પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય

ravan1

-રાવણ સંહિતા અનુસાર સમૃદ્ધ બનવાના કેટલાક તાંત્રિક ઉપાય-

રાવણ, એક નામ જે જગત આખાની બુરાઈનું પ્રતિક છે. લંકાપતિ રાવણની આ વાતો લગભગ બધા જાણે છે કે રાવણે સીતાજીનું હરણ કર્યું. આ કારણે રામે તેનો વધ કર્યો. રાવણના દસ માથા હતા. તેની નાભીમાં અમૃત હતું. વિભિષણ અને કુંભકર્ણ તેના ભાઈ હતા. આ વાતો ઉપરાંત રાવણના કેટલાક એવા ખાસ ગુણો પણ છે તે બહુ ઓછા લોકો જાણે છે, જેમ કે રાવણ બધા શાસ્ત્રોનો જાણકાર અને શ્રેષ્ઠ વિદ્વાન હતો.

રાવણે પણ જ્યોતિષ અને તંત્રશાસ્ત્રની રચના કરી હતી. દશાનને એવા ઘણાં ઉપાય જણાવ્યા છે, જેનાથી કોઈ પણ વ્યક્તિનું કિસ્મત રાતોરાત બદલી શકે છે. જેથી આજે અમે તમને રાવણે જણાવેલા એવા ખાસ ધનપ્રાપ્તિ, માન-પ્રતિષ્ઠા અપાવશે.

ધનપ્રાપ્તિનો ઉપાય – કોઈ પણ શુભ મુહૂર્તમાં કે કોઈ શુભ દિવસમાં શવારે ઝડપથી ઉઠો. ત્યાર પછી નિત્યકર્મોથી નિવૃત્ત થઈને કોઈ પણ પવિત્ર નદી કે જળાશયના કિનારે જાઓ. કોઈ શાંત તથા એકાંત સ્થાન પર વટવૃક્ષની નીચે ચામડાનું આસન પાથરો. આસન પર બેસી ધનપ્રાપ્તિના મંત્રનો જાપ કરો.

ધન પ્રાપ્તિનો મંત્ર – ऊँ ह्रीं श्रीं क्लीं नम: ध्व: ध्व: स्वाहा।

આ મંત્રનો જાપ પને 21 દિવસો સુધી કરવા જોઈએ. મંત્ર જપ માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ કરો. 21 દિવસોમાં વધારેમાં વધારે સંખ્યામાં મંત્રનો જાપ કરો. જેવો આ મંત્ર સિદ્ધ થઈ જશે, આપને અચાનક ધનપ્રાપ્તિ જરૂર કરાવશે.

જો કોઈ વ્યક્તિને ધનપ્રાપ્ત કરવામાં વારંવાર વિઘ્નો આવી રહ્યા હોય તો તેને આ ઉપાય કરવો જોઈએ. આ ઉપાય 40 દિવસો સુધી કરવા જોઈએ. તેને પોતાના ઘર પર જ કરી શકાય છે. ઉપાય અનુસાર ધનની પ્રાપ્તિ મંત્રનો જપ કરવાનો છે. પ્રતિદિન 108 વાર.

મંત્ર – ऊँ सरस्वती ईश्वरी भगवती माता क्रां क्लीं, श्रीं श्रीं मम धनं देहि फट् स्वाहा।

આ મંત્રનો જપ નિયમિત રીતે કરવાથી કેટલાક દિવસો મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થઈ જશે અને આપના ધનમાં આવી રહેલા વિઘ્નો દૂર થવા લાગશે.

શાસ્ત્રો અનુસાર દૂર્વા ઘાસ ચમત્કારી હોય છે. તેનો પ્રયોગ ઘણાં પ્રકારના ઉપાયોમાં કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ સફેદ દુર્વાને કપિલા ગાય એટલે કે સફેદ ગાયના દૂધ સાથે પીસી લો અને તેનું તિલક લગાવો તો તે કોઈ પણ કામમાં નિષ્ફળ થતાં નથી.

મહાલક્ષ્મીની કૃપા તરત પ્રાપ્ત કરવા માટે આ તાંત્રિક ઉપાય કરો.

કોઈ શુભ મુહૂર્ત જેવા દિવાળી, અક્ષય તૃતીયા, હોળી વગેરેની રાતે આ ઉપાય કરવું જોઈએ. રાતના આ ઉપાય શ્રેષ્ઠફળ આપે છે. આ ઉપાય અનુસાર રાતે કંકુ કે અષ્ટગંધાથી થાળી પર અહીં લખવામાં આવેલો મંત્ર લખો.

મંત્ર – ऊँ ह्रीं श्रीं क्लीं महालक्ष्मी, महासरस्वती ममगृहे आगच्छ-आगच्छ ह्रीं नम:।

આ મંત્રનો જપ પણ કરવો જોઈએ. કોઈ સ્વચ્ચ આસન પર બેસીને રૂદ્રાક્ષની માળા કે કમળના ફૂલની માળાતી આ મંત્રનો જાપ કરો. મંત્ર જપની સંખ્યા ઓછામાં ઓછા 108 વાર થવું જોઈએ. વધારેમાં વધારે આ મંત્રની સંખ્યા આપની શ્રદ્ધાનુંસાર વધારી શકાય છે. આ ઉપાયથી આપના ઘરમાં મહાલક્ષ્મીની કૃપા વરસવા લાગશે.

જો તમે દસ દિશાઓમાં એટલે કે ચારેય તરફથી પૈસા પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો આ ઉપાય કરો. આ ઉપાય કરો.

શુભ તિથિઓ જેમ કે દિવાળી, હોળી, નવરાત્રિ, અમાસ, અક્ષય તૃતીયા, પૂનમ અથવા તો શુક્રવારે મહાલક્ષ્મીનું પૂજન કરો. પૂજન કરી સૂઈ જાઓ અને બીજા દિવસે ઝડપથી ઊઠો. નીંદરથી જાગ્યા પછી પલંગ પરથી ઉતરતા નહીં, પણ અહીં આપવામાં આવેલા મંત્રનો જપ 108 વાર કરો.

મંત્ર – ऊँ नमो भगवती पद्म पदमावी ऊँ ह्रीं ऊँ ऊँ पूर्वाय दक्षिणाय उत्तराय आष पूरय सर्वजन वश्य कुरु कुरु स्वाहा।

પથારી પર મંત્રનો જાપ કર્યા પછી દસ દિશાઓમાં દસવાર ફૂંક મારો. આ ઉપાયથી સાધકને ચારે તરફથી પૈસા પ્રાપ્ત થાય છે.

જો તમે દેવતાઓના કોષાધ્યક્ષ કુબેરની કૃપાથી અખૂટ ધન-સંપત્તિ ઈચ્છો છો તો આ ઉપા કરો. ઉપાય અનુસાર આપને અહીં આપેવા આ મંત્રનો જાપ ત્રણ માસ સુધી કરવાનો છે. દરરોજ મંત્રનો જાપ માત્ર 108 વાર કરો.

મંત્રઃ- ऊँ यक्षाय कुबेराय वैश्रवाणाय, धन धन्याधिपतये धन धान्य समृद्धि मे देहि दापय स्वाहा।

મંત્ર જપ કરતા સમયે આપની પાસે ધનલક્ષ્મી કોડી રાખો. જ્યારે ત્રણ માસ થઈ જાય તો આ કોડી તમારી તીજોરીમાં કે જ્યાં આપ પૈસા રાખો છો ત્યાં રાખો. આ ઉપાયથી જીવનભર આપને પૈસાની કમી થશે નહીં.

જો આપને એવું લાગે છે કે કોઈ સ્થાન પર ધન દાટેલુ છે અને આપ તે ધન પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો આ ઉપાય કરો –

દાટેલું ધન પ્રાપ્ત કરવા માટે અહીં આપવામાં આવેલા મંત્રનો જાપ દસ હજાર વાર કરવાનું થશે.

મંત્ર – ऊँ नमो विघ्नविनाशाय निधि दर्शन कुरु कुरु स्वाहा।

દાટેલા ધનના દર્શન કરવા માટે વિધિ આ પ્રકારે છે. કોઈ શુબ દિવે અહીં આપેવા મંત્રનો જાપ હજારોની સંખ્યામાં કરો. મંત્ર સિદ્ધ થઈ ગયા પછી જે સ્થાન પર ધન દાટેલું છે, ત્યાં ધતુરાના બી, હળાહળ, સફેદ ધુધુંચી, ગંધક, મૈનસિલ, ઘૂવડની વિષ્ઠા, શિરીષ વૃક્ષનું પંચાંગ બરાબર માત્રામાં લો અને સરસવના તેલમાં પકાવી લો, ત્યાર પછી તે સામગ્રી દાટેલા ધનની શંકાવાળા સ્થાન પર ધૂપ-દીપ-ધ્યાન કરો. અહીં આપેલા મંત્રનો જપ હજારોની સંખ્યામાં કરો. એવું કરવાથી તે સ્થાનથી બધા પ્રકારની નકારાત્મક શક્તિઓ દૂર થઈ જશે. ભૂત-પ્રેતનો ભય દૂર થશે. સાધકને જમીનમાં દાટેલું ધન જોવા મળશે.

