Category Archives: Celebrity

ભારતનું સ્વમાન, ગૌરવ, અદ્વિતિય પ્રેરણાસ્તોત્રના સ્વામી, એકમેવઃ સામાન્ય બાળકમાંથી કલામ બનવાની સફર..!!!

apjaka

“સ્વપ્ન એ નથી જે તમે ઊંઘમાં જુઓ છો, સ્વપ્ન એ છે જે તમારી ઊંઘ ઉડાડી મૂકે.”
“રાહ જોનારાઓને માત્ર એટલું જ મળે છે જે પ્રયાસ કરનારાઓ છોડી દે છે.”
“જીવનમાં અવરોધો આપણને પાયમાલ કરવા માટે નથી આવતા પણ આપણા છુપાયેલા સામર્થ્ય અને શક્તિઓને બહાર કાઢવામાં આપણી મદદ કરવા માટે આવે છે. મુશ્કેલીઓને બતાવી દો કે તમે તેના કરતાં પણ વધુ મજબૂત છો.”
“દેશનું સૌથી સર્વ શ્રેષ્ઠ મગજ, હંમેશાં ક્લાસરૂમની છેલ્લી પાટલી પર જ મળી શકે છે.”

પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનું 83 વર્ષની વયે આજે સાંજે શિંલોગ ખાતે નિધન થયું છે. આઇઆઇએમમાં લેક્ચર આપતી વખતે તેમની હૃદયરોગનો હુમલો થતાં બેભાન થઇ ગયા હતા, તેમને શિલોંગની બેથની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સાંજે 7.45 વાગ્યે તેમના નિધનની જાહેરાત કરવામાં આવ્યા.

એક સામાન્ય બાળકમાંથી કલામ બનવાની સફર કંઈ સહેલી નહોતી. પણ તેમના જીવનનો મૂળમંત્ર હંમેશાએ હતો કે ક્યારેય નાના સપના દેખવા નહીં. તેમણે જે પણ જવાબદારી લીધી તેને નવી પરિભાષા આપી હતી અને તેથી જ તેઓ ‘આમ આદમી’ના રાષ્ટ્રપતિ હોવા છતાં પણ હંમેશા ‘ખાસ’ રહ્યા હતા

‘તેમના અચાનક નિધનથી ખૂબ જ દુખી છું. તેઓ એક આખી પેઢી માટે પ્રેરણાસ્રોત હતા.’ – રાજનાથ સિંહ

‘આ સાંભળીને ખૂબ જ દુખ થયું કે ડૉ. એપીજે અબ્દુલ કલામનું નિધન થઈ ગયું. દેશે એક અસલી ભારત રત્ન ગુમાવ્યો છે.’- અરવિંદ કેજરીવાલ

‘ડૉ. અબ્દુલ કલામ સામાન્ય જનતાના રાષ્ટ્રપતિ હતા. આ મહાન આત્માને મારી શ્રદ્ધાંજલિ.’- સુષ્મા સ્વરાજ

ગુરદાસપુરના ત્રાસવાદી હુમલાનું સાંભળીને દુ:ખ થયું અને હવે ડૉ. કલામનું નિધન દુ:ખદ સમાચાર છે. અલ્લાહ બધાની આત્માને શાંતી અર્પે.- શાહરૂખ ખાન, અભિનેતા

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન ડૉ. એપીજે અબ્દુલ કલામનું નિધન મારા માટે વ્યક્તિગત રૂપે ઘણું મોટું નુકસાન છે.- પ્રણવ મુખરજી, રાષ્ટ્રપતિ

અનેક લોકો માટે રોલ મોડેલ, એક દૂરંદેશી નેતા અને એવા વ્યક્તિ જેમનામાં અદમ્ય સાહસ હતું. એપીજે અબ્દુલ કલામ સરને શ્રદ્ધાંજલિ.- વિરાટ કોહલી, ક્રિકેટર

ડૉ. એપીજે અબ્દુલ કલામ એક ઉત્કૃષ્ટ જીવન જીવ્યા. સર્વોચ્ચ પદ પર હોવા છતાં બધા માટે

તે સરળતાથી ઉપલબ્ધ હતા.- શ્રી શ્રી રવિશંકર, આર્ટ ઓફ લિવિંગ

પિતા હોડી ભાડે આપતા હતા

1931ની 15 ઓક્ટોબરે તમિલનાડુના રામેશ્વર જિલ્લાના ધનુષકોડિ ગામે જન્મેલા પિતા જૈનુલાબ્દીન વધારે ભણેલાગણેલા નહોતા. તેમના પિતા માછીમારોને હોડી ભાડે આપવાનું કામ કરતા હતા.

અખબારો વેચીને અભ્યાસ

પરિવારની આર્થિક સ્થિતિ કથળેલી રહેતી હતી. તેથી પ્રાથમિક શિક્ષણ ચાલુ રાખવા માટે કલામ અખબારો વેચવાનું કામ કરતા હતા. 1958માં મદ્રાસ ઇન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલોજીમાંથી તેમણે સ્પેસ સાયન્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.

પિતા પાસેથી ભણ્યા જીવનના પાઠ

હું ઘણો નાનો હતો. પિતાને અમૂલ્ય પાઠ જીવનમાં ઉતારતા જોયા ત્યારે હું માત્ર છ વર્ષનો હતો. તેમણે યાત્રાળુઓને રામેશ્વરમથી ધનુષકોડિ લઈ જવા માટે અને ત્યાંથી પરત લાવવા માટે એક હોડી બનાવવાનું નક્કી કર્યું હતું. લાકડાની હોડીને સમુદ્રકાંઠે તૈયાર થતા મેં જોઈ હતી. હોડીને તૈયાર થતા દેખવી મઝાનું કામ હતું. હોડી તૈયાર થઈ ગઈ એ પછી પિતાએ ઉત્સાહપૂર્વક ધંધો શરૂ કર્યો હતો.

આ કારણે કહેવાયા મિસાઈલ મેન

ડૉક્ટર કલામે સ્વદેશી લક્ષ્ય ભેદીને ડિઝાઈન કર્યું હતું. તેમણે અગ્નિ અને પૃથ્વી જેવી મિસાઈલો બનાવી છે. તે સંપૂર્ણ રીતે સ્વદેશી ટેકનોલોજીથી બની હતી. તેથી તેઓ મિસાઈલ મેન તરીકે ઓળખાયા.

દેશના સર્વોચ્ચ પદ પર

ડૉક્ટર અબ્દુલ કલામ ભારતના 11મા રાષ્ટ્રપતિ પસંદ થયા હતા. તેમને એનડીએએ પોતાના ઉમેદવાર બનાવ્યા હતા, જેમનું ડાબેરીઓ સિવાય બધા જ પક્ષોએ સમર્થન કર્યું હતું. 18 જુલાઈ 2002ના રોજ તેઓ 90 ટકા બહુમતી સાથે ‘ભારતના રાષ્ટ્રપતિ’ તરીકે ચૂંટાયા હતા.

ભારતને આપી ‘પરમાણુ’ શક્તિ

પોખરણમાં બીજી વખત પરમાણુ વિસ્ફોટ પરમાણુ ઊર્જા સાથે મળીને કર્યો. આ રીતે ભારત વિશ્વના પસંદગીના એવા દેશો સાથે જોડાયો જેમની પાસે પરમાણુ તાકત છે. ડૉક્ટરકલામે ભારતના વિકાસ સ્તરને 2020 સુધી વિજ્ઞાનના ક્ષેત્રમાં અત્યાધુનિક માટે એક વિશિષ્ટ

‘હમ હોંગે કામયાબ’

જાહેર જીવનમાં ભ્રષ્ટાચાર નાબૂદી માટે એક વ્યાપક આંદોલનની આવશ્યક્તા છે. આ આંદોલન તેમના ઘર અને સ્કૂલથી જ શરૂ કરવું પડશે. ભ્રષ્ટાચાર નાબૂદી માટે મારી દૃષ્ટિએ માત્ર ત્રણ પ્રકારા લોકો જ સહાયક સાબિત થઈ શકે છે – એ છે – માતા, પિતા અને પ્રાથમિક શાળાના શિક્ષક. જો આ ત્રણે બાળકોને સત્ય અને ઈમાનદારીનો પાઠ ભણાવે તો ત્યાર બાદ જીવનમાં કદાચ જ કોઈ તેમને ડગમગાવી શકે.

ગરીબ પરિવારમાં ઉછેર થયો

બીજા વિશ્વયુદ્ધ વખતે અમારા પરિવારે દારુણ ગરીબીના દિવસો જોયા હતા. એ વખતે હું દસ વર્ષનો હતો. જીવનજરૂરી ચીજવસ્તુઓની ભારે અછત રહેતી હતી. અમારો પરિવાર વિશાળ સંયુક્ત પરિવાર હતો જેમાં પિતાજી અને કાકાનો પરિવાર પણ સામેલ હતો. એક દિવસ અમે બધા જ ભાઈ-બહેનો સાથે મળીને જમી રહ્યા હતા અને માં અને રોટલી પરસી રહી હતી. મેં જમી લીધું એ પછી મોટાભાઈએ મને એકબાજુ બોલાવીને ધમકાવ્યો હતો.

દેશને અગ્રેસર બનાવવાનું સપનું જોયું

તેમણે પોતાના પુસ્તક ‘ઇન્ડિયા 2020’માં પોતાનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ કર્યો હતો. તેઓ અવકાશ વિજ્ઞાનમાં ભારતને વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ બનાવવા માગતા હતા. આ માટે તેમની પાસે એક કાર્યયોજના પણ હતી. પરમાણુ શસ્ત્રોના ક્ષેત્રમાં તેઓ ભારતને સુપર પાવર બનાવવાનું વિચારી રહ્યા હતા. તેઓ વિજ્ઞાનના અન્ય ક્ષેત્રોમાં પણ ટેકનોલોજીનો વિકાસ થાય એમ ઈચ્છતા હતા. ડૉક્ટર કલામનું કહેવું હતું કે, ‘સૉફ્ટવેરનું ક્ષેત્ર તમામ અવરોધોથી મુક્ત હોવું જોઈએ જેથી વધુને વધુ લોકો તેનો લાભ લઈ શકે.’

