કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!

ear1

નાના કે મોટા જેને પણ કાનની કોઈપણ સમસ્યા હોય તો અહીં પ્રસ્તુત છે એકદમ સસ્તા, ઘરેલૂ ખાસ ઉપચાર નોંધ કરી લેજો.

કાન એ આપણા શરીરનું અમૂલ્ય અંગ છે. માનવ શરીરમાં કુદરતે જે ઈન્દ્રિયો આપી છે તે પૈકીની એક ઈન્દ્રિય-શ્રવણ છે. આ શ્રવણશક્તિ જો કોઈ પણ વ્યક્તિ ગુમાવી બેસે તો તેને બહેરાશ આવી કહેવાય. બહેરાશને અત્યાર સુધી અવગણવામાં આવતી હતી, પણ આજે એવું નથી રહ્યું. બહેરાશને દૂર કરવાની અનેક દવાઓ અને સર્જરીઓ ઉપલબ્ધ થઈ ગઈ છે.

આ સિવાય કાનના અનેક રોગો જેવા કે કાનમાં સખત દુખાવો થાય, સાંભળવામાં તકલીફ થાય કે પછી કાનમાંથી રસી આવે તો કાનનો ચેપ, કાનમાંથી પરૂં નિકળવું, કાનમાં સણકા મારવા, કાનમાં મેલ બરાવું, કાનમાં જંતુ જવું, કાનમાં કર્ણનાદ થવો વગેરે જેવી કાનની તમામ સમસ્યાઓ માટે આજે અમે તમને કેટલાક ખાસ દેશી ઉપચાર બતાવીશું, જે તમે સરળતાથી ઘરે જ કરી શકશો અને કાનની તમારી કોઈપણ સમસ્યામાંથી છુટકારો મેળવી શકશો.

તબીબી ભાષામાં બહેરાશના જુદા જુદા પ્રકાર ગણાવાયા છે, જે આ પ્રમાણે છે :

નસની બહેરાશ (Sensory Neural Deafness)
પડદો કે હાડકીની બહેરાશ (Conductive Deafness) અને
સંયુક્ત બહેરાશ(Mixed Deafness)

કાનના રોગો થવાના કારણો-

વાયુ, કફ અને પિત્તના કારણે કાનના રોગો થવાની સંભાવના વધી જાય છે. જો કે કાનના રોગોમાં પિત્તથી થતાં રોગો બહુ ઓછી જોવા મળે છે.

બે દોષનાં કરણો એક સાથે ભેગાં થાય ત્યારે દ્વીદોષજ કર્ણરોગ થાય છે. જેમ કે આઈસક્રીમ, કુલફી, ફ્રીજનું પાણી ઠંડો પવન વગેરેથી કફવાતજ કર્ણરોગ થાય છે.

ત્રીદોષજ કર્ણરોગમાં ત્રણેય દોષ કારણભુત હોય છે. જેમ કે ઘરડા મૂળા, વાસી ભોજન, ક્રોધ, પરિશ્રમ, ઠંડી વગેરે કારણો એક સાથે થવાથી ત્રીદોષજ કર્ણરોગ થાય છે.

-વાયુથી થતા કાનના કોઈપણ રોગમાં કાનમાં જાત જાતના અવાજ આવે છે, દુખાવો થાય છે, સોજો આવે છે, લાલાશ દેખાય છે તથા કાનમાંથી પાતળો સ્રાવ થાય છે અને બહેરાશ આવે છે.

-પિત્તથી થતા કર્ણરોગમાં કાનમાં સોજો આવે છે, લાલાશ દેખાય છે, કરવતથી કપાતું હોય એવી તીક્ષ્ણ વેદના અને દાહ થાય છે તથા પીળો દુર્ગંધયુક્ત સ્રાવ થાય છે.

-કફથી થતા કર્ણરોગમાં વિપરિત શબ્દ સંભળાય છે, કાનમાં ખંજવાળ આવે છે.

-ત્રીદોષથી થતા કર્ણરોગમાં જે દોષની પ્રબળતા હોય તે મુજબ લક્ષણો જોવા મળે છે. વાયુની પ્રબળતામાં પાતળો, કાળો કે ફીણવાળો સ્રાવ, પિત્તની પ્રબળતામાં પીળો, લાલ લોહીવાળો, દુર્ગંધયુક્ત, પાતળો અને ગરમ સ્રાવ, તેમ જ કફની પ્રબળતા હોય તો સફેદ, ઘટ્ટ, ચીકણો અને પ્રમાણમાં વધુ સ્રાવ કાનમાંથી નિકળે છે.

કાનના રોગો માટે કેટલાક દેશી ઈલાજ

(૧) હળદર અને ફુલાવેલી ફટકડી એકત્ર કરી કાનમાં નાખવાથી કર્ણપાક અને કર્ણસ્રાવ જલદી મટે છે.

(૨) ડુંગળીનો રસ અને મધનાં ટીપાં કાનમાં નાખવાથી કાનના ચસકા મટે છે અને પરૂં નીકળતું હોય તો બંધ થાય છે.

(૩) ફુલાવેલા ટંકણખારને વાટીને કાનમાં નાખી ઉપરથી લીંબુના રસના ટીપાં નાખવાથી પરૂં નીકળતું બંધ થાય છે.

(૪) સરસિયાના તેલમાં લસણની કળી ગરમ કરી એક બે ટીપાં સવાર સાંજ કાનમાં નાખવાથી કાનના દુઃખાવામાં ફાયદો થાય છે.

(૫) તલના તેલમાં તુલસીનાં પાન નાખી ધીમા તાપે ગરમ કરવું. પાન બળી જાય ત્યારે તેલ ઉતારી ગાળી લેવું. આ તેલનાં બે ચાર ટીપાં કાનમાં નાખવાથી બધા જ પ્રકારનાં કાનનાં દર્દોમાં લાભ થાય છે.

(૬) કાનની તકલીફ બહુ ગંભીર પ્રકારની ન હોય તો મધ અને તલનું તેલ સરખા ભાગે અને એ બેના વજનભાર આદુનો રસ એકરસ કરી, સહેજ સીંધવનો બારીક પાઉડર મિક્ષ કરી કાનમાં દરરોજ દિવસમાં ચાર પાંચ વખત ટીપાં મુકવાથી કાનની તકલીફો દૂર થાય છે.

(૭) આંબાનો મોર (ફુલ) વાટી, દીવેલમાં ઉકાળી, ગાળીને એનાં ટીપાં કાનમાં નાખવાથી કાનના સણકા મટે છે.

(૮) આંબાનાં પાનનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી કાનના સણકા મટે છે.

(૯) નાગરવેલના પાનનો રસ ગરમ કરી તેનાં ટીપાં નાખવાથી કાનનામાં થતો ભયંકર દુઃખાવો મટે છે.

(૧૦) તલના તેલમાં લસણની કળી નાખી કકડાવીને સહેજ ગરમ તેલનાં ટીપાં કાનમાં પાડવાથી કાનનો દુ:ખાવો અને કાનના સણકા મટે છે. કાન પાકતો હોય તો પણ ફાયદો કરે છે.
(૧૧) લીંબુના ૨૦૦ ગ્રામ રસમાં ૫૦ ગ્રામ સરસિયું અથવા તલનું તેલ મેળવી, પકાવી, ગાળીને શીશીમાં ભરી લેવું. તેમાંથી બે-બે ટીપાં કાનમાં નાખતા રહેવાથી કાનનું પરૂં, ખુજલી અને કાનની વેદના મટે છે તથા કાનની બહેરાશમાં પણ ફાયદો થાય છે.

(૧૨) હીંગને તલના તેલમાં પકાવી એ તેલનાં ટીપાં કાનમાં મુકવાથી તીવ્ર કર્ણશૂળ મટે છે.

(૧૩) સરગવાના સુકવેલા ફુલનું ચુર્ણ કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે.

(૧૪) આદુનો રસ કાનમાં નાખવાથી કાનનો દુખાવો, બહેરાપણું અને કાન બંધ થઈ ગયા હોય તો લાભ થાય છે.

(૧૫) વડના દૂધનાં ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે.

કાનમાં અવાજ થયા કરે ત્યારે-કર્ણનાદ
વિકૃત થયેલો કે અવળી ગતિવાળો વાયુ શબ્દનું વહન કરનારી શીરામાં રોકાઈ જવાથી કાનમાં જાત જાતના અવાજ સંભળાયા કરે છે. એને કર્ણનાદ કહેવાય છે. એમાં અંતઃકર્ણમાં આવેલ કોકલીયા નામના અંગની વિકૃતી થાય છે. આ રોગમાં આ મુજબ શક્ય ઉપચાર કરવા.

(૧) બકરીના મૂત્રમાં સીંધવ નાખી સહેજ ગરમ કરી કાનમાં ટીપાં નાખવા.

(૨) કપાસના જીંડવાનો રસ કાનમાં નાખવો.

(૩) નાગરવેલના પાનનો રસ કાનમાં નાખવો.

(૪) બકરીના મૂત્રમાં લસણ, આદુ અને આંકડાના પાનનો રસ મેળવી કાનમાં નાખવો.

(૫) સરસવ તેલથી કાન ભરી દેવો.

(૬) લસણ અને હળદરને એકરસ કરી કાનમાં નાખવાથી લાભ થાય છે.

(૭) ગળોનો રસ સહેજ ગરમ કરી દિવસમાં ચારેક વખત કાનમાં પાંચ-સાત ટીપાં નાખવાથી કર્ણનાદ અને કર્ણશૂળ મટે છે.

(૮) કર્ણનાદ એ કફજન્ય રોગ છે. સમભાગે સૂંઠ, ગોળ અને ઘીનો સોપારી જેવડો લાડુ બનાવી દરરોજ સવારે ખાલી પેટે ખાવાથી પાચનશક્તિ સુધરે છે જેનાથી કર્ણનાદ મટે છે.

(૯) મધ ૧ ભાગ, આદુનો તાજો રસ ૨ ભાગ, તલનું તેલ ૧ ભાગ અને સહેજ સીંધવનું મિશ્રણ દિવસમાં ત્રણેક વખત કાનમાં થોડું થોડું મુકતા રહેવાથી કાનમાં થતો વિચિત્ર અવાજ-કર્ણનાદ લાંબા સમયે મટે છે.

કાન બંધ થઈ જાય ત્યારે લસણ અને હળદરને એકરસ કરી કાનમાં નાખવાથી લાભ થાય છે.

કાનમાં જંતુ જાય ત્યારે મધ, દીવેલ કે ડુંગળીનો રસ કાનમાં નાખવાથી જંતુ નીકળી જાય છે.

કાનમાં પરું કાનમાંથી પરૂ નીકળતું હોય તો કાન સાફ કરીને નીચે દર્શાવેલ શક્ય ઉપાય કરવા.

(૧) મધમાં સિંદૂર મેળવી બ-બે ટીપાં સવારે અને રાત્રે કાનમાં નાખવાં.

(૨) ધતુરાના પાનના રસમાં ચારગણું સરસિયું અને થોડી હળદર નાખી ચાર ગણા પાણીમાં ધીમા તાપે ઉકાળી તેલ સિદ્ધ કરવું. આ તેલનાં બે-ત્રણ ટીપાં રોજ સવાર-સાંજ કાનમાં નાખવાં.

(૩) કાનમાંથી પરૂં વહેતું હોય અને તે મટતું જ ન હોય તો કાનમાં વડના દૂધનાં ટીપાં નાખવાથી મટી જાય છે.

(૪) લીંબુના રસમાં થોડો સાજીખાર મેળવી કાનમાં નાખવાથી કાનમાંથી વહેતું પરૂં બંધ થાય છે.

