઠ વાંચવા-સાંભળવા શ્રી વિષ્‍ણુસષાનામ વગેરેસ્ત્રોતોથી શ્રી ભગવાનનું વિશેષ પુજન કરવુ વાદ્યો સહીત ગીત સંગીત સંકીર્ત કરવુ સમસ્‍ત પુજા ખુબ ભકિત ભાવથી કરવી.

બીજા દિવસે દાન-

બીજા દિવસે પ્રાંતઃકાળે ગુરૂને તથા બ્રાહ્મણોને મિષ્‍ટાન સહીત અન્નદાન કરવુ અને દક્ષિણા આપવી અન્‍ય જરૂરીયાતવાળા મનુષ્‍યોને દાન આપવું.

વ્રત કરાવનાર ગુરૂને શ્રી ભગવાનની પ્રતિમા સુવર્ણ,ભુમી, વગેરેનું યથાશકિત લઇને ભાવ પુર્વક ગુરૂને વિદાય આપવી ત્‍યારબાદ વ્રત કરનાર મનુષ્‍યએ કુટુંબીજનો,મિત્રો વગેરે સાથે ભોજન લેવું.

જન્‍માષ્‍ટમીના વ્રતનું ફળ

જન્‍માષ્‍ટમીનું વ્રત જો નિયમ મુજબ કરવામાં આવે તો સર્વ પાપને હરી લે છે. આ દિવસે શાસ્ત્રની આજ્ઞા મુજબ જો ફકત ઉપવાસ કરવામાં આવે તો તે મનુષ્‍ય સાત જન્‍મોના પાપોથી મુક્ત થાય છે. શાસ્ત્રની આજ્ઞા મુજબ વ્રત કરનારને ગૌલોક પ્રાપ્ત થાય છે. નારદમહાપુરાણ કહે છે, આ જન્‍માષ્‍ટમીના વ્રત જેવુ અન્‍ય કોઇ વ્રત ત્રણે લોકમાં નથી આ વ્રત કરવાની કરોડો એકાદશીનું ફળ પ્રાપ્ત થઇ જાય છે.

ભવિષ્‍યોતર પુરાણ કહે છે શાસ્ત્રની આજ્ઞા મુજબ બરોબર જો આ વ્રત કરવામાં આવે તો આ વ્રત વિશે કરોડો એકાદશીના ફળની સમાન ફળ આપનારૂ છે.

કૃષ્ણએ માત્ર 64 દિવસમાં જ શીખી હતી, આ ચમત્કારી 64 કળાઓ!

શ્રાવણ વદ આઠમે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના રૂપે ઉજવવામાં આવે છે. આ દિવસે શ્રીકૃષ્ણનો અવતાર થયો હતો. અર્ધરાત્રિ એટલે કે રાત્રે 12 કલાકે મથુરા નગરીની અંધારી કાળકોટડીમાં વાસુદેવના પત્ની દેવકીના ગર્ભથી શ્રીકૃષ્ણ પ્રગટ થયાં હતાં. તેમનું પ્રારંભિક જીવન ગોકુળ.વૃંદાવનમાં વ્યતિત થયું હતું. શ્રીકૃષ્ણનું શિક્ષણ ઉજ્જૈનમાં ગુરૂ સાંદીપનિને ત્યાં થયું હતું. તેઓ અહીં 64 દિવસ રહ્યાં હતાં અને આ દિવસોમાં શ્રીકૃષ્ણે 64 કળામાં પારંગત થઈ ગયા હતા. આજે જાણો કઈ-કઈ વિદ્યાઓ હતી એ જેમાં કૃષ્ણએ પારંગતતા પ્રાપ્ત કરી હતી…

શ્રીકૃષ્ણની સાથે બલરામ પણ ગુરૂ સાંદિપનિ પાસેથી માત્ર 64 દિવસમાં જ 64 કળામાં નિપૂળતા પ્રાપ્ત કરી લીધી હતી. આ કળાઓની મદદથી શ્રીકૃષ્ણ અને બલરામ કેટલાય મહાયુદ્ધોમાં જીત પ્રાપ્ત કરી હતી. ગુરૂ સાંદીપનિએ શ્રીકૃષ્ણ અને બલરામને બધા વેદ, ઉપનિષદ, મંત્ર તથા દેવતાઓ સાથે જોડાયેલું જ્ઞાન, ધનુષ્ય વિદ્યા, મનુસ્મૃતિ વગેરે શાસ્ત્રોની સાથે ન્યાયશાસ્ત્રનું જ્ઞાન પણ આપ્યું હતું.

અહીં જાણો તે 64 કળાઓ કઈકઈ હતી જે શ્રીકૃષ્ણ માત્ર 64 દિવસમાં જ શીખી લીધી હતી…

1. નૃત્ય – નાચવું.
2. વાદ્ય- જુદાં-જુદાં વાજિંત્રો વગાડવા.
3. ગાયન વિદ્યા- ગાયકી.
4. નાટ્ય- વિવિધ પ્રકારના હાવભાવ અને અભિનય.
5. ઈન્દ્રજાળ- જાદુગરી.
6. નાટક આખ્યાયિકા વગેરેની રચવા કરવી.
7. સુગંધિત વસ્તુઓ- અત્તર, તેલ વગેરે બનાવવું.
8. ફૂલોના આભૂષણોથી શણગાર કરતાં.
9. વેતાળ વગેરેને વશમાં રાખવાની વિદ્યા.
10. બાળકોની રમત.
11. જીત પ્રાપ્ત કરાવનાર વિદ્યા.
12. મંત્રવિદ્યા
13. શકન-અપશકન જોવા, પ્રશ્નો ઉત્તરમાં શુભાશુભ કહેવાનું.
14. રત્નોને જુદાં-જુદાં પ્રકારના આકારમાં કાપવું.
15. કેટલાય પ્રકારના માતૃકા યંત્ર બનાવવા.
16. સાંકેતિક ભાષા બનાવવી.
17. જળને બાંધવું
18. શાખાઓ બનાવવી
19. ચોખા અને ફૂલોથી પૂજાના ઉપહારની રચવા કરવી (દેવપૂજન કે અન્ય શુભ અવસરો પર કેટલાય રંગબેરંગી ચોખા, જવ વગેરે વસ્તુઓ અને ફૂલોને જુદીજુદી રીતે સજાવવું)
20. ફૂલોની પથારી બનાવવી.
21. મેના- પોપટ વગેરેની બોલી બોલવી- આ કળા વડે મેના-પોપટની જેમ બોલવાનું અને તેના બોલી શીખવવામાં આવે છે.
22. વૃક્ષોની ચિકિત્સા
23. ઘેટાં-બકરાં, મરઘાં, તેતર વગેરેને લડાવવાની રીત.
24. જડમૂળથી ઉખેડી નાખવાની વિધિ
25. ઘર વગેરે બનાવવાની કારીગરી.
26. પાથરણા, ગોદડું, કાબળો વગેરે બનાવવું.
27. સુથારી કામ
28. ધાતુની પટ્ટી, નેતર કામ, બાણ વગેરે બનાવવું એટલે કે આસન, ખુરશી, પલંગ વગેરે વસ્તુ વાંસ વગેરેથી બનાવવી.
29. વિવિધ પ્રકારનું ભોજન બનાવવું એટલે કે કેટલાય પ્રકારના શાક, રસ, મીઠા પકવાન, કડી વગેરે બનાવવાની કળા.
30. હાથચાલકીનું કામ.
31. ઈચ્છિત વેશ ધારણ કરી લેવો.
32. જુદાંજુદાં પીણાં બનાવવા.
33. દ્યૂત ક્રીડા.
34. બધાં છંદોનું જ્ઞાન.
35. વસ્ત્રોને સંતાપડવા કે બદલવાની વિદ્યા.
36. દૂરના વ્યક્તિ કે વસ્તુનું આકર્ષણ.
37. કપડાં અને ઘરેણાં બનાવવા.
38. હાર, માળા વગેરે બનાવવું.
39. વિચિત્ર સિદ્ધિઓ દેખાડવી એટલે કે એવા મંત્રોનો પ્રયોગ કે પછી જડીબુટીઓને મેળવીને એવી વસ્તુ કે ઔષધિ બનાવવી જેનાથી શત્રુ શક્તિહીન થાય કે તેને નુકસાન પહોંચે.
40. કાન અને ગૂંથેલા વાળ માટે ફૂલોના ઘરેણાં બનાવવા- સ્ત્રીઓના વાળને સજાવવા માટે ઘરેણાંનું રૂપ આપીને ફૂલોને ગૂંથવા.
41. કઠપૂતળી બનાવવી, નચાવવી.
42. પ્રતિમા વગેરે બનાવવું.
43. કોયડા બનાવવા.
44. સોયનું કામ એટલે કે કાપડની સિલાઈ, રફૂ વગેરે કરવું.
45. વાળોની સફાઈનું કૌશલ્ય.
46. મુઠ્ઠીની વસ્તુ કે મનની વાત કહી દેવી.
47. કેટલાય દેશોની ભાષાનું જ્ઞાન.
48. ગૂઢ કાવ્યોને સમજી લેવું- એવા સંકેતોને લખવા અને સમજવાની કળા, જે તેને જાણનાર જ સમજી શકે છે.
49. સોના-ચાંદી વગેરે ધાતુ તથા હીરાપન્ના વગેરે રત્નોની પરીક્ષા.
50. સોના-ચાંદી વગેરે બનાવી લેવું.
51. મણીઓના રંગને ઓળખવો.
52. ખાણોની ઓળખાણ.
53. ચિત્રકારી.
54. દાંત, વસ્ત્ર અને અંગોને રંગવું.
55. શૈયા રચના.
56. મણીઓથી ઘરનો પૃષ્ઠભાગ બનાવવો એટલે કે ઘરના પૃષ્ઠભાગના કેટલાક હિસ્સામાં મોતી, રત્નોથી જડવું.
57. કૂટનીતિ.
58. ગ્રંથોને ભણવાની ચતુરાઈ.
59. નવીનવી વાતો કાઢવી.
60. સમસ્યાપૂર્તિ કરવી.
61. બધાં કોષોનું જ્ઞાન.
62. મનમાં કટક રચના કરવી એટલે કે કોઈપણ શ્લોક વગેરેમાં છૂટા પદ કે ચરણને મનમાં પૂર્ણ કરવું.
63. છળથી કામ કાઢવું.
64. કાનના પાંદડાની રચના કરવી એટલે કે શંખ, હાથીદાંત સહિત કેટલાય પ્રકારના કાનના ઘરેણાં તૈયાર કરવા.

શ્રીકૃષ્ણના કુટુંબની આ રસપ્રદ અને રહસ્યમયી વાતો, જે બધા નથી જાણતા!

શ્રીકૃષ્ણ ભગવાન વિષ્ણુના અવતાર હતા, આ વાત આપણે બધા જાણીએ છીએ. શ્રીકૃષ્ણની કૃપાથી જ પાંડવોએ કૌરવોને હરાવ્યું અને પોતાનું ખોવાઈ ગયેલું રાજ્ય પાછું પ્રાપ્ત કર્યું. મહાભારત યુદ્ધમાં શ્રીકૃષ્ણે કઈ રીતે પોતાની યુક્તિઓથી પાંડવોને વિજય અપાવી આ વાત પમ આપણે બધા જાણીએ છીએ, પરંતુ ઓછા જ લોકો શ્રીકૃષ્ણના અંગત જીવન સાથે જોડાયેલી વાતો જાણે છે.

શ્રીમદભાગવતમાં ભગવાન શ્રીકૃષ્ણના પૂરા જીવનનું વર્ણન મળે છે. જન્માષ્ટમી (5 સપ્ટેમ્બર, શનિવાર)ના પ્રસંગે અમે તમને શ્રીમદભાગવતમાં લખેલી શ્રીકૃષ્ણ તથા બલરામના જીવનની કેટલીક રસપ્રદ વાતો બતાવવા જઈ રહ્યા છીએ, જે આ રીતે છે-

જાણો શ્રીકૃષ્ણની પુત્રીનું નામ

ભગવાન શ્રીકૃષ્ણને દરેક રાણીથી 10-10 પુત્ર ઉત્પન્ન થયા. તે બધા રૂપ, બળ વગેરે ગુણોમાં પોતાના પિતા સમાન હતા. આ રાણીઓમાં 8 પટરાણીઓ હતી. રૂક્મણિના ગર્ભથી જે પુત્ર થયો તેમના નામ- પ્રઘુમ્ન, ચારૂદેષ્ણ, સુદેષ્ણ, ચારૂદેહ, સુચારૂ, ચારૂગુપ્ત, ભદ્રચારૂ, ચારૂચંદ, વિચારૂ તથા ચારૂ હતું. આ સિવાય રૂક્મણિની એક પુત્રી પણ હતી જેનું નામ ચારૂમતી હતું. આ પટરાણીઓ સિવાય ભગવાન શ્રીકૃષ્ણની 16,108 અન્ય પણ પત્નીઓ હતી. તેમના પણ દીપ્તિમાન અને તામ્રતપ્ત વગેરે 10-10 પુત્ર હતા.

આ રીતે બન્યાં દુર્યોધન શ્રીકૃષ્ણના વેવાઈ

શ્રીમદભાગવત મુજબ, દુર્યોધનની પુત્રીનું નામ લક્ષ્મણા હતું. લગ્ન યોગ્ય થઈ જવા પર દુર્યોધને તેનું સ્વયંવર કર્યું. તે સ્વયંવરમાં ભગવાન શ્રીકૃષ્ણનો પુત્ર સામ્બ પણ ગયો. તે લક્ષ્મણાના સૌંદર્ય પર મોહિત થઈ ગયો અને સ્વયંવરથી તેનું હરણ કરી લઈ ગયો. કૌરવોએ તેનો પીછો કર્યો અને બંદી બનાવી લીધો. આ વાત જ્યારે યુદવંશીઓને જાણ થઈ તો તે કૌરવોની સાથે યુદ્ધની તૈયારી કરવા લાગ્યાં, પરંતુ શ્રીકૃષ્ણના મોટા ભાઈ બલરામે તેમને રોકી દીધા અને સ્વયં કૌરવો સાથે વાત કરવા હસ્તિનાપુર આવ્યાં.

અહીં આવીને તેમણે કૌરવો સાથે સામ્બ તથા લક્ષ્મણાને દ્વારિકા મોકલવાની વાત કરી. ત્યારે કૌરવોએ તેમનું ખૂબ અપમાન કર્યું. પોતાના અપમાનથી ક્રોધિત થઈને બલરામે પોતાના હલથી હસ્તિનાપુરને ઉખાડી દીધું અને ગંગા નદીની તરફ ખેંચવા લાગ્યા. કૌરવોએ જ્યારે જોયું કે બલરામ તો હસ્તિનાપુરને ગંગામાં ડુબાવવાવાળો છે ત્યારે તેમણે સામ્બ અને લક્ષ્મણાને છોડી દીધા અને બલરામની માફી માંગી લીધી.

શા માટે હતી શ્રીકૃષ્ણની 16,108 રાણીઓ?

પ્રાગ્યજ્યોતિષપુરના રાજા ભૌમાસુર ખૂબ અત્યાચારી હતો. તેણે બળપૂર્વક રાજાઓથી 16 હજાર રાજકુમારીઓ છીનવી પોતાના મહેલમાં રાખી હતી. ભગવાન શ્રીકૃષ્ણે ભૌમાસુરનો વધ કરી તે બધીને બંધનમુક્ત કરી દીધા. જ્યારે તે રાજકુમારીઓએ ભગવાન કૃષ્ણને જોયા તો તેઓ તેમની ઉપર મોહિત થઈ ગઈ અને વિચાર કરવા લાગી કે કૃષ્ણ જ મારા પતિ હોય.

ભગવાન કૃષ્ણે તે બધાના મનના ભાવ જાણીને એક જ મુહૂર્તમાં અલગ-અલગ ભવનોમાં અલગ-અલગ રૂપ ધારણ કરી એક સાથે તે બધી રાજકુમારીઓ સાથે લગ્ન કરી લીધા.

કંસને થઈ ગયો હતો મૃત્યુનો પૂર્વાભાસ

કંસને પોતાની મૃત્યુના પૂર્વાનુમાન સંકેત સ્વપ્નના માધ્યમથી મળી ગયા ગતા. શ્રીમદભાગવત મુજબ મૃત્યુથી એક દિવસ પૂર્વ કંસે જોયું કે જળ અથવા દર્પણમાં શરીરનો પડછાયો તો દેખાઈ દેતો હતો, પરંતુ માથું નહોતું દેખાઈ ગેતું હતું. કાનમાં આંગળી નાખી સાંભળવા પર પણ પ્રાણનો ઘૂં-ઘૂં અવાજ નહોતો સંભળાતો.

કંસે સપનામાં જોયું કે તે પ્રેતોને ગળે લગાવી રહ્યો છે. ગધેડા પર ચડીને ચાલે છે અને વિષ ખાઈ રહ્યો છે. તેનું આખું શરીર તેલથી તર છે, ગળામાં જાસુદની માળા છે અને નગ્ન અવસ્થામાં ક્યાંય પણ જઈ રહ્યો છે. પુરાણોમાં આ બધા મૃત્યુના સંકેત માનવામાં આવે છે.

જાણો પૂર્વજન્મમાં કોણ હતા દેવકી-વાસુદેવ

કૃષ્ણ જન્મ પહેલા પણ ભગવાન વિષ્ણુ વાસુદેવ તથા દેવકીના પુત્ર બનીને બે વખતે જન્મ લઈ ચૂક્યાં હતા. શ્રીમદભાગવત મુજબ પ્રથમ જન્મમાં વાસુદેવનું નામ સુપતા તથા દેવકીનું નામ પૃશ્નિ હતું. તે જન્મમાં સુપતા અને પૃશ્નિને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ઘોર તપસ્યા કરી હતી. ભગવાન વિષ્ણુએ પ્રગટ થીને તેમને વરદાન માંગવા માટે કહ્યું. ત્યારે સુપતા અને પૃશ્નિએ કહ્યું કે અમને તમારા સમાન પુત્ર પ્રાપ્ત થાય. ભગવાન વિષ્ણુએ તેમને વરદાન આપી દીધો.

સમય આવવા પર ભગવાન વિષ્ણુએ પૃશ્નિના ગર્ભથી જન્મ લીધો. પૃશ્નિના ગર્ભથી ઉત્પન્ન થવાને લીધે તેમનું નામ પૃશ્નિગર્ભ પ્રસિદ્ધ થયું. બીજા જન્મમાં વાસુદેવ ઋષિ કશ્યપ તથા દેવકીએ અદિતિના રૂપમાં જન્મ લીધો. આ જન્મમાં ભગવાન વિષ્ણુ વામન રૂપમાં તેમના પુત્ર બન્યાં. તેના પછી શ્રીકૃષ્ણ બનીને વાસુદેવ તથા દેવકીને સંતાન સુખ પ્રદાન કર્યું.

પહેલા જેને બચાવ્યો પછી તેનો જ વધ કરી દીધો બલરામે

જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે રૂક્મણિનું હરણ કર્યું ત્યારે રૂક્મણિનો ભાઈ રૂક્મી તેમને રોકવા આવ્યો. રૂક્મી અને કૃષ્ણ વચ્ચે યુદ્ધ થયું. અંતમાં કૃષ્ણે રૂક્મીને હરાવી દીધો. કૃષ્ણ તેનો વધ કરવા ઈચ્છતા ગતા, પરંતુ બલરામે તેમને રોકી દીધા. ત્યારે કૃષ્ણે રૂક્મીના દાડી-મૂંછ તથા માથાના વાળને કેટલીય જગ્યાઓથી મૂંડાવી તેને કદરૂપો બનાવીને છોડી દીધો.