ઉપગ્રહ પ્રક્ષેપણમાં મહત્વની ભૂમિકા

1962માં તે ઈસરોમાં આવ્યા, જ્યાં તેમણે અનેક ઉપગ્રહ પ્રક્ષેપણ યોજનાઓમાં મહત્વની ભૂમિકા ભજવી. આયોજન નિર્દેશક સ્વરૂપે ભારતનો પહેલો સ્વદેશી એસએલવી-3 બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

યોગનો અકલ્પનિય ચમત્કારઃ 900 વર્ષ સુધી જીવિત રહ્યા હતા આ ‘મહાયોગી દેવરહા બાબા’…!!!
જાણો…ચાણક્ય નીતિઃ પારિવારિક, સામાજીક, રાજકીય ક્ષેત્રમાં અકલ્પનિય સફળતા મેળવવાની ચમત્કારીક જડીબુટ્ટી…!!!
પરાજયે મને ખૂબ શીખવ્યું પછી હું ‘ગોલ્ડન ગર્લ’ બની (કભી કભી)
કલીયુગમાં દરેક ક્ષેત્રમાં સફળતા,સુખ અને વિજય પ્રાપ્ત કરવા, પરિવાર અને જીવનમાં ઉતારો આચાર્ય ચાણક્યની આ સુવર્ણ નીતિઓ
VIDEO: શિકાગોમાં પ્રથમ વ્યાખ્યાનમાં ખરેખર વિવેકાનંદ શું બોલ્યા હતા..?
ऐ पी जे अब्दुल कलाम के 64 अनमोल विचार (64 QUOTES OF A P J ABDUL KALAM IN HINDI)
प्लेटो के 100 अनमोल विचार और कथन (100 QUOTES AND THOUGHTS OF PLATO IN HINDI)
नेपोलियन बोनापार्ट के 59 अनमोल विचार और कथन (NAPOLEON BONAPARTE 59 QUOTES AND THOUGHTS IN HINDI)
विल्मा रुडोल्फ – बेहद गरीब परिवार और अपंगता से ओलम्पिक गोल्ड मैडल तक
फौलादी हौसलें कि कहानी – बिना हाथ पैरों के फतह कर ली 14 हजार फीट से अधिक ऊंची चोटी

જાણો…ચાણક્ય નીતિઃ પારિવારિક, સામાજીક, રાજકીય ક્ષેત્રમાં અકલ્પનિય સફળતા મેળવવાની ચમત્કારીક જડીબુટ્ટી…!!!

chankya2

-ચાણક્યએ ૨૦૦૦ વર્ષ પહેલા બતાવેલી સ્ત્રી અને પુરુષો વિશેની ચાર વાતો જે આજે પણ એટલી જ લાગું પડે છે

આચાર્ય ચાણક્યએ આપણા જીવનને સુખી બનાવી રાખવા માટે અનેક નીતિઓ બનાવી છે. આ નીતીઓમાં અનેક રહસ્ય છુપાયેલા છે, જેનાથી આપણે સુખ અને દુઃખની પણ જાણકારી પ્રાપ્ત થાય છે. આચાર્યએ વિશેષ કરીને પુરુષો માટે ત્રણ એવી સ્થિતિઓ બતાવી છે જે કોઈપણ પુરુષને ભયંકર દુઃખ આપે છે.

આચાર્ય ચાણક્ય કહે છે…..

वृद्धकाले मृता भार्या बन्धुहस्ते गतं धनम्।
भोजनं च पराधीनं त्रय: पुंसां विडम्बना:।।

-શાસ્ત્રો પ્રમાણે પતિ અને પત્નીનો સાથ સાત જન્મોનો માનવામાં આવે છે. ઘણીવાર દુર્ભાગ્યવશ એક જ જન્મમાં પતિ-પત્ની મૃત્યુના કારણે અલગ થઈ જાય છે. આચાર્ય ચાણક્ય કહે છે. વૃદ્ધાવસ્થામાં પત્નીનું મૃત્યુ અભાગ્ય જ હોય છે. એ રીતે આપણુ ધન કોઈ બીજાના હાથમાં ચાલી જાય અને કોઈના ગુલામ બનાવી જીવન યાપન કરવાની વાતો વ્યક્તિ માટે અભાગ્ય કે દુર્ભાગ્ય છે.

-આચાર્ય ચાણક્ય પ્રમાણે પતિ-પત્ની એકબીજા માટે સૌથી મોટો સહારો હોય છે. લગ્ન પછી બંનેનું જીવન આપસી તાલમેળ અને પ્રેમથી જ આગળ વધે છે. જો કોઈ પણ કારણસર તેમને અલગ થવું પડે તો આ સ્થિતિ અનેક પરેશાનીઓનો જન્મ આપે છે. પતિ-પત્ની એકબીજાના સૌથી વધુ જરૂરિયાત વૃ્દ્ધાવસ્થાનો સમય હોય છે. આ સમયે પત્ની મૃત્યુ પામે તો નિઃસંદેહ આ અભાગ્યની વાત છે. આ રીતે જો આપણુ કમાયેલ ધન કોઈ બીજાને મળી જાય કે કોઈ કારણે તે કોઈ બીજાના હાથમાં ચાલી જાય તો તે પણ ભાગ્યહીન હોવાની નિશાની છે. સાથે જ કોઈ પણ વ્યક્તિ માટે મોટું નરકથી ગુલામીનું જીવન. ગુલામ વ્યક્તિ પોતાની માટે ક્યારેય કંઈ કરી શકતો નથી.

-આચાર્ય ચાણક્યના કહેવા પ્રમાણે સમજદાર માણસ એ જ છે જે દરેક વિષમ પરિસ્થિતિઓમાં પણ સહજ રહે, સમાન્ય રહે. પછી ગમે તેવી સમસ્યા હોય, તેનું નિરાકરણ આસાનીથી કાઢી લે. કોઈપણ પ્રકારની વિષમ પરિસ્થિતિઓને દૂર કરવાની ક્ષમતા જે વ્યક્તિમાં હોય, તે સમજદાર હોય છે. જે વ્યક્તિ હાલાત અને સમયમાં છુપાયેલા સંકેતોને સમજી લે છ, તે જ સમજદાર છે.

-જો કોઈ માણસ અહીં બતાવેલ ગુણ નથી તો તેને શું કરવું જોઈએ? આ બાબતમાં આચાર્ય ચાણક્યએ સટીક ઉપાય બતાવ્યા છે. ચાણક્યના કહેવા પ્રમામે જે પ્રકારે જો કોઈ સાપ ઝેરીલો ન હોય. તો પણ તેને પોતાને ઝેરીલો બતાવવો જોઈએ. એ જ રીતે કોઈ વ્યક્તિ સમજદાર ન હોય કે વિદ્વાન ન હોય તો પણ તેને બીજાની સામે સમજદાર બનીને રહેવું જોઈએ. એમા જ ભલાઈ છે.

-ચાણક્ય કહે છેકે જે જગ્યાએ આપણને આદર-સન્માન ન મળે, જે જગ્યાએ રૂપિયા કમાવાનું કોઈ સાધન ન હોય, જ્યાં આપણો કોઈ મિત્ર કે સંબંધીઓ ન હોય, જ્યાં કોઈ જ્ઞાનની વાતો ન થતી હોય કે જ્યાં કોઈ ગુણ કે સારા કાર્ય ન હોય, એ સ્થાનને તરત જ છોડી દેવું જોઈએ. એમાં સમજદાર માણસની ભલાઈ છે.

-આચાર્ય ચાણક્ય નીતિમાં એવા કામ બતાવ્યા છે જે માણસ પોતે જ શીખે છે. અને આ કામ કરવા કોઈ બીજા વ્યક્તિ આપણને નથી શીખવતો. ચાણક્ય દ્વારા રચિત ચાણક્ય નીતિ ગ્રંથમાં એવી નીતીઓ બતાવી છે જે સુખી અને શ્રેષ્ઠ જીવનનું નિર્માણ કરે છે. આ નીતિઓનું પાલન કરવાથી વ્યક્તિને ક્યારેય પણ પરેશાનીઓનો સામનો નથી કરવો પડતો.

-ચાણક્યના કહેવા પ્રમાણે કોઈપણ વ્યક્તિ ગમે એટલા દાનવીર હોય, તેના સ્વભાવમાં જ નિહિત હોય છે. કોઈપણ માણસને દાનશક્તિને ઓછી કરવી કે વધારવાનું કામ જ મુશ્કેલ કામ છે. જો આદત વ્યક્તિના જન્મની સાથે જ આવે છે.

-બીજાની વાત, મીઠું બોલવું, જો કોઈ વ્યક્તિ કડવું બોલનાર હોય તો તેને લાખ સમજાવી લો તે ક્યારેય મીઠું બોલે, પરંતુ પોતાના સ્વભાવમાં લાંબા સમય સુધી નથી બદલી શકતો. જે વ્યક્તિ જન્મથી જ કડવું બોલતો આવ્યો હોય, તેને મીઠું બોલવાનું શીખવી નથી શકાતું. આ આદત પણ વ્યક્તિના જન્મની સાથે જ તેના સ્વભાવમાં સામેલ રહે છે.