કાનની બહેરાશને જળમૂળથી દૂર કરવાના દેશી ઉપાય

(૧) કાનની કોઈ ખરાબીને લીધે નહીં પણ કુદરતી રીતે શ્રવણશક્તિ ઘટી ગઈ હોય તો સવાર, બપોર અને સાંજે દૂધમાં ૧ નાની ચમચી વાટેલું જીરું નાખી પીવાથી લાભ થાય છે.

(૨) સમભાગે હીંગ, સુંઠ અને રાઈને પાણીમાં ઉકાળી બનાવેલા સહેજ ગરમ કાઢાનાં ચાર-પાંચ ટીપાં કાનમાં દિવસમાં ચારેક વખત નાખવાથી કાન ખુલી જઈ બહેરાશ મટે છે.

(૩) આંકડાના પાનનો રસ ગરમ કરી કાનમાં નાખવાથી કાનની બહેરાશ મટે છે.

(૪) ગાયનું જુનું ઘી ખાવામાં વિશેષ વાપરવું.

(૫) રૂમાં વીંટાળેલી લસણની કળી કાનમાં રાખવી.

(૬) ઉત્તમ હીંગની ભુકી રૂમાં મુકીને કાનમાં રાખવી.

(૭) વછનાગ અને વ્રજ તલના તેલમાં ગરમ કરી કાનમાં નાખવું.

(૮) કાનમાં અવાર નવાર તેલ નાખતા રહેવું. એનાથી વિજાતીય દ્રવ્યોનો મેલ બહાર નીકળી જાય છે. અને કાનની અંદરના અવયવો મુલાયમ રહી કાર્યક્ષમ રહે છે.

(૯) સરસવના તેલમાં દસમા ભાગે રતનજ્યોત નાખી ધીમા તાપે રતનજ્યોત બળી જાય ત્યાં સુધી ગરમ કરી ઠંડુ પડ્યે કાનમાં દરરોજ સવાર, બપોર, સાંજ ત્રણ-ચાર ટીપાં નાખતા રહેવાથી કાનની સામાન્ય બહેરાશ મટે છે.

(૧૦) સવારે ચારપાંચ બદામ અને રાત્રે અજમો તથા ખારેક ખાવાથી કાનની બહેરાશમાં ફાયદો થાય છે.

(૧૧) સૂઠ અને ગોળ મેળવી પાણીમાં સારી રીતે ઘુંટી કાનમાં ટીપાં પાડવાથી બહેરાશમાં લાભ થાય છે.

(૧૨) ધોળી ડુંગળીનો તાજો રસ સહેજ હુંફાળો ગરમ કરી કાનમાં બહુ થોડા પ્રમાણમાં મુકવાથી સાધારણ બહેરાશ હોય તો તે દૂર થાય છે.

કાનમાં કીડા પડવા
કર્ણસ્રાવ, કર્ણપાક, વીદ્રધી (ગુમડું) જેવા રોગોથી, કાનની અસ્વચ્છતાથી કે વાતાદી દોષોથી કાનમાં સડો પેદા થાય છે અને તેમાં કીડા પેદા થાય છે. એમાં આ મુજબના શક્ય ઉપાયો કરવા.

(૧) સ્વમુત્ર કાનમાં નાખવું.

(૨) લીમડાના રસમાં કકડાવેલું સરસિયું કાનમાં નાખવું.

(૩) ગોમૂત્ર સાથે હરતાલનું ચુર્ણ પીસીને કાનમાં નાખવું.

(૪) સરકામાં પાપડીયો ખારો, અજમો અને ઈન્દ્રાયણનો ગર્ભ મેળવી કર્ણપુરણ કરવું.
(૫) દુધીયા વછનાગ(કલીહારી)ના મુળનો રસ કાઢી તેમાં થોડું ત્રીકટુ (સમાન ભાગે સુંઠ, મરી, પીપરનું ચુર્ણ) મેળવી કાનમાં નાખવાથી કૃમી તદ્દન મરી જાય છે.

કાનમાં ખંજવાળ આવે તો કાન કદી ખોતરવો નહીં. આ ઉપાય કરો

(૧) સ્વમુત્રનાં ટીપાં કાનમાં નાખવાં.

(૨) લીંબોળીનું તેલ ગરમ કરીને તેનાં બે-ચાર ટીપાં સવારે અને રાતે કાનમાં નાખવાં.

(૩) મરીચ્યાદી તેલ ગરમ કરીને કાનમાં નાખવું.

(૪) ત્રીફળાના કાઢા વડે કે લીમડાના ઉકાળાથી કાન સાફ કરવો.

(૫) રોજ રાત્રે ત્રીફળા ચુર્ણ કે હરડે ચુર્ણની ફાકી કરવી.

કાનમાં કંઈક ભરાઈ જવું..
માખી, બગાઈ, મકોડા, કાનખજુરો વગેરે જીવડાં કાનમાં પ્રવેશે કે બોરનો ઠળીયો, ચણો, વટાણો, મગફળીનો દાણો કાંકરી જેવી વસ્તુ કાનમાં પ્રવેશી ગઈ હોય તો એને બહાર કાઢવા પીચકારીનો ઉપયોગ કદી ન કરવો. એ વસ્તુઓને ટુકડા કરીને કાઢવી. ન નીકળે તો કાનના ડૉક્ટર પાસે જવું.

કાનમાં જંતુ પ્રવેશી ગયું હોય તો આમાંથી શક્ય ઉપાય કરવા.

(૧) ગાયનું ઘી સાધારણ ગરમ કરી કાનમાં ટીપાં પાડવાથી જીવજંતુ બહાર નીકળી આવે છે.

(૨) ધોળી ડુંગળીનો રસ કાનમાં નાખવો.

(૩) જાંબુના પાનનો રસ કાનમાં ભરી દેવો.

(૪) ક્લોરોફોર્મની પીચકારી મારવાથી જંતુ મરી જશે, પછી કાનને પીચકારી વડે ધોતાં જંતુ બહાર નીકળી જાય છે.

(૫) મધનાં કે દારૂનાં ટીપાં કાનમાં નાખવાં.

કાનનો મેલ કાનમાં મેલ વધુ પ્રમાણમાં થાય તો શ્રુતીમાર્ગ સાંકડો થતાં બહેરાશ આવે છે. આ મેલ કાઢવા ગરમ કરેલું સરસીયું કે તલનું તેલ કાનમાં નાખવું.

કાનની સંભાળ
(૧) કાન ખોતરવા નહીં.

(૨) કાનમાં ફુંક ન મારવી.

(૩) ગાલ કે કાન પર થપ્પડ ન મારવી.

(૪) માથા પર મારવું નહીં.

(૫) ઘોંઘાટથી દુર રહેવું.

(૬) નાના બાળકને સ્નાન કરાવતી વખતે કાનમાં પુમડાં ખોસવાં.

(૭) સ્નાન કર્યા પછી ચોખ્ખા ટુવાલ વડે કાન લુછવા.

(૮) નાનપણથી રોજ કાનમાં ગરમ તેલનાં ટીપાં નાખવાં

(૯) ગરમ દવાનું અતીશય સેવન ન કરવું. ગરમ દવાના સેવન વખતે ૨ ગ્રામ ગળોસત્ત્વ મધ સાથે લેવું.

કાનના રોગોમાં પરેજી

(૧) નીચેનો ખોરાક લઈ શકાય.

અજમો, અથાણાં(તીખાં), આમળાં, ઉકાળેલું પાણી, કઢી(તીખી), કાજુ, કોથમીર, કોબી, કોલીફ્લાવર, ખજુર(થોડી), ખમણ, ખાખરા, ખારેક, ખીચડી, ગાજર, ગંઠોડા, ગલકાં, છાસ(પાતળી અને મોળી), જીરૂ, પરવળ, પાન, પાપડ(અડદ સીવાયના), પાલખ, બટાટા(થોડા), સીંગતેલ(થોડું), હળદર, હીંગ વગેરે.

(૨) નીચેનો આહાર ન લેવો:

અડદ, આઈસક્રીમ, આમલી, અંજીર, ઈંડાં, કાકડી, કુલ્ફી, કેરી, કોકમ, કેળાં, ખાંડ, ગવાર, ઘી(ભેંસનું), ચોળા, છાસ, ટામેટાં, ટીંડોળાં, ટેટી, ઠંડાં પીણાં, ડુંગળી, શેરડીનો રસ, સફરજન વગેરે.

                                                                                                                                            સાભાર: દિવ્ય ભાસ્કર


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

WHATSAPP યુઝર્સને માટે કામની હોઇ શકે છે આ 10 સીક્રેટ ટિપ્સ
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
ઘેર બેઠા ફ્રિમાં શીખો, આખુ વર્ષ રોગમુક્ત રહેવા આયુર્વેદનો આ રસાહાર કોર્ષ..!!!
30 દિવસનો ખાસ ઉપાય, હાઈટ નાની હોય કે વધતી ન હોય તો અજમાવો લો.

ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!

pimple

આજકાલ ખીલ-ફોડલી કે ચહેરો વારંવાર ચિકણો થઈ જવો, કાળાશ જામી જવી વગેરે સમસ્યા એકદમ સામાન્ય બની ગઈ છે. જે ખાસ કરીને ટીનએજર્સમાં જોવા મળે છે. યુવાનીના ઉંબરે ઉભેલા યુવાનોના શરીરમાં ઘણા પ્રકારનાં હાર્મોનિકલ બદલાવ આવે છે, જેમાં ચહેરાની તૈલીયગ્રંથી ખુબ જ સક્રીય બની જાય છે. આ તૈલીયગ્રંથી પર બેકટેરિયા આક્રમણથી ચહેરા પર ખીલ અને ફોડલીઓની સમસ્યા વધતી જાય છે. પરંતુ હાલના પ્રદૂષણવાળા વાતાવરણ અને અસ્ત-વ્યસ્ત ખાણીપીણીને કારણે તમામ ઉંમરના લોકોને ખીલ-ખાડાની સમસ્યા સતાવવા લાગી છે જેથી ચહેરાને સુંદર બનાવવો પણ એટલું જ જરૂરી છે અને ખીલ એ ચહેરાની સુંદરતામાં ગ્રહણ સમાન હોય છે જેથી આજે અમે તમને કેટલાક એવા દેશી નુસખા બતાવીશું જેનો ઉપયોગ કરી તમે ખબ જ ઝડપથી એકદમ સાફ, બેદાગ અને ચમકીલો ચહેરો પામી શકશો.

ખીલ થવાના કારણો-

1.સામાન્ય રીતે ખીલ ટીનએજમાં થાય છે કારણ કે આ અવસ્થામાં શરીરમાં સેક્સ હોર્મોન્સનુ પ્રમાણ વધે છે.

2.વધુ પ્રમાણમાં જંકફૂડના સેવનથી પણ ખીલની સમસ્યા ઉદભવે છે.

3.વારસાગત અને પ્રદૂષણનું ઇન્ફેકશન પણ ખીલની સમસ્યાનું કારણ હોય શકે છે.

4.કોસ્મેટિક્સ સામગ્રીનો વધુ પડતો ઊપયોગ પણ ખીલની સમસ્યાને નોતરે છે.

5.મૃત અને તૈલીય ત્વચા પણ ખીલનું કારણ બની શકે છે.

-હળદર- હળદરનો એક એન્ટીસેપ્ટિક તરીકે કામ કરે છે. હળદરમાં બેક્ટિરીયાને મારવાની ક્ષમતા હોય છે.

-એક ચમચી હળદરના પાવડરમાં થોડું પાણી મેળવી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરવું. આ પેસ્ટને ખીલની જગ્યાએ લગાવવું. થોડી મિનીટ સુધી રાખ્યા બાદ તેને ઠંડા પાણીથી ધોઇ લેવું. આ રીતને એક અઠવાડીયા સુધી નિયમિતપણે કરવાથી ખીલ ચોક્કસપણે દૂર થશે.

