અગોચર દુનિયા: આર્મીના કમાન્ડોથી પણ અઘરી અને કઠોર ૧૨ વર્ષની પ્રક્રિયા બાદ સ્ત્રી-પુરુષ બની શકે છે નાગા સાધુ…!!

Kumbh Mela, Allahabad, India

આગામી વર્ષે ઉજ્જૈનમાં સિંહસ્થ મહાકુંભનું આયોજન થશે. 14 એપ્રિલથી 14 મે સુધી ચાલનારા સિંહસ્થ મેળામાં આ વખતે 50 હજાર સાધુના નાગા સન્યાસી બનવાનું અનુમાન અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરિજી મહારાજે લગાવ્યું છે. ખૂબ જ કઠોર પરીક્ષા અને ટ્રેનિંગ પછી નાગા સાધુ બનવાની પ્રક્રિયા થતી હોય છે.

નાગા સંન્યાસીઓ કોણ હોય છે, કેવી રીતે બનાવવામાં આવે છે, નાગા સાધુ બનવા માટે શું કરવું પડે છે, આ બધા સવાલોનો જવાબ શોધવા દિવ્યભાસ્કર.કોમે જ્યારે સિંહસ્થ દરમિયાન જૂના અખાડાની ધાર્મિક વિધિઓ સંપન્ન કરાવનાર શૈલૈન્દ્ર વધેકા અને નરેન્દ્ર ગિરિજી મહારાજ સાથે ચર્ચા કરી તો કુંભ મેળાનું સૌથી મોટું આકર્ષણ નાગા સાધુઓ વિશે અનેક રોચક જાણકારી સામે આવી. આ ખબરના માધ્યમથી જ અમે વાંચકોની સાથે નાગા સાધુઓ વિશે જાણકારી આપી રહ્યા છીએ.

જો તમે એવું વિચારતા હો કે નાગા સાધુ બનવું ખૂબ જ આસાન છે, તે તમારી ભૂલ છે. નાગા સાધુઓની ટ્રેનિંગ સેનાના કમાન્ડોની ટ્રેનિંગ કરતા પણ વધુ કઠોર હોય છે, તેમને દીક્ષા લેતા પહેલા પોતાનું પિંડદાન અને શ્રાદ્ધ તર્પણ કરવું પડે છે. પ્રાચીન સમયથી જ અખાડાઓમાં નાગા સાધુઓના મઠોની રક્ષા કરવા માટે એક યોદ્ધાની જેમ તૈયાર કરવામાં આવતા હતા. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે મઠો અને મંદિરોની સુરક્ષા માટે ઇતિહાસમાં નાગા સાધુઓએ અનેક લડાઈઓ લડી હતી.

આ રીતે બને છે નાગા સાધુઃ-

નાગા સાધુ બનવા માટે ખૂબ જ કઠિન પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે. નાગાઓને સેનાની જેમ તૈયાર કરવામાં આવે છે. તેમને સામાન્ય દુનિયાથી અલગ અને વિશેષ બનવાનું હોય છે. આ પ્રક્રિયામાં વર્ષો લાગી જાય છે. સંન્યાસ લેવા કે નાગા સાધુ બનવાની ઈચ્છા જાહેર કરનાર જ્યારે પણ કોઈ વ્યક્તિ અખાડામાં જાય છે, તો તેને ક્યારેય એકદમ સરળ રીતે સીધો અખાડામાં સામેલ નથી કરી દેવામાં આવતા. અખાડા પોતાના સ્તર ઉપર જ તે વ્યક્તિ વિશે પૂરી જાણકારી મેળવી લે છે કે તે સાધુ કેમ બનાવા માગે છે? તે વ્યક્તિની તથા તેના પરિવારની સંપૂર્ણ પૃષ્ઠભૂમી જોવામાં આવે છે. જો અખાડાને લાગે કે તે સાધુ બનવા માટે પૂરી રીતે યોગ્ય વ્યક્તિ છે, તો જ તેને અખાડામાં પ્રવેશની અનુમતિ મળે છે. અખાડામાં પ્રવેશ કર્યા પછી તેના બ્રહ્મચર્યની પરીક્ષા લેવામાં આવે છે. તેમાં 6 મહિનાથી લઈને 12 વર્ષ સુધીનો સમય લાગી જાય છે. જો અખાડા અને તે વ્યક્તિના ગુરુ એ નક્કી કરી લે કે તે દીક્ષા યોગ્ય બની ચૂક્યો છે તો તેને આગળની પ્રક્રિયા માટે લઈ જવામાં આવે છે.