-ત્રીજી વાત, ધૈર્ય ધારણ કરવું, ધૈર્ય એક એવો ગુણ છે જે વ્યક્તિની દરેક વિષમ પરિસ્થિતિઓમાંથી બચાવવામાં સક્ષમ છે. વિપરિત પરિસ્થિતિઓમાં ધૈર્ય ધારણ કરીને જ ખરાબ સમયને દૂર કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ દરેક કાર્ય ઉતાવળમાં કરે છે, વગર વિચાર્યે જ તરત જ નિર્ણય કરી લે તો તે પાછળથી નુકસાન ઊઠાવે છે. એવા લોકોને ધૈર્યનું જ્ઞાન આપવાનું પણ સમયની બરબાદી જ છે. કારણ કે આ ગુણ પણ વ્યક્તિને જન્મની સાથે જ તેના સ્વભાવમાં રહે છે.

-ચોથી વાત છે સમય ઉપર યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા, કોઈ પણ વ્યક્તિને એ નથી શીખવી શકાતું કે તે કયા સમયે કેવો નિર્ણય લે. જીવનમાં દરેક પળે અલગ-અલગ પરિસ્થિતિઓ નિર્મિત થાય છે. એવી વખતે સારા અને ખોટાનો નિર્ણય વ્યક્તિએ પોતે જ કરવો પડતો હોય છે. જે પણ વ્યક્તિ સમયસર યોગ્ય અને અનુચિત નિર્ણય સમજી લે છે, તે જીવનમાં ઘણી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરે છે. આ ગુણ પણ વ્યક્તિના જન્મની સાથે જ આવે છે અને સ્વભાવમાં જ સામેલ રહે છે.

સ્ત્રી અને પુરુષ બંને માટે સારી નથી આ 4 વાતો-

ચાણક્ય નીતિમાં કેટલાક એવા કાર્યો અને આદતો બતાવવામાં આવી છે, જે સ્ત્રી હોય કે પુરુષ બંનેનું જીવન ચોપટ કરી શકે છે. જે લોકો આ વાતોનું ધ્યાન નથી રાખતા, તે ક્યારેય પણ સુખી નથી બની શકતા અને ક્યારેય રૂપિયા પણ બચાવી નથી શકતા. આચાર્ય ચાણક્યની નીતિઓ આજે પણ આપણને યોગ્ય રસ્તો બતાવે છે અને પરેશાનીઓથી દૂર રાખી શકે છે.
આચર્ય ચાણક્યની આવી જ સારી વાતો અને કૂટનીતિથી મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત રાજા તૈયાર કર્યો અને તેને

-જે લોકો વગર કારણે દરેક વ્યક્તિ સાથે ઝઘડો કરે છે, તેમને સમાજમાં અપમાન સહન કરવું પડે છે. ઝઘડો કરનાર વ્યક્તિને કોઈ લોકો પસંદ નથી કરતા. એવા લોકો સાથે સમાજમાં કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારનો સંબંધ વ્યવહાર નથી રાખતા. આથી આ લોકો ચોપટ થઈ જાય છે.

-સૌથી વધુ ખરાબ સ્થિતિ એ પુરુષોની થાય છે જે અનેક સ્ત્રીઓ માટે બેચેન રહે છે. અનેક સ્ત્રીઓની આગળ-પાછળ ચક્કર લગાવે છે. એવા લોકો ખૂબ જ ઝડપથી ચોપટ-બરબાદ થઈ જાય છે. ઠીક એવી જ રીતે જો કોઈ સ્ત્રી પરપુરુષ સાથે અનૈતિક સંબંધ ધરાવે છે તે પણ બરબાદ થઈ જાય છે.

-આચાર્ય ચાણક્ય કહે છે, જો સૂતેલો સાંપ જોવા મળે તો તેને છેડવો ન જોઈએ. દૂરથી જ નિકળી જવું જોઈએ. નહીંતર જીવન ઉપર મોતનું સંકટ રહે છે. સાંપના કરડ્યા પછી વ્યક્તિનું બચવું મુશ્કેલ થઈ જાય છે. આથી સૂતેલા સાંપને જગાડવો ન જોઈએ.

-કોઈ રાજાને ઊંઘમાંથી જગાડવાનું સાહસ ન કરવું જોઈ. એમ કરવાથી રાજાનો ક્રોધ સહન કરવો પડી શકે છે. જો કોઈ સિંહ કે જંગલી જાનવર સૂઈરહ્યું હોય તો તેની પણ દૂરથી જ નિકળી જવું જોઈ. નહીંતર પ્રાણોનું સંકટ ઊભું થઈ શકે છે.

-જો કોઈ ભૂંડ સૂઈ રહ્યું હોય તો પણ તેને જગાડવું ન જોઈએ. નહીંત તેપણ ઊઠતાની સાથે જ ગંદકી ફેલાવી શકે છે. તે સિવાય જો કોઈ નાનું બાળક સૂઈ રહ્યું હોય તો તેને પણ ક્યારેય ન ઊઠાડો. નહીંતર તેને ચુપ કરાવવું મુશ્કેલ થઈ જાય છે.

-જો તમે કોઈના ઘરે જાઓ અને તે ઘરમાં કૂતરું સૂઈ રહ્યું હોય તો તેને પણ જગાડવાની ભૂલ ન કરવી જોઈએ. તે પણ તમને કરડી શકે છે. જો કોઈ સૂતેલા મૂર્ખ વ્યક્તિને જગાડવામાં આવે તો તેને સમજાવવું પણ મુશ્કેલ થઈ જાય છે. આથી તેને પણ ઊંઘમાંથી જગાડવી ન જોઈએ.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

2000 વર્ષ પહેલાં ચાણક્ય કહી ગયા છે જીવન જીવવાની કામની વાતો, યાદ રાખજો આ સુવર્ણસૂત્રો!

કલીયુગમાં દરેક ક્ષેત્રમાં સફળતા,સુખ અને વિજય પ્રાપ્ત કરવા, પરિવાર અને જીવનમાં ઉતારો આચાર્ય ચાણક્યની આ સુવર્ણ નીતિઓ

ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

યોગનો અકલ્પનિય ચમત્કારઃ 900 વર્ષ સુધી જીવિત રહ્યા હતા આ ‘મહાયોગી દેવરહા બાબા’…!!!

devrah baba1

-દેવરહા બાબાએ હિમાલયમાં અનેક વર્ષો સુધી તપસ્યા કરી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી હતી, તેમના જીવનનું રહસ્ય કોઈ જાણતું ન હતું
-દેવરહા બાબા પોતાની શક્તિઓથી અદ્રશ્ય થઈને ગમે ત્યાં ચાલ્યા જતા હતા
-દેવરહા બાબા પોતાની ખાલી પાલખમાં હાથ નાખીને વ્યક્તિને પ્રસાદ આપતા હતા
-દેવરહા બાબા એ બાબતમાં પણ અનોખા હતા. એ માથે હાથ મૂકવાને બદલે માથે લાત મારીને આશીર્વાદ આપતા હતા.

કોઈ વ્યક્તિની ઉંમર 90-100 વર્ષ થઈ જાય તો લોકો તે વ્યક્તિને એક રેકોર્ડ માનતા હોય છે, પરંતુ કોઈ વ્યક્તિ 200, 500 નહીં પણ 900 વર્ષથી વધુ જીવે તે વાત તો કોઈને ગળે નહીં ઉતરે જી, હા, આ વાત આશ્ચર્યજનક તો છે જ પરંતુ જે વ્યક્તિની અમે વાત કરીએ છીએ તેમના વિશે એવું કહેવાય છે કે 900 વર્ષથી વધુ જીવ્યા હતા, તેમનું નામ છે દેવરહા બાબા. જો કે તથ્ય કેટલું છે તે તો કહી શકાય નહીં પરંતુ તેમને જોનાર લોકો અને મળનારા લોકોને ચોક્કસ એવું લાગતું કે આ મહાયોગી જરૂર ચમત્કારી પુરુષ છે અને તેમની ઉંમર 200 થી વધુ હશે એટલી વાત તો સાચું માની લેતા. મહાભારતના મહાપુરુષ ભીષ્મની ઉંમર 170 વર્ષથી વધુ હતી કારણ કે તેમને સ્વયં ઈચ્છિત મૃત્યુનું વરદાન હતું. પરંતુ દેવરહા બાબા તો તેમનાથી પણ અનેક સદીઓ વધુ જીવિત રહેલા.

સામાન્ય રીતે એક વ્યક્તિનું જીવન અર્થાત્ તેની ઉંમર કેટલી લાંબી હોય છે?50 વર્ષ ?60 વર્ષ? 70 વર્ષ કે પછી તે શરૂઆતથી જ હૃષ્ટપુષ્ટ રહ્યો હોય તો 100 વર્ષની આસપાસની ઉંમર સુધી પહોંચી જાય છે તો તે દુનિયા સામે મિસાલ બની જાય છે. કારણ કે આજના જમાનામાં જો કોઈ વ્યક્તિ 100 વર્ષથી વધુ ઉંમરનો થઈ જાય તો તે એક રેકોર્ડ માનવામાં આવે છે. દુનિયાભરમાં તેમની પ્રશંસા કરવામાં આવે છે તથા તેને વિભિન્ન પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવે છે. લોકો તેમને લાંબી ઉંમરનું રહસ્ય પૂછે છે તથા વૈજ્ઞાનિકો પણ તેમની ઉપર વિભિન્ન શોધ કરી કરીને તેમના લાંબા જીવનનું રહસ્ય શોધવા લાગી જાય છે કે તેમને આટલું લાંબુ જીવન કેવી રીતે કાઢ્યું છે?

devrah baba2

પહેલી વખત એ જાણીને કોઈને વિશ્વાસ નથી થતું પરંતુ લોક પ્રચલિત કથા-કહાનીઓના આધારે આ વાત સામે આવી હતી. ભારતના ઉત્તર પ્રદેશના દેવરિયા જનપદમાં એક યોગી રહેતા હતા જેમનું નામ હતું દેવરહા બાબા, કહેવાય છે કે દેવરહા બાબા એક સિદ્ધ મહાપુરુષ તથા સંત પુરુષ હતા. દુનિયાના ખૂણે-ખૂણાથી મહાન તથા પ્રસિદ્ધ લોકો તેમના દર્શન કરવા આવતા હતા. તેમના ચહેરા ઉપર એક અલગ પ્રકારની ચમક હતી અને લોકોનું તો એવું માનવું હતું કે બાબની પાસે ચમત્કારી શક્તિઓ પણ હતી.

