હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ મહિનામાં ભગવાન શિવની આરાધનાનું વિશેષ મહત્વ છે, તો શિવના રુદ્ર અવતાર પવનપુત્રને પ્રસન્ન કરવા માટે પણ આ મહીનામાં આવનાર દરેક મંગળવારે વિશેષ ઉપાય કરવામાં આવે છે. શ્રાવણ માસના કોઈપણ મંગળવારે આ ઉપાય કરવો જોઈએ. આજે અમે તેમને આવા જ કેટલાક ખાસ ઉપાયો જણાવીશું. તંત્રશાસ્ત્ર અનુસાર આ ઉપાય બહુ જ કારગર છે. આ ઉપાયો આ રીતે છે-

વિશેષ પાન
વિશેષ પાન

1. શ્રાવણના કોઈપણ મંગળવારે હનુમાનજીને એક વિશેષ પાન ચઢાવો. આ પાનમાં માત્ર કાથો, ગુલકંદ, વરીયાળી, કોપરાનું બુરૂ અને ફૂલ નખાવો. પાન બનાવતી વખતે એ ખાસ ધ્યાન રાખો કે તેમાં સોપારી કે ચૂનો ના નાંખો. આ પાનમાં તમાકુ પણ ન હોવી જોઈએ.

હનુમાનજીનું વિધિવિધાન અનુસાર પૂજન કર્યા બાદ આ પાન હનુમાનજીને આમ બોલીને કરો- હે હનુમાનજી! હું તમને આ મીઠું રસભર્યું પાન અર્પણ કરી રહ્યો છું / રહી છું. તમે મારા જીવનને મીઠાશથી ભરી દો. હનુમાનજીની કૃપાથી કેટલાક દિવસો બાદ તમારી દરેક સમસ્યાઓ દૂર થઈ જશે.

પારસથી નિર્મિત હનુમાનજીની પ્રતિમા
પારસથી નિર્મિત હનુમાનજીની પ્રતિમા

2. મંગળવારે ઘરમાં પારસથી નિર્મિત હનુમાનજીની પ્રતિમા સ્થાપિત કરો. તંત્ર અનુસાર પારસથી બનાવેલી હનુમાનજીની પ્રતિમાનું પૂજન કરવાથી બગડેલા કામ પણ બની જાય છે. પારસથી નિર્મિત હનુમાનજીની પ્રતિમાને ઘરમાં રાખવાથી બધા પ્રકારના વાસ્તુદોષ સ્વંયભૂ જ દૂર થઈ જાય છે અને સાથે ઘરનું વાતાવરણ પણ શુદ્ધ થઈ જાય છે.

દરરોજ તેની પૂજા કરવાથી કોઈપણ પ્રકારના તંત્રની ઘર પર અસર નથી થતી અને ના તો સાધક પર કોઈના તંત્રક્રિયાનો પ્રભાવ પડે છે. જો કોઈને પણ પિતૃદોષ હોય તેણે દરરોજ હનુમાનજીની પ્રતિમાની પૂજા કરવી જોઈએ, તેનાથી પિતૃદોષ સમાપ્ત થઈ જશે.

વડના ઝાડના પાંદડા
વડના ઝાડના પાંદડા

3. મંગળવારે સવારે નાહીધોઈ વડના ઝાડના 11 કે 21 પાંદડા તોડી લઈ. ધ્યાન રાખો કે આ પાંદડા સંપૂર્ણ રીતે ચોખ્ખા હોવા જોઈએ. હવે તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને તેના પર ચંદનથી ભગવાન શ્રીરામનું નામ લખો. હવે આ પાંદડાની એક માળા બનાવો.

માળા બનાવવા માટે પૂજામાં ઉપયોગ કરવામાં આવતાં રંગીન દોરાનો ઉપયોગ કરો. હવે નજીકમાં આવેલા કોઈપણ હનુમાન મંદિરમાં જાવ અને હનુમાનજીની પ્રતિમાને આ માળા પહેરાવી દો. હનુમાનજીને પ્રસન્ન કરવાનો આ બહુ પ્રાચીન ટોટકો છે.

હનુમાનજીને ચોળા
હનુમાનજીને ચોળા

4. મંગળવારે હનુમાનજીને ચોળા ચડાવો. હનુમાનજીને ચોળા ચડાવતાં પહેલા સ્નાન કરી શુદ્ધ થઈ જાવ અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. માત્ર લાલ રંગની ધોતી પહેરશો તો વધારે સારું રહેશે. ચોળા ચડાવવા માટે ચમેલીના તેલનો ઉપયોગ કરો. સાથે જ ચોળા ચડાવતી વખતે એક દીવો હનુમાનજીની સામે દીપાવો. દીવામાં પણ ચમેલીના તેલનો ઉપયોગ કરો.

ચોલા ચડાવ્યા બાદ હનુમાનજીને ગુલાબના ફૂલની માળા પહેરાવો અને કેવડાનું અત્તર હનુમાનજીની મૂર્તિના બંને ખભા પર થોડુંક- થોડુંક છાંટો. હવે એક પાનનું પત્તું લો અને તેના ઉપર થોડો ગોળ અને ચણા રાખી હનુમાનજીને ભોગ ધરાવો. ભોગ ધરાવ્યા બાદ તે સ્થાને થોડીવાર બેસીને તુલસીની માળા નીચે આપેલા મંત્રનો જાપ કરો. ઓછામાં ઓછી પાંચ માળા જાપ અવશ્ય કરો.

મંત્ર

राम रामेति रामेति रमे रामे मनोरमे।
सहस्त्र नाम तत्तुन्यं राम नाम वरानने।।

હવે હનુમાનજીને ચડાવેલા ગુલાબના ફૂલની માળામાંથી એક ફૂલ તોડીને તેને એક લાલ કાપડમાં લપેટીને પોતાના ઘન સ્થાન એટલે કે તિજોરીમાં રાખો.

5. મંગળવારે સવારે સ્નાન અત્યાદી કરીને વડના ઝાડનું એક પાંદડું તોડો અને તેને સ્વસ્છ પાણીમાં ધોઈ લો. હવે આ પત્તાને થોડીવાર હનુમાનજીની પ્રતિમાની સામે રાખો અને ત્યારબાદ તેના પર કેસરથી શ્રીરામ લખો.

હવે આ પત્તાને પોતાના પર્સમાં રાખી લો. વર્ષભર તમારું પર્સ નાણાંથી ભરાયેલું રહેશે. ત્યારબાદ જ્યારે ફરીવાર શ્રાવણ માસ આવે ત્યારે આ પત્તાને કોઈ નદીમાં પ્રવાહીત કરો દો અને આ પ્રકારે એક અન્ય પત્તું અભિમંત્રિત કરી તમારા પર્સમાં રાખી લો.

6. મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જાવ અને ત્યાં બેસીને રામ રક્ષાસ્ત્રોતના પાઠ કરો. ત્યારબાદ હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ ધરાવો. જીવનમાં કોઈપણ સમસ્યા હોય તેનું નિવારણ કરવા માટે પ્રાર્થના કરો.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
આ PHOTO પર કર્સર ફેરવો ને મેળવો તમારી 5 સમસ્યાના ઉકેલ…!!!
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

Leave a comment