Tag Archives: જ્યોતિષ માર્ગદર્શન ज्योतिष् मार्गदर्शन Astrology Guidance

જાણો…હાથમાં રત્નો કેમ પહેરવા જોઈએ? આ રહી ચમત્કારી રત્નો પાછળની ખાસ વાત…!!

ratn2

આપણા શાસ્ત્રોમાં રત્ન પહેરવાનું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. વિજ્ઞાન પણ આ રત્નો અને મણિઓના સકારાત્મક ઊર્જાની હકીકતોની પુષ્ટિ કરે છે. રત્નોને આમ તો પ્રાકૃતિક સ્ત્રોત દ્વારા પ્રાપ્ત થયા હોવાનું માનવામાં આવે છે, પરંતુ તેના અનમોલ અને શુભ હોવાના અનેક પૌરાણિક પ્રસંગો પણ જોડાયેલા છે-

પ્રાચીન સમયમાં બલાપુર નામનો શક્તિશાળી દૈત્ય હતો. તેનાનાથી દેવતાઓ પણ પરાજિત થઈ ગયા હતા. ત્યારે દૈત્યના અંત માટે દેવતાઓએ યજ્ઞમાં બલી માટે તે દૈત્ય પાસે નિવેદન કર્યું. બલાસુરે આ યજ્ઞ જેવા શુભ કાર્ય માટે પોતાના દેહને દાન કરી દીધું. આ પ્રકારે આ યજ્ઞની બલીથી બલાસુરનો અંત થયો. યજ્ઞ જેવા પવિત્ર કાર્યો, દેવતાઓના હિત માટે પોતાનું શરીર ત્યાગ કરવાને લીધે બલાસુરનું તામસી શરીર પણ પવિત્ર અને સત્વગુણી થઈ ગયું. એટલુ જ નહીં, તેના દેહના દરેક અંગ ર્તોના બીજમાં ફેરવાઈ ગયું.

આ પ્રકારે બલાસુરના ઉપકારને લીધે જ્યારે દેવતાઓએ તેના દેહને આકાશમાર્ગેથી લઈ જવા લાગ્યા તો વાયુઅને વેગથી તેનું શરીર ટુકડે-ટુકડા થઈ સમુદ્ર, નદી, પર્વત, જંગલ વગેરે જગ્યાએ પડીને રત્નોની ખાણમાં ફેરવાઈ ગયું. સાથે જ તે સ્થાન પણ એ રત્નોના નામે જ ઓળખાવા લાગ્યા.

આ રત્નોને હીરા, મોતી, સ્ફટિક, મૂંગા, માણિક્ય, પુલક, મુક્તમણિ જેવા નામોથી ઓળખાય છે. બધા નંગ કે રત્નો સુખ, આનંદ, ઐશ્વર્ય આપનારા અને પીડાનાશક હોય છે. કામ ન બની રહ્યું હોય તો પુખરાજ, કાળી છાયા મંડરાઈ રહી હોય તો હીરો, ઝડપથી સફળતા જોઈએ તો નિલમ આ પ્રકારની સૂચનો મોટાભાગે જ્યોતિષીઓ આપતા હોય છે. આવો આજે જાણો કયો રત્ન કયા ગ્રહ માટે પહેરવો જોઈએ. સાથે જ એ પણ જાણો કે તે રત્નને પહેરવાથી કયા ફાયદા થાય છે.

ગ્રહઃ- સૂર્ય
રત્નઃ-માણિક્ય

તેનો રંગ ગાઢ લાલ સરખો હોય છે. આ સ્ટોનને અંગ્રેજીમાં રૂબી નામે પણ ઓળખવામાં આવે છે. તેને દુનિયામાં બધા રત્નોમાં સૌથી વધુ મૂલ્યવાન માનવામાં આવે છે. આ રત્ન નકારાત્મક ઊર્જાને સકારાત્મક ઊર્જામાં બદલી દે છે અને એવું કહેવાય છે કે જેની પાસે આ માણિક્ય હોય તે શાંત અને સંતુષ્ટ રહે છે.

ગ્રહઃ- ચંદ્ર
રત્નઃ- મોતી

મોતી શાંતિ પ્રદાન કરનારો માનવામાં આવે છે. તેનો રંગ ચમકદાર સફેદ હોય છે. આ રત્ન પ્રેમ વધારે છે. એટલા માટે તમે ઈચ્છો તો તેને એ વ્યક્તિને ઈનામમાં આપો જેની સાથે તમે આત્મીય સંબંધ બનાવવા માગો છો.

ગ્રહઃ-મંગળ
રત્નઃ- મૂંગા

મૂંગા ગાઢ લાલ રંગનો હોય છે. ઈંગ્લિશમાં તેનો કોરલના નામે ઓળખવામાં આવે છે. સમુદ્ર જીવ મૂંગાની જમાવટથી આ રત્ન તૈયાર થાય છે. તે હૃદયમાં સૌહાર્દની ભાવના વધારે છે. એટલા માટે વ્યાવહારિકતાથી દૂર રહેનાર લોકો જો આ રત્ન પહેરે તો તેનાથી કઠોર હૃદયવાળા પણ નરમ પડવાની સંભાવના રહે છે. આ રત્ન ધન આગમનના દરવાજા પણ ખોલી દે છે.

ગ્રહઃ- બુધ
રત્નઃ- પન્ના

પન્નાને અંગ્રેજીમાં એમરલ્ડ કહે છે. તેને બુધ ગ્રહનો રત્ન પણ કહેવામાં આવે છે જે સમૃદ્ધિ વધારનારો છે. વિશેષ કરીને બૌદ્ધિક ક્ષેત્રોના લોકોને તેને પહેરવાની સલાહ આપવામાં આવે છે. જેવા કે તમે અધ્યાપન, મીડિયા, કલા, સાહિત્ય વગેરે વિદ્યાઓ સાથે જોડાયેલા હોય તો આ રત્ન તમારી પ્રગતિમાં મદદ કરી શકે છે.

ગ્રહઃ-ગુરુ
રત્નઃ પુખરાજ

પીળા રંગના આ સુંદર રત્નને ઈંગ્રિશમાં ટોપાઝ કહેવામાં આવે છે. પુખરાજ તમારી આંતરિક શક્તિઓને સંતુલિત કરવામાં તમારી મદદ કરે છે. તે યાદદાસ્તને પણ વધારે છે. પુખરાજ રત્નની એ ખાસિયત છે કે તેને ધારણ કરવાથી કોઈ જ સાઈડીફેક્ટ નથી થતું અને તેને ધારણ કરનારને કોઈને કોઈ રૂપમાં લાભ પહોંચાડે છે.

ગ્રહઃ- શુક્રવાર
રત્નઃ- હીરો

હીરો અર્થાત્ ડાયમંડ. ખૂબ જ મોંઘો રત્ન હોય છે. ખૂબ જ ચમકદાર અને સુંદર હોય છે. સૌથી વધુ પોપ્યુલર રત્ન છે, જેને ઘરેણાંઓમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ રત્નને ધારણ કરનાર વ્યક્તિ ઉપર ખરાબ શક્તિઓનો પ્રભાવ પડતો નથી. મુસીબતના સમયે તે કષ્ટો સામે રક્ષણ કરે છે.

ગ્રહઃ- શનિ
રત્નઃ- નિલમ

આ રત્ન મોંઘો હોય છે. ઈંગ્લિશમાં સેફાયર નામથી ઓળખવામાં આવતો આ રત્ન નીલી(વાદળી) ચમક ધરાવતો હોય છે. આ રત્નને દરેક કોઈ ધારણ નથી કરી શકતું. એવું માનવામાં આવે છે કે નીલમ રત્ન સાથે જ્યાં સુધી તમારા શરીરનું તાપમાન નથી મળતું ત્યાં સુધી તે તમને શુભ ફળ નથી આપી શકતો.

ગ્રહઃ- રાહુ
રત્નઃ- ગોમોદ

ગાઢ ભૂરા રંગના આ રત્નને હૈસોનાઈટ કહેવામાં આવે છે. તેનો રંગ મધની જેવો પણ હોય છે અને વધુ ગાઢ હોય તો પણ ઓછા પ્રકાશમાં પણ કાળો દેખાઈ દે છે.

ગ્રહઃ- કેતુ
રત્નઃ- લસણિયો

કેતુનો રત્ન સફેદ-પીળો લસણીયો હોય છે. બિલાડીની આંખોની જેવો દેખાવાને લીધે તેનું નામ કેટ્સ આઈ પડ્યું છે.

9 ગ્રહોનું શુભ ફળ મેળવવા મોંઘા રત્નો નહીં, સરળ વસ્તુથી કરો ઉપાયો!

જ્યોતિષ એક વિજ્ઞાન છે જે માત્ર ભૂત, ભવિષ્ય અને વર્તમાનની જાણકરી આપી છે પરંતુ જીવનને સુખી અને સમૃદ્ધવાન બનાવવાનો અચૂક ઉપાય છે. જન્મપત્રિકાના આ ઘરમાં ગ્રહોની સારી-ખરાબ સ્થિતિ અનુસાર જ આપણું જીવન ચાલે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહ અશુભ સ્થિતિમાં છે તો તેના ઘણા પ્રકારની પરેશાનિઓનો સામનો કરવો પડે છે.

અશુભ ફળ આપનાર ગ્રહોને આપના પક્ષમાં કરવા માટે ઘણા પ્રકારના ઉપાય જણાવામાં આવે છે. જ્યોતિષ અનુસાર ગ્રહોના અશુભ પ્રભાવ દૂર કરવા માટે ઘણા પ્રકારના ઉપયોગ બનાવવામાં આવે છે. જ્યોતિષ અનુસાર ગ્રહોથી શુભ પ્રભાવ પ્રાપ્ત કરવા માટે સંબંધિત ગ્રહોના રત્ન પહેરવા પણ એક અચૂક ઉપાય છે.

સામાન્ય રીતે શુદ્ધ કે અસલી રત્ન ઘણા કિંમતી હોય છે જો કે સામાન્ય લોકો સુધી પહોંચતા ઘણા દૂર હોય છે. આવી રીતથી ઘણા લોકો રત્ન પહેરવા તો ઈચ્છે છે પણ ધનના અભાવમાં તેને ધારણ નથી કરી શકતા. જ્યોતિષ અનુસાર રત્નોથી પ્રાપ્ત થાર શુભ પ્રભાવ અલગ-અલગ ગ્રહોથી સંબંધિત ઝાડના મૂળને ધારણ કરવાથી પણ પ્રાપ્ત કરી શકાય છે.

બધા ગ્રહોના અલગ-અલગ ઝાડથી સીધો સંબંધ હોય છે. આથી આ ઝાડના મૂળને ધારણ કરવા માત્રથી અશુભ ગ્રહોનો પ્રભાવ નષ્ટ થઈ જશે અને ધન સંબંધી પરેશાનિઓ દૂર થવા લાગશે. સાથે જ પૈસા મેળવામાં આવતા વિઘ્નો પણ થશે દૂર.

– જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય અશુભ પ્રભાવ આપી રહ્યા હોય અને સૂર્ય માટે માણેક રત્ન જણાવવામાં આવે છે. માણેકના વિકલ્પના રૂપમાં બિલ્વપત્રના મૂળ લાલ કે ગુલાબી કપડામાં રવિવારના ધારણ કરો.

– ચંદ્રના શુભ પ્રભાવ માટે સોમવારના સફેદ વસ્ત્રમાં ખેરના મૂળ સફેદ દોરાની સાથે ધારણ કરો.

– મંગળને બળવાન બનાવા માટે અનંત મૂળ કે ખેરના મૂળને લાલ વસ્ત્રની સાથે લાલ ધાગામાં નાખીને મંગળવારના ધાકણ કરો.

– બુધવારના દિવસે લીલા વસ્ત્રની સાથે વિધારા (આંધીઝાડ)ના મૂળને લીલા કપડામાં પહેરવાથી બુધના અશુભ પ્રભાવ દૂર થઈ જાય છે.

– ગુરુ ગ્રહ અશુભ હોય તો કેળાના મૂળને પીળા કપડામાં બાંધીને પીળા કપડામાં ગુરુવારના ધારણ કરો.

– શણના મૂળને સફેદ વસ્ત્રમાં લપેટીને શુક્રવારના સફેદ કપડાની સાથે ગળામાં ધારણ કરવાથી શુક્ર ગ્રહથી શુભ ફળ મળે છે.

– શનિ દેવને પ્રસન્ન કરવા માટે શીમળાના વૃક્ષના મૂળને શનિવારના દિવસે નીલા કપડામાં બાંધીને નીલા દોરો ધારણ કરવો જોઈએ.

– રાહુને બળ આપવા માટે સફેદ ચંદનનો ટુકડો નીલા દોરામાં બુધવારના દિવસે ધારણ કરો.

– કેતુના શુભ પ્રભાવ માટે અશ્વગંધાના મૂળ નીલા દોરામાં ગુરુવારના દિવસે ધારણ કરો.

આ બધા મૂળ બજારમાં સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે. સામાન્ય રીતે જ્યોતિષ સંબંધી સામગ્રીઓના વેપારીઓને ત્યાંથી આ પ્રકકારના મૂળ. મળી જતા હોય છે. આ ઉપરાંત કેટલાક વૃદ્ધ લોકોને પણ આ મૂળની જાણકારી હોઈ શકે છે. આ સંબંધે તની પણ મદદ લઈ શકાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

જાણો…લગ્નમાં મોડું થવા પાછળ જવાબદાર હોય છે આટલા કારણો, કરો ઉપાયો…!!!

lagan

જેમની ઉંમર થઈ ગઈ હોવા છતાં પણ લગ્નમાં મોડું થઈ રહ્યું હોય તો તેઓને ચોક્કસ ચિંતા રહેતી હોય છે કે તેમના લગ્ન ક્યારે થશે. જો તમારા તમારા લગ્ન થઈ ન રહ્યા હોય કે તમારા યુવાન પુત્ર-પુત્રીના લગ્ન ન થઈ રહ્યા હોય તો તેની માટે કયા કારણો જવાબદાર છે તે પહેલા જાણી લેવું જોઈએ અને ત્યારબાદ તેની માટે જરૂરી ઉપાયો કરવા જોઈએ.

કયા કારણસર થાય છે લગ્નમાં મોડું-

ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે દરેક વ્યક્તિ પ્રયત્ન કરતા હોય છે. લગ્ન લાયક યુવતીના લગ્ન માટે માતા-પિતાને ઘણી ચિંતા હોય છે. જો કોઈ કન્યાના લગ્નમાં મોડું થઈ રહ્યું હોય તો શિવને પ્રસન્ન કરો તેનાથી માતા પાર્વતી પણ પ્રસન્ન થાય છે. શિવપાર્વતીની કૃપા પ્રાપ્ત કરવા માટે સોમવારનો દિવસ શ્રેષ્ઠ રહે છે તે સિવાય વર્ષમાં શિવપૂજાની શુભ તિથિઓ પણ શ્રેષ્ઠ છે.

કયા કારણોસર લગ્નમાં મોડું થાય છેઃ-

-શુક્ર ગ્રહ વિવાહ કર્તા ગ્રહ છે. જો કન્યાનો શુક્ર બળવાન, સ્વગ્રાહી કે ઉચ્ચ હોય તો તેના લગ્ન સમયસર થઇ જાય છે.

-શુક્રની મહાદશામાં પણ વિવાહ કારક યોગ બને છે.

-ગુરુ જો સાતમે સ્થાને હોય કે પછી તેની દ્રષ્ટિ સાતમા સ્થાને પડતી હોય તો વિવાહમાં વિલંબ થાય છે.

-આ સિવાય જો જન્મપત્રિકામાં મંગળ કે શનિ હોય તો પણ લગ્નમાં મોડું થઇ શકે છે.

ઝડપથી લગ્ન ન થતા હોય તો વાસ્તુ પણ જવાબદાર હોઈ શકે કરો આ ઉપાયઃ-

લગ્ન એ જીવનનું સૌથી મહત્વની ક્ષણ હોય છે.જેમાં ઘણીવાર લગ્નમાં અડચણો આવે છે.તેનાં ઘણાં કારણો હોઇ શકે છે.વાસ્તુદોષ પણ તેમાંથી એક કારણ હોઇ શકે છે.જો આ વાસ્તુદોષને દુર કરવામાં આવે તો લગ્નમાં જે અડચણો આવતી હોય તે દુર થઇ લગ્ન જલ્દી થઇ જાય છે.નીચે આવાં જ અમુક વાસ્તુ નિયમો વિશે જાણકારી આપવામાં આવી છે.

1 – જો લગ્ન પ્રસ્તાવમાં જો અડચણો આવતી હોય તો લગ્ન માટે જ્યારે અતિથિઓ ઘરે આવે તો તેમને એ પ્રકારે બેસાડો કે તેમનું મુખ ઘરની અંદરની તરફ રહે તેમને ઘરનાં દ્વાર નાં દેખાઇ દે.

2- જો મંગળ દોષનું કારણે લગ્નમાં વિલંબ થઇ રહ્યો હોય તો તેને તે રૂમનાં દરવાજાનો રંગ લાલ કે ગુલાબી રંગનો રાખવો જોઇએ.

3 – લગ્ન યોગ્ય યુવક –યુવતીનાં રૂમમાં કોઇ ખાલી ટાંકી,મોટું વાસણ બંધ કરીને રાખો.જો કોઇ વસ્તુ ભારે હોય તો તેને ત્યાંથી હટાવી દો.