પરંતુ આ બધા તથ્યોથી હટીને જે એક વાત દરેક કોઈના મનમાં આવતી હતી તે હતી સાચે જ બાબાની ઉંમર સાચે જ 900 વર્ષથી વધુ હતી? બાબાની ઉંમરને લઈને લોકોમાં અલગ-અલગ મતભેદ હતા. કેટલાક લોકો તેમનું જીવન 250 વર્ષનું માનતા હતા તો કેટલાકનું કહેવું હતું કે બાબાની ઉંમર 500 વર્ષની હતી.

પરંતુ આશ્ચર્ય તો ત્યારે થાય છે જ્યારે લોકો કહે છે કે તેમની ઉંમર 900 વર્ષથી વધુ હતી. પરંતુ બાબા કહેતા આવ્યા હતા કે તેમનો જન્મ, તેમનું જીવન આજના લોકોની વચ્ચે પહેલી બનેલું છે. કહે છે કે કોઈ નથી જાણતું કે દેવહરા બાબાનો જન્મ ક્યારે થયો હતો તેમની જન્મ તારીખ, જન્મ સ્થાન તથા તેઓ ક્યારે અને ક્યાંથી આવ્યા તે બધા જ તથ્યો અજ્ઞાત છે. ત્યાં સુધી કે તેમની યોગ્ય ઉંમરનું આંકલન પણ નથી. બસ લોકો એટલું જાણતા હતા કે તેઓ યૂપીના દેવરિયા જિલ્લાના રહેવાસી હતી. અને તેમને પોતાનો છેલ્લો શ્વાસ મંગળવાર 19 જૂન સન્ 1990માં યોગિની એકાદશીના દિવસે થયો હતો. બાબાના સંદર્ભમાં લોકો અલગ-અલગ કહાનીઓ સાંભળે છે, જેમાંથી એક કથા ખૂબ જ દિલચસ્પ છે.

devrah baba

બાબાની લગભગ 10 વર્ષ સુધી સેવા કરનાર માર્કન્ડેય મહારાજના કહેવા પ્રમાણે બાબા નિર્વસ્ત્ર રહેતા હતા. તેઓ ધરતીથી 12 ફૂટ ઉંચે લાકડાથી બનેલ એક બોક્સમાં રહેતા હતા અને માત્ર ત્યારે જ નીચે આવતા હતા જ્યારે તેમને સવારે સ્નાન કરવા જવું હોય.

એવું માનવામાં આવે છે કે બાબએ અનેક વર્ષો હિમાલયમાં સાધના કરી હતી. પરંતુ કેટલા વર્ષ તે કોઈ નથી જાણતું. કારણ કે હિમાલયમાં તેમની ઉપસ્થિતિ અજ્ઞાત હતી. હિમાલયની ગોદમાં જપ-તપ કર્યા પછી જ બાબા ઉત્તર પ્રદેશના દેવરિયા વિસ્તાર તરફ પ્રસ્થાન કર્યું હતું.

અહીં બાબાએ વર્ષો સુધી નિવાસ કર્યો અને પોતાના ધર્મ-કર્મથી લોકોની વચ્ચે પ્રચલિત થયા. દેવરિયામાં બાબા સલેમપુર તાલુકાથી થોડે જ દૂર સરયૂ નદીના કિનારે રહેતા હતા. આ એજ સ્થાન છે જ્યાં ભગવાન વિષ્ણુના સાતમા અવતાર શ્રીરામને ત્યાગીને પાછા વૈકુંઠ ફર્યા હતા.

આ નદીના કિનારે બાબાએ વર્ષો સુધી પોતાનો ડેરો જમાવી રાખ્યો હતો અને આ ક્ષેત્રથી જ બાબાને દેવરહા બાબાના નામ પ્રાપ્ત થયેલું. કહેવાય છે કે બાબા ખૂબ જ મોટા રામભક્ત હતા. તેમના ભક્તોએ હંમેશા તેમના મુખમાંથી રામ નામ સાંભળ્યું હતું.

devrah baba3

તેઓ પોતાના ભક્તોને પણ શ્રીરામના જીવન સાથે જોડાયેલા તથ્યો બતાવતા હતા અને તેમને જીવનમાં અપનાવવા માટે પ્રેરિત કરતા હતા. બાબા પોતાના ભક્તોના જીવનના કષ્ટોને ઓછા કરવા માટે શ્રીરામ અને શ્રીકૃષ્ણના મંત્ર આપતા હતા. તેઓ શ્રીરામ તથા શ્રીકૃષ્ણને એક જ માનતા હતા. આ બંને અવતારો સિવાય બાબા ગોસેવામાં પૂર્ણ વિશ્વાસ ધરાવતા હતા.

તેમની માટે જનસેવા તથા ગૌસેવા એક સર્વોપરિ-ધર્મ હતો. તેઓ પોતાની પાસે આવેલ દરેક ભક્તના લોકોની સેવા, ગૌમાતાનું રક્ષણ કરવા તથા ભગવાનની ભક્તિમાં રત રહેવાની પ્રેરણા આપતા હતા. તેઓ હંમેશા માટે લોકોને ગૌહત્યાની વિરુદ્ધમાં ઊભા રહેવાની પ્રેરણા આપતા હતા.

પ્રયાગરાજમાં ઈ.સ.1989માં મહાકુંભના પાવન પર્વ ઉપર વિશ્વ હિન્દુ પરિષદના મંચ ઉપરથી બાબાએ પોતાનો પાવન સંદેશો આપતા કહ્યું હતું કે- “દિવ્યભૂમી ભારતની સમૃદ્ધિ ગૌરક્ષા, ગૌસેવા વગર શક્ય નથી, ગૌહત્યને કલંકને દૂર કરવું જરૂરી છે”

devrah baba6
પરંતુ ઉંમરના સંદર્ભમાં જે પ્રકારે તથ્ય લોકો બતાવે છે કે તે ઘણું આશ્ચર્યજનક છે. લોકો કહે છે કે બાબાની શારીરિક અવસ્થા વર્ષો સુધી જેવી છે તેવી જ રહી હતી. જે કોઈ માણસે તેમને વર્ષો પહેલા જોયા હતા તેવો અનેક વર્ષો પછી જુએ તો પણ એ તો એવા જ દેખાતા હતા, તેમનામાં કોઈ બદલાવ મહેસૂસ થતો ન હતો.

બાબાના દર્શન કરવા આનનાર લોકો તેમને મળીને ઘણા પ્રસન્ન થતા હતા. બાબા હંમેશા થોડે ઊંચે બેસીને જ પોતાના ભકતોને મળતા હતા તથા બધાની વાતને ધ્યાનથી સાંભળતા હતા. લોકો કહે છે કે બાબા પોતાના ભક્તોને મળીને ઘણા ખુશ થતા હતા અને તેમને મનોવાંછીત ફળ પ્રદાન કરતા હતા.

તેમની પોતાના ભક્તોને પ્રસાદ આપવાની રીત પણ ઘણી આશ્ચર્યચકિત કરી દેનારી હતી જેની ઉપર વિશ્વાસ કરી શકવો મુશ્કેલ છે. કહેવાય છે કે જ્યારે કોઈ ભક્ત તેમને પ્રસાદની કામના કરતા હતા તો બાબા તેમના ઊંચા મચાન ઉપર બેસીને જ પોતાના મચાન(પાલખ)ના ખાલી ભાગમાં રાખતા હતા અને તેમના હાથમાં ફળ, મિઠાઈઓ અને અન્ય ખાદ્ય પદાર્થો પોતાના હાથમાં આપમેળે જ આવી જતા હતા.

devrah baba5

આ જોઈ લોકોને આશ્ચર્ય થતું હતું કે ખાલી પડેલા પાલખમાં બાબાનો પ્રસાદ કેવી રીતે આવી જતો હતો. કેટલાક લોકોનું માનવું હતું કે બાબા પોતાની અદ્રશ્ય શક્તિઓની મદદથી ગમે ત્યાં ચાલ્યા જતા હતા તથા પોતાના ભક્તો માટે પ્રસાદ લાવતા હતા. દેવરહા બાબા એ બાબતમાં પણ અનોખા હતા. એ માથે હાથ મૂકવાને બદલે માથે લાત મારીને આશીર્વાદ આપતા હતા.

લોકોનું એવું પણ કહેવું હતું કે બાબાએ વર્ષો સુધી પોતાના સૂક્ષ્મ શરીરમાં રહીને તપસ્યા પણ કરી હતી એટલા માટે તેમની ઉંમરનું યોગ્ય અનુમાન લગાવવું લોકો માટે વધુ મુશ્કેલ હતું. મોટાભાગે લોકો તેમની આટલી લાંબી જિંદગી જોઈને એવું અનુમાન લગાવતા હતા કે તેઓ ખૂબ જ પૌષ્ટિક આહાર લેતા હશે.

