જાણો…રાશિ પ્રમાણે પસંદ કરશો પ્રેમી-પ્રેમિકા, તો પ્રેમમાં મળશે અણધારી સફળતા…!!!

astrolove

લગ્ન પહેલાં વર-કન્યાનું મિલન કરાવીને તેમનું ભાવિ દાંપત્યજીવન કેવું રહેશે તેનો તાગ મેળવવામાં આવે છે. આવું જ પ્રેમના વિષયમાં પણ છે. પ્રેમસંબંધમાં સફળતા કે નિષ્ફળતાનો આધાર બે વ્યક્તિઓના સ્વભાવ અને રાશિગત ગુણ પર આધારિત હોય છે, તેથી તમારે પ્રેમમાં પડતાં પહેલાં એ જાણી લેવું જોઇએ કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે.

દરેક યુવતીઓની જન્મતિથિ થી જાણો તેમના વ્યક્તિત્વના રહસ્યો , હોય છે આવી ખાસ વાત..!!

પ્રેમસંબંધ લગ્નમાં સફળતા મેળવે કે પછી બ્રેકઅપનો દુઃખદ અંત આવે. પ્રેમમાં ક્યારેક સમર્પણ મળે છે, તો ક્યારેક દગો પણ મળે છે. વાસ્તવમાં પ્રેમસંબંધની સફળતા કે નિષ્ફળતાનો આધાર બંને વ્યક્તિની રાશિ ઉપર રહલો છે. દરેક રાશિ પ્રેમની બાબતમાં અનોખી છે. દરેક રાશિનો અન્ય રાશિ સાથેનો અલગ-અલગ સંબંધ હોય છે. માટે જ આજે અમે આ લેખમાં દરેક રાશિના જાતકોનો અન્ય રાશિના જાતકો સાથે પ્રેમસંબંધ કેવો હોય છે તેના વિશે જાણીશું.

મેષ:-

મેષ રાશિ એ ઓજસ્વી અને અગ્નિ તત્વ પ્રધાન રાશિ છે. મેષ રાશિના જાતકોનો મેષ રાશિ સાથે અતિશયોક્તિભર્યો, વૃષભના જાતકો સાથે ગંભીર, મિથુનના જાતકો સાથે સામાન્ય પ્રેમસંબંધ હોય છે. કર્કના જાતકો સાથે વિરોધાભાસી અભિગમ, સિંહના જાતકો સાથે સ્નેહ સંબંધો વિલક્ષણ હોય છે. કન્યાના જાતકો સાથેના સંબંધો શંકાશીલ, તુલાના જાતકો સાથે સુખી અને સંતુષ્ટ તથા વૃશ્ચિકના જાતકો સાથે પ્રેમની બાબતમાં શ્રેષ્ઠ સુખ મેળવે છે. ધનના જાતકોનો પ્રેમ આનંદ આપનારો, મકરના જાતકો સાથે સંઘર્ષમય અને કુંભના જાતકો સાથે સુમેળ સાધવા નિર્માયેલો હોય છે, જ્યારે મીનના જાતકો સાથે પ્રેમસંબંધ સારો અને સ્વતંત્ર હોય છે.

જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ

વૃષભ:-

વૃષભ એ સ્થિર, સૌમ્ય પૃથ્વી તત્વની રાશિ છે. વૃષભ રાશિના જાતકો મેષ, સિંહ અને ધન રાશિના જાતકો સાથે પ્રેમસંબંધોમાં પરસ્પર સહિષ્ણુતા કેળવે તો તેમની ઉન્નતિ થઈ શકે છે. વૃષભ જાતકોને કન્યા અને મકર રાશિના જાતકો સાથે સારું બને છે, પરંતુ કેટલીક વખત તેઓ એકબીજાના પ્રેમભાવને સમજી શકતા નથી, જ્યારે મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકો સાથે સુમેળ સાધવા પ્રયત્નશીલ થવું પડે છે. વૃષભ રાશિના જાતકો કર્ક, વૃશ્ચિક અને મીન રાશિઓની વ્યક્તિને ખૂબ જ સારી રીતે સમજી શકે છે અને પરસ્પર સામંજસ્ય પણ હોય છે.

