શું તમે જાણો છો કે પ્રકૃતિમાં કેટલીક એવી વસ્તુઓ ઉપલબ્ધ છે જેનો ઉપયોગ કરીને આપણે આપણા ચહેરાની તમામ સમસ્યાઓથી બચી શકીએ છીએ. પરંતુ આજાકાલ લોકો બજારમાં મળતા મોટાભાગના સૌદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરે છે. આવા પ્રસાધનોથી લોકો આકર્ષાય છે અને રૂપિયા ખર્ચીને તેનો ઉપયોગ તો કરે છે પરંતુ તેનાથી જોઈએ એવો ફાયદો થતો નથી. કેટલીકવાર તો આવા પ્રસાધનોથી લાંબાગાળે આડઅસરો પણ ભોગવવી પડે છે. તો એના માટેનો બેસ્ટ રસ્તો છે કે પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરીને ત્વચાની સમસ્યાઓને દૂર કરવામાં આવે, જી હાં, તેના માટે તમારે ન તો બહુ ખર્ચ કરવો પડશે ન તો ઝાઝી મહેનત. બસ, ઘરમાં જ અહીં જણાવેલી સામાન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને તમે જુદી-જુદી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. જેથી અમે તમને જણાવીશું કે કઈ રીતે સસ્તામાં તમે આવી પ્રાકૃતિક વસ્તુઓની મદદથી ચહેરાની ત્વચાને સ્વસ્થ રાખી શકો છો.
સેન્સિટિવ સ્કિન માટે
જે લોકોની ત્વચા સેન્સિટિવ એટલે કે વધુ પડતી સંવેદનશીલ હોય તેમને ઘણી વસ્તુઓથી એલર્જી થઈ જાય છે. જેથી આવી ત્વચા માટે સોફ્ટ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. સેન્સિટિવ ત્વચા પરની ગંદકી અને ઉઝરડાં દૂર કરવા માટે એલોવેરા જેલમાં કાકડીનો રસ, દહીં અને ગુલાબનું તેલ મિક્ષ કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવી સૂકાવા દો. તમે ગુલાબ તેલની જગ્યાએ તમારી ઈચ્છા મુજબ અન્ય તેલનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. આ ફેસપેકનો ઉપયોગ સેન્સિટિવ ત્વચા માટે બેસ્ટ છે અને આનાથી ત્વચા તરોતાજા અને સ્વસ્થ રહેશે.
ડ્રાય ત્વચા માટે
ડ્રાય ત્વચાને હમેશા હાઈડ્રેશનની જરૂર હોય છે. જેને તમે એલોવેરા ફેસપેકની મદદથી પૂરી કરી શકો છો. તેના માટે એલોવેરા જેલ, કોટેજ ચીઝ, ખજૂર અને કાકડીની પેસ્ટ તૈયાર કરવી. તેમાં થોડો લીંબૂનો રસ મિક્ષ કરવો. હવે આને ચહેરા પર લગાવો. 30 મિનિટ પછી ધોઈ લો. આનાથી તમારી ત્વચા સારી રીતે હાઈડ્રેટ થઈ જશે.
ડિટોક્સીફિકેશન માટે
ત્વચામાં ચમક લાવવા માટે ત્વચા પરની મૃત કોશિકાઓને દૂર કરવી જરૂરી છે. તેના માટે એલોવેરા જેલમાં કેરીનો પલ્પ અને લીંબૂનો રસ બ્લેન્ડરમાં ક્રશ કરી તેને ચહેરા પર 20 મિનિટ માટે લગાવી રાખો. ત્યારબાદ પાણીથી ધોઈ લો. આ પેકથી ત્વચા અંદરથી સાફ તો થશે જ સાથે ત્વચામાં ચમક વધશે.
નિષ્તેજ ત્વચા માટે
આ પેક નિષ્તેજ અને બેજાન ત્વચામાં જાન લાવી દેશે. તેના માટે એક વાટકીમાં બે ચમચી ઓલિવ ઓઈલ અને એલોવેરા જેલ મિક્ષ કરીને તેમાં એટલી જ માત્રામાં ઓટ્સ મિક્ષ કરીને પેસ્ટ તૈયાર કરવી. આ પેસ્ટને 5 મિનિટ સુધી ધીરે-ધીરે ચહેરા પર ઘસો. 10 મિનિટ બાદ ચહેરો ધોઈ લો. મૃત ત્વચાને જીવંત કરવા માટેનો આ બેસ્ટ નેચરલ સ્ક્રબ છે.