પરંતુ એવું બિલકુલ નથી. જનશ્રૃતિઓ પ્રમાણે બાબાએ પોતાના આખા જીવન દરમિયાન કશું જ ખાધુ ન હતું. તેઓ માત્ર દૂધ અને મધ પીને જીવતા હતા. તે સિવાય શ્રીફળનું પાણી પણ તેમને ખૂબ જ પસંદ હતું.

devrah baba7

દેવરહા બાબાની ચમત્કારી શક્તિઓથી આકર્ષિત થઈને દેશના અનેક જાણીતા લોકો પણ તેમના દર્શન કરતા આવતા હતા, આ લિસ્ટમાં છે ડો. રાજેન્દ્ર પ્રસાદ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, અટલ બિહારી વાજપેયી, લાલૂ પ્રસાદ યાદવ, મુલાયમ સિંહ અને કમલાપતિ ત્રિપાઠી જેવા રાજનેતાઓના નામ સામેલ છે.

કહેવાય છે કે દેશમાં કટોકટિ પછી થયેલી ચુંટણીઓમાં ઈન્દિરા ગાંધી હરી ગઈ હતી તો તેઓ દેવરહા બાબાની પાસે પોતાની સમસ્યાનો હલ માંગવા આવી હતી. ત્યારે બાબાએ પોતાના હાતના પંજાથી તેમને આશીર્વાદ આપ્યા હતા અને ત્યારથી કોંગ્રેસનું ચુંટણી ચિન્હ હાથનો પંજો છે. માન્યતા પ્રમાણે બાબને મળ્યા પછી ચુંટણીમાં ઈન્દિરા ગાંધીની જીત થઈ હતી.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

2000 વર્ષ પહેલાં ચાણક્ય કહી ગયા છે જીવન જીવવાની કામની વાતો, યાદ રાખજો આ સુવર્ણસૂત્રો!

કલીયુગમાં દરેક ક્ષેત્રમાં સફળતા,સુખ અને વિજય પ્રાપ્ત કરવા, પરિવાર અને જીવનમાં ઉતારો આચાર્ય ચાણક્યની આ સુવર્ણ નીતિઓ

ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

પરાજયે મને ખૂબ શીખવ્યું પછી હું ‘ગોલ્ડન ગર્લ’ બની (કભી કભી)

pt

એનું નામ છે પી.ટી. ઉષા.

દેશની ઉડતી પરી તરીકે જાણીતી બનેલી પી.ટી. ઉષાની જિંદગીની કહાણી દેશનાં કરોડો યુવક-યુવતીઓ માટે પ્રેરણાદાયી છે.

તે ચોથા ધોરણમાં ભણતી હતી. બીજાં બાળકોની જેમ તેને દોડવું- ભાગવું ગમતું હતું. એક દિવસ સ્કૂલમાં એના રમતગમત શિક્ષકે તેને સાતમા ધોરણના છોકરાની સામે ઊભી કરી દીધી. તે છોકરો દોડવામાં ચેમ્પિયન હતો. ટીચરે કહ્યું: ”એની સાથે દોડો અને જીતીને આવો.”

આ વાત સાંભળતાં જ તે ગભરાઈ ગઈ, પરંતુ શિક્ષકનો આદેશ હતો તેથી દોડવું જરૂરી હતું. તે મેદાન પર ગઈ, ખૂબ ઝડપથી દોડી અને ચેમ્પિયન હારી ગયો. તે સાતમાં ધોરણમાં આવી, એ વખતે તે જિલ્લા ચેમ્પિયન બની ગઈ. તે પછી જીતવાનો સિલસિલો જ ચાલુ થઈ ગયો. ૧૯૮૪માં તે દોડમાં ઓલિમ્પિક ફાઈનલમાં પહોંચવાવાળી પહેલી મહિલા બની ગઈ. ૧૯૮૫માં એણે એશિયન ટ્રેક એન્ડ ફિલ્ડ ચેમ્પિયનમાં પાંચ ગોલ્ડ મેડલ જીત્યા. એ પછી એણે અર્જુન એવોર્ડ અને પદ્મ શ્રી એવોર્ડ પણ એનાયત થયા.

કેરલના કોઝીકોટી જિલ્લાના કોથલી ગામમાં જન્મેલી પી.ટી. ઉષા બચપણમાં અકસર બીમાર રહેતી હતી. માતા-પિતા તેના સ્વાસ્થ્ય અંગે સતત ચિંતામાં રહેતા હતાં. બધાને ચિંતા હતી કે આ છોકરીનું શું થશે? સહેજ મોટી થતાં તે સ્કૂલ જવા લાગી. વારંવાર બીમાર પડી જતી હોવાથી એને અનેક વાર સ્કૂલમાંથી રજા લેવી પડતી. એના પિતા ગામમાં કાપડની એક નાનકડી દુકાન ચલાવતા હતા. પી.ટી. ઉષા અને એ બધા મળીને છ ભાઈ-બહેન હતા. આટલા બધાની પરવરીશ કરવી તે એક મોટી સમસ્યા હતી. પિતા શિક્ષણનું મહત્ત્વ સમજતા હતા. અનેક મુશ્કેલીઓ છતાં બાળકોના શિક્ષણને તેમણે નજરઅંદાજ ના કર્યું.

ઉષાનું મન ભણવાની સાથેસાથે ખેલકૂદમાં પણ લાગેલું હતું . સમયની સાથે એની સક્રિયતા પણ વધી ગઈ. રમતના મેદાનમાં ભાગતા- દોડતા ખેલાડીઓને જોવામાં એને મજા આવતી હતી. એ વખતે તેના મનમાં થતું કે કાશ હું પણ આ રીતે દોડી શક્તી!

એ વખતે તે દસ વર્ષની હતી. સ્કૂલમાં રમતોની સ્પર્ધા શરૂ થવાની હતી. ખેલાડીઓની પસંદગી થઈ રહી હતી. ઉષા પણ રમતના મેદાન પર એક ખૂણામાં ઊભેલી હતી. ત્યાં જ એનાં શિક્ષકે ઉષાને ઈશારો કરી પોતાની પાસે બોલાવી. શિક્ષકે તેને કહ્યું: ”ચાલો,આ છોકરો કે જે દોડવામાં ચેમ્પિયન છે તેને હરાવો.” એ વખતે તે છોકરો સાતમા ધોરણમાં હતો જ્યારે ઉષા ચોથા ધોરણમાં હતી. એ પહેલાં ઉષાએ કદીએ દોડમાં ભાગ લીધો નહોતો. શિક્ષકનો આદેશ હતો તેથી ઉષા પાસે દોડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.

શિક્ષકે સિટી મારી.

ઉષા અને ચેમ્પિયન બોય દોડવા લાગ્યા. શરૂઆતમાં ઉષાની રફતાર ધીમી હતી, પણ થોડી જ ક્ષણો બાદ ઉષા જાણે કે હવામાં ઊડવા લાગી. રમતના મેદાન પર ઊભેલા છોકરાઓ ચેમ્પિયન છોકરાના નામના નારા લગાવી રહ્યા હતા, પણ ઉષા જાણે કે એ સાંભળતી જ ના હોય તે રીતે બડી તેજ રફતારથી દોડી રહી હતી. એટલું ઝડપથી દોડી કે ચેમ્પિયન છોકરો હારી ગયો.

એ વિજયે ઉષા માટે નવો રસ્તો ખોલી દીધો. ઉષા કહે છેઃ ”મારા માતા-પિતા રમતગમત અંગે કાંઈ જ જાણતા નહોતા. મેં પણ કદી વિચાર્યું નહોતું કે હું કરી એથ્લેટ બનીશ. મેં એટલું જ વિચાર્યું હતું કે ભવિષ્યમાં બહુ બહુ તો હું પી.ટી. ટીચર બની જઈશ.”ળ

અને તે દિવસ બાદ ઉષા સ્કૂલની ટીમનો એક હિસ્સો બની ગઈ. ૧૯૭૬માં કેરળ સરકારે કુન્નૂરમાં મહિલા ખેલાડીઓને પ્રોત્સાહન માટે એક શિબિરનું આયોજન કર્યું હતું. આ તાલીમ શિબિરમાં કોચ ઓ.એમ. નમ્બિયારની દેખરેખમાં ચાલીસ વિર્દ્યાિથનીઓની તાલીમ શરૂ થઈ. તેમાં પી.ટી. ઉષા પણ સામેલ હતી. ૧૯૭૯માં ઉષાને નેશનલ સ્કૂલ ગેમ્સમાં ભાગ લેવાનો મોકો મળ્યો. આ સ્પર્ધામાં તે ચેમ્પિયન બની અને મીડિયામાં છવાઈ ગઈ. ૧૯૮૦માં તે પાકિસ્તાન ઓપન નેશનલ મીટમાં ભાગ લેવા કરાંચી ગઈ. આ તેનો પહેલો આંતરરાષ્ટ્રીય પ્રવાસ હતો.

ઉષાની ખેલ કારકિર્દીમાં કાફી ઉતારચડાવ આવ્યા પણ ઉષાએ હાર કદી ના સ્વીકારી. તે કદી હતાશ- નિરાશ ના થઈ. ૧૯૮૪માં તેની રમતગમત કારકિર્દીનો પ્રથમ મહત્ત્વપૂર્ણ મુકામ આવ્યો. ઉષાએ લોસ એન્જેલસમાં આયોજિત ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો. એ વખતે તે ૨૦ વર્ષની હતી. આખા દેશને તેના પદક માટે આશા હતી અને તે ઓલિમ્પિકમાં ફાઈનલ રાઉન્ડમાં પહોંચવાવાળી પહેલી ભારતીય એથ્લેટ બની ગઈ, પરંતુ ચંદ્રક મેળવવા માટે થોડાક પોઈન્ટસ ખૂટયા. આ બાબતે તેને જ નહીં પરંતુ આખા દેશને મોટો ઝાટકો લાગ્યો. ઉષા કહે છેઃ ”એ પરાજયે મને બહુ જ રડાવી દીધી. આટલી નિરાશ હું અગાઉ કદી થઈ નહોતી. હું ખૂબ રડી. પણ એ પરાજયે મારામાં એક નવું જ જોમ ભરી દીધું એ પછી જ હું ગોલ્ડન ગર્લ બની ગઈ.”