-ફુદીનો- ફુદીનામાં શરીરને ઠંડક પહોચાડવાના ગુણોની સાથે તેમાં એન્ટીસેપ્ટિકના ગુણો પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે.

– થોડા ફુદીનાનાં પાનમાં પાણી નાખીને તેની પેસ્ટ તૈયાર કરી લેવી. આ પેસ્ટને રાતે સુવાના સમયે લગાવવી અથવા આ પેસ્ટને ગાળીને તેમાથી જ્યુસ કાઢીને તે ચહેરા પર લગાવી સવાર સુધી તેને રહેવા દેવું. સવારે ચહેરો ઠંડા પાણીથી ધોઇ લેવો. આ ઉપાય સપ્તાહમાં એકવાર કરવાથી ધીરે-ધીરે ખીલની સમસ્યા જડમૂળથી ગાયબ થઈ જશે.

-લીંબુ- લીંબુમાં ભરપૂર પ્રમાણમાં વિટીમીન સી જોવા મળે છે, જે ખીલ માટે ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે.

– બે મધ્યમ આકારના લીંબુ લઇને તેનો રસ કાઢી લેવો. કોટન(રૂ)ને આ રસમાં નિચોવી તેને ચહેરા પર લગાવવું. જ્યારે તે સૂકાય જાય એટલે તેને ઠંડા પાણીથી ધોઈ લેવું. દિવસમાં બે વાર આ પ્રયોગને અજમાવાથી ખીલની સમસ્યા ત્રણ-ચાર દિવસમાં જ દૂર થાય છે.

-લસણ- લસણમાં એન્ટીફંગલ તત્વ જોવા મળે છે. જે ખીલને ખુબ જ જલ્દી ઠીક કરે છે

– લસણની બે કળી અને લવિંગને પીસી લેવું. એ પેસ્ટને માત્ર ખીલ પર લગાવવું. થોડા સમય સુધી રહેવા દઈ ચહેરાને ધોઈ લેવો. આવું કરવાથી ખીલ જરૂર દૂર થશે.

-ટૂથપેસ્ટ- ટૂથપેસ્ટનો ઊપયોગ દાંતને સફેદ કરવા માટે તો આપણે કરીએ જ છીએ, પરંતુ ખીલને દૂર કરવામાં પણ ટૂથપેસ્ટ એક શ્રેષ્ઠ ઉપાય સાબિત થાય છે.

– રાતે સૂતા પહેલા ટૂથપેસ્ટને ખીલ પર લગાવવું. સવારે ઠંડા પાણીએ ચહેરો સાફ કરી લેવો તમને ખીલ પર તરત જ અસર જોવા મળશે. ખીલ પર માત્ર સફેદ ટૂથપેસ્ટ જ લગાવવી.

-નાસ- નાસએ ખીલ માટેનો સૌથી સારો ઉપાય છે. ચહેરા પર નાસ લેવાથી ઝીણા છીદ્રો ખુલ્લી જાય છે, અને ચહેરા પરની ગંદકી દૂર થાય છે.

– જ્યારે પણ ખીલની સમસ્યા થાય ચાર-પાંચ દિવસ સુધી દિવસમાં બે વાર નાસ લેવો જોઇએ. નાસ લેવાથી ખીલ તો દૂર થાય જ છે સાથે-સાથે ચહેરા પર ગ્લો પણ આવે છે.

-બરફ- બરફ પણ ખીલથી છુટકારો અપાવવામાં મદદરૂપ બને છે.

– બરફના ટુકડાને કોટનનાં કાપડમાં લપેટીને ચહેરા પર હલકા હાથે માલીશ કરવી. આ ઉપાય દિવસમાં બે વાર કરવાથી ત્રણ-ચાર દિવસમાં ખીલની સમસ્યામાં રાહત મળે છે.

-તજ- તજને પીસીને પાવડર બનાવી લેવો, આ પાવડરને એક કે બે ચમચીની માત્રામાં ચહેરા પર લગાવવું.

– આ ક્રિયા દિવસમાં બે વાર કરવાથી ખીલ દૂર થાય છે.

-સંતરાની છાલ- સંતરાની છાલને ચહેરા માટે ખુબ જ સારી માનવામાં આવે છે. આ છાલને તડકામાં સુકાવી તેનો પાવડર તૈયાર કરી લેવો.

– આ પાવડરને એક કે બે ચમચીની માત્રામાં લઈને પાણીમાં મિક્સ કરી ચહેરા પર લગાવી લેવું.અડધા કલાક પછી ચહેરાને સાફ કરી લેવું, આવું દિવસમાં બેથી ત્રણ વાર કરવું.

-એપલ વિનેગર- એપલ વિનેગરને સ્કિન માટે ખુબ જ લાભદાયી ગણવામાં આવે છે.

– એપલ વિનેગરમાં કોટન(રૂ)ને ડૂબાડીને ચહેરા પર લગાવવું. ચહેરા પર એ સૂકાય જાય ત્યાર બાદ ઠંડા પાણીએ ધોઈ લેવું. આ પ્રયોગ દિવસમાં બે વાર કરવાથી ખીલ જરૂર દૂર થશે.

મધ- મધને એક નેચરલ એન્ટીસેપ્ટિક ગણવામાં આવે છે. ખીલની સમસ્યા માટે આ રામબાણ ઈલાજ છે.

– કોટન(રૂ)ને મધમાં બોળીને ચહેરા પર લગાવવું. જ્યારે એ સૂકાય જાય તેને ધોઈ લેવું, ખીલ જરૂરથી દૂર થશે.

પપૈયુ- પપૈયામાં મોટી માત્રામાં એન્ટીસેપ્ટિક જોવા મળે છે. આ ખીલનો ખુબ જ જલ્દી નાશ કરવાની ક્ષમતા રાખે છે.

– એક પપૈયાને છીલીને તેને મિક્સરમાં પીસી લેવું અથવા તેનુ જ્યૂસ પણ કાઢી તેને ચહેરા પર લગાવવું. પંદરથી વીસ મિનિટ ચહેરા પર લગાવી ચહેરો ઠંડા પાણીથી ધોઈ લેવો.

-કાકડીનું જ્યૂસ- કાકડી ઘણા પ્રકારના પોષક તત્વોથી ભરપુર હોય છે. ગરમીના સમયમાં સ્કિન માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

– કાકડીની છાલ કાઢીને તેના ટુકડા કરી મિક્સરમાં પીસી લેવી. આ પેસ્ટને ચહેરા પર દિવસમાં બે વાર લગાવવાથી ખીલ ચોક્કસપણે દૂર થશે. કાકડીમાં થોડું લીંબુ અને મધ મિક્ષ કરી લગાવવાથી સ્કિનમાં ગ્લો આવે છે.

-ટામેટા- ટામેટા એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. માટે જ તેને સ્કિન માટે ખુબ જ સારૂ માનવામાં આવે છે.

– ટામેટાને પીસીને તેનું જ્યૂસ કાઢી લેવું, આ જ્યૂસને ગાળીને તેને ચહેરા પર લગાવવું અને સૂકાઈ ગયા બાદ ચહેરો પાણીથી સાફ કરી લેવો. દિવસમાં બે વાર આ પ્રયોગ કરવાથી ખીલ પર તેની અસર ચોક્કસ દેખાશે.

-લીમડો- લીમડાના પાનને આર્યુવેદમાં ચામડીનાં રોગ માટે અચૂક દવા માનવામાં આવે છે.

– લીમડાના પાનને સ્વચ્છ પાણીમાં ધોઈને તેની પેસ્ટ તૈયાર કરવી, આ પેસ્ટને ચહેરા પર લગાવી અડધા કલાક બાદ ચહેરો ધોઈ લેવો. આવું કરવાથી ખીલ-ફોડલીઓ નાશ પામશે.

-બે ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ મેળવીને મિશ્રણ કરો. આ મિશ્રણને સારી રીતે ચહેરા ઉપર લગાવો. 20 મિનિટ પછી જ્યારે આ મિશ્રણ સારી રીતે સૂકાઈ જાય તો તેને ભીના કોટન બોલથી સાફ કરો. સ્કિન સોફ્ટ અને સ્મૂથ થઈ જશે.

-એલોવેરાના પત્તાનો રસ કાઢીને તેમાં થોડા ટીપા લીંબુનો રસ મેળવો. આ મિશ્રણને ચહેર ઉપર લગાવો, સૂકાઈ ગયા પછી સાફ કરી લો. ચહેરો ખીલી ઊઠશે.

– બારીક પીસેલો બેસનનો લોટ, સંતરાની સુકી છાલનો પાવડર તથા એક ચમચી મલાઈ મેળવીને મિશ્રણ બનાવો. ન્હાવા પહેલા એ મિશ્રણને ચહેરા પર લગાવીને 5થી 7 સુધી રાખવાથી તૈલીય ત્વચાની સમસ્યાથી તરતજ છુટકારો મળે છે.

-મુલતાની માટી પણ તૈલી ત્વચાની સમસ્યામાંથી છુટકારો અપાવશે. તે ત્વચાને ચોખ્ખી કરીને પહોળા કે ખુલ્લા છિદ્રોને બંધ કરે છે. મુલતાની માટીના પાઉડરમાં ગુલાબ જળ ઉમેરીને અઠવાડિયામાં ત્રણ વાર એ પેસ્ટ ચહેરા પર લગાવવી જોઈએ. જ્યારે તે સુકાઈ જાય ત્યારે પાણી વડે એ પેસ્ટને ધોઈ નાખવી.

-ચહેરાને દિવસમાં બેથી ત્રણ વાર ધોવો જોઈએ અને ચહેરાને સાફ કરવા માટે ફેસવોશ કે ક્લિન્ઝિંગ લોશનનો જ ઉપયોગ કરવો.

સાભાર: દિવ્ય ભાસ્કર


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

WHATSAPP યુઝર્સને માટે કામની હોઇ શકે છે આ 10 સીક્રેટ ટિપ્સ
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
ઘેર બેઠા ફ્રિમાં શીખો, આખુ વર્ષ રોગમુક્ત રહેવા આયુર્વેદનો આ રસાહાર કોર્ષ..!!!
30 દિવસનો ખાસ ઉપાય, હાઈટ નાની હોય કે વધતી ન હોય તો અજમાવો લો.

સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…

swine16

સ્વાઇન ફ્લૂનું અત્યારે નામ પડેને લોકોમાં ભય પ્રસરી ઉઠે છે. સામાન્ય છાપ એવી છે કે સ્વાઇન ફ્લૂ થાય એટલે મૃત્યુ થવાની સંભાવના વધી જાય છે. જો કે હકીકત આ નથી. સ્વાઇન ફ્લૂથી ડરવાની જરુર નથી. ભારતમાં અત્યારે સ્વાઇન ફ્લૂના હાહાકારને લઇને તબીબો તરફથી પણ નિવેદનો જાહેર થયા છે અને આ બિમારીની લાક્ષણિકતા પણ એટલી ભયાવહ નથી કે લોકોને ડરવુ જોઇએ. વાત માત્ર તેને જાણીને યોગ્ય રીતે પ્રતિકાર કરવાની છે. અહીં સ્વાઇન ફ્લૂ હકીકતમાં છે શું, અને આ હાહાકાર શા માટે એટલો ભયાનક નથી તેના વિશે વિગતો રજૂ કરવામાં આવી છે.

અહીં પ્રસ્તુત તસવીરના માધ્યમથી જાણી શકાશે કે સ્વાઇન ફ્લૂ હકીકતમાં છે અને તે કેવી રીતે શરીરમાં ફેલાય છે..