ધ્યાનમાં રાખો તાંત્રિક ઉપાય કરતા સમયે કોઈ વિશેષજ્ઞ જ્યોતિષીની સલાહ જરૂર લો.

જો આપ ઘર કે સમાજ કે ઓફિસમાં લોકોને આકર્ષિત કરવા ઈચ્છો છો તો બિલ્વપત્ર તથા બિજોરા લીંબુ લઈને તેને બકરીના દૂધમાં મેળવી પીસી લો. ત્યાર પછી તેનાથી તિલક લગાવો. એવું કરવાથી વ્યક્તિનું આકર્ષણ વધે છે.

અપામાર્ગના બીને બકરીના દૂધમાં મેળવી પીસી લો, લેપ બનાવો. આ લેપને લગાવવાથી વ્યક્તિનું સમાજમાં આકર્ષણ વધી જાય છે. બધા લોકો તેનું કહેવાનું માને છે.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
આ PHOTO પર કર્સર ફેરવો ને મેળવો તમારી 5 સમસ્યાના ઉકેલ…!!!
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

 

કલકત્તાની નવજાત બાળકી, કમનસીબ માં અને ત્રણ શ્વાનબંધુઓની ૧૯૯૬ની અદભૂત સત્યઘટના.

shwan1

આ અક્લ્પનીય અદભૂત અને હૃદયસ્પર્શી વાત છે ૧૯૯૬ની સાલ ની…!!!

કલકત્તામાં ઍક નવજાત જન્મેલ બાળકીને રાત્રે અંધારામાં તેની કમનસીબ માં ઍ કચરાપેટી ની બાજુમાં મૂકી જતી રહી હતી.

નવજાત બાળકીની આવી સ્થિતિમાં ફરિસ્તા બનીને આવ્યા શહેરના ત્રણ રખડતા કુતરાઓ…!!

આ કુતરાઓ નવજાત બાળકીનુ તેની માંની બદલે તેઓ રખવાળુ કરવા લાગ્યા.

આ ત્રણ કુતરાઓ ઍ ૨૩ મે ની રાત થી ૨૪ મે ની સવાર સુધી ત્યા સુધી સાચવી રાખી જ્યા સુધી ત્યાંના લોકોઍ સવારે ત્યાના બૂર્ટોલ્લા પોલીસ સ્ટેશનમાં સુપરત ના કરી.

કોઈ માણસ સાચવે ઍમ આ ત્રણ શ્વાનબંધુઓ ઍ નવજાત બાળકીના પાલક બન્યા હતા.

તસ્વીરમાં ઍ ત્રણ શ્વાનબંધુઓ તથા નવજાત જન્મેલ બાળકી નજરે પડે છે.


A newborn baby girl was abandoned by a dustbin in Kolkata in 1996. Three street dogs protected her all night from the night of 23rd May, 1996 to 24th May, 1996 morning. The three dogs followed like responsible guardians when some people of the locality rescued the new born baby girl and took her to the Burtolla Police Station.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
ब्रह्मांड के कई ग्रहों पर मौजूद है एलियंस, पुराणों में छिपा है रहस्य…!!!
है क्या ये..!!! आप कल्पना नही कर पाएँगे…!!! NO ONE BELIEVE…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
તમારૂ મગજ માની ના શકે તેવા કલ્પનાતીત તથ્યો…!!!
અચરજ પમાડે તેવા માનવશરીરનાં રહસ્યો…!!!
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
રહસ્યમય ઈશ્વરીય સર્જન તાકાતવર ઍનાકોન્ડાની દુર્લભ તસ્વીર…!!!
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!

 

જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

bank3

આજના સમયમાં લગભગ દરેક પરિવારમાં કોઈ એક વ્યક્તિનું બેક એકાઉન્ટ જરૂર હોય છે. વડાપ્રધાન જનધન યોજનાની શરૂઆત એટલા માટે કરવામાં આવી છે જેથી કરીને વધુમાં વધુ લોકને બન્કિંગ સુવિધા સાથે જોડવામાં આવે. ઘણી વખત જોવામાં આવ્યું છે કે, બેંક તમને સંપૂર્ણ જાણકારી નથી આપતી, અથવા એમ કહો કે તેઓ કેટલીક વાત છુપાવતા હોય છે. અમને તમને આજે જણાવવા જઈ રહ્યા છીએ એવી કેટલીક વાતો જે બેંત તમને જણાવવા નથી ઇચ્છતી.

એટીએમ ટ્રાન્ઝેક્શનની રીસિપ્ટ સાચવવી:
એટીએમ દ્વારા કરવામાં આવેલ દરેક ટ્રાન્ઝેક્શનની રીસિપ્ટ સાચવીને રાખવી જોઈએ, કારણ કે એટીએ એક મશીન જેમાં કરવામાં આવેલ દરેક ટ્રાન્ઝેક્શન માટે સાબિતી હોય છે રીસિપ્ટ. જો મશીન દ્વારા કંઈ ભૂલ તાય તો તે રીસિપ્ટથી તમને મદદ મળી શકે છે.

ઘણી વખત એટીએમ મશીન દ્વારા ટ્રાન્ઝેક્શન તો થઈ જાય છે, પરંતુ રૂપિયા નથી નીકળતા. આવી સ્થિતિમાં તમારે એટીએમની રીસિપ્ટ તમને કામ લાગી શકે છે. તમે તેને બેંકને બતાવી શકો છો અને તમારા નુકસાનની ભરપાઈ માટે કહી શકો છો.

બેંક પહેલા ગ્રાહકોને આવી કોઈ જાણકારી આપતા નથી હોતી. ઘણી વખત આ પ્રકારની જાણકારી આપવાથી ઘણા ગ્રાહકો એટીએમ પર ટ્રાન્ઝેક્શન કરવાથી ડરી જાય છે અને તેઓ ટ્રાન્ઝેકશન નહીં કરે તે કારણે બેંક આ પ્રકારની જાણકારી ગ્રાહકોને જણાવતી નથી.

ડેબિટ કાર્ડ ખોવાઈ જવા પર એકાઉન્ટની સુરક્ષા:
ઘણી વખત લોકો વિચારે છે કે ડેબિટ કાર્ડ રાખવું કે ક્રેડિટ કાર્ડ રાખવું જોઈએ. આ બન્ને કાર્ડના પોત પોતાના ફાયદા અને નુકસાન છે. પરંતુ જો વાત કાર્ડ ખોવાઈ જવાની આવે તો તમારું ક્રેડિટ કાર્ડ વધુ સુરક્ષિત છે.

ઘણી બેંકો તરફથી ક્રેડિટ કાર્ડ પ્રોટેક્શન પ્લાન (CPP) આપવામાં આવે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) તેમાંની એક છે, જે આ પ્રકારની સુવિધા આપે છે. તેના કારણે તમારું કાર્ડ ખોવાઈ જવાની સ્થિતિમાં પણ તમારું ખાતું સુરક્ષિત રહેશે.

તમારી બેંક સાથે વાત કરો અને તેને પુછો કે શું બેંક આ પ્રકારની કોઈ સ્કીમ ઓફર કરે છે. મોટેભાગે જોવામાં આવ્યું છે કે, ઝંઝટોથી બચવા માટે બેંક તેના વિશે ખુદ કંઈ જણાવતી નથી હોતી.

કસ્ટમર પ્રિવિલેજ:
આજના જમાનામાં લગભગ દરેક બેંક પોતાના જૂના ગ્રાહકોને કંઈક ખાસ સુવિધાઓ આપતી હોય છે. ઘણી વખત કેટલાક લોકોને પોતાની લોનનો હપ્તો જમા કરાવવામાં મોડું થઈ જતું હોય છે જેના કારણે તેને દંડ ચૂકવવો પડતો હોય છે.

તમને જણાવીએ કે બેંકો પોતાના જૂના ગ્રાહકોને અન્ય ગ્રાહકોની અપેક્ષા વધુ સુવિધાઓ આપતી હોય છે. એવામાં જો તમે તમારી બેંક સાથે વાત કરો તો તમને ઘણા પ્રકારના દંડ અથવા ફી ચૂકવવામાંથી માફી મળી શકે છે.