ઓલિમ્પિકમાં પરાજયે ઉષાને બહુ જ નિરાશ કરી દીધી હોવા છતાં લોસ એન્જલસથી પાછા ફર્યા બાદ દેશમાં ઉષાનું શાનદાર સ્વાગત થયું. એ વખતે તેને અહેસાસ થયો કે દેશના લોકો તેને કેટલું બધું ચાહે છે. ઉષા કહે છેઃ ”ઓલિમ્પિકમાંથી પાછા આવ્યા બાદ ઠેર ઠેર લોકો મારું સ્વાગત કરવા એકત્ર થઈ ગયા. કેટલાયે એવોર્ડ મળ્યા. પુરસ્કારના રૂપમાં મને નવું ઘર અને નવી મોટરકાર ભેટમાં મળી. મેં કદીયે વિચાર્યું નહોતું કે મને કદીક આટલો પ્રેમ અને સન્માન મળશે.”

ઓલિમ્પિકમાંથી પાછા આવ્યા બાદ ઉષાને અહેસાસ થયો કે આખો દેશ તેની પર કેટલી બધી ઉમ્મીદો લગાવીને બેઠો છે. તે હારી ગઈ છે એ વાત ભૂલીને સિયોલમાં યોજાનાર ૧૦મી એશિયન ગેમ્સની પ્રતિયોગીતાની તૈયારીઓમાં લાગી ગઈ.

તે પછી આંતરરાષ્ટ્રીય ખેલ સ્પર્ધામાં ભાગ લેવા તે સિયોલ ગઈ.

સિયોલમાં તે ચાર ગોલ્ડ મેડલ જીતીને ભારત આવી. એ હવે ગોલ્ડન ગર્લ બની ગઈ. લોકો તેને ‘ગોલ્ડન ગર્લ’ કહીને બોલાવવા લાગ્યા.

૧૯૯૧માં તેણે તેના મિત્ર પી.શ્રીનિવાસન સાથે લગ્ન કરી લીધું. એક વર્ષ બાદ તેણે એક પુત્રને જન્મ આપ્યો. રમતના મેદાનમાં હવા સાથે ઊડવાવાળી પી.ટી. ઉષાએ પારિવારિક જવાબદારીઓ પણ ગંભીરતાથી નિભાવી. કેટલાક લોકોને લાગ્યું કે, પારિવારિક જીવન તેની ખેલાડી તરીકેની કારકિર્દીને ખતમ કરી દેશે, પણ એમ ના થયું. સાત વર્ષ બાદ ૧૯૯૮માં જાપાનમાં આયોજિત એશિયન ટ્રેક ફેડરેશન મીટમાં તેણે ભાગ લીધો અને બ્રોન્ઝ મેડલ સાથે એણે શાનદાર પુનરાગમન કર્યું.

ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને તેને સદીની મહાન ખેલાડી તરીકે સન્માન બક્ષ્યું. ૨૦૦૦ની સાલમાં તેણે રમતગમતમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી. હવે તે કેરલના કોઝીકોટ જિલ્લામાં સ્પોર્ટ્સ સ્કૂલ ચલાવે છે. અહીં દેશભરના બાળકો તાલીમ માટે આવે છે. પી.ટી. ઉષાનું હવે એક જ લક્ષ્ય છેઃ ”દેશ માટે સુંદર ખેલાડી તૈયાર કરવા.”

– દેવેન્દ્ર પટેલ
સાભાર: સંદેશ

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…સુવાવડ, પેશાબ, શ્વેત પ્રદર, નબળાઈ જેવા સ્ત્રી રોગો માટે 25+ ઘરેલૂ નુસખા

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

કલીયુગમાં દરેક ક્ષેત્રમાં સફળતા,સુખ અને વિજય પ્રાપ્ત કરવા, પરિવાર અને જીવનમાં ઉતારો આચાર્ય ચાણક્યની આ સુવર્ણ નીતિઓ

chankya7

આચાર્ય ચાણક્ય દ્વારા જણાવેલ નીતિઓ કોઇપણ વ્યક્તિના જીવનને સુખી અને સફળ બનાવી શકે છે. ચાણક્યે પોતાની નીતિઓના બળ પર જ એક સામાન્ય બાળક ચંદ્રગુપ્તને અખંડ ભારતનો સમ્રાટ બનાવી દીધો હતો. સાથે જ, વિદેશી શાસક સિકંદરથી ભારતની રક્ષા પણ કરી હતી. ચાણક્યની નીતિઓ ખૂબ જ સટીક છે અને જે પણ વ્યક્તિ આ નીતિઓને જીવનમાં ઉતારી લે છે, તે મોટી પરેશાનિઓનો સામનો પણ સરળતાથી કરી શકે છે. અહીં જાણો ચાણક્ય દ્વારા જણાવવામાં આવેલા ચાર એવા કામ જે કોઇ વ્યક્તિ બીજાને શીખવાડી શકતો નથી.

ચાણક્ય મુજબ કોઇપણ વ્યક્તિ કેટલો દાનવીર છે, તે તેના સ્વભાવમાં જ રહે છે. કોઇપણ વ્યક્તિની દાનશક્તિને ઘટાડવી કે વધારવી ખૂબ જ મુશ્કેલ છે. આ આદત વ્યક્તિના જન્મની સાથે જ આવે છે. એટલે કે, કોઇપણ વ્યક્તિ દાન કરવાની ક્ષમતાને વધારી કે ઘટાડી શકાતી નથી. દરેક વ્યક્તિ પોતાની ઇચ્છાથી જ દાન-પુણ્ય કરે છે.

1. ઘણા માણસો માને છે કે પૈસાથી સુખ મળે છે. બીજા કેટલાક લોકો માને છે કે સમાજમાં પ્રસિદ્ધિથી અને સત્તાથી સુખ મળે છે. ઘણા લોકોને જમીનજાગીરમાં અને જરજવેરાતમાં સુખ દેખાય છે, પણ જેમની પાસે આ બધું છે, તેઓ પણ ખરેખર સુખી નથી. તો પછી સાચા સુખની પ્રાપ્તિ કોને કહેવાય ? આ સવાલનો જવાબ આપણને ‘ચાણકયનીતિ’ માંથી મળે છે.

2. હકીકતમાં સુખની પાછળ દોટ મૂકતાં આજના માનવને સંસારમાં કઇ ચીજોથી સાચું સુખ મળે છે, તેની જ ખબર નથી. સુખી બનવા માટેની ચીજો પૈસાથી ખરીદી શકાતી નથી.

3. ચાણકય કહે છે કે, ‘જે વ્યકિતના ઘરમાં આનંદમંગળનું વાતાવરણ પ્રવર્તતું હોય, સંતાનો બુદ્ધિશાળી હોય, પત્ની પ્રિયભાષિની હોય, પોતે ઉદ્યમી હોય, નીતિથી કમાયેલું ધન હોય, ઉત્તમ મિત્રો હોય, જેને પોતાની પત્ની પ્રત્યે આદર હોય, જેના નોકર-ચાકર આજ્ઞાંકિત હોય, જેના કુટુંબમાં અતિથિને આદર અપાય છે, ઇશ્વરની ઉપાસના થાય છે, ઘરમાં દરરોજ સ્વાદિષ્ટ ભોજન બને છે, પીવા માટે મીઠાં પાણીની વ્યવસ્થા છે અને જે ગૃહસ્થને હંમેશા સજ્જન વ્યકિતની સંગતિ કરવાની તક મળે છે, તે ધન્ય બની જાય છે.’

4. શું ફોર્બ્સની યાદીમાં જે અબજોપતિઓને સ્થાન આપવામાં આવ્યું છે તેઓ આ બધી બાબતમાં સુખી છે ખરા ?

5. સુખી થવા માટે ચાણકયે જે ચીજોની આવશ્યકતા બતાવી છે, તેમાં ધનથી ખરીદી શકાય તેવી ભાગ્યે જ કોઈ ચીજો છે.

6. મનુષ્ય પૈસાદાર બની જાય એટલે તેના સંતાનો બુદ્ધિશાળી પેદા થાય, એવું જરુરી નથી. બુદ્ધિશાળી અને આજ્ઞાંકિત સંતાનો પૂર્વ ભવના કોઈ પુણ્યથી જ પ્રાપ્ત થાય છે.

7. પ્રિયભાષિની પત્ની પણ આજના કાળમાં બહુદુર્લભ ગણાય છે. શ્રીમંતોની પત્ની કર્કશા ન હોય તેવી કોઈ ગેરન્ટી નથી.

8. માણસ પાસે અમર્યાદિત ધન હોય પણ તે અનીતિથી કમાયેલું હોય તો તે ધન માણસને સુખ આપી શકતું નથી. અનીતિને કારણે તે મનુષ્ય ઘણા સાથે દુશ્મનાવટ વહોરી લે છે અને શાંતિથી જીવી શકતો નથી.

9. સંસારના સુખોની પ્રાપ્તિ માટે મર્યાદિત ધનની જરુર પડે છે તેની ના નથી, પણ આ ધન જો નીતિથી કમાયેલું હોય તો જ કામ લાગે છે. અનીતિની કમાણી કદી સુખ આપી શકતી નથી.

10. પત્ની પ્રિયભાષિની હોય, એટલું પૂરતું નથી. પતિને પોતાની પત્ની પ્રત્યે પ્રેમ અને આદર હોવા પણ બહુ જરુરી છે. પતિને જો પત્ની પ્રત્યે તિરસ્કારભાવ હોય તો ઘરની લક્ષ્મી સંતુષ્ટ નથી રહેતી પણ સતત કચવાટમાં રહે છે.