સ્વાઇન ફ્લૂ શ્વાસ થી ફેલાતી બિમારી છે. માન્યતા પ્રમાણે તે ડુક્કરથી ફેલાતી નથી, પણ લોકોથી જ ફેલાય છે.

તે H1N1 નામના વાયરસથી ફેલાય છે. જે અન્ય સામાન્ય વાયરસ જેવો જ છે, પણ થોડોક સ્ટ્રોંગ છે.

મોં વાટે તે શ્વાશનળી માં જઇ ફેફસામાં પહોંચે છે.

અહીંના કોષમાં તે પેસીને તે કોષને મારી નાખે છે. અને આ રીતે ફેલાય છે.

વાયરસ પહોંચતા પ્રતિકારક શક્તિ બળવતર બની તેને દૂર કરવાનું કામ કરે છે.

જો ફેફસામાં એક મર્યાદાથી વધુ કોષ મરી ગયા હોય, તો દર્દીનું મોત નિપજે છે.

swine17

હવે પ્રશ્ન એ છે કે જો હાહાકાર છે તો પછી ડરવુ શા માટે ન જોઇએ ? તો તેનો જવાબ તબીબો અને વર્તમાન પરિસ્થિતિમાં ભારતમાં થયેલો મોતના રિપોર્ટ આપે છે. હકીકતમાં સ્વાઇન ફ્લૂ એ લોકો માટે જ ખતરનાક છે જે મોટી ઉંમરના હોય અને તેમને પહેલાથી ડાયાબીટીસ કે અન્ય કોઇ ગંભીર બિમારી હોય. અથવા તેમની રોગ પ્રતિકારક શક્તિ એકદમ નબળી હોય. તે સિવાય બાળકો પણ આની ચપેટમાં આવી શકે. જો તમને કોઇ ગંભીર બિમારી નથી, અને તમે યોગ્ય રીતે આહાર લઇ રહ્યા છો, તો સ્વાઇન ફ્લૂથી તમને ડરવાની જરુર નથી.

અમુક ઉદાહરણ, કેવી રીતે થાય છે ટેસ્ટીંગ
અત્યારે H1N1 વાયરસથી મોતના રિપોર્ટ આવી રહ્યા છે તેનું કારણ એ છે કે અત્યારે લોકોનું ટેસ્ટીંગ તેના માટે જ થઇ રહ્યુ છે. પરંતુ નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી, પૂણે ના ડાયરેક્ટર ડૉ. ડી.ટી.મોર્યાના જણાવ્યા પ્રમાણે મોટાભાગના લોકોનું મોત બે ઇન્ફેક્શનથી થયુ હોય છે. મતલબ કે તેમને અગાઉની બિમારી આ મુદ્દે વધુ જીવલેણ બનાવે છે. પરંતુ તેમણે ટેસ્ટ H1N1 ની કરાવી હોય છે, તેથી સ્વાઇન ફ્લૂને મોતનુ્ં કારણ બતાવવામાં આવે છે.

ઉદાહરણ

70 વર્ષની સ્વીત્ઝરલેન્ડની પ્રવાસી એને મેરીનું H1N1 ટેસ્ટ બાદ મૃત્યુ નિપજ્યુ હતુ. તેની તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે તેને ફેફસાનું કેન્સર હતુ. મતલબ કે તે પહેલાથી ગંભીર બિમારીથી ગ્રસ્ત હતી, જેના લીધે મોતની શક્યતાઓ વધી. આવુજ ડાયાબીટીસ સહિતના રોગોમાં પણ થાય છે.

ગર્ભવતી મહિલાઓ, બાળકો અને વૃધ્ધ લોકોને થવાની શક્યતા છે, પણ જો તેમાં યોગ્ય સમયે ડોક્ટરની સલાહ લેવામાં આવે તો આ રોગ જીવલેણ સાબિત થતો નથી.

ગર્ભવતી મહિલાઓ શા માટે જલ્દી ચેપમાં આવી જાય છે ?

તબીબી રિસર્ચ પ્રમાણે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓના ફેફસા અને શ્વસનક્રિયા નબળા પડે છે. જેથી તેમને સ્વાઇન ફ્લૂ અને અન્ય પ્રકારના ઇન્ફ્લૂએન્ઝા થવાની શક્યતા છ ગણી વધી જાય છે. ખાસ કરીને ગર્ભાવસ્થાના છેલ્લા ગાળામાં આ શક્યતા વધી જાય છે. ગર્ભવતી મહિલાઓ સામાન્ય શરદી અને ઉધરસથી પણ રિકવર થવામાં વધુ સમય લે છે.

સ્વાઇન ફ્લૂની મોર્ટાલીટી રેટ

વિશ્વમાં અત્યારે સ્વાઇન ફ્લૂનો મૃત્યુ દર 1 ટકા છે જ્યારે ભારતમાં વર્તમાન સ્થિતિમાં તે 5 ટકાથી પણ ઓછો છે. તેથી તબીબોના કહેવા પ્રમાણે તે ઓછુ છે. ડૉ. મોર્યાના જણાવ્યા પ્રમાણે આ વાયરસ એક લિમિટમાં ઇન્ફેક્શન કરતો વાયરસ છે અને મોટાભાગના લોકો કોઇ પણ પ્રકારની દવા લીધા વિનાજ સ્વસ્થ થઇ જતા હોય છે.

કેમ નિપજે છે મોત

ગંભીર બિમારીઓથી ગ્રસ્ત હોવા સિવાય એક મોટુ કારણ મોતનું એ છે કે દર્દીઓ હોસ્પિટલમાં મોડા પહોંચે છે. તેથી યોગ્ય સમય સુધીમાં લક્ષણોને જાણીને હોસ્પિટલમાં પહોંચે તો આ જોખમથી આસાનીથી બચી શકાય છે.

દવાઓ

H1N1 સામે લડવા માટે Oseltamivir ડ્રગ આપવામાં આવે છે. કેન્દ્રએ તેના માટે 60000 ડોઝનો જથ્થો રાખ્યો છે અને રાજ્ય સરકારોને N-95 માસ્ક આપવા જણાવ્યુ છે. તે સિવાય H1N1સામે રસીકરણ કરતા હેલ્થ વર્કર્સને પણ રસી મુકવા જણાવ્યુ છે. તે સિવાય Zanamivir (Relenza) ડ્રગ પણ સ્વાઇન ફ્લૂના ઉપચાર માટે છે.

અચાનક તાવ આવે જે 100 ડિગ્રીથી વધુ હોય, માથાનો દુખાવો, શરદી અને ઉધરસ, ગળામાં દુખાવો, ઝાડા, ઓછી ભુખ લાગવી સહિતના લક્ષણો સ્વાઇન ફ્લૂના છે. જો કે આ રેગ્યુલર ફ્લૂના જ લક્ષણો છે તેથી કોઇને તાત્કાલિક ખયાલ ન આવે કે આ સ્વાઇન ફ્લૂ છે. પરંતુ જો લગાતાર બે દિવસ સુધી વધુ તાવ હોય અને શ્વાસમાં વધુ તકલીફ પડતી હોય તો તાત્કાલિક ડોક્ટર પાસે જવુ જોઇએ.

આ રીતે રાખવી કાળજી

તાવ હોય તો ઘરે રહો જેથી તે ફેલાય નહીં
ઉધરસ વખતે મોઢું ઢાંકવુ
વારંવર આંખ, નાક અને ચહેરાને અડવાનું ટાળવુ
મોબાઇલ અને લેપટોપ જેવી રોજીંદા ઉપયોગની ચીજોથી પણ તે ફેલાય છે, તેથી બીજી વ્યક્તિની આ ચીજો નો ઉપોયગ પણ ટાળવો
હેન્ડવોશ કરતા રહેવુ અને ગળામાં સોજા જેવુ લાગે તો નવશેકા મીઠાના પાણીના કોગળા પણ કરતા રહેવુ.
યોગ્ય સમયે ભોજન, તણાવથી દૂર રહીને પૂરતી ઉંઘ લેવાથી સ્વાઇન ફ્લૂ દૂર રહે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

WHATSAPP યુઝર્સને માટે કામની હોઇ શકે છે આ 10 સીક્રેટ ટિપ્સ
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
ઘેર બેઠા ફ્રિમાં શીખો, આખુ વર્ષ રોગમુક્ત રહેવા આયુર્વેદનો આ રસાહાર કોર્ષ..!!!
30 દિવસનો ખાસ ઉપાય, હાઈટ નાની હોય કે વધતી ન હોય તો અજમાવો લો.

આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો

લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?

bp4

આપણને ઘણીવાર ખૂબ જ થાક લાગે છે, ખૂબ પરસેવો થાય છે, નબળાઈ જેવું લાગે છે, શરીર ઠંડું પડી જાય, ચક્કર આવે, આંખે અંધારાં આવે છે. આવું થાય ત્યારે આપણે ગભરાઈને ડોકટરને મળવા દોડી જઈએ છીએ અને ત્યારે ખબર પડે છે કે આ તો લો બ્લડપ્રેશરને લીધે થાય છે. ગરમીને કારણે શરીરમાંથી પાણી ઘટી જવાને લીધે આવું વારંવાર થાય છે.

જોકે આ સિવાય પણ લો બ્લડપ્રેશર થવાનાં બીજાં ઘણાં કારણો હોઈ શકે છે, જેમ કે ફેફસાની બીમારીમાં, હૃદયરોગની બીમારીમાં, કિડનીના રોગોમાં, લોહીમાં સોડિયમનું પ્રમાણ ઘટવાથી કે હાઈ બ્લડપ્રેશરની વધુ દવાઓ લેવાથી પણ લો બ્લડપ્રેશર થઈ શકે છે.

પુરુષો કરતાં સ્ત્રીઓમાં આ બીમારી વધુ પ્રમાણમાં જોવા મળે છે. જયારે લો બ્લડપ્રેશર થાય ત્યારે ખોરાકમાં મીઠાનું પ્રમાણ વધારી દેવું જોઈએ. લીંબુના શરબતમાં ખાંડ અને મીઠું નાખીને પી જવું એ તાત્કાલિક સરળ ઉપાય છે.

લો બીપીના દરદીએ ક્યારેય ભૂખ્યા ન રહેવું

ક્યારેક બ્લડપ્રેશર ઓછું થઈ જાય એ સમજ્યા, પરંતુ જો વારંવાર આવું થવાની તકલીફ રહેતી હોય તો દરદીએ ચેતી જવું જોઈએ; કેમ કે એ ક્યારેક હાર્ટ, કિડની અને થાઇરોડ ગ્રંથિની તકલીફ હોઇ શકે છે.

શરીરમાં લોહી સતત ફરતું રહે છે. રક્તવાહિનીઓમાં લોહીનું ભ્રમણ યોગ્ય રિધમમાં ચાલતું રહે એ માટે રક્તવાહિનીઓનું ચોક્કસ દબાણ નિશ્ચિત થયેલું હોય છે. જ્યારે લોહીના ભ્રમણમાં અચાનક જ વધારો કે ઘટાડો થાય છે ત્યારે રક્તવાહિનીઓમાં બ્લડપ્રેશર ઘટે છે. ઊંચું બ્લડપ્રેશર હોય એ ખરેખર ઘાતક હોય છે, જ્યારે નીચું રક્તદબાણ હોય એ દરેક સંજોગોમાં ઘાતક નથી હોતું. ઘણા એવા સંજોગો હોય છે જેમાં સામાન્ય રીતે બીપી નીચું જ રહે.

લો બ્લડપ્રેશરને કારણે તકલીફનાં લક્ષણો દેખાતાં હોય તો એ પ્રત્યે બેદરકારી સારી નથી, કેમ કે શરીરમાં લો બીપીને કારણે લોહીનું પરિભ્રમણ ઓછું થતાં શરીરના જુદાંજુદાં અવયવો અને કોષોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને પોષક તત્વો મળતાં નથી.