વધુ વ્યાજવાળું બેંક ખાતું:
બેંક પોતાના ગ્રાહકોને ઘણાં એવાં ખાતાની ઓફર કરતી હોય છે, જેમાં વધુ વ્યાજ મળતું હોય. તમને જણાવીએ કે બેંક આવા સ્પેશ્યલ એકાઉન્ટ વિશે તમામ ગ્રાહકોને નથી જણાવતી હોતી.

કોઈ બેંક કેટલા પ્રકારના એકાઉન્ટ ઓફર કરે છે અને ક્યા એકાઉન્ટ પર શું ફાયદો છે અને શું નુકસાન છે તેના વિશે પણ તમારે જાતે જ જાણકારી મેળવવી પડે છે. આ રીતે રિસર્ચ કર્યા બાદ જો તમે કોઈ બેંકમાં રૂપિયા જમા કરાવો છો તો તમને વધુ ફાયદો મળવાની સંભાવના વધી જાય છે.

નાનો વ્યવસાય શરૂ કરવા માટે લોન:
જો તમે કોઈ નાનો વ્યવસાય શરૂ કરવા ઇચ્છતા હોવ તો તમારે તેના માટો લોન લેવી હોય તો બહુ મુશ્કેલ થઈ જાય છે. બેંક નાના વ્યવસાય શરૂ કરવા માટે લોન લેનારાઓને લોન આપતા પહેલા બહુ ગભરાય છે. મોટાભાગની બેંક માને છે કે, વ્યાવસાયિકો રૂપિયા પરત કરવામાં આનાકાની કરે છે અને ઘણા કિસ્સામાં તો ભાગી પણ જાય છે. નાના વ્યાવસાયિકોના ડિફોલ્ટ થવાની સ્થિતિમાં રૂપિયા રિકવર કરવાનું કામ પણ ઘણું મુશ્કેલ હોય છે. ઘણા દિવસો સુધી તેની પાછળ દોડવાની સ્થિતિ પણ પેદા થાય છે.

સૌજન્ય: દિવ્ય ભાસ્કર


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
365 WAYS TO GET RICH…!!!
WHATSAPP યુઝર્સને માટે કામની હોઇ શકે છે આ 10 સીક્રેટ ટિપ્સ
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!

મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય

day1

જો તમે આ સપ્તાહમાં કોઈ ખાસ કામ કરવા જઈ રહ્યા હો તો ખાસ ઉપાયો સાથે તમારા દિવસની શરૂઆત કરો. આ ઉપાયોના પ્રભાવથી તમારા કાર્યમાં સફળતાના યોગ વધારે પ્રબળ થઈ જશે. જીવનની બધી પરેશાનીઓ, રૂપિયાની સમસ્યા, ગ્રહદોષ વગેરે દૂર કરી શકે છે. અહિંયા સપ્તાહના દિવસ પ્રમાણે કેટલાક સટીક ઉપાય બતાવવામાં આવ્યા છે. જેનાથી બહુ જલ્દી શુભ ફળ પ્રાપ્ત થાય છે.

આ ઉપાયોથી ધન સંબંધી સમસ્યાઓનો ઉકેલ આવશે. આ પ્રકારે દરેક દિવસે અલગ-અલગ ઉપાયો અપનાવો તો નિશ્ચિત શુભ ફળ પ્રાપ્ત થવા લાગશે. આ ઉપાયોની સાથે મેહનત પણ કરતાંરહેવું.

સોમવાર-

જ્યોતિષ પ્રમાણે સોમવાર ચંદ્રનો દિવસ હોય છે. ચંદ્રમા પાસેથી શુભ ફળ પ્રાપ્ત કરવા માટે આ દિવસે ખીર જરૂર ખાવો જોઈએ. જો કુંડળીમાં ચંદ્ર નીચનો હોય તો સફેદ કપડાં પહેરવા જોઈએ અને શ્વેત ચંદનનું તિલક લગાવવું જોઈએ.

આ સિવાય આ દિવસે સફળતાની પ્રાપ્તિ માટે શિવલિંગ પર કાચુ દૂધ ચડાવો. કાચુ દૂધ એટલે કે ગરમ કર્યા વગરનુ દૂધ. જો આ શકય ન હોય તો ઘરથી નિકળતા પહેલા દૂધ કે પાણી પીવુ. સાથે જ ऊँ श्रां श्रीं श्रौं स: सोमाय नम: મંત્ર બોલી ઘરેથી નિકળો. સફેદ રંગનો રૂમાલ સાથે રાખો. સોમવારે આટલું કરવાથી તમારા બધાં અટકેલા કાર્યો પૂર્ણ થશે અને ધારેલી સફળતા હાંસલ થશે.

મંગળવાર-

મંગળવાર એટલે મંગળની વિશેષ પૂજાનો દિવસ હોય છે. આ દિવસે મસૂરની દાળનું દાન કરો. જે લોકો માંગલિક હોય તેઓ લાલ વસ્તુઓનું દાન ખાસ કરીને કરો. દરેક મંગળવારે કેટલીક રેવડીઓ નદીમાં પ્રવાહિત કરો. ગળ્યો પરોઠો બનાવીને ગરીબ બાળકોનો ખવડાવો.

આ સિવાય મંગળવારના દિવસે જો કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવી હોય તો હનુમાનજીના દર્શન કરીને જ કરવી જોઈએ. કારણ કે મંગળવારને હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે અને હનુમાનજી તમામ મનોકામના પૂર્ણ કરનારા દેવ પણ માનવામાં આવે છે. શક્ય હોય તો નજીકમાં આવેલા હનુમાનજી મંદિરે દર્શન કરી દિવસની શરૂઆત કરવી. સફળતા તમારા કદમ ચૂમશે.

બુધવાર-

બુદ્ધિના દેવતા બુધ ગ્રહનો દિવસ છે બુધવાર. જે લોકોની કુંડળીમાં બુધ અશુભ ફળ આપી રહ્યો હોય તેઓ આ દિવસે આખા મગ ન ખાવા અને તેનું દાન કરો. મંગળવારની રાતથી જ લીલા મગ પલાળીને રાખો અને બુધવારની સવારે આ મગને ગાયને ખવડાવો.

આ સિવાય આ દિવસે ગણેશજીને દૂર્વા અર્પિત કરો.ગણપતિજીને ગોળ ધાણાનો ભોગ ધરાવો. ઘરેથી વરિયાળી ખાઈને નિકળો. ब्रां ब्रीं ब्रौं स: बुधाय नम: મંત્રનો જાપ કરો. લીલા રંગના વસ્ત્ર પહેરો અથવા લીલો રૂમાલ સાથે રાખો. આટલું કરવાથી તમને ધન લાભની સાથે સમૃદ્ધિ પ્રાપ્ત થશે.

ગુરૂવાર-

દેવ ગુરુ બૃહસ્પતિનો દિવસ છે ગુરુવાર. જે લોકોની કુંડળીમાં ગુરુ ગ્રહ સારી સ્થિતમાં ન હોય તે લોકો આ દિવસે કોઈ બ્રાહ્મણને પીળા રંગના વસ્ત્રો દાનમાં આપવા. કઢી-ચોખા પણ ખાવા અને ગરીબ બાળકોને પણ ખવડાવવા.

આ સિવાય જ્યોતિષ અનુસાર ગુરૂવારે ગુરુ ગ્રહની આરાધના માટે સર્વોત્તમ દિવસ છે. આ દિવસે બૃહસ્પતિ ગ્રહ નિમિતે વિષેષ પૂજન કરવુ જોઈએ. આ ઉપરાંત આ દિવસે ભગવાન વિષ્ણુના મંદિરમાં જાઓ. શ્રીહરીને પીળા ફુલ અર્પણ કરો. સાથે જ ऊँ ग्रां ग्रीं ग्रों स: गुरुवे नम: મંત્ર જાપ કરો. પીળા રંગની કોઈ મીઠાઈ ખાઈને ઘરેથી નિકળવુ. પીળા વસ્ત્ર પહેરવા અને પીળો રૂમાલ સાથે રાખો.

શુક્રવાર-

અસુરોના ગુરુ શુક્રનો દિવસ છે શુક્રવાર. આ દિવસે શુક્રગ્રહ માટે વિશેષ ઉપાસના કરવી જોઈએ. આ દિવસે દહીં અને લાલ જુવારનું દાન કરવું જોઈએ. સફેદ રેશ્મી વસ્ત્રોનું દાન કરવું જોઈએ.