રૂક્મીની પુત્રી રૂક્મવતીના લગ્ન કૃષ્ણના પુત્ર પ્રઘુમ્ન સાથે થયા હતા. તેના પછી રૂક્મીએ પોતાની બહેન રૂક્મઇને પ્રસન્ન કરવા માટે પોતાની પૈત્રી રોચનાના લગ્ન કૃષ્ણના પૌત્ર અનિરૂદ્ધ સાથે કરી દીધા, પરંતુ મનમાંને મનમાં તે કૃષ્ણ સાથે શત્રુતા રાખતો હતો. અનિરૂદ્ધ-રોચનાના લગ્નમાં રૂક્મીએ બલરામને ચૌસર રમવા માટે આમંત્રણ આપ્યું. હારી ગયા પછી પણ રૂક્મી કહેવા લાગ્યો કે હું જીતી ગયો. એવું કહેતા તે બલરામજીની હંસી ઉડાવવા લાગ્યો. ત્યારે બલરામજીને ખૂબ ગુસ્સો આવ્યો અને તેમણે રૂક્મીનો વધ કરી નાખ્યો.

બલરામે કર્યો હતો આ અપરાધ

જે સમયે કૌરવ તથા પાંડવોની વચ્ચે યુદ્ધ થી રહ્યું હતું, તે સમયે કૃષ્ણના મોટા ભાઈ બલરામ તીર્થયાત્રા કરી રહ્યા હતા. યાત્રા દરમિયાન તો નેમિષારણ્ય પહોંચ્યાં. ત્યાં તે સમયે મોટા ઋષિ ઉપસ્થિત થઈને સત્સંગ કરી રહ્યા હતા. બલરામજીને આવતા જોઈ બધાએ તેમનું સ્વાગત અને પૂજન કર્યું. ત્યારે બલરામે જોયું કે મહર્ષિ વેદવ્યાસના શિષ્ય રોમહર્ષણ સૂત જાતિમાં ઉત્પન્ન હોવા પર પણ શ્રેષ્ઠ બ્રાહ્મણો કરતા ઉચ્ચ સ્થાન પર બેઠાં છે અને તેમણે સ્વાગત તથા પ્રણામ પણ ન કર્યું.

આ જોઈ બલરામજીને ખૂબ ક્રોધ આવ્યો અને તેમણે પોતાના હાથમાં સ્થિત કુશ (એક પ્રકારની ઘાસ)ની નોકથી તેમની ઉપર પ્રહાર કર્યો, જેનાથી તેમની મૃત્યુ થઈ ગઈ. તેના પછી બ્રાહ્મણોએ બલરામજીને બતાવ્યું કે તેમને જ રોમહર્ષણને ઉચ્ચ સન અને જ્યાં સુધી આ સત્સંગ ખતમ ન થાય, ત્યાં સુધી શઆરીરિક કષ્ટ રહિત ઉઁમર આપી હતી. ઋષિઓની વાત સાંભળી બલરામજીએ કહ્યું કે આત્મા જ પુત્રના રૂપમાં ઉત્પન્ન થાય છે એટલે રોમહર્ષમના સ્થાન પર તેમનો પુત્ર તમને લોકોને પુરાણોની કથા સંભળાવશે. તેને હું પોતાની શક્તિથી દીર્ધાયુ અને બળ પ્રદાન કરું છું.

જાણો ક્યા પુરાણમાં કેટલા શ્લોક છે

શ્રીમદભાગવત મુજબ બ્રહ્મપુરાણમાં શ્લોકોની સંખ્યા 10 હજાર છે. તો પહ્મપુરાણમાં 55 હજાર શ્લોક, વિષ્ણુ પુરાણમાં 23 હજાર શ્લોક અને શિવપુરાણમાં 24 હજાર શ્લોક છે. શ્રીમદભાગવતમાં 18 હજાર શ્લોક છે, નારદપુરાણમાં 25 હજાર, માર્કેન્ડેય પુરાણમાં 9 હજાર તથા અગ્નિપુરાણમાં 15,400 શ્લોક છે. ભવિષ્યપુરાણમાં શ્લોકોની સંખ્યા 14,500 છે.

બ્રહ્મવૈવર્ત પુરાણમાં શ્લોકોની સંખ્યા 18 હજાર તથા લિંગપુરાણમાં 11 હજાર શ્લોક છે. વરાહપુરાણમાં 24 હજાર, સ્કંદપુરાણમાં 81 હજાર 100 શ્લોક અને વામનપુરાણમાં 10 હજાર શ્લોક છે. કૂર્મપુરાણમાં 17 હજાર શ્લોક અને મત્સ્યપુરાણમાં 14 હજાર શ્લોક છે. ગરૂડપુરાણમાં 19 હજાર શ્લોક છે અને બ્રહ્માંડપુરાણમાં 12 હજાર શ્લોક છે.

આ રીતે બધા પુરાણોમાં શ્લોકોની સંખ્યા કુલ મળાવીને 4 લાખ છે.

જન્માષ્ટમી SPL: સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ 14માંથી કોઈ પણ 1 ઉપાય

શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર છે. જ્યોતિષ મુજબ જો આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણને પ્રસન્ન કરવા માટે વિશેષ ઉપાય કરવામાં આવે તો માતા લક્ષ્મી પણ પ્રસન્ન થઈ જાય છે અને ભક્તો પર કૃપા વરસાવે છે. આ ઉપાય કરવાથી મનોકામના પૂર્તિ તથા ધન પ્રાપ્તિના યોગ પણ બની શકે છે. તંત્રશાસ્ત્ર મુજબ કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવા અથવા મનોકામના પૂર્ણ કરવા માટે ચાર રાતો સર્વશ્રેષ્ઠ છે. તેમાંથી એક છે જન્માષ્ટમી. તંત્રશાસ્ત્ર મુજબ જન્માષ્ટમીને મોહરાત્રિ પણ કહેવામાં આવે છે. જન્માષ્ટમી પર તમે આ ઉપાય કરી શકો છો…

1. આવક ન વધી રહી હોય હોય અથવા નોકરીમાં પ્રમોશન ન મળી રહ્યું હોય તો જન્માષ્ટમી પર 7 કન્યાઓને ઘરે બોલાવી ખીર અથવા સફેદ મીઠાઈ ખવડાવો. તેના પછી સતત પાંચ શુક્રવાર સુધી સાત કન્યાઓને ખીર વહેંચો.

2. જન્માષ્ટમીથી શરૂ કરી 27 દિવસ સુધી સતત નારિયેળ તથા બદામ કોઈ કૃષ્ણ મંદિરમાં ચડાવો અને બધી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે.

3. જો પૈસાની સમસ્યા ચાલી રહી હોય તો જન્માષ્ટમી પર સવારે સ્નાન વગેરે કર્યા પછી રાધા-કૃષ્ણના મંદિરે જઈને દર્શન કરો તથા પીળા ફૂલની માળા અર્પણ કરો. તેનાથી તમારી પરેશાની ઓછી થઈ શકે છે.

janmashtami
4. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
5. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
5. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
6. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
6. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
7. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
7. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
7. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
7. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
8. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
8. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
9. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
9. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
10. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
10. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
11. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
11. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
12. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
12. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
13. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
13. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ખાસ…આ છે શિવને પ્રસન્ન કરવાની સૌથી સરળ વિધિ અને પંચોપચારની પૂજા…!!!
જાણો…ગ્રહદોષથી મુક્તિ મેળવવી હોય તો આજથી જ શરૂ કરો, શિવના આ રાશિઉપાય..!!
જાણો…અમાસ ના દિવસે, લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ચમત્કારિક ઉપાય…!!

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

ખાસ લેખ : ખૂબ ઓછા લોકોને ખબર છે હનુમાન ચાલીસાની સદીઓ જૂની આ વાત..!!

hanumandada13

આજના સમયમાં હનુમાનજીની ભક્તિ બધી ઈચ્છાને પૂરી કરનારી માનવામાં આવે છે. હનુમાનજીને મનાવવા માટે આજે હનુમાન ચાલીસાનો પાઠ સૌથી સરળ ઉપાય છે. હનુમાન ચાલીસાની રચના ગોસ્વામી તુલસીદાસજીએ સેકંડોવર્ષ પહેલાં કરી હતી અને આજે પણ તે સૌથી લોકપ્રિય સ્તુતિ છે. આજે તુલસીદાસ જયંતી છે તે નિમિત્તે જાણો હનુમાન ચાલીસાના સર્જકની સદીઓ જૂની ખાસ વાતો.

હનુમાન સૌથી લોકલાડીલા અને સૌથી ઝડપથી ઈચ્છાઓ પૂરી કરતા ભગવાન માનવામાં આવે છે. તેમને પ્રસન્ન કરવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવો તે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. જેમાં તેમના સમગ્ર જીવન અને તેમના કર્મો વિશે લખવામાં આવ્યું છે. આ પવિત્ર હનુમાન ચાલીસાના પાઠનું સર્જન કરનાર તુલસીદાસજીને આપણે કેવી રીતે ભૂલી શકીએ. હનુમાન જયંતિ આવી રહી છે ત્યારે તેમના પરમ ભક્ત તુલસીદાસ વિશે સંપૂર્ણ માહિતી મેળવો. શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની સપ્તમી તિથિએ ગોસ્વામી તુલસીદાસજીનો જન્મ થયો હતો. એવું માનવામાં આવે છે કે હનુમાનજી અને શ્રીરામના સાક્ષાત રૂપમાં તુલસીદાસજીને દર્શન આપતા હતા. આજે જાણો તુલસીદાસજી અને હનુમાનજી સાથે જોડાયેલ ખાસ વાતો, જે મોટાભાગના લોકો નથી જાણતા….

એવી સમસ્યા જેનો કોઇ તોડ ન હોય, તો કરો હનુમાન પૂજા, દરેક સંકટો દૂર કરશે હનુમાનજી…!!

ગોસ્વામી તુલસીદાસે બહુચર્ચિત અને પ્રસિદ્ધ શ્રીરામચરિતમાનસની રચના કરી. શ્રીરામચરિત માનસની રચના સેકંડો વર્ષો પહેલા કરવામાં આવી હતી અને આજે પણ તે સૌથી વધુ વેચાતો ગ્રંથ છે. વાલ્મિકી દ્વારા રચિત રામાયણનું સરળ રૂપ શ્રીરામચરિતમાનસ છે. આ ગ્રંથ સરળ હોવાને લીધે જ આજે પણ સૌથી વધુ પ્રસિદ્ધ છે. હનુમાન ચાલીસાની રચના પણ તુલસીદાસજીએ જ કરી છે. અહીં વાંચો ક્યારે, કેવી રીતે અને ક્યાં તુલસીદાસે શ્રીરામચરિત માનસની રચના કરી અને હનુમાનજી સાથે કંઈ રીતે તેમની મુલાકાત થઈ, કેવી રીતે તુલસીદાસ પોતાના પત્નીને કારણે શ્રીરામના અનન્ય ભક્ત બની ગયા.

-ઉત્તરપ્રદેશના ચિત્રકૂટ જિલ્લાથી થોડે જ દૂર રાજાપુર નામનું એક ગામ છે. આ ગામમાં સંવત 1554ની આસપાસ ગોસ્વામી તુલસીદાસનો જન્મ થયો. તુલસીદાસના પિતા આત્મરામ દુબે અને માતાનું નામ હુલસી હતું. તુલસીદાસનો જન્મ શ્રાવણ મહિનાની શુક્લપક્ષની સપ્તમી તિથિના દિવસે થયો હતો.

-એવી માન્યતા છે કે તુલસીદાસના જન્મના સમયે પૂરાં બાર મહિના સુધી માતાના ગર્ભમાં રહેવાને લીધે ઘણા તંદુરસ્ત હતા અને તેમના મુખમાં દાંત પણ જોવા મળી રહ્યા હતા.

-સામાન્ય રીતે જન્મ પછી બધા બાળકો રોતા હોય છે પરંતુ આ બાળકે પહેલો શબ્દ બોલ્યો તે હતો રામ. આને લીધે જ તુલસીદાસનું શરૂઆતનું નામ રામબોલા પડ્યું હતું.

-માતા હુલસી તુલસીદાસજીને જન્મ આપીને બીજા દિવસે જ મૃત્યુ પામી હતી. ત્યારે પિતા આત્મારામે નવજાત શિશુ રામબોલાને એક દાસીને સોપી દીધો અને પોતે વિરક્ત થઈ ગયા. જ્યારે રામબોલા સાડા પાંચ વર્ષનો થયો તો તે દાસી પણ જીવતી ન રહી. હવે રામબોલા કોઈ અનાથ બાળકની જેમ ગલીએ-ગલીએ ભટકવા વિવશ બની ગયો.

-આ પ્રકારે ભટકતા ભટકતા એક દિવસે નરહરિ બાબા સાથે રામબોલાની મુલાકાત થઈ. નરહરિ બાબા તે સમયે પ્રસિદ્ધ સંત હતા. તેમને રામબોલાનું નામ તુલસીદાસ રાખ્યું. ત્યારબાદ તેઓ તુલસીરામે અયોધ્યા, ઉત્તર પ્રદેશ લઈ આવ્યા અને ત્યાં તેમનો યજ્ઞપવિત સંસસ્કાર કરવામાં આવ્યો.

-તુલસીરામે સંસ્કારના સમયે વગર શિખવ્યે જ ગાયત્રીમંત્રનું સ્પષ્ટ ઉચ્ચારણ કર્યું, જેને જોઈને બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારબાર નરહરિ બાબાએ વૈષ્ણવોના પાંચ સંસ્કાર કરીને બાળકને રામ મંત્રની દિક્ષા આપી અને અયોધ્યામાં જ રહીને તેનું વિદ્યાધ્યયન કરાવ્યું. તુલસીરામની બુદ્ધિ ખૂબ જ તેજ હતી. તે એક વખતમાં જ ગુરુ-મુખેથી જે સાંભળી લેતા તે તરત યાદ રહી જતું. ત્યાંથી થોડા સમય પછી ગુરુ-શિષ્ય બંને શૂકરક્ષેત્ર(સોરો) પહોંચ્યા. ત્યાં નરહરિ બાબાએ તુલસીરામને રામકથા સંભળાવી પરંતુ બાળક રામકથા રામકથા સારી રીતે ન સમજી શક્યા.

-તુલસીરામના લગ્ન રત્નાવલી નામની ખૂબ જ સુંદર કન્યા સાથે થયા હતા. લગ્ન સમયે તુલસીરામની ઉંમર 29 વર્ષ હતી. લગ્ન પછી તરત જ તુલસીરામ ગોના(આણુ) કર્યા વગર કાશી ચાલ્યા આવ્યા અને અધ્યયનમાં જોડાઈ ગયા. આ પ્રકારે એક દિવસ તેમને પોતાની પત્ની રત્નવલીની યાદ આવી અને તેઓ તેને મળવા માટે વ્યાકૂળ થઈ ગયા. ત્યારે તેઓ પોતાના ગુરુજીની આજ્ઞા લઈને પત્ની રત્નાવલીને મળવા પહોંચ્યા.

-રત્નાવલી પીયરમાં હતી અને જ્યારે તુલસીરામ તેમના ઘરે પહોંચ્યા ત્યારે યમુના નદીમાં ભયંકર પુર આવ્યું હતું અને તેઓ નદીમાં તરીને રત્નાવલીના ઘરે પહોંચ્યા. તે સમયે ભયંકર અંધારું છવાયેલું હતું. જ્યારે તુલસીરામ પત્નીના શયનખંડનમાં પહોંચ્યા ત્યારે રત્નાવલી તેમને જોઈને આશ્ચર્યચિકત થઈ ગઈ. લોક-લજ્જાની ચિંતાથી તેણે તુલસીરામને પાછા જોવાનું કહ્યું.

-જ્યારે તુલસીરામ પાછા જવા તૈયાર ન થયા ત્યારે રત્નાવલીએ તેમને એક દોહો સંભળાવ્યો, તે દોહો આ પ્રકારે છે…

अस्थि चर्म मय देह यह, ता सों ऐसी प्रीति!
नेकु जो होती राम से, तो काहे भव-भीत?

આ દોહો સાંભળતા જ તુલસીરામ તે સમયે જ રત્નાવલીને પિતાના ઘરે જ છોડીને પાછા પોતાના ગામ રાજાપુરમાં આવી ગયા. જ્યારે તેઓ રાજાપુરમાં પોતાના ઘરે પહોંચ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે તેમના પિતા નથી રહ્યા. ત્યારે તેમને પિતાના અંતિમ સંસ્કાર કર્યા અને તે ગામમાં લોકોને શ્રીરામ કથા સંભળાવવા લાગ્યા.

-સમય આ જ રીતે પસાર થવા લાગ્યો. થોડો સમય રાજાપુરમાં રહ્યા પછી તેઓ ફરીથી કાશી પાછા આવ્યા અને ત્યાં રામ-કથા સંભળાવવા લાગ્યા. આ દરમિયાન તુલસીરામે એક દિવસ મનુષ્યના વેશમાં એક પ્રેત મળ્યો, જેને તેમને હનુમાનજીની જગ્યા બતાવી. હનુમાનજી સાથે મળીને તુલસીરામે તેમને શ્રીરામના દર્શન કરાવવાની પ્રાર્થના કરી. ત્યારે હનુમાનજીને કહ્યું કે ચિત્રકૂટમાં રઘુનાથજી દર્શન થશે. ત્યારબાદ તુલસીદાસ ચિત્રકૂટ તરફ ચાલી નિકળ્યા.

-ચિત્રકૂટ પહોંચીને તેમને રામઘાટ ઉપર પોતાનું આસન જમાવ્યું. એક દિવસ પ્રદક્ષિણા કરીને નિકળ્યા જ હતા કે તેમને જોયું કે બે ખૂબ જ સુંદર રાજકુમારો ઘોડા ઉપર સવાર થઈને ધનુષ-બાણ લઈને જઈ રહ્યા છે. તુલસસીદાસ તેમને જોઈને આકર્ષિત થઈ ગયા, પરંતુ તેઓ ઓળખી ન શક્યા કે તેઓ જ શ્રીરામ અને લક્ષ્મણ છે.

-ત્યારબાદ હનુમાનજીએ આવીને બતાવ્યું કે ત્યારે તુલસીદાસજીએ પશ્ચાતાપ થયો. ત્યારે હનુમાનજીએ તેમને સાંત્વના આપી અને કહ્યું કે સવારના સમયે ફરીથી શ્રીરામના દર્શન કરી શકશે.

-ત્યારબાદ આગળના દિવસે સવાર-સવારમાં શ્રીરામ ફરીથી પ્રગટ થયા. ત્યારબાદ તેઓ એક બાળકના રૂપમાં તુલસીદાસની સમક્ષ આવ્યા. શ્રીરામે બાળક રૂપમાં તુલસીદાસજીને કહ્યું કે, તેમને ચંદન જોઈએ. આ બધુ હનુમાનજી જોઈ રહ્યા હતા અને તેમને વિચાર્યું કે તુલસીદાસ આ વખતે શ્રીરામને ઓળખી નથી શક્યા. ત્યારે બજરંગબલીએ એક દોહો કહ્યો…

चित्रकूट के घाट पर, भइ सन्तन की भीर।
तुलसीदास चन्दन घिसें, तिलक देत रघुबीर॥

-આ સાંભળીને તુલસીદાસજી શ્રીરામજીના અદ્ભૂત દર્શન કર્યા. શ્રીરામના દર્શન કરીને તુલસીદાસજી સુધ-બુધ ખોઈ બેઠા. ત્યારે ભગવાન રામે પોતે જ પોતાના હાથથી ચંદન લઈને પોતાના મસ્તક ઉપર તથા તુલસીદાસજીના મસ્તક ઉપર લગાવ્યું અને અન્તર્ધ્યાન થઈ ગયા.

-સંવત 1628માં તુલસીદાસ હનુમાનજીની આજ્ઞા લઈને અયોધ્યા તરફ ચાલી નિકળ્યા. રસ્તામાં તે સમયે પ્રયાસમાં માઘનો મેળો લાગેલો હતો. તુલસીદાસજી થોડા દિવસ માટે ત્યાં રોકાયા. મેળામાં એક દિવસ તુલસીદાસજીએ કોઈ વટવૃક્ષની નીચે ભારદ્વાજ અને યાજ્ઞવલ્ક્ય મુનિના દર્શન થયા. ત્યાં પણ એ જ કથા થઈ રહી હતી જે તમને સૂકરક્ષેત્રમાં પોતાના ગુરુ દ્વારા સાંભળી હતી.
-મેળો સમાપ્ત થતા જ તુલસીદાસ પ્રયાસથી ફરી કાશી આવી ગયા અને ત્યાં એક બ્રાહ્મણના ઘરે નિવાસ કરવા લાગ્યા. ત્યાં રહીને તેમની અંદર કવિત્વ શક્તિ જાગૃત થઈ. હવે તેઓ સંસ્કૃતમાં પદ્ય-રચના કરવા લાગ્યા. તુલસીદાસ દિવસમાં તેઓ જેટલા પદ રચતા, રાત્રે તેઓ બધુ જ ભૂલી જતા. આ ઘટના રોજ થતી હતી. ત્યારે એક દિવસ ભગવાન શંકરે તુલસીદાસજીના સપનામાં આવીને આદેશ આપ્યો કે તમે પોતાની ભાષામાં જ કાવ્ય રચના કરો.

