“સ્વપ્ન એ નથી જે તમે ઊંઘમાં જુઓ છો, સ્વપ્ન એ છે જે તમારી ઊંઘ ઉડાડી મૂકે.”
“રાહ જોનારાઓને માત્ર એટલું જ મળે છે જે પ્રયાસ કરનારાઓ છોડી દે છે.”
“જીવનમાં અવરોધો આપણને પાયમાલ કરવા માટે નથી આવતા પણ આપણા છુપાયેલા સામર્થ્ય અને શક્તિઓને બહાર કાઢવામાં આપણી મદદ કરવા માટે આવે છે. મુશ્કેલીઓને બતાવી દો કે તમે તેના કરતાં પણ વધુ મજબૂત છો.”
“દેશનું સૌથી સર્વ શ્રેષ્ઠ મગજ, હંમેશાં ક્લાસરૂમની છેલ્લી પાટલી પર જ મળી શકે છે.”
પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનું 83 વર્ષની વયે આજે સાંજે શિંલોગ ખાતે નિધન થયું છે. આઇઆઇએમમાં લેક્ચર આપતી વખતે તેમની હૃદયરોગનો હુમલો થતાં બેભાન થઇ ગયા હતા, તેમને શિલોંગની બેથની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સાંજે 7.45 વાગ્યે તેમના નિધનની જાહેરાત કરવામાં આવ્યા.
એક સામાન્ય બાળકમાંથી કલામ બનવાની સફર કંઈ સહેલી નહોતી. પણ તેમના જીવનનો મૂળમંત્ર હંમેશાએ હતો કે ક્યારેય નાના સપના દેખવા નહીં. તેમણે જે પણ જવાબદારી લીધી તેને નવી પરિભાષા આપી હતી અને તેથી જ તેઓ ‘આમ આદમી’ના રાષ્ટ્રપતિ હોવા છતાં પણ હંમેશા ‘ખાસ’ રહ્યા હતા
‘તેમના અચાનક નિધનથી ખૂબ જ દુખી છું. તેઓ એક આખી પેઢી માટે પ્રેરણાસ્રોત હતા.’ – રાજનાથ સિંહ
‘આ સાંભળીને ખૂબ જ દુખ થયું કે ડૉ. એપીજે અબ્દુલ કલામનું નિધન થઈ ગયું. દેશે એક અસલી ભારત રત્ન ગુમાવ્યો છે.’- અરવિંદ કેજરીવાલ
‘ડૉ. અબ્દુલ કલામ સામાન્ય જનતાના રાષ્ટ્રપતિ હતા. આ મહાન આત્માને મારી શ્રદ્ધાંજલિ.’- સુષ્મા સ્વરાજ
ગુરદાસપુરના ત્રાસવાદી હુમલાનું સાંભળીને દુ:ખ થયું અને હવે ડૉ. કલામનું નિધન દુ:ખદ સમાચાર છે. અલ્લાહ બધાની આત્માને શાંતી અર્પે.- શાહરૂખ ખાન, અભિનેતા
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન ડૉ. એપીજે અબ્દુલ કલામનું નિધન મારા માટે વ્યક્તિગત રૂપે ઘણું મોટું નુકસાન છે.- પ્રણવ મુખરજી, રાષ્ટ્રપતિ
અનેક લોકો માટે રોલ મોડેલ, એક દૂરંદેશી નેતા અને એવા વ્યક્તિ જેમનામાં અદમ્ય સાહસ હતું. એપીજે અબ્દુલ કલામ સરને શ્રદ્ધાંજલિ.- વિરાટ કોહલી, ક્રિકેટર
ડૉ. એપીજે અબ્દુલ કલામ એક ઉત્કૃષ્ટ જીવન જીવ્યા. સર્વોચ્ચ પદ પર હોવા છતાં બધા માટે
તે સરળતાથી ઉપલબ્ધ હતા.- શ્રી શ્રી રવિશંકર, આર્ટ ઓફ લિવિંગ
પિતા હોડી ભાડે આપતા હતા
1931ની 15 ઓક્ટોબરે તમિલનાડુના રામેશ્વર જિલ્લાના ધનુષકોડિ ગામે જન્મેલા પિતા જૈનુલાબ્દીન વધારે ભણેલાગણેલા નહોતા. તેમના પિતા માછીમારોને હોડી ભાડે આપવાનું કામ કરતા હતા.