મહાપુરૂષઃ-

જો કોઇ વ્યક્તિ બ્રહ્મચર્યનું પાલન કરવાની પરીક્ષાથી સફળતાપૂર્વક પસાર થઇ જાય છે, તો તેને બ્રહ્મચારીથી મહાપુરૂષ બનાવવામાં આવે છે. તેના પાંચ ગુરૂ બનાવવામાં આવે છે. આ પાંચ ગુરૂ પંચ દેવ અથવા પંચ પરમેશ્વર હોય છે. તેમણે ભસ્મ, ભગવા, રૂદ્રાક્ષ વગેરે વસ્તુઓ આપવામાં આવે છે. આ નાગાઓના પ્રતીક અને આભૂષણ હોય છે.

અવધૂત (બાવો, સાધુ)-

મહાપૂરૂષ પછી નાગાઓને સાધુ બનાવવામાં આવે છે. તેમાં સૌથી પહેલાં તેણે પોતાના વાળ કપાવવા પડે છે. તેની માટે અખાડા પરિષદની રસીદ પણ નિકળે છે. સાધુ રૂપમાં દિક્ષા લેનાર વ્યક્તિ તર્પણ અને પિંડદાન કરવાનું હોય છે. આ પિંડદાન અખાડાના પુરોહિત જ કરાવે છે. આ સંસાર અને પરિવાર માટે મૃત બની જાય છે. તેમનો એક જ ઉદેશ્ય હોય છે સનાતન અને વૈદિક ધર્મની રક્ષા.

લિંગ ભંગઃ-

આ પ્રક્રિયા માટે તેમણે 24 કલાક નાગા સ્વરૂપે અખાડાના ધ્વજ નીચે ખાન-પાન વિના ઉભા રહેવાનું હોય છે. આ દરમિયાન તેમના ખંભા પર એક દંડ અને હાથોમાં માટીના વાસણ હોય છે. આ દરમિયાન અખાડાના ચોકાદાર તેની પર નજર રાખે છે. ત્યાર પછી અખાડાના સાધુ દ્વારા તેમની માટે વૈદિક મંત્રોની સાથે ઝટકા આપીને તેમને નિષ્ક્રિય કરવામાં આવે છે. આ કાર્ય પણ અખાડાના ધ્વજ નીચે જ કરવામાં આવે છે. આ પ્રક્રિયા પછી તે નાગા સાધુ બની જાય છે.

નાગાઓનો પદ અને અધિકારઃ-

નાગા સાધુઓના ઘણા પદ હોય છે. એક વાર નાગા સાઘુ બન્યા પછી તેમના પદ અને અધિકાર પણ વધે છે. નાગા સાધુ પછી મહંત, શ્રીમહંત, જમાતિયા મહંત, થાનપતિ મહંત, દિગંબરશ્રી, મહામંડલેશ્વર અને આચાર્ય મહામંડલેશ્વ જેવા પદો સુધી જઇ શકાય છે.

મહિલાઓ પણ બને છે નાગા સાધુઃ-

વર્તમાનમાં અનેક અખાડાઓમાં મહિલાઓને પણ નાગા સાધુની દીક્ષા આપવામાં આવે છે. તેમાં વિદેશી મહિલાઓની સંખ્યા ઘણી વધુ છે. આમ તો મહિલા નાગા સાધુ અને પુરુષ નાગા સાધુના નિયમ કાયદા સમાન જ છે. ફરક એટલો છે કે મહિલાઓ નાગા સાદુને એક પીળા વસ્ત્રમાં લપેટાઈને રહેવું પડે છે અને આ વસ્ત્ર પહેરીને જ સ્નાન કરવું પડે છે. નગ્ન સ્નાન કરવાની અનુમતિ નથી, ત્યાં સુધી કે કુંભ મેળામાં પણ નહીં.