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો

મિથુન:-

મિથુન રાશિ ચંચળ, ચપળ અને વાયુ તત્વ પ્રધાન રાશિ છે. તેઓ પ્રેમની બાબતમાં સ્વતંત્ર હોય છે. મિથુન રાશિના જાતકો મેષ, સિંહ અને ધન રાશિના જાતકો સાથે સંબંધોમાં ઉત્સાહ અને ઉત્તેજના અનુભવે છે. વૃષભ, કન્યા અને મકર રાશિના જાતકો સાથેના સંબંધોમાં મિથુન જાતકો પરસ્પર અનુકૂલન સાધી શકે છે, જ્યારે મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકો સાથેનો પ્રેમ એ સ્વાર્થનો બની રહી જાય છે. આ જાતકોને કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકો સાથે પ્રેમસંબંધોમાં કેટલીક વખત તિરાડ જોવા મળે છે, પરંતુ સમય બદલતાં સ્નેહ પણ એટલો જ વધારે જોવા મળે છે.

દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!

કર્ક:-

કર્ક રાશિ સંવેદનશીલ તથા જળ તત્વ પ્રધાન રાશિ છે. કર્ક રાશિના જાતકોનો પ્રેમ ઊર્મિશીલ હોય છે. કર્ક રાશિના જાતકોને મેષ, સિંહ અને ધન રાશિના જાતકો સાથે સ્નેહ સંબંધોમાં વારંવાર તકરાર રહ્યા કરે છે. વૃષભ, કન્યા, મકર રાશિના જાતકો સાથે સંબંધ સારા રહે છે. સાથે જ, સંબંધો સ્થાયી અને કાયમી રહે છે. મિથુન, તુલા, કુંભ રાશિના જાતકો સાથે સંબંધો અનિશ્ચિત હોય છે એટલે કે પ્રેમ અને ક્રોધ બંન્ને વરસાવી જાણે છે. જ્યારે કર્ક, વૃશ્ચિક, મીન રાશિના જાતકો સાથે સામાન્ય વર્તન રહેતું હોય છે, પણ ક્યારેક પ્રેમમાં દગો થઈ શકે છે.

પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!

સિંહ:-

સિંહ રાશિ સ્થિર, સક્રિય અને અગ્નિ તત્વ પ્રધાન રાશિ છે. સિંહ રાશિના જાતકો અન્ય રાશિની વ્યક્તિઓ સાથે પણ વફાદાર હોય છે. સિંહ રાશિના જાતકોને મેષ, સિંહ અને ધન રાશિના જાતકો સાથે ક્યારેક ક્યારેક સંબંધોમાં ખટાશ આવે છે. વૃષભ, કન્યા, મકર રાશિના જાતકો સાથેના સંબંધોમાં એકબીજા સાથે ઈર્ષા ઊભી કરે છે. ઘણી વાર સંબંધોમાં સ્પર્ધા પણ ઊભી થાય છે. મિથુન, તુલા, કુંભ રાશિના જાતકો સાથે તેઓ લાગણીશીલ વલણ રાખે છે, પરંતુ કેટલીક વખત શંકાની નજરથી પણ જુએ છે, જ્યારે કર્ક, વૃશ્ચિક, મીન રાશિના જાતકો સાથે પ્રેમમાં ખૂબ વફાદાર રહે છે, એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે.

જાણો…લગ્ન નથી ગોઠવાતાં? આટલું કરવાથી જરૂર ગોઠવાશે…!!!

કન્યા:-

કન્યા એ સૌમ્ય અને પૃથ્વી તત્વ પ્રધાન દ્વિસ્વભાવ રાશિ છે. કન્યા રાશિના જાતકોના પ્રેમમાં સમર્પણની ભાવના રહેલી હોય છે. કન્યા રાશિના જાતકોએ મેષ, સિંહ અને ધન રાશિના જાતકો સાથે બિલકુલ સાવધાનીભર્યા સંબંધો રાખવા જોઈએ. વૃષભ, કન્યા અને મકર રાશિના મિત્રો સાથે અહંકાર અને અભિમાની પ્રેમ હોય છે. મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકો સાથે સ્નેહ સંબંધોમાં ગૌરવ અને ગરીમા ઝળકતાં હોય છે. તેઓને એકબીજા માટે ખૂબ માન હોય છે, જ્યારે કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકો સાથે સંબંધો પૂર્વગ્રહયુક્ત હોય છે.