લો બ્લડપ્રેશર એટલે શું ?

સામાન્ય રીતે આપણા હાથમાં રહેલી ધમનીમાંનું દબાણ અથવા પ્રેશર એટલે બ્લડપ્રેશર. આ દબાણ લોહીને વહેવામાં મદદ કરે છે. હૃદયના સંકોચન સાથે ધમનીમાં જે દબાણ ઉત્પન્ન થાય એને ઉપરનો આંક રહે છે, જેને મેડિકલ ભાષામાં સિસ્ટોલિક બીપી કહેવાય છે. હૃદયના વિસ્તરણ સાથે ધમનીમાં પ્રેશર ઓછું થાય એ નીચેનો આંક એટલે મેડિકલ ભાષામાં ડાયાસ્ટોલિક બીપી કહેવાય. અત્યારની વ્યાખ્યા મુજબ તંદુરસ્ત વ્યક્તિનું હાઈ બીપી ૧૨૦ અને લો બીપી ૮૦ હોવું જોઈએ. જો બીપી ૧૪૦/૯૦નો આંક વટાવી જાય તો એ હાઈ બ્લડપ્રેશરનું નિદાન થાય, પણ લો બીપી માટે આવો કોઈ આંક નક્કી કરવામાં નથી આવ્યો. સામાન્ય રીતે હાઈ બીપી ૯૦થી નીચે જાય અથવા તો લો બીપી ૬૦થી નીચું જાય તો એ લો બીપીનાં લક્ષણો કહી શકાય.

લો બીપીના લક્ષણો-

ચક્કર આવે, માથું ફરે, બેભાન થઈ જવાય, શરીરમાં નબળાઈ વર્તાય, થાક લાગે, શ્વાસ ઝડપી બને, એકાગ્રતા ઘટે, નજર ધૂંધળી બને, શરીર ઠંડું પડતું લાગે, ચામડીનો રંગ ફિક્કો પડી જાય, ઊબકા આવે, ડિપ્રેસ થઈ જવાય, નાડી તેજ થઈ જાય, ખૂબ તરસ લાગે. જો લાંબો સમય બીપી નીચું જ રહે તો સમય જતાંની સાથે લક્ષણો ગંભીર થતાં જાય. બીપી ખૂબ જ નીચું જતું રહે તો છાતીમાં દુખાવો થાય અને ક્યારેક હાર્ટઅટેક પણ આવી શકે. જો સમયસર ઉપચાર કરવામાં ન આવે તો જાન જોખમમાં મુકાય.

અચાનક બીપી લો થાય ત્યારે શું કરવું-

સામાન્ય સંજોગોમાં કોઈનું અચાનક બીપી લો થવાને કારણે તકલીફ ઊભી થાય તો તેની આસપાસની વ્યક્તિઓએ કેટલીક પ્રાથમિક સારવાર કરવી જોઈએ. સૌથી પહેલાં તો દરદીને ખુલ્લી હવામાં લઈ જવો અને કપડાં ખૂલતાં કરી લેવાં જેથી તેને શ્વાસ લેવામાં ઓછી તકલીફ પડે. ચક્કર આવતાં હોય તો તેને ઊભા રહેવાને બદલે એક પડખે સુવડાવવો. સીધા સૂવાથી શ્વાસ લેવામાં કદાચ તકલીફ વધી શકે છે. એ પછી તરત જ એક ચમચી મીઠું અને ખાંડ મોંમાં નાખી દો. ધારો કે વ્યક્તિ ગળી શકે એમ ન હોય તો જીભ પર મીઠું અને ખાંડ મૂકી રાખો.

થોડીક સ્વસ્થતા આવે એટલે એને ખૂબ બધી ખાંડ, મીઠું અને લીંબુવાળું પાણી પીવડાવવું જોઇએ. બીપી સામાન્ય થયા પછી જ્યૂસ, ભાખરી અને બટર અથવા તો ચોકલેટ જેવી વસ્તુઓ ખાઈને અડધોથી એક કલાક સુધી વ્યક્તિએ સંપૂર્ણ આરામ કરવો.

અવારનવાર બીપી લો થવાનાં કારણો:-

૧. ડિહાઇડ્રેશન
ભૂખ્યા રહેવાને કારણે અથવા તો ઝાડાઊલટી થવાને કારણે શરીરમાંથી પાણી અને ક્ષારોનું પ્રમાણ ઓછું થતાં બીપી લો થઈ જાય.

૨. એનિમિયા
શરીરમાં લોહીનું પ્રમાણ અથવા લોહીમાં રહેલા હીમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય ત્યારે બીપી લો થઈ જાય છે.

૩. હૃદયના રોગો
હાર્ટઅટેક, હાર્ટફેલ્યર, હૃદયના વાલ્વની બીમારીને લીધે હૃદય ધીમું પડવાને કારણે પણ બલ્ડ પ્રેશર ઓછું થઈ જાય.

૪. અન્ય કારણો
ઈજા, એક્સિડન્ટ, જઠરમાં પડેલાં ચાંદાંમાંથી રક્તસ્ત્રાવ અને યકૃતના રોગોમાં પણ બીપી લો થઈ જાય છે. થાઇરોડ, એડ્રીનલ ગ્રંથિ કે ડાયાબિટીસમાં લો બ્લડશુગરને કારણે પણ બીપી લો થઈ શકે છે. વધુ પડતી માત્રામાં આલ્કોહોલનું સેવન કરવાથી અચાનક જ બીપી લો થઈ જાય છે. ખોરાકની, વસ્તુઓની કે દવાની એલર્જીને કારણે આમ થઈ શકે.

દર્દીએ રાખવાની કાળજી

વારંવાર બીપી લો થવાની તકલીફ રહેતી હોય તેમણે આલ્કોહોલ ક્યારેય ન પીવો. ત્રણ કલાકથી વધુ ભૂખ્યા ન રહેવું. સાથે હંમેશાં મીઠું અને ખાંડની પડીકી રાખવી, જેથી થોડુંક પણ બીપી લો જેવું લાગે એટલે તરત જ લઈ શકાય. જો વારંવાર બીપી લો થતું હોય તો બ્લડટેસ્ટ, કિડનીટેસ્ટ, છાતીનો એક્સરે, પેશાબની તપાસ, થાઇરોડ ગ્રંથિના ક્ષારો કે હૃદયની તપાસ માટે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કે સ્ટ્રેસટેસ્ટ કરાવી લેવી જોઇએ.

લો બીપી માટે કેટલાંક આયુર્વેદિક ઉપાય-

– લો બીપી ધરાવતા લોકોને ક્યારેક જમ્યા પછી કે ભુખ્યા પેટે ઉભા ઉભા પણ ચક્કર આવે છે. ત્યારે માત્ર બે ગ્લાસ પાણી પીવાથી બીપી નૉર્મલ થઈ જાય છે.

– ગાજરનો તાજો રસ એના જેટલા જ દુધમાં મેળવી દરરોજ સવારે લેવાથી લો બ્લડપ્રેશરની સમસ્યા દૂર થાય છે. એનું પ્રમાણ પોતાની જરૂરીયાત મુજબ રાખવું.

– ચીત્રકમુળ, અજમો, સંચળ, સુંઠ, મરી, પીપર અને હરડેનું સરખા ભાગે બનાવેલું ચુર્ણ સવાર, બપોર, સાંજ પાણી સાથે લેવાથી લો પ્રેશરની બીમારીમાં જડથી દૂર થાય છે.

હોમિયોપેથીમાં તો લો બ્લડપ્રેશર માટે ઘણી અસરકારક દવાઓ છે. દર્દીનાં લક્ષણોને આધારે અલગ-અલગ દવાઓ અપાય છે. ખૂબ જ થાક લાગતો હોય તો ચાઈના ઓફ નામની દવા ઉપયોગી છે. બંધ ઓરડામાં શ્વાસ લેવાની તકલીફ પડતી હોય તો કાર્બોવેજ નામની દવા આપવામાં આવે છે. નાડીના ધબકારા ધીમા પડી જાય અને સાથે સાથે ચક્કર આવતા હોય તે વખતે વિસ્કમ આલ્બ નામની દવા તાત્કાલિક આપવામાં આવે છે. બી.પી.માં હૃદયના ધબકારા અનિયમિત થવા લાગે અને પાણીની તરસ ના લાગતી હોય ત્યારે જેલ્સેમિયમ કામમાં આવે છે.

એક વાતનું ખાસ ઘ્યાન રાખવું કે હોમિયોપથીની દવાઓ ડોકટરનો સંપર્ક કર્યા પછી તેમના માર્ગદર્શન અનુસાર જ લેવી જોઈએ.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

ઘેર બેઠા ફ્રિમાં શીખો, આખુ વર્ષ રોગમુક્ત રહેવા આયુર્વેદનો આ રસાહાર કોર્ષ..!!!
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….
धरती का अमृत पानी पीने के 10 फायदे और नुकसान ज़रूर जाने…नही जाना तो क्या जाना…!!!
इन 6 उपायों से स्वस्थ रहेगा आपका दिल…!!!
हार्ट अटैक: ना घबराये ……सहज सुलभ उपाय ….!!!
સવાર-સાંજ માત્ર 1 ચમચી અળસીના બીજ ખાઓ, રોગ શું છે ભુલી જશો…!!!

ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!

water4

નવી અને જૂની જીવલેણ બિમારીઓનો ઍક બહુ સરસ અને સાદો ઉપચાર ‘પાણીપ્રયોગ’ નામનો ઍક લેખ ‘જાપાનીઝ સિકનેસ ઍસોસિયેશન’ તરફથી પ્રગટ થયો છે, તેનો સારાંશ નીચે આપ્યો છે.

આ ચમત્કારીક ‘પાણીપ્રયોગ’નાં પરિણામોંનું વૈજ્ઞાનીક પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ, જેનાથી નીચેના રોગો મટી ગયાનું જણાયું હતુ.

માથાનો દુખાવો, બ્લડ પ્રેશર, સંધિવા, લકવો, બેહોશી, બ્લડ કોલેસ્ટ્રોલ, કફ, ખાસી, દમ, ટી. બી., મેંજાઈટિસ, લીવર ને લાગતા રોગો, પેશાબ ને લાગતા રોગો, ઍ સિડિટી, ગૅસ ટ્રબલ, મર ડૉ, કબજીયાત, હરસ, ડાયાબિટીસ, આંખની બિમારીઓ, સ્ત્રીઓનુ અનિયમિત માસિક, પ્રદર, ગર્ભાશય નું કૅન્સર, નાક અને ગળાના રોગો.

પાણી પીવાની રીત:

વહેલી સવારે ઉઠીને મોઢુ ધોયા વગર કે બ્રશ-દાતણ કર્યા વગર ૧૨૫૦ ગ્રામ હુફાળુ પાણી (૪ મોટા ગ્લાસ) ઍક સાથે પી જવુ. તે પછી ૪૫ મિનિટ સુધી કાઇ ખાવુ પીવુ નહી. પાણી પીધા પછી બ્રશ કે દાતણ કરી શકાય. આ પ્રયોગ ચાલુ કર્યા પછી સવારે નાસ્તા પછી અને બપોરે અને રાત્રે જમ્યા પછી બે કલાક પછી પાણી પીવુ અને રાત્રે સુવાના અડધા પહેલા કઈ ખાવુ નહી. બીમાર તથા નાજુક પ્રકૃતિના માણસો ઍક સાથે ચાર ગ્લાસ પાણી પી ના શકે તો ઍક અથવા બે ગ્લાસ થી શરૂઆત કરી, ધીમે ધીમે વધારી ચાર ગ્લાસ સુધી પહોંચવુ.