-ઊંઘમાંથી જાગીને તુલસીદાસજીએ જોયું કે તે સમયે ભગવાન શિવ અને પાર્વતી તેમની સામે જ પ્રગટ થયા છે. પ્રસન્ન થઈને શિવજીને કહ્યું – તમે અયોધ્યા જઈને રહો અને હિંદીમાં કાવ્ય રચના કરો. મારા આશીર્વાદથી તમારી કવિતાઓ સામવેદ સમાન થઈ જશે.

-ત્રેતાયુગમાં રામ જન્મ થયો હતો. એ દિવસે સવારના સમયે તુલસીદાસજીએ શ્રીરામચરિત માનસની રચનાની શરૂઆત કરી. બે વર્ષ, સાત મહિના અને છવ્વીસ દિવસમાં આ અદભૂત ગ્રંથની રચના થઈ. 1633 માર્ગશીર્ષ શુક્લપક્ષમાં રામ-વિવાહના દિવસે સાત કાંડ પૂર્ણ થયા.

જિંંદગીની દરેક પળ સુખી બનાવવા, રોજ સૂતા પહેલાં કરો હનુમાનનો આ ઉપાય:

જે લોકોના જીવનમાં પરેશાનીઓ અને નિરાશાનો સમય ચાલી રહ્યો હોય તેમની માટે અહીં બતાવેલ ખાસ ઉપાય કરવા જોઈએ. તેની સાથે જ જે લોકો પૂરી રીતે સુખી અને ધનવાન છે તેઓ પણ આ ઉપાય કરી શકે છે. જેના લીધે તેમના જીવનમાં દુઃખ ન આવે. આ ઉપાય હનુમાન ચાલીસા સંબંધિત છે અને તેને સ્ત્રી કે પુરુષ, બાળકો કે વડીલો બધા આસાનીથી કરી શકે છે. આ ઉપાય તમારે સૂતા પહેલાં કરવાના છે.

હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવાનો સૌથી સરળ અને ચમત્કારી ઉપાય છે હનુમાન ચાલીસાનો પાઠ. હનુમાન ચાલીસા ખૂબ જ સરળ અને મનને શાંતિ પ્રદાન કરનારી છે. જે લોકો ધનના અભાવથી ગ્રસ્ત છે કે ઘર-પરિવારમાં પરેશાનીઓ ચાલીરહી છે કે ઓફિસમાં બોસ અને સહયોગીઓ સાથે સંબંધો બગડેલા છે કે સમાજમાં સન્માન નથી મળી રહ્યું કે સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ હોય તો તેને દૂર કરવા માટે હનુમાન ચાલીસાનો આ ઉપાય શ્રેષ્ઠ રસ્તો છે.

જે લોકો મસ્તિષ્ક સાથે સંબંધિત કામમાં લાગેલા રહે છે અને માનસિક તણાવનો સામનો કરે છે કે જેમનું મગજ અન્ય લોકોની સરખામણીમાં તેજ નથી તો તેમને રોજ રાત્રે સૂતા પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.

बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार।
बल बुद्धि विद्या देहु मोहि हरेहू कलेश विकार।

આ પંક્તિમાં હુનુમાનને એ પ્રાર્થના કરવામાં આવી છે કે હે પ્રભુ હું પોતાને બુદ્ધિહીન માનીને તમારું ધ્યાન કરું છું. કૃપા કરો અને મને શક્તિ, બુદ્ધિ, વિદ્યા આપો. મારા બધા કષ્ટ-કલેશ દૂર કરો.

-તમે ઈચ્છો તો સૂતા પહેલા હનુમાન ચાલીસા સાંભળી પણ શકો છો કે જાપ પણ કરી શકો છો. હનુમાન ચાલીસા સાંભળવા માટે આજકાલ અનેક પ્રકારના સહજ માધ્યમો ઉપલબ્ધ છે જેમ કે મોબાઈલમાં હનુમાન ચાલીસાની ઓડિયો ફાઈલ સેવ કરી શકાય છે. જ્યારે તમારું મન હોય ત્યારે તમે આસાનીથી મોબાઈલની મદદથી હનુમાન ચાલીસા સાંભળી શકો છો.

જે લોકોને ખરાબ સપના આવતા હોય, ઊંઘમાં ડરી જતા હોય તેમને સૂતા પહેલા આ પંક્તિઓનો જાપ કરવો જોઈએ.

भूत-पिशाच निकट नहीं आवे।
महाबीर जब नाम सुनावे।

આ પંક્તિના માધ્યમથી ભક્ત દ્વારા હનુમાન સાથે ભૂત-પિશાચ વગેરેના ડરથી મુક્તિ અપાવવાની પ્રાર્થના કરવામાં આવે છે.

સૂતા પહેલાં જે પણ વ્યક્તિ આ પંક્તિનો જાપ કરે છે તેનાથી કોઈ ખરાબ સપના નથી આવતા કે કોઈ ભય નથી સતાવતો.

જો કોઈ વ્યક્તિ ભયંકર બીમારીથી ગ્રસ્ત હોય તો તેને સૂતા પહેલા આ પંક્તિનો જાપ કરવો જોઈએ.

नासे रोग हरे सब पीरा।
जो सुमिरे हनुमंत बलबीरा।।

આ પંક્તિથી આપણે બજરંગ બલી સામે બધા પ્રકારના રોગો અને પીડાઓથી મુક્તિ માટે પ્રાર્થના કરીએ છીએ. જે પણ બીમાર વ્યક્તિ આ પંક્તિઓનો જાપ કરીને સૂવે છે તેની બીમારી ઝડપથી સારી થવા લાગે છે.

જો કોઈ વ્યક્તિ સર્વગુણ સંપન્ન બનવા માગે છે અને ઘર-પરિવાર, સમાજમાં વર્ચસ્વ બનાવવા માગે છે, સન્માન મેળવવા માગ છે તો તેને સૂતા પહેલા આ પંક્તિનો જાપ કરવો જોઈએ.

अष्ट-सिद्धि नवनिधि के दाता।
अस बर दीन जानकी माता।।

આ પંક્તિ પ્રમાણે હનુમાન અષ્ટ સિદ્ધિઓ અને નવ નીધિઓના દાતા છે. જે તેમને માતા સીતાએ પ્રદાન કરી હતી. જે લોકોની પાસે આ સિદ્ધિઓ અને નિધિઓ આવી જાય છે તે સમાજમાં અને ઘર પરિવારમાં માન-સન્માન, પ્રસિદ્ધિ મેળવે છે.

શ્રાવણમાં કરો આ 7માંથી કોઇ 1 ઉપાય, દરેક સંકટો દૂર કરશે હનુમાન!

શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધનાનું વિશેષ મહત્વ છે. હનુમાનજી પણ ભગવાન શિવના જ અવતાર છે. એવી માન્યતા છે કે હનુમાનજી અમર છે, તેમને અમરતાનું વરદાન માતા સીતાએ આપ્યું હતું. આ માન્યતા મુજબ, શ્રાવણમાં આવનાર દરેક મંગળવારે જો હનુમાનજીને પ્રસન્ન કરવાના થોડાં સરળ ઉપાય કરવામં આવે તો ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઇ શકે છે. હનુમાનજીને પ્રસન્ન કરવાના ઉપાય આ પ્રકારે છે….

1. શ્રાવણમાં કોઇપણ મંગળવારે હનુમાનજીને સિંદૂરનો ચોલો અર્પણ કરવો. ચોલા અર્પણ કરતાં પહેલાં સ્વયં સ્નાન કરી શુદ્ધ થઇ જવું અને સાફ વસ્ત્ર ધારણ કરવાં. માત્ર લાલ રંગની ધોતી પહેરશો તો વધારે સારું રહેશે. ચોલા અર્પણ કરવા માટે ચમેલીના તેલનો ઉપયોગ પણ કરી શકાય છે. સાથે જ, ચોલા અર્પણ કરતી સમયે એક દીપક હનુમાનજી સામે પ્રગટાવીને રાખી દેવો. દીપકમાં ચમેલીના તેલનો જ ઉપયોગ કરવો.

ચોલા અર્પણ કર્યા પછી હનુમાનજીને ગુલાબના ફૂલની માળા પહેરાવવી અને કેવડાના અત્તરનો હનુમાનજીની મૂર્તિના બંન્ને ખંભા પર થોડો-થોડો છંટકાવ કરવો. હવે એક સાબૂત પાન લઇ તેના ઉપર ગોળ અને ચણા રાખીને હનુમાનજીને તેનો ભોગ લગાવવો. ભોગ લગાવ્યાં પછી તે જ સ્થાન પર થોડી વાર બેસીને તુલસીની માળાથી નીચે લખાયેલ મંત્રનો જાપ કરવો. આ મંત્રનો જાપ ઓછામાં ઓછી પાંચ માળા કરવો.

મંત્રઃ- राम रामेति रामेति रमे रामे मनोरमे।
सहस्त्र नाम तत्तुन्यं राम नाम वरानने।।

હવે હનુમાનજીને અર્પણ કરેલાં ગુલાબના ફૂલની માળાથી એક ફૂલ તોડીને તેને એક લાલ કપડામાં લપેટવું અને ઘરના ધન સ્થાન અથવા તિજોરીમાં રાખવું. તમારા ધનમાં ક્યારેય કમી આવશે નહીં.

2. મંગળવારે ઘરમાં પારદ (એક પ્રકારની વિશેષ ધાતુ)થી બનેલી હનુમાનજીની પ્રતિમા સ્થાપિત કરવી. તંત્ર શાસ્ત્ર મુજબ, પારદથી બનેલી હનુમાન પ્રતિમાની પૂજા કરવાથી બગડેલાં કામ પણ બની જાય છે. પારદથી નિર્મિત હનુમાન પ્રતિમાને ઘરમાં રાખવાથી બધા જ પ્રકારના વાસ્તુદોષ આપમેળે જ દૂર થઇ જાય છે. સાથે જ, ઘરનું વાતાવરણ પણ શુદ્ધ થઇ જાય છે. રોજ પારદ હનુમાનજીની પૂજા કરવાથી ઘરમાં કોઇપણ પ્રકારના તંત્રની અસર થતી નથી અને સાધક પર પણ કોઇ પ્રકારની તંત્ર ક્રિયાનો પ્રભાવ પડતો નથી. જો કોઇ વ્યક્તિને પિતૃદોષ હોય તો તેણે દરરોજ પારદના હનુમાનજીની પૂજા કરવી જોઇએ. આવું કરવાથી પિતૃદોષ સમાપ્ત થઇ જાય છે.

3. શ્રાવણ મહિનાના કોઇપણ મંગળવારે સાંજના સમયે કોઇ એવા મંદિર જવું, જ્યાં ભગવાન શ્રીરામ અને હનુમાન બંન્નેની પ્રતિમાં હોય. ત્યાં જઇને શ્રીરામ અને હનુમાનજીની પ્રતિમાં સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી ત્યાં ભગવાન શ્રીરામની પ્રતિમાની સામે બેસીને હનુમાન ચાલીસા અથવા હનુમાન પ્રતિમાની સામે બેસીને રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો. આ ઉપાયથી ભગવાન શ્રીરામ અને હનુમાનજી બંન્નેની કૃપા તમને પ્રાપ્ત થશે.

4. મંગળવારે સવારે સ્નાન વગેરે કર્યા પછી વડના વૃક્ષથી 11 અથવા 21 પાન તોડી લાવવાં. ધ્યાન રાખવું તે આ પાન પૂર્ણ રીતે સાફ અને સાબૂત હોય. હવે તેને સ્વચ્છ પાણીથી ધોઇ લેવા અને તેના ઉપર ચંદનથી ભગવાન શ્રીરામનું નામ લખવું. હવે આ પાનની એક માળા બનાવવી. માળા બનાવવા માટે પૂજામાં ઉપયોગ કરવામાં આવતાં રંગીન દોરાનો ઉપયોગ કરવો. હવે નજીકમં રહેલાં કોઇ હનુમાન મંદિર જવું અને હનુમાન પ્રતિમાને આ માળા પહેરાવવી. હનુમાનજીને પ્રસન્ન કરવાનો આ ખૂબ જ પ્રાચીન ટોટકો છે.

5. શ્રાવણમાં કોઇ મંગળવાર સવારે સ્નાન કર્યા પછી વડના વૃક્ષનું એક પાન તોડી લેવું અને તેને સાફ પાણીથી સાફ કરવું. હવે આ પાનને થોડીવાર માટે હનુમાનજીની પ્રતિમા સામે રાખી તેના ઉપર કેસરથી શ્રીરામ લખવું.

હવે આ પાનને તમારે તમારા પર્સમાં રાખી લેવું. વર્ષભર તમારું પર્સ પૈસાથી ભરેવું રહશે. ત્યાર પછી જ્યારે હનુમાન જયંતીનો પર્વ આવે ત્યારે આ પાનને કોઇ નદીમાં પ્રવાહિત કરી દેવું અને આ પ્રકારે એક અન્ય પાન અભિમંત્રિત કરી પોતાના પર્સમાં રાખી લેવું.

6. જો તમે શનિદોષથી પીડિત છો તો મંગળવારે કાળા અડદ અને કોલસાની એક પોટલી બનાવવી. તેમાં એક રૂપિયાનો સિક્કો રાખવો. ત્યાર પછી આ પોટલીને પોતાની ઉપરથી ઉતારવી. ત્યાર પછી તેને કોઇ નદીમાં પ્રવાહિત કરી દેવી અને પછી કોઇ હનુમાન મંદિરમાં જઇને રામના નામનો જાપ કરવો. આવું કરવાથી શનિદેવનો પ્રભાવ શાંત થઇ જશે.

7. શ્રાવણમાં કોઇ મંગળવાર હનુમાનજી મંદિર જવું અને ત્યાં બેસીને રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો. ત્યાર પછી હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ લગાવવો. જીવનમાં જો કોઇ સમસ્યા છે તો તેનું નિવારણ કરવા માટે પ્રાર્થના કરવી.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ખાસ…આ છે શિવને પ્રસન્ન કરવાની સૌથી સરળ વિધિ અને પંચોપચારની પૂજા…!!!
જાણો…ગ્રહદોષથી મુક્તિ મેળવવી હોય તો આજથી જ શરૂ કરો, શિવના આ રાશિઉપાય..!!
જાણો…અમાસ ના દિવસે, લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ચમત્કારિક ઉપાય…!!

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

એવી સમસ્યા જેનો કોઇ તોડ ન હોય, તો કરો હનુમાન પૂજા, દરેક સંકટો દૂર કરશે હનુમાનજી…!!

hanumandada3

શ્રાવણમાં કરો આ 7માંથી કોઇ 1 ઉપાય, દરેક સંકટો દૂર કરશે હનુમાન!

શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધનાનું વિશેષ મહત્વ છે. હનુમાનજી પણ ભગવાન શિવના જ અવતાર છે. એવી માન્યતા છે કે હનુમાનજી અમર છે, તેમને અમરતાનું વરદાન માતા સીતાએ આપ્યું હતું. આ માન્યતા મુજબ, શ્રાવણમાં આવનાર દરેક મંગળવારે જો હનુમાનજીને પ્રસન્ન કરવાના થોડાં સરળ ઉપાય કરવામં આવે તો ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઇ શકે છે. હનુમાનજીને પ્રસન્ન કરવાના ઉપાય આ પ્રકારે છે….

1. શ્રાવણમાં કોઇપણ મંગળવારે હનુમાનજીને સિંદૂરનો ચોલો અર્પણ કરવો. ચોલા અર્પણ કરતાં પહેલાં સ્વયં સ્નાન કરી શુદ્ધ થઇ જવું અને સાફ વસ્ત્ર ધારણ કરવાં. માત્ર લાલ રંગની ધોતી પહેરશો તો વધારે સારું રહેશે. ચોલા અર્પણ કરવા માટે ચમેલીના તેલનો ઉપયોગ પણ કરી શકાય છે. સાથે જ, ચોલા અર્પણ કરતી સમયે એક દીપક હનુમાનજી સામે પ્રગટાવીને રાખી દેવો. દીપકમાં ચમેલીના તેલનો જ ઉપયોગ કરવો.

ચોલા અર્પણ કર્યા પછી હનુમાનજીને ગુલાબના ફૂલની માળા પહેરાવવી અને કેવડાના અત્તરનો હનુમાનજીની મૂર્તિના બંન્ને ખંભા પર થોડો-થોડો છંટકાવ કરવો. હવે એક સાબૂત પાન લઇ તેના ઉપર ગોળ અને ચણા રાખીને હનુમાનજીને તેનો ભોગ લગાવવો. ભોગ લગાવ્યાં પછી તે જ સ્થાન પર થોડી વાર બેસીને તુલસીની માળાથી નીચે લખાયેલ મંત્રનો જાપ કરવો. આ મંત્રનો જાપ ઓછામાં ઓછી પાંચ માળા કરવો.

મંત્રઃ- राम रामेति रामेति रमे रामे मनोरमे।
सहस्त्र नाम तत्तुन्यं राम नाम वरानने।।

હવે હનુમાનજીને અર્પણ કરેલાં ગુલાબના ફૂલની માળાથી એક ફૂલ તોડીને તેને એક લાલ કપડામાં લપેટવું અને ઘરના ધન સ્થાન અથવા તિજોરીમાં રાખવું. તમારા ધનમાં ક્યારેય કમી આવશે નહીં.

2. મંગળવારે ઘરમાં પારદ (એક પ્રકારની વિશેષ ધાતુ)થી બનેલી હનુમાનજીની પ્રતિમા સ્થાપિત કરવી. તંત્ર શાસ્ત્ર મુજબ, પારદથી બનેલી હનુમાન પ્રતિમાની પૂજા કરવાથી બગડેલાં કામ પણ બની જાય છે. પારદથી નિર્મિત હનુમાન પ્રતિમાને ઘરમાં રાખવાથી બધા જ પ્રકારના વાસ્તુદોષ આપમેળે જ દૂર થઇ જાય છે. સાથે જ, ઘરનું વાતાવરણ પણ શુદ્ધ થઇ જાય છે. રોજ પારદ હનુમાનજીની પૂજા કરવાથી ઘરમાં કોઇપણ પ્રકારના તંત્રની અસર થતી નથી અને સાધક પર પણ કોઇ પ્રકારની તંત્ર ક્રિયાનો પ્રભાવ પડતો નથી. જો કોઇ વ્યક્તિને પિતૃદોષ હોય તો તેણે દરરોજ પારદના હનુમાનજીની પૂજા કરવી જોઇએ. આવું કરવાથી પિતૃદોષ સમાપ્ત થઇ જાય છે.

3. શ્રાવણ મહિનાના કોઇપણ મંગળવારે સાંજના સમયે કોઇ એવા મંદિર જવું, જ્યાં ભગવાન શ્રીરામ અને હનુમાન બંન્નેની પ્રતિમાં હોય. ત્યાં જઇને શ્રીરામ અને હનુમાનજીની પ્રતિમાં સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી ત્યાં ભગવાન શ્રીરામની પ્રતિમાની સામે બેસીને હનુમાન ચાલીસા અથવા હનુમાન પ્રતિમાની સામે બેસીને રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો. આ ઉપાયથી ભગવાન શ્રીરામ અને હનુમાનજી બંન્નેની કૃપા તમને પ્રાપ્ત થશે.