જાણો…પુરૂષોના જન્માંકો જણાવશે, કઇ સ્ત્રી તેમના જીવનમાં ભરશે ભરપૂર આનંદ…!!!

તુલા:-

તુલા એ વાયુ તત્વ પ્રધાન રાશિ છે. તુલા રાશિના જાતકોને મેષ અને ધન રાશિના જાતકો સાથે પ્રેમસંબંધોમાં માત્ર ને માત્ર સ્વાર્થ હોય છે. સાચો પ્રેમ એ તો માત્ર વાતો જ હોય છે. વૃષભ, કન્યા અને મકર રાશિના જાતકો સાથે પ્રેમની બાબતમાં વધારે અપેક્ષાઓ રાખે છે. મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકો સાથેના સંબંધોમાં મતભેદ થયા કરે છે, પરંતુ તે દૂર કરીને સંબંધોને ક્રિયાશીલ રાખે છે, જ્યારે કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકો સાથેના પ્રેમસંબંધો શ્રેષ્ઠ હોય છે. પરસ્પર એકબીજાની ભાવનાને સમજી શકે છે. તુલા રાશિના જાતકો સારા પ્રેમી પૂરવાર થાય છે.

જાણો…પતિ-પત્ની વચ્ચે થતી તુંતું-મૈંમૈંથી બચવા આ રીતે રાશિ પ્રમાણે પસંદ કરો પાર્ટનર..!!!

વૃશ્ચિક:-

વૃશ્ચિક રાશિ સ્થિર અને જળ તત્વ પ્રધાન રાશિ છે. આ જાતકોમાં કામલાલસા વધારે જોવા મળે છે. વૃશ્ચિક રાશિના જાતકોમાં મેષ, સિંહ અને ધન રાશિના જાતકો સાથે પ્રેમમાં વફાદારી અને વિશ્વસનીયતા રહેલી હોય છે. વૃષભ, કન્યા, મકર રાશિના જાતકો સાથે માત્ર ને માત્ર જાતીય આવેગો સંતોષવા પૂરતો જ પ્રેમ હોય છે. મિથુન, તુલા, કુંભ રાશિના જાતકો સાથેનો પ્રેમ શુદ્ધ અને પવિત્ર હોય છે, જ્યારે કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકોનો પ્રેમ રંગીલો હોય છે, પરંતુ વિવેક અને પ્રામાણિકતા પણ ભારોભાર જોવા મળે છે.

લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.

ધન:-

ધન રાશિ એ પ્રબળ અને અગ્નિ તત્વ પ્રધાન દ્વિસ્વભાવ રાશિ છે. ધન રાશિના જાતકો વિશુદ્ધ પ્રેમની શોધમાં નિરંતર ભટકતાં હોય છે, પરંતુ તેમના હૃદયમાં જ રહેલાં એ વિરુદ્ધ પ્રેમને તેઓ ભાગ્યે જ પામી શકે છે. ધન રાશિના જાતકોને મેષ, સિંહ અને ધન રાશિના જાતકો સાથે પ્રેમની બાબતમાં વધારે બનતું નથી. આવા પ્રેમીઓ સતત એકબીજાનો અનેક બાબતે વિરોધ જ કરતાં હોય છે. વૃષભ, કન્યા અને મકર રાશિના જાતકો સાથેના સ્નેહ સંબંધો આશાવાદી હોય છે પરંતુ તેમનો પ્રેમ સાર્થક થઈ શકતો નથી. મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકો સાથે પ્રેમમાં હમેશાં તણાવ રહ્યા કરે છે, જ્યારે કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકો સાથે સ્નેહ સંબંધો સારા અને ટકાઉ હોય છે.