4 – લગ્ન યોગ્ય યુવક- યુવતી જે પલંગ પર સુતા હોય તેની નીચે લોખંડનો કે વ્યર્થનો સામાન રાખવો નાં જોઇએ.

5 – જો લગ્નનાં પૂર્વે છોકરો-છોકરી જો ઘરનાં સભ્યોની પરનાવગી સાથે મળે તો ત્યાંની બેઠક વ્યવસ્થા એ પ્રકારે કરજો કે તેનું મુખ દક્ષિણ દિશા તરફ નાં હોય.

6 – જો ઘરનાં મુખ્ય દ્વારનાં સમીપે જો વાસ્તુદોષ હોય તો લગ્નની વાત અન્ય સ્થાન પર કરો.

ગુરુવારે કરો ઝડપથી લગ્ન થાય તે માટેનો ઉપાયઃ-

જો કોઈના લગ્નમાં મોડું થઈ જાય તો માતા-પિતાને ચિંતા સતાવવા લાગે છે. એવું નથી કે માત્ર પુત્રીના જ લગ્નમાં મોડું થતા માતા-પિતા ચિંતિત થાય. જો પુત્રના લગ્ન થવામાં મોડું થઈ રહ્યું હોય તો પણ માતા-પિતાને ચિંતા થવી સ્વાભાવિક હોય છે. અહીં અમે કેટલાક એવા ઉપાય બતાવી રહ્યા છીએ જેનાથી લગ્ન આડેની બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે.

ઉપાયઃ-

-ગુરુવારના શુક્લપક્ષ હોય તે દિવસે સવારે સૂર્ય ઊગે ત્યારબાદ સ્નાન વગેરે કરી પૂજા કર્યા બાદ નવું પીળુ કપડું લો અને તેમાં પીળી ધાતુ(પીત્તળ કે સોનુ), ચણાની દાળ, પીળી મીઠાઈ અથવા પીળો ગોળ, પીળા રંગમાં રંગેલ યજ્ઞોપવિત, પીળા ફૂલ અને હળદરની સાબૂત(આખી) ગાંઠ લઈ બાંધી દો. ત્યારબાદ તેને ઈષ્ટદેવનું સ્મરણ કરી આ પોટલીને ઘરના એવા ભાગમાં રાખો જ્યાં કોઈની નજર ન પડે અને તેને કોઈ અડી પણ ન શકે.

-આ બાબતે કોઈને કંઈ બતાવવું પણ નહીં. દરરોજ આ પોટલીની પૂજા કરતા રહો. જે વ્યક્તિના લગ્ન માટે તમે ઉપાય કરી રહ્યા હોવ, તે વ્યક્તિના લગ્ન થઈ ગયા બાદ આ પોટલી પૂજા કરીને કોઈ પ્રવાહિત જળમાં પ્રવાહિત કરી દો. આ ઉપાયથી લગ્નને લગતી સમસ્યાઓ ઝડપથી દૂર થઈ જશે.

લગ્ન નથી થઇ રહ્યાં ને! દરવાજા પર લાલ રંગ લગાડોઃ-

લગ્ન કે વિવાહનાં સંબંધમાં એક જુની કહેવત બહુ જાણીતી છે કે લગ્નનો લાડવો જે ખાય તે પણ પછતાંય અને જે ના ખાય તે પણ પછતાંય.લગ્ન થાય તો પણ સમસ્યાઓ બની રહે છે અને લગ્ન નાં થતાં હોય તો પણ મુશ્કેલીઓ તેનો પીછો છોડતી નથી.મોટાભાગના લોકોનાં લગ્ન સમય પર થઇ જાય છે, જ્યારે ઘણા લોકોનાં લગ્નમાં ઘણા પ્રકારની સમસ્યાઓ આવે છે જેનાથી વિલંબ થાય છે.

અન્ય દરેક પરિસ્થિતિઓ સામાન્ય રહેવા પર પણ લગ્નમાં વિલંબ થઇ રહ્યો હોય તો સંભવ છે કે તે વ્યક્તિની કુંડળીમાં ઘણાં ગ્રહદોષ છે.જ્યોતિષ અનુસાર જે લોકોની કુંડળી મંગળ ગ્રહથી પ્રભાવિત હોય છે અર્થાત જે લોકો માંગલિક હોય છે તેનાં લગ્ન વિલંબથી થાય છે.
મંગળ ગ્રહનાં દોષોનાં પ્રભાવને ઓછો કરવાં માટે જ્યોતિષમાં ઘણાં ઉપાય બતાવવામાં આવ્યા છે.પરંતુ વાસ્તુ અનુસાર જલ્દી લગ્ન થાય તે માટે અમુક ઉપયોગી ટિપ્સ આપવામાં આવી છે.જે યુવક કે યુવતીનાં લગ્ન નાં થઇ રહ્યાં હોય તેમણે તેમનાં રૂમનાં દરવાજાને લાલ કે ગુલાબી રંગનાં કરાવવાં જોઇએ.મંગળ ગ્રહનો રંગ લાલ પણ છે અને આમ કરવા પર મંગળનાં ખરાબ પ્રભાવો ઓછા થશે અને જલ્દી જ યુવક કે યુવતીનાં લગ્નનાં યોગ બનશે.

અન્ય ઉપાયોઃ-

-રવિવાર, સોમવાર, મંગળવારે પાન અને સોપારી દ્વારા શિવલિંગની પૂજા કરવી અને પાણી ચઢાવવું.

– દરરોજ પાર્વતી માતાનું પૂજન કરવું.

– ગુરુવારનું વ્રત રાખવું.

– પુખરાજ રત્ન ધારણ કરવું.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

સાસુમાને ખુશ કરવા ઈચ્છો છો તો ચોક્કસ ટ્રાય કરો આ 9 ટિપ્સ…!!

જાણો…ચહેરા પર અહીં હશે તલ, તો તમારા સ્વભાવ+ભવિષ્ય પર થશે આવી અસર…!!!
જાણો…તમારા શરીર પર આવા ‘અજીબ’ નિશાન, આપે છે અનોખા ‘લાભાલાભ’
જાણો…અંગૂઠો 60 ડિગ્રીએ ખૂલે તો તમે હશો ચપળ, 90 ડિગ્રીએ ખૂલે તો તમે કેવા?
શરીર પર આવા લક્ષણો હોય તો સમજી જજો, તમારા ભાગ્યમાં છે રાજયોગ…!!
જાણો…તમારી આંખનો રંગ પણ છે તમારા ગુપ્ત રહસ્યોની છબી, કેવો છે તમારી આંખનો રંગ?
ज्योतिष शास्त्र के अनुसार मुख्यत पांच प्रकार की होती है स्त्रियां, जानिए उनके लक्षण और स्वभाव
રોજ કરો આ પાંચ પરંપરાગત કામ, ચમકશે તમારી કિસ્મત ને મળશે શુભફળ!

સ્ત્રી-પુરૂષના શરીરનો આ ગુપ્ત ભાગ જણાવે છે તેમના છુપા રહસ્યો+સ્વભાવ!
તમારું પરાક્રમ વધારવું હોય તો તમારા હસ્તાક્ષરમાં લાવો આટલા ફેરફાર!

સામુદ્રીકશાસ્ત્ર કહે છે-શરીરે આવા લક્ષણો ધરાવતી સ્ત્રીઓ હોય છે અશુભ!
પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

ઘરમાં છલકાશે સુખ-શાંતિ અને બરકત, હનુમાનજી સામે કરો આ 3 ઉપાય..!!

upaay6
બાળકો પર નકારાત્મક શક્તિઓનો અસર સૌથી પહેલાં થાય છે કારણ કે, તેમનું મન અને મસ્તિષ્ક વડીલોની સરખામણીમાં ઘણું નબળું હોય છે. આપણે જોઇએ છીએ કે, કોઇપણ વ્યક્તિ એકધાર્યું બાળકને જુએ તો બાળક વિચલિત થઇ જાય છે અને રડવા લાગે છે. આવા અનેક કારણ છે જે બાળકોને પરેશાન કરે છે. આ કારણોથી બાળકો મોટાભાગે બીમાર પણ રહે છે તથા તેમને કોઇપણ જાતનો ભય લાગતો નથી. થોડાં સાધારણ ઉપાય કરી બાળકોની આ સમસ્યાઓને દૂર કરી શકાય છે. આ ઉપાય આ પ્રકારે છે.

1. તમારા બાળકોને સતત નજર લાગતી હોય તો મંગળવારે એક ચાંદીના તાવીજમાં હનુમાનજીના ચોલામાં સિંદૂર ભરી લેવું અને તેને કાળા દોરામાં પોરવીને પોતાના બાળના ગળામાં પહેરાવી દેવું.

2. જો બાળકોને અંધારામાં કે પછી કોઇ અન્ય સ્થાને જવામાં કોઇપણ જાતનો ભય લાગતો હોય તો શુક્લ પક્ષના કોઇપણ મંગળવારે શ્રીહનુમાન ચાલીસાની પુસ્તક લઇને હનુમાનજીના મંદિરમાં અર્પણ કરવી. ત્યાર પછી હનુમાનજીના જમણા ખંભાના સિંદૂરથી બાળકને તિલક લગાવીને મૂર્તિની સામે લાલ આસન પર બેસાડી દેવું અને હનુમાન ચાલીસાનો પાઠ 11 વાર કરવો. આવું કરવાથી બાળકનો ભય દૂર થાય છે.

3. જો તમારું બાળક મોટાભાગે બીમાર રહે છે તો ઉપચારની સાથે-સાથે હનુમાનજીનો આ ઉપાય પણ કરી શકો છો. શુક્લ પક્ષના પહેલાં મંગળવારે એક અષ્ટધાતુનું કડું બનાવીને લઇ આવવું અને તેને હનુમાનજીની મૂર્તિ સામે રાખી દેવું. ત્યાર પછી હનુમાનજીના જમણાં પગનું સિંદૂર કડા પર લગાવવું પંચમુખી શ્રીહનુમાન કવચ, બજરંગ બાણ, હનુમાન બાહુક તથા 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો. ત્યાર પછી તે કડાને પોતાના બાળકના જમણાં હાથમાં પહેરાવી દેવું. સાથે જ, હનુમાનજીથી પ્રાર્થના કરવી કે, બાળક સ્વસ્થ રહે.

1. સિક્કાથી વધી શકે છે બરકતઃ-

તમે જેટલું કમાવ છો તેટલું જ ખર્ચ પણ થઇ જાય છે તો સમજી લો તમારા ઘરમાં બરકત રહેતી નથી. એટલે કે, તમે જેટલું કમાઇ લાવો છો તેમાંથી કંઇ જ બચતું નથી. જો તમારી સાથે પણ આ સમસ્યા બની રહી છે તો નીચે લખાયેલાં ઉપાય કરી શકો છો.

ઉપાયઃ-

બુધવારે કોઇપણ સમયે જ્યારે કોઇ કિન્નર જોવા મળે તો તેને પોતાની શક્તિ મુજબ થોડાં રૂપિયા ભેટ કરવાં. સંભવ હોય તો તેને ભોજન પણ કરાવવું. ત્યાર પછી તે કિન્નર પાસેથી તમારે એક સિક્કો પાછો માંગી લેવો (તમારા દ્વારા આપેલ રૂપિયામાંથી નહીં પરંતુ કિન્નર પાસેથી તેના રૂપિયામાંથી એક સિક્કો માંગવો). આ સિક્કાને તમારે તમારા ગલ્લામાં, કેશ બોક્સ અથવા ધન સ્થાન પર રાખી દેવું. તમે જોઇ શકશો કે, થોડા જ દિવસોમાં તમારી સેવિંગ વધી જશે અને સાથે જ, તમારી ઇનકમ પણ વધી જશે.

2. પરિવારમાં સુખ-શાંતિ માટે કરવો આ ઉપાયઃ-

પરિવારના સભ્યોમાં વાદ-વિવાદ થતો રહે છે, પરંતુ જ્યારે તે રોજ થવા લાગે તો ઘરના વાતાવરણમાં અશાંતિ ફેલાય જાય છે. ક્યારેક-ક્યારેક આ વિવાદ કોઇ મોટી ઘટનાનું સ્વરૂપ પણ લઇ લે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે નીચે લખાયેલ ઉપાય કરવા-

ઉપાયઃ-

દરરોજ સવારે સૂર્યોદના સમયે ઘરના તે માટલાં અથવા વાસણમાંથી એક લોટો જળ જેમાંથી ઘરનું દરેક સભ્ય પાણી પીતું હોય અને તે જળને પોતાના ઘરના પ્રત્યેક રૂમમાં, ઘરની છત પર તથા દરેક સ્થાન પર છંટકાવ કરવો. આ દરમિયાન કોઇપણ વ્યક્તિ સાથે કોઇ પ્રકારની વાત કરવી નહીં તથા મનમાં જ ऊं शांति ऊं મંત્રનો જાપ કરતાં રહેવું. થોડા સમયમાં જ તમારી સમસ્યા દૂર થઇ જશે.

3. રોગથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાયઃ-

ભગવાન શંકર તેમના ભક્તોને દરેક પ્રકારના સુખ પ્રદાન કરે છે. ત્યાં સુધી કે, તેઓ મરણ પથારીએ રહેલ ભક્તને પણ નવું જીવન પ્રદાન કરી શકે છે. શિવ દરેક પ્રકારથી પોતાના ભક્તોને આરોગ્ય પ્રદાન કરે છે. સોમવારના દિવસે નીચે લખાયેલ મંત્રોનો ઉપાય કરવામાં આવે તો રોગથી છુટકારો મળી શકે છે.

ઉપાયઃ-

કોઇપણ સોમવારે ભગવાન શિવના મંદિરમાં જઇને શિવલિંગને દૂધ તથા કાળા તલનો અભિષેક કરવો. અભિષેક માટે તાંબાના વાસણને છોડીને કોઇ અન્ય ધાતુના વાસણનો જ ઉપયોગ કરવો. અભિષેક કરતી સમયે ऊं जूं स: મંત્રનો જાપ કરતાં રહેવું. ત્યાર પછી ભગવાન શિવથી રોગ નિવારણ માટે પ્રાર્થના કરવી. ભગવાન શિવની કૃપાથી તમે ઝડપથી રોગ મુક્ત થઇ શકો છો.

4. તેજ દિમાગ માટે કરો આ ઉપાયઃ-

જો તમારી બુદ્ધિ પ્રખર છે તો તમે કોઇપણ કામ ખૂબ જ સહજતાથી કરી શકો છો અને મોટામાં મોટા સંકટનો સામનો પણ કરી શકો છો. જો તમે ઇચ્છો છો કે, તમારું દિમાગ પણ કમ્યૂટરથી તેજ ચાલે તો નીચે લખાયેલ મંત્રનું વિધિ-વિધાનથી જાપ કરવો. આ મંત્રના જાપથી બુદ્ધિ તેજ થાય છે.

મંત્રઃ-

सर्वस्य बुद्धिरूपेण जनस्थ ह्रदि संस्थिते।
स्वर्गापवर्गके देवि नारायाणि नमोस्तुते।।

જાપ વિધિઃ-

– દરરોજ સવારે સ્નાન વગેરે કર્યા પછી તુલસીના છોડની સામે ઘીનો દીપક પ્રગટાવવો.
– ત્યાર પછી કુશના આસન પર બેસીને તુલસીની માળાથી આ મંત્રનો ઓછામાં ઓછી 108 વાર જાપ કરવો.
– થોડા જ દિવસોમાં તમને સ્વયંની અંદર પરિવર્તન અનુભવ થશે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

ધનલક્ષ્મીને આકર્ષિત કરે છે આ 8 વસ્તુઓ, ઘરમાં કરો કોઇ 1 નો જ્યોતિષીય ઉપાય..!!!

