Category Archives: हिंदू धर्म હિન્દુધર્મ Hindu Dharm

ઘરમાં છલકાશે સુખ-શાંતિ અને બરકત, હનુમાનજી સામે કરો આ 3 ઉપાય..!!

upaay6
બાળકો પર નકારાત્મક શક્તિઓનો અસર સૌથી પહેલાં થાય છે કારણ કે, તેમનું મન અને મસ્તિષ્ક વડીલોની સરખામણીમાં ઘણું નબળું હોય છે. આપણે જોઇએ છીએ કે, કોઇપણ વ્યક્તિ એકધાર્યું બાળકને જુએ તો બાળક વિચલિત થઇ જાય છે અને રડવા લાગે છે. આવા અનેક કારણ છે જે બાળકોને પરેશાન કરે છે. આ કારણોથી બાળકો મોટાભાગે બીમાર પણ રહે છે તથા તેમને કોઇપણ જાતનો ભય લાગતો નથી. થોડાં સાધારણ ઉપાય કરી બાળકોની આ સમસ્યાઓને દૂર કરી શકાય છે. આ ઉપાય આ પ્રકારે છે.

1. તમારા બાળકોને સતત નજર લાગતી હોય તો મંગળવારે એક ચાંદીના તાવીજમાં હનુમાનજીના ચોલામાં સિંદૂર ભરી લેવું અને તેને કાળા દોરામાં પોરવીને પોતાના બાળના ગળામાં પહેરાવી દેવું.

2. જો બાળકોને અંધારામાં કે પછી કોઇ અન્ય સ્થાને જવામાં કોઇપણ જાતનો ભય લાગતો હોય તો શુક્લ પક્ષના કોઇપણ મંગળવારે શ્રીહનુમાન ચાલીસાની પુસ્તક લઇને હનુમાનજીના મંદિરમાં અર્પણ કરવી. ત્યાર પછી હનુમાનજીના જમણા ખંભાના સિંદૂરથી બાળકને તિલક લગાવીને મૂર્તિની સામે લાલ આસન પર બેસાડી દેવું અને હનુમાન ચાલીસાનો પાઠ 11 વાર કરવો. આવું કરવાથી બાળકનો ભય દૂર થાય છે.

3. જો તમારું બાળક મોટાભાગે બીમાર રહે છે તો ઉપચારની સાથે-સાથે હનુમાનજીનો આ ઉપાય પણ કરી શકો છો. શુક્લ પક્ષના પહેલાં મંગળવારે એક અષ્ટધાતુનું કડું બનાવીને લઇ આવવું અને તેને હનુમાનજીની મૂર્તિ સામે રાખી દેવું. ત્યાર પછી હનુમાનજીના જમણાં પગનું સિંદૂર કડા પર લગાવવું પંચમુખી શ્રીહનુમાન કવચ, બજરંગ બાણ, હનુમાન બાહુક તથા 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો. ત્યાર પછી તે કડાને પોતાના બાળકના જમણાં હાથમાં પહેરાવી દેવું. સાથે જ, હનુમાનજીથી પ્રાર્થના કરવી કે, બાળક સ્વસ્થ રહે.

1. સિક્કાથી વધી શકે છે બરકતઃ-

તમે જેટલું કમાવ છો તેટલું જ ખર્ચ પણ થઇ જાય છે તો સમજી લો તમારા ઘરમાં બરકત રહેતી નથી. એટલે કે, તમે જેટલું કમાઇ લાવો છો તેમાંથી કંઇ જ બચતું નથી. જો તમારી સાથે પણ આ સમસ્યા બની રહી છે તો નીચે લખાયેલાં ઉપાય કરી શકો છો.

ઉપાયઃ-

બુધવારે કોઇપણ સમયે જ્યારે કોઇ કિન્નર જોવા મળે તો તેને પોતાની શક્તિ મુજબ થોડાં રૂપિયા ભેટ કરવાં. સંભવ હોય તો તેને ભોજન પણ કરાવવું. ત્યાર પછી તે કિન્નર પાસેથી તમારે એક સિક્કો પાછો માંગી લેવો (તમારા દ્વારા આપેલ રૂપિયામાંથી નહીં પરંતુ કિન્નર પાસેથી તેના રૂપિયામાંથી એક સિક્કો માંગવો). આ સિક્કાને તમારે તમારા ગલ્લામાં, કેશ બોક્સ અથવા ધન સ્થાન પર રાખી દેવું. તમે જોઇ શકશો કે, થોડા જ દિવસોમાં તમારી સેવિંગ વધી જશે અને સાથે જ, તમારી ઇનકમ પણ વધી જશે.

2. પરિવારમાં સુખ-શાંતિ માટે કરવો આ ઉપાયઃ-

પરિવારના સભ્યોમાં વાદ-વિવાદ થતો રહે છે, પરંતુ જ્યારે તે રોજ થવા લાગે તો ઘરના વાતાવરણમાં અશાંતિ ફેલાય જાય છે. ક્યારેક-ક્યારેક આ વિવાદ કોઇ મોટી ઘટનાનું સ્વરૂપ પણ લઇ લે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે નીચે લખાયેલ ઉપાય કરવા-

ઉપાયઃ-

દરરોજ સવારે સૂર્યોદના સમયે ઘરના તે માટલાં અથવા વાસણમાંથી એક લોટો જળ જેમાંથી ઘરનું દરેક સભ્ય પાણી પીતું હોય અને તે જળને પોતાના ઘરના પ્રત્યેક રૂમમાં, ઘરની છત પર તથા દરેક સ્થાન પર છંટકાવ કરવો. આ દરમિયાન કોઇપણ વ્યક્તિ સાથે કોઇ પ્રકારની વાત કરવી નહીં તથા મનમાં જ ऊं शांति ऊं મંત્રનો જાપ કરતાં રહેવું. થોડા સમયમાં જ તમારી સમસ્યા દૂર થઇ જશે.

3. રોગથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાયઃ-

ભગવાન શંકર તેમના ભક્તોને દરેક પ્રકારના સુખ પ્રદાન કરે છે. ત્યાં સુધી કે, તેઓ મરણ પથારીએ રહેલ ભક્તને પણ નવું જીવન પ્રદાન કરી શકે છે. શિવ દરેક પ્રકારથી પોતાના ભક્તોને આરોગ્ય પ્રદાન કરે છે. સોમવારના દિવસે નીચે લખાયેલ મંત્રોનો ઉપાય કરવામાં આવે તો રોગથી છુટકારો મળી શકે છે.

ઉપાયઃ-

કોઇપણ સોમવારે ભગવાન શિવના મંદિરમાં જઇને શિવલિંગને દૂધ તથા કાળા તલનો અભિષેક કરવો. અભિષેક માટે તાંબાના વાસણને છોડીને કોઇ અન્ય ધાતુના વાસણનો જ ઉપયોગ કરવો. અભિષેક કરતી સમયે ऊं जूं स: મંત્રનો જાપ કરતાં રહેવું. ત્યાર પછી ભગવાન શિવથી રોગ નિવારણ માટે પ્રાર્થના કરવી. ભગવાન શિવની કૃપાથી તમે ઝડપથી રોગ મુક્ત થઇ શકો છો.

4. તેજ દિમાગ માટે કરો આ ઉપાયઃ-

જો તમારી બુદ્ધિ પ્રખર છે તો તમે કોઇપણ કામ ખૂબ જ સહજતાથી કરી શકો છો અને મોટામાં મોટા સંકટનો સામનો પણ કરી શકો છો. જો તમે ઇચ્છો છો કે, તમારું દિમાગ પણ કમ્યૂટરથી તેજ ચાલે તો નીચે લખાયેલ મંત્રનું વિધિ-વિધાનથી જાપ કરવો. આ મંત્રના જાપથી બુદ્ધિ તેજ થાય છે.

મંત્રઃ-

सर्वस्य बुद्धिरूपेण जनस्थ ह्रदि संस्थिते।
स्वर्गापवर्गके देवि नारायाणि नमोस्तुते।।

જાપ વિધિઃ-

– દરરોજ સવારે સ્નાન વગેરે કર્યા પછી તુલસીના છોડની સામે ઘીનો દીપક પ્રગટાવવો.
– ત્યાર પછી કુશના આસન પર બેસીને તુલસીની માળાથી આ મંત્રનો ઓછામાં ઓછી 108 વાર જાપ કરવો.
– થોડા જ દિવસોમાં તમને સ્વયંની અંદર પરિવર્તન અનુભવ થશે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણની પૂજાથી મળે છે વિષ્ણુલોક, આ રીતે કરો વ્રત+પૂજા તથા જાણો રસપ્રદ અને રહસ્યમયી વાતો.

kisna59

જન્માષ્ટમીનું વ્રત રાખવામાં આવે છે અને ભગવાન શ્રીકૃષ્ણની આરાધના ઘરેઘરે થાય છે. શ્રીકૃષ્ણનું ધ્યાન અને ચિંતન થાય છે. શ્રીકૃષ્ણએ જે ઉપદેશ આપ્યા, તેને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લેવામાં આવે છે. સમગ્ર દેશમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો મહોત્સવ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે. મંદિરો અને ઘરોમાં ભગવાનને શણગાર કરવામાં આવે છે. લોકો ઉપવાસ કરે છે અને રાત્રે જાગરણ કરે છે. ભજન-કિર્તન કરતાં રાત પસાર કરે છે. એવી માન્યતા છે કે આ વ્રત કરવાથી વિષ્ણુલોક પ્રાપ્ત થાય છે.

જાણો વ્રત કેમ કરવું જોઈએઃ-

કુળની 21 પેઢીઓનો ઉદ્ધાર:-

જન્માષ્ટમીના વ્રતની વિધિ- વિધાનથી પારણાં કરવાથી કુળની પેઢીઓનો ઉદ્ધાર થઈ જાય છે. જન્માષ્ટમી ઉત્સવ અને વ્રત બાદ વૈષ્ણવજનોને ભોજન કરાવો. આ વ્રતને કરનાર વ્યક્તિ ભગવાનના ધામને પામે છે. તેને કોઈપણ પ્રકારના દુઃખ નથી થતાં.

માન્યતાઓ અલગ-અલગ:-

આ વ્રત સંબંધિત લોકોની માન્યતાઓ અલગ-અલગ છે. સામાન્ય રીતે બે મત છે. સ્માર્તલોકો અર્ધરાત્રિના સ્પર્શ થવા કે રોહિણી નક્ષત્રનો યોગ થવા પર સાતમ સહિત આઠમમાં પણ ઉપવાસ કરે છે. પરંતુ વૈષ્ણવજન સાતમને સ્પર્શ થવા પર બીજા દિવસ જ ઉપવાસ કરે છે. નિમ્બાર્ક સંપ્રદાયમાં વૈષ્ણવ તો એક દિવસ પહેલા અર્ધરાત્રિથી જો કેટલીક પણ પણ સાતમ વધારે હોય તો પણ આઠમની જગ્યાએ નોમનો પણ ઉપવાસ કરે છે.

જન્‍માષ્‍ટમીના વ્રતનું શાસ્ત્રોકત મહત્‍વઃ-

કોઇપણ ધર્મ-કર્મ માટે શાસ્ત્રની આજ્ઞા જાણવી જરૂરી છે. શ્રી ભગવાને આ વાતની મહત્તા સિધ્‍ધ કરતાં શ્રીમદ્દ ભગવદ્દ ગીતા – અધ્‍યાય ૧૬ – દૈવાસુરસંપત્તિ વિભાગ યોગમાં બે શ્‍લોકો – શ્‍લોક નં. ર૩ અને શ્‍લોક નં. ર૪ કહ્યા છે. તેથી જન્‍માષ્‍ટમીના વ્રત વિશે પણ શાસ્ત્રની આજ્ઞા જાણવી જરૂરી છે.

શાસ્ત્રમાં નારદમહાપુરાણ, ભવિષ્‍યોત્તર પુરાણ, પદ્મપુરાણ, ભવિષ્‍ય પુરાણ વગેરેમાં જન્‍માષ્‍ટમીના વ્રત અને કથા વિશે કહેવામાં આવ્‍યું છે.

આમાંથી અહી નારદ મહાપુરાણમાં આપેલાં જન્‍માષ્‍ટમીના વ્રત વિશેની માહિતી, સાવ સંક્ષેપમાં, ભગવદ્‌ ભકતો તેમજ શ્રધ્‍ધાળુઓને ઉપયોગી થાય ફકત તે હેતુથી જ અમારી અલ્‍પ સમજણ મુજબ અહીં આપી છે.

શાસ્ત્રનું પ્રામણ :- શ્રી નારદમહાપુરાણ
ચતુર્થપાદ – અધ્‍યાય ૧૧૭ મો
વકતા : શ્રી સનાતન
શ્રોતા : શ્રી નારદજી
કુલ શ્‍લોક સંખ્‍યા : ૯૯
કૃષ્‍ણ – જન્‍માષ્‍ટમી
શ્રાવણ માસની કૃષ્‍ણ પક્ષની અષ્‍ટમીએ જન્‍માષ્‍ટમીનું વ્રત કરવામાં આવે છે.

જન્‍માષ્‍ટમીનું વ્રત :-

જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરી નદી વગેરે પવિત્ર જળમાં તલમિશ્રિત કરી જળથી સ્‍નાન કરવું. સ્‍નાન કર્યા પછી પવિત્ર અને ઉત્તમ સ્‍થાનમાં મંડળ કરવું. મંડળના મધ્‍યભાગમાં તાંબાન કે માટીના કળશની સ્‍થાપના કરવી. તેના પર ભગવાન શ્રીકૃષ્‍ણની સુવર્ણમય (ભવિષ્‍યોત્તર પુરાણ પ્રમાણે આ મૂર્તિ સુવર્ણની, ચાંદીની, ત્રાંબાની, પિત્તળની, માટીની અથવા કાષ્‍ઠ કે મણિની રાખવી) મૂર્તિની સ્‍થાપના કરવી.

ત્‍યાર પછી શ્રી ભગવાનની અત્‍યંત ભાવથી પૂજા કરવી. શ્રી ભગવાનની સાથે તેમના પરિવાર દેવકી, વાસુદેવ, યશોદા, નંદ, વ્રજ, ગોપ ગણ, ગોપી વૃંદ તથા ગાયોના સમુદાયની પણ ખુબ ભકિત ભાવથી પૂજા કરવી.

અર્ધી રાત્રે ફરીથી શ્રી ભગવાનને પંચામૃત તથા શુધ્‍ધ જળથી સ્‍નાન કરાવવુ ગંધ પુષ્‍પ વગેરેથી પુજા કરવી શ્રી ભગવાનને ધાણા, અજમો, સૂંઠ, ખાંડ અને ઘી ભેગા કરી નૈવેદ્ય અર્પણ કરવુ. આ નૈવૈદ્ય ચાંદીના પાત્રમાં મુકી ભગવાનને અર્પણ કરવું

કૃષ્‍ણ જન્‍માષ્‍ટમીએ જાગરણ-

વ્રત કરનારે આખી રાત જાગરણ કરવુ રોહિણી તથા ચંદ્રની પુજા કરવી વ્રત કરનારે પુરાણોના પાઠ વાંચવા-સાંભળવા શ્રી વિષ્‍ણુસષાનામ વગેરેસ્ત્રોતોથી શ્રી ભગવાનનું વિશેષ પુજન કરવુ વાદ્યો સહીત ગીત સંગીત સંકીર્ત કરવુ સમસ્‍ત પુજા ખુબ ભકિત ભાવથી કરવી.

બીજા દિવસે દાન-

બીજા દિવસે પ્રાંતઃકાળે ગુરૂને તથા બ્રાહ્મણોને મિષ્‍ટાન સહીત અન્નદાન કરવુ અને દક્ષિણા આપવી અન્‍ય જરૂરીયાતવાળા મનુષ્‍યોને દાન આપવું.

વ્રત કરાવનાર ગુરૂને શ્રી ભગવાનની પ્રતિમા સુવર્ણ,ભુમી, વગેરેનું યથાશકિત લઇને ભાવ પુર્વક ગુરૂને વિદાય આપવી ત્‍યારબાદ વ્રત કરનાર મનુષ્‍યએ કુટુંબીજનો,મિત્રો વગેરે સાથે ભોજન લેવું.

જન્‍માષ્‍ટમીના વ્રતનું ફળ

જન્‍માષ્‍ટમીનું વ્રત જો નિયમ મુજબ કરવામાં આવે તો સર્વ પાપને હરી લે છે. આ દિવસે શાસ્ત્રની આજ્ઞા મુજબ જો ફકત ઉપવાસ કરવામાં આવે તો તે મનુષ્‍ય સાત જન્‍મોના પાપોથી મુક્ત થાય છે. શાસ્ત્રની આજ્ઞા મુજબ વ્રત કરનારને ગૌલોક પ્રાપ્ત થાય છે. નારદમહાપુરાણ કહે છે, આ જન્‍માષ્‍ટમીના વ્રત જેવુ અન્‍ય કોઇ વ્રત ત્રણે લોકમાં નથી આ વ્રત કરવાની કરોડો એકાદશીનું ફળ પ્રાપ્ત થઇ જાય છે.

ભવિષ્‍યોતર પુરાણ કહે છે શાસ્ત્રની આજ્ઞા મુજબ બરોબર જો આ વ્રત કરવામાં આવે તો આ વ્રત વિશે કરોડો એકાદશીના ફળની સમાન ફળ આપનારૂ છે.

કૃષ્ણએ માત્ર 64 દિવસમાં જ શીખી હતી, આ ચમત્કારી 64 કળાઓ!

શ્રાવણ વદ આઠમે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના રૂપે ઉજવવામાં આવે છે. આ દિવસે શ્રીકૃષ્ણનો અવતાર થયો હતો. અર્ધરાત્રિ એટલે કે રાત્રે 12 કલાકે મથુરા નગરીની અંધારી કાળકોટડીમાં વાસુદેવના પત્ની દેવકીના ગર્ભથી શ્રીકૃષ્ણ પ્રગટ થયાં હતાં. તેમનું પ્રારંભિક જીવન ગોકુળ.વૃંદાવનમાં વ્યતિત થયું હતું. શ્રીકૃષ્ણનું શિક્ષણ ઉજ્જૈનમાં ગુરૂ સાંદીપનિને ત્યાં થયું હતું. તેઓ અહીં 64 દિવસ રહ્યાં હતાં અને આ દિવસોમાં શ્રીકૃષ્ણે 64 કળામાં પારંગત થઈ ગયા હતા. આજે જાણો કઈ-કઈ વિદ્યાઓ હતી એ જેમાં કૃષ્ણએ પારંગતતા પ્રાપ્ત કરી હતી…

શ્રીકૃષ્ણની સાથે બલરામ પણ ગુરૂ સાંદિપનિ પાસેથી માત્ર 64 દિવસમાં જ 64 કળામાં નિપૂળતા પ્રાપ્ત કરી લીધી હતી. આ કળાઓની મદદથી શ્રીકૃષ્ણ અને બલરામ કેટલાય મહાયુદ્ધોમાં જીત પ્રાપ્ત કરી હતી. ગુરૂ સાંદીપનિએ શ્રીકૃષ્ણ અને બલરામને બધા વેદ, ઉપનિષદ, મંત્ર તથા દેવતાઓ સાથે જોડાયેલું જ્ઞાન, ધનુષ્ય વિદ્યા, મનુસ્મૃતિ વગેરે શાસ્ત્રોની સાથે ન્યાયશાસ્ત્રનું જ્ઞાન પણ આપ્યું હતું.

અહીં જાણો તે 64 કળાઓ કઈકઈ હતી જે શ્રીકૃષ્ણ માત્ર 64 દિવસમાં જ શીખી લીધી હતી…

1. નૃત્ય – નાચવું.
2. વાદ્ય- જુદાં-જુદાં વાજિંત્રો વગાડવા.
3. ગાયન વિદ્યા- ગાયકી.
4. નાટ્ય- વિવિધ પ્રકારના હાવભાવ અને અભિનય.
5. ઈન્દ્રજાળ- જાદુગરી.
6. નાટક આખ્યાયિકા વગેરેની રચવા કરવી.
7. સુગંધિત વસ્તુઓ- અત્તર, તેલ વગેરે બનાવવું.
8. ફૂલોના આભૂષણોથી શણગાર કરતાં.
9. વેતાળ વગેરેને વશમાં રાખવાની વિદ્યા.
10. બાળકોની રમત.
11. જીત પ્રાપ્ત કરાવનાર વિદ્યા.
12. મંત્રવિદ્યા
13. શકન-અપશકન જોવા, પ્રશ્નો ઉત્તરમાં શુભાશુભ કહેવાનું.
14. રત્નોને જુદાં-જુદાં પ્રકારના આકારમાં કાપવું.
15. કેટલાય પ્રકારના માતૃકા યંત્ર બનાવવા.
16. સાંકેતિક ભાષા બનાવવી.
17. જળને બાંધવું
18. શાખાઓ બનાવવી
19. ચોખા અને ફૂલોથી પૂજાના ઉપહારની રચવા કરવી (દેવપૂજન કે અન્ય શુભ અવસરો પર કેટલાય રંગબેરંગી ચોખા, જવ વગેરે વસ્તુઓ અને ફૂલોને જુદીજુદી રીતે સજાવવું)
20. ફૂલોની પથારી બનાવવી.
21. મેના- પોપટ વગેરેની બોલી બોલવી- આ કળા વડે મેના-પોપટની જેમ બોલવાનું અને તેના બોલી શીખવવામાં આવે છે.
22. વૃક્ષોની ચિકિત્સા
23. ઘેટાં-બકરાં, મરઘાં, તેતર વગેરેને લડાવવાની રીત.
24. જડમૂળથી ઉખેડી નાખવાની વિધિ
25. ઘર વગેરે બનાવવાની કારીગરી.
26. પાથરણા, ગોદડું, કાબળો વગેરે બનાવવું.
27. સુથારી કામ
28. ધાતુની પટ્ટી, નેતર કામ, બાણ વગેરે બનાવવું એટલે કે આસન, ખુરશી, પલંગ વગેરે વસ્તુ વાંસ વગેરેથી બનાવવી.
29. વિવિધ પ્રકારનું ભોજન બનાવવું એટલે કે કેટલાય પ્રકારના શાક, રસ, મીઠા પકવાન, કડી વગેરે બનાવવાની કળા.
30. હાથચાલકીનું કામ.
31. ઈચ્છિત વેશ ધારણ કરી લેવો.
32. જુદાંજુદાં પીણાં બનાવવા.
33. દ્યૂત ક્રીડા.
34. બધાં છંદોનું જ્ઞાન.
35. વસ્ત્રોને સંતાપડવા કે બદલવાની વિદ્યા.
36. દૂરના વ્યક્તિ કે વસ્તુનું આકર્ષણ.
37. કપડાં અને ઘરેણાં બનાવવા.
38. હાર, માળા વગેરે બનાવવું.
39. વિચિત્ર સિદ્ધિઓ દેખાડવી એટલે કે એવા મંત્રોનો પ્રયોગ કે પછી જડીબુટીઓને મેળવીને એવી વસ્તુ કે ઔષધિ બનાવવી જેનાથી શત્રુ શક્તિહીન થાય કે તેને નુકસાન પહોંચે.
40. કાન અને ગૂંથેલા વાળ માટે ફૂલોના ઘરેણાં બનાવવા- સ્ત્રીઓના વાળને સજાવવા માટે ઘરેણાંનું રૂપ આપીને ફૂલોને ગૂંથવા.
41. કઠપૂતળી બનાવવી, નચાવવી.
42. પ્રતિમા વગેરે બનાવવું.
43. કોયડા બનાવવા.
44. સોયનું કામ એટલે કે કાપડની સિલાઈ, રફૂ વગેરે કરવું.
45. વાળોની સફાઈનું કૌશલ્ય.
46. મુઠ્ઠીની વસ્તુ કે મનની વાત કહી દેવી.
47. કેટલાય દેશોની ભાષાનું જ્ઞાન.
48. ગૂઢ કાવ્યોને સમજી લેવું- એવા સંકેતોને લખવા અને સમજવાની કળા, જે તેને જાણનાર જ સમજી શકે છે.
49. સોના-ચાંદી વગેરે ધાતુ તથા હીરાપન્ના વગેરે રત્નોની પરીક્ષા.
50. સોના-ચાંદી વગેરે બનાવી લેવું.
51. મણીઓના રંગને ઓળખવો.
52. ખાણોની ઓળખાણ.
53. ચિત્રકારી.
54. દાંત, વસ્ત્ર અને અંગોને રંગવું.
55. શૈયા રચના.
56. મણીઓથી ઘરનો પૃષ્ઠભાગ બનાવવો એટલે કે ઘરના પૃષ્ઠભાગના કેટલાક હિસ્સામાં મોતી, રત્નોથી જડવું.
57. કૂટનીતિ.
58. ગ્રંથોને ભણવાની ચતુરાઈ.
59. નવીનવી વાતો કાઢવી.
60. સમસ્યાપૂર્તિ કરવી.
61. બધાં કોષોનું જ્ઞાન.
62. મનમાં કટક રચના કરવી એટલે કે કોઈપણ શ્લોક વગેરેમાં છૂટા પદ કે ચરણને મનમાં પૂર્ણ કરવું.
63. છળથી કામ કાઢવું.
64. કાનના પાંદડાની રચના કરવી એટલે કે શંખ, હાથીદાંત સહિત કેટલાય પ્રકારના કાનના ઘરેણાં તૈયાર કરવા.