અખબારો વેચીને અભ્યાસ
પરિવારની આર્થિક સ્થિતિ કથળેલી રહેતી હતી. તેથી પ્રાથમિક શિક્ષણ ચાલુ રાખવા માટે કલામ અખબારો વેચવાનું કામ કરતા હતા. 1958માં મદ્રાસ ઇન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલોજીમાંથી તેમણે સ્પેસ સાયન્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.
પિતા પાસેથી ભણ્યા જીવનના પાઠ
હું ઘણો નાનો હતો. પિતાને અમૂલ્ય પાઠ જીવનમાં ઉતારતા જોયા ત્યારે હું માત્ર છ વર્ષનો હતો. તેમણે યાત્રાળુઓને રામેશ્વરમથી ધનુષકોડિ લઈ જવા માટે અને ત્યાંથી પરત લાવવા માટે એક હોડી બનાવવાનું નક્કી કર્યું હતું. લાકડાની હોડીને સમુદ્રકાંઠે તૈયાર થતા મેં જોઈ હતી. હોડીને તૈયાર થતા દેખવી મઝાનું કામ હતું. હોડી તૈયાર થઈ ગઈ એ પછી પિતાએ ઉત્સાહપૂર્વક ધંધો શરૂ કર્યો હતો.
આ કારણે કહેવાયા મિસાઈલ મેન
ડૉક્ટર કલામે સ્વદેશી લક્ષ્ય ભેદીને ડિઝાઈન કર્યું હતું. તેમણે અગ્નિ અને પૃથ્વી જેવી મિસાઈલો બનાવી છે. તે સંપૂર્ણ રીતે સ્વદેશી ટેકનોલોજીથી બની હતી. તેથી તેઓ મિસાઈલ મેન તરીકે ઓળખાયા.
દેશના સર્વોચ્ચ પદ પર
ડૉક્ટર અબ્દુલ કલામ ભારતના 11મા રાષ્ટ્રપતિ પસંદ થયા હતા. તેમને એનડીએએ પોતાના ઉમેદવાર બનાવ્યા હતા, જેમનું ડાબેરીઓ સિવાય બધા જ પક્ષોએ સમર્થન કર્યું હતું. 18 જુલાઈ 2002ના રોજ તેઓ 90 ટકા બહુમતી સાથે ‘ભારતના રાષ્ટ્રપતિ’ તરીકે ચૂંટાયા હતા.
ભારતને આપી ‘પરમાણુ’ શક્તિ
પોખરણમાં બીજી વખત પરમાણુ વિસ્ફોટ પરમાણુ ઊર્જા સાથે મળીને કર્યો. આ રીતે ભારત વિશ્વના પસંદગીના એવા દેશો સાથે જોડાયો જેમની પાસે પરમાણુ તાકત છે. ડૉક્ટરકલામે ભારતના વિકાસ સ્તરને 2020 સુધી વિજ્ઞાનના ક્ષેત્રમાં અત્યાધુનિક માટે એક વિશિષ્ટ
‘હમ હોંગે કામયાબ’
જાહેર જીવનમાં ભ્રષ્ટાચાર નાબૂદી માટે એક વ્યાપક આંદોલનની આવશ્યક્તા છે. આ આંદોલન તેમના ઘર અને સ્કૂલથી જ શરૂ કરવું પડશે. ભ્રષ્ટાચાર નાબૂદી માટે મારી દૃષ્ટિએ માત્ર ત્રણ પ્રકારા લોકો જ સહાયક સાબિત થઈ શકે છે – એ છે – માતા, પિતા અને પ્રાથમિક શાળાના શિક્ષક. જો આ ત્રણે બાળકોને સત્ય અને ઈમાનદારીનો પાઠ ભણાવે તો ત્યાર બાદ જીવનમાં કદાચ જ કોઈ તેમને ડગમગાવી શકે.