જ્યોતિષીય ઉપાયોમાં અનેક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાંથી થોડી વસ્તુઓ ખૂબ જ ચમત્કારી હોય છે. જો તેમનો વિધિ-વિધાનથી યોગ્ય પ્રયોગ કરવામાં આવે તો દરેક પરેશાની દૂર કરી શકે છે તથા દરેક મનોકામના પણ પૂર્ણ થઇ શકે છે. આજે અમે તમને જ્યોતિષીય ઉપાયોમાં કામ આવનારી થોડી એવી વસ્તુઓ તથા તેમના થોડાં પ્રયોગો વિશે જણાવી રહ્યા છીએ, જે આ પ્રકારે છે-

hakik

હકીકઃ-

જ્યોતિષ શાસ્ત્રમાં ઘણાં વિશેષ પ્રકારના પથ્થરોનું પણ મહત્વ છે. આ પથ્થરોથી પણ કાર્ય સિદ્ધ થઇ જાય છે. હકીક પણ એક એવો જ પથ્થર છે. હકીકનો ઉપયોગ વિવિધ પૂજા-પાઠ, સાધનાઓ અને ઉપાસનાઓમાં કરવામાં આવે છે. આ છે તેના ઉપાય-

1. કોઇ શુક્રવારની રાત્રે દેવી લક્ષ્મીની પૂજા કર્યા પછી એક હકીક માળા લેવી અને એક સૌ આઠ વાર ऊं ह्रीं ह्रीं श्रीं श्रीं लक्ष्मी वासुदेवाय नम: મંત્રનો જાપ કરવો. ત્યાર પછી માળાને લક્ષ્મીજીના મંદિરમાં અર્પણ કરી દેવી. ધન સાથે જોડાયેલી સમસ્યાઓનું સમાધાન આવી શકે છે.
2. 11 હકીક પથ્થર લઇને કોઇ મંદિરમાં અર્પણ કરી દેવાં. અર્પણ કરવાની સાથે જ એવું કહેવું કે, અમુક કાર્યોમાં વિજય થવા માંગુ છું તો તે કાર્યમાં વિજય પ્રાપ્ત થાય.
3. જે વ્યક્તિ શ્રેષ્ઠ ધનની ઇચ્છા રાખે છે, તે રાત્રે 27 હકીક પથ્થર લઇને તેના ઉપર માતા લક્ષ્મીનું ચિત્ર સ્થાપિત કરવું.

gomati

ગોમતી ચક્રઃ-

ગોમતી ચક્ર એક ખાસ પથ્થર છે. તેનો રંગ સફેદ હોય છે. આ પથ્થરની ઉપરની પરખ ઉપસેલી હોય છે અને નીચેની પરખ સપાટ હોય છે. સપાટ બાજુએ સાત (7) બનેલો જોવા મળે છે. આ પથ્થરનો ઉપયોગ ઘણાં પ્રકારની તાંત્રિક ક્રિયાઓમાં પણ થાય છે. એવું માનવામાં આવે છે કે, ગોમતી ચક્ર ખૂબ જ ચમત્કારી હોય છે. જ્યોતિષમાં ગોમતી ચક્રના ઘણાં ઉપાયો જણાવવામાં આવ્યા છે. ગોમતી ચક્ર કોઇપણ પૂજા સામગ્રીની દુકાન પર સરળતાથી મળી જાય છે.

ઉપાયઃ-

1. જો કોર્ટ-કચેરી જતી સમયે ઘરની બહાર ગોમતી ચક્ર રાખીને તેના પર જમણો પગ રાખવામાં આવે તો તે દિવસે કોર્ટ-કચેરીમાં સફળતા પ્રાપ્ત થવાના યોગ વધી જાય છે.
2. જો દુશ્મન વધી ગયા હોય તો જેટલાં અક્ષરનું દુશ્મનું નામ છે, તેટલાં જ ગોમતી ચક્ર લઇને તેના પર દુશ્મનનું નામ લખીને તેને જમીનમાં દાંટી દેવાં જોઇએ જેનાથી દુશ્મન પરાસ્ત થઇ જાય છે.
3. જો પૈસા સાથે સંબંધિત સમસ્યા છે તો 5 ગોમતી ચક્ર ધન સ્થાન એટલે એવી જગ્યાએ રાખવાં, જ્યાં તમે પૈસા રાખતાં હોવ. ધનની સમસ્યા સમાપ્ત થઇ શકે છે.

kaali haldar

કાળી હળદરઃ-

ખાવાના ઉપયોગમાં આવતી હળદર તો બધાએ જોઈ હશે, પરંતુ તાંત્રિક ઉપાયોમાં ઉપયોગ કરવામાં આવતી કાળી હળદર વિશે ખૂબ જ ઓછા લોકો જાણતાં હશે. હળદર અનેક પ્રકારની હોય છે અને આપણે જે ખાવામાં ઉપયોગ કરીએ છીએ તે પીળી હળદર છે. કાળી હળદરનો ઉપયોગ ખાવામાં નથી થતો, પરંતુ તંત્રશાસ્ત્રમાં તેના ઉપયોગ વિશે ઘણુંબધુ બતાવ્યું છે. કાળી હળદરના ઉપાયોથી રૂપિયાની તંગી ચમત્કારીક રીતે દૂર થાય છે.

1.કાળી હળદરના 7 થી 9 દાણા બનાવો. આ દાણાન સાફ દોરામાં પોરોવી લો. ત્યારબાદ આ માળાનું ધૂપ અને લોબાનના શોધન કર્યા પછી પહેરી લો. જે પણ વ્યક્તિ આ પ્રકારની માળા પહેરે છે, તે બધા પ્રકારના ગ્રહદોષોથી, ટોણા-ટોટકાથી અને ખરાબ નજરથી સુરક્ષિત રહે છે.
2.જો તમે કોઈ ખાસ કામ માટે જઈ રહ્યા હોવ તો ઘરેથી નિકળતાં પહેલા કાળી હળદરનું તિલક કરીને પ્રસ્થાન કરો. આ તિલક તમારું આકર્ષણ વધારશે. કાળી હળદરને તંત્ર અનુસાર વશીકરણ માટે જબરદસ્ત માનવામાં આવે છે. જો તમે ઈચ્છતા હોવ કે સમાજમાં તમારું આકર્ણણ વધે તો કાળી હળદરનું તિલક એક સરળ ઉપાય છે.

laghu naliyer

લઘુ નારિયેળઃ-

આ સામાન્ય નારિયેળ કરતાં થોડું નાનું હોય છે. તંત્ર-મંત્રમાં તેનું ખાસ મહત્વ છે. નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે. અર્થાત્ દેવી લક્ષ્મીનું ફળ. આની વિધિસર પૂજા કરી લાલ કપડાં બાંધીને એવા સ્થાન પર મૂકવું જોઈએ જ્યાં કોઈની નજર ન પડે. આ ઉપાય કરવાથી માં લક્ષ્મી બહુ પ્રસન્ન થાય છે.

1. 11 લઘુ નારિયેળ માતા લક્ષ્મીના ચરણોમાં રાખીને ऊं महालक्ष्म्यै च विद्महे विष्णुपत्नीं च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् મંત્રનો જાપ કરવો. 2 માળા જાપ કર્યા પછી એક લાલ કપડામાં તે લઘુ નારિયેળને લપેટીને તિજોરીમાં રાખી દેવું અને દીવાળીના બીજા દિવસે કોઇ નદી અથવા તળાવમાં વિસર્જિત કરી દેવું. આવું કરવાથી ધનલાભના યોગ બની શકે છે.
2. ધન, વૈભવ અને સમૃદ્ધિ મેળવવા માટે 5 લઘુ નારિયેળ સ્થાપિત કરવાં, તેના પર કેસરથી તિલક કરવું અને દરેક નારિયેળ પર તિલક કરતી સમયે 27 વાર નીચે લખાયેલ મંત્રનો મનમાં ને મનમાં જાપ કરતાં રહેવું-

મંત્ર- ऐं ह्लीं श्रीं क्लीं

3. જો તમે ઇચ્છો છો કે, તમારા ઘરમાં ક્યારેય ધન-ધાન્યની કમી આવે નહીં અને અનાજનો ભંડાર ભરેલો રહે તો 11 લઘુ નારિયેળ એક પીળા કપડામાં બાંધીને રસોઈ ઘરમાં પૂર્વ ખૂણામાં બાંધી દેવું. જેનાથી તમારી મનોકામના પૂર્ણ થઇ શકે છે.

dakshinavarti sankh

દક્ષિણાવર્તી શંખઃ-

જ્યોતિષ શાસ્ત્રમાં દક્ષિણાવર્તી શંખનું વિશેષ મહત્વ છે. આ શંખને વિધિ-વિધાન પૂર્વક ઘરમાં રાખવાથી ઘણાં પ્રકારની બાધાઓ શાંત થઇ જાય છે અને ધનની કમી ક્યારેય આવતી નથી. દક્ષિણાવર્તી શંખના અનેક લાભ છે, પરંતુ તેના ઘરમાં રાખતાં પહેલાં તેનું શુદ્ધિકરણ અવશ્ય કરવું જોઇએ.

આ વિધિથી કરવું શુદ્ધિકરણઃ-

લાલ કપડાંની ઉપર દક્ષિણાવર્તી શંખ રાખીને તેમાં ગંગાજળ ભરો અને કુશના આસન ઉપર બેસી આ મંત્રનો જાપ કરો..

ऊं श्री लक्ष्मी सहोदराय नम:

આ મંત્રની ઓછામાં ઓછા 5 માળા જાપ કરો અને ત્યારબાદ શંખને પૂજા સ્થાન ઉપર સ્થાપિત કરી દો.

kamalgatta

કમળ ગટ્ટાઃ-

તંત્ર પ્રયોગોમાં ધન પ્રાપ્તિ માટે ઘણી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, તેમાંથી જ એક છે કમળ ગટ્ટા પણ.કમળ ગટ્ટા કમળના છોડમાંથી નીકળે છે અને તે કાળા રંગના હોય છે. આ બજારમાં સરળતાથી મળી જાય છે. મંત્ર જાપ માટે તેની માળા પણ બને છે. તે સિવાય પણ આના ઘણા પ્રયોગ છે.

1. રોજ 108 કમળના બીજની આહુતિ આપવામાં આવે અને આવું 21 દિવસ સુધી કરવામાં આવે તો આવનારી 21 પેઢીઓ સંપન્ન બની જાય છે.
2. જો દુકાનમાં કમળ ગટ્ટાની માળા પાથરીને તેના પર ભગવતી લક્ષ્મીનું ચિત્ર સ્થાપિત કરવામાં આવે તો વેપારમાં ક્યારેય ખોટ આવતી નથી. તેનાથી વેપારમાં નિરંતર પ્રગતિ થતી રહે છે.
3. કમળ ગટ્ટાની માળા ભગવતી લક્ષ્મીના ચિત્ર પર પહેરાવીને કોઇ પણ નદી કે તળાવમાં વિસર્જિત કરવામાં આવે તો તેના ઘરમાં નિરંતર લક્ષ્મીનું આગમન રહે છે.
4. જે વ્યક્તિ દર બુધવારે 108 કમળગટ્ટાના બીજ લઇને ઘીની સાથે એક- એક કરીને યજ્ઞમાં આહુતિ આપે છે. તેના ઘરમાંથી દરિદ્રતા હંમેશા માટે જતી રહે છે.
5. જે વ્યક્તિ પૂજા- પાઠ દરમિયાન માળા પોતાના ગળામાં ધારણ કરે છે તેના પર લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે.

motisankh

મોતી શંખઃ-

કેટલાક લોકો એવા હોય છે જેની આવક સારી હોય છે પણ તેની પાસે પૈસા રહેતા હોતા નથી. જો તમારી સાથે પણ આ સમસ્યા હોય તો મોતીશંખ તેનું શ્રેષ્ઠ નિદાન માનવામાં આવે છે.

ઉપાયઃ-

કોઈ બુધવારના સવારે સ્નાન કરી સાફ કપડામાં તમારી સામે એક શંખને રાખો અને તે પર કેસરથી સ્વસ્તિકનું ચિહ્મ બનાવો. આ પછી નીચે લખવામાં આવેલ મંત્રનો જપ કરો –

श्रीं ह्रीं श्रीं महालक्ष्मयै नम:

મંત્રનો જપ સ્ફટિક માળાથી કરો.મંત્રોચ્ચારની સાથે એક એક ચોખાનો દાણો શંખમાં નાખો.આ વાતનું ધ્યાન રાખો કે ચોખાના દાણા તુટેલા ન હોય. આ પ્રયોગ સતત અગીયાર દિલસ સુધી કરો.આ પ્રકારે રોજ એક માળાનો જપ કરો. એ ચોખાને એક સફેદ રંગની થેલીમાં રાખો અને અગીયાર દિવસ પછી ચોખા સાથે શંખને પણ તે થેલીમાં રાખી, તિજોરીમાં રાખો. આપ જોઈ શકો છો કે થોડાક જ દિવસમાં આપને ધન-વૈભવમાં વૃદ્ધિ થવા લાગશે. પેસા આવશે પણ અને ટકશે પણ.

ekakshi

એકાક્ષી નારિયેળ

જ્યોતિષીય ઉપાયોમાં નારિયેળનો પ્રયોગ પણ કરવામાં આવે છે. નારિયેળ ઘણા પ્રકારના હોય છે. તેમાંથી એક હોય છે એકાક્ષી નારિયેળ. માન્યતા મુજબ આ નારિયેળ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ નારિયેળને ઘરમાં રાખવાથી ઘનલાભ થાય છે અને સાથે જ, ઘણા પ્રકારની સમસ્યાઓ આપમેળે જ દૂર થઇ જાય છે. આ છે તેના ઉપાય-

1. જે ઘરમાં એકાક્ષી નારિયેળની પૂજા થાય છે, તે ઘરના લોકો પર તાંત્રિક ક્રિયાઓનો પ્રભાવ થતો નથી તથા તે પરિવારના સભ્યોને માન-સન્માન, પ્રતિષ્ઠા અને યશ પ્રાપ્ત થાય છે.

2. જો કોઇ કેસમાં વિજય પ્રાપ્ત કરવી હોય તો રવિવારના રોજ એકાક્ષી નારિયેળ પર વિરોધી પક્ષનું નામ લખી, તેના પર લાલ કરેણનું ફૂલ રાખી દેવું અને જે દિવસે કોર્ટ જવાનું હોય ત્યારે આ ફૂલને સાથે લઇને જવું. નિર્ણય તમારા પક્ષમાં હોવાના યોગ બની શકે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

ગ્રહ-નક્ષત્રોના ગુણોનો મનુષ્ય પર કેવો પ્રભાવ પડે?

nakshtra

મનુષ્યમાં સતોગુણ, રજોગુણ અને તમોગુણ એમ ત્રણ પ્રકારના ગુણો જોવા મળે છે. તે જ રીતે દરેક ગ્રહો અને નક્ષત્રોની પોતાની પ્રકૃતિ કે ગુણ હોય છે. આ ત્રણે ગુણના ગ્રહો તથા નક્ષત્રો અને તેનાં ફળ વિશે જાણીએ.

  •  સતોગુણીઃ સૂર્ય, ચંદ્ર, ગુરુ.
  •  રજોગુણીઃ બુધ, શુક્ર.
  •  તમોગુણીઃ મંગળ, શનિ, રાહુ અને કેતુ

તમામ ૨૭ નક્ષત્રો નવ ગ્રહના સ્વામિત્વમાં છે, તેથી ગ્રહોની પ્રકૃતિ અનુસાર નક્ષત્રોને ઉપરોક્ત ગુણોના આધારે નીચે પ્રમાણે વહેંચી શકાય.

સતોગુણી નક્ષત્ર
  •  સૂર્યનાં નક્ષત્રઃ કૃતિકા, ઉ.ફા., ઉ.ષાઢા.
  •  ચંદ્રનાં નક્ષત્રઃ રોહિણી, હસ્ત, શ્રવણ.
  •  ગુરુનાં નક્ષત્રઃ પુનર્વસુ, વિશાખા, પૂ.ભા.
રજોગુણી નક્ષત્ર
  •  બુધનાં નક્ષત્રઃ આશ્લેષા, જ્યેષ્ઠા, રેવતી.
  •  શુક્રનાં નક્ષત્રઃ ભરણી, પૂ.ફા., પૂ.ષાઢા.
તમોગુણી નક્ષત્ર
  •  મંગળનાં નક્ષત્રઃ મૃગશિરા, ચિત્રા, ઘનિષ્ઠા.
  •  શનિનાં નક્ષત્રઃ પુષ્ય, અનુરાધા, ઉ.ભા.
  •  રાહુનાં નક્ષત્રઃ આર્દ્રા, સ્વાતિ, શતભિષા.
સતોગુણી નક્ષત્ર

કૃતિકા, રોહિણી, પુનર્વસુ, ઉ.ફા., હસ્ત, વિશાખા, ઉ.ષાઢા, શ્રવણ અને પૂ.ભા.

ફળઃ સતોગુણી નક્ષત્રના પ્રભાવથી જાતકમાં ઈશ્વરીય ગુણો વધે છે. આ નક્ષત્રોમાં જન્મેલા જાતકો ઈશ્વરભક્ત, નિર્મળ હૃદયના,દયાળુ, સત્યવક્તા, ઈમાનદાર, ક્ષમાવાન, નિષ્કપટ, ધૈર્યવાન, નિઃસ્વાર્થી, પરોપકારી, સત્કર્મી તથા સંતોષી હોય છે. તે બીજા લોકોને કષ્ટ આપતા નથી તથા કોઈને કષ્ટ પડતું જુએ તો પણ દુઃખી થાય છે.

રજોગુણી નક્ષત્ર

આશ્લેષા, જ્યેષ્ઠા, રેવતી, ભરણી, પૂ.ફા., પૂ.ષાઢા.

ફળઃ રજોગુણી નક્ષત્રના જાતકમાં દેવ તથા અસુરના ગુણોનું સંમિશ્રણ હોય છે. આવા ગુણો મનુષ્યમાં હોય છે. મનુષ્ય ભૌતિકવાદી હોય છે. ધન, ભોગ અને વિલાસનો ઇચ્છુક હોય છે. રજોગુણી જાતકમાં સદ્ગુણ હોય છે તે સાથે

દુર્ગુણ પણ હોય છે. આવો જાતક ક્યારેક અસત્ય બોલે છે. સ્વાર્થવશ ખોટું કામ પણ કરે છે. ક્રોધ અને અહંકાર પણ કરે છે. દેખાડો કરે છે તો ક્યારેક પરોપકાર પણ કરે છે અને સત્ય પણ બોલે છે. રજોગુણી જાતકમાં હળતાં-મળતાં શુભાશુભ લક્ષણો જોવા મળે છે.