શ્રીકૃષ્ણના કુટુંબની આ રસપ્રદ અને રહસ્યમયી વાતો, જે બધા નથી જાણતા!

શ્રીકૃષ્ણ ભગવાન વિષ્ણુના અવતાર હતા, આ વાત આપણે બધા જાણીએ છીએ. શ્રીકૃષ્ણની કૃપાથી જ પાંડવોએ કૌરવોને હરાવ્યું અને પોતાનું ખોવાઈ ગયેલું રાજ્ય પાછું પ્રાપ્ત કર્યું. મહાભારત યુદ્ધમાં શ્રીકૃષ્ણે કઈ રીતે પોતાની યુક્તિઓથી પાંડવોને વિજય અપાવી આ વાત પમ આપણે બધા જાણીએ છીએ, પરંતુ ઓછા જ લોકો શ્રીકૃષ્ણના અંગત જીવન સાથે જોડાયેલી વાતો જાણે છે.

શ્રીમદભાગવતમાં ભગવાન શ્રીકૃષ્ણના પૂરા જીવનનું વર્ણન મળે છે. જન્માષ્ટમી (5 સપ્ટેમ્બર, શનિવાર)ના પ્રસંગે અમે તમને શ્રીમદભાગવતમાં લખેલી શ્રીકૃષ્ણ તથા બલરામના જીવનની કેટલીક રસપ્રદ વાતો બતાવવા જઈ રહ્યા છીએ, જે આ રીતે છે-

જાણો શ્રીકૃષ્ણની પુત્રીનું નામ

ભગવાન શ્રીકૃષ્ણને દરેક રાણીથી 10-10 પુત્ર ઉત્પન્ન થયા. તે બધા રૂપ, બળ વગેરે ગુણોમાં પોતાના પિતા સમાન હતા. આ રાણીઓમાં 8 પટરાણીઓ હતી. રૂક્મણિના ગર્ભથી જે પુત્ર થયો તેમના નામ- પ્રઘુમ્ન, ચારૂદેષ્ણ, સુદેષ્ણ, ચારૂદેહ, સુચારૂ, ચારૂગુપ્ત, ભદ્રચારૂ, ચારૂચંદ, વિચારૂ તથા ચારૂ હતું. આ સિવાય રૂક્મણિની એક પુત્રી પણ હતી જેનું નામ ચારૂમતી હતું. આ પટરાણીઓ સિવાય ભગવાન શ્રીકૃષ્ણની 16,108 અન્ય પણ પત્નીઓ હતી. તેમના પણ દીપ્તિમાન અને તામ્રતપ્ત વગેરે 10-10 પુત્ર હતા.

આ રીતે બન્યાં દુર્યોધન શ્રીકૃષ્ણના વેવાઈ

શ્રીમદભાગવત મુજબ, દુર્યોધનની પુત્રીનું નામ લક્ષ્મણા હતું. લગ્ન યોગ્ય થઈ જવા પર દુર્યોધને તેનું સ્વયંવર કર્યું. તે સ્વયંવરમાં ભગવાન શ્રીકૃષ્ણનો પુત્ર સામ્બ પણ ગયો. તે લક્ષ્મણાના સૌંદર્ય પર મોહિત થઈ ગયો અને સ્વયંવરથી તેનું હરણ કરી લઈ ગયો. કૌરવોએ તેનો પીછો કર્યો અને બંદી બનાવી લીધો. આ વાત જ્યારે યુદવંશીઓને જાણ થઈ તો તે કૌરવોની સાથે યુદ્ધની તૈયારી કરવા લાગ્યાં, પરંતુ શ્રીકૃષ્ણના મોટા ભાઈ બલરામે તેમને રોકી દીધા અને સ્વયં કૌરવો સાથે વાત કરવા હસ્તિનાપુર આવ્યાં.

અહીં આવીને તેમણે કૌરવો સાથે સામ્બ તથા લક્ષ્મણાને દ્વારિકા મોકલવાની વાત કરી. ત્યારે કૌરવોએ તેમનું ખૂબ અપમાન કર્યું. પોતાના અપમાનથી ક્રોધિત થઈને બલરામે પોતાના હલથી હસ્તિનાપુરને ઉખાડી દીધું અને ગંગા નદીની તરફ ખેંચવા લાગ્યા. કૌરવોએ જ્યારે જોયું કે બલરામ તો હસ્તિનાપુરને ગંગામાં ડુબાવવાવાળો છે ત્યારે તેમણે સામ્બ અને લક્ષ્મણાને છોડી દીધા અને બલરામની માફી માંગી લીધી.

શા માટે હતી શ્રીકૃષ્ણની 16,108 રાણીઓ?

પ્રાગ્યજ્યોતિષપુરના રાજા ભૌમાસુર ખૂબ અત્યાચારી હતો. તેણે બળપૂર્વક રાજાઓથી 16 હજાર રાજકુમારીઓ છીનવી પોતાના મહેલમાં રાખી હતી. ભગવાન શ્રીકૃષ્ણે ભૌમાસુરનો વધ કરી તે બધીને બંધનમુક્ત કરી દીધા. જ્યારે તે રાજકુમારીઓએ ભગવાન કૃષ્ણને જોયા તો તેઓ તેમની ઉપર મોહિત થઈ ગઈ અને વિચાર કરવા લાગી કે કૃષ્ણ જ મારા પતિ હોય.

ભગવાન કૃષ્ણે તે બધાના મનના ભાવ જાણીને એક જ મુહૂર્તમાં અલગ-અલગ ભવનોમાં અલગ-અલગ રૂપ ધારણ કરી એક સાથે તે બધી રાજકુમારીઓ સાથે લગ્ન કરી લીધા.

કંસને થઈ ગયો હતો મૃત્યુનો પૂર્વાભાસ

કંસને પોતાની મૃત્યુના પૂર્વાનુમાન સંકેત સ્વપ્નના માધ્યમથી મળી ગયા ગતા. શ્રીમદભાગવત મુજબ મૃત્યુથી એક દિવસ પૂર્વ કંસે જોયું કે જળ અથવા દર્પણમાં શરીરનો પડછાયો તો દેખાઈ દેતો હતો, પરંતુ માથું નહોતું દેખાઈ ગેતું હતું. કાનમાં આંગળી નાખી સાંભળવા પર પણ પ્રાણનો ઘૂં-ઘૂં અવાજ નહોતો સંભળાતો.

કંસે સપનામાં જોયું કે તે પ્રેતોને ગળે લગાવી રહ્યો છે. ગધેડા પર ચડીને ચાલે છે અને વિષ ખાઈ રહ્યો છે. તેનું આખું શરીર તેલથી તર છે, ગળામાં જાસુદની માળા છે અને નગ્ન અવસ્થામાં ક્યાંય પણ જઈ રહ્યો છે. પુરાણોમાં આ બધા મૃત્યુના સંકેત માનવામાં આવે છે.

જાણો પૂર્વજન્મમાં કોણ હતા દેવકી-વાસુદેવ

કૃષ્ણ જન્મ પહેલા પણ ભગવાન વિષ્ણુ વાસુદેવ તથા દેવકીના પુત્ર બનીને બે વખતે જન્મ લઈ ચૂક્યાં હતા. શ્રીમદભાગવત મુજબ પ્રથમ જન્મમાં વાસુદેવનું નામ સુપતા તથા દેવકીનું નામ પૃશ્નિ હતું. તે જન્મમાં સુપતા અને પૃશ્નિને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ઘોર તપસ્યા કરી હતી. ભગવાન વિષ્ણુએ પ્રગટ થીને તેમને વરદાન માંગવા માટે કહ્યું. ત્યારે સુપતા અને પૃશ્નિએ કહ્યું કે અમને તમારા સમાન પુત્ર પ્રાપ્ત થાય. ભગવાન વિષ્ણુએ તેમને વરદાન આપી દીધો.

સમય આવવા પર ભગવાન વિષ્ણુએ પૃશ્નિના ગર્ભથી જન્મ લીધો. પૃશ્નિના ગર્ભથી ઉત્પન્ન થવાને લીધે તેમનું નામ પૃશ્નિગર્ભ પ્રસિદ્ધ થયું. બીજા જન્મમાં વાસુદેવ ઋષિ કશ્યપ તથા દેવકીએ અદિતિના રૂપમાં જન્મ લીધો. આ જન્મમાં ભગવાન વિષ્ણુ વામન રૂપમાં તેમના પુત્ર બન્યાં. તેના પછી શ્રીકૃષ્ણ બનીને વાસુદેવ તથા દેવકીને સંતાન સુખ પ્રદાન કર્યું.

પહેલા જેને બચાવ્યો પછી તેનો જ વધ કરી દીધો બલરામે

જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે રૂક્મણિનું હરણ કર્યું ત્યારે રૂક્મણિનો ભાઈ રૂક્મી તેમને રોકવા આવ્યો. રૂક્મી અને કૃષ્ણ વચ્ચે યુદ્ધ થયું. અંતમાં કૃષ્ણે રૂક્મીને હરાવી દીધો. કૃષ્ણ તેનો વધ કરવા ઈચ્છતા ગતા, પરંતુ બલરામે તેમને રોકી દીધા. ત્યારે કૃષ્ણે રૂક્મીના દાડી-મૂંછ તથા માથાના વાળને કેટલીય જગ્યાઓથી મૂંડાવી તેને કદરૂપો બનાવીને છોડી દીધો.

રૂક્મીની પુત્રી રૂક્મવતીના લગ્ન કૃષ્ણના પુત્ર પ્રઘુમ્ન સાથે થયા હતા. તેના પછી રૂક્મીએ પોતાની બહેન રૂક્મઇને પ્રસન્ન કરવા માટે પોતાની પૈત્રી રોચનાના લગ્ન કૃષ્ણના પૌત્ર અનિરૂદ્ધ સાથે કરી દીધા, પરંતુ મનમાંને મનમાં તે કૃષ્ણ સાથે શત્રુતા રાખતો હતો. અનિરૂદ્ધ-રોચનાના લગ્નમાં રૂક્મીએ બલરામને ચૌસર રમવા માટે આમંત્રણ આપ્યું. હારી ગયા પછી પણ રૂક્મી કહેવા લાગ્યો કે હું જીતી ગયો. એવું કહેતા તે બલરામજીની હંસી ઉડાવવા લાગ્યો. ત્યારે બલરામજીને ખૂબ ગુસ્સો આવ્યો અને તેમણે રૂક્મીનો વધ કરી નાખ્યો.

બલરામે કર્યો હતો આ અપરાધ

જે સમયે કૌરવ તથા પાંડવોની વચ્ચે યુદ્ધ થી રહ્યું હતું, તે સમયે કૃષ્ણના મોટા ભાઈ બલરામ તીર્થયાત્રા કરી રહ્યા હતા. યાત્રા દરમિયાન તો નેમિષારણ્ય પહોંચ્યાં. ત્યાં તે સમયે મોટા ઋષિ ઉપસ્થિત થઈને સત્સંગ કરી રહ્યા હતા. બલરામજીને આવતા જોઈ બધાએ તેમનું સ્વાગત અને પૂજન કર્યું. ત્યારે બલરામે જોયું કે મહર્ષિ વેદવ્યાસના શિષ્ય રોમહર્ષણ સૂત જાતિમાં ઉત્પન્ન હોવા પર પણ શ્રેષ્ઠ બ્રાહ્મણો કરતા ઉચ્ચ સ્થાન પર બેઠાં છે અને તેમણે સ્વાગત તથા પ્રણામ પણ ન કર્યું.

આ જોઈ બલરામજીને ખૂબ ક્રોધ આવ્યો અને તેમણે પોતાના હાથમાં સ્થિત કુશ (એક પ્રકારની ઘાસ)ની નોકથી તેમની ઉપર પ્રહાર કર્યો, જેનાથી તેમની મૃત્યુ થઈ ગઈ. તેના પછી બ્રાહ્મણોએ બલરામજીને બતાવ્યું કે તેમને જ રોમહર્ષણને ઉચ્ચ સન અને જ્યાં સુધી આ સત્સંગ ખતમ ન થાય, ત્યાં સુધી શઆરીરિક કષ્ટ રહિત ઉઁમર આપી હતી. ઋષિઓની વાત સાંભળી બલરામજીએ કહ્યું કે આત્મા જ પુત્રના રૂપમાં ઉત્પન્ન થાય છે એટલે રોમહર્ષમના સ્થાન પર તેમનો પુત્ર તમને લોકોને પુરાણોની કથા સંભળાવશે. તેને હું પોતાની શક્તિથી દીર્ધાયુ અને બળ પ્રદાન કરું છું.

જાણો ક્યા પુરાણમાં કેટલા શ્લોક છે

શ્રીમદભાગવત મુજબ બ્રહ્મપુરાણમાં શ્લોકોની સંખ્યા 10 હજાર છે. તો પહ્મપુરાણમાં 55 હજાર શ્લોક, વિષ્ણુ પુરાણમાં 23 હજાર શ્લોક અને શિવપુરાણમાં 24 હજાર શ્લોક છે. શ્રીમદભાગવતમાં 18 હજાર શ્લોક છે, નારદપુરાણમાં 25 હજાર, માર્કેન્ડેય પુરાણમાં 9 હજાર તથા અગ્નિપુરાણમાં 15,400 શ્લોક છે. ભવિષ્યપુરાણમાં શ્લોકોની સંખ્યા 14,500 છે.

બ્રહ્મવૈવર્ત પુરાણમાં શ્લોકોની સંખ્યા 18 હજાર તથા લિંગપુરાણમાં 11 હજાર શ્લોક છે. વરાહપુરાણમાં 24 હજાર, સ્કંદપુરાણમાં 81 હજાર 100 શ્લોક અને વામનપુરાણમાં 10 હજાર શ્લોક છે. કૂર્મપુરાણમાં 17 હજાર શ્લોક અને મત્સ્યપુરાણમાં 14 હજાર શ્લોક છે. ગરૂડપુરાણમાં 19 હજાર શ્લોક છે અને બ્રહ્માંડપુરાણમાં 12 હજાર શ્લોક છે.

આ રીતે બધા પુરાણોમાં શ્લોકોની સંખ્યા કુલ મળાવીને 4 લાખ છે.

જન્માષ્ટમી SPL: સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ 14માંથી કોઈ પણ 1 ઉપાય

શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર છે. જ્યોતિષ મુજબ જો આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણને પ્રસન્ન કરવા માટે વિશેષ ઉપાય કરવામાં આવે તો માતા લક્ષ્મી પણ પ્રસન્ન થઈ જાય છે અને ભક્તો પર કૃપા વરસાવે છે. આ ઉપાય કરવાથી મનોકામના પૂર્તિ તથા ધન પ્રાપ્તિના યોગ પણ બની શકે છે. તંત્રશાસ્ત્ર મુજબ કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવા અથવા મનોકામના પૂર્ણ કરવા માટે ચાર રાતો સર્વશ્રેષ્ઠ છે. તેમાંથી એક છે જન્માષ્ટમી. તંત્રશાસ્ત્ર મુજબ જન્માષ્ટમીને મોહરાત્રિ પણ કહેવામાં આવે છે. જન્માષ્ટમી પર તમે આ ઉપાય કરી શકો છો…

1. આવક ન વધી રહી હોય હોય અથવા નોકરીમાં પ્રમોશન ન મળી રહ્યું હોય તો જન્માષ્ટમી પર 7 કન્યાઓને ઘરે બોલાવી ખીર અથવા સફેદ મીઠાઈ ખવડાવો. તેના પછી સતત પાંચ શુક્રવાર સુધી સાત કન્યાઓને ખીર વહેંચો.

2. જન્માષ્ટમીથી શરૂ કરી 27 દિવસ સુધી સતત નારિયેળ તથા બદામ કોઈ કૃષ્ણ મંદિરમાં ચડાવો અને બધી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે.

3. જો પૈસાની સમસ્યા ચાલી રહી હોય તો જન્માષ્ટમી પર સવારે સ્નાન વગેરે કર્યા પછી રાધા-કૃષ્ણના મંદિરે જઈને દર્શન કરો તથા પીળા ફૂલની માળા અર્પણ કરો. તેનાથી તમારી પરેશાની ઓછી થઈ શકે છે.

janmashtami
4. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
5. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
5. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
6. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
6. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
7. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
7. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
7. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
7. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
8. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
8. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
9. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
9. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
10. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
10. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
11. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
11. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
12. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
12. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
13. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
13. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ખાસ…આ છે શિવને પ્રસન્ન કરવાની સૌથી સરળ વિધિ અને પંચોપચારની પૂજા…!!!
જાણો…ગ્રહદોષથી મુક્તિ મેળવવી હોય તો આજથી જ શરૂ કરો, શિવના આ રાશિઉપાય..!!
જાણો…અમાસ ના દિવસે, લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ચમત્કારિક ઉપાય…!!

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

ખાસ લેખ : ખૂબ ઓછા લોકોને ખબર છે હનુમાન ચાલીસાની સદીઓ જૂની આ વાત..!!

hanumandada13

આજના સમયમાં હનુમાનજીની ભક્તિ બધી ઈચ્છાને પૂરી કરનારી માનવામાં આવે છે. હનુમાનજીને મનાવવા માટે આજે હનુમાન ચાલીસાનો પાઠ સૌથી સરળ ઉપાય છે. હનુમાન ચાલીસાની રચના ગોસ્વામી તુલસીદાસજીએ સેકંડોવર્ષ પહેલાં કરી હતી અને આજે પણ તે સૌથી લોકપ્રિય સ્તુતિ છે. આજે તુલસીદાસ જયંતી છે તે નિમિત્તે જાણો હનુમાન ચાલીસાના સર્જકની સદીઓ જૂની ખાસ વાતો.

હનુમાન સૌથી લોકલાડીલા અને સૌથી ઝડપથી ઈચ્છાઓ પૂરી કરતા ભગવાન માનવામાં આવે છે. તેમને પ્રસન્ન કરવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવો તે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. જેમાં તેમના સમગ્ર જીવન અને તેમના કર્મો વિશે લખવામાં આવ્યું છે. આ પવિત્ર હનુમાન ચાલીસાના પાઠનું સર્જન કરનાર તુલસીદાસજીને આપણે કેવી રીતે ભૂલી શકીએ. હનુમાન જયંતિ આવી રહી છે ત્યારે તેમના પરમ ભક્ત તુલસીદાસ વિશે સંપૂર્ણ માહિતી મેળવો. શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની સપ્તમી તિથિએ ગોસ્વામી તુલસીદાસજીનો જન્મ થયો હતો. એવું માનવામાં આવે છે કે હનુમાનજી અને શ્રીરામના સાક્ષાત રૂપમાં તુલસીદાસજીને દર્શન આપતા હતા. આજે જાણો તુલસીદાસજી અને હનુમાનજી સાથે જોડાયેલ ખાસ વાતો, જે મોટાભાગના લોકો નથી જાણતા….

એવી સમસ્યા જેનો કોઇ તોડ ન હોય, તો કરો હનુમાન પૂજા, દરેક સંકટો દૂર કરશે હનુમાનજી…!!

ગોસ્વામી તુલસીદાસે બહુચર્ચિત અને પ્રસિદ્ધ શ્રીરામચરિતમાનસની રચના કરી. શ્રીરામચરિત માનસની રચના સેકંડો વર્ષો પહેલા કરવામાં આવી હતી અને આજે પણ તે સૌથી વધુ વેચાતો ગ્રંથ છે. વાલ્મિકી દ્વારા રચિત રામાયણનું સરળ રૂપ શ્રીરામચરિતમાનસ છે. આ ગ્રંથ સરળ હોવાને લીધે જ આજે પણ સૌથી વધુ પ્રસિદ્ધ છે. હનુમાન ચાલીસાની રચના પણ તુલસીદાસજીએ જ કરી છે. અહીં વાંચો ક્યારે, કેવી રીતે અને ક્યાં તુલસીદાસે શ્રીરામચરિત માનસની રચના કરી અને હનુમાનજી સાથે કંઈ રીતે તેમની મુલાકાત થઈ, કેવી રીતે તુલસીદાસ પોતાના પત્નીને કારણે શ્રીરામના અનન્ય ભક્ત બની ગયા.

-ઉત્તરપ્રદેશના ચિત્રકૂટ જિલ્લાથી થોડે જ દૂર રાજાપુર નામનું એક ગામ છે. આ ગામમાં સંવત 1554ની આસપાસ ગોસ્વામી તુલસીદાસનો જન્મ થયો. તુલસીદાસના પિતા આત્મરામ દુબે અને માતાનું નામ હુલસી હતું. તુલસીદાસનો જન્મ શ્રાવણ મહિનાની શુક્લપક્ષની સપ્તમી તિથિના દિવસે થયો હતો.

-એવી માન્યતા છે કે તુલસીદાસના જન્મના સમયે પૂરાં બાર મહિના સુધી માતાના ગર્ભમાં રહેવાને લીધે ઘણા તંદુરસ્ત હતા અને તેમના મુખમાં દાંત પણ જોવા મળી રહ્યા હતા.

-સામાન્ય રીતે જન્મ પછી બધા બાળકો રોતા હોય છે પરંતુ આ બાળકે પહેલો શબ્દ બોલ્યો તે હતો રામ. આને લીધે જ તુલસીદાસનું શરૂઆતનું નામ રામબોલા પડ્યું હતું.

-માતા હુલસી તુલસીદાસજીને જન્મ આપીને બીજા દિવસે જ મૃત્યુ પામી હતી. ત્યારે પિતા આત્મારામે નવજાત શિશુ રામબોલાને એક દાસીને સોપી દીધો અને પોતે વિરક્ત થઈ ગયા. જ્યારે રામબોલા સાડા પાંચ વર્ષનો થયો તો તે દાસી પણ જીવતી ન રહી. હવે રામબોલા કોઈ અનાથ બાળકની જેમ ગલીએ-ગલીએ ભટકવા વિવશ બની ગયો.

-આ પ્રકારે ભટકતા ભટકતા એક દિવસે નરહરિ બાબા સાથે રામબોલાની મુલાકાત થઈ. નરહરિ બાબા તે સમયે પ્રસિદ્ધ સંત હતા. તેમને રામબોલાનું નામ તુલસીદાસ રાખ્યું. ત્યારબાદ તેઓ તુલસીરામે અયોધ્યા, ઉત્તર પ્રદેશ લઈ આવ્યા અને ત્યાં તેમનો યજ્ઞપવિત સંસસ્કાર કરવામાં આવ્યો.