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો

મકર:-

મકર રાશિ પૃથ્વી તત્વ પ્રધાન રાશિ છે. તેઓ પ્રેમમાં શાંત, સ્થિર અને લાગણીશીલ હોય છે. મકર રાશિના જાતકો એમની આકાંક્ષાઓ અને ઝંખનાઓનો સંપૂર્ણ ત્યાગ કરી શકતા નથી. મકર રાશિના જાતકોનો મેષ, સિંહ અને ધન રાશિના જાતકો સાથેનો પ્રેમ ખૂબ જ નિર્દોષ હોય છે. વૃષભ, કન્યા અને મકર રાશિના જાતકો સાથે શાંત અને સરળ સંતૃપ્તિનો પ્રેમ હોય છે, જ્યારે મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકો સાથે પ્રેમસંબંધમાં વિલાપ સહન કરવો પડે છે. કર્ક, વૃશ્ચિક, મીન રાશિના જાતકો સાથે પ્રણય સંબંધ ઉષ્માભર્યો હોય છે, પરંતુ કેટલીક વખત પ્રેમમાં અંતરાયો પણ આવે છે. મકર રાશિના જાતકો પ્રેમમાં જેટલા પ્રામાણિક રહેશે તેટલો જ લાભ મેળવશે.

કુંભ:-

કુંભ રાશિ એ વાયુ તત્વ પ્રધાન રાશિ છે. આ જાતકો પ્રેમમાં શારીરિક સંતૃપ્તિ પછી ભાવશૂન્ય રહે છે. કુંભ રાશિના જાતકો મેષ, સિંહ, ધન રાશિના જાતકો સાથે સ્નેહ સંબંધોમાં ગળાડૂબ અને વફાદાર હોય છે તથા પ્રેમમાં સફળતા પણ મેળવે છે. વૃષભ, કન્યા અને મકર રાશિના જાતકો સાથે પ્રણય સંબંધોમાં સંકુચિત, નિષ્ઠુર, જડ અને અહમપ્રિય હોય છે. મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકો સાથે પ્રેમનું સુખ પ્રાપ્ત કરવામાં કેટલીય અડચણ અનુભવતા હોય છે. કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકો સાથે પ્રેમયાત્રા શરૂ કરીને પૂર્ણ પણ ખૂબ જલ્દી કરે છે.

મીન:-

મીન રાશિ એ જળ તત્વ પ્રધાન અને સંવેદનશીલ રાશિ છે. મીન રાશિના જાતકોનો પ્રેમ સમર્પણની ભાવનાથી ભરેલો હોય છે. તેઓ પ્રેમનો વિરલ આનંદ માણે છે. મીન રાશિના જાતકો મેષ, સિંહ અને ધન રાશિના જાતકો સાથે પ્રણય અને વિલાસથી ભરપૂર જીવન માણતાં હોય છે. વૃષભ, કન્યા અને મકર રાશિના જાતકો સાથે પરસ્પર વિરોધાભાસી વલણોથી ભરેલાં હોય છે. મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકો સાથે મન અને હૃદયથી પ્રભાવિત થયેલાં હોય છે, જ્યારે કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકો સાથેનો પ્રેમ પરમ શુદ્ધ હોય છે. કામલાલસા તેના માટે ગૌણ બાબત હોય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

રાખજો ધ્યાન…તમારા પ્રેમ અને અંગત સંબંધો ઉપર અસર કરે છે આ બાબતો…!!!
ફેંગશુઈના 15માંથી કોઇ 1નો કરો ઉપાય, ઘરથી ક્યારેય દૂર નહીં થાય સુખ+સમૃદ્ધિ
જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.
જો તમે…નાડીદોષથી સંતાન વિહોણા હો તો, આ રીતે દોષ દૂર કરી મેળવો સંતાનસુખ…!!!
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.
જાણો…14 નુસખા : પુરૂષોની દુર્બળતા, નપુંસકતા અને સ્વપ્નદોષને ઝડપથી કરશે દૂર…!!!
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
આ નાના-નાના 18 કામ, દરેક વ્યક્તિના જીવનના છીનવી લે છે બધા જ સુખો
સેક્સ લાઈફમાં આવેલી નબળાઈ કરો દૂર: જાતીયજીવન જીવંત કરો આ 7 વસ્તુઓનું સેવનથી.
રાશી મુજબ જાણો યુવતીઓ નો પ્રેમ પ્રત્યેનો અભિગમ. રાશિ મુજબ પસંદ કરો તમારી ગર્લફ્રેન્ડ
શું તમે તમારા પાર્ટનરની પ્રિય આઇસ્ક્રીમ ફ્લેવરને જાણો છો તો જાણો તેમની પર્સનાલિટી અને સ્વભાવને પણ.
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

Leave a comment