તમોગુણી નક્ષત્ર

મૃગશિરા, ચિત્રા, ઘનિષ્ઠા, પુષ્ય, અનુરાધા, ઉ.ભા., આર્દ્રા, સ્વાતિ, શતભિષા.

ફળઃ તમોગુણી નક્ષત્રોના પ્રભાવથી જાતકમાં આસુરી પ્રવૃત્તિઓ ઉત્પન્ન થાય છે. તમોગુણી જાતકમાં ક્રોધ, ક્રૂરતા, કુબુદ્ધિ, અસત્ય બોલવું, અહંકાર, બનાવટ, દુષ્ટતા, ઈર્ષ્યા, છળ-કપટ, દ્વેષ જેવું આચરણ ધરાવતા હોઈ શકે છે. આવા જાતકો સ્વાર્થવશ બીજાને ઠગવા અને કષ્ટ પહોંચાડવામાં લેશમાત્ર પણ પાછીપાની કરતા નથી.

કેટલાક વિદ્વાનો બુધને સાત્ત્વિક તથા સૂર્ય ચંદ્રને રાજસિક ગ્રહો માને છે. તેના આધારે બુધનાં ત્રણ નક્ષત્રોને સતોગુણી તથા સૂર્ય અને ચંદ્રનાં છ નક્ષત્રોને રજોગુણી માનેલ છે. જ્યારે જ્યોતિષશાસ્ત્રના કેટલાક ગ્રંથોમાં સૂર્ય અને ચંદ્રને સાત્ત્વિક તથા બુધને રાજસિક ગ્રહ માનેલ છે.

સ્વર સંબંધી જ્યોતિષીય શુભા શુભ શુકન..!!

સ્વર બે પ્રકારના માનવામાં આવ્યા છે. (૧) ચંદ્ર સ્વર અને (૨) સૂર્ય સ્વર. ચંદ્ર સ્વર જમણી નાસામાં ને સૂર્ય સ્વર ડાબી નાસામાં રહે છે જો જમણી નાસિકાનો સ્વર ચાલતો હોય તોને ચંદ્ર સ્વર યા ઈડા નાડી સાથે સંબંધિત સ્વર કહેવાય છે. જમણી નાસિકાનો સ્વર બનતો હોય ત્યારે તેને સૂર્ય સ્વર યા પિંગલા નાડી સાથે સંબંધિત સ્વર કહે છે.

  • યાત્રાના આરંભમાં અર્થાત કોઈ કાર્યના ઉદ્રેશ્યથી ગમન કરતાં સમય જો ચંદ્ર સ્વર ચાલે તો તે શુભ હોય છે.
  • નગર પ્રવેશ ગ્રહ પ્રવેશ યા વિવાદ અને યાત્રા વગેરેમાં ચંદ્ર સ્વર શુભ હોય છે.
  • જો દૂર દેશમાં યુદ્ધ ચાલી રહ્યું હોય તેમાં જતી વખતે ચાલનારો ચંદ્ર સ્વર હિતકર હોય છે.
  • જો સૂર્ય સ્વરમાં આરંભ કરવામાં આવે તો કાર્ય જો નિષ્ફળ થઈ જાય તો તે ચંદ્ર સ્વરમાં કરવાથી અવશ્ય સમ્યન્ન થઈ જાય છે.

સૂર્યોદય પહેલાં ચંદ્ર સ્વરનું મહત્વ

પ્રાતક કાળના સમયે ચંદ્ર નાંડી ઇડાનું જ મહત્વ છે જો આ સમયે આ સ્વર ચાલતો ન હોય તો દિવસ ભર ઉદાસીનતા છવાયેલી રહે છે.

જો પ્રાતકાળ ચંદ્ર સ્વર ચાલે નહીં તો તે સમયે કાર્યનો આરંભ કરવો જોઈએ નહીં. પરન્તું મધ્યાદન કાળમાં ચંદ્ર સ્વર ચાલતો હોય તો તે યોગ્ય છે જો આ સ્વર પ્રાત કાળે ચાલતો ન હોય તેને મધ્યાહન કાળે તો અવશ્ય ચાલવો જોઈએ.

જો ચંદ્ર સ્વરમાં પૃથ્વી તત્વ યા જળ તત્વનો ઉદય હોય તો શુભ કાર્યોમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

દૂર દેશની યાત્રા અને ચંદ્ર સ્વર

  • દૂર દેશની યાત્રા કરતી વખતે તેનો આરંભ ચંદ્ર સ્વરથી જ કરવો જોઈએ. ચંદ્ર સ્વરમાં યાત્રા આરંભ કરવાથી ઈષ્ટ વસ્તુ યા આરંભ કરેલ કાર્યમાં સફળતા મળે છે.
  • ચંદ્ર સ્વર વિષનું હરણ કરી લે છે એટલા કોઈ બીજાનું ભોજન ત્યારે જ ગ્રહણ કરવું ઘટે કે, જ્યારે સૂર્ય સ્વર ચાલતો હોય.
  • વિદ્યાધ્યનનો આરંભ ચંદ્ર સ્વરથી આરંભાય તો તે હિતકર હોય છે.
  • કોઈ પણ ધર્માનુષ્ઠાન યા મંગલ કાર્ય કરવામાં પણ ચંદ્ર સ્વરનો ઉપયોગ કરવો.
  • હવે – પૂજન, જપ, તપ, યજ્ઞા વગેરે કર્મોમાં ચંદ્ર સ્વરનું જ મહત્વ રહેલું છે.
  • યજ્ઞાોપવીત ધારણા, વેદાધ્યના, કઠિન રોગોની ચિકિત્સા વગેરે કાર્યોમાં પણ ઈડાનાડીનો જ ઉપયોગ થાય છે.
  • દીક્ષા, ગ્રહણ, ભ્રાતૃ, દર્શન વગેરે કાર્યોમાં ચંદ્ર સ્વરનો ઉપયોગ થાય છે.
  • ખેતરમાં બીજ વાવવા, પ્રસ્થાન, સંધિ જેવા કાર્યોમાં ચંદ્ર સ્વરનો ઉપયોગ કરવો.
  • ગાયન, વાહન, વાજુ વગાડવું, નાચવું, અભિનય કરવો, ગામ યા નગરમાં પ્રવેશ વગેરે કાર્યોનો આરંભ પણ ચંદ્ર સ્વરમાં કરવો યોગ્ય રહે છે.
  • યોગાભ્યાસ, ધ્યાન, પાઠ વગેરે કાર્યોનેા આરંભ પણ ચંદ્ર સ્વરમાં કરવો.
  • આભૂષણ, ધારણ, તિલક ધારણ તથા શૃંગાર વગેરે કાર્યોમાં પણ ચંદ્ર સ્વરનો ઉપયોગ શુભ રહે છે.
  • ખેતર ખરીદવું, અન્ન વગેરેનો સંગ્રહ કરવામાં ઇડા નાડીનો ઉપયોગ કરવો.
  • ગુરુનું પૂજન પણ ઇડા નાડીમાં આરંભ કરવું વિષ ઉતારવામાં પણ તેનો જ ઉપયોગ કરવો અસરકારક નિવડે છે.
  • જો વરસાદનું આગમન ઈડા સ્વર ચાલતો હોય ત્યારે કરવાથી તે અતિ શુભ તથા ધન, ધાન્યની વૃદ્ધિમાં સહાયક નિવડે છે ઈડા નાડીનું પણ તેમાં મહત્વ છે.
  • દુઃખ, શોક, વિયોગ, સંકર યા જવરાદિની અવસ્થામાં ચંદ્ર સ્વર ચાલતો હોય તો તે શુભ ગણાય છે.
  • ઘરમાં હાથી, ઘોડા વગેરે વાહનોને બાંધવાના કાર્યમાં પણ ઈડાનો ઉપયોગ કરવો.
  • ધન, સંપત્તિનો સંગ્રહ તથા ધન, ધાન્યનો સંગ્રહ ચંદ્ર સ્વરમાં શુભ રહે છે.
  • દેવ, મૂર્તિની પ્રનિષ્ઠા વગેરે શુભ હોય પણ ચંદ્ર સ્વરમાં શુભ રહે છે.

સૂર્ય સ્વરનાં શુભા શુભ શુકન

સાયંકાળના સમયે સૂર્ય સ્વર (ડાલી નાસાનો સ્વર) ચાલતો હોય તો તે શુભ છે જો સાયંકાળના સમયે આ સ્વર ચાલતો ન હોય તો અડધી રાતના સમયે અવશ્ય ચાલવો જોઈએ એટલા માટે આ ઉદ્દેશ્યની સફળતાને માટે સૂર્ય સ્વર ચાલતો થાય ત્યાં સુધી પ્રતીક્ષા કરવી જોઈઅળ

  • નજીકમાં યુદ્ધ ચાલી રહ્યું હોય અને વ્યક્તિને તેમાં જવાનું હોય તો તે વખત સૂર્ય સ્વર ચાલતો હોય ત્યારે ગમન કરવું આ લક્ષણ વિજય અપાવે છે.
  • જો સૂર્ય સ્વરમાં અગ્નિ તત્વનો ઉદ્દય હોય તો હરકાર્યો તેમાં સિદ્ધિદાયક હોય છે.
  • જો પોતાના દેશમાં જતી વખતે યા નજીક જતી વખતે કે યાત્રા કરતી વખતે સૂર્ય સ્વર ચાલતો હોય તો શુભ અને યોગ્ય રહે છે.
  • ઘર પ્રવેશમાં સૂર્ય સ્વર ચાલતો હોય તો તે વધુ શુભ રહે છે.

સૂર્ય સ્વરમાં વિગ્રહથી લાભ

જો કોઈ બળવાન સાથે ટક્કર લેવાની હોય તો સૂર્ય સ્વર ચાલતો હોય ત્યારે વિગ્રહનો પ્રારંભ કરવો જોઈએ. કેમ કે, ‘સૂર્યો બલિવશ ભવેત્’ અનુસાર સૂર્ય સ્વર બળવાનને પણ વશ કરી લે છે.

  • કઠિન અને ક્રૂર વિદ્યાઓના પાઠન, પાટનનું કાર્ય સૂર્ય સ્વરમાં કરવું.
  • વહાણ પર ચઢતા યા શત્રુને વિષ આપવામાં સૂર્ય સ્વરનો ઉપયોગ કરવો.
  • મદિરા યાન, જુગાર રમવા વગેરે કાર્યમાં પણ પિંગલા નાડીનો ઉપયોગ કરવો.

મંત્ર સિદ્ધિ અને પિંગલા નાડી

  • અસ્ત્ર શસ્ત્રોના મંત્રથી સિદ્ધિ કરવા પિંગલા નાડી લાભકારી નિવડે છે.
  • પશુ, વેચાણ શાસ્ત્ર ધ્વયન ઈંટ, લાકડા, પથ્થર જેવા કાર્યોમાં સૂર્ય સ્વર મુખ્ય છે.દુર્ગ પર્વતો પર ચઢવું, હાથી, ઘોડા, રથ વગેરે પર સવાર થવું તથા શસ્ત્રાભ્યાસ આરંભ કરવો એ પણ પિંગલા સ્વર ચાલતો હોય ત્યારે કરવા જોઈએ.
  • મારણ , ઉસ્ચાહમ વગેરે ષટકર્મોની સાધનાઓ, ભૂત, પ્રેત, વેતાલ વગેરેનાં કર્મ, યક્ષ, યક્ષિની સિધ્યિ વગેરે કાર્યોનેા આરંભ પણ સૂર્ય સ્વરમાં જ કરવો જોઈએ.
  • શત્રુઓ સાથે ટક્કર લેવી, કોઈની સાથે ઝઘડો કરવો, યુદ્ધ કરવું, હાથમાં હથિયાર ધારણ કરવું, શત્રુઓનું ઉરચાહન કર્મ કરવું કોઈ વસ્તુ ખરીદવી અગર વેચવી વગેરે કાર્યો પણ પિંગલા સ્વરમાં સફળ થાય છે.
  • વ્યાયાર, કાર્ય, સ્ત્રીગમન, શયન તથા રાજા અગર રાજપુરુષના …….. પણ સૂર્ય સ્વર ઉપયોગી નિવડે છે.
  • કોઈ વસ્તુનો ઉપયોગ ભોજનાપાન, સ્નાન વગેરે કર્મ પિંગલામાં સફળ રહે છે.
  • દાન આપવું, પ્રેતોને વશમાં કરવા વગેરે કાર્યોનો આરંભ પિંગલામાં કરાય છે.
  • મંદાગ્નિ વગેરે જેવી વ્યાધિયોમાં ઔષધિના સેવન વગેરેને માટે સૂર્ય સ્વર જ ઉપયોગી છે અન્ય રોગોમાં પણ આ સ્વરની ઉપયોગિતા લાભદાયી છે.
  • ભેંસ, પાડાને ખરીદવાં હોય ઊંટ વગેરેને રાખવા હોય તો આવા પશુઓ માટે સૂર્ય સ્વર ચાલતો હોય ત્યારે રાખવા કે, ખરીદવા કુતરો પણ આ સ્વરમાં આપી શકાય.
  • નદી પાર કરવી હોય તો જ્યારે સૂર્ય સ્વર ચાલતો હોય ત્યારે જ પાર કરવી.
  • ગધેડા, બકરી, ગાય વગેરેની લે-વેચમાં આ સ્વરનો ઉપયોગ કરવો.
  • સૂર્ય સ્વર ચાલતો હોય ત્યારે જ ચોર ચોરી કરવામાં સફળ રહે છે જો તે સમયે ઘરમાલિકનો સૂર્ય સ્વર ચાલતો હોય તો ચોર ચોરી કરવામાં સફળ રહેતો નથી.
  • ક્રૂર કર્મોમાં સૂર્ય સ્વરનું મહત્વ છે આ સ્વર ચાલતો ન હોય ત્યારે આવા ક્રૂર કર્મો કરવા જોઈએ નહીં.
  • નાના,મોટા કાર્યનો આરંભ સૂર્ય સ્વરમાં જ કરવો તેથી પૂર્ણ સફળતા મળે છે.
  • યંત્ર, તંત્ર, મંત્ર વગેરેના ઉપયોગોમાં પણ સૂર્ય સ્વરનો ઉપયોગ કરવો.

સ્વર સંબંધી વિશેષ તથ્ય

  • જે બાજુનો સ્વર ચાલી રહ્યો હોય તે પગને આગળ ડગલું ભરીને યાત્રા કરવાથી આવી યાત્રા શુભ અને સિદ્ધિ દાયક નિવડે છે.
  • જે બાજુનો સ્વાર ચાલી રહ્યો હોય તે બાજુ શસ્ત્ર ધારણ કરીને યુદ્ધ કરવા ચાલતાં યુદ્ધમાં વિજય મળે છે વ્યક્તિએ કોઈ મુકદ્દમાં અંગે કોર્ટમાં જવાનું હોય ત્યારે પોતાના મુકદ્દમાં અંગેના કાગળો જે બાજુએ સ્વર ચાલી રહ્યો હોય તે બાજુએ રાકીને જવાથી મુકુદ્દમાં માં વિજય હાંસલ થાય છે.
  • જે બાજુએ સ્વર ચાલી રહ્યો હોય તે બાજુના હાથ વડે આપ-લે કરવી.
  • ગુરુ, રાજપુરુષ, મંગીયા ભાઈ વગેરેની સાથે જે બાજુ એ સ્વર ચાલી રહ્યો હોય તે બાજુએ બેસવું ઉત્તમ રહે છે અને પરિણામે અભીષ્ટ સિદ્ધિ મળે છે.
  • પ્રાપ્ત કાળ અન્ય સ્વર ચાલતો હોય છે જો આ સમયે સૂર્ય સ્વર ચાલતો હોય તો તે શુભ ગણાતો નથી. અન્ય સ્વર યોગ્ય ગણાતો નથી આ બાબતે સ્વરોદય શાસ્ત્ર કહે છે કે જ્યારે સ્વરોના પ્રવાહના નિયમનું ઉલ્લંધન કરીને વાયુ નાડીઓમાં પ્રવાહિત થાય છે ત્યારે તેનું ફળ નિઃસંદેહ અશુભ હોય છે.
  • સૂર્ય સ્વરની વખતે ચંદ્ર સ્વર અને ચંદ્ર સ્વરની વખતે સૂર્ય સ્વર ચાલે તોતે શુભ ગણાતું નથી.
  • જો એકજ સમયે બંને સ્વરોનો પ્રવાહ ચાલી રહ્યો હોય તોતે ઝેર સમાન હાનિકાય હોય છે આવા સમયે સૌરવ કે ક્રૂર કોઈ કાર્ય સિદ્ધ થતાં નથી.
  • જ્યારે સ્વરોનો વિચરીત પ્રવાહ ચાલી રહ્યો હોય ત્યારે લાભ નુકશાન, જપ, પરાજ્મ વગેરે કદાપિ કરવો જોઈએ નહીં.
  • વિજય, લાભ અને સુખની કામના કરનાર વ્યક્તિએ ઈશ્વર, સ્મરણ ધ્યાન કીર્તન, ભજન વગેરે કાર્યો અવશ્ય કરવાં જોઈએ આ કાર્યો આવતી વિપત્તિયોને નષ્ટકરી દિનકર પરિણામ લાવી આપે છે.