બીમાર માણસો ઍ સાજા થવા અને તંદુરસ્ત માણસો ઍ બીમાર ન પડવા માટે આ પ્રયોગ કરવો.

પ્રયોગો અને પરીક્ષણ આધારે નીચે જણાવેલ બિમારી સામે જણાવેલ મુદતમાં મટી શકે છૅ.

હાઇ બ્લડ પ્રેશર: ૧ માસમાં
ગૅસ ની તકલીફો: ૨ દિવસ માં
ડાયાબિટીસ: ૧ અઠવાડિયામાં
કબજીયાત: ૨ દિવસ માં
કૅન્સર: ૧ માસ માં
ટી. બી.: ૩ માસ માં

નોધ: ચાર ગ્લાસ પાણી પીવાથી કોઈ આડ અસર થતી નથી. શરૂઆત માં ત્રણેક દિવસ પેશાબ કરવા વધારે વખત જવુ પડે છૅ. ત્યાર બાદ રેગ્યુલર થઈ જાય છે.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

WHATSAPP યુઝર્સને માટે કામની હોઇ શકે છે આ 10 સીક્રેટ ટિપ્સ
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
ઘેર બેઠા ફ્રિમાં શીખો, આખુ વર્ષ રોગમુક્ત રહેવા આયુર્વેદનો આ રસાહાર કોર્ષ..!!!
30 દિવસનો ખાસ ઉપાય, હાઈટ નાની હોય કે વધતી ન હોય તો અજમાવો લો.

10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી

 

tambaku2

તમાકુ એક એવું ઝેર છે જેને કોઇ પણ સ્વરૂપે શરીરમાં દાખલ કરો એ શરીરને નુકસાન કર્યા વગર નહીં રહે. તમાકુને ચાવો તો મોઢા અને ગળામાં, સુંઘો તો નાકમાં અને ફૂંકો તો ફેફસાંમાં ચેપથી માંડીને કેન્સર સુધીના અનેક રોગો ઉદભવે છે.

આખા વિશ્વમાં દર વર્ષે આશરે ત્રીસ લાખ લોકોનું મોત તમાકુના સેવનથી થાય છે અને જો તમાકુનો વપરાશ આ રીતે વધતો રહેશે તો આવતાં ત્રીસ વર્ષમાં તમાકુના કારણે થતાં વાર્ષિક મૃત્યુનો આંક સિત્તેર લાખને આંબી જશે! પરંતુ શું તમે જાણો છો કે અજ્ઞાન કે ગેરસમજણને કારણે વ્યસનમાં સપડાયેલા વ્યક્તિ અનેક પ્રયત્નો છતાં જલદીથી વ્યસનમુક્ત થઇ શકતો નથી. આવા વ્યસનને કારણે ફેફસાંનું કેન્સર, શ્વાસનળીનું કેન્સર, અન્નનળીનું કેન્સર, મોં-ગળાનું કેન્સર, જીભનું કેન્સર, ગર્ભદ્વારનું કેન્સર, થાઈરોઈડ કેન્સર જેથી આજે અમે તમાકુના સેવનથી થતાં રોગો, તમાકુને છોડવા માટેના સરળ 10 રસ્તા અને તમાકુ છોડવાથી થતાં ફાયદાઓ વિશે તમને જણાવીશું.

જ્યારે એકાદ મોટો વિમાન કે ટ્રેન અકસ્માત થાય ત્યારે આખા જગતમાં હો હા મચી જાય છે, પણ ભાગ્યે જ કોઇને ખબર હશે કે આખા વર્ષ દરમ્યાન થતા ટ્રાફિક અકસ્માતમાં કમોતે મરતા લોકો કરતાં પાંચ ગણા વધુ લોકો તમાકુથી કમોતે મરે છે. દુર્ભાગ્યે ટ્રાફિક અકસ્માતથી મરનાર વ્યક્તિઓની જેમ તમાકુથી કમોતે મરનાર વ્યક્તિની નોંધ પણ કોઇ વર્તમાનપત્ર આપતું નથી, ન તો કોઇ આવા ફોટા સાથે શ્રદ્ધાંજલિ આપે છે!

તમાકુથી માત્ર કેન્સર જ થાય છે એવું નથી. તમાકુના કોઇ પણ પ્રકારના વ્યસનથી થતાં અપમૃત્યુમાંથી અડધો અડધ તો હ્રદયરોગનો શિકાર બન્યા હોય છે. બીડી-સિગરેટ ન પીતા માણસ કરતાં બીડી-સિગરેટ પીનારા માણસને હ્રદયરોગ થવાની શક્યતા ૬૦-૭૦% વધારે રહે છે. વળી, હ્રદયની જે બીમારી અન્ય લોકોમાં મોટી ઉંમરે જોવા મળે છે, તે તમાકુના વ્યસનીઓમાં ૩૫ થી ૫૪ વર્ષ જેટલી નાની વયે જોવા મળે છે. આમ, ભરયુવાનીમાં હ્રદયરોગથી મૃત્યુ થવાના કિસ્સા પણ તમાકુના વ્યસનીઓમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે.

તમાકુથી ઉદભવતા રોગો:

કેન્સર : ફેફસાંનું કેન્સર, શ્વાસનળીનું કેન્સર, અન્નનળીનું કેન્સર, મોં-ગળાનું કેન્સર, જીભનું કેન્સર, ગર્ભદ્વારનું કેન્સર, થાઈરોઈડ કેન્સર.

શ્વસનમાર્ગના રોગો : બ્રોન્કાઇટીસ, એમ્ફાઇસીમા, વારંવાર શ્વસનમાર્ગનો ચેપ, અસ્થમા (દમ)નો હુમલો નોતરવો.

હ્રદયના રોગો : એન્જાઇના પેકટોરીસ, હાર્ટએટેક, એથેરોસ્કેલેરોસીસ.

પાચનતંત્રના રોગો : એસિડિટિ, પેપ્ટીક અલ્સર, મોં માં ચાંદાં પડવાં, દાંતને નુકસાન.

ચેતાતંત્રના રોગો : પેરાલિસિસનો હુમલો; અંધત્વ.

પ્રજનનતંત્રના રોગો : પ્રજનનશક્તિમાં ઘટાડો, ઓછા વજનવાળું નબળું બાળક, ખોડખાંપણવાળું બાળક, મંદબુદ્ધિનું બાળક.

તમાકુ છોડવાનાં સરળ પગથિયા:

– તમાકુ છોડવાની તારીખ નકકી કરો. જયારે ખૂબ ટેન્શન ન હોય અને છતાં કામમાં ગુંથાયેલા હો એવો કોઇક દિવસ અગાઉથી નકકી કરી એ દિવસને વળગી રહો. એ દિવસે તમાકુનો સદંતર ત્યાગ કરવાનું નકકી રાખો-મનને એ રીતે તૈયાર કરો.

– ફરીથી તમાકુ ખાવાનું મન ન થાય એ માટે એની કોઇ પેદાશ પોતાની પાસે કે ઘરમાં રાખો નહીં ઘરમાં હાજર બધી પેદાશો – એશટ્રે – થૂંકદાની વગેરેને તિલાંજલિ આપી દો.

– પુષ્કળ પાણી પીઓ. તમાકુની તલપ લાગે ત્યારે પાણી પીઓ. જરૂર પડયે ડોકટરની સલાહથી નિકોટીન-યુકત દવા કે પેચનો વપરાશ કરો. થોડુંક માથું દુ:ખે કે ગળું બળે તો ખુશ થાઓ- એ દર્શાવે છે કે તમારું શરીર તમાકુની જીવલેણ પકડમાંથી છૂટી રહ્યું છે. તમાકુ છોડીને તમારો જીવ બચાવવાના લાભની સામે સામાન્ય માથું દુ:ખે કે હાથપગ દુ:ખે તો એ કંઇ મોટી વાત નથી. એક-બે અઠવાડિયામાં બધી જ શારીરિક તકલીફ નાબૂદ થઇ જશે અને તમારું શરીર તમાકુની પાશવી જાળમાંથી છૂટી જશે.

– કસરત કરો – ચાલવું-દોડવું, સાયકલ ચલાવવી, દોરડાં કૂદવાં જે ઇચ્છા પડે તે શરીર શ્રમની પ્રવૃત્તિ કરો. જેટલી વધુ કસરતો કરશો એટલી વધુ કરવાનું મન થશે અને તમે સ્વસ્થ રહેશો.

– હકારાત્મક વિચાર કરો. નિયમિત યોગાસન-ધ્યાન કરો. તમારા સ્વજનને કહી રાખો કે કદાચ તમે ચિડાઇ જાઓ તો શાંત રહે. સંતો, તથા તમને ગમતાં સ્વજનોને વારંવાર મળતા રહો એમની હૂંફ તમને કામ આવશે. તમારી સમસ્યા ખુલ્લા દિલે સ્વજનો સાથે ચર્ચતા રહો…

– રૂટીન કામકાજમાં કંઇક બદલાવ લાવો. દિવસની પહેલી બીડી-સિગરેટ કે ગુટખા જેની સાથે સંકળાયેલ હોય એ વસ્તુને રૂટીનમાં આગળ પાછળ કરી દો. કોફી-દારૂ પીનારાને જલદી બીડી-સિગરેટ યાદ આવે છે. માટે આ બંને વ્યસન પણ ઘટાડી દો.

– એક બીડી-સિગરેટ પણ ઘણી વધારે છે એ ભૂલશો નહીં. લાલચને કાબૂમાં રાખો. માત્ર એક જ સિગરેટ, આગના એક તણખલાની જેમ બધી મહેનત નકામી કરી નાંખે છે. એક જ સિગરેટ પીવાનો આગ્રહ કે લાલચ ન રાખો. એક સિગરેટ બીજી ઘણીને ઘુસાડશે.

– બીડી-સિગરેટ ન પીવાથી થતી બચતોથી તમારી જાત માટે તમને ગમતી વસ્તુ ખરીદો-માણો. છ મહિનાની બચત ભેગી કરી પ્રવાસનું આયોજન કરો.

– બીડી-સિગરેટ પીવાના સમયે કંઇક ખાવાનું મન થાય તો ફળો ખાવામાં લો. ફળો ખાવાથી સ્વાદ ગમશે અને વજન પણ નહિ વધે.

– એક તમાકુમુક્ત દિવસ એ એક સિદ્ધિ જ છે. આજનો દિવસ તમાકુમુક્ત ગયો એનો આનંદ થવો જોઇએ. કાલની અને બાકીની આખી જિંદગીની ચિંતા ન કરો. એક એક દિવસ કરતાં તમે કાયમ માટે તમાકુ છોડી શકશો.

તમાકુ છોડવાના ફાયદાઓ:

– તમાકુ છોડયા પછી થોડા જ દિવસમાં સ્વાદ અને ગંધ પારખવાની ક્ષમતામાં વધારો થાય છે.

– મોંની ખરાબ એશ-ટ્રે જેવી વાસ દૂર થાય છે.

– આયુષ્ય રેખા વધે છે. તમાકુ છોડનારાઓનું સરેરાશ આયુષ્ય તમાકુ લેવાનું ચાલુ રાખનારાઓ કરતાં લાંબું હોય છે. પચાસ વર્ષની ઉંમર પહેલાં બીડી-સિગરેટ છોડી દેનાર વ્યક્તિની આવતાં પંદર વર્ષોમાં મૃત્યુ થવાની શકયતા બીડી-સિગરેટ પીવાનું ચાલુ રાખનારા કરતાં અડધી થઇ જાય છે.