4. મંગળવારે સવારે સ્નાન વગેરે કર્યા પછી વડના વૃક્ષથી 11 અથવા 21 પાન તોડી લાવવાં. ધ્યાન રાખવું તે આ પાન પૂર્ણ રીતે સાફ અને સાબૂત હોય. હવે તેને સ્વચ્છ પાણીથી ધોઇ લેવા અને તેના ઉપર ચંદનથી ભગવાન શ્રીરામનું નામ લખવું. હવે આ પાનની એક માળા બનાવવી. માળા બનાવવા માટે પૂજામાં ઉપયોગ કરવામાં આવતાં રંગીન દોરાનો ઉપયોગ કરવો. હવે નજીકમં રહેલાં કોઇ હનુમાન મંદિર જવું અને હનુમાન પ્રતિમાને આ માળા પહેરાવવી. હનુમાનજીને પ્રસન્ન કરવાનો આ ખૂબ જ પ્રાચીન ટોટકો છે.

5. શ્રાવણમાં કોઇ મંગળવાર સવારે સ્નાન કર્યા પછી વડના વૃક્ષનું એક પાન તોડી લેવું અને તેને સાફ પાણીથી સાફ કરવું. હવે આ પાનને થોડીવાર માટે હનુમાનજીની પ્રતિમા સામે રાખી તેના ઉપર કેસરથી શ્રીરામ લખવું.

હવે આ પાનને તમારે તમારા પર્સમાં રાખી લેવું. વર્ષભર તમારું પર્સ પૈસાથી ભરેવું રહશે. ત્યાર પછી જ્યારે હનુમાન જયંતીનો પર્વ આવે ત્યારે આ પાનને કોઇ નદીમાં પ્રવાહિત કરી દેવું અને આ પ્રકારે એક અન્ય પાન અભિમંત્રિત કરી પોતાના પર્સમાં રાખી લેવું.

6. જો તમે શનિદોષથી પીડિત છો તો મંગળવારે કાળા અડદ અને કોલસાની એક પોટલી બનાવવી. તેમાં એક રૂપિયાનો સિક્કો રાખવો. ત્યાર પછી આ પોટલીને પોતાની ઉપરથી ઉતારવી. ત્યાર પછી તેને કોઇ નદીમાં પ્રવાહિત કરી દેવી અને પછી કોઇ હનુમાન મંદિરમાં જઇને રામના નામનો જાપ કરવો. આવું કરવાથી શનિદેવનો પ્રભાવ શાંત થઇ જશે.

7. શ્રાવણમાં કોઇ મંગળવાર હનુમાનજી મંદિર જવું અને ત્યાં બેસીને રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો. ત્યાર પછી હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ લગાવવો. જીવનમાં જો કોઇ સમસ્યા છે તો તેનું નિવારણ કરવા માટે પ્રાર્થના કરવી.
જિંંદગીની દરેક પળ સુખી બનાવવા, રોજ સૂતા પહેલાં કરો હનુમાનનો આ ઉપાય

જે લોકોના જીવનમાં પરેશાનીઓ અને નિરાશાનો સમય ચાલી રહ્યો હોય તેમની માટે અહીં બતાવેલ ખાસ ઉપાય કરવા જોઈએ. તેની સાથે જ જે લોકો પૂરી રીતે સુખી અને ધનવાન છે તેઓ પણ આ ઉપાય કરી શકે છે. જેના લીધે તેમના જીવનમાં દુઃખ ન આવે. આ ઉપાય હનુમાન ચાલીસા સંબંધિત છે અને તેને સ્ત્રી કે પુરુષ, બાળકો કે વડીલો બધા આસાનીથી કરી શકે છે. આ ઉપાય તમારે સૂતા પહેલાં કરવાના છે.

હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવાનો સૌથી સરળ અને ચમત્કારી ઉપાય છે હનુમાન ચાલીસાનો પાઠ. હનુમાન ચાલીસા ખૂબ જ સરળ અને મનને શાંતિ પ્રદાન કરનારી છે. જે લોકો ધનના અભાવથી ગ્રસ્ત છે કે ઘર-પરિવારમાં પરેશાનીઓ ચાલીરહી છે કે ઓફિસમાં બોસ અને સહયોગીઓ સાથે સંબંધો બગડેલા છે કે સમાજમાં સન્માન નથી મળી રહ્યું કે સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ હોય તો તેને દૂર કરવા માટે હનુમાન ચાલીસાનો આ ઉપાય શ્રેષ્ઠ રસ્તો છે.

જે લોકો મસ્તિષ્ક સાથે સંબંધિત કામમાં લાગેલા રહે છે અને માનસિક તણાવનો સામનો કરે છે કે જેમનું મગજ અન્ય લોકોની સરખામણીમાં તેજ નથી તો તેમને રોજ રાત્રે સૂતા પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.

बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार।
बल बुद्धि विद्या देहु मोहि हरेहू कलेश विकार।

આ પંક્તિમાં હુનુમાનને એ પ્રાર્થના કરવામાં આવી છે કે હે પ્રભુ હું પોતાને બુદ્ધિહીન માનીને તમારું ધ્યાન કરું છું. કૃપા કરો અને મને શક્તિ, બુદ્ધિ, વિદ્યા આપો. મારા બધા કષ્ટ-કલેશ દૂર કરો.

-તમે ઈચ્છો તો સૂતા પહેલા હનુમાન ચાલીસા સાંભળી પણ શકો છો કે જાપ પણ કરી શકો છો. હનુમાન ચાલીસા સાંભળવા માટે આજકાલ અનેક પ્રકારના સહજ માધ્યમો ઉપલબ્ધ છે જેમ કે મોબાઈલમાં હનુમાન ચાલીસાની ઓડિયો ફાઈલ સેવ કરી શકાય છે. જ્યારે તમારું મન હોય ત્યારે તમે આસાનીથી મોબાઈલની મદદથી હનુમાન ચાલીસા સાંભળી શકો છો.

જે લોકોને ખરાબ સપના આવતા હોય, ઊંઘમાં ડરી જતા હોય તેમને સૂતા પહેલા આ પંક્તિઓનો જાપ કરવો જોઈએ.

भूत-पिशाच निकट नहीं आवे।
महाबीर जब नाम सुनावे।

આ પંક્તિના માધ્યમથી ભક્ત દ્વારા હનુમાન સાથે ભૂત-પિશાચ વગેરેના ડરથી મુક્તિ અપાવવાની પ્રાર્થના કરવામાં આવે છે.

સૂતા પહેલાં જે પણ વ્યક્તિ આ પંક્તિનો જાપ કરે છે તેનાથી કોઈ ખરાબ સપના નથી આવતા કે કોઈ ભય નથી સતાવતો.

જો કોઈ વ્યક્તિ ભયંકર બીમારીથી ગ્રસ્ત હોય તો તેને સૂતા પહેલા આ પંક્તિનો જાપ કરવો જોઈએ.

नासे रोग हरे सब पीरा।
जो सुमिरे हनुमंत बलबीरा।।

આ પંક્તિથી આપણે બજરંગ બલી સામે બધા પ્રકારના રોગો અને પીડાઓથી મુક્તિ માટે પ્રાર્થના કરીએ છીએ. જે પણ બીમાર વ્યક્તિ આ પંક્તિઓનો જાપ કરીને સૂવે છે તેની બીમારી ઝડપથી સારી થવા લાગે છે.

જો કોઈ વ્યક્તિ સર્વગુણ સંપન્ન બનવા માગે છે અને ઘર-પરિવાર, સમાજમાં વર્ચસ્વ બનાવવા માગે છે, સન્માન મેળવવા માગ છે તો તેને સૂતા પહેલા આ પંક્તિનો જાપ કરવો જોઈએ.

अष्ट-सिद्धि नवनिधि के दाता।
अस बर दीन जानकी माता।।

આ પંક્તિ પ્રમાણે હનુમાન અષ્ટ સિદ્ધિઓ અને નવ નીધિઓના દાતા છે. જે તેમને માતા સીતાએ પ્રદાન કરી હતી. જે લોકોની પાસે આ સિદ્ધિઓ અને નિધિઓ આવી જાય છે તે સમાજમાં અને ઘર પરિવારમાં માન-સન્માન, પ્રસિદ્ધિ મેળવે છે.

ભગવાન શિવના અંશાવતાર છે હનુમાનજી, આ ઉપાયો કરવાથી થાય છે પ્રસન્ન

શ્રાવણ મહિનામાં મંગળવારના હનુમાનજી માટે વિશેષ ઉપાય કરશો તો કુંડળીના ગ્રહ દોષ દૂર થઈ શકે છે અને કામમાં આવતા વિઘ્નો પણ દૂર થઈ શકે છે. હનુમાનજી શિવજીના જ અંશઆવતાર છે. આ કારણોસર શ્રાવણ મહિનામાં હનુમાનજીની પૂજા કરવાથી શિવજી અને અન્ય દેવી-દેવતાઓ પણ પ્રસન્ન થાય છે આજે જાણીએ મંગળવારના ક્યા-ક્યા ઉપાય કરી શકાય છે…

1. મંગળવારે હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ ચડાવવું જોઈએ. સિંદૂર અને ચમેલીના તેલનો ઉપાય કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ શકે છે.

2. લાલ મસૂરની દાળને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવી જોઈએ. આ ઉપાય કરવાથી મંગળ ગ્રહના દોષોની શાંતિ થઈ શકે છે. મસૂરની દાળ શિવલિંગ પર પણ અર્પિત કરી શકાય છે.

3. હનુમાનજીને પ્રસન્ન કરવા તથા તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે દર મંગળવારે શક્ય હોય તો હનુમાનજીની સામે દીવો પ્રગટાવી હનુમાન ચાલીસાના પાઠ કરવા.

4. મંગળવારે શિવ મંદિર જઈ ભગવાન શિવનો જળાભિષેક કરવો અને ત્યારપછી ભગવાન શિવને લાલ રંગનું ફૂલ ચડાવવું. શિવલિંગ પર લાલ રંગનું ફૂલ ચડાવવાથી મંગળ ગ્રહ પ્રસન્ન રહે છે.

5. કોઈ એવા તળાવ અથવા સરોવર પર જાવ જ્યાં માછલીઓ હોય. ત્યાં જઈ માછલીઓને લોટની ગોળીઓ બનાવી ખવડાવો. આ ઉપાય દરરોજ પણ કરી શકાય છે. આ ઉપાય કરવાથી હનુમાનજીની સાથે-સાથે ભગવાન શિવ પણ પ્રસન્ન થાય છે.

6. હનુમાનજીની મૂર્તિની સામે લોટથી બનેલો દીવો પ્રગટાવવો જોઈએ. લોટનો દીવો તૈયાર કરવા માટે ઘઉંના લોટમાં થોડું પાણી નાખી લોટ બાંધી લો. જે રીતે રોટલીનો લોટ બાંધો છો એવી જ રીતે દીવાનો લોટ બાંધવો અને તેનાથી દીવો તૈયાર કરવો. દીવામાં તેલ નાખી રૂની બનેલી વાટ રાખો. આ રીત દીવો તૈયાર કરી હનુમાનજીની સાથે દીવો પ્રગટાવી તેમની વિધિ-વિધાન મુજબ પૂજા-અર્ચના કરવી જોઈએ. લોટનો દીવો પ્રગટાવી પૂજા કરવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે.

7. એક નારિયેળ અને ફૂલ-પ્રસાદ લઈને નજીકના કોઈ પણ હનુમાનજીના મંદિરે જાવ. મંદિરમાં પહોંચી હનુમાનજીની સામે નારિયેળને સ્વયંના માથા પર સાત વખત ફેરવી લો. તેના પછી નારિયેળને ફોડી દો. પછી ભગવાનને ફૂલ-પ્રસાદ અર્પિત કરવો.

8. પૂજા કર્યા પછી હનુમાનજીને લાલ વસ્ત્રો, લાલ ફૂલ, લાલ ફળ અને લાલ રંગની કોઈ મીઠાઈ ચડાવો.

9. પીપળાના 11 પાન લો અને તે પાન પર ભગવાન રામનું નામ લખો. નામ લખવા માટે ચંદનનો ઉપયોગ કરી શકાય છે. બધા પાન પર રામનામ લખ્યાં પછી તેની માળા બનાવો અને હનુમાનજીને ચડાવો.

ઈન્દ્રએ જડબુ તોડ્યું તેથી કહેવાયા હનુમાન, પૂજામાં રાખજો આટલી સાવધાની!

હનુમાન ચિરંજીવી અર્થાત્ હંમેશા જીવિત રહેનારા માનવામાં આવ્યા છે. તેઓ એ બધા દેવી-દેવતાઓમાં સામેલ છે જેની પૂજા-આરાધના વધુ થાય છે. તેઓ મનુષ્ય અને વાનરનું સંયુક્ત રૂપ છે. એવું કહેવાય છે કે તેઓ આકાશમાં ઉડી શકે છે અને પોતાના શરીરને નાનુ અને મોટું કરી શકે છે. તેઓ પહાડ જેવી ભારે ભરખમ વસ્તુઓ ઊઠાવી લે છે. તેમના ગુણ આજે પણ આપણા પ્રેરણા સ્ત્રોત છે. આપણે તેમની પાસેથી પ્રેરણા લઈને આપણુ વ્યક્તિત્વ નિખારી શકીએ છીએ. એવા વીરલ હનુમાન વિશે જાણો કેટલીક ખાસ વાતો, તેમની પૂજા વિધિ, સ્ત્રીઓ તેમની પૂજા કરી શકે કે કેમ વગેરે બાબતો.

હનુમાનનો અર્થઃ-

હનુમાનનો એક અર્થ છે નિરહંકારી અને અભિમાનરહિત. હનુનો અર્થ છે હનન કરવુ અને માનનો અર્થ છે અહંકાર. અર્થાત્ જેમણે પોતાના અહંકારનું હનન કરી લીધુ હોય. આ તો બધા જાણે જ છે કે હનુમાનજીને કોઈ જ અભિમાન ન હતું. તેઓ વિનમ્રતાનો પર્યાત છે. એવું પણ કહેવામાં આવે છે કે હનુ અર્થાત્ હડપચી(ઢોડી) કપાયેલી હોવાને કારણે જ તેઓ હનુમાન કહેવાય. સૂર્યને ગળી ગયા પછી પછી ઈન્દ્રએ કેસરીનંદનના મુખ ઉપર વ્રજથી પ્રહાર કરવામાં આવ્યો હતો. આ પ્રહારથી હનુમાનજીની ઠુડ્ડી(સંસ્કૃતમાં હનુ) તૂટી ગઈ હતી એટલે તેમનું નામ હનુમાન આપવામાં આવ્યું હતું. હનુમાનજીના અનેક નામ છે, જેમ કે બજરંગ બલી, અંજનિસુત, પવનપુત્ર, કેસરીનંદર, મહાવીર, કપીશ, બાલાજી મહારાજ વગેરે.

હનુમાન છે વૈજ્ઞાનિકઃ-

હનુમાન પોતાના સમયના વૈજ્ઞાનિક છે. તેઓ પોતાના શરીરને અત્યંત નાનુ અને મોટું કરી લેતા હતા. તેમને સમુદ્ર પાર કરતી વખતે સિંહિકા નામની એ રાક્ષસીને પણ ખતમ કરી દીધી હતી જે ઉડતા પ્રાણીને પણ ખેંચીને ખાઈ લેતી હતી કે નષ્ટ કરી દેતી હતી. આથી એવું કહી શકાય કે હનુમાન સુપર સાઈટિસ્ટ હતા. એવી શક્તિ આજના સાઈટિસ્ટ પણ શોધ નથી કરી શક્યા. હનુમાનના વૈજ્ઞાનિક હોવાની વાત શ્રીરામચરિત માનમાં પણ છે.

वन्दे विशुद्घविज्ञानौ कवीश्वरकपीश्वरौ॥
-(રામચરિતમાનસ ¼ મંગલાચરણ)

અર્થાત્- મહર્ષિ વાલ્મિકી(કવિશ્વર) તથા મહાવીર હનુમાન(કપિશ્વર) બંને વિશુદ્ધ વિજ્ઞાની છે.

હનુમાનની ઉત્પતિઃ-

શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે હનુમાન શિવના રુદ્રા અવતાર છે. તેમનો જન્મ વાયુદેવનો અંશ અને અંજનીના ગર્ભથી થયો જે કેસરી નામના વાનરની પત્ની હતી. પુત્ર ન હોવાનેથી દુઃખી હતી. મતંગ ઋષિના કહેવાથઓ અંજનાએ 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી જેના ફળ સ્વરૂપે હનુમાનનો જન્મ થયો.

પૂજા પદ્ધતિઃ-

હનુમાનની મૂર્તિ ઉપર તેલ અને સિંદૂર ચઢાવવામાં આવે છે. તેમને ફૂલ પણ પુરુષવાચક જેવા કે ગુલાબ, ગલગોટા વગેરે ચઢાવવા જોઈએ. સુંદરકાંડ કે રામાયણના પાઠથી તેઓ પ્રસન્ન થાય છે. પ્રસાદના રૂપમાં ચણા, ગોળ, કેળા, જામફળ કે લાડુનો ચઢાવવો જોઈએ.

ચાલીસા પાઠઃ-

ભક્તોએ 108 વાર ગોસ્વામી તુલસીદાસ કૃત હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. પાઠ શરૂ કરતા પહેલા રામરક્ષાસ્ત્રોતમ્ નો પાઠ ચોક્કસ કરવો જોઈએ. જો એક બેઠમાં 108 વાર હનુમાન ચાલીસા પાઠ ન થઈ શકે તો તેને બે ભાગમાં પૂરી કરી શકો છો.

હનુમાનની પૂજા કરતી વખતે આટલી સાવધાની રાખવી જોઈએઃ-

-હનુમાનની પૂજા અર્ચના અને વ્રતમાં બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અર્થાત્ સંયમપૂર્વક રહેવું જોઈએ.

-પૂજામાં ચરણામૃતનો ઉપયોગ ન કરો. શાસ્ત્રોમાં તેનું વિધાન છે.

-જે પ્રસાદ હનુમાનને ચઢાવવામાં આવે તે શુદ્ધ હોવી જોઈએ.

-દીવો અને પ્રસાદમાં શુદ્ધ ઘીનો જ ઉપયોગ કરો.

-હનુમાનને લાલ ફૂલ પ્રિય હોય છે. આથી પૂજામાં લાલ ફૂલ ચોક્કસ ચઢાવો.

-મૂર્તિને જળઅને પંચામૃતથી સ્નાન કરાવ્યા પચી જ સિંદૂરમાં તેલને મેળવીને તેનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી તેઓ પ્રસન્ન થઈ જાય છે.

-સાધના હંમેશા પૂર્વ દિશા તરફ મુખ કરીને જ શરૂ કરવી જોઈએ.

સ્ત્રીઓ પણ કરી શકે છે પૂજાઃ-

હનુમાનના સંદર્ભમાં સામાન્ય ધારણા છે કે તેમનૂ પૂજા મહિલાઓ નથી કરી શકતી. વાસ્તવમાં આ વાત ભ્રામક છે. મહિલાઓ પણ સાધારણ પૂજા કરી શકે છે. પરંતુ રજસ્વલા સ્થિતમાં પૂજા કરવાની મનાઈ છે. હનુમાનની સાધના માત્ર પુરુષોએ જ કરવી જોઈએ. તેનું કારણ એ છે કે કેટલાક એવા કારણો છે જેના લીધે તેમની સાધના પૂરી નથી કરી શકતી.

પૂજા-આરાધનાનો વિશેષ દિવસઃ-

મંગળવાર અને શનિવારે હનુમાનન પૂજાનું મહત્વ છે. એવું કહેવાય છે કે તેમનો જન્મ મંગળવારના દિવસે થયો હતો. શનિદેવે તેમને યુદ્ધમાં હરાવ્યા હતા. શનિએ તેમને આશીર્વાદ આપ્યા હતા કે જે વ્યક્તિ શનિવારના દિવસે હનુમાનજીની પૂજા કરશે તેને શનિના કષ્ટો સહન નહીં કરવા પડે.
શનિવારે ભુલ્યા વિના કરો આ 1 કામ, હનુમાનજી પ્રસન્ન થઇ દુઃખો કરશે દૂર!