 

 

સાભાર: સંદેશ


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

રમલશાસ્ત્ર પાસાં ફેંકો અને ભવિષ્ય જાણો.

ramal

રમલશાસ્ત્ર વૈદિક જ્યોતિષ જેટલું જ પુરાતન છે. લોકકલ્યાણ માટે જ્યારે માતા પાર્વતીજીની વિનંતી પર ભગવાન શંકરે જે જ્ઞાાન આપ્યું તેમાંથી આ શાસ્ત્રનો ઉદ્ભવ થયો. ઈ.પૂ. પહેલી સદીમાં આરબ લોકો આ વિદ્યાને ગુપ્ત રીતે ભારતમાંથી પોતાની સાથે લઈ ગયા અને તેનો ખૂબ જ અભ્યાસ કર્યો. ધીરે ધીરે આ વિજ્ઞાાનનો વિકાસ થયો જે રમલશાસ્ત્ર કહેવાયું. રમલ જ્યોતિષ એ પ્રશ્ન જ્યોતિષનો જ એક પ્રકાર છે. જેનો સીધો સંબંધ પ્રશ્નકર્તા સાથે છે. રમલ જ્યોતિષમાં કુંડળી બનાવ્યા વગર ભવિષ્યકથન કરવામાં આવે છે. તેના માટે કોઈ પણ પ્રકારની કુંડળીની જરૂર પડતી નથી.

અરબી જ્યોતિષમાં ૧૨ રાશિઓ, નવ ગ્રહો અને ૨૭ નક્ષત્રોને માનવામાં આવે છે. આ વિદ્યા ૧૨ રાશિઓ પર આધારિત છે જેનો સંબંધ મૂળ સાત ગ્રહો સાથે છે. દરેક રાશિના એક અધિષ્ઠાતા દેવ હોય છે. માતાના ગર્ભમાંથી જ્યારે બાળક આ દુનિયામાં આવે છે ત્યારે ગ્રહોનો પ્રભાવ તેના પર પોતાનો શુભ-અશુભ પ્રભાવ આપવાનું શરૂ કરી દે છે. અરબી જ્યોતિષ રમલશાસ્ત્ર અનુસાર નવ ગ્રહ શરીરનાં અંગ, વ્યવસાય અને કાર્યપ્રણાલીને પ્રભાવિત કરે છે. સૂર્ય ગ્રહ આત્મા તથા પિતાનો, ચંદ્ર અંતરાત્મા, વિચારધારા અને કોઈ ખાસ પ્રકારની કાર્યપ્રણાલી તથા માતા, મંગળ ગ્રહ શક્તિ, શૌર્ય અને વીરતાનો, બુધ ગ્રહ બુદ્ધિ, વિવેક અને જ્ઞાાનનો, ગુરુ ધર્મ, સંસ્કૃતિ અને જ્ઞાાનનો, શુક્ર આનંદ, સુખ, શાંતિ, પ્રભુત્વનો જ્યારે શનિ ગ્રહ આયુષ્યનો કારક હોય છે.

રમલશાસ્ત્ર પ્રમાણે પ્રસ્તાર એટલે કે જન્મકુંડળીનાં ૧૬ ઘર હોય છે. પ્રસ્તારનાં ચાર ઘર સાક્ષીનાં ઘર હોય છે. બાકીનાં ૧૨ ઘર અલગ-અલગ ક્ષેત્રોનાં પ્રતીક હોય છે. જેમ કે પ્રથમ ઘર વ્યક્તિનાં રંગ, રૂપ, સ્વભાવ, ભાગ્યની ઉન્નતિનું ઘર, બીજું ઘર મનુષ્યનાં ધન, રોજીરોટી કે આજીવિકા, વ્યાપારિક પરિસ્થિતિ, ક્રય-વિક્રય, તેજી-મંદી તથા પુત્રોનું, ત્રીજું ઘર નજીકની વ્યક્તિઓની મિત્રતા વગેરેનું, ચોથું ઘર સુખ-સમૃદ્ધિ, અચલ સંપત્તિ તથા ભૂમિનું, પાંચમું ઘર પુત્ર-પુત્રી, ધર્મ અને ભાઈનું, છઠ્ઠું ઘર નજીકનાં સગાં-સંબંધીઓ, વ્યક્તિ, નોકરી, બીમારીનું, સાતમું ઘર લગ્નજીવનના ઉતાર-ચઢાવનું તે જ રીતે અન્ય ઘર પણ દરેક જુદી-જુદી બાબતોથી નિર્ધારિત હોય છે.

રમલશાસ્ત્ર દ્વારા માનવીના સુખી અથવા દુઃખી લગ્નજીવનનો પ્રસ્તાર ઘણાં સૂક્ષ્મ અધ્યયન તથા રમલ (અરબી જ્યોતિષ) શાસ્ત્રના ગણિત દ્વારા જાણવામાં આવે છે કે વ્યક્તિનું લગ્નજીવન કેવું રહેશે? જીવનની સમસ્યાઓ, વિવાહ પહેલાં અને પછીથી ધનની પ્રાપ્તિ થશે કે નહીં? સંતાનસુખ તરત મળશે કે મોડેથી? અથવા સાસરી પક્ષથી લાભની પ્રાપ્તિ થશે કે નહીં વગેરે જેવી જાણકારી મેળવી શકાય છે.

જો રમલશાસ્ત્રના પ્રસ્તારના સાતમા ઘરમાં ક્રૂર ગ્રહ હોય હોય તો લગ્નજીવનમાં સમસ્યાઓ કાયમ રહેશે, સાથે પ્રતિકૂળ સ્થિતિ પણ જળવાઈ રહેશે. આ બધી જ સ્થિતિની જાણકારી, સમાધાન પાસાં નાખીને કરવામાં આવે છે.

પાસાંઓને અરબી ભાષામાં ‘કુરા’ના નામે ઓળખવામાં આવે છે. આ ક્રિયા રમલાચાર્ય સમક્ષ જ્યારે પ્રશ્નકર્તા પ્રશ્ન કરે ત્યારે કરવામાં આવે છે. જો પ્રશ્નકર્તા રમલાચાર્ય સમક્ષ ન હોય તો પ્રશ્ન સારણી કે કોઠા દ્વારા પણ કરી શકાય છે.

શાસ્ત્રો અનુસાર લગ્ન પહેલાં કુંડળીનો મેળાપક કરવાની પરંપરા હિન્દુ સંસ્કૃતિમાં છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંડળીનો મેળાપક કર્યા વગર લગ્ન કરાવવામાં આવે તો પતિ-પત્નીમાં અણબનાવ, છૂટાછેડા, માન-પ્રતિષ્ઠામાં હાનિ તથા અન્ય ઘણાં પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. રમલશાસ્ત્ર અનુસાર જો પ્રસ્તારના ચોથા ઘરમાં અશુભ ગ્રહની પ્રતિકૂળતા એટલે કે અશુભતા હોય અથવા પાપગ્રહો સાથે સંબંધિત સ્થિતિ હોય તો આયુષ્યમાં ઘટાડો આવે છે. જો સૂર્ય ગ્રહ કોઈ અશુભ સ્થિતિમાં હોય તો અશુભ હોય છે. આ અશુભતાને દૂર કરવા અને ઉકેલ જાણવા માટે અરબી જ્યોતિષ રમલશાસ્ત્ર કારગર સાબિત થઈ શકે છે.

રમલશાસ્ત્રમાં દાંપત્યજીવનમાં સુખ-સમૃદ્ધિ માટે જે ગ્રહની અશુભતા હોય, તે ગ્રહનું રત્ન રમલશાસ્ત્રના શુભ મુહૂર્તમાં વિધિવિધાન દ્વારા પ્રાણપ્રતિષ્ઠા કરાવીને એટલે અભિમંત્રિત કરીને યોગ્ય સમયે ધારણ કરવું જોઈએ અથવા તે ગ્રહના અધિષ્ઠાતા દેવનો મંત્રજાપ કરવો જોઈએ.

રમલ પ્રશ્નાવલી

રમલ પ્રશ્નાવલીની રીત ખૂબ જ સરળ છે. તેના માટે ચંદનનાં લાકડાંમાંથી ચોરસ પાસાં બનાવીને તેના પર ૧, ૨, ૩, ૪ કોતરાવી દો. પછી પોતાના કાર્યનું ચિંતન કરતાં કરતાં ત્રણ વાર પાસાં ફેંકો. તેનો જે અંક આવે તે જ અંકનું ફળ જુઓ. જો કોઈની પાસે પાસાં ન હોય તો આપેલી સારણીમાં પોતાની અનામિકા (ત્રીજી આંગળી) આંગળી મૂકો અને ફળ જુઓ.

૧૧૧     ૧૩૧     ૨૧૧     ૨૩૧     ૩૧૧     ૩૩૧     ૪૧૧     ૪૩૧
૧૧૨     ૧૩૨     ૨૧૨     ૨૩૨     ૩૧૨     ૩૩૨     ૪૧૨     ૪૩૨
૧૧૩     ૧૩૩     ૨૧૩     ૨૩૩     ૩૧૩     ૩૩૩     ૪૧૩     ૪૩૩
૧૧૪     ૧૩૪     ૨૧૪     ૨૩૪     ૩૧૪     ૩૩૪     ૪૧૪     ૪૩૪
૧૨૧     ૧૪૧     ૨૨૧     ૨૪૧     ૩૨૧     ૩૪૧     ૪૨૧     ૪૪૧
૧૨૨     ૧૪૨     ૨૨૨     ૨૪૨     ૩૨૨     ૩૪૨     ૪૨૨     ૪૪૨
૧૨૩     ૧૪૩     ૨૨૩     ૨૪૩     ૩૨૩     ૩૪૩     ૪૨૩     ૪૪૩
૧૨૪     ૧૪૪     ૨૨૪     ૨૪૪     ૩૨૪     ૩૪૪    ૪૨૪      ૪૪૪

ફળ આ પ્રમાણે છે.

૧૧૧: તમારી મનોકામના પૂર્ણ થશે.

૧૧૨: તમે જે નિર્ણય લઈ રહ્યા છો તેના પર ફરી એક વાર વિચાર કરો.

૧૧૩: મહેનત કરીને કમાયેલું અને વ્યય થઈ ગયેલું ધન પ્રાપ્ત થશે.

૧૧૪: ધૈર્ય, વિશ્વાસ, બુદ્ધિ અને વિવેકથી સુખ તથા આનંદ પ્રાપ્ત થશે.

૧૨૧: તમારું આચરણ સારું રાખો અને ખરાબ લોકોની સંગતિ ન કરશો.

૧૨૨: શુભ સમય જલદી આવશે. ઈશ્વરની ઉપાસના કરો.

૧૨૩: ઠંડા મગજથી વિચારો, વિપત્તિઓને નિમંત્રણ મળે તેવું ન કરશો. સંકટનાશન-ગણેશસ્તોત્રનો પાઠ કરો.

૧૨૪: સંતોષ જેવું એકેય ધન નથી. પરિસ્થિતિને સુધારવાનો પ્રયત્ન કરો.

૧૩૧: મહેનત કે પ્રયત્નો જ સાચા છે, માટે કલ્પનામાં ન રાચશો.

૧૩૨: વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરો અને ચિંતાને છોડી દો.

૧૩૩: અટલ આત્મવિશ્વાસનું ફળ મીઠું હોય છે.

૧૩૪: ભવિષ્યનું નિર્માણ તમારા હાથમાં છે. સત્ય અને ઇમાનદારીને છોડશો નહીં.

૧૪૧: શુભ સમય તમારા દરવાજે આવીને ઊભો છે. ઁ ગં ગણપતયે નમઃ મંત્રનો જપ કરો.

૧૪૨: કર્મનું ફળ હોય છે માટે પુણ્ય કાર્ય કરો. રુદ્રાષ્ટકનો પાઠ કરો.

૧૪૩: નિંદા, કુસંગતિથી દૂર રહીને ન્યાયપ્રિય તરીકે જીવન જીવો. ચોક્કસ સફળ થશો.

૧૪૪: લાલચ પાછળ ન દોડશો. જો કાર્ય શ્રેષ્ઠ છે તો ધન-માન મળે જ છે.

૨૧૧: સમજી વિચારીને કાર્ય કરો નહીંતર પસ્તાવાનો વારો આવશે.

૨૧૨: ધન-સંપત્તિ મળવાનો યોગ છે. શ્રીસૂક્તનો પાઠ કરો.

૨૧૩: ઘરમાં સુખ-સમૃદ્ધિ તથા જીવનમાં કોઈ શુભ કાર્ય થનાર છે. સર્વ મંગલ માંગલ્યે…નો જપ કરો.

૨૧૪: દિવસે ને દિવસે પ્રગતિ થશે. ગરીબ-જરૂરિયાતમંદ લોકોની સેવા કરો.

૨૨૧: દેખાડો, ખોટું પ્રદર્શન, મહત્ત્વાકાંક્ષાના ચક્કરમાં ન પડશો. તેનાથી અહિત થશે.

૨૨૨: ગરીબ લોકોની સેવા કરો. તમારી સામે ભાગ્ય સ્વયં આવશે.

૨૨૩: દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. કાર્ય જરૂરથી સિદ્ધ થશે.

૨૨૪: ધૈર્ય રાખો, ખરાબ સમય આવનારો છે. ગજેન્દ્ર-મોક્ષનો પાઠ કરો.

૨૩૧: મન લગાવીને કાર્ય કરો. સફળતા મળશે. ભગવાન વિષ્ણુના મંદિરમાં ઊંચાઈ પર પીળી ધ્વજા લગાવો.

૨૩૨: મનને નિયંત્રણમાં રાખો નહીંતર મુશ્કેલીઓ આવશે.

૨૩૩: ઈશ્વરનું નામ લો, વિપત્તિ ટળી જશે. કૃષ્ણાય વાસુદેવાય હરરે પરમાત્મને । પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિન્દાય નમો નમઃ ।।મંત્રનો જપ કરો.

૨૩૪: તમારો મિત્ર કે સાથી વફાદાર છે. વિશ્વાસ કરો.

૨૪૧: મિત્રો કે જે તમારા પર જોર કરે છે તેમનાથી દૂર રહો, કારણ કે સમય આવે ત્યારે તે નાશ કરશે.

૨૪૨: નિરાશ થવાની જરૂર નથી. ગણેશસહસ્ત્ર નામનો જપ કરો.

૨૪૩: ભાગ્ય પરિવર્તનનો સમય પાકી ગયો છે. સમૃદ્ધિ મળશે. મહાલક્ષ્મી અષ્ટકનો પાઠ કરો.

૨૪૪: તમે જે કાર્યમાં લાગ્યા છો તેેને વિવેક-બુદ્ધિથી કરો. તેમાં સંપૂર્ણ સફળતા મળશે.

૩૧૧: ભાગ્યના ઉદયનો સમય આવી ગયો છે. બધા જ પ્રયત્ન સફળ થશે. શ્રી મહાલક્ષ્મીની સાધના કરો.

૩૧૨: લોકો તમારો લાભ ઉઠાવી રહ્યા છે. સાવધાન રહો.

૩૧૩: દુઃખી લોકો છુટકારો મેળવી શકશે.

૩૧૪: ખરાબ વિચારોને મનમાંથી કાઢી નાખો તો જ ભાગ્યશાળી બનશો.

૩૨૧: સમય આવવાની રાહ જુઓ. પ્રચૂર માત્રામાં ધન પ્રાપ્ત થશે.

૩૨૨: નવું કામ ન કરશો. સમય યોગ્ય નથી.

૩૨૩: પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખો.

૩૨૪: તમારો ભાગ્યોદય તમારા જન્મસ્થાને હશે, માટે જન્મસ્થાનથી દૂર ન જશો.

૩૩૧: તમારા શત્રુઓ તમારું અહિત કરવાનો પ્રયત્ન કરશે. હનુમાન ચાલીસાનો પાઠ કરો.

૩૩૨: ખોટી શંકા કે સંદેહને મનમાંથી કાઢી નાખો તો કાર્ય સિદ્ધ થશે.

૩૩૩: તમે પરિવર્તન ઇચ્છતા હો તો કરો, તેનાં પરિણામ સુખદ અને શુભ હશે.

૩૩૪: કોઈ પણ કાર્ય મન પરોવીને કરો. સફળતા જરૂર મળશે.

૩૪૧: શત્રુઓથી ડરશો નહીં. સત્યની જીત થશે.

સાભાર: સંદેશ


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ખાસ…આ છે શિવને પ્રસન્ન કરવાની સૌથી સરળ વિધિ અને પંચોપચારની પૂજા…!!!
જાણો…ગ્રહદોષથી મુક્તિ મેળવવી હોય તો આજથી જ શરૂ કરો, શિવના આ રાશિઉપાય..!!
જાણો…અમાસ ના દિવસે, લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ચમત્કારિક ઉપાય…!!

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

જાણો…રાશિ અનુસાર રોજગારીની પસંદગી..!!

jobpic

રાશીઓની કુલ સંખ્યા 12 છે..જન્મ સમય અનુસાર અલગ-અલગ રાશીઓ હોય છે. તમારી જે રાશિ હોય તે અનુસાર તમે તમારા માટે યોગ્ય કરિયરની પસંદગી કરી શકો છો.