આ સિવાય આ દિવસે સફળતા માટે લક્ષ્મીજીને લાલ ફુલ અર્પિત કરો. ऊँ द्रां द्रीं द्रौं स: शुक्राय नम:મંત્રના જાપ કરો. ઘરમાંથી નિકળ્યા પહેલા દહીનુ સેવન કરો. સફેદ રંગના કપડા પહેરવા અને સફેદ રંગનો રૂમાલ સાથે રાખવો.

શનિવાર-

જ્યોતિષ પ્રમાણે શનિવારના દિવસે શનિની પૂજાનો વિશેષ દિવસ હોય છે. આ દિવસે કોઈ નવા કામ શરૂ ન કરવા જોઈએ. દર શનિવારે એક નારિયેળ નદીમાં પ્રવાહિત કરો. હનુમાન ચાલીસાનો પાઠ કરો. શનિદેવના દર્શન કરો અને તેલ ચઢાવો.

આ સિવાય હનુમાન મંદિર જાઓ. હનુમાનજીને બનારસી પાન અને લાલ ફુલ ચડાવો. ऊँ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:મંત્ર જાપ કરી ઘરેથી નિકળો. તલનું સેવન કરો. વાદળી રંગના વસ્ત્ર પહેરો અને વાદળી રૂમાલ સાથે રાખો.

રવિવાર-

રવિવારને સૂર્યનો દિવસ માનવામાં આવે છે અને આ દિવસે સૂર્યની ઉપાસનાનું ખાસ મહત્વ છે. સૂર્યથી શુભ ફળ પ્રાપ્ત કરવા માટે દર રવિવારે ગોળ અને ચોખાને નદીમાં પ્રવાહિત કરો. તાંબાના સિક્કાને નદીમાં પ્રવાહિત કરો. આ સિવાય રવિવારે સૂર્ય દેવને જળ ચડાવો પછી લાલ ફુલ અર્પણ કરો. આ દિવસે ऊँ ह्रां ह्रीं ह्रौ स: सूर्याय नम: મંત્ર જાપ કરો. ગોળનુ સેવન કરો. લાલ રંગના કપડા પહેરો અને લાલ રૂમાલ સાથે રાખો. તમારી તમામ સમસ્યાઓનો ફટાફટ અંત આવશે.

સૌજન્ય: દિવ્ય ભાસ્કર


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
આ PHOTO પર કર્સર ફેરવો ને મેળવો તમારી 5 સમસ્યાના ઉકેલ…!!!
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

બેંક મિત્ર બનીને કરો કમાણીઃ મળશે પગાર અને કમીશન, વાંચો શું છે યોજના

bank

રોજગારની શોધમાં ફરતા યુવાઓ માટે એક સારા સમાચાર છે. પ્રધાનમંત્રી જનધન યોજના સાથે જોડાઇને મતલબ બેંક મિત્ર બનીને તમે કમાણી કરી શકો છો. બેંક મિત્રને ઓછામાં ઓછું 5000 રૂપિયાનું ફિક્સ વેતન મળશે, ઉપરંત ખાતામાં લેણ-દેણ પર અલગથી કમીશન આપવામાં આવશે. શાતે જ બેંક મિત્ર માટે અલગથી એક લોનની સ્કીમ પણ તૈયાર કરવામાં આવી છે. તેમાં કોમ્પ્યુટર, વાહન વગેરે માટે બેંક લોન આપશે. જાણકારોનું માનીએ તો જનધન ખાતા અપેક્ષા મુજબ ન ખુલવાનું એક કારમ બિઝનેસ કોરસપોન્ડન્ટ પણ છે. એવું એટલા માટે કે તેમાં કોઈ ફિક્સ પગારની જોગવાઈ ન હતી. આ ખામીને જોતા નવી સ્કીમ પ્રધાનમંત્રી જન-ધન યોજનામાં ઘણા મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે.

કોણ હોય છે બેંક મિત્ર :
બેંક મિત્રમાં એવા લોકોને સામેલ કરવામાં આવે છે, જેને પ્રધાનમંત્રી જન-ધન યોજના અંતર્ગત બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ કરીને આ લોકો એવી જગ્યાએ કામ કરે છે જ્યાં ન તો કોઈ બેંકની શાખા હોય કે ન તો કોઈ એટીએમ હોય. એવામાં આ લોકો તમારા સુધી પહોંચીને તમને યોજના સંબંધિત જાણકારીથી લઇને તમને નાણાં પહોંચાડવાનું કાર્ય કરે છે.

બેંક નિયુક્ત કરશે 50 હજાર બેંક મિત્ર:
બેંક મિત્ર માટે બનાવવામાં આવેલ સ્કીમમાં જ્યાં તેમને ઓછામાં ઓછો દર મહિને 5000 રૂપિયા પગાર ફિક્સ્ડ કરવામાં આવ્યો છે ત્યારે ખાતા ખોલવા અને તેમાં થનારા ટ્રાન્ઝેક્શન માટે કમીશન (વેરીએબલ) અલગથી આપવામાં આવશે. ઉપરાંત, કોમ્પ્યુટર, વાહન વગેરેની ખરીદી માટે 1.25 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. બેંક મિત્રને કામ કરવા માટે કોમ્પ્યુટર, વાહન વગેરેની જરૂરત પડશે. નાણાંમંત્રાલયના અધિકારી અનુસાર બેંક મિત્રની જરૂરતને ધ્યાનમાં રાખતા સ્કીમમાં જોગવાઈ કરવામાં આવી છે કે 1.25 લાખ રૂપિયા સુધીની લોન મળી શકશે.

કોણ બની શકશે બેંક મિત્ર, કેટલી મળશે લોન:
તેમાં 50 હજાર રૂપિયા ઉપકરણ માટે, 25 હજાર રૂપિયા કાર્યરત મૂડી અને 50 હજાર રૂપિયા વાહનની લોન પેટે મળશે. તેના માટે 35 મહિનાથી લઇને 60 મહિના સુધીની લોન મળશે. લોન માટે 18-60 વર્ષની ઉંમરના લોકોને મળી શકશે. કોઈપણ વયસ્ક વ્યક્તિ બેંક મિત્ર બની શકે છે. ઉપરાંક સેવાનિવૃત્ત થઈ ગયા હોય તેવા બેંક કર્મચારી, શિક્ષક, બેંક, આર્મી મેનને પણ તેમાં જોડાઈ શકે છે. સાથે જ કેમિસ્ટ શોપ, કરિયાણાની દુકાન ધરાવતા લોકો, પેટ્રોલ પંપ, સ્વયં સેવક જૂથ, પીસીઓ, કોમન સર્વિસ સેન્ટર વગેરે પણ બેંક મિત્ર બની શકે છે. સરકારની આ નવી સ્કીમથી હજારો લોકોને પરોક્ષ રીતે નોકરી મળવાની સંભાવના છે.

bank1

શું કરેશે બેંક મિત્ર:
– પ્રધાનમંત્રી જન-ધન યોજના અંતર્ગત બચત અને અન્ય સુવિધાઓ વિશે લોકોને શિક્ષિત કરવા અને જાગરૂકતા ફેલાવવાની રહેશે.
– બચત અને અન્ય સંબંધિત ખાતાઓ વિશે સલાહ આપવી.
– ગ્રાહકોની ઓળખ કરવાની રહેશે.
– પ્રાથમિક જાણકારી, આંકડા એકઠા કરવા, ફોર્મ સાચવીને રાખવા, લોકો દ્વારા આપવામાં આવેલ જાણકારીની તપાસ કરવી અને લોકો દ્વારા આપવામાં આવેલ રકમને સંભાળીને જમા કરાવવી.
– અરજી અને ખાતા સંબંધિત ફોર્મ ભરવા.
– નાણાંની સમયસર ચૂકવણી અને જમા કરાવવાનું કામ.
– કોઈ વ્યક્તિ તરફથી મળે રકમ યોગ્ય હાથો સુધી પહોંચાડવી અને તેની રસીદ બનાવવાનું કામ.
– ખાતામાં અન્ય સુવિધાઓ સાથે સંકળાયેલી જાણકારી ઉપલબ્ધ કરાવવી.

હવે દેશમાં મોબાઇલ દુકાનોથી બેન્કિંગ જગતમાં ક્રાંતિ આવશે

સમાજના દરેક વ્યક્તિ સુધી બેન્કિંગ સુવિધા પહોંચાડવાની દિશામાં મોદી સરકાર પ્રયાસરત રહી છે. આ જ પ્રયત્નના ભાગરૂપે સરકારે જન-ધન સ્કીમ લોન્ચ કરી અને હવે મોબાઇલ દુકાન, પેટ્રોલ પંપ અને ગલીઓના ખુણે રહેલી દુકાનોની મદદથી લોકોના દરવાજા સુધી બેન્કિંગ સુવિધા પહોંચાડવામાં આવી રહી છે.