– તમાકુ છોડયા પછી એક જ વરસમાં હ્રદયરોગ થવાની શકયતા અડધી થઇ જાય છે. તમાકુ છોડનારાઓને કેન્સર, હ્રદયરોગ, દમ કે પેરાલીસીસનો હુમલો આવવાની શકયતા ઘણી ઘટી જાય છે. દસ થી ચૌદ વર્ષ તમાકુમુક્ત રહ્યા પછી, આ રોગો થવાની શકયતા કદી તમાકુનું સેવન ન કરનારા જેટલી થઇ જાય છે.

– આર્થિક ફાયદાઓ – બચત વધે અને રોગો પાછળ થતા ખર્ચાઓ ઘટે.

– સામાજિક ફાયદાઓ – સામાજિક સ્વીકૃતિ અને પરિવારનું સ્વાસ્થ્ય સુધરે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

WHATSAPP યુઝર્સને માટે કામની હોઇ શકે છે આ 10 સીક્રેટ ટિપ્સ
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
ઘેર બેઠા ફ્રિમાં શીખો, આખુ વર્ષ રોગમુક્ત રહેવા આયુર્વેદનો આ રસાહાર કોર્ષ..!!!
30 દિવસનો ખાસ ઉપાય, હાઈટ નાની હોય કે વધતી ન હોય તો અજમાવો લો.

આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો

swine9

સ્વાઈન ફ્લૂ એક એવી બીમારી જેણે છેલ્લા કેટલાય સમયથી રાજ્યભરમાં કાળો કેર વર્તાયો છે. મોટાભાગના લોકો સ્વાઈન ફ્લૂ શું છે, કઈ રીતે થાય છે, તેના લક્ષણો શું છે એ જ નથી જાણતા. આ એક પ્રકારનો ઘાતક વાયરસ છે જે ધીરે-ધીરે સમગ્ર દુનિયામાં ફેલાઈ ગયો છે.

આ એક પ્રકારનો સંક્રામક રોગ છે. આ રોદ એન્ફ્લૂએન્ઝા એ વાયરસને કારણે થાય છે. આ પ્રકારનો વાયરસ મોટાભાગે ભુંડમાં જોવા મળતો હોય છે જેથી આને સ્વાઈન ફ્લૂ કહેવાય છે. આજે અમે તમને સ્વાઈન ફ્લૂ સંબંધી તમામ જાણકારી અને તેનાથી બચવાના સટીક ઉપાયો પણ બચાવીશું. જો તમે પોતાને અને તમારા ઘરને આ રોગથી બચાવીને રાખવા માગતા હોવ અજમાવો અહીં જણાવેલા ઉપાય.

એચવનએનવન (સ્વાઈન) ફ્લૂ આખરે શું છે ?

એચવનએનવન (H1N1) એક એવો વાયરસ છે જેના કારણે લોકો બીમારીનો ભોગ બને છે. હકીકતમાં આ વાયરસના લક્ષણો એપ્રિલ- 2009માં યુ.એસમાં મળી આવ્યાં હતાં. અન્ય શહેરો જેવા કે, મેક્સિકો અને કેનેડામાં પણ આ વાઈરસના કારણે અસંખ્ય લોકો તાવમાં સપડાયાં હતાં. આ એક વાયરસ છે જેનો ચેપ લાગવાથી તે અત્યત ઝડપી રીતે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પ્રવેશી જાય છે.

માર્ચ-2009 ના અંતમાં અને એપ્રિલ માસની શરૂઆતમાં સ્વાઈન ફ્લૂ ઈંફ્લુએન્ઝા એ (H1N1) દક્ષિણ કેલિફોર્નિયા અને સેંટ એન્ટોનિયો (ટેક્સાસ)માં પ્રવેશ કર્યો. શરૂઆતી તબક્કામાં એ જાણવું ખુબ જ મુશ્કેલ રહ્યું કે, વ્યક્તિ આ વાયરસનો ભોગ બન્યો છે. બધા એવું જ માનતા આ તો સામાન્ય તાવના લક્ષણો છે પરંતુ જ્યારે આ તાવ લાંબા સમય સુધી તેમના શરીરમાંથી ન નિકળ્યો ત્યારે તેઓને તેની ગંભીરતા સમજાઈ. આ વાયરસે 65 વર્ષથી વધુ વયના લોકોને, પાંચ વર્ષની નીચેની ઉમરના બાળકોને,સગર્ભા સ્ત્રીઓને પોતાના નિશાને લીધા.

એચવનએનવન એક જીવલેણ વાયરસ છે જેના વિષે દેશ-વિદેશના ઘણા બધા લોકો જાણતા નથી. આ વાયરસ તાવના વાયરસથી બિલકુલ મળતો આવે છે. અહીં પણ દરદી સામાન્ય તાવ, કફ, ગળામાં ખરાશ, શરીરમાં તોડ, માથાનો દુખાવો અનુભવે છે. એચવનએનવનના કારણે કેટલાક લોકોને આ વાયરસના કારણે ઝાડા-ઉલટી અને ન્યૂમોનિયા પણ થઈ જાય છે.

બાળકોમાં જો નીચે મુજબના લક્ષણો જણાઈ આવે તો સમજી લેવું કે, તેઓ પણ સ્વાઈન ફ્લૂથી ગ્રસિત છે.

– ઝડપથી શ્વાસ લેવો અથવા શ્વાસ લેવામાં પરેશાની
– વારંવાર ઉલટી થવી
– ચાલી ન શકવું, ક્રિયા પ્રતિક્રિયા ન આપવી
– મૂંઝવણ અને વારંવાર રડવું
– તાવ અને શરદીનો ભોગ બનવું
– પૂરતું પ્રવાહી ન પીવું

વયસ્કોમાં સ્વાઈન ફ્લૂના લક્ષણોના ચિન્હો

– શ્વાસ લેવામાં પરેશાની
– પેટ અને છાતીમાં દબાણ- દુ:ખાવાની ફરિયાદ
– ગભરાહટ
– વારંવાર ઉલટી થવી
– અચાનક ચક્કર આવવા

તમે એચવનએનવન (સ્વાઈન) ફ્લૂ વાયરસને કેવી રીતે પકડી શકશો ?

એચવનએનવન (સ્વાઈન) ફ્લૂ વાયરસ મુખ્યત્વે સિઝનલ ફ્લૂના વાયરસને મળતો આવે છે. આપણે જાણીએ છીએ કે, મોસમી તાવ શરદી-ઉધરસના થકી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. કેટલીક વખત આ વાયસરથી ગ્રસિત કોઈ વ્યક્તિનું મોઢુ, નાક કે શરીરના અન્ય અંગોને સ્પર્શવાથી પણ સામેવાળી વ્યક્તિને તેનો ચેપ લાગે છે.

આ બીમારીથી કઈ રીતે બચી શકાય?

અહીં કેટલાક સાવચેતીમાં રાખવા જેવા પગલાઓ ઈંડિયન મેડિકલ એસોસિએશને આપ્યા છે જેનું આ રોગથી ગ્રસિત દરદીઓએ અનુસરણ કરવું જોઈએ.

– જ્યારે પણ ઉઘરસ અથવા શરદી આવે ત્યારે આપનું મોઢુ અને નાક ટિસ્યૂ પેપર વડે ઢાકી દો. બાદમાં તેને ફેંકી દો.

– શરદી-ઉઘરસ બાદ આપના હાથ ગરમ પાણી અને સાબુ વડે ઘોવાનું ન ભૂલશો. આલ્કોહોલ ધરાવતા હેન્ડ ક્લિનર વધુ ફાયદાકારક રહેશે.

– બની શકે તો તમારી આંખ, નાક અને મોઢાને સ્પર્શવાનું ટાળો કારણ કે કિટાળુઓ આ માર્ગેથી જ ફેલાય શકે છે.

-બીમારીથી પીડિત અન્ય લોકોથી થોડા દૂર જ રહો

– જો તમે બીમાર હોય તો ઘરમાં રહો અને બહાર જવાનુ ટાળો. ઓફિસે અને સ્કૂલે જવાની બિલકુલ પણ જરૂરિયાત નથી કારણ કે, તમારા બહાર જવાથી અન્ય લોકોમાં પણ આ વાયરસ ફેલાવાની ભીતિ રહેશે.

શું અંતર છે સામાન્ય શરદી-ઉધરસ અને ફ્લૂમાં?

સામાન્ય શરદી-ઉધરસ સિવાય ફ્લૂમાં તાવ, હાથ-પગ અને કમરમાં દુ:ખાવો, માથાનો દુ:ખાવો, થકાવટ વગેરે જેવા લક્ષણો એકદમ વધારે સ્થિતિમાં એકસાથે દેખાય છે.

કેવી રીતે અંતર જાણશો?

સ્વાઈન ફ્લૂને સાધારણ ફ્લૂના લક્ષણોને ધ્યાનમાં રાખીને અંતર જાણવું શક્ય નથી. પરંતુ કોઈ એવી વ્યક્તિના સંપર્કમાં આવવાથી જેને સ્વાઈન ફ્લૂ હોય, તો તેની શંકા વધી જાય છે.

શું ભુંડના (સ્વાઈન)ના સંપર્કમાં આવવાથી થઈ શકે છે?

ફ્લૂ વાયરસના સંક્રમણની શરૂઆતના તબક્કામાં આ ભ્રમ થાય છે કે, શું આ તે જ ફ્લૂ છે જે ભુંડમાં હોય છે. પરંતુ આ નવો વાયરસ છે. જેથી કરીને ભુંડના સંપર્કમાં આવવાથી કે તેનું માંસ ખાવાથી આ ફેલાતો નથી.

સ્વાઈન ફ્લૂ કેવી રીતે ફેલાય છે?

– સંક્રમિત વ્યક્તિ દ્વાર ઉધરસ કે છીંક ખાવાથી.

– તે વસ્તુઓને અડવાથી જેને સંક્રમિત વ્યક્તિ અડી હોય. સંક્રમિત વ્યક્તિ પોતાની અંદર આના લક્ષણો દેખાયાના એક દિવસ પહેલાં અને સાત દિવસ સુધી આને ફેલાવી શકે છે.

કેવી રીતે રક્ષણ કરશો?

– શક્ય હોય ત્યાર સુધી હાથ સાબુથી જ ધુઓ.

– જો સાબુ ન હોય તો આલ્કોહોલ આધારિત ક્લિનર વડે હાથને ધુઓ.

– સંક્રમિત વ્યક્તિ અથવા એવી વ્યક્તિ જેનામાં સ્વાઈન ફ્લૂની શંકા હોય, તેનાથી ઓછામાં ઓછી છ ફૂટની તો દૂરી રાખો.

– જો તમને પોતાની અંદર પણ સ્વાઈન ફ્લૂ જેવા લક્ષણો દેખાતા હોય તો ઘરમાં રહો.

– જો સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવું પડે તેવું હોય તો ફેસ માસ્ક અથવા રેસ્પિરેટર પહેરો.

– સ્તનપાન કરાવનારી માતા પોતે સંક્રમિત હોય તો બાળકને દૂધ ન પીવડાવવું.

– ઉધરસ અને છીંક આવે તો ટીસ્યુ પેપરનો ઉપયોગ કરો અને તેને તુરંત જ ડસ્ટબીનમાં ફેંકો.

– ભીડવાળી જગ્યાએ ન જશો.

– વધારે માત્રામાં પાણી પીવો.

– ભરપૂર ઉંઘ લો, આનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

શું ફેસ માસ્ક કે રેસ્પિરેટરથી બચાવ શક્ય છે?

આના ઉપયોગથી અમુક હદ સુધી બચાવ શક્ય છે. રેસ્પિરેટર માસ્ક વધારે પ્રભાવશાળી છે. સાથે સાથે તે વધારે પ્રભાવશાળી રીતે દૂર પણ રાખે છે.

શું તાજેતરના વેક્સિંગ વડે બચાવ શક્ય છે?