-તુલસીરામે સંસ્કારના સમયે વગર શિખવ્યે જ ગાયત્રીમંત્રનું સ્પષ્ટ ઉચ્ચારણ કર્યું, જેને જોઈને બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારબાર નરહરિ બાબાએ વૈષ્ણવોના પાંચ સંસ્કાર કરીને બાળકને રામ મંત્રની દિક્ષા આપી અને અયોધ્યામાં જ રહીને તેનું વિદ્યાધ્યયન કરાવ્યું. તુલસીરામની બુદ્ધિ ખૂબ જ તેજ હતી. તે એક વખતમાં જ ગુરુ-મુખેથી જે સાંભળી લેતા તે તરત યાદ રહી જતું. ત્યાંથી થોડા સમય પછી ગુરુ-શિષ્ય બંને શૂકરક્ષેત્ર(સોરો) પહોંચ્યા. ત્યાં નરહરિ બાબાએ તુલસીરામને રામકથા સંભળાવી પરંતુ બાળક રામકથા રામકથા સારી રીતે ન સમજી શક્યા.

-તુલસીરામના લગ્ન રત્નાવલી નામની ખૂબ જ સુંદર કન્યા સાથે થયા હતા. લગ્ન સમયે તુલસીરામની ઉંમર 29 વર્ષ હતી. લગ્ન પછી તરત જ તુલસીરામ ગોના(આણુ) કર્યા વગર કાશી ચાલ્યા આવ્યા અને અધ્યયનમાં જોડાઈ ગયા. આ પ્રકારે એક દિવસ તેમને પોતાની પત્ની રત્નવલીની યાદ આવી અને તેઓ તેને મળવા માટે વ્યાકૂળ થઈ ગયા. ત્યારે તેઓ પોતાના ગુરુજીની આજ્ઞા લઈને પત્ની રત્નાવલીને મળવા પહોંચ્યા.

-રત્નાવલી પીયરમાં હતી અને જ્યારે તુલસીરામ તેમના ઘરે પહોંચ્યા ત્યારે યમુના નદીમાં ભયંકર પુર આવ્યું હતું અને તેઓ નદીમાં તરીને રત્નાવલીના ઘરે પહોંચ્યા. તે સમયે ભયંકર અંધારું છવાયેલું હતું. જ્યારે તુલસીરામ પત્નીના શયનખંડનમાં પહોંચ્યા ત્યારે રત્નાવલી તેમને જોઈને આશ્ચર્યચિકત થઈ ગઈ. લોક-લજ્જાની ચિંતાથી તેણે તુલસીરામને પાછા જોવાનું કહ્યું.

-જ્યારે તુલસીરામ પાછા જવા તૈયાર ન થયા ત્યારે રત્નાવલીએ તેમને એક દોહો સંભળાવ્યો, તે દોહો આ પ્રકારે છે…

अस्थि चर्म मय देह यह, ता सों ऐसी प्रीति!
नेकु जो होती राम से, तो काहे भव-भीत?

આ દોહો સાંભળતા જ તુલસીરામ તે સમયે જ રત્નાવલીને પિતાના ઘરે જ છોડીને પાછા પોતાના ગામ રાજાપુરમાં આવી ગયા. જ્યારે તેઓ રાજાપુરમાં પોતાના ઘરે પહોંચ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે તેમના પિતા નથી રહ્યા. ત્યારે તેમને પિતાના અંતિમ સંસ્કાર કર્યા અને તે ગામમાં લોકોને શ્રીરામ કથા સંભળાવવા લાગ્યા.

-સમય આ જ રીતે પસાર થવા લાગ્યો. થોડો સમય રાજાપુરમાં રહ્યા પછી તેઓ ફરીથી કાશી પાછા આવ્યા અને ત્યાં રામ-કથા સંભળાવવા લાગ્યા. આ દરમિયાન તુલસીરામે એક દિવસ મનુષ્યના વેશમાં એક પ્રેત મળ્યો, જેને તેમને હનુમાનજીની જગ્યા બતાવી. હનુમાનજી સાથે મળીને તુલસીરામે તેમને શ્રીરામના દર્શન કરાવવાની પ્રાર્થના કરી. ત્યારે હનુમાનજીને કહ્યું કે ચિત્રકૂટમાં રઘુનાથજી દર્શન થશે. ત્યારબાદ તુલસીદાસ ચિત્રકૂટ તરફ ચાલી નિકળ્યા.

-ચિત્રકૂટ પહોંચીને તેમને રામઘાટ ઉપર પોતાનું આસન જમાવ્યું. એક દિવસ પ્રદક્ષિણા કરીને નિકળ્યા જ હતા કે તેમને જોયું કે બે ખૂબ જ સુંદર રાજકુમારો ઘોડા ઉપર સવાર થઈને ધનુષ-બાણ લઈને જઈ રહ્યા છે. તુલસસીદાસ તેમને જોઈને આકર્ષિત થઈ ગયા, પરંતુ તેઓ ઓળખી ન શક્યા કે તેઓ જ શ્રીરામ અને લક્ષ્મણ છે.

-ત્યારબાદ હનુમાનજીએ આવીને બતાવ્યું કે ત્યારે તુલસીદાસજીએ પશ્ચાતાપ થયો. ત્યારે હનુમાનજીએ તેમને સાંત્વના આપી અને કહ્યું કે સવારના સમયે ફરીથી શ્રીરામના દર્શન કરી શકશે.

-ત્યારબાદ આગળના દિવસે સવાર-સવારમાં શ્રીરામ ફરીથી પ્રગટ થયા. ત્યારબાદ તેઓ એક બાળકના રૂપમાં તુલસીદાસની સમક્ષ આવ્યા. શ્રીરામે બાળક રૂપમાં તુલસીદાસજીને કહ્યું કે, તેમને ચંદન જોઈએ. આ બધુ હનુમાનજી જોઈ રહ્યા હતા અને તેમને વિચાર્યું કે તુલસીદાસ આ વખતે શ્રીરામને ઓળખી નથી શક્યા. ત્યારે બજરંગબલીએ એક દોહો કહ્યો…

चित्रकूट के घाट पर, भइ सन्तन की भीर।
तुलसीदास चन्दन घिसें, तिलक देत रघुबीर॥

-આ સાંભળીને તુલસીદાસજી શ્રીરામજીના અદ્ભૂત દર્શન કર્યા. શ્રીરામના દર્શન કરીને તુલસીદાસજી સુધ-બુધ ખોઈ બેઠા. ત્યારે ભગવાન રામે પોતે જ પોતાના હાથથી ચંદન લઈને પોતાના મસ્તક ઉપર તથા તુલસીદાસજીના મસ્તક ઉપર લગાવ્યું અને અન્તર્ધ્યાન થઈ ગયા.

-સંવત 1628માં તુલસીદાસ હનુમાનજીની આજ્ઞા લઈને અયોધ્યા તરફ ચાલી નિકળ્યા. રસ્તામાં તે સમયે પ્રયાસમાં માઘનો મેળો લાગેલો હતો. તુલસીદાસજી થોડા દિવસ માટે ત્યાં રોકાયા. મેળામાં એક દિવસ તુલસીદાસજીએ કોઈ વટવૃક્ષની નીચે ભારદ્વાજ અને યાજ્ઞવલ્ક્ય મુનિના દર્શન થયા. ત્યાં પણ એ જ કથા થઈ રહી હતી જે તમને સૂકરક્ષેત્રમાં પોતાના ગુરુ દ્વારા સાંભળી હતી.
-મેળો સમાપ્ત થતા જ તુલસીદાસ પ્રયાસથી ફરી કાશી આવી ગયા અને ત્યાં એક બ્રાહ્મણના ઘરે નિવાસ કરવા લાગ્યા. ત્યાં રહીને તેમની અંદર કવિત્વ શક્તિ જાગૃત થઈ. હવે તેઓ સંસ્કૃતમાં પદ્ય-રચના કરવા લાગ્યા. તુલસીદાસ દિવસમાં તેઓ જેટલા પદ રચતા, રાત્રે તેઓ બધુ જ ભૂલી જતા. આ ઘટના રોજ થતી હતી. ત્યારે એક દિવસ ભગવાન શંકરે તુલસીદાસજીના સપનામાં આવીને આદેશ આપ્યો કે તમે પોતાની ભાષામાં જ કાવ્ય રચના કરો.

-ઊંઘમાંથી જાગીને તુલસીદાસજીએ જોયું કે તે સમયે ભગવાન શિવ અને પાર્વતી તેમની સામે જ પ્રગટ થયા છે. પ્રસન્ન થઈને શિવજીને કહ્યું – તમે અયોધ્યા જઈને રહો અને હિંદીમાં કાવ્ય રચના કરો. મારા આશીર્વાદથી તમારી કવિતાઓ સામવેદ સમાન થઈ જશે.

-ત્રેતાયુગમાં રામ જન્મ થયો હતો. એ દિવસે સવારના સમયે તુલસીદાસજીએ શ્રીરામચરિત માનસની રચનાની શરૂઆત કરી. બે વર્ષ, સાત મહિના અને છવ્વીસ દિવસમાં આ અદભૂત ગ્રંથની રચના થઈ. 1633 માર્ગશીર્ષ શુક્લપક્ષમાં રામ-વિવાહના દિવસે સાત કાંડ પૂર્ણ થયા.

જિંંદગીની દરેક પળ સુખી બનાવવા, રોજ સૂતા પહેલાં કરો હનુમાનનો આ ઉપાય:

જે લોકોના જીવનમાં પરેશાનીઓ અને નિરાશાનો સમય ચાલી રહ્યો હોય તેમની માટે અહીં બતાવેલ ખાસ ઉપાય કરવા જોઈએ. તેની સાથે જ જે લોકો પૂરી રીતે સુખી અને ધનવાન છે તેઓ પણ આ ઉપાય કરી શકે છે. જેના લીધે તેમના જીવનમાં દુઃખ ન આવે. આ ઉપાય હનુમાન ચાલીસા સંબંધિત છે અને તેને સ્ત્રી કે પુરુષ, બાળકો કે વડીલો બધા આસાનીથી કરી શકે છે. આ ઉપાય તમારે સૂતા પહેલાં કરવાના છે.

હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવાનો સૌથી સરળ અને ચમત્કારી ઉપાય છે હનુમાન ચાલીસાનો પાઠ. હનુમાન ચાલીસા ખૂબ જ સરળ અને મનને શાંતિ પ્રદાન કરનારી છે. જે લોકો ધનના અભાવથી ગ્રસ્ત છે કે ઘર-પરિવારમાં પરેશાનીઓ ચાલીરહી છે કે ઓફિસમાં બોસ અને સહયોગીઓ સાથે સંબંધો બગડેલા છે કે સમાજમાં સન્માન નથી મળી રહ્યું કે સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ હોય તો તેને દૂર કરવા માટે હનુમાન ચાલીસાનો આ ઉપાય શ્રેષ્ઠ રસ્તો છે.

જે લોકો મસ્તિષ્ક સાથે સંબંધિત કામમાં લાગેલા રહે છે અને માનસિક તણાવનો સામનો કરે છે કે જેમનું મગજ અન્ય લોકોની સરખામણીમાં તેજ નથી તો તેમને રોજ રાત્રે સૂતા પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.

बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार।
बल बुद्धि विद्या देहु मोहि हरेहू कलेश विकार।

આ પંક્તિમાં હુનુમાનને એ પ્રાર્થના કરવામાં આવી છે કે હે પ્રભુ હું પોતાને બુદ્ધિહીન માનીને તમારું ધ્યાન કરું છું. કૃપા કરો અને મને શક્તિ, બુદ્ધિ, વિદ્યા આપો. મારા બધા કષ્ટ-કલેશ દૂર કરો.

-તમે ઈચ્છો તો સૂતા પહેલા હનુમાન ચાલીસા સાંભળી પણ શકો છો કે જાપ પણ કરી શકો છો. હનુમાન ચાલીસા સાંભળવા માટે આજકાલ અનેક પ્રકારના સહજ માધ્યમો ઉપલબ્ધ છે જેમ કે મોબાઈલમાં હનુમાન ચાલીસાની ઓડિયો ફાઈલ સેવ કરી શકાય છે. જ્યારે તમારું મન હોય ત્યારે તમે આસાનીથી મોબાઈલની મદદથી હનુમાન ચાલીસા સાંભળી શકો છો.

જે લોકોને ખરાબ સપના આવતા હોય, ઊંઘમાં ડરી જતા હોય તેમને સૂતા પહેલા આ પંક્તિઓનો જાપ કરવો જોઈએ.

भूत-पिशाच निकट नहीं आवे।
महाबीर जब नाम सुनावे।

આ પંક્તિના માધ્યમથી ભક્ત દ્વારા હનુમાન સાથે ભૂત-પિશાચ વગેરેના ડરથી મુક્તિ અપાવવાની પ્રાર્થના કરવામાં આવે છે.

સૂતા પહેલાં જે પણ વ્યક્તિ આ પંક્તિનો જાપ કરે છે તેનાથી કોઈ ખરાબ સપના નથી આવતા કે કોઈ ભય નથી સતાવતો.

જો કોઈ વ્યક્તિ ભયંકર બીમારીથી ગ્રસ્ત હોય તો તેને સૂતા પહેલા આ પંક્તિનો જાપ કરવો જોઈએ.

नासे रोग हरे सब पीरा।
जो सुमिरे हनुमंत बलबीरा।।

આ પંક્તિથી આપણે બજરંગ બલી સામે બધા પ્રકારના રોગો અને પીડાઓથી મુક્તિ માટે પ્રાર્થના કરીએ છીએ. જે પણ બીમાર વ્યક્તિ આ પંક્તિઓનો જાપ કરીને સૂવે છે તેની બીમારી ઝડપથી સારી થવા લાગે છે.

જો કોઈ વ્યક્તિ સર્વગુણ સંપન્ન બનવા માગે છે અને ઘર-પરિવાર, સમાજમાં વર્ચસ્વ બનાવવા માગે છે, સન્માન મેળવવા માગ છે તો તેને સૂતા પહેલા આ પંક્તિનો જાપ કરવો જોઈએ.

अष्ट-सिद्धि नवनिधि के दाता।
अस बर दीन जानकी माता।।

આ પંક્તિ પ્રમાણે હનુમાન અષ્ટ સિદ્ધિઓ અને નવ નીધિઓના દાતા છે. જે તેમને માતા સીતાએ પ્રદાન કરી હતી. જે લોકોની પાસે આ સિદ્ધિઓ અને નિધિઓ આવી જાય છે તે સમાજમાં અને ઘર પરિવારમાં માન-સન્માન, પ્રસિદ્ધિ મેળવે છે.

શ્રાવણમાં કરો આ 7માંથી કોઇ 1 ઉપાય, દરેક સંકટો દૂર કરશે હનુમાન!

શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધનાનું વિશેષ મહત્વ છે. હનુમાનજી પણ ભગવાન શિવના જ અવતાર છે. એવી માન્યતા છે કે હનુમાનજી અમર છે, તેમને અમરતાનું વરદાન માતા સીતાએ આપ્યું હતું. આ માન્યતા મુજબ, શ્રાવણમાં આવનાર દરેક મંગળવારે જો હનુમાનજીને પ્રસન્ન કરવાના થોડાં સરળ ઉપાય કરવામં આવે તો ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઇ શકે છે. હનુમાનજીને પ્રસન્ન કરવાના ઉપાય આ પ્રકારે છે….

1. શ્રાવણમાં કોઇપણ મંગળવારે હનુમાનજીને સિંદૂરનો ચોલો અર્પણ કરવો. ચોલા અર્પણ કરતાં પહેલાં સ્વયં સ્નાન કરી શુદ્ધ થઇ જવું અને સાફ વસ્ત્ર ધારણ કરવાં. માત્ર લાલ રંગની ધોતી પહેરશો તો વધારે સારું રહેશે. ચોલા અર્પણ કરવા માટે ચમેલીના તેલનો ઉપયોગ પણ કરી શકાય છે. સાથે જ, ચોલા અર્પણ કરતી સમયે એક દીપક હનુમાનજી સામે પ્રગટાવીને રાખી દેવો. દીપકમાં ચમેલીના તેલનો જ ઉપયોગ કરવો.

ચોલા અર્પણ કર્યા પછી હનુમાનજીને ગુલાબના ફૂલની માળા પહેરાવવી અને કેવડાના અત્તરનો હનુમાનજીની મૂર્તિના બંન્ને ખંભા પર થોડો-થોડો છંટકાવ કરવો. હવે એક સાબૂત પાન લઇ તેના ઉપર ગોળ અને ચણા રાખીને હનુમાનજીને તેનો ભોગ લગાવવો. ભોગ લગાવ્યાં પછી તે જ સ્થાન પર થોડી વાર બેસીને તુલસીની માળાથી નીચે લખાયેલ મંત્રનો જાપ કરવો. આ મંત્રનો જાપ ઓછામાં ઓછી પાંચ માળા કરવો.

મંત્રઃ- राम रामेति रामेति रमे रामे मनोरमे।
सहस्त्र नाम तत्तुन्यं राम नाम वरानने।।

હવે હનુમાનજીને અર્પણ કરેલાં ગુલાબના ફૂલની માળાથી એક ફૂલ તોડીને તેને એક લાલ કપડામાં લપેટવું અને ઘરના ધન સ્થાન અથવા તિજોરીમાં રાખવું. તમારા ધનમાં ક્યારેય કમી આવશે નહીં.

2. મંગળવારે ઘરમાં પારદ (એક પ્રકારની વિશેષ ધાતુ)થી બનેલી હનુમાનજીની પ્રતિમા સ્થાપિત કરવી. તંત્ર શાસ્ત્ર મુજબ, પારદથી બનેલી હનુમાન પ્રતિમાની પૂજા કરવાથી બગડેલાં કામ પણ બની જાય છે. પારદથી નિર્મિત હનુમાન પ્રતિમાને ઘરમાં રાખવાથી બધા જ પ્રકારના વાસ્તુદોષ આપમેળે જ દૂર થઇ જાય છે. સાથે જ, ઘરનું વાતાવરણ પણ શુદ્ધ થઇ જાય છે. રોજ પારદ હનુમાનજીની પૂજા કરવાથી ઘરમાં કોઇપણ પ્રકારના તંત્રની અસર થતી નથી અને સાધક પર પણ કોઇ પ્રકારની તંત્ર ક્રિયાનો પ્રભાવ પડતો નથી. જો કોઇ વ્યક્તિને પિતૃદોષ હોય તો તેણે દરરોજ પારદના હનુમાનજીની પૂજા કરવી જોઇએ. આવું કરવાથી પિતૃદોષ સમાપ્ત થઇ જાય છે.

3. શ્રાવણ મહિનાના કોઇપણ મંગળવારે સાંજના સમયે કોઇ એવા મંદિર જવું, જ્યાં ભગવાન શ્રીરામ અને હનુમાન બંન્નેની પ્રતિમાં હોય. ત્યાં જઇને શ્રીરામ અને હનુમાનજીની પ્રતિમાં સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી ત્યાં ભગવાન શ્રીરામની પ્રતિમાની સામે બેસીને હનુમાન ચાલીસા અથવા હનુમાન પ્રતિમાની સામે બેસીને રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો. આ ઉપાયથી ભગવાન શ્રીરામ અને હનુમાનજી બંન્નેની કૃપા તમને પ્રાપ્ત થશે.

4. મંગળવારે સવારે સ્નાન વગેરે કર્યા પછી વડના વૃક્ષથી 11 અથવા 21 પાન તોડી લાવવાં. ધ્યાન રાખવું તે આ પાન પૂર્ણ રીતે સાફ અને સાબૂત હોય. હવે તેને સ્વચ્છ પાણીથી ધોઇ લેવા અને તેના ઉપર ચંદનથી ભગવાન શ્રીરામનું નામ લખવું. હવે આ પાનની એક માળા બનાવવી. માળા બનાવવા માટે પૂજામાં ઉપયોગ કરવામાં આવતાં રંગીન દોરાનો ઉપયોગ કરવો. હવે નજીકમં રહેલાં કોઇ હનુમાન મંદિર જવું અને હનુમાન પ્રતિમાને આ માળા પહેરાવવી. હનુમાનજીને પ્રસન્ન કરવાનો આ ખૂબ જ પ્રાચીન ટોટકો છે.

5. શ્રાવણમાં કોઇ મંગળવાર સવારે સ્નાન કર્યા પછી વડના વૃક્ષનું એક પાન તોડી લેવું અને તેને સાફ પાણીથી સાફ કરવું. હવે આ પાનને થોડીવાર માટે હનુમાનજીની પ્રતિમા સામે રાખી તેના ઉપર કેસરથી શ્રીરામ લખવું.

હવે આ પાનને તમારે તમારા પર્સમાં રાખી લેવું. વર્ષભર તમારું પર્સ પૈસાથી ભરેવું રહશે. ત્યાર પછી જ્યારે હનુમાન જયંતીનો પર્વ આવે ત્યારે આ પાનને કોઇ નદીમાં પ્રવાહિત કરી દેવું અને આ પ્રકારે એક અન્ય પાન અભિમંત્રિત કરી પોતાના પર્સમાં રાખી લેવું.

6. જો તમે શનિદોષથી પીડિત છો તો મંગળવારે કાળા અડદ અને કોલસાની એક પોટલી બનાવવી. તેમાં એક રૂપિયાનો સિક્કો રાખવો. ત્યાર પછી આ પોટલીને પોતાની ઉપરથી ઉતારવી. ત્યાર પછી તેને કોઇ નદીમાં પ્રવાહિત કરી દેવી અને પછી કોઇ હનુમાન મંદિરમાં જઇને રામના નામનો જાપ કરવો. આવું કરવાથી શનિદેવનો પ્રભાવ શાંત થઇ જશે.

7. શ્રાવણમાં કોઇ મંગળવાર હનુમાનજી મંદિર જવું અને ત્યાં બેસીને રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો. ત્યાર પછી હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ લગાવવો. જીવનમાં જો કોઇ સમસ્યા છે તો તેનું નિવારણ કરવા માટે પ્રાર્થના કરવી.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ખાસ…આ છે શિવને પ્રસન્ન કરવાની સૌથી સરળ વિધિ અને પંચોપચારની પૂજા…!!!
જાણો…ગ્રહદોષથી મુક્તિ મેળવવી હોય તો આજથી જ શરૂ કરો, શિવના આ રાશિઉપાય..!!
જાણો…અમાસ ના દિવસે, લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ચમત્કારિક ઉપાય…!!

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

જાણો…આખું વર્ષ કષ્ટમુક્ત રહેવું હોય તો, કોઇપણ સમયે કરો શનિના રાશિ પ્રમાણે ઉપાય…!!

shanidev35

આ વર્ષના રાજા શનિ તથા મંત્રી મંગળ છે. આખું વર્ષ રાજા શનિ, તેના દુશ્મન ગ્રહ મંગળના સ્વામિત્વવાળી રાશિ વૃશ્ચિકમાં રહેવાનો છે. આ જ કારણે બધી રાશિઓ પર શનિનો સીધો પ્રભાવ પડી રહ્યો છે. આ સમયે કોઇ રાશિ પર જો શનિની ઢૈય્યા કે સાડાસાતી ચાલી રહી હોય તો તેવા લોકો શનિ ગ્રહની શાંતિ માટે કોઇપણ સમયે આ ઉપાય કરી શકે છે. આ ઉપાયથી શનિ પ્રસન્ન થાય છે અને તેનો પ્રકોપમાં પણ ઘટાડો આવી શકે છે. આજે આ લેખમાં તમે જાણી શકશો શનિના પ્રભાવને શાંત કરવાના રાશિ મુજબ ઉપાય….