બેન્કિંગની આ નવી સિસ્ટમનું નામ પેમેન્ટ બેન્કિંગ છે જ્યાં પારંપરિક નાણાંકીય સંસ્થાઓની જક્યાએ મોબાઇલ દુકાનો, પેટ્રોલ પંપ અને કોર્નર સ્ટોર્સને બેન્કિંગ સેવા આપવા માટે પરમિટ આપવામાં આવશે.

પેમેન્ટ બેંકની સ્થાપના માટે અરજી જમા કરાવવાની છેલ્લી તારીખ 2 ફેબ્રુઆરી છે. જે નવી સંસ્થાઓને પરમિટ મળશે તે ચૂકવણી અને જમાની સેવાઓ આપી શકસે પરંતુ લોન નહીં આપી શકે, માટે આ સંસ્થાઓનું નામ પેમેન્ટ સંસ્થા રાખવામાં આવ્યું છે.

આરબીઆઇની પહેલથી એ જાણવા મળ્યું છે કે, પારંપરિક બેંક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નાણાંકીય જરૂરિયાતનો ઉદ્દેશ પૂર્ણ કરી શકે તેમ નથી. તમામને વિકાસની મુખ્યધારા સાથે જોડવા માટે વડાપ્રધાન મોદીની પહેલ પર 11 કરોડ નવા બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. પરંતુ ચિંતાનો વિષય એ છે કે આ 11 કરોડ ખાતામાંથી 8 કરોડ ખાતામાં રૂપિયા નથી.

પેમેન્ટ બેંકોના સમર્થકોનું કહેવું છે કે, તેનાથી ભારતમાં 6,00,000 ગામોને બેન્કિંગ સુવિધાથી જોડી શકાય છે જ્યાં હજુ સુધા આ સુવિધા પહોંચી નથી. પેમેન્ટ બેંક દ્વારા ઘર પર રૂપિયા મોકલવા, સરકાર તરફથી મળતા આર્થિક લાભ લેવો અથવા બિઝનેસ કરવામાં સરળતા રહેશે. સૌથી મહત્ત્વપૂર્ણ બદલાવ એ છે કે પેમેન્ટ બેંક ન માત્ર રકોડ સ્વીકાર કરશે પરંતુ રોકડ ઉપાડ પણ આપશે.

પહેલા સિસ્ટમ ખામીયુક્ત હતી
લોકોને બેન્કિંગ સેવા આપવા માટે સરકારે આ પહેલા એક સિસ્ટમની શરૂ કરી હતી જેને પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ સિસ્ટનું નામ આપવામાં આવ્યું હતું. આ સિસ્ટમની સૌથી મોટી ખામી એ હતી કે તેમાં માત્ર રકમ જમા કરાવી શકાતી હતી. તેમાં ખાતા ધારકને ઉપાડની કોઈ સુવિધા ન હતી જે ખામીને હવે નવી બેન્કિંગ સિસ્ટમમાં સુધારી લેવામાં આવી છે.

શું ફાયદો થશે
પેમેન્ટ બેંકનો ફાયદો એ હશે કે તેનાથી ભારતીય અર્થતંત્રમાં રોકડનો ઉપયોગ પર નિયંત્રણ આવશે. ભારતમાં હાલમાં પણ 10 લેણદેણમાંથી 9માં રોકડમાં લેણદેણ થાય છે. આ બેન્કિંગ સિસ્ટમમાં મોબાઇલ ઓપરેટર અને પ્રી-પેઇડ વોલેટ સેવાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે. તેમાં રિટેલર્સ પણ રસ લઈ રહ્યા છે. ભારતના 100થી વધુ શહેરમાં કાર્યરત ફ્યુચર ગ્રુપ જેવી મોટી રિટેલ કંપનીનું કહેવું છે કે તે પરમિટ માટે અરજી કરશે. રિટેલર્સ ઉપરાંત ઓનલાઇન કંપનીઓ પણ ઉત્સુક છે. ટેલિકોમ સેવા આપતી કંપનીઓ જેમ કે, એરટેલ, વોડાફોન અને અન્ય પણ આ મામલે પાછળ નથી રહેવા માગતી.

સૌજન્ય: દિવ્ય ભાસ્કર


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

WHATSAPP યુઝર્સને માટે કામની હોઇ શકે છે આ 10 સીક્રેટ ટિપ્સ
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
ઘેર બેઠા ફ્રિમાં શીખો, આખુ વર્ષ રોગમુક્ત રહેવા આયુર્વેદનો આ રસાહાર કોર્ષ..!!!
30 દિવસનો ખાસ ઉપાય, હાઈટ નાની હોય કે વધતી ન હોય તો અજમાવો લો.

ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?

aadhar card1

સરકાર આધાર કાર્ડને જનધન એકાઉન્ટ સાથે જોડવાની તૈયારીઓ કરી રહી છે. મોદીએ બધી બેંકોને નિર્દેશ આપ્યો છે કે બધા જનધન બેન્ક એકાઉન્ટ ખાતાઓને આધાર સાથે જોડવામાં આવે. તેમણે બેંકોને આ પ્રક્રિયામાં તેજી લાવવા અને નાણાંકીય સાક્ષરતા વધારવાનો પ્રયાસ બમણો કરવા જણાવ્યું છે.

એવામાં જો આપનું આધાર ન બન્યું હોય તો જલદી તેને બનાવી લો. જો આપે આધાર કાર્ડ માટે અરજી કરી છે અને કાર્ડ ઘરે ન પહોંચ્યુ હોય કે પછી સ્લિપ ગુમ થઇ ગઇ હોય તો નિરાશ ન થશો. આપ-ઇ નંબર ડાઉનલોડ કરીને કાર્ડ અને નંબર મેળવી શકો છો. તેના માટે આપ પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને ઇ-મેલ આઇડી દ્ધારા નેટથી આપનું આધાર કાર્ડ બનાવી શકો છો. સાથે જ એનરોલમેન્ટ નંબર પણ ડાઉનલોડ કરી શકો છો. યુઆઇડીએઆઇએ ભારતીય નાગરિકો માટે વેબસાઇટ પર કોલ ક્વેરી સોફ્ટવેર દ્ધારા આ સુવિધા શરૂ કરી છે.

શું છે એનરોલમેન્ટ

લોકોનું આધારકાર્ડ બનાવતા પહેલાં એનરોલમેન્ટની પ્રક્રિયા અપનાવાય છે. સેન્ટર પર આધારકાર્ડ બનાવવા માટે નોંધાયેલી જાણકારી બાદ જે પર્ચી આપવામાં આવે છે તેને એનરોલમેન્ટ સ્લિપ કહેવામાં આવે છે. આ નંબર પર તમે તમારૂ આધાર કાર્ડનું સ્ટેટસ જાણી શકો છો. આ સુવિધા પણ વેબસાઇટ પર છે.

શું કરવું પડશે
જેના આધાર કાર્ડ બની ગયા છે તે આધાર નંબરથી અને જેના નથી બન્યા તે એનરોલમેન્ટ (ઇઆઇડી) સ્લીપના નંબરથી ડુપ્લીકેટ કાર્ડ કે પરચી નિકાળી શકો છો.

અહીંથી કરો શરૂઆત

યૂઆઇડીઆએઆઇની વેબસાઇટ http://www.uidai.gov.in ના મુખ્ય પેજ પર જઇને આધાર કાર્ડના મોનોની નીચે સિલેક્ટનું ઓપ્શન આવશે. જેની પર ક્લિક કરતાં જ ઘણાં ઓપ્શન ખુલશે. તેમાંથી રેસિડેન્ટ પોર્ટલ પર ક્લિક કરો. ક્લિક કરતાં જ ઇઆઇડી-યુઆઇડીનું ઓપ્શન મળશે.

ઓપ્શનની પસંદગી

રેસિડેન્ટ પર ક્લિક કર્યા બાદ આગળનું પેજ ખુલશે. જેમાં એક રાઉન્ડમાં આધાર કાર્ડ માટે એક મહિલા નજરે પડશે. જેની નીચે ઇઆઇડી/યૂઆઇડીનો ઓપ્શન હશે. આપની એનરોલમેન્ટ નંબરની સ્લિપ ગુમ છે તો ઇઆઇડી પર અને જો આધાર કાર્ડ ગુમ છે તો યૂઆઇડી પર ક્લિક કરો. ત્યાર બાદ એક ફોર્મ આવશે.