ના. સાધારણ ફ્લૂ વેક્સિંગથી સ્વાઈન ફ્લૂનો બચાવ શક્ય નથી.

આને માટે કોઈ દવા છે?

હા. આસિલટેમાવિર (ટેમીફ્લૂ) નામની દવા જો લક્ષણ શરૂ થાય તેના 48 કલાકની અંદર જ શરૂ કરી દેવામાં આવે તો મદદગાર સાબિત થઈ શકે છે.

સ્વાઈન ફ્લૂથી બચવાના ઘરેલુ ઉપાય:

થાયમોલ, મેથોલ, કૈફર(કપૂર) ને બરાબર માત્રામાં ભેળવીને તૈયાર ‘યુ વાયરલ’ ના મિશ્રણના ટીંપાને જો રૂમાલ કે ટીસ્યુ પેપર પર નાંખીને લોકો સુંઘે તો ભીડમાં માસ્ક પહેરીને જવાની કોઈ જરૂરત નથી પડતી.

100 મિલી પાણીમાં ત્રણ ગ્રામ લીમડો, ગિયોલ, ચિરૈતાની સાથે અડધો ગ્રામ કાળા મરી એક ગ્રામ સુંઠનો ઉકાળો બનાવીને પીવાથી પણ ખુબ જ લાભદાયક રહે છે. આ વસ્તુઓને પાણીની સાથે ત્યાર સુધી ઉકાળવાની, જ્યાર સુધી તે 60 મિલી ગ્રામ જેટલી ન રહી જાય. આને એક અઠવાડિયા સુધી રોજ સવારે ખાલી પેટે પીવાથી શરીરની અંદર સ્વાઈન ફ્લૂની સામે લડવા માટેની જરૂરી પરિરક્ષણ ક્ષમતા ઉત્પન્ન થઈ જાય છે.

ત્રિફળા, ત્રિકાટુ, મધુયાસ્તી અને અમૃતાને સમાન માત્રામાં લઈને તેને એક ચમચી જેટલું લેવાથી પ્રતિરોધક ક્ષમતા વધી જાય છે. આનાથી તાવ પણ ઓછો થઈ જાય છે. આ દવાને ખાધા પછી બે વખત લેવાથી ફાયદો થાય છે.

સૌજન્ય: દિવ્ય ભાસ્કર


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

ઘેર બેઠા ફ્રિમાં શીખો, આખુ વર્ષ રોગમુક્ત રહેવા આયુર્વેદનો આ રસાહાર કોર્ષ..!!!
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….
धरती का अमृत पानी पीने के 10 फायदे और नुकसान ज़रूर जाने…नही जाना तो क्या जाना…!!!
इन 6 उपायों से स्वस्थ रहेगा आपका दिल…!!!
हार्ट अटैक: ना घबराये ……सहज सुलभ उपाय ….!!!
સવાર-સાંજ માત્ર 1 ચમચી અળસીના બીજ ખાઓ, રોગ શું છે ભુલી જશો…!!!

સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…

માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ

aadu4

આદુમાં અઢળક ઔષધિય ગુણો સમાયેલા છે આ વાત મોટાભાગના લોકો જાણતા જ હશે. એટલે તો આદુનો અનેક વસ્તુઓમાં ઉપયોગ કરવામાં આવે છે. આદુને રોગોનું મારણ માનવામાં આવે છે. આમ તો આદુની તાસીર ગરમ હોય છે જેથી ઠંડીમાં આદુવાળી ચા પીવાના ફાયદા જ ગજબના છે. હવે ઠંડીની શરૂઆત થઈ રહી છે. તો તમે મન મૂકીને આદુવાળી ચા પી શકો તે પહેલાં અમે તમને તેના અદભુત લાભ જણાવીશું.

આદુવાળી ચા પીવાના ફાયદા બહુ ઓછા લોકો જાણે છે આદુમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે. આદુ પાચન શક્તિને મજબૂત બનાવે છે અને શ્વાસ સંબંધી સમસ્યાને દૂર કરે છે એટલુ જ નહી પણ શરીરના તમામ અંગોને આદુવાળી ચા પીવાથી કોઈને કોઈ ફાયદા મળે જ છે. જો તમે પણ ચા પીવાના શોખીન છો તો તેમાં આદુ નાંખીને ચા પીવાના શું ફાયદા છે તે જાણવુ જ જોઈએ.

આયુર્વેદિક ફાયદા-

આયુર્વેદમાં કહેવામાં આવ્યુ છે કે આદુવાળી ચા પીવાથી શરીરમાંથી વાત,પિત્ત અને કફ જેવા દોષ દૂર થઈ જાય છે અને તેના કારણે પેદા થતાં અનેક રોગો સામે રક્ષણ મળે છે. જેથી હવેથી માત્ર આદુવાળી ચા પીઓ અને સ્વસ્થ રહો.

શરદી-ખાંસી થાય દૂર-

જો તમને કાયમ શરદી રહેતી હોય અને અથવા તો ખાંસી રહેતી હોય, તેના કારણે તમે બેચેની અનુભવતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આદુવાળી ચા તમારી આ સમસ્યાને કાયમી દૂર કરી દેશે કારણ કે આદુવાળી ચા પાવીથી તમને ગરમી મળશે અને શરદી ખાસીમાં રાહત થશે.

ભુખ ઉઘડશે-

ઘણા લોકોને કોઈ પણ જાતની બીમારી વગર ભુખ ન લાગવાની સમસ્યા રહેતી હોય છે.જે લોકોને આ સમસ્યા હોય તેમણે નિયમિત રીતે આદુવાળી ચા પીવી જોઈએ.આદુ વાળી ચા પીવાથી ભુખ ઉઘડે છે.આદુ વાળી ચા શરીરમાં પ્રવેશતાની સાથે જે પાચન ક્રિયા માટે નિયમિત રીતે એન્ઝાઇમ રિલીઝ કરે છે. જેનાથી ભુખ વધી જાય છે.

પાચન બને મજબુત-

જો તમારી પાચન ક્રિયા નબળી હોય તો ખાવાનુ યોગ્ય રીતે પચતું નથી. જેના કારણે કબજીયાતની સમસ્યા ઉભી થાય છે. આદુ એ પાચ્ય પદાર્થની ગણનામાં અગ્રેસર છે. શરીરમાં પ્રવેશતાની સાથે જ અન્ય વાયુ છુટો કરે છે. જેના કારણે તમારી ડાયેજેસ્ટ સિસ્ટમ યોગ્ય રીતે થતા કબજીયાતની સમસ્યા દૂર થાય છે.

આળસ થાય દૂર-

આદુ શરીરમાં ઉર્જા ભરવાનુ કામ કરે છે.આદુ વાળી ચા પીવાથી શરીરમાં આખો દિવસ ઉર્જા બની રહે છે. રોજ આદુ વાળી ચા પીઓ અને પછી જુઓ દિવસ ભર પહેલા કરતા પણ કેટલા વધારે એક્ટીવ રહો છો.તાજગી સભર શરીર માટે આદુને આયુર્વેદ પણ કરે છે સાલમ.

શરીરની પ્રાણાલીને રાખે મદમસ્ત-

ઠંડીની મોસમાં શરીર ઠુઠવાઈ ન જાય તે માટે આપણા વડવાઓ આદુથી ભરપુર વસાણા ખાતા અને ખવડાવતા. આજે પણ ગુજરાતમાં શિયાળામાં શરીરને ગરમી બક્ષતા વસાણા ખાવાની પરંપરા છે.આદુનો ઉપયોગ ન માત્ર શરદી-ખાંસી દૂર કરે છે પણ શકીકની સંચાર પ્રાણાલીને પણ અંદરથી ગરમ બનાવે છે.

વધતી ઉંમરને રોકે છે-

આદુમાં એન્ટી ઓક્સિડેન્ટ ભરપુર માત્રામાં હોય છે જે એન્ટી એંજીગ રોકે છે અને તમારી ત્વચા પર થતી કરચલીઓ પણ દૂર કરે છે.મોટાભાગના લોકોને આ સમસ્યા હોય છે કે ઉંમર વધવાની સાથે ચામડી લચી પડે છે.જો તમે પણ આવી સમસ્યાથી પીડાતા હો તો તમારે આદુ યુક્ત ચા પીવાનુ શરૂ કરવુ જોઈએ.આદુમાં ચહેરા પરની કરચલીઓ સાથે એન્ટી એજીંગની સમસ્યાને દૂર કરવાની ગજબની તાકાત રહેલી છે,પણ તેનો ફાયદો ત્યારે જ અનુભવી શકશો જ્યારે તેનો ઉપયોગ કરશો.

ઉબકામાંથી રાહત અપાવે

મુસાફરી કરતાં પહેલાં એક કપ આદુવાળી ચા પીવાથી મોશન સિકનેસ દ્વારા થનારી ઉલટીની સમસ્યા થતી નથી. સાથે જ ઉબકા આવતા હોય તો એક કપ ચા વડે તેનાથી રાહત મેળવી શકાય છે.

પેટને રાખશે ફિટ

આદુવાળી ચા પાચનની પ્રક્રિયાને સારી બનાવવાની સાથે ફૂડના અબ્સોર્પ્શનને વધારે છે અને વધુ ખાધા પછી બ્લોટિંગની સમસ્યામાંથી છુટકારો અપાવે છે.

તણાવમાંથી રાહત અપાવે

આદુવાળી ચામાં શાંત કરવાનો ગુણ જોવા મળે છે, જેથી તમારો તણાવ ઓછો થશે. આમ આદુના સ્ટ્રોંગ એરોમા અને હીલિંગ પ્રોપર્ટીઝના કારણે તણાવમાંથી મુક્તિ મળે છે.

બળતરાને ઓછી કરશે

આદુમાં બળતરાને ઓછી કરવાનો ગુણ જોવા મળે છે, જેનાથી તે મસલ્સ અને સાંધાની સમસ્યાઓમાં થતી બળતરામાં રાહત આપે છે. આ ઉપરાંત આદુવાળી ચા પીવાથી સાંધાની બળતરામાં રાહત મળે છે.

શ્વાસ સંબંધી સમસ્યામાંથી છુટકારો

ઠંડીના સમયમાં નાક બંધ થતાં આદુવાળી ચા ઘણી અસરકારક હોય છે. વાતાવરણની એલર્જીથી થનારી શ્વાસ સંબંધી સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તમે આદુવાળી ચાનું સેવન કરી શકો છો.

બ્લડ સર્કુલેશનને સારું બનાવે

આદુવાળી ચામાં જોવા મળતા વિટામિન, મિનરલ્સ અને અમીનો એસિડ બ્લડ સર્ક્યુલેશનને સારું બનાવવામાં મદદ કરે છે, જેનાથી કાર્ડિયોવેસ્કુલર સમસ્યાની સંભાવના ઓછી થઇ જાય છે. સાથે જ આદુ અર્ટરી પર ફેટને જમા થતા અટકાવે છે. આનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો થતો નથી.

માસિક ધર્મની પરેશાનીમાંથી આરામ અપાવે

જે મહિલાઓ માસિક ધર્મના સમયે દુખાવો થતો હોય ત્યારે આ દુખાવામાંથી છુટકારો મેળવવા માટે મધની સાથે આદુવાળી ચાનું સેવન કરો.

સૌજન્ય: દિવ્ય ભાસ્કર


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

WHATSAPP યુઝર્સને માટે કામની હોઇ શકે છે આ 10 સીક્રેટ ટિપ્સ
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
ઘેર બેઠા ફ્રિમાં શીખો, આખુ વર્ષ રોગમુક્ત રહેવા આયુર્વેદનો આ રસાહાર કોર્ષ..!!!
30 દિવસનો ખાસ ઉપાય, હાઈટ નાની હોય કે વધતી ન હોય તો અજમાવો લો.