Category Archives: Internet

જાણી જ લો…વિદેશમાં તમારો Passport ખોવાઈ જાય તો આ ટિપ્સ કરશે તમારી મદદ…!!!

passport10

પાસપોર્ટ માત્ર વિદેશ ફરવા જવા માટે જ નથી, પરંતુ એક એવો દસ્તાવેજ છે જે નાગરિકની ઓળખ માટે મુખ્ય ગણાય છે. ભારતમાં દર વર્ષે હજારોની સંખ્યામાં એજ્યુકેશન, પર્યટન અને બિઝનેસ માટે લોકો વિદેશ જાય છે. પરંતુ, શું ક્યારેય વિચાર્યું છે કે, જો વિદેશમાં ક્યાંય પાસપોર્ટ ખોવાઈ જાય તો શું થશે. જો ના તો ભાસ્કર તમને જણાવી રહ્યું છે કે, કેવી રીતે વિદેશમાં ખોવાઈ ગયેલ અથવા ચોરાઈ ગયેલ પાસપોર્ટ મેળવી શકો છો.

જો વિદેશમાં ખોવાઈ જાય તો

તમે જો વિદેશમાં છો અને તમારો પાસપોર્ટ ખોવાઈ જાય તો તમારે આ પ્રક્રિયા અનુસરવાની રહેશે.
– ભારત આવતા સમયે રસ્તામાં તમારો પાસપોર્ટ ખોવાઈ જાય તો તમારે ત્યારે જ ત્યાંથી ઇમરજન્સી સર્ટિફિકેટ લેવાનું રહેશે.
– આ સર્ટિફિકેટને મેળવવા માટે તમારે ત્યાં સ્થિત એમ્બેસી અથવા પોસ્ટનો સંપર્ક કરવાનો રહેશે.
– પાસપોર્ટ ખોવાઈ જવા, ડેમેજ થવા અથવા ચોરી થવાની સ્થિતિમાં તમને જૂના પાસપોર્ટની ફોટોકોપી જમા કરાવવી જરૂરી નથી.
– પ્રવાસી પોતાના આધાર કાર્ડની જાણકારી એમ્બેસીને ઉપલબ્ધ કરાવી શકે છે. જ્યાંથી તેની વિગતો કોપી કરી શકાય છે.
– જોકે, ઇમરજન્સી સર્ટિફિકેટ લેવા માટે તમારે જુના પાસપોર્ટની તમામ વિગતો જેમ કે પાસપોર્ટ નંબર, ઈશ્યુની તારીખ, એક્સપાયરીની તારીખ અને ઈશ્યુનું સ્થળ વગેરે માહિતી આપવાની રહેશે.
– જો તમારી પાસે આ જાણકારી ન હોય તો પછી તમારે તે દેશમાં એમ્બેસી અથવા પોસ્ટનો સંપર્ક કરીને પરત આવવાનું સર્ટિફિકેટ લેવાનું રહેશે.

આ ઉપાયો દ્વારા તમારા ખોવાયેલો અથવા ચોરી થયેલ પાસપોર્ટના દુરૂપયોગ રોકવામાં મદદ મળશે.

વિદેશમાં- જો તમારો પાસપોર્ટ ખોવાઈ જાય તો, તમે ઓનલાઇન http://www.passports.gov.in પર અથવા સૌથી નજીકના રાજનાયિક મિશન અથવા વાણિજ્ય એમ્બેસીમાં તેની જાણકારી આપી શકો છો.

ભારતમાં- જો તમારો પાસપોર્ટ ભારતમાં જ ક્યાંય ખોવાઈ જાયતો તમે ઓનલાઇન http://www.passports.gov.in પર પાસપોર્ટની સૂચના સેવાને 1-877-487-2778 પર ફોન કરીને તેની જાણકારી આપી શકો છો.

દેશમાં પાસપોર્ટ ખોવાઈ જાય તો આ કરો….