જાણકારી ભરો

યૂઆઇડી/ઇઆઇડી પર ક્લિક કર્યા બાદ એક ફોર્મ આવશે, જેમાં નામ, એનરોલમેન્ટ કરતી વખતે આપવામાં આવેલો મોબાઇલ નંબર કે મેલ આઇડી ભરવું પડશે. સ્કીન પર ચાર અંકોનો સિક્યોરિટી કોડ મળશે. તેને એન્ટર કરો. આવું કર્યા પછી સ્ક્રીન પર દેખાઇ રહેલા GET OTP પર ક્લિક કરો. થોડીક જ વારમાં મોબાઇલ પર વન ટાઇમ પાસવર્ડ આવશે. તેને એન્ટર કરીને મોબાઇલ નંબર પર ઇઆઇડી કે યૂઆઇડી નંબર આવી જશે. આધાર કાર્ડ માટે આપને મળેલા યુઆઇડી નંબર દ્ધારા યૂઆઇડીએઆઇ પોર્ટલ પર જઇને ઇ-આધાર ડાઉનલોડ કરી શકો છો.

કેવી રીતે ચેક કરશો આપના આધાર કાર્ડનું સ્ટેટ્સ

તમારે તમારા આધાર કાર્ડનું સ્ટેટસ જાણવા માટે https://eaadhaar.uidai.gov.in/ या https://portal.uidai.gov.in/uidwebportal/enrolmentStatusShow.do લિંક પર જઇને પોતાના આધાર કાર્ડનું સ્ટેટસ જાણી શકો છો.

Courtesy: Divya Bhaskar


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

WHATSAPP યુઝર્સને માટે કામની હોઇ શકે છે આ 10 સીક્રેટ ટિપ્સ
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
ઘેર બેઠા ફ્રિમાં શીખો, આખુ વર્ષ રોગમુક્ત રહેવા આયુર્વેદનો આ રસાહાર કોર્ષ..!!!
30 દિવસનો ખાસ ઉપાય, હાઈટ નાની હોય કે વધતી ન હોય તો અજમાવો લો.

સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ

chyavanprash

ચ્યવનપ્રાશનું સેવન ક્યારે અને કેટલી માત્રામાં કરવું, કઈ રીતે શ્રેષ્ઠ ચ્યવનપ્રાશની ઓળક કરી શકાય અને તેના સેવનથી થતાં ચમત્કારી લાભ

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ચ્યવનપ્રાશના ચમત્કારી ગુણો વિશે કોણ નથી જાણતું. આ આયુર્વેદિક જડીબુટ્ટીઓવાળા ટોનિકમાં ગજબના સ્વાસ્થ્ય લાભ છુપાયેલા છે. એવું માનવામાં આવે છે કે ચ્યવનપ્રાશની શોધ ચ્યવન નામના એક ઋષિએ કરી હતી. તેમણે જ પ્રથમવાર પોતાના યૌવન અને આયુષ્યને વધારવા માટે આ અસરકારી ટોનિકની શોધ કરી હતી.

ચ્યવનપ્રાશનું સેવન નિયમિત કરવાથી ઈનફર્ટિલિટી, એજિંગ અને ઈન્ફેક્શન સામે રક્ષણ પ્રદાન કરે છે. આ સિવાય તે હાર્ટની બીમારી, શરદી, ખાંસી, છાતીમાં દુઃખાવા વગેરેથી પણ બચાવીને રાખે છે. ચ્યવનપ્રાશમાં એન્ટીએજિંગ તત્વ હોય છે જે સંપૂર્ણપણ હર્બલ હોય છે. તેમાં મુખ્ય સામગ્રીમાં આમળા હોય છે જેને એક શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ માનવામાં આવે છે.

ચ્યવનપ્રાશ કઈ રીતે તમને સદાય યુવાન રાખવામાં મદદ કરે છે?

ચહેરા પરની કરચલીઓ, રેખાઓ અને સફેદ વાળ આ બધી વસ્તુઓ ઘડપણની સૂચક છે. ચ્યવનપ્રાશમાં ભારે પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે વ્યક્તિને હમેશાં જવાન રાખવામાં અને ઘડપણથી બચાવી રાખવામાં મદદ કરે છે. આ રસાયણોથી ભરપૂર ઉત્પાદ છે જે તમારી યુવાની ટકાવી રાખે છે.

શારીરિક દ્રષ્ટિકોણથી ચ્યવનપ્રાશ કઈ રીતે કામ કરે છે તે વિશે જાણો-

-કોશિકાઓની ઉંમર વધતી નથી

-શરીરની પેશીઓને પોષણ આપીને સુધારે છે

-મુક્ત કણોથી થનારા નુકસાનથી તમારી ત્વચાને રક્ષણ આપે છે

-પાચન શક્તિને વધારે છે (જે સુંદર ત્વચા મેળવવા માટે મહત્વપૂર્ણ હોય છે)

-તમારા શરીરની આંતરિક પેશીઓને ઓક્સીજનની ઉણપથી બચાવે છે

-જો તમે ચ્યવનપ્રાશના ખરા ફાયદા મેળવવા માગતા હોવ તો તમારે બપોરના ભોજન પહેલાં ચ્યવનપ્રાશનું સેવન કરવું.

-ચ્યવનપ્રાશ 49 જડીબુટ્ટીઓને મિક્ષ કરીને બનાવવામાં આવે છે. આ સિવાય તેમાં સોનું અને ચાંદી પણ મિક્ષ કરવામાં આવે છે.

-ચ્યવનપ્રાશના ભરપૂર લાભ મેળવવા હોય તો તેને સતત 100 દિવસ સુધી સવાર-સાંજ એક-એક ચમચી લેવું જોઈએ. જેમાં સવારે બ્રેકફાસ્ટ કર્યાના 20 મિનિટ પહેલાં નવશેકા દૂધ સાથે લેવું અને રાતે સૂતાના 20 મિનિટ પહેલાં લેવું.

-જો બાળકોને ચ્યવનપ્રાશ આપવું હોય તો એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી જોઈએ.

-યૌન ઉત્તેજના વધારે છે

-યૌન ઉત્તેજનામાં મદદ કરે છે. ચ્યવનપ્રાશમાં અનેક એવી જડીબુટ્ટીઓ હોય છે જે સેક્સ લાઈફને હમેશાં જીવંત અને સ્વાસ્થ્યને અડીખમ રાખે છે. તેનું નિયમિત સેવન સેક્સ લાઈફમાં સુધારો કરે છે.

-કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે

-જો તમને નિયમિત ચ્યવનપ્રાશ ખાવાની આદત હશે તો તમારું કોલેસ્ટ્રોલ હમે્શા કંટ્રોલમાં રહેશે.

-ઈન્ફેક્શન સામે રક્ષણ

-ચ્યવનપ્રાશનું સેવન શરદી અને સંક્રમણ સામે રક્ષણ આપે છે

-ડિપ્રેશનને દૂર કરે છે

-જો તમે ડિપ્રેશનની સમસ્યાથી પીડાતા હોવ તો ચ્યવનપ્રાશ તમારા માટે બેસ્ટ વસ્તુ છે. જોકે તમને ઝડપી રાહત નહીં મળે તેમ છતાં થોડા દિવસોમાં તમે પોતે ફરક અનુભવશો.

-માસિકની સમસ્યા કરે દૂર

– ચ્યવનપ્રાશનું સેવન કરવાથી માસિક ધર્મને નિયમિત રહે છે. તેની સાથે જ તે પ્રિમેન્સુએલ સિન્ડ્રોમની સંભાવનાને પણ દૂર કરે છે. સાથે જ દુઃખાવામાં પણ રાહત આપે છે.

-વિષાક્ત પદાર્થોને કરે દૂર

-નિયમિત રીતે ચ્યવનપ્રાશનું સેવન કરવાથી લોહી, લિવર અને આંતરડામાં રહેલાં વિષાક્ત પદાર્થોને દૂર થાય છે.

-બ્લડપ્રેશરને કરે કંટ્રોલ

-નિયમિત ચ્યવનપ્રાશનું સેવન બ્લડપ્રેશરને હમેશાં નિયંત્રણમાં રાખે છે. બ્લડપ્રેશરના દર્દીઓ માટે આ એક બેસ્ટ મેડિસિન છે.

-ગેસની સમસ્યામાં રાહત આપે છે

-જો તમને ચ્યવનપ્રાશનું સેવન કરવાથી આદત હશે તો તમને ક્યારેય પેટમાં ગેસ થવાની સમસ્યાઓ સતાવશે નહીં.

-હિમોગ્લોબીનની ઉણપ કરે દૂર

-જો તમારા શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ હોય તો રોજ ચ્યવનપ્રાશનું સેવન તમારી આ સમસ્યાને દૂર કરશે.