વર્તમાન સમયમાં લોકો દ્વારા સૌથી વધારે હનુમાનજીને પૂજવામાં આવે છે. આ માટે જ તેમને કળયુગના જીવંત દેવતા પણ કહેવામાં આવે છે. ધર્મ ગ્રંથોમાં હનુમાનજીના પ્રમુખ 12 નામ જણાવવામાં આવ્યા છે, જેના દ્વારા તેમની સ્તુતિ કરવામાં આવે છે. હનુમાનજીના આ 12નામનો જાપ રાત્રે સૂતા પહેલાં અને સવારે જાગીને જો કરવામાં આવે તો, વ્યક્તિના બધા જ ભય દૂર થઇ જાય છે અને તેને જીવનમાં બધા જ સુખ પ્રાપ્ત થાય છે. કોઇપણ યાત્રા શરૂ કરતા પહેલાં પણ જો આ નામનો જાપ કરવામાં આવે તો વ્યક્તિની યાત્રા સફળ રહે છે. તે વ્યક્તિ તેના જીવનમાં બધી જ સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે. હનુમાનજીના 12 નામની સ્તુતિ તથા તે નામનો અર્થ આ પ્રકારે છે-

સ્તુતિઃ-

हनुमानअंजनीसूनुर्वायुपुत्रो महाबल:।
रामेष्ट: फाल्गुनसख: पिंगाक्षोअमितविक्रम:।।
उदधिक्रमणश्चेव सीताशोकविनाशन:।
लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पहा।।
एवं द्वादश नामानि कपीन्द्रस्य महात्मन:।
स्वापकाले प्रबोधे च यात्राकाले च य: पठेत्।।
तस्य सर्वभयं नास्ति रणे च विजयी भवेत्।
राजद्वारे गह्वरे च भयं नास्ति कदाचन।।

1-હનુમાનઃ-

ઉપરોક્ત શ્લોક મુજબ હનુમાનજીનું પહેલું નામ હનુમાન જ છે. આ નામ એટલા માટે પડ્યું કારણ કે, એકવાર કોઇ વાતને લઇને ગુસ્સે થઇને દેવરાજ ઇન્દ્રે તેમના પર વ્રજનો પ્રહાર કર્યો હતો, તે વ્રજ સીધું તેમની દાઢી(હનુ) પર વાગ્યું હતું. હનુ પર વ્રજનો પ્રહાર થવાને કારણે જ તેમનું નામ હનુમાન પડ્યું.

2-અંજનીસૂનુઃ-

માતા અંજનીના પુત્ર હોવાને કારણે જ હનુમાનનું એક નામ અંજનીસૂનુ પણ પ્રસિદ્ઘ છે.

3-વાયુપુત્રઃ-

હનુમાનજીનું એક નામ વાયુપુત્ર પણ છે. પવનદેવના પુત્ર હોવાને કારણે જ તેમને વાયુપુત્ર પણ કહેવામાં આવે છે.

4- મહાબળઃ-

હનુમાનજીના બળની કોઇ સીમા નથી. તેઓ બળવાનોના પણ બળવાન છે. આ માટે તેમનું એક નામ મહાબળ પણ છે.

5-રામેષ્ટઃ-

હનુમાન ભગવાન શ્રીરામના પરમ ભક્ત છે. ધર્મ ગ્રંથોમાં અનેક સ્થાનો પર વર્ણન મળી આવે છે કે, શ્રીરામે હનુમાનને પોતાના પ્રિય જણાવ્યા છે. ભગવાન શ્રીરામને પ્રિય હોવાને કારણ જ તેમનું એક નામ રામેષ્ટ પણ છે.

6- ફાલ્ગુનસુખઃ-

મહાભારત મુજબ પાંડુ પુત્ર અર્જુનનું એક નામ ફાલ્ગુન પણ છે. યુદ્ધના સમયે હનુમાનજી અર્જુનના રથની ધ્વજા પર વિરાજમાન હતા. આ પ્રકારે તેમણે અર્જુનની મદદ કરી હતી. મદદ કરવાને કારણે જ તેમને અર્જુનના મિત્ર માનવામાં આવે છે. ફાલ્ગુન સુખનો અર્થ છે અર્જુનનો મિત્ર.

7- પિંગાક્ષઃ-

પિંગાક્ષનો અર્થ છે વાદળી આંખ ધરાવનાર. અનેક ધર્મ ગ્રંથોમાં હનુમાનનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં હનુમાનજીને વાદળી આંખવાળા કહેવામાં આવે છે. આ માટે તેમનું એક નામ પિંગાક્ષ પણ રાખવામાં આવ્યું છે.

8-અમિતવિક્રમઃ-

વિક્રમનો અર્થ છે ‘પારક્રમી’ અને અમિતનો અર્થ થાય છે ‘ઘણું વધારે’. હનુમાનજીએ પોતાના પરાક્રમના બળ પર એવા ઘણા કાર્ય કર્યા, જેને કરવું દેવતાઓ માટે પણ ઘણું મુશ્કેલ હતું. આ માટે જ તેમને અમિતવિક્રમ પણ કહેવામાં આવે છે.

9- ઉદધિક્રમણઃ-

ઉદધિક્રમણનો અર્થ થાય છે કે, સમુદ્રનું અતિક્રમણ કરનાર એટલે કે, તેને ઓળંગનાર. સીતા માતાની શોધ કરતા સમયે હનુમાનજીએ દરિયાને ઓળંગવો પડ્યો હતો. આ માટે તેમનું એક નામ ઉદધિક્રમણ પણ છે.

10-સીતાશોકવિનાશનઃ-

માતા સીતાના શોકનું નિવારણ કરવાથી તેમનું એક નામ સીતાશોકનિવારણ પણ પડ્યું હતું.

11-લક્ષ્મણપ્રાણદાતાઃ-

જ્યારે રાવણના પુત્ર ઇન્દ્રજીતએ શક્તિનો ઉપયોગ કરીને લક્ષ્મણને બેહોશ કરી દીધો હતો, ત્યારે હનુમાનજીએ સંજીવની બૂટી લઇને આવ્યા હતા. તે જ બૂટીના પ્રભાવથી લક્ષ્મણને હોશમાં લાવવામાં આવ્યા હતા. આ માટે જ હનુમાનજીને લક્ષ્મણપ્રાણદાતા પણ કહેવામાં આવે છે.

12- દશગ્રીવદર્પહાઃ-

દશગ્રીવ એટલે કે રાવણ અને દર્પબા એટલે ઘમંડ તોડનાર. દશગ્રીવદર્પહાનો અર્થ છે કે રાવણનો ઘમંડ તોડનાર. હનુમાનજીએ લંકા જઇને સીતા માતાની શોધ કરી, રાવણના પુત્ર અક્ષયકુમારનો વધ પણ કર્યો. સાથે જ, લંકામાં પણ આગ લગાવી દીધી. આ પ્રકારે હનુમાનજીએ ઘણીવાર રાવણનો ઘમંડ તોડ્યો. આ માટે તેમનું એક નામ દશગ્રીવદર્પહા પણ પ્રસિદ્ધ છે.

એવી સમસ્યા જેનો કોઇ તોડ ન હોય, તો આજે જ કરો આવી હનુમાન પૂજા!

આમ તો હનુમાન ભગવાન રામના નામનો જાપ કરવાથી પ્રસન્ન થઈ જાય છે. તેમ છતાં શાસ્ત્રોમાં તેમની ઉપાસનાની કેટલીક પદ્ધતિઓ બતાવવામાં આવી છે જેનું પાલન કરવાથી હનુમાનજીના દર્શન કરવાની સાથે-સાથે મનચાહ્યું વરદાન પ્રાપ્ત કરી શકાય છે.

1-હનુમાનજી કળયુગમાં પણ સાક્ષાત ભગવાન બતાવ્યા છે. એટલા માટે કહેવાયુ છે કે તેમની પૂજા, ઉપાસના, મંત્ર અને પાઠ કરવાથી અલગ-અલગ ફળ પ્રાપ્ત થાય છે અને કષ્ટ દૂર થાય છે.

2-હનુમાનજીને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય છે હનુમાન ચાલીસાનો પાઠ. એવું માનવામાં આવે છે કે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ભક્તને કોઈ જ બંધક નથી બનાવી શકતું અને તેની ઉપર જેલ જવાની નોબત નથી આવતી. એવી માન્યતા છે કે જેલ જવાની સ્થિતિ પેદા થાય ત્યારે જો દોષી 108 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરે અને એવો સંકલ્પ કરે કે તે ભવિષ્યમાં ક્યારેય ખોટા કામ નહીં કરે, તો હનુમાનજીની કૃપા થતા તેના સંકટો દૂર થાય છે. જેલથી તેને મુક્તિ મળી જાય છે.

3-હનુમાનજીનો એક પાઠ તેના ભક્તોને તેમના દુશ્મનોથી મુક્તિ અપાવે છે અને દુશ્મનોને દંડિત(સજા) કરવામાં પણ મદદ કરે છે. એવું કહેવાય છે કે એકાગ્રચિત થઈને 21 દિવસ સુધી વિધિ-વિધાનથી બજરંગબાણનો પાઠ કરવાથી વ્યક્તિને તેના દુશ્મનોથી મુક્તિ મળે છે અથવા દુશ્મનોને તેના કરેલા ખોટા કામની સજા મળી જાય છે. જો કે બજરંગબલી એવા જ ભક્તોની મદદ કરે છે બુરાઈથી દૂર રહીને સત્યના રસ્તે ચાલે છે.

4-હનુમાનજીની ઉપાસનથી નિરોગી કાયાના આશીર્વાદ મળે છે. તેની માટે સૌથી સટીક પાઠ છે હનુમાન બાહુક નો. વિધાન છે કે શુદ્ધ જળના વાસણની સામે રાખીને 26 અથવા 21(મૂહુર્ત પ્રમાણે) દિવસો સુધી દરરોજ ગળાના રોગ, સંધીવા, સાંધાના દુઃખાવા જેવા રોગોથી મુક્તિ મળી જાય છે. ધ્યાન રાખવું કે શુદ્ધ જળને દરરોજ પાઠ કર્યા પછી પી લો અને રોજ પાત્રમાં શુદ્ધ જળ ભરો.

5- જો આત્મવિશ્વાસ ઘટી રહ્યો હોય, પરિસ્થિતિઓ વિપરીત હોય, કામ ન બની રહ્યું હોય તો એવી વખતે સુંદરકાંડ સૌથી અચૂક ઉપાય છે. એવું માનવામાં આવે છે કે સુંદરકાંડ અધ્યાયથી હનુમાનજીની વિજયગાથા છે તે રીતે પાઠ કરનાર વ્યક્તિ આત્મવિશ્વાસથી ભરાઈ જાય છે.

6-અનેક રોગોને બાળપણથી ભૂતપ્રેત અને અંધારાથી ડર લાગે છે, એવા લોકો માટે હનુમાનજીનો એક મંત્ર ચમત્કારીક પરિવર્તન લાવે છે. હનુમાનજીનો આ મંત્ર છે “हं हनुमंते नम:”। આ મંત્રનો જાપ સૂતા પહેલા કરવો જોઈએ. મંત્ર જાપ પહેલા શરીરને સ્વચ્છ પાણીથી ધોઈ લેવું જોઈએ. આ મંત્રનો નિયમિત જાપ કરવાથી ભય આપમેળે જ દૂર ભાગવા લાગે છે અને વ્યક્તિ નિર્ભક બની જાય છે.

7- ઘરમાં સુખ-શાંતિનો સંચાર કરવા માટે પણ હનુમાનજીનો એક સરળ ઉપાય કરી શકાય છે શનિવાર અને મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરમાં ગોળ-ચણાનો પ્રસાદ ચઢાવો. રોજ ઘરમાં હનુમાન ચાલીસાનોપાઠ કરો. 21 દિવસ પછી મંદિરમાં ચોલા ચઢાવો.

8-હનુમાનજીનો સાબરમંત્ર એક એવો મંત્ર છે જે ભક્તોની પીડાઓને સીધા હનુમાન સુધી પહોંચાડે છે અને તેનું ઝડપથી સમાધાન થઈ જાય છે. ધ્યાન રાખવું કે આ મંત્રનો ઉપયોગ એ જ લોકોએ કરવો જોઈએ જેઓ ખાન-પાનની અશુદ્ધતા અને બુરાઈઓથી પર હોય. હનુમાનજીના શાબર મંત્ર અનેક પ્રકારના છે જે અલગ-અલગ કાર્યો માટે છે. એટલા માટે મંત્ર અને વિધિ-વિધાથી કોઈ જાણકારને પૂછીને જ શરૂ કરવા.

9-જ્યોતિષ પ્રમાણે હનુમાનજીને ઈષ્ટ માનનાર ભક્તોને રોજ તેમની પૂજા-ઉપાસના અને પાઠ કરવો જોઈએ. જો કોઈ કારણસર તેમને સમય ન મળી રહ્યો હોય તો હનુમાનજીનો એક મંત્ર 11 વાર જાપ કરવો જોઈએ. આ મંત્ર છે “ऊं हनुमते नम:”। આ મંત્રના જાપ ન કરવાની કમીને પૂરી કરે છે.

10-રોગોથી બચવા માટે હનુમાનજીનો એક બીજો મંત્ર કારગર માનવામાં આવે છે. આ મંત્ર છે- नासै रोग हरे सब पीरा। जपत निरंतर हनुमत बीरा।।
દિવસે હનુમાનજીના મંદિરમાં ગોળ-ચણાનો પ્રસાદ ચઢાવો. રોજ ઘરમાં હનુમાન ચાલીસાનોપાઠ કરો. 21 દિવસ પછી મંદિરમાં ચોલા ચઢાવો.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ખાસ…આ છે શિવને પ્રસન્ન કરવાની સૌથી સરળ વિધિ અને પંચોપચારની પૂજા…!!!
જાણો…ગ્રહદોષથી મુક્તિ મેળવવી હોય તો આજથી જ શરૂ કરો, શિવના આ રાશિઉપાય..!!
જાણો…અમાસ ના દિવસે, લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ચમત્કારિક ઉપાય…!!

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

ખાસ…સંપૂર્ણ શ્રાવણમાં ભોળાનાથને ચઢાવો આ વસ્તુઓ, દરેક કામના થશે ફળીભૂત…!!!

shivji13

શાસ્ત્રોમાં શિવલિંગના ઘણાં પ્રકાર જણાવવામાં આવ્યાં છે. જો તમે તમારી મનોકામના મુજબ તે શિવલિંગની પૂજા કરશો તો તમારી દરેક મનોકામના જલ્દી જ પૂર્ણ થઇ શકે છે. તો ચાલે આજે અમે તમને આ લેખમાં જણાવીએ કઇ મનોકામના માટે કયા શિવલિંગની પૂજા કરવી જોઇએ.

– ભૂમિ ખરીદવાની મનોકામનાની પૂર્તિ કરવા માટે ફૂલોથી શિવલિંગનું નિર્માણ કરી તેની પૂજા કરવી જોઇએ.

– ખાંડથી શિવલિંગ બનાવીને તેની પૂજા કરવાથી માનસિક તથા પારિવારિક સુખ-શાંતિની પ્રાપ્તિ થાય છે.

– વાંસના અંકુરથી શિવલિંગ બનાવીને તેની પૂજા કરવાથી વંશમાં વૃદ્ધિ થાય છે.

– ચાંદીથી બનેલાં શિવલિંગની પૂજા અને રૂદ્રાભિષેક તેવા લોકોને ફાયદો આપે છે તે આર્થિક રૂપથી પરેશાન હોય છે.

– મુક્તિની ઇચ્છા રાખનાર વ્યક્તિઓએ આંબળાને પીસીને તેના દ્વારા શિવલિંગનું નિર્માણ કરવું જોઇએ. આ શિવલિંગનો રૂદ્રાભિષેક શિવલોકમાં સ્થાન અપાવે છે.

– ધન તથા સુખ સમૃદ્ધિ માટે સોના અથવા પીત્તળના શિવલિંગની પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે.

– પારદથી બનેલાં શિવલિંગની પૂજા કરવાથી ધન, સુખ તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ માટે જો અન્ય પ્રકારના શિવલિંગને બનાવવામાં મુશ્કેલી આવી રહી છે તો તમે પારદના બનેલાં શિવલિંગનો પ્રયોગ કરી શકો છો.

– ઘાસને પીસીને શિવલિંગ બનાવવું અને તેનો રૂદ્રાભિષેક કરશો તો અકાળ મૃત્યુનો ભય દૂર થઇ જાય છે. આ શિવલિંગ આયુષ્યમાં વૃદ્ધિ કરે છે.

– લાલ અને સફેદ આંકડાના ફૂલથી ભગવાન શિવનું પૂજન કરવાથી ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

– ચમેલીના ફૂલથી ભગવાન શિવનું પૂજન કરવાથી વાહન સુખ પ્રાપ્ત થાય છે.

– અળસીના ફૂલોથી શિવનું પૂજન કરવાથી મનુષ્ય ભગવાન વિષ્ણુને પ્રિય બને છે.

– શમીના પાનથી પૂજન કરવા પર મોક્ષની પ્રાપ્તિ થાય છે.

– મોગરાના ફૂલથી પૂજન કરવાથી સુંદર અને સુશીલ પત્ની પ્રાપ્ત થાય છે.

– જો જૂહીના ફૂલથી શિવનું પૂજન કરવામાં આવે તો ઘરમાં ક્યારેય અનાજની કમી આવતી નથી.

– કરેણના ફૂલથી શિવ પૂજન કરવામાં આવે તો નવા વસ્ત્રોની પ્રાપ્તિ થાય છે.

– પારિજાતકના ફૂલોથી પૂજન કરવામાં આવે તો સુખ-સંપત્તીમાં વૃદ્ધિ થાય છે.

– ધતૂરાના ફૂલથી પૂજન કરવામાં આવે તો ભગવાન શંકર સુયોગ્ય પુત્ર પ્રદાન કરે છે, જે આગળ જઇને કુળનું નામ રોશન કરે છે.

– લાલ ડંઠલવાળા(મૂળ અને ડૂંડાની વચ્ચેનો ભાગ) ધતૂરો પૂજામાં શુભ માનવામાં આવે છે.

– દૂર્વાથી પૂજન કરવામાં આવે તો આયુષ્યમાં વૃદ્ધિ થાય છે.

શિવપુરાણ મુજબ જાણો ભગવાન શિવને કયો રસ (પ્રવાહી) અર્પણ કરવાથી તેનું શું ફળ પ્રાપ્ત થાય છેઃ-

– તાવ આવવા પર ભગવાન શિવને જળધારા અર્પણ કરવાથી ઝડપથી લાભ પ્રાપ્ત થાય છે. સુખ અને સંતાનની વૃદ્ધિ માટે પણ જળધારા દ્વારા શિવની પૂજા ઉત્તમ જણાવવામાં આવી છે.

– નપુંસક વ્યક્તિ જો ઘીથી ભગવાન શિવનો અભિષેક કરે, બ્રાહ્મણોને ભોજન કરાવે તથા સોમવારે વ્રત કરે તો તેની સમસ્યાનું નિદાન તરત જ આવી જાય છે.

– તેજ મગજ પ્રાપ્ત કરવા માટે ખાંડ મિક્સ કરેલ દૂધ ભગવાન શિવને અર્પણ કરવું.

– સુગંધિત તેલથી ભગવાન શિવનો અભિષેક કરવાથી સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.

– શિવલિંગ પર શેરડીનો રસ અર્પણ કરવામાં આવે તો દરેક પ્રકારના આનંદની પ્રાપ્તિ થાય છે.

– શિવને ગંગાજળ અર્પણ કરવાથી ભોગ અને મોક્ષ બંન્નેની પ્રાપ્તિ થાય છે.

– મધથી ભગવાન શિવનો અભિષેક કરવાથી ટીબીના રોગમાં આરામ મળે છે.

ભગવાન શિવને પ્રસન્ન કરવાના ઉપાયઃ-

– ભગવાન શિવને ચોખા અર્પણ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે.

– તલ અર્પણ કરવાથી પાપનો નાશ થાય છે.