– જો પાસપોર્ટ દેશમાં ક્યાંય ખોવાઈ જાયતો સૌથી પહેલા પાસપોર્ટ ઓફિસને તેની જાણકારી આપો.
– પાસપોર્ટ ખોવાઈ ગયા બાદ તરત જ તમે નજીકના પોલિસ સ્ટેશને જઇને તેની એફઆઇઆર જરૂર નોંધાવો.
– સાતે જ એમ્બેસીને પણ તેની જામકારી આપી શકાય છે. તેનાથી તમારા પાસપોર્ટનો કોઈ દૂરપયોગ નહીં કરી શકે.
– ફરી અરજી કરવા માટે નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્ર અથવા પીએસકે પર જઇને રિ-ઇશ્યૂ માટે અરજી કરો.
– પાસપોર્ટ એપ્લીકેશન ફોર્મની સાથે તમામ જરૂરી દસ્તાવેજો પણ જમા કરાવો.
– પાસપોર્ટ ડેમેજ થવો અને ગુમ થવો તે બે અલગ અલગ વાત છે. તમે બન્ને માટે રિ-ઇશ્યુ ફોર્મ દ્વારા અરજી કરવાની રહેશે.

કેવી રીતે બનાવશો ડુપ્લીકેટ પાસપોર્ટ

– સૌથી પહેલા પાસપોર્ટ ઓથોરિટીની વેબસાઇટ http://passportindia.gov.in/AppOnlineProject/docAdvisor/caseReissueAction પર જઇને તમારી વિગતો ભરવાની રહેશે.
– અહીં વિગતો ભર્યા બાદ આગળના પેજ પર તમારે એ જાણકારી આપવાની રહેશે કે કઈ કેટેગરીમાં તમારો પાસપોર્ટ બનાવવાનો છે. મતલબ ગુમ અથવા ચોરીવાળા પોઇન્ટ પર ક્લિક કરો.
– આગળના પેજ પર તમારે ક્યા ડોક્યુમેન્ટ આપવાના છે તેની જાણકારી મળશે.

ક્યા ડોક્યુમેન્ટની જરૂરત પડશે

– તમે જ્યાં હાલમાં રહો છો ત્યાંનો રહેઠાણનો પુરાવો
– જન્મનું પ્રમાણપત્ર
– બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ
– તમારો પાસપોર્ટ ક્યાં ખોવાઈ ગયો છે અને કેવી રીતે ખોવાઈ ગયો છે તેનું એક સોગંદનામુ
– ઓરિજનલ પોલિસ રિપોર્ટ
– એજ્યુકેશનલ ક્વોલિફિકેશન સર્ટિફિકેટની ફોટોકોપી
– જુના પાસપોર્ટના પ્રથમ બે અને છેલ્લા બે પેજની સેલ્ફ એટેસ્ટેડ ફોટોકોપી ઈસીઆર/નોન ઈસીઆર પેજની સાથે જો શક્ય હોય તો.

કેટલી ફી આપવી પડશે

– ડુપ્લીકેટ પાસપોર્ટ (36 પાના) – 2500 રૂપિયા પ્રતિ વ્યક્તિ
– ડુપ્લીકેટ પાસપોર્ટ (60 પાના) – 3000 રૂપિયા પ્રતિ વ્યક્તિ

ડુપ્લીકેટ પાસપોર્ટ (તત્કાલ)

1. અરજીની તારીખથી 1-7 દિવસની અંદર 2500 રૂપિયા અને 2500 રૂપિયા ડુપ્લિકેટ પાસપોર્ટની ફી મળીને કુલ 5000 રૂપિયા.
2. અરજીની તારીખથી 8-14 દિવસની અંદર 1500 રૂપિયા પ્લસ 2500 રૂપિયા ડુપ્લિકેટ પાસપોર્ટ ફી મળીને કુલ 4000 રૂપિયા.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

મિત્રો..કરો કંકુના…ફેસબુક પર કરો વીડિયો અપલોડ અને કરો ઘરબેઠે કમાણી …!!!