11. સ્ત્રીને પ્રસન્ન રહેવા માટે માત્ર ધન, દોલત, વસ્ત્રો અને આભૂષણો ઉપરાંત સન્માન અને સત્કારની પણ જરુર રહે છે.

12. શ્રીમંતો ઘણી વખત પોતાની પત્ની સાથે પગલૂછણિયાં જેવું વર્તન કરતાં હોય છે. બીજાની હાજરીમાં તેઓ પત્નીનું અપમાન કરતા હોય છે અને તેને ઉતારી પાડતા હોય છે.

13. જે ઘરની લક્ષ્મીની આંતરડી કકળતી હોય, તે ઘરમાં કદી આનંદમંગળનું વાતાવરણ પ્રવર્તી શકતું નથી.

14. પૈસાથી નોકર-ચાકર ખરીદી શકાય છે, પણ તેમનો આદર ખરીદી શકાતો નથી. નોકર-ચાકરનો આદર મેળવવા માટે તેમની સાથે દયાળુ અને માયાળુ વર્તન કરવું જરુરી બની જાય છે.

15. જે શેઠને આજ્ઞાંકિત નોકર-ચાકર મળ્યા હોય તેઓ જ સુખી બની શકે છે. નોકર-ચાકરની વફાદારી કેવળ પગારથી નહીં પણ ચારિત્ર્યથી અને સારા વર્તનથી જ ખરીદી શકાય છે.

16. જે પરિવાર સંસ્કારી હોય તેમાં જ નિયમિત અતિથિઓની અવરજવર ચાલુ રહે છે. અતિથિ વગરના મહેલની કોઇ કિંમત નથી, પણ અતિથિની અવરજવર ધરાવતાં ઝૂંપડાંમાં પણ આનંદનું વાતાવરણ જોવા મળે છે.

17. અતિથિ પૈસાના નહીં પણ ભાવનાના ભૂખ્યા હોય છે.

18. આજકાલ શ્રીમંતો પાસે ધન બહુ હોય છે, પણ પત્નીને રસાઈ કરવાની આળસ હોય છે અને નોકર-ચાકરો મળતા નથી, જેને કારણે હોટેલનું ખાવાનું ખાવું પડે છે.

19. જે મનુષ્ય બે ટંક ઘરની રસોઇ પણ જમી ન શકે, તેને સુખી ગણી શકાય નહીં.

20. સજ્જન વ્યકિતની સોબત કરવા માટે આપણે પણ સજ્જનતા કેળવવી પડે છે. સજ્જનોની સોબત પણ ધનથી ખરીદી શકાતી નથી

21. જે શાણા પુરુષો પોતાના ભાઇભાંડુઓ સાથે સજ્જનતાથી વર્તે છે, બીજાઓ પ્રત્યે દયા રાખે છે પણ દુર્જનો પ્રત્યે જેવા સાથે તેવાનો વ્યવહાર રાખે છે, વિદ્વાન સાથે સરળતાથી અને પાપી સાથે કડકાઇથી વર્તે છે, શક્તિશાળી વ્યક્તિ સાથે ખુમારીથી વર્તે છે, ગુરુ, માતાપિતા અને આચાર્ય પ્રત્યે સહનશીલ થઇ વર્તે છે અને સ્ત્રીઓ ઉપર આંધળો વિશ્વાસ નથી મૂકતા તેઓ સંસારમાં સફળ થાય છે.

22. અહીં ચાણકય આપણને જેવા સાથે તેવા થવાની બહુ પ્રેકિટકલ શિખામણ આપે છે. સંતમાં અને ગૃહસ્થમાં ફરક છે.

23. સંતોને બધા જ પ્રત્યે કરુણા હોવી જોઈએ, પણ જેને પોતાના પરિવારનું રક્ષણ કરવાનું છે અને આર્થિક વ્યવહારો નિભાવવાના છે તે બધા પ્રત્યે કરુણા રાખીને પોતાની જવાબદારી નિભાવી શકે નહીં. આ કારણે જ ચાણકયે દુર્જન પ્રત્યે દુર્જુન જેવો વ્યવહાર કરવાની સલાહ આપી છે.

24. દુર્જનો સાથે માયાળુ વર્તન કરવામાં આવે તો તેઓ તેને આપણની નબળાઈ ગણીને આપણને વધુ હેરાન કરવાની કોશિષ કરે છે. આ કારણે ‘શઠં પ્રતિ શાઠયં’ની નીતિ અપનાવવી જ પડે છે અને હૃદયમાં કરુણા રાખીને પણ પાપીઓ સાથે કડક વ્યવહાર રાખવો પડે છે.

25. તાજેતરમાં આંતકવાદીઓએ મુંબઇ ઉપર સશસ્ત્ર હુમલો કર્યો અને સેંકડો નિર્દોષ માનવીઓની કતલ કરી તેમની સાથે સૌજન્ય દાખવી શકાય નહીં. કોઇ ધર્મગુરુ તેમને માફ કરી દેવાની ભલામણ કરે તો પણ જેમની ઉપર પ્રજાના જાનમાલની રક્ષા કરવાની જવાબદારી છે, તેઓ આતંકવાદીઓની દયા ખાઈ શકે જ નહીં. તેઓ જો દયા ખાય તો પોતાના આશ્રિતોનું રક્ષણ કરી શકે નહીં.

26. સજ્જન અને સુખી માણસોના લક્ષણો વર્ણવ્યા પછી હવે ચાણકય દુર્જન અને દુઃખી માણસોનાં લક્ષણોનું પણ વર્ણન કરે છે, જેને વાંચીને આપણે અત્યારે કઇ કક્ષામાં છીએ તેનો ખ્યાલ આવે છે.

27. જેના હાથે કદી દાનકર્મ થતું નથી, જેના કાને કદી વિદ્વાનોનાં વચન પડતાં નથી, જેણે પોતાના નેત્રોથી સજ્જન પુરુષના દર્શન નથી કર્યા, પગપાળા તીર્થોની યાત્રા નથી કરી, અન્યાયથી ધન એકઠું કરીને પણ જો સમાજમાં ઘમંડથી જીવે છે તેને ચાણકય શિયાળ જેવા નીચ ગણાવે છે. આવી વ્યકિતઓને ચાણકય કહે છે, “તમારે આ સંસારમાં જીવતા જ રહેવું જોઈએ નહીં પણ શક્ય એટલો જલદી આ નીચ શરીરનો ત્યાગ કરી દેવો જોઈએ.”

28. આજે આપણા સમાજમાં શ્રીમંતો ઘણા છે, પણ પોતાની લક્ષ્મીનો સદુપયોગ પરોપકારનાં કાર્યોમાં કરતા હોય તેવા પુણ્યશાળીઓ બહુ ઓછા છે. લક્ષ્મી મેળવવા માટે નસીબની જરુર પડ છે, પણ પુણ્યથી પ્રાપ્ત થયેલી લક્ષ્મીનો સદુપયોગ કરવાની ઇચ્છા જબરદસ્ત પુણ્ય હોય તેને જ થાય છે. બાકીના શ્રીમંતો પોતાની લક્ષ્મીનો ઉપયોગ દાનપુણ્યમાં નથી કરતાં તેમને આ લક્ષ્મી કદ સુખ આપી શકતી નથી.

29. માણસ પાસે ધન આવી જાય એટલે તેનામાં વિદ્વતા આવી જાય અને તે જ્ઞાની બની જાય એવું જરુરી નથી. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ્ઞાનીનાં વચનો સાંભળવા જોઈએ અને તેને વિનયપૂર્વક હૃદયમાં ઉતારવાની કોશિષ પણ કરવી જોઈએ. જેને એવું અભિમાન છે કે મારી પાસે દુનિયાનું બધું જ્ઞાન છે તે કદી જ્ઞાનીનાં વચનામૃતો સાંભળવા જતો નથી પણ કૂવામાંના દેડકાની જેમ પોતાની સંકુચિત દુનિયામાં જ મસ્ત રહે છે.

30. જે વ્યકિત અહંકારી છે તેને સજ્જનો સાથે પણ ફાવતું નથી. સજ્જનો આવી અભિમાની વ્યકિતનો પડછાયો પણ લેવાનું પસંદ કરતાં નથી.

31. જેને ઇશ્વરમાં શ્રદ્ધા નથી હોતી તે કષ્ટો ઉઠાવીને તીર્થયાત્રા કરતા નથી પણ તીર્થસ્થાનોમાં પણ મોજ કરવા જાય છે. તેમને યાત્રાનું ફળ નથી મળતું પણ પાપની વૃદ્ધિ થાય છે. આવા મનુષ્યો ધનવાન હોય તો પણ દયાને પાત્ર છે.

32. ચાણકયે સજ્જન પુરુષોના અને સત્સંગના ભારે ગુણગાન કર્યા છે. ચાણકય કહે છે કે, ‘સજ્જન પુરુષોના દર્શનમાત્રથી પુણય પ્રાપ્ત થાય છે, કારણ કે સંત પુરુષ સાક્ષાત્ તીર્થસ્વરુપ છે.

33. તીર્થયાત્રા કરનારને યોગ્ય સમય આવે ત્યારે ફળ મળે છે, જ્યારે સંતના સમાગમથી તાત્કાલિક ફળની પ્રાપ્તિ થાય છે.

34. સજ્જન વ્યકિતની સંગતમાં રહીને દુર્જન પણ સજ્જન બની શકે છે, પણ સજ્જન વ્યકિતમાં દુર્જનના ગુણો ક્યારેય આવતા નથી. માટે સુખી થવા ઇચ્છનારે સજ્જનોનો સંગ કરવો જોઈએ.’