– જવ અર્પણ કરવાથી સુખમાં વૃદ્ધિ થાય છે.

– ઘઉં અર્પણ કરવાથી સંતાન વૃદ્ધિ થાય છે.

આ બધા જ અનાજ ભગવાનને અર્પણ કર્યા પછી ગરીબોમાં વહેંચવા જોઇએ. આવું કરવાથી શુભફળની પ્રાપ્તિ થાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ખાસ…આ છે શિવને પ્રસન્ન કરવાની સૌથી સરળ વિધિ અને પંચોપચારની પૂજા…!!!
જાણો…ગ્રહદોષથી મુક્તિ મેળવવી હોય તો આજથી જ શરૂ કરો, શિવના આ રાશિઉપાય..!!
જાણો…અમાસ ના દિવસે, લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ચમત્કારિક ઉપાય…!!

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

ખાસ…આ છે શિવને પ્રસન્ન કરવાની સૌથી સરળ વિધિ અને પંચોપચારની પૂજા…!!!

shivji14

શ્રાવણ માસ શિવને અર્પણ છે. જેમાં શિવપૂજન વિશેષ ફળદાયી મનાય છે. આ માસમાં શિવનાં દર્શન અને જળાભિષેક બહુ જ શુભ ગણાય છે. ભક્તોના મનોરથ પુરા કરનારા ભોળાનાથની વિધિવત પૂજાથી તેઓ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા પણ મળે છે. શનિવારે શ્રાવણનો પ્રથમ દિવસ છે જો તમારી પાસે શિવજીની પૂજા કરવાનો વધુ સમય ન હોય તો તમે શિવની સૌથી ઓછા સમયમાં થતી પૂજા કરીને પણ શિવજીની કૃપા પ્રાપ્ત કરી શકો છો. સાથે તમે કેટલીક વિશેષ કામનાઓથી શિવની પૂજા કરવા માગતા હો તો તમે પંચોપચાર પૂજા કરી શકો છો. શ્રાવણ મહિનામાં તો બધાં જ ભોળાનાથને રીઝવવા ઇચ્છતા હોય છે. તમે પણ કરો શિવની આવી પૂજા…

શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ અથવા તો તમારી પાસે સમય ઓછો હોય તો શ્રાવણિયા સોમવારે પ્રાતઃકાળે ઊઠીને સ્નાનાદી કાર્યથી નિવૃત્ત થઈને ત્રિદલવાળાં સુંદર, સાફ, ક્યાંયથી કપાયેલાં ન હોય તેવાં કોમળ બિલ્વપત્ર પાંચ, સાત, નવ વગેરે સંખ્યામાં લો. અક્ષત એટલે કે ચોખાના દાણા લો. સુંદર સાફ લોટા કે કોઈ પાત્રમાં જળ, જો શક્ય હોય તો ગંગાજળ લો. દૂધ લો. ત્યારબાદ પોતાના સામર્થ્ય અનુસાર ગંધ, ધૂપ- અગરબત્તી, ચંદન વગેરે લો.

આ બધો સામાન સ્વચ્છ પાત્રમાં એકત્રિત કરીને શિવમંદિરમાં જાઓ. જો શિવ મંદિર ન હોય તો બિલ્વના વૃક્ષ પાસે જાઓ. શિવલિંગને સ્વચ્છ જળ અને દૂધથી સ્નાન કરાવો, ત્યારબાદ તેના પર અક્ષત ચઢાવો, પુષ્પ ચઢાવો, હવે હળદર-ચંદન વડે શિવલિંગ પર લેપ કરો. ત્યારબાદ ભગવાનને ધૂપ અર્પણ કરો અને ‘ॐ નમઃ શિવાય’ મંત્ર બોલતાં-બોલતાં બિલ્વપત્ર ચઢાવો. ત્યારબાદ હાથ જોડી શિવજીને પોતાની મનોકામના જણાવો. સૌથી છેલ્લે પોતાનાં પાપોની ક્ષમાયાચના માગો.

પંચોપચારની સરળ પૂજા વિધિઃ-

જો શ્રાવણ માસમાં શિવપૂજાને આ સરળ વિધિથી કરવામાં આવે તો આ તેનું વિશેષ ફળ મળે છે. વિશેષ ફળ આપનારી આ પૂજા પંચોપચાર પૂજાના નામે ઓળખાય છે. પંચોપચાર પૂજા એટલે પાંચ રીતોથી કે સામ્રગીઓથી પૂજા કરવી તે, આ પૂજાની સાથે પાણી અર્પણ કરવાથી મનોરથપુર્તિ માટે આ પૂજા બહુ શુભ માનવામાં આવે છે.

જાણો શિવ પૂજાની આ સરળ વિધિ અને શિવને જળ અર્પણ કરતી વખતે બોલનારાં કેટલાક વિશેષ મંત્ર –

– સવારે નિત્ય કર્મ અને સ્નાન કરી પવિત્ર થઇ જાઓ.

– શિવ ઉપાસના માટે સફેદ વસ્ત્ર ધારણ કરો

– પંચોપચાર પૂજામાં ચંદન, ગંધ, ફૂલ, નૈવેધ અને ધુપ, દીવાથી આરતીનું વિધાન છે. તેની સાથે શિવને જળ અને બિલીપત્ર પણ અર્પણ કરો.

– શિવ પૂજાનો વિશેષ કાળમાં પૂજાની શરૂઆત ગાયનાં દુધથી દુગ્ધાભિષેક કરો.

– તેનાં પછી આ ક્રમ પ્રમાણે ગંધ કે ગુલાલ, સફેદ ફૂલ કે બિલીપત્ર ચઢાવતાં પંચાક્ષરી મંત્ર नम: शिवाय કે ષડાક્ષરી મંત્ર ॐ नम: शिवाय કે નીચે લખેલાં સરળ મંત્ર બોલો.

-ॐ महेश्वराय नम:
-ॐ शंकराय नम:
-ॐ विष्णुवल्लभाय नम:

– ભગવાનને નૈવેધમાં ફળ તથા દુધથી બનેલી મીઠાઇ ખવડાવો.

– પૂજાનાં બાદ ધુપ,દીવો, કપુરથી શિવની આરતી કરો.

– અંતમાં ત્રુટિઓ માટે ક્ષમા અને ઇચ્છાપુર્તિની કામના કરો.

શિવની સત્તામાં વિશ્વાસ કરનાર શૈવ ગ્રંથોમાં ભગવાન શિવ સૃષ્ટિની રચના, પાલન અને વિનાશક શક્તિઓના સ્વામી છે. આ કારણે જ શિવ આરાધના કોઈ પણ સમયે, કાળ કે યુગમાં સાંસારિક બાધાઓને દૂર કરનાર માનવામાં આવે છે. પરંતુ શ્રાવણ મહિનો તેની તિથિઓ કે સોમવારે શિવ ભક્તિ ઝડપથી સિદ્ધિની દ્રષ્ટિએ બાકી મહિનાઓ તથા તિથિઓ સાથે તુલનાત્મક રીતે શ્રેષ્ઠ માનવામાં આવી છે. તેની પાછળ ધર્મગ્રંથોમાં બતાવેલ ખાસ પૌરાણિક માન્યતાઓ છે…

એક પૌરાણિક માન્યતા પ્રમાણે મરકંડૂ ઋષિના પુત્ર મારકન્ડેયની લાંબી આયુની માટે શ્રાવણ મહિનામાં જ ઘોર તપ કરી શિવ કૃપા પ્રાપ્ત કરી, દેનાથી મળેલ મંત્ર શક્તિઓની સામે મૃત્યુના દેવતા યમરાજ પણ નતમસ્તક થયા. આ પ્રકારે બીજી માન્યતા છે-અમરનાથ ગુફામાં ભગવાન શંકર દ્વારા માતા પાર્વતીની સામે અમરત્વનું રહસ્ય ઉજાગર કરવું. જે પ્રમાણે અમરત્વની ગૂફામાં જ્યારે ભગવાન શંકર અમરત્વની કથા સાંભળવા લાગ્યા તો આ દરમિયાન માતા પાર્વતીને થોડો સમય ઊંઘ આવી ગઈ. પરંતુ તે સમયે તેમની કહાની ત્યાં ઉપસ્થિત શુક અર્થાત પોપટે સાંભળી. જેનાથી તે શુક અમરત્વને પ્રાપ્ત થયો. ત્યારે ગોપનિયતા ભંગ થવાથી ભગવાન શંકરના કોપથી બચીને ભાગેલા આ શુક પાછળથી શુકદેવજીના રૂપમાં જન્મ લીધો. જેમણે નૈમિષારણ્ય ક્ષેત્રમાં આ અમર કથા ભક્તોને સંભળાવી. માન્યતા છે કે આ સ્થાને જ ભગવાન શંકરે બ્રહ્મા અને વિષ્ણુની સામે સૃષ્ટિ ચક્રના રક્ષણ અને જગત કલ્યાણ માટે શ્રાપ આપ્યો કે આવનાર યુગોમાં આ કથા અમરકથાને સાંભળનાર અમર થઈ જશે. પરંતુ આ કથાને સાંભળીને દરેક ભક્ત પૂર્વ જન્મ અને વર્તમાનમાં કરેલા પાપ અને દોષોથી મુક્ત થઈ શિવલોકને પ્રાપ્ત થશે. વિશેષ કરીને શ્રાવણ મહિનામાં આ અમર કથાનો પાઠ અને શ્રવણ જનમ-જનમના બંધન મક્ત કરી દેશે. આવા પૌરાણિક મહત્વથી જ શ્રાવણ મહિનામાં શિવ આરાધનાને શુભ અને ઝડપી ફળદાયી માનવામાં આવે છે. જેમાં શિવપૂજા, અભિષેક, શિવ સ્તુતિ, મંત્રજાપ, શિવ કથાને વાંચવી-સાંભળવી તે સાંસારિક કલેશ, અશાંતિ અને સંટકોથી રક્ષણ કરે છે. શ્રાવણ મહિનામાં શિવ ઉપાસના ગ્રહ શાંતિ દોષ અને પીડાનો અંત કરનારી પણ માનવામાં આવી છે.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

જાણો…ભૂલથી પણ ન ચાવવા જોઈએ તુલસીના પાન, ધ્યાન રાખો આ 10 વાતો..!!

tulsi5

આપણે ત્યાં પ્રાચીન પરંપરા છે ઘરમાં એક તુલસીનો છોડ તો હોવો જ જોઈએ. શાસ્ત્રોમાં તુલસીને પૂજનીય, પવિત્ર અને દેવીનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. જો તમારા ઘરમાં પણ તુલસી હોય તો અહીં બતાવવામાં આવી રહી આ 10 વાતો કાયમ ધ્યાનમાં રાખવી જોઈએ. જો આ વાતોનું ધ્યાન રાખવામાં ન આવે તો બધા જ દેવી-દેવતાઓની વિશેષ કૃપા આપણાં ઘર પર બની રહે છે. ઘરમાં હકારાત્મક ઉર્જા અને સુખદ વાતાવરણ રહે છે. પૈસાનો ક્યારેય અભાવ આવતો નથી અને પરિવારના સભ્યોને સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. અહીં જાણીએ શાસ્ત્રો મુજબ તાવેલી તુલસીની ખાસ વાતો…

1. તુલસીના પાન ચાવવા ન જોઈએ

તુલસીનું સેવન કરતી વખતે ધ્યાન રાખો કે આ પાનને ચાવવું નહીં, પણ તેને ગળી જવા જોઈએ. આ રીતે તુલસીનું સેવન કરવાથી અનેક રોગોમાં લાભ મળે છે. તુલસીના પાનમાં પારા ધાતુના તત્વો મોજુદ હોય છે. તુલસીના પાન ચાવવાથી આ ધાતુ દાંત ઉપર લાગે છે જે દાંત માટે લાભદાયક નથી એટલે તુલસીના પાનને ચાવવા ન જોઈએ પણ ગળી જવા જોઈએ.

2. શિવલિંગ પર તુલસી ન ચડાવવી જોઈએ

શિવપુરાણ મુજબ શિવલિંગ પર તુલસીના પાન અર્પણ ન કરવા જોઈએ. આ સંબંધમાં એક કથા જણાવવામાં આવી છે. આ કથા મુજબ પ્રાચીન કાળમાં દૈત્યોના રાજા શંખચૂડની પત્નીનું નામ તુલસી હતું. તુલસીના પતિવ્રત ધર્મની શક્તિને કારણે દેવતા પણ શંખચૂડને હરાવવામાં અક્ષમ હતાં. ત્યારે ભગવાન વિષ્ણુએ કપટથી તુલસીનું પતિવ્રત ભંગ કરી દીધું. તેના પછી શિવજીએ શંખચૂડનો વધ કરી દીધો.

જ્યારે આ વાતની તુલસીને જાણ થઈ ત્યારે તેણે ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપ્યો. ભગવાન વિષ્ણુએ તુલસીનો આ શ્રાપ સ્વીકારી લીધો અને કહ્યું કે તું ધરતી પર ગંડકી નદી તથા તુલસીના છોડના રૂપમાં કાયમ રહીશ. તેના પછી જ મોટાભાગના પૂજન કાર્યોમાં તુલસીનો ઉપયોગ વિશેષ રૂપથી કરવામાં આવે છે. પરંતુ શંખચૂડની પત્ની હોવાને લીધે તુલસી શિવલિંગ પર ચડાવવામાં નથી આવતી.

3. ક્યારે ન તોડવા જોઈએ તુલસીના પાન

શાસ્ત્રોમાં જણાવ્યાં મુજબ તુલસીના પાન કેટલાક ચોક્કસ દિવસોમાં ન તોડવા જોઇએ. આ દિવસ છે-અગિયારસ, રવિવાર અને સૂર્ય અથવા ચંદ્ર ગ્રહણ. આ દિવસોમાં તથા રાતના સમયે તુલસીના પાન ન તોડવા જોઈએ. આવું કરવા પર આપણને દોષ લાગે છે. બિનજરૂરી રીતે તુલસીના પાન તોડવા, તુલસીને નષ્ટ કરવા સમાન માનવામાં આવે છે.

4. દરરોજ કરો તુલસીનું પૂજન

દરરોજ તુલસી પૂજન કરવું જોઈએ. સાથે જ, તુલસીના સંબંધમાં અહીં બતાવેલી તમામ વાતોનું પણ ઘ્યાન રાખવું જોઈએ. દરરોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવો જોઈએ. એવી માન્યતા છે કે, જે લોકો સાંજના સમયમાં તુલસી પાસે દીવો પ્રગટાવે છે, તેમના ઘરમાં મહાલક્ષ્મીની કૃપા કાયમ બની રહે છે.

5. તુલસીથી દૂર થાય છે વાસ્તુ દોષ

ઘર-આંગણાંમાં તુલસી હોવાથી કેટલાય પ્રકારના વાસ્તુ દોષ પણ નષ્ટ થઈ જાય છે. તેમજ પરિવારની આર્થિક સ્થિતિ પર તેની શુભ અસર થાય છે.

6. તુલસીનો છોડ ઘરમાં હોય તો નથી લાગતી નજર

એવી માન્યતા છે કે ઘરમાં તુલસીનો છોડ હોય તો કોઈ પણ સભ્યને ખરાબ નજર નથી લાગતી. સાથે જ, ઘરની આજુબાજુ કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા ઉત્પન્ન નથી થતી અને હકારાત્મક ઉર્જામાં વધારો થાય છે.

7. તુલસીથી વાતાવરણ થાય છે પવિત્ર

તુલસીથી ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે પવિત્ર અને હાનિકારક સૂક્ષ્મ કીટાણુંઓથી મુક્ત રહે છે. આ જ પવિત્રતાને લીધે ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને સુખ-સમૃદ્ધિ બની રહે છે.

8. તુલસીનો સુકાઈ ગયેલો છોડ ઘરમાં ન રાખવો

જો ઘરમાં લાગેલો તુલસીનો છોડ સુકાઈ જાય છે તો તેને કોઈ પવિત્ર નદીમાં, તળાવમાં અથવા કુઆંમાં પ્રવાહિત કરી દેવો જોઈએ. તુલસીનો સુકાઈ ગયેલો છોડ ઘરમાં રાખવો અશુભ માનવામાં આવે છે. એક છોડ સુકાઈ ગયા પછી તરત જ બીજા છોડ લગાવી દેવો જોઈએ. ઘરમાં કાયમ સ્વસ્થ તુલસીનો છોડ જ લગાવવો જોઈએ.

9. તુલસી છે ઔષધિ

આયુર્વેદમાં તુલસીને સંજીવની બુટિ સમાન માનવામાં આવે છે. તુલસીના કેટલાય એવા ગુણ હોય છે જે ઘણી બધી બીમારીઓને દૂર કરવામાં અને તેને અટકાવવામાં મદદરૂપ સાબિત થાય છે. તુલસીનો છોડ ઘરમાં રહેવાથી તેની ખુશ્બૂ હવામાં મોજુદ બીમારી ફેલાવનારા કેટલાય સૂક્ષ્મ કીટાણુંઓને નષ્ટ કરે છે.

10. દરરોજ તુલસીના એક પાનનું સેવન કરવું જોઈએ

તુલસીની ખુશ્બૂથી શ્વાંસ સંબંધિત કેટલાય રોગોમાં લાભ મળે છે. સાથે જ તુલસીના એક પાનનું દરરોજ સેવન કરવાથી આપણે સામાન્ય તાવથી બચી શકે છીએ. મોસમ પરિવર્તનના સમયમાં થવાવાળી બીમારીઓથી પણ બચી શકાય છે. તેનાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે, પરંતુ આપણે નિયમિતપણે તુલસીનું સેવન કરતા રહેવું જોઈએ.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

વૈજ્ઞાનિકોએ માન્યું, ગાયત્રીમંત્ર અનેક શારીરિક, માનસિક રોગમાં આપે છે લાભ..!!

gaaytrimaa5
મંત્રથી વિવિધ શારીરિક અને માનસિક રોગોમાં લાભ મળે છે. આ વાત હવે નિષ્ણાતો પણ માનવા લાગ્યા છે કે મનુષ્યના શરીરની સાથે-સાથે તે સમગ્ર સૃષ્ટિ પણ વૈદિક સ્પંદનો દ્વારા નિર્માણ પામેલી છે. શરીરમાં જ્યારે પણ વાયુ-પિત્ત-કફ ત્રિદોષમાં વિષમતાથી વિકાર પેદા થાય ત્યારે મંત્ર ચિકિત્સા દ્વારા તેનો સફળતાપૂર્વક ઉપચાર કરવો શક્ય છે.

અમેરિકાના ઓહિયો યુનિવર્સિટીના સંશોધકોના રિસર્ચમાં કેન્સરયુક્ત ફેફસા, આંતરડા, મસ્તિષ્ક, સ્તન, ત્વચા અને ફાઈબ્રોઈડ બ્લાસ્ટની લાઈનિંગ્સ ઉપર સામવેદના મંત્રો અને હનુમાન ચાલીસાના પાઠની અસર હેઠળ પારખવામાં આવ્યા તો કેન્સરની કોશિકાઓની બનાવટમાં ભારે ખોટ જોવા મળી. તેનાથી વિપરિત તેજ ગતિવાળા પાશ્ચાત્ય અને તેજ ધ્વનિવાળા રોક મ્યુઝિકથી કેન્સરની કોશિકાઓમાં તેજીથી વધારો થતો જોવા મળ્યો.

મંત્ર ચિકિત્સાથી લગભગ 50 રોગોના પાંચ હજાર દર્દીઓ ઉપર કરવામાં આવેલ ક્લિનિકલ પરીક્ષણો પ્રમાણે દમ, અસ્થમાના રોગમાં 70 ટકા, સ્ત્રી રોગમાં 65 ટકા, ત્વચા તથા ચિંતા સંબંધી રોગોમાં 60 ટકા. હાઈ બ્લડપ્રેશર, હાયપર ટેન્શનના પીડિતોમાં 55 ટકા, આર્થરાઈટિઝમાં 51 ટકા, ડિસ્ક(કરોડરજ્જૂના મણકાની વચ્ચેની ગાદી) સંબંધી સમસ્યાઓમાં 41 ટકા, આંખોના રોગોમાં 41 ટકા તથા એલર્જીની વિવિધ અવસ્થાઓમાં 40 ટકા લાભ થયો. ચોક્કસપણે મંત્ર ચિકિત્સા એ લોકો માટે વરદાન જ છે જે જૂના અને લાંબા સમયથી રોગોથી ગ્રસ્ત છે.