ગરીબ પરિવારમાં ઉછેર થયો
બીજા વિશ્વયુદ્ધ વખતે અમારા પરિવારે દારુણ ગરીબીના દિવસો જોયા હતા. એ વખતે હું દસ વર્ષનો હતો. જીવનજરૂરી ચીજવસ્તુઓની ભારે અછત રહેતી હતી. અમારો પરિવાર વિશાળ સંયુક્ત પરિવાર હતો જેમાં પિતાજી અને કાકાનો પરિવાર પણ સામેલ હતો. એક દિવસ અમે બધા જ ભાઈ-બહેનો સાથે મળીને જમી રહ્યા હતા અને માં અને રોટલી પરસી રહી હતી. મેં જમી લીધું એ પછી મોટાભાઈએ મને એકબાજુ બોલાવીને ધમકાવ્યો હતો.
દેશને અગ્રેસર બનાવવાનું સપનું જોયું
તેમણે પોતાના પુસ્તક ‘ઇન્ડિયા 2020’માં પોતાનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ કર્યો હતો. તેઓ અવકાશ વિજ્ઞાનમાં ભારતને વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ બનાવવા માગતા હતા. આ માટે તેમની પાસે એક કાર્યયોજના પણ હતી. પરમાણુ શસ્ત્રોના ક્ષેત્રમાં તેઓ ભારતને સુપર પાવર બનાવવાનું વિચારી રહ્યા હતા. તેઓ વિજ્ઞાનના અન્ય ક્ષેત્રોમાં પણ ટેકનોલોજીનો વિકાસ થાય એમ ઈચ્છતા હતા. ડૉક્ટર કલામનું કહેવું હતું કે, ‘સૉફ્ટવેરનું ક્ષેત્ર તમામ અવરોધોથી મુક્ત હોવું જોઈએ જેથી વધુને વધુ લોકો તેનો લાભ લઈ શકે.’
ઉપગ્રહ પ્રક્ષેપણમાં મહત્વની ભૂમિકા
1962માં તે ઈસરોમાં આવ્યા, જ્યાં તેમણે અનેક ઉપગ્રહ પ્રક્ષેપણ યોજનાઓમાં મહત્વની ભૂમિકા ભજવી. આયોજન નિર્દેશક સ્વરૂપે ભારતનો પહેલો સ્વદેશી એસએલવી-3 બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.
સાભાર: દિવ્ય ભાસ્કર
વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો
યોગનો અકલ્પનિય ચમત્કારઃ 900 વર્ષ સુધી જીવિત રહ્યા હતા આ ‘મહાયોગી દેવરહા બાબા’…!!!
જાણો…ચાણક્ય નીતિઃ પારિવારિક, સામાજીક, રાજકીય ક્ષેત્રમાં અકલ્પનિય સફળતા મેળવવાની ચમત્કારીક જડીબુટ્ટી…!!!
પરાજયે મને ખૂબ શીખવ્યું પછી હું ‘ગોલ્ડન ગર્લ’ બની (કભી કભી)
કલીયુગમાં દરેક ક્ષેત્રમાં સફળતા,સુખ અને વિજય પ્રાપ્ત કરવા, પરિવાર અને જીવનમાં ઉતારો આચાર્ય ચાણક્યની આ સુવર્ણ નીતિઓ
VIDEO: શિકાગોમાં પ્રથમ વ્યાખ્યાનમાં ખરેખર વિવેકાનંદ શું બોલ્યા હતા..?
ऐ पी जे अब्दुल कलाम के 64 अनमोल विचार (64 QUOTES OF A P J ABDUL KALAM IN HINDI)
प्लेटो के 100 अनमोल विचार और कथन (100 QUOTES AND THOUGHTS OF PLATO IN HINDI)
नेपोलियन बोनापार्ट के 59 अनमोल विचार और कथन (NAPOLEON BONAPARTE 59 QUOTES AND THOUGHTS IN HINDI)
विल्मा रुडोल्फ – बेहद गरीब परिवार और अपंगता से ओलम्पिक गोल्ड मैडल तक
फौलादी हौसलें कि कहानी – बिना हाथ पैरों के फतह कर ली 14 हजार फीट से अधिक ऊंची चोटी