જાણો…બેટરીનું આયુષ્ય વધારવા માટેની ટિપ્સ, હવે નહીં થાય બ્લાસ્ટ…!!
મોબાઇલ ફોનનું ઘણું જ ખતરનાક રેડિએશન મોટી આફત બને તે પહેલા ચેતો…!!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
OHH…ऐसे सेव कर सकते हैं किसी भी स्मार्टफोन का बैकअप डाटा…!!!
WOW…कहीं से भी कंट्रोल करें अपना कंप्यूटर और स्मार्टफोन…!!!
તમે બનશો સ્માર્ટ ઇન્ટરનેટ યૂઝર…શીખો કી-બોર્ડની 41 શૉર્ટકટ્સ..!!!
આટલુ શીખી જ લો….GOOGLE ની સાથે ઘેર બેઠા કમાણીની તક, આ રીતે થશે કમાણી
8 વર્ષના ટેણિયાએ YOUTUBE થી 8 કરોડની કમાણી કરી: તમે કેમ પાછળ? તમે પણ કરો ધરખમ કમાણી. જાણો રીત.
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો

મોબાઇલ ફોનનું ઘણું જ ખતરનાક રેડિએશન મોટી આફત બને તે પહેલા ચેતો…!!!

mobile radiation

મોબાઇલ ફોન હવે આધુનિક જીવનશૈલી નહીં, પરંતુ રોજિંદા જીવનનો એક હિસ્સો છે. એક જમાનામાં ઘરમાં રેડિયો હોવો તે લક્ઝરી ગણાતું. તે પછી ટ્રાન્ઝિસ્ટર હોવું તે લક્ઝરી ગણાયું. તે પછી ઘરમાં ટેલિવિઝન હોવું તે લક્ઝરી ગણાયું. સમયગાળે તે બધાં જ સાધનો ટેક્નોલોજીના વિકાસ સાથે આમ આદમી સુધી પહોંચી ગયાં. ચણા-મમરા વેચતા અને શાકભાજીની લારીવાળાની લારી પર ટ્રાન્ઝિસ્ટર જોઈ શકાતું. રેડિયો તો આઉટ ઓફ ડેટ થયો અને ટેલિવિઝન ઝૂંપડાં સુધી પહોંચ્યું. સારી વાત છે કે, ટેક્નોલોજીનાં ફળ સામાન્ય માનવી સુધી પહોંચ્યાં. એમાં છેલ્લામાં છેલ્લું ઉપકરણ મોબાઇલ ફોન છે. મધ્યમવર્ગના એક ઘરમાં જેટલા સભ્યો હોય, એટલા જ મોબાઇલ ફોન હોય છે. બાળકોનાં જુદાં. શાકભાજીની લારી સોસાયટીના નાકા પર આવે ત્યારે શાકભાજી વેચતી મહિલા બહારથી જ મોબાઇલ ફોન પરથી વાત કરે છેઃ “ભાભી, શાકભાજી લઈ જાવ.” ફૂટપાથ પર બૂટપોલિશ કરનાર શ્રમજીવી પણ પોલિશ કરવાના બ્રશની બાજુમાં મોબાઇલ ફોન રાખે છે.

પરિણામ એ આવ્યું કે ૧૨૫ કરોડની વસ્તીવાળા ભારત દેશમાં મોબાઇલ ફોનધારકોની સંખ્યા ૯૦ કરોડ સુધી પહોંચી ગઈ છે. બ્રિટન કે અમેરિકા કરતાં ભારતમાં મોબાઇલ ફોન વાપરનારાઓની સંખ્યા વધુ છે. સ્કૂલમાં જતાં બાળકોને હાથમાં સ્માર્ટ ફોન જોઈએ છે. ટીવી ચાલુ હોય તોપણ બાળકનું ધ્યાન મોબાઇલ ફોનમાં આવતા વોટ્સઅપ મેસેજીસ કે ગેઇમ્સ પર હોય છે. ઘણી વાર બાળક દ્વિ-અવધાની લાગે. બાળકના હાથમાંથી મોબાઇલ ખૂંચવી લેવો મુશ્કેલ કામ છે. મોબાઇલ ફોન લઈ લો તો તે ચીડિયું થઈ જાય છે. કિશોરો સતત ઓનલાઇન રહેવાનું પસંદ કરે છે ‘ઓફ લાઇન’ અવસ્થાને તે ક્ષણભર પણ સહન કરી શકતાં નથી.