મેષઃ-

શનિવારે સૂર્યેદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો બાજરાને માટાના વાસણમાં ભરવાં, તેના ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ મંત્ર ऊँ प्रां प्रीं प्रौं स: शनै: नम: ની પાંચ માળા જાપ કરવો. આ બાજરાને 60 વર્ષથી વધારે ઉમરની વૃદ્ધ વ્યક્તિને દાનમાં આપવો. ત્યાર પછી પોતાની ઇચ્છાનુસાર ધાબળા ગરીબ અને જરિયાતમંદ લોકોને વહેંચવાં.

વૃષભઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો તુવેરની દાળ માટીના વાસણમાં ભરવી, તેના ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ (ऊँ शं शनैश्चराय नम:) નો જાપ કરવો. ત્યાર પછી આ તુવેરની દાળ 9 વર્ષની કન્યાઓમાં દાન કરવી. શનિવારે વડ તથા પીપળાના વૃક્ષ નીચે સૂર્યોદય પહેલાં સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. જળમાં કાચું દૂધ મિક્સ કરવું અને વૃક્ષને અર્પણ કરવું. ત્યાર પછી માટીથી તિલક કરવું.

મિથુનઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો ખંડિત મગ કપડામાં બાંધી શુદ્ધ વાસણમાં રાખીને પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ ऊँ नमो भगवते शनैश्चराय सूर्यपुत्राय नम: નો 11 માળા જાપ કરવો. ત્યાર પછી આ મગને 60 વર્ષથી વધારે ઉમરની વૃદ્ધ કિન્નરને દાનમાં આપવા અને તેના ચરણ સ્પર્શ કરવાં. ત્યાર પછી શનિવારે જ શ્રદ્ધાનુસારન અથવા પોતાના વજન બરાબર બાજરાને કોઇ ગૌશાળામાં દાન કરવું. આ ઉપાય કરવાથી કરિયર, કારોબાર, પરિવાર અને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનું નિવારણ થઇ શકે છે.

કર્કઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો અખંડિત ચોખા માટીના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ સફેદ કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ ह्रीं नीलांजनसमाभासं रविपुत्रं यमाग्रजम्। छायामात्र्ताण्डसंभूतं तं नमामि शनैश्चरम्।। નો 5 માળા જાપ કરવો. આ અખંડિત ચોખાને કોઇ કુષ્ટ રોગીને શ્રદ્ધાનુસાર દક્ષિણા સહિત દાન કરવા અને ચરણ સ્પર્થ કરવાં. ત્યાર પછી શનિવારે જ ગૌશાળામાં દેસી ચણા શ્રદ્ધાનુસાર દાન કરવા લાભકારી રહેશે.

સિંહઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો ઘઉં માટીના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ લાલ કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ सूर्यपुत्रो दीर्घदेहो विशालाक्ष: शिवप्रिय। मन्दचार: प्रसन्नात्मा पीड़ां हरतु मे शनि:।। નો 5 માળા જાપ કરવો. આ ઘઉં કોઇ કુષ્ટ રોગીને શ્રદ્ધાનુસાર દક્ષિણા સહિત દાન કરવા અને ચરણ સ્પર્થ કરવાં. ત્યાર પછી શનિવારે જ ગૌશાળામાં સરસિયાની ખોળનું શ્રદ્ધાનુસાર દાન કરવા લાભકારી રહેશે.

કન્યાઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો મશરૂમ માટીના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ લીલા કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ ऊँ प्रां प्रीं प्रौं शं शनैश्चराय नम:। નો 7 માળા જાપ કરવો. ત્યાર પછી આ મશરૂમ, પાત્ર અને વસ્ત્ર સહિત કોઇ કિન્નરને શ્રદ્ધાનુસાર દક્ષિણા સહિત દાન કરવા અને ચરણ સ્પર્શ કરવાં. શનિવારે જ કેળા મીઠી ધાણી, ગોળ અને દેસી ચણા ગરીબ અને મજૂર લોકોમાં વહેંચશો તો બધી જ મનોકામના પૂર્ણ થશે.

તુલાઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો જુવાર કોઇ કાંસના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ સફેદ કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ ऊँ शं शनैश्चराय नम:। નો 7 માળા જાપ કરવો. ત્યાર પછી આ જુવાર, વાસણ અને વસ્ત્ર સહિત કોઇ વિધવાને શ્રદ્ધાનુસાર દક્ષિણા સહિત દાન કરવા અને ચરણ સ્પર્શ કરવાં. શનિવારે જ ઘઉ પોતાના વજન અનુસાર અથવા શ્રદ્ધાનુસાર મંદિરમાં દાન કરવાં.

વૃશ્ચિકઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો મસૂર કોઇ તાંબાના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ લાલ કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ ऊँ शं शनैश्चराय नम: ध्वजिनी धामिनी चैव कंकाली कलहप्रिया। कंटकी कलही चाथ तुरंगी महिषी अजा ऊँ शं शनैश्चराय नम:।। નો 5 માળા જાપ કરવો. ત્યાર પછી મસૂર, વાસણ અને વસ્ત્ર સહિત કોઇ સફાઇ કર્મચારીને શ્રદ્ધાનુસાર દક્ષિણા સહિત દાન કરવાં અને ચરણ સ્પર્શ કરવાં. ત્યાર પછી શનિવારે જ સાંજે 5:00 થી 6:00 વાગ્યાની વચ્ચે સવા કિલ્લો ત્રિચોલી (ઘઉંનો લોટ, ચોખાનો લોટ અને ખાંડનું બૂરું બરાબર માત્રામાં મિક્સ કરી લેવાં.) કીડીઓને ખવડાવવાં.

ધનઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ 5 કિલ્લો ચણાની દાળ કોઇ તાંબાના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ પીળા કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ ऊं शं वज्रदेहाय नम: નો 5 માળા જાપ કરવો. આ ચણાની દાળને કોઇપણ શ્રેષ્ઠ બ્રાહ્મણને શ્રદ્ધાનુસાર દક્ષિણા સહિત દાન કરવા. શનિવારે જ શ્રદ્ધાનુસાર અથવા વજન બરાબર મકાઇ કોઇ મંદિરમાં દાન કરવી.

મકરઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ 5 કિલ્લો દેસી ચણાની દાળ કોઇ તાંબાના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ વાદળી કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ ऊँ शं सर्वारिष्ट विनाशने। નો 11 માળા જાપ કરવો. ત્યાર પછી આ દેસી ચણા વસ્ત્ર સહિત કોઇ સદાચારી બ્રાહ્મણને દાનમાં આપવાં. શનિવારે જ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ભંડારાની વ્યવસ્થા કરવી.

કુંભઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ 5 કિલ્લો અડદ દાળ કોઇ તાંબાના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ કાળા કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ ગાયત્રી- ऊँ भगभवाये विद्महे मृत्युरुपाय धीमही तन्नो शनि प्रचोदयात्॥ નો 11 માળા જાપ કરવો. આ અડદ, વસ્ત્ર સહિત કોઇ ગૌશાળા અથવા મંદિરમાં દાન કરવાં. ત્યાર પછી શનિવારે જ સાત સૂકાયેલાં નારિયેળ અને શ્રદ્ધાનુસાર બદામ કોઇ મંદિરમાં દાન કરવી.

મીનઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો અખંડિત ચોખા માટીના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ સફેદ કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ सूर्यपुत्रो दीर्घदेहो विशालाक्ष: शिवप्रिय। मन्दचार: प्रसन्नात्मा पीड़ां हरतु मे शनि:।।નો 5 માળા જાપ કરવો. આ અખંડિત ચોખાને કોઇ કુષ્ટ રોગીને શ્રદ્ધાનુસાર દક્ષિણા સહિત દાન કરવા અને ચરણ સ્પર્થ કરવાં. ત્યાર પછી શનિવારે જ ગૌશાળામાં દેસી ચણા શ્રદ્ધાનુસાર દાન કરવા લાભકારી રહેશે.

શનિની કુદ્રષ્ટિથી બચવા, દરરોજ ઘરે જ કરો માત્ર 1 રોટલીનો આ સરળ ઉપાય!

એક એવી માન્યતા છે કે અન્યને ભોજન કરાવવા પર પુણ્ય વધે છે અને ભુતકાળમાં કરેલાં પાપ ખતમ થઇ જાય છે. આ જ કારણે ઘણાં લોકો સમય-સમય પર ભોજન અને અનાજનું દાન કરતાં રહે છે. અહીં જાણો રોટલીના થોડા અન્ય ઉપાય, જેનાથી કુંડળીના દોષ દૂર થઇ શકે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

રોટલીના ચાર બરાબર ટૂકડા કરવા અને આ ઉપાય કરવોઃ-

– દરરોજ સવારે જ્યારે રોટલી બનાવવામાં આવે છે, તો તે સમયે સૌથી પહેલાં બનનારી રોટલીને જુદી કાઢી લો. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ રોટલી અન્ય રોટલીથી મોટી હોવી જોઈએ. જેથી સરળતાથી તેના ચાર ટુકડા કરી શકાય. હવે આ રોટલીના એક સરખાં ચાર ટુકડા કરી લેવા અને આ ચારેય રોટલી પર કંઈક ગળ્યું જેમ કે ખીર, ગોળ અથવા ખાંડ રાખવી. સાથે જ આ વાતનો ખાસ ધ્યાન રાખવો કે બહારનું કોઈ વ્યક્તિ તમને આ ટોટકો કરતાં ન જુએ.

– હવે આ ચાર ટૂકડામાંથી એક ટૂકડો ગાયને અને બીજો કાળા કૂતરાને આપવો. ત્રીજો ટૂકડો કાગડા માટે ઘરની છત પર નાખી દેવો જોઇએ. અંતિમ ટૂકડાને ઘરની પાસે કોઇ ચાર રસ્તા પર રાખી દેવો જોઇએ. આવું રોજ કરવું જોઇએ. આ ઉપાયથી ઘરની ગરીબી દૂર થઇ શકે છે.

ધ્યાન રાખવું અહીં જણાવેલ બધા જ ઉપાય જ્યોતિષ સાથે સંબંધિત છે. આ કારણે તેને આસ્થા અને વિશ્વાસની સાથે કરવા જોઇએ. ઉપાય કરતી સમયે મનમાં કોઇ પ્રકારની શંકા હશે તો ઉપાય નિષ્ફળ થઇ શકે છે.

શનિ, રાહુ અને કેતુ માટે કરો આ ઉપાયઃ-

જો કુંડળીમાં શનિ અથવા રાહુ-કેતુનો કોઇ દોષ હોય તો રોજ રાત્રે જે રોટલી સૌથી છેલ્લે બનાવવામાં આવે છે, તેના પર તેલ લગાવવું અને તે રોટલી કાળા કૂતરાને ખવડાવવી. જો કાળો કૂતરો ન જોવા મળે તો કોઇ અન્ય કૂતરાને પણ આ રોટલી ખવડાવી શકાય છે.

નાનું બાળક ભોજન ન કરે તો કરી શકો છો આ ઉપાયઃ-

ઘરમાં કોઇ નાનું બાળક છે અને તે ઠીકથી ભોજન કરી રહ્યું નથી તો એક રોટલી પર થોડો ગોળ રાખવો અને આ રોટલીને બાળકની ઉપરથી 11 અથવા 21 વાર ઉતારવી. ત્યાર પછી તે રોટલી કૂતરાને ખવડાવવા માટે આપી દેવી. આ ઉપાયથી બાળકની ઉપરથી ખરાબ દ્રષ્ટિની અસર ખતમ થઇ જશે અને તે ફરીથી વ્યવસ્થિત ભોજન કરવા લાગશે.

કોઇ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવું-

દરરોજ ઓછામાં ઓછા એક વ્યક્તિને ભોજન અવશ્ય કરાવવું જોઇએ. આવું કરવાથી ઘરમાં અનાજની કમી આવતી નથી. સુખ-સમૃદ્ધિ બની રહે છે.

અમાસ પર કરવો આ ઉપાયઃ-

દર અમાસ પર ચોખાની ખીર બનાવવી અને રોટલીના નાના-નાના ટૂકડા તે ખીરમાં નાખી દેવાં. ત્યાર પછી રોટલી અને ખીરને કાગડા માટે ઘરની છત પર રાખી દેવી. આ ઉપાય કરવાથી ઘર પર પિત્તૃ દેવતાઓની વિશેષ કૃપા બની રહે છે. પિત્તૃ દેવતાઓની કૃપાથી જ સુખ-સમૃદ્ધિ મળે છે.

શનિવારે કરો આ 10માંથી કોઈ પણ 1 ચમત્કારિક ઉપાય, થશે શનિદેવ પ્રસન્ન

શનિવારના શનિ અને હનુમાનજીનું પૂજન વિશેષ રૂપથી કરવામાં આવે છે. જ્યોતિષ મુજબ શનિદેવની કૃપા મેળવવા માટે શનિવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે કરેલા ઉપાયોથી શનિના દોષ શાંત થઈ શકે છે. માન્યતા છે કે હનુમાનજીના ભક્તોને શનિના અશુભ ફળોથી મુક્તિ મળે છે. આ કારણોસર કેટલાય લોકો શનિવારને હનુમાનજીની પૂજા કરે છે. અહીં જાણીએ શનિવારના કરવામાં આવતા નાના-નાના ઉપાયો…

1. દીવો પ્રગટાવો

સૂર્યાસ્તના સમયે કોઈ એવા પીપળાના વૃક્ષ પાસે દીવો પ્રગટાવો જે સુમસાન સ્થાન પર હોય અથવા કોઈ મંદિરમાં સ્થિત પીપળાના વૃક્ષ પાસે પણ દીવો પ્રગટાવી શકાય છે.

2. શનિને બ્લૂ રંગના ફૂલ ચડાવો

શનિદેવને તેલ ચડાવો અને પૂજા કરો. શનિદેવને બ્લી રંગના ફૂલ ચડાવો અને શનિ મંત્ર ऊँ शं शनैश्चराय नम:ના મંત્ર જાપ કરવા.

3. પીપળ પર જળ ચડાવો

દર શનિવારે પીપળાને જળ ચડાવવું, પૂજા કરવી અને સાત પરિક્રમા ફરવી. જળ ચડાવવા માટે તાંબાના લોટાનો ઉપયોગ કરવો.

4. તેલનું દાન કરવું

દર શનિવારના સવાર-સવારમાં સ્નાન કરીને નિવૃત થઈ તેલનું દાન કરવું. તેના માટે એક વાટકીમાં તેલ લો અને તેમાં પોતાનો ચહેરો જુઓ, પછી તેલનું દાન કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કરો.

5. સિંદૂર ચડાવો

હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ ચડાવો. હનુમાન ચાલીસાના પાઠ કરવા.

6. વાંદરાને ગોળ અને ચણા ખવડાવો

હનુમાનજીની પૂજા વાનરના રૂપમાં જ કરવામાં આવે છે. આ જ કારણસર બજરંગ બલીને પ્રસન્ન કરવા માટે વાંદરાને ગોળ અને ચણા ખવડાવવા જોઈએ. આ ઉપાય કરવાથી હનુમાનજીની સાથે શનિ પણ પ્રસન્ન થાય છે.

7. ગાયને આવી રીતે ખવડાવો રોટલી

કોઇ પણ શનિવારે બે રોટલી બનાવો. એક રોટલી પર સરસિયાનું તેલ અને મીઠાઇ રાખો જ્યારે બીજાની પર ઘી. પહેલી રોટલી એક કાળી ગાયને ખવડાવો ત્યારબાદ બીજી રોટલી તે જ ગાયને ખવડાવો. હવે શનિદેવની પ્રાર્થના કરી તેમની પાસે શાંતિ અને સમૃદ્ધિની કામના કરો.

8. એક કાળો દોરો શનિદેવને પ્રસન્ન કરશે

શનિવારના દિવસે આપના હાથની લંબાઇનો 19 ગણો લાંબો એક કાળો દોરો લો જેને એક માળાના રૂપમાં બનાવીને ગળામાં ધારણ કરો. આ એક સારુ પરિણામ આપશે અને ભગવાન શનિને આપ પર કૃપાવાન બનાવશે.

9. કાચો દોરો

શનિવારના દિવસે પીપળાના વૃક્ષની ચારે બાજું સાત વાર કાચો દોરો લપેટો, આ દરમિયાન શનિમંત્રનો પણ જાપ કરો. આ આપની સાડાસાતીની તમામ મુશ્કેલીઓને દૂર કરશે. દોરો લપેટ્યા બાદ પીપળાના વૃક્ષની પૂજા અને દિવો કરવાનું ભૂલવું નહીં. સાડાસાતીના પ્રકોપથી બચવા માટે વ્યક્તિએ દિવસમાં એક વાર મીઠા વગરનું ભોજન કરવું જોઇએ.

10. કાળી ગાયની પૂજા

શનિદેવને આપ કાળી ગાયની પૂજા કરીને પણ પ્રસન્ન રાખી શકો છો. આના માટે આપે ગાયના માથા પર તિલક લગાવ્યા બાદ તેના સીંગમાં પવિત્ર દોરો બાંધો અને અગરબત્તી કરવી. અંતમાં ગાયની પરિક્રમા કર્યા બાદ તેને ચાર બૂંદીના લાડવા પણ ખવડાવો. આ શનિદેવની સાડાસાતીના તમામ પ્રતિકૂળ પ્રભાવોને રોકે છે.

પાતાળ ક્રિયાઃ આ ખાસ વિધિથી શનિદેવ થશે પ્રસન્ન, મળશે શનિદોષથી મુક્તિ!

શનિવારે શનિદેવને પ્રસન્ન કરવા માટે કરવામાં આવતા ઉપાય ખૂબ જ પ્રભાવશાળી હોય છે. એવો જ એક પ્રાચીન અને રામબાણ ઉપાય છે શનિ પાતાળ ક્રિયા. આ એક એવો ઉપાય છે જે હમેશાં માટે શનિ દોષથી મુક્તિ અપાવી શકે છે. આ ઉપાય આ પ્રકારે છે-

-જે શનિવારે તમે આ ઉપાય કરવા માંગો છો, તેના પહેલાં કોઇ શુભ મુહૂર્તમાં શનિ દેવની લોખંડની પ્રતિમાં બનાવડાવવી. હવે આ પ્રતિમાંનું શનિવારે વિધિવત્ત પૂજન તથા પ્રાણ પ્રતિષ્ઠા કરવી. ત્યાર પછી આ પ્રતિમાં સામે તમારી શક્તિ મુજબ નીચે લખાયેલાં મંત્રનો જાપ કરવો.

ऊं शं न देवीरभिष्टय आपो भवन्तु पीतये। शं योरभि स्त्रवन्तुन:।।

-ત્યાર પછી દશાંશ હવન કરવો અને પછી એવી જગ્યા જ્યાંથી તમે દરરોજ પસાર થતા ન હોવ તે જગ્યાએ જમીનમાં ખાડો ખોદીને શનિદેવની મૂર્તિને ઉંધી એટલે કે શનિદેવનું મુખ પાતાળ તરફ આવે તે રીતે દાંટી દેવી.

-હવે આ ખાડા ઉપર માટી નાખીને તેને સમતલ કરી દેવી અને શનિદેવથી પ્રાર્થના કરવી કે જીવનના દરેક દુઃખ દૂર થઇ જાય. આ ઉપાય જો પૂર્ણ શ્રદ્ધા સાથે કરવામાં આવે તો શનિના દોષથી હમેશાં માટે છુટકારો મળી જાય છે.

-શનિવારે આ 10 નામોથી શનિદેવનું પૂજન કરવું-

कोणस्थ पिंगलो बभ्रु: कृष्णो रौद्रोन्तको यम:।
सौरि: शनैश्चरो मंद: पिप्पलादेन संस्तुत:।।

એટલે કે- 1- કોણસ્થ, 2 – પિંગલ, 3 – બભ્રૂ, 4 – કૃષ્ણ, 5 – રૌદ્રાંન્તક, 6 – યમ, 7 – સૌરિ, 8 – શનૈશ્વર, 9 – મંદ તથા 10 – પિપ્પલાદ.

આ દસ નામોથી શનિદેવનું સ્મરણ કરવાથી બધા જ શનિદોષ દૂર થઇ જાય છે.

-કોઇ એક શનિવારે શનિ યંત્રની સ્થાપના અને પૂજન કરવું. ત્યાર પછી દરરોજ આ યંત્રની વિધિ-વિધાન પૂર્વક પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. દરરોજ યંત્રની સામે સરસિયાના તેલથી દીપક પ્રગટાવવો. વાદળી અથવા કાળા ફૂલ અર્પણ કરવાં. આ ઉપાય કરવાથી ભક્તને ચોક્કસ લાભ થાય છે.

-કોઇ એક શનિવારે તમારા જમણાં હાથના માપ જેટલો ઓગણીસ હાથ લાંબો કાળો દોરો લઇને તેને ગુંથીને માળાની જેમ ગળામાં પહેરવો. આ ઉપાય કરવાથી શનિદેવનો પ્રકોપ ઓછો થાય છે.

-શમી વૃક્ષની જડને વિધિ-વિધાન પૂર્વક ઘરે લઇને આવવી. શનિવારે શ્રવણ નક્ષત્રમાં કોઇ યોગ્ય વિદ્વાનછી અભિમંત્રિત કરાવી કાળા દોરામાં બાંધીને ગળામાં અથવા હાથના બાજુમાં ધારણ કરવી. આ ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન થશે તથા શનિને કારણે જેટલી પણ સમસ્યાઓ છે, તેનું નિદાન આવશે.

-દર શનિવારે વાનરો અને કાળા કૂતરાને બુંદીના લાડવા ખવડાવવાથી પણ શનિનો કુપ્રભાવ ઓછો થઇ શકે છે અથવા કાળા ઘોડાની નાળ અથવા હોડીની કીલથી બનેલો છલ્લો પણ ધારણ કરવો.

-શનિવારના એક દિવસ પહેલાં કાળા ચણા પાણીમાં પલાળી દેવા. શનિવારે આ ચણા, કાચો કોલસો, હળવું લોખંડનું પતરું એક કાળા કપડામાં બાંધીને માછલીઓના તળાવમાં નાખી દેવું. આ ઉપાય આખું વર્ષ કરવું. આ સમય દરમિયાન ભુલથી પણ માછલીનું સેવન ન કરવું.

શુભ શનિ હોય તો સમજો ફાયદો જ ફાયદો, અશુભ હશે તો બગડી જશે ભાગ્ય!

શનિ એવો ગ્રહ છે જેના પ્રત્યે બધાને હંમેશા ડર રહે છે. તમારી કુંડળીમાં શનિ કયા ભાવમાં કે સ્થાનમાં છે, તે પ્રમાણે તમારા સંપૂર્ણ જીવનની દિશા, સુખ, દુઃખ વગેરે બધી વાત નક્કી થઈ જાય છે. તમારી કુંડળીમાં શનિ કયા સ્થાને રહેલો છે અને તે તમને કેવા ફળ આપી રહ્યો છે તે જાણો. અહીં જણાવવામાં આવેલો પ્રભાવ માત્ર શનિની સ્થિતિ પર આધારિત છે પણ જો કોઈ અન્ય ગ્રહ સાથે યુતિ થવાથી કે અન્ય ગ્રહોની દ્રષ્ટિ પડવાથી વ્યક્તિના સ્વભાવમાં ભિન્નતા થઈ શકે છે. કુંડળીના બધા ગ્રહો અને યોગોના પ્રભાવને જોઈને સટિક ભવિષ્યવાણી કરવામાં આવે છે.

શનિ માત્ર દુષ્પ્રભાવી ગ્રહ જ નથી તે શુભ ફળ પણ આપે છે પરંતુ એ તેના પર નક્કી કરે છે કે તે તમારી કુંડળીમાં ક્યા ગ્રહ સાથે છે અને ક્યા સ્થાન પર છે. તે સ્થાન પર તે કેવી અસર કરે છે? આ બધી બાબત તેની અસરને પ્રભાવકારી બનાવે છે.