મેષ રાશિ
મેષ રાશિનો રાશિ સ્વામી મંગળ છે. જન્મકુંડળીના દસમા સ્થાન કે ઘરમાં મેષ રાશિ હોય તો તમને સાહસિક કાર્યોમાં સફળતા સરળતાથી મળી શકે છે. આથી મેષ રાશિના જાતકો માટે રક્ષા વિભાગ, પોલીસ વિભાગ, ધાતુ સાથે સંબંધિત કાર્ય, રાજનીતિક તથા પ્રશાસનિક કાર્ય તથા ચિકિત્સકનો વ્યવસાય લાભકારી તથા અનુકૂળ પરિણામ આપનાર હોય છે. પત્રકારત્વના ક્ષેત્રમાં પણ તમને સફળતા મળે છે.

વૃષભ
શુક્ર વૃષભ રાશિનો સ્વામી છે. કુંડળીમાં દસમા ઘરમાં વૃષભ રાશિ હોય તો આ જાતકોએ સંગીત, સૌંદર્યપ્રસાધન, મીડિયામાં રોજગાર શોધવો જોઈએ. આ સિવાય બેન્કની નોકરી, વિજ્ઞાાપન એજન્સી સાથે સંકળાયેલું કાર્ય તથા ઇલેક્ટ્રોનિક્સનું કાર્ય લાભપ્રદ હોય છે. વાણિજ્યના ક્ષેત્રમાં પણ તમને સફળતા પ્રાપ્ત થાય છે.

મિથુન
મિથુન રાશિનો સ્વામી બુધ ગ્રહ હોય છે. જન્મકુંડળીના દસમા ઘરમાં મિથુન રાશિ હોય તો તમારે તમારી કરિયર મીડિયામાં બનાવવી જોઈએ. આ જાતકો માટે એન્જિનિયરિંગ, શિક્ષણ, લેખન તથા અનુવાદનું કાર્ય પણ ઉત્તમ રહે છે. આ જાતકો સારા સંપાદક કે સાહિત્યકાર પણ બની શકે છે.

કર્ક રાશિ
ચંદ્રમા એ કર્ક રાશિનો સ્વામી છે. જન્મકુંડળીમાં આ રાશિ દસમા ઘરમાં હોય તો ચિકિત્સકનો વ્યવસાય તમારા માટે લાભપ્રદ રહેશે. હોટલ કે રેસ્ટોરાંનો વ્યવસાય, બેકરીનું કામ, પશુપાલનનું કાર્ય તમને વધારે લાભ આપશે. ચા અને કોફી જેવાં પીણાંનો વેપાર તમારા માટે વધુ ફાયદાકારક સાબિત થાય.

સિંહ રાશિ
સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. જો તમારી કુંડળીમાં દસમા ઘરમાં સિંહ રાશિ હોય તો તમારે પ્રશાસનિક એટલે કે મેનેજમેન્ટ લેવલના કામકાજમાં રોજગારની તલાશ કરવી જોઈએ. તમારા માટે શેરબજારનો કારોબાર, ઝવેરાત સાથે સંકળાયેલું કામ, દવાઓનો વેપાર કે ઉત્પાદન સફળતા અપાવનાર સાબિત થશે. આ જાતકોને ફિલ્મ ઉદ્યોગમાં પણ સારી સફળતા પ્રાપ્ત થાય છે.

કન્યા રાશિ
કન્યા રાશિનો સ્વામી ગ્રહ બુધ છે. જન્મકુંડળીમાં જો કન્યા રાશિ દસમા ઘરમાં હોય તો તમે એકાઉન્ટન્ટ બની શકો છો. આ જાતકો ક્લાર્ક, મનોવૈજ્ઞાાનિક, ચિકિત્સક, પાઇલટ, લેખક, સંપાદક બની શકે છે. આ જાતકો ઇચ્છે તો વેપાર કરીને પણ લાભ મેળવી શકે છે. ટપાલ વિભાગમાં નોકરી તથા સ્ટેશનરીની દુકાન તમારે માટે વધારે લાભકારક સાબિત થઈ શકે છે.

તુલા રાશિ
આ રાશિનો રાશિ સ્વામી શુક્ર છે. તમારી જન્મકુંડળીમાં દસમા ઘરમાં તુલા રાશિ હોય તો તમે ન્યાય વિભાગમાં સારી સફળતા અને નામ મેળવી શકશો. આ જાતકો અભિનય, ગાયન, ફેશન ઉદ્યોગ, ચિત્રકારના રૂપમાં પણ કરિયર બનાવી શકે છે. ફર્નિચરનો વેપાર, હોટલનો કારોબાર અને દરજી કામમાં પણ ધારી સફળતા મળી શકે છે.

વૃશ્ચિક રાશિ
આ રાશિના લોકોની જન્મકુંડળીનું દસમું ઘર કાર્યસ્થાન તરીકે ઓળખવામાં આવે છે. વૃશ્ચિક રાશિ આ ઘરમાં હોય તો તેનો સ્વામી મંગળ છે. આ જાતકો પોલીસ વિભાગ, રક્ષા વિભાગ, રેલવે, દૂરસંચાર વિભાગમાં પોતાની કરિયર શોધી શકે છે. આ સિવાય જહાજના કેપ્ટન, વીમા એજન્ટ તથા ચિકિત્સાના ક્ષેત્રમાં પણ પ્રયત્નો કરી શકે છે. મશીનરીના વેપારમાં તેમને વધુ લાભ પ્રાપ્ત થાય છે.

ધન રાશિ
તમારી કુંડળીમાં દસમા ઘરમાં ૯નો અંક લખેલો હોય તો આ ઘર ધન રાશિનું છે. આ રાશિના સ્વામી ગુરુ છે. જો રમતગમત પ્રત્યે રુચિ હોય તો ખેલકૂદના ક્ષેત્રમાં પણ તમે તમારી કરિયર બનાવી શકો છો. આ જાતકો વકીલાતમાં સારું નામ કમાઈ શકે છે. શિક્ષણ ક્ષેત્રમાં પણ તેઓ સફળતા પ્રાપ્ત કરી શકે છે.

મકર રાશિ
મકર રાશિનો સ્વામી શનિ હોય છે. તમારી જન્મકુંડળીના દસમા ઘરમાં મકર હોય તો તમે ખાણ સાથે સંકળાયેલ વ્યવસાય કરી શકો છો. કૃષિ વિભાગ તથા ધાતુ સાથે સંબંધિત કાર્ય પણ તમારા માટે અનુકૂળ રહે છે. લાકડાંનો કારોબાર તથા લોખંડ સાથે સંબંધિત કારોબાર પણ તમારા માટે લાભપ્રદ રહે છે.

કુંભ રાશિ
કુંભ રાશિનો સ્વામી પણ શનિ છે. તમારી કુંડળીમાં કુંભ રાશિ કાર્ય સ્થાનમાં છે. આ જાતકો વીજળી વિભાગમાં પોતાનું કરિયર બનાવી શકે છે. આ સિવાય સલાહકાર, જ્યોતિષ, ચિકિત્સકનું કાર્યક્ષેત્ર પણ લાભપ્રદ છે. ટેક્નિકલ ક્ષેત્રમાં પણ કરિયર બનાવી શકે છે. વિમાની સેવા સાથે સંકળાયેલાં કામકાજમાં ધારી સફળતા મેળવી શકાય છે.

મીન રાશિ
કુંડળીમાં અંક ૧૨ મીન રાશિનો સંકેત છે. આ રાશિનો સ્વામી ગુરુ હોય છે. તમારી જન્મકુંડળીમાં દસમા ઘરમાં મીન રાશિ હોય તો તમે લેખન, સંપાદન, ચિકિત્સક વગેરે ક્ષેત્રમાં તમારું કરિયર બનાવી શકો છો. ફિલ્મ, મનોરંજન ક્ષેત્ર અથવા જાસૂસીમાં પણ તમારું નસીબ અજમાવી શકો છો.

ગ્રહોને શાંત કરવા આટલું કરો

ગ્રહોની સંખ્યા નવ છે. આ દરેક ગ્રહ કોઈ ને કોઈ રાશિનો સ્વામી હોય છે. કુંડળીમાં પણ જે તે ગ્રહની સારી કે ખરાબ અસરો થતી જોવા મળે છે. જો કુંડળીમાં કોઈ ગ્રહ ખરાબ હોય અને અનિષ્ટ કરી રહ્યો હોય ત્યારે નીચે પ્રમાણેના સરળ ઉપાયો કરવાથી તે ગ્રહ શાંત થઈને શુભ અસરો આપશે.

  • સૂર્ય : સૂર્યને પ્રસન્ન કરવાને માટે આદિત્યહૃદય સ્ત્રોતનો પાઠ કરવો. માતા-પિતાની સેવા તથા સૂર્યને અર્ધ્ય આપવો. જળમાં ચંદન તથા લાલ રંગનું પુષ્પ નાખવું જોઈએ. સુવર્ણ, તાંબું, ખાંડ કે ગોળનું દાન કરવું. સૂર્યોદય પહેલાં ઊઠી જવું. રવિવારનું વ્રત કરવું. મીઠું ન ખાવું. વયસ્કોને માન-સન્માન આપવું તથા તેમની પરંપરા ધ્યાનપૂર્વક નિભાવવી.
  • ચંદ્ર : ચંદ્રને પ્રસન્ન કરવા માટે ‘ॐ નમઃ શિવાય ।’ મંત્રના જાપ કરવા. ભગવાન શંકર પર પાણીવાળું નારિયેળ, સફેદ ચંદન તથા ચાંદીનો ચંદ્ર, બિલ્વપત્ર, સફેદ મિષ્ટાન્ન ચઢાવવું. સોમવારનું વ્રત રાખવું તથા સફેદ વસ્ત્રનું દાન કરવું. પહાડોની યાત્રા કરવી તથા માતાના ચરણસ્પર્શ કરીને આશિષ મેળવવી.
  • મંગળ : મંગળની પ્રસન્નતા માટે હનુમાનજીને ચમેલીનું તેલ, સિંદૂર, શુદ્ધ ઘીમાં ચોળા ચઢાવવા તથા મંગળના સ્તોત્રનો પાઠ કરવો. જલેબી, બુંદી તથા ચૂરમાનો પ્રસાદ અર્પણ કરવો. ભાઈઓ સન્મુખ પોતાની છાપ સારી રાખવી. મંગળવારનું વ્રત કરવું. પડોશીઓ, મિત્રો તથા સાથીદારો સાથે સારો વ્યવહાર રાખવો.
  • બુધ : બુધ ગ્રહની પ્રસન્નતા માટે ભગવતી દુર્ગાની પૂજા-અર્ચના કરવી. કિન્નરોની સેવા કરવી. લીલા મગ પલાળીને પક્ષીઓને ચણ નાખવા. પાલક અથવા લીલો ઘાસચારો ગાયોને ખવડાવવો. પોપટને પાંજરામાંથી મુક્ત કરાવવા. નવ વર્ષથી નાની કન્યાઓનાં ચરણ ધોઈ તેમને પ્રણામ કરી તેમના આશીર્વાદ મેળવવા. બુધવારનું વ્રત રાખવું. મંત્રાનુષ્ઠાન અને હવન કરીને બુધની અનુકંપા મેળવવી.
  • ગુરુ : દેવ ગુરુ (બૃહસ્પતિ)ની પ્રસન્નતા મેળવવા માટે બ્રાહ્મણોનું સન્માન કરી તેમના આશીર્વાદ મેળવવા. ચણાની દાળનું તથા કેસરનું મંદિરમાં દાન કરવું. મસ્તક પર કેસરનું તિલક કરવું અને યોગ્ય વ્યક્તિઓને જ્ઞાાનવર્ધક પુસ્તકોનું દાન કરવું. ભગવાન બ્રહ્માનું કેળ દ્વારા પૂજન કરવું તથા કુળ પુરોહિતનું સન્માન કરી આશીર્વાદ મેળવવા અને યથાશક્તિ સુવર્ણ દાન કરવું.
  • શુક્ર : શુક્ર ગ્રહની અનુકંપા મેળવવા કનકધારા મહાલક્ષ્મીનો દૈનિક પાઠ કરવો. સ્વચ્છ વસ્ત્ર પહેરવાં. ગૌશાળામાં ગોળ, ઘાસનો લીલો ચારો, ચણાની દાળ ગાયોને ખવરાવવી. શ્રી વિદ્યાનું પૂજન કરાવવું. એકાક્ષી બ્રાહ્મણોને કાંસાની વાડકીમાં ખીર ખવરાવીને દક્ષિણા આપી આશિષ મેળવવી. જો રોગ હોય તો મૃત સંજીવની મંત્રનો જાપ કરાવવો. સંયમપૂર્વક રહેવું. વ્યસનોથી બચવું.
  • શનિ : શનિ ગ્રહની પ્રસન્નતા મેળવવા પીપળા તથા ભૈરવજીનું પૂજન કરવું. અડદની દાળ, દહીંવડાં ભૈરવજીને ચઢાવવાં અને વહેંચવાં. મજૂરોને તળેલો ખાદ્ય પદાર્થ વહેંચવો. શનિવારનું વ્રત કરવું. કાકા અને ફૂવા સાથે સારો સંબંધ જાળવવો. શ્રી હનુમાનચાલીસા તથા સુંદરકાંડનો નિયમિત પાઠ કરવો. શનિવારે તલનું તેલ ચઢાવી પૂજારીને યોગ્ય દક્ષિણા આપવી.
  • રાહુ : રાહુની પ્રસન્નતા માટે માતા સરસ્વતીનો પાઠ અને પૂજન કરવાં. રસોઈમાં બનેલ વાનગી કે રોટલી કાળા કૂતરાને જરૂર નાખવી. સંપૂર્ણ શાકાહારી રહેવું. કોઈ પણ પ્રકારે ઘરમાં વીજળીનો સામાન ભેગો થવા દેવો નહીં. વીજળીનો સામાન મફતમાં લેવો નહીં. નાનાજી સાથે સૌહાર્દભર્યો સંબંધ રાખવો. અશ્લીલ પુસ્તક વાંચવાં નહીં.
  • કેતુ : કેતુ ગ્રહની સાનુકૂળતા મેળવવા ભગવાન શ્રી ગણેશજીની પૂજા અને અર્ચના કરવાં જોઈએ. બાળકોને કેળાં ખવડાવવાં. કૂતરાને તેલ ચોપડી રોટલી ખવડાવવી. મામાની સેવા કરી તેમની આશિષ મેળવવી. કોઈ પણ ધર્મસ્થાન પર ધજા ચડાવવી જોઈએ. વર્ષફળમાં કેતુ શ્રેષ્ઠ ન હોય તેનો ઉપાય કરવો. જો ગ્રહની રાશિમાં કેતુ સ્થિત હોય તેની વિધિ કરાવવી જોઈએ.

જન્મ તારીખને આધારે કરિયરની પસંદગી કરો

મોટાભાગના લોકોની સમજમાં નથી આવતું કે ન્યુમરોલોજી એટલે કે અંકશાસ્ત્ર કેવી રીતે કામ કરે છે. જોકે, કેટલીક પ્રાથમિક બાબતોને સમજવામાં કોઈ મુશ્કેલી નથી. તમારે માત્ર જન્મ તારીખ જાણવાની જરૂર છે, જેને આધારે તમે તમારો બર્થ (જન્મ) નંબર જાણી શકો છે. તેને જન્માંક તરીકે ઓળખવામાં આવે છે. આ વાતને સારી રીતે સમજવા એક ઉદાહરણ જોઈએ

જો તમે ૨૯ તારીખે જન્મ્યા હો તો તમારો બર્થ નંબર એટલે કે જન્માંક ૨ + ૯ = ૧૧ અને પછી તેનો પણ સરવાળો ૧ + ૧ = ૨ એટલે કે તમારો જન્માંક નંબર ૨ છે. અંકો માનવજીવનની ઘણી બધી બાબતોને સ્પર્શે છે. તેમાંથી એક છે કરિયરની યોગ્ય પસંદગી. જન્માંક નંબરને આધારે કરિયરના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરી શકો છો. જન્માંક અને કરિયરના વિવિધ ઓપ્શન આ પ્રમાણે છે.

નંબર-૧
જો તમારો બર્થ નંબર ૧ હોય તો રચનાત્મક કાર્યો પ્રત્યે તમને વિશેષ આકર્ષણ રહેશે અને તમે હંમેશાં નવા વિચારોથી ભરેલા રહેશો. તમે ડિઝાઇનર, ગ્રૂપ લીડર, ફિલ્મમેકર કે સંશોધક તરીકે જરૂર સફળ થશો.

નંબર-૨
નંબર ૨નો સંબંધ નૃત્ય, સંંગીત, કવિતા અને ગણિતનાં ક્ષેત્ર સાથે છે. જોકે, બધાં જ ક્ષેત્ર તમારા માટે ખૂબ સારા વિકલ્પ સાબિત થઈ શકે છે. નંબર ૨ વાળી વ્યક્તિ મહાન સંશોધક પણ બની શકે છે.

નંબર- ૩

ચંચળતા અને સાફ મન એ નંબર ૩ના વિશેષ ગુણ છે. કમ્યુનિકેશન અને મનોરંજન એવાં ક્ષેત્ર છે જેમાં તમે પ્રયત્ન કરી શકો છો. એક્ટિંગ, મ્યુઝિક, રાઇટિંગ, જર્નાલિઝમ વગેરે તમારા માટે કરિયર ઘડવાના સારા વિકલ્પ છે. તમે ફેશન ડિઝાઇન અને મોડેલિંગ અંગે પણ વિચારી શકો છો.