ગાયત્રી મંત્રનું વૈજ્ઞાનિક પરીક્ષણ અને તેની શરીર ઉપર કેવી અસર થાય છેઃ-

કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ ગાયત્રી મંત્રનો પાઠ કરે છે તો અનેક પ્રકારની સંવેદનાઓ આ મંત્ર સાથે થતી હોઈ તેના સ્પંદનો વ્યક્તિના મસ્તિષ્કને પ્રભાવિત કરે છે. જર્મન વૈજ્ઞાનિક કહે છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાના મુખથી કંઈ બોલે તો તેના બોલવામાં અવાજના જે સ્પંદન અને કંપન થાય છે. તે 175 પ્રકારના હોય છે. જ્યારે કોઈ કોયલ પંચમ સ્વરમાં ગાય છે. તો તેના અવાજમાં 500 પ્રકારના પ્રકંપન થાય છે પરંતુ જર્મન વૈજ્ઞાનિક એ પણ કહે છે કે દક્ષિણ ભારતના વિદ્વાનો પાસે વિધિપૂર્વક ગાયત્રી મંત્રનો પાઠ કરાવવામાં આવ્યો, તો યંત્રોના માધ્યમથી એ જ્ઞાત થયું કે ગાયત્રી મંત્રનો પાઠ કરવાથી સંપૂર્ણ સ્પંદનના જે અનુભવ થયા તે 700 પ્રકારના હતા.

જર્મન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ પાઠ ન પણ કરે, માત્ર પાઠ સાંભળે તો પણ તેના શરીર ઉપર તેનો પ્રભાવ પડે છે. તેમને મનુષ્યની આકારનું નાનકડું યંત્ર બનાવ્યું અને તે આકૃતિમાં અનેક જગ્યાએ નાની-નાની લાઈટ લગાવવામાં આવી. લાઈટ લગાવ્યા પછી યંત્રની આગળ લખ્યું કે અહીં ઊભા રહીને કોઈ માણસ કોઈપણ પ્રકારનો અવાજ કાઢે તો તે અવાજના હિસાબે લાઈટ મનુષ્યની આકૃતિમાં સળગતી નજર આવશે, પરંતુ જો કોઈ તેની આગળ જઈને ગાયત્રી મંત્ર બોલી દે તો તેની પગથી લઈને માથા સુધી બધી જ લાઈટો એકીસાથે સળગી ઊઠે છે. દુનિયાભરના મંત્ર અને કોઈપણ પ્રકારના અવાજો કાઠવાથી આ યંત્રની બધી લાઈટો નથી સળગતી. એકમાત્ર ગાયત્રી મંત્ર બોલવાથી બધી જ લાઈટો સળગવા માડે છે, કારણ કે તેની અંદરના વાઈબ્રેશન છે, તે અદભૂત છે.

જ્યારે પણ બોલો ગાયત્રી મંત્ર તો આ નિયમ જરૂર ધ્યાન રાખોઃ-

હિન્દુ ધર્મગ્રંથો પ્રમાણે ગાયત્રી મંત્ર દ્વારા જગતની આત્મા માનવામાં આવતા સાક્ષાત દેવતા સૂર્યની ઉપાસના નિરોગી જીવનની સાથે-સાથે યશ, પ્રસિદ્ધિ, ધન અને ઐશ્વર્ય આપનારી હોય છે, પરંતુ તેની માટે ગાયત્રી મંત્રની સાધના વિધિ વિધાન અને મન, વચન, કર્મની પવિત્રતાની સાથે જરૂરી માનવામાં આવે છે.

વેદમાતા ગાયત્રીની ઉપાસના 24 દેવીશક્તિઓની ભક્તિનું ફળ તથા કૃપા આપનાર બતાવવામાં આવી છે. તેનાથી સાંસારિક જીવનમાં સુખ, સફળતા અને શાંતિની ઈચ્છા પૂરી થાય છે. ખાસ કરીને દરરોજ સવારે સૂર્યોદય કે બ્રહ્મમૂહુર્તમાં ગાયત્રી મંત્રનો જાપ એવી જ કામનાઓને પૂરી કરવામાં ખૂબ જ શુભ અને અસરદાર માનવામાં આવે છે.

-ગાયત્રી મંત્ર જાપ કોઈ ગુરુના માર્ગદર્શનમાં જ કરવો જોઈએ.

-ગાયત્રી મંત્ર જાપ માટે સવારનો સમય શ્રેષ્ઠ હોય છે, પરંતુ તે સાંજે પણ કરી શકાય છે.

-ગાયત્રી મંત્ર માટે સ્નાનની સાથે જ મન અને આચરણ પવિત્ર રાખો, પરંતુ સ્વાસ્થ સારું ન હોય કે કોઈ કારણથી સ્નાન કરવાનું શક્ય ન હોય તો કોઈ ભીના કપડાથી શરીર લૂછી લો.

-સાફ અને સ્વસ્છ વસ્ત્ર પહેરો.

-કુશ કે ચટાઈનું આસન પાથરો. પશુની ખાલનો નિષેધ છે.

-તુલસી કે ચંદનની માળાનો પ્રયોગ કરવો જોઈએ.

-બ્રહ્મમૂહુર્તમાં અર્થાત્ સવાર થવાના લગભગ 2 કલાક પહેલા પૂર્વ દિશા તરફ મુખ કરીને ગાયત્રી મંત્ર જાપ કરો. સાંજના સમયે સૂર્યાસ્ત પહેલા એક કલાકની અંદર જ જાપ પૂજા કરી દો. સાંજે પશ્ચિમ દિશામાં મુખ કરીને જાપ કરો.

-આ મંત્રનો માનસિક જાપ કોઈપણ સમયે કરી શકાય છે.

-શૌચ કે કોઈ આકસ્મિક કામને લીધે જાપમાં બાધા ઉત્પન્ન થઈ હોય તો હાથ-પગ ધોઈને ફરીથી જાપ કરો. બાકી મંત્ર જાપની સંખ્યાને થોડી-થોડી પૂરી કરો. સાથે જ એકથી વધુ માળા કરી જાપ બાધા દોષનું શમન કરો.

-ગાયત્રી મંત્ર જાપ કરનારને ખાન-પાન શુદ્ધ ને પવિત્ર હોવું જોઈએ. પરંતુ જે લોકોનું સાત્વિક ખાન-પાન નથી, તે પણ ગાયત્રી મંત્રનો જાપ કરી શકે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે આ મંત્રની અસરથી એવો વ્યક્તિ પણ શુદ્ધ અને સદગુણી બની જાય છે.

ગાયત્રી મંત્રનો મહિમા અને મહત્વ-

જોગુણી આત્મબળ વધવાથી મનુષ્યની ગુપ્ત શક્તિઓ જાગૃત થાય છે. જે સાંસારિક જીવનના સંઘર્ષમાં અનુકૂળ પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે. ઉત્સાહ, સાહસ, સ્ફૂર્તિ, ચેતના, આશા, દૂરદર્શિતા, તીવ્ર બુદ્ધિ, તકની ઓળખ, વાણીમાં માધુર્ય, વ્યક્તિત્વમાં આકર્ષણ, સ્વભાવમાં સારાપણું જેવી અનેક વિશેષતાઓ વિકસિત થાય છે. આ પ્રકારના ગુણો વિકસાવવાથી સામાન્ય વ્યક્તિ પણ ધનિક અને સમૃદ્ધિવાળો બની જાય છે. ગાયત્રી મંત્રમાં એવી તાકાત છે કે તેના સાધકને તે ગમે તેવી સ્થિતિમાં બેઠો કરી શકે છે. જેઓ વેદમાતાનું શરણ સ્વીકારે છે તેમના જીવનમાં સત્વ, ગુણ, વિવેક, સદ્ વિચાર અને સત્કાર્યો પ્રત્યે અસાધારણ રુચિ ઉત્પન્ન થાય છે. તે આત્મજાગૃત્ત, લૌકિક અને પર લૌકિક, સાંસારિક અને આત્મિક સર્વ પ્રકારની સફળતાઓ અપાવનાર છે.

શબ્દસઃ ગાયત્રી મંત્રનો અર્થ

ऊँ भू: भुव:स्व: तत् सवितु वरेण्यं भर्ग: देवस्य धियो यो न: प्रचोदयात्।

સૂક્ષ્મ અર્થ

ऊँ – ઇશ્વર
भू: – પ્રાણ સ્વરૂપ
भुव: – દુ:ખનાશક
स्व: – સુખ સ્વરૂપ
तत् – ઉસ
सवितु: – તેજસ્વી
वरेण्यं – શ્રેષ્ઠ
भर्ग: – પાપનાશક
देवस्य – દિવ્ય
धीमहि – ધારણ કરો
धियो – બુદ્ધિ
यो – જો
न: – આપણી
प्रचोदयात् – પ્રેરિત કરો

આ દરેક અક્ષરને જોડવાથી બને છે આ મંત્ર – તે પ્રાણ સ્વરૂપ, દુઃખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવસ્વરૂપ પરમાત્માને અમે અન્તરાત્મામાં ધારણ કરીએ છીએ. ઇશ્વર અમારી બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરે.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

રોજ બોલો આ વિષ્ણુમંત્ર, થશે ગ્રહદોષ શાંતિ અને મળશે અઢળક લક્ષ્મી લાભ.

vishnuji1

ભગવાન વિષ્ણુ લક્ષ્મીપતિ અને શ્રીપતિ પણ કહેવામાં આવે છે. બધા મંગળના સ્વામી ઐશ્વર્ય સંપન્ન અને શાંતિસ્વરૂપ દેવતા હોવાને લીધે ભગવાન વિષ્ણુની ભક્તિ જગત માટે કલ્યાણકારી છે. ખાસ કરીને ધાર્મિક માન્યતા છે કે વિષ્ણુની પ્રસન્નતાથી દેવી લક્ષ્મી કૃપા વરસવા લાગે છે.

રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!

આ કારણ છે કે દેવી ઉપાસનાનો વિશેષ દિવસો ગુરુવારે ભગવાન વિષ્ણુની ઉપાસનાનું મહત્વ છે તથા શુક્રવારે તેમના પત્ની મહાલક્ષ્મીની પૂજાનું ખાસ મહત્વ હોય છે. આ ક્રમમાં વિશેષ વિષ્ણુમંત્ર સુખ-સમૃદ્ધિ અને ઐશ્વર્ય મેળવવાની કામના ઝડપથી પૂરી કરનાર માનવામાં આવે છે. એટલું જ નહીં આ પ્રભાવી વિષ્ણુમંત્રના સ્મરણથી રોગમુક્તિ અને બધા ગ્રહદોષોની શાંતિ પણ થાય છે.

જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!

-સવારે સ્નાન પછી દેવાલયમાં ભગવાન વિષ્ણુની મૂર્તિને ગંગા સ્નાન કરાવી સુંદર પોષાક અને આભૂષણ પહેરાવો. ભગવાન વિષ્ણુને કેસર ચંદન, પીળા સુગંધિત ફૂલ, પીતંબરી રેશમી વસ્ત્ર, યજ્ઞોપવિત અર્પિત કરો. નૈવધ, ધૂપ અને દીવ પ્રગટાવી નીચે લખેલ વિષ્ણુ મંત્રનો ઓછામાં ઓછો 108 વાર પીળા આસન ઉપર બેસી સુખ-શાંતિ, સમૃદ્ધિની કામનાથી સ્મરણ કરો.

ऊँ श्रीं ह्रीं श्रीधराय विष्णवे नम:।

-ભગવાન વિષ્ણુના આ મંત્ર જાપ પછી વિષ્ણુની આરતી કરી તેમને સ્નાન કરાવો, જળનું ચરણામૃતના રૂપમાં ગ્રહણ કરો.

રાત્રે આ વિષ્ણુમંત્ર બોલો, મળશે ભરપૂર સુખ-શાંતિ-

હિન્દુ ધર્મશાસ્ત્રોમાં ધાર્મિક પરંપરાઓ દ્વારા બતાવવામાં આવેલ જીવવાની પદ્ધતિઓને મનની બધી બેચેની, ભય અને ચિંતાને દૂર કરી શાંતિ ભરેલા જીવનની રાહ આસાન બનાવે છે. સુખ અને શાંતિથી જ જીવવું હોય તો ચેનથી ઊંઘવું પણ જરૂરી છે. પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે કલેશ અને અશાંતિ દૂર હોય.

જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?

જેની માટે વ્યાવહારિક રીતે તો છલ, કપટ, દોષપૂર્ણ આચરણથી દૂર રહેવું જરૂરી છે, પરંતુ ધાર્મિક ઉપાયોમાં એક આસાન રીત છે. રાત્રે સૂતી વખતે દેવ સ્મરણ કરવું. જેની માટે મંત્ર વિશેષ સ્મરણનું મોટું મહત્વ છે.

ખાસ કરીને રોજ શાંત, સૌમ્ય અને આનંદ સ્વરૂપ ભગવાન વિષ્ણુની રાતમાં વિશેષ મંત્રથી સ્મરણ કરીને સૂવાથી દિવસભર શારીરિક અને માનસિક તણાવોને દૂર કરી શાંતિ આપે છે. આ ઉપાય ચેનની ઊંઘ અને શાંતિ માટે દરરોજ કરવાનું શુભ માનવામાં આવ્યું છે. જાણો આ વિશેષ વિષ્ણુ શયન મંત્રઃ-

अच्युतं केशवं विष्णुं हरिं सोमं जनार्दनम्।

हसं नारायणं कृष्णं जपते दु:स्वप्रशान्तये।।

આ વિષ્ણુ મંત્રો અપાવશે ભરપુર ધનલાભ

હિન્દુ માન્યતા અનુસાર ગૃહસ્થ વ્યકિત જગતપાલક વિષ્ણુની ઉપાસના સુખ, શાંતિ, સમૃધ્ધિ આપી કલેશ-કંકાસ દૂર કરનારી હોય છે. આ ઉપરાંત કેટલાક વિશેષ વિષ્ણુ મંત્રો પરિવારની સુખ, શાંતિ અને સમૃધ્ધિ માટે મંગલકારી મનાય છે. કોઈ કારણોસર ભગવાન વિષ્ણુની ઉપાસના ન થઈ શકે તો અહીં જણાવેલ વિષ્ણુ મંત્રોના જાપ કરવાથી વિષ્ણુપ્રિયા લક્ષ્મીની કૃપાથી ભરપુર ધન લાભ મેળવી શકાય છે.

હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!

સવારે અને સાંજે સ્નાન કર્યા બાદ દેવ મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિને જળ સ્નાન, પંચામૃત (દૂધ, દહી, ખાંડ, મધ, ઘી)થી સ્નાન કરાવો. સ્નાન કરાવ્યા બાદ ખાસ કરીને પીળા રંગની પૂજા સામ્રગી અર્પિત કરો કારણ કે ભગવાન વિષ્ણુને પીળો રંગ પસંદ છે.

જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!

સામ્રગીમાં કેસરી ચંદન,પીળા ફુલો,પીળા વસ્ત્રો,પીળા ફળ, પીળો પકવાન ધરાવો તથા ચંદન ધૂપ પ્રગટાવી નીચે લખેલા મંત્રોનો જાપ કરો.તુલસી કે ચંદનની માળાથી 108 જાપ કરો અને છેલ્લે દીપ પ્રગટાવી આરતી કરો આ પૂજા વિધીથી પરિવાર આનંદ મંગલ રહે છે.

(1) पद्मनाभोरविन्दाक्ष: पद्मगर्भ: शरीरभूत्।
महद्र्धिर्ऋद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वज:।।
अतुल: शरभो भीम: समयज्ञो हविर्हरि:।
सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जय:।।

(2) ऊँ नारायणाय विद्महे। वासुदेवाय धीमहि।
तन्नो विष्णु प्रचोदयात्।।

(3) अच्युतं केशवं विष्णुं हरिं सोमं जनार्दनम्।
हसं नारायणं कृष्णं जपते दु:स्वप्रशान्तये।।

(4) ऊँ पुरुषोत्तमाय नम:

(5) ऊँ नमो नारायणाय नम:

(6) ऊँ नमो भगवते वासुदेवाय

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

જીવનમાં આ 20 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા..!!

જીવનમાં અપાર ધનસંપતિના આગમન માટે મહાલક્ષ્મીજીનું ચમત્કારીક કનાકધારા સ્તોત્ર શાસ્ત્રોક્ત રીતે દરરોજ સવારે જોરથી વાંચો.
કાળા મરીના 5 દાણાનો ચમત્કારી ઉપાય કરો, ઝડપથી મેળવશો ધન લાભ
કોઈને બતાવ્યા વિના કરો 7 ચમત્કારી ઉપાય, પૈસાની તંગી ઝડપથી થશે દૂર
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી

સાવધાન: શાસ્ત્રોમાં કહ્યું છે નાના-મોટા સૌએ આ 10 ખરાબ આદતો છોડવી જ જોઈએ…!!!

TV1

આદતો કે ટોવોનો સંબંધ આપણા ભવિષ્ય અને આપણને પ્રાપ્ત થતા સુખ-દુઃખ સાથે પણ છે. આપણી ટેવો દ્વારા કોઈપણ વ્યક્તિ આસાનીથી જાણી શકે છે કે આપણી વિચારસરણી કેવી છે અને આપણો સ્વભાવ કેવો છે. એટલા માટે આદતોને વ્યક્તિત્વનો દર્પણ પણ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં કેટલીક આદતો એવી બતાવવામાં આવી છે જે ખોટી છે અને અશુભ ફળ પ્રદાન કરે છે. અહીં જાણો 10 ખોટી આદતો, જેને નાના-મોટા સૌથી છોડી દેવી જોઈએ.

ભોજન પછી થાળી એઠી છોડી દેવીઃ-

ભોજન કર્યા પછી એઠી થાળી છોડીને ઊઠી જવું તે સારી આદત નથી હોતી. આ આદતને લીધે કાર્યોમાં સ્થાયી સફળતા પ્રાપ્ત થતી નથી. વધુ મહેનત કર્યા પછી પણ સંતોષજનક ફળ પ્રાપ્ત થઈ શકતું નથી. ભોજન લીધા પછી એઠવાડા વાસણોને યોગ્ય સ્થાને જ રાખી દેવામાં આવે તો શનિ અને ચંદ્રના દોષો દૂર થાય છે. સાથે જ લક્ષ્મીની પ્રસન્નતા પણ મળે છે.

બાથરૂમને ગંદો છોડી દેવોઃ-

જો કોઈ વ્યક્તિ નહાયા પછી બાથરૂમની સફાઈ નથી કરતો, તેને ગંદો જ છોડી દે છે તો ચંદ્ર ગ્રહ તરફથી અશુભ ફળ પ્રાપ્ત થાય છે. જળ તત્વને ચંદ્ર પ્રભાવિત કરે છે. એટલા માટે નહાયા પછી બાથરૂમને ગંદો છોડવો ન જોઈએ. ગંદકી અને નીચે ઢોળાયેલું પાણી કાઢી દેવું જોઈએ. શાસ્ત્રો પ્રમાણે આવાતનું વિશેષ ધ્યાન રાખવાથી શરીરનું તેજ વધે છે અને ચંદ્ર ગ્રહથી શુભ ફળ પ્રાપ્ત થવા લાગે છે.

બૂટ-ચપ્પલ ચારેય બાજુ ફેંકવા-

જો કોઇ વ્યક્તિ બહારથી ઘરે આવે ત્યારે બૂટ-ચપ્પલ કોઇપણ જગ્યાએ ફેંકી દે છે તો આ આદત પણ દુશ્મનનો ભય વધારનારી માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ ઘરમાં અવ્યવસ્થા રાખવી તથા બૂટ-ચપ્પલની આવી સ્થિતિ દુશ્મનને બળવાન બનાવે છે. સાથે જ, આ આદતને કારણે માન-સન્માનમાં પણ કમી આવે છે.