શનિ પ્રથમ સ્થાનમાં હોય તો-

કુંડળીના પ્રથમ ભાવને લગ્નસ્થાન કહેવામાં આવે છે. જે વ્યક્તિની કુંડળીમાં શનિ પ્રથમ ભાવમાં હોય તો તે વ્યક્તિ રાજા સમાન જીવન જીવનારા હોય છે. જો શનિ અશુભ ફળ આપનાર હોય તો વ્યક્તિ રોગી ગરીબ અને ખરાબ કર્મો કરનાર થાય છે. તમારી સમગ્ર કુંડળી પ્રથમ સ્થાન પર આધાર રાખે છે. તેમાં આવતો ગ્રહ જો પાપ ગ્રહ ન હોય તો વ્યક્તિને વિશેષ લાભ આપે છે. પ્રથમ સ્થાનમાં આવતો શનિ ક્યા લગ્ન અને કઈ રાશિ લઈ અને આ સ્થાને આવે છે તે મહત્વનું છે તે પરથી કહી શકાય કે વધારે અસર ક્યા પ્રકારની થાય છે. વ્યક્તિના રૂપ રંગ, સુખ, વૈભવ, શરીર, મન બધા પરની મુખ્ય અસર અહીંથી જાણી શકાય છે. જો શનિ આ સ્થાન પર હોય તો વ્યક્તિના રૂપ રંગમાં ખામી આવી શકે છે. તેને સુખ પ્રાપ્ત થાય છે પણ તે પરહેલા તેને સખત મહેનત કરવી પડે છે.

શનિ બીજા સ્થાનમાં હોય તો-

બીજું સ્થાન કુટુંબ પરિવાર અને ખાણીપીણી, ચહેરો, વાણી વ્યવહારનું હોય છે. જો બીજા ભાવમાં શનિ હોય તો વ્યક્તિ વિકૃત મુખવાળો, લાલચી, વિદેશમાં ધન કમાનાર હોય છે. દરેક વ્યક્તિની સામાજિક રીતે પ્રાથમિક સ્થિતિ રહેલી હોય છે ત્રણ બાબતો પર આધારિત ધન, કુટુંબ અને શારીરિક સ્થિતિ અને આ ત્રણ સ્થિતિ તમારું સામાજમાં માન સન્માન નક્કી કરે છે. જો અહીં શનિ હોય તો શરીર સૌષ્ઠવ પર પણ ખરાબ અસર કરી શકે છે. તમારી વાણી-વ્યવહાર પર પણ અસર કરે છે. ધન કમાવવામાં કદાચ તમારે ઓછી મહેનત કરવી પડે પણ તેનો સંગ્રહ કરવામાં વધારે મુશ્કેલી અનુભવી શકો છો.

શનિ ત્રીજા સ્થાનમાં હોય તોઃ-

ત્રીજું સ્થાન કુંડળીમાં માતાનું, જનસંપર્ક, દસ્તાવેજી સંપત્તિ તથા સંસ્કારનું હોય છે. જો ત્રીજા સ્થાનમાં શનિ હોય તો વ્યક્તિ સંસ્કારવાન, સુંદર, શરીરવાળો, નીચ કર્મ કરનાર અને આળસું તથા ચતુર હોય છે. તે જન સંપર્ક દ્વારા ચતુરાઈ પૂર્વક પોતાનું કામ કઢાવી શકે છે.
જો અહીં શનિની શુભ અયસર થાય તો ભાઈ-બંધુ સાથે તમારે સારી એવી સહાયતા પ્રાપ્ત થાય છે. પરાક્રમ સારું રહે છે. યાત્રાઓ થવાની શક્યતા પણ રહે છે. ભ્રમણ કરાવે છે. ભાઈ બંધુ સાથે તમારે મતભેદ કે મન ભેદ પણ થાય જો આ સ્થાનમાં શનિનો સારો યોગ ન હોય તો.

શનિ ચોથા સ્થાનમાં હોય તો-

ચોથું સ્થાન કુંડળીમાં તન, મન, સુખ , સાસરું, વાહન, જમીન-મકાન વગેરેથી સંબંધિત હોય છે. ચોથા ભાવમાં શનિ હોય તો તે રોગી, દુખી, ભાઈ, વાહન, ધન અને બુદ્ધિથી હીન થાય છે. ચોથા સ્થાનનો કારક સ્વામી મંગળ છે જો આ સ્થાનમાં શનિ જમીન મકાન સંદર્ભે દુખી કરી શકે છે. માતાના સુખમાં પણ ઉણપ આવી શકે છે. તમારો સ્વભાવ તેજ રહે અને તમે તમારા સ્વભાવને કારણે ફસાઈ શકો કે પછી તમારી બુદ્ધિ હીનતાથી તમને લોકો ફસાવતા રહે એવું બની શકે છે.

શનિ પાંચમા સ્થાનમાં હોય તો-

પાંચમું સ્થાન કુડંળીમાં સંતતી, પ્રેમ, યશ, વિમાન પ્રવાસ આર્થિક લાભ વગેરે માટે છે. પાંચમા સ્થાનમાં જો શનિ હોય તો તે વ્યક્તિ દુખી, પુત્રહીન, મિત્રહીન અને ઓછી બુદ્ધિ વાળા હોય છે. આ સ્થાનમાં શનિ તમારા અભ્યાસને પણ પ્રભાવિત કરી શકે છે. શનિની અસર તમને અભ્યાસમાં ઝડપથી કોઈ પ્રગતિ ન કરવા દે. પ્રેમ પ્રસંગોમાં પણ નિષ્ફળતા મળી શેક છે. પણ તમને કોઈ ગુપ્ત ધનથી ભેટો કરાવી તમારું જીવનયાપન સારી રીતે પસાર કરાવી શકે છે.

શનિ છઠ્ઠા સ્થાનમાં હોય તો-

છઠ્ઠું સ્થાન કુંડળીમાં શત્રુ,શારીરક આધિ-વ્યધિઓ, મામા-મોસાળપક્ષ, ગુપ્ત શક્તિ, શારીરિક તણાવનું છે. છઠ્ઠા સ્થાનમાં જો શનિ હોય તો તે કામી, સુંદર, શુરવીર, વધારે ખાનાર, કુટીલ સ્વભાવ અને વધારે શત્રુઓને જીતનાર હોય છે. શનિનું આ સ્થાન શનિનું જ કારક ગણાય છે. માટે તમને ઓછા રોગી બનાવે છે. તમારા માં કુટનિતિજ્ઞતા આપીને તમને વ્યૂહરચનાકાર બનાવી શકે છે. શત્રુ પર તમે ભારે પડી શકો છો. તમારી શારીરિક શક્તિ વધારે સતે જ કરી તમારામાં સહન શક્તિનો વધારો કરે છે. કોઈ પણ પરિસ્થિતિ સામે લડવાની શક્તિ તમને આ સ્થાનના શનિ પ્રદાન કરે છે.

શનિ સાતમા સ્થાનમાં હોય તો-

સાતમું સ્થાન કુંડળીમાં પત્ની, વિવાહ, કાયદા-કોર્ટકચેરી, વિવાદ, વિજાતીય સુખથી જોડાયેલું છે. સાતમા સ્થાનમાં શનિ હોય તો વ્યક્તિ રોગી, ગરીબ, કામી, ખરાબ વેશભૂષાવાળો, પાપી , નીચ હોઈ શકે છે. તમારું લગ્ન જીવન આ સ્થાનના શનિના હાથમાં હોય છે. પત્ની સુખ આપી શકતો નથી. વળી તે પત્નીને તાડીત કરનાર પણ હોય છે. લગ્નજીવનમાં ઘણા પ્રશ્નો ઉભા કરે છે. લગ્નેત્તર સંબંધો પણ હોય છે. પરંતુ જો તેનો યોગ કોઈ મિત્ર ગ્રહ સાથે થાય તો લગ્ન જીવનમાં શુભ અસર કરી શકે છે. તમારા વેપારમાં પણ ભાગીદારીમાં ખોટનો ધંધો કરાવે એવું બને.

શનિ આઠમા સ્થાનમાં હોય તો-

આઠમા સ્થાનમાં શનિ હોય તો મૃત્યુ, દુઃખ, આર્થિક સંકટ, નપુસંકતા,મૃત્યુનું મુખ, અનિતી, ભ્રષ્ટાચાર, વગેરે પાશા પર આ સ્થાન અસર કરે છે. આઠમા સ્થાનમાં શનિ હોય તો વ્યક્તિ કુષ્ઠરોગી તથા ભગંદરનો ભોગ બને છે, દુખી થાય છે. નાની ઉંમરમાં જ દરેક કાર્ય કરવામાં અક્ષમ હોય છે. જ્યારે શનિ આ સ્થાનનો કારક હોય ત્યારે તમારું મૃત્યુ, રોગ અને વિલ વારસો તેના હાથમાં હોય છે. તમારું આયુષ્ય લાંબુ આપે પણ ક્યારેક એવી સ્થિતિ ઉભી થાય કે અચાનક કોઈ મોટી બીમારીનો સામનો કરવો પડે છે. તમે સારા એવા વિલ વારસાના માલિક બનાવો એવી સ્થિતિ તે નિર્માણ કરે છે.

શનિ નવમા સ્થાનમાં હોય તો-

નવમું સ્થાન કુંડળીમાં અધ્યાત્મ, પ્રવાસ, પરદેશગમન, શક્તિ વગેરેને અસર કરે છે. નવમા ભાવમાં શનિ હોય તો કુંડળીમાં નવમા સ્થાનમાં શનિ હોય તે અધાર્મિક, ગરીબ, પુત્રહીન, દુઃખી થાય છે. નવમું સ્થાન ભાગ્યનું હોવાથી જો શનિ આ સ્થાનમાં હોય કે તેની દ્રષ્ટિ પણ પડતી હોય તો તે ખરાબ અસર કરી શકે છે. રખડપાટ અને જીવનના કોઈ એક ભાગમાં તમને ધનવિહોણા અને માનસન્માન વગરના કરી મુકે. તમારો સ્વભાવ નાસ્તિક રહે. પણ જો શનિ પ્રત્યે અને હનુમાન પ્રત્યે આસ્થા રાખશો તો છુટકારો શક્ય છે. ધન પ્રાપ્તિ માટે દેશ-પરદેશ ફેરવે પણ તેથી પારિવારિક અને ધનનું તો આખરે નુક્શન રહેશે.

શનિ દશમા સ્થાનમાં હોય તો-

દશમું સ્થાન કુંડળીમાં કર્મ, પિતૃ, અધિકાર, સામાજીક સ્થાન, નોકરી, વ્યવસાય વગેરેનું સ્થાન છે. જો દશમા સ્થાનમાં શનિ હોય તો વ્યક્તિ ધની, ધાર્મિક, રાજ્યમંત્રી વગેરે ઉંચા પદ પર રહેલો હોય છે. સૂર્ય, શનિ અને ગુરુનું કારક સ્થાન કહેવામાં આવે છે. માનવના તમામ કર્મો પર નજર રાખનાર શનિ જો આ સ્થાનમાં આવે તો તેના સ્થાનનો હોવાથી તેના જીવનની બધી અસર થાય. તેને પિતા સાથે ન હતું બનતું તેથી આ સ્થાનમાં જો તમારે શનિ આવે તો પિતા સાથે મતભેદ કે મનભેદ રહી શકે છે. તેણે તપ કરીને બધા ગ્રહમાં ઉચ્ચ સ્થાન મેળવ્યું હતું તે રીતે તમે પણ શ્રદ્ધા અને સખત મહેનતથી જ ઉચ્ચપદ તમારા ક્ષેત્રમાં પ્રાપ્ત કરી શકો છો.

શનિ અગીયારમા સ્થાનમાં હોય તોઃ-

અગીયારમું સ્થાન કુંડળીમાં ભેટ-ઉપહારનો લાભ, કોઈ વ્યક્તિનું સુખ, રોગ વગેરે અસર કરે છે. અગીયારમાં ભાવમાં શનિ હોય તો વ્યક્તિ લાંબી આયુષ્યવાળો, ધની, કલ્પનાશીલતા, નિરોગી બધું સુખ પ્રાપ્ત કરનાર હોય છે. અગીયારમું સ્થાન પણ શનિનું કારક સ્થાન છે માટે મિત્રોથી, કુટુંબ-કબીલાથી, મોટાભાઈ, માતા-પિતાથી પણ લાભ અપાવી શકે છે. તમને તમારા ક્ષેત્રમાં દરેક પ્રકારનો લાભ અપાવે છે. તમારા પૂર્વ જન્મના સંચિત શુભ કર્મો પ્રમાણે આ સ્થાનનો શનિ અપાવે છે અને તે તને ફાયદા માટે મદદ કરે છે.

શનિ બારમા સ્થાનમાં હોય તોઃ-

બારમું સ્થાન કુંડળીમાં કરજ, નુક્શાન, વ્યસન, અનૈતિકતા, ઉપભોગ વગેરેનું સ્થાન છે. બારમાં સ્થાનમાં શનિ હોય તો મન અશાંત થાય છે, તકવાદી માણસ હોય છે. કુટિલ દ્રષ્ટિવાળા હોય છે, નિર્દય, નિર્લજ્જ અને વધારે ખર્ચ કરનાર હોય છે. શુક્ર,કેતુ અને શનિ આ સ્થાનના કારક ગ્રહો છે. અને એ રીતે જો શનિ આ સ્થાનમાં આવે તો પરિણામ પણ એવું જ પ્રાપ્ત થાય છે. ખર્ચ રહે છે. સજા થાય તે હદનું અનૈતિક કાર્ય તમે કરી બેસો એ પણ શક્ય છે. અને તમને કોઈ કચેરીમાં બંધનમાંકે ભ્રષ્ટતામાં પાડી શકે છે.

શનિવારે કરો ન્યાયના દેવતા સામે તેલનો આ ઉપાય, દરેક ક્ષેત્રમાં મળશે પ્રગતિ!

શનિવારે શનિ અને હનુમાનજીનું પૂજન વિશેષ રૂપથી કરવામાં આવે છે. જ્યોતિષ મુજબ શનિદેવની કૃપા મેળવવા માટે શનિવાર શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે કરવામાં આવેલાં ઉપાયોથી શનિના દોષ શાંત થઇ શકે છે. એવી માન્યતા છે કે, હનુમાનજીના ભક્તોને શનિના અશુભ ફળોથી મુક્તિ મળી જાય છે. આ જ કારણથી ઘણા લોકો શનિવારે હનુમાનજીની પૂજા કરે છે.

1. તેલનું દાન કરવું- દર શનિવારે સવાર-સવારે સ્નાન વગેરે કર્મોથી નિવૃત થઇને તેલનું દાન કરવું. આ માટે એક વાટકીમાં તેલ લેવું અને તેમાં પોતાનો ચહેરો જોવો, ત્યાર પછી આ તેલનું દાન કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને કરવું.

2. શનિને વાદળી ફૂલ અર્પણ કરવાં- શનિદેવને તેલ અર્પણ કરવું અને પૂજન કરવું. શનિદેવને વાદળી ફૂલ અર્પણ કરવા અને શનિ મંત્ર ऊँ शं शनैश्चराय नम: નો જાપ કરવો.

3. પીપળાને જળ અર્પણ કરવું- દર શનિવારે પીપળાને જળ અર્પણ કરવું, પૂજા કરવી અને સાત પરિક્રમા કરવી. જળ અર્પણ કરવા માટે તાંબાના લોટાનો પ્રયોગ કરવો.

4. દીપક પ્રગટાવવો- સૂર્યાસ્તના સમયે કોઇ એવા પીપળાની પાસે દીપક પ્રગટાવવો જે સુમસાન સ્થાન પર હોય અથવા કોઇ મંદિરમાં સ્થિત પીપળાની પાસે પણ દીપક પ્રગટાવી શકાય છે.

5. સિંદૂર અર્પણ કરવું- હનુમાનજીને સિંદૂર અને ચમેલી અર્પણ કરવું. હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

6- શનિવારે સૂર્યાસ્ત પછી હનુમાનજીનું પૂજન કરવું. પૂજનમાં સિંદૂર, કાળા તલનું તેલ, આ તેલનો દીપક તથા વાદળી રંગના ફૂલનો ઉપયોગ કરવો. આ ઉપાય તમે દર શનિવારે પણ કરી શકો છો.

7- શનિવારે શનિ યંત્રની સ્થાપના અને પૂજન કરવું. ત્યાર પછી દરરોજ આ યંત્રની વિધિ-વિધાન પૂર્વક પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. દરરોજ યંત્રની સામે સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો.

8- દર શનિવારે વાંદરાઓને ગોળ અને કાળા ચણા ખવડાવો, આ ઉપરાંત કેળા અથવા મીઠી મલાઇ પણ ખવડાવી શકો છો. આ પણ શનિદેવના અશુભ પ્રભાવને સમાપ્ત કરવામાં ખૂબ જ મદદ કરે છે. અથવા કાળા ઘોડાની નાળનો છલ્લો બનાવીને પણ ધારણ કરી શકાય છે.

9- શનિવારના દિવસે આપના હાથની લંબાઇનો 19 ગણો લાંબો એક કાળો દોરો લો જેને એક માળાના રૂપમાં બનાવીને ગળામાં ધારણ કરો. આ એક સારુ પરિણામ આપશે અને ભગવાન શનિને આપ પર કૃપાવાન બનાવશે.

10- શનિવારે સવારે સ્નાન વગેરે કર્યા પછી સવા કિલો કાળો કોલસો, એક લોખંડની કીલ એક કાળા કપડામાં બાંધીને પોતાના માથા પરથી ફેરવીને વહેતાં પાણીમાં પ્રવાહિત કરી દેવી અને કોઇ શનિ મંદિરમાં જઇને શનિદેવને પ્રાર્થના કરવી.

11- શનિવારે આ 10 નામોથી શનિદેવનું પૂજન કરવું.

कोणस्थ पिंगलो बभ्रु: कृष्णो रौद्रोन्तको यम:।
सौरि: शनैश्चरो मंद: पिप्पलादेन संस्तुत:।।

અર્થાતઃ 1- કોણસ્થ, 2 – પિંગલ, 3 – બભ્રૂ, 4 – કૃષ્ણ, 5 – રૌદ્રાંન્તક, 6 – યમ, 7 – સૌરિ, 8 – શનૈશ્વર, 9 – મંદ તથા 10 – પિપ્પલાદ. – આ દશ નામોથી શનિદેવનું સ્મરણ કરવાથી બધા શનિદોષ દૂર થાય છે.

12- લાલ ચંદનની માળાને અભિમંત્રિત કરી શનિવારે પહેરવાથી શનિનો અશુભ પ્રભાવ ઓછો થઇ જાય છે.

13- શનિવારે સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરેથી નિવૃત્ત થઇને કુશ આસન પર બેસી જવું. સામે શનિદેવની મૂર્તિ અથવા તસવીર સ્થાપિત કરવી અને તેની પંચોપચારથી વિધિવત પૂજન કરવું. ત્યાર પછી રૂદ્રાક્ષની માળીથી નીચે લખાયેલ કોઇપણ મંત્રની ઓછામાં ઓછી પાંચ માળા જાપ કરવું તથા શનિદેવ પાસેથી સુખ-સંપત્તી માટે પ્રાર્થના કરવી. જો દર શનિવારે આ મંત્રનો આ વિધિથી જાપ કરશો તો જલ્દી જ તમને લાભ મળશે.

વૈદિક મંત્ર- ऊं शन्नोदेवीरभिष्टय आपो भवन्तु पीतये शन्योरभिस्त्रवन्तु न:।
લઘુ મંત્રઃ- ऊं ऐं ह्लीं श्रीशनैश्चराय नम:।

14- શનિવારે ભૈરવજીની ઉપાસના કરી અને સાંજના સમયે કાળા તલના તેલનો દીપક લગાવીને શનિદોષથી મુક્તિ માટે પ્રાર્થના કરવી.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

એવી સમસ્યા જેનો કોઇ તોડ ન હોય, તો કરો હનુમાન પૂજા, દરેક સંકટો દૂર કરશે હનુમાનજી…!!

hanumandada3

શ્રાવણમાં કરો આ 7માંથી કોઇ 1 ઉપાય, દરેક સંકટો દૂર કરશે હનુમાન!

શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધનાનું વિશેષ મહત્વ છે. હનુમાનજી પણ ભગવાન શિવના જ અવતાર છે. એવી માન્યતા છે કે હનુમાનજી અમર છે, તેમને અમરતાનું વરદાન માતા સીતાએ આપ્યું હતું. આ માન્યતા મુજબ, શ્રાવણમાં આવનાર દરેક મંગળવારે જો હનુમાનજીને પ્રસન્ન કરવાના થોડાં સરળ ઉપાય કરવામં આવે તો ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઇ શકે છે. હનુમાનજીને પ્રસન્ન કરવાના ઉપાય આ પ્રકારે છે….

1. શ્રાવણમાં કોઇપણ મંગળવારે હનુમાનજીને સિંદૂરનો ચોલો અર્પણ કરવો. ચોલા અર્પણ કરતાં પહેલાં સ્વયં સ્નાન કરી શુદ્ધ થઇ જવું અને સાફ વસ્ત્ર ધારણ કરવાં. માત્ર લાલ રંગની ધોતી પહેરશો તો વધારે સારું રહેશે. ચોલા અર્પણ કરવા માટે ચમેલીના તેલનો ઉપયોગ પણ કરી શકાય છે. સાથે જ, ચોલા અર્પણ કરતી સમયે એક દીપક હનુમાનજી સામે પ્રગટાવીને રાખી દેવો. દીપકમાં ચમેલીના તેલનો જ ઉપયોગ કરવો.

ચોલા અર્પણ કર્યા પછી હનુમાનજીને ગુલાબના ફૂલની માળા પહેરાવવી અને કેવડાના અત્તરનો હનુમાનજીની મૂર્તિના બંન્ને ખંભા પર થોડો-થોડો છંટકાવ કરવો. હવે એક સાબૂત પાન લઇ તેના ઉપર ગોળ અને ચણા રાખીને હનુમાનજીને તેનો ભોગ લગાવવો. ભોગ લગાવ્યાં પછી તે જ સ્થાન પર થોડી વાર બેસીને તુલસીની માળાથી નીચે લખાયેલ મંત્રનો જાપ કરવો. આ મંત્રનો જાપ ઓછામાં ઓછી પાંચ માળા કરવો.

મંત્રઃ- राम रामेति रामेति रमे रामे मनोरमे।
सहस्त्र नाम तत्तुन्यं राम नाम वरानने।।

હવે હનુમાનજીને અર્પણ કરેલાં ગુલાબના ફૂલની માળાથી એક ફૂલ તોડીને તેને એક લાલ કપડામાં લપેટવું અને ઘરના ધન સ્થાન અથવા તિજોરીમાં રાખવું. તમારા ધનમાં ક્યારેય કમી આવશે નહીં.

2. મંગળવારે ઘરમાં પારદ (એક પ્રકારની વિશેષ ધાતુ)થી બનેલી હનુમાનજીની પ્રતિમા સ્થાપિત કરવી. તંત્ર શાસ્ત્ર મુજબ, પારદથી બનેલી હનુમાન પ્રતિમાની પૂજા કરવાથી બગડેલાં કામ પણ બની જાય છે. પારદથી નિર્મિત હનુમાન પ્રતિમાને ઘરમાં રાખવાથી બધા જ પ્રકારના વાસ્તુદોષ આપમેળે જ દૂર થઇ જાય છે. સાથે જ, ઘરનું વાતાવરણ પણ શુદ્ધ થઇ જાય છે. રોજ પારદ હનુમાનજીની પૂજા કરવાથી ઘરમાં કોઇપણ પ્રકારના તંત્રની અસર થતી નથી અને સાધક પર પણ કોઇ પ્રકારની તંત્ર ક્રિયાનો પ્રભાવ પડતો નથી. જો કોઇ વ્યક્તિને પિતૃદોષ હોય તો તેણે દરરોજ પારદના હનુમાનજીની પૂજા કરવી જોઇએ. આવું કરવાથી પિતૃદોષ સમાપ્ત થઇ જાય છે.