નંબર-૪
જો તમારો બર્થ નંબર ૪ હશે તો તમે દરેક બાબતમાં વ્યાવહારિક, દૃઢ નિશ્ચયી અને આત્મશક્તિ ધરાવનાર વ્યક્તિ છો. તમે એન્જિનિયર, બિલ્ડર, પ્રોગ્રામર, એકાઉન્ટન્ટ, આર્િકટેક્ટ, ઇકોલોજિસ્ટ અથવા મિકેનિકના ક્ષેત્રમાં ધારી સફળતા મેળવી શકો છો અને આગળ વધી શકો છો.

નંબર-૫
નંબર ૫ તમને એડવેન્ચર્સ બનાવે છે. તમારાં સપનાં સાકાર કરો અને એ રસ્તા પર ભૂલથી પણ ન ચાલશો જે રસ્તે તમે ચાલી ચૂક્યા છે. પત્રકારત્વ, પ્રકાશન, વિજ્ઞાાપન, શેરબજાર, ટ્રાવેલ, લેખન અથવા એવિએશનનું ક્ષેત્ર તમારા માટે અતિ ઉત્તમ છે.

નંબર-૬
જન્માંક ૬ના લોકોનો સમાજસેવા એ પ્રાકૃતિક સ્વભાવ છે અને સેવક હોવાને કારણે તમે અધ્યાપક, શિક્ષક, સામાજિક કાર્યકર, મેડિકલ પ્રોફેશનલ કે ડોક્ટર, કૂક અથવા સિવિલ સર્વન્ટના ક્ષેત્રમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને સફળતા મેળવી શકો છો.

નંબર-૭
જેનો બર્થ નંબર ૭ છે તેવા લોકો વધારે જ્ઞાાની હોય છે. તેમને વૈજ્ઞાાનિક, મનોચિકિત્સક, તપાસકર્તા, દાર્શનિક, જાસૂસ અથવા મિસ્ત્રી લેખક તરીકે વધારે સફળતા મળે છે. આ સિવાયના ક્ષેત્રમાં તેમને ધારી સફળતા મળતી નથી.

નંબર-૮
નેતૃત્વ અને બીજા લોકોને પોતાના અનુરૂપ બનાવી દેવા એ જન્માંક નંબર ૮ના લોકોની વિશેષતા છે. તેઓ ખૂબ જ સારા સેલ્સમેન, બેન્કર, શેરબ્રોકર, મેનેજિંગ ડાયરેક્ટર અથવા એથ્લીટ બનાવે છે. આ ક્ષેત્રમાં તેઓ પોતાની નસીબ અજમાવીને કરિયરને ચમકદાર બનાવી શકે છે.

નંબર-૯
જન્માંક નંબર ૯ના લોકોને માનવ મનની સારી સમજણ હોય છે અને તેઓ બીજા લોકોને પોતાની પ્રત્યે પ્રેરિત પણ કરી શકે છે. તેઓ લેક્ચરર, ફિઝિશિયન, વકીલ અથવા ચિત્રકારના ક્ષેત્રને પ્રાથમિકતા આપીને પોતાની કરિયરને ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે.

સાભાર: સંદેશ


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ખાસ…આ છે શિવને પ્રસન્ન કરવાની સૌથી સરળ વિધિ અને પંચોપચારની પૂજા…!!!
જાણો…ગ્રહદોષથી મુક્તિ મેળવવી હોય તો આજથી જ શરૂ કરો, શિવના આ રાશિઉપાય..!!
જાણો…અમાસ ના દિવસે, લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ચમત્કારિક ઉપાય…!!

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

રત્નો મનોકામના સાકાર કરી સુખી બનાવે છે તથા ચમત્કારિક પ્રભાવ દ્વારા ઉચ્ચપદે બેસાડે છે…!!

ratn

રત્નો મનોકામના સાકાર કરી સુખી બનાવે છે

પ્રેમની તૃપ્તિ માટે, સંબંધોમાં વિચ્છેદ થવાનો લાગતો હોય ત્યારે, જાતીય નબળાઈ અનુભવાતી હોય ત્યારે ‘સંગિયાને’ સમીપમાં રાખો

સુંદર દેખાતાં અને પ્રતિબિંબો પરિવર્તિત કરતાં રત્નો અને ઉપરત્નો મુખ્ય છ રંગના મિશ્રણથી બનેલાં હોય છે. લાલ, પીળો, લીલો, બ્લૂ, (નીલો) સફેદ અને કાળો. આ ઉપરાંત તપખીરિયો, ભગવો અને જાંબુડિયો રંગ પણ મિશ્રણથી તૈયાર થઈને રત્નોને શોભાવે છે.

આ વિશ્વ રૃપરંગનું હોવાથી પ્રત્યેક રંગના ગુણધર્મો, જીવન ઉપર થતાં પરિણામો અને જીવન સફળ બનાવવા કયા રંગનો ઉપયોગ કરવાથી શુભત્વ પ્રાપ્ત થાય છે એ અનુભવી-વિદ્વાન અને રત્નપારખું બતાવી શકે છે. રંગશાસ્ત્ર અને રત્નશાસ્ત્ર એ વ્યક્તિઓ સાથે સુસંગત શસ્ત્રો છે. મનોકામનાની ર્પૂિત કરીને જીવન સુખમય બનાવે એ રત્ન અને ઉપરત્ન સૂર્ય-મંગળ અને ગુરુને પુરુષ ગ્રહો માનવામાં આવે છે. ચંદ્ર, શુક્ર, રાહુને સ્ત્રી ગ્રહો માનવામાં આવે છે. શનિ-બુધ તથા કેતુને નપુંસક ગ્રહો માનવામાં આવે છે.

શુક્ર તથા ચંદ્રનો રંગ શ્વેત ગણાયો છે.
ગુરુનો રંગ પીળો ગણાયો છે.
મંગળ તથા સૂર્યનો રંગ લાલ ગણાયો છે.
બુધનો રંગ લીલો મનાયો છે.
રત્નનો રંગ કાળો મનાયો છે.
રાહુ તથા કેતુનો રંગ ‘ઘૂરકટ’ મનાયો છે.
ગ્રહોની ઉપાસના અને રંગોની માહિતી
નબળાં હાડકાં બળવાન બનાવવા માટે સૂર્યદેવની ઉપાસના કરવી.
રક્તની બીમારીઓમાં ચંદ્રની ઉપાસના કરવી.
મજ્જાતંતુઓની બીમારીમાં મંગળદેવની ઉપાસના જરૃરી છે.
ત્વચાના રોગો તથા ત્વચાના સૌંદર્યની પ્રાપ્તિ માટે બુધની ઉપાસના કરવી.
ચરબીને લગતા રોગોમાં ગુરુની ઉપાસના કરવી જોઈએ.
વીર્યના રોગો માટે શુક્રાચાર્ય (શુક્ર)ની ઉપાસના જરૃરી છે.
સ્નાયુઓની બીમારીઓમાં નિવારણ માટે તથા સ્નાયુઓ બળવાન બનાવવા રત્નની ઉપાસના જરૃરી છે.

ગ્રહોના ગુણો
સૂર્ય, ચંદ્ર ગુરુ સત્ત્વગુણી છે. બુધ તથા શુક્ર રજોગુણી મનાય છે. રાહુ, કેતુ તથા શની તમોગુણી ગણાય છે.

ગ્રહોના રસો
સૂર્યનો રસ પીળો, ચંદ્રનો ખારો, મંગળનો કડવો, બુધનો મીઠો, ગુરુનો મધુર, શુક્રનો ખારો તથા રત્નનો રસ ‘તૂરો’ ગણાય છે.

ગ્રહોની ધાતુઓ
સૂર્યની ધાતુ તાંબું, ચંદ્રની મણિ, મંગળની સુવર્ણ, બુધની મિશ્ર, ગુરુની રુદ્ર, શુક્રની મોતી, શનિની લોહ, રાહુની સીસુ તથા કેતુની કાંસ ધાતુ ગણાય છે.

સૂર્ય, ચંદ્ર તથા શુક્ર દિવસે બળવાન હોય છે. ચંદ્ર, મંગળ, શનિ રાત્રિએ બળવાન થાય છે. બુધ દિવસે અને રાતેય બળવાન ગણાય છે.

સૂર્ય, મંગળ – લગ્નતત્ત્વ
શુક્ર, ચંદ્ર – જલતત્ત્વ

બુધ, પૃથ્વીતત્ત્વ
ગુરુ, આકાશ તત્ત્વ
શનિ, વાયુતત્ત્વ
સૂર્યના દેવ – અગ્નિ
ચંદ્રના દેવ – જય દેવ
મંગળના દેવ – કેશવ
ગુરુના દેવ – બૃહસ્પતિ
શુક્રના દેવ – ઇન્દ્રાણી
શનિના દેવ – બ્રહ્મા ગણાય છે
સૂર્ય મંગળની શાંતિ માટે વિષ્ણુસહસ્ત્ર નામના પાઠ કરવા. ગુરુ અને શુક્રની શાંતિ માટે ગુરુચરિત્રનું પારાયણ કરવું. શનિની શાંતિ માટે શનિ માહાત્મ્ય વાચક હનુમાનજીની આરાધના કરવી.

ઉપરત્નો

સિફરી : આસમાની રંગ ધરાવનાર આ રત્નનો વિશેષ ઉપયોગ ઔષધ તૈયાર કરવામાં થાય છે. વાયુતત્ત્વના રોગો પર એની રામબાણ અસર થાય છે, જેથી શક્તિને અનુરૃપ આ ઉપરત્ન બને છે જે પંચધાતુ અને સુવર્ણમાં ધારણ કરી શકાય. જેનામાં લોહતત્ત્વની ખામી વિશેષ કરીને હોય છે તેઓએ ‘સિફરી’ ધારણ કરવું જોઈએ. આ લોકેટ્સમાં કે પ્લાસ્ટિકના પાઉચમાં મંત્ર વિભૂષિત કરીને શનિવારે રાખી શકાય છે. નખ, કેશ માટે લાભદાયક.

મંત્રજાપ : ક્રૂરકર્મ વિધાતા અ સર્વ કર્માનરોધકઃ
તત્ટો સષ્ટ : કામરૃપ : કામદો રવિનંદનઃ
૧૧ વાર દરરોજ, ૧૦૮ વાર શનિવારે.

સંગિયા

આ ઉપરત્નમાંથી ગળામાં પહેરવાની શોભાની ચીજો-લોકેટ્સ વગેરે તૈયાર થાય છે. ચાંદી, પંચધાતુ અને ક્યારેક હલકી એલ્યુમિનિયમ ધાતુને રંગમય બનાવી ‘સંગિયા’ને પહેરવાલાયક બનાવાય છે.

પ્રેમની તૃપ્તિ માટે, સંબંધોમાં વિચ્છેદ થવાનો લાગતો હોય ત્યારે, જાતીય નબળાઈ અનુભવાતી હોય ત્યારે ‘સંગિયાને’ સમીપમાં રાખવાનો પ્રયોગ ઘણાં કરે છે.

આ માટે શુક્રદેવની આભા આ ઉપરત્ન ઊતરી આવે છે. મોજશોખ અને મનથી કોઈના આકર્ષણનો ભોગ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરવામાં શુક્રવારે ધારણ કરવાથી લાભ થાય છે.

મંત્ર : મૃણાલ કુંદે નુંપયોજ સુપ્રભં
પીતંબર પ્રસૃત મક્ષમાલિનં
સમસ્ત શાસ્ત્રાર્થ વિવિર્મહાન્તં
ધ્યાયેત્કવિં વાંછિતમર્ય સિદ્ધયં

ગુદડી

વિશેષ કરીને મુસ્લિમ સંપ્રદાયમાં આ ઉપરત્નોનો પ્રભાવ વધુ રહેલો છે, જેથી તેઓ એનો ઉપયોગ વિશેષરૃપે કરે છે. આ રત્નની માળા પહેરવામાં આવે છે. મુસ્લિમ ફકીર-મૌલવી સાહેબો એને ધારણ કરે છે અને નાનાં બાળકોને ગળામાં પણ પહેરાવે છે. આ રત્નથી મૂઠચોટ, ભૂતપ્રેત, પલિતથી કોઈ અડચણ થતી નથી અને જ્યાં જેની નજર લાગી જતી હોય છે ત્યાં બચાવ કરે છે. વિવિધ રંગોમાં આ ઉપરત્ન મળે છે. એને એલ્યુમિનિયમ, રેશમી દોરી કે ચાંદીના તારમાં પરોવીને પહેરાય છે.

મંત્ર ‘અલવ હાબો’ મુસ્લિમ લોકો બોલે છે.

૪ વાર ચાર દિશામાં હાથ ઊંચો કરી રાત્રે બોલે છે.

રત્નો ચમત્કારિક પ્રભાવ દ્વારા ઉચ્ચપદે બેસાડે છે

પંચતત્ત્વોમાં હરતી-ફરતી વ્યક્તિ પંચતત્ત્વોને કારણે જ વૃદ્ધિ પ્રાપ્ત કરે છે અને ગ્રહોની અસરથી સુખમાં વૃદ્ધિ કરાવનારાં રત્નો અતિ પ્રભાવશાળી માધ્યમ પૂરું પાડે છે

રત્નમય જીવનના ધબકાર ચમત્કારિક પ્રભાવથી વ્યક્તિને વિભૂષિત બનાવે છે. સતત સમસ્યાઓથી ઘેરાયેલી વ્યક્તિ ઉપર ગ્રહોના પ્રતિનિધિ રૂપી ‘રત્નો’ ગાઢ અસર કરે છે અને જીવનશૈલી બદલી દુઃખમાંથી ઉગારી સુખ-શાંતિ કરી આપે છે. જે ઊર્જાશક્તિનો સંચાર રત્નોમાંથી નીકળી વ્યક્તિના દેહમાં પ્રવેશે છે એ શક્તિ ‘પોઝિટિવ પાવર’ બનીને લાભ આપે છે.

રત્નોની બહુવિધ દુનિયામાં ડોકિયું કરીએ તો ખબર પડે કે અમૂલ્ય-અધધધ અને અખૂટ ભંડાર પૃથ્વીના પેટાળમાં સમાયેલો છે. પંચતત્ત્વોમાં હરતી-ફરતી વ્યક્તિ પંચતત્ત્વોને કારણે જ વૃદ્ધિ પ્રાપ્ત કરે છે અને ગ્રહોની અસરથી સુખમાં વૃદ્ધિ કરાવનારાં રત્નો અતિ પ્રભાવશાળી માધ્યમ પૂરું પાડે છે. ‘રત્નદ્વીપ’, ‘રત્નસાગર’, ‘રત્નાકર’, ‘રત્નભંડાર’, રત્નસિંઘ’, ‘રત્નમિમાંસા’, ‘રત્નપ્રકાશ’, ‘રત્નજગત’, ‘રત્નશાસ્ત્ર’ ‘રત્નસૃષ્ટિ’ જેવાં વિશેષ નામોથી રત્નો વિષેની ઝીણવટભરી માહિતી પ્રાપ્ત થાય છે.ું પાડે છે. ‘રત્નદ્વીપ’, ‘રત્નસાગર’, ‘રત્નાકર’, ‘રત્નભંડાર’, રત્નસિંઘ’, ‘રત્નમિમાંસા’, ‘રત્નપ્રકાશ’, ‘રત્નજગત’, ‘રત્નશાસ્ત્ર’ ‘રત્નસૃષ્ટિ’ જેવાં વિશેષ નામોથી રત્નો વિષેની ઝીણવટભરી માહિતી પ્રાપ્ત થાય છે.

ગ્રહોનાં ઉપરત્નો વિષે વિશેષ જાણીએ

રોમની

આ ઘેરા લાલ રંગનું રત્ન છે. આ લાલ રંગના રત્નમાંથી થોડાક કામી રંગ દૃશ્યમાન થાય છે. આ રત્નની વિશેષતા એ છે કે આડા કે ઊભા રેસાઓ એમાં હોતા નથી.

ચાંદી અને સોના બંનેમાં પહેરી શકાય છે. અનામિકામાં ધારણ કરી શકાય. એની વીંટી કે લોકેટ બનાવી શકાય.

આ ઉપરત્નથી માનસિક સમતુલા સ્થિર રહે છે, લોહીનું ભ્રમણ વ્યવસ્થિત થાય છે. વ્યક્તિનું સ્ટેટસ સુધરે છે. લાલ કણોમાં વધારો થાય છે. શુભ-મંગલ કાર્યોમાં વેગ આવી સફળતા મળે છે. વિવિધ સાઇઝમાં અને જીરટ્વૅી પહેરી શકાય છે.

એ ચમકદાર રત્ન છે, જેથી વધુ તડકામાં રહે તો ઝાંખો પડી શકે છે. એને પર્સમાં પણ રાખી શકાય છે અને બાજુબંધમાં પણ પહેરી શકાય છે.