35. ચાણકયનાં આ બધાં જ વાક્યોનો સાર એક જ વાક્યમાં આપી શકાય કે, ‘સુખી બનવા માટે સજ્જન બનવું અનિવાર્ય છે, દુર્જનો કદી સુખી બની શકતા નથી.’ આ સારને પામ્યા પછી આપણે બધાએ દુનિયામાં સજ્જનોની શોધ આદરી દેવી જોઈએ અને તેમની જ સંગત કરવી જોઈએ.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

VIDEO: શિકાગોમાં પ્રથમ વ્યાખ્યાનમાં ખરેખર વિવેકાનંદ શું બોલ્યા હતા..?

swamiji

 

‘અમેરિકાનાં બહેનો અને ભાઇઓ’ આ સંબોધન સાથે સ્વામી વિવેકાનંદજીએ 11 સપ્ટેમ્બર,1893 રોજ શિકાગોની વિશ્વ ધર્મસભામાં પોતાના ભાષણની શરૂઆત કરી અને તુરત જ મંચ પર બેઠેલા વિશ્વના વિદ્વાનો અને આર્ટ ઇન્સ્ટિટ્યૂટના ‘હોલ ઓફ કોલંબસ’ના વિશાળ ખંડમાં ઉપસ્થિત લગભગ ચાર હજાર શ્રોતાઓ ઉત્સાહના અતિરેકમાં આવી ગયા અને લોકોએ પોતાની જગ્યા પર ઊભા ઊભા તાળીઓના ગડગડાટથી સ્વામીજીને વધાવી લીધા. ધર્મસભા ઉન્મત્ત થઇ ગઇ. જયજયકારની તાળીઓની ગુંજ લગભગ બે મિનિટ સુધી સંભળાતી રહી.

આ પછી સ્વામી વિવેકાનંદએ વિશ્વના પ્રાચીનતમ ધર્માચાર્યો અને વૈદિક ઋષિઓ વતી કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરીને વિશ્વને ધર્મ, સહિષ્ણુતા અને સાર્વભૌમિક સ્વીકારનું શિક્ષણ દેવાવાળા હિન્દુધર્મને બધા જ ધર્મોની જનેતારૂપે ઓળખાવીને પોતાના વ્યાખ્યાનનો પ્રારંભ કર્યો હતો. આ વ્યાખ્યાન અત્યંત સંક્ષિપ્ત હતું પણ તેની સાર્વભૌમિકતા, ગાંભીર્યપૂર્ણ વિચાર-મૌલિકતા અને ઉદ્દાત માનસિક ભાવનાએ સંપૂર્ણ મહાસભાને વશીભૂત કરી લીધી. વિશ્વના ઈતિહાસમાં એક સોનેરી પાનું ઉમેરાયું.

આપણે માત્ર ‘અમેરિકાનાં બહેનો અને ભાઇઓ’ પુરતી આ વ્યાખ્યાનને સિમિત રાખીએ છીએ, પણ ખરેખર તેને ઉમદા વક્તવ્યમાં કેવી ભાવના વ્યક્ત કરી હતી તે બહુ ઓછા લોકો જાણે છે તે માટે અહીં જાણો તેના પ્રથમ વ્યાખ્યાનના અંશ….

(શિકાગો ખાતે થયેલ ધાર્મિક સંમ્મેલમાં તેમના દ્વારા રજૂ કરવામાં આવેલ ઓરિજનલ સ્પીચના અંશ)

(આગળની સ્લાઈડ્સમાં હિન્દી ભાષામાં અનુવાદિત વિડિયો સાંભળો)
અમેરિકાવાસી બહેનો તથા ભાઈઓ,

આપે જે સૌહાર્દ અને સ્નેહની સાથે મારું સ્વાગત કર્યું છે, તે પ્રત્યે આભાર પ્રગટ કરવા અહીં ઉભા થતાં સમયે મારા હૃદયમાં અવર્ણીય હર્ષ થયો. સંસારમાં સંન્યાસીઓની સૌથી પ્રાચીન પરંપરા તરફથી આપનો આભાર માનું છું. ધર્મોની માતા તરફથી ધન્યાવાદ આપું છું, અને બધા સંપ્રદાયો તથા માતાઓને કોટી કોટી હિન્દુઓ તરફથી ધન્યાવાદ આપું છું.

હું આ મંચ પરથી બોલનારા આ મહાન વક્તાઓ પ્રત્યે પણ ધન્યાવાદની લાગણી અનુભવું છું, જેને પ્રાચીન પ્રતિનિધિઓનો ઉલ્લેખ કરતા સમયે આપને એ જણાવ્યું છે કે સુદૂર દેશોમાં આ લોકો સહિષ્ણુતાના ભાવથી વિવિધ દેશોમાં પ્રચારિત કરવાના ગૌરવનો દાવો કરી શકે છે. હું એક એવા ધર્મનો અનુયાયી હોવામાં ગર્વ અનુભવું છું, જેણે સંસારને સહિષ્ણુતા તથા સાર્વભૌમ સ્વીકૃતિ, બન્નેની શિક્ષા આપી છે. અમે લોકો બધા ધર્મો પ્રત્યે કેવળ સયહિષ્ણુતામાં જ વિશ્વાસ નથી કરતા, પરંતુ સમસ્ત ધર્મોને સાચા માનથી સ્વીકાર કરીએ છીએ.

( હિન્દી ભાષામાં અનુવાદિત વિડિયો)

મને એવા દેશના વ્યક્તિ થવાનું અભિમાન છે, જે આ પૃથ્વીના સમસ્ત ધર્મો અને દેશોના ઉત્પીડિતો અને શરણાર્થીઓને આશ્રય આપે છે. મને આપને એ જણાવતા ગર્વ થાય છે કે અમે પોતાના હૈયામાં યહુદીઓના વિશુધ્ધતમ અવશિષ્ટને સ્થાન આપ્યું હતું, જેને દક્ષિણ ભારત આવીને તે વર્ષે શરણ લીધું હતું, જે વર્ષ તેના પવિત્ર મંદિર રોમન જાતિના અત્યાચારથી ધૂળમાં મેળવી દીધું હતું.

એવા ધર્મના અનુયાયી હોવાનો મને ગર્વ છે, જે મહાન જરથુષ્ટ્ર જાતિના અવશિષ્ટ અંશને શરણ આપ્યું હતું અને જેનું પાલન તે હજી સુધી કરી રહ્યું છે. ભાઈઓ, હું આપ લોકોને એક સ્તોત્રની કેટલીક પંક્તિઓ સંભળાવું, જેનું રટણ હું બાળપણથી કરી રહ્યો છું અને જેનું રટણ લાખો લોકો કરતા રહ્યા છે –

रुचिनां वैचित्र्यादृजुकुटिलनानापथजुषाम् । नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव ।।

‘જેમ વિભિન્ન નદિઓ ભિન્ન ભિન્ન સ્ત્રોતથી નિકળી સમુદ્રમાં મળે છે, તે રીતે એ પ્રભુ, ભિન્ન ભિન્ન રુચી અસાર આડા-સીધા રસ્તેથી આવનાર લોકો અંતમાં તને જ આવીને મળે છે.’
આ સભા, જે અત્યાર સુધી આયોજીત સર્વશ્રેષ્ઠ પવિત્ર સમ્મેલનોમાંની એક છે, સ્વતઃ જ ગીતાના એક અદ્ભુત ઉપદેશનું પ્રતિપાદન તથા જગત પ્રત્યે તેની ઘોષણા છે –

ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् । मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ।।

‘જે કોઈ મારી તરફ આવે છે, ભલે તે ગમે તે રીતે હોય, હું તેને પ્રાપ્ત થાઉં છું. લોકો ભિન્ન માર્ગ દ્વારા પ્રયત્ન કરે છે પણ અંતમાં તો મને જ પામે છે. ’

સંપ્રદાયિક, હઠધર્મિતા અને તેની બીભત્સ ધર્માંધતા આ સુંદર પૃથ્વી પર બહુ સમય સુધી રાજ કરી ચુકી છે. તે પૃથ્વીને હિંસાથી ભરતી રહે છે, તેને વારંવાર માનવતાના રક્તને નિહાળ્યું છે, સભ્યતાઓના વિધ્વસ્ત કરે છે અને સમગ્ર વિશ્વને નિરાશાની ગર્તમાં નાખી રહી છે.

જો એ બિભત્સ દાનવી ન હોય, તો માનવ સમાજ આજની અવસ્થાથી વધારે ઉન્નત થઈ ગયો હોત. પણ હવે સમય આવી ગયો છે, અને હું આંતરિક રીતે આશા રાખું છું કે આજે સવારે આ સભાના સન્માનમાં જે ઘંટધ્વનિ થઈ છે, તે સમસ્ત ધર્માંન્ધતાના, તલવાર કે લેખની દ્વારા થનારી બધી ઉત્પીડનોનું, તથા એક લક્ષ્ય તરફ તરફ આગળ વધનાર માનવોની પારસ્પરિક કટુતાનું મૃત્યુનિનાદ સિદ્ધ થાય.


और भी पढ़िए कई मजेदार लेख…!!

ऐ पी जे अब्दुल कलाम के 64 अनमोल विचार (64 QUOTES OF A P J ABDUL KALAM IN HINDI)
प्लेटो के 100 अनमोल विचार और कथन (100 QUOTES AND THOUGHTS OF PLATO IN HINDI)
नेपोलियन बोनापार्ट के 59 अनमोल विचार और कथन (NAPOLEON BONAPARTE 59 QUOTES AND THOUGHTS IN HINDI)
विल्मा रुडोल्फ – बेहद गरीब परिवार और अपंगता से ओलम्पिक गोल्ड मैडल तक
फौलादी हौसलें कि कहानी – बिना हाथ पैरों के फतह कर ली 14 हजार फीट से अधिक ऊंची चोटी