3. શ્રાવણ મહિનાના કોઇપણ મંગળવારે સાંજના સમયે કોઇ એવા મંદિર જવું, જ્યાં ભગવાન શ્રીરામ અને હનુમાન બંન્નેની પ્રતિમાં હોય. ત્યાં જઇને શ્રીરામ અને હનુમાનજીની પ્રતિમાં સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી ત્યાં ભગવાન શ્રીરામની પ્રતિમાની સામે બેસીને હનુમાન ચાલીસા અથવા હનુમાન પ્રતિમાની સામે બેસીને રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો. આ ઉપાયથી ભગવાન શ્રીરામ અને હનુમાનજી બંન્નેની કૃપા તમને પ્રાપ્ત થશે.

4. મંગળવારે સવારે સ્નાન વગેરે કર્યા પછી વડના વૃક્ષથી 11 અથવા 21 પાન તોડી લાવવાં. ધ્યાન રાખવું તે આ પાન પૂર્ણ રીતે સાફ અને સાબૂત હોય. હવે તેને સ્વચ્છ પાણીથી ધોઇ લેવા અને તેના ઉપર ચંદનથી ભગવાન શ્રીરામનું નામ લખવું. હવે આ પાનની એક માળા બનાવવી. માળા બનાવવા માટે પૂજામાં ઉપયોગ કરવામાં આવતાં રંગીન દોરાનો ઉપયોગ કરવો. હવે નજીકમં રહેલાં કોઇ હનુમાન મંદિર જવું અને હનુમાન પ્રતિમાને આ માળા પહેરાવવી. હનુમાનજીને પ્રસન્ન કરવાનો આ ખૂબ જ પ્રાચીન ટોટકો છે.

5. શ્રાવણમાં કોઇ મંગળવાર સવારે સ્નાન કર્યા પછી વડના વૃક્ષનું એક પાન તોડી લેવું અને તેને સાફ પાણીથી સાફ કરવું. હવે આ પાનને થોડીવાર માટે હનુમાનજીની પ્રતિમા સામે રાખી તેના ઉપર કેસરથી શ્રીરામ લખવું.

હવે આ પાનને તમારે તમારા પર્સમાં રાખી લેવું. વર્ષભર તમારું પર્સ પૈસાથી ભરેવું રહશે. ત્યાર પછી જ્યારે હનુમાન જયંતીનો પર્વ આવે ત્યારે આ પાનને કોઇ નદીમાં પ્રવાહિત કરી દેવું અને આ પ્રકારે એક અન્ય પાન અભિમંત્રિત કરી પોતાના પર્સમાં રાખી લેવું.

6. જો તમે શનિદોષથી પીડિત છો તો મંગળવારે કાળા અડદ અને કોલસાની એક પોટલી બનાવવી. તેમાં એક રૂપિયાનો સિક્કો રાખવો. ત્યાર પછી આ પોટલીને પોતાની ઉપરથી ઉતારવી. ત્યાર પછી તેને કોઇ નદીમાં પ્રવાહિત કરી દેવી અને પછી કોઇ હનુમાન મંદિરમાં જઇને રામના નામનો જાપ કરવો. આવું કરવાથી શનિદેવનો પ્રભાવ શાંત થઇ જશે.

7. શ્રાવણમાં કોઇ મંગળવાર હનુમાનજી મંદિર જવું અને ત્યાં બેસીને રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો. ત્યાર પછી હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ લગાવવો. જીવનમાં જો કોઇ સમસ્યા છે તો તેનું નિવારણ કરવા માટે પ્રાર્થના કરવી.
જિંંદગીની દરેક પળ સુખી બનાવવા, રોજ સૂતા પહેલાં કરો હનુમાનનો આ ઉપાય

જે લોકોના જીવનમાં પરેશાનીઓ અને નિરાશાનો સમય ચાલી રહ્યો હોય તેમની માટે અહીં બતાવેલ ખાસ ઉપાય કરવા જોઈએ. તેની સાથે જ જે લોકો પૂરી રીતે સુખી અને ધનવાન છે તેઓ પણ આ ઉપાય કરી શકે છે. જેના લીધે તેમના જીવનમાં દુઃખ ન આવે. આ ઉપાય હનુમાન ચાલીસા સંબંધિત છે અને તેને સ્ત્રી કે પુરુષ, બાળકો કે વડીલો બધા આસાનીથી કરી શકે છે. આ ઉપાય તમારે સૂતા પહેલાં કરવાના છે.

હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવાનો સૌથી સરળ અને ચમત્કારી ઉપાય છે હનુમાન ચાલીસાનો પાઠ. હનુમાન ચાલીસા ખૂબ જ સરળ અને મનને શાંતિ પ્રદાન કરનારી છે. જે લોકો ધનના અભાવથી ગ્રસ્ત છે કે ઘર-પરિવારમાં પરેશાનીઓ ચાલીરહી છે કે ઓફિસમાં બોસ અને સહયોગીઓ સાથે સંબંધો બગડેલા છે કે સમાજમાં સન્માન નથી મળી રહ્યું કે સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ હોય તો તેને દૂર કરવા માટે હનુમાન ચાલીસાનો આ ઉપાય શ્રેષ્ઠ રસ્તો છે.

જે લોકો મસ્તિષ્ક સાથે સંબંધિત કામમાં લાગેલા રહે છે અને માનસિક તણાવનો સામનો કરે છે કે જેમનું મગજ અન્ય લોકોની સરખામણીમાં તેજ નથી તો તેમને રોજ રાત્રે સૂતા પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.

बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार।
बल बुद्धि विद्या देहु मोहि हरेहू कलेश विकार।

આ પંક્તિમાં હુનુમાનને એ પ્રાર્થના કરવામાં આવી છે કે હે પ્રભુ હું પોતાને બુદ્ધિહીન માનીને તમારું ધ્યાન કરું છું. કૃપા કરો અને મને શક્તિ, બુદ્ધિ, વિદ્યા આપો. મારા બધા કષ્ટ-કલેશ દૂર કરો.

-તમે ઈચ્છો તો સૂતા પહેલા હનુમાન ચાલીસા સાંભળી પણ શકો છો કે જાપ પણ કરી શકો છો. હનુમાન ચાલીસા સાંભળવા માટે આજકાલ અનેક પ્રકારના સહજ માધ્યમો ઉપલબ્ધ છે જેમ કે મોબાઈલમાં હનુમાન ચાલીસાની ઓડિયો ફાઈલ સેવ કરી શકાય છે. જ્યારે તમારું મન હોય ત્યારે તમે આસાનીથી મોબાઈલની મદદથી હનુમાન ચાલીસા સાંભળી શકો છો.

જે લોકોને ખરાબ સપના આવતા હોય, ઊંઘમાં ડરી જતા હોય તેમને સૂતા પહેલા આ પંક્તિઓનો જાપ કરવો જોઈએ.

भूत-पिशाच निकट नहीं आवे।
महाबीर जब नाम सुनावे।

આ પંક્તિના માધ્યમથી ભક્ત દ્વારા હનુમાન સાથે ભૂત-પિશાચ વગેરેના ડરથી મુક્તિ અપાવવાની પ્રાર્થના કરવામાં આવે છે.

સૂતા પહેલાં જે પણ વ્યક્તિ આ પંક્તિનો જાપ કરે છે તેનાથી કોઈ ખરાબ સપના નથી આવતા કે કોઈ ભય નથી સતાવતો.

જો કોઈ વ્યક્તિ ભયંકર બીમારીથી ગ્રસ્ત હોય તો તેને સૂતા પહેલા આ પંક્તિનો જાપ કરવો જોઈએ.

नासे रोग हरे सब पीरा।
जो सुमिरे हनुमंत बलबीरा।।

આ પંક્તિથી આપણે બજરંગ બલી સામે બધા પ્રકારના રોગો અને પીડાઓથી મુક્તિ માટે પ્રાર્થના કરીએ છીએ. જે પણ બીમાર વ્યક્તિ આ પંક્તિઓનો જાપ કરીને સૂવે છે તેની બીમારી ઝડપથી સારી થવા લાગે છે.

જો કોઈ વ્યક્તિ સર્વગુણ સંપન્ન બનવા માગે છે અને ઘર-પરિવાર, સમાજમાં વર્ચસ્વ બનાવવા માગે છે, સન્માન મેળવવા માગ છે તો તેને સૂતા પહેલા આ પંક્તિનો જાપ કરવો જોઈએ.

अष्ट-सिद्धि नवनिधि के दाता।
अस बर दीन जानकी माता।।

આ પંક્તિ પ્રમાણે હનુમાન અષ્ટ સિદ્ધિઓ અને નવ નીધિઓના દાતા છે. જે તેમને માતા સીતાએ પ્રદાન કરી હતી. જે લોકોની પાસે આ સિદ્ધિઓ અને નિધિઓ આવી જાય છે તે સમાજમાં અને ઘર પરિવારમાં માન-સન્માન, પ્રસિદ્ધિ મેળવે છે.

ભગવાન શિવના અંશાવતાર છે હનુમાનજી, આ ઉપાયો કરવાથી થાય છે પ્રસન્ન

શ્રાવણ મહિનામાં મંગળવારના હનુમાનજી માટે વિશેષ ઉપાય કરશો તો કુંડળીના ગ્રહ દોષ દૂર થઈ શકે છે અને કામમાં આવતા વિઘ્નો પણ દૂર થઈ શકે છે. હનુમાનજી શિવજીના જ અંશઆવતાર છે. આ કારણોસર શ્રાવણ મહિનામાં હનુમાનજીની પૂજા કરવાથી શિવજી અને અન્ય દેવી-દેવતાઓ પણ પ્રસન્ન થાય છે આજે જાણીએ મંગળવારના ક્યા-ક્યા ઉપાય કરી શકાય છે…

1. મંગળવારે હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ ચડાવવું જોઈએ. સિંદૂર અને ચમેલીના તેલનો ઉપાય કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ શકે છે.

2. લાલ મસૂરની દાળને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવી જોઈએ. આ ઉપાય કરવાથી મંગળ ગ્રહના દોષોની શાંતિ થઈ શકે છે. મસૂરની દાળ શિવલિંગ પર પણ અર્પિત કરી શકાય છે.

3. હનુમાનજીને પ્રસન્ન કરવા તથા તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે દર મંગળવારે શક્ય હોય તો હનુમાનજીની સામે દીવો પ્રગટાવી હનુમાન ચાલીસાના પાઠ કરવા.

4. મંગળવારે શિવ મંદિર જઈ ભગવાન શિવનો જળાભિષેક કરવો અને ત્યારપછી ભગવાન શિવને લાલ રંગનું ફૂલ ચડાવવું. શિવલિંગ પર લાલ રંગનું ફૂલ ચડાવવાથી મંગળ ગ્રહ પ્રસન્ન રહે છે.

5. કોઈ એવા તળાવ અથવા સરોવર પર જાવ જ્યાં માછલીઓ હોય. ત્યાં જઈ માછલીઓને લોટની ગોળીઓ બનાવી ખવડાવો. આ ઉપાય દરરોજ પણ કરી શકાય છે. આ ઉપાય કરવાથી હનુમાનજીની સાથે-સાથે ભગવાન શિવ પણ પ્રસન્ન થાય છે.

6. હનુમાનજીની મૂર્તિની સામે લોટથી બનેલો દીવો પ્રગટાવવો જોઈએ. લોટનો દીવો તૈયાર કરવા માટે ઘઉંના લોટમાં થોડું પાણી નાખી લોટ બાંધી લો. જે રીતે રોટલીનો લોટ બાંધો છો એવી જ રીતે દીવાનો લોટ બાંધવો અને તેનાથી દીવો તૈયાર કરવો. દીવામાં તેલ નાખી રૂની બનેલી વાટ રાખો. આ રીત દીવો તૈયાર કરી હનુમાનજીની સાથે દીવો પ્રગટાવી તેમની વિધિ-વિધાન મુજબ પૂજા-અર્ચના કરવી જોઈએ. લોટનો દીવો પ્રગટાવી પૂજા કરવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે.

7. એક નારિયેળ અને ફૂલ-પ્રસાદ લઈને નજીકના કોઈ પણ હનુમાનજીના મંદિરે જાવ. મંદિરમાં પહોંચી હનુમાનજીની સામે નારિયેળને સ્વયંના માથા પર સાત વખત ફેરવી લો. તેના પછી નારિયેળને ફોડી દો. પછી ભગવાનને ફૂલ-પ્રસાદ અર્પિત કરવો.

8. પૂજા કર્યા પછી હનુમાનજીને લાલ વસ્ત્રો, લાલ ફૂલ, લાલ ફળ અને લાલ રંગની કોઈ મીઠાઈ ચડાવો.

9. પીપળાના 11 પાન લો અને તે પાન પર ભગવાન રામનું નામ લખો. નામ લખવા માટે ચંદનનો ઉપયોગ કરી શકાય છે. બધા પાન પર રામનામ લખ્યાં પછી તેની માળા બનાવો અને હનુમાનજીને ચડાવો.

ઈન્દ્રએ જડબુ તોડ્યું તેથી કહેવાયા હનુમાન, પૂજામાં રાખજો આટલી સાવધાની!

હનુમાન ચિરંજીવી અર્થાત્ હંમેશા જીવિત રહેનારા માનવામાં આવ્યા છે. તેઓ એ બધા દેવી-દેવતાઓમાં સામેલ છે જેની પૂજા-આરાધના વધુ થાય છે. તેઓ મનુષ્ય અને વાનરનું સંયુક્ત રૂપ છે. એવું કહેવાય છે કે તેઓ આકાશમાં ઉડી શકે છે અને પોતાના શરીરને નાનુ અને મોટું કરી શકે છે. તેઓ પહાડ જેવી ભારે ભરખમ વસ્તુઓ ઊઠાવી લે છે. તેમના ગુણ આજે પણ આપણા પ્રેરણા સ્ત્રોત છે. આપણે તેમની પાસેથી પ્રેરણા લઈને આપણુ વ્યક્તિત્વ નિખારી શકીએ છીએ. એવા વીરલ હનુમાન વિશે જાણો કેટલીક ખાસ વાતો, તેમની પૂજા વિધિ, સ્ત્રીઓ તેમની પૂજા કરી શકે કે કેમ વગેરે બાબતો.

હનુમાનનો અર્થઃ-

હનુમાનનો એક અર્થ છે નિરહંકારી અને અભિમાનરહિત. હનુનો અર્થ છે હનન કરવુ અને માનનો અર્થ છે અહંકાર. અર્થાત્ જેમણે પોતાના અહંકારનું હનન કરી લીધુ હોય. આ તો બધા જાણે જ છે કે હનુમાનજીને કોઈ જ અભિમાન ન હતું. તેઓ વિનમ્રતાનો પર્યાત છે. એવું પણ કહેવામાં આવે છે કે હનુ અર્થાત્ હડપચી(ઢોડી) કપાયેલી હોવાને કારણે જ તેઓ હનુમાન કહેવાય. સૂર્યને ગળી ગયા પછી પછી ઈન્દ્રએ કેસરીનંદનના મુખ ઉપર વ્રજથી પ્રહાર કરવામાં આવ્યો હતો. આ પ્રહારથી હનુમાનજીની ઠુડ્ડી(સંસ્કૃતમાં હનુ) તૂટી ગઈ હતી એટલે તેમનું નામ હનુમાન આપવામાં આવ્યું હતું. હનુમાનજીના અનેક નામ છે, જેમ કે બજરંગ બલી, અંજનિસુત, પવનપુત્ર, કેસરીનંદર, મહાવીર, કપીશ, બાલાજી મહારાજ વગેરે.

હનુમાન છે વૈજ્ઞાનિકઃ-

હનુમાન પોતાના સમયના વૈજ્ઞાનિક છે. તેઓ પોતાના શરીરને અત્યંત નાનુ અને મોટું કરી લેતા હતા. તેમને સમુદ્ર પાર કરતી વખતે સિંહિકા નામની એ રાક્ષસીને પણ ખતમ કરી દીધી હતી જે ઉડતા પ્રાણીને પણ ખેંચીને ખાઈ લેતી હતી કે નષ્ટ કરી દેતી હતી. આથી એવું કહી શકાય કે હનુમાન સુપર સાઈટિસ્ટ હતા. એવી શક્તિ આજના સાઈટિસ્ટ પણ શોધ નથી કરી શક્યા. હનુમાનના વૈજ્ઞાનિક હોવાની વાત શ્રીરામચરિત માનમાં પણ છે.

वन्दे विशुद्घविज्ञानौ कवीश्वरकपीश्वरौ॥
-(રામચરિતમાનસ ¼ મંગલાચરણ)

અર્થાત્- મહર્ષિ વાલ્મિકી(કવિશ્વર) તથા મહાવીર હનુમાન(કપિશ્વર) બંને વિશુદ્ધ વિજ્ઞાની છે.

હનુમાનની ઉત્પતિઃ-

શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે હનુમાન શિવના રુદ્રા અવતાર છે. તેમનો જન્મ વાયુદેવનો અંશ અને અંજનીના ગર્ભથી થયો જે કેસરી નામના વાનરની પત્ની હતી. પુત્ર ન હોવાનેથી દુઃખી હતી. મતંગ ઋષિના કહેવાથઓ અંજનાએ 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી જેના ફળ સ્વરૂપે હનુમાનનો જન્મ થયો.

પૂજા પદ્ધતિઃ-

હનુમાનની મૂર્તિ ઉપર તેલ અને સિંદૂર ચઢાવવામાં આવે છે. તેમને ફૂલ પણ પુરુષવાચક જેવા કે ગુલાબ, ગલગોટા વગેરે ચઢાવવા જોઈએ. સુંદરકાંડ કે રામાયણના પાઠથી તેઓ પ્રસન્ન થાય છે. પ્રસાદના રૂપમાં ચણા, ગોળ, કેળા, જામફળ કે લાડુનો ચઢાવવો જોઈએ.

ચાલીસા પાઠઃ-

ભક્તોએ 108 વાર ગોસ્વામી તુલસીદાસ કૃત હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. પાઠ શરૂ કરતા પહેલા રામરક્ષાસ્ત્રોતમ્ નો પાઠ ચોક્કસ કરવો જોઈએ. જો એક બેઠમાં 108 વાર હનુમાન ચાલીસા પાઠ ન થઈ શકે તો તેને બે ભાગમાં પૂરી કરી શકો છો.

હનુમાનની પૂજા કરતી વખતે આટલી સાવધાની રાખવી જોઈએઃ-

-હનુમાનની પૂજા અર્ચના અને વ્રતમાં બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અર્થાત્ સંયમપૂર્વક રહેવું જોઈએ.

-પૂજામાં ચરણામૃતનો ઉપયોગ ન કરો. શાસ્ત્રોમાં તેનું વિધાન છે.

-જે પ્રસાદ હનુમાનને ચઢાવવામાં આવે તે શુદ્ધ હોવી જોઈએ.

-દીવો અને પ્રસાદમાં શુદ્ધ ઘીનો જ ઉપયોગ કરો.

-હનુમાનને લાલ ફૂલ પ્રિય હોય છે. આથી પૂજામાં લાલ ફૂલ ચોક્કસ ચઢાવો.

-મૂર્તિને જળઅને પંચામૃતથી સ્નાન કરાવ્યા પચી જ સિંદૂરમાં તેલને મેળવીને તેનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી તેઓ પ્રસન્ન થઈ જાય છે.

-સાધના હંમેશા પૂર્વ દિશા તરફ મુખ કરીને જ શરૂ કરવી જોઈએ.

સ્ત્રીઓ પણ કરી શકે છે પૂજાઃ-

હનુમાનના સંદર્ભમાં સામાન્ય ધારણા છે કે તેમનૂ પૂજા મહિલાઓ નથી કરી શકતી. વાસ્તવમાં આ વાત ભ્રામક છે. મહિલાઓ પણ સાધારણ પૂજા કરી શકે છે. પરંતુ રજસ્વલા સ્થિતમાં પૂજા કરવાની મનાઈ છે. હનુમાનની સાધના માત્ર પુરુષોએ જ કરવી જોઈએ. તેનું કારણ એ છે કે કેટલાક એવા કારણો છે જેના લીધે તેમની સાધના પૂરી નથી કરી શકતી.

પૂજા-આરાધનાનો વિશેષ દિવસઃ-

મંગળવાર અને શનિવારે હનુમાનન પૂજાનું મહત્વ છે. એવું કહેવાય છે કે તેમનો જન્મ મંગળવારના દિવસે થયો હતો. શનિદેવે તેમને યુદ્ધમાં હરાવ્યા હતા. શનિએ તેમને આશીર્વાદ આપ્યા હતા કે જે વ્યક્તિ શનિવારના દિવસે હનુમાનજીની પૂજા કરશે તેને શનિના કષ્ટો સહન નહીં કરવા પડે.
શનિવારે ભુલ્યા વિના કરો આ 1 કામ, હનુમાનજી પ્રસન્ન થઇ દુઃખો કરશે દૂર!

વર્તમાન સમયમાં લોકો દ્વારા સૌથી વધારે હનુમાનજીને પૂજવામાં આવે છે. આ માટે જ તેમને કળયુગના જીવંત દેવતા પણ કહેવામાં આવે છે. ધર્મ ગ્રંથોમાં હનુમાનજીના પ્રમુખ 12 નામ જણાવવામાં આવ્યા છે, જેના દ્વારા તેમની સ્તુતિ કરવામાં આવે છે. હનુમાનજીના આ 12નામનો જાપ રાત્રે સૂતા પહેલાં અને સવારે જાગીને જો કરવામાં આવે તો, વ્યક્તિના બધા જ ભય દૂર થઇ જાય છે અને તેને જીવનમાં બધા જ સુખ પ્રાપ્ત થાય છે. કોઇપણ યાત્રા શરૂ કરતા પહેલાં પણ જો આ નામનો જાપ કરવામાં આવે તો વ્યક્તિની યાત્રા સફળ રહે છે. તે વ્યક્તિ તેના જીવનમાં બધી જ સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે. હનુમાનજીના 12 નામની સ્તુતિ તથા તે નામનો અર્થ આ પ્રકારે છે-

સ્તુતિઃ-

हनुमानअंजनीसूनुर्वायुपुत्रो महाबल:।
रामेष्ट: फाल्गुनसख: पिंगाक्षोअमितविक्रम:।।
उदधिक्रमणश्चेव सीताशोकविनाशन:।
लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पहा।।
एवं द्वादश नामानि कपीन्द्रस्य महात्मन:।
स्वापकाले प्रबोधे च यात्राकाले च य: पठेत्।।
तस्य सर्वभयं नास्ति रणे च विजयी भवेत्।
राजद्वारे गह्वरे च भयं नास्ति कदाचन।।

1-હનુમાનઃ-

ઉપરોક્ત શ્લોક મુજબ હનુમાનજીનું પહેલું નામ હનુમાન જ છે. આ નામ એટલા માટે પડ્યું કારણ કે, એકવાર કોઇ વાતને લઇને ગુસ્સે થઇને દેવરાજ ઇન્દ્રે તેમના પર વ્રજનો પ્રહાર કર્યો હતો, તે વ્રજ સીધું તેમની દાઢી(હનુ) પર વાગ્યું હતું. હનુ પર વ્રજનો પ્રહાર થવાને કારણે જ તેમનું નામ હનુમાન પડ્યું.

2-અંજનીસૂનુઃ-

માતા અંજનીના પુત્ર હોવાને કારણે જ હનુમાનનું એક નામ અંજનીસૂનુ પણ પ્રસિદ્ઘ છે.

3-વાયુપુત્રઃ-

હનુમાનજીનું એક નામ વાયુપુત્ર પણ છે. પવનદેવના પુત્ર હોવાને કારણે જ તેમને વાયુપુત્ર પણ કહેવામાં આવે છે.