-શ્વાસ સંબંધી સમસ્યાઓનું મારણ

-જો તમને દમ કે શ્વાસ સંબંધી સમસ્યાઓ હોય તો ચ્યવનપ્રાશના નિયમિત -સેવનથી તમે કાયમ માટે આ તકલીફમાંથી છુટકારો મેળવી શકો છો.

-ઈમ્યૂનને બનાવે મજબૂત

-તમારા શરીરની ઈમ્યૂન સિસ્ટમને સુધારીને રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે જેનાથી અનેક રોગો શરીરમાં પ્રવેશતા નથી.

-વજનને કંટ્રોલ કરે છે

– ચ્યવનપ્રાશનું સેવન મેટાબોલિઝ્મને નિયંત્રિત કરે છે. જેથી તે વજન ઘટાડવામાં મદદ કરે છે.

-વાળને બનાવે હેલ્ધી

-વાળ અને નખને સુંદર, હેલ્ધી અને મજબૂત બનાવે છે

-સમૃતિ, એકાગ્રતા અને સતર્કતામાં વધારો કરે છે

-તમારી રેસ્પિરેટરી સિસ્ટમને મજબૂત બનાવે છે

-શ્વાસ સંબંધી સમસ્યાઓનું મારણ

-જો તમને દમ કે શ્વાસ સંબંધી સમસ્યાઓ હોય તો ચ્યવનપ્રાશના નિયમિત સેવનથી તમે કાયમ માટે આ તકલીફમાંથી છુટકારો મેળવી શકો છો.

-ઈમ્યૂનને બનાવે મજબૂત

-તમારા શરીરની ઈમ્યૂન સિસ્ટમને સુધારીને રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે જેનાથી અનેક રોગો શરીરમાં પ્રવેશતા નથી.

-વજનને કંટ્રોલ કરે છે

– ચ્યવનપ્રાશનું સેવન મેટાબોલિઝ્મને નિયંત્રિત કરે છે. જેથી તે વજન ઘટાડવામાં મદદ કરે છે.

-વાળને બનાવે હેલ્ધી

વાળ અને નખને સુંદર, હેલ્ધી અને મજબૂત બનાવે છે

-સમૃતિ, એકાગ્રતા અને સતર્કતામાં વધારો કરે છે

-તમારી રેસ્પિરેટરી સિસ્ટમને મજબૂત બનાવે છે

સારા ચ્યવનપ્રાશની ઓળખ કઈ રીતે થાય?

ગંધ- તજ, એલચી અને લાંબા કાળા મરચાનો ખાટ્ટો અને મસાલેદાર સ્વાદ

સ્વાદ- મસાલેદાર સ્વાદ, ખાટ્ટુ અને ઓછું ગળ્યું

જળ પરીક્ષણ- એક ચમચી ચ્યવનપ્રાશને પાણીમાં નાખવું. જો પાણીમાં નાખવાથી ચ્યવનપ્રાશ ડૂબી જાય છે તો ચ્યવનપ્રાશ ઠીક છે અને જો તેના કણ પાણીની ઉપર તરે તો સમજવું કે તે બરાબર નથી.

ચ્યવનપ્રાશ બહુ કડક અને બહુ નરમ નથી હોતું, માપના નરમ અને મુલાયમ પેસ્ટ હોય છે.

શું ચ્યવનપ્રાશનું સેવન કરવાથી તમારું વજન વધી શકે છે?

દરરોજ એક કે બે ચમચી ચ્યવનપ્રાશનું સેવન કરવાથી વજનમાં વધારો થતો નથી. ચ્યવનપ્રાશમાં ઘીનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ તેનાથી વજન વધવાનો ખતરો નથી રહેતો.

ચ્યવનપ્રાશના સેવનથી પેટમાં બળતરા થાય તો શું કરવું?

જો ચ્યવનપ્રાશનું સેવન દૂધ સાથે કરવામાં આવે તો આ સમસ્યા ક્યારેય થતી નથી.

ચ્યવનપ્રાશનું સેવન ગરમ દૂધ કે ઠંડા કયા દૂધ સાથે બેસ્ટ?

નવશેકું દૂધ ઠંડા દૂધ કરતાં વધુ ફાયદાકરક હોય છે. તે પાચનક્રિયામાં મદદ કરે છે. પરંતુ એવો કોઈ નિયમ નથી, જેથી તમે ઉતાવળમાં હોવ તો ઠંડા દૂધનું પણ સેવન કરી શકો છો.

શું ચ્યવનપ્રાશને ઘી સાથે લેવાય?

ચ્યવનપ્રાશમાં ઘી પહેલાંથી જ હોય છે જેથી તેને ઘી સાથે ન લેવાની સલાહ આપવામાં આવે છે. ચ્યવનપ્રાશનું સેવન દૂધ કે પાણીમાં મિક્ષ કરીને કરવાથી ઘી કરતાં વધારે લાભકારી સિદ્ધ થાય છે.

શું બાળકો ચ્યવનપ્રાશનું સેવન કરી શકે છે?

પાંચ કે તેનાથી વધુ વયના બાળકોને ચ્યવનપ્રાશનું સેવન કરવા આપી શકાય છે. તેમ છતાં સુરક્ષિત ઉપાય મુજબ 1/4 ચમચી ચ્યવનપ્રાશ બાળકને દૂધ સાથે આપવામાં આવે.

ચ્યવનપ્રાશના કેટલાક સાઈડ ઈફેક્ટસ:

-કેટલાક લોકોને ચ્યવનપ્રાશના સેવનથી પેટમાં બળતરા જેવી સમસ્યાઓ ઉદભવે છે.

-કેટલાક લોકોને ચ્યવનપ્રાશમાં આમળાની માત્રા વધારે હોવાથી દસ્ત થવાની સમસ્યા પણ થાય છે.

-ચ્યવનપ્રાશમાં ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે જેથી ડાયાબિટીસના રોગીઓએ ડોક્ટરની સલાહ લીધા વિના તેનું સેવન કરવું નહીં.

-ચ્યવનપ્રાશ આમ તો એક સુરક્ષિત ટોનિક છે પરંતુ બધાંના શરીરની પ્રકૃતિ અલગ હોય છે તો તમારે ડોક્ટરની સલાહ મુજબ તેનું સેવન કરવું.

Courtesy: Divya Bhaskar


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

ઘેર બેઠા ફ્રિમાં શીખો, આખુ વર્ષ રોગમુક્ત રહેવા આયુર્વેદનો આ રસાહાર કોર્ષ..!!!
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….
धरती का अमृत पानी पीने के 10 फायदे और नुकसान ज़रूर जाने…नही जाना तो क्या जाना…!!!
इन 6 उपायों से स्वस्थ रहेगा आपका दिल…!!!
हार्ट अटैक: ना घबराये ……सहज सुलभ उपाय ….!!!
સવાર-સાંજ માત્ર 1 ચમચી અળસીના બીજ ખાઓ, રોગ શું છે ભુલી જશો…!!!
इन 6 उपायों से स्वस्थ रहेगा आपका दिल…!!!

 

રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!

 

Young woman drinking fresh cold water from glass - isolated on w

-ખાલી પેટે પાણી પીવાની આદત હમેશાં સ્વસ્થ રાખે છે
-આ વોટર ટ્રિટમેન્ટથી જાણો કેટલા દિવસમાં કયો રોગ મટશે
-દરરોજ સવારે 4 ગ્લાસ પાણીનું સેવન અનેક રોગોમાં ફાયદાકારક
-જો એકસાથે પાણી ન પીવાય તો પણ ધીરે-ધીરે પાડો ટેવ

પાણીને જીવન માનવામાં આવે છે. સારાં સ્વાસ્થ્ય માટે પાણી અત્યંત જરૂરી હોય છે. સવારના સમયે એવા બહુ જ ઓછા લોકો હોય છે, જે ખાલી પેટે પાણી પીતા હોય છે. પાણી એક એવું તત્વ છે જે તમારા શરીરની બધી જ બીમારીઓ અને દૂષિત તત્વોને શરીરમાંથી પેશાબ વાટે બહાર કાઢી દે છે. શું તમે એ વાત જાણો છો કે, જો તમે સવારના પોરમાં રોજ ખાલી પેટે 4 ગ્લાસ એટલે કે એક લીટર પાણી પીવો તો તમે આજીવન અનેક બીમારીઓથી બચીને આરોગ્યવર્ધક જીવન જીવી શકો છો. આનાથી તમારું પાચનતંત્ર એકદમ દુરસ્ત રહે છે. મોટા ભાગની બીમારીઓ આપણા પેટમાંથી જ જન્મ લેતી હોય છે. જેથી જો સવારે પથારી છોડતા જ તમે ખાલી પેટે પાણી પીશો તો તમે આ તંદુરસ્તીને પોતાની પાસે રાખી શકશો.