ટેન હટાવશે
લીંબૂના રસમાં એલોવેરા મિક્ષ કરીને ચહેરા પર લગાવવાથી ટેનિંગની સમસ્યા ઝડપથી દૂર થાય છે. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવી 15 મિનિટ રહેવા દેવું અને પછી નવશેકા પાણીથી ધોઈ લેવું. આ ફેસપેક લગાવવાથી ચહેરો ચમકીલો બનશે.
કરચલીની સમસ્યા માટે
ચહેરા પરની કરચલીઓ દૂર કરવા માટે નિયમિત રીતે એલોવેરાનો પ્રયોગ કરો. આનાથી તમારી ત્વચા ટાઈટ રહેશે. તેના માટે એલોવેરા અને ગુલાબજળ મિક્ષ કરી પેસ્ટ બનાવો. તેને 15 મિનિટ ચહેરા પર લગાવી ઠંડા પાણીથી ધોઈ લો.
ઓઈલી સ્કિન માટે
ઓઈલી સ્કિનનું થોડું વધારે ધ્યાન રાખવું પડે છે. કારણ કે ઓઈલી ત્વચામાં વધારે સમસ્યાઓ થાય છે. તેના માટે એલોવેરાના કાંટા કાઢીને તેના પાનને પાણીમાં ઉકાળી પેસ્ટ તૈયાર કરી લેવી. પછી તેમાં મધ મિક્ષ કરીને તેને ચહેરા અને ગરદન પર 20 મિનિટ લગાવી ધોઈ લેવું. આનાથી ચહેરા પરનું વધારાનું ઓઈલ દૂર થશે અને ત્વચા સાફ અને ચમકદાર બનશે.
કેળા
કેળાને મસળી તેમાં મધ, દહીં અથવા દળિયા ઉમેરીને લાભકારી અને પોષકયુક્ત ફેસપેક બનાવી શકાય છે. આ ફેસપેકને ચહેરા અને ગળા પર લગાવી 15 મિનિટ બાદ ધોઈ નાખવું. આને નિયમિત લગાવવાથી ચહેરો નિખરી જશે.
સંતરા
સંતરા ખાવામાં, તેનો જ્યુસ પીવામાં અને તેનો પલ્પ ચહેરા પર લગાવવામાં આ બધાં જ વિકલ્પો ઘણાં જ ફાયદાકારક છે. સંતરાના પલ્પમાં દહીં મિક્ષ કરીને ચહેરા પર લગાવવાથી પણ ત્વચા પર તેની અસર ઘણી જ સારી થાય છે. સંતરાની છાલને સુકવીને તેનો પાવડર બનાવીને પણ તેનો ફેસપેક તરીકે ઉપયોગ કરી શકાય છે.
પપૈયુ
પપૈયાની એક ચીરી લઈને તેને મસળીને ચહેરા પર લગાવી 10થી 15 મિનિટ રહેવા દેવું, આવું કરવાથી ત્વચા એકદમ સાફ થઈ જશે, નિયમિત ઉપયોગ કરવાથી ડાઘ દૂર થશે અને ચહેરો નિખરી જશે. જો વધુ સારૂં પરિણામ જોઈતું હોય તો તેમાં એક ચમચી મધ પણ ઉમેરી શકાય.
કેરી
કેરીની સિઝનમાં કેરીમાં દૂધ અથવા દહીં મિક્ષ કરીને ચહેરા પર લગાવવાથી પણ ઘણો ફાયદો થાય છે. આનાથી ત્વચા સાફ પણ થાય છે, અને મૃત કોશિકાઓને પણ દૂર થાય છે.
લીંબુ
ત્વચા પર લીંબુ લગાવવાના અનેક ફાયદા છે. ચહેરાને સાફ કરવા માટે લીંબુનો રસ ચહેરા પર લગાવી શકાય. જો લીંબુના રસમાં મધ લગાવવામાં આવે તો ચહેરો વધુ સાફ થાય છે.
બટાકા
બટાકાને પાતળા કાપીને તેને ચહેરા અને ગરદન પર લગાવવાથી ગજબનો ફાયદો થાય છે. અડધો કલાક રહેવા દીધા બાદ ત્વચાને સાફ કરી લો. આનાથી ચહેરા પરના ધબ્બા ધીરે-ધીરે દૂર થશે.
સ્ટ્રોબેરી
સ્ટ્રોબેરીને મસળીને તેને ચહેરા અને ગરદન પર લગાવીને 20 મિનિટ બાદ પાણી વડે ધોવાથી પણ ત્વચા મસ્ત સાફ થઈ જાય છે. આમ ચહેરાની ત્વચા સાફ થઈ જાય છે, અને ચહેરો ચમકે છે.
૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો
આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.