4- મહાબળઃ-

હનુમાનજીના બળની કોઇ સીમા નથી. તેઓ બળવાનોના પણ બળવાન છે. આ માટે તેમનું એક નામ મહાબળ પણ છે.

5-રામેષ્ટઃ-

હનુમાન ભગવાન શ્રીરામના પરમ ભક્ત છે. ધર્મ ગ્રંથોમાં અનેક સ્થાનો પર વર્ણન મળી આવે છે કે, શ્રીરામે હનુમાનને પોતાના પ્રિય જણાવ્યા છે. ભગવાન શ્રીરામને પ્રિય હોવાને કારણ જ તેમનું એક નામ રામેષ્ટ પણ છે.

6- ફાલ્ગુનસુખઃ-

મહાભારત મુજબ પાંડુ પુત્ર અર્જુનનું એક નામ ફાલ્ગુન પણ છે. યુદ્ધના સમયે હનુમાનજી અર્જુનના રથની ધ્વજા પર વિરાજમાન હતા. આ પ્રકારે તેમણે અર્જુનની મદદ કરી હતી. મદદ કરવાને કારણે જ તેમને અર્જુનના મિત્ર માનવામાં આવે છે. ફાલ્ગુન સુખનો અર્થ છે અર્જુનનો મિત્ર.

7- પિંગાક્ષઃ-

પિંગાક્ષનો અર્થ છે વાદળી આંખ ધરાવનાર. અનેક ધર્મ ગ્રંથોમાં હનુમાનનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં હનુમાનજીને વાદળી આંખવાળા કહેવામાં આવે છે. આ માટે તેમનું એક નામ પિંગાક્ષ પણ રાખવામાં આવ્યું છે.

8-અમિતવિક્રમઃ-

વિક્રમનો અર્થ છે ‘પારક્રમી’ અને અમિતનો અર્થ થાય છે ‘ઘણું વધારે’. હનુમાનજીએ પોતાના પરાક્રમના બળ પર એવા ઘણા કાર્ય કર્યા, જેને કરવું દેવતાઓ માટે પણ ઘણું મુશ્કેલ હતું. આ માટે જ તેમને અમિતવિક્રમ પણ કહેવામાં આવે છે.

9- ઉદધિક્રમણઃ-

ઉદધિક્રમણનો અર્થ થાય છે કે, સમુદ્રનું અતિક્રમણ કરનાર એટલે કે, તેને ઓળંગનાર. સીતા માતાની શોધ કરતા સમયે હનુમાનજીએ દરિયાને ઓળંગવો પડ્યો હતો. આ માટે તેમનું એક નામ ઉદધિક્રમણ પણ છે.

10-સીતાશોકવિનાશનઃ-

માતા સીતાના શોકનું નિવારણ કરવાથી તેમનું એક નામ સીતાશોકનિવારણ પણ પડ્યું હતું.

11-લક્ષ્મણપ્રાણદાતાઃ-

જ્યારે રાવણના પુત્ર ઇન્દ્રજીતએ શક્તિનો ઉપયોગ કરીને લક્ષ્મણને બેહોશ કરી દીધો હતો, ત્યારે હનુમાનજીએ સંજીવની બૂટી લઇને આવ્યા હતા. તે જ બૂટીના પ્રભાવથી લક્ષ્મણને હોશમાં લાવવામાં આવ્યા હતા. આ માટે જ હનુમાનજીને લક્ષ્મણપ્રાણદાતા પણ કહેવામાં આવે છે.

12- દશગ્રીવદર્પહાઃ-

દશગ્રીવ એટલે કે રાવણ અને દર્પબા એટલે ઘમંડ તોડનાર. દશગ્રીવદર્પહાનો અર્થ છે કે રાવણનો ઘમંડ તોડનાર. હનુમાનજીએ લંકા જઇને સીતા માતાની શોધ કરી, રાવણના પુત્ર અક્ષયકુમારનો વધ પણ કર્યો. સાથે જ, લંકામાં પણ આગ લગાવી દીધી. આ પ્રકારે હનુમાનજીએ ઘણીવાર રાવણનો ઘમંડ તોડ્યો. આ માટે તેમનું એક નામ દશગ્રીવદર્પહા પણ પ્રસિદ્ધ છે.

એવી સમસ્યા જેનો કોઇ તોડ ન હોય, તો આજે જ કરો આવી હનુમાન પૂજા!

આમ તો હનુમાન ભગવાન રામના નામનો જાપ કરવાથી પ્રસન્ન થઈ જાય છે. તેમ છતાં શાસ્ત્રોમાં તેમની ઉપાસનાની કેટલીક પદ્ધતિઓ બતાવવામાં આવી છે જેનું પાલન કરવાથી હનુમાનજીના દર્શન કરવાની સાથે-સાથે મનચાહ્યું વરદાન પ્રાપ્ત કરી શકાય છે.

1-હનુમાનજી કળયુગમાં પણ સાક્ષાત ભગવાન બતાવ્યા છે. એટલા માટે કહેવાયુ છે કે તેમની પૂજા, ઉપાસના, મંત્ર અને પાઠ કરવાથી અલગ-અલગ ફળ પ્રાપ્ત થાય છે અને કષ્ટ દૂર થાય છે.

2-હનુમાનજીને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય છે હનુમાન ચાલીસાનો પાઠ. એવું માનવામાં આવે છે કે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ભક્તને કોઈ જ બંધક નથી બનાવી શકતું અને તેની ઉપર જેલ જવાની નોબત નથી આવતી. એવી માન્યતા છે કે જેલ જવાની સ્થિતિ પેદા થાય ત્યારે જો દોષી 108 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરે અને એવો સંકલ્પ કરે કે તે ભવિષ્યમાં ક્યારેય ખોટા કામ નહીં કરે, તો હનુમાનજીની કૃપા થતા તેના સંકટો દૂર થાય છે. જેલથી તેને મુક્તિ મળી જાય છે.

3-હનુમાનજીનો એક પાઠ તેના ભક્તોને તેમના દુશ્મનોથી મુક્તિ અપાવે છે અને દુશ્મનોને દંડિત(સજા) કરવામાં પણ મદદ કરે છે. એવું કહેવાય છે કે એકાગ્રચિત થઈને 21 દિવસ સુધી વિધિ-વિધાનથી બજરંગબાણનો પાઠ કરવાથી વ્યક્તિને તેના દુશ્મનોથી મુક્તિ મળે છે અથવા દુશ્મનોને તેના કરેલા ખોટા કામની સજા મળી જાય છે. જો કે બજરંગબલી એવા જ ભક્તોની મદદ કરે છે બુરાઈથી દૂર રહીને સત્યના રસ્તે ચાલે છે.

4-હનુમાનજીની ઉપાસનથી નિરોગી કાયાના આશીર્વાદ મળે છે. તેની માટે સૌથી સટીક પાઠ છે હનુમાન બાહુક નો. વિધાન છે કે શુદ્ધ જળના વાસણની સામે રાખીને 26 અથવા 21(મૂહુર્ત પ્રમાણે) દિવસો સુધી દરરોજ ગળાના રોગ, સંધીવા, સાંધાના દુઃખાવા જેવા રોગોથી મુક્તિ મળી જાય છે. ધ્યાન રાખવું કે શુદ્ધ જળને દરરોજ પાઠ કર્યા પછી પી લો અને રોજ પાત્રમાં શુદ્ધ જળ ભરો.

5- જો આત્મવિશ્વાસ ઘટી રહ્યો હોય, પરિસ્થિતિઓ વિપરીત હોય, કામ ન બની રહ્યું હોય તો એવી વખતે સુંદરકાંડ સૌથી અચૂક ઉપાય છે. એવું માનવામાં આવે છે કે સુંદરકાંડ અધ્યાયથી હનુમાનજીની વિજયગાથા છે તે રીતે પાઠ કરનાર વ્યક્તિ આત્મવિશ્વાસથી ભરાઈ જાય છે.

6-અનેક રોગોને બાળપણથી ભૂતપ્રેત અને અંધારાથી ડર લાગે છે, એવા લોકો માટે હનુમાનજીનો એક મંત્ર ચમત્કારીક પરિવર્તન લાવે છે. હનુમાનજીનો આ મંત્ર છે “हं हनुमंते नम:”। આ મંત્રનો જાપ સૂતા પહેલા કરવો જોઈએ. મંત્ર જાપ પહેલા શરીરને સ્વચ્છ પાણીથી ધોઈ લેવું જોઈએ. આ મંત્રનો નિયમિત જાપ કરવાથી ભય આપમેળે જ દૂર ભાગવા લાગે છે અને વ્યક્તિ નિર્ભક બની જાય છે.

7- ઘરમાં સુખ-શાંતિનો સંચાર કરવા માટે પણ હનુમાનજીનો એક સરળ ઉપાય કરી શકાય છે શનિવાર અને મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરમાં ગોળ-ચણાનો પ્રસાદ ચઢાવો. રોજ ઘરમાં હનુમાન ચાલીસાનોપાઠ કરો. 21 દિવસ પછી મંદિરમાં ચોલા ચઢાવો.

8-હનુમાનજીનો સાબરમંત્ર એક એવો મંત્ર છે જે ભક્તોની પીડાઓને સીધા હનુમાન સુધી પહોંચાડે છે અને તેનું ઝડપથી સમાધાન થઈ જાય છે. ધ્યાન રાખવું કે આ મંત્રનો ઉપયોગ એ જ લોકોએ કરવો જોઈએ જેઓ ખાન-પાનની અશુદ્ધતા અને બુરાઈઓથી પર હોય. હનુમાનજીના શાબર મંત્ર અનેક પ્રકારના છે જે અલગ-અલગ કાર્યો માટે છે. એટલા માટે મંત્ર અને વિધિ-વિધાથી કોઈ જાણકારને પૂછીને જ શરૂ કરવા.

9-જ્યોતિષ પ્રમાણે હનુમાનજીને ઈષ્ટ માનનાર ભક્તોને રોજ તેમની પૂજા-ઉપાસના અને પાઠ કરવો જોઈએ. જો કોઈ કારણસર તેમને સમય ન મળી રહ્યો હોય તો હનુમાનજીનો એક મંત્ર 11 વાર જાપ કરવો જોઈએ. આ મંત્ર છે “ऊं हनुमते नम:”। આ મંત્રના જાપ ન કરવાની કમીને પૂરી કરે છે.

10-રોગોથી બચવા માટે હનુમાનજીનો એક બીજો મંત્ર કારગર માનવામાં આવે છે. આ મંત્ર છે- नासै रोग हरे सब पीरा। जपत निरंतर हनुमत बीरा।।
દિવસે હનુમાનજીના મંદિરમાં ગોળ-ચણાનો પ્રસાદ ચઢાવો. રોજ ઘરમાં હનુમાન ચાલીસાનોપાઠ કરો. 21 દિવસ પછી મંદિરમાં ચોલા ચઢાવો.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ખાસ…આ છે શિવને પ્રસન્ન કરવાની સૌથી સરળ વિધિ અને પંચોપચારની પૂજા…!!!
જાણો…ગ્રહદોષથી મુક્તિ મેળવવી હોય તો આજથી જ શરૂ કરો, શિવના આ રાશિઉપાય..!!
જાણો…અમાસ ના દિવસે, લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ચમત્કારિક ઉપાય…!!

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

જાણો…જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા હાંસલ કરવા કરો આ 9 ચમત્કારિક ઉપાયો…!!

sury

રવિવાર સૂર્યની પૂજાનો વિશેષ દિવસ છે. કુંડળીમાં સૂર્યની સ્થિતિની અસર આપણી બુદ્ધિ પર પણ થાય છે. સાથે જ સૂર્યની શુભ સ્થિતિ સમાજમાં માન-સન્માન પણ અપાવે છે. જો તમે પણ સૂર્યને પ્રસન્ન કરી શુભ ફળ મેળવવા ઈચ્છતા હોવ તો અહીં બતાવેલા ઉપાય રવિવારે કરી શકો છો…

1. રવિવારે સ્નાન કર્યા પછી તાંબાના લોટામાં ચંદન અને લાલ ફૂલ નાથી સૂર્યને ચડાવો. ‘ॐ खखोल्काय नम:’ આ મંત્રના જાપ કરો.

2. સૂર્યને જળ ચડાવ્યાં પછી ઘરમાં સૂર્યની મૂર્તિને ગંગાજળ અથવા ચોખ્ખાં જળથી સ્નાન કરાવો. તેના પછી લાલ ચંદન, ચોખા, કમળ વગેરે ચડાવો. લાડુનો પ્રસાદ ચડાવો.

3. પૂજામાં બેસવા માટે કુશના આસનનો ઉપયોગ કરવો. પૂર્વ દિશાની તરફ મુખ કરી સૂર્ય મંત્રના જાપ કરો. જાપની સંખ્યા ઓછામાં ઓછી 108 હોવી જોઈએ.

મંત્રઃ-

हंस हंस कृपालुस्त्वमगतीनां गतिर्भव।
संसारार्णवमग्रानां त्राता भव दिवाकर।।

4. છેલ્લે સૂર્યદેવની આરતી કરો. પૂજામાં થયેલી ભૂલ માટે માફી માંગી લો અને મંગળ થવાની પ્રાર્થના કરો.

5. જે લોકોની કુંડળીમાં સૂર્ય નીચ સ્થિતિમાં હોય તે લોકોએ રવિવારના દિવસે સૂર્ય યંત્રની ​સ્થાપના કરી દર રવિવારે તેની પૂજા કરવી. તેનાથી કુંડળીના દોષો ઓછા થઈ જાય છે અને વિશેષ લાભ પણ મળે છે.

6. રવિવારના દિવસે સૌથી પહેલા સવારે ઊઠીને નિત્ય કર્મોથી નિવૃત્ત થઈ સૂર્યદેવને પ્રણામ કરો. ત્યારબાદ સૂર્ય યંત્રને ગંગાજળ અને ગાયના દૂધથી પવિત્ર કરો. હવે આ યંત્રનું વિધિ પૂર્વક પૂજા કર્યા બાદ સૂર્ય મંત્રનો જાપ કરવો જોઈએ. મંત્રઃ- ऊँ घृणि सूर्याय नम:। જાપ કર્યા પછી આ યંત્રની સ્થાપના પોતાના પૂજા સ્થળ ઉપર કરી દો. આ પ્રકારે આ યંત્રની પૂજા કરવાથી ઝડપથી સૂર્ય સંબંધી સમસ્યાઓ ખતમ થઈ જાય છે.

7. તંત્રશાસ્ત્ર પ્રમાણે રવિવારના દિવસે ગોળ અને ચોખાને વહેતા જળમાં પ્રવાહિત કરવું શુભ માનવામાં આવ્યું છે. જો સૂર્યદેવને પ્રસન્ન કરવા માગતા હોવ તો પકાવેલા ચોખામાં ગોળ અને દૂધ મેળવીને ખાવા જોઈએ. આ ઉપાયથી પણ સૂર્યદેવ પ્રસન્ન થાય છે અને શુભ ફળ પ્રદાન કરે છે.

8. જ્યોતિષ મુજબ તાંબુ સૂર્યનું ધાતુ છે. રવિવારના દિવસે તાંબાનો સિક્કો કે તાંબાનો ચોરસ ટુકડો વહેલા જળમાં પ્રવાહિત કરવાથી કુંડળીમાં સ્થિત દોષ ઓછા થઈ જાય છે. તેની સાથે જ લાલ કપડાંમાં ઘઉં અને ગોળ બાંધીને દાન કરવાથી પણ વ્યક્તિની દરેક ઈચ્છા પૂરી થઈ જાય છે.

9. રવિવારના સ્નાન કરીને પૂર્વ દિશામાં મુખ કરીને ઘાસના આસન પર બેસો. પોતાની સામે બાજોટ ઉપર સફેદ વસ્ત્ર પાથરો અને તેની ઉપર સૂર્યદેવની તસવીર કે પ્રતિમા સ્થાપિત કરો. ત્યારબાદ સૂર્યદેવની પંચોપચાર પૂજા કરો અને ગોળનો ભોગ લગાવો. પૂજામાં લાલ ફૂલ ચોક્કસ રાખો. ત્યારબાદ લાલ ચંદનની માળાથી નીચે લખેલા મંત્રની ઓછામાં ઓછી પાંચ માળા ચોક્કસ કરવી. મંત્ર – ऊँ भास्कराय नम:

આ રીતે સૂર્યદેવની પૂજા-અર્ચના કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. જો અહીં બતાવેલી પૂજન વિધિ દર રવિવારે કરવામાં આવે તો પણ ઝડપથી લાભ થાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

ખાસ…સંપૂર્ણ શ્રાવણમાં ભોળાનાથને ચઢાવો આ વસ્તુઓ, દરેક કામના થશે ફળીભૂત…!!!

shivji13

શાસ્ત્રોમાં શિવલિંગના ઘણાં પ્રકાર જણાવવામાં આવ્યાં છે. જો તમે તમારી મનોકામના મુજબ તે શિવલિંગની પૂજા કરશો તો તમારી દરેક મનોકામના જલ્દી જ પૂર્ણ થઇ શકે છે. તો ચાલે આજે અમે તમને આ લેખમાં જણાવીએ કઇ મનોકામના માટે કયા શિવલિંગની પૂજા કરવી જોઇએ.

– ભૂમિ ખરીદવાની મનોકામનાની પૂર્તિ કરવા માટે ફૂલોથી શિવલિંગનું નિર્માણ કરી તેની પૂજા કરવી જોઇએ.

– ખાંડથી શિવલિંગ બનાવીને તેની પૂજા કરવાથી માનસિક તથા પારિવારિક સુખ-શાંતિની પ્રાપ્તિ થાય છે.

– વાંસના અંકુરથી શિવલિંગ બનાવીને તેની પૂજા કરવાથી વંશમાં વૃદ્ધિ થાય છે.

– ચાંદીથી બનેલાં શિવલિંગની પૂજા અને રૂદ્રાભિષેક તેવા લોકોને ફાયદો આપે છે તે આર્થિક રૂપથી પરેશાન હોય છે.

– મુક્તિની ઇચ્છા રાખનાર વ્યક્તિઓએ આંબળાને પીસીને તેના દ્વારા શિવલિંગનું નિર્માણ કરવું જોઇએ. આ શિવલિંગનો રૂદ્રાભિષેક શિવલોકમાં સ્થાન અપાવે છે.

– ધન તથા સુખ સમૃદ્ધિ માટે સોના અથવા પીત્તળના શિવલિંગની પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે.

– પારદથી બનેલાં શિવલિંગની પૂજા કરવાથી ધન, સુખ તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ માટે જો અન્ય પ્રકારના શિવલિંગને બનાવવામાં મુશ્કેલી આવી રહી છે તો તમે પારદના બનેલાં શિવલિંગનો પ્રયોગ કરી શકો છો.

– ઘાસને પીસીને શિવલિંગ બનાવવું અને તેનો રૂદ્રાભિષેક કરશો તો અકાળ મૃત્યુનો ભય દૂર થઇ જાય છે. આ શિવલિંગ આયુષ્યમાં વૃદ્ધિ કરે છે.

– લાલ અને સફેદ આંકડાના ફૂલથી ભગવાન શિવનું પૂજન કરવાથી ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

– ચમેલીના ફૂલથી ભગવાન શિવનું પૂજન કરવાથી વાહન સુખ પ્રાપ્ત થાય છે.

– અળસીના ફૂલોથી શિવનું પૂજન કરવાથી મનુષ્ય ભગવાન વિષ્ણુને પ્રિય બને છે.

– શમીના પાનથી પૂજન કરવા પર મોક્ષની પ્રાપ્તિ થાય છે.

– મોગરાના ફૂલથી પૂજન કરવાથી સુંદર અને સુશીલ પત્ની પ્રાપ્ત થાય છે.

– જો જૂહીના ફૂલથી શિવનું પૂજન કરવામાં આવે તો ઘરમાં ક્યારેય અનાજની કમી આવતી નથી.

– કરેણના ફૂલથી શિવ પૂજન કરવામાં આવે તો નવા વસ્ત્રોની પ્રાપ્તિ થાય છે.

– પારિજાતકના ફૂલોથી પૂજન કરવામાં આવે તો સુખ-સંપત્તીમાં વૃદ્ધિ થાય છે.

– ધતૂરાના ફૂલથી પૂજન કરવામાં આવે તો ભગવાન શંકર સુયોગ્ય પુત્ર પ્રદાન કરે છે, જે આગળ જઇને કુળનું નામ રોશન કરે છે.

– લાલ ડંઠલવાળા(મૂળ અને ડૂંડાની વચ્ચેનો ભાગ) ધતૂરો પૂજામાં શુભ માનવામાં આવે છે.

– દૂર્વાથી પૂજન કરવામાં આવે તો આયુષ્યમાં વૃદ્ધિ થાય છે.

શિવપુરાણ મુજબ જાણો ભગવાન શિવને કયો રસ (પ્રવાહી) અર્પણ કરવાથી તેનું શું ફળ પ્રાપ્ત થાય છેઃ-

– તાવ આવવા પર ભગવાન શિવને જળધારા અર્પણ કરવાથી ઝડપથી લાભ પ્રાપ્ત થાય છે. સુખ અને સંતાનની વૃદ્ધિ માટે પણ જળધારા દ્વારા શિવની પૂજા ઉત્તમ જણાવવામાં આવી છે.

– નપુંસક વ્યક્તિ જો ઘીથી ભગવાન શિવનો અભિષેક કરે, બ્રાહ્મણોને ભોજન કરાવે તથા સોમવારે વ્રત કરે તો તેની સમસ્યાનું નિદાન તરત જ આવી જાય છે.

– તેજ મગજ પ્રાપ્ત કરવા માટે ખાંડ મિક્સ કરેલ દૂધ ભગવાન શિવને અર્પણ કરવું.

– સુગંધિત તેલથી ભગવાન શિવનો અભિષેક કરવાથી સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.

– શિવલિંગ પર શેરડીનો રસ અર્પણ કરવામાં આવે તો દરેક પ્રકારના આનંદની પ્રાપ્તિ થાય છે.

– શિવને ગંગાજળ અર્પણ કરવાથી ભોગ અને મોક્ષ બંન્નેની પ્રાપ્તિ થાય છે.

– મધથી ભગવાન શિવનો અભિષેક કરવાથી ટીબીના રોગમાં આરામ મળે છે.

ભગવાન શિવને પ્રસન્ન કરવાના ઉપાયઃ-

– ભગવાન શિવને ચોખા અર્પણ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે.

– તલ અર્પણ કરવાથી પાપનો નાશ થાય છે.

– જવ અર્પણ કરવાથી સુખમાં વૃદ્ધિ થાય છે.

– ઘઉં અર્પણ કરવાથી સંતાન વૃદ્ધિ થાય છે.

આ બધા જ અનાજ ભગવાનને અર્પણ કર્યા પછી ગરીબોમાં વહેંચવા જોઇએ. આવું કરવાથી શુભફળની પ્રાપ્તિ થાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ખાસ…આ છે શિવને પ્રસન્ન કરવાની સૌથી સરળ વિધિ અને પંચોપચારની પૂજા…!!!
જાણો…ગ્રહદોષથી મુક્તિ મેળવવી હોય તો આજથી જ શરૂ કરો, શિવના આ રાશિઉપાય..!!
જાણો…અમાસ ના દિવસે, લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ચમત્કારિક ઉપાય…!!