નાગા સાધુઓના નિયમઃ-

વર્તમાન ભારતમાં નાગા સાધુઓના અનેક મુખ્ય અખાડા છે. આમ તો દરેક અખાડામાં દીક્ષાના કેટલાક પોતાના નિયમો હોય છે પરંતુ કેટલાક કાયદા એવા હોય છે જે બધા દશનામી અખાડામાં એક જેવા જ હોય છે.

1-બ્રહ્મચર્યનું પાલનઃ-

કોઇપણ સામાન્ય મનુષ્ય જ્યારે નાગા સાધુ બનવા માટે આવે છે, તો સૌથી પહેલાં તેના પોતાની પર તેની નિયંત્રણની સ્થિતિને પારખવામાં આવે છે. તેની પાસે લાંબા સમય સુધી બ્રહ્મચર્યનું પાલન કરાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં માત્ર શરીરથી બ્રહ્મચર્ય નહી, માનસિક નિયંત્રણને પણ પારખવામાં આવે છે. અચાનક કોઇને દીક્ષા નથી આપવામાં આવતી. પહેલાં એ જોવામાં આવે છે કે દીક્ષા લેનાર વ્યક્તિ બધી જ રીતે વાસના અને ઇચ્છાઓથી મુક્ત થઇ ગયો છે કે નહીં.

2- સેવા કાર્યઃ-

બ્રહ્મચર્ય વ્રતની સાથે જ દીક્ષા લેનાર વ્યક્તિના મનમાં સેવાભાવ હોવો પણ જરૂરી છે. એવું માનવામાં આવે છે કે, જે પણ સાધુ બની રહ્યો છે, તે ધર્મ, રાષ્ટ્ર અને માનવ સમાજની સેવા અને રક્ષા માટે બની રહ્યો છે. એવામાં ઘણીવાર દીક્ષા લેનાર સાધુએ પોતાના ગુરૂ અને વરિષ્ઠ સાધુઓની સેવા પણ કરવી પડે છે. દીક્ષા સમયે બ્રહ્મચારિઓની અવસ્થા ઘણીવાર 17-18થી ઓછી નથી રહેતી અને તેઓ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય વર્ણના જ હોય છે.

3- પોતાનું જ પિંડદાન અને શ્રાદ્ધઃ-

દીક્ષા પહેલાં જે સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે, તે છે પોતાનું જ શ્રાદ્ધ અને પિંડદાન કરવું. આ પ્રક્રિયામાં સાધક પોતાના પરિવાર અને સમાજ માટે મૃત માનીને પોતાના હાથોથી પોતાનું શ્રાદ્ધ કર્મ કરે છે. ત્યાર પછી જ તેને ગુરૂ દ્વારા નવું નામ અને નવી ઓળખાણ આપવામાં આવે છે.

4- વસ્ત્રોનો ત્યાગઃ-

નાગા સાધુઓએ વસ્ત્ર ધારણ કરવાની અનુમતિ હોતી નથી. જો વસ્ત્ર ધારણ કરવા હોય, તો માત્ર ઘઉવર્ણ રંગના વસ્ત્ર જ નાગા સાધુ પહેરી શકે છે. તે પણ માત્ર એક વસ્ત્ર. તેનાથી વધારે ઘઉવર્ણ વસ્ત્ર નાગા સાધુ ધારણ કરી શકતા નથી. નાગા સાધુઓના શરીર પર માત્ર ભસ્મ લગાવવાની જ અનુમતિ હોય છે. ભસ્મનો જ શ્રૃંગાર કરવામાં આવે છે.

5- ભસ્મ અને રૂદ્રાક્ષઃ-

નાગા સાઘુઓને વિભૂતિ તથા રૂદ્રાક્ષ ધારણ કરવો પડે છે, શિખા સૂત્રનો પરિત્યાગ કરવો પડે છે. નાગા સાધુએ પોચાના બધા જ વાળનો ત્યાગ કરવો પડે છે. ત્યાં માથઆ પર શિખા પણ નથી રાખી શકતા અથવા સંપૂર્ણ જટાને ધારણ કરવી પડે છે.