પલંગ અવ્યવસ્થિત રાખવોઃ-

જો કોઇ ઘરમાં પલંગ અવ્યવસ્થિત રહેતો હોય અને ચાદર ગંદી રહેતી હોય તો તે અશુભ પ્રભાવ વધારનાર આદત માનવામાં આવે છે. જે ઘરમાં આ વાતનું ધ્યાન નથી રાખવામાં આવતુ, ત્યાં રહેનાર લોકોની દિનચર્યા પણ અવ્યવસ્થિત થઇ જાય છે. આ લોકો પણ ઠીક રીતે કામ કરી શકતાં નથી.

જોર-જોરથી બોલવું-

જો કોઇ વ્યક્તિની આદત જોર-જોરથી બોલવાની હોય તો તેને શનિના કોપનો સામનો કરવો પડે છે. શનિ આવા લોકોથી નિરાશ થઇ જાય છે જે જોર-જોરથી, ગુસ્સે થઇને વાત કરે છે, ખોટી કામ વિનાની વાતો કરે છે.

મોડી રાત સુધી જાગવું-

જો કોઇ વ્યક્તિ મોડી રાત સુધી અકારણ જ જાગતો રહે છે તો ચંદ્ર ગ્રહ અશુભ ફળ પ્રદાન કરે છે. આવા લોકોને માનસિક તણાવનો સામનો કરવો પડે છે. મોડે સુધી જાગવું અને સવારે મોડેથી જાગવાથી સ્વાસ્થ્ય સંબંધી ઘણી પરેશાનીઓનો સામનો વ્યક્તિએ કરવો પડે છે. જો વ્યક્તિ મોડી રાત સુધી જાગતો રહે તો સવારે વહેલા ઊઠી નહીં શકે. સારા સ્વાસ્થ માટે રાતના સમયે વહેલા સૂવું અને વહેલા જાગવું ખૂબ જ જરૂરી છે.

કોઇપણ જગ્યાએ થૂકવાની આદતઃ-

કોઇપણ જગ્યાએ થૂકવાની આદત, અશુભ ફળ આપનારી સાબિત થાય છે. આ આદતથી યશ, માન-સન્માન નષ્ટ થઇ જાય છે. આવા લોકોને જો માન-સન્માન મળી પણ જાય છે તો તે વધારે સમય સુધી ટકી શકતું નથી. લક્ષ્મીના કોપનો સામનો આ લોકોએ કરવો પડી શકે છે. એટલાં માટે કોઇપણ જગ્યાએ થૂકવાની આદતથી બચવું જોઇએ, આ કામ માટે નિર્ધારિત એટલે કે, કોઇ યોગ્ય સ્થાનનો જ ઉપયોગ કરવો જોઇએ.

વૃદ્ધજનોનું અપમાન કરવું-

જો કોઇ વ્યક્તિ કોઇ વૃદ્ધજનોનું અપમાન કરે છે, તેમની મજાક બનાવે છે તો આ આદતને કારણે ઘરની આવક નષ્ટ થઇ જાય છે. એટલાં માટે જ ઘરના દરેક વરિષ્ઠ લોકોનું માન-સન્માન બનાવી રાખવું જોઇએ. જે ઘરમાં વૃદ્ધજન ખુશ રહે છે, ત્યાં બધા જ દેવી-દેવતાઓની કૃપા બની રહે છે.

રસોડું અવ્યવસ્થિત રાખવું-

જો કોઇના ઘરમાં રસોઈ અવ્યવસ્થિત રહેતી હોય અને યોગ્ય સમયે સાફ-સફાઈ ન રાખવામાં આવતી હોય તો મંગળ ગ્રહના દોષમાં વૃદ્ધિ થાય છે. જો તમારી કુંડળીમાં મંગળ દોષ છે તો ઘરમાં હમેશાં રસોઈને સાફ અને વ્યવસ્થિત રાખવી જોઇએ.

પગની સફાઈને નજરઅંદાજ કરવીઃ-

મોટા ભાગે લોકો ચહેરાની સફાઈ પર પૂર્ણ ધ્યાન આપે છે, પરંતુ પગની સફાઈને નજરઅંદાજ કરે છે. આ આદત સારી માનવામાં નથી આવતી. પગની સફાઈ પર પૂર્ણ ધ્યાન આપવામાં આવવું જોઇએ. સ્નાન કરતી સમયે પણ પગે સરખી રીતે સાફ કરવા જોઇએ.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!

navratri1

હિન્દુ ધર્મ પ્રમાણે એક વર્ષમાં ચાર નવરાત્રિ આવતી હોય છે. પરંતુ સામાન્ય લોકો માટે બે નવરાત્રિ(ચૈત્રી અને શારદીય) વધુ જાણે છે. અષાઢ તથા માઘ મહિનાની નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે આ વખતે અષાઢ માસની ગુપ્ત નવરાત્રિ 17 જુલાઈ શક્રવારથી શરૂ થાય છે. અષાઢ માસની ગુપ્ત નવરાત્રિનો સમય શોક્ય તથા શૈવ ધર્માવલંબિયો માટે પૈશાચિક, વામાચારી ક્રિયાઓ માટે વધુ શુભ અને ઉપયુક્ત હોય છે. એમાં પ્રલય તથા સંહારના દેવાતા મહાકાલ તથા મહાકાલીની પૂજા કરવામાં આવે છે. આ સંહારકર્તા દેવી-દેવતાઓના ગણો તથા ગણિકાઓ અર્થાત્ ભૂત-પ્રેત, પિશાચ, બૈતાલ, ડાકિની, શાકિની, ખંડગી, શૂલની, શબવાહિની, શબરૂઝા વગેરેની સાધના કરવામાં આવે છે. એવી સાધના શાક્ત માતાનુસાર ઝડપથી ફળ આપનારી હોય છે. દક્ષિણા સાધના, યોગિની સાધના, ભૈરવી સાધનાની સાથે પંચમકારની સાધના આ નવરાત્રિમાં કરવામાં આવે છે.

ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!

અષાઢ માસની નવરાત્રિની જેમાં જ માઘની નવરાત્રિને પણ ગુપ્ત નવરાત્રિ કરે છે. પરંતુ આ બંને ઘણી ભિન્નતા હોય છે. અષાઢ માસની નવરાત્રિમાં જ્યાં વામાચાર ઉપાસના કરવામાં આવે છે ત્યાં માઘ માસની નવરાત્રિમાં વામાચાર પદ્ધતિને વધુ માન્યતા આપવામાં આવી છે. શારદીય નવરાત્રીની જેમાં જ આ નવરાત્રિ પણ માતાનું પર્વ હોવાથી દરેક વ્યક્તિ માટે માતાજીની કૃપા મેળવવા માટે શુભ સમય માનવામાં આવે છે. તમે પણ કરી શકો છો માતાજીની પૂજા અને મનોવાંછીત ફળ પ્રાપ્ત કરી શકો છો…

જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!

નવદુર્ગાનાં નવ સ્વરૂપ-

દેવીનું રૂપ ગમે તે હોય, મૂળે તો તેઓ એક જ છે, પરંતુ માતા શક્તિએ જુદાં જુદાં રૂપ લઈને કરેલાં કાર્યોને કારણે તેઓ અલગ અલગ નામે પુજાય છે.

કેવી રીતે વિધિ કરશો ઘટ સ્થાપના માટે?

હિન્દુ પરિવારોમાં નવરાત્રિનો પહેલો દિવસે ઘટ સ્થાપના કરવામાં આવે છે. જેમાં જવારા વાવામાં આવે છે. તેની શાસ્ત્રકથન વિધિ આ પ્રમાણે છે –

-ઘટ સ્થાપના માટે સમ્મુખી એકમ શ્રેષ્ઠ હોય છે. અમાસવાળી એકમમાં પૂજન ન કરો. ઘટ સ્થાપના સવારે જ કરો પરંતુ ચિત્રા કે વૈધૃતિ યોગ હોય તો તે સમયે ઘટસ્થાપના ન કરો, બપોરના કરો. અભિજિત મુહૂર્ત કે બીજા શુભ મુહૂર્તમાં ઘટ સ્થાપના કરો.

-સર્વ પ્રથમ સ્નાન કરો ગાયના છાણથી પૂજા સ્થળે લીપણ કરો. ઘટસ્થાપના માટે પવિત્ર માટીથી વેદીનું નિર્માણ કરો પછી તેમાં જવ અને ઘઉં વાવો તથા તેના પર પોતાની ઈચ્છા અનુસાર માટી, તાંબું, ચાંદી કે સોનાનો કળશ સ્થાપિત કરવો.

-જો પૂર્ણ વિધિપૂર્વક ઘટસ્થાપના કરવી હોય તો પંચાંગ પૂજન (ગણેશ-અંબિકા, વરુણ, ષોડશમાતૃકા, સપ્તધૃતમાતૃકા, નવગ્રહ વગેરે દેવોનું પૂજન) તથા પુણ્યાહવાચન(મંત્રોચ્ચાર) બ્રાહ્મણ દ્વારા કરાવવો તથા પોતે કરવો.

-આ પછી કળશ પર દેવીની મૂર્તિ સ્થાપિત કરો તથા તેના ષોડશોપચારપૂર્વક પૂજન કરવું. આ પછી શ્રીદુર્ગાસપ્તશતિનો સંપુટ અથવા સાધારણ પાઠ કરવો. પાઠની પૂર્ણાહુતિના દ્વશે દશાંશ હવન અથવા દશાંશ પાઠ કરવો જોઈએ.

જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!

દીપક સ્થાપન –

ઘટ સ્થાપનની સાથે દીપકની સ્થાપના પણ કરવામાં આવે છે. પૂજાના સમયે ઘીના દીપક પ્રગટાવે તથા તેના ચંદન, ચોખા તથા ફૂલથી પૂજા કરો. આ મંત્રનો જપ કરો –

भो दीप ब्रह्मरूपस्त्वं ह्यन्धकारनिवारक।
इमां मया कृतां पूजां गृह्णंस्तेज: प्रवर्धय।।

હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!

નવરાત્રિમાં આ મંત્રથી, દૂર થશે દરેક રોગ અને દુઃખ.

અષાઢી નવરાત્રિની શરૂઆત ધર્મગ્રંથો પ્રમાણે આ દિવસોમાં કરવામાં આવેલ સાધના વિશેષ ફળ પ્રદાન કરે છે. જો તમે પણ ઈચ્છતા હોવ કે તમને તથા તમારા પરિવારમાં બધા નિરોગી બની રહે તથા તેમને કોઈપણ પ્રકારની બીમારી ન થાય તો તેની માટે નીચે લખેલ મંત્રનો જાપ વિધિ-વિધાન પૂર્વક કરવો જોઈએ.

મંત્રઃ-

रोगानशेषानपहंसि तुष्टा, रूष्टा तु कामान् सकलानभिष्टान्।
त्वामामिश्रतानां न विपन्नराणां, त्वमाश्रिता हयश्रयंता प्रायन्ति।।

વિધિઃ-

-નવરાત્રિમાં દરેક દિવસે સવારે વહેલા ઊઠી નિત્ય કર્મોથી નવરા પડી માતા દુર્ગાની પૂજા કરો.

-પરિવારના બધા સદસ્યોના સારા સ્વાસ્થ્ય માટે દેવીદુર્ગાની સામે થોડી સરસો(રાયડો) રાખીને આ મંત્રનો નવ દિવસ સુધી જાપ કરો.

-ઓછામાં ઓછા એક માળા અર્થાત્ ૧૦૮ વાર રોજ આ મંત્રનો જાપ કરો.

-નવ દિવસ રાઈ(સરસિયાના)દાણા અગ્નિને સમર્પિત કરી દો.

-આ પ્રકારે મંત્ર જાપ કરવાથી તમે તથા તમારા પરિવારમાં કોઈ પણ બીમાર નથી થાય.

જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?

અષાઢી નવરાત્રી અનુષ્ઠાન, હવન વગેરે કરવા માટેનું પર્વ છે. દરેક વ્યક્તિ માતા શક્તિ પોતાનાં દુઃખ અને તમામ કષ્ટ હરી લે તે માટે શ્રદ્ધાપૂર્વક દૈવિક સાધના કરે છે. કોઈ પોતાના શત્રુથી છુટકારો મેળવવા માટે મા બગલામુખીના જપ-હવન કરે છે, કોઈ મહાકાળીની ઉપાસના કરે છે તો કોઈ નવદુર્ગાની ઉપાસના કરે છે. ગમે તે સ્વરૂપ હોય, પરંતુ ઉપાસના તો દેવીની જ થાય છે. જો સાધક પર દેવીની કૃપા ઊતરે તો તે તમામ પ્રકારનાં સંકટો, રોગો, દુશ્મનો, પ્રાકૃતિક આફતો વગેરે જેવાં કષ્ટોથી બચી શકે છે. તેના શારીરિક તેજમાં વૃદ્ધિ થાય છે તથા મન નિર્મળ થાય છે.

રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!

દરરોજ સુખની પ્રાપ્તિ માટે દેવીને કેવા ભોગ ધરાવશો?

દેવી ભાગવતના આઠમા સ્કંધમાં દેવી ઉપાસનાનું વિસ્તૃત વર્ણન છે. દેવીનું પૂજન-અર્ચન, ઉપાસના, સાધના બાદ દાન આપવાથી આ લોક અને પરલોકમાં સુખ પ્રાપ્ત થાય છે.

એકમઃ દેવીનું ષોડ્શોપચાર પૂજન કરીને નૈવેદ્ય તરીકે ગાયનું ઘી અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ આ ઘી બ્રાહ્મણોમાં વહેંચી દેવાથી તમામ પ્રકારના રોગોમાંથી મુક્તિ મળે છે.

બીજઃ દેવીને સાકરનો ભોગ લગાવીને તેનું ગરીબોને દાન કરવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિ દીર્ઘ આયુષ્ય ભોગવે છે.

ત્રીજઃ દેવીને દૂધનો ભોગ ધરાવીને તેનું દાન કરી કરવું. દૂધનો ભોગથી વ્યક્તિને સમસ્ત દુઃખમાંથી છુટકારો મળે છે.

ચોથઃ દેવીને માલપૂઆનો ભોગ ધરાવીને તેનું દાન કરવું જોઈએ. માલપૂઆનો ભોગ ધરાવવાથી વ્યક્તિની તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે.

પાંચમઃ દેવીને કેળાંનો ભોગ ધરાવી તેનું દાન કરવું. કેળાંનો ભોગ ધરાવવાથી વ્યક્તિની બુદ્ધિ અને વિવેકનો વિકાસ થાય છે. વ્યક્તિના પારિવારિક સુખમાં વૃદ્ધિ થાય છે.

છઠ્ઠઃ દેવીને મધુ (મધ)નો ભોગ ધરાવીને તેનું દાન કરવું. મધનો ભોગ ધરાવવાથી વ્યક્તિને સુંદર સ્વરૂપ મળે છે.

સાતમઃ દેવીને ગોળનો ભોગ ધરાવવો જોઈએ. ત્યાર બાદ તેનું દાન કરવું. ગોળનો ભોગ ધરાવવાથી વ્યક્તિના સમસ્ત શોક દૂર થાય છે.

આઠમઃ દેવીને શ્રીફળનો ભોગ ધરાવીને તેનું દાન કરવું. શ્રીફળનો ભોગ ધરાવવાથી વ્યક્તિના સંતાપ દૂર થાય છે.

નોમઃ દેવીને વિવિધ રાંધેલાં ધાન (અનાજ)નો ભોગ ધરાવવો જોઈએ. ત્યાર બાદ તેનું દાન કરવું જોઈએ. તેનાથી વ્યક્તિને આ લોક અને પરલોકમાં સુખ પ્રાપ્ત થાય છે.

જાણો આ દિવસોમાં રાશિ પ્રમાણે કંઈ માતાની પૂજા કયા મંત્રથી કરશો-

મેષઃ- આ રાશિના લોકોને માતા દુર્ગાની વિશેષ આરાધના કરવી જોઈએ. તેની માટે જાપ મંત્ર –ऊं ह्रीं दुं दुर्गायै नम: ૨૧ માળા રોજ કરો.
દુર્ગા સપ્તશતી કે દુર્ગા ચાલીસાનો પાઠ કરો.

વૃષભઃ-માતા કાળીની આરાધના વિશેષ પુષ્ય ફળ આપનારી હોય છે. જાપ મંત્ર- क्रीं ह्रीं क्लीं ૨૧ માળા રોજ.શ્રી કાલીકા સહસ્ત્રનામનો પાઠ કરો. બધી મનોકામના પૂરી થશે.

મિથુનઃ-માતા તારાની વિશેષ પૂજા કરો. જાપ મંત્ર- ऊं ह्रीं त्रीं हुंफट, ૨૧ માળા રોજ કરો. શ્રી તારા કવચનો પાઠ કરો. બધા કષ્ટો દૂર થશે.

કર્કઃ-આ રાશિના લોકોને માતા કમલાની વિશેષ પૂજા કરવી જોઈએ. જાપ મંત્ર- नम: कमल वासिन्यै स्वाहा, ૧૧ માળા રોજ જાપ કરવો. શ્રીસૂક્તનો પાઠ કરો. શુભ ફળ પ્રાપ્ત થશે.

સિંહઃ-માતા ત્રિપુર ભૈરવીની પૂજા ખાસ ફળ આપીનારી રહેશે. મંત્ર જાપ- ऐं क्लीं सौ: सौ: क्लीं, ૨૧ માળા રોજ કરો.
ભૈરવી ત્રૈલોક્ય વિજયનો પાઠ કરો.

કન્યાઃ- કન્યા રાશિના લોકોએ માતા માતંગીની વિશેષ પૂજા-અર્ચના કરવી. જાપ મંત્ર- ऊं ह्रीं क्ली हूं मातंग्यै फट स्वाहा, ૧૧ માળા રોજ જાપ કરજો. માતંગી સહસ્ત્રનામનો પાઠ કરો.

તુલાઃ-મહાકાલીની આરાધના તુલા રાશિના લોકો માટે શ્રેષ્ઠ રહેશે. જાપ મંત્ર-त्रीं त्रीं त्रीं, ૫૧ માળા નિત્ય જાપ કરજો. કામાખ્યા કવચ તથા ચાલીસા પાઠ કરો. બધા કષ્ટોથી મુક્તિ મળશે.

વૃશ્ચિકઃ- માતા દુર્ગાની આરાધના કરો. જાપ મંત્ર- ऊं ह्रीं दुं दुर्गायै नम:, ૨૧ માળા નિત્ય કરો. દુર્ગા સહસ્ત્રનામાવલીનો પાઠ કરો.

ધનઃ- તમે માતા બંગલામુખીની ખાસ પૂજા કરો. જાપ મંત્ર- श्रीं ह्रीं ऐं भगवति बगले श्रियं देहि देहि स्वाहा, ૨૧ માળા રોજ જાપ કરજો. બંગલા ત્રૈલોક્ય વિજય કવચનો પાઠ કરો.

મકરઃ- માતા ષોડ્શીની આરાધના તમને વિશેષ ફળ આપનારી રહેશે. જાપ મંત્ર-श्रीं, ૧૦૮ માળા ૧૦ દિવસ સુધી કરજો. લલિતા સહસ્ત્રનામનો પાઠ કરો.

કુંભઃ-માતા ભુવનેશ્વરીની વિશેષ પૂજા કુંભ રાશિના જાતકો માટે ખાસ ફળદાયી રહેશે. જાપ મંત્ર- ऐं ह्रीं श्रीं, ૫૧ માળા રોજ જાપ કરજો. દુર્ગા સપ્તશતીનો પાઠ કરો.

મીનઃ-માતા બંગલામુખીની પૂજા કરો. જાપ મંત્ર- श्रीं ह्रीं ऐं भगवति बगले श्रियं देहि देहि स्वाहा, ૨૧ માળા રોજ જાપ કરો. ત્રૈલોક્ય કવચનો પાઠ કરો.

બધી રાશિના લોકો સમાન રીતે જો દુર્ગા સપ્તશતીનો પાઠ કરી શકે છે. આ બધા માટે સર્વસિદ્ધિ પ્રદાન કરનાર પાઠ છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય

દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.