આ બધાના કારણે મોબાઇલ ફોનના વપરાશનો જે અતિરેક થયો છે, તેના કારણે લાઇફસ્ટાઇલ બીમારીઓ પણ માત્ર બાળકો જ નહીં પરંતુ યુવાનો અને મોટેરાંઓના જીવનનો એક હિસ્સો થઈ ગઈ છે. મોબાઇલ ફોનની ર્સિવસ પ્રોવાઇડર કંપનીઓ એ વાતનો સ્વીકાર કરતી નથી કે મોબાઇલ ફોન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પરંતુ વિશ્વમાં તબીબો અને વૈજ્ઞાાનિકોનો એક એવો મોટો વર્ગ પણ છે કે જેઓ માને છે કે, મોબાઇલ ફોનથી ઘણી બીમારીઓ થઈ શકે છે. મોબાઇલ ફોનમાંથી ઘાતક રેડિએશનનું ઉત્સર્જન થાય છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે તમારો મોબાઇલ ફોન તે ટુ-વે રેડિયો છે. તે બહારથી આવતા સૂક્ષ્મ તરંગોને ધ્વનિમાં પરિર્વિતત કરી તમારા કાન સુધી પહોંચાડે છે અને તે જ રીતે તમારા અવાજને સૂક્ષ્મ તરંગોમાં પરિર્વિતત કરી કિલોમીટર કે બે કિલોમીટર દૂર આવેલા ટાવર સુધી પહોંચાડે છે. આ કાર્ય કરવા જતાં મોબાઇલ ફોને પુષ્કળ ઊર્જા ઉર્ત્સિજત કરવી પડે છે. બહુ ઓછા લોકોને અરે, ટેક્નોસેવી લોકોને પણ એ વાતની ખબર નથી કે, એ વાત ભલે સાબિત થઈ ન હોવા છતાં વૈજ્ઞાાનિકો એ હકીકત સ્વીકારે છે કે દરેક મોબાઇલ ફોન, તમે જ્યારે વાત કરો છો ત્યારે માઇક્રોવેવ રેડિએશન પણ ઉર્ત્સિજત કરે છે, જે માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

રેડિએશનથી કેન્સર થઈ શકે છે. માથામાં ગાંઠ થઈ શકે છે. સાંભળવાની ક્ષમતા ઘટી શકે છે. મગજની ભીતર રહેલા કોષોને નુકસાન પહોંચાડી શકે છે. સ્વભાવમાં પરિવર્તન આવી શકે છે. એ જાણી લેવું જરૂરી છે કે મોબાઇલ ફોન અને મોબાઇલ ટાવર્સ એ બંને રેડિએશનનું ઉત્સર્જન કરે છે. એક્સ-રે જેવાં આયોનાઇઝિંગ રેડિએશન-કિરણો કેન્સર થવાની શક્યતાને વધારી દે છે. ર્સિવસ પ્રોવાઇડર્સનો દાવો છે કે મોબાઇલ ફોન અને મોબાઇલ ટાવર નોન-આયોનાઇઝિંગ રેડિએશનનું ઉત્સર્જન કરે છે. અલબત્ત, ટેલિકોમ્યુનિકેશન ખાતું ગમે તે કહે, પરંતુ વિશ્વના કેટલાક વૈજ્ઞાાનિકો મોબાઇલ ફોન કે ટાવરમાંથી નીકળતું રેડિએશન માનવ સ્વાસ્થ્ય માટે સલામત હોવાનું માનતા નથી.