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

ખાસ…આ છે શિવને પ્રસન્ન કરવાની સૌથી સરળ વિધિ અને પંચોપચારની પૂજા…!!!

shivji14

શ્રાવણ માસ શિવને અર્પણ છે. જેમાં શિવપૂજન વિશેષ ફળદાયી મનાય છે. આ માસમાં શિવનાં દર્શન અને જળાભિષેક બહુ જ શુભ ગણાય છે. ભક્તોના મનોરથ પુરા કરનારા ભોળાનાથની વિધિવત પૂજાથી તેઓ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા પણ મળે છે. શનિવારે શ્રાવણનો પ્રથમ દિવસ છે જો તમારી પાસે શિવજીની પૂજા કરવાનો વધુ સમય ન હોય તો તમે શિવની સૌથી ઓછા સમયમાં થતી પૂજા કરીને પણ શિવજીની કૃપા પ્રાપ્ત કરી શકો છો. સાથે તમે કેટલીક વિશેષ કામનાઓથી શિવની પૂજા કરવા માગતા હો તો તમે પંચોપચાર પૂજા કરી શકો છો. શ્રાવણ મહિનામાં તો બધાં જ ભોળાનાથને રીઝવવા ઇચ્છતા હોય છે. તમે પણ કરો શિવની આવી પૂજા…

શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ અથવા તો તમારી પાસે સમય ઓછો હોય તો શ્રાવણિયા સોમવારે પ્રાતઃકાળે ઊઠીને સ્નાનાદી કાર્યથી નિવૃત્ત થઈને ત્રિદલવાળાં સુંદર, સાફ, ક્યાંયથી કપાયેલાં ન હોય તેવાં કોમળ બિલ્વપત્ર પાંચ, સાત, નવ વગેરે સંખ્યામાં લો. અક્ષત એટલે કે ચોખાના દાણા લો. સુંદર સાફ લોટા કે કોઈ પાત્રમાં જળ, જો શક્ય હોય તો ગંગાજળ લો. દૂધ લો. ત્યારબાદ પોતાના સામર્થ્ય અનુસાર ગંધ, ધૂપ- અગરબત્તી, ચંદન વગેરે લો.

આ બધો સામાન સ્વચ્છ પાત્રમાં એકત્રિત કરીને શિવમંદિરમાં જાઓ. જો શિવ મંદિર ન હોય તો બિલ્વના વૃક્ષ પાસે જાઓ. શિવલિંગને સ્વચ્છ જળ અને દૂધથી સ્નાન કરાવો, ત્યારબાદ તેના પર અક્ષત ચઢાવો, પુષ્પ ચઢાવો, હવે હળદર-ચંદન વડે શિવલિંગ પર લેપ કરો. ત્યારબાદ ભગવાનને ધૂપ અર્પણ કરો અને ‘ॐ નમઃ શિવાય’ મંત્ર બોલતાં-બોલતાં બિલ્વપત્ર ચઢાવો. ત્યારબાદ હાથ જોડી શિવજીને પોતાની મનોકામના જણાવો. સૌથી છેલ્લે પોતાનાં પાપોની ક્ષમાયાચના માગો.

પંચોપચારની સરળ પૂજા વિધિઃ-

જો શ્રાવણ માસમાં શિવપૂજાને આ સરળ વિધિથી કરવામાં આવે તો આ તેનું વિશેષ ફળ મળે છે. વિશેષ ફળ આપનારી આ પૂજા પંચોપચાર પૂજાના નામે ઓળખાય છે. પંચોપચાર પૂજા એટલે પાંચ રીતોથી કે સામ્રગીઓથી પૂજા કરવી તે, આ પૂજાની સાથે પાણી અર્પણ કરવાથી મનોરથપુર્તિ માટે આ પૂજા બહુ શુભ માનવામાં આવે છે.

જાણો શિવ પૂજાની આ સરળ વિધિ અને શિવને જળ અર્પણ કરતી વખતે બોલનારાં કેટલાક વિશેષ મંત્ર –

– સવારે નિત્ય કર્મ અને સ્નાન કરી પવિત્ર થઇ જાઓ.

– શિવ ઉપાસના માટે સફેદ વસ્ત્ર ધારણ કરો

– પંચોપચાર પૂજામાં ચંદન, ગંધ, ફૂલ, નૈવેધ અને ધુપ, દીવાથી આરતીનું વિધાન છે. તેની સાથે શિવને જળ અને બિલીપત્ર પણ અર્પણ કરો.

– શિવ પૂજાનો વિશેષ કાળમાં પૂજાની શરૂઆત ગાયનાં દુધથી દુગ્ધાભિષેક કરો.

– તેનાં પછી આ ક્રમ પ્રમાણે ગંધ કે ગુલાલ, સફેદ ફૂલ કે બિલીપત્ર ચઢાવતાં પંચાક્ષરી મંત્ર नम: शिवाय કે ષડાક્ષરી મંત્ર ॐ नम: शिवाय કે નીચે લખેલાં સરળ મંત્ર બોલો.

-ॐ महेश्वराय नम:
-ॐ शंकराय नम:
-ॐ विष्णुवल्लभाय नम:

– ભગવાનને નૈવેધમાં ફળ તથા દુધથી બનેલી મીઠાઇ ખવડાવો.

– પૂજાનાં બાદ ધુપ,દીવો, કપુરથી શિવની આરતી કરો.

– અંતમાં ત્રુટિઓ માટે ક્ષમા અને ઇચ્છાપુર્તિની કામના કરો.

શિવની સત્તામાં વિશ્વાસ કરનાર શૈવ ગ્રંથોમાં ભગવાન શિવ સૃષ્ટિની રચના, પાલન અને વિનાશક શક્તિઓના સ્વામી છે. આ કારણે જ શિવ આરાધના કોઈ પણ સમયે, કાળ કે યુગમાં સાંસારિક બાધાઓને દૂર કરનાર માનવામાં આવે છે. પરંતુ શ્રાવણ મહિનો તેની તિથિઓ કે સોમવારે શિવ ભક્તિ ઝડપથી સિદ્ધિની દ્રષ્ટિએ બાકી મહિનાઓ તથા તિથિઓ સાથે તુલનાત્મક રીતે શ્રેષ્ઠ માનવામાં આવી છે. તેની પાછળ ધર્મગ્રંથોમાં બતાવેલ ખાસ પૌરાણિક માન્યતાઓ છે…

એક પૌરાણિક માન્યતા પ્રમાણે મરકંડૂ ઋષિના પુત્ર મારકન્ડેયની લાંબી આયુની માટે શ્રાવણ મહિનામાં જ ઘોર તપ કરી શિવ કૃપા પ્રાપ્ત કરી, દેનાથી મળેલ મંત્ર શક્તિઓની સામે મૃત્યુના દેવતા યમરાજ પણ નતમસ્તક થયા. આ પ્રકારે બીજી માન્યતા છે-અમરનાથ ગુફામાં ભગવાન શંકર દ્વારા માતા પાર્વતીની સામે અમરત્વનું રહસ્ય ઉજાગર કરવું. જે પ્રમાણે અમરત્વની ગૂફામાં જ્યારે ભગવાન શંકર અમરત્વની કથા સાંભળવા લાગ્યા તો આ દરમિયાન માતા પાર્વતીને થોડો સમય ઊંઘ આવી ગઈ. પરંતુ તે સમયે તેમની કહાની ત્યાં ઉપસ્થિત શુક અર્થાત પોપટે સાંભળી. જેનાથી તે શુક અમરત્વને પ્રાપ્ત થયો. ત્યારે ગોપનિયતા ભંગ થવાથી ભગવાન શંકરના કોપથી બચીને ભાગેલા આ શુક પાછળથી શુકદેવજીના રૂપમાં જન્મ લીધો. જેમણે નૈમિષારણ્ય ક્ષેત્રમાં આ અમર કથા ભક્તોને સંભળાવી. માન્યતા છે કે આ સ્થાને જ ભગવાન શંકરે બ્રહ્મા અને વિષ્ણુની સામે સૃષ્ટિ ચક્રના રક્ષણ અને જગત કલ્યાણ માટે શ્રાપ આપ્યો કે આવનાર યુગોમાં આ કથા અમરકથાને સાંભળનાર અમર થઈ જશે. પરંતુ આ કથાને સાંભળીને દરેક ભક્ત પૂર્વ જન્મ અને વર્તમાનમાં કરેલા પાપ અને દોષોથી મુક્ત થઈ શિવલોકને પ્રાપ્ત થશે. વિશેષ કરીને શ્રાવણ મહિનામાં આ અમર કથાનો પાઠ અને શ્રવણ જનમ-જનમના બંધન મક્ત કરી દેશે. આવા પૌરાણિક મહત્વથી જ શ્રાવણ મહિનામાં શિવ આરાધનાને શુભ અને ઝડપી ફળદાયી માનવામાં આવે છે. જેમાં શિવપૂજા, અભિષેક, શિવ સ્તુતિ, મંત્રજાપ, શિવ કથાને વાંચવી-સાંભળવી તે સાંસારિક કલેશ, અશાંતિ અને સંટકોથી રક્ષણ કરે છે. શ્રાવણ મહિનામાં શિવ ઉપાસના ગ્રહ શાંતિ દોષ અને પીડાનો અંત કરનારી પણ માનવામાં આવી છે.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

જાણો…અમાસ ના દિવસે, લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ચમત્કારિક ઉપાય…!!

laxmi32

આપણે ત્યાં પ્રાચીન પરંપરા છે ઘરમાં એક તુલસીનો છોડ તો હોવો જ જોઈએ. શાસ્ત્રોમાં તુલસીને પૂજનીય, પવિત્ર અને દેવીનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. જો તમારા ઘરમાં પણ તુલસી હોય તો અહીં બતાવવામાં આવી રહી આ 10 વાતો કાયમ ધ્યાનમાં રાખવી જોઈએ. જો આ વાતોનું ધ્યાન રાખવામાં ન આવે તો બધા જ દેવી-દેવતાઓની વિશેષ કૃપા આપણાં ઘર પર બની રહે છે. ઘરમાં હકારાત્મક ઉર્જા અને સુખદ વાતાવરણ રહે છે. પૈસાનો ક્યારેય અભાવ આવતો નથી અને પરિવારના સભ્યોને સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. અહીં જાણીએ શાસ્ત્રો મુજબ તાવેલી તુલસીની ખાસ વાતો…

1. તુલસીના પાન ચાવવા ન જોઈએ

તુલસીનું સેવન કરતી વખતે ધ્યાન રાખો કે આ પાનને ચાવવું નહીં, પણ તેને ગળી જવા જોઈએ. આ રીતે તુલસીનું સેવન કરવાથી અનેક રોગોમાં લાભ મળે છે. તુલસીના પાનમાં પારા ધાતુના તત્વો મોજુદ હોય છે. તુલસીના પાન ચાવવાથી આ ધાતુ દાંત ઉપર લાગે છે જે દાંત માટે લાભદાયક નથી એટલે તુલસીના પાનને ચાવવા ન જોઈએ પણ ગળી જવા જોઈએ.

2. શિવલિંગ પર તુલસી ન ચડાવવી જોઈએ

શિવપુરાણ મુજબ શિવલિંગ પર તુલસીના પાન અર્પણ ન કરવા જોઈએ. આ સંબંધમાં એક કથા જણાવવામાં આવી છે. આ કથા મુજબ પ્રાચીન કાળમાં દૈત્યોના રાજા શંખચૂડની પત્નીનું નામ તુલસી હતું. તુલસીના પતિવ્રત ધર્મની શક્તિને કારણે દેવતા પણ શંખચૂડને હરાવવામાં અક્ષમ હતાં. ત્યારે ભગવાન વિષ્ણુએ કપટથી તુલસીનું પતિવ્રત 2. ભંગ કરી દીધું. તેના પછી શિવજીએ શંખચૂડનો વધ કરી દીધો.

જ્યારે આ વાતની તુલસીને જાણ થઈ ત્યારે તેણે ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપ્યો. ભગવાન વિષ્ણુએ તુલસીનો આ શ્રાપ સ્વીકારી લીધો અને કહ્યું કે તું ધરતી પર ગંડકી નદી તથા તુલસીના છોડના રૂપમાં કાયમ રહીશ. તેના પછી જ મોટાભાગના પૂજન કાર્યોમાં તુલસીનો ઉપયોગ વિશેષ રૂપથી કરવામાં આવે છે. પરંતુ શંખચૂડની પત્ની હોવાને લીધે તુલસી શિવલિંગ પર ચડાવવામાં નથી આવતી.

3. ક્યારે ન તોડવા જોઈએ તુલસીના પાન

શાસ્ત્રોમાં જણાવ્યાં મુજબ તુલસીના પાન કેટલાક ચોક્કસ દિવસોમાં ન તોડવા જોઇએ. આ દિવસ છે-અગિયારસ, રવિવાર અને સૂર્ય અથવા ચંદ્ર ગ્રહણ. આ દિવસોમાં તથા રાતના સમયે તુલસીના પાન ન તોડવા જોઈએ. આવું કરવા પર આપણને દોષ લાગે છે. બિનજરૂરી રીતે તુલસીના પાન તોડવા, તુલસીને નષ્ટ કરવા સમાન માનવામાં આવે છે.

4. દરરોજ કરો તુલસીનું પૂજન

દરરોજ તુલસી પૂજન કરવું જોઈએ. સાથે જ, તુલસીના સંબંધમાં અહીં બતાવેલી તમામ વાતોનું પણ ઘ્યાન રાખવું જોઈએ. દરરોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવો જોઈએ. એવી માન્યતા છે કે, જે લોકો સાંજના સમયમાં તુલસી પાસે દીવો પ્રગટાવે છે, તેમના ઘરમાં મહાલક્ષ્મીની કૃપા કાયમ બની રહે છે.

5. તુલસીથી દૂર થાય છે વાસ્તુ દોષ

ઘર-આંગણાંમાં તુલસી હોવાથી કેટલાય પ્રકારના વાસ્તુ દોષ પણ નષ્ટ થઈ જાય છે. તેમજ પરિવારની આર્થિક સ્થિતિ પર તેની શુભ અસર થાય છે.

6. તુલસીનો છોડ ઘરમાં હોય તો નથી લાગતી નજર

એવી માન્યતા છે કે ઘરમાં તુલસીનો છોડ હોય તો કોઈ પણ સભ્યને ખરાબ નજર નથી લાગતી. સાથે જ, ઘરની આજુબાજુ કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા ઉત્પન્ન નથી થતી અને હકારાત્મક ઉર્જામાં વધારો થાય છે.

7. તુલસીથી વાતાવરણ થાય છે પવિત્ર

તુલસીથી ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે પવિત્ર અને હાનિકારક સૂક્ષ્મ કીટાણુંઓથી મુક્ત રહે છે. આ જ પવિત્રતાને લીધે ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને સુખ-સમૃદ્ધિ બની રહે છે.

8. તુલસીનો સુકાઈ ગયેલો છોડ ઘરમાં ન રાખવો

જો ઘરમાં લાગેલો તુલસીનો છોડ સુકાઈ જાય છે તો તેને કોઈ પવિત્ર નદીમાં, તળાવમાં અથવા કુઆંમાં પ્રવાહિત કરી દેવો જોઈએ. તુલસીનો સુકાઈ ગયેલો છોડ ઘરમાં રાખવો અશુભ માનવામાં આવે છે. એક છોડ સુકાઈ ગયા પછી તરત જ બીજા છોડ લગાવી દેવો જોઈએ. ઘરમાં કાયમ સ્વસ્થ તુલસીનો છોડ જ લગાવવો જોઈએ.

9. તુલસી છે ઔષધિ

આયુર્વેદમાં તુલસીને સંજીવની બુટિ સમાન માનવામાં આવે છે. તુલસીના કેટલાય એવા ગુણ હોય છે જે ઘણી બધી બીમારીઓને દૂર કરવામાં અને તેને અટકાવવામાં મદદરૂપ સાબિત થાય છે. તુલસીનો છોડ ઘરમાં રહેવાથી તેની ખુશ્બૂ હવામાં મોજુદ બીમારી ફેલાવનારા કેટલાય સૂક્ષ્મ કીટાણુંઓને નષ્ટ કરે છે.

10. દરરોજ તુલસીના એક પાનનું સેવન કરવું જોઈએ

તુલસીની ખુશ્બૂથી શ્વાંસ સંબંધિત કેટલાય રોગોમાં લાભ મળે છે. સાથે જ તુલસીના એક પાનનું દરરોજ સેવન કરવાથી આપણે સામાન્ય તાવથી બચી શકે છીએ. મોસમ પરિવર્તનના સમયમાં થવાવાળી બીમારીઓથી પણ બચી શકાય છે. તેનાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે, પરંતુ આપણે નિયમિતપણે તુલસીનું સેવન કરતા રહેવું જોઈએ.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

જાણો…ભૂલથી પણ ન ચાવવા જોઈએ તુલસીના પાન, ધ્યાન રાખો આ 10 વાતો..!!

tulsi5

આપણે ત્યાં પ્રાચીન પરંપરા છે ઘરમાં એક તુલસીનો છોડ તો હોવો જ જોઈએ. શાસ્ત્રોમાં તુલસીને પૂજનીય, પવિત્ર અને દેવીનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. જો તમારા ઘરમાં પણ તુલસી હોય તો અહીં બતાવવામાં આવી રહી આ 10 વાતો કાયમ ધ્યાનમાં રાખવી જોઈએ. જો આ વાતોનું ધ્યાન રાખવામાં ન આવે તો બધા જ દેવી-દેવતાઓની વિશેષ કૃપા આપણાં ઘર પર બની રહે છે. ઘરમાં હકારાત્મક ઉર્જા અને સુખદ વાતાવરણ રહે છે. પૈસાનો ક્યારેય અભાવ આવતો નથી અને પરિવારના સભ્યોને સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. અહીં જાણીએ શાસ્ત્રો મુજબ તાવેલી તુલસીની ખાસ વાતો…

1. તુલસીના પાન ચાવવા ન જોઈએ

તુલસીનું સેવન કરતી વખતે ધ્યાન રાખો કે આ પાનને ચાવવું નહીં, પણ તેને ગળી જવા જોઈએ. આ રીતે તુલસીનું સેવન કરવાથી અનેક રોગોમાં લાભ મળે છે. તુલસીના પાનમાં પારા ધાતુના તત્વો મોજુદ હોય છે. તુલસીના પાન ચાવવાથી આ ધાતુ દાંત ઉપર લાગે છે જે દાંત માટે લાભદાયક નથી એટલે તુલસીના પાનને ચાવવા ન જોઈએ પણ ગળી જવા જોઈએ.

2. શિવલિંગ પર તુલસી ન ચડાવવી જોઈએ

શિવપુરાણ મુજબ શિવલિંગ પર તુલસીના પાન અર્પણ ન કરવા જોઈએ. આ સંબંધમાં એક કથા જણાવવામાં આવી છે. આ કથા મુજબ પ્રાચીન કાળમાં દૈત્યોના રાજા શંખચૂડની પત્નીનું નામ તુલસી હતું. તુલસીના પતિવ્રત ધર્મની શક્તિને કારણે દેવતા પણ શંખચૂડને હરાવવામાં અક્ષમ હતાં. ત્યારે ભગવાન વિષ્ણુએ કપટથી તુલસીનું પતિવ્રત ભંગ કરી દીધું. તેના પછી શિવજીએ શંખચૂડનો વધ કરી દીધો.

જ્યારે આ વાતની તુલસીને જાણ થઈ ત્યારે તેણે ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપ્યો. ભગવાન વિષ્ણુએ તુલસીનો આ શ્રાપ સ્વીકારી લીધો અને કહ્યું કે તું ધરતી પર ગંડકી નદી તથા તુલસીના છોડના રૂપમાં કાયમ રહીશ. તેના પછી જ મોટાભાગના પૂજન કાર્યોમાં તુલસીનો ઉપયોગ વિશેષ રૂપથી કરવામાં આવે છે. પરંતુ શંખચૂડની પત્ની હોવાને લીધે તુલસી શિવલિંગ પર ચડાવવામાં નથી આવતી.

3. ક્યારે ન તોડવા જોઈએ તુલસીના પાન

શાસ્ત્રોમાં જણાવ્યાં મુજબ તુલસીના પાન કેટલાક ચોક્કસ દિવસોમાં ન તોડવા જોઇએ. આ દિવસ છે-અગિયારસ, રવિવાર અને સૂર્ય અથવા ચંદ્ર ગ્રહણ. આ દિવસોમાં તથા રાતના સમયે તુલસીના પાન ન તોડવા જોઈએ. આવું કરવા પર આપણને દોષ લાગે છે. બિનજરૂરી રીતે તુલસીના પાન તોડવા, તુલસીને નષ્ટ કરવા સમાન માનવામાં આવે છે.

4. દરરોજ કરો તુલસીનું પૂજન

દરરોજ તુલસી પૂજન કરવું જોઈએ. સાથે જ, તુલસીના સંબંધમાં અહીં બતાવેલી તમામ વાતોનું પણ ઘ્યાન રાખવું જોઈએ. દરરોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવો જોઈએ. એવી માન્યતા છે કે, જે લોકો સાંજના સમયમાં તુલસી પાસે દીવો પ્રગટાવે છે, તેમના ઘરમાં મહાલક્ષ્મીની કૃપા કાયમ બની રહે છે.

5. તુલસીથી દૂર થાય છે વાસ્તુ દોષ

ઘર-આંગણાંમાં તુલસી હોવાથી કેટલાય પ્રકારના વાસ્તુ દોષ પણ નષ્ટ થઈ જાય છે. તેમજ પરિવારની આર્થિક સ્થિતિ પર તેની શુભ અસર થાય છે.

6. તુલસીનો છોડ ઘરમાં હોય તો નથી લાગતી નજર

એવી માન્યતા છે કે ઘરમાં તુલસીનો છોડ હોય તો કોઈ પણ સભ્યને ખરાબ નજર નથી લાગતી. સાથે જ, ઘરની આજુબાજુ કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા ઉત્પન્ન નથી થતી અને હકારાત્મક ઉર્જામાં વધારો થાય છે.

7. તુલસીથી વાતાવરણ થાય છે પવિત્ર

તુલસીથી ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે પવિત્ર અને હાનિકારક સૂક્ષ્મ કીટાણુંઓથી મુક્ત રહે છે. આ જ પવિત્રતાને લીધે ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને સુખ-સમૃદ્ધિ બની રહે છે.

8. તુલસીનો સુકાઈ ગયેલો છોડ ઘરમાં ન રાખવો

જો ઘરમાં લાગેલો તુલસીનો છોડ સુકાઈ જાય છે તો તેને કોઈ પવિત્ર નદીમાં, તળાવમાં અથવા કુઆંમાં પ્રવાહિત કરી દેવો જોઈએ. તુલસીનો સુકાઈ ગયેલો છોડ ઘરમાં રાખવો અશુભ માનવામાં આવે છે. એક છોડ સુકાઈ ગયા પછી તરત જ બીજા છોડ લગાવી દેવો જોઈએ. ઘરમાં કાયમ સ્વસ્થ તુલસીનો છોડ જ લગાવવો જોઈએ.

9. તુલસી છે ઔષધિ

આયુર્વેદમાં તુલસીને સંજીવની બુટિ સમાન માનવામાં આવે છે. તુલસીના કેટલાય એવા ગુણ હોય છે જે ઘણી બધી બીમારીઓને દૂર કરવામાં અને તેને અટકાવવામાં મદદરૂપ સાબિત થાય છે. તુલસીનો છોડ ઘરમાં રહેવાથી તેની ખુશ્બૂ હવામાં મોજુદ બીમારી ફેલાવનારા કેટલાય સૂક્ષ્મ કીટાણુંઓને નષ્ટ કરે છે.

10. દરરોજ તુલસીના એક પાનનું સેવન કરવું જોઈએ

તુલસીની ખુશ્બૂથી શ્વાંસ સંબંધિત કેટલાય રોગોમાં લાભ મળે છે. સાથે જ તુલસીના એક પાનનું દરરોજ સેવન કરવાથી આપણે સામાન્ય તાવથી બચી શકે છીએ. મોસમ પરિવર્તનના સમયમાં થવાવાળી બીમારીઓથી પણ બચી શકાય છે. તેનાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે, પરંતુ આપણે નિયમિતપણે તુલસીનું સેવન કરતા રહેવું જોઈએ.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…