શું તમે જાણો છો કે, સવારમાં ખાલી પેટે પાણી પીવાનું ચણલ ક્યાંથી શરૂ થયું? આ ચલણ જાપાનના લોકોએ શરૂ કર્યુ. અહીંના લોકો સવારમાં ઉઠીને સીધા જ બ્રશ કર્યા વગર 4 ગ્લાસ પાણી પી જતા હતા. ત્યાર બાદ તે અડધો કલાક સુધી કંઈ પણ ખાતા નહીં.

વોટર થેરેપી ટ્રીટમેન્ટ જાપનીઝ લોકો સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ વાતમાં કોઈ બેમત નથી કે, જાપાની લોકો દુનિયાના સૌથી ઉર્જાવાન અને કુશળ લોકોમાંના એક છે. સવારના પોરમાં ખાલી પેટે પાણી પીવાના કેટલાય સારા લાભ છે. જો તમે પણ આમ કરવાનું વિચારી રહ્યા છો તો, પ્રયત્ન એ જ કરજો કે, પાણી થોડું હૂંફાળું હોય, જેથી તમે બાદમાં કોઈ પણ તૈલીય પદાર્થ ખાવ તો પણ તે ચરબીના રૂપમાં તમારા શરીરમાં જમા ન થાય. તો ચાલો જાણી લો સવારમાં નરણાં કોઠે પાણી પીવાથી શરીરને ક્યા-ક્યા લાભ મળી શકે છે.

ધીરે ધીરે પડશે આદત

રોજ સવારે ખાલી પેટે પાણી પીવું તે વોટર ટ્રિટમેન્ટ થેરેપી કહેવાય છે. પાણી પીવાના એક કલાક પહેલાં અને એક કલાક બાદ સુધી કંઈપણ ખાવું પીવું ન જોઈએ. એમાંય ઠોસ ખોરાક તો ભુલથી પણ ખાવા ન જોઈએ. શરૂઆતમાં આટલું પાણી પીવામાં તમને પરેશાની થશે જેના માટે બે ગ્લાસ પાણી પીને થોડીક મિનિટ રોકાઈ જવું પછી અન્ય બે ગ્લાસ પાણી પીવું આમ ધીરે-ધીરે તમને આદત પડી જશે. જ્યારે તમે આ થેરેપીની શરૂઆત કરશો તો તમને એક કલાકમાં બેથી ત્રણવાર પેશાબ માટે જવું પડશે. પરંતુ થોડાક દિવસ બાદ શરીર તેનાથી ટેવાઈ જશે અને પછી આ સમસ્યા પણ દૂર થઈ જશે.

ઉપચારની રીત

સવારે ઉઠતાંની સાથે બ્રશ કર્યા વિના ચાર ગ્લાસ પાણી પીવું.

બ્રશ કર્યાની 45 મિનિટ સુધી કંઈ ખાવું પીવું નહીં.

નાસ્તા, લંચ અને ડિનરના 15 મિનિટ બાદ બે કલાક સુધી કંઈ પીવું નહીં.

મોટી ઉંમરના લોકો માટે સવારે 4 ગ્લાસ પાણી પીવું મુશ્કેલ બની જાય છે, જેથી તેમણે થોડા-થોડા પાણી પીવાથી શરૂઆત કરવી.

કેટલા દિવસમાં કઈ બીમારીમાં ફાયદો થશે?

  • હાઈ બ્લડપ્રેશર- 30 દિવસ
  • ગેસ- 10 દિવસ
  • ડાયાબિટીસ- 30 દિવસ
  • કબજિયાત- 10 દિવસ
  • કેન્સર- 180 દિવસ
  • ટીબી- 90 દિવસ

અર્થરાઈટિસના દર્દીઓએ પહેલાં સપ્તાહમાં ઈલાજની આ પ્રક્રિયાને ત્રણ દિવસ ધી કરવું ત્યારબાદ બીજા સપ્તાહથી રોજ આ પ્રક્રિયા અપનાવી શકે છે.

અન્ય ફાયદા

પેટ સાફ આવે-

જ્યારે તમે બહુ બધું પાણી પીશો ત્યારે તમને કુદરતી રીતે જ ટોયલેટ જવાની ઈચ્છા થશે. જો તમે આવી રીતે રોજ પાણી પીશો તો તમારા પેટની સિસ્ટમ ગંદકીને બહાર નિકાળશે અને તમારા પેટને સાફ કરશે. આથી જો તમને કબજિયાતની ફરિયાદ રહેતી હોય તો ચોક્કસ આ રીતે પાણી પીવું જોઈએ.

શરીરમાંથી ગંદકી બહાર કાઢશે-

પાણી શરીરમાંથી દરેક પ્રકારની ગંદકીને બહાર કાઢી દે છે. જ્યારે તમે ખુબ જ વધુ માત્રામાં પાણી પીને પેશાબ કરો છો, ત્યારે તમારા શરીરમાંથી મોટા પ્રમાણમાં ટોક્સિન કચરો નીકળી જાય છે. આથી જ ડોક્ટરો પણ હંમેશા મોટા પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપતા હોય છે.

ભૂખ વધારશે-

પાણી પીને જ્યારે તમારૂં પેટ સાફ થઈ જાય છે ત્યારે, તમને વધુ પ્રમાણમાં ભૂખ લાગતી હોય છે. આથી સવારમાં તમારો બ્રેકફાસ્ટ પણ તમે સારી રીતે કરી શકો છો.

માથાના દુઃખાવાથી છુટકારો-

કેટલીક વખત આપણા શરીરમાં અંદર પાણીની અછતના કારણે આપણને માથાનો દુઃખાવો થઈ જતો હોય છે. આથી પ્રયત્ન કરવું કે સવારમાં પેટ ભરીને પાણી પીવું.

મેટાબોલિઝમ વધારશે-

પાણી પીવાથી તમારા શરીરની પાચનશક્તિ 24 ટકા વધી જતી હોય છે. આનો સીધો અર્થ એવો થાય છે કે, તમે ભોજનને ઝડપથી પચાવી શકો છો અને આની સાથે તમે તમારૂં વજન પણ થોડું ઘટાડી શકો છો.

લોહી વધારશે-

ખાલી પેટ પાણી પીવાથી શરીરમાં રેડ બ્લડ સેલ્સ ખૂબ જ ઝડપથી વધે છે. જેથી ધીરે-ધીરે શરૂ કરીને રોજ 4 ગ્લાસ પાણી પીવાની આદત અવશ્ય પાડવી. જેથી એનીમિયાના દર્દીઓ માટે પણ આ ઉપચાર અતિલાભકારી છે.

વજન ઘટાડશે-

જો તમે વેટ લોસ ડાયટ કરી રહ્યા છો તો તમારે ખાલી પેટે ચોક્કસથી પાણી પીવાનું શરૂ કરી દેવું જોઈએ. આનાથી શરીરમાંથી ખરાબ ટ્રાન્સ ફેટ બહાર નીકળી જાય છે અને શરીરના ફેટ મેટાબોલિઝમ વધે છે.

ચહેરો ચમકદાર બને છે-

સવારે ખાલી પેટે પાણી પીવાથી ચહેરા પર નીકળનારા ખીલ સાફ થઈ જતા હોય છે. એકવાર જો તમારૂં પેટ સાફ રહેવા લાગશે તો આ બિમારી આપોઆપ ઠીક થઈ જતી હોય છે.

રોગ પ્રતિકારક ક્ષમતા વધશે-

શરીરને બેલેન્સ રાખવા માટે પાણી ખુબ જ આવશ્યક તત્વ છે. પાણીથી તમારૂં શરીર રોગની સામે લડવા માટે શક્તિશાળી બનતું હોય છે. આથી રોજ સવારે ઉઠીને ખુબ જ પાણી પીવું જોઈએ.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

ઘેર બેઠા ફ્રિમાં શીખો, આખુ વર્ષ રોગમુક્ત રહેવા આયુર્વેદનો આ રસાહાર કોર્ષ..!!!
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….
धरती का अमृत पानी पीने के 10 फायदे और नुकसान ज़रूर जाने…नही जाना तो क्या जाना…!!!
इन 6 उपायों से स्वस्थ रहेगा आपका दिल…!!!
हार्ट अटैक: ना घबराये ……सहज सुलभ उपाय ….!!!
સવાર-સાંજ માત્ર 1 ચમચી અળસીના બીજ ખાઓ, રોગ શું છે ભુલી જશો…!!!
इन 6 उपायों से स्वस्थ रहेगा आपका दिल…!!!