સુલેમાની

સફેદ રંગમાં શ્યામ રંગની આભા દેખાય એ પ્રકારનું આ ઉપરત્ન છે. આ ઉપરત્નમાં આડી ઊભી રેસાવાળી લાઇનો દેખાય છે. અપારદર્શક હોય છે. હૃદયથી નરમ વ્યક્તિઓને, આંતરિક ડર રાખનાર વ્યક્તિઓને, છાતીમાં ગભરાટ થતી હોય એવી વ્યક્તિઓને પ્રિય પાત્રથી મતભેદ કે શારીરિક અંતર વધતું રહે ત્યારે સુલેમાની ધારણ કરવું જોઈએ. આ અતિ શીઘ્ર ફળ આપનારું ઉપરત્ન છે, જે ચાંદીમાં ધારણ કરવાથી વધુ લાભ આપે છે. એને ‘માદળિયા’ તરીકે પણ પહેરી શકાય. લોકેટ બનાવી પહેરવું વધું સારું. એને તર્જની કે કનિષ્ઠિકા બંને આંગળીએ પહેરી શકાય, એનાથી નજરદોષ-આંતરિક ડર-ગુપ્ત ડર, વૈમનસ્ય અને કલહ, અશાંતિ દૂર થાય છે. આ મુસ્લિમ પ્રદેશના દેશોમાં વ્યાપક રીતે પહેરવામાં આવે છે અને કાનૂની તથા શાસકીય કામો સફળ કરવામાં વધુ યોગદાન પૂરું પાડે છે. સ્ત્રી કે પુરુષ બંને ધારણ કરી શકે.

જહરમોહરા

સફેદ અને લીલાશ રંગનું આ ઉપરત્ન ખૂબ જ મદદરૂપ બને છે. એને લોકેટમાં પહેરવું વધુ સરળ છે. આ ઉપરત્ન વિષને બદલી નાખે છે અને એના પર વિષ રેડવામાં આવે તો ઝેર ઊતરી જાય છે. બીજા નંબરની અનામિકા ઉપર ધારણ કરવું જોઈએ. ચાંદીમાં ધારણ કરવું જરૂરી છે.

રક્તવિકાર, નેત્રવિકારમાં આ ખૂબ ઉપયોગી નીવડે છે. ધમનીઓમાં શુદ્ધ લોહી ફેરવે છે. શિરાઓમાંથી કામાશ દૂર કરે છે. રક્તશુદ્ધિમાં મદદ કરે છે. જંતુ કરડયું હોય તો ઝેર ઉતારવામાં સહાયરૂપ થાય છે. ભેદ દૂર કરવામાં અને ભેદ ખોલવામાં આ ઉપરત્નથી વિશેષ ફાયદો થાય છે. આ ઉપરત્ન પહેરવા માટે જાણકાર વ્યક્તિ, જ્યોતિષીની સલાહ લેવી જરૂરી છે. ક્યારેક ખોટા આશયથી નજર કરનારને એ ખૂબ પાઠ ભણાવે છે અને સુરક્ષા પૂરી પાડે છે. ‘જહરમોહરા’ ખૂબ ઉપલબ્ધી બતાવે છે.

લાજવર્ત

પ્રાચીન ઉપરત્ન છે જે સુવર્ણમાં ધારણ કરવું જોઈએ. ‘મધ્યમા’ આંગળીમાં ધારણ કરવું. પૂર્વે નીલમ જેવું સમજાતું આ રત્ન શનિદેવને પ્રસન્ન કરવા પહેરાતું ઉપરત્ન છે, જે નીલમ જેવા ગુણધર્મો વધુ ધરાવે છે.

વ્યાપારી, આર્થિક લાભો, શારીરિક શિથિલતા, સૌમ્ય અને સ્ત્રીદર્દોમાં કમરદર્દોમાં રાહત આપનારું આ ઉપરત્ન શારીરિક ક્ષમતા મોટી ઉંમરે પણ સારી રાખે છે.

એમાંથી નીકળતાં પરિવર્તનોથી શારીરિક ફેરફારો ટૂંકા સમયમાં જ જાણવા મળે છે. ભૂરા રંગનું આ રત્ન દર્શનીય હોય છે અને નીલમની અવેજીમાં પહેરી શકાય છે. શનિવારે ધારણ કરી શકાય.

ઉપરત્નો દ્વારા કાર્યસિદ્ધિ તાત્કાલિક મેળવી શકાય છે.

સાભાર: સંદેશ


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

જાણો…ભાગ્યશાળી ને ઉત્તમ હોય છે આવી યુવતીઓ, જેના શરીરમાં હોય છે આ 16 ગુણ!

db1

db2

db3

db4

db5

db6

db7

db8

db9

db10

db11

db12

db13db15

db16

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જાણો…ચહેરા પર અહીં હશે તલ, તો તમારા સ્વભાવ+ભવિષ્ય પર થશે આવી અસર…!!!
જાણો…તમારા શરીર પર આવા ‘અજીબ’ નિશાન, આપે છે અનોખા ‘લાભાલાભ’
જાણો…અંગૂઠો 60 ડિગ્રીએ ખૂલે તો તમે હશો ચપળ, 90 ડિગ્રીએ ખૂલે તો તમે કેવા?
શરીર પર આવા લક્ષણો હોય તો સમજી જજો, તમારા ભાગ્યમાં છે રાજયોગ…!!
જાણો…તમારી આંખનો રંગ પણ છે તમારા ગુપ્ત રહસ્યોની છબી, કેવો છે તમારી આંખનો રંગ?
ज्योतिष शास्त्र के अनुसार मुख्यत पांच प्रकार की होती है स्त्रियां, जानिए उनके लक्षण और स्वभाव
રોજ કરો આ પાંચ પરંપરાગત કામ, ચમકશે તમારી કિસ્મત ને મળશે શુભફળ!

સ્ત્રી-પુરૂષના શરીરનો આ ગુપ્ત ભાગ જણાવે છે તેમના છુપા રહસ્યો+સ્વભાવ!
તમારું પરાક્રમ વધારવું હોય તો તમારા હસ્તાક્ષરમાં લાવો આટલા ફેરફાર!

સામુદ્રીકશાસ્ત્ર કહે છે-શરીરે આવા લક્ષણો ધરાવતી સ્ત્રીઓ હોય છે અશુભ!
પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

જાણો…આ રાશિવાળા જાતકોની જોડી ક્યારેય નથી જામતી, બની જાય છે કંકાશનું ઘર!

jodi

વ્યક્તિના જીવનમાં ન જાણે કેટલી અને કઇ-કઇ સમસ્યાઓ સતત આવતી જ રહે છે. તે લોકો જે જીવનને જેવું છે, તેવું જ સ્વીકાર કરી લે છે તેમની માટે સમસ્યાઓનો સામનો કરવો સરળ થઇ જાય છે પરંતુ જે લોકો ખુશ રહેવા માંગે છે, સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગે છે તેમની માટે તો સંપૂર્ણ જીવન એક સંઘર્ષ બની જાય છે.

જોકે, જીવનનું બીજુ નામ જ સંઘર્ષ છે પરંતુ જો તમે ભારતની પ્રાચીન વિદ્યા, જ્યોતિષશાસ્ત્રની મદદ લેશો તો ઘણી હદે આ સમસ્યાઓથી બચી શકો છો. સામાન્ય રીતે વ્યક્તિ પોતાના જીવનમાં ત્રણ પ્રકારની સમસ્યાનો સામનો કરે છે.

ત્રણ સમસ્યાઓઃ-

પહેલી કરિયર, બીજી ધન અને ત્રીજી વિવાહ. આ ત્રણ પહેલું જો યોગ્ય હોય તો ઘણી હદ સુધી જીવન જીવવા લાયક બની જાય છે. જ્યોતિષ વિદ્યા 12 રાશિઓ અને 9 ગ્રહો પર આધારિત છે. જેમાં તમારી જન્મા તારીખ, સમય અને સ્થાનના આધારે તમારી જન્મકુંડળી બનાવવામાં આવે છે. આ જન્મકુંડળી તમારા સંપૂર્ણ જીવનનો અરીસો બની જાય છે.

અહીં જે બાર રાશિઓની વાત કરવામાં આવી રહી છે તે સૌરમંડળના નવ ગ્રહો ઉપર આધારિત છે. આ રાશિઓનો એકબીજા સાથેનો મેળાપ જ નિર્ધારિત કરે છે કે સંબંધિત રાશિઓના જાતકોનો એકબીજા સાથે પ્રેમ સંબંધ અથવા વિવાહ કેટલી હદ સુધી અને કેટલો સફળ રહેશે. આ વાત તો તમે સાંભળી જ હશે કે, કઇ-કઇ રાશિના લોકો એકબીજા માટે સહયોગી અને સારા જીવનસાથી સિદ્ધ થશે. આજે આ લેખમાં તમે જાણી શકશો કે કઇ રાશિના લોકો એકબીજા માટે ક્યારેય યોગ્ય સાબિત થઇ શકતાં નથી. આ રાશિના લોકોએ ક્યારેય એકબીજા સાથે વિવાહ કરવા જોઇએ નહીં.

મેષ અને કર્ક રાશિઃ-

મેષ રાશિના લોકો ઘણાં ઉર્જાવાન અને વ્યવહારિક હોય છે, જ્યારે કર્ક રાશિના જાતકો ખૂબ જ સંવેદનશીલ અને ભાવના પ્રધાન હોય છે. મૌલિક સ્વભાવના કારણે આ બંન્ને લોકોની વચ્ચે વિવાદ અને વિરોધની સંભાવના હમેશાં બની રહે છે. બંન્ને જ વ્યક્તિઓની પ્રાથમિકતાઓ અલગ-અલગ હોય છે આ માટે આ રાશિના જાતકોનો મેળ ક્લેશનું કારણ બની જશે.

કુંભ અને કર્કઃ-

કુંભ રાશિ સક્રિયતા અને ઉત્સાહને દર્શાવે છે. શરૂઆતમાં કર્ક રાશિના જાતકો પોતાના કુંભ રાશિના જાતકોની આ ખાસિયતને કારણે આકર્ષિત રહેશે પરંતુ ધીરે-ધીરે તેમને આ બધું જ બોરિંગ લાગશે. કર્ક રાશિના લોકો પોતાના ઘરથી વધારે સમય સુધી દૂર રહી શકતાં નથી. તેમની માટે આવી સક્રિયતાનો કોઇ જ અર્થ હોતો નથી, જે તેમને ઘર અને પરિવારથી દૂર રાખે.

સિંહ અને વૃષભઃ-

વૃષભ રાશિના જાતકો સ્થાયિત્વ અને સુરક્ષિત વાતાવરણની શોધમાં રહેતાં હોય છે અને સિંહ રાશિના લોકો નવી-નવી વસ્તુઓમાં હાથ અજમાવતાં રહે છે. આ રાશિના જાતકોને દુનિયાની દરેક વસ્તુઓ જોઇતી હોય છે, આ માટે સિંહ રાશિના જાતક ક્યારેય સ્થાયી રહી શકતાં નથી. અલગ-અલગ પ્રાથમિકતાઓ અને સ્વભાવ આ બંન્નેને ક્યારેય એકસાથે રહેવા દેતાં નથી.

વૃશ્ચિક અને મેષઃ-

બંન્ને જ રાશિઓના જાતકો પોત-પોતાની સ્વતંત્રા અને આત્મનિર્ભરતાને લઇને ગંભીર છે. મેષ રાશિના લોકો થોડા ફ્લર્ટ સ્વભાવના હોય છે અને વૃશ્ચિક રાશિના જાતકો ઈર્ષ્યાળુ, આ કારણે આ બંન્ને વચ્ચે વિશ્વાસ બની શકતો નથી અને પરિણામસ્વરૂપ સંબંધ વધારે લાંબો રહી શકતો નથી.

મિથુન અને કર્કઃ-

મિથુન રાશિના જાતક સંપૂર્ણ રીતે સંવેદનાહીન હોય છે, તેમની માટે ભાવનાઓનો કોઇ ખાસ અર્થ હોતો નથી, જ્યારે તે પોતાની વાત કહે છે ત્યારે તે ઘણાં કઠોર થઇ જાય છે. જ્યારે કર્ક રાશિના લોકો સંપૂર્ણ સંવેદનશીલ અને ભાવનાઓમાં વહેનારા હોય છે. આ કારણે તે લોકો ક્યારેય પ્રેમ સંબંધને કે પછી વિવાહ સંબંધને નિભાવી શકતાં નથી.

સિંહ અને કન્યાઃ-

સિંહ રાશિના લોકો ધનનો વ્યય કરનાર હોય છે અને કન્યા રાશિના લોકો બચતમાં વિશ્વાસ રાખે છે. જો આ લોકો વિવાહ કરી લે છે તો ઘણી હદ સુધી સંભાવના છે કે તેમનો સંબંધ ધન સંબંધી કોઇ મામલાને લઇને તૂટી જાય.

મકર અને તુલાઃ-

તુલા રાશિના લોકો લેવા કરતાં દેવામાં વધારે વિશ્વાસ કરતાં હોય છે. તે લોકો બીજાને ખુશ જોઇને જ ખુશ થઇ જાય છે, જ્યારે તેમનાથી વિરૂધ્ધ મકર રાશિના જાતક દમન કરવો અને પોતાના સાથીને દબાવીને રાખવામાં વિશ્વાસ કરનાર હોય છે. મકર રાશિના લોકો પોતાના તુલા રાશિના જાતકના સ્વભાવનો ફાયદો ઉઠાવે છે. જેને તુલા રાશિના લોકો વધારે સમય સુધી સહન કરી શકતાં નથી.

કુંભ અને વૃષભઃ-

કુંભ રાશિના લોકો ખુલા વિચાર ધરાવનાર હોય છે જ્યારે વૃષભ રાશિના જાતકો પોતાના સાથીને માત્ર તેમની દ્રષ્ટિથી જ જોવા માંગે છે. આ જ કારણ તેમની વચ્ચે ક્લેશનું કારણ બને છે.

મીન અને સિંહઃ-

સિંહ રાશિના લોકો દરેક પરિસ્થિતિમાં પોતાના સાથીનું અટેંશન ઇચ્છે છે. તેમને આ વાતનો ક્યારે ફરક નથી પડતો કે તેમનો સાથી દુઃખી છે કે સુખી, તેમને માત્ર પોતાની વાત હમેશાં મનાવવાની આદત હોય છે. જ્યારે મીન રાશિના લોકો સપનાની દુનિયામાં રહેનાર હોય છે, જ્યાં એવું કંઇ જ હોતું નથી.

મકર અને ધનઃ-

મકર રાશિના લોકો ઘણાં ઉદાસીન વ્યક્તિત્વ ધરાવનાર હોય છે જ્યારે ધન રાશિના લોકો પોતાની આસપાસ માત્ર આનંદનું વાતાવરણ જ જોવા માંગે છે. તેમને મકર રાશિના લોકોનો આ બોરિંગ અને ઉદાસીન સ્વભાવન સહન થતો નથી.

વૃશ્ચિક અને કુંભઃ-

કુંભ રાશિના જાતક દરેક સમય કંઇક નવું કરવા માટે લલચાતા રહે છે. તેમને જીવનમાં રોમાંચ જોઇતો હોય છે. તે એક સ્થાન પર બેસીને રહી શકતાં નથી. જ્યારે તેમનાથી ઠીક વિરૂદ્ધ વૃશ્ચિક રાશિના લોકો દરેક સમય સમર્પણ અને સ્થાપિયત્વની તલાશ કરતાં રહે છે.

મિથુન અને મીનઃ-

મિથુન રાશિના લોકો સ્વતંત્રતા ઇચ્છે છે, તેમને કંટ્રોલ કરવાની કોશિશ કરવી એટલે તેમના જોડાણ અને લગાવને ખોઇ દેવો છે. ત્યાં જ મીન રાશિના લોકો સમર્પણ ઇચ્છે છે જે મિથુન રાશિના લોકો માટે અસંભવ છે.

મિથુન અને કન્યાઃ-

આ બંન્ને જ રાશિના જાતક જીવનને લઇને પોત-પોતાની અલગ-અલગ વિચાર અને દ્રષ્ટિકોણ રાખે છે. કન્યા રાશિના લોકો ઘણાં ગંભીર અને વ્યવહારિક સ્વભાવ ધરાવનાર હોય છે જ્યારે મિથુન રાશિના લોકો ક્યારેય કોઇ નિર્ણય સુધી પહોંચી શકતાં નથી. આ બંન્નેને એકબીજા સાથે મેળ બેસાડવો ખૂબ જ મુશ્કેલ થઇ જાય છે.

********* સારા જ્યોતિષની સલાહ *********

અમે તમને આ વાત તો જણાવી દીધી કે તમારે કઇ રાશિ સાથે ન જોડવું જોઇએ. પરંતુ જો તમારી ઇચ્છા હોય તો તમે એક સારા જ્યોતિષની સલાહ લઇને તમારી જોડી બનાવી શકો છો.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જાણો….નામના પ્રથમ અક્ષરથી તમારો કોની સાથે, કેવો રહેશે પ્રેમ પ્રસંગ?

રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
તમારા પ્રેમી કે જીવનસાથી ગમે તે રાશિના હોય, જાણી લો જોડી જામે છે કે નહીં!

જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!

રાશી મુજબ જાણો યુવતીઓ નો પ્રેમ પ્રત્યેનો અભિગમ. રાશિ મુજબ પસંદ કરો તમારી ગર્લફ્રેન્ડ

જાણો…અંકશાસ્ત્ર પ્રમાણે તમે કેટલાં રોમેન્ટિક છો?કેવો રહેશે તમારો પ્રેમ સંબંધ!
શું તમે તમારા પાર્ટનરની પ્રિય આઇસ્ક્રીમ ફ્લેવરને જાણો છો તો જાણો તેમની પર્સનાલિટી અને સ્વભાવને પણ.

જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है