6- એક સમય ભોજનઃ-

નાગા સાધુઓને રાત અને દિવસ મળીને માત્ર એક જ સમય ભોજન કરવાનું હોય છે. તેઓ ભોજન પણ ભિક્ષા માંગીને કરીને કરવામાં આવે છે. એક નાગા સાધુએ વધુમાં વધુ સાત ઘરમાંથી ભિક્ષા માંગવાનો અધિકાર હોય છે. જો સાત ઘરોથી કોઇ ભિક્ષઆ ન મળે, તો તેણે ભૂખ્યુ રહેવું પડતું હોય છે. જે ભોજન મળે, તેમાં પસંદ-નાપસંદને ભૂલીને પ્રેમપૂર્વક ભોજનને ગ્રહણ કરવાનું હોય છે.

7- માત્ર જમીન પર જ સુવાનુઃ-

નાગા સાધુ સુવા માટે પલંગ, ખાટલો અથવા અન્ય કોઇ સાધનનો ઉપયોગ કરી શકતા નથી. આ સાથે જ, તેઓએ ગાદીનો પણ સુવા માટેની પણ મનાઇ કરવામાં આવે છે. નાગા સાધુ માત્ર જમીન પર જ સુઇ શકે છે. આ ખૂબ જ કઠોર નિયમ છે, જેમનું પાલન નાગા સાધુએ કરવું જ પડે છે.

8- મંત્રમાં આસ્થાઃ-

દીક્ષા પછી ગુરૂ પાસેથી મળેલ ગુરૂમંત્રમાં તેમને સંપૂર્ણ આસ્થા રાખવી પડે છે. તેમના ભવિષ્યની બધી જ તપસ્યા આ ગુરૂ મંત્ર પર જ આધારિત હોય છે.

9- અન્ય નિયમઃ-

વસ્તી બહાર નિવાસ કરવો, કોઇ વ્યક્તિને પ્રણામ ન કરવા અને કોઇની નિંદા પણ ન કરવી. તથા માત્ર સંન્યાસીને જ પ્રણામ કરવું વગેરે. સાથે જ બીજા ઘણા નિયમ છે, જે દીક્ષા લેનાર દરેક નાગા સાધુએ પાલન કરવા પડે છે.

આ વખતે બનશે 50 હજાર નાગા સાધુઓઃ-

સિંહસ્થ 2016માં ભાગ લેનાર શૈવ સંપ્રદાયના 6 અખાડામાં 50 હજારથી વધુ નવા નાગા સંન્યાસીઓ સામેલ થવાની સંભાવના છે. નવા સન્યાસીઓની દીક્ષા મેળા દરમિયાન દત્ત અખાડા ઘાટ ઉપર થાય છે. અખાડામાં સામેલ થનારા નવા સન્યાસીઓ હરિદ્વારા, ઈલાહાબાદ કુભ અને ઉજ્જૈન સિંહસ્થ મેળામાં જ દીક્ષા લેવાની પરંપરા છે. તેમને નાગા સંન્યાસીઓ કહેવામાં આવે છે. અખાડામાં સંન્યાસ લેવાની ઈચ્છા વ્યક્ત કરનાર વ્યક્તિઓને વિધિ-વિધાનથી દક્ષ કરવામાં આવે છે. ત્યારબાદ જ સંન્યાસ પરંપરામાં સામેલ થાય છે. સિંહસ્થ 2004માં લગભગ 29 હજાર નવા સાધુઓ નાગા બન્યા હતા. તેમને દત્ત અખાડા ઘાટ ઉપર આચાર્ય મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરિએ મંત્ર દીક્ષા આપી હતી. અખાડાનું અનુમાન છે કે પાછલા સિંહસ્થની સરખામણીએ 2016ના સિંહસ્થ નાગા બનનાર સંન્યાસીઓનો આંકડો 50 હજાર પાર થઈ શકે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

Leave a comment