નોંધપાત્ર વાત એ છે કે, મોબાઇલ ટાવર્સ જે માઇક્રોવેવ રેડિએશનનું ઉત્સર્જન કરે છે તે તમારા શરીરમાં પ્રવેશ્યા બાદ શરીરમાં રહેલા ફ્લુઇડ મોલેક્યુલ્સના વાઇબ્રેશનને વધારે છે અને તેને ઉષ્ણ પણ કરે છે. મોબાઇલ ફોન પર જો લાંબી વાત ચાલે તો માનવ શરીરમાં રહેલું લોહી પણ ઉષ્ણ થાય છે. એ ઉષ્ણતા આખા શરીરમાં ફેલાઈ જાય છે. સાથે સાથે એ પણ જાણી લેવું જોઈએ કે, ટીવી, રેડિયો ટાવર્સ અને કમ્પ્યૂટર્સ પણ રેડિએશન ફેલાવે છે. સાથે સાથે એ પણ જાણી લેવું જોઈએ કે જો તમે જાણીતી કંપનીનો મોબાઇલ ફોન ખરીદો છો તો તે સાથે આવતી મેન્યુઅલ-પુસ્તિકામાં રેડિએશનના ઉત્સર્જન અંગે પણ ચેતવણી લખવામાં આવેલી હોય છે, પણ બહુ ઓછા લોકો એ વાંચે છે.

સૌથી ભયજનક વાત એ છે કે, મોબાઇલ ફોનના વધુ પડતા ઉપયોગથી સૌથી વધુ નુકસાન બાળકોને થાય છે, કારણ કે તેમનામાં રોગપ્રતિકારક ક્ષમતા વિકસેલી હોતી નથી. તાજેતરમાં દેશના એક મેટ્રો શહેરની એક સ્કૂલનાં ૧૦૦૦ બાળકો પર એક સરવે થયો હતો. આ સરવેની ફલશ્રુતિ એવી હતી કે ૬૩ ટકા બાળકોને એ વાતની ખબર નહોતી કે મોબાઇલ ફોનના વધુ પડતા વપરાશથી સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે. ૧૩થી ૧૮ વર્ષનાં બાળકો પર થયેલી આ મોજણીમાં જણાયું હતું કે, ૫૭ ટકા બાળકો મોબાઇલ પર રોજ ૧૨૦ મિનિટ વાત કરે છે. તે પૈકી ૬૫ ટકા બાળકો ઇયર ફોનનો ઉપયોગ કરતાં નથી. ૫૬ ટકા બાળકો એવાં હતાં જેમના ઘરમાં લેન્ડલાઇન ફોન હોવા છતાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરતાં હતાં. ૫૧ ટકા બાળકો ઘરમાં વાઇ-ફાઇનો ઉપયોગ કરતાં હતાં. ૭૪ ટકા બાળકો રાત્રે સૂતી વખતે પણ મોબાઇલ ફોન સ્વિચ ઓફ કર્યા વગર મોબાઇલને બાજુમાં રાખી સૂઈ જતાં હતાં. પશ્ચિમના તબીબો રાત્રે સૂતી વખતે મોબાઇલ ફોનને બાજુમાં રાખીને ન સૂવા સલાહ આપે છે.

સેલ્યુલર ઓપરેટર એસોસિયેશન મોબાઇલ ફોનમાંથી નીકળતા રેડિએશનથી માનવ સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે તેવું સાબિત થયું નથી તેમ કહે છે, પરંતુ વૈજ્ઞાાનિકો કહે છે, મોબાઇલ ફોનના રેડિએશન અંગે વિશ્વમાં ચર્ચા ચાલે છે ત્યાં સુધી પાછળથી પસ્તાવું તે કરતાં મોબાઇલ ફોનનો વિવેકસભર ટૂંકો ઉપયોગ કરવો તે વધુ બહેતર છે.

સલાહ છે કે, મોબાઇલ પર વાત કરવાના બદલે ટેક્સ્ટ મેસેજીસ(એસએમએસ)નો વધુ ઉપયોગ કરો. મોબાઇલ ફોન પર સ્પીકર ફોનની સુવિધા છે તેનો ઉપયોગ કરો. ખૂબ લાંબી વાતો મોબાઇલ પર ન કરો. રાત્રે સૂતી વખતે મોબાઇલ ફોનને દૂર રાખો. લેન્ડલાઇન ફોનનો વધુ ઉપયોગ કરો. જ્યાં ઓછાં સિગ્નલ આવતાં હોય ત્યાં મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળો, કારણ કે અહીં જ રેડિએશનના ઉત્સર્જનની શક્યતા વધુ રહે છે.

સાભાર: સંદેશ.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો